Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 346
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો “વિડંબના દાયડ વિધવા વિવાહ -મુનિ જયાનંદવિજય लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् । प्रवृत्तिर्गर्हितेनेति प्राणैःकण्ठगतैरपि ।। અભિધાન રાજેન્દ્ર કોષના સાતમા ભાગમાં પૃષ્ઠ ૩૩૭ ઉપર “સદાચાર”શબ્દની વ્યાખ્યાની અંતર્ગત કહ્યું છે કે-- “સદાચાર મય જીવન જીવવાવાળા આત્માઓનો જે વ્યવહાર તે લોકાચાર. તેના અનુસાર પ્રવૃત્તિ કરનારા જીવો પ્રત્યેક પ્રસંગ પર ઔચિત્યનું પાલન કરે છે. પ્રાણ જવા સુધીની પરિસ્થિતિમાં પણ ગર્ણિત-નિંદિત પ્રવૃત્તિન કરે અર્થાત્ પ્રાણથી પણ વધારે સદાચારનું પાલન મહત્ત્વવાળુ છે એમ તેઓ માને છે. વર્તમાનકાળમાં અમુક માણસો માનવતાથી દાનવતા તરફ પગલું ભરતાં અયોગ્ય રીતિથી પરિવાર નિયોજન, ગર્ભપાત વિગેર મહાહિંસક, ધર્મનાશક સંસ્કૃતિ નાશક અને વિકારવર્ધક પ્રવૃત્તિને અપનાવીને વિધવા વિવાહની અનુમતી આપવા લાગ્યા છે. વિધવા વિવાહ આ સદાચારી પુરુષો દ્વારા ક્યારેય માન્ય થયું નથી. વિધવાવિવાહમાં ઔચિત્યનું પાલન પણ નથી અને આગઈિતનિંદિત પ્રવૃત્તિ છે અને કોઈના પ્રાણ જવાના પ્રસંગ પર પણ આચરવાનો નિષેધ છે. વિધવા વિવાહ ઉચ્ચકુળમાં જન્મનારા માટે તો કલંક રૂપ છે. પૂર્વકાળથી આજ સુધી કોઈ પણ ઉચ્ચકુળમાં આ પ્રથા (વિધવા વિવાહ)ને સ્થાન મળ્યું નથી, કેમકે કુલધૂમના અનુપાલનની વ્યાખ્યામાં સ્પષ્ટ લખ્યું છે કે, ''વિરુદ્ધ સ્વરુનીવરનુવર્તનમ્” પોતાના કુળના અનુકૂળ આચારથી વિપરીત વર્તન ન કરવું તે જ કુલાચાર છે. વિધવા વિવાહના સહમતીઓને પૂછવામાં આવે કે આપની કઈ // રૂ ૨૬ ||

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370