Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો મોહનલાલ દલીચંદ દેશાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા-૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો લેખક મોહનલાલ દલીચંદ દેસાઈ સંપાદક ડૉ. કાન્તિભાઈ બી. શાહ પરામર્શકો આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજી ડો. એસ્તેર સોલોમન : - શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain ane Bauddh Mat: Sankshipt Itihas ane Siddhanto: A Historical and philosophical survey of Jainism and Buddhism by Mohanlal Dalichand Desai, ed. by Dr. Kantibhai B. Shah, 1998, Shri Mahavira Jaina Vidyalaya, Mumbai. પહેલી આવૃત્તિ, ફેબ્રુઆરી ૧૯૯૮ નકલ : ૫૦૦ પૃષ્ઠસંખ્યા : ૨૦ + ૩૯૬ કિંમત : રૂ. ૨૦૦.૦૦ આવરણ : ઊર્જિત શાસ્ત્રી પ્રકાશક : ખાંતિલાલ જી. શાહ, પ્રકાશભાઈ પી. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન ઃ ૫૩પ૯૮૬૬ મુદ્રક ઃ ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ‘શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા'નો આ ચોથો ગ્રંથ જૈન અને બૌદ્ધ મત ઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો’ પ્રકાશિત કરતી વેળાએ અમે આનંદ અને કૃતકૃત્યતાની લાગણી અનુભવીએ છીએ. આ અગાઉ આ ગ્રંથમાળાનાં પ્રકાશિત થયેલાં બે પુસ્તકો ‘સામાયિકસૂત્ર' અને ‘જિનદેવદર્શન’ શ્રી મોહનલાલ દ. દેશાઈનાં જ લખેલાં હતાં, પણ એ પ્રકાશનો તે-તે ગ્રંથની સંપાદકને હાથે સંસ્કારાયેલી નવી આવૃત્તિઓ હતી. તે પછીનું ત્રીજું પુસ્તક વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા' શ્રી મોહનલાલ દેશાઈના જીવનચરિત્ર અને એમની લેખસૂચિ અંગેનું હતું. પણ આ ચોથો ગ્રંથ, લખાઈને આઠ દાયકાથી ય વધુ સમય સુધી અપ્રગટ રહ્યા પછી, સૌ પ્રથમ વાર જ પ્રકાશન પામે છે એથી જ કેવળ આનંદ નહીં, સાથે ધન્યતાની અનુભૂતિ થાય છે. આ અંગેનો મોટો જશ શ્રી મોહનભાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈને ફાળે જાય. એમણે એમના પિતાશ્રીના આ દાર્શનિક ગ્રંથની હસ્તપ્રત યથાવત્ જાળવી, એટલું જ નહીં, પણ એનો સમુદ્વા૨ ક૨વાનો નિશ્ચય કરી યથાર્થપણે પિતૃતર્પણ કર્યું છે. એમણે આખીયે હસ્તપ્રતની ઝેરોક્ષ-નકલ તૈયાર કરાવી શ્રી જયંતભાઈ કોઠારીને જોવા સારુ મોકલી આપી. શ્રી જયંતભાઈ તરફથી આ મહત્ત્વના ગ્રંથનું પ્રકાશન કરવાનું સંસ્થાને સૂચન થતાં એના ઉપર વિચારણા કરી સંસ્થાએ એ ગ્રંથ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો. તે દરમિયાન પૂ. આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી પણ આ ગ્રંથ જોઈ ગયા અને એમનો પ્રતિભાવ પણ એ જ હતો કે આવો સમૃદ્ધ ગ્રંથ પ્રગટ થવો જ જોઈએ. આ ગ્રંથનું સંપાદનકાર્ય પ્રા. કાન્તિભાઈ બી. શાહને સોંપવામાં આવ્યું. આખો ગ્રંથ જૈન અને બૌદ્ધ મત સંબંધી દાર્શનિક વિચારણાનો હોઈ અને આઠ દાયકા પૂર્વે લખાયેલો હોઈ એમાં શુદ્ધિવૃદ્ધિને અવકાશ હતો એમ જણાતાં, સંપાદકશ્રીના સૂચનથી ગુજરાત યુનિવર્સિટી ભાષા-સાહિત્ય ભવનનાં સંસ્કૃત વિભાગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. એસ્તેરબેન સોલોમનને ગ્રંથના પરામર્શનનું કામ સોંપ્યું. કેવળ સારસ્વતપ્રીતિથી એમણે એ કામ સ્વીકાર્યું અને યોગ્ય સમયમાં પૂરું કરી આપ્યું. આ ગ્રંથપરામર્શન માટે તેમજ પ્રાસ્તાવિક આવકાર-વચન લખી આપવા માટે અમે પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને ડૉ. એસ્તેરબેન સોલોમન બન્નેનો અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરીએ છીએ. આ ગ્રંથની હસ્તપ્રત પૂરી પાડવા માટે શ્રી જયસુખભાઈનો, ગ્રંથના સંપાદન-પ્રકાશનના કાર્યમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે શ્રી જયંતભાઈ કોઠારીનો તેમજ ચીવટ અને ખંતથી આ ગ્રંથના સંપાદનની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળવા માટે તેમજ પરિશ્રમ લઈને ગ્રંથની વિષયસૂચિ તૈયાર કરી આપવા માટે પ્રા. કાન્તિભાઈ બી. શાહનો હૃદયથી અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના સંપાદન-પ્રકાશનમાં જેમની જેમની સહાય પ્રાપ્ત થઈ છે તે સૌ પ્રત્યે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ ૧૪-૧-૧૯૯૮ ખાંતિલાલ જી. શાહ પ્રકાશભાઈ પી. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી મંત્રીઓ Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈના જૈન ગૂર્જર કવિઓ' અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકરગ્રંથો જોનારને એમ ખાતરી થયા વિના રહે નહીં કે તેઓ એક વિરલ વિદ્વત્પ્રતિભા હતા. હવે પ્રગટ થઈ રહેલો એમનો આ ગ્રંથ જૈન અને બૌદ્ધ મત ઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો' લેખકની વિરલ વિદ્વત્પ્રતિભાનું વધુ એક પ્રમાણ છે. ગ્રંથ લખાયો ઈ.સ. ૧૯૧૪માં, અને પ્રગટ થાય છે ઈ.સ. ૧૯૯૮માં, પૂરાં ૮૪ વર્ષ પછી. જ્ઞાનવિસ્તરણને વરેલી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) જેવી સંસ્થાએ એનું પ્રકાશન કરીને, કરવું ઘટે એવું એક વિદ્યાકીય કામ કર્યું છે. અને તે માટે એ સંસ્થા સૌનાં અભિનંદનની અધિકારી છે. લેખકે આ વિષય ઉપર કયે નિમિત્તે કલમ ચલાવી તેનો પણ એક ઇતિહાસ છે; અને તે અંગેની માહિતી ‘લેખકનું નિવેદન’માં અપાયેલી છે. એટલે એનું પુનરાવર્તન અહીં ઇષ્ટ નથી. પણ એમાંથી એક બાબત વાચકનું ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહીં કે શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ ઇનામી નિબંધનું કદ ૧૫૦ ‘ફુલ્સકેપ’ પાનાંનું નક્કી કરેલું, પણ શ્રી મોહનભાઈને હાથે નિબંધ લખાયો એનાથી બમણાં પાનાંમાં. આ આખી ઘટના એ વાત ફલિત કરે છે કે મોહનભાઈને જે વિષય અગાધ, ગૂઢ અને ચિંતનશીલ જણાયેલો તે વિષયને હસ્તગત કરી યોગ્ય ન્યાય આપવા એમણે કેટલો શ્રમ લીધો હશે ! આ ગ્રંથમાં પ્રવેશ કરનાર જ આ વાત સમજી શકશે. લેખકના નિવેદનમાં દર્શાવ્યા ઉપરાંતની અમને સાંપડેલી માહિતી આ પ્રમાણે છે : ફાર્બસ ગુજરાતી સભાની તા. ૧૩-૧૦-૧૯૧૪ની બેઠકમાં શ્રી મોહનભાઈને નિબંધ પૂરો કરી આપવાની સમયમર્યાદા વધારી આપવાનો ઠરાવ કરાયો હતો. નિબંધોના નિર્ણાયકો તરીકે શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા શ્રી તનસુખરામ ત્રિપાઠીનાં નામો નક્કી કરવામાં આવ્યાં હતાં. સભાની તા. ૪-૧૦-૧૯૧૫ની બેઠકમાં નિર્ણાયકોએ એમની પાસે આવેલા બે નિબંધોમાંથી મોહનભાઈનો નિબંધ પસંદ કર્યાની નોંધ કરી પારિતોષિક આપવાનું ઠરાવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનાં ૧૯૧૮નાં તૈયાર થતાં પ્રકાશનોમાં આ ગ્રંથની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રંથ પ્રકાશિત થયો નથી. નવેમ્બર ૧૯૩૨માં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિવેદનમાં મોહનભાઈ નિબંધને અદ્યતન કરવાની આવશ્યકતા સ્વીકારે છે પણ પોતે એ હજુ નથી કરી શક્યા એ માટે દિલગીરી વ્યક્ત કરે છે, ને હવે એ કામ પોતે બને એટલી શીવ્રતાથી હાથ ઉપર લેશે એમ જણાવે છે. પણ પછી મોહનભાઈની એ ઇચ્છા પૂરી થઈ જણાતી નથી. લેખકના નિવેદન સહિતની આ ગ્રંથની હસ્તપ્રત શ્રી મોહનભાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ પાસે સચવાયેલી રહી. હસ્તપ્રતનાં પાનાં જર્જરિત થવા પર હતાં અને હાથમાં લેતાં જ કાગળ ફાટવા માંડતો હતો. એટલે શ્રી જયસુખભાઈએ એ આખી હસ્તપ્રતની ઝેરોક્ષ-નકલ કરાવી, એનું પાકું બાઇન્ડિંગ કરાવી, ગ્રંથનો સમુદ્ધાર કરવાના શુભાશયથી ૧૯૮૮ના જુલાઈમાં શ્રી જયંતભાઈ કોઠારીને એ ગ્રંથ જોવા માટે મોકલી Page #8 -------------------------------------------------------------------------- ________________ આપ્યો. જયંતભાઈ તેમજ પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી આ ગ્રંથની હસ્તપ્રત જોઈ ગયા અને એમનો એક જ સૂર હતો કે આવો મૂલ્યવાન ગ્રંથ પ્રગટ થવો જ જોઈએ અને તેય શક્ય એટલો વહેલો. જયંતભાઈએ કરેલી ભલામણ પ્રકાશક સંસ્થાએ સ્વીકારી અને હવે તે “જેન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો' એ નામે “શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળાના ચોથા ગ્રંથ રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એના સંપાદક તરીકે અત્યંત પ્રસન્નતાની લાગણી અનુભવું છું. આ ગ્રંથનું સંપાદનકાર્ય મારે માટે એક પડકારરૂપ હતું અને એ માટે ભારે સંકોચ પણ અનુભવાતો હતો. મારો અભ્યાસ સાહિત્યનો, તત્ત્વદર્શનનો નહીં. એટલે આ વિષયમાં મારી ચાંચ શું ડૂબે ? દાર્શનિક લખાણનું શબ્દભંડોળ પણ બહુ પકડાય નહીં. હસ્તપ્રતમાં લેખકના અત્યંત ઝીણા અક્ષરો, ક્યાંક ઝાંખી ઊતરેલી ઝેરોક્ષ-નકલ, ક્યાંક લેખકે જુદાં જ પાનાંઓ ઉપર અનુસંધાન રૂપે કરેલા ઉમેરા, અને અનુક્રમણિકામાં સૂચવાયેલ ખંડ ૧માં વિભાગ-૧ના ‘જેન ધાર્મિક સાહિત્ય' વાળા લખાણની હસ્તપ્રતનાં પાનાં અપ્રાપ્ય હોવાથી એ વિભાગ અંગેની મૂંઝવણ. આ બધા પ્રશ્નો હતા. પણ જેમ મારા અન્ય સંપાદનકાર્યોમાં ઊલટભેર મળ્યું છે તેવું જ જયંતભાઈનું માર્ગદર્શન ડગલે પગલે મને મળતું રહ્યું. જેને લઈને મારા સંપાદનકાર્યને વ્યવસ્થિત દિશા સાંપડતી રહી. આ ગ્રંથ પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી તો જોઈ ગયા હતા જ, પણ બૌદ્ધ મત અંગેના લખાણનો તો પ્રશ્ન હતો જ. વળી આ સમગ્ર લખાણ આઠ દાયકા પૂર્વે થયું હતું. વચગાળે આ વિષય પરત્વે નવાં અભ્યાસસંશોધનો થયાં હોય જ. એટલે શુદ્ધિવૃદ્ધિને અહીં પૂરતો અવકાશ હતો અને તેથી જ આ વિષયના અભ્યાસી વિદ્વાન દ્વારા એનું પરામર્શન અનિવાર્ય હતું. પરામર્શન માટે સૂચવાયેલું ડૉ. એસ્તેરબહેન સોલોમનનું નામ સંસ્થાએ સ્વીકાર્યું. ડૉ. એસ્તેરબહેને શારીરિક અસ્વસ્થતા છતાં, યોગ્ય સમયમાં પરામર્શનનું કામ પૂરું કરી આપ્યું અને જરૂર જણાઈ ત્યાં એમણે શુદ્ધિવૃદ્ધિ કરી આપી. એમને પણ ક્યાંક પ્રશ્નો રહ્યા તે-તે સ્થાનો લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પૂર્વ અધ્યક્ષ ડૉ. નગીનદાસ જી. શાહે સ્નેહભાવે તપાસી આપ્યાં. પરામર્શક દ્વારા થયેલી શુદ્ધિવૃદ્ધિને જે-તે સ્થાને જ ચોરસ કૌંસમાં [ ] ગોઠવી છે. તેથી જ્યાં લખાણ ચોરસ કૌંસમાં છે તેને પરામર્શકની શુદ્ધિવૃદ્ધિવાળું લખાણ (કે ક્વચિત્ સંપાદકીય નિર્દેશ) ગણવા પ્રત્યે વાચકોનું ધ્યાન દોરું છું. જોકે પૃ. ૨૫૭ પર જૈન વસ્તી’ વિશેના લખાણમાં ચોરસ કૌંસમાંનું લખાણ આંકડાકીય વિગતો મેળવીને સંપાદક તૈયાર કર્યું છે. જે સ્થાને શુદ્ધિવૃદ્ધિ સાવ ગૌણ કે શબ્દ/નામફેરવાળી હોય તે સીધી જ મૂળ સ્થાને કરી લીધી છે; ચોરસ કૌંસમાં અલગ દર્શાવી નથી. ક્યારેક લેખકે આપેલી પાદટીપોમાંયે પરામર્શક દ્વારા શુદ્ધિવૃદ્ધિ કરવાની થઈ છે, તો કેટલીક પાદટીપો પરામર્શકની શુદ્ધિવૃદ્ધિરૂપે ઉમેરવાની થઈ છે. તેને સ્થાને આખીયે પાદટીપ ચોરસ કૌસમાં દર્શાવાઈ છે. લેખકની હસ્તપ્રતમાં ખંડ-૧ના વિભાગ-૧ “જૈન ધાર્મિક સાહિત્યનાં પાનાં મળ્યાં નથી. પણ અનુક્રમણિકામાં આ વિષયનો એના પેટાવિષયો સમેતનો નિર્દેશ છે. પાછળથી Page #9 -------------------------------------------------------------------------- ________________ જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા ૧૧૦૦ પાનાંના બૃહદ્ ગ્રંથમાં લેખકે આ વિષયને વિસ્તારથી નિરૂપેલો છે. એટલે આ ગ્રંથના મૂળભૂત આયોજનનો ક્રમભંગ ન થાય એ હેતુથી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાંથી આગમો - શ્રુતસાહિત્યથી આરંભી હરિભદ્રસૂરિ સુધીની લેખનસામગ્રી ઉદ્ધત અને સંકલિત કરી આ ગ્રંથના પ્રથમ ખંડનો વિભાગ-૧ તૈયાર કર્યો છે. લેખનસામગ્રી અને ભાષા લેખકનાં જ જાળવ્યાં છે; પણ સંકલન, સંક્ષેપ કરતી વેળા ક્યાંક વાક્યોની તડજોડ કરવાનું, વાક્યાન્વયો બદલવાનું થયું છે. જોડણી સાર્થ જોડણીકોશ પ્રમાણે સુધારી લીધી છે. ખંડ ૧નો વિભાગ-૨ “શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીરમાં લેખકે સાત પેટાવિભાગો પાડીને તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિના સંદર્ભમાં મહાવીરના જીવનને પ્રમાણભૂત રીતે આલેખ્યું છે અને ધર્મપ્રવર્તક તરીકે મૂલવ્યું છે. આ લખાણનો સંક્ષેપ કરવો કે શબ્દશઃ લેવું એવી આરંભે થોડીક દ્વિધા હતી, પણ પછી લખાણનાં આયોજન અને ઉપયોગિતા જોતાં લખાણને યથાવત્ જાળવી લેવાનું જ નક્કી કર્યું. વિભાગ-૩ જૈન મતના સિદ્ધાંતોમાં સિદ્ધાંત-નિરૂપણની લેખકની પદ્ધતિ વર્ગીકરણો-પેટાવર્ગીકરણોની રહી છે. એ એમની ચોકસાઈનું નિદર્શક છે. પટાવર્ગીકરણોનાં પણ પેટાવર્ગીકરણો અનેક જગાએ મળે. આવાં સ્થાનોમાં લેખકે આપેલા ક્રમાંકો, ક્યાંક ગૂંચવણ ટાળવાના આશયે, બદલવાના થયા છે. શ્રી મોહનભાઈએ ગ્રંથના લખાણનો કેટલોક અંશ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' (જેના એ તંત્રી પણ હતા)ના અંકોમાં પ્રકાશિત કરેલો છે. એ લેખન-અંશો આ પ્રમાણે છે : (૧) ખંડ-૧નો વિભાગ-૨ “શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર' “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડના ઑગસ્ટ-સપ્ટે. ૧૯૧૪ (પુ. ૧૦, અંક ૮-૯)ના સંયુક્ત અંકમાં (પૃ. ૩૭૨થી ૪૨૯) લેખકે પ્રકાશિત કર્યો હતો. એ પ્રકાશિત થયા પછી પણ એમણે એમાં ઠીકઠીક ઉમેરા કર્યા છે. (૨) ખંડ-૧ના વિભાગ ૩માં “ત્રણ તત્ત્વ' શીર્ષકવાળું લખાણ (જેમાં ઈશ્વરતત્ત્વ-સવતત્ત્વ, સરતત્ત્વ, સદ્ધર્મતત્ત્વનો સમાવેશ થાય છે) તે “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ના ફેબ્રુ. ૧૯૧૭ (પુ. ૧૩, અંક ૨)ના અંકમાં (પૃ. ૪૮થી ૫૮) પ્રકાશિત કર્યું હતું. (૩) ખંડ-૧ના વિભાગ ૩માં “કાલસ્વરૂપ” શીર્ષકવાળું લખાણ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. ૧૯૧૬ (પુ. ૧૨, અં. ૮-૯-૧૦)ના સંયુક્ત અંકમાં (પૃ. ૨૮૩થી ૨૮૯) પ્રકાશિત કર્યું હતું. (૪) ખંડ-૧ના વિભાગ ૩માં “સમ્યગ્દર્શન' શીર્ષકવાળું લખાણ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના માર્ચ, ૧૯૧૭ (પુ. ૧૩, એ. ૩)ના અંકમાં (પૃ. ૮રથી ૮૮) પ્રકાશિત થયું હતું. આ ગ્રંથ માટે હેરલ્ડમાં પ્રગટ થયેલા આ ચાર મુદ્રિત અંશોને જ આધાર ગણ્યા છે, એ અંશોની અગાઉની હસ્તપ્રતને નહીં. જોકે ખંડ-૧માંના મહાવીર જીવન વિશેના Page #10 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વિભાગ-રનાં મુદ્રિત પાનાં જ હસ્તપ્રતમાં સામેલ છે, હસ્તલિખિત નહીં. લેખક પાસે વિષયનિરૂપણનું એક ચોક્કસ આયોજન છે જેને બન્ને ખંડમાં એક સરખી રીતે અનુસર્યા જણાય છે. ખંડ ૧માં વિભાગ-૧ જેન ધાર્મિક સાહિત્ય વિશે, વિ. ૨ મહાવીરજીવન વિશે, વિ. ૩ જૈન મતના સિદ્ધાંતો વિશે અને વિ. ૪ જૈન ધર્મને લગતા કેટલાક પ્રકીર્ણ વિષયો વિશે છે. તો ખંડ રમાં પણ આ જ પદ્ધતિએ વિભાગીકરણ થયું છે. જે વિષય પર તેઓ લખતા હોય તેને લગતાં બધાં લખાણો સંકલિત કરીને તેને પોતાની રીતે તેઓ આલેખે છે. પરિણામે વાચકને સંકલિત સ્વરૂપે એકસાથે ઘણી સામગ્રીનો લાભ મળે છે. મોહનભાઈ વિષયનું આલેખન તુલનાત્મક પદ્ધતિએ પણ કરે છે. અને તેથી તો ઈશ્વરતત્ત્વ, આત્મવાદ કે મોક્ષસ્વરૂપ જેવા વિષય પરનાં લખાણોમાં કેવળ જૈન મત કે બૌદ્ધ મત દર્શાવવાને બદલે અન્ય દર્શનોમાં તે તત્ત્વ અંગે જે કહેવાયું હોય એની પણ તુલનાત્મક રીતે છણાવટ કરે છે. કશું પણ અધ્ધરતાલ લખાયું હોય એવું ભાગ્યે જ મોહનભાઈના લખાણમાં જોવા મળે. વાચકો સામે જે કંઈ ધરવું તે પ્રમાણભૂત જ, એવી નેમ સાથે એમની કલમ ચાલતી જણાય છે. શ્રી મોહનભાઈએ આ ગ્રંથમાં જેન અને બૌદ્ધ ધર્મના સાહિત્યને, મહાવીર-બુદ્ધના જીવનને અને જૈન અને બૌદ્ધ મતના સિદ્ધાંતોને લગતી સામગ્રી એ સ્વરૂપે અને એ પદ્ધતિએ આપી છે કે આ વિષયમાં નવો પ્રવેશ કરનારને પર્યાપ્ત, પ્રમાણભૂત અને વર્ગીકૃત માહિતી સાંપડી રહે. તેથી જ આ વિષયના અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓ માટે આ ગ્રંથ એક પાઠ્યપુસ્તકની ગરજ સારે એવું બન્યું છે એવો તટસ્થ અભિપ્રાય આપી શકું. અહીં ખંડ ૧ની આગળ બે નકશા આપ્યા છે જેમાંનો એક મહાવીર અને બુદ્ધના સમયના આયવર્તનો છે. આ નકશો મોહનભાઈએ જાતે તૈયાર કરેલો છે. બીજો નકશો પ્રાચીન ભારતનો છે. બન્ને નકશા ગ્રંથની હસ્તપ્રત સાથે જ મળ્યા છે. ખંડ ૨માં બૌદ્ધ ધર્મ અને બુદ્ધજીવન સાથે સંબદ્ધ ૮ ચિત્રો/તસ્વીરો આપ્યાં છે. શ્રી મોહનભાઈએ પોતે જ આ ચિત્રો-તસ્વીરોનો સંગ્રહ કર્યો હતો. આ ગ્રંથની હસ્તપ્રત સાથે જ એ મુકાયેલાં હતાં એ ઉપરથી લાગે છે કે ભવિષ્યમાં ગ્રંથ પ્રકાશિત કરતી વેળા આ ચિત્રો-તસ્વીરોને ગ્રંથમાં મુદ્રિત કરવાનું એમને અપેક્ષિત હતું જ. જૈન ધર્મ સંબંધી ચિત્રો લેખકના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં ઘણી મોટી સંખ્યામાં (તીર્થો, ચૈત્યો, જિનપ્રતિમા, ગુરુપ્રતિમા, પાદુકા, પ્રસંગચિત્રો, અકબરનાં શાહી ફરમાનો, હસ્તપ્રતો, શિલ્પો, સ્થાપત્યો વગેરે) ઉપલબ્ધ છે. આ ગ્રંથનું પરામર્શન કરી આપવા ઉપરાંત પ્રાસ્તાવિક આવકાર-વચન લખી આપવા માટે પ.પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ તેમજ આદરણીય ડૉ. એસ્તેરબહેન સોલોમને મને ઉપકૃત કર્યો છે. તે ઉપરાંત કેટલીક શુદ્ધિવૃદ્ધિમાં ડો. નગીનદાસ જી. શાહની સહાય મળી છે તે માટે એમનો પણ આભારી છું. આ ગ્રંથના સંપાદન અંગે અવારનવાર મને પ્રોત્સાહિત કરવા માટે પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજીનો તેમજ મારા સંપાદનકાર્યના હરકોઈ તબક્કે મને મૂલ્યવાન Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 માર્ગદર્શન આપવા માટે મારા વડીલ મિત્ર પ્રા. જયંતભાઈ કોઠારીનો હું ઋણી છું. આ ગ્રંથના સંપાદનની જવાબદારી મને સોંપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ના મંત્રીશ્રીઓનો હું આભારી છું. સાથે આ ગ્રંથના પ્રકાશનમાં જીવંત રસ દાખવવા માટે શ્રી જયસુખભાઈ મો. દેશાઈનો આભારી છું. આ ગ્રંથમાં ખૂટતી કેટલીક નાનીમોટી માહિતી ઉપલબ્ધ કરી આપવા માટે મુ. ડૉ. ધીરુભાઈ ઠાકર અને મારા વડીલ મિત્ર પ્રા. મલૂકચંદ ૨. શાહનો પણ હું આભારી અત્યંત ચીવટાઈભર્યું લેસર ટાઇપસેટિંગનું કામ કરી આપવા માટે શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીનો, સફાઈદાર મુદ્રણકાર્ય માટે ભગવતી મુદ્રણાલયના શ્રી ભીખાભાઈ પટેલનો અને આવરણ ચિત્ર માટે શ્રી ઊર્જિત શાસ્ત્રીનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ૨-૧-૧૯૯૮ કાન્તિભાઈ બી. શાહ “નિશિગન્ધા', ૭, કૃષ્ણપાર્ક, ખાનપુર અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન શ્રીમતી ફૉર્બસ ગુજરાતી સભા તરફથી બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ – સિદ્ધાંતો અને વૈદિક ધર્મ સાથે તુલનાએ નામક પારિતોષિક નિબંધ તારીખ ૩જી માર્ચ સને ૧૯૧૩ને દિને ઉક્ત સભાના મળેલા મંડળે ચૂંટી પ્રસિદ્ધ કર્યો હતો. પારિતોષિક જોકે ૫૦૦ રૂપિયાનું છે, છતાં તે માટે જે ઉપરોક્ત વિષય નિર્ણત કર્યો છે તે એટલો બધો અગાધ, ગૂઢ અને ચિંતનશીલ છે કે તેને યોગ્ય ન્યાય આપવા માટે કોઈ સમર્થ તત્ત્વજ્ઞ અને મર્મગ્રાહી વિદ્વાનની જ અપેક્ષા રહે છે, કારણકે વૈદિક ષડ્રદર્શનો અને તે ઉપરાંત અવૈદિક જૈન અને બૌદ્ધ દર્શનોનો અભ્યાસી તથા તેની સાથે તે સર્વનો પરસ્પર સંબંધ અને ભેદની પર્યેષણા કરનાર જે હોય તે જ આ વિષયને સવગસુંદર બનાવી શકે. આ કારણે તે વિષય લખવા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારથી મને એમ લાગ્યું હતું કે તે હસ્ત ધરવામાં હું અશક્ત છું, અને તેથી મેં તે સંબંધે કંઈપણ પ્રયાસ કર્યો નહીં. સદ્ભાગ્યે નિબંધની અવધિ પહેલાં ચાર માસે મંત્રીમહાશય અને તદ્વારા મારા એક મિત્રે મને પ્રેરણા કરી ને નિબંધ લખવાનું સૂચવ્યું. આ સૂચના સ્વીકારી લેવા પહેલાં તેના વિષયની વ્યાપકતા, વિશાલતા અને તે સંબંધે મારું અલ્પજ્ઞાન વગેરે મારી અનેક મુશ્કેલીઓ તેમને નિવેદિત કરી, પરંતુ તેઓએ મને પ્રયાસે સિદ્ધિ થાય છે એ સૂત્ર પર ધ્યાન રાખી તે ઉત્સાહપૂર્વક ઉપાડી લેવા આગ્રહ કર્યો. આને પરિણામે મેં પહેલાં બૌદ્ધ ધર્મ કે જે મને તદ્દન અપરિચિત હતો તેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવા અર્થે તેને લગતા ગ્રંથો જેટલા મળી શક્યા તેટલા એકત્રિત કરી તેનું વાચન-મનન કરવાનું આવ્યું, સાથે જૈન ધર્મની સાથે પરિચય હોવાથી તદ્વિષયે આરંભિક લખવાનું હોય તે લખવા માંડ્યું, અને પછી તેના તત્ત્વજ્ઞાન અને કર્મવાદની ગૂઢતા ઉકેલવા તે સંબંધી ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. આમ કરવામાં પણ વિધવિધ પ્રત્યવાયો – કૌટુંબિક, સામાજિક અને વ્યવસાયને લગતા આવી પડ્યા. ત્યાં તો નિબંધની અવધિ ૩૦મી જૂન ૧૯૧૪ ભણકારા કરતી આવી પહોંચી, એટલે ત્યાં સુધી જે જે લખી શકાયું હતું તે છે, અને જે કંઈ ટૂંક ‘ નોટ્સ' તથા વિષયના મુદ્દાઓનું ટિપ્પણ કર્યું હતું તે તે સર્વ મંત્રીને સમર્પિત કર્યું - એ વિજ્ઞપ્તિ સાથે કે જો વિશેષ સમયની સગવડ હવે પછી કરી આપવામાં આવશે તો તે પૂર્ણ કરી લેવામાં ધરી શકીશ. આ વિજ્ઞપ્તિ માન્ય રાખવાની કૃપા દાખવવામાં આવી તે પરિણામે જે જે કંઈ બની શક્યું અને વિષયને અંગે જે જે મહત્ત્વનું લાગ્યું છે તે સંક્ષિપ્તમાં મૂકી આ સાથે ધર્યું છે. વિષયના અંગે ૧૫૦ પાનાં આશરે “ફુલ્લકેપ' માપનાં માંગવામાં આવ્યાં હતાં, તેને બદલે તેથી બમણાં પાનાં અત્ર મુકાય છે એ જ વિષયની અગાધતા સૂચવવા માટે બસ છે. તે વિષયના જે જે પેટાવિભાગો કર્યા છે તે પ્રત્યેક સંબંધી વિસ્તારથી – ફોડ પાડી લખવામાં આવે તો તેનું પરિણામ આખા નિબંધ જેટલું દળ પ્રત્યેકનું થાય તેમ છે, જ્યારે બીજી વસ્તુઓ મૂકવાની રહે તે તો જુદી જ. જૈન અને બૌદ્ધ દર્શન એ બેમાં બૌદ્ધ દર્શન સંબંધે અંગ્રેજી ભાષામાં એટલા બધા ગ્રંથો – ભાષાંતર, અનુવાદ અને સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા છે કે તે સર્વનો Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 સંગ્રહ કરતાં એક નાની સરખી પણ સારી લાઈબ્રેરી' (પુસ્તકાલય) થઈ શકે. તેમજ બૌદ્ધ સંબંધેનું જ્ઞાન પણ વિશેષ પ્રચલિત છે, કારણકે જગતની સપાટી પર બૌદ્ધોની સંખ્યા વિશાલ પ્રમાણમાં છે, જ્યારે જૈન દર્શન સંબંધેનો પરિચય જેનોની મર્યાદિત સંખ્યાની બહાર અતીવ વિરલ બલ્બ નહિવત્ છે. અંગ્રેજીમાં માત્ર આઠ-દશ ગણ્યાગાંઠ્યાં પુસ્તકો છે. આથી અંગ્રેજી ભાષા ભણેલો બૌદ્ધ ધર્મ સંબંધે જાણવાની ઈચ્છાવાળો હોય તો ઘણું પ્રાપ્ત કરી શકે તેમ છે, જ્યારે જૈન ધર્મ સંબંધે વિશેષ મેળવી શકે તેમ નથી. તે હેતુએ આ નિબંધમાં બૌદ્ધ ધર્મ સંબંધે જેટલું લખાયું છે તેના કરતાં વિશેષ દળમાં જૈન ધર્મના સંબંધે લખાયું છે. ઉભય ધર્મસંબંધે ગુજરાતી ભાષામાં તો એક પણ પ્રતિષ્ઠિત ગ્રંથ નથી કે જે ઉભય ધર્મના અનુયાયી સિવાયનો વાંચી તે સંબંધી જ્ઞાન થોડુંઘણું પણ, સમજી શકે તેવી રીતે લખી શકે. આ કારણે એક પ્રાથમિક પુસ્તક (A Primer અથવા A Manual) રૂપે બંને ધર્મનું દિગ્દર્શન કરાવી શકાય એથી જ આ વિષયની ચૂંટણી ઉક્ત સભાની થઈ હોય એમ લાગે છે, અને તે માટે ઉક્ત સભાને અવશ્ય અભિનંદન ઘટે છે. બૌદ્ધ દર્શન સંબંધે લખવામાં જે મુખ્ય પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે તે 241 89 : Systems of Buddhist Thought by Professor Yamakami Sogen (Uni. of Calcutta, 1912), The word of the Buddha by Bhikkhu Nyanatiloka, translated from the German by Sasan Vamsa, Manual, of Indian Buddhism by H. kern (1898), The Essence of Buddhism by P. Lakshmi Narasu (1907), The Gospel of Buddha by Paul Carus, Buddhist ladia by Dr. Rhys Davids, Buddhism by Dr. Rhys Davids, The Path of Light by L. D. Barnett (1909), મરાઠીમાં ધર્માનંદ કોસંબીકૃત વૃદ્ધ, ધર્મ માનિ સંઘ વગેરે વગેરે. જૈન દર્શન સંબંધે લખવામાં નીચેનાં પુસ્તકોનો મુખ્યપણે આધાર લેવામાં આવ્યો છે : શ્રી હરિભદ્રસૂરિકૃત ધર્મબિંદુ, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, પદ્દર્શનસમુચ્ચય, શ્રી આત્મારામજીકૃત જૈન તત્ત્વાદર્શ, રા. સુશીલના લેખો (‘આનંદ’ માસિક), ડાક્ટર હર્મન જેકોબીનાં ચાર જૈન સૂત્રનાં ભાષાંતર (Sacred Books of the East, Volumes XXII & XLV), History of the Midaeval School of Indian Logic by Dr. Satishchandra Vidyabhushan (Uni. of Calcutta 1909) વગેરે. વીરભક્તિ [મોહનલાલ દલીચંદ દેસાઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉમળકાભર્યા હૈયે આવકાર વિવિધ વિષયોમાં આજકાલ જે રીતે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ વિષયોમાં સર્વતઃ સ્પર્શતો મહાનિબંધ લખાય છે અને એક જ વ્યક્તિ એક જિંદગીમાં એક વિષય ઉપર એ રીતે એક મહાનિબંધ લખે છે અને તે ડૉક્ટરેટની પદવી મળે છે. એ હિસાબે અને એ માપે જો જોવા જઈએ તો શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈને તેમના કાર્યનો વ્યાપ અને ઊંડાણ જોતાં કેટલી પદવી આપવી જોઈએ ! એક જ નાની જિંદગીમાં કેટલા વિષય ઉપર કેટલી ઝીણવટથી સમગ્રપણે, શ્રમપૂર્ણ ('થરો) પદ્ધતિનું કેટલું બધું કામ કર્યું છે અને એ કામ એટલું તો તલસ્પર્શી કર્યું છે કે તેઓના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એ પુસ્તકના અનુગામી કામ રૂપે જૈન સાહિત્ય વૃત્ તિહાસના ૧૦ ભાગ પ્રકાશિત થયા છતાં “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસની ગરજ તો ઊભી જ રહે છે. તેઓની કાર્યપદ્ધતિ જોતાં એવું મનમાં થાય છે કે તેઓએ લખેલું જે કોઈ નાનુંમોટું લખાણ કોઈ ગ્રન્થની પ્રસ્તાવનારૂપે હોય કે કોઈ ગ્રન્થના પરિચય રૂપે હોય પણ તે સર્વ સંકલિત કરીને ગ્રન્થસ્થ થઈ જવું જોઈએ. એ વિચારના જ પ્રતિભાવ રૂપે આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં આવે છે. સન ૧૯૧૩ની ત્રીજી માર્ચ. એટલે કે આજથી ચોર્યાસી વર્ષ પહેલાં આ વિષય “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ – સિદ્ધાન્તો અને વૈદિક ધર્મ સાથે તુલના” ઉપર નિબંધ લખવાનું જાહેર થયું. આ બીડું ઝડપીને શ્રી મોહનભાઈએ કલમ ચલાવી છે. તેઓને પહેલેથી આ વિષય “અગાધ, ગૂઢ અને ચિંતનશીલ” જણાયો છે અને વાચક જોઈ શકશે કે તેમણે બન્ને ધર્મના ઇતિહાસ ને સિદ્ધાન્તોનો સંક્ષેપમાં પરિચય આપવા માટે તે તે વિષયનો દરિયો ઉલેચ્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પણ આવા ચિરકાળપર્યન્ત જ્ઞાનધન કરતાં રહે તેવાં પ્રાણવાન પ્રકાશનો કરવાની પરંપરાને જાળવી રાખી છે. સંપાદક તરીકે શ્રી કાંતિભાઈએ પણ સંકલન કરવામાં ઘણી જહેમત ઉઠાવી છે અને બૌદ્ધ પરંપરાના લખાણમાં સરતચૂકથી પણ કાંઈ વિગતદોષ કે અસતુ નિરૂપણ થઈ ગયું હોય તો તે એમ ને એમ ન રહી જવા પામે અને તેનું નિવારણ થઈ જાય એ હેતુથી દર્શનશાસ્ત્રનાં નિપુણ અભ્યાસી શ્રી એસ્તેરબહેન સોલોમનની પાસે તે વંચાવ્યું છે. જૈન ધર્મ સંબંધી નિરૂપણ તો શ્રી મોહનભાઈનું સ્વચ્છ અને યથાશક્ય પૂર્ણ હોય તે સ્વાભાવિક જ છે. આ પુસ્તકનાં પાનાંમાંથી પસાર થતાં એક એવી લાગણી થઈ આવી કે માત્ર પહેલો ખંડ એક જુદા પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવે તો “જૈન ધર્મ : એક પરિચય” એવા અથવા એના જેવા શીર્ષકથી એ પુસ્તક પ્રકાશિત થાય તો તે જૈન ધર્મના પરિચય કરાવનાર પુસ્તકોમાં મૂલ્યવાન ઉમેરો થઈ શકે. આ ગ્રંથના વાચનથી શ્રી મોહનભાઈની લેખનશૈલીનો પણ પરિચય મળે છે. એક વિષયના અનુસંધાનમાં શું શું લખાયું છે તેનો પરિચય મેળવીને વિષયની સંકલન કરીને તેનું કડીબદ્ધ નિરૂપણ કેવી રીતે થઈ શકે તેનો પણ અંદાજ આપણને મળે છે. અંતે આવા અભ્યાસપૂર્ણ ગ્રન્થને હૃદયના ઉમળકાથી આવકારતાં ખૂબ હર્ષનો અનુભવ થાય છે. દાદાસાહેબ જૈન ઉપાશ્રય, – પ્રદ્યુમ્નસૂરિ કાળા નાળા, ભાવનગર (સૌરાષ્ટ્ર),ભાદ્રપદ, શુક્લ એકાદશી, (જગદ્ગુરુ હીરવિજયસૂરિ-સ્વર્ગારોહણ દિવસ) Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ ધર્મ-દર્શનનું આવકાર્ય પ્રકાશન શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ વ્યવસાયે વકીલ હતા અને મુંબઈની સ્મોલકોઝ કોર્ટમાં વકીલાત તેમણે ૧૯૧૦થી ૧૯૪૫ સુધી કરી અને ૨-૧૨-૧૯૪૫ના રોજ તેમનું રાજકોટમાં અવસાન થયું. સાથોસાથ તેમણે અનેક સાહિત્યિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં પોતાનો સહયોગ સ્થાપક સભ્ય, કે સામાન્ય સભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક આપ્યો હતો. સનાતન જૈન,” “જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જેન યુગ'ના તંત્રી તરીકે પણ સેવા આપતા રહ્યા (૧૯૦૭થી ૧૯૩૦ના ગાળામાં). આ બધું કરતાં કરતાંય જૈન ધર્મ સંબંધી ગ્રંથો લખવાનું કે પ્રાચીન ગ્રંથોનું સંપાદન કરવાનું તેઓ ચૂક્યા નહિ. તેમના પ્રકાશિત ગ્રંથો તેમ જ અન્ય લખાણોની સંખ્યા જોતાં કોઈ પણ વિચારમાં પડી જાય કે કેટલી અસાધારણ નિષ્ઠા, વિદ્યાપ્રીતિ અને કર્મઠતા આ વ્યક્તિવિશેષમાં હશે. અને વ્યવસાયે કર્મનિષ્ઠ વિદ્વાન અધ્યાપક હોય એવી વ્યક્તિ પ્રત્યે જે આદર થવો જોઈએ તેવો આદર તેમના પ્રત્યે સહજ રીતે હૃદયમાંથી ઊભરાય. બૌદ્ધ અને જેને મતના સંક્ષેપમાં ઇતિહાસ, સિદ્ધાંતો અને વૈદિક ધર્મ સાથે તુલના' – એ ૧૯૧૪માં લખાયેલો અને ૧૯૧૫માં સ્વીકારાયેલો ફાર્બસ ગુજરાતી સભાનો ઇનામી નિબંધ હજુ સુધી અપ્રકાશિત હતો તે શ્રી મોહનલાલભાઈના પુત્ર શ્રી જયસુખભાઈ મો. દેસાઈની ઇચ્છા અને સહકારથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) દ્વારા છપાય છે તેથી આનંદ થાય જ. પુત્રની પિતા પ્રત્યેની સાચા હૃદયની આ શ્રદ્ધાંજલિ છે, તેમ જ નિરપેક્ષ ભાવે વિદ્યાની આરાધના કરનાર ગુરુ-પિતાનું યોગ્ય તર્પણ છે જેને માટે તેમને અભિનંદન ઘટે. આ પુસ્તકનું લખાણ જોઈ જવાની અને જરૂરી લાગે ત્યાં સૂચન કરવાની તક મને મળી તેને મારું સદ્ભાગ્ય સમજું છું. શ્રી મોહનલાલ દ. દેસાઈએ અથાગ મહેનત કરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે જેમાં તેમની જૈન અને બૌદ્ધ ધર્મની ઊંડી સૂઝ સ્પષ્ટ દેખાય છે. વળી જૈન ધર્મ-દર્શનને વરેલા લેખક નવા વિચારો ઝીલવા એટલા જ ઉત્સુક છે એ સરળતા અને પ્રામાણિકતા પ્રશંસાને પાત્ર છે. જૈન અને બૌદ્ધ ધર્મ સંબંધી ગ્રંથો ગુજરાતી ભાષામાં ઓછા છે તેથી આ પ્રકાશન આવકાર્ય બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જૈન અને બૌદ્ધ ધર્મના સાહિત્ય અને સિદ્ધાંતોની ઝીણવટપૂર્વક ચર્ચા આ ગ્રંથમાં છે. ઉપરાંત ભારતની સામાજિક-રાજકીય પરિસ્થિતિ, તે સમયે પ્રવર્તતી ધર્મભાવના, સ્ત્રીઓનું સમાજ અને ધર્મમાં સ્થાન જેવા વિષયો પર લેખકે પૂરતું ધ્યાન આપ્યું છે. મહાવીર અને બુદ્ધને ખુલ્લા મનથી સમજવાનો પ્રયત્ન કર્યો છે તે અનુકરણીય છે. ૧૯૧૪માં જૈન અને બૌદ્ધ ધર્મો વિષે ખાસ વ્યવસ્થિત લખાયું નહોતું અને બૌદ્ધ ધર્મ-દર્શનના તો ઘણા ગ્રંથો મળતા પણ નહોતા. એવે સમયે કેટલો પરિશ્રમ કરી શ્રી મોહનલાલ દેસાઈએ આ નિબંધ તૈયાર કર્યો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ પ્રકાશનથી અન્ય વિદ્યાપ્રેમી લેખકોને પ્રેરણા ચોક્કસ મળશે કે પ્રયાસથી સિદ્ધિ મળે જ છે, જોકે પેવધિારસ્તે મા હાન...” આ તક આપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને પ્રો. શ્રી જયંતભાઈ કોઠારી તેમજ ડૉ. કાન્તિભાઈ બી. શાહનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ૨૫-૮-૧૯૯૭ - એસ્તેર સોલોમન જન્માષ્ટમી ૩૩, નહેરુનગર, અમદાવાદ-૩૮૦૦૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ : જીવનઝલક જન્મ : ૬ એપ્રિલ ૧૮૮૫, લુણસર, વાંકાનેર તાબે, જિ. રાજકોટ અવસાન : ૨ ડિસેમ્બર ૧૯૪૫, રાજકોટ અભ્યાસ : બી.એ. (૧૯૦૮), એલએલ.બી. (૧૯૧૦). માધ્યમિક સુધીનું શિક્ષણ રાજકોટમાં, કૉલેજશિક્ષણ મુંબઈમાં. વ્યવસાય : મુંબઈની સ્મોલ કોઝ કોર્ટમાં વકીલાત, ૧૯૧૦-૧૯૪૫ જાહેરજીવનઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સ્થાપક સભ્યોમાંના એક, ૧૯૧૫, પછીથી છેક સુધી કારોબારી સભાના સભ્ય. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના જૈન એજ્યુકેશન બોર્ડના સેક્રેટરી, ૧૯૧૬. વાડીલાલ મોતીલાલ શાહે સ્થાપેલા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની કારોબારી સભાના સભ્ય, ૧૯૧૭. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી, ૧૯૧૮. કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી સાહિત્યસંસદના સ્થાપક સભ્યોમાંના એક, ૧૯૨૧, પછીથી સભ્ય. મુંબઈમાં મળનારી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીની સભા, સત્કારમંડળ તથા નિબંધ-પરીક્ષકસમિતિના સભ્ય, ૧૯૨૬. કોલ્હાપુર રાજ્યના શિરોલરોડમાં દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાન્તિક પરિષદના ચોથા અધિવેશનના પ્રમુખ, ૧૯૨૬. ઉપરાંત, મુંબઈ માંગરોળ જૈન સભા, જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા. જૈન ગ્રેજ્યુએટ્સ એસોસીએશન વગેરે સંસ્થાઓના કાર્યકર્તા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપનાર, મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના નિયમિત વ્યાખ્યાતા. પત્રકારત્વ : “સનાતન જૈન'ના સહતંત્રી, ૧૯૦૭થી ૧૯૦૯. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી, ૧૯૧૨થી ૧૯૧૯. જેનયુગના તંત્રી. ૧૯૨૫થી ૧૯૩). સાહિત્યકર્તાઃ પ્રકાશિત ગ્રંથો : ૧. જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય. ૧૯૦૮. ૨. હર્બટ વોરનના “જેનીઝમનું ભાષાંતર. ૧૯૧૦. ૩. વિનયવિજયોપાધ્યાયરચિત નયકર્ણિકા (ગુજ. સંપા.), ૧૯૧૦. (ફત્તેહચંદ કપૂરચંદ લાલન સાથે) ૪. જિનદેવદર્શન, ૧૯૧૦. ૫. સામાયિકસૂત્ર, ૧૯૧૧. ૬. યશોવિજયજીકૃત સમ્યકત્વના સડસઠ બોલની સઝાય, (સંપા.) ૧૯૧૨. ૭. જેને કાવ્યપ્રવેશ, (સંપા.) ૧૯૧૨. ૮. સ્વામી વિવેકાનંદના પત્રો (અનુ.), ૧૯૧૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 ૯. શ્રીમદ્ યશોવિજયજી (અંગ્રેજી), ૧૯૧૨ કે ૧૮૧૩. ૧૦. જૈન ઐતિહાસિક રાસમાળા (સંપા.), ૧૯૧૨ કે ૧૯૧૩. ૧૧. જૈન રાસમાળા (પુરવણી), ૧૯૧૪. ૧૨. નયકર્ણિકા (અંગ્રેજી, સંપા.), ૧૯૧૫. ૧૩. ગિરનાર તીર્થોદ્ધાર રાસ તથા તીર્થમાળા (સંપા.), ૧૯૨૦. ૧૪. જૈન ગૂર્જર કવિઓ ભા.૧, ૧૯૨૬. ૧૫. જેન ગૂર્જર કવિઓ ભા.૨, ૧૯૩૧. ૧૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩. ૧૭. સુજશવેલી ભાસ (સંપા.), ૧૯૩૪. ૧૮. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, ૧૯૩૬. ૧૯. સિદ્ધિચંદ્ર ઉપાધ્યાયરચિત ભાનુચંદ્રગણિચરિત (સં. અંગ્રેજી, - સંપા.), ૧૯૪૧. ૨૦. જૈન ગૂર્જર કવિઓ ભા.૩ (બે ખંડમાં), ૧૯૪૪. ૨૧. ગૂર્જર રાસાવલી (સંપા.), ૧૯૫૮ (બલવંતરાય ઠાકોર તથા મધુસૂદન મોદી સાથે). ૨૨. જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૧૯૯૮. અગ્રંથસ્થ સાહિત્ય : સામયિકાદિમાં રહેલાં બેત્રણ હજાર પાનાંનાં લેખો, સંપાદિત કૃતિઓ, કાવ્યો વગેરે. વિશેષતા : રાજકોટના શિક્ષણાધિકારી મામા પ્રાણજીવન મોરારજી શાહના આશ્રયે ઉછેર, તેથી નીતિનિષ્ઠ, પ્રામાણિક, સત્યનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી. ભારે કર્મઠતા, જેને કારણે એમને હાથે આકરગ્રંથોનું નિર્માણ થયું. ૦ સ્પષ્ટવક્તાપણું પણ સરલતા, સ્થાન-માનની અપેક્ષા નહીં, નમ્રતા. ૦ વિદ્યાસેવા અને સમાજસેવા કશા વળતર વિના કરવાનો સંકલ્પ. ૦ રાષ્ટ્રવાદી માનસ, સાંપ્રદાયિક માળખામાં રહીને પણ નવા વિચારો ઝીલનારા. ૦ જૈન સાહિત્ય ને સમાજની સેવા એ સ્વીકારેલું જીવનધ્યેય. ૦ નાના માણસમાં પણ રસ લેવાનો સ્વભાવ, સહાયવૃત્તિ. Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકાકાય નિવેદન . . . . . . . • • • • • • • • • • • • સંપાદકીય નિવેદન . . . . . . . . . . . . . . . . . . . લેખકનું નિવેદન . . . . . . . . . . . . . . . . . . . ઉમળકાભર્યા હૈયે આવકાર – આ. પ્રદ્યુમ્નસૂરિ . . . . . . . . . . 13 જૈન અને બૌદ્ધ ધર્મ-દર્શનનું આવકાર્ય પ્રકાશન – ડૉ. એસ્તેર સોલોમન . . . શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ : જીવનઝલક . . . . . . . . • • • • ખંડ-૧ જૈન મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૧-૨૬૬ વિભાગ–૧ : જૈન ધાર્મિક સાહિત્ય, ૩-૨૭ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય - ૪૫ આગમો : પ્રાચીન બાર અંગો, ૩-૧૦, બાર ઉપાંગો, ૧૦-૧૨ ચાર મૂલસૂત્ર, ૧૨-૧૬; નંદીસૂત્ર, ૧૬; અનુયોગદ્વાર, ૧૬; છ છેદસૂત્રો, ૧૬-૧૮; દશ પ્રકીર્ણક (પન્ના), ૧૮-૨૦ ભદ્રબાહુસ્વામી, ૨૦-૨૧; પાટલિપુત્ર પરિષદ, ૨૧; માથુરી વાચના (મથુરા પરિષદ), ૨૧-૨૨; વલભી વાચના (વલભીપુર પરિષદ), ૨૨; ઉમા સ્વાતિ, ૨૨-૨૩, પાદલિપ્તસૂરિ, ૨૩-૨૪; સિદ્ધસેન દિવાકર, ૨૪; મલવાદકત “નયચક્ર', ૨૪-૨૫, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, ૨૫; હરિભદ્રસૂરિ, ૨૫-૨૭. વિભાગ-૨ : શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર, ૨૮-૯૩ ભારતની રાજકીય સ્થિતિ - રાજાઓ, ૨૮-૪૬, ભારતના ભિન્નભિન્ન દેશો, ૪૬-૫૬; ભારતની સામાજિક સ્થિતિ, પ૬-૫૯; ભારતની ધર્મભાવના, ૫૯-૭૦; મહાવીરનો પ્રાદુર્ભાવ, ૭૦-૭૫, ધર્મપ્રવર્તક તરીકે મહાવીર, ૭૫-૮૬; મહાવીરનું જીવન, ૮૬૯૩. વિભાગ–૩: જૈન મતના સિદ્ધાંતો, ૯૪-૨૫૩ ત્રણ તત્ત્વ : ઈશ્વરતત્ત્વ-સદ્િવતત્ત્વ, ૯૪-૧૦૦, સદ્ગુરુતત્ત્વ, ૧૦૦-૧૦૪, સધર્મતત્ત્વ, ૧૦૪; કાલસ્વરૂપ, ૧૦૪-૧૧૦; આત્માને કર્મનો સંયોગ, ૧૧૦-૧૨૮; સમ્યગ્દર્શન, ૧૨૮-૧૩૪; આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક), ૧૩૪-૧૪૭; ષડ્રદ્રવ્ય, ૧૪૮-૧૫૫; નવ તત્ત્વ, ૧૫૬-૧૭૦; છ વેશ્યા, ૧૭૦-૧૭૨; જૈન દષ્ટિએ જીવની ઉત્કાન્તિ, ૧૭૨-૧૮૨; ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન), 4-૧૪૯: કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય, ૧૮૯-૧૯૪; જેન યોગમાર્ગ, ૧૯૫-૨૧૭; પ્રત્યેક ખત્મવાદ અને મોક્ષસ્વરૂપ, ૨૧૮-૨૩૦; અનેકાન્તવાદ - સ્યાદ્વાદ, ૨૩૧-૨૩૯; સર્વ દર્શનોની સરખામણીનો કોઠો, ૨૪-૨૪૧; ગૃહસ્થધર્મ અને યતિધર્મ, ૨૪૨-૨૫૩. Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 વિભાગ-૪ : પ્રકીર્ણ, ૨૫૪-૨૬૬ જૈનોમાં ભેદો, ૨૫૪-૨૫૬; તીર્થ, ૨૫૬; જૈન વસ્તી, ૨૫૭; બુદ્ધ અને મહાવીર, ૨૫૭-૨૫૮; બૌદ્ધની જૈન એક શાખા છે ? નહિ, ૨૫૮-૨૬૨; જૈન એ વૈદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા), ૨૬૨-૨૬૬. ખંડ–૨ બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૨૬૭-૩૬૬ વિભાગ—૧ : બૌદ્ધ ધાર્મિક સાહિત્ય, ૨૬૯-૨૮૦ પાલિ ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ, ૨૬૯-૨૭૧; સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ, ૨૭૧-૨૭૨, બૌદ્ધોમાં ૧૮ ભેદ, ૨૭૨-૨૭૩; બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન, ૨૭૩-૨૭૫, બૌદ્ધ દર્શન અને ઉક્ત ચાર સંપ્રદાયોના મતો, ૨૭૫-૨૭૬; ષહ્દર્શનમાં બૌદ્ધ દર્શનનું કાલષ્ટિએ સ્થાન, ૨૭૬-૨૭૭; જુદાજુદા ગ્રંથકારો, ૨૭૭-૨૮૦, વિભાગ-૨ : ગૌતમ બુદ્ધ, ૨૮૧-૨૯૭ જન્મ : બાલ્યકાળ ઃ યુવાવસ્થા (ગૃહસ્થાશ્રમ), ૨૮૧-૨૮૩; ગૃહત્યાગ મહાભિનિષ્ક્રમણ, ૨૮૪; ભ્રમણજીવન : શોધ ઃ તત્વપ્રાપ્તિ : દીક્ષા, ૨૮૪-૨૮૮; ઉત્તર જીવન, ૨૮૯-૨૯૪; અંતિમ વર્ષ - પરિનિર્વાણ, ૨૯૪-૨૯૭. વિભાગ-૩ : બૌદ્ધ મતના સિદ્ધાંતો, ૨૯૮-૩૫૬ બૌદ્ધ ધર્મનો ઉદયકાલ – તે સમયના ભારતના ધાર્મિક વિચાર અને આદર્શો, ૨૯૮-૨૯૯; બૌદ્ધ ધર્મ - તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા, ૨૯૯-૩૦૩; ચા૨ આર્યસત્ય, ૩૦૩-૩૨૫; ધર્મ, ૩૨૫-૩૩૦; વિશ્વવ્યવસ્થા, ૩૩૧-૩૩૨; અર્હતો, પ્રત્યેકબુદ્ધો અને તેમનાં લક્ષણો, ૩૩૨-૩૩૩; બુઢ્ઢો અને તેમનાં લક્ષણો, ૩૩૩-૩૩૫; બોધિસત્ત્વો અને તેમનાં લક્ષણો, ૩૩૫-૩૩૬; તત્ત્વજ્ઞાન, ૩૩૬-૩૪૨; બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો, ૩૪૩-૩૫૬. વિભાગ-૪ : પ્રકીર્ણ, ૩૫૭-૩૬૬ બૌદ્ધ ધર્મમાં સ્ત્રીની પદવી, ૩૫૭-૩૫૮; બૌદ્ધ ધર્મ અને ઉગ્ર તપશ્ચર્યા, ૩૫૮-૩૫૯; ક્રિયાવાદ - પુરુષાર્થ – ઉદ્યમ, ૩૫૯; સ્વદેશપ્રેમ, ૩૫૯-૩૬૦; ભિક્ષુઓનો સંયમ, ૩૬૦-૩૬૧; બૌદ્ધ ધર્મ અને જ્ઞાતિ, ૩૬૧; હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ ૩૬૧-૩૬૪; ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણ, ૩૬૪-૩૬૬. વિષયસૂચિ : ૩૬૭-૩૯૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ SAL PिHLA 4640 कपिशा लो2 ( कम 5 जा मत्स्य रसन सिन HIRAL. r ना Arr th SARG आसार।२ Kun सोर कलिंग / . Hear MHAR ( दाबी डायपुर मारकर - --- ....... -- Tited મહાવીર અને બુદ્ધના સમયનું આયવત Page #21 -------------------------------------------------------------------------- ________________ WEAVA BUL 31 SA TOS andhari m 25 Indrapratha (Delbl) 2 YO Brahopkin ABIRA f SO 2 M ANTRA SALU RED OB 814 ITPRATAX DR . r on Saran sepe Ophir Kuche (Omu) y HA WOANGÅSOARA BAY OF ENOL Alasira Dybywa SMP USTAN . Gokarna 2 SDRAVA C . LAY 2 2 lh PANOYA TÄMRAPARKI, SEXYFALADVITA KASUELAX(CATLON) ? N D I AN AW MAP OF ANCIENT INDIA SCALE OF MILES . _ Londitude Eut from Grees wlet પ્રાચીન ભારત Page #22 -------------------------------------------------------------------------- ________________ ખંડ–૧ જૈન મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ : જૈન ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય – ૪૫ આગમો : પ્રાચીન બાર અંગો જૈન શાસ્ત્રના સૌથી પ્રાચીન ગ્રંથો ‘અંગો કહેવાય છે. તે બાર છે. અને તેમાં બારમું અંગ – નામે દષ્ટિવાદ' જેમાં ચૌદ પૂર્વોનો સમાવેશ થાય છે તે – પછી લુપ્ત થયેલું છે. બાકીનાં ૧૧ અંગો નામે આચારાંગ આદિ શ્વેતાંબર જૈનો હજુ સુધી અમુક પ્રમાણમાં જાળવી શક્યા છે. જેમ પુરુષનાં ૧૨ અંગ નામે બે પગ, બે જંઘા (સાથળ), બે ઊરુ, બે ગાત્રાર્ધ - પીઠ અને ઉદર, બે હાથ, એક ડોક અને એક મસ્તક છે તેવી રીતે સમય-મૃતરૂપ પરમ પુરુષના - શ્રુતપુરુષનાં - સમયપુરુષનાં આચાર આદિ બાર અંગ છે. જેના આમ્નાયમાં આને “મૃત” કહેવામાં આવે છે તે અન્ય દર્શનમાં જેને “શ્રુતિ' કહેવામાં આવે છે તે જ અર્થમાં છે. અહંતુ પાસેથી સાંભળેલું એવો અર્થ “શ્રુતનો થઈ શકે. પ્રાચીન કાળમાં બારે અંગોમાં જે હતું તે સર્વ અખંડપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પરિણામે અત્યારે નથી રહ્યું; તેમજ પ્રાચીન અંગોમાં શું હતું તેનું જોકે વિસ્તૃત વિગતવાર વર્ણન અત્યારે સાંપડતું નથી; તોપણ તે પ્રાચીન અંગોમાં સામાન્ય રીતે જે વિષયો હતા તેનો અતિ અલ્પ નિર્દેશ યાત્રતત્ર કરવામાં આવ્યો છે. સમવાય નામના અંગમાં (તેમજ નંદી સૂત્રમાં) તેનો નિર્દેશ જે છે તે અત્રે સંક્ષેપમાં જોઈએ. (૧) આચારાંગ : જૈન સાધુઓએ કેવી રીતે પોતાના આચારનું પાલન કરવું તે વિશે આમાં વર્ણન છે. જેનો કહે છે કે જે જ્ઞાન કોઈ કાર્યમાં પરિણત ન થાય તે જ્ઞાન વૃથા છે. તે માટે જૈન સાધુઓએ અહિંસા વ્રતનો ઉપદેશ આપતાં પહેલાં કેટલા પ્રકારના જીવો છે તે સર્વ જાણવું જોઈએ. આ જ્ઞાન સહિત પ્રાણીહિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. આચારાંગમાં કહ્યું છે કે “જે એક જાણે છે તે સર્વ જાણે છે. જે સર્વ જાણે છે તે એક જાણે છે.” – અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાય (ફેરફાર) થકી જાણે છે તે નિશ્ચયે સર્વને જાણે છે, કેમકે સર્વજ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને, સ્વ-પર પર્યાય ભેદ થકી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપોમાં સમજવી એ અશક્ય છે. જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે તે એકને પણ સ્વ-પર પર્યાય ભેદ થકી ભિન્ન રૂપે યથાર્થ જાણે છે. આ જ્ઞાનદિક આસેવન વિધિનો પ્રતિપાદક ગ્રંથ છે. આચારાંગમાં મુખ્ય બે વિભાગ છે જેને “શ્રુતસ્કંધ' કહે છે. તેમાંના પહેલામાં ૯ અધ્યયન છે. ૧. શસ્ત્રપરિજ્ઞા ૨. લોકવિજય ૩. શીતોષ્ણીય ૪. સમ્યક્ત્વ પ. લોકસાર ૬. ધૂત ૭. મહાપરિજ્ઞા ૮. મોક્ષ ૯. ઉપધાન. ૧. શ્રી નંદીની વૃત્તિમાં મલયગિરિજીએ સૂત્ર ૪૩ની ટીકામાં પ્રાચીન ગાથા ‘ઉક્ત' કહીને મૂકી पायदुगं जंघोरू गायदुगद्धं तु दोय बाहू य । गीवा सिरं च पुरिसो बारस अंगो सुयविसिठ्ठो ।। Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બીજો શ્રુતસ્કંધ આચારાગ્ર છે – આચારાંગનો વધારો છે. તેમાં મુનિઓના નિયમોથી બદ્ધ એવાં ૧૬ અધ્યયન છે. ૧. પિપૈષણા ૨. શય્યા ૩. ઈર્યા ૪. ભાષા ૫. વસ્ત્ર ૬. પાત્ર ૭. અવગ્રહ પ્રતિમા ૮. સ્થાન ૯. નિશીથિકા ૧૦. ઉચ્ચારપ્રશ્રવણ ૧૧. શબ્દ ૧૨. રૂ૫ ૧૩. પરક્રિયા ૧૪. અન્યોઅન્ય ક્રિયા ૧૫. ભાવના ૧૬. વિમુક્તિ-હિતોપદેશહિતશિક્ષાનાં કાવ્યો. આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધ જૂનામાં જૂનો છે ને તેમાં પહેલું અધ્યયન તો બીજાં અધ્યયન કરતાં વધુ પ્રાચીનતા દર્શાવે છે. બીજો શ્રુતસ્કંધ પહેલા શ્રુતસ્કંધ કરતાં ઘણો પાછળનો છે, અને તે તેમાં “ચૂલા' (એટલે પરિશિષ્ટો) મૂકી છે તે પરથી જણાય છે. (૨) સૂત્રકૃતાંગ : આમાં જ્ઞાન તથા વિનયાદિ ગુણો અને વિવિધ ધર્માચારો વર્ણિત છે. જૈનધર્મની નિયમાવલિ સાથે અન્ય ૩૬૩ કુવાદીઓ કે જે શ્રી મહાવીરના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા તેમની નિયમાવલિની તુલના કરી છે. અને છેવટે બતાવી આપ્યું છે કે અહિંસાધર્મના મૂળ રૂપ ધર્મ એ જ શ્રેષ્ઠ ધર્મ છે. સાધુઓ આ પુસ્તકના અધ્યયનથી ધર્મ પ્રત્યે દઢ વિશ્વાસી બને છે. એ સિવાય વિવિધ પ્રકારના મદને (જાતિમદ વગેરે ૮ પ્રકારના મદને) તિરસ્કારી કાઢવામાં આવ્યા છે. વિનય એ પ્રધાન ભૂષણ છે એમ ખુલ્લી રીતે જણાવ્યું છે. આમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. ૧. સમયાખ્ય – સ્વમત-પરમતની પ્રરૂપણા. ૨. વૈતાલીય – હિતાહિત દર્શન. ૩. ઉપસર્ગ પરિજ્ઞા – ઉપસર્ગો સહન કરવા અને કુશાસ્ત્રોનાં વચનથી ચારિત્રભ્રષ્ટ ન થવું. ૪. સ્ત્રી પરિજ્ઞા - સ્ત્રીઓથી ન લલચાવું. ૫. નરકવિભક્તિ – નરકનું વર્ણન. તેના દુઃખથી ભય પામી સ્વધર્મ આદરવો. ૬. વીરસ્તુતિ – મહાવીરની પધસ્તુતિ. ૭. કુશીલ પરિભાષા – યજ્ઞયાગાદિ, સ્નાનાદિ, તપશ્ચર્યાદિમાં જ મોક્ષ માનનારા ભટકે છે. શુદ્ધ ચારિત્ર તેથી કાંઈ ઓર જ છે. સાધુ મધ્યસ્થભાવ અંગીકાર કરી સ્વરૂપમાં ભટકે છે. ૮. વીર્ય – બાલવીર્ય, પંડિતવીર્ય વિશે. ૯. ધર્મ ૧૦. સમાધિ ૧૧. મોક્ષમાર્ગ ૧૨. સમવસરણ – પાખંડી મતો વિશે. