________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
રાધનપુરના એક ચુસ્ત જૈન સાથે થયેલી વાતચીતમાં તેણે તેના બાળપણની તાજી કરેલી એક વાત આપણે સૌએ હૃદયમાં કંડારી રાખવા જેવી છે. જૈનો જ્ઞાનની જેમ જ કાગળ જેવા જ્ઞાનના સાધનો-ઉપકરણોને પણ પવિત્ર માનતા હોય છે. એ ભાઈના કહેવા મુજબ નાનપણમાં રાધનપુર રહેતા હતા ત્યારે ઘરે મહેમાન આવે એટલે મા કંદોઈને ત્યાં પેંડા લેવા મોકલે. પણ પેંડાનું બોક્સ પણ કાગળનું બનતું હોવાથી તેની આશાતના (દુરૂપયોગ)ન થાય એ માટે મા ઘરેથી પિત્તળનો ખાલી ડબ્બો લઈને જ મોકલે અને કંદોઈ બોક્સ આપે તો પણ ના પાડીને તેઓ પિત્તળના ડબ્બામાં જ પેંડા લઈને આવતા.
જ
કાગળના ટુકડામાં જેને ઝાડ પર ઉગામાયેલ કુહાડીનું ચિત્ર દેખાતું હોય તે વ્યક્તિ રાધનપુરી જૈન પરિવારના આ જૂનવાણી રિવાજ ઉપર આફરીન પોકાર્યા વિના નહિ રહે.
– અતુલ શાહ – વિક્રમ સંવત ૨૦૪૭
મા-બાપનું લોહી ચુસતો હાલનો હિંદી કોલેજીયન એવી કેળવણીમાં આગ મુકો.
-વીર શાસન તા. ૨૩/૮/૧૯૩૫
મીસરમાં સ્ત્રિઓને સીનેમા જોવાની મનાઈ છે.
–વીર શાસન તા. ૫/૧૦/૧૯૩૪ ચેયનચેરો ખાતે એક ક્રિશ્ચીન સ્ત્રીએ નાણાની સગવડ નહીં હોવાથી, જન્મેલું બાલક ફક્ત ૬ આનામાં વોર્ડબોયને વેચી દીધું હતું.
–વીર શાસન તા. ૮/૯/૧૯૩૩
ઓરિસ્સા પ્રાન્તની એક વિધવાએ પોતાના ૩ વર્ષના બાળકને ૩ રૂપિયામાં વેચ્યો.
|| ૧૨૬ ||
-વીર શાસન તા. ૮/૯/૧૯૩૩