________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
सूत्रम् :- उपयोगो लक्षणम्॥२/८॥ भाष्यम् :- उपयोगो लक्षणं जीवस्य भवति॥२/८॥
– સ્થિતિ अधुना द्वितीयप्रश्नमतिबहुग्रन्थप्रतानव्यवच्छिन्नमनुसन्दधान आह → किञ्चान्यदिति । भावपञ्चकमव्यापित्वान्न परितोषमाधातुमलमस्य श्रोतुः पश्यन्नाचार्यः सकलजीवपदार्थव्यापीदमव्यभिचारि त्रिकालविषयं लक्षणमात्मनो निर्दिदिक्षुः सम्बन्धयति → भावपञ्चकादन्यच्च किं लक्षणमस्याव्यभिचारीति यदप्राक्षीत् तदिदमुच्यते।
(उपयोगो लक्षणमिति सूत्रम्।) उपयोगो लक्षणं भवति जीवस्येत्येतावद् भाष्यमस्य सूत्रस्य। उपयोगः = उपलम्भो ज्ञान-दर्शनसमाधिर्ज्ञान-दर्शनयोः सम्यक् = स्वविषयसीमानुल्लङ्घनेन धारणं
સૂત્રાર્થ :- ઉપયોગ લક્ષણ છે. ૨/૮ ભાષ્યાર્થ - જીવનું લક્ષણ ઉપયોગ હોય છે. ૨ / ૮.
- હેમગિરા • ૨/૮ સૂત્રની અવતરણિકા(આ અધ્યાયના પ્રારંભના ભાષ્યમાં જે બે પ્રશ્નો કર્યા હતા. તેમાં પ્રથમ પ્રશ્ન ‘વો વ ?’ અંગેની વ્યાખ્યા અત્યાર સુધી કરી. હવે બીજો સવાલ ‘ર્થ નક્ષો વા?’ને ધ્યાનમાં લઈ કહે છે.) અત્યાર સુધીમાં વર્ણવેલ પ્રથમ પ્રશ્નના ઘણાં લાંબા ઉત્તરગ્રંથના વિસ્તારથી વ્યવચ્છિન્ન (= આંતરાવાળા) એવા બીજા પ્રશ્નનું અનુસંધાન કરતાં વાચકશ્રી “વિખ્યાત્' ભાષ્ય પદને કહે છે. (એનો ભાવાર્થ નીચે મુજબ છે.)
જીવનું અપાયી લક્ષણ છે આ જીવના લક્ષણ તરીકે કહેવાતાં ૫ ભાવો જીવમાં અવ્યાપક હોવાથી (= જીવોમાં અમુક ભાવો હોય અને અમુક ન હોય તેવું અવ્યાપકત્વ તે ૫ ભાવોનું હોવાથી) શ્રોતાને સંતોષ પમાડવા સમર્થ નથી એવું જોતાં તેમજ સકળ જીવ પદાર્થોમાં વ્યાપકપણે રહેતા, વ્યભિચાર ન પામતાં તેમજ ત્રિકાળ વિષયવાળા (અર્થાત્ સદાકાળ આત્મા સાથે રહેનારા) એવા આત્માના લક્ષણનો નિર્દેશ કરવાની ઇચ્છાવાળા આચાર્યશ્રી = ભાષ્યકારશ્રી સંબંધ જોડે છે કે શું ભાવપેચથી જુદું આ જીવનું અવ્યભિચારી લક્ષણ છે ? એમ જે પ્રશ્ન (પૃષ્ઠ-૯માં) કર્યો હતો એના જવાબમાં આ (૨/૮ સૂત્રો કહેવાય છે.
‘ઉપયોનો નક્ષમ્' આ (૨) ૮) સૂત્ર છે અને ઉપયોગી નક્ષvi મવતિ નીવસ્થ’ આ પ્રમાણે આટલું ભાષ્ય આ સૂત્રનું છે. ઉપયોગ એટલે ઉપલંભ = ઉપલબ્ધિ અર્થાત્ જ્ઞાન અને દર્શનની સમાધિ એટલે કે જ્ઞાન અને દર્શનને સમ્યગૂ રીતે = સ્વવિષયની સીમાને ઉલ્લંઘન કર્યા વિના જે ધારણ કરવું તે સમાધિ કહેવાય છે. અથવા (બીજી રીતે ઉપયોગ શબ્દનો અર્થ જણાવતાં