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી (agnostics) ને વિનયવાદીના દોષોનું દર્શન, સ્વમતનું દર્શન. ૧૩. યથાતથ્ય – ધર્મનું યથાતથ સ્વરૂપ. ૧૪. ગ્રંથપરિત્યાગ - વિવિધ પરિગ્રહનો ત્યાગ. ૧૫. આદાન(યમંતિ) - ચારિત્ર વિશે. ૧૬. ગાથા – માહણ (બ્રાહ્મણ), શ્રમણ, નિર્ચન્થ, ભિક્ષ એ ચાર શબ્દની સમજૂતી. - બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયન છે. ૧. પૌંડરીક (The parable of a lotus) - કિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી ને અજ્ઞાનવાદી કમળ-મોક્ષ લેવા સંકલ્પ કરે છે પણ સંસારથી વિરક્ત થઈ સંપૂર્ણ અંશે તેમ કરતા નથી. કામભોગ રૂપ કાદવમાંથી નીકળી શકતા નથી. જ્યાં દેહ તે અન્ય અને હું તે અન્ય એમ સમજાય છે ત્યાં જ શુદ્ધ સ્વરૂપનું ભાન થવાની આશા ખરી, ત્યાં જ મોક્ષ મેળવવાની વકી ખરી. ૨. ક્રિયાસ્થાનક – ઈચ્છા ત્યાં કષાય ને ત્યાં જ સંસાર. જ્યાં તેનો અભાવ ત્યાં મોક્ષ. બાર સંપરાય ક્રિયા (સંસારક્રિયા)નો ૧. સૂત્રકૃતાંગમાં પરવાદીના ૩૬૩ મત ગણ્યા છે. ૧૮૦ ક્રિયાવાદીના, ૮૪ અક્રિયાવાદીના, ૬૭ અજ્ઞાનવાદીના અને ૩ર વિનયવાદીના મત છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો ત્યાગ કરી ‘ઈર્યાવહી' અંગીકાર કરવાનો આમાં ઉપદેશ છે. ૩. આહાર પરિજ્ઞા - શુદ્ધ એષણીય આહાર સંબંધી વર્ણન. ૪. પ્રત્યાખ્યાન પરિજ્ઞા – કર્મબંધો લાગવા સંબધી. ૫. આચાર-અનાચારશ્રુત - આચાર અંગીકાર કરવો, અનાચારનો ત્યાગ કિરવો. ૬. આÁકીય – આર્લૅિક કુમારનો અન્ય દર્શનીઓ સાથેનો શાસ્ત્રાર્થ. ૭. નાલંદીયા – શ્રાવકના આચારનો અધિકાર. (૩) સ્થાનાંગ : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાલ અને આકાશ એ છ દ્રવ્યોમાં જીવ સિવાયના અન્ય અજીવ છે. આ જીવાજીવના ભેદોને તેમજ તેમના ગુણપર્યાયોને એક સંખ્યામાંથી દશ સંખ્યા સુધીની તેની અનુક્રમણિકાને સ્થાન આપેલું છે. તે એક સંખ્યાને એક “સ્થાન', બેને બે સ્થાન' એમ “સ્થાન' નામ આપ્યું છે. અને એ પ્રમાણે ભેદની વહેંચણી કરી છે. જીવ જ્યારે કર્મબંધનોથી મુક્ત થાય ત્યારે તેને સિદ્ધ' જીવ કહેવામાં આવે છે. સિદ્ધ' જીવો વળી સ્થાન-કાલના હિસાબે અવગાહન આદિ શ્રેણીમાં વિભક્ત છે. જેઓ કર્મબંધનથી મુક્ત થયા નથી તેઓ “સંસારી કહેવાય છે. “સંસારી' જીવો ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ૧. સ્થાવર ૨. સક્લેન્દ્રિય ૩. વિકલેન્દ્રિય. આ પ્રકારે બીજા દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ અને વિભાગ સ્થાનાંગ સૂત્રમાં વર્ણવ્યા છે. સાતમા અધ્યયનમાં સાત નિન્દવો – વિરોધી ધર્મભેદોનું વર્ણન ઉપયોગી છે. આખા સૂત્રના દશ અધ્યાય (કે જેને પણ સ્થાન” નામ આપ્યું છે) છે તેમાં પહેલામાં એક એક બોલ, બીજામાં બે બે એમ દશમામાં દશ દશ બોલ જેના ના હોય તેની વ્યાખ્યા વિભાગ સાથે કરી છે. (૪) સમવાયાંગ : આ સૂત્રમાં એકથી કોડાકોડી સંખ્યા સુધી જીવાજીવના ભેદ તેમજ ગુણપર્યાયો તેમજ અન્ય હકીકતો જણાવી છે, અને તે સંખ્યાના સમુદાયને સમવાય” એ નામ આપેલું છે. (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ : (આને ‘ભગવતીસૂત્ર' પણ કહેવામાં આવે છે.) વ્યાખ્યા એટલે વિવિધ કથન, પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણા. જેમાં કોઈ રીતે અભિવિધિ વડે સર્વ શેયપદાર્થોની વ્યાતિપૂર્વક – અથવા મર્યાદા વડે –' પરસ્પર અસંકીર્ણ – વિશાળ લક્ષણકથનપૂર્વક વિવિધ જીવાજીવાદિ ઘણા પદાર્થોના વિષયવાળાં, શ્રી મહાવીર ભગવાને ગૌતમાદિ શિષ્યો પ્રત્યે તેમના પૂછેલા પદાર્થોનાં પ્રતિપાદનો કરેલાં છે તે વ્યાખ્યાઓ અને એ વ્યાખ્યાઓનું પ્રરૂપણ શ્રીમાન સુધર્માસ્વામીએ જબૂસ્વામી પ્રત્યે જેમાં કરેલું છે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ.” આમાં શ્રી મહાવીરસ્વામીને તેમના મુખ્ય ગણધર ગૌતમસ્વામીએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના ઉત્તરો છે. પ્રશ્નોના ઉત્તરો આપી મહાવીરસ્વામીએ શિષ્યગણના સંદેહનું નિવારણ કરેલું તેનો વિસ્તૃત હેવાલ આ સૂત્રમાં છે. તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંબંધે અને પદાર્થોની સૂક્ષ્મ વ્યવસ્થા - જીવવિચાર આદિ અનેક બાબતોનું વિવેચન છે. આમાં અન્યતીર્થિકો, પાર્થાપત્યો (પાર્શ્વનાથ પ્રભુના અનુયાયીઓ) વગેરે સંબંધી વર્ણન ને ઉલ્લેખ છે. શ્રી મહાવીરને માટે વેશાલય, નિયંથિપુર (નિર્ગુન્ધપુત્ર), સંખમ્બખા મોકખ સમણોવાસગ, પૉકખલિ સમણોવાસગ, ધમ્મઘોસ, સુમંગલ આદિ નામો વપરાયાં છે. ઈદ્રભૂતિ આદિ ગણધરો, અને બીજા શિષ્યો નામે રોહ, ખંદય, Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કચ્ચાયન, કુરુદત્તપુત્ત અને તિસય, નારયપુત્ત, સામહત્યિ આનંદ અને સુનકખત્ત, માગુંદિયપુત્તનાં નામો આવે છે. વિરોધીમાં જમાલિ, શિષ્યાભાસ તરીકે ગોશાલ મંખલિપુત્તનું વિસ્તૃત વર્ણન છે. કોણિક રાજાના એટલે મહાવીરના સમયમાં કાશીકોશલના રાજાઓ નામે નવ મલકી અને નવ લિચ્છવી રાજાઓ ઉપર વજ્જિ વિદેહપુત્તે વિજય મેળવ્યો તે વાત આવે છે અને કોશાંબીના રાજા ઉદયન (શતાનિકનો પુત્ર અને સહસ્સાણિયનો પૌત્ર)ની ફૂઈ જયંતી શ્રી મહાવીરનો ઉપદેશ સાંભળી ભિક્ષુણી થઈ તેનો ઇતિહાસ જણાવ્યો છે. આ પરથી તેમજ આવી અનેક હકીકત પરથી શ્રી મહાવીરના જીવનકાલ પર ઘણો પ્રકાશ પડે છે. નવમા શતકમાં એક શ્રીમંત બ્રાહ્મણને ત્યાં રાખેલી દાસીઓનાં નામો જેવાં કે પવિયા, આરબી, બહાંલી, મુહંદી, પારસી તે અનાર્ય જાતિની – વિદેશીય હતી એમ સૂચવે છે. હિંદની ૧૬ જાતિઓ (અંગ, બંગ, મગહ, મલય, માલવય, અચ્છ, વચ્છ, કોચ્છ (ત્થ?), પઢ, લાઢ, વજ્જિ, માલિ, કોસી, કોસલ, અવાહ, સુભત્તર) જણાવી છે. ગ્રહોનાં નામ તેમજ બ્રાહ્મણોનાં શાસ્ત્રોનાં નામો ઋગ્વેદાદિનો ઉલ્લેખ પણ આમાં જોવામાં આવે છે. ૬ (૬) જ્ઞાતા ધર્મકથાંગ : જ્ઞાત એટલે ઉદાહરણ રૂપ, ધર્મપ્રધાન કથાનું અંગ. તેના બે શ્રુતસ્કંધ છે. પહેલામાં ૧૯ અધ્યયન છે. ૧. ઉક્ષિપ્ત – તેમાં શ્રેણિકના પુત્ર મેઘકુમારની કથા છે. ૨. સંઘાટક શેઠ અને ચોરની દૃષ્ટાંતકથા છે. ૩. અંડક મોરના ઈંડા સંબંધી કથા. ૪. કૂર્મ – કાચબાની કથા. પ. શૈલક – શૈલક રાજર્ષિની કથા ૬. તુમ્બ - તુંબની કથા ૭. રોહિણી -- શ્રેષ્ઠિવધૂ રોહિણીની કથા. ૮. મલ્લી - ૧૯મા સ્ત્રીતીર્થંકર મલ્લિનાથની કથા. ૯. માકન્દી - માકન્દી નામના વણિકપુત્રની કથા. ૧૦, ચંદ્રમા ૧૧. દાવદ્વ સમુદ્રતટે થતા એક વૃક્ષની કથા ૧૨. ઉદક નગરની ખાળનું પાણી ૧૩. મંડૂક નંદમણિકા૨નો જીવ ૧૪, તેતલી તેલિસુત નામના અમાત્ય ૧૫. નંદીફલ - નંદિ નામના વૃક્ષનાં ફળો. ૧૬. અવરકંકા – ધાતકી ખંડ ભરતક્ષેત્રની રાજધાનીમાં દ્રૌપદી (પાંડવોની પત્ની)ની કથા ૧૭. આઇક્ષ્ણ - આકીર્ણ. સમુદ્રમાં રહેતા અશ્વો. ૧૮. સુંસુમા - તે નામની શ્રેષ્ઠિદુહિતા. ૧૯. પુંડરીક. બીજો શ્રુતસ્કંધ એક અધ્યયન જેટલો પરિશિષ્ટ રૂપે છે. તેમાં નાનાનાના ૧૦ વર્ગ કરી કથાથી સમજાવેલ છે. આમાં અનાર્ય જાતિનાં નામોનો ઉલ્લેખ છે. ૭૨ કલાઓનો ઉલ્લેખ છે. તથા અઢાર દેશી ભાષાઓ એવો માત્ર નામોલ્લેખ છે. (૭) ઉપાસક દશાઃ : જેઓ ધર્મનું અવલંબન કરી સંસારનો પરિત્યાગ કરે છે તેઓને શ્રમણ - નિર્પ્રન્થ, સાધુ યતિ લેખવામાં આવે છે. પરંતુ જેઓ પોતાના આચારો સર્વાંશે સાધુઓની તુલ્ય પાળી શકે નહિ તેઓ ગૃહસ્થો-ઉપાસકો-શ્રાવકો છે. કારણ કે સંસારત્યાગીઓ જે વિધિ અનુષ્ઠાન કરી શકે તે સર્વ ગૃહીઓથી ન જ બની શકે. આટલા માટે આ સૂત્રમાં શ્રી મહાવીરના દશ શ્રાવકોના અધિકાર આપી તે પરથી ગૃહસ્થોએ પાળવા યોગ્ય આચારોનું વર્ણન છે. તે દશ શ્રાવકોનાં નામ આનંદ, કામદેવ, ચુલણીપિતા, સુરાદેવ, કુંડકોલિક, શકડાલ(-પુત્ર), મહાશતક, નંદની પિતા, શાલિનનપતા (તેતલીપિતા - શાલિકપુત્ર) આ દશ મુખ્ય ગૃહી શિષ્યોના નામ પ્રમાણે આ સૂત્ર દશ અધ્યયનમાં વહેંચવામાં આવ્યું છે. તેથી આ સૂત્રનું નામ ઉપાસકદશાઃ – - Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો પાડ્યું છે. આ પરથી તે વખતે કેવાં કેવાં વિલાસી દ્રવ્યોનો ઉપયોગ થતો, કેવાં કામોમાં ધનનો વ્યય થતો, કેવા પ્રકારના પહેરવેશ તેઓ ધારણ કરતા તે વગેરે વિષયોનું પણ જ્ઞાન થાય છે. (૮) અંતકત દશા: : જેણે કર્મનો અથવા તેના ફલરૂપી સંસારનો અંત – નાશ કરેલો છે તે “અંતકૃત' કહેવાય છે. જેનોમાં ૨૪ તીર્થકરો થઈ ગયા છે. તેઓના વખતમાં થઈ ગયેલા ૧૦ અંતકૃત – કેવલીનું, દષ્ટાંત તરીકે ગૌતમકુમાર આદિનું કઠોર તપસ્યાપૂર્ણ જીવન તથા અંતે કર્મબંધનથી મુક્તિ વગેરે પ્રસંગોનું તથા મોક્ષગામી પ્રદ્યુમ્નાદિના અધિકારનું આમાં વર્ણન છે. ૭મા અંગ ઉપાસકદશામાં ગૃહસ્થોને યોગ્ય જીવન ગાળનાર આદર્શો ગૃહસ્થ માટે મૂક્યા છે અને અંતકૃત દશામાં સંસારત્યાગી જૈન ગણને ગૌતમકુમાર આદિના આદર્શ પોતાના જીવન સાથે ગ્રથિત કરવા પ્રેરે છે. આ અંગના ૮ વર્ગ છે. વર્ગ એટલે અધ્યયનનો સમૂહ – સંગ્રહ. પહેલા વર્ગમાં ૧૦ અધ્યયન ગૌતમકુમાર આદિનાં છે. બીજામાં અક્ષોભકુમાર આદિનાં આઠ, ત્રીજામાં અનવયશકુમર આદિનાં ૧૩, ચોથામાં જાલિકુમાર આદિનાં ૧૦, પાંચમામાં પદ્માવતી આદિ સાધ્વીઓનાં ૧૦, છઠામાં મકાઈ ગાથાપતિ આદિનાં ૧૬, સાતમામાં નંદા રાણી આદિ શ્રેણિકરાજાની ૧૩ રાણીઓનાં ૧૩, અને આઠમામાં શ્રેણિકરાજાની કાલી આદિ ૧૦ રાણીઓ કે જેમણે આ ચંદના પાસેથી સામાયિક આદિ ૧૧ અંગોનો અભ્યાસ કર્યો હતો તેમનાં ૧૦ અધ્યયન છે. (૯) અનુત્તરોપપાતિકદશાઃ : અનુત્તર એટલે જેનાથી કોઈ પ્રધાન નથી એવો ઉત્તમ, ઉપપાત એટલે જન્મ જેનો છે તે “અનુત્તરોપપાતિક'. જૈન ધર્મગ્રંથોમાં અનુત્તર વિમાન નામના સ્વર્ગનું વર્ણન છે. આ અનુત્તર વિમાનો સર્વાર્થસિદ્ધ આદિ નામનાં પાંચ છે. આ પાંચમાં જન્મ લેનાર તે અનુત્તરોપણતિક. તે એક ભવ કરી મોક્ષે અવશ્ય જનાર છે એટલે તેઓ એકાવનારી છે. આ સ્વર્ગ જે જે મેળવી શક્યા તે ૩૩ પુરુષોનું વિવરણ આમાં છે. આમાં મૂળ દશ અધ્યયન હતાં તે જણાવવા અનુત્તરોપપાતિક દિશાઃ' એ નામ અપાયેલું છે. અધ્યયનો ત્રણ વર્ગમાં વહેંચેલાં છે. પહેલા વર્ગમાં ૨૩ અધ્યયન છે તેમાં શ્રેણિકરાજાના જલિકુમાર આદિ ગણાવેલા ૨૩ પુત્રોના અધિકાર છે. બીજામાં ૧૩ છે તેમાં શ્રેણિક રાજાના પુત્ર દીર્ધસેન કુમાર આદિ ગણાવેલા ૧૩ના અધિકાર છે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે તેમાં ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પોષ્ઠીપુત્ર, પેઢાલકુમાર, પોટિલકુમાર, વહલકુમાર એ દશ કે જેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા તેમનો અધિકાર છે. આ બહુ નાનું સૂત્ર છે. દરેકમાં પહેલી કથા પૂર્ણ છે. બાકીનાનું એ પ્રમાણે સમજવું એમ ટૂંકાવ્યું છે. (૧૦) પ્રશ્નવ્યાકરણદશાઃ : પ્રશ્ન એટલે વિદ્યાવિશેષ. તે સંબંધી વ્યાકરણ એટલે પ્રતિપાદન – વિવેચન, દશ અધ્યયનમાં છે એટલે પ્રશ્નવ્યાકરણદશાઃ એવો અર્થ પૂર્વકાલે હતો. હમણાં જે દશ અધ્યયન છે તેમાં પાંચ આસ્રવદ્વાર (આસ્રવ એટલે જે દ્વારા કર્મો આવે છે તે દ્વાર) અને પાંચ સંવરદ્વાર (કે જેથી કર્મો આવતાં બંધ થાય છે તે) સંબંધી વિવેચન છે. પાંચ આસ્રવ તે હિંસા, મૃષા, અદત્ત (ચોરી), અબ્રહ્મ, અને પરિગ્રહ. પાંચ સંવર તે તેના પ્રતિપક્ષી અહિંસા, સત્યવચન, અનુજ્ઞાથી દત્તનું ગ્રહણ (અસ્તેય), Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ દરેકનું એક એક એમ દશ દ્વાર છે. આમાં લગભગ પ૩ અનાર્ય જાતિનાં નામ તથા ૯ ગ્રહોનાં નામ આવે છે. (૧૧) વિપાકસૂત્ર : આમાં શુભ-અશુભના – પુણ્ય-પાપરૂપ કર્મના વિપાક – ફળનું પ્રતિપાદન કરેલ છે. તેને કર્મવિપાકદશા પણ કહેવામાં આવે છે. ઈદ્રભૂતિ કોઈ જૂર કાર્ય જોઈ મહાવીરને તે સંબંધી પૂછે છે, ને શ્રી મહાવીર પ્રસ્તુત વ્યક્તિઓના પૂર્વભવો કહી તે કાર્યનું સમાધાન કરે છે અને સાથે ભવિષ્યના ભવો પણ જણાવે છે. તેમાં “જસ્નાયતન’ – યક્ષના મંદિરનો ઉલ્લેખ આવે છે. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં દશ અધ્યયન છે. ૧. મૃગાપુત્ર ૨. ઉજ્જિત ૩. અગ્નિસેન ૪. શકટ પ. બૃહસ્પતિદત્ત ૬. નંદિષેણ ૭. ઉમ્બરદત્ત ૮. સોરિયદત્ત ૯. દેવદત્તા ૧૦. અંજુદેવી. બીજા શ્રુતસ્કંધમાં પણ નાનાં નાનાં દશ અધ્યયન છે. આ પ્રમાણે ૧૧ અંગ હાલમાં વિદ્યમાન છે. ૧૨મું અંગ દષ્ટિવાદ લુપ્ત થયેલું છે. (૧૨) દષ્ટિવાદ : એમાં સર્વ પદાર્થોની પ્રરૂપણા છે. તે દષ્ટિવાદ પાંચ પ્રકારનો છે. ૧. પરિકર્મ ૨. સૂત્ર ૩. પૂર્વગત (પૂર્વ) ૪. અનુયોગ અને ૫. ચૂલિકા. (૧) પરિકર્મ. પરિકર્મ એટલે યોગ્યતાકરણ. તે સાત પ્રકારનો છે. ૧. સિદ્ધ શ્રેણિક પરિકર્મ ૨. મનુષ્ય શ્રેણિક ૩. પુષ્ટ શ્રેણિક ૪. અવગ્રહના શ્રેણિક. ૫. ઉપસંપાદન શ્રેણિક (ઉપસંહજ્જણ – અંગીકાર કરવા યોગ્ય) ૬. વિપક્વહ (છાંડવા યોગ્ય) શ્રેણિક ૭. શ્રુતાપ્યુત શ્રેણિક. (૨) સૂત્ર. પૂર્વગત સૂત્રાર્થનું જે સૂચન કરે તે સૂત્ર. તે સૂત્રો સર્વ દ્રવ્યો. સર્વ પર્યાયો, સર્વ નયો, સર્વ ભંગ વિકલ્પોના પ્રદર્શક છે. તે ૮૮ ભેદે છે. ૧. ઋજુઅંગ ૨. પરિણતા પરિણત. ૩. બહુભંગી ૪. વિપ્રત્યયિક (વિનય ચારિત્ર) ૫. અનંતર ૬. પરંપર સમાન ૭. સંયૂથ ૮. ભિન્ન ૯. યથાત્યાગ ૧૦. સૌવસ્તિક ૧૧. ઘંટ ૧૨. નંદાવર્ત ૧૩. બહુલ ૧૪. પૃષ્ટપૃષ્ટ ૧૫. વિયાવર્ત ૧૬. એવંભૂત ૧૭. દ્રિકાવર્ત ૧૮. વર્તમાનોત્પતક ૧૯. સમભિરૂઢ ૨૦. સર્વતોભદ્ર ૨૧. પ્રણામ (પણામ) ૨૨. દ્વિપ્રતિગ્રહ. આ ૨૨ પ્રકારને જુદીજુદી રીતે ચર્ચવામાં આવે છે. તેને ત્રણ નયથી (દ્રવ્યાર્થિક આદિથી) તેમજ ચાર નય - સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ – થી ચિંતવતાં ૨૨ ૪ ૪ = ૮૮ પ્રકાર ગણાવ્યા છે. (૩) પૂર્વ. દષ્ટિવાદમાં ૧૪ પૂર્વો છે. તેનાં નામો નીચે પ્રમાણે છે : ૧. ઉત્પાદપૂર્વ – સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદની તેમાં પ્રરૂપણા છે. ૨. અગ્રાયણી – સર્વ દ્રવ્યો અને જીવવિશેષના પર્યાયોનું અગ્ર એટલે પરિમાણ તેમાં વર્ણવેલ છે. અગ્ર = પરિમાણ અને અયન = પરિચ્છેદ. સર્વ દ્રવ્યાદિના પરિમાણનો પરિચ્છેદ જેમાં છે તે. ૩. વીર્યપ્રવાદ – તેમાં સકર્મ અને અકર્મ જીવો તથા અજીવોનું વીર્ય કહેલું – પ્રરૂપ્યું છે. ૪. અસ્તિનાસ્તિ પ્રવાદ – ધર્માસ્તિકાયાદિ જે વસ્તુ લોકમાં છે અને ખરશૃંગાદિ જે વસ્તુ નથી અથવા સ્યાદ્વાદ અભિપ્રાય પ્રમાણે સર્વ વસ્તુ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી એવું તેમાં જણાવેલું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો ૫. જ્ઞાનપ્રવાદ – મતિ આદિ પંચવિધ જ્ઞાનનું સ્વરૂપ ભેદ-પ્રભેદ વડે તેમાં કથન ૬. સત્યપ્રવાદ –- સત્ય = સંયમ વા સત્યવચન તેમાં ભેદ સહિત તેમજ તેના પ્રતિપક્ષ (અસત્ય) સહિત વર્ણવેલ છે. ૭. આત્મપ્રવાદ – તેમાં આત્મા – જીવ અનેક નય વડે બતાવેલો છે. ૮. સમયપ્રવાદ-કર્મપ્રવાદ – તેમાં સમય એટલે સિદ્ધાન્તાર્થ કે જે કર્મરૂપ છે તેથી એટલે તેમાં કર્મસ્વરૂપ પ્રરૂપ્યું છે, માટે આ પૂર્વનું સમયપ્રવાદ કે કર્મપ્રવાદ એ નામ આપેલ છે. વળી તેમાં જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનાં કર્મ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આદિ ભેદ-પ્રભેદ કહેવામાં આવ્યા છે. ૯. પ્રત્યાખ્યાનવાદ – તેમાં સર્વ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ભેદ સહિત જણાવ્યું છે. ૧૦. વિદ્યાનુપ્રવાદ – તેમાં અનેકતિશયવાળી વિદ્યા સાધનની અનુકૂળતાથી સિદ્ધિપ્રકર્ષ વડે જણાવે છે. વિદ્યાના અતિશયો સાધનની અનુકૂળતા વડે સિદ્ધિના પ્રકર્ષ વડે વર્ણવ્યા છે. ૧૧. અવધ્ય-કલ્યાણ – અવંધ્ય-સફલ. તેમાં જ્ઞાન, તપ, સંયોગ આદિ શુભ ફલો અને પ્રમાદ આદિ અશુભ ફલો વર્ણવ્યાં છે. બીજા તેને કલ્યાણપૂર્વ કહે છે. ૧૨. પ્રાણાયુઃ – પ્રાણાવાય – તેમાં પ્રાણજીવો એટલે પાંચ ઈદ્રિય, ત્રણ પ્રકારનું બલ, ઉચ્છુવાસ અને નિઃશ્વાસરૂપ પ્રાણોનું અથવા આયુ અનેક પ્રકારનું વર્ણવ્યું છે; જેમાં ભેદ સહિત પ્રાણવિધાન અને બીજા પ્રાણો વર્ણવેલા છે. ૧૩. ક્રિયાવિશાલ – કાયિકીઆદિ અને સંયમાદિ ક્રિયા વિશાલ એટલે ભેદ વડે વિસ્તર્ણપણે ભેદ સહિત જણાવવામાં આવી છે. ૧૪. બિન્દુસાર – એટલે લોકબિન્દુસાર. ('લોક' શબ્દ અધ્યાહાર છે) જે લોક એટલે જગતમાં, શ્રુતલોકમાં અક્ષરની ઉપર બિંદુ જેવા સાર રૂ૫ – સર્વોત્તમ સર્જાક્ષરના સત્રિપાતથી લબ્ધિ-હેતુવાળું છે તે. (૪) અનુયોગ. અનુયોગ એટલે અનુરૂપ – અનુકૂલ યોગ અર્થાત્ સૂત્રની વસ્તુ સાથેનો અનુરૂપ સંબંધ. તે બે પ્રકારનો છે : ૧. મૂલ પ્રથમાનુયોગ – મૂલ એટલે ધર્મના પ્રવર્તનથી તીર્થકરોનો પ્રથમ એટલે સમ્યકત્વની પ્રાપ્તિના લક્ષણરૂપ પૂર્વભવાદિ ગોચર એવો અનુયોગ. ૨. ચંડિકાનુયોગ – ઈશ્વાદિના પૂર્વાપર પર્વથી પરિચ્છિન્ન, મધ્યભાગ તે ચંડિકા. તેની પેઠે એનાર્થ અધિકારવાળી ગ્રંથપદ્ધતિ તેને ચંડિકા કહેવામાં આવે છે, તેનો અનુયોગ. મૂલ પ્રથમાનુયોગમાં અહંતુ ભગવતોના સમ્યક્ત્વથી આરંભી પૂર્વભવો – દેવલોકગમન, દેવભવનું આયુ, ત્યાંથી ચ્યવન, તીર્થંકરનો ઉત્પાત - જન્મ, અભિષેક, રાજશ્રીનો ત્યાગ, પ્રવજ્યા, તપ, કેવલજ્ઞાન, તીર્થપ્રવર્તન, શિષ્યો, ગણો, ગણધરો, આયપ્રવતિનીઓ, ચતુર્વિધ સંઘ...સિદ્ધિ આદિ કહેવામાં આવેલ હોય છે. ગંડિકાનુયોગમાં કુલકરોની, તીર્થકરોની, ચક્રવર્તીઓની, દશાઈની બલદેવની, વાસુદેવની, ગણધરોની, ભદ્રબાહુની, તપકર્મની, હરિવંશની, ઉત્સર્પિણીની, અવસર્પિણીની, ચિત્રાન્તર Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ગંડિકાઓ, દેવતા મનુષ્ય તિર્યંચ નારક ગતિ ગમન વિવિધ પર્યટનો વગેરે કહેવામાં આવેલ હોય છે. ૧૦ (૫) ચૂલિકા. ચૂલા એટલે શિખર. જેમ મેરુની ચૂલા તેમ દૃષ્ટિવાદમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગમાં અનુક્ત અર્થના સંગ્રહવાળી ગ્રંથપદ્ધતિ તે ચૂલા - ચૂલિકા કહેવાય છે. પ્રથમનાં ચાર પૂર્વીને ચૂલા છે, બાકીનાં પૂર્વે ચૂલિકા વગરનાં છે. પ્રથમ પૂર્વમાં ૪, બીજા પૂર્વમાં ૧૨, ત્રીજામાં ૮ અને ચોથામાં ૧૦ એમ કુલ ૩૪ ચૂલિકા છે. દૃષ્ટિવાદ ચૌદ પૂર્વેની ભાષા સંસ્કૃત હતી એમ પ્રભાવકચરિત્રકાર પ્રભાચંદ્રસૂરિ જણાવે છે. - બાર ઉપાંગો આ અંગ (શરીર)ના અવયવો રૂપ ૧૨ ઉપાંગો છે. (૧) ઔપપાતિક (ઉવવાઈ) સૂત્ર : ઉપપાત જન્મ (દેવ ને નારકનો જન્મ કે સિદ્ધિગમન) તેના અધિકારવાળો આ ગ્રંથ છે. આમાં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, વનખંડ, અશોકવૃક્ષ, પૃથ્વીશિલાનું વર્ણન કરી કોણિક રાજા, તેની રાણી ધારિણી, તેનો રાજપરિવાર, મહાવીર પ્રભુનાં વર્ષાંકો છે. કોણિક શ્રી મહાવીરને વંદે છે. મહાવીરના શિષ્યો-સાધુઓનું વર્ણક છે. તપ-બાહ્ય અને અત્યંતર તપનું, મહાવીરના શ્રમણોનું, વાંદવા આવતા અસુર આદિ દેવતાઓનું, દેવીઓનું, જનો લોકોનું, નગરીનું, કોણિકસેનાનું, કોણિકનું, નગરવાસીઓનું, સુભદ્રા પ્રમુખ દેવી-રાણીઓનું વર્ણન છે. પ્રભુ ધર્મકથા અર્ધમાગધીમાં કહે છે – દેશના આપે છે. સમવસરણનું વર્ણક આપી લાંબો ઉપોદ્ઘાત પૂરો થાય છે. હવે ઉપપાતની કર્મબંધપૂર્વકથી કર્મબંધ-પ્રરૂપણા જણાવે છે. જુદાજુદા સ્વરૂપના જનો - તાપસો, શ્રમણો, પરિવ્રાજકો આદિનાં સ્વરૂપ બતાવ્યાં છે. પછી અંબડ પરિવ્રાજકનો અધિકાર આવે છે. શ્રમણો, આજીવકો, નિહ્નવો આદિ બતાવી કેવલી સમુદ્દાત અને સિદ્ધસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. (૨) રાયપસેણી (રાજપ્રશ્નીય, રાજપ્રદેશીય ?) : રાજા પ્રદેશીના સંબંધી. આમાં પ્રથમ સૂર્યાભદેવ શ્રી મહાવીરને વાંદવા જાય છે તેનું વર્ણન આવે છે. પછી સૂત્રના નામ પ્રમાણે પાર્શ્વનાથના ગણધર શ્રી કેશીનો શ્રાવસ્તી નગરીના રાજા પ્રદેશી સાથેનો સંવાદ છે. પ્રદેશી આત્મા વગેરે અનેક વાત નહિ માનનાર હતો. તેને સમજાવી કેશી સ્વામીએ શ્રી મહાવીરના સિદ્ધાન્તમાં શ્રદ્ધા કરાવી હતી. આ સંવાદથી આ સૂત્ર એક સાહિત્યનો રસપ્રદ ગ્રંથ છે એમ વિન્ટનાિટ્ઝનું કહેવું છે. (૩) જીવાભિગમ : જીવ (ઉપલક્ષણથી અજીવ પણ)નું અભિગમ – જ્ઞાન જેમાં છે તે. આમાં જીવ, અજીવ, જંબુદ્વીપનું ક્ષેત્ર, પર્વત વગેરેનું વિસ્તારથી વર્ણન છે. (૪) પ્રજ્ઞાપના : આનું સંકલન કરનાર સુધર્માસ્વામીથી ૨૩મા આર્ય શ્યામાચાર્ય છે. ‘પ્ર’ એટલે પ્રકર્ષપણે ‘જ્ઞાપન’ એટલે જાણવું. જેમાં પદાર્થનું સ્વરૂપ પ્રકર્ષપણે – યથાવસ્થિત રૂપે જાણી શકાય છે અથવા જીવાજીવ આદિ પદાર્થની પ્રજ્ઞાપના છે તે પ્રજ્ઞાપના. આમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું પ્રરૂપણ છે અને તે એ રીતે કે આમાંનાં ૩૬ પ૬માં ૧, ૩, ૫, ૧૦ અને Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : બાર ઉપાંગો ૧૧ ૧૩મા પદોમાં જીવ અને અજીવની, ૧૬ અને ૨૨મામાં મનવચનકાય એ યોગ-આસ્રવની, ૨૩મા પદમાં બંધની, ૩૬મામાં કેવલિ સમુદુઘાતની વાત કરતાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણની પ્રરૂપણા છે. વેશ્યા, સમાધિ, લોકસ્વરૂપ આમાં સમજાવ્યું ૫) સૂર્યપ્રજ્ઞપ્તિ : આમાં સૂર્યાદિ જ્યોતિષચક્રનું વર્ણન છે. સૂર્યપ્રજ્ઞપ્તિ પર ભદ્રબાહુએ નિયુક્તિ રચી હતી. પણ મલયગિરિ પોતાની ટીકામાં કહે છે કે “તે કલિદોષથી નષ્ટ થઈ છે તેથી હું કેવલ સૂત્રની વ્યાખ્યા કરું છું.' સૂર્યપ્રજ્ઞપ્તિમાં ૨૦ પ્રાભૃત છે. ૧. મંડલગતિ સંખ્યા ૨. સૂર્યનો તિર્યક્ પરિભ્રમ ૩. પ્રાકાશ્ય ક્ષેત્ર પરિમાણ ૪. પ્રકાશ સંસ્થાન ૫. વેશ્યાપ્રતિઘાત ૬. ઓજસંસ્થિતિ ૭. સૂર્યાવાર, ૮.ઉદયસંસ્થિતિ ૯. પૌરુષી છાયા પ્રમાણ ૧૦. યોગસ્વરૂપ ૧૧. સંવત્સરોના આદિ અને અંત ૧૨. સંવત્સરના ભેદ ૧૩. ચંદ્રમાની વૃદ્ધિ-અપવૃદ્ધિ ૧૪. જ્યોત્સા પ્રમાણ ૧૫. શીધ્રગતિ નિર્ણય ૧૬. જ્યોત્સા લક્ષણ ૧૭. ચ્યવન ને ઉપપાત ૧૮. ચંદ્ર-સૂર્ય આદિની ઊંચાઈ ૧૯. તેમનું પરિમાણ ૨૦. ચંદ્રાદિનો અનુભાવ. (૬) જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ : આમાં જંબૂદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. ભૂગોળ વિષયક આ ગ્રંથ છે. તેમાં ભારતવર્ષના વર્ણનમાં રાજા ભરતની કથાઓ ઘણો ભાગ લે છે. (૭) ચંદ્ર પ્રજ્ઞપ્તિ : આમાં ચંદ્ર જ્યોતિપુચક્રનું વર્ણન છે. તે લગભગ “સૂર્યપ્રજ્ઞપ્તિ’ જેવો - સમાન ગ્રંથ છે. . ૫થી ૭ ઉપાંગો વૈજ્ઞાનિક ગ્રંથો (Scientific Works) છે. તેમાં ખગોળ, ભૂગોળ, વિશ્વવિદ્યા અને કાલના ભેદો આવે છે. (વિન્ટરનિટ્ઝ) (૮) કપ્પિયા (કલ્પિકા) – નિરયાવલિકા શ્રુતસ્કંધ : નિરય એટલે નરકની આવલિ કરનારનું જેમાં વર્ણન છે તે. આમાં મગધના રાજા શ્રેણિક (બૌદ્ધમાં બિંબિસાર)નું તેના પુત્ર કોણિક (અજાતશત્રુ)થી થયેલ મૃત્યુ (કે જેની વાત બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે) વગેરે હકીકત છે. શ્રેણિકના દશ પુત્રો કાલિકુમાર આદિ, તેમના પિતામહ વેશાલિના રાજા ચેટકની સાથે યુદ્ધમાં લડતાં મરાયો. પછી નરકમાં જઈ મોક્ષે જશે તેની હકીકત છે. (૯) કપ્પવર્ડસિયા (કલ્પાવતસિકા) : આમાં શ્રેણિક રાજાના દસ પૌત્રો પદ્રકુમાર આદિ દીક્ષા લઈ જુદાજુદા કલ્પ - દેવલોકમાં ગયા ને ત્યાંથી મોક્ષે જશે તેનું વર્ણન છે. તે દરેકનું એક એમ દસ અધ્યયન છે. (૧૦) પુફિયા (પુષ્પિકા) : આમાં પણ દસ અધ્યયન છે. શ્રી મહાવીરને દસ દેવદેવીઓ પોતાના વિમાનમાંથી પુષ્પકમાં બેસીને વંદન કરવા આવે છે. તેમના પૂર્વભવ મહાવીર ગૌતમને જણાવે છે. આમાં ૧. ચંદ્ર અને ૨. સૂર્યની પૂર્વકરણી ૩. મહાશુક્રદેવનો પૂર્વભવ – સોમલ બ્રાહ્મણ. ૪. બહુપુત્તીયા દેવીનો પૂર્વભવ – સુભદ્રા સાધ્વી પ. પૂર્ણભદ્ર દેવનો ભવ ૬. માણિભદ્ર ૭. દત્તદેવ ૮. બલનામ દેવ ૯. શિવદેવ અને ૧૦. અનાદીત દેવના પૂર્વભવ જણાવ્યા છે. આમાં ભગવતીની પેઠે બ્રાહ્મણ-શાસ્ત્રોનાં નામો આવે છે. (૧૧) પુષ્કચુલિયા (પુષ્પચૂલિકા) : આમાં દસ અધ્યયન છે. તેમાં ઉપર પ્રમાણે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ' જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો શ્રી, હરિ વગેરે દસ દેવીઓની પૂર્વકરણીનો અધિકાર છે. શ્રીનો પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતો. તેની પાર્થે નિગ્નન્ય પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. (૧૨) વહ્નિ દસા (વૃષ્ણિ દશા) : આમાં બાર અધ્યયન છે. વૃષ્ણિ વંશના બલભદ્રજીના ૧૨ પુત્રો નિષઢકુમાર આદિ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા હતા ને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે એનો અધિકાર છે. ક્ર. ૮થી ૧૨ ઉપાંગો બધાં નિરયાવલિ સૂત્રો નામે ઓળખાય છે. ખરી રીતે તો “કપ્પિયા” સૂત્રને “નિરયાવલિ' નામ ઘટે છે. - એમ કહેવામાં આવે છે કે ઉપાંગ તે અંગનું અવયવ છે. તે પ્રમાણે ઉક્ત ઉપાંગો અમુક અંગોનાં ઉપાંગ છે. જેમકે ઔપપાતિક તે આચારાંગનું, રાજપ્રશ્રીય તે સૂત્રકૃતાંગનું, જીવાભિગમ તે સ્થાનાંગનું, પ્રજ્ઞાપના સમવાયાંગનું, સૂર્યપ્રજ્ઞપ્તિ તે ભગવતીનું. જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ તે જ્ઞાતાધર્મકથાંગનું, ચંદ્રપ્રજ્ઞપ્તિ તે ઉપાસક દશાંગનું, નિરયાલિકા શ્રુતસ્કંધ ગત કલ્પિકાદિ પંચ વર્ગ – પંચોપાંગ તે અંતકૃત્ દશાંગાદિથી દષ્ટિવાદ પર્વતનાં એટલે કલ્પિકા તે અંતકૃત્ દશાંગનું, કલ્પાવતસિકા અનુત્તરોપપાતિક દશાંગનું, પુષ્પિકા તે પ્રશ્નવ્યાકરણનું, પુષ્પચૂલિકા તેવિપાક શ્રુતનું અને વૃષ્ણિદશા તે દષ્ટિવાદનું ઉપાંગ છે. આમ બાર અંગનાં બાર ઉપાંગ કેવી રીતે અસરપરસ સંબંધ રાખે છે તેનું સૂક્ષ્મપણે અવલોકનથી પૃથક્કરણ કરી શકાયું નથી. વિન્ટરનિટૂઝ કહે છે કે “આ એકબીજાનો સંબંધ તદ્દન બાહ્ય પ્રકારનો છે.' ચાર મૂલસૂત્ર ૧. આવશ્યક ૨. દશવૈકાલિક ૩. ઉત્તરાધ્યયન તથા ૪. પિંડનિર્યુક્તિ કે ઓઘનિર્યુક્તિ (બેમાંથી ગમે તે એક) – એમ ચાર મૂલસૂત્ર ગણાય છે. મૂલસૂત્ર એ નામ પાડવામાં આશય એ લાગે છે કે તે સર્વ સાધુઓને મૂલમાં – પહેલાં પ્રથમ પઠન કરવાને યોગ્ય છે. વેબર કહે છે કે મૂલસૂત્ર નામ કેમ પડ્યું તે સમજી શકાતું નથી; નિયુક્તિ જેની થઈ છે તેનું મૂલસૂત્ર બતાવવા અર્થે તે વપરાયો હોય એ સંભવિત છે. તેનો ક્રમ તેઓ ૧. ઉત્તરાધ્યયન ૨. આવશ્યક ૩. દશવૈકાલિક ૪. પિંડનિર્યુક્તિ એમ આપે છે. (૧) આવશ્યક સૂત્ર : આવશ્યક - અવશ્ય જે ક્રિયાનુષ્ઠાન કર્તવ્ય છે તેને લગતું તે આવશ્યક, નિત્યકર્મનું પ્રતિપાદક. આવશ્યક છ પ્રકારનું છે. ૧. સામાયિક (સામાઈય) ૨. ચતુર્વિશતિસ્તવ (ચઉવીસત્થઓ) ૩. વંદનક (વંદય) ૪. પ્રતિક્રમણ (પડિક્કમણ) ૫. કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) ૬. પ્રત્યાખ્યાન (પચ્ચખાણ). એમાં સામાયિક અધ્યયનમાં પીઠિકા, પહેલી અને બીજી વરવરિકા, ઉપસર્ગો, સમવસરણ, ગણધરવાદ, દશ પ્રકારની સામાચારી, નિન્દવો, શેષ ઉપોદ્દાત નિર્યુક્તિ, નમસ્કાર નિર્યુક્તિ છે. પછી ચતુર્વિશતિસ્તવ અધ્યયન, વંદનાધ્યયન, પ્રતિક્રમણાધ્યયન કે જેમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ધ્યાનશતક છે, તથા પરિષ્ઠાપનિકા નિર્યુક્તિ, સંગ્રહણી, યોગસંગ્રહ નિર્યુક્તિ અને અસ્વાધ્યાય નિયુક્તિ છે, કાયોત્સર્ગ અધ્યયન અને છેવટે પ્રત્યાખ્યાનનું અધ્યયન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : ચાર મૂલસૂત્ર ૧૩ (૨) દશવૈકાલિક સૂત્ર : આ સૂત્ર ચૌદ પૂર્વધર સયંભવસૂરિએ પોતાના પુત્ર મનક માટે પૂર્વમાંથી ઉદ્ધરી રચ્યું. કાલથી નિવૃત્ત એવું — વિકાલે પઢી શકાય એવું દશ અધ્યયનવાળું તે દશ વૈકાલિક. તેમાં પહેલી ગાથામાં જણાવ્યું છે કે “ધખો બંનમુશ્ચિકું હિંસા સંગમો તવો’ – અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ છે. તે અતિ ઉત્તમ અને નીતિના સિદ્ધાંતથી ભરપૂર છે. આ સૂત્રમાં ૧૦ અધ્યયન છે. ૧. દુમપુષ્પિક. તેમાં ધર્મપ્રશંસા – ધર્મની સ્તુતિ છે. સકલ પુરુષાર્થમાં ધર્મ પ્રધાન છે. દ્રુમના પુષ્પમાંથી ભ્રમર રસ ચૂસી લે છતાં તેને ઈજા ન કરે તેમ શ્રમણ વર્તે છે. ૨. શ્રામસ્યપૂર્વિક. ધર્મ તરફ રુચિ છતાં અભિનવ પ્રવ્રજિતને અધૃતિથી સંમોહ ન થાય તે માટે વૃતિ – વૈર્ય રાખવું તેનો અધિકાર છે. ૩. યુલ્લિકાચારકથા. ધૃતિ આચારમાં જોઈએ તેથી આચારકથા શુદ્ધિકા એટલે નાની કહેવામાં આવે છે. તે આત્મસંયમનો ઉપાય છે. ૪. ષજીવનિકા. ઉક્ત આચાર છે જીવ કાયગોચર હોવો જોઈએ અથવા આત્મસંયમ બીજા જીવોના જ્ઞાનપૂર્વક પાલન કરવો ઘટે તેથી તે રૂપ આ અધ્યયન છે. ૫. પિડેષણા. તે રૂપ ધર્મ દહ સ્વસ્થ હોય તો પળાય, અને તેથી આહાર વગર પ્રાયઃ સ્વસ્થ થવાતું નથી માટે સાવદ્ય અને નિરવદ્ય એવા આહારમાં નિરવદ્ય આહાર ગ્રાહ્ય છે. આમાં બે ઉદ્દેશક છે. ભિક્ષાની વિશુદ્ધિ તે તપઃ સંયમને ગુણકારી છે. ૬. મહાચાર કથા. ગોચરી – ભિક્ષાએ જતાં મહાજન સમક્ષ સ્વાચાર નથી કહી શકાતો પણ આલયમાં ગુરુ કહે છે તેથી મહાજનને યોગ્ય એવી નાની નહિ પણ મોટી આચારની કથા. ૭. વચનવિશુદ્ધિ. તે કથા આલયમાં હોવા છતાં ગુરુએ નિરવદ્ય વચનથી કહેવી ઘટે. ૮. આચારપ્રણિધિ. નિરવધ વચન આચારમાં પ્રણિહિતને થાય છે. ૯. વિનય. આચારમાં પ્રણિહિત – દત્તચિત્ત હોય તે યથાયોગ્ય વિનયસંપન્ન થાય છે. આમાં વિનયનો અધિકાર છે ને ૪ ઉદ્દેશક છે. ૧૦. સભિક્ષુ. ઉક્ત નવે અધ્યયનના અર્થમાં જે વ્યવસ્થિત છે તે સમ્યગર્ભિક્ષુ થાય છે. આમ સાધુ-ક્રિયાશાસ્ત્રની સમાપ્તિ થાય છે. કદી કર્મપરતંત્રતાથી કોઈ સાધુ પતિત થાય તો તેનું સ્થિરીકરણ કરવું. તે માટે બે ચૂડા – ચૂલિકા છેવટે મૂકી છે. ૧. રતિવાક્યર્ડા. તે સાધુને સંયમમાં સ્થિરીકરણ માટે છે. તેમાં સાધુના દુજીવન માટે નરકપાતાદિ દોષો વર્ણવેલા છે. ૨. વિવિક્તચર્યા ચૂડા. તેમાં સાધુ પતિત ન થાય તેવા ગુણના અતિરેકનું ફલ છે. વિવિક્તચર્યા એટલે એકાંતચર્યા - અનિયતચર્યા શ્રી ભદ્રબાહુ દશવૈકાલિક પરની નિયુક્તિમાં જણાવે છે કે ઉપરોક્ત ૪થું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી અને અને ૭મું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધત કરેલ છે અને બાકીનાં અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધત કરેલ છે. આના બીજા અધ્યાયનમાં રાજિમતી અને રથનેમિની વાત ઉત્તરાધ્યયનમાંથી લીધેલી જણાય છે. આ સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન વાંચતાં બૌદ્ધનું ધમ્મપદ યાદ આવે છે. (૩) ઉત્તરાધ્યયન સૂત્ર : આ આખું સૂત્ર અતિ આનંદદાયક બોધના નિધિરૂપ છે. તેમાં ૩૬ અધ્યયન છે. ૧. વિનય. ધર્મ વિનયમૂલ છે તેથી પ્રથમ વિનયનો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અધિકાર. ૨. પરિષહ. વિનય સ્વસ્થચિત્તવાળાએ તથા પરિષહોથી પીડાતાએ પણ કરવાનો છે તો તે પરિષહો કયા કયા છે તે તથા તેનું સ્વરૂપ. ૩. ચતુરંગીય. પરિષહ શું આલંબન લઈને સહેવાં તેના ઉત્તરમાં મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં વીર્યની ફુરણા કરવી એ ધર્મનાં દુર્લભ ચાર અંગો. ૪. પ્રમાદાપ્રમાદ. ત્રીજામાં ચાર દુર્લભ અંગો કહ્યાં તે પ્રાપ્ત થયા છતાં પ્રમાદ સેવાય તો મહાદોષ થાય છે તેથી પ્રમાદનો ત્યાગ તેના પ્રકાર સહિત અને અપ્રમાદ કરવાનું કહેવા માટે આ અધ્યયન છે. ૫. અકામમરણ. મરણ કેટલા પ્રકારનાં છે – અકામમરણ, સકામમરણ, પંડિતમરણ - તે જાણવા માટે આ અધ્યયન. ૬. ક્ષુલ્લક નિર્ચન્થીય. પંડિત મરણ વિદ્યા-જ્ઞાન તથા ચારિત્રવાળા સાધુ-નિર્ઝન્થને હોય છે. તેથી તેવા ક્ષુલ્લક – નાના સાધુનું સ્વરૂપ આમાં કહ્યું છે. ૭. ઔરશ્રીય. નિર્ગસ્થપણું રસગૃદ્ધિના ત્યાગથી મળી શકે ને તે ત્યાગ તેના દોષ જાણવાથી બરાબર થઈ શકે તે દોષ દેખાડવા માટે ઉરભ્ર (ઘેટું), કાગણી, આમ્રફળ, વ્યવહાર – વેપાર અને સમુદ્ર એ પાંચનાં દષ્ટાંતો આપે છે. ૮. કાપિલીય. રસગૃદ્ધિનો ત્યાગ નિર્લોભીને થઈ શકે તેથી આમાં નિર્લોભપણું બતાવે છે. તેમાં કપિલા મુનિનું ચરિત્ર હોવાથી તે અધ્યયનનું નામ કાપિલીય છે. ૯. નમિપ્રવ્રજ્યા. નિર્લોભી આ ભવમાં પણ ઇંદ્રાદિકથી પૂજાય છે તે દેખાડવા આ અધ્યયન. આમાં નમિ નામના પ્રત્યેકબુદ્ધની પ્રવજ્યા – દીક્ષા છે. તે નમિની પેઠે બીજા ત્રણ પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ, નગતિ થયા છે. ૧૦. દ્રુમપત્ર. દ્રુમનું પાંદડું પાકી જતાં પડી જાય છે તેમ જીવન ક્રમે કરી ક્ષીણ થાય છે માટે હે ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એ પ્રકારથી મહાવીર અનુશાસન-શિક્ષા આપે છે. ૧૧. બહુશ્રુતપૂજા. દશમામાં પ્રમાદના ત્યાગનો જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ વિવેકથી ધારી શકાય ને તે વિવેક બહુશ્રુતની પૂજાથી પ્રાપ્ત થયો છે. આમાં અબહુશ્રુતપણું અને બહુશ્રુતપણું સમજાવી તે શાથી પ્રાપ્ત થાય તે, અવિનીતનવનીતનાં સ્થાનો વગેરે બતાવેલ છે. ૧૨. તપ-સમૃદ્ધિ -હરિકેશીય. બહુશ્રુતે તપ પણ કરવો જોઈએ તેથી તપની સમૃદ્ધિનું વર્ણન અને હરિકેશબલ નામના સાધુનું આમાં ચરિત્ર છે. ૧૩. ચિત્રસંભૂતીય. તપ કરનારે નિદાન (નિયાણા)નો ત્યાગ કરવો ઘટે તે માટે નિદાનનો દોષ બતાવવા ચિત્ર અને સંભૂતનું ઉદાહરણ અહીં અપાય છે. ૧૪. ઈષકારીય. આમાં નિર્નિદાનતા - નિયાણારહિતપણાનો ગુણ કહ્યો છે. એક જ વિમાનમાં રહેલા છ જીવો ત્યાંથી અવી ઈષકાર નામના પુરમાં ઊપજ્યા અને તે છ પૈકી એક ઈષકાર નામનો રાજા થયો તેથી આ અધ્યયનનું નામ ઈષકારીય છે. ૧૫. સભિક્ષુક. નિયાણારહિતપણાનો ગુણ ભિક્ષુ - સાધુને થાય છે. ભિક્ષના ગુણો આમાં કહેવાય છે ૧૬. બ્રહ્મચર્યગુપ્તિ -બ્રહ્મચર્યસમાધિ. સાધુના ગુણો બ્રહ્મચર્યમાં જે સ્થિર હોય તેને તત્ત્વથી સંભવે. બ્રહ્મચર્ય તેની ગુણિઓથી પાળી શકાય. તે ગુતિઓ મન, વચન અને કાયાની છે. પછી બ્રહ્મચર્યનાં દશ સ્થાનો – સમાધિસ્થાનો કહ્યાં છે કે જેની અંદર બ્રહ્મચર્યની નવ વાડ સમાઈ જાય છે.) કે જેથી તે સમાધિથી પાળી શકાય. ૧૭. પાપશ્રમણીય. તેમાં પાપસ્થાનો સેવનાર પાપશ્રમણનું સ્વરૂપ છે. ૧૮. સંયતીય. પાપાનોનો ત્યાગ ભોગના ત્યાગથી – સંયતિ થવાથી થાય છે. તે ભોગના ત્યાગ પર સંજય રાજાની Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રત-સાહિત્ય : ચાર મૂલસૂત્ર ૧૫ કથા છે. તે પરથી આ અધ્યયનને સંજયીય કહી શકાય. ૧૯. મૃગાપુત્રીય, ભોગનો ત્યાગ કરતાં શરીરની શુશ્રુષા વર્જવાની છે. તે પર મૃગાપુત્રની કથા છે. ૨૦. મહાનિર્ગથીય. “સંસારમાં મારો રક્ષક કોઈ નથી, હું એકલો જ છું' એવા અનાથપણાની ભાવના આમાં સિદ્ધ કરી છે કે તે પર અનાથ મુનિની કથા છે. ૨૧. સમુદ્રપાલીય. અનાથપણાનો વિચાર એકાંતચર્યા વિના થઈ શકતો નથી તેથી એકાંતચર્યા પર સમુદ્રપાલની કથા આમાં આવી છે. ૨૨. રથનેમીય. એકાંતચર્યા ધીરજ વિના પાળી શકાતી નથી તેથી રથનેમિના દષ્ટાંતથી ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશ કર્યો છે. પ્રથમ શ્રી નેમિનાથનો રાજિમતીનો ત્યાગ ને દીક્ષા જણાવી રાજિમતીએ રથનેમિને કરેલ ઉપદેશ વગેરે સુંદર કથા છે. ૨૩. કેશિ ગૌતમીય. સંયમમાં ધૃતિ રાખતાં, આવતી શંકાઓનું સમાધાન કરી સંયમમાર્ગમાં પ્રવર્તવું. આમાં શ્રી પાર્શ્વનાથના ક્રમાગત શિષ્ય કેશીકુમાર અને શ્રી મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામી વચ્ચે સંવાદ છે. ૨૪. પ્રવચનમાતા. શંકાનું નિવારણ કરવામાં ભાષાસમિતિરૂ૫ વાગુયોગની જરૂર છે તેથી આમાં પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચનમાતાનું સ્વરૂપ આપ્યું છે. આ આઠમાં સર્વ દ્વાદશાંગરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે તેથી તે તેની માતા રૂપ કહેવાય છે. ૨૫. યજ્ઞીય. આમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રાહ્મણનાં લક્ષણ અને બ્રહ્મચર્યના ગુણ બતાવ્યા છે. ૨૬. સામાચારી. સાધુ સામાચારી દશ પ્રકારની આવશ્યકી આદિ બતાવી છે. તે ઉપરાંત બીજી રીતે સાધુ માટેની સામાચારી દિનકૃત્ય, રાત્રિકૃત્ય વગેરે બતાવેલ છે. ૨૭. ખલુંકીય. સામાચારી અશઠપણાથી પળાય. તે પર ગર્ગ નામના મુનિની કથા કહી તેમાં ખલુંક (ગળિયા બળદ)નું દષ્ટાંત આપી તે ઉપનયથી શિષ્યો પર ઉતાર્યું છે. ૨૮. મોક્ષમાર્ગ. અશઠતાથી મોક્ષ સુલભ થાય છે. આમાં મોક્ષમાર્ગનાં ચાર કારણો નામે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જણાવી તે દરેકના ભેદ સમજાવ્યા છે. ૨૯. સમ્યક્ત્વપરાક્રમ. વીતરાગ થયા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી તે સમજાવવા આ અધ્યયન છે. તેમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા આદિ ૭૩ દ્વાર કહ્યાં છે. ૩૦. તપોમાર્ગ. આમ્રવદ્વાર બંધ કરી તપ વડે કર્મનું શોષણ કરાય છે. તે તપના ૬ પ્રકારનાં બાહ્ય તપ અને ૬ પ્રકારનાં અંતરંગ તપ એમ બે ભેદ દરેકના પ્રભેદ સાથે સમજાવેલ છે. ૩૧. ચરણવિધિ. ચરણ એટલે ચારિત્ર. તેની વિધિ – વર્ણન છે. અમુકનો ત્યાગ ને અમુક ગુણોનો સ્વીકાર એ જણાવી ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. ૩૨. પ્રમાદસ્થાન. પ્રમાદનું જ્ઞાન કરી તેનો ત્યાગ કરવો ઘટે તેથી પ્રમાદનું સ્વરૂપ આપ્યું છે. રાગ, દ્વેષ, મોહ અને કષાયનું સ્વરૂપ ને તેના દોષ બતાવ્યા છે. ૩૩. કર્મપ્રકૃતિ. આમાં કર્મનું સ્વરૂપ, તેના જ્ઞાનાવરણીયાદિ ભેદ અને ઉત્તરભેદ વગેરેથી બતાવ્યું છે. ૩૪. વેશ્યા. વેશ્યાના પ્રકાર ને તેનું નિરૂપણ છે. ૩૫. અનગાર માર્ગ. અનુગાર એટલે અગાર – ગૃહરહિત એવા સાધુના ગુણો પંચમહાવ્રતાદિ પાળવાનું જણાવ્યું છે. ૩૬. જીવાજીવવિભક્તિ. સાધુ-ગુણ સેવવામાં જીવાજીવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે તેથી જીવ અને અજીવ, તેના પ્રકાર વગેરે સમજાવ્યું છે. શ્રી ભદ્રબાહુ આ પરની નિયુક્તિમાં જણાવે છે કે આનાં ૩૬ અધ્યયનમાં કેટલાંક અંગમાંથી પ્રભવેલાં, કેટલાંક જિનભાષિત, કેટલાંક પ્રત્યેકબુદ્ધ સંવાદરૂપ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો (૪) પિડનિયુક્તિ કે ઓઘનિર્યુક્તિ : ચોથા મૂલસૂત્રમાં પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિ પૈકી ગમે તે ગણાય છે. પિંડનિર્યુક્તિ સંબંધમાં જણાવવાનું કે દશવૈકાલિકસૂત્રમાં પાંચમું અધ્યયન પિપૈષણા છે. દશવૈકાલિક પર ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે, તેના ઉક્ત પાંચમા અધ્યયન પર નિયુક્તિ રચતાં તે ઘણી મોટી થઈ તેથી તેને અલગ કરી પિંડનિર્યુક્તિ તેમણે રચી છે. આમાં પિંડ એટલે આહાર સંબંધી વર્ણન છે. તેમાં પિંડનિરૂપણ, ઉદ્ગમ દોષો, એષણા દોષો અને ગ્રામૈષણાના દોષો નિરૂપ્યા છે. જ્યારે ઓઘનિર્યુક્તિ એટલે સામાન્ય – સાધારણ નિર્યુક્તિ – સૂક્ષ્મ કે વિશેષ વિગતમાં ઊતર્યા સિવાયની નિર્યુક્તિ. એમાં ચરણસત્તરી, કરણસત્તરી, પ્રતિલેખન આદિ દ્વારો છે. જેમકે પ્રતિલેખન દ્વાર, પિંડદ્વાર, ઉપધિનિરૂપણ, અનાયતનવર્જન, પ્રતિષવણોદ્ધાર, આલોચનાદ્વાર અને વિશુદ્ધિદ્વાર. આમાં ચરણકરણનું મુખ્યપણે સ્વરૂપ છે. નંદીસૂત્ર તે દેવવાચકકત છે. તેમાં તીર્થકર ગણધરાદિની આવલિક, પર્ષદો, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. અનુયોગદ્વાર તે આર્ય રક્ષિતસૂરિકૃત છે. તેમાં આવશ્યક શ્રુતસ્કંધના નિક્ષેપો, ઉપક્રમાધિકાર, આનુપૂર્વી, દશનામ અધિકાર, પ્રમાણદાર અધિકાર, નિક્ષેપ અધિકાર, અનુગમ અધિકાર અને નયનો અધિકાર છે. આમાં નવરસ, કાવ્યશાસ્ત્ર માટેની કેટલીક હકીકતો, ભારત, રામાયણ, કૌટિલ્ય, ઘોટકમુખ આદિના ઉલ્લેખો પણ છે. છ છેદસૂત્રો કુલ ૬ છેદસૂત્રો છે. ૧. નિશીથ (લઘુનિશીથ) ૨. બૃહત્કલ્પ ૩. વ્યવહાર ૪. દશાશ્રુતસ્કંધ ૫. પંચકલ્પ અને ૬. મહાનિશીથ. આ પૈકી નિશીથ, પંચકલ્પ અને મહાનિશીથ ગણધરકૃત છે અને બૃહત્કલ્પ, વ્યવહાર, અને દશાશ્રુતસ્કંધ એ ત્રણના કર્તા ભદ્રબાહુસ્વામી છે. તેમાં પચકલ્પ નામનું છેદસૂત્ર વિચ્છિન્ન થયું છે, પરંતુ તે પર સંઘદાસગણિનું ભાષ્ય ઉપલબ્ધ છે. આ છેદસૂત્રો પર નિર્યુક્તિ કે ભાષ્ય, બૃહત્મા, ચૂર્ણિ, અવચૂરિ અનેક ટિપ્પણાદિ ભિન્ન-ભિન્ન આચાર્યોએ રચ્યાં છે. આ છેદસૂત્રોમાં પ્રાયઃ સાધુસાધ્વીઓના આચાર, ગોચરી – ભિક્ષા, કલ્પ, ક્રિયા અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું છે. (૧) નિશીથ સૂત્ર : આચારથી પતિત થનારા માટે લઘુ નિશીથસૂત્રમાં આલોચન લઈ પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવાનું બતાવ્યું છે. સ્કૂલના કરનાર મુનિઓને શિક્ષા રૂપે નિશીથસૂત્ર છે અને પ્રમાદાદિથી ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગ પર તે લાવે છે. (૨) બૃહત્કલ્પસૂત્ર : એમાં છ ઉદ્દેશક છે. તે મુખ્ય સાધુસાધ્વીઓનો આચારકલ્પ છે. સંયમને બાધક પદાર્થ, સ્થિતિ વગેરે છે તેનો નિષેધ અહીં થયો છે Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : છ છેદસૂત્રો અને જે સંયમને સાધક છે તેવા પદાર્થ, સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિ અહીં જણાવ્યાં છે. વળી અમુક અકાર્ય માટે કયું પ્રાયશ્ચિત્ત દશ પ્રાયશ્ચિત્તમાંથી આપવું તે અને કલ્પના છ પ્રકાર વગેરે જણાવેલ છે. (૩) વ્યવહાર સૂત્ર : આમાં દશ ઉદ્દેશક છે. પહેલામાં આચારથી પતિત થનારા મુનિઓએ આલોચના (Confession) કરવી ઘટે એની વાત છે. સાથે આલોચના સાંભળનાર અને આલોચના કરનાર મુનિ કેવા હોવા જોઈએ અને આલોચના કેવા ભાવથી ક૨વી જોઈએ, અને તેને કેટલું પ્રાયશ્ચિત્ત દેવું એ વાત છે. બીજામાં એક કરતાં વધુ સાધુ વિહાર કરે તેમાં એક યા વધુ દોષ કરે તો અન્ય શું કરવું એ જણાવ્યું છે. ત્રીજામાં સાધુઓને સાથે લઈ તેના ગણી - મુખી બનવામાં શું ગુણો જ્ઞાનચારિત્રાદિ જોઈએ તે, તેમજ કોને આચાર્ય ઉપાધ્યાયાદિ સાત પદવી આપવી – ન આપવી ઘટે તે બતાવ્યું છે. ચોથામાં કેટલા સાધુ સહિત કેવી રીતે વિહાર કે ચાતુર્માસસ્થિતિ કરવી ઘટે તે છે. પાંચમામાં સાધ્વીઓની પદવીઓ ધારણ કરનારી પ્રવર્તિની આદિએ કેવી રીતે વિહાર કે ચાતુર્માસ સ્થિતિ કરવી ઘટે વગેરે દર્શાવ્યું છે. છઠામાં ગોચરી – ભિક્ષા, સ્થંડિલ, વસતિ ક્યાં અને કેમ કરવી ઘટે યા ન ઘટે તે, તેમજ અમુક સ્ખલન માટેનાં પ્રાયશ્ચિત્ત જણાવેલ છે. સાતમામાં બીજા સમવાયમાંથી આવેલ સાધ્વી માટે શું કરવું તેમજ સાધ્વીઓ માટેના નિયમ, સ્વાધ્યાય, પદવીદાન, ગૃહસ્થાદિની આજ્ઞા લઈ અમુક સંજોગોમાં વર્તવું વગેરે છે. આઠમામાં ગૃહસ્થના મકાનનો કેટલો ભાગ વાપરવો, તેમને ત્યાંથી પાટ, પાટલા કેવી રીતે કેટલાં લઈ આવવાં, પાત્રાદિ ઉપકરણો કેટલાં ખપે, ભોજન કેટલું કરવું એ બતાવ્યું છે. નવમામાં શય્યાતર (મકાનને વાપરવા દેના૨)નો અધિકાર છે. તેનું કેવું મકાન વાપરવું, ન વાપરવું, ભિક્ષુ પ્રતિમાઓમાં કેવું વર્તન આરાધક થાય વગેરે જણાવ્યું છે. દશમામાં બે પ્રકારની પ્રતિમા (અભિગ્રહ), બે જાતના પરિષહ, પાંચ પ્રકારના વ્યવહાર, ચાર જાતના પુરુષ (સાધુ), ચાર જાતના આચાર્ય ને શિષ્ય, સ્થવિરની તથા શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, અમુક અમુક આગમો ક્યારે શીખવવાં વગેરે નિરૂપ્યું છે. ૧૭ (૪) દશાશ્રુતસ્કંધ : આમાં દશ અધ્યયન છે. પહેલામાં પુરુષ પોતાની પ્રકૃતિથી પ્રતિકૂલ આચરણ કરવાથી અસમાધિનું કારણ થાય છે. તે પ્રમાણે મુનિ પોતાના સંયમથી પ્રતિકૂલ આચરણ કરવાથી સંયમમાં અસમાધિ મેળવે છે. તેથી અસમાધિનાં ૨૦ સ્થાનો અહીં છે. બીજામાં સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સબલ દોષનું નિરૂપણ છે. ત્રીજામાં ગુરુની ૩૩ આશાતના, ચોથામાં આચાર્યની આઠ સંપદા ને તેના ભેદ, શિષ્ય માટે ચાર પ્રકારના વિનયની પ્રવૃત્તિ અને તેના ભેદ, પાંચમામાં ચિત્તસમાધિનાં દશ સ્થાન, છઠ્ઠામાં શ્રાવકની ૧૧ પ્રતિમાનું વિવરણ અને સાતમામાં ભિક્ષુ-પ્રતિમા જણાવેલ છે. આઠમું વીર પ્રભુનાં ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવલજ્ઞાન ને મોક્ષ ક્યારે થયાં તે સંબંધીનું પર્યુષણાકલ્પ છે, કે જે પર્યુષણ વખતે સાધુઓ હાલ વ્યાખ્યાનમાં વાંચે છે ને તેનું ટૂંકું નામ કલ્પસૂત્ર છે. તે આ દશાશ્રુતસ્કંધનું ૮મું અધ્યયન છે. નવમામાં મહામોહનીય કર્મબંધનાં ૩૦ સ્થાન અને દશમામાં નવ નિદાનો (નિયાણાં) જણાવ્યાં છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (૫) પંચકલ્પ : હાલ મૂળરૂપે ઉપલબ્ધ નથી. (૬) મહાનિશીથ : આ મૂળ નષ્ટ થયું હતું અને તેનો ઉદ્ધાર હિરભદ્રસૂરિએ કર્યો હતો. તેમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત છે. કર્મનો સિદ્ધાંત વ્રતભંગથી ને ખાસ કરી ચોથા બ્રહ્મચર્યવ્રતના ભંગથી કેટલાં દુઃખ પડે છે તે બતાવી સિદ્ધ કર્યો છે. સારાનઠારા સાધુઓના આચાર સંબંધી કહેલું છે તેમજ કમલપ્રભ આદિની કથાઓ છે. વિન્ટરનિટ્સ જણાવે છે તે પ્રમાણે તેમાં તાંત્રિક કથનો, આગમ નહિ એવા ગ્રંથો વગેરેનો ઉલ્લેખ છે તેથી તે, પછીનો ગ્રંથ હોય એમ જણાય છે. દશ પ્રકીર્ણક (પયા) આ પ્રકીર્ણક ગ્રંથો રચનાપદ્ધતિમાં વેદનાં પરિશિષ્ટોને મળતાં આવે છે. તે પઘબદ્ધ છે. (૧) ચતુઃ શરણ : ચારનું શરણ લેવાથી દુષ્કૃતની નિંદા અને સુકૃતની અનુમોદના થાય છે; ને તે શરણ કુશલહેતુ છે તે ચાર શરણ એટલે ૧. અર્હતો ૨. સિદ્ધો ૩. સાધુઓ અને ૪. ધર્મ. તે ચારનું રવરૂપ પણ બતાવાયું છે. આની કુલ ૬૩ ગાથા છે. આનું બીજું નામ કુશલાનુબંધિ છે. (૨) આતુરપ્રત્યાખ્યાન : બાલમરણ, બાલપંડિતમરણ અને પંડિતમરણ કેનાં થાય છે તે સમજાવ્યું છે. પછી પંડિતે આતુર રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવાં – શું શું વોસરાવવું - તજવું, શું શું ભાવના ભાવવી, સર્વ જીવને ખમાવવા વગેરે તેમજ ઉત્તમ મરણ કેવી રીતે થાય તે સમજાવ્યું છે. (૩) ભક્તપરિજ્ઞા : અભ્યુદ્યત । મરણથી આરાધના થાય છે. તે મરણ ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમન એમ ત્રણ પ્રકારનું છે. ભક્તપરિજ્ઞા મરણ સવિચાર અને અવિચાર એમ બે પ્રકારનું છે. સંસારની નિર્ગુણતા પિછાની પશ્ચાત્તાપપૂર્વક સર્વદોષ તજી આલોચના લઈ મેં સંસારમાં ઘણું ભોગવ્યું વગેરેનો વિચાર કરવાપૂર્વક ભક્તપરિજ્ઞા મરણની અનશનની વિધિ ને ભાવના આચરવાનું આમાં જણાવ્યું છે. આમાં ૧૭૨ ગાથા છે. (૪) સંસ્તારક : મરણ થયા પહેલાં ‘સંથાગે’ કરવામાં આવે છે તેના મહિમાનું આમાં કથન છે. એક સ્થળે એક જ આસન રાખી તે સંસ્તારક પર રહી અનશન લેવામાં આવે છે તેનાં દૃષ્ટાંતો આપેલ છે. આમાં ૧૨૩ ગાથા છે. - ભાત (૫) તંદુલવૈચારિક : એકસો વર્ષના આયુષવાળો પુરુષ પ્રતિદિન તંદુલ ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ નામ પડેલું છે. જેટલા દિવસો, જેટલી રાત્રી, જેટલા મુહૂર્તો, જેટલા ઉચ્છ્વાસ ગર્ભમાં વસતા જીવોના થાય તે કહી તેની આહારવિધિ, ગર્ભાવસ્થા, શરીરોત્પાદહેતુ, જોડકા વર્ણન, સંહનનસંસ્થાન, તંદુલગણના વગેરે જણાવેલ છે. ગાથા ૧૩૯ ને થોડુંક ગદ્ય છે. (૬) ચંદ્રવેધ્યક : રાધાવેધનું વર્ણન છે. રાધાવેધના ઉદાહરણથી આત્માએ કેવું એકાગ્ર ધ્યાન કરવું જોઈએ તે બતાવી, તેથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. આ અપ્રકટ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપલબ્ધ શ્રત-સાહિત્ય : દશ પ્રકીર્ણક (પન્ના) ૧૯ (૭) દેવેન્દ્રસ્તવ : દેવેન્દ્ર આવીને વીરપ્રભુની સ્તુતિ કરે છે. દેવેન્દ્ર ૩ર છે. તે ૩રનું સ્વરૂપ, તેના પેટાદેવતાઓ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિનાં નામ, વાસ, સ્થિતિ, ભવન, પરિગ્રહ વગેરે કથન છે. ગાથા ૩૦૭ છે. (૮) ગણિવિદ્યા : તેમાં જ્યોતિષનું કથન છે. તેમાં બલાબલવિધિ, દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિવસ, મુહૂર્ત, શકુન, લગ્ન અને નિમિત્ત એ નવ બલો, એ દરેકમાં અમુકમાં શું શું કરવું ઘટે એ બતાવ્યું છે. ૮૨ ગાથા છે. (૯) મહાપ્રત્યાખ્યાન : મોટા પ્રત્યાખ્યાન કરવાનું સ્વરૂપ છે. જે પાપો – દોષો થયા હોય તે સંભારી સંભારી તેનો ત્યાગ કરવો – ભાવશલ્ય કાઢી નાખવું, પંડિતમરણ માટે સમાધિ થાય તેવી આત્મસ્થિતિ જાગ્રત કરી સર્વ અસતુ પ્રવૃત્તિને તજવી, દુઃખમય સંસાર પ્રત્યે વિરાગ રાખવો વગેરે સ્વરૂપ બતાવ્યું છે. આની ૧૪૨ ગાથા છે. (૧૦) વીરસ્તવ : આમાં શ્રી વીરપ્રભુની સ્તુતિ હોવી જોઈએ. અપ્રગટ છે. આ રીતે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર, ૨ સૂત્ર નામે નંદી તથા અનુયોગદ્વાર અને ૧૦ પયત્રા (પ્રકીર્ણક) એમ કુલ મળી ૪૫ આગમ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકો માને છે." કોઈ હાલ મળી આવતાં સૂત્રોની ગણના ૮૪ની કરે છે. તે આ પ્રમાણે : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૫ છેદસૂત્ર, ૩ મૂલસૂત્ર (ચોથા મૂલસૂત્રને નિર્યુક્તિમાં ગણતાં), ૧ નંદીસૂત્ર, ૧ અનુયોગદ્વાર, ૮ છૂટક (૧. પર્યુષણાકલ્પ. આર્ય ભદ્રબાહુકૃત દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે છે. તે પર્યુષણ પર્વ પર અલગ વંચાય છે ને તેને સામાન્ય રીતે કલ્પસૂત્ર' કહેવામાં આવે છે. તેનું પ્રમાણ ૧૨૦૦ શ્લોકથી કંઈક અધિક હોવાથી બારસા સૂત્ર' તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આમાં ત્રણ ભાગ છે. ૧. જિનચરિત. તેમાં વધુ ભાગ શ્રી વર્ધમાન – મહાવીરનું ચરિત છે. ૨. થેરાવલિ. તેમાં સ્થવિરોની પરંપરા છે. ૩. સામાચારી. દંતકથા એવી છે કે દેવર્કિંગણિએ જિનચરિત, થેરાવલી ને સામાચારી કલ્પસૂત્રના મૂળ આગમમાં નહોતી તે ઉમેરી છે. ૨. છતકલ્પસૂત્ર. આના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. આ સૂત્ર જેન શ્રમણોના આચારવિષયક છે. તેમાં ૧૯ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. ૩. યતિજીતકલ્પ ૪. શ્રાદ્ધજીતકલ્પ. આ બે અનુક્રમે સોમપ્રભસૂરિ અને ધર્મઘોષસૂરિએ યતિઓ અને શ્રાવકોના આચારરૂપે સંકલિત કરેલ છે. ૫. પાક્ષિકસૂત્ર. તેમાં પાક્ષિક દિવસે કરવાના પ્રતિક્રમણની વિગત આપી છે. ૬. ક્ષામણાસૂત્ર. આને પાક્ષિકક્ષામણા સૂત્ર પણ કહે છે. એ સૂત્ર પાક્ષિક સૂત્રના પ્રાંતે આવતું હોવાથી તેની સાથે જ ગણાય છે. છતાં કોઈ કોઈ સ્થળે અલગ પણ ઉપલબ્ધ થાય છે. ૭. વંદિત્ત સૂત્ર. તે શ્રાદ્ધ ૧. શ્વેતામ્બર અમૂર્તિપૂજકો – સ્થાનકવાસી જૈનો તે પૈકીના ૩ર અને તે વળી કેટલાક પાઠો રહિત તેમજ કેટલેક સ્થળે અર્થભેદથી માને છે. તે આ છેઃ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળી ૨૩, ૨૪. નિશિથ ૨૫. બૃહત્કલ્પ ૨૬. વ્યવહાર ૨૭. દશાશ્રુતસૂત્ર (૨૪થી ૨૭ એ ચાર છેદસૂત્રો), ૨૮. અનુયોગદ્વાર ૨૯. નંદીસૂત્ર ૩૦. દશવૈકાલિક ૩૧. ઉત્તરાધ્યયન (૨૮થી ૩૧ એ ચાર મૂલસૂત્ર) ૩૨. આવશ્યક. દિગંબરો તો આ શ્વેતાંબરોએ માનેલાં સૂત્રોનું માનતા જ નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પ્રતિક્રમણ છે. ૮. ષિભાષિત. તેમાં ૪પ અધ્યયન અથવા ભાષિત છે.), ૩) પન્ના (૧૦ પયત્રા અગાઉ જણાવ્યાં છે તે ઉપરાંત ૨૦ પયત્રા : ૧. અજીવકલ્પ ૨. ગચ્છાચાર ૩. મરણસમાધિ ૪. સિદ્ધપ્રાભૃત પ. તીર્થોદ્ગાર ૬. આરાધનાપતાકા 9. