________________
ચેાવીસમુ]
સ્થાનાંગસૂત્ર
[ ૭
પચ્ચક્ખાણ કરે પણ હિંસા કેાની થાય તે ખબર ન હોય તે હિંસાના પચ્ચક્ખાણની કિંમત શી ? જીવ છે, આ ત્રસ, સ્થાવર છે તેવું ન જાણે! છતાં હિંસાને ત્યાગ કરે તેની કિંમત શી ? હિંસા ન કરવી એમ કહીએ તે સભામાંથી ઊભા થશે ને કહેશે કે પચ્ચક્ખાણ છે. તે ત્રસ જીવાને મારવા તેને હિંસા કહે છે. પૃથ્વીકાય વગેરે જીવ છે તેને મારવા તે હિંસા છે તેા હાથ પહેાળા કરી નાખે. જયારે ત્રસ, સ્થાવર, એ એ પદાર્થોનું ભાન થયું ત્યારે થયું કે સ્થાવરની હિંસા છેડવી મુશ્કેલ તેથી હાથ પહેાળા કર્યા.
•
સ્વરૂપ જાણ્યા પછી જ પ્રતિજ્ઞાનું ફળ મળે
પહેલાં એ જાણવુ જોઇએ કે જે હિંસાનાં પચ્ચકખાણા કરવામાં આવે છે તે વા કયા કયા ? પહેલાં જ્ઞરવા નાન કરા. અભાવનું જ્ઞાન કરવું હોય તે પ્રતિયોગિકતુ જ્ઞાન કરવું જોઇએ. જેને ધડાનું સ્વરૂપ ખ્યાલમાં નથી તે ઘડેા નથી એ કેમ કહી શકે ? જેને જીવના સ્વરૂપને ખ્યાલ નથી તે જીવને નહિ એમ કેમ કહી શકે? જે જીવને જાણતા હાય તેને જીવહિંસા નહિ કરું એમ કહેવાને હક. પહેલાં જાણેા, જાણ્યા માત્રથી ચરિતાર્થ નહિ. જાણ્યાની સાથે પ્રાણાપ્રાણના વધ જાણા, તેથી જૈન ધર્મમાં આવેલા પણ પ્રાણના વધના પચ્ચક્ખાણુમાં ન આવે ત્યાં સુધી પ્રાણવધના કર્મમાં બંધાયેલા રહેવાના. હું સાચું ખાલીશ એમ કહે નહિ ત્યાં સુધી કે માં તમારા વચન નોંધાય નહિ. પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી કાગળમાં ચઢે નહિ. તેવી રીતે અવિરતિ ટાળ્યા સિવાય, વિરતિ કર્યા સિવાય, નહિ કરવાના પચ્ચખાણ કર્યા સિવાય ગણતરીમાં અવાય નહિ; આથી જ કોઈ પણ જાતની હિંસા નહિ કરનારા એકે પ્રિય એટલી બધી દયાવાળા છે છતાં વિરતિના કાગળીએ ચઢતા નથી. માટે ‘સવા’ જીવનું સ્વરૂપ જાણા, ત્યારે પ્રતિજ્ઞા કરવાનું કુળ આવે.
!