________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ભગવાનના ફોટાઓનાઅઢાર અભિષેક ન કરવામાં આવ્યા હોય, એટલા માત્રથી એવા ફોટાઓની પણ આશાતનાઓ કરવાની છૂટ મળી જતી નથી.
અંતમાં ભારપૂર્વક કહેવા યોગ્ય એ છે કે મુંબઈ, અમદાવાદ જેવાં મોટાં-મોટાં શહેરોનાં દેરાસરોના વહીવટદારો ઉપર જણાવી એ બધી ભગવાનના ફોટા દ્વારા થતી કે કરાતી ભયાનક આશાતના-ઓને જાણે, સમજે, વિચારે અને આશાતના-પાપના ભયવાળા બનીને પ્રભુ-પ્રતિમાજીના ફોટા પાડવાનો જ નહિ, પણ કેમેરા સાથે દેરાસરમાં દાખલ થવાની મનાઈ ફરમાવતો કડક કાયદો કરે અને એનો અમલ સખ્તાઈથી કરે ને કરાવે એ ખૂબ-ખૂબ જરૂરી છે.
-પૂ. મુનિરાજ શ્રી હિત વિજયજી મહારાજ
પ્રતિષ્ઠાઓ,અંજનશલાકાઓ અને મહોત્સવમાં ફોટાઓવીડિયોનો જે પ્રચાર વધ્યો છે, તેના ઉપર પણ અંકુશ મુકવા જેવો છે. (સં.)
૦ અનેકાંતવાદનો ઉપયોગ પણ એકાંતે કરવાનો નથી, જ્યારે સત્ય
સમજાઈ જાય ત્યારે સત્યના પક્ષે રહેવું એ કદાગ્રહ નથી. • હું સાચો છું એવું માનવામાં કદાગ્રહ નથી પણ બાકી બધા ઝુઠા એવું માનવામાં જરૂર કદાગ્રહ છે.
-કલ્યાણ નવેમ્બર-૨૦૧૦, પૃ.-૮
|| ૧૪૬ ||