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ ૮. જ્યોતિષ્કરંડ ૯. અંગવિદ્યા ૧૦. તિથિપ્રકીર્ણક ૧૧. પિંડવિશુદ્ધિ ૧૨. સારાવલિ ૧૩. પર્યતારાધના ૧૪. જીવવિભક્તિ ૧૫. કવચ પ્રકરણ ૧૬. યોનિપ્રાભૃત ૧૭. અંગચૂલિયા ૧૮. વગચૂલિયા ૧૯. વૃદ્ધચતુઃશરણ ૨૦. જંબૂપયત્રા), ૧૨ નિયુક્તિઓ (૧. ભદ્રબાહુકત આવશ્યક નિર્યુક્તિ ૨. દશવૈકાલિક નિર્યુક્તિ ૩. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૪. આચારાંગ નિર્યુક્તિ. ૫. સૂત્રકૃતાંગ નિર્યુક્તિ ૬. સૂર્યપ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ ૭. બૃહત્કલ્પ નિર્યુક્તિ ૮. વ્યવહાર નિયુક્તિ ૯. દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ ૧૦. ઋષિભાષિત નિર્યુક્તિ (ઉપલબ્ધ નથી) ૧૧. પિંડનિર્યુક્તિ ૧૨. સંસક્ત નિર્યુક્તિ), ૧ વિશેષાવશ્યક ભાષ્ય – એમ મળી કુલ ૮૪ આગમો થાય છે. આગમોની ભાષા : આ આગમોની ભાષા પ્રાકૃત છે જેને આર્ષ અથવા અર્ધમાગધી કહેવામાં આવે છે. આ ભાષામાં ખુદ મહાવીરે ઉપદેશ કર્યો હશે. આ છતાં ગદ્યની ભાષા અને પદ્યની ભાષા વચ્ચે અંતર છે. પદ્યની ભાષા બોદ્ધ સિદ્ધાન્તની પાલિ ગાથાઓની પેઠે અતિ પ્રાચીન રૂપો બતાવે છે. જૂનામાં જૂની ભાષા આચારાંગસૂત્રમાં છે. તે પછી સૂત્રકૃતાંગ સૂત્રમાં અને ઉત્તરાધ્યયનમાં છે. આ આગમસૂત્રો શ્રી મહાવીરના ગણધર સુધર્માસ્વામી આદિએ ગૂંચ્યાં હતાં. તે ઉપરાંત એમ કહેવાય છે કે શ્રી મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય વીરભદ્રગણિએ “આતુર પ્રત્યાખ્યાન' (આઉર પચ્ચખાણ), “ચતુઃ શરણ' (ચઉસરણ) આદિ (વિ.સં.પૂર્વે ૪૭૦ લગભગ) રચ્યાં. શ્રી મહાવીર પછી ત્રણ કેવલી” આચાર્યો થયા. ૧. ગૌતમ ઇન્દ્રભૂતિ ૨. સુધર્માસ્વામી તથા ૩. તેમના શિષ્ય વૈશ્યશ્રેષ્ઠીપુત્ર જંબૂસ્વામી. જંબૂસ્વામીના શિષ્ય ક્ષત્રિય પ્રભવના બ્રાહ્મણશિષ્ય શäભવસૂરિ (જન્મ વીરાત્ ૩૬, સ્વર્ગ. વીરાતુ ૯૮) થયા. તેમણે પોતાના પુત્ર- શિષ્ય મનકમુનિ માટે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક સૂત્ર રચ્યું હતું. (વીરા ૭૨ લગભગ). વિકાલથી નિવૃત્ત તે વૈકાલિક, અને તેમાં દશ અધ્યયન છે તેથી દશવૈકાલિક. દશવૈકાલિકકાર શય્યભવના શિષ્ય યશોભદ્રના બે બ્રાહ્મણશિષ્ય નામે સંભૂતિવિજય અને ભદ્રબાહુ થયા. ભદ્રબાહુસ્વામી આર્ય ભદ્રબાહુ ૧૪ પૂર્વધર હતા. તેમણે દશ આગમો પર ટીકા રૂપે તેમજ ‘પૂર્વના આધારે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતો પર નિર્યુક્તિઓ રચી. નિર્યુક્તિ એટલે જેમાંથી બદ્ધ થયેલા અર્થો નિર્યુક્ત – વિશેષપણે યા નિશ્ચયપણે યુક્ત – સિદ્ધ થાય છે તે. આ પૈકી વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ તથા બૃહતુ કલ્પ પોતે ગૂંથેલ છે ને તે પર પોતે નિર્યુક્તિ રચી છે. વિશેષમાં તેમણે પિંડ-નિયુક્તિ અને ઓઘનિર્યુક્તિ Page #42 -------------------------------------------------------------------------- ________________ પાટલિપુત્ર પરિષદ / માથુરી વાચના ૨૧. રચી. વળી સંસક્ત નિયુક્તિ પણ રચી એમ કહેવાય છે. ‘ઉવસગ્ગહર' નામનું પ્રભાવક સ્તોત્ર રચ્યું. કહેવાય છે કે વસુદેવ ચરિત મૂળ પ્રાકૃતમાં રચ્યું જે સવાલક્ષ શ્લોક પ્રમાણ હતું એમ પ્રસિદ્ધ હેમાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ જણાવે છે. વળી જ્યોતિષ પર સંહિતા રચી. તેમણે સ્થૂલભદ્રને ૧૪ પૂર્વની વાચના આપી હતી. પોતે નેપાલમાં ધ્યાન ધરવા ગયા હતા. તેમણે દક્ષિણમાં વિહાર કર્યો હતો. અને ચંદ્રગુપ્ત રાજા (સ્વ. વીરાત્ ૧૫૫ પરિશિષ્ટ પર્વ પ્રમાણે)એ તેમના શિષ્ય થઈ સાધુ દીક્ષા લીધી હતી એમ દિગંબરકથા કહે છે. તેઓ વીરાત્ ૧૭૦માં સ્વર્ગસ્થ થયા. પાટલિપુત્ર પરિષદ વીરાતુ બીજી સદીમાં નંદરાજાના સમયમાં – દેશમાં મગધમાં ?) એક સમય ઉપરાઉપરી બાર વર્ષનો મહાભીષણ દુકાળ પડતાં સંઘનો નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાનો ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં – પ્રાયઃ પાટલિપુત્ર (પટણા)માં સંઘ ભેગો થયો ને જે-જે યાદ હતું તે બધું એકત્રિત કર્યું. આનું નામ મગધ (પાટલિપુત્ર) પરિષદ કહીએ તો ચાલે. આચારાંગ આદિ ૧૧ અંગો સંધાયાં અને બારમું દષ્ટિવાદ નામનું અંગ નાશ થયા જેવું લગભગ હતું, અને માત્ર આર્ય ભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વધર હતા. સંઘ દૃષ્ટિવાદ નિમિત્તે કંઈક વિચાર કરવા લાગ્યો. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણ નામના ધ્યાન માટે હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને ‘પૂર્વ શીખવા સંઘે મોકલ્યા. સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, નંદના મંત્રી શંકડાલના પુત્ર, ને વીરાતુ ૧૫૬માં દીક્ષા લેનાર, તેમણે ૧૦ પૂર્વની મૂળ સૂત્ર તથા અર્થસહિત વાચના લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગગમન (વીરાત્ ૧૭૦) પહેલાં બન્યું. આ સમયમાં સ્થૂલભદ્રનાં સાધ્વી બહેન દ્વારા પ્રાપ્ત થયેલાં ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્તચર્યા – એ નામનાં ચાર અધ્યયનો પૈકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગસૂત્રની બે ચૂલિકા તરીકે યોજિત કર્યા અને બીજાં બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે યોજિત કર્યા. સ્થૂલભદ્ર વીરાત્ ૨૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલ્લામાં છેલ્લા ૧૪ પૂર્વધર (પૂર્વ જાણનાર) હતા. આ ઉપરથી જાણી શકાય છે કે શ્રી વીરના બીજા સૈકાથી જ શ્રતની છિન્નભિન્નતાની શરૂઆત થઈ હતી. આ મગધસંઘથી તેને વ્યવસ્થામાં મુકાયું, પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાતુ ૨૯૧ વર્ષે રાજા સંપ્રતિના રાજ્યમાં આર્ય સુહસ્તિસૂરિના સમયમાં બાર વર્ષનો દુકાળ પડ્યો હતો. આવા મહા કરાળ દુષ્કાળને અંગે સ્મૃતિભ્રંશ - સ્કૂલના થાય, પાઠક -- વાચકો મૃત્યુ પામે વગેરે કારણથી શ્રુતમાં અનવસ્થા થાય તે સ્વાભાવિક છે. માથુરી વાચના (મથુરા પરિષદ) વિશેષમાં વીરનિર્વાણથી છઠ્ઠા સૈકામાં આર્યશ્રી ઔદિલ અને વજસ્વામીની નિકટના સમયમાં વળી બીજો ભીષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વર્ણન નંદીસૂત્રની પૂર્ણિમા આપેલું છે કે “બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યે સાધુઓ અત્રને માટે જુદેજુદે સ્થળે હિંડતા - વિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી જે જેને સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંગઠિત કર્યું.” આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને ‘માથુરી વાચના' કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમય લગભગ આર્ય રક્ષિતસૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. ૨૨ વલભી વાચના (વલભીપુર પરિષદ) આ વીત્યા પછી વીરાત્ દશમા સૈકામાં બાર દુકાળીએ દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખતે ઘણા બહુશ્રુતોનાં અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું તે પણ બહુ જ છિન્નભિન્ન થયું હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ.સં. ૫૧૦), દેવર્ધિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે-જે યાદ હતું તે-તે ત્રુટિત-અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યાં. લખવાનું ઘણું અને સૂત્રમાં વારંવાર એક જ પાઠના આલાપ (આલાવા) આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મૂકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો નહા રાય વસેળી! – જેમ રાયપસેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની અંગમાં આપી છે. આનું નામ વલભીવાચના કહેવાય છે. આ ઉદ્ધાર વખતે દેવવાચકે નંદીસૂત્ર રચ્યું છે તેમાં સૂત્રઆગમોનાં નામો આપ્યાં છે ને તે જ વખતે સંકલિત થયેલ સમવાયાંગમાં પણ તે નામો આપ્યાં છે. - ૧ ઉમા સ્વાતિ શ્રી ઉમા સ્વાતિ (કોઈ ઉમા સ્વામી કહે છે) વાચકે સંસ્કૃતમાં સમસ્ત જૈન દર્શન તત્ત્વજ્ઞાનના સંદોહનરૂપ ‘તત્ત્વાર્થાધિગમ’ સૂત્ર રચ્યું. આ શ્રીમાનને શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયો પોતપોતાના આમ્નાયના માને છે. તે સૂત્ર ૫૨નું ભાષ્ય તેમણે જ રચ્યું એમ કહેવાય છે. તે સ્વોપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિ પરથી જણાય છે કે તેઓ ઉચ્ચ નાગરી શાખાના હતા. ન્યગ્રોધિકા ગામમાં જન્મ્યા હતા. તેમણે પોતાનો આ ગંભીર ગ્રંથ કુસુમપુર (પાટલિપુત્ર – હાલનું પટણા)માં રચ્યો. તેમનો સમય અનિશ્ચિત છે. પોતે જે ઉચ્ચ નાગરી શાખાના હોવાનું ભાષ્યમાં જણાવે છે તે નામની શાખા આર્ય દિન્નસૂરિના શિષ્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી (કલ્પસૂત્ર થેરાવલી). આર્ય દિત્ર વીરાત્ ૪૨૧માં થયાનો ઉલ્લેખ છે તેથી ઉક્ત શાખા તે પછી થયેલ હોવાથી ઉમા સ્વાતિ તેની પહેલાં થયેલા ન સંભવે. તેથી સહેજે વિક્રમ [૧. અહીં સુધીનું લખાણ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના વિભાગ ૧માંથી ઉદ્ધૃત કરીને, ગોઠવણીક્રમના તેમજ શાબ્દિક જૂજ ફેરફાર સાથે ટૂંકાવીને મૂક્યું છે. સં Page #44 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ ૨૩ સંવતના પ્રારંભ પછી લગભગ તેમને મુકાય. પરંતુ અન્યત્ર – પ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવેલું છેકે “શ્રી આર્ય મહાગિરિના બે શિષ્યો – યમલભ્રાતા બહુલ અને બલિષહ થયા. તેમાં બલિષહના શિષ્ય તત્ત્વાર્થાદિ ગ્રંથકાર ઉમાસ્વાતિ વાચક થયા; તેના શિષ્ય શ્યામા પ્રજ્ઞાપનાના કરનાર શ્રી વીરાતુ ૩૭૬માં દિવંગત થયા, તેના શિષ્ય સ્કંદિલ જીતમર્યાદના કરનાર થયા.” જો આ માનીએ તો ઉમાસ્વાતિ વીરાત્ ૩૭૬ની પહેલાં થયેલા સંભવે. આ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દશ અધ્યાય છે. પહેલામાં મોક્ષમાર્ગમાં સાધનરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નપત્ર બતાવી તેની પ્રાપ્તિનાં સાધન તરીકે ૭ તત્ત્વો, ૪ નિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ અને અનુયોગદ્વાર બતાવી, જ્ઞાન, અજ્ઞાન અને નયનું સ્વરૂપ બતાવે છે. બીજામાં અધ્યવસાયો, તેના ભેદ અને લક્ષણ, ઈદ્રિયો, ગતિ, યોનિ, શરીર અને આયુષ્ય આદિ સ્પષ્ટ કરેલ છે. ત્રીજામાં નારકભૂમિ, ત્યાંના જીવોની દશા, મનુષ્ય ક્ષેત્ર તેમજ મનુષ્ય અને તિર્યંચનો અધિકાર છે. ચોથામાં દેવનો અધિકાર તથા જુદાજુદા જીવોના આયુષ્યનું વર્ણન છે. આ ચાર અધ્યાયમાં જીવસ્વરૂપ બતાવી પાંચમામાં અજીવ, તેના ભેદો, દ્રવ્યની વ્યાખ્યા, લક્ષણ આદિનું સ્વરૂપ છે. છઠ્ઠામાં યોગ બતાવી આઠ કર્મના પરિણામનું ચિત્ર દોર્યું છે. સાતમામાં પંચ મહાવ્રત, તેની ભાવના, બાર અણુવ્રત, તેના અતિચાર સ્પષ્ટ કરી બે પ્રકારના ધર્મ (ગૃહસ્થ અને ત્યાગ)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા અધ્યાયમાં બંધતત્ત્વની આઠ કર્મોની કમપ્રકૃતિઓની, તેના વિપાકની અને પ્રદેશબંધની ચર્ચા કરી છે. નવમામાં સંવર અને નિર્જરા સંબંધી કહેતાં ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ પ્રકારનો ત્યાગધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ બતાવવા ઉપરાંત પાંચ પ્રકારનાં ચારિત્ર અને બાર પ્રકારના તપનું સ્વરૂપ કહી પાંચ પ્રકારના નિગ્રંથનું વર્ણન કરેલ છે. દશમામાં મોક્ષતત્ત્વ – કેવલજ્ઞાનપ્રાપ્તિથી શરૂ થતી દશા સૂચવી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષદશા બતાવી છે. આ તત્ત્વાર્થસૂત્ર પર અનેક ટીકાઓ રચાઈ છે, અને તે વાત તે તત્ત્વજ્ઞાનનો આકરગ્રંથ છે એમ સિદ્ધ કરે છે. ઉમાસ્વાતિએ પાંચસો પ્રકરણ રચ્યાં હતાં તેમાં ઉક્ત સૂત્ર ઉપરાંત પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજા પ્રકરણ, જંબૂદીપ સમાસ પ્રકરણ, ક્ષેત્રવિચાર આદિ ઉપલબ્ધ ગ્રંથો સમાય છે. પાદલિપ્તસૂરિ વિક્રમ (શકારિ) ઉજ્જયિનીની ગાદીએ આવ્યો. તેનો સંવત વીરાત્ ૪૭૦થી ચાલ્યો ગણાય છે. તેના સમય લગભગ આર્ય મંગુ, વૃદ્ધવાદી, સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે. પાદલિપ્ત તરંગવતી નામની અભુત સુંદર કથા પ્રાકૃતમાં રચી તેમજ જૈન, નિત્યકર્મ, જૈન દીક્ષા, પ્રતિષ્ઠાપદ્ધતિ તથા શિલ્પ પર નિર્વાણલિકા નામની સંસ્કૃતમાં પુસ્તિકા રચી. પાદલિપ્ત યા પાલિત્ત કવિ ગાથાસત્તસઈના સંગ્રાહક પ્રસિદ્ધ મહારાષ્ટ્રીય કવિ નૃપતિ સાતવાહન યા હાલના સમકાલીન જૈનાચાર્ય હતા. તે પાદલિપ્તસૂરિના નામ પરથી હાલનું પાલીતાણા સ્થપાયું છે એમ પ્રાચીન Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ગ્રંથોમાં ઉલ્લેખો છે. વળી પાદલિપ્તસૂરિએ જ્યોતિષ્કરંડક (પન્ના) પર (મૂલ) પ્રાકૃત ટીકા રચી હતી એમ મલયગિરિની તે પયત્રા પરની ટીકામાં ઉલ્લેખ છે. સિદ્ધસેન દિવાકર સિદ્ધસેન દિવાકર મહાતાર્કિક અને ન્યાયના પંડિત થયા. મૂળ તે બ્રાહ્મણ હતા. એવો પ્રવાદ છે કે તેમણે સર્વ પ્રાકૃત સૂત્રોનું (અંગોનું) ભાષાંતર સંસ્કૃત ભાષામાં કરવા માટે વિચાર કર્યો. આ વિચાર સંઘને તેમજ તેમના ગુરુ વૃદ્ધવાદીને સંમત ન થયો અને લોકભાષામાંથી પંડિતોની સંસ્કૃત ભાષામાં સૂત્રોને અવતારવાના વિચાર માટે તેમને સંઘ બહાર'ની શિક્ષા થઈ.....આ સિદ્ધસેન એટલા બધા પ્રખર વિદ્વાન હતા કે તેમણે જૈન સાહિત્યમાં એક નવો યુગ ફેલાવ્યો એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી...વિક્રમનાં “નવરત્નો” પૈકી “ક્ષપણક' એ સિદ્ધસેન હોવા ઘટે એમ ડૉ. સતીશચંદ્ર કહે છે. ...તેમણે સૌથી પહેલાં “ન્યાયાવતાર' નામના તર્કપ્રકરણની સંસ્કૃતમાં રચના કરીને જૈન પ્રમાણનો પાયો સ્થિર કર્યો. આ ગ્રંથે જૈન તર્કપરિભાષાનું જે પ્રસ્થાન કર્યું તે અત્યાર સુધી અખંડિત છે, તેથી જ એના પ્રણેતા સિદ્ધસેન જૈન તર્કશાસ્ત્રના પ્રસ્થાપક વિશેષમાં “સન્મતિતર્કપ્રકરણ” નામના મહાતક ગ્રંથને પ્રાકૃતમાં આર્યા છંદમાં રચી “નયવાદનું મૂલ દઢ કરી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. પહેલા કાંડમાં માત્ર નય (દષ્ટિબિંદુ) સંબંધી નિરૂપણ કર્યું છે. બીજામાં પાંચ જ્ઞાનને લગતી ચર્ચા છે. અને ત્રીજા કાંડમાં શેયતત્ત્વનું નિરૂપણ છે. એમ કહેવાય છે કે સિદ્ધસેને બત્રીશ દ્વાર્નિંશિકા (બત્રીશી)ઓ સંસ્કૃતમાં રચી હતી. આ બત્રીશ બત્રીશીમાં હાલ ન્યાયાવતાર સહિત ૨૧ બત્રીશીઓ પ્રાપ્ત થાય છે. આમાંની ઘણી બત્રીશીઓમાં મુખ્યતઃ અહંન્મહાવીરની અનેક પ્રકારે સ્તવના કરવામાં આવી છે તેથી તેને “સ્તુતિઓ” કહેવામાં આવે છે. આ બત્રીશીઓમાં પસંદ કરાયેલ વિવિધ છંદો – અનુપ, ઉપજાતિ, વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મંદાક્રાન્તા, પુષ્પિતા, વંશસ્થ, આર્યા, શાલિની - નો ઉપયોગ દાર્શનિક જૈન સાહિત્યમાં સર્વથી પ્રથમ છે. તેમણે કલ્યાણમંદિરથી શરૂ થતું પાર્શ્વનાથ સ્તવન સંસ્કૃતમાં રચ્યું મલવાદી કૃત “નયચક્ર' “નયચક્રમાં તેના નામ પ્રમાણે મુખ્ય વિષય “નયનો છે. “સન્મતિતર્કપ્રકરણ” મૂળ પ્રાકૃતમાં છે, “નયચક્ર' સંસ્કૃતમાં છે. “સન્મતિ...” પર અભયદેવસૂરિની સંસ્કૃત ટીકા છે, જ્યારે “નયચક્ર પર સંસ્કૃત ટીકા શ્રી સિંહ ક્ષમાશ્રમણની રચેલી છે. “સન્મતિતર્ક મૂળ ઉપલબ્ધ છે જ્યારે “નયચક્ર' મૂળ ઉપલબ્ધ નથી, માત્ર તેની ટીકા સુલભ છે. આ આચાર્યું “નયચક્ર' ઉપરાંત “સન્મતિતર્કવૃત્તિ' રચેલી જણાય છે. એમનો સમય “પ્રભાવક ચરિત્રકાર વિ.સં.૪૧૪નો આપે છે. પરંતુ ન્યાયબિંદુ-ટીકાકાર ધર્મોત્તરનો સમય પાશ્ચાત્ય વિદ્વાનો વિક્રમની સાતમી સદીમાં મૂકે છે તે ગણતરીએ આ ધર્મોત્તર Page #46 -------------------------------------------------------------------------- ________________ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ / હરિભદ્રસૂરિ ટિપ્પનકાર તે પછીના સમયમાં વિદ્યમાન સંભવે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જૈન પટ્ટાવલીઓના આધારે વીરાત્ ૧૧૪ (વિ.સં.૬૪૫)માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા. એ તો ચોક્કસ છે કે હરિભદ્રસૂરિ પહેલાં તેઓ થયા; કારણકે હરભદ્રસૂરિ તેમનો ઉલ્લેખ કરે છે. તેમણે રચેલા ગ્રંથો વિશેષાવશ્યક ભાષ્ય મૂલ અને ટીકા, બૃહત્સંગ્રહિણી ૪૦૦થી ૫૦૦ ગાથા, બૃહત્સેત્રસમાસ, વિશેષણવતી ૪૦૦ ગાથાનો પ્રકરણ ગ્રંથ અને જીતકલ્પસૂત્ર કે જેમાં જૈન સાધુના ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. વળી ધ્યાનશતક રચ્યું છે કે જે વિશેષાવશ્યક ભાષ્યમાં અંતર્ગત છે. તેમની ‘ભાષ્યકાર’ તરીકેની જબરી ખ્યાતિ છે. તેમણે વિશેષાવશ્યક ભાષ્યમાં વાસવદત્તા અને તરંગવતી કથાનો ઉલ્લેખ કર્યો છે. આ ભાષ્યગ્રન્થ જૈન પ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે અને તેથી ભાષ્યકાર જિનભદ્રગણિ જૈન શાસ્ત્રકારોમાં અગ્રણી મનાય છે....જૈન આગમોના સંપ્રદાયગત રહસ્ય અને અર્થના, પોતાના સમયમાં અદ્વિતીય જ્ઞાતા તરીકે એ આચાર્ય સર્વસમ્મત ગણાતા હતા; અને તેથી એમને યુગપ્રધાન’ એવું મહત્ત્વનું ઉપપદ મળેલું હતું. હરિભદ્રસૂરિ હરિભદ્રસૂરિ જૈન ધર્મના શ્વેતામ્બર સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ અને મહાવિદ્વાન થયા છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મવિચાર અને દાર્શનિક વિષયના અનેક ઉત્તમોત્તમ તથા ગંભીર તત્ત્વપ્રતિપાદક ગ્રંથો રચ્યા છે. આ ગ્રંથોમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક, બૌદ્ધ, જૈન આદિ સર્વે દર્શનો અને મતોની તેમણે અનેક રીતે આલોચના-પ્રત્યાલોચના કરી છે. આ પ્રકારે ભિન્નભિન્ન મતોના સિદ્ધાંતોની વિવેચના કરતી વખતે પોતાના વિરોધી મતવાળા વિચારકોનો પણ ગૌરવપૂર્વક નામોલ્લેખ કરનારા અને સમભાવપૂર્વક મૃદુ તથા મધુર શબ્દોથી વિચારમીમાંસા કરનારા આવા જે કોઈ વિદ્વાન ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ઉલ્લેખ કરવા યોગ્ય હોય તો તેમાં શ્રી હિરભદ્રનું નામ સૌથી પ્રથમ મૂકવા યોગ્ય છે. જૈન ઇતિહાસમાં આ આચાર્યનું સ્થાન અતિ મહત્ત્વનું છે. જૈન ધર્મના જેમાં મુખ્યપણે શ્વેતાંબર સંપ્રદાયના ઉત્તરકાલીન (આધુનિક) સ્વરૂપના સંગઠનકાર્યમાં તેમના જીવને ઘણો મોટો ભાગ લીધો છે. ઉત્તરકાલીન જૈન સાહિત્યના ઇતિહાસમાં તેઓ પ્રથમ લેખક ગણાય છે, અને જૈન સમાજના ઇતિહાસમાં નવીન સંગઠનના એક પ્રધાન વ્યવસ્થાપક કહેવા યોગ્ય છે. આ રીતે તેઓ જૈનધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઇતિહાસના મધ્યવર્તી સીમાસ્થંભ સમાન છે. પૂર્વથી ચાલી આવેલી માન્યતા પ્રમાણે સં.૫૩૦ યા સં.૫૮૫ આસપાસ હરિભદ્રસૂરિ સ્વર્ગસ્થ થયા, પણ શ્રી જિનવિજયે તેમનો સમય અનેક પ્રમાણોથી ઐતિહાસિક આલોચના કરી વિ.સં.૭૫૭થી ૮૫૭નો સ્થિર કર્યો છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેમણે ૧૪૦૦ પ્રકરણ ગ્રંથો લખેલા કહેવાય છે તે તેમની કૃતિઓનાં જે જુદાંજુદાં પ્રકરણો છે તેનો સરવાળો લાગે છે. ગમે તેમ હો, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અને પ્રૌઢ ગ્રંથોનાં નામ આ છે : ૧. અનેકાન્તવાદપ્રવેશ ૨. અનેકાન્તજયપતાકા સ્વોપજ્ઞ સહિત ૩. અનુયોગદ્વારસૂત્રવૃત્તિ ૪. અષ્ટપ્રકરણો ૫. આવશ્યક સૂત્ર બૃહદ્ઘત્તિ ૬. ઉપદેશપદ પ્રકરણ ૭. દશવૈકાલિકસૂત્રવૃત્તિ. ૮. (બૌદ્ધચાય) દિડૂનાગકૃત ન્યાયપ્રવેશસૂત્ર પર વૃત્તિ. ૯. ધર્મબિન્દુ પ્રકરણ ૧૦. ધર્મસંગ્રહણી પ્રકરણ ૧૧. નન્દી સૂત્ર લઘુવૃત્તિ ૧૨. પંચાશક પ્રકરણો ૧૩. પંચવસ્તુ પ્રકરણ ટીકા ૧૪. પંચસૂત્ર પ્રકરણટીકા ૧. પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા ૧૬. યોગદષ્ટિસમુચ્ચય ૧૭. યોગબિન્દુ ૧૮. લલિતવિસ્તરા ૧૯. લોકતત્ત્વનિર્ણય ૨૦. વિંશતિ વિંશતિકા પ્રકરણ ૨૧. ષડ્રદર્શન સમુચ્ચય ૨૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્વકૃત વ્યાખ્યા સહિત ૨૩. શ્રાવક પ્રજ્ઞપ્તિ -- શ્રાવક ધર્મવિધિ ૨૪. સમરાઈકહા (સમરાદિત્ય કથા) ૨૫. સોધ પ્રકરણ ૨૬. સમ્બોધસતતિકા પ્રકરણ. આ ગ્રંથોમાંથી તેમના સંબંધી એટલી હકીકત મળે છે કે પોતાનો સંપ્રદાય શ્વેતાંબર હતો, ગચ્છનું નામ વિદ્યાધર, ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. જૈન ધર્મનાં પવિત્ર પુસ્તક કે જેને આગમ કહેવામાં આવે છે તે પ્રાકૃત ભાષામાં હોવાથી વિદ્વાનો તેમજ અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને પણ સુબોધક થાય તે માટે આ સૂરિએ સંસ્કૃત ટીકાઓ રચી. આ સમય સુધી પ્રાકૃત ભાષામાં ચૂર્ણિઓ લખાતી હતી. વર્તમાનમાં આની પૂર્વે કોઈ પણ સંસ્કૃત ટીકા કોઈ પણ સૂત્ર પરની મળતી નથી. હરિભદ્રસૂરિ એ જૈન શ્વેતાંબર સાહિત્યમાં એક યુગકાર છે. તેમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, મધ્યસ્થતા અને સમન્વયશક્તિનો પરિચય તેમના ગ્રંથો પરથી યથાર્થ રીતે થાય છે. તેમની શતમુખી પ્રતિભાનો સ્ત્રોત તેમના રચેલા ચાર અનુયોગ વિષયક ગ્રંથોમાં જ નહિ, બલ્ક જેને ન્યાય તથા ભારતવર્ષીય તત્કાલીન સમગ્ર દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચાવાળા ગ્રંથોમાં પણ વહેલો છે. આટલું કહીને પણ તેમની પ્રતિભા મૌન થઈ નહિ; તેમણે યોગમાર્ગમાં એક એવી દિશા બતાવી કે જે કેવલ જૈન યોગસાહિત્યમાં એક નવીન વસ્તુ છે. જૈન શાસ્ત્રમાં આધ્યાત્મિક વિકાસના ક્રમનું પ્રાચીન વર્ણન ચૌદ ગુણસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓ રૂપે મળે છે. હરિભદ્રસૂરિએ તે આધ્યાત્મિક વિકાસના ક્રમનું યોગરૂપ વર્ણન કર્યું છે. વળી તેમાં તેમણે જે શેલી રાખી છે તે અત્યાર સુધીના ઉપલબ્ધ યોગવિષયક સાહિત્યમાંના કોઈપણ ગ્રંથમાં જોવામાં આવેલ નથી. તેઓ પોતાના ગ્રંથોમાં અનેક યોગીઓનો નામનિર્દેશ કરે છે, અને વળી યોગવિષયક ગ્રંથોનો ઉલ્લેખ કરે છે કે જે હમણાં પ્રાપ્ત જ નથી. સંભવ છે કે આ અપ્રાપ્ય ગ્રંથોમાં તેમના વર્ણન જેવી શૈલી રહી હોય, પરંતુ હમણાં તો આ વર્ણનશૈલી અને યોગવિષયક વસ્તુ તદ્દન અપૂર્વ છે. હરિભદ્રસૂરિ મહાન સિદ્ધાંતકાર અને દાર્શનિક વિચારક તો હતા જ પણ તે ઉપરાંત મહાનું કવિ પણ હતા એમ જૈન પરંપરા જણાવે છે...કથાકોષ, ધૂખ્યાન, Page #48 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિ ૨૭ મૂનિમતિચરિત્ર, યશોધરચરિત્ર, વીરાંગદકથા, અને સમરાદિત્યકથા - આટલી કથાસાહિત્યની કૃતિઓ એમના નામે નોંધેલી દેખાય છે, પણ તેમાં માત્ર ધૂર્તાખ્યાન, અને સમરાદિત્યકથા એ બે જ કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે, અને એ નિર્વિવાદરૂપે એમની જ બનાવેલી છે એમ માની શકાય છે. “સમરાઈકહા' એ હરિભદ્રસૂરિની કવિકલ્પનાની પ્રત્યક્ષ પ્રતિમા છે. પ્રશમરપ્રપૂર્ણ એવી એક ઉત્તમ કથા તરીકે એની પ્રશંસા પાછળના ઘણા વિદ્વાનોએ કરી છે. આને ઘણા રસપૂર્વક વાંચતા અને શ્રાવકો ભાવપૂર્વક સાંભળતા. એ ગ્રંથની પ્રતો લખાવી સાધુઓને અર્પણ કરવામાં બહુ પુણ્ય માનવામાં આવતું.' (જિનવિજય) જૈિન શ્વેતામ્બર સાહિત્યમાં યુગકાર સમા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ જે ગ્રંથો રચ્યા તેની સાથે જૈન મત એક પ્રકારની પરિપૂર્ણતા પ્રાપ્ત કરે છે.] [૧. ઉમાસ્વાતિથી હરિભદ્રસૂરિ સુધીનું આ લખાણ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના વિભાગ ૨ માંથી ઉદ્ધત કરીને શાબ્દિક જૂજ ફેરફાર સાથે ટૂંકાવીને મૂક્યું છે. સં.] Page #49 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ : શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર Spencer The great man is the product of his age શ્રીમન્ મહાવીરને ધર્મપ્રવર્તક તરીકે વર્ણવીએ તે પહેલાં નિવેદન કરવાનું કે ધર્મપ્રવર્તક શબ્દથી તેમ માનવાનું નથી કે જૈન ધર્મને તેમણે નવો જ પ્રવર્તાવ્યો, એટલે મહાવીર જૈનધર્મના સ્થાપક છે એમ વસ્તુતઃ નથી, અને એમ કહેવાનો અહીં બિલકુલ આશય નથી. જેમ દરેક તીર્થંકર તીર્થં પ્રવર્તાવે છે તેમ શ્રીમન્ મહાવીરે તીર્થંકર તરીકે તીર્થ ધર્મ - શાસનને પ્રવર્તાવેલ છે, અને તેથી તેમને ધર્મપ્રવર્તક તરીકે કહેવામાં આવેલ છે. ધર્મપ્રવર્તકને કેવા સંજોગો, કેવી મુશ્કેલીઓ વચ્ચે અને કેટલા બલથી કામ લેવું પડે છે, તેનો યથાર્થ ખ્યાલ આવવા માટે તેમના સમયની સર્વ જાતની દેશપરિસ્થિતિ ઓળખવાની પૂર્ણ અપેક્ષા રહે છે; તો આપણે મહાવીરને ધર્મપ્રવર્તક તરીકે ઓળખીએ તે પહેલાં તેમના સમયની ભારત દેશની રાજકીય, ભૌગોલિક, સામાજિક, અને ધાર્મિક સ્થિતિ અવલોકીએ, અને ત્યારપછી મહાવીરનું ધર્મપ્રવર્તન અને તેમના ધર્મપ્રવર્તક તરીકેના થોડા ઉત્તમ ગુણો અવગાહીએ. આથી આ પ્રકરણને ૭ ભાગમાં વહેંચીશું. ૧. ભારતની રાજકીય સ્થિતિ - રાજાઓ. ૨. ભારતનાં ભિન્નભિન્ન દેશો. ૩. ભારતની સામાજિક સ્થિતિ. ૪. ભારતની ધર્મભાવના. ૫. મહાવીરનો પ્રાદુર્ભાવ. ૬. ધર્મપ્રવર્તક તરીકે મહાવીર. ૭. મહાવીરનું જીવન. ૧. ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ મહાવીરના સમયમાં કેટલા રાજા મહાવીરના ભક્ત હતા તેનાં નામ પ્રથમ કહી જઈએ. ૧. રાજગૃહના રાજા શ્રેણિક કે જેનું બીજું નામ બંભસાર હતું. ૨, ચંપાના રાજા ઉક્ત બંભસારના પુત્ર અશોકચંદ્ર કે જેનું બીજું નામ કોણિક પ્રસિદ્ધ હતું. ૩. વૈશાલી નગરીનો રાજા ચેટક, ૪–૧૨. કાશી દેશના મલિક (પ્રા. મલ્લઈ) જાતિના રાજા, અને ૧૩–૨૧. કોશલ દેશના નવ લોચ્છિક જાતિના રાજા, ૨૨. પુલાસપુરનો વિજય નામનો રાજા, ૨૩. અમલ કલ્પા નગરીનો શ્વેત નામક રાજા, ૨૪. વીતભયપટ્ટનનો ઉદાયન રાજા, ૨૫. કૌશાંબીનો શતાનીક અને પછી ગાદીએ આવેલ તેનો પુત્ર ઉદયન-વત્સરાજ, ૨૬. ક્ષત્રિયકુંડગ્રામ નગરના નંદિવર્ધ્વન રાજા, ૨૭. ઉજ્જયનનો ચંડપ્રદ્યોત રાજા, ૨૮. હિમાલય પર્વતની ઉત્તર તરફ આવેલ પૃષ્ઠ ચંપા નગરીના શાલ મહાશાલ બે ભાઈ રાજા, ૨૯. પોતનપુરનો પ્રસન્નચંદ્ર રાજા, ૩૦ હસ્તિશીર્ષ નગરનો અદીનશત્રુ રાજા, ૩૧. ઋષભપુરનો ધનાવહ નામનો રાજા, ૩૨. વીરપુર નગરનો - - Page #50 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ ૨૯ વિરકૃષ્ણ મિત્ર નામનો રાજા, ૩૩. વિજયપુરનો વાસવદત્ત રાજા, ૩૪. સૌગંધિક નગરીનો અપ્રતિહત નામનો રાજા, ૩૫. કનકપુરનો પ્રિયચંદ્રરાજા, ૩૬. મહાપુરનો બલ નામનો રાજા. ૩૭. સુઘોષ નગરનો અર્જુન રાજા, ૩૮. ચંપાનો દત્ત રાજા, ૩૯. સાકેતપુરનો મિત્રનંદી રાજા, ૪૦. કાશીનગરનો જીતશત્રુ નામનો રાજા ઈત્યાદિ અન્ય પણ કેટલાક રાજા શ્રી મહાવીરના ભક્ત હતા. આ સર્વ રાજાઓનાં નામ અંગઉપાંગ શાસ્ત્રમાં લખ્યાં છે. (જુઓ આત્મારામજીકૃત જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર તથા મહાવીરચરિત્ર – હેમચંદ્રકૃત) જૈનમાં ઉપલા રાજાઓ મહાવીરના ભક્ત તરીકે ગણાવેલા છે, પરંતુ બૌદ્ધમાં પણ તેમાંના બધા તો નહીં પણ પરંતુ કેટલાક રાજાના નામ બૌદ્ધમતિ તરીકે જણાવ્યાં છે. તેનું કારણ આમ હોઈ શકે છે કે પહેલાં તે રાજાઓએ બુદ્ધનો ઉપદેશ સાંભળી બૌદ્ધ મત માન્યો હશે, પછી શ્રી મહાવીર ભગવંતનો ઉપદેશ સાંભળી જેનધર્મી તેઓ થયા હશે, કારણકે શ્રી મહાવીર ભગવાનથી ૧૬ વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે કાળ કર્યો છે. અર્થાત્ ગૌતમ બુદ્ધના મરણ પછી શ્રી મહાવીર સ્વામી કેવલજ્ઞાની તરીકે ૧૬ વર્ષ સુધી વિચર્યા હતા અને તેમના ઉપદેશથી કેટલાક બૌદ્ધ રાજાઓએ જેનધર્મ અંગીકાર કર્યો છે. આથી કેટલાક રાજાઓનાં નામ બને મતોમાં લખેલાં માલૂમ પડે છે. કેટલાક એમ કહે છે કે બુદ્ધ પહેલાં મહાવીર નિર્વાણ પામેલ છે અને તેવું બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે. આ ઉપરાંત બીજાં પણ ઘણાં રાજ્ય અને રાજાઓ હતાં. તે ઉપરથી જણાય છે કે મહાવીર સમયમાં કોઈ ચક્રવર્તી રાજ્ય હતું નહીં કે જેની આણ સર્વ રાજ્યો પર ચાલે. આખું ભારતવર્ષ જુદાંજુદાં રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, કોઈમાં રાજા સર્વ સત્તા ભોગવતા, કોઈમાં રાજા પ્રજાના અગ્રણી પુરુષોની સહાય લઈ કંઈ પ્રજાસત્તાક સ્વરૂપમાં રાજ્ય કરતો, પરંતુ કેટલાંક મહાન્ રાજયને આસપાસનાં રાજ્યો લઈ પોતાનું વધુ વિસ્તારવાળું રાજ્ય બનાવવાને ઇચ્છા થતી. - ઈ.સ. પૂર્વે છઠ્ઠા અને સાતમા સૈકામાં ભારતવર્ષની રાજકીય સ્થિતિ શું હતી તે જાણવું ઘણું રસપ્રદ અને ઉપયોગી હોવા છતાં હજુસુધી કોઈ પાશ્ચાત્ય કે પૌત્ય વિદ્વાને વિસ્તારપૂર્વક અભ્યાસ અને શોધ કરી તે સંબંધી ઇતિહાસ લખ્યો નથી એ ખેદની બીના છે, તેથી અત્યારે તે વખતે રાજ્ય અને રાજાઓ સંબંધી જેન અને બૌદ્ધના મળી શકતા અલ્પ સાહિત્યમાંથી જે મળી આવે છે તે જોઈશું. બૌદ્ધ ગ્રંથો પ્રમાણે ૪ મુખ્ય રાજ્યો હતાં. ૧. મગધ રાજ્ય - તેની રાજધાની રાજગૃહ (પાછળથી પાટલિપુત્ર) હતું. તેમાં બિમ્બિસાર (જૈનમાં બંસાર અથવા શ્રેણિક) પ્રથમ રાજ્ય કરતો હતો, અને પછી તેનો પુત્ર અજાતશત્રુ (જેનમાં અશોકચંદ્ર અથવા કુણિક) રાજ્ય કરતો હતો. આ બંનેને જૈનો પોતાના ધમનુયાયી લેખે છે. બંનેના સંબંધમાં પુષ્કળ ઇતિહાસ જૈન ગ્રંથો આપે ૧. બુદ્ધના નિર્વાણ સંબંધે ઘણો મતભેદ છે. 2. 'Buddhist India' - Rhys-Davids Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૨. તેના વાયવ્ય ખૂણામાં કોશલ – ઉત્તર કોશલ રાજ્ય હતું અને તેની રાજધાની સાવત્થી (શ્રાવસ્તી) નગરી હતું. તેમાં પ્રથમ પર્સનાદિ રાજા અને પાછળથી તેનો પુત્ર વિદુદાભ રાજ્ય કરતો હતો. જૈનમાં શ્રાવસ્તી નગરીમાં કોણ રાજા હતો તે સંબંધી ઉલ્લેખ નથી. તેનું કારણ એ સ્પષ્ટ જણાય છે કે તેનો રાજા બૌદ્ધ હતો, અને તે બૌદ્ધ ગ્રંથોમાં યથાર્થ જણાય છે. ૩. કોશલની દક્ષિણે વંશ અથવા વત્સોનું રાજ્ય હતું અને તેની રાજધાની જમના નદી પર આવેલ કોસાંબી નગરી હતી. તેમાં પરંતપ (જનમાં શતાનીક નામ આપેલ છે) - તેનો પુત્ર રાજા ઉદન (જૈનમાં ઉદયન) રાજ્ય કરતો હતો. આ પિતા-પુત્ર બંનેને જૈન ધર્મ પાળતા જૈન ગ્રંથોમાં જોવામાં આવે છે. ૪. આથી પણ વધુ દક્ષિણ તરફ અવંતીનું રાજ્ય હતું કે જેની રાજધાની ઉજ્જયિની હતું અને તેના રાજાનું નામ પજ્જોત (પ્રદ્યોત) હતું. આના સંબંધમાં જૈનગ્રંથોમાંથી ઘણું મળી આવે છે. અને તેને પણ જૈન ધર્મ તરફ શ્રદ્ધાવાળો લેખવામાં આવેલ છે. આ ચારે રાજ્યના રાજાઓ સગાઈના સંબંધથી જોડાયા હતા અને ઘણી વખત તેથી જ એકબીજા સાથે યુદ્ધમાં ઊતર્યા હતા. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે પસેનાદિ રાજાની બહેન કોશલદેવીને મગધનો રાજા બિમ્બિસાર પરણ્યો હતો, જ્યારે બિમ્બિસારના મિથિલાની વિદેહ રાણીથી થયેલ પુત્ર અજાતશત્રુએ પોતાના પિતા બિખ્રિસારને મારી નાંખ્યો, ત્યારે કોશલદેવી શોક કરતી મરણ પામી હતી. રાજા પનાદિએ કોશલદેવીની પહેરામણીમાં કાશી આપેલ હતું તે ખૂંચવી લીધું. અજાતશત્રુ આથી ક્રોધિત થઈ પોતાના તે વૃદ્ધ મામા (સાવકી માના ભાઈ) સામે યુદ્ધમાં ઊતર્યો. પહેલાં અજાતશત્રુની જીત થઈ, પણ ચોથી ચડાઈમાં તે કેદી તરીકે પકડાયો અને જ્યારે તેણે કાશી પરથી હાથ ઉઠાવી લીધો ત્યારે તેને છોડવામાં આવ્યો. આથી પર્સનાદિ રાજાએ તેને પોતાની પુત્રી વજિરાને લગનમાં આપી એટલું જ નહીં, પણ તેણીની પહેરામણી તરીકે તે જ કાશીમાં આવેલ ગામ કે જેને માટે યુદ્ધ થયું હતું તે આપ્યું. ત્રણ વર્ષ પછી પર્સનાદિના પુત્ર વિદુદાભે પોતાના પિતા સામે બળવો કર્યો. આ વખતે પિતા શાકિય રાજ્યમાં ઉલુંભા ગામમાં હતો, તે અજાતશત્રુની મદદ માગવા રાજગૃહ ગયો પણ ત્યાં તે માંદો પડ્યો અને તે શહેરના દરવાજાની બહાર મરણ પામ્યો. પાછળથી વિદુદાભ અને તેના બનેવી અજાતશત્રુ પાસેનાં પ્રજાસત્તાક રાજ્યો સાથે એટલે વિદુદાભ શાકિય સાથે અને અજાતશત્રુ શાલીના વજ્જિય સાથે વિગ્રહમાં ઊતર્યા તે હવે પછી જોઈશું. (કોશલના રાજનગર સાવથી કે જ્યાં મહાવીરે ઘણી વખત વિહાર કર્યો છે તેના સંબંધમાં જૈનમાં કંઈ જણાવેલ નથી.) કોસાંબીનો ઉદેન અને અવંતીનો પજ્જત એકબીજા સાથે સગાઈથી જોડાયા હતા. આના સંબંધમાં પક્નોતની પુત્રી વાસુલદત્તા કોશાબીના રાજા ઉદેનની રાણી અથવા ત્રણ રાણીમાંની એક કઈ રીતે થઈ એ વિષે એક લાંબી અને અદ્દભુત વાર્તા બૌદ્ધના ધમ્મપદ સૂત્રની ૨૧-૨૩ ગાથા પરની ટીકામાં આપેલ છે, જ્યારે તેની સાથે આબાદ સમાનતા ધરાવતી પણ જુદા સ્વરૂપમાં જેનોમાં પણ એ સંબંધી લાંબી અને અભુત વાર્તા આપેલી છે. તો તે આપણે બંને તપાસીશું. Page #52 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૧ બૌદ્ધ પ્રમાણે – દંતકથા એવી છે કે પજ્જોત (જેનો ક્રૂર અને વિષયલોલુપી સ્વભાવ બરાબર ચીતરવામાં આવ્યો છે) – તેણે પોતાના એક રાજભૃત્યને પૂછયું કે મારા કરતાં કોઈ રાજા મોટો છે કે જેની કીર્તિ મારા કરતાં પણ વધી જાય ?' આના જવાબમાં જ્યારે બરાબર સરલતાથી એમ કહેવામાં આવ્યું કે “કોસાંબીનો ઉદેન રાજા આપથી ચડી જાય ત્યારે તેણે તરત જ તેના પર હલ્લો કરી તેને જીતી લેવાનો નિશ્ચય કર્યો. હલ્લો કરવા જતાં તેને એવી સલાહ મળી કે ઉઘાડી રીતે ઝપાઝપીથી યુદ્ધ કરવા કરતાં ઝાડીમાં રહીને કામ લેવું વધારે યોગ્ય છે. કારણકે ઉદેન સુંદર હાથીને પકડવાને ગમે ત્યાં જવા લલચાય તેવો છે તેથી તેને પકડવાનું કામ સરલ થશે. આથી તેણે કૃત્રિમ હાથી લાકડાનો બનાવરાવ્યો અને તેના પર સુંદર રંગ પૂરવામાં આવ્યા. તેની અંદર પોતાના ૬૦ યોદ્ધાઓને ગુપ્ત રાખવામાં આવ્યા અને કૌશાંબીની હદમાં એક ખીણમાં છૂટો મૂક્યો. આ વાત પોતાના દૂતોથી ઉદનને જણાવવામાં આવી કે પાસેના જ વનમાં એક એવો વિજયી હાથી આવ્યો છે કે જેની જોડી મળવી મુશ્કેલ છે. ઉદેન તેને જીતવા માટે લલચાઈ તેના શિકાર માટે ખીણમાં ગયો અને તેમ કરતાં પોતાના પરિવાર – સૈન્યથી છૂટો પડી ગયો, કે તરત જ કેદ પકડી લેવામાં આવ્યો. હવે ઉદેન પાસે હાથીના ઉપર અજબ જાતનો જાદુ કરી તેને વશ કરી લેવાની કળા હતી. તે જો કળા શીખવે તો પક્નોતે તેને જીવતો છોડી મૂકવાનું વચન આપ્યું. ઉદને ઉત્તરમાં કહ્યું “બહુ સારું, જો તમે મને શિક્ષક તરીકે પ્રણામ કરો તો હું તમને શીખવું.” ‘તને પ્રણામ કરું ? – કદી નહીં !' તો હું તમને મારી કળા નહીં શીખવું' તો તને મારી નાખવાનો હુકમ હું આપીશ.” જેમ ઠીક લાગે તેમ કરો ! મારા શરીરના તમે ધણી છો પણ મારા મનના તો નથી.' પછી પજ્જતે વિચાર્યું કે ગમે તેમ પણ તેના સિવાય કોઈપણ તે કળા જાણતું નથી, અને તેથી જે તેને પ્રણામ કરે તેને તું શીખવીશ કે નહિ એમ તેને પૂછ્યું. આનો જવાબ હા મળવાથી પક્ટોતે પોતાની કુંવરીને કહ્યું કે એક વામન આવ્યો છે તેની પાસે હાથીને વશ કરવાની કળા છે; તો તારે તે તેની પાસેથી શીખી લઈ મને કહેવી. તેણે ઉદેનને કહ્યું કે “એક ખૂંધી સ્ત્રી પાછળના પડદામાંથી તને પ્રણામ કરશે અને પછી તેણીને તારે તે કળા પડદાની બહાર ઊભા રહીને શીખવવી.” આનો હેતુ એ કે બંનેની મિત્રાચારી થવા ન દેવી. પરંતુ જ્યારે તે કેદી દિવસાનદિવસ તે કળાનો મંત્ર ઉચ્ચારતો હતો અને તેની અદષ્ટ શિષ્યા તેને ગ્રહણ કરી બોલવામાં ઘણી ધીમી હતી, ત્યારે છેવટે એક દિવસ એકાએક ઉદેનથી બોલી જવાયું “અરે ખૂંધી ! આમ બોલને ! તારા કેટલા બધા જાડા હોઠ અને ભારે જડબાં હોવાં જોઈએ કે બોલીયે શકતી નથી ?' ત્યારે તેણીને ક્રોધ ઊપજ્યો અને સામી બોલી ઊઠી “અરે ભૂંડા વામનજી ! મને ૧. પાલિ ભાષામાં ઉદન અને પજજોત નામ છે તેનું સંસ્કૃત ઉદયન અને પ્રદ્યોત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જો ખૂંધી કહે છે તો તારા મનમાં તે શું ધારે છે ?' ઉદેને પડદાનો છેડો ખસેડી ડોકિયું કર્યું અને તું કોણ છે ?' એમ પ્રશ્ન કર્યો અને આથી બધું પોકળ ખુલ્લું થઈ ગયું ! અને તે અંદર ગયો અને તે દિવસે મંત્ર બોલવાનું અથવા તો પાઠ શીખવાનું બંધ જ રહ્યું. હવે તે બંનેએ મળી જઈ એક સામું જ કાવતરું રચ્યું. તેણીએ પોતાના બાપને કહ્યું કે બરાબર મંત્ર જાણવા માટે શિક્ષક એમ કહે છે કે એક શક્તિવાળી વનસ્પતિ અમુક ગ્રહનો યોગ થાય ત્યારે ભૂમિમાંથી ચૂંટી લેવાની જરૂર છે, અને વળી રાજાનો પ્રખ્યાત જે હાથી હોય તેને વાપરવો અને બહાર કાઢવો જ જોઈએ. તેણીની આ ઈચ્છા પ્રમાણે કરવામાં આવ્યું. પછી એક દિવસે જ્યારે તેણીનો પિતા ક્રીડા કરવા ગામ બહાર નીકળી પડ્યો હતો ત્યારે ઉદેને હાથી પર તેણીને બેસાડી, સાથે ધન અને સુવર્ણરજના કોથળાઓ લઈ ચાલી નીકળ્યો. આ વાત રાજાના માણસોએ રાજાને કહી અને તેથી ક્રોધાવેશમાં વહેમાઈ જઈ તેમની પાછળ મોટું લશ્કર મોકલ્યું. ત્યારે ઉદેન સિક્કાઓ કોથળામાંથી ફેંકવા લાગ્યો. પાછળ જનાર તેને એકઠા કરવા લાગ્યા અને તેથી વિલંબ લાગતો ગયો, અને આ બન્નેને નાસી જવાનો લાભ મળતો ગયો. આમ છતાં જ્યારે કેટલાક તેની પાછળ થયા અને પાસે આવી પહોંચ્યા, ત્યારે ઉદેન કોથળામાંથી સુવર્ણરજ કાઢી વેરતો ગયો. આથી તે ભેગી કરવામાં વખત લગાડતા ગયા. આખરે એમ કરતાં વળી જ્યારે તેઓ લગભગ પાસે આવી પહોંચ્યા ત્યાં ઉદેનનો સીમાડાનો કિલ્લો વરતાયો અને તેના લશ્કરનો પણ ભેટો થયો ! આથી પૂંઠ લેનાર પાછા વળ્યા અને ઉદેન તથા વાસુલદત્તા સહીસલામત વિજયથી તેના શહેરમાં આવી પહોંચ્યાં અને ભારે ભપકાથી અને મહોત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ થયો. વાસુલદત્તાને રાણી બનાવવામાં આવી. આવા જ પ્રકારની જૈન કથા છે : (જુઓ હેમચંદ્રકૃત ‘મહાવીરચરિત્ર'.) ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોત (તે ક્રૂર અને વિષયલોલુપી રાજા હતો તેથી તે ચંડ' વિશેષણથી પ્રસિદ્ધ થયેલ છે) રાજાને અંગારવતી (કે જેણીએ મહાવીર પ્રભુ પાસે બીજી રાણીઓ સહિત મૃગાવતી – ઉદયનની મા સાથે દીક્ષા લીધી હતી) રાણીથી વાસવદત્તા નામે એક પુત્રી થઈ હતી, તે બાળાને અતિવાત્સલ્યને લીધે પ્રદ્યોતરાજા પુત્રથી પણ અધિક માનતો હતો. તે બાળા ગુરની પાસે સર્વકળા શીખી, માત્ર કોઈ યોગ્ય ગુરુ વગર ગંધર્વવેદ શીખવો બાકી રહ્યો. એક વખતે રાજાએ પોતાના બહુદષ્ટ અને બહુશ્રુત મંત્રીને પૂછ્યું કે “આ દુહિતાને ગંધર્વવેદની શિક્ષામાં કોણ ગુરુ થશે ?' મંત્રી બોલ્યો કે “જાણે તુંબર ગંધર્વની બીજી મૂર્તિ હોય તેવો ઉદયન નામે રાજા છે, તેની પાસે ગાંધર્વકળા બહુ અતિશયવાળી સંભળાય છે. તે વનમાં ગીત વડે મોહ પમાડીને મોટા ગજેંદ્રોને પણ બાંધી લે છે. જ્યારે તે વનમાં જઈને ગીત ગાય છે, ત્યારે તેથી મોહ પામેલા ગજેંદ્રો જાણે સ્વાદિષ્ટ રસ પીતા હોય તેમ બંધનને પણ જાણતા નથી. ગીતના ઉપાયથી જેમ તે વનમાં હાથીઓને બાંધી લે છે તેમ તેને બાંધીને અહીં લાવવાનો પણ ઉપાય છે. આપ જાણે સાચો હોય તેવો કાષ્ઠનો એક હસ્તી કરાવો. તેમાં એવો યંત્રપ્રયોગ કરવો કે જેથી તે ગતિ અને આસન વગેરે ક્રિયાઓ કરે. તે Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૩ કાષ્ઠગજની મધ્યમાં શસ્ત્રધારી પુરુષો રહે અને તેને યંત્રથી ચલાવે, પછી તે હાથીને જોઈને વત્સરાજ પકડવા આવે એટલે તેને બાંધીને અંદરના પુરુષો અહીં લઈ આવે. આ પ્રમાણે થવાથી કબજામાં આવેલ ઉદયન રાજા તમારી દુહિતા વાસવદત્તાને ગાંધર્વવિદ્યા શીખવશે.” મંત્રીના વિચારમાં રાજા શાબાશી આપવા સાથે સંમત થયો અને મંત્રીએ સાચા હાથીને પણ ભૂલી જાય તેવો તેના કરતાં પણ અધિક ગુણવાળો એવો કાષ્ઠનો હાથી કરાવ્યો. દંતધાત, કર (સૂંઢ)નો ઉલ્લેપ, ગર્જના અને ગતિ વગેરેથી વનચરોએ તેને કૃત્રિમ હાથી જાણ્યો નહીં એટલે તેઓએ જઈને તે ગદ્રના ખબર ઉદયન રાજાને આપ્યા. પછી ઉદયન રાજા તેને બાંધી લેવાને વનમાં આવ્યો. પરિવારને દૂર રાખીને પોતે જાણે શકુન શોધતો હોય તેમ હળવે હળવે વનમાં પેઠો. તે માયાવી હાથીની પાસે આવીને કિન્નરનો પરાભવ કરે તેમ ઊંચા સ્વરે ગાવા લાગ્યો. જેમજેમ ઉદયન મધુર ગાયન ગાવા લાગ્યો તેમતેમ હાથીની અંદર રહેલા પુરુષો તે કૃત્રિમ હાથીના અંગને સ્તબ્ધ કરવા લાગ્યા. કૌશાંબીપતિ ઉદયન તે ગદ્રને પોતાના ગીત વડે મોહિત થયેલ જાણી અંધકારમાં ચાલતો હોય તેમ હળવે હળવે તેની પાસે આવ્યો. પછી “આ હાથી મારા ગીતથી સ્તબ્ધ થયો છે” એમ ધારી તે રાજા વૃક્ષ પર પક્ષીની જેમ છલંગ મારીને તેની ઉપર ચડી બેઠો. એટલે તત્કાળ પ્રદ્યોત રાજાના સુભટોએ હાથીના ઉદરમાંથી બહાર નીકળી વત્સરાજ (ઉદયન)ને હાથીના સ્કંધ ઉપરથી પાડીને બાંધી લીધો. એકલા, શસ્ત્ર વગરના અને વિશ્વાસી એવા ઉદયનને સુભટોએ ઘેરી લીધો, તેથી તેણે કાંઈપણ પરાક્રમ બતાવ્યું નહીં. સુભટોએ ઉદયનને અવન્તી લાવી ચંડપ્રદ્યોતને સોંપ્યો એટલે રાજાએ તેને કહ્યું કે, મારે એક આંખવાળી પુત્રી છે, તેને તમારી ગંધર્વકળા શીખવો. મારી દુહિતાને અભ્યાસ કરાવવાથી તમે મારા ઘરમાં સુખે રહી શકશો, નહિ તો બંધનમાં આવવાથી તમારું જીવિત મારે અધીન છે.” ઉદયને વિચાર કર્યો કે હાલ તો આ કન્યાનો અભ્યાસ કરાવીને હું કાલનિર્ગમન કરું. કેમકે “જીવતો નર ભદ્રા પામશે.” