Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 336
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો રજા મળે છે. એ....ય ને ઘેર સુઈ આરામ કરી, સરકારી પૈસે શીરો ખાઈ, તાજામાજા થઈને ફરી શકો છો, એકવાર ભૂલ કરી, તેવી બીજીવાર ન થવા દેજો. સંતતિ નિયમનના સાધનો વાપરજો.પરંતુ આ વખતે તો નિકાલ કરાવી જ નાખો” તેમ છતાં ધર્મભીરું ભારતીય સ્ત્રી હજારો વર્ષના સંસ્કારના બળે ગર્ભપાતનું પાપ કરતાં ખચકાય છે.ત્યારે તેને સમજાવવામાં આવે છે કે-હજુ તો શરૂઆત જ છે. તેમાં જીવ નથી એ તો માંસનો લોચો જ હોય છે. તેને કાઢી નાંખવામાં કશુપાપ જેવું નથી. ખાસ દર્દથતું નથી. અઠવાડિયામાં ઊભા થઈ જશો. કોઈને ખબર પણ નહિ પડે. અને ભોળી સ્ત્રીઓ આ પ્રચાર જાળમાં ભરમાઈ જાય છે. તેમને ખબર નથી કે ત્રીજે મહિને તો બાળક પેટમાં ફરકવા માંડે છે. અને જીવ તો ગર્ભાધાન વખતે જ તેમાં પડી જાય છે. સંભોગ વખતેજ પુરુષ-વીર્યના શુક્રાણુ અને સ્ત્રી બીજના મિલન વખતે એ ધબકતા હોય છે. જીવ જ જીવને જન્મ આપી શકે. મૃત પદાર્થમાંથી કદીજીવન ન સંભવે.વસ્તી ઘટાડવા માટેની આ એક નીચ અને ખૂની ચાલ છે, જેમાં જીવનના ઈન્કાર માટે જુઠાણું ફેલાવવામાં આવે છે. એ જુઠાણાની જનક સ્વયંસરકાર છે.વધુહાથોને કામ, રોજી રોટી આપવાને અશકત એવી સરકાર જુઠ્ઠા પ્રચાર દ્વારા માનવીનાં કતલખાના ચલાવે, એ દેશમાં દુષ્કાળ પડે, ધરતીકંપો થાય, આગ લાગે, મોધવારી વધે, મનુષ્યો ચારિત્ર્યભ્રષ્ટ થાય અને છેવટે યાદવાસ્થળીથી એ દેશનું સત્યાનાશ નીકળી જાય, તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? | ૨૧૬ ||

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370