Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 289
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો સર્યું આવા સૌન્દર્યથી! અત્તર જેવા સુગંધી પદાર્થોની સુવાસ જલદીથી ઊડી જાય છે. આ સુવાસને વધુ સમય ટકાવી રાખવા માટે ચોક્કસ પદાર્થોને અત્યંત ઓછા પ્રમાણમાં તેની સાથે ભેળવવામાં આવે છે. આવા પદાર્થો ફિકસેટીવ” કહેવાય છે જે અત્તર વગેરે ની સુવાસને “ફિકસ’” કહે છે એટલે કે તેને ઝડપથી ઊડી જતી અટકાવે છે એને સુવાસ લાંબા સમય સુધી ટકી રહે છે. કસ્તૂરી પોતે સરસ સુગંધ ધરાવતો પદાર્થ છે. તે સાથે તેની સુગંધ સેંકડો વર્ષ સુધી ટકી રહે એવી ટકાઉ હોય છે. પરંતુ આધુનિક સૌંદર્યના સાધનો બનાવનારાઓ તેનો ઉપયોગ મુખ્યત્વે ‘ફિકસેટિવ” તરીકે જ કરે છે, અને અત્તર જેવા બીજા સુગંધી પદાર્થોની સુવાસ તેમાં સહેજ કસ્તૂરીનું “ટિન્કચર” ભેળવવાથી ઘણી ટકાઉ બને છે. આવાં સૌંદર્યનાં સાધનો વાપરવાની વસ્તુઓ હોવાથી, તે વપરાયી રહે ત્યાં સુધી તેની અંદરના સુગંધી પદાર્થની સુવાસ ટકી રહે તો તે પૂરતું થઈ પડે છે. કસ્તૂરીની જેમ “ફિકસેટિવ' તરીકે વપરાતા બીજા પદાર્થોમાં “અંબરગ્રિસ” તરીકે ઓળખાતા પદાર્થનો સમાવેશ થાય છે. અંબરગ્રિસ વ્હેલ માછલીના આંતરડામાં થાય છે, અને તે વ્હેલ કોઈક વાર ઓકી નાંખે છે. એ પદાર્થ મીણ જેવો દેખાય છે. અને તે વ્હેલ ઓકી નાખે છે ત્યારે પાણીની ઉપર તરતો રહે છે. અંબરગ્રિસના “ફિકસેટિવ' તરીકેના ઉપયોગ માટે તેની માંગ વધતાં વ્હેલના આંતરડામાંથી તે મેળવવા માટે પણ વ્હેલનો શિકાર કરવાને ઉત્તેજન મળ્યું હતું. વ્હેલ ૯૦ ફૂટ કરતાં પણ વધુ લાંબુ દરિયાઈ પ્રાણી છે અને તેનું વજન ૧૦૦ ટન કરતાં પણ વધુ હોય છે. આ પ્રાણી દરિયામાં રહેતું હોવા છતાં તે બચ્ચાને ધવડાવનારૂ પ્રાણી છે અને તેને શ્વાસ લેવા માટે પાણીની ઉપર આવવું || ૨૭૨

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370