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને વત્સરાજે ચંડપ્રદ્યોતની આજ્ઞાને કબૂલ કરી. પછી ચંડપ્રદ્યોતે કહ્યું કે “મારી દુહિતા કાણી છે, માટે તું તેને કદી જોઈશ નહિ, જોઈશ તો તે લજ્જા પામશે.” આ પ્રમાણે ઉદયનને કહીને તેણે અંતઃપુરમાં જઈ રાજકુમારીને કહ્યું “તારે માટે ગાંધર્વવિદ્યા શીખવનાર ગુરુ આવેલ છે, પણ તે કુછી છે, માટે તારે તેને પ્રત્યક્ષ જોવો નહિ.” કન્યાએ તે વાત સ્વીકારી પછી વત્સરાજે તેણીને ગાંધર્વવિદ્યા શીખવવા માંડી, પરંતુ ચંડપ્રદ્યોત રાજાએ બંનેને ઠગેલાં હોવાથી તેઓ એકબીજાની સામું જોતાં નહીં. વચમાં વસ્ત્રનો પડદો હતો. એક વખતે “હું આને જોઉં તો ઠીક” એમ વાસવદત્તાને થયું તેથી ભણવામાં શૂન્યચિત્ત થઈ; પાઠ ભૂલવા લાગી. આથી વત્સરાજે કુમારીને તરછોડી કહ્યું “અરે કાણી ! શીખવામાં ધ્યાન નહિ આપીને તું ગાંધર્વશાસ્ત્રનો કેમ વિનાશ કરે છે ? શું તું દુઃશિક્ષિતા છો ?' આવા તિરસ્કારથી કોપ પામી તેણીએ વત્સરાજને કહ્યું “શું તું જાતે કુષ્ઠી છો તે જોતો નથી કે મને મિથ્યા કાણી કહે છે ?' વારાજે વિચાર્યું કે જેવો હું કુછી છું તેવી આ કાણી હશે; તેથી તે ચતુરે પડદો દૂર કર્યો એટલે સ્વચ્છ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ચંદ્રલેખા જેવી વાસવદત્તા જોવામાં આવી; તેણીએ ઉદયનને કામદેવ જેવો સવગસુંદર જોયો. પછી વાર્તાલાપ સંલાપ થયો. અને મનસંયોગ થતાં પછી શરીસંયોગ થયો. આ વાત એક દાસી જાણતી હતી; તે વિશ્વાસુ હોવાથી કોઈએ જાણ્યું નહિ અને બંને સુખમાં કાળનિર્ગમન કરવા લાગ્યાં. એક વખતે અનલગિરિ હાથી બંધસ્થાન તોડી મહાવતોને પાડી નાંખીને વેચ્છાએ છૂટો થઈ ગયો અને ભમતો લોકને ક્ષોભ કરવા લાગ્યો. રાજાએ તેને કેમ વશ કરવો એ ત્યાં રહેલ અતિચતુર અભયકુમાર (મગધપતિ શ્રેણિકનો પુત્ર)ને પૂછ્યું એટલે તેણે ‘ઉદયનની પાસે ગાયન કરાવો કે વશ થશે એમ કહ્યું. ઉદયનને તેમ કહેતાં વાસવદત્તા સાથે જઈ ગાયન કરી હાથીને વશ કરી લીધો. એકદા રાજા અંતઃપુર પરિવાર સહિત ઉજાણી અર્થે નગર બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં ગાંધર્વગોષ્ઠીની શરૂઆત કરી. વાસવદત્તા અને વત્સરાજને પણ બોલાવ્યાં. વત્સરાજે તેણીને જણાવી દીધું કે આજે વેગવતી હાથણી પર બેસી છૂટવાનો વખત છે; આથી રાજકન્યાએ વેગવતી હાથણી મંગાવી અને તેમાં ઉદયનની આજ્ઞાથી બંને પડખે તેના મૂત્રના ઘડાઓ બાંધ્યા. પછી વત્સરાજ, વાસવદત્તા, પેલી દાસી, મહાવત એમ તે પર બેઠાં અને નાઠાં. પાછળ રાજાએ યોદ્ધાઓને અનલગિરિ હાથી તૈયાર કરાવી તે પર બેસાડી તેને પકડવા રવાના કર્યા. હાથી લગભગ નજદીક પહોંચી ગયો ત્યાં ઉદયને એક મૂત્રનો ઘડો પૃથ્વી પર પછાડી ફોડી નાંખ્યો. તે સૂંઘવા હાથી ક્ષણવાર ઊભો રહ્યો. બીજી વાર નજીક આવતાં બીજો, એમ ચારે ઘડા ફેંકી ખલાસ કર્યા અને સો યોજન પ્રથ્વીને ઓળંગી કૌશાંબી નગરીમાં પેસી ગયો. ત્યાં તો કૌશાંબીપતિની સેના યુદ્ધાર્થે તૈયાર થઈ ગઈ. આથી અનલગિરિ હાથીને પાછો વાળી યોદ્ધા પાછા ફર્યા અને ઉજેણી આવ્યા. પછી કોપમાં મહારાજ જેવા રાજા પ્રદ્યોતે સેન્યની તૈયારી કરવા માંડી પણ ભક્ત એવા કુલમંત્રીઓએ તેને યુક્તિપૂર્વક સમજાવીને નિવાર્યો અને કહ્યું કે “હે રાજા ! તમારે કોઈ યોગ્ય વરને કન્યા તો આપવાની જ હતી, ત્યારે વત્સરાજથી અધિક એવો બીજો કયો જામાતા મળશે ? વાસવદત્તાએ સ્વયંવરા થઈને તેને પસંદ કર્યો છે તો પછી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ છે એમ સમજો, અને તેને જામાતા માનો.” આથી તે રાજાએ હર્ષથી વત્સરાજ ઉપર જામાતૃપણાને યોગ્ય એવી કેટલીએક વસ્તુઓ મોકલી. આ બંને બૌદ્ધ અને જૈન વાત પરથી તેમજ હાલમાં મળી આવેલ મહાકવિ ભાસકૃત પ્રતિજ્ઞા યોગંધરાયણ નામના નાટક પરથી સમજાયું હશે કે આ વાતમાં તથ્ય હોવું જોઈએ. છતાં હાલની દષ્ટિએ તેમાં કવિની ચતુરાઈ દેખાય તો એટલું તો ચોક્કસ છે કે અવન્તીનો રાજા પ્રદ્યોત અને કોશાખીનો રાજા ઉદયન એ બે પાસપાસે આવેલ રાજ્યોના સમકાલીન રાજાઓ હતા અને લગ્નગાંઠથી અરસપરસ જોડાયા હતા ને યુદ્ધમાં પણ ઊતર્યા હતા. ઉક્ત જૈન કથા પરથી એ પણ જણાય છે કે અવન્તીને અને કોશાબીને ૧૦૦ યોજનનું છેટું હતું. વળી એકબીજા સસરોજમાઈ હોવા ઉપરાંત જૈન ગ્રંથમાંથી એ પણ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૫ માલુમ પડે છે કે ઉદયનની માતા મૃગાવતી અને ચંડપ્રદ્યોતની રાણી નામે શિવા એ બે બહેનો થતી હતી, અને તે બંને વૈશાલી નગરીના રાજા ચેટકની પુત્રી હતી. આથી ઉદયનનો માસો તે અવન્તીપતિ થતો હતો. વળી ચંડપ્રદ્યોતને પોતાની સાળી મૃગાવતી રાણીના ચિત્રથી તેના પર મોહ પામી તેના પતિ નામે શતાનીક રાજાને તે રાણીને પોતાને સોંપવા કહ્યું હતું. પણ તેમણે તિરસ્કારથી તે માગણીને અવગણી કાઢી અને તેથી અવન્તીનો રાજા યુદ્ધ કરવા આવ્યો. તેટલામાં શતાનીક રાજા મૃત્યુ પામ્યો અને બાલ પુત્ર ઉદયન અને રાણી મૃગાવતી રહ્યાં. આથી તે રાણીએ રાજકીય ચાતુર્ય વાપરી અવન્તીના રાજાને કહ્યું “મારા પતિ શતાનીક રાજા તો સ્વર્ગે ગયા તેથી હવે મને તમારું જ શરણ છે, પરંતુ મારો પુત્ર હજુ બળ રહિત બાળક છે, તેથી જો હું હમણાં તેને તરછોડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલ ઉગ્ર શોકાવેગની જેમ શત્રુ રાજાઓ પણ તેનો પરાભવ કરશે. તો ઉજ્જયણથી ઈટો લાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો કરાવી આપો અને ધનધાન્ય ધનાદિકથી કૌશાંબી ભરી આપો તો પછી નિર્વિધ્ધ યોગ થઈ શકે !' આથી પ્રદ્યોતે તે સઘળું કરાવી આપ્યું. તરત જ બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે હવે નગરી રોધ કરવાને યોગ્ય થઈ છે તેથી તેણીએ દરવાજા બંધ કરી સુભટોને ગોઠવી દીધા. પછી ત્યાં મહાવીર આવ્યા અને તેનો બોધ સાંભળી મૃગાવતીએ તેમની પાસે દીક્ષા લીધી કે જેમાં ચંડપ્રદ્યોતે સંમતિ આપી, અને ઉદયનને ગાદી સોંપી તે રાજા પોતાની રાજધાની ઉજેણીમાં આવ્યો. ઉદયન ને પ્રદ્યોતનો – જમાઈસસરાનો બનાવ મહાવીરના નિર્વાણ પહેલાં થોડાંક વર્ષ પહેલાં બન્યો છે તેથી તેનો સમય ઈ.સ. પૂર્વે પ૨૪–૫ ગણી શકાય. અને શતાનીક રાજાનું મરણ, તેના પર પ્રદ્યોત રાજાનું ચડી આવવું વગેરે જે ઉપર વર્ણવેલો બનાવ છે, તે મહાવીરને કેવલજ્ઞાન ઊપજ્યા પછીનો છે એટલે ઈ.સ. પૂર્વે ૫૫૦ લગભગમાં છે. વળી ચંડપ્રદ્યોત રાજાએ મગધ દેશના રાજગૃહ નગર પર પણ આક્રમણ કર્યું હતું. તે વખતે પુષ્કળ સૈન્ય તેની પાસે હોવાથી શ્રેણિક રાજાને મહાભય લાગ્યો હતો, પરંતુ તેના પુત્ર અભયકુમારની ચતુરાઈથી ચંડપ્રદ્યોત નાસી ગયો હતો. પછી તેના કહેવાથી અભયકુમારને એક વેશ્યા કપટી શ્રાવિકા બની ધર્મઢોંગથી ભોળવી અવન્તી લઈ ગઈ હતી, ત્યાં કેદીના જેવી રીતે કેટલોક સમય રહી કરેલ સેવાથી અપાયેલાં વચનોને બળે છૂટો થઈને અભયકુમાર પોતાની યુક્તિથી રાજાને ઉઘાડે છોગે. ભરબજારમાંથી બાંધીને રાજગૃહ લઈ ગયો હતો. પછી છોડી મૂક્યો હતો. ચંડપ્રદ્યોત મહાવીરનો અનુયાયી હતો. આ પરથી જણાય છે કે ચંડપ્રદ્યોત ઘણો ક્રોધી, વિષયલોલુપી રાજા હતો અને તેણે આયુષ્ય પણ ઘણું ભોગવેલું હતું. સાથે મહાનું પરાક્રમી અને અનેક સામંત રાજાઓનો અધિપતિ હતો; તે જૈન હતો અને તેને વીતભયનગરના રાજા ઉદયન સાથે યુદ્ધ થયું હતું. વીતભયનગર કે જે સિંધુ દેશનું પાટનગર હતું તેના રાજા ઉદાયનને ત્યાર પછી ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ થયું હતું. ઉદયનની કુન્જા દાસી દેવદત્તા દેવાધિદેવની પૂજાથી અદ્ભુત સૌંદર્યવતી થઈ હતી, અને તેની પ્રતિમા પણ તેણીને પ્રાપ્ત થઈ હતી. આ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દાસીને ચંડપ્રદ્યોત લઈ ગયો તેથી તેણીની સાથે તે પ્રતિમા પણ ગઈ. આ પાછી મોકલવા માટે ઉદાયને કહેવરાવ્યું, પણ પ્રદ્યોત રાજાએ ન માનવાથી ઉદાયને અવંતી પર ચડાઈ કરી. ઉદાયને પ્રદ્યોત રાજાને બાંધ્યો, દાસી નાસી ગઈ. તે પ્રતિમાં ત્યાં જ રહેવા દીધી, અને પ્રદ્યોત રાજાના કપાલ ઉપર “આ મારો દાસી-પતિ છે એમ જણાવવા ‘દાસીપતિ’ એટલા અક્ષરો ઉદાયને લખાવ્યા. અને ચંડપ્રદ્યોતને સાથે લઈ પોતાના વીતભયનગર તરફ ચાલ્યો. માર્ગમાં પર્યુષણપર્વ આવ્યાં. ઉદાયનને પોતાના સર્વ કુટુંબ સહિત ઉપવાસ હતો, તેથી ચંડપ્રદ્યોતને તેના માટે શું રસોઈ કરવી એ પૂછવામાં આવતાં તેણે કહ્યું “મારે પણ અપવાસ છે. કારણકે મારાં માતાપિતા શ્રાવક હતાં, પણ હું દુ:ખથી ભૂલી ગયો છું. આથી ઉદાયને પોતાનો સમાનધર્મી છે તો તેને ખમાવ્યા દોષની – ક્ષમા માગ્યા વિના પ્રતિક્રમણ (દોષનું પ્રાયશ્ચિત કરી આત્મનિરીક્ષણની ક્રિયા) કરવું તે શુદ્ધ થયું કહેવાય નહિ ! એમ ધારી તેને બંધનથી છોડાવ્યો, ને તેને મસ્તકે સુવર્ણનો પટ્ટબંધ કરાવ્યો. પછી ખમાવીને તેને પોતાને નગર પાછો મોકલાવ્યો. ત્યાર પછી પ્રદ્યોતન રાજા શુદ્ધ જૈન ધર્મ પાળવા લાગ્યો, અને ઉદાયન રાજા પણ પછી પોતાને નગરે આવી પહોંચ્યો. આ ઉદાયન રાજાએ પછી શ્રી મહાવીર પાસે દીક્ષા લીધી છે, અને રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે, અને તેમને છેલ્લા રાજર્ષિ તરીકે તે જ ભવમાં મોક્ષે ગયેલ તરીકે જણાવવામાં આવેલ છે. - ચંડપ્રદ્યોત વિષયલોલુપી હતો એ તો સ્થળેસ્થળે પુરવાર થાય છે. તેની રાણી અંગારવતી હતી અને તેણીએ મૃગાવતી (કૌશાંબીના રાજા શતાનીકની રાણી) સાથે દીક્ષા લીધી હતી તે ઉપર કહેવાઈ ગયું છે. હવે તે અંગારવતીને ચંડપ્રદ્યોત કેવી રીતે પરણ્યો હતો તે જોવાથી પણ જણાઈ આવે છે કે તે વિષયાસક્ત હતો અને તેને જ લીધે યુદ્ધ કર્યું હતું. સુસમારપુરના રાજા ધુંધુમારને અંગારવતી અતિ રૂપવતી પુત્રી હતી. તેણીએ એક યોગિનીને વાદમાં નિત્તર કરી તેથી તે યોગિનીએ તેનું ચિત્ર ચીતરી ઉજ્જયિનીના રાજા ઉક્ત ચંડપ્રદ્યોતને બતાવ્યું. તે મોહિત થયો અને તેણીની તેના પિતા પાસે માગણી કરી. પિતા પાસે સૈન્ય મોટું હતું નહીં છતાં કહેવરાવ્યું કે પુત્રી બળાત્કારે નહીં પણ પ્રસન્નતાથી અપાય છે. ચંડપ્રદ્યોતે આવી મોટા સૈન્ય સાથે ઘેરો ઘાલ્યો. ધુંધુમાર નગરની અંદર રહ્યો અને નિમિત્તકને જય-પરાજય સંબંધે પૂછયું. નિમિત્તકે ચોકમાં ઘણા બાળકોને બિવરાવ્યા, એટલે તેઓ વરદત્ત નામના મુનિ કે જેણે નાગપ્રાસાદમાં વાસ કર્યો હતો ત્યાં આવ્યા. મુનિએ તે બધાને બીશો નહીં, તમને ભય નથી' એમ કહ્યું. આ પરથી તે નિમિત્તકે કહ્યું, “આપ જય પામશો.' રાજાએ તેથી બહાર નીકળી યુદ્ધ કર્યું અને ચંડપ્રદ્યોતને હરાવી જીવતો પકડી નગરમાં દાખલ થયો. પોતે અતિથિ છે તો તેને બચાવવો જોઈએ” એમ વિનતિ કરતાં ધુંધુમારે ઉદાર ચિત્ત રાખી તે વિનતિ સ્વીકારી અને તે ઉપરાંત પોતાની પુત્રીને પણ પરણાવી. (જુઓ વરદત્ત મુનિનું વૃત્તાંત) (આ વખતે ચંપાનગરીમાં મિત્રપ્રભ (ચંદ્રપ્રભ) રાજા હતો અને તેને ધર્મઘોષ ૧. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિમાં, ત્રિષષ્ટિશલાકાપુરપાટ માં વીતભય ગયા પછી કેટલોક સમય વીત્યા બાદ પર્યુષણ પર્વ આવે છે એમ જણાવ્યું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૭ મંત્રી હતો કે જે મંત્રી પાછળથી દીક્ષા લઈ ઉક્ત વરદત્ત મુનિના ગૃહસ્થપણામાં તે વરદત્ત મુનિને ત્યાં વહોરવા જતાં વરદત્તને જાતિસ્મરણ ઉપજાવ્યું હતું એમ આ વરદત્ત મુનિની કથામાં જણાવવામાં આવે છે.) બૌદ્ધ ગ્રંથમાં કોશલના રાજા પાસેનાદિ (પાલિ ભાષાનું નામ)ને ઘણા જુદા પાત્ર તરીકે વર્ણવેલ છે. ત્રીજા સંયુક્ત નામનો બૌદ્ધ ગ્રંથ આખો ૨૫ કથાનો છે અને દરેક કથા તેના સંબંધે છે. તે તક્કશિલા નામની છેડાના વાયવ્ય ખૂણામાં આવેલા પ્રસિદ્ધ વિદ્યાભૂમિમાં તેણે વિદ્યા લીધી હતી અને ત્યાંથી અભ્યાસ કરી પાછો ફર્યો કે તેના પિતા નામે મહાકોશલે તેને ગાદી પર બેસાડ્યો. રાજ્યની લગામ લીધા પછી ઘણી કુશળતા દર્શાવી. દરેક ધર્મ પર તે પ્રેમદષ્ટિ રાખતો હતો. તેણે બુદ્ધનો ઉપદેશ સાંભળ્યો ત્યારે તેની ફોઈ સુમના હાજર હતી. તેણીએ કેટલાક વખત પછી બૌદ્ધ દીક્ષા લીધી હતી અને થેરી ગાથામાં એક થેરી (વિરા) તરીકે ગણાઈ હતી. રાજા પાસેનાદિને બદલે એક સ્થળે રાજા અગ્નિદત્ત કહેલ છે, તો સંભવિત છે કે પર્સનાદિ એ વસ્તુતઃ રાજ્યપદવી હોય અને અગ્નિદત્ત એ તેનું ખરું નામ હોય. - પનાદિને બુદ્ધના કુટુંબી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ તેથી તેણે શાક્ય રાજાઓને તેમની એક કન્યા પરણાવવા કહ્યું. તે રાજાઓએ એકત્રિત થઈ વિચાર કરતાં ઠરાવ્યું કે પોતાના વંશની કન્યા આપવી એ પોતાને ઉતારી પાડવા જેવું છે, તેથી તેમાંના એક પ્રધાન રાજાની એક દાસીના પેટે થયેલ પુત્રી નામે વાસભ ખરિયા (ક્ષત્રિયા) તેને મોકલાવી. તેણીના પેટથી પર્સનાદિ રાજાને ઉપર્યુક્ત વિદુદાભ નામનો પુત્ર થયો. - વિદુદાભને આ કપટની પછી ખબર પડવાથી ઘણો ક્રોધ થતાં તેણે શાક્ય રાજા પર વેર લેવાનો નિશ્ચય કર્યો અને ગાદીએ આવ્યો ત્યારે તેમના દેશ પર ચડાઈ કરી, તેઓના શહેરનો કબજો લીધો અને શાક્ય જાતિના ઘણાને – સ્ત્રી, પુરુષો વૃદ્ધ કે જુવાનને મારી નાખ્યા. આ વાત પ્રાચીનમાં પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં જોકે હજુ સુધી મળી શકી નથી, પણ તેમાં પણ તે શાક્ય જતિ સામે યુદ્ધ થયાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી તે ઐતિહાસિક બીના હોય એ નિર્વિવાદ છે. એમ કહેવામાં આવે છે કે બુદ્ધના નિર્વાણ પહેલાં એકબે વર્ષે આ વાત બનેલી છે. આમાં કેટલુંક બળાત્કારે જણાવેલ હોય તેમ લાગે છે. એક નાની (શાક્ય) જાતિએ એ કોશલના રાજાના કુટુંબ સાથે સગાઈથી જોડાવાનું કેમ નીચું ગયું હશે એ સમજાતું નથી. અલબત્ત ઘણે સ્થલે શાક્ય જાતિ અભિમાની હતી તે બૌદ્ધ ગ્રંથ જણાવે છે, પણ તેમ છતાં લગ્નની સામે શા માટે તેમણે વાંધો લીધો તે આપણને સમજાતું નથી. આપણે જાણીએ છીએ કે શાક્ય જતિ જેવી જ અભિમાની અને સ્વતંત્ર એવી વેશાલીની લિચ્છવી જાતિના રાજાની (ચેટકની) પોતાની પુત્રી (ચેલણા) મગધના રાજા બિઅિસારને પરણી હતી. (જુઓ જૈન સૂત્ર ૧, ૨૫, પ્રો. જેકોબીનું વંશવૃક્ષ) વળી આ પણ લગભગ નિશ્ચિત છે કે સાવOી (કોસલ રાજ્યધાની)ના રાજવંશી કુટુંબે કોશલ જાતિમાં વંશપરંપરાએ મુખ્ય પદવી – આધિપત્ય મેળવ્યું હતું. કારણ કે કોશલવાસીઓમાં નાના નાના રાજાઓ અને કુલપુત્રો પણ રાજાઓ' એ સંજ્ઞાથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ઓળખવામાં આવ્યા છે, કે જે સંજ્ઞા જે જાતિઓ-લોકો કે જે અમીરવર્ગના વડપણવાળાં પ્રજાસત્તાક રાજ્ય ભોગવતા, તેના નાના નાના રાજાઓ અને કુલપુત્રોને લગાડવામાં આવતી. જૈન અને બૌદ્ધના પછીના ગ્રંથોમાં પોતાના સ્થાપકોના કુટુંબને હદ બહાર ઉપયોગિતા આપી દેવાની વલણ થઈ હોય તે સ્વાભાવિક છે. કારણકે પાછળના ગ્રંથો પ્રાચીન ગ્રંથોથી તે બાબતમાં જુદા પડે છે. તેથી વિદુદાભે શાક્ય જાતિ પર ચડાઈ કરવાનું છે કારણ ઉપર બતાવ્યું છે તે ભાગ્યે જ સંભવિત લાગે છે. શાક્યજાતિનો ગર્વ એ કારણથી કદાચ તેણે ચડાઈ કરી હોય. પણ ખરા કારણમાં પોતાની સાથે સગાઈ ધરાવતી શાક્યજાતિ પર ચડાઈ કરી તેને જીતવા માટે વિદુદાભને ઘણી જ સંભવિત રીતે ખાસ રાજકીય હેતુ જ હોવો જોઈએ, જેમકે મગધના અજાતશત્રુએ પોતાના સગા વૈશાલીના લિચ્છવી જાતિના રાજાઓ પર રાજકીય હેતુથી જ ચડાઈ કરી હતી. અજાતશત્રને વેશાલીની લિચ્છવી જાતિ પર હલ્લો કરવાનું શું કારણ હતું તે બૌદ્ધના એક સૂત્ર પરથી માલૂમ પડે છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે બુદ્ધ લિચ્છવી જાતિ મોજશોખથી નબળી પડી ગઈ છે, અને તેથી અજાતશત્રુ પોતાની ઈચ્છા પાર પાડી શકશે એવું ભવિષ્ય ભાખ્યું હતું. લગભગ ત્રણ વર્ષ પછી વસ્યકાર નામના બ્રાહ્મણના કપટી કાવતરાથી વેશાલીનાં મુખ્ય કુટુંબોમાં ક્લેશ ઉત્પન્ન થયો અને અજાતશત્રુએ મોટું સૈન્ય લાવી તેનો કબજો કર્યો અને સદંતર તેનો નાશ કર્યો. વળી બૌદ્ધ ગ્રંથ જણાવે છે કે અજાતશત્રુએ પોતાની રાજધાની રાજગૃહને કિલ્લો કરાવી મજબૂત કર્યું કારણ કે ઉજજેનીના રાજા પજ્જત ચડાઈ કરે તેવી આશા રખાતી હતી. આ હલ્લો કદી થયો કે નહીં અને તેનું શું પરિણામ આવ્યું તે જાણવું જરૂરનું અને રસપ્રદ થઈ પડે તેમ છે. પણ બૌદ્ધગ્રંથોમાંથી તે વિષે કંઈ જણાતું નથી. પછીથી જાણીએ છીએ કે ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં ઉજ્જૈની મગધના તાબામાં આવ્યું હતું અને અશોક જ્યારે નાનો હતો ત્યારે તેને ઉજ્જૈનીનો સૂબો નીમવામાં આવ્યો હતો. પણ વચમાં શું-શું થયું તે સંબંધી કંઈ જાણી શકાતું નથી. આ પ્રમાણે બૌદ્ધગ્રંથમાંથી મળી આવે છે. આ સિવાય તેમાંથી બીજું એ મળી આવે છે કે બુદ્ધના નિર્વાણ પહેલાં તેના કાકાનો દેવદત્ત નામે પુત્ર કે જેણે ઘણાં વર્ષો પહેલાં દીક્ષા લીધી હતી. તેણે બુદ્ધના મતથી જુદો મત કાઢ્યો હતો. બુદ્ધના શત્રુ તે દેવદત્તને સહાય અને ટેકો આપનાર તરીકે તે વખતના યુવરાજ અજાતશત્રુને બૌદ્ધ ગ્રંથોમાં જણાવવામાં આવેલ છે. લગભગ તે જ વખતમાં બિખ્રિસાર રાજાએ તે યુવરાજને ગાદી આપી હતી, અને તેવામાં જ દેવદત્તે તે રાજાને મારી નાખવા અજાતશત્રુને ઉશ્કેર્યો હતો, અને તે પ્રમાણે બુદ્ધના મરણ પહેલાં ૮મા વર્ષે અજાતશત્રુએ પોતાના પિતાને ભૂખ્યો રાખીરાખી ધીમે ધીમે મારી નાખ્યો. આથી પછી તેને ઘણો પશ્ચાત્તાપ થયો ત્યારે બુદ્ધ પાસે જઈ તેના ધર્મમાં આવવાથી આ જીવનમાં શું લાભ થાય એવો પ્રશ્ન કર્યો હતો, (આનું ચિત્ર પણ ભહુત ૧. તેમાં વજ્જિ જાતિના લોક કહ્યા છે, પણ લિચ્છવી તે વજિ જાતિની એક શાખા – જાતિ હતી તે બીજા બૌદ્ધ ગ્રંથમાંથી સ્પષ્ટ માલૂમ પડે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ * ૩૯ ટોપમાં મૂકેલ છે પણ બુદ્ધને પોતાને હમેશ મુજબ ચીતરવામાં ન આવતાં તેના ચરણે જ મૂકવામાં આવ્યા છે.) અને આનું સમાધાન થતાં બુદ્ધનું શરણ ગ્રહવા સાથે પિતાના વધ માટે પશ્ચાત્તાપ તેણે કર્યો એમ જણાવવામાં આવ્યું છે. પણ એ ચુસ્ત બૌદ્ધ થયો એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી. તેમ કદી પણ બૌદ્ધ તરીકે જીવન તેણે ગાળ્યું હતું એવો પુરાવો મળતો નથી; અને બુદ્ધના જીવન સુધી બૌદ્ધ ધર્મને તેણે ટેકો કે સહાય આપી હોય તેમ પણ જણાતું નથી. છતાં એવું જણાવવામાં આવ્યું છે કે બુદ્ધનું નિર્વાણ થયું ત્યારે તેની પેઠે પોતે પણ ક્ષત્રિય છે તેથી તેના અવશેષ ઉપર પોતાનો હક છે એમ જણાવી તેમાંથી અમુક ભાગ માગ્યો હતો અને તેને મળ્યો પણ હતો, કે જે ઉપર તેણે સ્તૂપ ગણાવ્યો હતો. (મહાનિર્વાણ સુત્ત). પણ આવું બહુ પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં મળતું નથી, જ્યારે પછીના ગ્રંથો જણાવે છે કે બુદ્ધના નિર્વાણ પછી તરત જ જે રાજગૃહની પ્રથમ પરિષદ્ ભરાયેલી હતી, તેને માટે તે વખતે સત્ત પત્રિ ગુફાના પ્રવેશદ્વાર પાસે એક મોટો હોલ' તેણે કરાવી આપ્યો હતો. આમ બૌદ્ધ થયા વગર બૌદ્ધ ધર્મ પ્રત્યે જેમ સર્વ હિંદી રાજાઓ સર્વ ધર્મોને આશ્રય આપે છે તેમ કૃપા દર્શાવી હોય એ સંભવિત છે. તેમજ બૌદ્ધ ગ્રંથમાં બીજા રાજાઓની સાથે સૂરસેનોના રાજાને અવન્તીપુત્ર તરીકે ગણાવેલ છે અને એક રાજા એલેધ્યાને ગૌતમ બુદ્ધના એક વખતના ગુરુ ઉદ્દક કે જે રામનો પુત્ર તથા શિષ્ય હતો તેનો મત સ્વીકારનાર અને તેને મદદ આપનાર તરીકે ગણાવેલ છે. બૌદ્ધ ગ્રંથમાં ઉપર જણાવેલ ચાર રાજ્યો જ ફક્ત છે કે જેના સંબંધે કંઈ પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. હવે જૈન ગ્રંથમાંથી રાજાઓ સંબંધે શું મળે છે તે જોઈએ. વૈશાલી નામની મોટી નગરીના રાજા ચેટકને સાત પુત્રીઓ નામે પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા અને ચલણા નામે અનુક્રમે હતી. આમાંથી પ્રભાવતી વીતભયનગરના રાજા ઉદાયનને, પદ્માવતી ચંપાપતિ દધિવાહનને, મૃગાવતી કૌશાંબીના રાજા શતાનીકને, શિવા ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતનને, અને Mા કુંડગ્રામના અધિપતિ નંદિવર્તન (મહાવીરના ભાઈને) પરણી હતી. આ પછી નાની બે બાકી રહી. તેમાંની સુજ્યેષ્ઠાને તેની સુંદરતા જાણી મગધ દેશનો રાજા શ્રેણિક (બિમ્બિસાર – બંબસાર) હરી લઈ જવા વૈશાલી આવ્યો હતો. તે તેને બદલે ચલ્લણાને લઈ ગયો અને ગાંધર્વવિવાહથી તેની સાથે લગ્ન કર્યું. આ સૌ થયા પહેલાં - આ પુત્રીઓનાં લગ્ન પહેલાં ચેટકની પોતાની બહેન નામે ત્રિશલા મહાવીરના પિતા સિદ્ધાર્થની સાથે પરણી હતી, અને તેનાથી નંદિવર્ધ્વન અને મહાવીર એ બે પુત્ર થયા હતા. ચેલણાથી શ્રેણિકને કુણિક (બૌદ્ધમાં જેને અજાતશત્રુ કહેવામાં આવે છે તે) બીજું નામ અશોકચંદ્ર તથા હલ અને વિહલ્લ એ નામના પુત્રો થયા હતા. પદ્માવતીથી દધિવાહનને ચંદના નામની પુત્રી થઈ હતી કે જે મહાવીરનો પ્રખર અભિગ્રહ પૂરો પાળી ચંદનબાળા નૈષ્ઠિક બ્રહ્મચારિણી તરીકે તેમની પ્રથમ સાધ્વી થઈ હતી, અને જેને પછી કેવળજ્ઞાન થયું હતું. મૃગાવતીથી શતાનીકને ઉદયન નામનો પુત્ર થયો હતો કે જેની સાથેનો ચંડપ્રદ્યોતનો યુદ્ધપ્રસંગ અને પછી સસરા-જમાઈનો સંબંધ, ઉપર કહી Page #61 -------------------------------------------------------------------------- ________________ ४० જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જવામાં આવ્યો છે. અને ઉક્ત મૃગાવતી તેના પતિનું મૃત્યુ થતાં તથા ચંડપ્રદ્યોતનું આક્રમણ થતાં મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય ઊપજતાં દીક્ષા લઈ પછી અંતે કેવલજ્ઞાન પામી હતી; અને પ્રભાવતીથી ઉદાયનને અભીચી નામે પુત્ર થયો હતો. ત્રિશલાને જૈન શાસ્ત્રમાં વિદેહદિન્ના (વિદેહપુત્રી) કહેવામાં આવેલ છે. શ્રેણિકને - બિંબિસારને કુણિક (અજાતશત્રુ) નામનો પુત્ર વિદેહપુત્રીથી – વિદેહદેવીથી થયેલ છે એ બૌદ્ધ ગ્રંથમાં મળી આવે છે, તેથી તે બંને વાત સાચી ઐતિહાસિક છે. વળી તે ઉપરાંત એ પણ પુરવાર થાય છે કે વૈશાલી એ વિદેહ દેશની રાજધાની હતી.) આમ અરસપરસ રાજાઓ સગાઈના સંબંધથી જોડાયા હતા, છતાં એકબીજાના રાજ્ય પર આક્રમણ કરવાની રાજનીતિ બદલાઈ નહોતી. એક બીજા વચ્ચે અનેક કારણોને લઈને યુદ્ધના પ્રસંગો આવ્યા છે. જેવા કે શતાનીક અને દધિવાહન વચ્ચે યુદ્ધ, શતાનીકને અને પછીથી તેની રાણી મૃગાવતીને ચંડપ્રદ્યોત સાથે યુદ્ધપ્રસંગ અને તેનું આવેલ શુભ છેવટ, શ્રેણિક અને ચંડપ્રદ્યોત, કૌશાંબીના શતાનીકના પુત્ર ઉદયનનું ચંડપ્રદ્યોતને હાથે બંધાવું ને નાસી ભાગવું, વીતભયના ઉદાયન રાજા સાથે ચંડપ્રદ્યોત, ચેટક અને કુણિકનો યુદ્ધપ્રસંગ અને તેમાં વૈશાલી નગરીનો નાશ માલૂમ પડે છે. આમાંથી પહેલા અને છેલ્લા પ્રસંગ સિવાય બીજા પ્રસંગો સંબંધી ઉપર કહેવાઈ ગયું છે, તેથી તે બે પ્રસંગ સંબંધે થોડું અહીં કહીશું. મહાવીરે ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં ગાળ્યા પછી દીક્ષા લઈ ૧૨ વર્ષ, કેવલજ્ઞાન પામ્યા પહેલાં એક દેશથી બીજા દેશમાં એમ વિહાર કર્યો હતો. તે વિહારના પહેલાં છ વર્ષ વીત્યા પછી બીજા છ વર્ષમાં વિહાર કરતાં છેલ્લા વર્ષમાં કૌશાંબી નગરીએ પોષ માસની કૃષ્ણ પ્રતિપદાએ આવ્યા. (ઈ.સ. પૂર્વે પપ૭માં.) આ વખતે ત્યાં શતાનીક રાજા રાજ્ય કરતો હતો, અને તેની રાણી મૃગાવતી વૈશાલીના ચેટક રાજાની પુત્રી) હતી. તેને સુગુપ્ત નામે મંત્રી હતો. મહાવીરે અભિગ્રહ એવો લીધો હતો કે અમુક જાતની રાજકુમારી અમુક સ્થિતિમાં રહી કુલ્માષ (અડદ) વહોરાવે તો જ પારણું કરે. આ અભિગ્રહ પૂરો ન થતાં ઉપવાસમાં ચાર માસ વીતી ગયા. આ અરસામાં શતાનીક રાજાએ સૈન્ય સાથે એક રાત્રીમાં જઈને ચંપાનગરીને ઘેરી લીધી. ચંપાપતિ દધિવાહન રાજા તેનાથી ભય પામી નાસી ગયો અને રાજાએ નગરીને લૂંટવાનો પોતાના સુભટોને હુકમ આપી દીધો. દધિવાહન રાજાને રાણી પદ્માવતી ઉર્ફે ધારણીથી થયેલી વસુમતી નામની પુત્રીને કોઈ ઊંટવાળો હરી ગયો. તે કૌશાંબી આવે છે અને કઈ રીતે મહાવીરનો અભિગ્રહ પૂરે છે એ અહીં પ્રસ્તુત નથી તેથી અન્ય સ્થલથી જાણી લેવાનું છે. સાથેસાથે જણાવવાનું કે આ દધિવાહન રાજાએ (પછીથી કે પહેલાંથી કહી શકાય તેમ નથી.) શતાનીક રાજાની કૌશાંબી નગરી અમિત સૈન્યથી ઘેરી લીધી હતી. શતાનીક કૌશાંબીની અંદર દરવાજા બંધ કરી રાહ જોતો ભરાઈ રહ્યો પણ કેટલેક કાળે ચંપાપતિ પોતાનું સૈન્ય બહુ હેરાન થવાથી અને ઘણું મરણ પામી જવાથી પોતાના નગર તરફ જવા ચાલ્યો. તે વખતે શતાનીક પોતાની નગરીના દરવાજા ઉઘાડી પોતાના સૈન્ય સાથે બહાર આવ્યો, અને ચંપાપતિ નાસી ગયો; જ્યારે કૌશાંબીપતિએ તેના Page #62 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ ૪૧. ૪૧ હાથી, ઘોડા અને ભંડાર વગેરે લઈ લીધું અને પછી પાછો સ્વનગર આવ્યો. આ સિવાય પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર પોતાના બાળકુમારને ગાદીએ બેસાડી દીક્ષા લીધી હતી. ત્યાર પછી તેના મંત્રીઓ ચંપાનગરીના રાજા દધિવાહનની સાથે મળી જઈને તેના રાજકુમારને રાજ્ય પરથી ભ્રષ્ટ કરશે એવું પ્રસન્નચંદ્ર મુનિને રાજગૃહમાં તેના રાજા શ્રેણિકનો એક સેનાની નામે દુર્મુખ કહેતો મહાવીરચરિત્રમાં જોવામાં આવે છે. (આ લગભગ ઈ.સ. પૂર્વે પ૨૦માં થયું હોય એમ જણાય છે – નિર્વાણ ને કેવલજ્ઞાન વચ્ચેના સમયમાં એ ચોક્કસ છે.) આ પરથી એમ જણાય છે કે ઈ.સ. પૂર્વે પપ૭માં અને પ૨૦માં દધિવાહન ચંપાપતિ હતો, ચંપાનગરીને લૂંટી અને દધિવાહન નાસી ગયો ત્યાર પછી તે પાછો ફર્યો હતો અને ચંપા પાછી લીધી હતી કે નહીં તે જણાવેલું નથી છતાં અનુમાન થાય છે કે તેણે ચંપાનગરી પાછી લીધી હશે. હવે ચંપાનગરી એક જ હતી કે જુદીજુદી તેની સમજણ પડતી નથી. કારણ કે ચંપાવાસી કામદેવ શ્રાવક થયો (ઈ.સ. પૂર્વે લગભગ પપ૦માં), અને તેની વાત જણાવતાં તે ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો એમ જણાવ્યું છે. તેમજ ઉપર જણાવેલ ચંડપ્રદ્યોત રાજા અને અંગારવતીના લગ્નની વાત જે પરથી લીધી છે તે વરદત્તમુનિના ઇતિહાસ પરથી જણાય છે કે તે વખતે ચંપાનગરીમાં મિત્રપ્રભ (ચંદ્રપ્રભ) અને ધર્મઘોષ નામનો મંત્રી હતો. આમ જુદાજુદા રાજાનાં નામ એક જ ચંપાનગરીના એકી વખતે ન હોઈ શકે (૧) કાં તો ચંપાનગરી જુદીજુદી હોવી જોઈએ, અને તેથી તેના રાજા જુદાજુદા હોઈ શકે. (૨) અથવા તો ચંપા નામની એક જ નગરી હોય તો તેના રાજાઓ એક પછી એક ગાદીએ આવ્યા હોય અને તે એકબીજાને પિતા-પુત્ર કે ભાઈ-ભાઈ એવા કંઈ સંબંધથી જોડાયેલ હોય. (૩) કંઈ જુદાજુદા નાના રાજાઓથી એકત્રિત શાસન ત્યાં પ્રવર્તતું હોય. કાલની ગણના કરતાં (૧) પ્રથમ અનુમાન વિશેષ વજનદાર જણાય છે. હવે આપણે કુણિક અને ચેટક વચ્ચેનો યુદ્ધપ્રસંગ વિચારીએ. શ્રેણિક રાજાએ (પોતાના પુત્ર અભયકુમારે શ્રી વીર પાસે દીક્ષા લીધી ત્યારે પોતાના કુણિક નામના વડા પુત્રને રાજ્ય આપવાનો નિર્ધારથી બીજા કણિકના સગા ભાઈઓ નામે હલ્લ અને વિહલને અઢાર ચક્રનો હાર, અને બેચનક નામનો હાથી આપ્યો. કુણિકે બીજા પોતાના ભાઈને સમજાવી પિતા શ્રેણિકને બાંધી કેદખાનામાં નાંખ્યો અને ત્યાં પછી શ્રેણિકે આત્મઘાત કર્યો. ત્યાર પછી ચંપાપુરી વસાવી. પાછળથી કણિકની રાણીએ હલ્લ વિહલને આપેલ હાર વગેરે તેની પાસેથી લઈ લેવા કુણિકને સમજાવ્યું, તેણે તેની માગણી કરતાં હલ્લ વિદ્ધ ચંપાપુરીથી પોતાના માતામહ (માતાના પિતા) ચેટક વિશાલીના રાજા) પાસે જઈ આશ્રય લીધો અને ત્યાં યુવરાજ જેવા રહ્યા. કુણિકે માતામહ ચેટકને તે હલ્લવિહલને પાછા સોંપી દેવા કહેવરાવ્યું, પણ ક્ષત્રિય રાજા આશ્રિતનો અને તે વળી પોતાના પૌત્રોનો ત્યાગ કદી પણ કરતા નથી એમ ચેટકે ઉત્તર આપતાં કુણિકે મોટા સૈન્ય સહિત વૈશાલી પર ચડાઈ કરી. મહાન યુદ્ધ થયું. બંને પક્ષના મળીને એક કોટિ અને એંશી લાખ સુભટો મરણ પામ્યા. ત્યાર પછી હલ્લવિહલે કુણિકસેનામાં દિવસનુદિવસ ઘણું ભંગાણ સેચનક હાથીથી પાડ્યું. પછી તે બંનેએ મહાવીર પાસે દીક્ષા લીધી. આખરે કુણિકે વૈશાલી નગરીને ભગ્ન કરી અને Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ચેટક ત્યાંથી ચાલ્યો ગયો. કુણિકે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વિશાલા નગરીનો નાશ કરી ખેડવા લાયક જમીન જેવી બનાવી દીધી. આમ જે યુદ્ધપ્રસંગો જે તે વખતે થયા તેનું કંઈક વર્ણન કર્યું. - હવે આપણે જુદાજુદા રાજાઓ લઈ તેની ઉપર જણાવ્યા કરતાં કંઈ વિશેષ માહિતી મળે તો જોઈએ : મગધ દેશ – પ્રસેનજિતુ, શ્રેણિક, કુણિક અને ઉદાયી. શ્રેણિક (બિમ્બિયાર) - આના પિતાનું નામ પ્રસેનજિત્ અને માતાનું નામ ધારિણી હતું. પ્રસેનજિતુ મગધ દેશનો રાજા હતો, અને તેનું મુખ્ય નગર કુશાગ્રપુર નામે હતું. અહીં વારંવાર અગ્નિનો ઉપદ્રવ થવા લાગ્યો તેથી રાજાએ આઘોષણા કરાવી કે “જેના ઘરમાં અગ્નિ લાગશે તેને નગર બહાર કાઢવામાં આવશે.” એક દિવસ રસોઇયાના પ્રમાદથી રાજાના ઘરમાંથી જ અગ્નિ નીકળી. રાજાએ પોતાના કુમારોને કહ્યું કે “જે વસ્તુ જે કુમાર લઈ જાય છે તેને સ્વાધીન છે.' શ્રેણિક કુમાર ભંભાનું વાદ્ય લઈ નીકળ્યો અને તેનું કારણ તેને પૂછતાં જણાવ્યું કે “આ ભંભાવાદ્ય રાજાઓનું પ્રથમ જયચિહ્ન છે, દિગ્વિજયમાં મોટું મંગળ છે.” આથી રાજાએ તેનું ભંભાસાર” એવું બીજું નામ પાડ્યું. હવે રાજાએ પોતાની આઘોષણા પ્રમાણે પોતે નગર છોડવું અને એક કોશ દૂર જઈ છાવણી નખાવીને ત્યાં રહ્યો; પછી લોકો ત્યાં જતાં પરસ્પર પૂછતા કે તમે ક્યાં જાઓ છો ?' ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતા કે “અમે રાજગૃહ (રાજાને ઘેર) જઈશું.” આ પરથી ત્યાં રાજગૃહ નામે નગર રાજાએ વસાવ્યું અને તેને ખાઈ, કિલ્લો, ચૈત્ય, મહેલો અને ચૌટાઓથી ઘણું રમણીય બનાવ્યું. રાજાએ શ્રેણિકને રાજયયોગ્ય ચતુર ગણેલ હતો તેથી તેને રાજ્ય આપવાનું બાકી રાખી બીજા કુમારોને જે કંઈ દેશ આપવાના યોગ્ય લાગ્યા તે આપી દીધા કે જેથી શ્રેણિક સંબંધે તેમને ખબર ન પડે, પણ શ્રેણિકને કંઈ ન મળ્યું તેથી તેને ખોટું લાગતાં તે ત્યાંથી ચાલ્યો ગયો. વેણા તટપુર જઈ ત્યાં એક શ્રેષ્ઠીની પુત્રી પરણ્યો. આથી અભયકુમાર નામનો પુત્ર ઔત્પાતિક બુદ્ધિવાળો અને પાછળથી શ્રેણિક રાજાના પાંચસો મંત્રીઓમાં પ્રધાન મંત્રી થયો હતો. શ્રેણિકને રાજાના મંદવાડ સમયે પાછો બોલાવ્યો ને તેને રાજ્ય આપ્યું. શ્રેણિક વૈશાલીના રાજા ચેટકની ચિલ્લણા નામની પુત્રીને ગાંધર્વ વિવાહથી પરણ્યો હતો અને તેથી તેને કુણિક, હલ્લ અને વિહલ્લ નામે ત્રણ પુત્રો અનુક્રમે થયા હતા. ધારણી નામની રાણીથી મેઘકુમાર નામે પુત્ર થયો હતો કે જેણે મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે સિવાય બીજી કુલપત્નીઓથી નંદિષેણ કે જેણે પણ વીર પાસે દીક્ષા લીધી હતી, તે અને તે સિવાય કાલ, મહાકાલ, ઈત્યાદિ બીજા દશ પુત્રો થયા હતા. શ્રેણિક મહાપ્રતાપી, શ્રદ્ધાવંત અને આદર્શ રાજા હતો; છેવટે કુણિકને રાજ્યયોગ્ય ગણી તેના માટે તે રાજ્ય રાખી બીજા કુમારોને જે આપવું હતું તે આપી દીધું, અને હવે કુણિકને રાજ્ય આપવાનું બાકી રહ્યું. પણ તે પહેલાં કુણિકે બીજા કુમારને ઉશ્કેરી શ્રેણિકને બાંધી કેદખાનામાં પૂર્યો અને સવાર-સાંજ સો-સો ચાબુક મારવા લાગ્યા. ખાનપાન પણ આપતો નહિ. કુણિકની માતા રાણી ચિલ્લણા કેદખાનામાં ગુપ્ત રીતે ખાનપાન આપી આવતી હતી. આ વખતે કુણિકને પદ્માવતી નામની રાણીથી ઉદાયી નામનો પુત્ર થયો. Page #64 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૪૩ તે પરે તેની ઘણી મમતા હતી, પણ માતા ચિલણાએ જણાવ્યું કે “તારા પિતાની જે મમતા તારા પર હતી તે પ્રમાણમાં તારા પુત્ર પ્રત્યેની મમતા કશા લેખામાં નથી, કારણકે કૂકડીના કરડવાથી અથવા કૂકડીનાં પીંછાં વડે વીંધાવાથી જ્યારે તારી આંગળી પાકી હતી અને અંદર જીવ પડ્યા હતા ત્યારે તારા પિતાએ તારી એવી આંગળીને પણ મુખમાં રાખી તને સુખ આપ્યું હતું. અને અત્યારે કારાગૃહમાં નાંખી ઉપકારી પિતા પર શું એવું આચરણ કરે છે ? આથી કુણિકને પશ્ચાત્તાપ થયો અને પિતાની બેડી સ્વહસ્તે જ તોડી નાંખવા માટે લોહદંડ લઈ કેદખાનામાં દોડ્યો. શ્રેણિક કે જે હમેશાં ચાબુક ખાતો હતો તેણે લોહદંડ કુણિકના હાથમાં જોઈ પોતાનો વધ કરવા જ આવે છે એમ વિચારી તાલુપુટ વિષ ખાધું અને તત્કાળ પ્રાણ છોડ્યો. કુણિક – આનો જન્મ થયો કે અશોક વનમાં લઈ જવામાં આવ્યો હતો તેથી તેનું નામ “અશોકચંદ્ર' પાડવામાં આવ્યું હતું. પણ ગર્ભમાં હતો ત્યારે ખરાબ દોહદ માતાને થયા હતા તેથી તેને વનમાં છોડવામાં આવ્યો ત્યાં કૂકડીએ તેની ટચલી આંગળી કરડી ખાધી, પછી તે પાકીને પરુથી વ્યાપી ગઈ. શ્રેણિક રાજાએ તેને વનમાંથી મંગાવી તેની આંગળી મુખમાં રાખી હતી. આંગળી પછી રુઝાઈ, પણ બૂઠી રહી તેથી તેને બાળકો ‘કુણક' (બૂઠી આંગળીવાળો) નાનપણમાં કહેવા લાગ્યા. ઉપર કહ્યા પ્રમાણે તેણે રાજ્ય મેળવ્યું. પિતાના આત્મઘાતથી તેને ઘણું દુઃખ થયું, તેથી રાજગૃહ નગર અકારું લાગ્યું અને ખેદથી મુક્ત થઈ ન શક્યો. આથી બીજું શહેર વસાવવા ઇચ્છયું અને તે પ્રમાણે ફરતાં ફરતાં ચંપક નામનું મોટું વૃક્ષ દેખાયું ત્યાં ચંપા નામે નગરી વસાવી; અને ત્યાં સૈન્ય વગેરે લઈ જઈ કુણિક રાજ્ય કરવા લાગ્યો. તેની સાથે વૈશાલીના ચેટક સાથેનું યુદ્ધ અને વૈશાલીનો નાશ એ બીના આગળ કહેવાઈ ગઈ છે. મહાવીરના સમયમાં જ વૈતાદ્યગિરિની તમિસ્રા ગુહા પાસે દેવથી બળી ભસ્મ થયો. આ લગભગ વીરના નિર્વાણ પહેલાં ત્રણચાર વર્ષે બન્યું જણાય છે. ઉદાયી - આ પછી પ્રધાનોએ તેના પુત્ર ઉદાયનને ગાદીએ બેસાર્યો. તે શ્રાવકવ્રતમાં ચુસ્ત હતો અને વીર પ્રત્યે અડગ શ્રદ્ધા રાખતો હતો. આને પણ જેમ પોતાના પિતાએ રાજગૃહમાં તેના પિતાનું મરણ થયું હતું તેથી બહુ ખેદ થતાં અને ત્યાં ચેન નહિ પડવાથી ચંપા નગરી વસાવી હતી, તેમ ચંપામાં પોતાના પૂર્વજોનું મરણ થતાં ચેન ન પડવાથી ગંગા નદી પર પાટલવૃક્ષ હતું ત્યાં નગર વસાવ્યું અને પાટલિપુત્ર ૧. જુઓ ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦મું – મહાવીર ચરિત્ર (હેમચંદ્રકૃત) ભાષાંતર પૃ. ૨૭૦. ૧૯૭૧ના વૈશાખના જૈન ધર્મપ્રકાશ'ના તંત્રી રાકુંવરજીભાઈ જણાવે છે કે “કુણિકની આંગળીમાં જીવ પડ્યાનું લખ્યું છે, પણ જીવ પડ્યા નહોતા, રસી થયેલું હતું, તેથી જ તેની શાંતિ માટે શ્રેણિક રાજા તે આંગળી મોઢામાં રાખતા હતા. જીવ પડ્યા હોય તો મોઢામાં રાખે નહિ” – રા. કુંવરજીભાઈ મૃ. ૧૩૩ પરની હકીકત પરથી તેમ લખવા દોરાયા લાગે છે. તેમાં એમ લખ્યું છે કે : “તે કૂકડીએ કરડી ખાધી હતી. તેની પીડાથી રુદન કરતા તે બાળકની આંગળી કે જે રુધિરપથી વ્યાપ્ત હતી, તેને રાજાએ સ્નેહ વડે મુખમાં નાખી એટલે એ બાળક રોતો બંધ રહ્યો.” – પણ તેમને પૃ. ૨૭૦ જોવા વિનંતી કરીશ. તેમાં જે જણાવ્યું છે તે મેં બતાવ્યું છે. - લેખક Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેનું નામ આપ્યું. તેણે એક વૈરી રાજાનું રાજ્ય લઈ લીધું હતું, તેથી તે દુષ્ટ તેનું વેર લેવા ૧૨ વર્ષ સુધી સાધુવ્રત પાળી સાધુવેશમાં ઉદાયી રાજાનું ખૂન ધર્મક્રિયામાં હતો ત્યારે કર્યું હતું. ચંપા (અંગદેશની રાજધાની) - તેના રાજા દધિવાહન સંબંધે કહેવાઈ ગયું છે. પણ યાદ રાખવાનું છે કે આ ચંપાથી કુણિકે વસાવેલી ચંપા તો ભિન્ન લાગે છે. વૈશાલી (વત્સદેશની રાજધાની) - તેના રાજા ચેટક સંબંધે અને તેના નાશ સંબંધે પણ કહેવાઈ ગયું છે. વીતભય (સિંધુ દેશનું પાટનગર) - તેના રાજા ઉદાયન સંબંધે પણ કહેવાઈ ગયું છે. તે રાજા ત્રણસો ત્રેસઠ નગરવાળા સિંધુ સૌવીર દેશનો રાજા હતો. કોસાંબી (વત્સદેશની રાજધાની) – તેના રાજા શતાનીક અને પછી તેના પુત્ર ઉદાયન સંબંધે કહેવાઈ ગયું છે. ઉજ્જયિની (અવંતી દેશની રાજધાની) – આના રાજા ચંડપ્રદ્યોત સંબંધે પણ કહેવાઈ ગયું છે. આમ જે મહાન રાજાઓ હતા તે સંબંધે કંઈક જાણ્યું. હવે બીજા નાના રાજાઓ સંબંધે કંઈ જાણીએ : | પૃષ્ઠ ચંપા નગરી – આ હિમાલય પર્વતની ઉત્તર તરફ આવેલી હતી. તેમાં શાલ (મોટો) અને મહાશાલ (નાનો) એમ બે ભાઈમાંથી શાલ રાજા હતો અને મહાશાલ યુવરાજ હતો. તે બંનેએ મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તેની બહેનનું નામ યશોમતી હતું. તેને પિઠર સાથે પરણાવી હતી અને તેથી ગાગલી નામે પુત્ર થયો. તે ગાગલી સાલ પછી ગાદી પર બેઠો હતો, અને તેણે પણ પોતાનાં માતાપિતા સહિત પોતાના પુત્રને ગાદી પર બેસાડી ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી હતી. દશાર્ણ દેશ – તેમાં દશાર્ણ નામે નગર હતું. તેમાં દશાર્ણભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેની ઋદ્ધિ સમૃદ્ધિ ઘણી હતી. વીર પ્રભુ પાસે તે વંદન કરવા આવ્યો ત્યાં ઈદ્રની દ્ધિ જોતાં તેનો મદ ગળી ગયો, અને દીક્ષા લીધી. આર્યદેશમાં આ દેશની પણ ગણતરી છે, પરંતુ તેના મુખ્ય નગર તરીકે મૃત્તિકાવતી એ નામ આપેલ છે. આદ્ગક દેશ – તેમાં મુખ્ય નગર આર્દક હતું. ત્યાં આર્દક નામે રાજા અને તેને આર્તના નામે રાણી હતી. તે બંનેના પુત્રનું નામ આર્તકકુમાર પાડ્યું હતું. આ દેશની અનાર્ય દેશમાં ગણત્રી છે. આર્દક નગર બંદર હતું, કારણકે ત્યાંથી વહાણ મારફતે તે આર્દકકુમાર આર્ય દેશમાં આવ્યો હતો એવો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં છે. પહેલાં તેણે સ્વયમેવ દીક્ષા લીધા પછી ગૃહસ્થાશ્રમ સેવી પુનઃ વીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. પોતનપુર – આમાં સોમચંદ્ર રાજા રાજય કરતો હતો. તેને ધારણી નામે રાણીથી પ્રસન્નચંદ્ર નામે પુત્ર હતો. આ રાજા રાજ્યત્યાગ કરી નાની વયના પુત્રને ગાદી પર સ્થાપી વનમાં પરિવ્રાજક થયો અને રાણીની સાથે તાપસવ્રતથી ઝૂંપડામાં રહેવા લાગ્યો. (તાપસવ્રત કેવું હતું તે વિષે જણાવેલ છે કે ઝૂંપડી તે મહેલ, ઇંગુદી ફળના તેલના દીવા તે જ માણિક્યના દીપક, શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ અંતઃપુર, અને પક્ષીઓ, મૃગો તે પ્રીતિપાત્ર હતાં) અહીં રાણીથી બીજો પુત્ર નામે વલ્કલચીરી (તાપસના વલ્કલમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૪૫ પોષાયેલો માટે) થયો. (પછી વલ્કલચીરીને કેવલજ્ઞાન થાય છે.) પછી સોમચંદ્ર મુનિ મહાવીર ત્યાં આવતાં દીક્ષા લે છે. પ્રસન્નચંદ્ર પણ દીક્ષા લે છે. ઉગ્ર ધ્યાન કરતાં તે પણ રાજર્ષિ કહેવાયા અને છેવટે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્વેતાંબી નગરી - જેબૂદ્વીપના ભારતવર્ષમાં કૈક્યાદ્ધ દેશમાં આ નગરી રાજધાની હતી. અહીં અધર્મીનો શિરોમણિ, જેના હસ્ત નિરંતર રુધિરથી લેવાયેલા જ રહે છે એવો, પરલોકની દરકાર વિનાનો અને પુણ્યપાપમાં નિરપેક્ષ એવો પ્રદેશ નામનો રાજા હતો. આ વખતે શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેના સહવાસથી પ્રદેશી રાજાનો મંત્રી નામે ચિત્રસારથિ જૈનધર્માનુયાયી થયો. ત્યારપછી પાર્શ્વનાથ સંતાનીય કેશિ કુમાર મુનિ આવ્યા અને તેની સાથે રાજાએ સંવાદ કર્યો – તે વાદ પરલોક, આત્મા, વગેરે સંબંધ છે અને તે સંવાદ રાજપ્રશ્રીય (રાજાના પ્રશ્નો જેમાં છે તે) સૂત્રમાં આપેલ છે. રાજાએ ગુરુની શિક્ષા ગ્રહણ કરી. પછી તેને તેની પટ્ટરાણી સૂર્યકાંતાએ અન્નમાં વિષ આપ્યું અને તે સમ્યક આલોચનાપૂર્વક ધર્મધ્યાનમાં મૃત્યુ પામ્યો. અપાપા(પાપા)પુરી – અહીં રાજા હસ્તિપાળ હતો. તેણે છેલ્લી મહાવીરની દેશના સાંભળી એટલે તે પ્રતિબોધ પામ્યો અને દીક્ષા લઈ મોક્ષ ગયો. આને પાવાપુરી હાલ કહેવામાં આવે છે, પણ ગુજરાતની પાવાપુરી તે આ પાપાપુરી નથી તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ સિવાય કેટલાક રાજાનાં નામ આવે છે તે જણાવીએ. વણિક ગામમાં જિતશત્રુ નામે રાજા (કે જ્યાં આનંદ શ્રાવક વસતો હતો), ચંપા કે જેનો કામદેવ શ્રાવક રહેવાસી હતો તેનો જિતશત્રુ નામે રાજા, કાશી કે જેનો વાસી ચુલની પિતા શ્રાવક હતો તેનો જિતશત્રુ રાજા (આ કાશી ઉર્ફે વાણારસી ગંગાનદી કાંઠે આવેલ ઉત્તમ નગરી હતી અને તે કાશી દેશની રાજધાની હતી.) અને મિથિલા નગરીનો રાજા જનક (આ નગરી વિદેહ દેશની રાજધાની ગણાવેલી છે.). મોટા રાજાઓ સિવાય નાની નાની રાજવંશી જાતિઓ હતી તે બૌદ્ધ ગ્રંથોમાંથી આ પ્રમાણે મળી આવે છે, અને તે જાતિઓના નાયકને પણ “રાજા” કહેવામાં આવતા. ૧. કપિલવસ્તુની શાક્ય-શાકીય કે જેમાં બુદ્ધનો જન્મ થયો હતો. ૨. સુંસુમાર પર્વતની ભગ ૩. અલકમ્પની બુલિ ૪. કેસપુત્તની કલામ ૫. રામગામની કોલિય ૬. કુસિનારાની મલ્લ ૭. પાવાની મલ્લ ૮. પિપ્પલીવનની મોરિય ૯. મિથિલાની વિદેહ (વજિજય) ૧૦. વેસાલીની લિચ્છવી (વર્જિય) આમાં મહાવીર જે જાતિમાં જન્મ્યા હતા તે જ્ઞાતૃકજાતિ ઉમેરી શકાય અને ઉપર્યુક્તમાંના મધ્ય અને લિચ્છક (બૌદ્ધમાં લિચ્છવી) જાતિના નવ નવ રાજાઓ મળી ૧૮ રાજાઓએ પાવાપુરીમાં મહાવીરનું નિર્વાણ થતાં દીપમાલિકા રચી હતી એમ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જણાવેલ છે. અને તે રાજા સંબંધે એવું વર્ણવેલું છે કે તેઓ પાવાપુરીમાં કોઈ કાર્ય માટે એકઠા થયેલા હતા અને કાશી-કોશલ દેશના રાજાઓ કે જેઓ વૈશાલીના રાજા ચેટક (ચેડા) રાજાની આજ્ઞા માનનારા હતા તેઓ હતા. આ બધી બાબતનું વિશેષ જ્ઞાન કે ખબર જૈનોનાં અંગઉપાંગ જોયા તપાસ્યા વગર મળી શકે તેમ નથી. પહેલાં હિંદુસ્તાન જંબુદ્વીપ કે ભરતવર્ષ – ભરતખંડ તરીકે બોલાવાતો અને વિખ્યાતિ પામ્યો હતો. હિંદુ એ નામ સિંધુ નદી પરથી પાછળથી થયું છે. જૈન ગ્રંથોમાં જંબુદ્વીપ એ નામ વારંવાર અને સ્થળે સ્થળે આવે છે. આમાં આર્ય અને અનાર્ય દેશ એવા ભાગ પડેલા છે. સભ્ય, ધર્મશીલ અને વિવેકી પ્રજાજન જ્યાં હોય તે દેશને આર્ય દેશ કહેવામાં આવતો. ૨. ભારતના ભિન્નભિન્ન દેશો હવે જુદાજુદા દેશો તરફ આવીએ. આર્ય દેશ : आरात् हेयधर्मेम्यो याताः प्राप्ता उपादेयधमैरित्यार्याः - જેઓ હેય ધર્મથી દૂર ગયા છે અને જેમણે ઉપાદેય ધર્મ પ્રાપ્ત કર્યો છે તેને ‘આર્ય' કહેવામાં આવે છે. - પ્રજ્ઞાપના સૂત્ર. એ જ પ્રમાણે સૂત્રકૃતાંગમાં આચારાંગમાં કહ્યું છે કે – आराद्रे याता गताः सर्वहेयधर्मेभ्यः જેઓ સર્વ હય-ત્યાજ્ય ધર્મથી દૂર ગયા છે તે આર્ય. તેથી વિપરીત તે અનાર્ય. એ આર્ય જ્યાં વસે છે તેને આર્યક્ષેત્ર કહેવામાં આવે છે. તે દેશ ૨૫ સાડી પચવીશ કહ્યા છે. रायगिह मगहचंपा, अंगा तह तामलित्ति बंगाय । कंचणपुरं कलिंगा, वाणारसी चेव कासीय ॥ १ ॥ साएय कोसला गयपूरं च कुरिसोरियं कुसढ्ढा य । कंपिल्लं पंचाला, अहिछत्ता जंगला चेव ।। २ ।। दारवती य सुरठ्ठा, मिहिल विदेहा य वच्छ कोसंबी । નંઢિપુરં સંડિછા, મદિપુરમેવ માયા ૫ | 3 || वइराड मच्छवरणा, अच्छा तह मतियावई दसणा । सोत्तियमइया चेदी, बीइभयं सिंधु सोवीरा ।। ४ ॥ महुरा य सूरसेणा, पावा भंगी य मास पुरिवथा । सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढा य ॥ ५ ॥ सेयंविया वियनगरी, केयइ अद्धं च आरीयं भणिय । एत्थुप्पत्ति जिणाणं, चक्कीणं रायकण्हाणं ॥ ६ ॥ - પ્રજ્ઞાપના ૧ ૫. Page #68 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો જ્યારે સંસ્કૃતમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરપચરત્રમાં તે જ વાત આ પ્રમાણે જણાવી છે. ते चार्यदेशा नगरैरुपलक्ष्या इमे यथा । ६६९ ॥ राजगृहेण मगधा अंगदेशस्तु चंपया ।। ६६६ || वंगा पुनस्ताम्रलिप्तया वाणारस्या च काशयः । कांचनपुर्या कलिंगाः साकेतेन च कौशलाः ।। ६६७ ।। कुरवो गजपुरेण सौर्येण च कुशार्त्तकाः । कांपील्येन च पंचाला अहिच्छत्रेण जांगलाः ॥ ६६८ ॥ विदेहास्तु मिथिलया द्वारावत्या सुराष्ट्रकाः । वत्साश्च कौशांबीपुर्या मलया भद्रिलेन तु ॥ नांदिपुरेण संदर्भा वरुणाः पुनरुच्छया વૈરાટેન પુનર્મતાઃ શુક્તિમસ્યા ઘ વેયઃ || दशार्णा मृत्तिकावत्य वीतभये मिथवः । सौवीरास्तु मथुरया शूरसेनास्त्वपापया ।। ६७१ ।। भंग्या मास पुरी वर्त्ताः श्रावस्त्या व कुणालकाः । कोटीवर्षेण लाटाश्च श्वेतम्ब्या केतकार्द्धकाः ।। ६७२ ॥ आर्यदेशा अमी एभिर्नगरेरुपलक्षिता । तीर्थकृच्चक्रभृत्कृष्ण बलानां जन्म येषु हि ।। ६७३ || ૬૭૦ || મુખ્ય નગર રાજગૃહ નગર ચંપા નગરી દેશનામ મગધ દેશ અંગ દેશ વંગ દેશ કલિંગ દેશ કાશી દેશ કૌશલ દેશ કુરુ દેશ કુશાવર્ત્ત દેશ પાંચાલ દેશ જંગલ દેશ સૌરાષ્ટ્ર દેશ વિદેહ દેશ વત્સ દેશ શાંડિલ્ય દેશ મલય દેશ મત્સ્ય દેશ તાપ્રલિપ્તિ નગર કાંચનપુર નગર વાણા૨સી નગર સાકેતપુર નગર ગજપુર નગર સૌરીપુર નગર કાંપિલપુર નગર અહિચ્છત્રા નગરી દ્વારાવતી નગરી મિથિલા નગરી કોસંબી નગરી નંદીપુર નગરી દ્દિલપુર વૈરાટ નગરી ૪૭ ગ્રામસંખ્યા ૬૬૦૦ હજાર પ૦૦ હજાર પ૦ હજાર ૧૦૦ હજાર ૧૯૨ હજાર ૯૯ હજાર ૮૭૩૨૫ ૧૪૦૮૩ ૩૮૩ હજાર ૧૪૫ હજાર ૬૮૦૫ હજાર ૮ હજાર ૨૮ હજાર ૧૦ હજાર ૭૦૦ હજાર ૮૦ હજાર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વરુણ દેશ ઉચ્છાપુરી નગરી ૨૪ હજાર દશાર્ણ દેશ મૃત્તિકાવતી નગરી ૧૮૯૨ હજાર ચેદિ દેશ શક્તિકાવતી નગરી ૬૮૦૦ હજાર (શુક્તિમતી) સિંધુસૌવિર દેશ વીતભયપત્તન નગર ૬૮૫૦૦ શૂરસેન દેશ મથુરાનગરી ૬૮ હજાર ભંગ દેશ પાવાપુરી નગરી ૩૬ હજાર માસ દેશ પરિવટ્ટા (પુરીવતા) નગરી ૧૪૨ હજાર કુણાલ દેશ સાવથી (શ્રાવસ્તી) નગરી ૬૩૦૫૩ લાટ દેશ કોટવર્ષ નગર ૨૧૦૩ હજાર કેકઈ દેશ કેતક) શ્વેતાંબિકા નગરી આ અર્ધ આર્ય દેશ છે. હવે અનાર્ય દેશ ૩૧૯૭૪ || છે, તેમાંથી કેટલાએકનાં નામ હેમચંદ્ર આપે છે म्लेच्छास्तु शका यवनाः शर्बरा बर्बरा अपि । कायारुंडा उड्राश्च गोड्राः पत्कणका अपि ॥ ६७९ ॥ अरपाकाश्च हूणाश्च रोमकाः पारसा अपि । खसाश्च खासिका डौम्बिलिकाश्च लकुसा अपि ॥ ६८० ।। भिल्ला अंध्रा बुक्कसा श्च पुलिंदाः क्रौंचका अपि । भमररुताः कुंचाश्च चीनव श्चुक मालवाः ॥ ६८१ ।। द्रविडाश्च कुलक्षाश्च किराताः कैकया अपि हयमुखा गजमुखा स्तुरगाजमुखा अपि ॥ ६८२ ।। हयकर्णा गजकर्णा अनार्या अपरेऽपिहि । मा येषु न जानंति धर्म इत्यक्षराण्यपि ।। ६८३ ।। - શક દેશ, યવન દેશ, શબરદેશ, બર્બર દેશ, કામ દેશ, મુjડ દેશ, ઉગ્ર દેશ, ગોડ઼ દેશ, પત્થણ દેશ, અરપાક દેશ, હૂણ દેશ, રોમક, પારસ, ખસ, ખાસિક, ડોમ્બિલિક, લકુસ, ભિલ, અંધ, બુક્કસ, પુલિંદ, ક્રૌંચક, ભમરૂત, કુંચ, ચીન, ચૂક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાત, કેકય હયમુખ, ગજમુખ, તુરગાજમુખ, હયકર્ણ, ગજકર્ણ - એ સિવાય બીજા પણ અનાર્ય દેશો છે. ઉક્ત અનાર્ય દેશોમાં માનવો ધર્મ એવા અક્ષરો જ જાણતા નથી. (બ્રાહ્મણોનું આદિત્ય પુરાણ કે જેના રચાયાનો કાલ નિર્મીત નથી યા અમને અજ્ઞાત છે તે લગભગ સર્વ દેશો અનાર્ય હતા એવું જણાવે છે કે જેમાં જૈન ગ્રંથોમાં જણાવેલ આર્યદેશોમાંના ઘણાનો સમાવેશ થઈ જાય છે. તે સર્વ અનાર્ય દેશોનાં નામ અહીં તુલના કરવા અર્થે આપવાં ઠીક થઈ પડશે – તેની સાથે તે દેશોમાં જવાનું નિષિદ્ધ કરેલ છે. कांची काश्यप सौराष्ट्र देवराष्ट्रोऽन्ध्र मत्स्यजाः । कावेरी कोंकणा हूणास्ते देशा निन्दिता भृशम् ।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો ૪૯ पंचनद्यो वहन्त्येता यत्र निःसृत्य पर्वतात् । आरट्टा नाम ते देशा न तेष्वार्योऽन्वहं वसेत् ॥ नर्मदासिंधुकौशीनां पारं पद्मस्य पश्चिमम् । गत्वा नरकमायाति तीर्थकालाधिकं वसन् ॥ अंगवंगकलिंगाश्च लाटमालविकास्तथा । नर्मदादक्षिणे यश्च सिंधोरुत्तरमेव च ॥ पौंड्राश्चेव सुराष्ट्राश्च वैद्यमागधिकास्तथा । न विवाहं तथा श्राद्धं यज्ञं चैव समाचरेत् ।। पापदेशाश्च ये केचित् पापैरध्यषिता जनैः । गत्वा देशानपुण्यांस्तु कृत्स्नं पापं समश्नुते ॥ सौराष्ट्र सिंधु सौवीरमावन्त्यं दक्षिणापथम् । गत्वैतान्कामतो देशान् कलिंगाश्च पतेत् द्विजः ।। - કાંચી, કાશ્યપ, સૌરાષ્ટ્ર, દેવરાષ્ટ્ર, અંધ, મત્સ્ય, કાવેરી, કોંકણ, હૂણ – આ દેશ અતિ નિંદિત છે. જ્યાં પર્વતથી નીકળી પાંચ નદી વહે છે તે આરટ્ટ દેશમાં આર્યોએ વસવું નહીં. નર્મદા સિંધુ, કૌશીના સામે પાર અને પદ્મની પશ્ચિમે જઈને તીર્થકાલથી અધિક વસનાર નરકમાં જાય છે. અંગ, વંગ, કલિંગ, લાટ, માલવિક, નર્મદાની દક્ષિણે આવેલ દેશ, અને સિંધુની ઉત્તરે આવેલ પ્રદેશ, પોંડ, સુરાષ્ટ્ર, વૈદ્ય, મગધ, આ દેશોમાં વિવાહ, શ્રાદ્ધ, અને યજ્ઞ કરવાં ન જોઈએ. જે કેટલાક પાપી માણસોથી વસાયેલા હોઈ પાપદેશો છે તે અપુણ્ય દેશમાં જવાથી સમસ્ત પાપના ભાગી થવાય છે. સૌરાષ્ટ્ર સિંધુ, સૌવીર, અવન્તીનો દક્ષિણાપથ, કલિંગ – આ દેશમાં ઈચ્છાપૂર્વક જવાથી દ્વિજ પતિત થાય છે. ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરનાર વાચક સહજ જોઈ શકશે કે ઉપલા ઉતારામાં ગણાવેલા સઘળા દેશોમાં એક વખત મ્લેચ્છ અને અનાર્ય લોકની વસ્તી થઈ ગઈ હતી. હિંદુસ્થાનના જુદા જુદા ભાગોમાં જેમ જેમ મ્લેચ્છ લોકો ધસતા ગયા તેમ તેમ વર્ય દેશોની યાદી વખતોવખત વધતી ગઈ. પણ એ જ પ્લેચ્છો જતે દહાડે દેશમાં સમાઈ ગયા. દેશ નિર્ણય' – અમુક ભાગ પવિત્ર અને અમુક અપવિત્ર એ વિચાર જતો રહ્યો.” – વસંત આષાઢ ૧૯૭૦) આ સાડા પચ્ચીશ આર્ય દેશ તે આ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ્વ ભાગના મધ્ય ખંડ વિષે છે. આમાં તીર્થકર, ચઝિ, રામ (બલદેવ), કૃષ્ણ (વાસુદેવ) આદિ ત્રેસઠ ઉત્તમ પુરુષો જન્મ પામે છે. તેમજ શક અને યવનાદિક ૩૧૯૭૪|| અનાર્ય દેશ છે તેમાં બધા અનાર્ય લોકો વસે છે. આર્યક્ષેત્ર સીમા નિશીથ ચૂર્ણિમાં કહેલ છે ? मगहा कोसंबीया, थूणा विसओ कुणालविसओ य । ___ एसा विहारभूमी पत्ता आयरियं खेत्तं ।।। - પૂર્વમાં મગધ દેશ, દક્ષિણમાં કૌશાંબી, અને પશ્ચિમમાં ઘૂણા (?) અને ઉત્તરમાં કુણાલ દેશ (સાવથી નગરી) તે આર્યદેશ વિહારભૂમિ છે. આમાંથી કેટલાક વિષે હાલની જણાયેલ ભૌગોલિક હકીકત સાથે જણાવીએ. તેમાં મુખ્ય આધાર ડૉક્ટર Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો હાઇસ ડેવિડ્સકૃત “બૌદ્ધ ભારત’ નામના પુસ્તકમાં બૌદ્ધગ્રંથોના આધારે જે જણાવેલ છે તેનો લીધો છે : જેમ જૈનોમાં દેશ સંબંધી ટીપ આ પ્રમાણે આપી છે તેમ બૌદ્ધ ગ્રંથોમાં ૧૬ દેશની ટીપ આપી છે : અંગ, મગધ, કાશી, કોશલ, વજ્જી, મલ્લા, ચેટિ, વંશ (વત્સ), કુરુ, પંચાલ, મચ્છ (મસ્ય), સૂરસેના, અસ્સક, અવન્તી, ગંધાર અને કંબોજ. આ બંને ટીપ સરખાવતાં ઘણું સમાનપણું માલૂમ પડે છે. પણ અવંતીનું નામ જૈન પ્રમાણે આર્ય દેશની ટીપમાં ખાસ કરીને નથી તેથી કદાચ તેનો સમાવેશ માલવ નામના અનાર્ય તરીકે ગણાવેલ દેશમાં થતો હોવો જોઈએ. કારણકે જૈનની ટીપ બૌદ્ધ કરતાં મોટી અને વિસ્તારવાળી છે, અને આર્ય દેશની ટી૫માં ન હોવાથી ગંધાર, કંબોજ આદિને અનાર્ય દેશ જૈનોએ ગણેલા હોવા જોઈએ અથવા વધારે સંભિવત રીતે તેનો કોઈ આર્ય દેશમાં સમાવેશ થતો હોવો જોઈએ. ૫૦ ૧. મગધ હાલમાં બિહાર નામનો પ્રાંત છે તે મગધ દેશ હતો. સંભવિત રીતે તે વખતે તેની સીમા ઉત્તરે ગંગા નદી, પૂર્વે ચંપા નદી, દક્ષિણે વિંધ્યાચલ પર્વત, અને બૌદ્ધ ગ્રંથ વિનયપિટકમાં જણાવ્યા પ્રમાણે તેમાં અને અંગદેશમાં મળીને એંસી હજાર ગ્રામ હતાં અને તેનો ઘેરાવો (પરિઘ) ત્રણસો લીગ એટલે આશરે ત્રેવીસસો માઈલ હતો એમ એક બૌદ્ધ ગ્રંથમાં જણાવેલ છે; જ્યારે ઉપર જોઈ ગયા તેમ જૈન ગ્રંથ એકલા મગધ દેશમાં છ હજાર છ સો છાસઠ લાખ ગ્રામ હતાં એમ જણાવે છે. ૨. અંગ - અંગ લોકો મગધની પૂર્વે આવેલ દેશમાં વસતા હતા અને તેની રાજધાની ચંપા હતું કે જે હાલના ભાગલપુર પાસે આવેલ હતું. તેની સીમાની ખબર નથી. બૌદ્ધના ગ્રંથ પ્રમાણે બુદ્ધના વખતમાં તે મગધને તાબે હતું, અને તેણે પાછી સ્વતંત્રતા મેળવી હોય એવું જણાતું નથી. આની પૂર્વે તે સ્વતંત્ર હતું અને આસપાસના પાડોશી રાજ્યો સાથે યુદ્ધ થવાની કથાઓ મળે છે. બુદ્ધના વખતમાં અંગરાજ માત્ર સંપત્તિમાન અમીર જેવો હતો, અને તેણે અમુક બ્રાહ્મણને જિવાઈ બાંધી આપી હતી એમ બૌદ્ધ ગ્રંથમાંથી મળી આવે છે. જૈન ગ્રંથમાંથી એવું જણાય છે કે ચંપાનો રાજા દધિવાહન હતો. તે વૈશાલી નગરીના રાજા ચેટકની પુત્રી પદ્માવતી અથવા બીજું નામ ધારણીને પરણ્યો હતો. તેના પર કૌશાંબીના રાજા શતાનીકે ચડાઈ કરી હતી અને તેથી તે રાજા નાસી ગયો હતો. શતાનીક લૂંટ કરી કૌશાંબી આવ્યો. પાછળથી દધિવાહનનું શું થયું તે કંઈ જણાતું નથી. ઈ.સ.૫૬૨થી ૫૫૬ની વચમાં ચંપા કૌશાંબી (વત્સદેશને) – બૌદ્ધ પ્રમાણે મગધ દેશને નહિ તાબે થયું હશે. અલબત્ત પછી જૈન ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ચંડપ્રદ્યોત નામના અવંતીના રાજાએ કૌશાંબી પર ચડાઈ કરી હતી અને તે વખતે શતાનીક રાજા મરણ પામ્યો હતો. અને તે ચંડપ્રદ્યોતને બાંધીને રાજગૃહમાં (મગધની રાજધાનીમાં) શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે આણ્યો હતો. — ૩. કાશી – તે હાલના કાશીમાં રહેલ લોકો હતા. બૌદ્ધના ગ્રંથ પરથી જણાય છે કે બુદ્ધના વખતમાં ભારતનું આ પ્રખ્યાત પ્રાચીન રાજ્ય એટલી બધી રાજકીય નબળી દશામાં આવી પડ્યું હતું કે તેની રાજ્યની આમદાની માટે મગધ અને કોશલ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. અને તે રાજ્યને કોશલમાં જોડી દેવામાં આવ્યું હતું, બૌદ્ધના જાતક ગ્રંથમાં તે દેશનો પિરઘ બે હજાર માઈલ કરતાં વધુ જણાવે છે. તેણે કદી Page #72 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો સ્વતંત્રતા પુનઃ મેળવી નથી. તેની સીમા શું હતી તે જણાતું નથી. ૪. કોશલ – તે લોક જે રાજ્યમાં રહેતા હતા તેની રાજધાની સાવથી હતું કે જે હાલના નેપાલમાં હાલના ગોરખપુરની વાયવ્ય કોણમાં ૭૦ માઈલ છેટે હતું. તેની અંદર વણારસી અને સાકેતનો સમાવેશ થતો હતો અને તેની સીમા સંભવિત રીતે એ હતી કે દક્ષિણે ગંગા નદી, પૂર્વે ગંડક નદી અને ઉત્તરે પર્વતો આવેલ હતા. શાક્ય લોકોએ ઈ.સ. પૂર્વે ૭મા શતકમાં કોશલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. આમ બૌદ્ધ ગ્રંથમાંથી જણાય છે. જૈન ગ્રંથ પ્રમાણે કોશલ દેશની રાજધાની સાકેતપુર કહેલ છે (કે જેનો સમાવેશ થઈ જતો હતો એમ ઉપર જણાવ્યું છે) જ્યારે સાવથી નગરી એ કુણાલ દેશની રાજધાની હતી. તો કદાચ દેશનો સમાવેશ કોશલમાં થતો હોય તો કહેવાય નહીં. વળી બૌદ્ધ ગ્રંથો પરથી જણાય છે કે આ રાજ્ય અને મગધ રાજ્ય વચ્ચે રાજકીય યુદ્ધ થતાં હતાં. આ રાજ્ય ગંગા અને પર્વતોના વચ્ચેના પ્રદેશમાં આવેલ લોકો ૫૨ જીત મેળવી તેને વશ કર્યા હતા. મગધ અને કોશલ એ બે રાજ્યમાંથી કોણ ભારતમાં મોટું ગણાય તે સંબંધીનો ઝઘડો, મગધને લિચ્છવી જેવું સ્વતંત્ર અને શક્તિવાળું રાજ્ય મદદ આપવા તૈયાર થયું, તેથી દૂર થયો. કોશલોએ કાશી ૫૨ અનેક ચડાઈઓ બુદ્ધના વખત પહેલાંના તેના રાજા નામે વંક, દખ્ખસેન અને કંસે કરેલી હતી. અને છેવટે કંસ રાજાએ કાશી પર જીત મેળવી તેથી તેનું નામ ‘કાશીજિત્’ પડ્યું. ૫૧ ૫–૬. વિદેહ – વિદેહીઓ અને લિચ્છવી એ બે મોટાં અને બીજાં છ નાનાં એમ આઠ રાજ્યો મળી ‘વજ્જિયન' કહેવાતા. વિદેહ એ બુદ્ધ કરતાં પૂર્વના કાળમાં એક જુદું રાજ્ય હતું એમ દંતકથા જણાવે છે, જ્યારે બુદ્ધના વખતમાં એક પ્રજાસત્તાક રાજ્ય જેવું હતું એમ બૌદ્ધ ગ્રંથમાંથી જણાય છે. તેને જુદા રાજ્ય તરીકે લેખતાં તેનું કદ આશરે ૨૩૦૦૦ માઈલ પરિઘમાં હતું એમ કહેવામાં આવે છે. તેની રાજધાની મિથિલા લિચ્છવીની રાજધાની નામે વૈશાલીથી વાયવ્ય કોણમાં આશરે ૩૫ માઈલ દૂર હતી. ત્યાં મહાન જનક રાજા બૌદ્ધ ધર્મના ઉદયની પહેલાં થોડા સમય અગાઉ રાજ્ય કરતો હતો. અને એ સંભવિત છે કે હાલનું જનકપુર નામનું શહેર તે મહાન ક્ષત્રિય વિદ્વાન અને પૂર્વના એક ફિલસૂફ એવા જનકરાજાનું સ્મરણ જાળવી રાખે છે. જૈન ગ્રંથ નામે હેમચંદ્રના મહાવીર ચિરત્ર' પર નજર નાખતાં મહાવીર પોતાના વિહાર દરમ્યાન મિથિલાનગરીમાં રાજગૃહથી વિહાર કરી આવ્યા હતા. અને તે વખતે તેમને વંદન કરવા અર્થે જનક રાજાએ આવી સુખશાતા પૂછી પૂજા કરી હતી. આ જનક રાજા એક હોય એમ માની શકાતું નથી. મહાવીરે અહીંથી વિહાર કરી વિશાલા નગરી (કે જેના લોકને બૌદ્ધમાં લિચ્છવી’ જણાવ્યા છે)માં ૧૧મું ચોમાસું કર્યું હતું. આ પરથી જણાય છે કે મિથિલા નગરી તે રાજગૃહ ને વિશાલી નગરીની વચમાં આવેલ હોવીજોઈએ. વિશાલી નગરીને વિશાલાપુરી એ નામ આપ્યું છે. આનો રાજા આ વખતે ચેટક નામનો હતો અને તેની ૭ કુંવરી પૈકી છ જુદાજુદા રાજાઓને પરણી હતી કે જે ઉપર જણાવી દીધેલ છે. અહીં ખાસ જણાવવાનું કે વિશાલી નગરી જેની રાજધાની છે તે દેશનું આ ૨૫! આર્ય દેશની ટીપમાં નામ આપ્યું નથી. આ પરથી કદાચ Page #73 -------------------------------------------------------------------------- ________________ પર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો વિશાલીનગરીનો સમાવેશ બીજા દેશમાં થતો હોય તો તે સંભવિત છે, અગર તે નાનું સરખું પરંતુ ઉપયોગી રાજ્ય હોય તે સંભવિત છે. ૭. ચેટિ – આને ચેદિ પણ કહેવામાં આવેલ છે. આનાં બે જુદાં સંસ્થાન હતાં. તેમાંનું એક સંભવિત રીતે જૂનું તે હાલ જ્યાં નેપાલ દેશ છે તેમાં પર્વતોમાં આવેલા હતું. અને બીજું તેનાથી સંભવિત રીતે નવું તે કોશાંબી પાસે પૂર્વ તરફ હતું. કેટલાક તેને વત્સદેશ સાથે ગણી ગોટાળો કરે છે, પણ આને તેથી જુદું જ પાડવામાં આવેલ છે તેથી તે જુદું જ હોવું જોઈએ. જૈન પ્રમાણે આની રાજધાનીનું શહેર શુક્તિકાવતી એ ખાસ આપેલ છે. ૮. વત્સ (બૌદ્ધમાં વંસા) - તે વત્સોનો દેશ છે કે જેની રાજધાની કોસાંબી કરીને છે. તે અવંતીની તરત જ ઉત્તર અને જમના નદીના કાંઠા ઉપર આવેલ હતી. આ સંબંધે બૌદ્ધ અને જેનો સરખી રીતે હકીકત આપે છે. – આનું મુખ્ય નગર જૈન પ્રમાણે ગજપુર કહેલ છે, જ્યારે બૌદ્ધ ગ્રંથ પ્રમાણે ઈદ્રપ્રસ્થ છે. ઇન્દ્રપ્રસ્થ હાલની દિલ્હી પાસે હતું. આ દેશની ઉત્તરે પાંચાલ અને દક્ષિણે મત્સ્ય દેશ હતો. બૌદ્ધના જાતકગ્રંથ આધારે આ દેશનો ઘેરાવો બેહજાર માઈલ હતો. બુદ્ધ અને મહાવીરના સમયમાં આની રાજકીય ઉપયોગિતા વિશેષ હતી નહીં. ૧૦. પાંચાલ – આનું મુખ્ય નગર કાંડિલ્ય કે જેને બૌદ્ધમાં કંપિલ કહેવામાં આવ્યું છે તે હતું. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે બે પાંચાલ દેશ સાથેસાથે હતા. તેમાં એકનું ઉપર્યુક્ત અને બીજાનું કનોજ નામે નગર મુખ્ય નગર હતાં. આ દેશ કુરુ દેશની પૂર્વે આવેલ હતો. ૧૧. મત્સ્ય (મચ્છ) – જેનગ્રંથ પ્રમાણે આની રાજધાની વિરાટ નગરી હતી.આ કુરુદેશની દક્ષિણે અને જમના નદીની પશ્ચિમે આવેલ હતો. જમનાની એક બાજુએ આ દેશ અને બીજી બાજુએ દક્ષિણ પાંચાલ હતો. ' ૧૨. શૂરસેન દેશ – તેની રાજધાની મથુરા (બી. મધુરા) હતી. એને તે મત્સ્ય દેશના બરાબર નૈઋત્ય કોણમાં અને જમના નદીના પશ્ચિમે આવેલ હતો. ૧૩. ભગ્ન – આ દેશની રાજધાની પાવાપુરી હતી. બૌદ્ધમાં પણ સુસુમાર પર્વત પાસે ભગ્ન જાતિ રહેતી હતી અને પાવામાં મધ જાતિ વસતી હતી એમ જણાવ્યું છે. તો પાવાપુરી સુસુમાર પર્વત પાસે આવેલ ગણી શકાય. ચીનના પ્રવાસી લખી ગયા છે તે પ્રમાણે પાવાની મધ્વજાતિનો પ્રદેશ પર્વતના ઢોળાવો ઉપર શાક્ય ભૂમિની પૂર્વે અને વજિજયના દેશની ઉત્તરે હતો, પરંતુ કેટલાક તે પ્રદેશ શાક્યભૂમિની દક્ષિણે અને વર્જિયના દેશની પૂર્વે હતો એમ જણાવે છે. ઉક્ત મલ્લ જાતિ કુશિનારામાં પણ રહેતી હતી. બંને શહેરની મધ્ય જાતિ સ્વતંત્ર જાતિ હતી. ૧૪. સૌરાષ્ટ્ર – હાલ જેને કાઠિયાવાડ ને ગુજરાત કહેવામાં આવે છે તે. તેની રાજધાની દ્વારામતી (હાલનું દ્વારકા) હતી. તે બંદર હતું. બૌદ્ધ ગ્રંથમાં કાંબોજ નામનો દેશ હતો અને તે છેવટના વાયવ્ય ખૂણામાં આવેલ હતો, અને તેની રાજધાની દ્વારકા હતી એમ જણાવેલ છે. • * * * * * * * * Page #74 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો ૫૩ આ સિવાય બૌદ્ધગ્રંથમાં અસ્સક, અવન્તી અને ગાંધાર નામ આપેલ છે. અસ્સક – બુદ્ધના વખતમાં ગોદાવરીના તીરે વસેલું સંસ્થાન હતું, અને તેની રાજધાની પોતન ઉર્ફે પોટલિ હતું. (આ જેનમાં જણાવ્યા પ્રમાણે મહાવીરના શિષ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે નગરમાં રાજ્ય કરતા હતા તે પોતનપુર જ અને આના પર તે રાજર્ષિ પછી તેનો બાલ પુત્ર ગાદી પર હતો ત્યારે અવંતીના રાજાએ ચડાઈ કરવા તૈયારી કરી હતી એમ કથા પરથી સ્પષ્ટ જણાય છે.) આ શૂરસેન અને અવન્તીની વચમાં આવેલ દેશ હતો. અવન્તી – મુખ્ય નગર ઉજજૈણિમાં રાજા ચંડપ્રદ્યોત કે જેના વિશે આગળ ઘણું કહેવાઈ ગયું છે તે રાજ્ય કરતો હતો. પાછળથી આ દેશનો મોટો ભાગ સિંધુ નદીની ખીણમાંથી આવી જે આર્ય લોક કચ્છના અખાતમાંથી પશ્ચિમ તરફ ગયા હતા તેણે લઈ લીધો હતો. ગંધાર – હાલનું કંદહાર, પૂર્વ અફગાનિસ્તાનનો દેશ અને ઘણું કરી તેમાં પંજાબના વાયવ્ય ખૂણામાંનો પ્રદેશ સમાઈ જતો હતો. તેની રાજધાની તક્ષિલા હતી. બુદ્ધના વખતમાં તેના રાજા પુક્સાતિએ મગધના રાજા બિસ્મિસાર પાસે પોતાના પત્ર સાથે એક એલચી મોકલ્યો હતો એમ કહેવામાં આવે છે. કેટલાંક મુખ્ય શહેરો : ૧. અયોધ્યા – સરયૂ નદી પર કોશલ દેશમાં આવેલ શહેર હતું. તેની પ્રખ્યાતિ રામાયણના નાયક રામચંદ્રજીની રાજધાની તરીકે થઈ છે. આને મહાભારતમાં પણ જણાવવામાં આવ્યું નથી, અને આ સમયમાં તે જાણીતું ગણાતું જ નહીં ૨. વરાણસી (બનારસ હાલનું) – ગંગા નદીના ઉત્તર કિનારા પર તેના અને વરણ નદીના સંગમસ્થાને આવેલ શર. તેની સીમામાં વરણ નદી અને અસિ નામની નાની નદી વચ્ચેનો ભાગ આવી જતો હતો અને તે નામ પરથી જ જણાય છે. લગભગ ૮૫ માઈલનો વિસ્તાર ખૂદ્ધ મહાવીરના સમય પહેલાં હતો. આ વાત અવિશ્વાસને પાત્ર નથી કારણકે મેગાસ્થનીસ રાજગૃહમાં રહેતો હતો અને તેણે રાજગૃહની કિલ્લાની દીવાલોનો વિસ્તાર લગભગ ૨૫ માઈલ જણાવેલ છે. આમાં પંડિતોના વાદો બહુ થતા હતા. ૩. ચંપા – ચંપા નદી પર આવેલ અંગદેશનું પ્રાચીન પાટનગર હતું. કનિંગહામ કહે છે કે તે ભાગલપુરની પૂર્વે ૨૪ માઈલ પર ચંપા નામનું ગામ છે ત્યાં તે નગરી આવેલી હતી આના કરતાં જૂનું નગર ચંપા નામનું કાશમીરમાં હતું. ૪. કંપિલ – ઉત્તર પંચાલની રાજધાની. ગંગા નદીના ઉત્તર કિનારા પર હતું. ૫. કોસાંબી – વત્સ દેશની રાજધાની. ગંગા નદી પર, વરાણસી નગરથી ૨૩૦ માઈલ પર આવેલ હતી. દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફથી આવી કોશલ અને મગધ દેશમાં જવા માટે અત્રે આવવું પડતું. કોસાંબીથી રાજગૃહ જવાનો રસ્તો ગંગા નદી સાથે ચાલતો. ૬. મધુરા - જમના પર શૂરસેન દેશની રાજધાની, હાલનું મથુરા છે તે જ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બુદ્ધના વખતમાં આના રાજાને “અવન્તીપુત્ર કહેવામાં આવતો તેથી તેને અને ઉજ્જનને રાજાને સગપણ હતું એમ જણાય છે. ૭. મિથિલા – વિદેહની રાજધાની. હાલનો તિહત દેશ, તેનો વિસ્તાર ૭ માઈલ જેટલો કહેલ છે. ૮. રાજગૃહ – મગધનું પાટનગર. હાલનું રાજગિર. બિસ્મિસાર રાજાએ બંધાવેલું હતું. બૌદ્ધ ગ્રંથ પ્રમાણે ત્યાર પછી શિશુનાગ રાજાએ ત્યાંથી રાજધાની ફેરવી વૈશાલી કરી હતી. અને તેના પુત્ર કાલાશોકે વૈશાલીથી ફેરવી પાટલિપુત્રમાં (હાલના પટના પાસે) રાજધાની કરી હતી. ૯. રોરૂક (પછીથી રોરૂવ) – સોવિર દેશનું પાટનગર, કે જે પરથી હાલનું સુરત એ નામ ઉદ્ભવેલ છે. બધા ભાગમાંથી અને મગધમાંથી અહીં સાર્થવાહ આવતા. આ બંદર હતું. આ ક્યાં હતું તે બરાબર નિર્ણત થયું નથી, તોપણ આ તો ચોક્કસ છે કે તે કચ્છના અખાત પર હાલના ખારાગોડા પાસે આવેલ હતું. આની પડતી થયા પછી આનું સ્થાન ભરૂકછે (હાલના ભરૂચ) અને સુપ્પારકે લીધું. બંને કાઠિયાવાડ દ્વીપકલ્પની દક્ષિણે એકબીજાથી સામી દિશાએ આવેલ હતાં. ૧૦. સાગલ – મદ્દોનું મુખ્ય નગર. ૧૧. સાકેત – કેટલીક વખત કોશલનું મુખ્યનગર હતું. બુદ્ધના વખતમાં તેની રાજધાની સાવથી નગરી હતી. બંને પાસેપાસે હતાં. બંને વચ્ચે અંતર ૪૫ માઈલ હતું. રસ્તામાં નદી આવતી હતી. ૧૨. સાવથી - શ્રાવસ્તી, કોશલની રાજધાની, રાજાનું નામ પર્સનાદિ હતું કે જેના વિષે ઉપર કંઈક કહેવાઈ ગયું છે. સાકેતથી ૬, રાજગૃહથી વાયવ્ય ખૂણામાં ૪પ, સુધ્ધારકના ઈશાનખૂણામાં ૧૦૦ કરતાં વધારે, સંકથી ૩૦ લીગ દૂર હતું અને અચિરાવતી નદીના કિનારા પર આવેલ હતું. ૧૩. ઉજ્જૈની – અવંતીનું મુખ્ય નગર, રાજગૃહથી પ0 લીગ દૂર. ૧૪. વેશાલી – મગધરાજાના, અને નેપાલ રાજાના પૂર્વજો – મૌર્ય અને ગુપ્તવંશી રાજા સાથે સગપણથી જોડાયેલી લિચ્છવી જાતિની રાજધાની. વજિયજાતિનું મુખ્ય સ્થાન. પાછળથી અજાતશત્રુએ આ જાતિને હરાવી હતી પણ તદ્દન સંપૂર્ણપણે તે ભગ્ન થઈ ન હતી. વિહત તાલુકામાં ગંગા નદીથી ૩૫ માઈલ દૂર, રાજગૃહથી રૂપ માઈલ દૂર હોવું જોઈએ. આની પાસે આવેલ પરામાં (ક્ષત્રિયકુંડમાં) મહાવીર જન્મેલ હતા. અહીં પ્રસ્તુત કાલથી પ્રાચીન મંદિરો હતાં. હવે મહાવીર પ્રભુએ દીક્ષા લીધા પછી જે જે ગામ, શહેર અને દેશમાં વિહાર કર્યો તેનાં અનુક્રમે નામ આપીશું કે જેથી કોઈપણ ગામ, શહેર અને દેશ ક્યાં આવેલ હતાં અને કેની કેની પાસે આવેલ હતાં તેની ખબર - માહિતી મળે. મહાવીરના વિહારમાં આવેલાં સ્થળો : પ્રથમ છ વર્ષનો વિહાર – કુમરગામ, કોલા ગામ, મોરાગામ, અસ્થિકગામ – મૂળ નામ વર્તુમાનગામ, (શૂલપાણીના ઉપસર્ગ)-પ્રથમ ચોમાસું. મોક (પુન:) – આ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભિન્નભિન્ન દેશો પપ ગામ વીરના પિતા સિદ્ધાર્થનું હતું. ઉત્તર ચાવાલ ગામ, શ્વેતાંબી નગરી જતાં કનકખળ આશ્રમમાં દષ્ટિવિષ સર્પને બૂઝવી પાછા ઉત્તર ચાવાળ ગામ સમીપે આવ્યા. શ્વેતાંબી નગરી, સુરભિપુર, ગંગા નદી પાસે (સુદષ્ટ નામના નાગકુમારના ઉપસર્ગ), સ્થણાક ગામ, રાજગૃહ નગર (તેના નાલંદા પાડામાં) – ગોશાળો પ્રથમ મળ્યો, – અહીં બીજું ચોમાસું કર્યું. કોલ્લાકગામ, સ્વર્ણખલ નામનું સ્થાન, બ્રાહ્મણ ગ્રામ, પવકાળ ગામ, કુમાર (સંનિવેશ), ચોરાકગામ (ગોવાળિયાએ કૂવામાં નાંખ્યા), અને પૃષ્ઠચંપા નગરી, ત્રીજું ચોમાસું. કૃતમંગળનગર, શ્રાવસ્તીનગરી, હરિગામ (અગ્નિ ઉપસર્ગ), લાગલગામ, આવર્ત ગામ, ચોરાકગામ, કલુંબકગામ, અનાર્ય દેશમાં -- લાટદેશ, પૂર્ણકલશગામ, ભદિલપુર ત્યાં ચોથું ચોમાસું. કદલીસમાગમ ગામ, જંબુખંડ ગામ, તંબાક ગામ, કૂપિકા ગામ (રક્ષકોનો માર), વિશાળાપુરી તરફ જતાં ગોશાળો રાજગૃહ તરફ ગયો ને પછી તે પુરીમાં આવ્યા, ગ્રામક ગામ, બિભેલક ગામ, શાલિશીર્ષ ગામ (કટપૂતના વ્યંતરીના ઉપસર્ગ), પ્રભુને લોકાવધિજ્ઞાન થયું. ભદ્રિકાપુરી, છઠું ચોમાસું. અહીં ગોશાળો મળ્યો. બીજા વર્ષનો વિહાર – મગધ દેશમાં ૮ માસ, આલભિકા નગરી (૭મું ચોમાસું), કુંડક ગામ, બહુશળ ગામ (શાલાય વ્યંતરીનો નિષ્કારણ ઉપસર્ગ), લોહાર્ગલ ગામ (જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો.), પુરિમતાલ નગર, ઉષ્ણાક ગામ, રાજગૃહનગર (આઠમું ચોમાસું). વ્રજભૂમિ, શુદ્ધ ભૂમિ, લાટ વગેરે મ્યુચ્છ દેશો, (ત્યાં નવમું ચાતુર્માસ). સિદ્ધાર્થપુર, કૂર્મગ્રામ, સિદ્ધાર્થપુર નગર, વૈશાળી નગરી, વાણિજક ગામ તરફ ચાલતાં મંડિટીકા નદી, વાણિજક ગ્રામ, (આનંદ શ્રાવક), શ્રાવસ્તી નગરી (દશમું ચોમાસું); સાનુયષ્ટિક ગ્રામ. (ભદ્રા, મહા ભદ્રા, સર્વતો ભદ્રા પ્રતિમા ધ્યાન), દઢ ભૂમિ નામની સ્વેચ્છભૂમિમાં પેઢાળા ગામ (મહા પ્રતિમા ધ્યાન.) – (સંગમ દેવના વીશ મહાનું ઉપસર્ગ), વાલક ગ્રામ, ગોકુળ ગામ, આલભિકા નગરી, શ્વેતાંબી નગરી, શ્રાવસ્તી નગરી, કૌશાંબી નગરી, વારાણસી નગરી, રાજગૃહ નગર, મિથિલાપુરી (જનક રાજા), વિશાલી નગરી (૧૧ મું ચોમાસું) (જીર્ણશ્રેષ્ઠિ ને નવીન શ્રેષ્ઠિ – પારણું). સુસુમારપુર (ચમરેંદ્રનો ઉત્પાત), ભોગપુરી, નંદીગ્રામ, કૌશાંબી (ચંદનબાલા), સુમંગળ ગામ, સત્યોત્ર ગામ, પાલક ગામ, ચંપાનગરી (આત્માનું સ્વરૂપ બ્રાહ્મણને કહ્યું, (૧૨મું ચોમાસું); જૈભક ગામ, મેઢક ગામ, માનિ ગામ (ગોવાળિયાના ખીલા કાનમાં), મધ્યમ અપાપા નગરી (ખીલા કાઢ્યા), ભક ગામ (ઋજુપાલિકા નામની મોટી નદીવાળું) સર્વ મળી ૧૨ વર્ષ ૧ પાક્ષિક ત્યાં કેવલ જ્ઞાન, અપાપા નગરી (મહાસન વન), ૧૧ ગણધરને દીક્ષા અને ચંદનબાલા-દીક્ષા, પછી કેવલ જ્ઞાન થયા પછી ૩૦ વર્ષ – વિહાર કરતાં રાજગૃહ નગર આવ્યા. (મેઘકુમારની દીક્ષા, નંદિષેણની દીક્ષા)... બ્રાહ્મણ કુંડ ગામ (દેવાનંદા, ઋષભદત્ત લીધેલ દીક્ષા.).....ક્ષત્રિયકુંડ – Page #77 -------------------------------------------------------------------------- ________________ પદ, જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જમાઈ જમાલિએ ૫૦૦ ક્ષત્રિ સાથે, અને પુત્રી પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. શ્રાવસ્તી નગરી – (જમાલિની ભિન્નતા પ્રભુના કેવલ જ્ઞાન પછી ૧૨ વર્ષ)... ચંપાનગરી, કૌશાંબી, (૧ બ્રાહ્મણ, ને ૪૯૯ ચોરે દીક્ષા લીધી, મૃગાવતી રાણી તથા ચંડપ્રદ્યોત રાજાની અંગારવતી વગેરે ૮ સ્ત્રીઓએ લીધેલી દીક્ષા.) વાણિજક ગ્રામનું કોલ્લાક નામનું પરું – આનંદ શ્રાવક, ચંપાનગરી – કાલદેવ શ્રાવક, કાશી – ચુલની પિતા શ્રાવક, સુરા દેવ શ્રાવક, આલભિકા નગરી – યુદ્ધશતિક શ્રાવક, કાંપીલ્યપુર – કુંડગોળિક ગૃહસ્થાશ્રાવક, પૌલાશપુર – શબ્દાલ પુત્ર શ્રાવક, રાજગૃહ-મહાશતક શ્રાવક, શ્રાવસ્તીપુરી – નંદિનીપિતા શ્રાવક, લાંતક-પિતા શ્રાવક, કૌશાંબી નગરી,-સૂર્યચંદ્ર વિમાન અવતંરણ, મૃગાવતીનું કેવલજ્ઞાન, ચંદનાને કેવલજ્ઞાન, શ્રાવતી નગરી – ગોશાળાનું મૃત્યુ, મેંઢક, પોતનપુર, રાજગૃહ – પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન, પૃષ્ઠચંપા નગરી - રાજા સાલ અને યુવરાજ મહાસાલની દીક્ષા, ચંપા પુરી – સાલ, મહાસાલ, ગાગલી અને ગાગલીના માતાપિતા યશોમતી અને પિઠરને કેવલજ્ઞાન, દશાર્ણ નગર – રાજા દશાર્ણભદ્રની દીક્ષા, રાજગૃહ પાસે વૈભારગિરિ – ધનાશાલિભદ્રની દીક્ષા – રોહિણય ચોરની દીક્ષા, શ્રેણિક ને ચંડપ્રદ્યોત, મરૂમંડળ – ઉદાયન રાજાને દીક્ષા, રાજગૃહ, અપાપા - ત્યાંના રાજા હસ્તિપાળની દીક્ષા, ૧૬ પહોર પ્રભુની દેશના - નિર્વાણ-દીપોત્સવી (કર્તિક અને આપણા આસો વદી અમાવાસ્યાને દિને રાત્રિએ વિ. સંવત ૪૭૦ પહેલાં), ત્યારથી દિવાળી પર્વની ઉત્પત્તિ. વીરે કેવલજ્ઞાન થયા પછીનાં ત્રીશ વર્ષોમાં ૧૨ ચોમાસાં રાજગૃહમાં, ૧૧ વિશાલામાં, ૬ મિથિલામાં, અને છેલ્લું પાવાપુરીમાં એમ ત્રીશ ચોમાસાં કર્યા. ૩. ભારતની સામાજિક સ્થિતિ જ્યારે બુદ્ધનો અને મહાવીરનો જન્મ થયો ત્યારે ભારતવર્ષ વૈદિકધર્મથી ઉદ્ભવેલ વિષમતાએ પીડાતું હતું, પૃથ્વી ઉપર અનેક પ્રકારની જે સામાજિક વિષમતા ઉત્પન્ન થયેલ છે, તેમાં ભારતવર્ષની ઈ.સ. પૂર્વ ૭માં સૈકામાંની વર્ણવિષમતા જેવું મહાન દુઃખ કોઈપણ સમાજમાં ક્યારેય પ્રચાર પામ્યું નથી. આ સંબંધમાં બંગાલી વિદ્વાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સુંદર ભાષામાં જણાવ્યું છે : બીજી જાતિ સંજોગાનુસાર પ્રાણદંડની સજાને લાયક ઠરે પરંતુ બ્રાહ્મણોએ સેંકડો અપરાધ કર્યા હોય તોપણ તેઓ આ સજા માટે એક અપવાદરૂપ જ ગણાય.” “બ્રાહ્મણ તમારું સર્વ રીતે અનિષ્ટ કરી શકે, પરંતુ તમારાથી બ્રાહ્મણનું લેશ પણ અનિષ્ટ થઈ શકે નહિ.” બ્રાહ્મણને પગે પડી તેની ચરણરજ તમે મસ્તકે ચડાવો પરંતુ શૂદ્રને તો તમારાથી અડકાય જ નહિ. તેનો સ્પર્શ થયેલ પાણી પણ ઉપયોગમાં ન લેવાય. આ પૃથ્વી ઉપરના કોઈ પણ સુખનો તેને અધિકાર નહીં. તેણે તો માત્ર નીચ વૃત્તિનું અવલંબન કરવું. જિંદગાનીનું જીવન જે વિદ્યા તેનો પણ તેને અધિકાર નહીં. તેને શાસ્ત્રની આજ્ઞાનું બંધન હોવા છતાં શાસ્ત્ર એ શું ચીજ છે તે જાણવા જોવાનો પણ તેને અધિકાર નહીં. તેની પરલોકની ગતિ તે બ્રાહ્મણના હાથમાં – બ્રાહ્મણ કહે તેમ કરવાથી તેને પરલોકમાં WWW.jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ ભારતની સામાજિક સ્થિતિ પ૭ ગતિ મળે, પરંતુ શૂદ્રનું તેવું દાન ગ્રહણ કરવાથી પણ બ્રાહ્મણ પતિત થાય. બ્રાહ્મણની સેવા કરવાથી જ તેને મોક્ષ મળે. જોકે શૂદ્ર અને બ્રાહ્મણ બન્ને મનુષ્ય જ છે. જૂના વખતમાં યુરોપમાં એક ધનવાન અને એક કેદી વચ્ચે જે તફાવત રહેતો તે પણ આના જેટલો ભયંકર ન હતો. અત્યારે પણ ભારતવાસીઓ કોઈ મહાન તફાવત દર્શાવતાં કહે છે કે “ઢેડ-બ્રાહ્મણ જેટલો તફાવત.” આ મહાન જ્ઞાતિભેદને લીધે ભારતવર્ષ અવનતિને રસ્તે ચડેલ હતું. સર્વ પ્રકારની ઉન્નતિનું મૂળ જ્ઞાનોત્રતિ છે. પશુઓની માફક ઈદ્રિયતૃપ્તિ સિવાયનું પૃથ્વી ઉપર એવું કોઈ સુખ નથી કે જેનું મૂળ જ્ઞાનોત્રતિ ન હોય. જાતિભેદને લીધે જ્ઞાનોત્રતિનો રસ્તો બંધ થયો. શૂદ્ર જ્ઞાનનો અધિકારી નહીં. તેનો એકલો અધિકારી માત્ર બ્રાહ્મણ જ. ભારતવર્ષની વસ્તીનો મોટો ભાગ બ્રાહ્મણ સિવાયના લોકનો હતો તેથી લોકોનો મોટો ભાગ મૂર્ખ રહ્યો. જરા ખ્યાલ કરી કે ઈગ્લેંડમાં જો એ પ્રમાણે થયું હોત તો રસલ, કાવેન્ડીય, સ્ટેનલી વગેરે કેટલાંક મુકરર કુટુંબ સિવાય બીજાં માણસ વિદ્યાની આલોચના ન કરી શક્યાં હોત અને તી ઈંગ્લેંડની આજની સભ્યતા ક્યાંથી આવત ? કવિ, દાર્શનિક, વિજ્ઞાનીઓની વાત બાજુએ રહી. વોટ, સ્ટીવન્સન આર્થરાઈટ વગેરે ક્યાં રહેત ? ભારતવર્ષમાં તેવું જ બન્યું છે એટલું જ નહિ પણ બ્રાહ્મણોએ વિદ્યાની ચર્ચાનો એકલો અધિકાર પોતાના હાથમાં લીધો તે પણ વર્ણવષમ્યના દોષથી ખરાબ પરિણામે પહોંચ્યો. તમામ વર્ણના પ્રભુ બની તેમણે વિદ્યાને એ પ્રભુત્વરક્ષિણી રૂપે રાખી લીધી. જે વિદ્યાની આલોચના કરવાથી તેમનું એ પ્રભુત્વ સ્થાયી રહે, તેનો વિસ્તાર થાય. બીજી જ્ઞાતિઓ વધારે માથું નમાવી બ્રાહ્મણના પદની રજને આ જન્મના સારભૂત ગણે એવી નીતિ તેમણે ધારણ કરી. વિશેષ યાગયજ્ઞ સર્યા, વિશેષ મંત્ર, દાન, દક્ષિણા, પ્રાયશ્ચિત્ત વધાર્યા, દેવતાઓના મહિમાપૂર્ણ મિથ્યા ઇતિહાસ કલ્પી તેને અપ્સરાઓનાં નૂપુરમાંથી નીકળતા મધુર સ્વર જેવી મિષ્ટ આર્યભાષામાં રચી ભારતવાસીઓની મૂર્ખતા વિશેષ મજબૂત બંધનોથી બાંધી રાખી. દર્શન, વિજ્ઞાન, સાહિત્ય એ બધાં શું જરૂરનાં છે ! તે તરફ લક્ષ ન દેવું, પરંતુ અમુક બ્રાહ્મણ ગ્રંથનો વિસ્તાર વધારવો – નવાં ઉપનિષદોનો પ્રચાર કરવો, બ્રાહ્મણ ઉપર બ્રાહ્મણ, ઉપનિષદ્ ઉપર ઉપનિષદ્, આરણ્યક ઉપર આરણ્યક, સૂત્ર ઉપર સૂત્ર, તે ઉપર ભાષ્ય. તેની ટીકા, ટીકાની પણ ટીકા, તેનાં ભાષ્ય આ પ્રમાણે અનંત શ્રેણી ચણવી એવા ધર્મના અનેક ગ્રંથોથી ભારતવર્ષને ભરી દીધું. આવી પરિસ્થિતિમાં લોકો ખેદયુક્ત, વિહળ અને શંકિત બન્યાં. બધાં કર્મમાં બ્રાહ્મણોએ પાપ લખ્યું, એ પાપનાં પ્રાયશ્ચિત્ત પણ કઠણ. ત્યારે શું બ્રાહ્મણ સિવાયની બીજી વર્ણના લોકને પાપને લીધે મુક્તિ ન મળે ? પારલૌકિક સુખ એટલું બધું દુર્લભ ? ક્યાં જવું ? શું કરવું ? ધર્મશાસ્ત્રની આવી મુશ્કેલીમાં કોણ ઉદ્ધાર કરશે ? સર્વ સુખથી વિમુખ રાખનાર બ્રાહ્મણોથી કોણ બચાવશે ? ભારતવાસીઓને જીવિતદાન કોણ આપશે ? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે વિશુદ્ધાત્મા મહાવીર અને શાક્યસિંહે અનંત કાળ લગી સ્થાયી મહિમા વિસ્તાર પામે તેમ ભારતાકાશ ઉપર ઉદય પામી આકાશ ભેદી નાંખે તેવા મહાન અવાજે ગર્જના કરી કે “એ ઉદ્ધાર હું કરીશ. તમારા ઉદ્ધાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો માટે જે બીજમંત્ર હું આપું છું તેની તમે સાધના કરો. તમે સર્વે સમાન છો. બ્રાહ્મણ-શૂદ્ર સરખા જ છે. મનુષ્ય માત્ર સમાન છે. બધાં પાપી છે અને બધાનો ઉદ્ધાર સદાચરણ વડે જ છે. જાતિભેદ મિથ્યા છે. કોણ રાજા ? કોણ પ્રજા ? બધું ખોટું છે. એકમાત્ર ધર્મ જ સત્ય છે. મિથ્યાનો ત્યાગ કરી માત્ર સત્યધર્મનું જ પાલન કરો.” માનવસમાજ જ્યારે વૈષમ્યના અગ્નિમય તવામાં બળતો હોય છે, ત્યારે સ્વર્ગમાંથી સામ્યનો સુશીતળ વરસાદ વરસે છે. વૈષમ્યના દારુણ વિષપાનથી જ્યારે વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, રાજનૈતિક જીવન મૃત્યુમુખે પડે છે ત્યારે સામ્યવાદીઓ સુવેદ્યની માફક આવી અમોઘ ઔષધ આપે છે. ભીષણ વેષમ્યના હળાહળ ઝેરથી ભારતીય વર્ણાશ્રમ, ધર્મ, સમાજ તે વખતે કેવી રીતે વિષાસક્ત થયેલ તે બાબુ બંકિમચંદ્ર સજીવ ભાષામાં આ પ્રમાણે દર્શાવે છે : “બીજી ત્રણ વણની અનુવ્રતિથી વગત ઘોર વૈષમ્યમાં પહેલાં તો બ્રાહ્મણોનું પ્રભુત્વ વધવા માંડ્યું. બીજા વર્ણની માનસિક શક્તિને નુકસાન પહોંચવાથી તેમનું ચિત્ત ઉપધર્મ તરફ વિશેષ વશીભૂત થવા લાગ્યું. દૌર્બલ્યથી જ ભય વધે છે. ઉપધર્મ એ ભયથી ઉત્પન્ન થયેલ છે. આ સંસાર બળવાન પરંતુ અનિષ્ટકારક દેવતાઓથી ભરાયેલ છે તેવો વિશ્વાસ એ જ ઉપધર્મ, તેથી બીજા પણ વર્ણ માનસિક શક્તિથી હીન થવાથી વિશેષ ઉપધર્મપીડિત થયા. ઉપધર્મના યાજક પણ બ્રાહ્મણો જ હતા તેથી તેમનું પ્રભુત્વ વધવા લાગ્યું. વૈષમ્ય પણ વધ્યું. બ્રાહ્મણો માત્ર શાસ્ત્રજાળ, ભવવ્યવસ્થા વગેરેનો વિસ્તાર કરી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રને બાંધવા લાગ્યા. માખીઓ પકડાઈ ગઈ. તેમનામાં ઊડવાની શક્તિ નહોતી તોપણ કરોળિયાની જાળ ખૂટે તેમ ન હતી. વિદ્વાનનો તોટો ન હતો. એક તરફ રાજ્યશાસનપ્રણાલી, દંડવિધિ, સંધિ, વિગ્રહ, વગેરેથી તે આચમન, શયન, વસન, ગમન, કથોપકથન, હાસ્ય-રુદન એ સર્વ બ્રાહ્મણોએ રચેલા વિધિપૂર્વક નિયમિત થવા લાગ્યાં. અમે જેમ કહીએ તેમ સૂવું, ખાવું, બેસવું, ચાલવું, બોલવું, હસવું, રોવું તેમજ તમારા જન્મથી તે મૃત્યુ સુધી અમારી વ્યવસ્થાથી વિલંબિતપણે થઈ શકે નહીં. અને જો થાય તો પ્રાયશ્ચિત્ત કરી અમને દક્ષણા આપો. આવી રીતની જાળ બનાવી પાથરી. પરંતુ મનુષ્ય બીજાંઓને ભ્રાંતિમાં નાંખતાં પોતે જ બ્રાંત થઈ જાય છે, કેમકે ભ્રાંતિની આલોચના કર્યા કરવાથી ભ્રાંતિનો અભ્યાસ થઈ જાય છે, જે ઉપર બીજાને વિશ્વાસ બેસાડવા માગીએ છીએ તે વિશ્વાસ દર્શાવતાં ખરો વિશ્વાસ ઓછો થતો જાય છે. જે જાળ વડે બ્રાહ્મણોએ ભારતવર્ષને બાંધ્યો તેમાં તેઓ પણ ફસાયા. ઘણાં અસલી પ્રમાણો દ્વારા સાબિત થયું છે કે મનુષ્યની સ્વેચ્છાનુવતિતાને પ્રયોજન ઉપરાંત માની લેવાથી સમાજની અવનતિ થાય છે. હિંદુ સમાજની અવનતિનાં બીજાં જેટલાં કારણ બતાવ્યાં છે તેમાં આ મુખ્ય મનાય છે – હજી સુધી જાજ્વલ્યમાન છે. તેમાં ફસાવનાર તેમજ ફસાનાર બંન્ને સમાન ફળભોગી બને છે. આવી બધી જાળમાં જડાઈ રહેવાથી બ્રાહ્મણોની બુદ્ધિ-સ્કૂર્તિનો લોપ થયો, અને જે બ્રાહ્મણોએ રામાયણ-મહાભારત-પાણિની વ્યાકરણ-સાંખ્ય દર્શન વગેરે બનાવ્યાં હતાં, તેઓ વાસવદત્તા કાદંબરી વગેરે રચી પોતાનું ગૌરવ માનવા લાગ્યા. છેવટ છેવટ તે શક્તિ પણ ગઈ. બ્રાહ્મણોનું માનવી ક્ષેત્ર મરભૂમિ બન્યું.” બંકિમચંદ્ર ઉદ્દીપનાપૂર્ણ ભાષામાં વ્યાકરણના સંક્ષિપ્ત સૂત્રની માફક Page #80 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૫૯ બ્રાહ્મણોની અધ:પતનની જે કહાણી વર્ણવી છે તે સત્ય ભાસે છે. બ્રાહ્મણો બ્રાહ્મણ સિવાયની જે બીજી જાતિઓને જાતિભેદ, ધર્મભેદ, અને કર્મભેદની દુર્ભેદ્ય શાસ્ત્રજાળમાં બાંધી જેવા પ્રવૃત્ત થયા હતા તેવા જ સ્વરચિત જાળમાં છેવટે પોતાનાં સ્ત્રીપુત્રો સહિત બંધાઈ જઈ પોતાનાં કર્મફળ ભોગવવા લાગ્યા. પોતે જ ખોદેલી ખાઈમાં ડૂબી ગયા. [કોઈ પણ વાત બીજાને સમજાવવા માટે ક્યારેક થોડીક અતિશયોક્તિ કરવી પડે છે. બ્રાહ્મણોનું પ્રભુત્વ, વર્ણવ્યવસ્થાનાં દૂષણો વગેરે બધું કબૂલતાં પણ બ્રાહ્મણોનો ય અંતરાત્મા જાગ્યો અને તેમણે પણ વૈદિક ધર્મનાં દૂષણો સામે પડકાર ફેંક્યો એમ માનવા માટે પૂરતા પુરાવા છે. ઉપનિષદોમાં જ ઋગ્વદાદિને અપરા વિદ્યાની કક્ષાએ મૂક્યા છે, અને આત્મજ્ઞાન એ જ પરા વિદ્યા એમ કહ્યું છે. બુદ્ધમહાવીરના અનુયાયીઓમાં ઘણા બ્રાહ્મણો હતા તેમાં તો શંકા છે જ નહીં. બ્રાહ્મણ કવિઓએ જ વિદૂષકના પાત્રમાં “મહાબ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે. વર્ણવ્યવસ્થા અને તેને જકડી રાખતા નિયમોની અસર બૌદ્ધ અને જૈન મંડળોમાં તદ્દન નહીં જ હોય એવું પણ નથી. છતાં પાશ્ચાત્ય દેશોમાં વર્ણવ્યવસ્થા તેમ ભારતમાં વર્ણવ્યવસ્થા દૂષણયુક્ત રહી તેમાં ના પાડી શકાય તેમ નથી. જોકે તેને કારણે વર્ષોની અંદર લગ્નાદિ વ્યવહાર નહીં જ થતા હોય એમ પણ નથી.] •. ૪. ભારતની ધર્મભાવના “Read the history of the past, and one fact would come out before you plainly and clearly, not only in India, but in all the past great civilizations. When you study a great civilization whether it be that of Egypt, China, Persia, Greece, or Rome, you will find that in the palmiest days of that Civilization, religion was the guiding force of the State. When were the days when India was mightiest, when her thrones were most secure, when her people were most intelligent, when her manufactures and arts and industries and commerces flourished, when her sailors were known in far distant lands, and the products of her artizans covered the face of the world ? It was in the days when religion was more cherished than wealth, in the days when the Rajas would bow before the Rishis that instructed them." ભાવાર્થ–“ભૂતકાળનો ઇતિહાસ વાંચશો તો એમાં એક વાત તમને સ્પષ્ટ નજરે પડશે – અને તે માત્ર હિન્દુસ્તાનના જ નહિ પણ સર્વ દેશના સુધારામાં. ઇજિપ્ત, ચીન, ઈરાન, ગ્રીસ, રોમ – ગમે તે દેશનો સુધારો લેશો તો એમાં તમને જણાશે કે સુધારાના પૂર્ણ જાહોજલાલીના દિવસોમાં ધર્મ એ રાજ્યને દોરનારી શક્તિ હતી. જે દિવસોમાં હિન્દુસ્તાન પ્રબળમાં પ્રબળ હતું, એનાં રાજ્યસનો સુસ્થિર હતાં, એના લોકો બુદ્ધિમાં પ્રથમ સ્થાને હતા, એની બનાવટ, એના હુન્નરો, એની કારીગરીઓ, એના ઉદ્યોગો અને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એના ખલાસીઓ દૂર દેશમાં પ્રસિદ્ધ હતા, અને હિન્દુસ્તાનની કારીગરીની ચીજો પૃથ્વીને છાઈ રહી હતી એ દિવસો ક્યા ? એ એ જ દિવસો કે જ્યારે દ્રવ્ય કરતાં ધર્મ વધારે વહાલો હતો, રાજા કરતાં જ્ઞાની મોટો ગણાતો, અને રાજાઓ ઋષિઓને ગુરુ કરીને નમતા.” –મિસિસ એની બેસંટ “ મહાવીરનો જન્મ થયા પહેલાં બ્રાહ્મણના ચાર વેદ, નિઘંટુ, અને ઇતિહાસ (કદાચ પુરાણો - અલબત્ત હાલ ગણાતાં પુરણોમાંનાં કેટલાંક પુરાણ) વિદ્યમાન હતાં એવું કલ્પસૂત્રમાંથી માલૂમ પડે છે, કારણકે જ્યારે દેવાનંદાના ગર્ભમાં મહાવીર આવ્યા ત્યારે તેણીને જે ઉત્તમ સ્વપ્નમાં આવ્યાં હતાં તેનાં ફલ જ્યારે પોતાના પતિને પૂછવામાં આવ્યાં હતાં ત્યારે તેણે જણાવ્યું કે પુત્ર આવશે. તે ઉક્ત વેદ, આદિમાં નિપુણ થશે.” ચાર વેદનાં નામ ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. આ સમયમાં બ્રાહ્મણોના જુદાજુદા અભિપ્રાયો હતા, તે દૂર રાખીને ઋગ્યેદ સંબંધી બોલીએ તો તેમાં જે વિચિત્ર અને રસપ્રદ માન્યતાઓ આપેલી છે, તેની ઘણી થોડી અસર જનસમાજ પર હતી. તેની અંદર જે દેવતાઓ – પૃથ્વી, પૂષનું, આદિત્ય, ચંદ્ર આદિનું વર્ણન કર્યું છે તેમાં અગ્નિ, સોમ, વજનો વધારો કરવામાં આવ્યો તેથી જૂના દેવતાઓનું પ્રાધાન્ય ઘટી ગયું. યજ્ઞની વિધિ અને મંત્રમાં રહેલ જાદુ ગૃહસ્થવર્ગને અપ્રિય થઈ પડ્યો, કારણકે તેમાં ગૂંચવણી અને ખર્ચ બહુ રહેતાં હતાં. એવી ઘણી માન્યતાઓ કે જે આર્યલોકમાં સામાન્ય રીતે પ્રચલિત હતી તે પણ વેદમાં જણાવેલી નથી. તેમાં ત્રણ પ્રમાણ છે. (૧) બૌદ્ધ ગ્રંથોમાં પ્રથમના ત્રણ વેદનાં નામ આપેલ છે, પણ ચોથા અથર્વ વેદનું નામ ક્યાંય પણ દર્શાવેલું નથી. (આમ પ્રો. રૂહાઈસ ડેવિસ કહે છે.) આથી એમ જણાય છે કે તેમાં આપેલ મંત્રોનો સંગ્રહ ચમત્કારિક અસર કરવામાં ઉપયોગ કરવા અર્થે બૌદ્ધ ધર્મ ઉદ્ભવ્યો તે પહેલાં ઘણા વખતથી એકત્રિત કરવામાં આવ્યો હતો, પણ તે સમયની પહેલાં તુરત જ વેદ તરીકે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ અધ્વર્યુએ ઋિત્વિજે સ્વીકાર્યો હતો – પ્રથમના ત્રણ વેદ કરતાં જોકે ઊતરતો, પણ વેદ એ નામથી સ્વીકાર્યો હતો. બ્રાહ્મણ કે વૈદિક સંપ્રદાયના ગ્રંથોમાં પણ ‘વેદત્રયી' શબ્દ મળે છે જેમાં ઋગ્વદ, યજુર્વેદ, સામવેદનો નિર્દેશ છે. અથર્વવેદ ઋગ્વદ જેટલો જ પ્રાચીન છે એમ માનવા માટે કારણ છે. તેમ છતાં દેવતાઓની સ્તુતિ ઉપરાંત અભિચાર, ઔષધિઓ વગેરે અંગે મંત્રો છે તેથી શક્ય છે કે વેદ તરીકે તેને સ્થાન આપવામાં સંકોચ થતો હશે, જોકે ચાર વેદમાં તો તેને સ્થાન મળ્યું જ છે. આર્યેતર લોકોના વિચારોની અસર ઉપનિષદો તેમજ ભારતીય દાર્શનિક વિચારો તેમજ વેદમાં ઘણાને જણાય છે અને હશે જ કારણકે લોકો વ્યવહારમાં જે આશ્વાસનરૂપ લાગે એ અપનાવી લે અને તેવા ઘણા લોકો હોય તો મૂળ પ્રવાહને પણ તેનો સ્વીકાર કરવો પડે.' (૨) મહાભારતમાં એવા કયા ધાર્મિક વિચારો છે કે જે ઈ.સ. પૂર્વે ૭મા સૈકામાં અસ્તિત્વ ધરાવતા હોય તે બરાબર જાણી શકાતું નથી; કારણકે તે મહાકાવ્ય બે કે Page #82 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૧ ત્રણ વખત નહિ તો પણ એક વખત તો, પછીના બ્રાહ્મણ ઉપદેશકોને હાથે વિસ્તૃત ફેરફારને પામેલ છે, તેમાં કોઈ જાતનો શક નથી. આ ફેરફાર કરવાનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ જાણ્યું કે જે વિચારો પોતાને સંમત અને પોતાનામાં પ્રચલિત નહોતા તે વિચારોએ લોકો પર એટલું બધું સામ્રાજ્ય મેળવ્યું હતું કે તેમની ઉપેક્ષા કરી શકાય તેમ હતું નહીં. તે મહાકાવ્યને આથી નવીન સ્વરૂપમાં મૂકવામાં બે મુખ્ય ઉદ્દેશ હોવા જોઈએ. ૧. બ્રાહ્મણોની પ્રધાનતા – અન્ય વર્ગોથી ઉચ્ચતા દર્શાવવી; કારણકે તેમની વિરુદ્ધ પડેલા બૌદ્ધ અને જૈનોના ઉપદેશ ઘણી જ લોકપ્રિયતા પામ્યા હતા તેથી તે ઉચ્ચતા જોખમમાં આવી પડી હતી. ૨. જે કેટલાક લોકપ્રિય સંપ્રદાયો અને માન્યતાઓ પ્રત્યે લોકો પરમ આદર દાખવતા હતા તેની સાથે બ્રાહ્મણોની સહાનુભૂતિ છે અને તેમણે તેને ગ્રહણ પણ કરેલ છે એવું બતાવવું. ગમે તેમ પણ તે કાવ્યમાં વેદના સાહિત્યમાં બિલકુલ ન જણાતી એવી માન્યતાઓ પૂર જોશમાં જોવામાં આવે છે. આની સાથે વિશેષ પ્રમાણ આ માટે પુરાવો આપવા માટે એ છે કે જે માન્યતાઓ વેદના સાહિત્યમાં નહોતી તે આર્ય અને અર્ધ આર્ય લોકોમાં પ્રચલિત હતી એટલું જ નહિ પણ ઘર કરી રહી હતી. (હમણાં જ મહાભારતના ભીષ્મપર્વનો ભાગ – નામે ભગવદ્ગીતા મૂળ સ્વરૂપમાં એટલે ૭૦૦ શ્લોકના ૭૦ શ્લોકમાં જાવા બેટ પાસેના બલિટાપુમાંથી મળી આવેલ છે. જુઓ મૉડર્ન રિવ્યુ, જુલાઈ ૧૯૧૪. આ પરથી મહાન ફેરફાર મહાભારતમાં થયો છે એ સ્પષ્ટ જણાશે.) (૩) બૌદ્ધની ને જૈનની માન્યતા દૂર રાખીએ, પણ તે સિવાયનાની માન્યતા કે જેનું કંઈ વર્ણન બૌદ્ધ અને જૈન સૂત્રોમાં આપેલ છે, તે માન્યતાઓ આ સમયે (શ્રી મહાવીર અને બુદ્ધના વખતમાં) પ્રચલિત હતી. આ સર્વનો સંગ્રહ કરવામાં નથી આવ્યો છતાં તેમાંની કેટલીક સંબંધે ઉતારો કરી શકીશું. બુદ્ધના સંવાદમાં શીલ સંબંધી વિષયમાં આ વાત આવે છે ? (અ) “કેટલાક સંન્યાસીઓ અને બ્રાહ્મણો પોતાની આજીવિકા શ્રાવક વર્ગે આપેલ ખોરાક ઉપર કરે છે તે યુક્તિબાજ, ધન માટે પવિત્ર શબ્દોને મિથ્યા કરનાર, નિમિત્તક, જાદુગર, અને હમેશાં ધન ભેગું કરવા મથનાર હોવાથી ગોતમ શ્રમણ આવા પ્રપંચ અને મિથ્યા જાળથી મુક્ત રહે છે.' (બ) આ પછી બીજી “અધમ કળાઓ' બ્રાહ્મણોમાં પ્રચલિત હતી તેનું ટિપ્પણ આપે છે. જેવી કે સામુદ્રિક, નક્ષત્ર ને ગ્રહ પરથી ફળ જોઈ આપવાની વિદ્યા, શકુન ઉપરથી ભવિષ્યકથન, વસ્ત્ર પર ઊંદર તેને કરડી ખાય ત્યારે જે આકૃતિઓ રહે તે પરથી ભવિષ્યનો વર્તારો, અગ્નિના યજ્ઞ, જુદાજુદા દેવોને બલિદાન, વાસ્તુશાસ્ત્ર, મંત્રોચ્ચાર, નાગને વશ કરવાની કળા, બીજાં પશુપંખીને વશ કરવાની કળા, જ્યોતિષ, ભૂત પિશાચ કાઢવા, દેવોનું કન્યા મારફત ને અરીસા મારફત આહ્વાન કરી તેમની પાસેથી જાણી લેવું, દેવો સમક્ષ વ્રત લેવરાવવાં, શ્રી દેવીનું આહ્વાન કરવું વગેરે નીચ કળાઓ વિદ્યમાન હતી. વેદમાં મુખ્યત્વે ઈદ્ર, અગ્નિ, સોમ અને વરુણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથિવી, ઘીઃ વગેરે દેવતાને ગૌણ કરવામાં આવ્યા હતા. અને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પાછળના સાથે શ્રી દેવીનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ગંધર્વ, નાગ, ગરુડ, વૃક્ષમાં વસતાં ભૂતો વગેરે દેવોનું અસ્તિત્વ હતું. વેદમાં જ્યાં ત્યાં પ્રકૃતિનાં તત્ત્વોને લઈ તેની પૂજા કરવામાં આવી છે. ઈશાન - ભયંકર શિવરૂપ, સોમ, વરુણ, પ્રજાપતિ ને બ્રહ્મા એ બધા શક્રના સહયોગી જણાવ્યા છે, અને બીજા અગ્નિ, વાયુ, વરુણ, વિષ્ણુ, પર્જન્ય, ઘૌ , મિત્ર, સવિતૃ, પૂષનું, આદિત્યાઃ અશ્વિનૌ, મરતઃ અદિતિ, દિતિ આદિ જણાવ્યા છે. આમાંના બૌદ્ધગ્રંથોમાં અગ્નિ, વાયુ, વરુણ, પછી નાગરાજ, વિષ્ણુ, પર્જન્ય એ દર્શાવેલા છે. બ્રાહ્મણની યજ્ઞવિધિ : બ્રાહ્મણોના દેવો સંબંધીનું શાસ્ત્ર એવું છે કે તેના જેવું વધારે ક્રૂર અને વધારે ભૌતિક કોઈપણને કલ્પવું એ મુશ્કેલ છે. ત્યારપછી રૂઢિથી વિચારો ધીમેધીમે સુધરતા ગયા અને નીતિનું સ્વરૂપ પકડતા ગયા, એ વાત બતાવી આપે છે કે જંગલીપણું અગાઉ વાસ્તવિકપણે વિદ્યમાન હતું. નીતિને આ શાસ્ત્રમાં સ્થાન નથી. જે યજ્ઞ મનુષ્યના દેવો સાથેના સંબંધને નિયમમાં રાખે છે એ માત્ર યાંત્રિક કાર્ય છે કે જે પોતાની સ્વાભાવિક શક્તિથી કાર્ય કરે છે, અને તે કુદરતના હૃદયમાં ગુપ્ત રહેલ છે તે બ્રાહ્મણની જાદુઈ કળાથી ફક્ત બહાર લાવવામાં આવે છે.” આમ મહાન ફેંચ પંડિત નામે સીલ્વનલેવી પૂર્વના ધર્મસાહિત્યનો અભ્યાસ કરી કળે છે. દેવોની પોતાની ઉત્તમતા, સ્વર્ગમાં તેઓનું સ્થાન – એ સર્વ માટે તેઓએ પૂર્વે જૂના દેવોની યજ્ઞથી પૂજા કરી તેને લઈને જ છે એમ બ્રાહ્મણોનું કથન હતું, અને દેવતાઓ તેના પ્રતિસ્પર્ધી અસુરો સ્વર્ગના દ્વાર પર હુમલો કરે નહિ તે માટે યજ્ઞ કરી તેમને હરાવી દેતા. સિામગાન કરે તે ઉગાતા. હોતા દેવોનું આહ્વાન કરે છે અને અગ્નિ દૈવી હોતા માનવામાં આવે છે. કારણકે તે મનુષ્ય અને દેવો વચ્ચેની કડી છે, દેવોને બોલાવી લાવનાર છે, મંત્રોનો પાઠ કરે છે.] યજ્ઞમાં ઘણું કરી મંદિર ન હતું, તેમ પ્રતિમા ન હતી, પણ વેદી રાખવામાં આવતી. આ ક્રિયામાં અનેક બ્રાહ્મણોની જરૂર પડતી. મંત્ર બોલનાર ઉગાતા, બલિ આપનાર હતા, ક્રિયા કરનાર અધ્વર્યું એ મુખ્ય હોય છે, જ્યારે બીજા વેદિ બનાવવાનું, હોમવાના મેધ્ય જીવનો વધ કરવાનું અને એવું બીજું કાર્ય કરતા. આ ક્રિયા માટે વળી બ્રાહ્મણો ઘણું ધન ફી તરીકે માગતા, અને તે માટે વસ્ત્ર, ગાયો, અશ્વ અથવા સુવર્ણ લેતા. આથી ભૌતિક ઇસિતાર્થ મેળવવા માટે યજ્ઞ એ ઉત્તમ માર્ગ છે એવું તેમણે જાહેર કર્યું હતું, અને આધ્યાત્મિક પ્રગતિ માટે તપનો ઉપદેશ બ્રાહ્મણોએ કર્યો હતો. આ તપશ્ચર્યા અરણ્યમાં જઈ દેહને દમવામાં-પીડવામાં સમાઈ જતી હતી. આથી તાપસીનાં ઝુંઝુંડ આ વખતે માલૂમ પડતાં હતાં. આ તાપસોમાં પણ જીવહિંસા Page #84 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૩ દૃષ્ટિગોચર થતી હતી. (જુઓ હેમચંદ્રાચાર્ય કૃત મહાવીરચરિત્ર. પૃ.૧૬૧). ઐતરેય ઉપનિષદ્ ૧૧-૬-૪માં જણાવેલ છે કે : સ્વર્ગ વાયુ પર, વાયુ પૃથ્વી પર, પૃથ્વી જલ પર, જલ સત્ય પર અને સત્ય ગુપ્ત મંત્ર પર (યજ્ઞ વિધિ પર) અને યજ્ઞ વિધિ તપસ્ પર સ્થાપિત થયેલ છે.” (તાપસ માટે ‘મહાવીરચરિત્ર'માં તાપસ પૃ.૩૨, તાપસી પૃ.૧૨૭, વૈશિકાયત તાપસ પૃ.૭૧-૭૩, સેનક તાપસ પૃ.૧૧૭ જુઓ અને સરખાવો.) ભિક્ષા : તાત્ત્વિક અને નૈતિક બાજુથી જોઈએ તો જૈન અને બૌદ્ધ બંને હિલચાલ સ્વાભાવિક રીતે ઊભી થઈ હતી. બ્રાહ્મણોના વિદ્યાર્થીઓ ભિક્ષા માગી નિર્વાહ કરતા જણાવવામાં આવે છે. આ રીત જૈન અને બૌદ્ધ સાધુઓમાં પ્રચલિત હતી અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો તે પહેલાં પરિવ્રાજકો(ભ્રમણશીલ ઉપદેશકો)માં ભિક્ષાની રીત પ્રચલિત હતી. તેઓ બ્રહ્મચર્ય પાળતા અને તાત્ત્વિક તેમજ ધાર્મિક પ્રશ્નો પર ચર્ચા ચલાવતા. આમાં પુરુષો અને સ્ત્રીઓ બંને દાખલ થઈ શકતાં હતાં. અને તેમને વિચાર અને ઉચ્ચારની પૂર્ણ સ્વતંત્રતા હતી. આથી અને જૈન ધર્મના ભિક્ષા વ્રત આદિથી બૌદ્ધ ધર્મને વધુ વેગ મળ્યો હોય એમ ગણી શકાશે; કારણકે જૈન ધર્મ બૌદ્ધથી પ્રાચીન સિદ્ધ થયો છે. (પરિવ્રાજક સંબંધે જુઓ – ઉત્પલ, અંબડ વગેરે પરિવ્રાજક. મહાવીરચરિત્ર પૃ. ૩૩, ૩૯, ૨૧૦.) આશ્રમોની સંસ્થા બ્રાહ્મણોએ જૈન પરથી અને બૌદ્ધના નવીન વિચારના ઉભવથી પાછળથી કાઢી છે કે જેમાં છેલ્લા આશ્રમ – સંન્યસ્તાશ્રમ પ્રથમના ત્રણ વગર – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ આશ્રમમાં ગયા વગર સ્વીકારી શકાય નહીં એવો નિયમ રાખવામાં આવ્યો હતો. આથી બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એ પુરવાર કરવાની હિંમતભર્યો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જો તેમાં વિજય મળ્યો હોત, તો બૌદ્ધની હિલચાલ ભાંગી પડતું, પરંતુ તેમ થયું નહીં અને તે નિયમ ફલશુન્ય – નિરર્થક જ આ સમયમાં પડી રહ્યો. આ કથન માટે ઐતિહાસિક પુરાવો મુશ્કેલ છે એમ ડૉ. રૂહાઈસ ડેવિડના ‘બુદ્ધના સંવાદો' Dialogues of Buddha 1 જોવાથી જણાશે. આ પરથી પ્રતીત થાય છે કે બ્રાહ્મણોની આશ્રમવ્યવસ્થા બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમ પાછળથી થયેલ છે. બ્રિહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ તેમજ સંન્યસ્તાશ્રમનાં પ્રમાણ તો ઉપનિષદોમાં પણ મળે છે. જોકે જ્યારે વૈરાગ્ય જન્મે ત્યારે સંન્યાસ ગ્રહણ કરી શકાય એ વિચાર પાછળનો લાગે છે. આ આશ્રમવ્યવસ્થાનું પાલન ચુસ્ત રીતે થતું હતું, એમ માનવાને કારણ નથી.] આત્મા : આત્માના સંબંધમાં ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે એ માન્યતા હતી કે તે દરેક મનુષ્ય શરીરમાં રહેલ છે અને તે જીવન અને ગતિની પ્રતીતિ કરાવી શકે છે. જીવતા શરીરમાં તેની સામાન્ય સ્થિતિમાં આત્મા હૃદયની અંદરના એક ખાલી ભાગમાં રહે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે. (જુઓ બૃહદ, ઉપનિષદ્ ૪, ૩, ૭ તથા ૫, ૬; છાંદોગ્યોપનિષદ્ ૮, ૩, ૩, તૈતરીય. ૧, ૬, ૧. આની સાથે સરખાવો કઠોપનિષદ્ ૨, ૨૦, ૩, ૧, ૪, ૬; ૬, ૧૭) તેનું કદ જવ કે ચોખાના દાણા બરાબર કથેલ છે (બૃહ, ૫, ૬, છાંદો. ૩, ૧૪, ૩) આમ વેદમાં પણ જણાવેલ છે. આકારમાં તે મનુષ્ય જેવો છે (તતરીય ૨, બૃહદ્ ૧, ૪૧, શત બૃ. ૧૪. ૪, ૨, ૧.). તે કેવો દેખાય છે તે આલેખવું કઠિન છે પણ જુદાજુદા ફકરામાં તેને ધૂમ્રરંગી ઊન જેવો, અગ્નિ જેવો, શ્વેત કુમુદ જેવો, વીજળીના ચમકારા જેવો, ધૂમ્ર વગરના પ્રકાશ જેવો કહેલ છે. તે શેનો બનેલ છે તેને માટે જુદીજુદી માન્યતા છે. એક ફકરામાં તેનામાં ચેતનતા, મન, અને શ્વાસ; ચહ્યું અને કાન, પૃથ્વી, અપ, તેજ અને આકાશ, અગ્નિ અને નિરગ્નિ; ઈચ્છા અને અનિચ્છા; ક્રોધ અને અક્રોધ; નિયમ અને અનિયમ – ટૂંકામાં સર્વ વસ્તુઓ છે – સર્વ વસ્તુનો બનેલ છે એમ જણાવ્યું છે. (બૃહદ્ ૪, ૪, ૫, વળી જુઓ ૩, ૭, ૧૪-૨૨.) આ પરથી જણાય છે કે આત્માને ભૌતિક – પાર્થિવ માનેલ છે કારણ કે ચાર જડ તત્ત્વો તેમાં છે, પરંતુ અમુક માનસિક ગુણો પણ તેમાં મૂકવામાં આવ્યા છે. એક બીજા ફકરામાં એવું જણાવેલ છે કે પાંચ જાતના આત્માઓ એકબીજાથી ભિન્ન પણ મનુષ્યાકારના કહેવામાં આવ્યા છે, અને તે દરેક અનુક્રમે અત્ર, શ્વાસ, મન, ચેતના અને આનંદના બનેલા ગણવામાં આવ્યા છે. કેટલીક જાતના રોગ થાય છે તેનું કારણ એવું બતાવવામાં આવે છે કે જીવ દેહથી ચાલી ગયો અને તેથી મંત્રોથી તેને પાછો લાવવા માટે જરૂર છે. (અથર્વવેદ, ૫, ૨૯, , ૬, ૫૩.૨; ૭,૬૭. સરખાવો ઐતરેય આરણ્યક ૩, ૨,૪,૭.) ઊંઘમાં સ્વપ્ન આવે છે ત્યારે પણ આત્મા દેહને છોડી જાય છે અને તેમ જણાવી કહેવામાં આવે છે કે કોઈએ અવ્યવસ્થિત રીતે એકાએક મનુષ્યને જગાડવો નહીં. કારણકે તેમ કરવા જતાં જીવ પાછો દેહમાં ન આવે તો પછી તે પાછો લાવવો બહુ મુશ્કેલ થઈ પડે. (બૃહદ. ૪,૩.૧૪). સ્વપ્નમાં જીવ દેહને છોડી વેચ્છાએ ગમે ત્યાં ભમે છે અને પોતાની કલ્પના પ્રમાણે સૃષ્ટિ રચે છે. રથ, ઘર, સરોવર, નદી, જુદાજુદા આકાર, ભભકાબંધ ક્રીડાભૂમિ વગેરે બનાવે છે ને ત્યાં તે રમે છે, આનંદ લે છે અને દુઃખ ભોગવે છે. પછી છેવટે થાકી જઈને જેમ બાજપક્ષી આકાશમાં આમ તેમ ભમે છે, ઊડે છે, અને પાછો પોતાના માળામાં આવી બેસે છે, તેવી રીતે જીવ પોતાની ક્રીડાભૂમિથી પાછો દેહમાં આવે છે. જો ગાઢ નિદ્રામાં હોય તો તેને કશાની જરૂર હોતી નથી અને સ્વપ્ન પણ આવતાં નથી. (બૃહદ્ ૪, ૩, છાંદોગ્ય. ૮, ૧૨, ૩) આ સ્વપ્નાંઓ પર ફલનો આધાર ભવિષ્ય માટે હોય છે એમ હિંદમાં ઘણાનું માનવું છે. જ્યારે આત્મા દેહમાં પાછો આવ્યો હોય છે, ત્યારે આત્મા આખા શરીરમાં નખથી તે શિખ સુધી ૭૨૦૦૦નાડી (નામે હિતા) દ્વારા વ્યાપ્ત થાય છે. ત્યારે આત્માને પ્રકાશ મળે છે. બૃહદ્. ૨, ૧, ૧૯; ૪, ૩, ૨૦; છાંદોગ્ય. ૮, ૬, ૩, કૌશ. ૪, ૧૯.) ઉપનિષદ્દમાં આત્મા દેહમાંથી કેમ જાય છે, અને પુનઃ કેવી રીતે પાછો આવે છે તે જણાવેલ નથી; તેનું કારણ કે ગર્ભના પ્રારંભકાળમાં, કે તેના ફરકવા વખતે કે Page #86 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના જન્મ થતી વખતે આત્મા દેહમાં પ્રવેશે છે તેના સંબંધે જુદાજુદા અભિપ્રાય એકબીજાથી વિરુદ્ધ આપેલા છે. પશ્ચિમમાં પણ તે સંબંધી હજુ નિર્ણય થયો નથી. આ દેહની પહેલાં બીજા કોઈ દેહમાં આત્મા હતો એમ કેટલેક સ્થળે જણાવેલ છે. (બૃહદ્ ૩, ૨, ૧૩; ૪, ૪, ૬; સરખાવો ૬, ૪ અને ઐતરીય આરણ્યક ૨, ૩, ૨૦) અને કેટલેક સ્થલે ઉત્પત્તિ સમયે પ્રથમ દેહમાં આત્મા પ્રવેશે છે ત્યારે તે ખોપરીના એક ચીરામાંથી જઈ હૃદયમાં જાય છે એમ જણાવેલ છે. (તૈતરીય ૧, ૬, ૧; ઐત. ૩, ૧૨) પરંતુ એક સ્થલે એમ દર્શાવેલ છે કે આત્મા આંતરડાં અને ઉદર દ્વારા ઉપર મસ્તકમાં જાય છે. ૬૫ આમ ઉપનિષમાં ભિન્નતાઓ મળી આવે છે, પરંતુ આ મત સંબંધે તો એક સમાનતા જ છે કે આ ભવમાં યજ્ઞ કરવાથી કે તપ કરવાથી આત્મા પુનર્જન્મમાંથી મુક્ત થઈ શકે તેમ નથી. પોતાનો આત્મા પરમાત્મા જેવો જ છે કે જે પરમાત્મા સર્વ કારણોનું કારણ અંતિમ કારણ છે – એમાં અપૂર્વ-પૂર્ણ શ્રદ્ધા અને પ્રતીતિ એ જ મોક્ષનો ઉપાય છે. નિદ્રા, જાગૃતિ, જીવન, ગતિ વગેરે સમજાવવાને માટે ‘આત્મા'નું અસ્તિત્વ સ્વીકારવું પડ્યું હતું; પછી બાહ્ય જગતને તે લાગુ પાડવામાં આવ્યું. જો સૂર્યમાં આત્મા ન હોય તો ગગનનું આક્રમણ કરી ન શકે અને પ્રકાશ આપી ન શકે એમ ધારી સૂર્યને સજીવ કહેવામાં આવેલ છે; તેમજ કુદરતનાં તત્ત્વોને ‘દેવતાઓ’ એ નામ આપી તેમાં જીવત્વનું આરોપણ કરવામાં આવ્યું. પછી ધીમેધીમે આ દેવોને એકબીજાની સમાન લેખવામાં આવ્યા, અને છેવટે બુદ્ધ અને મહાવીરના સમય પહેલાં તરત જ એક એવો સિદ્ધાંત કરવામાં આવ્યો કે એક જ આદિકારણ એવો પરમમાં પરમ બ્રહ્મ – પરમાત્મન્ છે કે જેમાંથી સર્વ દેવો અને જીવો ઉદ્ભવેલ છે. મનુષ્યાત્માઓ તે પરબ્રહ્મના અંશ જણાવવામાં આવ્યા; એટલેકે ઐતિહાસિક દૃષ્ટિએ પૂર્વે આત્માનો સિદ્ધાંત હતો અને પાછળથી પરમાત્માનો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો. આ વખતે ગૌતમ બુદ્ધ અને શ્રી મહાવીર એ બે ક્ષત્રિય ફિલસૂફો થયા. ગૌતમ બુદ્ધે આત્માના સિદ્ધાંતને સ્વીકાર્યો નહિ અને નવી જ ફિલસૂફી કાઢી કે જેમાં આત્મા અગર આત્માઓ કંઈપણ ભાગ ભજવતા જ નથી. આ ફિલસૂફીના સત્યાસત્ય માટે વિવેચન કરવાનું આ સ્થલ નથી, છતાં કહેવું પડશે કે આત્માના અસ્તિત્વનો અસ્વીકાર (અનાત્મવાદ)માંથી પુનર્જન્મ, કર્મનો મહાન સિદ્ધાંત, વગેરે ફલિત થઈ શકતા નથી, તેથી તેનો પણ અસ્વીકાર થાય છે. વળી તેણે તપસ્ નિષ્ફલ છે એમ જણાવ્યું. (૧) શ્રી મહાવીરે દરેક સિદ્ધાંતને વિવેચક દૃષ્ટિથી, સર્વ દૃષ્ટિબિંદુ દ્વારા તપાસી તેનું જે યોગ્ય સ્થાન હતું તે પોતાની ફિલસૂફીમાં આપ્યું. આથી જ તેમની ફિલસૂફીને ‘અનેકાંતવાદ’ – ‘સ્યાદ્વાદ’ એ અભિધાન યથાર્થ રીતે આપવામાં આવ્યું છે. તેમાં સર્વ દૃષ્ટિબિંદુઓને - ‘નયવાદ'ને સ્થાન આપવામાં આવ્યું છે. તે ‘નય’=વિચાર, દૃષ્ટિબિંદુમાં બે મુખ્ય દૃષ્ટિબિંદુઓ નામે ‘નિશ્ચય નય' (Absoluste standpoint or point of view) અને ‘વ્યવહારનય' (practical standpoint or point of view) છે. તે બંનેથી જોઈએ તો નિશ્ચયે આત્મા નિત્ય’ છે, કારણકે આત્મા સર્વ જન્મોમાં એક સરખો રહે છે, અને તે નિશ્ચયે પરમાત્મા સમાન જ છે. (અંશાશી ભાવે નહિ). જ્યારે Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વ્યવહારથી જોતાં આત્મા જુદાંજુદાં શરીરો ગ્રહણ કરે છે તેથી તે દૃષ્ટિએ આત્મા ‘અનિત્ય’ છે. જગત પણ પરિવર્તન ક્ષણેક્ષણે પામ્યાં જ કરે છે તેથી તે પરિવર્તનશીલ જગતને ‘વ્યવહારનય'થી અનિત્ય ગણેલ છે, જ્યારે તે છે છે ને છે, હતું હતું ને હતું અને હશે, હશે ને હશે એમ અનાદિથી ચાલ્યું આવતું જગત નિશ્ચયનય'થી નિત્ય છે. (૨) આત્મા દેહવ્યાપી છે તેથી જે પ્રમાણે દેહ છે તે જ પ્રમાણમાં તે દેહના સર્વ અંશોમાં વ્યાપી રહેલ આત્મા છે. આથી તેને આટલું કદ છે, અગર દેહના અમુક સ્થલે જ રહે છે એનો સ્વીકાર થતો નથી. ૬૬ (૩) યજ્ઞના વિધિનો નિષેધ કરી સર્વ જીવોને જીવનનો સરખો હક્ક છે “સવ્વેસિં નીવિયં પિયં’' - સર્વ જીવોને જીવન પ્રિય છે, ઇષ્ટ છે માટે જીવને મારવાનો કે પીડવાનો કોઈને હક્ક નથી. એવું પરમ ‘અહિંસા’ તત્ત્વ ઉદ્ઘોષણાથી પ્રતિપાદિત કર્યું. (૪) તપને બુદ્ધે નકામું ગણી ફેંકી દીધું, તેમ મહાવીરે ન કરતાં સ્પષ્ટતાથી જણાવ્યું કે ‘માત્ર ભાવનાશૂન્ય કાયક્લેશ કરી તપ કરવાથી તાપસ કહેવાવામાં કંઈ અર્થ સ૨વાનો નથી, પરંતુ સાધ્ય લક્ષમાં રાખી આત્મસ્વરૂપનું ચિંતન અને ધ્યાન એ તપનું પરમ ઉપયોગી અને સિદ્ધિદાયક અંગભૂત છે.' એ જાહેર કરી તપસ્ને આવશ્યક સ્વીકાર્યું. તપસ્ એ માત્ર દેહદમન છે એમ નથી, પરંતુ તેના બાહ્ય તપ અને અંતરંગ તપ એમ બે ભેદ પાડી તે દરેકના છ પ્રકાર પાડેલા છે. અંતરંગ તપના છ ભેદમાં પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય (કે જેની અંદર વાચના, પૃચ્છના, શ્રવણ, ધર્માભ્યાસ વગેરેનો સમાવેશ થાય છે), કાયોત્સર્ગ અને ધ્યાનનો અંતર્ભાવ થાય છે. પ્રૉ. ર્પાઇસ ડેવિડ્સ જણાવે છે કે ઃ Diogenes and his parallel in India Mahavira, Founded important Schools which have left their mark on history. d (યુરોપમાં) ડાયોઝનીસ્ અને તેના સમાંતર તરીકે ભારતમાં મહાવી૨ એ બંનેએ ઉપયોગી સંસ્થાઓ સ્થાપી છે કે જેણે ઇતિહાસ પર પોતાનાં પ્રધાન ચિહ્નો અંકિત કર્યાં છે. (આ સાથે જણાવી દેવું પડશે કે મહાવીરે જે જાતના તપનો ઉપદેશ કર્યો હતો અને જે જાતનું તપ પોતે કર્યું હતું તે તપસ્ પાશ્ચાત્ય વિદ્વાનો હજુ સમજી શક્યા નથી. અને તેથી તેનું ભાષાંતર Self-mortification દેહદમન કરી તેવા જ અર્થમાં મહાવીરના તપસને ગણે છે.) (૫) જાતિભેદ મહાવીરે સ્વીકાર્યો નથી જ. તેમના ધર્મસામ્રાજ્યમાં સર્વ વર્ણને સરખો અધિકાર છેવટના સાધ્ય મુક્તિ સુધીનો છે. હવે કેટલાક વાદો આ સમયે હતા તે સંબંધે જણાવવાનું કે – સૂત્રકૃત નામના અંગમાં ચાર મુખ્ય પરદર્શન, જૈન સિદ્ધાંત નામે વર્ણવેલા છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ. - (૧) ક્રિયાવાદ આમાં એવો સિદ્ધાંત છે કે આત્મા કર્તા છે, અને તેના પર ક્રિયા-કર્મની અસર થાય છે. આ ક્રિયા-ઉત્પત્તિ આદિ શેનાથી થાય છે તે મોટો પ્રશ્ન છે. કેટલાક એમ કહેતા કે કાલથી, કોઈ ઈશ્વરથી, કોઈ તે આત્માથી - પુરુષાર્થથી, Page #88 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૭. કોઈ સ્વભાવથી (વસ્તુનો સ્વભાવ એટલે વસ્તુ જે સ્વતઃ પોતાની મેળે જ પરિણામ પામે તે.). (૨) અક્રિયાવાદ – આ વાદ એ કહે છે કે એક ક્ષણ પણ જેની સ્થિતિ થઈ રહેતી નથી એવા પદાર્થને – આત્માને ક્રિયા કેમ સંભવે ? ઉત્પત્તિ સાથે જ ભવવિનાશાદિ પણ થાય છે. આ વાદ આત્માદિ નાસ્તિત્વવાદ છે. આની અંદર બૌદ્ધનો ક્ષણિકવાદ અને શૂન્યવાદ સમાઈ જાય છે. વળી આ વાદ આત્માના અસ્તિત્વ સાથે પ્રતિનિયત કાર્ય-કારણ ભાવને પણ સ્વીકારતો નથી. (૩) અજ્ઞાનવાદ – આમાં અજ્ઞાન વડે આચરણ કરવામાં આવે છે, અને કત કર્મ બંધાદિ વિકલ્પનો વિચાર કરવામાં આવતો નથી. આ વાદ એવું કર્થ છે કે જ્ઞાનથી કશું શ્રેય નથી, કેમકે જ્ઞાન હોય તો વિરુદ્ધ પ્રરૂપણા રૂપ વિવાદનો યોગ આવે – વાદવિવાદ થાય, અને તેમ થતાં ચિત્ત કલુષિત થાય અને તેમ થતાં સંસાર-પ્રવૃત્તિ લંબાતી ચાલે, જ્યારે અજ્ઞાનનો આશ્રય કરાય ત્યારે અહંકારનો સંભવ આવે નહિ, તેમ પારકા પ્રત્યે ચિત્ત કાલુષ્ય પણ થાય નહિ અને તેથી કર્મનો બંધ પણ સંભવે નહીં અને તેથી સંસાર વધે નહીં. આના. સંબંધમાં બૌદ્ધ પુસ્તકોમાંથી કેટલોક વધારે પ્રકાશ પડે છે : સામા... ફલ સુત્તમાં સંજય (બેટ્ટિપુત્ત)ના આ વાદ સંબંધે બુદ્ધે એવું જણાવેલું છે કે : “આત્માનું ભવિષ્યમાં અસ્તિત્વ છે કે નહીં એ સંબંધી તમે મને પૂછવા માંગતા હો, તો હું તે સ્થિતિ સંબંધી ખુલાસો કરીશ. જો તેઓ એમ પૂછવા માંગતા હોય કે તે સ્થિતિ આ પ્રમાણે છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; તે સ્થિતિ તેના જેવી છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી, શું તે આનાથી ભિન્ન છે ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; શું તે સ્થિતિ નથી ? તો તે સાથે મારે કંઈ સંબંધ નથી; શું તે નથી તે નથી જ ? તો તે સાથે મારે કોઈ સંબંધ નથી.” આવી રીતે તથાગત (બુદ્ધ) મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવે છે કે અસ્તિત્વ નથી ધરાવતા, એક વખતે છે કે નથી, નથી તેમજ એકી વખતે નથી – એ પ્રશ્નોના નિર્ણયાત્મક રીતે ઉત્તર આપવાની બુદ્ધ ના પાડે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અજ્ઞાનવાદીઓ એક વસ્તુના અસ્તિત્વ ને નાસ્તિત્વ સંબંધે જે-જે રીતે કહી શકાય તે-તે સઘળી રીતોનો ઉપયોગ કરતા – પ્રશ્ન ઉઠાવતા અને સામા થતા વાદીઓ પાસેથી તેનો ખુલાસો માંગતા. અને જો કોઈ વસ્તુ લોકોત્તર હોઈ સમજી ન શકાય તેવી અગર અનુભવગોચર ન થાય તેવી જણાવવામાં આવતી તો તેઓ તે સઘળી રીતિઓનો નિષેધ કરતા. (૪) વિનયવાદ – વિનયથી આચરણ કરવાનું કથન કરનાર વાદ. આમાં દેવતા, નૃપતિ, યતિ, જ્ઞાની, વૃદ્ધ, અધમ, માતા, અને પિતા – આઠ પ્રત્યે શરીર, મન, વાણી અને દાન એ ચાર પ્રકારે દેશકાલાનુસાર વિનય કરવાનું કહ્યું છે. આ ચારે વાદમાં અનેક અનેક પ્રશ્નો અને પેટાવાદો ફરે છે. અને તેથી તે દરેક ગણતાં ૩૬૩ મત મહાવીર સમયમાં હતા કે જેને ૩૬૩ ‘પાંખડીઓ' એવું અપનામ જૈનસૂત્રોમાં ૧. સરખાવો સુભાષિતની ઉક્તિ જ્ઞાન વિવાદાય ઘન મહાપ અને અંગ્રેજી ઉક્તિ Ignorance is bliss – અજ્ઞાન એ સુખ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંત આપવામાં આવ્યું છે. (કિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩ર મત મળી ૩૬૩) આ દરેક કેવી રીતે થાય છે તે માટે જુઓ શ્ર હરિભદ્રસૂરિના “ષદર્શન સમુચ્ચય' પરની મોટી વૃત્તિ (ભાષાંતર પૃ. ૯-૧૯), અને શ્રી આત્મારામજીકૃત જૈન તત્ત્વાદર્શ (ગુજરાતી. ભા. પૃ. ૧૧૫થી ૧૩૬.) અહીં મહાવીરે દરેક સંબંધે શું નિર્ણાયાત્મક વિચાર બાંધેલ છે તે ટૂંકમાં જણાવીશું : (૧) ક્રિયાવાદ સંબંધે દરેક ક્રિયાની અસર છે અને તેથી જીવે કરેલી દરેક ક્રિયાની અસર તેના પર થાય છે. આ અસર આપવામાં – કોઈપણ કાર્ય થવામાં - કાર્યસિદ્ધિમાં પાંચ કારણોનું અસ્તિત્વ એકી સંઘાવે છે અને જેને પાંચ સમવાય કહેવામાં આવે છે, તેના નામ ઃ ૧. કાલ ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. પૂર્વકર્મ, પ. પુરુષાર્થ. આ પાંચમાંથી કોઈપણ એકથી કાર્ય થાય છે તે એકાંતવાદ મહાવીરે સ્વીકાયો જ નથી. તેમના અનેકાંતવાદ – સ્યાદ્વાદ છે તે પ્રતીત થાય છે. ઈશ્વર કાર્યનો – ક્રિયાનો પ્રેરક નથી. આત્મા છે, ઈશ્વર છે, દેહી આત્મા – જીવ તે આવરિત છે, અને જ્યારે બધાં આવરણો છૂટે છે – દૂર થાય છે ત્યારે તે ઈશ્વર બને છે. તે આવરણો દૂર કરવામાં પણ ઉક્ત પાંચ કારણો આવશ્યક છે. તે પાંચને સમવાય' કહેવામાં આવે છે, કારણ કે યત્સમવેત કાર્યમુદતે – જેના મળવાથી કાર્યની નિષ્પત્તિ થાય તે સમવાય. આ પાંચમાં ઈશ્વર એ એક કારણ ગણેલ નથી. ઈશ્વરને જગત કે જગતના કોઈ કારણ સાથે સંબંધ નથી તે માટે કર્મનો સિદ્ધાંત' મહાવીરે એવો સર્વવ્યાપી, અબાધિત અને અચલ ગૂંથેલ છે કે તે તેમની સર્વજ્ઞતા સિદ્ધ કરે છે. ઉક્ત પાંચમાંથી એકને જ ખરા કારણ તરીકે એકાંતે માની કાલવાદી, નિયતિવાદી, સ્વભાવવાદી પ્રમુખ અનેકવાદ થયા છે. (૨) અક્રિયાવાદ ટકી શકતો જ નથી. કાર્યકારણની પરંપરા – કર્મનો સિદ્ધાંત અબાધિત અને નિયત છે, તેમાં મીનમેખ થનાર નથી. અક્રિયાવાદી કાર્યના કારણ તરીકે યદચ્છા એટલે આકસ્મિકતા કહે છે તે કાર્યકારણભાવને વિવેચક બુદ્ધિથી જોતાં કોઈપણ બુદ્ધિમાન સ્વીકારી શકે તેમ નથી. (૩) અજ્ઞાનવાદની સામે સ્યાદ્વાદ મહાવીરે ઉપદેશેલ છે. અજ્ઞાનવાદ જે જે પ્રશ્નોની પરંપરા વસ્તુના અસ્તિત્વ નાસ્તિત્વ સંબંધે ઉત્પન્ન કરે છે તે તે દરેક પ્રશ્નો સ્યાદ્વાદના સપ્તભંગી ન્યાયમાં અંતર્ભાવ પામે છે અને તેના ઉત્તર પણ મેળવે છે. તે સપ્તભંગી, જે સાત જુદીજુદી રીત વસ્તુના અસ્તિત્વ અને નાસ્તિત્વની “ચાતુ' અને ‘એવ' શબ્દસહિત નિર્દેશ કરવાથી થાય છે તે છે. તે આ પ્રમાણે : સ્યાદ્ અતિ એવ- કોઈ એક અપેક્ષાએ (વિધિની પ્રધાનતાથી) નિઃશંકપણે વસ્તુ છે. ચાત્રાતિ એવ – કોઈ બીજી અપેક્ષાએ (નિષેધની પ્રધાનતાથી) નિઃશંકપણે વસ્તુ નથી. સ્વાદસ્તિ નાસ્તિ એવ – કોઈ અપેક્ષાએ નિઃશંકપણે વસ્તુનું અસ્તિત્વ છે અને કોઈ બીજી અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ નથી પણ. આમ જુદીજુદી અપેક્ષાથી જુદે જુદે વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બંનેનું પ્રતિપાદન કરી શકાય. Page #90 -------------------------------------------------------------------------- ________________ ભારતની ધર્મભાવના ૬૯ સ્વાદ્ધક્તવ્ય એવ – ચોક્કસપણે કોઈ અપેક્ષાપૂર્વક (વિધિનિષેધની યુગપત પ્રધાનતાથી) વસ્તુનું વર્ણન કરવું અશક્ય છે. એક વસ્તુના એકથી વધારે ગુણો એકી સાથે જ કહી શકાય નહિ, તેથી જો એક જ અપેક્ષાથી એક જ વખતે વસ્તુનું અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને પ્રતિપાદન કરવું હોય તો આપણે કહેવું જ જોઈએ કે તે કહી શકાય તેમ નથી એટલે અવક્તવ્ય છે. સ્વાદસ્તિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ અપેક્ષાથી વસ્તુ વિદ્યમાન છે, પણ તે જ ક્ષણે તેનો સંપૂર્ણ રીતે નિર્દેશ કરવો અશક્ય છે. ચાત્રાતિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ કોઈ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન નથી અને તે જ ક્ષણે તેનું સંપૂર્ણપણે વર્ણન કરવું અશક્ય છે. સ્વાદતિ ચ નાસ્તિ ચ અવક્તવ્ય – ચોક્કસ રીતે કોઈ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન છે અને કોઈ બીજી અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન નથી અને એક જ ક્ષણે તે વસ્તુનો નિર્દેશ કરવો અશક્ય છે. અજ્ઞાનવાદીઓ એમ કહેતા કે અનુભવ બહારની વસ્તુનું અસ્તિત્વ કે નાસ્તિત્વ કે એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વનું વિધિવતુ કે નિષેધવત્ પ્રતિપાદન થઈ જ ન શકે, જ્યારે સ્વાવાદ કહે છે કે દરેક અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ, નાસ્તિત્વ વિધિવત્ કે નિષેધવત્ કે એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વ ઉપર જણાવેલ છે તેમ પ્રતિપાદિત થઈ શકે. આથી અજ્ઞાનવાદીઓની અસર દાબવા માટે સ્યાદ્વાદનો ઉદ્ભવ થયેલ છે એમ ડૉ. જેકૉબીનું માનવું છે. આ અજ્ઞાનવાદની અસર મહાવીરના સમકાલીન બુદ્ધના દર્શન પર – બૌદ્ધ ધર્મ પર થયેલ છે અને ખાસ કરીને બુદ્ધના નિર્વાણ સંબંધેના સિદ્ધાંત પર સ્પષ્ટ રીતે થઈ લાગે છે. બુદ્ધને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે 'તથાગત (મુક્ત જીવ - બુદ્ધ) મૃત્યુ પછી વિદ્યમાન રહે છે કે નહિ ?” ત્યારે બુદ્ધે તે પ્રશ્નનો ઉત્તર આપવાની ના પાડી, (અને તેથી લોકો કે જેમાં સામાન્ય બુદ્ધિ હોય છે. તે લાંબા વાદમાં ન ઊતરતાં તેટલેથી જ સંતોષ પામતા) કારણકે આવા તત્ત્વજ્ઞાનના પ્રશ્નો અથવા તેથી પણ વધુ મહત્ત્વના પ્રશ્નો મનુષ્યની બુદ્ધિથી ઉકેલી શકાય તેમ નથી એવું પોતાના વખતના લોકને વારંવાર કહેવામાં આવતાં લોક સમાધાન પામી જઈ વિશેષ ચર્ચા ન લંબાવતા. જો બુદ્ધે તેમ ન કર્યું હોત તો તે ધાર્મિક સુધારકને લોકો વિશેષ માનત નહીં, કારણકે ઉક્ત પ્રશ્નો બ્રાહ્મણ ધર્મમાં (અને જૈન ધર્મમાં ઘણા મહત્ત્વના અને આધારભૂત હતા અને તેથી બુદ્ધે તેના માટે લાંબું કાંતવાનું પસંદ જ કર્યું નહીં અને તે પ્રશ્નોના ઉત્તર માંગવામાં આવતાં તેના ઉત્તર આપવાની ના જ પાડી. આ પરથી નિર્વાણ સંબંધીનો બૌદ્ધ સિદ્ધાંત જે રીતે મૂકવામાં આવ્યો છે તે રીતે જોતાં અજ્ઞાનવાદની અસર તે પર થયેલી પ્રતીત થાય છે. આ વાતની પુષ્ટિમાં જણાવવાનું કે સારિપુત્ર અને મોગલાન કે જે બુદ્ધના મહાનમાં મહાન શિષ્યોમાંના હતા તે બૌદ્ધ ધર્મમાં આવ્યા પહેલાં અજ્ઞાનવાદના સંચાલક સંજયના શિષ્યો હતા અને બુદ્ધના શિષ્ય થતી વખતે પોતાની સાથે પોતાના પૂર્વ ગુરુના ૨૦ શિષ્યો બુદ્ધ પાસે લઈ આવ્યા હતા. (જુઓ ડૉ. જેકોબીનું જૈન સૂત્ર S.B.E. વો. ૪પ, પ્રસ્તાવના.) Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અજ્ઞાનવાદને નરી દૃષ્ટિથી જોતાં અજ્ઞાન એ સુખનું, શાંતિનું, મુક્તિનું કારણ હોઈ શકે એ તદ્દન મિથ્યા લાગે છે. જૈનોએ મુક્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે સાથે મળવાથી સધાય છે એમ સ્વીકાર્યું છે. (૪) વિનયવાદ જે રીતે કહેવામાં આવેલ છે તેમાં રહેલ વિનયનું અનુસરણ સ્વીકારવામાં આવેલ છે, પરંતુ જેનો વિનય કરવાનું કહેલ છે તેમાંના એકનો અગર તૈટલાનો જ વિનય કરવાથી ઇષ્ટ સિદ્ધિ નથી, તે એકાંત છે, પરંતુ તે સર્વનો દેશકાલાનુસાર વિનય કરવા સાથે જે મુક્તિમાર્ગમાં પ્રવર્તનારા છે તેઓનો જે વિનય કરવો, તે જ વિનય મુક્તિનું અંગ છે. ૫. મહાવીરનો પ્રાદુર્ભાવ इयति जगति पूज्यं जन्म गृह्णाति कश्चित् विपुलकुशलसेतुः सत्त्वसंतारणाय ।। આ જગતમાં કોઈ પુણ્ય [પૂજ્ય] જન્મ લે છે કે જે જીવોના ઉદ્ધાર અર્થે પુષ્કળ સુખના સેતુરૂપ થાય છે. ७० When the lamp is shatterd, The light at the dust lies dead, When the cloud is scattered The rainbow's glory is shed. – Shelley એ તો નિઃસંદેહ છે કે મહાન પુરુષ પોતાના યુગ પર પ્રબલ પ્રભાવ પાડે છે, અને ભવિષ્યના ઇતિહાસનું બીજ વાવે છે. આ પર વિચાર કરતાં ઇતિહાસનું સ્વરૂપ-નિરૂપણ યથાર્થ પ્રતીત થાય છે, પરંતુ ગંભીર રીતે વિચારતાં આ અર્ધ-સત્ય વ્યાખ્યા સંતોષદાયક થતી નથી. જ્વાલામુખી પર્વત ફાટે છે અને ચારે દિશાની ભૂમિ પર અસર કરે છે, તેથી જ્વાલામુખી પર્વતને જ આ અસલના કારણરૂપ દર્શાવવું એ સંતોષજનક વ્યાખ્યા નથી. જ્વાલામુખી પર્વત કઈ રીતે થાય છે, તેમાં અગ્નિ ક્યાંથી આવે છે ઇત્યાદિ પાછળ કારણપરંપરામાં જવું જરૂરી છે. જ્યારે આપણે પાછળ દૃષ્ટિ ફેંકીએ છીએ ત્યારે જ્વાલામુખી પર્વત કારણભૂત જણાતો નથી, પરંતુ દ્વારરૂપે સિદ્ધ થાય છે; તેવી જ રીતે મહાપુરુષ પોતાના અને પોતાથી પાછળના કાલના યુગ પર અસર કરે છે એ સત્ય છે પરંતુ તે સ્વયં ભૂતકાલના પુત્ર અને વર્તમાન કાલના બંધુ હોય છે. મહાનમાં મહાન પુરુષ પણ પોતાના જમાનાથી સર્વથા સ્વતંત્ર હોતા નથી; અને તેથી જ સ્પેન્સર કહે છે કે “મહાન્ પુરુષ એ પોતાના યુગમાંથી ઉદ્ભવેલ વીર છે.’ રા. સુશીલના પોતાના અપ્રકટ પુસ્તક ‘મહાવીરજીવનનો સાર’ અથવા ‘શ્રીમન્મહાવીરના જીવન પ્રસંગોમાંથી ઉદ્ભવતો નૈતિક બોધ' (Moral from the ૧. આ પુસ્તક ‘શ્રી મહાવીર જીવન વિસ્તાર’ એ નામથી બહાર પડી ગયું અને તે લોકમાં ઘણું આદર પામ્યું. આથી તેની બીજી આવૃત્તિ હમણાં પ્રગટ થઈ છે. લેખક Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનો પ્રાદુર્ભાવ ૭૧ incidents of 1.ord Mahavira's Life)માં આ સંબંધે જે મનોરમ્ય ગિરામાં કહેવામાં આવ્યું છે તે આ લેખમાં ઉતારવાની લાલચ તજી શકાતી નથી. આ વિશ્વક્ષેત્ર ઉપર દેવી અને જગદોદ્ધારક તનુઓના પ્રાદુર્ભાવમાં પ્રવર્તતાં અનેક નિમિત્તોનું અવલોકન કરતાં એમ જણાય છે કે જ્યારે સમાજ અથવા પ્રજાનો એક બળવાન અને સત્તાધારી વિભાગ પોતાના સ્થૂલ સ્વાર્થનું રક્ષણ કરવા માટે અસત્ય અને અધર્મનો પક્ષ લઈ પોતાથી અલ્પ શક્તિમાન વિભાગને સત્યથી વંચિત રાખે છે ત્યારે તે આક્રમિત અને પરાજિત થયેલા સત્યની ભસ્મમાંથી એક એવું દિવ્ય સ્ફલિંગ પ્રગટે છે કે જેની પ્રખર જ્વાલામાં આખરે અધર્મ અને અનીતિનો લય થાય છે. અને તેમ હોવાથી એ દિવ્ય લિંગના પ્રાકટ્યમાં જેટલો નીતિનો નહિ તેટલો અનીતિનો અને ધર્મનો નહિ તેટલો અધર્મનો ફાળો હોય છે. પરાભવ પામેલા સત્યને તેના મૂલ ગૌરવસ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરવા અર્થે જ મહાપુરુષોનું અવતરણ હોય છે. દેવી અને આસુરી સત્ત્વોના વિગ્રહમાં જ્યારે આસુરી તત્ત્વ પોતાના ઉચ્ચ પ્રકારના સ્થૂલ બળના પ્રભાવથી દૈવી સત્ત્વને દબાવી દે છે, પોતાનું અધર્મશાસન પ્રવર્તાવે છે ત્યારે તેના પ્રતિશાસક તરીકે દેવી સત્ત્વનો પક્ષ લઈ અસત્યનું નિકંદન કરવા માટે કુદરતના ગર્ભાગારમાંથી એક અમોઘ વીર્યવાન્ આત્મા જન્મે છે. આ મહાસત્ત્વને લોકો અવતારની સંજ્ઞાથી આલેખે છે. તેમના અવતરણનો મુખ્ય હેતુ જગતની સર્વદેશીય પ્રગતિના અવરોધનાં કારણોને દૂર કરવાનો હોય છે. મહત્તા એ એકલા સામર્થ્યને લઈને નથી, પણ વિદનોનો પરિહાર કરવામાં તે સામર્થ્યનો જે ઉપયોગ થાય છે તેને લઈને છે અને તે પણ જેટલા પ્રબળ અંતરાય અને પ્રતિબંધો સામે લડવામાં તે વપરાયું હોય તેટલા પ્રમાણમાં જ છે. જગતમાં જે જે પુરુષો મહાન ગણાયા છે તે માત્ર તેમના અંતર્ગત સામર્થ્યના પ્રભાવથી જ નહિ, પણ તે સામર્થ્યને અધર્મની સામે વિરોધમાં રોકી આખરે અધર્મને પરાસ્ત કરવાથી જ ગણાયા છે. જે સામર્થ્ય કાર્યશૂન્ય છે, તેની જગન્ને ખબર જ પડતી નથી. કથિતાશય એ છે કે મહાપુરુષોના મહત્ત્વનું ઉપાદાન ‘અધર્મ અથવા અસત્યની સામે લડવામાં પોતાના સામર્થ્યનો કરેલો ઉપયોગ' છે. વિસ્તુતઃ એ મહાન આત્માઓને આકર્ષનાર અધર્મ નથી, પણ અધર્મનું પ્રાબલ્ય જ્યારે સત્યના સ્વરને ગૂંગળાવી નાંખે છે ત્યારે તે વખતે દુઃખાત્ત થયેલા સત્યનો આંતર પુકાર તે મહાત્માને આકર્ષે છે, છતાં મહાજનોનું ખરેખર મહત્ત્વ અધર્મ, અસત્ય અને અનીતિને આભારી છે. રામની મહત્તા રાવણના અધર્મથી જ બંધાયેલી છે, કૃષ્ણનું ઐશ્વર્ય કૌરવોની અનીતિથી જ જગતને સ્પષ્ટ થવા પામ્યું છે, એ જ પ્રમાણે પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં જે જે પુરુષોએ કંઈપણ હત્તા પ્રાપ્ત કરી છે તે-તે તે ક્ષેત્રમાં રહેલા હલકા સત્ત્વનો પરાજય કરવાથી જ પ્રાપ્ત થયેલી છે. મહત્તાનું આ ધોરણ દષ્ટિમાં રાખી મહાવીરનું મહત્ત્વ શેમાં રહેલું છે એ અવલોકીએ અર્થાત્ કઈ અનીતિ અથવા અસત્ય સામે તેમણે વિગ્રહ કરી જગતમાં કયું આવશ્યક અને ઉપકારક તત્ત્વ ઉમેર્યું તે જોઈએ.” આર્યાવર્તની આ સમયે રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિ શું હતી તે આપણે ઉપર જોઈ ગયા છીએ, છતાં તેના નિષ્કર્ષ અને સુંદર ઉપસંહાર રૂપે રા. સુશીલના શબ્દો ટાંકીએ તો “પચીસમેં વર્ષ પહેલાં આર્યાવર્તની ધર્મભાવનામાં મહાન Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પરિવર્તન શરૂ થયું હતું. ઉપનિષદ્ અને ગીતાના વિશુદ્ધ ભાવો લુપ્તપ્રાય થયા હતા અને તેનું સ્થાન માત્ર અર્થહીન આચાર, હેતુશૂન્ય વિધિઓ અને કંટાળાભરેલી ક્રિયાઓની પરંપરાએ લીધું હતું. પારમાર્થિક રહસ્યની છેક જ વિસ્મૃતિ થઈ હતી અને દેવ-દેવીઓની સંખ્યા એટલી બધી ઝડપથી વધતી ચાલી હતી કે તે સર્વને સંતુષ્ટ રાખવાના મહાન બોજામાં મનુષ્યોને પોતાના આત્મકલ્યાણનો અવકાશ જ રહેતો જ નહોતો. જે ગૌરવ, સન્માન અને મહત્ત્વ પોતાના ગુણ અને કૃતિના પ્રભાવથી પૂર્વે સ્વીકારાતાં હતાં તે હવે બ્રાહ્મણો પોતાના પરંપરાગત હક તરીકે ગણવા લાગ્યા હતા. જ્ઞાતિની મર્યાદાઓ અત્યંત સાંકડી થઈ ગઈ હતી અને સ્થૂલ કિંમતના બદલામાં બ્રાહ્મણો લોકોને પારમાર્થિક ત્રેયની લાલચ આપી તેમની વતી ક્રિયાકાંડમાં પ્રવર્ત્તતા હતા. સમાજની શ્રદ્ધાને અધમ રસ્તા ઉપર ઘસડવામાં આવતી હતી અને તેનો અણઘટતો લાભ તે કાલના બળવાન વિભાગે બ્રાહ્મણોએ લેવા માંડ્યો હતો. ધર્મભાવનાનું જીવંતપણું વિલુપ્ત થઈ માત્ર સંપ્રદાયનું સાંકડાપણું અને ક્રિયાકાંડની જડતા અવશેષ રહી હતી.” ૭૨ “મહાવીરના કાળથી પાંચસે વર્ષ ઉપર પણ લગભગ આવી જ વસ્તુસ્થિતિ વર્તતી હતી. તે વખતે પણ ખેદ ઉપજાવે તેવા યજ્ઞયાગ પૂરજોસથી ચાલતા હતા; છતાં સૌભાગ્યનો વિષય એ હતો કે તે કાલે કેટલાક સમજુ ઋષિઓ એવી ક્રિયાઓનું તુચ્છપણું જોઈ શક્યા હતા અને તેમણે પારમાર્થિક શ્રેય માટે તેનું નિરુપયોગીપણું સમાજને દર્શાવી આપ્યું હતું. તેમણે ઉપનિષદોની રચના કરી તેનાં રહસ્યો ભણી તેમનું લક્ષ્ય ખેચ્યું હતું. અસંખ્ય નાનામોટા દેવોને હડસેલી પાડી તેનું સ્થાન સમસ્ત નિસર્ગનું મહારાજ્ય કે જે એક પરમ તત્ત્વ વડે વ્યાપી રહ્યું છે તેને આપવામાં આવ્યું હતું. વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે અનેક સત્ત્વોને પ્રસન્ન રાખવા અને તેઓ દુનિયાના વ્યવહારમાં ડખલ ન કરે તે માટે યજ્ઞાદિકથી સંતોષવાનો પ્રચાર, પરમબ્રહ્મની વિશુદ્ધ ભાવનાના બલવાનપણાથી ગૌણપણાને પામ્યો હતો અને તેથી બ્રાહ્મણોની વૃત્તિના સ્વાર્થી અંશને આઘાત પહોંચવા પામ્યો હતો; તેમ છતાં પણ ઉપનિષનાં રહસ્યોથી સમાજના ડાહ્યા અને પ્રગતિશીલ વિભાગ ઉપર એવી ઉત્તમ અસર થઈ હતી કે ઘણા કાળ સુધી યજ્ઞાદિક ક્રિયાકાંડનું જોર પ્રવર્તી શક્યું નહીં. સમાજનું ધ્યાન, વિશેષ કરીને પ્રાકૃતિક સત્ત્વોને રાજી રાખવા કરતાં, પારલૌકિક જીવન અને આત્માના સ્વરૂપ સંબંધે બહુ આવેગપૂર્વક આકર્ષાયું હતું; છતાં એ સ્થિતિ ઘણો કાળ નભવા પામી નહીં. લગભગ ત્રણસેં ચારર્સે વર્ષ સુધી તેની અસર ન્યૂનાધિકપણે રહી; પણ મહાવીર દેવના આવિર્ભાવકાલે તે જૂનાં સામર્થ્રો પાછાં સંપૂર્ણ વેગમાં આવ્યાં હતાં. તાત્ત્વિક વિભાગ તરફ લોકોની રુચિ મંદ પડી ગઈ હતી. ધર્મગુરુઓ રુશવત લઈ સ્વર્ગ અને મોક્ષ સુધીનો પરવાનો આપવાની ધૃષ્ટતા કરતા શરૂ થયા હતા, અને શાસ્ત્રાભ્યાસ તેમ સ્વતંત્ર વિચારણા માટે બ્રાહ્મણો સિવાય કોઈનો પણ અધિકાર નહોતો. યજ્ઞાદિક કર્મના અધિકાર માટે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો વચ્ચે જબરી તાણાતાણ ચાલતી હતી. આચારવિચારના નિયામક મંત્રોમાંથી અર્થ ઊઠી ગયો હતો માત્ર શબ્દનાં ખાલી ખોખાં પડ્યાં રહ્યાં હતાં. સમયના બદલાવા સાથે આચાર પણ બદલાયાથી આખો આચારકાંડ ગંધાતા જળના ખાબોચિયા જેવો બની ગયો હતો. આત્માના ચાલી ગયા -- Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનો પ્રાદુર્ભાવ ૭૩ પછી પાછળ પડી રહેલા પિંજર જેવી સ્થિતિ પ્રત્યેક સ્થળે બની રહી હતી. ઉન્નતિક્રમ અને પ્રગતિશીલતાનાં ચક્રો જૂના વિચારના કીચડમાં એટલી હદે ખેંચી ગયાં હતાં કે તેને પાછાં સડક ઉપર ચાલતી સ્થિતિમાં મૂકવા માટે એક વીર આત્માની જરૂર હતી.” મહાવીર પ્રભુના આવિર્ભાવકાલે કેવી વસ્તુસ્થિતિ વર્તતી હતી તેનું વર્ણન મિ. દત્ત આ પ્રમાણે આપે છે : Such was the state of things in India in the Sixth century before Christ. Religion in its true sense had been replaced by forms. Excellent social and moral rules were disfigured by the unhealthy distinctions of caste, by exclusive privileges for Brahmins, by cruel laws for Shudras. Such exclusive caste privileges did not help to improve the Brahmans themselves. As a community they became grasping and covetous, ignorant and pretentious until Brahman Sutrakaras themselves had to censure the abuse in the strongest terms. For the Sudras who had come under the shelter of the Aryan religion, there was no religious instruction, no religious observance, no social respect. Despised and degrraded in the community in which they lived, they sighed for a change; and the invidious distinction became unbearable as they increased in number, pursued various useful industries, owned lands and villages and gained in influence and power. Thus society was held in cast-iron mould which it had long out-grown and the social, religious and legal literature of the day still proclaimed and upheld the cruel injustice against the Sudra long after the Sudra had become civilized and industrious and a worthy member of society. - Romesh Chandra Dutt. આનું ભાષાંતર રા. સુશીલ આ પ્રમાણે કરે છે ? ર૫૦૦ વર્ષ પહેલાં આર્યાવર્તની સ્થિતિ આવી હતી : ધર્મની યથાર્થ ભાવનાનો નાશ થઈ તેનું સ્થાન અર્થહીન આચારવિચારે લીધું હતું. ઉત્તમ સામાજિક અને નૈતિક નિયમો, દુષ્ટ જ્ઞાતિભેદથી અને બ્રાહ્મણો માટે ખાસ હક અને શૂદ્રો માટે ઘાતકી ધારાઓથી વિકૃત થયા હતા. આવા જ્ઞાતિજન્ય વિશેષ અધિકારથી બ્રાહ્મણોની સ્થિતિ ઊલટી બગડવા પામી. આખા સમાજ તરીકે તેઓ એટલી હદે લોભી, લાલચુ, અજ્ઞાન અને અભિમાની બની ગયા કે બ્રાહ્મણ સૂત્રકારોને પણ વસ્તુસ્થિતિની ઘણી સખત ભાષામાં ઝાટકણી કાઢવી પડી હતી. શૂદ્રો કે જેઓએ આર્ય ધર્મના છત્રતળે આશ્રય લીધો હતો તેમને માટે ધાર્મિક શિક્ષણ, વ્રત, અને ક્રિયાનો નિષેધ હતો. સામાજિક સન્માન તેમને માટે મુદ્દલ નહોતું, અને સમાજમાં તેઓ વસતા હતા પણ તેમના તરફથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તિરસ્કાર અને ધિક્કાર પામવાથી તેઓ કાંઈક પરિવર્તન માટે આતુરતાથી રાહ જોતા હતા; અને જેમ જેમ તેઓની સંખ્યા વધતી ચાલી, ઉપયોગી હુન્નર, ઉદ્યોગમાં પ્રવિણ થતા ગયા, જમીન અને ગામોના માલિક બનતા ગયા, અને તેમનો પ્રભાવ અને સત્તા વિસ્તરતાં ગયાં તેમતેમ આવી દ્વેષયુક્ત જ્ઞાતિભિન્નતા તેમને અસહ્ય થતી ગઈ. આ પ્રમાણે આખો સમાજ વતુલ્ય દઢ ખોખામાં ગોંધાઈ રહ્યો હતો. શૂદ્રો સભ્યતા અને ઉદ્યોગમાં આગળ વધવા છતાં અને સમાજના સભ્ય તરીકે લાયક થવા છતાં તે કાલનું સામાજિક ધાર્મિક અને કાયદા સંબંધીનું સાહિત્ય તેમના પ્રત્યે અધમ ન્યાય વર્તાવી રહ્યું હતું.” “ઉન્નતિનાં આવાં અવરોધક કારણો દૂર કરવા માટે એક પ્રબળ શક્તિમાન વીર આત્માના પ્રાદુર્ભાવની જરૂર હતી. ઘણા કાળના એકત્ર થયેલા કચરાના ઢગલાઓને ઝાડી કાઢ્યા વિના સમાજથી એક પગલું પણ આગળ વધાય તેમ નહોતું. જીવનના આત્મિક અંશોને મૂર્છાવસ્થામાંથી પાછા ચેતનવંત કરવા માટે એક જીવનપ્રદ અમૃતપ્રવાહની આવશ્યકતા હતી. તે કાલે જીવનવ્યવહાર તદ્દન પ્રાકૃત કોટિનો થઈ ગયો હતો, અને તેથી લોકોની લાગણીનું બળ ઠંડું થવાથી પરમાર્થ પ્રવૃત્તિનો વેગ શિથિલતાને પામ્યો હતો; કિયા, રૂઢિ, અને અર્થહીન મંતવ્યોના પ્રાબલ્યથી સામાજિક જીવનમાં એકમાર્ગીપણું (monotony) વ્યાપી ગયું હતું. લોકહૃદયની કરમાઈ ગયેલી ઉચ્ચ વૃત્તિઓને પુનઃ પ્રફુલ્લ કરવા માટે વૃષ્ટિની રાહ આતુરતાપૂર્વક જોવાતી હતી. ધર્મભાવનાના નારા સાથે પ્રજાજીવનની સમસ્ત ભાવનાઓને આઘાત પહોંચ્યો હતો. આ બધા અંતરાય તોડવા માટે એક વિશિષ્ટ શક્તિનું પરિસ્ફોટન થવું જ જોઈએ.” મુનિ મહારાજ શ્રી જિનવિજયજીના શબ્દો અત્રે નોંધવા જેવા છે : “ભારતવર્ષ ધર્મપ્રધાન દેશ છે. ભારતની પ્રજાની બહુમૂલ્ય સંપત્તિ તે તેની ધર્મભાવના છે. ધાર્મિક સત્તા એ ભારતીય પ્રજાના મતે સર્વોપરી સત્તા છે. જેમ એ ધર્મપ્રિયતાએ ભારતવર્ષને સંસારમાં સર્વશ્રેષ્ઠપણું સમપ્યું છે તેમ તેને હીણપણું પણ તેણે આપ્યું છે. જેમ એક જાતની ધર્મપ્રિયતાએ ભારતને જગતના ગુરૂપદે સ્થાપ્યું છે તેમ બીજી જાતની ધર્મપ્રિયતાએ તેને જગતમાં ગુલામીના આસને પણ બેસાડ્યું છે. એમાંથી પ્રથમ પ્રકારની ધર્મપ્રિયતાને હું ‘આદર્શ શ્રદ્ધાનું નામ આપું છું, (કે જે ધર્મશ્રદ્ધાને પરિણામે આ પ્રકરણના મથાળે મિસિસ એની બેસંટનાં વાક્યોનું રહસ્ય સમજી શકાશે.) અને બીજા પ્રકારની ધર્મપ્રિયતાને “અંધશ્રદ્ધા' તરીકે જણાવવા ઇચ્છું છું. ભગવાન્ મહાવીરના અવતાર સમયે આદર્શ શ્રદ્ધાનો લોપ થઈને, દેશમાં અંધશ્રદ્ધાનું વાતાવરણ છવાઈ રહેલું હતું. અંધશ્રદ્ધાની પરાધીનતા વિદેશી સત્તાની નીચેની પરાધીનતા કરતાં વધારે બન્ધનકારક અને વધારે સ્વાતંત્ર્યવિઘાતક હોય છે. સત્તાની ગુલામીમાંથી મુક્ત થવું સહેલું છે, પરંતુ શ્રદ્ધાની ગુલામીમાંથી મુક્ત થવું કઠિન છે. શ્રદ્ધાની ગુલામીએ સંસારમાં જેટલો ક્ષોભ અને ઉદ્વેગ મચાવ્યો છે તેટલો સત્તાની ગુલામીએ નથી મચાવ્યો. જગતમાં હિંસા અને અધર્મના સામ્રાજયનું કારણ મૂળ અંધશ્રદ્ધા જ છે. આવી અંધશ્રદ્ધાની સત્તામાં તે વખતનું ભારતવર્ષ જોડાયેલું હતું.” આ અંધશ્રદ્ધાનું વર્ણન તે મુનિશ્રી અર્થગંભીર શબ્દોમાં આગળ જતાં કહે છે કે “ધર્મગુર Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર બ્રાહ્મણો બ્રહ્મ-ચિંતા છોડી દ્રવ્યચિંતાના મોહમાં સપડાયા હતા, અને તેના લીધે ધર્મગુરુના ઝબ્બા નીચે તેઓ જાત્યભિમાન, કુલાભિમાન અને સત્તાભિમાનનાં અનેક છૂપાં પહેરણો પહેરી રહેતા હતા. ધર્મ-કર્મની સર્વ સત્તા તેઓ પોતાના કબજે કરી બેઠા હતા અને જેઓ તેમના એ ઝબ્બાને માન આપી તેમનું પ્રભુત્વ સ્વીકારતા તેમને જ તેઓ આસ્તિક કે આર્યનો ખિતાબ આપી તેમના માટે મોક્ષનાં દ્વાર તેઓ ઉઘાડાં રાખતા. તે સિવાયના લોકો તેમના મતે શૂદ્ર, વ્રાત્ય, અનાર્ય કે નાસ્તિક ગણાતા અને તેઓ મોક્ષના અધિકારી કહેવાતા. એક તરફ તેઓ આવી રીતે પોતાના વિરોધીઓને તિરસ્કારતા અને બીજી તરફ તેઓ પોતાના ભક્તોને પણ યજ્ઞ-યાગના મહાન આડંબરો અને દક્ષિણાના જબરદસ્ત કોથી અપ્રીતિ ઉપજાવતા. દેશ બહારની જે પ્રજાઓ ભારતવર્ષનો આશ્રય લેવા આવતી તેમને અસ્પૃશ્ય અને અયોગ્ય (અનાર્ય) કહીં - ધર્મ અને જ્ઞાનના અધિકારી બતાવી મનુષ્યતાની કોટિમાંથી પણ બહિષ્કૃત કરતા-કરાવતા. અશ્વમેધ, છાગમેધ, ગોમેધ, નરમેધ જેવા હિંસક યજ્ઞોમાં જીવઘાત કરી સદય અને ઉદાર આર્યોનાં અંતઃકરણ દુભાવતા. દેશમાં આવી રીતે અંધશ્રદ્ધાના યોગે દ્વેષ, ક્લેશ અને ઘૃણાની ભાવના સર્વત્ર ફેલાઈ રહી હતી, અને ધર્મના નામે અધર્મનું રાજ્ય ચાલી રહ્યું હતું.” – ‘મહાવીર’ (ચૈત્ર શુદ ૧૩ વીરાત્ ૨૪૪૭) ૬. ધર્મપ્રવર્તક તરીકે મહાવીર મુનિશ્રી જિનવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો એવા જ સમયમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. “આર્યપ્રજાનું (બ્રાહ્મણોનું) ધર્મના નામ નીચે આવું (ઉપર વર્ણવ્યા મુજબનું) અધર્માચરણ જોઈ તેમનું (મહાવીરનું) મન ઉદ્વિગ્ન થયું. અંધશ્રદ્ધાના બલિ થયેલા લોકોને પોતાના ઐહિક સુખ માટે અસંખ્ય પ્રાણીઓનો સંહાર કરતા જોઈ તેમનું દયાલુ હૃદય થરથરી ઊઠ્યું. તેમના અગાધ અંતઃકરણમાંથી ઊંડો ધ્વનિ ઊઠ્યો કે - "वुज्झाहि खत्तियवरवसहा । सयलजगज्जीवहियं पवत्तेहि धम्मतित्थं । हिय सुय निस्सेयसकरं सव्वलोए सव्वजीवाणं भविस्सइति ॥ " હે ક્ષત્રિયવ૨ શ્રેષ્ઠ ! ઊઠ, જગતના સકલ જીવોના હિતાર્થે ધર્મતીર્થ પ્રવર્તાવ ! તારો ધર્મ બધા જીવોને હિત(કર), સુખ(કર) અને નિઃશ્રેયસ્કર થશે ! પોતાના અંતઃકરણમાં ઊઠેલા આવા (દિવ્ય) અવાજને માન આપી એ ક્ષત્રિયકુલ નેતાએ સર્વસ્વનો ત્યાગ કીધો અને પૂર્ણ નિર્પ્રન્થ બની જગતના ઉદ્ધારનો માર્ગ ખોળી કાઢવા માટે નિર્જન વનોની ગહન ઝાડીઓનો આશ્રય લીધો. સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યાના અંતે એ મહાવી૨ નરને મુક્તિનો માર્ગ પ્રત્યક્ષ જણાયો અને પછી તદનુસાર જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષો સુધી સતત પરિભ્રમણ કરી” આર્યપ્રજાને તેમણે પોતાના મોક્ષમાર્ગનો સાચો સદ્બોધ આપ્યો. આ વિકટ મામલામાં સાહિત્યસમ્રાટ ડૉક્ટર રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ Mahavira proclaimed in India the message of salvation that religion is a reality and not a mere social convention. That — ૭૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો salvation comes from taking refuge in that true religion, and not from observing the external ceremonies of the community - that religion cannot regard any barrier between man and man as an eternal verity. Wondrous to relate this teaching rapidly overstopped the barriers of the races abiding instinct and conquered the whole country. For a long period now the influence of Kshatriya teachers completely suppressed the Brahmin power. આનું ભાષાંતર રા. સુશીલ આ પ્રમાણે કરે છે ? મહાવીરે ડિડિમનાદથી એવો મોક્ષનો સંદેશ ભારતવર્ષમાં વિસ્તાર્યો કે ધર્મ એ માત્ર સામાજિક રૂઢિ નહિ પણ વાસ્તવિક સત્ય છે - મોક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયા-કાંડ પાળવાથી મળતો નથી પણ તે સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે – અને ધર્મમાં મનુષ્ય અને મનુષ્યનો ભેદ સ્થાયી રહી શકતો નથી. કહેતાં આશ્ચર્ય ઊપજે છે કે આ શિક્ષણે, સમાજના હૃદયમાં જડ ઘાલીને બેઠેલી ભાવનાઓ રૂપી વિઘ્નોને ત્વરાથી ભેદી નાંખી, અને આખા દેશને વશીભૂત કર્યો. ત્યાર પછી ઘણા કાળ સુધી આ ક્ષત્રિય ઉપદેશકોના પ્રભાવ-બળથી બ્રાહ્મણોની સત્તા અભિભૂત રહી હતી.” કોઈપણ ધર્મપ્રવર્તકને ધર્મવ્યવસ્થામાં (organization) દેશની સ્થિતિ – તેના સંજોગો પર ખાસ લક્ષ આપવું પડે છે. મહાવીરના સમયમાં બે ભાગ નામે બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો – ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ મુખ્યપણે વહેંચાઈ ગયા હતા. બ્રાહ્મણોનું આધિપત્ય અતિશય વિશેષ, અન્યથી અતીવ ચડિયાતું હતું અને રાજાઓમાં એકચકવે રાજ્ય કરનાર ચક્રવર્તી કે સમ્રાટ કોઈ ન હોવાથી જુદાંજુદાં રાજ્યો પર સત્તા ધરાવતા રાજાઓ અનેક હતા અને તેમની સત્તા પ્રજાની સહાય સાથે, અગર અન્ય રાજ્યકીય જાતિઓની સહાય સાથે પ્રબળપણે તેની પ્રજા પર પ્રવર્તતી હતી. “મહાવીર જાણતા હતા કે સમાજ ઉપર ખરી અસર બ્રાહ્મણો દ્વારા જ થઈ શકશે કેમકે તે જમાનામાં તેમનું જોર પ્રબળપણે વર્તી રહ્યું હતું. તેથી તેમણે પોતાના પ્રભાવનો પ્રથમ ઉપયોગ તે કાળના મુખ્ય અને વિદ્વાન બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવામાં કર્યો. જેન ગ્રંથોમાં ઈદ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ આદિ અગિયાર સુવિખ્યાત બ્રાહ્મણોએ મહાવીર આગળ દીક્ષા લીધાની જે હકીકત અસ્તવ્યસ્ત આકારમાં આ કાળે રહેવા પામી છે તે એ જ વાતનું સમર્થન કરે છે કે મહાવીરે સર્વથી પ્રથમ, જેના વડે સમાજની પ્રગતિ અવરોધને પામી હતી તેવા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવા ઉદ્યોગ કર્યો હતો. પ્રભુના અગિયાર ગણધરો પ્રથમ ક્રિયાકાંડી બ્રાહ્મણો હતા અને તેના ઉપદેશથી અનુરંજિત થઈ પોતાના મોટા શિષ્યસમુદાયો સહિત તેમના શરણે આવ્યા હતા.” પ્રજા જેના જુલમ અને ત્રાસથી પીડાતી હતી, અને જે પ્રજાની પ્રગતિને બાધક અધર્મ અને અનીતિથી ભરેલ કારણો હતાં તે આ ? ઘણાં વર્ષોથી, સ્વાર્થને લઈને Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર બ્રાહ્મણોએ ઊભી કરેલી વર્ણવિષમતા જાતિભેદ (પોતાનું આધિપત્ય અને અન્ય વર્ણનું અધિકારીપણું અને કનિષ્ઠપણું), વૈદિક હિંસા-યજ્ઞાદિ, અનેક દેવોનું અસ્તિત્વ કલ્પનાથી ઉપજાવી કાઢી તેને તુષ્ટમાન કરવા માટે કપોળકલ્પિત યોજેલી પૂજાવિધિઓ – પ્રાયશ્ચિત્ત, ખાનપાન શયનાદિ હમેશની ક્રિયા માટે ઉપજાવેલ કર્મકાંડ વગેરે રૂઢિઓ પ્રચલિત હતી. તે સર્વને તિલાંજલિ આપવા માટે મહાવીરે સતત આપેલ ઉપદેશ અને આદેશ; તેમજ અહિંસા અને સમાનતાનો વીસંદેશ એટલો બધો વેગવાન હતો કે ભારતવર્ષના ચારે ખૂણામાં ફરી વળ્યો. આથી લોકો પરનો – બ્રાહ્મણેત૨ લોકો પરનો જુલમ જવાથી તેમનું સાંત્વન થયું. આથી જ કહેવામાં આવ્યું છે કે હોમહવનાદિક લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ, તીર્થંકર ભગવાને (વીરપ્રભુએ) પોતાના કાળમાં દયાનું વર્ણન ધણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયા સંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમકે તેઓ (જૈન) પંચેંદ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. રાજાઓ મહાન સત્તા દરેક સંબંધે લોકો પ૨ ધરાવે છે અને તેનું આચરણ લોકોને અનુકરણ રૂપ થાય છે એટલું જ નહીં, પરંતુ તેના પ્રભાવથી અનેક પ્રજાજનો તેના પ્રત્યે આકર્ષાય છે, આથી મહાવીરે પોતાના સર્વમાન્ય ઉપદેશથી ઘણા રાજાઓને મુગ્ધ કર્યાં અને તે એટલી બધી હદે કે કેટલાકોએ પોતાનું રાજ્યપાટ છોડી દઈ મહાવીર પાસે દીક્ષા લઈ સાધુનું ભીષણ વ્રત સ્વીકાર્યું; અને ઘણાઓ મહાવીરના ધર્મનુયાયી થયા. આથી લોકો પર વિશેષ પ્રકારનો પ્રભાવ પડ્યો. આમ છતાં મહાવીરે બળાત્કારે પોતાના વિચાર અને સિદ્ધાંતો રાજા કે પ્રજા ૫૨ ઠસાવવાનો આગ્રહ રાખ્યો નથી. મહાવીરે દેશની પ્રચલિત ભાષામાં સાદી અને સરલ રીતે સત્યના પ્રભાવને જનહૃદયમાં અંકિત કર્યો; અને આત્મધર્મના સ્વરૂપને તેના ગૌરવ-સ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરી લોકોને ઘણા કાળની મોહિનદ્રામાંથી જગાડ્યા. લોકભાષામાં પોતાના આદર્શો મૂક્યા. આ આદર્શો શું હતા તે સંબંધમાં ૨૨. પરમાનન્દ કુંવરજીના વિચાર મનનીય હોઈ અત્ર ટાંકીએ છીએ : “ભગવાન મહાવીરે જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો એટલે કે જૈનના જે વિશિષ્ટ આદર્શો ગણાય તે સમાજજીવનમાં લુપ્ત થતા જતા હતા તેની સમાજશરીરમાં પુનઃ પ્રતિષ્ઠા કરી. આ આદર્શો શું ?` અહિંસા, સત્ય અને સંન્યાસ. જેનો ભગવાન મહાવીરે ઉપદેશ કર્યો તે જ આત્મજીવનમાં તેમણે જીવી બતાવ્યું. તેમના જીવનની સમીક્ષા કરીએ તો ઉક્ત ત્રણ આદર્શો સવિશેષ પ્રત્યક્ષ થાય છે. યજ્ઞયાગાદિકમાં તેમજ ૧. સરખાવો દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા धम्मो मंगल मुक्कि अहिंसा संजमो तवो અહિંસા, સંયમ અને તપ એ ધર્મ છે – ઉત્કૃષ્ટ મંગલ છે. આવો વિશાળ સિદ્ધાંત મહાવી૨શાસનમાં ગાજી રહ્યો છે. ૭૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અત્રવ્યવહારમાં હિંસાનું પ્રાબલ્ય હતું, ભગવાન મહાવીરે હિંસાનો હ્રાસ કીધો, અહિંસા ધર્મનો પ્રચાર કીધો. લોકોમાં વહેમનું સામ્રાજ્ય હતું, તેઓના વિચારસ્વાતંત્ર્યને વેદોની બેડીથી જકડી લેવામાં આવ્યું હતું. પથ્થર એટલા દેવ પૂજાતા હતા, બ્રાહ્મણવર્ગ સલાહકાર મટી સત્તાલોભી બની ગયેલ હતો. આ સમયે ભગવાન મહાવીરનું યુદ્ધ હતું. ધર્મની કિંમત સત્યથી થાય છે, સત્યની કિંમત ધર્મથી થતી નથી એ તેમણે બતાવવાનું હતું. જે પ્રજ્ઞાથી અનુમત ન હોય તેનો અન્ય પ્રમાણથી સ્વીકાર થઈ ન શકે એ લોકોને સમજાવવાનું હતું. આ તેમણે કરી બતાવ્યું અને એ રીતે સત્ય ધર્મની તેમણે પ્રતિષ્ઠા કરી. સંન્યાસ ધર્મનો દિગ્વિજય પણ તેમને આભારી છે. આ અહિંસા, સત્ય અને સંન્યાસ ભગવાન મહાવીરના જીવનની ત્રણ મુખ્ય વિભૂતિઓ છે. આ ત્રણેનું જ્યાં જ્યાં દર્શન થતું હોય ત્યાં ત્યાં જૈન ધર્મનો જ વિજય વર્તે છે....(“જૈન અને મહદ્ જેન' લેખ) તેમણે મુક્તિનો અધિકાર મનુષ્યમાત્રને માટે (અરે ! સર્વ જીવ માટે) સરખા. હકથી સ્થાપિત કર્યો, પછી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોય. આથી જાતિભેદની વર્ણવિષમતા દૂર કરી આ રીતે સામ્યવાદના ધોરણનું સ્થાપન કરી કહ્યું કે : कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खत्तिओ । वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।। सक्खं खु दीसइ तवो विदोसो न दीसइ जाइविसेसु कोइ । सोवागपुत्तं हरिएससाहु, जस्सेरिसा इढ्ढी महाणुभावा ।। ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫, ગાથા ૩૧ તથા અ. ૧૨, ગા. ૩૧ અર્થાત્ – (કોઈ મનુષ્ય, માત્ર જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોઈ શકતો નથી, કિંતુ) મનુષ્યમાત્રમાં તે તે પ્રવૃત્તિને અંગે – કર્મના અંગે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ કે શૈત્વ આવી શકે છે, અને બ્રાહ્મણ પણ કાલે ફરીને શૂદ્રતાને પામે છે અને શૂદ્ર પણ વિકાસના પ્રકર્ષને લીધે બ્રાહ્મણત્વની પરાકાષ્ઠાને પહોંચે છે. માનવમાત્રની પૂજ્યતા તેના ગુણો, આચારો અને કર્તવ્યોમાં જ સમાયેલી છે, નહિ કે તેની જાતિમાં. કુલે કરીને ચાંડાળ પણ તેના ગુણોને લીધે પૂજાપાત્ર બ્રહ્મસ્વરૂપ પામી શકે છે. તપવિશેષ સાક્ષાત્ દેખાય છે, કોઈ જાતિવિશેષ દેખાતો નથી. શ્વપાક (ચંડાલ)ના પુત્ર હરિકેશ સાધુને જુઓ જેને આવી મહાનુભાવ – મહાપ્રભાવક ઋદ્ધિ છે. શ્રી મહાવીરે જગતને પોતાના પેગામો આ પ્રમાણે આપ્યા છે : (૧) અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કહ્યું કે “સતતં મૂકે ઘમ્મ મનાણાતિ’ – જે સતત મૂઢ છે, અંધશ્રદ્ધાળુ છે તે ધર્મને જાણતો નથી – જાણી શકતો નથી. (૨) જાત્યભિમાન – કુલાભિમાન – વર્ણાભિમાન દૂર કરવા જણાવ્યું કે “vો હી, જો તિરિત્તે’ – જગતમાં કોઈ હીણ કે અતિરિક્ત – નીચ કે ઊંચ નથી. જાતિભેદ મહાવીરે સ્વીકાર્યો નથી. તેમના ધર્મસામ્રાજ્યમાં સર્વ વર્ણન – આર્ય-અનાર્યને સરખો અધિકાર છેવટના સાધ્ય – મુક્તિ સુધ્ધાંનો છે. તેમણે ઉપદેશ પણ આર્ય-અનાર્ય બન્નેને સંબોધીને આપેલ છે. ઔપપાતિક સૂત્ર-પ૬માં જણાવ્યું છે કે “તેસિં સવૅસિં Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર મરિયમનાઢિયા વિના, ઘમૅ બાઉ' આ સર્વને – આર્ય અને અનાર્યોને તેણે અગ્લાનપણે – થાક લીધા વગર ધર્મ કહ્યો. (૩) યજ્ઞની હિંસામય વિધિનો નિષેધ કરવા પ્રકટ કર્યું કે સર્વ જીવોને જીવનનો સરખો હક્ક છે. “સર્વે િનવિ પિચ' – સર્વ જીવોને જીવન પ્રિય છે – ઈષ્ટ છે. _ 'सव्वे पाणा पिया पियाउवा, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा । णातिवाएज्जं किंचणं ।' - સર્વ પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, સર્વને સુખની શાતા – ઈચ્છા છે, બધાને દુઃખ પ્રતિકૂલ છે, બધાને વધ – હણાવું અપ્રિય છે, સૌને પોતાનું જીવિત પ્રિય છે, સર્વ જીવવા ચાહે છે – જીવવાની કામના રાખે છે, તેથી કોઈનેય મારવું કે દુઃખ આપવું નહિ. કોઈને તેમ કરવાનો હક્ક નથી. તેમણે જણાવ્યું કે (જુઓ આચારાંગ સમ્યક્ત્વ નામનું ચોથું અધ્યયન) : “હું કહું છું કે – જે અતીતમાં થયા, હાલ પ્રત્યુપત્ર છે અને હવે પછી થશે તે સર્વ ભગવાનને એવી રીતે વદે છે, ભાષામાં બોલે છે, વર્ણવે છે અને પ્રરૂપે છે કે : _ 'सव्वेपाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्या, ण अज्जावेयव्वा, ण परिघतव्वा, ण परितावेयव्वा, ण उद्दयेयव्वा.' - સર્વ પ્રાણીને – સર્વભૂતોને – સર્વ જીવો – સર્વ સત્ત્વોને હણવા નહીં, તેમના પર હકુમત ચલાવવી નહીં, તેમને કબજે કરવાં નહીં, તેમને પરિતાપ આપવો નહીં, તેમને હેરાન કરવાં નહીં. | સર્વ લોકનાં ખેદ અને દુઃખના જ્ઞાતાએ આવો શુદ્ધ અને નિત્ય ધર્મ (શાસન) ઉત્યિતને – જાગેલાને, અનુચિત એટલે નહિ જાગેલા – નહિ તૈયાર થયેલાઓને, ઉપરતદંડનિગ્રહીઓને, અનિગ્રહીઓને, બાહ્ય પતિતને, અપતિતને, સંયોગરત ભોગીઓને તથા યોગીઓને બતાવ્યો છે. ‘તાં વેચં તહાય હસ્તિ ય પવુ.” – તે જ ધર્મ શ્રેય છે, તથારૂપપણે – ખરેખરો શ્રેયરૂપ છે, અને તે જ પ્રમાણે – તેથી તે શ્રેય કહેવાય છે. “માટે તે ધર્મને યથાર્થપણે જાણીને ગોપવવો નહિ. ફેંકી દેવો – નેવે મૂકવો નહિ – તે ધર્મને જાણીને યથાર્થપણે વર્તવું. દષ્ટિથી નિર્વેદ – વૈરાગ્ય ધરવો. જો નોસ્પેસ વરે – લોકૈષણાને અનુસરવી નહિ - લોકોની દેખાદેખીથી દોરાવું નહિ.” આવું અહિંસાનું પરમતત્ત્વ પ્રતિપાદિત કરી અહિંસાનો પરમધર્મ – મહાન સિદ્ધાંત સમજાવ્યો. અહિંસાના સિદ્ધાંતને આવી સરલ-સાદી, સ્વાભાવિક અને સત્ય રીતે સંસારમાં બીજા કોઈએ સમજાવ્યો હોય તેમ જણાતું નથી. (૪) યજ્ઞથી દેવતાઓ પ્રસન્ન થઈ કૃપા કરે છે – વાંછિત ફલ આપે છે, યા તો સ્વર્ગ-સુખ મેળવાય છે, એ ભ્રમનો ઉચ્છેદ કરવા – એ કૃપાવાદનો નિરાસ કરવા, અને આત્મસંયમ અને બંધ-મોક્ષના રહસ્યને સ્પષ્ટ કરતાં એ વીરે જણાવ્યું કે : Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો 'पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्झ, एवं दुःक्खा पमोक्खसि । - बन्धमोक्खो च तुज्झ अज्झत्थमेव ।' – હે પુરુષ ! તું તારા આત્માને જ આશાતૃણાથી દૂર રાખ, જેથી દુઃખથી મુક્ત થશે – બંધ અને મોક્ષ એ બંને તારા અંતરમાં જ છે. વ્યક્તિ કે રાષ્ટ્રના ઉદ્ધાર માટે તેમણે જે સ્વાવલંબનનો – આત્મબલ (Soul-force) પર જ નિર્ભર રહેવાનો માર્ગ બતાવ્યો છે તે પૂર્ણ સત્ય અને સનાતન છે. પુરુષ કે દેશને બન્ધનમાંથી મુક્ત કરનાર અન્ય કોઈ નથી પણ કેવલ આપણું પોતાનું જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને આચરણ છે. શુદ્ધ શ્રદ્ધાપૂર્વક, સદસવિવેકબુદ્ધિને જાગ્રત રાખી જો આપણે સદાચારનું યથાર્થ પાલન કરીશું તો અવશ્ય આપણે પરાધીનતામાંથી મુક્તિ મેળવીશું. એ મહાવીરનો આર્યપ્રજાને એક, નિત્ય અને અમોઘ ઉપદેશ છે. पढमं णाणं तओ दया, एवं चिठ्ठइ सव्वसंजए । अणाणी किं काही, किं वा णाही छेय पावगं ।। सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयपि जाणइ सोचा जं छेयं तं समाचरे ।। પહેલું જ્ઞાન છે અને પછી દયા છે. એમ સઘળા સંયતી – સાધુઓ પ્રવર્તે છે. (કેમકે) અજ્ઞાની શું કરશે ? – કરી શકે ? તેમાં શું શ્રેય છે, શું પાવક-પાપ છે એટલે શું સારુંનરસું – ભલું ભૂંડું છે તે શું જાણશે - જાણી શકે ? જે કલ્યાણ (રૂપ) છે તે સાંભળીને જે જાણે, અને જે પાપ (રૂપ) છે તે સાંભળીને જાણે, – એ બંનેને એટલે શ્રેય અને પાપ – ધર્મઅધર્મ – કર્તવ્ય અકર્તવ્યને સાંભળીને જે જાણે તે જ શ્રેયરૂપ જે છે તેને આચરે. (ઉપદેશપદ ટીકાકારે ઉલ્લેખેલી ગાથા. પૃ.૧પ૧) संसयं परियाणतो संसारे परिन्नाते भवति । संसयं अपरिजाणओ संसारे अपरिण्णा ते भवति ।। - જે સંશયને જાણે છે તે સંસારને પણ જાણે છે, જે સંશયને નથી જાણતો, તેણે સંસાર પણ જાણ્યો નથી. - આચારાંગ સૂત્ર અ. ૫, ૬-૧, ગા. ર૬૭ (૫) લોકોના રાગદ્વેષ સ્વચ્છેદે ન દોરાઈ જાય તે માટે વિકટ આચારમાર્ગની ઘટના કરી; અને તેમાં બે ઉત્તરોત્તર માર્ગ કરી ઉચ્ચ પ્રતિના માટે – સાધુ માટે સાધ્વાચાર - સાધુધર્મ અને તેથી ઊતરતી પંક્તિના ગૃહસ્થ વર્ગ માટે શ્રાવકાચાર – શ્રાવકધર્મની ઘટના કરી. “શ્રાવક અને સાધુના માર્ગ – ગૃહસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમમાં વિશિષ્ટ પદ તેમણે સન્યાસને આપ્યું. ચારે વર્ણને સંન્યાસના અધિકારી બનાવ્યા. સંન્યાસ પરત્વે સ્ત્રીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેનો અસ્વીકાર કરી ચંદનબાળાને પોતાની પ્રથમ સાધ્વી બનાવી. સંન્યાસ વિના મનુષ્ય જીવનનો ઉદ્ધાર સંભવી શકતો જ નથી એ આત્મજીવથી સિદ્ધ કરી બતાવ્યું.” (૬) મનુષ્યને પોતાના સ્વાર્થ માટે કોઈનો વધ કરવાની સત્તા નથી. સર્વ જીવોને Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ૮૧ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની સત્તા છે. સર્વ જીવો પોતાના જેવા છે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પણ મુક્તિ પ્રત્યે ગમન કરવા માટે હક્કદાર છે એટલું જ નહીં પરંતુ તેને પુરુષાર્થથી હસ્તગત કરી શકે છે. આથી વૈદિક હિંસા જેવી ક્રૂર અને ભયંકર રૂઢિના પર સખત અને તીવ્ર ઘા મૂકી અહિંસા કે જેની અંદર જે કંઈ સુંદર, હિતકર અને કલ્યાણ કરે છે તે સમસ્ત સમાઈ જાય છે તેનો પ્રચંડ ઉદ્ઘોષ કરી “અહિંસા પરમો ધર્મ' એને પ્રથમ સ્થાન આપ્યું. (૭) મનુષ્ય કે કોઈ જીવને પોતાના પુરુષાર્થ સિવાય મુક્તિપ્રાપ્તિમાં અન્ય સહાયની અપેક્ષા નથી, તેથી કોઈ દેવ કે બીજાને યજ્ઞાદિકથી રાજી રાખવા અને તેમ રાજી રાખે ઇષ્ટ વસ્તુ મેળવી શકાય છે એ તદ્દન મિથ્યા છે એમ બતાવી યજ્ઞાદિકથી દેવોનું આહ્વાન, તેમના પ્રસાદ (કૃપા)ની પ્રાપ્તિ આદિ ઉપર મીંડું મૂક્યું, અને man is the architect of his fortune – મનુષ્ય પોતાના સૌભાગ્યનો પોતે જ અધિપતિ - નિર્માતા છે એ અમિશ્રિત અને સ્પષ્ટ શબ્દોમાં જગત સમક્ષ પ્રતિપાદિત કર્યું. (૮) દર્શન – તત્ત્વજ્ઞાનમાં આત્માનું અસ્તિત્વ બતાવી તે આત્માનું અંતિમ લક્ષ્ય સાધવા માટે એકલું જ્ઞાન, એકલી ક્રિયા; એકલું તપ, એકલી ભાવના; એકલું વીર્ય, એકલી સાધ્યદષ્ટિ; એકલું કથન – કહેણી, એકલો આચાર – રહેણી એ નિષ્ફળ છે, પણ તે સમસ્તની જરૂર છે – સફલતા માટે એ સમસ્તનો યોગ આવશ્યક છે. જગતની અને આત્માની નિત્યતા અનિત્યતા, અસ્તિત્વ નાસ્તિત્વ, વક્તવ્યતા અવક્તવ્યતા, એમ બંને જુદીજુદી દષ્ટિથી જોતાં જણાય છે. આમ સર્વનું મિશ્રણ અને સર્વથી સ્વાતંત્ર્ય એ બંને સ્વરૂપ જણાવી વિશ્વવ્યવસ્થા, આત્મસ્વરૂપ, અને મુક્તિમાર્ગ વિશાલ દષ્ટિથી દર્શાવેલ છે અને તેથી તે સમગ્ર વાદને “સાદ્વાદ' અથવા તે દર્શનને “અનેકાંત દર્શન એવું વ્યાપક અને સર્વલક્ષી નામ આપવામાં આવ્યું છે. આ સ્યાદ્વાદનો સિદ્ધાંત વિશેષ સમજતા-સમજાવતાં અનેક પૃષ્ઠો ભરાય તેમ છે તેથી સ્થૂલ વ્યાખ્યા રૂપે તેને અત્ર દર્શાવેલ છે. જૈન દર્શનના છેલ્લા ધર્મપ્રવર્તકનું “મહાવીર' એ નામ ઉચ્ચારવા સાથે તેમના ઉપલા સિદ્ધાંતો જાણ્યા પછી તેમની મહાન શક્તિનું ભાન થાય તેમ છે. તેઓ દાનવીર, ધર્મવીર અને કર્મવીર હતા - તેમનામાં આત્મબળ (Soul-force) મહાન હતું અને તે આત્મબળથી જ પોતાની તેમજ બીજા અસંખ્ય આત્માઓની સિદ્ધિ થઈ શકી હતી. પોતાના તપોબળથી શુભાશુભ કર્મોને વિખેરી નાંખી આત્માની અનંત શક્તિ પ્રાપ્ત કરી પોતાના સિદ્ધાંતોનો ઉપદેશ તેમણે કર્યો હતો. તેમના સમયમાં થતી હિંસા, અમુક વર્ગનો જુલમ અને તેથી બીજા વર્ગોની થતી અવગણના, એ સર્વ દૂર કરવા અર્થે તેમણે પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં પોતાના વાણી-બળનો – ઉપદેશબળનો ઉપયોગ સફળ રીતે કર્યો હતો. આમ મહાવીરના ઉપદેશમાંથી વધુને બાજુએ મૂકીએ તો આટલું તો તાત્પર્ય સ્પષ્ટકારમાં પારદર્શક રીતે (પુનરુક્તિનો દોષ વહોરી રા. સુશીલના શબ્દોમાં કહીએ તો) જણાશે કે મુખ્ય બે વાત ઉપર વધારે ભાર મૂકી તેની અસર સમાજ ઉપર તેમણે દઢ રીતે વિસ્તારી હતી : Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૧. પ્રાણીમાત્રને જીવવાનો એકસરખો હક્ક છે, માટે “જીવો અને જીવવા દ્યો' (Live and let live)નો સિદ્ધાંત. હિંચાતુ – અહિંસા પરમો ધર્મનો સિદ્ધાંત : એટલે કે નિત્તિ સેલ્થ મૂલ્સ વેરું મુક્યું ને ક્રેડુિં – સર્વ જીવો પ્રત્યે – મનુષ્ય કે પશુપંખી, જુલમી કે નિષ્પાપી – સર્વ પ્રત્યે મારે મૈત્રી છે. મારે કોઈ સાથે વેર નથી – આ ભાવનાથી અહિંસાત્મક રહી અહિંસાના શાસન - ફરમાનને વળગી રહી સર્વ પ્રવૃત્તિ કરો – વ્યવહાર કરો. ‘સવિ જીવ કરું શાસન રસી, ઇસી દયા (ભાવદયા) મન ઉલસી” એ પ્રકારની મહાવીરની ભાવના હતી. આ ભાવનાને સંગત રહીને સર્વે જાતના વર્ણ, વર્ગ, જાતિ વગેરેના ભેદભાવને ત્યાગી સર્વની સમાનતા છે એ સત્ય પ્રકાશિત કર્યું ૨. પોતાના કલ્યાણ માટે કોઈ ઇતર બાહ્ય શક્તિ ઉપર કે તેના પ્રસાદ (Favour) ઉપર આધાર કે અપેક્ષા ન રાખતાં સ્વશક્તિનું અવલંબન લેવાનો સ્વાવલંબનનો સિદ્ધાંત. આ બે સત્યોના પ્રકાશનની તે યુગમાં અત્યંત જરૂરી હતી. જોકે તે સત્યો તદ્દન સાદાં અને એક બાળકથી પણ અજ્ઞાત રહી ન શકે તેવાં સર્વવિદિત છે તોપણ જ્યારે તેવી સંભાવનાઓનો લોપ થવા બેઠો હોય છે ત્યારે આખા દેશને બલ્ક આખા જગતને ઘણીવાર તેનું એકસાથે વિસ્મરણ થઈ જાય છે અથવા બીજી પ્રબળ વિરોધી ભાવનાઓની સત્તામાં તે દબાઈ જાય છે. તે કાળે પણ તેમજ થવા પામ્યું હતું. લોકો આત્મકલ્યાણના મુખ્ય નિશ્ચયોની અવગણના કરી પોતાના હિતસાધન તરીકે નાનાંમોટાં અસંખ્ય દેવદેવીઓને સંતુષ્ટ રાખવા માટે પ્રાણીહિંસાયુક્ત યજ્ઞયાગાદિકની ભ્રમજાળમાં પડ્યા હતા. આ હિંસાપ્રધાન ધર્મને નામે ચાલતી ક્રિયાઓ સામે મહાવીરે સખ્ત લડત ચલાવી જીવદયાનો સિદ્ધાંત ફેલાવ્યો, કે જે માટે અનંત મૂંગાં પ્રાણીઓ પોતાની મૂક વાણીમાં આજે પણ તે પ્રભુનો ઉપકાર ગાય છે. હવે બીજી દૃષ્ટિથી જોઈએ ? "When the religion formerly received in rent by discords, and when the holiness of the professors of religions decayed and full of scandal, and withal the times be stupid, ignorant, and barbarous, you may doubt the springing up of a new sect; if then also there should arise any extravagant and strange spirit to make himself author thereof. If a new sect have not two properties, fear it not, for it will not spread; the one is the supplanting, of the opposing of authority established - for nothing is more popular than that; the other is the giving license to pleasures and a voluptuous life, for as for speculative heresies (such as were in ancient times the Arians, and now the Arminians), though they work mightily upon men's wits, they Page #104 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ૮૩ do not produce any great alteration in states except it be by the help of civil occasions. There be three manners of plantations of new sects: by the power of signs and miracles; by the eloquence and wisdom of speech and persuasion; and by the sword. For martyrdoms, I reckon them among miracles, because they seem to exceed the strength of human nature; and I may do the like of superlative and admirable holiness of life. - Bacon's Essay on 'Vicissitudes of Things.' અંગ્રેજી ફિલસૂફ બેકન ‘વસ્તુનાં પર્યાયાંતરો – ફેરફારો (vicissitudes of Things) એ નામના ગૂઢ નિબંધમાં જણાવે છે કે “જ્યારે પ્રાચીન ધર્મ ભેદો વડે વહેંચાઈ જાય છે અને ધર્મના મુખ્ય શિક્ષા-ગુરુઓની પવિત્રતા સડો પામી નિંદાથી પરિપૂર્ણ થાય છે, અને તે સાથે તે સમયમાં મૂર્ખતા, અજ્ઞાનતા અને અસંસ્કૃતિ પ્રસરેલી હોય છે, ત્યારે એક નવીન સંપ્રદાય ઉત્પન્ન થશે એવો શક કદાચિત રહે છે, જો તેવો સંપ્રદાય જાગે તો તેના પ્રણેતા તરીકે કોઈ અતિ પ્રવૃત્તિવાળો વિલક્ષણ આત્મા ઉદ્દભવે છે. જો તે નવીન મતમાં બે લક્ષણો ન હોય તો તે પ્રસાર પામે એવી બીક રાખતા નહીં. તેનો પ્રસાર થવાનો હોય તો તેમાં બે લક્ષણો જોઈએ : (૧) મૂળ ધર્મની સ્થાપિત થયેલ ભાવનાને – તેનાં ફરમાનોને દાબી દેવાનું યા તેથી વિરુદ્ધ પડવાનું, કારણકે તે પ્રાચીનતાને લઈને લોકપ્રિય અવશ્ય થયેલ હોય, () જીવનનાં ભૌતિક સુખો અને ઈન્દ્રિયના વિલાસોને છૂટ આપવાનું, કારણકે કલ્પના ઉપર સ્થાપિત થયેલ મત (જેવા કે પૂર્વના આર્યો અને હાલના આમિનિયન) મનુષ્યની બુદ્ધિ પર પ્રબલ અસર કરે છે, છતાં રાજ્યોમાં મોટો ફેરફાર કરી શકતા નથી. નવા મતને સ્થાપિત કરવામાં ત્રણ પદ્ધતિ કામે લાગે છે : (૧) ચમત્કારથી (ર) ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વસ્તૃત્વ અને પ્રજ્ઞાથી (૩) તરવારથી – યુદ્ધથી. ધર્માર્થે પ્રાણની આહુતિ આપવી તેને હું ચમત્કારમાં ગણું છું કારણકે મનુષ્યસ્વભાવના બલ કરતાં તે અતિ વધી જાય છે; અને જીવનની અતિશયવાળી અને ઉદાત્ત પવિત્રતાને પણ હું ચમત્કારમાં ગણું છું.” બેકનની આ ટીકા પોતાના જ્ઞાનના પ્રદેશ પ્રમાણે સત્ય છે, પરંતુ જ્યારે આપણે તેને જૈનધર્મ કે બૌદ્ધધર્મના ઇતિહાસને લાગુ પાડીએ છીએ, ત્યારે આપણને જણાય છે કે તે ટીકામાં ઘણો સુધારોવધારો કરવો જોઈએ છે. જેનધર્મ અને બૌદ્ધધર્મના ઉદ્ધારકો શ્રીમદ્ મહાવીર અને બુદ્ધ ભારતના બ્રાહ્મણવર્ગ (Hierarchy)ની અસર – તે ધર્મના શિક્ષાગુરુઓની પવિત્રતામાં સડો થઈ લોકોમાં તે અતિશય નિંદાને પાત્ર બની, ત્યારે થયા છે. પરંતુ તે વખતનાં મૂર્ખતા, અજ્ઞતા અને અસંસ્કૃતિ હોવાને બદલે સર્વ દિશામાં અતિ ઉત્સુકતાભરી બુદ્ધિ અને નીતિથી ભરપૂર ચંચલતા દશ્યમાન થતી હતી; સર્વ દિશામાં પ્રાચીન સિદ્ધાંતોને તેના શિક્ષાગુરુઓ ફરીફરી દઢીભૂત કરતા હતા, જ્યારે તેના પ્રતિપક્ષી ટીકાકારો તેના પર આક્ષેપ કરતા હતા, અને નવીન દર્શનો દરેક સ્થળે ઉદ્ભવતાં હતાં. મહાવીર અને બુદ્ધ પોતે “અતિ પ્રવૃત્તિવાળા અને વિલક્ષણ આત્માઓ નહિ હતા, પરંતુ ધર્મના આદર્શમય જીવનો ગાળવામાં એકસંમત એક સંગત Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો હતા અને આર્ય આદર્શના નમૂનારૂપ હતા. તેમના ધર્મે બ્રાહ્મણોની સત્તાને નાબૂદ કરવા અવશ્ય પ્રયત્ન કર્યો છે, પણ તેમ કરવામાં તેમણે કદી પણ જીવનના ભૌતિક સુખ અને ઈન્દ્રિયવિલાસોને માટે સ્વચ્છેદભરી છૂટ આપી નથી તેમ તરવારનો પણ ઉપયોગ કર્યો નથી. તેમની આશ્ચર્યકારક ફત્તેહ થઈ તે તેમના ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વજ્રત્વ અને પ્રજ્ઞા અને તેમના જીવનની અતિશય ઉત્તમ અને ઉદાત્ત પવિત્રતાને લઈને થઈ હતી. મહાવીરે કૈિવલ્ય પ્રાપ્ત કર્યા પછી જે શૈલીએ ઉપદેશપ્રવૃત્તિ કરી હતી તેમાંથી પણ અનેક શિક્ષણીય અંશો ગ્રહણ કરવા યોગ્ય છે. તેમણે કદી હાલના ઉપદેશકોની માફક બીજાઓનાં છિદ્ર શોધવા અથવા બીજાઓના ધાર્મિક વર્તાવ કે આચારવિચાર ઉપર બેધારે ખગ ફેરવવા ઉદ્યોગ કર્યો નથી. વિશ્વનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ કરવા માટે જ તેમના તીર્થંકરપદનું નિર્માણ હતું, છતાં તેમણે તે નિર્માણ સિદ્ધ કરવા માટે કોઈને પોતાનો ઉપદેશ પરાણે અથવા સામાની અનિચ્છા છતાં આપવાનો પ્રયત્ન કર્યો નથી, તેમજ તેમના આચારવિચારને તરછોડી નાંખી પોતાના વાડામાં આવવાને લોકોને લલચાવ્યા નથી. તેમની ઉપદેશપદ્ધતિ શાંત, રુચિકર, દુશમનને પણ તરત ગળે ઊતરે તેવી, હૃદયસ્પર્શી, મર્મગ્રાહી અને તેમના આશયને શ્રેષ્ઠ હૃદયમાં સીધી રીતે પરિણાવે તેવી સરળ હતી. દુનિયા મારા અભિપ્રાયને જ મળતી થઈ જાય અને મારા આશયને જ અનુસરવાવાળી થાય એવી ઇચ્છા પ્રભુએ કદી રાખી નહોતી. તેઓ જાણતા હતા કે એવી ઈચ્છા એ પણ એક પ્રકારની નબળાઈ છે અને તે મનુષ્યહૃદયના બંધારણનું અજ્ઞાન સૂચવનારી છે. આખી દુનિયા ગમે તેવા વિવાદ વિનાના વિષય ઉપર પણ કદીપણ મતભેદ વિનાની બની જ નથી અને ભવિષ્યમાં બનવાનો સંભવ પણ નથી. કહેવાય છે કે કૈવલ્યજ્ઞાન પછી તેમની પહેલી દેશના ખાલી ગઈ હતી. અર્થાત્ તેમના ઉપદેશની અસરથી એક પણ અંતઃકરણ ચલિત થયું નહોતું. (કે જે જૈનોના માનવા પ્રમાણે કોઈપણ તીર્થંકરના સંબંધમાં બન્યું નથી અને બનતું નથી, છતાં પણ પ્રભુએ તે ઉપરથી દુનિયાના હિત માટે કશી જ ચિંતા દર્શાવી નહોતી. આજે જેવી અનેક મતભેદ અને સંપ્રદાયોની ધમાલ ચાલે છે તેવી તે દેશકાળના સ્વરૂપને અનુસરતી ધમાલ તે વખતે પણ જરૂર ચાલતી જ હશે, કેમકે મનુષ્યહૃદયનું બંધારણ બધા દેશકાળમાં એક જ પ્રકારનું રહે છે – માત્ર તેના ઉપર પ્રચલિત ભાવનાઓની છાપ જ પડે છે. મહાવીર પ્રભુએ પોતાનો સમુદાય, બીજા સંપ્રદાયોના સમુદાયના મુકાબલે. સંખ્યામાં પાછળ રહી જાય તેની દરકાર કરી નથી. માત્ર પોતાના સંબંધમાં આવનાર મનુષ્યોને તેમણે અત્યંત સરકપણે, પ્રેમભાવ અને મિષ્ટવાણીથી તેમના અધિકારને ઘટતો ઉપદેશ આપ્યો હતો. મહાવીર પ્રભુના અનુયાયીઓની સંખ્યા, ગોશાળ જેવા એક સામાન્ય મત પ્રવર્તકના (બીજા ઇતિહાસ પ્રમાણે) અનુયાયીઓની સંખ્યા કરતાં પણ થોડી હતી એ જ એમ દર્શાવી આપે છે કે પ્રભુએ કદી પણ પોતાનો વાડો વિસ્તારવા ભણી બીજાની માફક લક્ષ્ય રાખ્યો નહોતો. જો તેમણે તેવો આશય રાખ્યો Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ૮૫ હોત તો પોતાના અલૌકિક સામર્થ્ય વડે તેઓ પોતાને અનુસરનારાઓની મોટી સંખ્યા ઊભી કરી શક્યા હોત; પરંતુ પોતાના ચારિત્ર ઉપરથી સાફ જણાઈ આવે છે કે તેઓએ પોતાના ઉપદેશ રૂપી જળનો ઘડો ઉઠાવી ઘેરઘેર દુનિયાને પાવા માટે નીકળવાનો ઉદ્યોગ કર્યો નથી. પ્રભુનો એ એક અનુભવગત સિદ્ધાંત હતો કે દુનિયાના ગળે પોતાનો ઉપદેશ પરાણે વળગાડવાથી તેમનું વાસ્તવિક હિત સધાતું નથી. કદી ક્ષણભર ઉપદેશના દિવ્ય પ્રભાવ કે પ્રતિભાથી અંજાઈ જઈ મનુષ્યો તેમને અનુસરે, પણ તેથી તેમનું સ્થાયી કલ્યાણ થતું નથી. તેથી માત્ર લોકસમૂહમાં સત્ય પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય અને તેમના હૃદયમાં ઈષ્ટ ઉપદેશ પરોક્ષપણે તેમને ખબર પણ ન પડે તેવી રીતે (unconsciously) પરિણમી જાય તેવી શૈલીએ પ્રભુએ કામ લીધું હતું, સંખ્યા અથવા સમૂહ ઉપર પ્રભુએ કદી ભાર મૂક્યો નથી, અથવા તેમાં જનહિતનો કાંઈપણ સંકેત હોય એવું તેઓએ માન્યું નથી. તેઓ જાણતા હતા કે સંખ્યા એ કૃત્રિમ રીતે એક સ્થાનમાં જમાવેલા ધુમાડાના ગોટા જેવું એક ક્ષણિક દશ્યમાત્ર છે. સંખ્યાના બળને ધર્મના મૂલની ઊંડાઈ અથવા વિસ્તારનું માપક તેમણે કદી ગયું જ નહોતું. લોકોના હૃદયપ્રદેશ ઉપર સત્યનો પટ બેસાડવા ભણી જ પ્રભુનું લક્ષ્ય હતું – ગોશાળની જેમ સંખ્યા વધારવા ભણી ન હતું. પ્રભુ પરિણામદર્શી હતા. સંખ્યાને એકત્રિત રાખનાર મનુષ્ય જ્યારે ચાલ્યો જાય છે ત્યારે તે સમૂહ ધુમાડાની પેઠે ચોદિશમાં વીખરાઈ જઈ પાછળ પોતાનું કંઈ પણ ચિહ્ન પણ મૂકવા જેટલું કરી શકતો નથી. સંખ્યાનું બળ એકઠું કરવું અને લોકહૃદય ઉપર કલ્યાણની ભાવના અંકિત કરવી એ તદ્દન જુદાં જ કાર્યો છે. પૂર્વનું કાર્ય ફત્તેહમંદીથી કરવા માટે વ્યવસ્થાપક શક્તિ (Organizing power) આદિ લૌકિક સામથ્યની અપેક્ષા છે, ત્યારે પાછળનું કાર્ય કરવા માટે જનકલ્યાણ ઉપર વિશુદ્ધ પ્રેમ અને કાંઈપણ લૌકિક આશયના અભાવની જરૂર છે. મહાવીરે પૂર્વનો હેતુ છેક ગૌણપણે રાખી માત્ર મનુષ્યોના વાસ્તવિક અને ખરા હિત ભણી જ વિશેષ લક્ષ્ય રાખ્યું હતું, અને જેમ બને તેમ પોતાને અનુભૂત થયેલા સુખદ સિદ્ધાંતોને જન-મન ઉપર ઊંડા કોતરવાનો ઉદ્યોગ કર્યો હતો. સંખ્યાબળમાં શ્રદ્ધા રાખનાર ગોશાળનો એક પણ અનુયાયી ભારતના ચારે ખૂણામાં આજે શોધ્યો પણ જડતો નથી, અને તેના સિદ્ધાંત સંબંધી કાંઈ જ અવશેષ-ચિહ્ન સરખું પણ ભાગ્યે જ રહેવા પામ્યું છે. ત્યારે માત્ર જનહિતની જ ચિંતા રાખનાર મહાવીરના અનુયાયીની સંખ્યા છેવટ પંદર લાખ જેટલી પણ રહી શકી છે. જ્યારે બુદ્ધ જેવા એક કાળે (અશોકના કાળમાં) સમસ્ત હિંદ ઉપર ધર્મચક વિસ્તારનાર દર્શનને હિંદમાં આજે નહિવત્ સ્થાન રહ્યું છે. ત્યારે જૈન પોતાની ધર્મભાવનાની ઊંડાઈના બળથી અનેક વિરોધો અને વિકટ મામલાઓ વચ્ચે હજુ સુધી પોતાનો પગ દઢપણે જમાવી રહેલ છે. આ પ્રતાપ માત્ર મહાવીરની ઉપદેશ શૈલીનો જ હતો.” જૈનો ૨૪ તીર્થકરોને માને છે તેમાંના ૨૪માં છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ હતા; અને તે છેલ્લા હોવાને લીધે આપણા નિકટમાં નિકટ - આસત્ર ઉપકારી છે; તીર્થકર એટલે તીર્થ – દર્શન પ્રવર્તાવનાર. પાર્શ્વનાથ પ્રભુએ દર્શન પ્રવર્તાવ્યું, અને તેમના નિર્વાણ પછી તે દર્શનની અસર વિશેષ પ્રદીપ્ત, જ્વલંત અને ચિરસ્થાયી Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બનાવવામાં શ્રીમન મહાવીરસ્વામીએ અપૂર્વ ફાળો આપ્યો. દર્શન પ્રવર્તાવવા માટે જે-જે યોગ્યતાઓ જોઈએ છે તે સર્વ યોગ્યતાઓ તીર્થંકરોમાં અવશ્ય રહેલા અષ્ટપ્રાતિહાર્ય, ચાર અતિશયમાં સમાઈ જાય છે. દર્શનપ્રવર્તકમાં જે-જે અયોગ્યતાઓ ન જોઈએ તે તીર્થંકર જે ૧૮ દોષોથી રહિત હોય છે તે દોષોમાં સમાઈ જાય છે. ૮૬ બેકન જે યોગ્યતા ‘ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વક્તૃત્વ અને પ્રજ્ઞા' (the eloquence and wisdom of speech and persuasion) એ નામથી જણાવે છે તે તીર્થંકરની વાણીના ૩૫ ગુણમાં સમાઈ જાય છે. તે ૩૫ ગુણોમાંના મુખ્ય ગુણો લઈશું તો તે વાત સ્પષ્ટ રીતે જણાશે : ૧. સર્વ ઠેકાણે સમજાય તેવી, સંસ્કારી, પ્રૌઢ, ગંભીર, સ્પષ્ટ, પૂર્વાપર વિરોધ વગરની, સંદેહ વગરની, મધુર, વ્યાકરણના દોષ વગરની, પુનરુક્તિ વગરની, વક્તા સર્વગુણસંપન્ન છે એવું ભાન કરાવનારી, પરનિંદા અને આત્મસ્તુતિ વગ૨ની...વગેરે ગુણો છે. ૨. બીજી યોગ્યતા બેકનના શબ્દોમાં Superlative and admirable holiness of life જીવનની અતિશયવાળી અને ઉદાત્ત પવિત્રતા છે, તે શ્રીમન્ મહાવીરના ચરિત્રને અવલોકતાં પળેપળે પ્રતીત થાય છે, તે ચરિત્રના અનેક અંશો છે. તેમનું જીવન ટૂંકમાં અત્ર આપવામાં આવે છે. ૭. મહાવીરનું જીવન नमो दुर्वाररागादि वैरिवार निवारणे । अर्हते योगिनाथाय महावीराय तामिने || ભાવાર્થ – જેઓ દુઃખથી નિવારી શકાય એવા રાગ, દ્વેષ, મોહ, આદિ શત્રુઓના સમૂહનો નાશ કરનાર છે, યોગીઓના જે સ્વામી છે, અને સર્વ જીવોનું રક્ષણ કરનાર છે, તે અર્હત્ – શ્રીમન્ મહાવીર પરમાત્માને નમસ્કાર છે. ગર્ભાવસ્થાથી ગૃહસ્થાશ્રમ અને પ્રવ્રજ્યા સુધી ઃ ઈ.સ. પૂર્વે પ૯૯થી ઇ.સ. પૂર્વે ૫૬૮ સુધીનાં લગભગ ૩૧ વર્ષ સુધી ઃ તીર્થંકર જૈન માન્યતાનુસાર ગર્ભથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનના ધારક હોય છે'; તે પ્રમાણે મહાવીર ત્રણે જ્ઞાનસહિત હોવાથી તેમાં અવધિજ્ઞાનથી ગર્ભમાં રહેલા એવા તેમણે જાણ્યું કે પોતાના ફરકવાથી પોતાની માતાને વેદના થાય છે ત્યારે તે દૂર કરવાને તે યોગીની જેમ નિશ્ચલ રહ્યા. આમ થયા પછી તેમની માતાને ચિંતા થઈ કે ગર્ભ ફરકતો નથી તો શું થયું ? શું તે ગળી ગયો કે નાશ પામ્યો ? અને બહુ દુઃખ લાગ્યું. એટલે આખું કુટુંબ ખેદ - ૧. જ્ઞાન ૫ પ્રકારનાં છે (૧) મતિજ્ઞાન – બુદ્ધિ, ઇંદ્રિયો અને મનના સાધનથી સ્વ-સ્વવિષયની અપેક્ષાએ જે જ્ઞાન થાય તે – અભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન – ઇંદ્રિયો દ્વારા આત્મા શબ્દાર્થ પર્યાય આલોચના સહિત જે વિશેષ અર્થ ગ્રહણ કરે છે તે – શાસ્ત્રજ્ઞાન (૩) અધિ જ્ઞાન – અવિધ એટલે માંદાએ માત્ર મન વડે ઇંદ્રિયોની અપેક્ષા વગર આત્મા વિષે સાક્ષાત્ જે અર્થગ્રહણ થાય છે તે (૪) મન:પર્યવ જ્ઞાન આત્મા જે વસ્તુ ચિંતન કરે તેનું સમસ્તપ્રકારે જ્ઞાન અને (૫) કેવલજ્ઞાન સર્વજ્ઞતા અનંતજ્ઞાન છે. સંપૂર્ણજ્ઞાન એ વિશ્વલોચન - - = Page #108 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન ૮૭ પામ્યું. પ્રભુએ આ જાણ્યું તેથી ગર્ભજ્ઞાપન કરાવવાને માટે એક અંગુલિ ચલાયમાન કરી. આથી માતાને નિરાંત થઈ કે “મારો ગર્ભ હજુ અક્ષત છે.' આ પરથી મહાવીર સ્વામીએ પોતાના અવધિ જ્ઞાનથી જાણી લઈને તે જ ક્ષણે નિશ્ચય કર્યો કે હું ગર્ભમાં છું તે છતાં મારાં માતુશ્રીને આટલો બધો મોહ છે તો પછી હું દીક્ષા લઈશ તો તેમની શી દશા થશે ? આમ વિચારી જ્યાં સુધી માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા નહિ લેવાનો નિશ્ચય કર્યો. - માતાપિતાનો આપણા ઉપર એટલો બધો ઉપકાર છે કે એનો બદલો કોઈ પણ રીતે આપણે વાળી શકીએ તેમ નથી. આપણે તેમના પ્રત્યે હમેશાં પૂજ્ય ભાવ બતાવવો જોઈએ. મહાવીર પ્રભુએ ઊંચું મનોબલ વાપરી જે ભોગ આપ્યો છે તેવું આપણે કદાચિત ન કરી શકીએ તો પણ આપણે આપણાં માતપિતાને સંતોષ આપી શકીએ એટલું તો કરી શકીએ તેમ છીએ. તેમની યુવાવસ્થા થઈ ત્યારે માતપિતાની ઈચ્છા તેમને પરણાવવાનો લહાવો લેવાની થતાં તેમને પરણવાનું કહેવામાં આવ્યું. મહાવીર તે ઇચ્છાને માન આપવા માટે પોતાને ભોગાવળી કર્મ છેદવાનું બાકી હતું તે જાણી પરણ્યા. - દરેક તીર્થકરને દીક્ષા લેવાની હોય જ છે. દીક્ષા એટલે સંસારની સર્વ સંપત્તિ ઉપાધિનો ત્યાગ – વૈરાગ્ય. ‘મારાં માતાપિતા જીવતાં તેમને મારા વિયોગનું દુઃખ ન થાઓ એવા હેતુથી હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હમણાં દીક્ષા લેતો નથી' એવું ધારી માતપિતાની હયાતીમાં દીક્ષા ન લીધી; માતાપિતાનો દેવલોકવાસ થયા પછી પોતાના વડીલ બંધુ નંદિવર્લ્ડન પાસે દીક્ષા લેવાની આજ્ઞા માંગતાં તેને માતપિતાનો વિયોગ તાજો જ હતો ત્યાં બંધુવિયોગ થાય એ વિચારથી દુઃખ લાગતાં પ્રભુએ બે વર્ષ સુધી દીક્ષા લેવાનું માંડી વાળ્યું. જોકે તે દરમ્યાન ભાવતિના અલંકારોથી અલંકૃત થઈ નિત્ય કાયોત્સર્ગ ધરતા, બ્રહ્મચર્યમાં તત્પર રહેતા, સ્નાન તથા અંગરાગથી રહિત વિશુદ્ધ ધ્યાનમાં તત્પરપણે એષણીય (શુદ્ધ) અને પ્રાસુક (અચેત) અત્રથી પ્રાણવૃત્તિ કરતા ગૃહવાસમાં રહ્યા. આ ઉપરથી શ્રી મહાવીર પ્રભુની માતપિતા તથા વડીલ બંધુ પ્રત્યેની પ્રીતિ, તેમની આજ્ઞાધારકતા, કેટલી બધી હતી એ સ્પષ્ટપણે જણાય છે. હાલની પ્રજા આ પરથી અનુકરણ કરી તેવા ગુણોનો આદર કરશે. દાન, શીલ, તપ અને ભાવના – એ ચાર પાયા પર જેની ઇમારત રચાયેલી છે એવા જૈન ધર્મના અંતિમ પ્રવર્તક મહાવીર સ્વામીએ દાન સંબંધમાં પોતાના ચરિત્રથી શું શીખવ્યું છે તે જોઈએ. દાન - દીક્ષા લીધી એટલે ત્યાગ પોતે તો કર્યો પરંતુ તે ત્યાગથી અન્ય પર ઉપકાર કરવા અર્થે ત્યાગનો અર્થ દાન પણ થાય છે તે અર્થમાં પ્રભુએ યાચકોને ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું અને અખૂટ દ્રવ્ય તે રીતે ખર્ચી પ્રજાને દારિદ્રય વગરની કરી. આ રીતે પોતાની પાસે જે હતું તેમાંથી આપ્યું, પણ દીક્ષા લીધા પછી ઈદ્ર પ્રભુના સ્કંધ ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું હતું, તેમાંથી પણ અધું વસ્ત્ર આપી દીધું હતું. પ્રભુના દાનનો ઉપયોગ લીધા વગરનો એક વૃદ્ધ દરિદ્ર બ્રાહ્મણ હતો તેણે જ્યારે દાન Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આપવાની વિનતિ કરી ત્યારે પ્રભુએ કહ્યું “હે પ્રિય ! હવે તો હું નિઃસંગ થયો છું તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેનો અર્ધો ભાગ તું લઈ લે.' તે વિપ્ર અર્ધ વસ્ત્ર લઈ ગયો. આ સાથે જણાવવાનું કે અલ્પ સમયની તૃપ્તિ જે દાનથી થાય તે દાન કરતાં અનંતગણું ઉત્તમ એવું ધર્મદાન ઉચ્ચ તત્ત્વજ્ઞાનની દેશનાથી મહાવીર પ્રભુએ આપેલ છે. પ્રભુએ દીક્ષા ઈ.સ. પૂર્વે પ૬૮માં લીધી. વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું અને તે સાથે જ મનઃપર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. ઈ.સ. પૂર્વે પ૬૮થી પપ૬ સુધીમાં સાડાબાર વર્ષ સુધી એક ગામથી બીજે ગામ અને એક શહેરથી બીજે શહેર એમ ઉગ્ર વિહાર કર્યો. મહાવીર પ્રભુ એક ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત કરતાં વધુ વખત રહ્યા નથી. તેમણે પોતાના મન વચન કાયાના શુદ્ધ વ્યાપાર સહિત અખંડ શીલમયતપોમય–ભાવના ચારિત્ર અંત સુધી આત્મશક્તિથી નિર્વહ્યું. ઇદ્ર જ્યારે સહાય આપવા તૈયારી કરી અને તે લેવા વિનતિ કરી ત્યારે પ્રભુએ કહ્યું “અહંતો કદીપણ પરસહાયની અપેક્ષા રાખતા નથી. વળી અહંત પ્રભુ બીજાની સહાયથી કેવળ જ્ઞાન ઉપાર્જન કરે તેમ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જિતેંદ્રો કેવળ પોતાના વીર્યથી જ – સામર્થ્યથી જ કેવળજ્ઞાન પામે છે અને પોતાના વીર્યથી જ મોક્ષે જાય છે.” આવી અપૂર્વ આત્મશક્તિ રાખનારા પ્રભુ આપણને પણ એ જ બોધ આપે છે કે “જો તમારે આ સંસારના ભવોથી મુક્ત થવું હોય, તમારે તમારો ઉદ્ધાર કરવો હોય તો તે તમો કરી શકશો અને તે તમારી આત્મશક્તિથી જ કરી શકશો. બીજા પર આધાર રાખવો ફોગટ છે.’ તપોમયજીવન – તપનો અર્થ પાશ્ચાત્ય વિદ્વાનોએ self-mortification એટલે દેહદમન એવો કર્યો છે તે જૈન શૈલીએ યુક્ત નથી. જૈનોએ તપના બે પ્રકાર પાડ્યા છે; ૧. બાહ્ય ૨. અંતરંગ. બાહ્ય તપમાં ઉપવાસાદિનો સમાવેશ થાય છે, અંતરંગ તેપમાં સ્વાધ્યાય, ધ્યાન, અને કાયોત્સર્ગ (શરીરની ભાવનાનો ત્યાગ) એ વગેરેનો સમાવેશ થાય છે. વળી ઉપવાસાદિ બાહ્ય તપ એ અંતરંગ તપ લાવવા માટે છે એવું સ્વીકારેલું છે; તો શ્રી મહાવીર પ્રભુએ ઉક્ત સાડાબાર વર્ષ સુધીના તપમાં ફક્ત ૩૫૦ દિવસ આહાર લીધો હતો. છતાં એ સમય તેમણે એ માત્ર ઉપવાસાદિમાં જ ગાળ્યો એમ નહિ પરંતુ તેની સાથે ધ્યાન, કાયોત્સર્ગ, મનન વગેરેમાં ગાળ્યો હતો. અને તેથી જ કર્મની નિર્જરા કરી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકાય – સર્વજ્ઞતા માત્ર ઉપવાસથી સિદ્ધ થતી જ નથી, જ્યારે તપ એ આવશ્યક છે. અનેક સંકટો-ઉપસર્ગો-કો આવે છતાં મનને વિભાવમાં ન લાવવું – આત્માની સ્થિરતા અખંડ રાખવી – મન વચન કાયાના શુદ્ધ વ્યાપાર રાખવા એ ઉત્તમ તપ છે, અને એ તપમાં ભાવના એ ખાસ અને આવશ્યક ભાગ ભજવે છે. મહાવીરે બાર વર્ષ કરતાં વધુ સમય ઘોર તપશ્ચર્યા કરી હતી. તેની અંદર ફક્ત ૩૪૯ પારણાં જ કરી અન્ન લીધું હતું તેમજ આ બાર વર્ષધિક સમયમાં માત્ર એક રાત્રી પ્રમાણ જ નિદ્રા કરી હતી. આ અખંડ અને અવ્યાબાધિત જાગ્રત દશા – અપ્રમત્તતા દર્શાવે છે. તપશ્ચયોનું પ્રમાણ એ આપેલ છે કે : ૧ માસી ઉપવાસ, ૧ પાંચ દિવસ ન્યૂન છમાસી, ૯ ચોમાસી, ર ત્રિમાસી, ૨ અઢી માસી, ૬ દ્વિમાસી, ૨ દોઢમાસી, ૧૨ માસક્ષમણ, ૧૨ પાક્ષિક (પખવાડિયા સુધીના) ઉપવાસ, ૨ દિન ભદ્રપ્રતિમા, ૪ મહાભદ્રપ્રતિમા, ૧૦ સર્વતો ભદ્રપ્રતિમા, ૨૨૯ છઠ, ૧૨ અઠમ. Page #110 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન ૮૯ ભાવનામય જીવન -- ભાવના એ દરેક ક્રિયામાં ભાગ ભજવે છે, તેના પર જ તે કિયાના ફલનો આધાર છે. તેથી જ “પરિણામેન બંધઃ' એ સૂત્ર થયેલું છે એટલે કે જેવા મનના પરિણામ – અધ્યવસાય, જેવી મનોભાવના તેવો કર્મનો બંધ થાય છે. ભાવનામાં મનની જે જે ઉચ્ચ ઉચ્ચ લાગણીઓ – આત્માનું ગૌરવ બતાવનાર માનસિક ગુણો જેવા કે ક્ષમા, સહનશીલતા, ધૃતિ, સમભાવ વગેરે છે તે તે સર્વનો સમાવેશ થાય છે. વીર પ્રભુના ચરિત્ર પરથી જણાય છે કે દરેક અનિષ્ટ, ભયંકર દેહકષ્ટ કે અન્ય પ્રસંગે જે જે ભાવનાઓ મહાવીરે રાખી હતી તે એવી મહત્ત્વની અને ઉચ્ચ કક્ષાની છે કે તેનું અનુકરણ કરતાં આપણાં જીવનો લક્ષાવધિ ઉચ્ચ, પવિત્ર, શાંત અને મોક્ષગામી બની શકે તેમ છે. આવી આવી ભાવનાઓનું દિગ્દર્શન કરીએ : (૧) તાપસના આશ્રમમાં જતાં તેઓની એક ઝૂંપડીમાં રહી ધ્યાનાવસ્થામાં રહ્યા. એ અખંડ ધ્યાનદશામાં તે ઝૂંપડીનો નાશ ગાયોએ આવી કરી નાંખ્યો ત્યારે તાપસ કોપ્યા. આથી તે વીરપ્રભુએ પ અભિગ્રહ (એક જાતનાં વ્રત) ધારણ કર્યો. ૧. કદી પણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહીં; ૨. જ્યાં રહેવું ત્યાં સદા કાયોત્સર્ગ કરીને જ રહેવું ૩. પ્રાયઃ મૌન જ ધારણ કરવું, ૪. કરપાત્ર વડે ભોજન કરવું અને ૫. ગૃહસ્થનો વિનય કરવો નહીં. (૨) દષ્ટિવિષ સર્પ હતો તેની ખબર પડતાં તેનો પૂર્વજન્મ – ચંડકૌશિક તાપસ – વિચાર્યો ત્યારે જણાયું કે કુકર્મના વિપાકથી તીવ્રાનુબંધી ક્રોધને લઈને તે આ જન્મ પામ્યો છે. તેથી તે દષ્ટિવિષ સર્પ અવશય પ્રતિબોધ કરવાને યોગ્ય છે માટે ભલે મને તે ઉપસર્ગ કરે – પીડા કરે, પણ હું જાઉં અને તેને પ્રતિબોધું.” એમ વિચારી મહાત્મનું મહાવીર ગયા. સર્પે દષ્ટિ ફેંકી ને છેવટે કરડ્યો. પ્રભુને તે છતાં પોતાનું ધાર્યું કંઈ પણ ન કરી શક્યો. ઝેર ન પ્રસરતાં શરીરમાંથી દૂધ જેવી રુધિરની ધારા નીકળી. સર્પ સ્તબ્ધ થયો. પ્રભુ અનુકંપા આણી બોલ્યા “અરે ચંડકૌશિક ! બૂઝ ! બૂઝ ! મોહ પામ નહીં.” આથી સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. સર્વ છોડી દઈ તે દરમાં જ પોતાના અંત સુધી રહ્યો – પ્રતિબોધ પામ્યો. (૩) “સવી જીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉલસી' એ ભાવનાવાળા શ્રી વીર પ્રભુએ અનાર્ય ભૂમિમાં વિહાર કરી અનાર્યોને પ્રતિબોધવા અને પોતાનાં કર્મોની નિર્જરા કરવા નિશ્ચય કર્યો, તે પહેલાં પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું હતું કે હજુ મારે ઘણાં કર્મની નિર્જરા કરવાની છે. તે કર્મ સહાય વિના મારાથી ખપાવાય તેમ નથી, કારણકે સૈનિકો સિવાય શત્રુઓનો મોટો સમૂહ જીતી શકાતો નથી. આ આર્ય દેશમાં વિહાર કરવાથી મને તેવી સહાય મળવી દુર્લભ છે. માટે હવે હું શુદ્ધ ભૂમિ અનાર્ય દેશમાં વિહાર કરીશ.” ત્યાંથી લાટ દેશ, વજ ભૂમિ, દઢ ભૂમિ વગેરે સ્વેચ્છ દેશોમાં વિહાર કરી અનાર્યો તરફથી અનેક દુઃખો સહન કર્યા છે. (૪) દઢ ભૂમિ નામના મ્લેચ્છ દેશમાં પેઢાળા ગામમાં ધ્યાન દશામાં પ્રભુ રહ્યા તે વખતે ઈદ્ર અવધિ જ્ઞાનથી ધ્યાનસ્થ પ્રભુને જોઈ કહ્યું કે “ધન્ય છે ! પ્રભુને તેમના ધ્યાનને ચલાવવા કોણ સમર્થ છે ?' આવાં વચનો સંગમ નામના દેવથી સહન ન થયાં અને મહાવીરની કસોટી કરવા નિશ્ચય કર્યો. તેણે ઉપરાઉપરી એક કરતાં બીજો ભયંકર Page #111 -------------------------------------------------------------------------- ________________ 0 જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો એવા વીસ ઉપસર્ગો કર્યા, પરંતુ પ્રભુ નિશ્ચલ અને અડગ રહ્યા, છેવટે તે અધમ દેવ નમસ્કાર કરી બોલ્યો, ‘ક્ષમાનિધિ ! મારો અપરાધ ક્ષમા કરો. આપ સુખે વિહાર કરો.” ત્યારે પ્રભુએ કહ્યું “હે સંગમ દેવ ! તું અમારી ચિંતા કરવી છોડી દે, અમે કોઈને અધીન નથી, અમે તો સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.” કેવું અદ્ભુત સ્વાવલંબન ! વીરપ્રભુને જે જે દુ:ખો પડ્યાં છે તેવાં દુઃખો કોઈપણ તીર્થકરને નથી પડ્યાં; આથી કોઈ શંકા કરશે કે વીરપ્રભુ કે જેમણે પોતાના જન્મોત્સવ વખતે મેરુપર્વત નમાવ્યો હતો, અને આઠ વર્ષની ઉમરે વિકરાળ રૂપ ધરી આવેલ દેવતાને એક મૂઠીના પ્રહારથી અશક્ત કર્યો હતો ને એવી અપૂર્વ શક્તિ હોવા છતાં, આ દુ:ખો મૂગા મૂંગા ભોગવવાને બદલે કાપી ન નાંખે ? – ઉત્તરમાં જણાવવાનું કે દુઃખો એ પૂર્વ કર્મને લઈને છે. જ્યાં સુધી તે પૂર્વકર્મ નિબિડ ને નિકાચિત નથી હોતું અને તે ઉદયમાં નથી આવતું, ત્યાં સુધીમાં ભાવથી વેદી નાખી શકાય છે યા તેની નિર્જરા કરી શકાય છે, પણ જે કર્મ ઉદયમાં આવે છે અને જે નિકાચિત કર્મ કે જે અવશ્ય ઉદયમાં આવ્યા વગર રહેતું નથી તે ઉદયમાં આવે છે તેને વેદ્યા વગર છૂટકો થતો નથી. પરંતુ વેદવા વેદવામાં ફેર હોય છે. અજ્ઞાની એક કર્મ વેદે છે છતાં કર્મને બાંધે છે, જ્યારે જ્ઞાની તે જ કર્મ વેદતાં નવીન કર્મ બાંધતો નથી. આનું કારણ એ છે કે જેવો રસપરિણામ કર્મના વેદવામાં લેવાય છે તે પ્રમાણે કર્મ વેદતાં નવીન કર્મ બંધાય છે. જ્ઞાની કર્મ વેદતાં ક્રોધ આદિ કષાય – રાગ કે દ્વેષ – કરતા નથી. વળી આથી દરેકને બોધ મળે છે કે મનુષ્યને પોતાનાં કરેલાં કર્મોનાં ફળો અવશ્ય મળવાનાં. આ પરથી સમજાશે કે મહાવીર પ્રભુમાં અનેક – અનંત ગુણો હતા. તેમાંનાં દષ્ટાંત તરીકે થોડા લઈએ : સમભાવ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યચોકૃત અનેક ઘોર ઉપસર્ગ તથા પરિષહો થયા છતાં શ્રી મહાવીરે તે સર્વને સમભાવપૂર્વક સહન કરેલ છે. पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि । निर्विशेष मनस्काये श्री वीरस्वामिने नमः ।। ભાવાર્થ : શ્રી વીરપ્રભુના ચરણકમલનો સ્પર્શ ઈદ્ર મહારાજે ભક્તિભાવના આવેશથી કર્યો હતો, જ્યારે તે જ ચરણકમલનો સ્પર્શ દ્વેષબુદ્ધિથી ચંડકૌશિક નામના તાપસના પૂર્વજન્મવાળા સર્વે કર્યો હતો – આ બંને પાદસ્પર્શ કરનારમાં એકબીજાથી અત્યંત વિરોધી હૃદયભાવ હતો. ઈદ્રમાં અપૂર્વ ભક્તિભાવ, સેવકભાવ હતો અને સર્પમાં પાદસ્પર્શ કરતી વખતે એવો ભાવ રહેલો હતો કે “આ વળી મારા સ્થાન પર કોણ. ઊભો છે ? હું પલકમાં તેને દંશ મારી જમીન ઉપર પટકી દઈ મૃત્યુને પમાડું છું.' – આમ હોવા છતાં ભગવાનની બુદ્ધિ બંને પર સમાન – એકાકાર જ છે, કોઈના પર રાગદ્વેષ નથી. આવા મહાવીર પરમાત્માને મારો નમસ્કાર થાઓ ! શ્રી મહાવીરે લગ્ન કર્યું તેમાં હેતુ માતાએ વિવાહ કરવા આગ્રહ કર્યો, ત્યારે પ્રભુ વિચારમાં પડ્યા કે, “આજે આ Page #112 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન ૯૧ મારે શું આવી પડ્યું ? (ધર્મસંકટ જેવું !) એક તરફ આ માતાનો આગ્રહ છે અને બીજી તરફ આ સંસારપરિભ્રમણનો ભય છે. માતાને દુઃખ થાય છે એવી શંકાથી હું ગર્ભમાં પણ અંગ સંકોચીને રહ્યો હતો. તો હવે તેમની મનોવૃત્તિ દુભાય નહીં તેવી રીતે ગૃહવાસમાં પણ મારે રહેવું જોઈએ. વળી મારે ભોગફલકર્મ પણ બાકી છે અને માતપિતા પણ માન્ય છે.” આ પ્રમાણે ચિંતવીને પ્રભુએ માતાના તે શાસનને માન્ય જે પ્રકારનું પૂર્વ પ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેને પ્રસંગમાં જાગ્રત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિ વિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વે સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે; તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે છે. મહાવીરનો વૈરાગ્ય – પરમાર્થજીવન જે સત્યરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને અનંતો લાભ પ્રાપ્ત થયો છે. પુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે, તેમની વાણી નીકળે છે. તેઓ કોઈ જીવને દીક્ષા લે તેવું કહે નહીં. તીર્થકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેદવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે, બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કારણ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે, પુરુષ કે સમકિતીને પણ એવી ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની ખાતર ઉપદેશ દે છે. મહાવીરસ્વામી ગૃહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થહેતુથી નીકળે છે. અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણ ગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાની પુરુષની ખરી ખૂબી એ છે કે, તેમણે અનાદિથી નહીં ટળેલા એવા રાગ, દ્વેષ ને અજ્ઞાન તેને છેદીભેદી નાંખ્યા છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં; છતાં તેમની દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે સ્વાવલંબન વીર દીક્ષા લઈ જ્યારે પ્રથમ વિહાર કરવા લાગ્યા ત્યારે શદ્ર વીરને વિનતિ કરી કે “હે ભગવન્ ! તમારા પૂર્વજન્મોનાં બહુ અશાતા વેદનીયાદિ કઠિન કર્મોનાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બંધન છે, તેથી આપને છvસ્થાવસ્થામાં ઘણા ભારી ઉપસર્ગ થશે જેથી આપની અનુમતિ હોય તો હું તમારી સાથે ને સાથે રહું અને તમારા સર્વ ઉપસર્ગ ટાળું – દૂર વીર – “ઈદ્ર ! આ વાત કદાપિ અતીત કાલમાં થઈ નથી, હમણાં પણ થાય નહીં અને અનાગતકાલમાં પણ થવાની નથી કે કોઈપણ દેવેંદ્ર અસુરેદ્રાદિકની સાહાયથી તીર્થકર કર્મક્ષય કરીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરી શકે, કિંતુ સર્વ તીર્થકર પોતાના પરાક્રમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી હું પણ બીજાની સાહાય વિના સ્વપરાક્રમથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીશ.' શ્રી મહાવીરનું મૌનવ્રત જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈપણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમજ જિન જેવાએ એ પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે. જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે; – વર્તાવું ઘટે છે. નિર્મોહી મહાવીર - સમતાવંત પ્રભુ – કરુણાનિધિ ભગવાનું શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ – પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે. આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી ? તે વખતે મોહરાજાએ જો જરા ધક્કો માર્યો હોત તો તો તરત જ તીર્થંકરપણું સંભવત નહીં. પણ જોકે દેવતા તે ભાગી જાત. મોહનીયના મળને મૂળથી નાશ કર્યો છે અર્થાત્ મોહને જીત્યો છે તે મોહ કેમ કરે ? સકલાર્વતુમાં શ્રી વીરપ્રભુની સ્તુતિના સંબંધમાં લખેલું છે : कृतापराधेऽपि जने कृपामंथरतारयोः । ईषद् वाष्पार्द्रयोर्भद्रं श्री वीरजिननेत्रयोः ।। - અપરાધ કરવાવાળા જીવો ઉપર પણ દયાથી નમ્ર અને અશ્રુથી આર્ટ એવા શ્રી વીર ભગવાનનાં નેત્રો સર્વનાં કલ્યાણ માટે થાઓ ! योऽनिष्टदुष्टेष्वपि शिष्टभावात् सुदृष्टिरासीत्स्वगुणैर्विशिष्टः । स वर्धमानो मम वर्धमानं प्रयच्छतु स्वच्छमतुच्छबोधम् ।। – જે અનિષ્ટ કરનાર દુષ્ટો પર પણ પોતાના શિષ્ટ ભાવથી સુદષ્ટિવાળા છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું જીવન • ૯૩ અને જે પોતાના ગુણે કરી વિશિષ્ટ છે એવા શ્રી વર્ધમાન સ્વામી મને વૃદ્ધિ પામતો એવો સ્વચ્છ અને અતુલ બોધ આપો. - યશોધર ચરિત્ર संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम् । __ आपत्सु च महाशैल शिलासंघातकर्कशम् ।। – મહત્ પુરુષોનું ચિત્ત સંપત્તિમાં કુમુદપુષ્પ સમાન કોમલ હોય છે, જ્યારે આપત્તિમાં મહાન્ શિખરની શિલાના સંગ્રહ સમાન કર્કશ - કઠણ હોય છે. અહં–ત્યાગ શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલે આવી બે સાધુને બાળી નાખ્યા ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને હું ગુરુ છું, મારા શિષ્ય છે,’ એવી ભાવના નથી તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. “શરીરરક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશનો દાતાર છું; જો હું રક્ષા કરું તો મારે ગોશાલની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે, એમ વિચાર્યું. અર્થાત્ તીર્થંકર એમ (મારાપણું) કરે જ નહીં. બીજાની નિંદા કર્યા વગર ઊંચા ચડાવવા. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને વેદના પ્રશ્નો પૂછ્યા તેનું, સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે મહાવીર સ્વામીએ વેદના (જ) દાખલા દઈ સમાધાન (સિદ્ધતા) કરી આપ્યું. બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છેદ કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદૃષ્ટિ રાગદ્વેષ ઘટ્યો હોય તો ફલીભૂત થાય; વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય, પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે. મોટા પુરુષોની દષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જેનમાં વીશ લાખ જીવો મતમતાંતરમાં પડ્યા છે ! જ્ઞાનીની દષ્ટિએ ભેદભેદ હોય નહીં. આમ અનેક ગુણોની પરંપરા મળતી જાય છે અને તે મહાવીરજીવનના પ્રસંગો વાંચતાં વિચારતાં તુરત જ સમજી શકાય તેમ છે. તેથી વિશેષ વિવેચન અહીં ન કરતાં અત્ર જ વિરમીએ છીએ. હૃદય સરોહ જીવન સમજી પોષજો ! જનસેવાનો ધરજો શાશ્વત ધર્મ જો ! પ્રકટ પિતાના પુણ્ય પુરાતન પંથમાં, સ્નિગ્ધ પરસ્પર કરજો કેવલ કર્મ જો !” - સંદેશો એ વ્હાલા વીરચરિત્રનો – Page #115 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ : જૈન મતના સિદ્ધાંતો ત્રણ તત્વ ૧. ઈશ્વરતત્ત્વ – સદેવતત્ત્વ : જૈનમાં જે ત્રણ તત્ત્વ કહ્યાં છે તેમાં પહેલાં સામાન્ય રીતે શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. તે તત્ત્વો સવતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સધર્મતત્ત્વ છે. જ્યાં સુધી દેવ, ગુરુ, અને ધર્મ એ બાબતનો સતુ રીતે, નિશ્ચય થયો નથી ત્યાં સુધી યથાર્થ જ્ઞાન - આધ્યાત્મિક જ્ઞાન સંભવતું નથી. નિશ્ચયથી આત્માના સહજ ગુણ ઈશ્વરના ગુણ છે, આત્મા આત્માનો ગુરુ છે, અને આત્માનો ધર્મ તે આત્મરણ છે; પરંતુ જ્યાં સુધી આત્માએ સ્વગુણ પ્રાપ્ત કર્યા નથી ત્યાં સુધી તેને સદ્દદેવ, ગુરુ અને ધર્મનું અવલંબન આવશ્યક છે, તે અવલંબન કરવાથી નિસ્વરૂપ સમજાય છે, અને નિજસ્વરૂપને બાધક કર્મનાં આવરણને દૂર કરી શકાય છે. ઈશ્વરનું લક્ષણ રાગદ્વેષનો અભાવ – વીતરાગતા છે અને તેથી તેને “વીતરાગ' પણ કહેવામાં આવે છે. ઈશ્વરના ભેદ છે. જે સશરીર રહી લોકને બોધ આપી તીર્થને - ધર્મને પ્રવર્તાવે છે તેને “અરિહંત' – “તીર્થકર' કહેવામાં આવે છે કે જે શરીર તયા પછી મોક્ષે જાય છે એટલે “સિદ્ધ થાય છે. કેટલાક મહાત્માઓ કૈવલ્યજ્ઞાન એટલે આત્માના સ્વરૂપને બાધક એવાં “ઘાતી કર્મોને દૂર કરી “સર્વજ્ઞતા' પ્રાપ્ત કરે છે અને પછી તીર્થંકરની પેઠે તીર્થ નથી પ્રવર્તાવતા, અને દેહોત્સર્ગ કરી સિદ્ધ થાય છે. આમને સિદ્ધ થયા પહેલાં “કેવલી' કહેવામાં આવે છે. તીર્થંકરને પણ કેવલ્યજ્ઞાન થયું હોય છે અને તેથી તે “કેવલી’ પણ ખરા, પણ દરેક કેવલી તીર્થંકર નથી હોતા તેથી કેવલીને તીર્થકર એ પદથી ભેદ પાડવા માટે સામાન્ય કેવલી' કહેવામાં આવે છે. તીર્થકરથી ધર્મનો બોધ થાય છે, ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે તેથી તેમને પંચ નમસ્કારમાં (નવકારમાં) “અરિહંત' એ નામથી પ્રથમ પદ આપવામાં આવ્યું છે અને પછી ‘સિદ્ધ’ને બીજું પદ આપવામાં આવ્યું છે, અને ત્યાર પછી સરુને ત્રણ ભેદથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે. તે નવકારમાં પંચ નમસ્કાર છે તે આ પ્રમાણે છે (નમો રિહંતા, નમો સિદ્ધા, નો ગારિયાળ નમો ઉવેખ્વાયા, નમો નો સવ્વસાહૂપ). આ નવકાર મંત્ર દરેક જૈન પ્રાતઃકાળે, દેવદર્શન વખતે, સૂતાં પહેલાં એમ અનેક વખત બોલે છે, અને તેનો એકસો અઢાર મણકાની માળાનો જપ કરે છે. ઈશ્વર અહીં ઈશ્વર એટલે તીર્થકર – અરિહંત. જૈન સિદ્ધાંત (dogma) પ્રમાણે તેનામાં ૧૨ ગુણો હોય છે, અને તે ૧૮ દોષથી રહિત હોય છે. ૧૨ ગુણોમાં આઠ પ્રાતિહાર્ય (જેમ રાજાની પાસે પ્રતિહારી રહે તે પ્રમાણે તીર્થંકર પાસે હોય છે તેથી), અને ચાર અતિશય (Excellence) છે. ૮ પ્રાતિહાર્ય – અશોકવૃક્ષ, દેવતાથી થતી પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરતત્ત્વ – સવતત્ત્વ ૯૫ સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર. તીર્થકર જ્યાં જ્યાં વિચરે અને દેશના માટે સમવસરણ' – સભા મંડળ આદિ કરે ત્યારે દેવતાઓ આ આઠ પ્રાતિહાર્ય રચે છે. ૪ અતિશય – (૧) જ્ઞાનાતિશય – જ્ઞાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ – કેવલજ્ઞાન અને કેવલ દર્શન તેનામાં હોવાથી ભૂત, ભવિષ્ય, વર્તમાન એ ત્રણે કાલમાં જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે તેનું એટલે ઉત્પાદ, વ્યય ધ્રૌવ્યયુક્ત સર્વ વસ્તુઓનું જ્ઞાન હોય છે. (૨) વચનાતિશય - વાણી અનેક ગુણવાળી હોય છે. તે વચનગુણ ૩પ ગણાવ્યા છે – સંસ્કારત્વ, ઔદાન્ય, અગ્રામ્યત્વ, મેઘગંભીરઘોષત્વ, પ્રતિનાદવિધાયિતા, દક્ષિણત્વ (વચનની સરલતા), ઉપનીતરાગત્ (રાગસંયુક્તપણું), મહાર્ણતા (અર્થગંભીરતા), અવ્યાહિતત્વ (પૂર્વાપર વિરોધનો અભાવ), શિષ્ટતા, સંશયરહિતતા (શ્રોતાને જેથી સંશય ન થાય તે), નિરાકૃતાન્યોત્તરતા (બીજો ઉત્તર આપવો પડે નહીં એવી), હૃદયંગમતા, મિથઃ સાકાંક્ષતા (અરસપરસ પદ-વાક્યોનું સાપેક્ષપણું), પ્રસ્તાવૌચિત્ય દશકાલ અનુસારતા), તત્ત્વનિષ્ઠતા, અપ્રકીર્ણ પ્રસ્તુતત્વ (અસંબદ્ધનો અવિસ્તાર અને સંબદ્ધનો વિસ્તાર), અસ્વશ્લાઘાનિંદતા (આમોત્કર્ષ તથા પરનિંદારહિતપણું), આભિજાત્ય (પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરવાપણું), અતિસ્નિગ્ધમધુરત્વ, પ્રશસ્યતા, અમર્મવેધિતા, ધર્માર્થપ્રતિબદ્ધતા, કારકા વિપર્યય (કારક, કાલ, વચન તેમજ લિંગાદિનો જ્યાં વિપર્યય નહિ), વિભ્રમાદિ વિયુક્તતા (વક્તાના મનમાં ભ્રાંતિ વિક્ષેપાદિ દોષરહિત), ચિત્રકૃત્ત્વ (કુતૂહલતાનો અભાવ), અદ્ભુતત્વ, અનતિવિલંબિતા (અતિવિલંબ વગરની), અનેક જાતિ વૈચિત્ર્ય (જાતિ આદિ વર્ણન કરવા યોગ્ય વસ્તુ સ્વરૂપના આશ્રયયુક્ત), આરોપિતાવિશેષતા (વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું જેમાં સ્થાપન થયેલ છે), સત્ત્વપ્રધાનતા (શક્તિ જેમાં પ્રધાન છે), વર્ણપદવાક્યવિવિક્તતા (વર્ણાદિનું વિચ્છિન્નપણું), અશ્રુચ્છિત્તિ (વિવક્ષિત અર્થની સમ્યક્ પ્રકારે સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અવ્યવચ્છિન્ન વચનનું પ્રમેયપણું), અને અમેદિત્વ (શ્રમરહિતપણું). (૩) અપાયાપગમાતિશય – અપાય – ઉપદ્રવનો નિવારક – મરકી-રોગ થતા નથી. (૪) પૂજાતિશય – જેથી લોકમાં અને દેવ વગેરેથી પૂજનીય છે. ૧૮ દોષ – વીતરાગમાં નથી તે નીચે પ્રમાણે : अंतराय दानलाभ वीर्य भोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।। कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ।। (૧-૫) પાંચ જાતના અંતરાય નામે દાનાંતરાય, લાભાંતરાય, વીયતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય. આ પાંચ અંતરાય એટલે દાનાદિમાં અંતરાય ન હોય. આનો એવો અર્થ નથી કે ઈશ્વર દાન દે છે, લાભ પ્રાપ્ત કરે છે, શક્તિ બતાવે છે, ભોગોપભોગ કરે છે – એનો એ અર્થ છે કે એ પાંચ જવાથી દાન, લાભાદિની શક્તિઓ પ્રગટે છે. એ શક્તિનો ઉપભોગ કરે કે ન કરે એ જુદી વાત છે, પણ તેનામાં શક્તિઓ છે. (૬) હાસ્ય (૭) રતિ (આસક્તિ – વસ્તુની લાલસા) (૮) અરતિ (અપ્રીતિ) (૯) ભીતિ – ભય (૧૦) જુગુપ્સા – છીંટ (૧૧) શોક (૧૨) કામ – Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વિષયસેવન (૧૩) મિથ્યાત્વ – દર્શનમોહ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ - અપ્રત્યાખાન (તૃષ્ણા વગરનાને વ્રત-પ્રત્યાખ્યાન હોય જ નહિ) (૧૭) રાગ (૧૮) કેષ ૧ અહંતનાં જુદાં જુદાં નામ આ છે : અહંનું, જિન, પારગત, ત્રિકાલવિત, ક્ષીણાષ્ટકમ, પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગપ્રભુ, તીર્થકર, તીર્થકર, જિનેશ્વર વગેરે. આ ઉપરથી પ્રતીત થાય તેમ છે કે જે સ્ત્રીને પાસે રાખે, શસ્ત્ર રાખે, વિષય સેવે, ક્રોધાદિ સેવે તે દેવનાં ઉપરોક્ત લક્ષણથી, વિરુદ્ધ વર્તન રાખે છે તેથી તેને જૈનો કુદેવ’ કહે છે, આમ ઈશ્વરને માનનારા જૈન છે અને તેથી તેને તે દષ્ટિએ નાસ્તિક ગણી શકાય તેમ નથી. આત્માનો, પરમાત્માનો, પરલોકનો, પુનર્જન્મનો અને કર્મવાદનો સ્વીકાર કરનારા જૈન નાસ્તિક નથી કે તેમ કદીપણ ગણી શકાય તેમ નથી – ફક્ત એટલો જ ભેદ છે કે કેટલાક બીજા ઈશ્વરને જગત્કર્તા માને છે જ્યારે જૈન સાંખ્યઆદિની પેઠે ઈશ્વરને જગત્કર્તા સ્વીકારતા નથી. જૈનમાં એવો સિદ્ધાંત (dogma) છે કે કાલચક્રના બે ભાગ નામે ઉત્સર્પિણી અને અવસર્પિણી દરેક એવામાં આવા ઈશ્વર તીર્થંકર ૨૪ (૨૪થી ઓછા નહિ કે વધુ નહિ) થાય છે. હાલ અવસર્પિણી ચાલે છે. તેમાં થઈ ગયેલા ૨૪ તીર્થકરને વર્તમાન ચોવીસ જિન કહેવામાં આવે છે. તેની પહેલાંના ઉત્સર્પિણી કાલમાં થયેલા ૨૪ તીર્થકરને ભૂત ૨૪ જિન કહેવામાં આવે છે કે જેમનાં નામ આ પ્રમાણે છે : કેવલજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલનાથ, સર્વાનુભૂતિ, શ્રીધર, દત્ત, દામોદર, સુતેજ, સ્વામી, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્તાગ, નેમીશ્વર, અનિલ, યશોધર, કૃતાર્થ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવકર, અનંદન અને સંપ્રતિ. વર્તમાન જિન ચોવીશીનાં નામ, ૧. ઋષભનાથ ૨. અજિતનાથ ૩. સંભવનાથ ૪. અભિનંદન ૫. સુમતિનાથ ૬. પપ્રભુ ૭. સુપાર્શ્વનાથ ૮. ચંદ્રપ્રભુ ૯. સુવિધિનાથ અથવા પુષ્પદંત ૧૦. શીતલનાથ ૧૧. શ્રેયાંસનાથ ૧૨. વાસુપૂજ્ય ૧૩. વિમલનાથ ૧૪. અનંતનાથ ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ ૧૮. અરનાથ ૧૯. મલ્લિનાથ ૨૦. મુનિસુવ્રત ૨૧. નમિનાથ ૨૨. નેમનાથ ૨૩. પાર્શ્વનાથ અને ૨૪. મહાવીર. આમાંના છેલ્લા મહાવીર અને પાર્શ્વનાથ આસત્ર ઉપકારી તરીકે સ્વીકારી તેઓ પ્રત્યે જેનોમાં માહાસ્ય વધુ દેખાય છે. તે બંને ઐતિહાસિક વ્યક્તિઓ હતી એ પુષ્કલ પ્રમાણોથી ડોક્ટર હર્મન જેકોબી નામના જર્મન પ્રોફેસરે આચારાંગાદિ જૈન સૂત્રોનાં પોતે કરેલાં અંગ્રેજી ભાષાંતર કે જે વૉલ્યુમ ૨૪ અને ૪૫માં (સેક્રેડ બુક્સ ઑફ ધ ૧. પાતંજલમાં દર્શનમાં જણાવ્યું છે કે વશ વિપછાશવૈરપકૃ: પુરુષ વિશેષણવર – જે પુરુષવિશેષ ક્લેશ, કર્મ, વિપાક અને આશયના સંબંધ વિનાનો છે તે જ ઈશ્વર. ક્લેશ પાંચ જાતના છેઃ અવિદ્યા ( મિથ્યાજ્ઞાન), અસ્મિતા (જુદી વસ્તુમાં અભેદ પ્રતીતિ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (મરણભય). કર્મ બ=સુકૃત અને દુકૃત (પુણ્ય અને પાપ). વિપાકઃકર્મફળ કે જે ત્રણ પ્રકારનું છેઃ જન્મ, આયુષ્ય અને ભોગ. આશયનવિપાકને અનુરૂપ સંસ્કાર. * Page #118 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરતત્ત્વ – સદેવતત્ત્વ ઈસ્ટ - પૌર્વાત્ય પવિત્ર પુસ્તકની માલામાં) પ્રસિદ્ધ થયાં છે, તેની પ્રસ્તાવનામાં પુરવાર કરી આપ્યું છે. તેની આગળના ૨૨ તીર્થકરોના સમય ને હાલના સમય વચ્ચે એટલું બધું વિશાલ અંતર છે કે તેને લઈને કોઈ પણ ચિહ્ન કે વસ્તુ મોજૂદ રહી શકે નહીં કે જેથી તે સંબંધી કંઈપણ ખ્યાલ આવી શકે. થિઓસોફિસ્ટ પંથના પ્રમુખ વિદુષ એની બિસંટે ગત વર્ષમાં કહ્યું છે કે : “Lord Mahavira was the last and not the first of the great twenty four Teachers, that Europe denied the historicity of the other 23 Tirthankaras who preceded him because, being itself young, it could not travel backward far enough and liked to make Indian thought less ancient than it is, that both Jainisn and Hinduism went back further than either history or legen counted them, that Jainism was essentially an independei system of thought, that though it had a superficial resemblan with the Sankhya philosophy, there were profonud difference between the two, that the 'Jiva' of the Jains was not the sam thing as the ‘Purusha' of the Sankhyas. ભાષાંતર : – “મહાવીરપ્રભુ મહાન ૨૪ ધર્મોપદેશકોમાં પહેલા નહિ, છેલ્લા ધમપદેશક હતા. તેમની પહેલાં જે ૨૩ ધર્મોપદેશકો થઈ ગયા તેની ઐતિહાસિ સત્યતા યુરોપ સ્વીકારતું નથી કારણકે પોતે કાલાપેક્ષાએ અલ્પવયસ્ક હોઈ ત્યાં સુધી - તે પ્રાચીનતા સુધી જઈ શકે તેમ નથી, અને તેથી ભારતીય વિચાર જેટલો પ્રાચીન છે તેના કરતાં તેને ઓછો પ્રાચીન કરવા પ્રત્યે પસંદગી ધરાવે છે, જેન અને હિંદુ ધર્મ બંને ઇતિહાસ કે પુરાણ-દંતકથા કહી શકે તે કરતાં પણ વધારે પ્રાચીન છે. જૈનધર્મ તત્ત્વથી એક સ્વતંત્ર દર્શન છે, જોકે તેને સાંખ્યદર્શન સાથે ઉપરચોટિયું સરખાપણું છે પરંતુ તે બન્ને વચ્ચે અત્યંત ભેદ – અંતર છે – જૈનોનો “જીવ’ અને સાંખનો પુરુષ એ બે એક વસ્તુ નથી.” આ ઉપરાંત ઉક્ત ૨૪ તીર્થકરોમાંના પહેલા તીર્થકર ઋષભનાથના ઉલ્લેખો વેદોમાં, ભાગવત આદિ અનેક હિંદુ-બ્રાહ્મણના પ્રાચીન ગ્રંથોમાં છે. ઉદાહરણ તરીકે ઋગ્યેદ કે જે ભારતનો સર્વથી પ્રાચીન ગ્રંથ મનાય છે, અને ચારે વેદમાં પણ જે સર્વથી પ્રથમ ઉત્પન્ન થયેલો એમ સ્વીકારાય છે તેમાં ઉલ્લેખ છે કે : ___ "ॐ त्रैलोक्य प्रतिष्ठान चतुर्विंशति तीर्थंकरान् ऋषभाद्या वर्द्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्ये । ॐ पवित्रं नग्नमुपवि प्रसामहे एषा नग्ना (नग्नये) जातिर्येषां वीरा" ઈત્યાદિ. આમાં ઋષભથી લઈ મહાવીર સુધીના ચોવીશે તીર્થકરને ત્રિલોકમાં પ્રતિષ્ઠિત સ્વીકારી તેનું શરણ યાચ્યું છે. ૧. મહાવીરનું ચરિત્ર આ નિબંધમાં ટૂંકમાં આપેલું છે, તેને વિશેષમાં તથા તે સિવાયના ૨૩ તીર્થકરોનાં ચરિત્ર જોવાં હોય તેણે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ વાંચવા ભલામણ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યજુર્વેદના ૨૫મા અધ્યાયના ૧૯મા મંત્રમાં લખ્યું છે કે : ॐ नमो अर्हतो ऋषभो ॐ ऋषभ पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परमं माहसंस्तुतं वरं श जयंतं पशुरिंद्रमाहुतिरिति स्वाहा । તેમાં જ ઋષભ સાથે અરિષ્ટનેમિની (નેમિનાથની) સ્તુતિ પણ તે સાથે જોવામાં આવે છે : दीर्घायुवलायवाभजाताय ॐ रक्ष रक्ष अरिष्टनेमिः स्वाहा । वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽस्माकं अरिष्टनेमिः स्वाहा । ઋગ્વદમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ છે – અષ્ટ, ૧ અ) , વર્ગ ૧૬ ॐ स्वस्तिन इंद्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ।। આ ૨૪ તીર્થકરની મૂર્તિઓ જૈનો (હમણાં ચાર શતકથી ભિન્ન પડેલ સ્થાનકવાસી નામના સંપ્રદાય સિવાય) પૂજે છે. મૂર્તિપૂજા મહાવીરના સમયમાં પણ ઈ.સ. પૂર્વે છઠા શતકમાં વિદ્યમાન હતી એવું વેદાદિમાંથી તેમજ જૈન સૂત્રમાંથી પ્રતીત થાય છે. આ ૨૪ તીર્થકરની મૂર્તિ આકારમાં એક સરખી અને પ્રાયઃ એક જ આસનવાળી એટલે પદ્માસનસ્થ હોય છે, પણ તે દરેકને એકબીજાથી ઓળખવા માટે તે દરેકને જે લાંછન હોય છે તે મૂર્તિમાં નીચે કોરીને મૂકવામાં આવે છે. ૨૪ જિનનાં ૨૪ લાંછન અનુક્રમે આ છે : ૧. વૃષભ, ૨. હસ્તી, ૩. અશ્વ, ૪. કપિ (વાંદરો), પ. ક્રૌંચ પક્ષી, ૬. પાકમલ, ૭. સ્વસ્તિક, ૮. ચંદ્ર, ૯. મગરમચ્છ, ૧૦. શ્રીવત્સ, ૧૧. ગેંડો, ૧૨. પાડો, ૧૩. વરાહ, ૧૪. સિંચાણો (બાજપક્ષી), ૧૫. વજ, ૧૬. હરિણ, ૧૭. બકરો; ૧૮. નંદાવર્ત (એક જાતનો સાથિયો), ૧૯. કલશ, ૨૦. કચ્છપ (કાચબો), ૨૧. કમલ, ૨૨. શંખ, ૨૩. સર્પ, ૨૪. સિંહ. ઈશ્વરવાદ સંબંધે વૈદિક દર્શનો ન્યાયદર્શનમાં ઈશ્વરનું સ્થાન મુખ્ય નથી – અતિશય ગૌણ છે. દુઃખનાશ અથવા અપવર્ગ લાભનો જે ઉપાય- તેમાં જણાવેલ ૧૬ પદાર્થના ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ – બતાવેલ છે, તેની સાથે ઈશ્વરનો જરાપણ સંબંધ નથી. માણસના કર્મફળ-ભોગ જેને અધીન છે તે જ ઈશ્વર એટલું કહી તે સિવાયનો કોઈ પણ પ્રસંગ ઈશ્વર સંબંધે આદર્શનમાં નથી. વૈશેષિક દર્શન ઈશ્વરનો અસ્વીકાર કરતું નથી. એક સ્થળે ઈશ્વર સંબંધી ઉલ્લેખ સિવાય બીજે કોઈપણ સ્થળે ઈશ્વરનો પ્રસંગ આવતો નથી, એટલે આ દર્શનમાં ઈશ્વરનું સ્થાન મુખ્ય નથી. તેમાં નિઃશ્રેયસની પ્રાપ્તિનો માર્ગ નામે તત્ત્વજ્ઞાન (સાત પદાર્થ કે જેમાં ઈશ્વર નથી તેનું સાધર્મ અને વૈધમ્યજ્ઞાન)ના બળે દુઃખથી છૂટવું તેની સાથે ઈશ્વરનો સંબંધ ઘણો જ થોડો છે. ઈશ્વર જાય કે રહે, જીવની સાથે તેનો સંબંધ ઘાટો હો કે ન હો, તેમાં વૈશેષિકને કાંઈ લાભ-નુકસાન નથી. (આ સંબંધમાં જરા અત્રે ૧. આ સંબંધે વિસ્તારપૂર્વક જાણવાના ઇચ્છુકને ‘ભારતવર્ષ મેં દેવતાઓંકી પ્રતિમાઓકા પૂજન કબસે ચલા ?' એ નામનો પંડિત હીરાનન્દ શાસ્ત્રી M. A. M. 0. L. નો લેખ, હિંદી પ્રસિદ્ધ માસિક “સરસ્વતી'ના ઑગસ્ટ ૧૯૧૪ના અંકમાં (પૃષ્ઠ ૪૨૨) જોવાની ભલામણ કરવામાં આવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરતત્ત્વ – સદૂદેવતત્ત્વ જણાવવાનું કે નવીન તૈયાયિકોએ રચેલા વૈશેષિક દર્શનના ગ્રંથોમાં મૂલ સૂત્રમાં કહેલાં નવ દ્રવ્યમાંના એક આત્માનો વિચાર કરતી વખતે ઈશ્વરનો પ્રસંગ નજરે પડે છે. તેઓ આત્મા અને પરમાત્મા એવા ભેદથી આત્મા બે પ્રકારનો કહે છે. અહીં પણ ઈશ્વરનો કશોયે પ્રસંગ જોવામાં આવતો નથી.) મીમાંસકો નિરીશ્વરવાદી છે. તેઓ વેદને નિત્ય અને અબ્રાંત કહે છે ખરા, પણ વેદ એ ઈશ્વરવાક્ય છે એ સ્વીકારતા નથી. ખરું જોતાં આમાં કોઈ પણ ઠેકાણે ઈશ્વરનો પ્રસંગ નથી. તેઓ ઈશ્વર માનતા નથી. જગતનો કોઈ બનાવનાર, પાલન કરનાર અને નાશ કરનાર છે એ વાત પણ સ્વીકારતા નથી. તેમના મત પ્રમાણે જીવ પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે તેમાં ઈશ્વરને કશોયે સંબંધ નથી. - સાંખ્યો પણ ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. તેના ગ્રંથો નામે તત્ત્વસમાસ અને કારિકામાં ઈશ્વરનો કશો પ્રસંગ નથી. સાંખ્ય પ્રવચનસૂત્રમાં ચોખ્ખી રીતે ઈશ્વરનો નિષેધ કરવામાં આવ્યો છે. સિાંખ્યસૂત્રમાં ઈશ્વરનો સ્પષ્ટ નિષેધ નથી કર્યો પણ એટલું કહ્યું છે કે ઈશ્વરની સિદ્ધિ થતી નથી. કુંવરસિદ્ધ: પ્રસિદ્ધિ પ્રHMદ્ધિ. કોઈ પણ પ્રમાણથી – પ્રત્યક્ષ અનુમાન કે આગમથી પણ – ઈશ્વર સિદ્ધ થતો નથી. અર્થાત્ જ ઈશ્વર નથી. હોત તો કોઈક પ્રમાણથી છેવટે આગમથી – સિદ્ધ થાત જ. ઈશ્વર નથી કારણકે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી. આ સૂત્ર હેતુ છે. પ્રતિજ્ઞા છે. – ‘ઈશ્વર નથી એમ કહી શકાય. પ્રકૃતિનાં પરિણામમાં ઈશ્વરનો કોઈપણ પ્રકારનો સંબંધ તેઓ સ્વીકારતા નથી. પ્રકૃતિ પોતાની મેળે જ પરિણામ પામે છે એમ તેઓ કહે છે. પરિણામ પામવા માટે પ્રકૃતિને બીજાં કોઈપણ કારણની જરૂર નથી. પ્રકૃતિ જડ અને અચેતન હોવા છતાં પણ પુરુષના ભોગ અને મોક્ષ માટે જગત સરજે છે. પાતંજલ દર્શન કે જેમાં સાંખ્ય દાર્શનિક સિદ્ધાંતો કબૂલવામાં આવ્યા છે તે સાંખ્યના ૨૫ તત્ત્વ ઉપરાંત એક વધારે તત્ત્વ નામે ઈશ્વરને સ્વીકાર્યો છે, તેથી આ દર્શન સેશ્વર સાંખ્ય કહેવાય છે. ખરું જોતાં આમાંથી ઈશ્વર તત્ત્વ અને ચિત્તનિરોધના ઉપાયોનો પ્રસંગ ઉઠાવી લઈએ તો તેમાં સાંખ્ય કરતાં વિશેષતા બતાવવા કાંઈ પણ બાકી રહેતું નથી. આમાં ઈશ્વરનું સ્વરૂપ અગાઉની પાદટીપ (પૃ. ૯૬)માં જણાવ્યું તેમ ક્લેશ, કર્મ, વિપાક, અને આશયના સંબંધ વિનાનો એક પુરુષવિશેષ છે. ઈશ્વરનો કોઈ પણ વખતે ક્લેશ વગેરેની સાથે સંબંધ ન હતો, કારણકે તે નિત્ય મુક્ત છે. પુરુષ (જીવ) જેમ ઘણા છે, તેમ પુરુષવિશેષ – ઈશ્વર ઘણા નથી. તે એક અદ્વિતીય છે. ઈશ્વર કાળથી અવચ્છિન્ન નથી - ત્રણે કાળથી અતીત છે. વળી ઈશ્વરપ્રણિધાન એ ચિત્તવૃત્તિનિરોધના જુદાજુદા ઉપાયોમાં એક ઉપાય તરીકે જણાવ્યો છે. વેદાન્તમાં બ્રહ્મ જ મુખ્ય છે. અદ્વૈતમત પ્રમાણે જીવ એ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બધું અસતુ છે. જીવ અને જડ બ્રહ્મથી ભિન્ન લાગે છે. તે માયિક છે – અવસ્તુ છે, અને ભિન્ન લાગવાનું કારણ ભ્રાંતિ છે. દોરડીમાં જેમ સાપનો ભ્રમ થાય છે, તેમ.બ્રહ્મમાં જગતનો ભ્રમ થયો છે. જીવ પોતે મુક્ત છે. મુક્તિની શોધ કરવી એ જ તેના સંબંધમાં વિડંબના છે. અવિદ્યાની – ભ્રમની નિવૃત્તિ થાય છે તો પોતાના શુદ્ધ-બુદ્ધ-મુક્ત સ્વભાવને પામી બ્રહ્મની સાથે એકતા પામે છે, બ્રહ્મ સત્ ચિત્ આનંદ છે. નિરુપાધિ છે અને આખા વિશ્વમાં વ્યાપક છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો - આ કેવલાદ્વૈત-વેદાંતનો મત છે, જેમાં ઈશ્વરનો સમાવેશ પણ અવિદ્યાના ક્ષેત્રમાં થઈ જાય. પણ વેદાંતમાં વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે સંપ્રદાયો છે. જે સર્વશક્તિમાન, સર્વગુણશાળી ઈશ્વરમાં માને છે.] ૨. સદ્ગુરુતત્ત્વ : પાંચ મહાવ્રતના, ચરણસિત્તરી અને કરણસિત્તરીના પાળનારાને જૈન મતમાં ગુરુ કહેલ છે. પાંચ મહાવ્રત (૧) અહિંસા, (૨) સૂનૃત (સત્યવચન બોલવું), (૩) અસ્તેય (ઉચિત વસ્તુ કોઈ આપે તો જ સ્વીકારવી), (૪) બ્રહ્મચર્ય, (૫) સર્વ પરિગ્રહનો ત્યાગ. આ પાંચે વ્રતને સાધુએ સર્વથા પાળવાનાં છે. અને શ્રાવકે – ગૃહસ્થ દેશથી – અંશે પાળવાનાં છે. તેથી સાધુનાં આ વ્રત મહાવ્રત કહેવાય છે અને શ્રાવકનાં ૫ વ્રત ‘અણુવ્રત' કહેવાય છે. અણુવ્રત “શ્રાવકના ધર્મ' એ વિષયમાં થોડા વિસ્તારથી આપેલાં છે, અને તે ઉપરથી આ પાંચ મહાવ્રત વિશે સમજી લેવાનું છે. પાંચ મહાવ્રત પર ભાવના પણ સુંદર ભાવવાની છે, પણ તે વિસ્તારભયથી અત્રે આપેલી નથી. ચરણસિત્તરી એટલે ૭૦ જાતનાં ચરણ અને કરણસિત્તરી એટલે ૭૦ જાતનાં કરણ. ચરણ અને કરણમાં એ ભેદ છે કે ચરણ એટલે જે નિત્ય કરવું તે – નિત્યચર્યા, અને કરણ એટલે પ્રયોજન હોય ત્યારે કરવું (અને પ્રયોજન ન હોય તો ન કરવું) તે. ચરણસિત્તરીમાં ઉપર્યુક્ત ૫ વ્રત, ૧૦ પ્રકારના શ્રમણધર્મ, ૧૭ પ્રકારના સંયમ, ૧૦ પ્રકારનાં વૈયાવૃન્ય, ૯ પ્રકારની બ્રહ્મચર્યગુપ્તિ. ૩ પ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ૧૨ પ્રકારનાં તપ અને ૪ પ્રકારે ક્રોધાદિ નિગ્રહ. દશ શ્રમણધર્મ (૧) ક્ષત્તિ – ક્ષમા – કદાપિ સામર્થ્ય હોય વા ન હોય પણ બીજાનાં દુર્વચન સહન કરવાનાં પરિણામ – મનોવૃત્તિ અર્થાત્ ક્રોધનો સર્વથા ત્યાગ, (૨) માર્દવ - કોમલપણું, અહંકારરહિતપણું. નમ્ર થઈ અભિમાનનો ત્યાગ. (૩) આર્જવ - મનવચનકાયાથી સરલતા-કુટિલતાનો અભાવ, (૪) મુક્તિ – બાહ્ય તેમજ અંતરથી તૃષ્ણાનો-લોભનો ત્યાગ, (૫) તપ - આઠ પ્રકારનાં કર્મ જેનાથી ભસ્મ થાય તે અનશનાદિ ૧૨ તપ, (૬) સંયમ – આમ્રવની ત્યાગવૃત્તિ. (૭) સત્ય – મૃષાવાદથી વિરતિ, જૂઠનો ત્યાગ, (૮) શૌચ – સંયમવૃત્તિમાં કલંકનો અભાવ, (૯) અકિંચન – કિંચિત્ માત્ર દ્રવ્યનું પોતાની પાસે નહિ હોવાપણું. (૧૦) બ્રહ્મચર્ય – સર્વથા મૈથુનનો અભાવ. સંયમના ૧૭ પ્રકાર (૧-૫) અહિંસા, મૃષા, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ અવ્રતરૂપી પાંચ આસવ - કર્યદ્વારનો ત્યાગ તથા (૬-૧૦) ૫ ઈદ્રિયનામે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એના સ્પર્શાદિ પાંચ વિષયોમાં લંપટપણાનો ત્યાગ. (૧૧-૧૪) ક્રોધ, માન, માયા અને Page #122 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુતત્ત્વ ૧૦૧ લોભ એ ચાર કષાયને જીતે, ઉદય આવે ત્યારે તેને નિષ્ફલ કરે તેમજ ઉદય આવી ગયા હોય તેને નવાં ઉત્પન્ન ન કરે. (૧૫-૧૭) જીવની ચારિત્રધર્મરૂપ લક્ષ્મી જેનાથી દંડાય એવા ખોટા મન, વચન, અને કાયા એ રૂપ ત્રણ દંડથી વિરતિ કરે. આના બીજી રીતે ભેદ એ છે કે (૧) પૃથ્વી, (૨) જલ, (૩) અગ્નિ, (૪) પવન, (૫) વનસ્પતિ, (૬) લીંદ્રિય જીવ, (૭) ત્રદ્રય જીવ, (૮) ચતુરિંદ્રિય જીવ અને (૯) પંચેન્દ્રિય જીવ – આ નવવિધ જીવોની મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને કરનારને અનુમોદવારૂપ હિંસાવૃત્તિનો ત્યાગ તે નવ પ્રકારન. . તેમાં સરંભ, સમારંભ અને આરંભ ન થવા જોઈએ. (૧૦) અજીવ સંયમ – જે અજીવ વસ્તુને રાખવાથી, જેમ કે માંસ, મદિરા, સુવર્ણ, મોતી, શસ્ત્રાદિ, સંયમમાં કલંક લાગે તે ન રાખવાં. (૧૧) પ્રેક્ષા સંયમ. સર્વ જોઈને બીજ – જીવરહિત સ્થાનમાં સૂવું-બેસવું આદિ શારીરિક ક્રિયા કરવી તે. (૧૨) ઉપેક્ષા સંયમ - ઉપદેશથી કોઈપણ હિંસાદિમાં પ્રવૃત્તિ કરે તેવું ન બને તે માટે ઉદાસીન રહેવું તે, (૧૩) પ્રમાર્જન સંયમ – કોઈ સ્થાનમાં જવું, વસ્ત્રપાત્રાદિ ગ્રહણ કરવાં તો પુંજીને – પ્રમાર્જનથી કરવું. (૧૪) પરિષ્ઠાપના સંયમ - અનાદિ જીવરહિત સ્થલે પરઠવવા તે. (૧૫) મનઃ સંયમ – મનનાં દ્રોહ, ઈર્ષ્યા, અભિમાન ન કરવા અને ધર્મ-ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવું તે, (૧૬) વચનસંયમ – હિંસાકારી કઠોર વચન ન બોલવાં, (૧૭) કાયાસંયમ - ગમનાગમન કરવામાં ઉપયોગપૂર્વક કાયાને પ્રવર્તાવવી તે. દશ વૈયાવૃજ્ય વૈયાવૃજ્ય એટલે સેવા. (૧) આચાર્ય–જ્ઞાનાચાર,દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ આચારના પાલનાર તે, (૨) ઉપાધ્યાય – જેની પાસે અધ્યયન કરાય તે, (૩) તપસ્વી (૪) નવદીક્ષિત શિષ્ય (૫) ગ્લાન સાધુ – સ્વરાદિ રોગવાળા, (૬) સ્થવિર – ધર્મમાં સ્થિર રહેનાર સાધુ, (૭) મનોજ્ઞ– જે સાધુ પોતાના જેવી સમાચારી પાળતા હોય તે, (૮) સંઘ – સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેનો સમુદાય, (૯) કુલ – બહુ એક સરખા ગચ્છોના – સજાતિઓના સમૂહ. જેમકે ચંદ્રાદિ, (૧૦) ગણ-ગચ્છ – એક આચાર્યની વાચનાવાલા સાધુઓના સમૂહ. જેમકે કૌટિકાદિ. –આ દશેની વસ્ત્ર, સૂત્ર, પાણી, પાત્ર, સ્થાન આદિ આપીને સેવા-સુશ્રુષા કરવી તે. નવ બ્રહ્મચર્યગુપ્તિ આને બ્રહ્મચર્યની નવ વાડ કહેવામાં આવે છે : (૧) વસ્તી – સ્ત્રીપશુપંડક સંયુક્ત વસ્તીમાં ન રહેવું તે. (૨) કથા – કેવલ સ્ત્રીઓને જ – એકલી સ્ત્રીઓને ધર્મ દેશનારૂપ કથા ન કહે તથા સ્ત્રીની કથા ન કરે. (૩) આસન – સ્ત્રીની સાથે એક આસન પર તથા જે આસનથી સ્ત્રી ઊઠી હોય ત્યાં બે ઘડી સુધી ન બેસવું. (૪) ઇંદ્રિય – ઈદ્રિયોના વ્યાપારનો સ્ત્રી સંબંધે ઉપયોગ ન કરે એટલે નેત્રથી સ્ત્રીનાં અંગોપાંગ ન દેખે વગેરે. (૫) કુડ્યાંતર – ભીંત આદિને આંતરે સ્ત્રીપુરુષ મૈથુન સેવતાં હોય યા ૧. સરંભ – પ્રાણીના પ્રાણના વિનાશ કરવાનો સંકલ્પ કરવો તે. સમારંભ – જીવના પ્રાણને પરિતાપ ઉપજાવવો તે. આરંભ – જીવોના પ્રાણનો વિનાશ કરવો તે. Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેઓના શબ્દ સંભળાતા હોય ત્યાં ન રહેવું. (૬) પૂર્વક્રીડા પોતાના પૂર્વ ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી સંબંધે સેવેલા પ્રસંગો ન સંભારવા. (૭) પ્રણીત અતિ ચીકાશવાળા દૂધ, ઘી, આદિ ધાતુપુષ્ટ પદાર્થો ન ખાવા, (૮) અતિ માત્રાહાર – અધિક આહાર ન કરવો. (૯) વિભૂષણાદિ – શરીરની વિભૂષા સ્નાન-વિલેપન-ધૂપાદિથી ન કરવી. ૧૦૨ જ્ઞાન, દર્શન અને ચારિત્ર (૧) જ્ઞાન – યથાર્થ વસ્તુનો યથાર્થ બોધ જે કરે તે જ્ઞાન; જ્ઞાનાવરણાય કર્મનો ક્ષય તથા ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલો બોધ. શાસ્ત્ર – અંગોપાંગાદિનું જ્ઞાન (૨) દર્શન - જીવાદિ નવ તત્ત્વોમાં શ્રદ્ધા-તત્ત્વચિ. (૩) ચારિત્ર – સર્વ પાપના વ્યાપારોથી જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક નિવૃત્ત થવું તે. આ સર્વ વિરતિ છે કારણકે સાધુ સર્વવિરતિ અહિંસાદિ સર્વથા પાળે છે. ગૃહસ્થનું તેથી ઓછે અંશે ચારિત્ર છે કે જેને દેશિવરતિ કહેવામાં આવે છે, અને તે ગૃહસ્થધર્મમાં કહેવામાં આવશે. બાર પ્રકારનાં તપ તેમાં છ બાહ્ય અને છ અંતરંગ છે. છ બાહ્ય તપ તે (૧) અનશન ન ખાવું. (૨) ઊણોદરી – થોડું ખાવું (૩) વૃત્તિસંક્ષેપ – વૃત્તિને જરા સંયમમાં રાખવા-સંકોચવા માટે અનેક પ્રકારના નિયમ લેવા તે, (૪) રસત્યાગ – દૂધ દહીં, ઘી, તેલાદિ રસનો ત્યાગ કરવો, (૫) કાયક્લેશ - વીરાસન દંડાસન આદિ અનેક આસનોથી શરીરને કષ્ટ આપવું. (૬) સંલીનતા – પાંચ ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાં રોકવી – બીજામાં ન જવા દેવી. હવે બીજાં છ અંતરંગ તપ કહેવામાં આવે છે. (૭) પ્રાયશ્ચિત્ત - જે કાંઈ અયોગ્ય કામ કર્યું હોય તે ગુરુ પાસે કહી દંડ લેવો અને ભવિષ્યમાં ફરી તે પાપ ન થાય તેમ કરવું. (૮) વિનય -- ગુણાદિકવાળાનું બહુમાન કરવું. (૯) વૈયાવૃત્ત્વ પોતાનાથી ગુણાધિકની ભક્તિ કરવી. (૧૦) સ્વાધ્યાય અભ્યાસ કે જે પાંચ રૂપે છે ૧. વાચના – પોતે ભણવું, બીજાને ભણાવવું. ૨. પૃચ્છના - સંશય થતાં ગુરુને પૂછવું. ૩. પરાવર્ત્તના ભણેલું ફરીવાર-વારંવાર સ્મરણમાં લાવવું. ૪. અનુપ્રેક્ષા - ભણેલું તેનું – તેના તાત્પર્યનું એકાગ્ર ચિત્તથી ચિંતવન કરવું. ૫. ધર્મકથા ધર્મની કથા - કરવી તે.` (૧૧) ધ્યાન તજવાં અને તેમાં બે કુધ્યાન – આર્ત્ત અને રૌદ્ર ધ્યાન બે સધ્યાન ધર્મધ્યાન અને શુક્લધ્યાન અંગીકાર કરવાં (આનું સ્વરૂપ જૈન યોગમાં આપેલું છે). (૧૨) વ્યુત્સર્ગ - સર્વ ઉપાધિઓનો ત્યાગ કરવો. આ રીતે છ બાહ્ય અને છ અત્યંતર મળી ૧૨ જાતનાં તપ છે. ચાર નિગ્રહ - - — ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેનો નિગ્રહ કરવો. આ પ્રમાણે ૫ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ય, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ, ૪ ક્રોધાદિનો નિગ્રહ મળી ૭૦ ભેદ ચારિત્રના થયા તે ચરણસિત્તરી. ૧. આ પાંચેમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ અભ્યાસના ત્રણ અંગનો સમાવેશ થાય છે. - Page #124 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુતત્ત્વ ૧૦૩ હવે કરણસિત્તરી કહીએ છીએ : ૪ પ્રકારે પિડવિશુદ્ધિ – આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, અને પાત્ર એ ચાર વસ્તુને સાધુ ૪૨ દોષરહિત ગ્રહણ કરે છે. ૫ સમિતિ – સમ્યક પ્રવૃત્તિ (૧) ઈર્યાસમિતિ – ઇર્યા એટલે ચાલવામાં જીવની વિરાધના ન થાય એવી સમ્યક્ પ્રવૃત્તિ રાખવી, (૨) ભાષા સમિતિ – ભાષા હિતકર, મિત, સંદેહ વગરની પાપરહિત અને નિર્મીત અર્થવાળી બોલવી. (૩) એષણા સમિતિ – એષણા એટલે આહાર આદિ દોષ રહિત લેવો. (૪) આદાન નિક્ષેપ સમિતિ – વસ્તુને લેવામાં તેમજ ત્યાગવામાં સંભાળ રાખવી. (૫) ઉત્સર્ગ (પરિષ્ઠાપનિક સમિતિ – ઉત્સર્ગ એટલે મલમૂત્રનો ઉત્સર્ગ કરવામાં સમિતિ એટલે તેને જીવ વગરની ભૂમિમાં પરઠવવાં; ૩ ગુતિ – (ગુ – રક્ષા કરવી, રોકવું) જેના વડે સંસારથી રક્ષા થાય, યોગને રોકી શકાય તે. (૧) મનોસુમિ – પાપસહિત – સાવદ્ય સંકલ્પોનો નિરોધ, અસત્ ધ્યાનનો ત્યાગ. (૨) વચનગુતિ – વાણીનો નિયમ અથવા સર્વથા મૌન રહેવું તે. (૩) કાયગતિ – શારીરિક ક્રિયામાં શરીરચેષ્ટાનો નિયમ રાખવો. ૧૨ પ્રતિમા – નિયમ વિશેષા. એક માસની, કોઈ બે માસની એમ અમુક અમુક મુદત માટે અમુક ચોવિહાર આદિ નિયમ ગ્રહણ કરવા. તે. ૨૫ પ્રતિલેખના – એટલે મુહપતિ આદિ જે જે ઉપકરણો હોય તેને સંભારી જવી – ફેરવી જવી. ૪ અભિગ્રહ - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી કોઈ અભિગ્રહ એટલે નિયમવિશેષ ગ્રહણ કરવો તે. ૫ ઈદ્રિયોનો નિરોધ, અને ૧૨ ભાવના (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આસ્રવ (૮) સંવર, (૯) નિર્જરા (૧૦) લોકસ્વરૂપ (૧૧) બોધિદુર્લભ (૧૨) ધર્મ-ભાવના. આમ ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૩ ગુતિ, ૧૨ પ્રતિમા, ૨૫ પ્રતિલેખના, ૪ અભિગ્રહ, ૫ ઇંદ્રિયનિરોધ અને ૧૨ ભાવના મળી ૭૦ કરણના ભેદ થાય તે કરણસિત્તરી. ભાવના સ્વરૂપ ઉપર કહેલી ૧૨ ભાવના ખાસ જાણવા યોગ્ય છે. એથી કર્મનો ક્ષય થાય છે તેથી તે “સંવર’ હોઈ મોક્ષના કારણભૂત છે. જેવો ભાવ તેવો જ કર્મનો બંધ કે અબંધ. તો તેનું સ્વરૂપ કહીએ (૧) અનિત્ય ભાવના – ગમે તેવું સુંદર શરીર, સ્ત્રી, પરિવાર આદિ સર્વ અનિત્ય છે તો તેમાં મમત્વ રહિત થઈ તૃષ્ણાનો નાશ કરવો ઘટે છે. (૨) અશરણભાવના – પિતા માતા પુત્રાદિ કોઈપણ શરણ થાય તેમ નથી. અને આ સંસાર કે જે મૃત્યુ આદિ ભયમાં પડેલો છે તેમાં આત્માને પોતા સિવાય બીજું કોઈ શરણ નથી. (૩) સંસાર ભાવના - સર્વ જીવો કર્મવશ થઈ ચોરાશી લાખ યોનિરૂપ – ચારગતિરૂપ સંસારમાં ભટક્યા કરે છે, અને અનેક દુઃખ સહન કરે છે. (૪) એકતા ભાવના – જીવ એકલો આવ્યો છે અને એકલો જશે, એકલો જ કર્મ કરે છે અને એકલા કર્મ ભોગવશે, પોતે જે-જે બીજાને માટે ગમે તેવી અનીતિથી ભેગું કરે છે તેનું ફલ પોતે જ ભોગવે છે, બાકી કોઈ પોતાનું નથી તેમ પોતાના માટે ફલ ભોગવે તેમ નથી. (૫) અન્યત્વ ભાવના – આ સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન આદિ છે તે તું નથી તેમ તે તારાં નથી. તું બીજાથી અન્ય છો. કોઈ કોઈનું નથી. શરીરથી પણ તું અન્ય છે તો શરીરની પુષ્ટિ, તુષ્ટિ આદિ નકામું છે. (૬) અશુચિ ભાવના – આ શરીર મલિન Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે, અશુચિથી – મળમૂત્રમાં સરક્તમજાથી ભરેલું છે તેથી તેમાં મમત્વ ન રાખવું. (૭) આસ્રવ ભાવના – આસ્રવ એટલે જેનાથી કર્મો આવે છે તે એવા મિથ્યાત્વ અવિરતિ, કષાય, પ્રમાદ, અને યોગનો મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી ત્યાગ કરવો કારણકે મિથ્યાત્વાદિથી વિશેષ સંસારમાં પરિભ્રમણ થાય છે. (૮) સંવર ભાવના – આમ્રવનો નિરોધ તે સંવર; ક્રોધને ક્ષમાથી, માનને મૃદુતાથી, માયાને સરલતાથી અને લોભને સંતોષથી જીતવાથી સંવર થાય છે, ઇન્દ્રિયોના ઈષ્ટ અનિષ્ટ વિષયોથી થતા રોગ દ્વેષ ત્યાગવા કે જેથી કર્મો આવતાં અટકે. (૯) નિર્જરા ભાવના - કર્મનો નાશ જે-જે અંશે થાય છે તે-તે અંશે નિર્જરા (કર્મનું ખરવું, જવું) થાય છે. આ તપ આદિથી થાય છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના – લોકનું સ્વરૂપ કે જે મનુષ્પાકારે છે અને છ દ્રવ્યથી પરિપૂર્ણ છે તે ભાવવું. (૧૧) બોધિદુર્લભ ભાવના – અકામ નિર્જરાથી જીવ નિગોદમાંથી ઉત્ક્રાંત થઈ કેવી રીતે સમ્યકત્વ – બોધિ કે જે દુર્લભ છે તે પામે છે તેનું ચિંતન કરવું, તે જ સમ્યક્ત્વથી ધર્મની પ્રાપ્તિ છે. ધર્મની પ્રાપ્તિ એ બીજમાંથી મોક્ષ ફલ થાય છે, તેથી બોધિ વગર સર્વ નિપ્પલ છે એ વિચારવું. (૧૨) ધર્મ ભાવના – દુસ્તર સંસારસમુદ્ર તરવાને ધર્મ એ જ ઉપાય છે. વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, તે આત્મધર્મ પામવા માટે દશ શ્રમણ ધર્મ અન્ય સર્વ ક્રિયા આદિનું જ્ઞાન પામવું અને પાલન કરવું એ જ ધર્મ છે એનું ચિંતન કરવું. આ સિવાય સાતમી આસ્રવ ભાવનામાં જણાવેલી ચાર મુખ્ય ભાવના છે ૧. મૈત્રી ભાવના – સર્વ પ્રત્યે સમાનભાવ. ૨. પ્રમોદભાવના – પોતાથી અધિક ગુણવાળા પ્રત્યે હર્ષપ્રમોદ કરવો. ૩. કરુણા ભાવના – રોગી દુઃખી પ્રત્યે કરુણાભાવ રાખવો અને ૪. માધ્યસ્થ ભાવના – અવિનીત આદિ પ્રત્યે તટસ્થ ભાવ રાખવો. ૩. સત્ ધર્મતત્ત્વ : આમાં સમ્યકત્વ, ગૃહસ્થનાં વ્રત, સાધુનાં વ્રત આદિનો સમાવેશ થાય છે. તે દરેક જુદીજુદી રીતે આ નિબંધમાં વિસ્તારથી આવી જાય છે તેથી અહીં તેનું પુનઃકથન કરવાની જરૂર નથી. કાલસ્વરૂપ આ જગતમાં કોઈપણ નાશ પામતું નથી એ જેટલી વૈજ્ઞાનિક સિદ્ધ થયેલી બીના છે તેટલી જ સિદ્ધ થયેલી બીના એ છે કે જડ વસ્તુનો નિરંતર ફેરફાર થયા જ કરે છે – પર્યાય ફર્યા જ કરે છે. કહ્યું છે કે : समए समए णंता परिवस॒तो उ वणमाईया । दव्वाणं पज्जाया होरत्तं तत्तिया चेव ।। – પંચકલ્યભાષ્ય. - સમયે સમયે દ્રવ્યોના વર્ણ ગંધ વગેરે અનંત પર્યાયો બદલ્યા જ કરે છે, અને અહોરાત્ર – રાત્રિ દિવસમાં તે પ્રમાણે તેટલા જ બદલે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ કાલસ્વરૂપ ૧૦૫ બદલવામાં પર્યાયોની વૃદ્ધિ પણ થાય અને હાનિ પણ થાય અને તે પ્રમાણે કાલના ભાગ પડે છે એટલે કે જે કાલમાં પદાર્થોને તે-તે પર્યાયો વડે પ્રથમ સમયથી આરંભીને નિરંતર વધાર્યા કરે તેનું નામ ઉત્સર્પિણી. (ઉત્સર્પતિ પ્રથમ સમયારણ્ય નિરંતરે વૃદ્ધિ નથતિ તૈલૈ: પર્યાવાનું તિ ઉત્સર્પિો : અને તેથી ઊલટું એટલે જેમાં હાનિ થાય તે અવસર્પિણી. હવે કાલનું પ્રમાણ અનંત છે, તો પણ એની સંખ્યા – હદ નિર્માણ કરવા માટે અમુક ભાગ કર્યા છે, તેમાં મોટામાં મોટો અને હદમાં આવી શકે તેવો ભાગ કલ્પી તેનું નામ “કાલચક્ર' કલ્પ રાખ્યું. ચક્ર એટલે પૈડું. એટલે કાલને પૈડાનું રૂપ આપ્યું. પૈડાના આરા જોઈએ તો કાલચક્રના બાર ભાગ પાયા, તેમાંના દરેકનું નામ ક્રમ પ્રમાણે પહેલો, બીજો એમ આર - આરો રાખ્યું. આ રીતે દ્વાદશાર કાલચક્રના દરેક આરા સરખા નથી, પણ તેમાં એવી ગોઠવણ છે કે પહેલા છ આરાની જેટલી કાલસ્થિતિ તેટલી જ બીજા છ આરાની કાલસ્થિતિ. આ રીતે કાલચક્રમાં બે સરખા ભાગ પડ્યા. તેમાં એકનું નામ પર્યાયોમાં વૃદ્ધિ થવાને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામોની વૃદ્ધિ થવાથી ઉત્સર્પિણી, જેમાં પ્રથમના છ આરા આવી ગયા, એ નામ રાખ્યું, અને બીજા છ આરાના સરખા ભાગનું નામ પર્યાયોમાં હાનિ થવાને લીધે અને તેને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામોની હાનિ થવાથી અવસર્પિણી નામ રાખ્યું. તે દરેકનો સમય દશ કોડાકોડી સાગરોપમ છે. એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બે મળીને બાર આરાનું વીશ કોડાકોડી સાગરોપમનું કાલચક્ર થાય છે. આ બારે આરા અનુલોમ-પ્રતિલોમ ભાવથી આવે છે, એટલે જે ક્રમથી સુષમ સુષમા આદિ અવસર્પિણીમાં આવે છે, તેથી વિપરીત ક્રમથી અતિ દુઃષમા આદિ ઉત્સર્પિણીમાં આવે હવે ભરત ક્ષેત્રમાં હાલ ચાલતા અવસર્પિણીના છ આરા - કાળ સમય જોઈએ. તેનાં નામ ચડતા પડતા કાળાનુભાવ પ્રમાણે આ રીતે રાખવામાં આવ્યાં છે. ૧. સુષમસુષમા ચાર ક્રોડાકોડ (કોટાકોટી) સાગરોપમ ૨. સુષમાં ત્રણ ક્રોડાકોડ (કોટાકોટી) સાગરોપમ ૩. સુષમદુઃષમાં બે ક્રોડાકોડ ((કોટાકોટી) સાગરોપમાં ૪. દુષમસુષમાં એક ક્રોડાકોડ સાગરોપમ ઓછા ૪૨૦૦૦ વર્ષ ૫. દુઃષમાં ૨૧000 વર્ષ ૬. અતિ દુઃષમાં ૨૧000 વર્ષ દશ ક્રોડાકોડ સાગરોપમ. दस कोडाकोडीओ सागर नामाण हुंति पुन्नाओ । उस्सप्पिणी पमाणी तं चेवोसप्पिणीए ॥ १॥ छच्चव कालसमया हवंति ओसप्पिणीइ भरहमि । तासिं नाम विहत्तिं अहक्कम कितइस्सामि ॥ २॥ सुसमसुसमा य सुसमा तइया पुण सुसमदुस्समा होइ । दुसमसुसमा चउत्थी दूसइ अइ दूसमा छठी ।। ३ ।। Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો एए चेव विभागा हवंति उस्सपिणीइ छच्चेव ।। पडिलोमा परिवाडी नवरि विभागेसु नायव्वा ॥ ४ ।। सुसम सुसमाइ कालो चत्तारि हवंति कोडिकोडीओ। तिणि सुसमाइ कालो दुत्ति भवे सुसमदुसमाए ॥ ५ ॥ एक्का कोडाकोडी बायालीसाइ जा सहस्सेहिं । वासाण होई ऊणा दुसम सुसमाइ सो कालो ।। ६ ॥ अह दुसमाई कालो वास सहस्साई एकवीसं तु । तावइओ चेव भवे कालो अइ दुसमाए वि ॥ ७॥ અર્થ – દશ કોડાકોડી સાગરોપમ પૂરા થાય તે ઉત્સર્પિણી, અને તેટલા જ કાળની અવસર્પિણી પણ છે. ભરતક્ષેત્રમાં અવસર્પિણીના છ કાળ સમય થાય છે. તેમનાં અનુક્રમે નામો કહીએ છીએ. પહેલો સુષમસુષમા, બીજો સુષમાં, ત્રીજો સુષમદુઃષમા, ચોથો દુઃષમસુષમાં, પાંચમો દુઃષમા, અને છઠ્ઠો અતિ દુઃષમા. ઉત્સર્પિણીના પણ એ જ છ વિભાગો છે, પણ તે ઊલટા ક્રમે લેવાના છે. સુષમસુષમા ચાર કોડાકોડ સાગરોપમનો છે. સુષમા ત્રણનો અને સુષમદુઃષમા બેનો છે. બેતાલીશ હજાર વર્ષે ઊણા એક કોડાકોડ સાગરોપમ એ દુઃષમસુષમાનો કાળ છે. એકવીશ હજાર વર્ષનો દુઃષમાં છે. અને અતિ દુષમાનો કાળ પણ તેટલો જ છે. – ઉપદેશપદ, પૃ. ૧૪૭-૮ આ પ્રમાણે ઉત્સર્પિણીના ઊલટા ક્રમથી એટલે પહેલો અતિદુઃષમા, અને છેલ્લો સુષમસુષમા – એમ જાણવા. અહીં જણાવવું જોઈએ કે આ પૈકીનો અવસર્પિણી-દુઃષમ (પંચમ આરે – પંચમ કાળ) હાલ વર્તે છે. પરમાર્થમાર્ગથી મનુષ્ય મુક્તિ મેળવે છે. તે પરમાર્થમાર્ગ જે કાલમાં સુખેથી પ્રાપ્ત થાય તેનું નામ “સુષમ અને જે કાલમાં દુખેથી પ્રાપ્ત થાય તેનું નામ દુઃષમ' છે. આ બે શબ્દોની ઘટનાથી સુષમસુષમા, સુષમદુઃષમા, દુઃષમસુષમા, દુષમદુઃષમાં એ સામાસિક શબ્દો બંનેના ભાવને મિશ્રિત કરી દર્શાવવા પ્રયોજેલ છે. હમણાં ચાલુ વર્તમાનમાં ચાલતો કાલ પંચમકાલ' કહેવાય છે અને તે દુઃષમ છે. આ સંબંધી વિસ્તારપૂર્વક એક વિદ્વાન વિચારક એમ દર્શાવે છે કે : જિનાગમમાં આ કાળને દૂસમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે “દુસમ' શબ્દનો અર્થ “દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય' એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય, અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે; પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણ રૂપ છે. અત્ર કહેવાનો હેતુ એવો છે કે, ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે – અને તે સત્ય છે, કેમકે જો તેવા જીવનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોય, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને Page #128 -------------------------------------------------------------------------- ________________ કાલસ્વરૂપ ૧૦૭ તેથી આ કાળને ‘દુસમ' કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જેનોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જો કોઈપણ જીવ પરમાર્થમાર્ગની આરાધના ઈચ્છે, તો અવશ્ય આરાધી શકે, કેમકે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. | સર્વ જીવને, વર્તમાનકાળમાં, માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવો યોગ્ય છે; તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે, પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં. બીજું કારણ : તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય; તેથી અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ : ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદ્ગુરુનો યોગ બને, અને તે પણ ક્વચિત્ બને. ચોથું કારણ ? અસત્સંગ આદિ કારણોથી જીવને અસગરઆદિનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસરઆદિકને વિષે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ : ક્વચિત્ સત્સમાગમાદિનો યોગ બને તો પણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું, કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે, અથવા ન સમજી શકે, અથવા અસત્યસમાગમાદિ, કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય.” વળી તેઓ જ લખે છે કે : ઊતરતા કાળના પાંચમા આરામાં તેના દુષમપણાને લઈને કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પરષોએ કેટલાક વિચારો જણાવ્યા છે તે અવશ્ય જાણવા જેવા છે : એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે : નિગ્રંથ-પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્ત્વોમાં મતમતાંતર વધશે, પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પારિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે; વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.” 3. કાળપરિમાણનું કોષ્ઠક – જૈનશાસ્ત્ર પ્રમાણે (૧) જ્યોતિષ એટલે પ્રકાશથી હોનાર જ્યોતિષ્ક દેવ એટલે સૂર્ય ચંદ્રમા આદિ નિત્યગતિવાલાથી કાલના ભેદ પડે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેઓની ભ્રમણસંચરણ વિશેષગતિ એ કાલના વિભાગમાં હેતુ છે. આથી મુહૂર્ત, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વર્ષ આદિ પડે છે, તેમાં જૈનશાસ્ત્રમાં આથી ઘણા સૂક્ષ્મ ભાગો પણ પાડેલા છે, અને તે નીચે પ્રમાણે : પરમસૂક્ષ્મ ક્રિયાવાનું, સર્વ કરતાં ઓછામાં ઓછી ગતિ પરિણત કરનાર એક પરમાણુ પોતાના અવગાહન ક્ષેત્રને જેટલા કાળમાં બદલે તેટલા – અતિ સૂક્ષ્મકાલને સમય કહે છે. આ સમયરૂપ કાલ ઘણો સૂક્ષ્મ હોવાથી પરમ પુરુષોને – સાધારણ પુરુષોની અપેક્ષાએ અતિશય સહિત જનોને – પણ દુર્ણોય છે. આ કાલ ભગવાન્ પરમાર્થ કેવલી (સર્વજ્ઞ) જ જાણી શકે છે. ભાષા કે શબ્દથી ગ્રહણ કે ઈદ્રિયના પ્રયોગનો અહીં અસંભવ છે. સંખેય સમય=૧ આવલિકા ૩૦ મુહૂર્ત ૧ રાત્રિદિન સંખેય આવલિકા=૧ ઉચ્છવાસ અને [ ૧૫ રાત્રિદિન=પક્ષ નિઃશ્વાસ=૧ પ્રાણ (બલવાનું, સમર્થ, ૨ પક્ષ (શુકલ અને કૃષ્ણ)=૧ માસ ઈદ્રિયસહિત, નીરોગ, યુવાનું અને ! ૨ માસઃ૧ ઋતુ સ્વસ્થ મનવાળા પુરુષનો) ૩ ઋતુ-૧ અયન ૧ પ્રાણ આને સમુચ્ચયે ઉચ્છવાસ ૨ અયન=૧ વર્ષ અગર શ્વાસ કહેવામાં આવે છે. પ વર્ષ=૧ યુગ ૭ પ્રાણ=૧ સ્ટોક ૮૪ લાખ વર્ષ=૧ પૂર્વાગ ૭ સ્તોક=૧ લવ ૮૪ લાખ પૂવગ=૧ પૂર્વ ૩૮. લવ=૧ નાલિકા ૮૪ લાખ પૂર્વ=સંખેય કાલ ૭૭ લવ=ર નાલિકા=૧ મુહૂર્ત આ પછી નિર્ણત કરેલા કાલવિભાગને ઉપમાથી કહે છે : ૧ પલ્યોપમકાલ – એક યોજન (ચાર ગાઉ) લાંબી તથા એક યોજન ઊંચી એક વૃત્તાકાર પલ્ય (રોમગર્ત-ખાઈ)ને એક રાતથી તે વધારેમાં વધારે સાત રાત સુધીમાં જન્મેલાં ઘેટાં આદિ પશુઓના વાળથી ગાઢ રૂપે ઠાંસીઠાંસીને પૂર્ણ ભરી હોય, ત્યાર પછી સો-સો વર્ષ પછી એક-એક વાળ તે ખાઈમાંથી કાઢવામાં આવે અને તેમ કરતાં જેટલા કાલમાં તે ખાઈ સાવ ખાલી થઈ જાય તેને એકપલ્યોપમ કાલ કહેવામાં આવે છે. ૧૦કોટાકોટીપલ્યોપમ=૧ સાગરોપમકાલ ! દરેકની અંદર છ આરા હોય છે તે ઉપર ૧૦ કોટાકોટી સાગરોપમ =૧ અર્ધકાલચક્ર | સમજાવેલ છે. (કે જેને તેમાં પર્યાયોની હાનિ થવાને લીધે | ૧ ઉત્સર્પિણી ને ૧ અવસર્પિણી કાલચક્ર અવસર્પિણી અને વૃદ્ધિ થવાને લીધે - શ્રી તત્ત્વાર્થ સૂત્ર ઉત્સર્પિણી કહેવામાં આવે છે) - આ | ૪. આની સાથે હિંદુશાસ્ત્રની કાલગણના સરખાવીએ. ' કમળની ૧૦૦ પાંખડીઓ એક ઉપર એક ગોઠવી, તેમાં સોય ઉપરથી નીચે સુધી એવી રીતે ભોંકવી કે, બધી પાંખડીઓ ભોંકાઈ જાય. એમ કરવાથી દરેક . Page #130 -------------------------------------------------------------------------- ________________ કાલસ્વરૂપ ૧૦૯ પાંખડીને વીંધાતા-ભોંકાતાં જે સૂક્ષ્મ વખત લાગે છે તેને ક્ષણ કહેવામાં આવે છે. એવી ૮ ક્ષણ=૧ લવ ૩ ગુર=૧ સ્તુત ૮ લવ=૧ કાષ્ઠા ૨ ગુરુ અથવા | = ૧ કાકપદ કે ૮ કાષ્ઠા=૧ નિમેષ ૪ લઘુ દ્વિગુરુ ૮ નિમેષ=૧ કલા ૨ કાકપદ=૧ હંસપદ, ૨ કલા=૧ ત્રુટિ ૨ હંસપદ-૧ મહાહંસ ૨ ત્રુટિ=૧ અણુ કે અનાદ્વૈત ૧૦ પ્લત=૧ પળ ૨ અણુ-૧ કુત ૬૦ પળ=૧ ઘડી (ઘટિકા) ૨ કુત=૧ લઘુ (માત્રા) અક્ષર ૬૦ ઘડી-૧ દિવસ ૨ લઘુ-૧ ગુરુ માસ, વર્ષ, યુગ, મવંતર, કલ્પ વગેરે કાળનાં મહાનું પરિમાણ છે. કોઈ હિંદુ, પ્રાચીન ઋષિમુનિઓએ કાળનું માહાભ્ય ઘણું કહ્યું છે : कालः कलयते लोकं कालः कलयते जगत । कालः कलयते विश्वं तेन कालोऽभिधीयते ।। सर्गपालन संहर्ता, स कालः सर्वतः समः । कालेन कल्प्यते विश्वं, तेन कालोऽभिधीयते ।। काल: सृजति भूतानि कालः संहरते प्रजाः । काल स्वपिति जागर्ति कालो हि दुरतिक्रमः ।। कालस्य वशगाः सर्वे देवर्षिसिद्ध किन्नराः । कालो हि भगवान् देवः स साक्षात्परमेश्वरः ।। ભાવાર્થ – કાળથી સર્વ લોકની અને જગતુની કલના કરાય છે, તેમજ સર્વ વિશ્વની કલના – ગણના કરવામાં આવે છે તેથી કરીને 'કાળ' કહેવાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર જે કાળ તે સર્વ સ્થળે સમાન છે. એ કાળથી વિશ્વની કલ્પના કે કલના કરાય છે તેથી જ ‘કાળ' કહેવાય છે. કાળ સર્વ ભૂતોને ઉત્પન્ન કરે છે. પ્રજાને સંહારે છે, તે જ કાળ જાગ્રત, સ્વપ્ન, નિદ્રા એ ત્રણે અવસ્થાઓમાં દુરતિક્રમ છે. દેવો, ઋષિઓ, સિદ્ધો, કિન્નરો એ સર્વ કાળને જ વશ છે ! એવો ભગવાન્ કાળ તે જ સાક્ષાત્ પરમેશ્વર છે. પ. કાલનાં ઉપકાર (accessories) શું છે તો શ્રી ઉમાસ્વાતિ સૂત્રકાર જણાવે છે કે : वर्तना परिणामः क्रिया परंत्वापरत्वे च कालस्य (अ.५ सू.२२) વતના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાલનાં ઉપકાર છે. વતના – સર્વ પદાર્થોની વર્તના છે તે કાલને આશ્રયીને રહેલી વૃત્તિ છે અર્થાત્ સંપૂર્ણ પદાર્થોની ઉત્પત્તિ, તથા સ્થિતિ કે જે પ્રથમ સમયને આશ્રયીભૂત છે તે વર્તના. પરિણામ – આ બે પ્રકારનાં છે. (પરિણામ એટલે વસ્તુનો ભાવ-સ્વભાવ) તત્ત્વાર્થ અ પ. . ૪૧ ૧. અનાદિપરિણામ. મા અરૂપી-દ્રવ્ય (ધર્મ, અધર્મ, આકાશ અને જીવ)માં હોય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૨. આદિમાન્ (સાદિ) પરિણામ. આ રૂપીદ્રવ્યમાં હોય છે. તે અનેક પ્રકારનાં હોય છે જેમકે સ્પર્શ પરિણામ, રસ પરિણામ, ગંધ પરિણામ વગેરે. - તત્ત્વાર્થ અ. ૫ સૂ. ૪૨-૪૩ ક્રિયા–અર્થાત્ ગતિરૂપ ક્રિયા પણ કાલના જ ઉપકાર રૂપે છે. તે ત્રણ પ્રકારે છે. ૧. પ્રયોગગતિ – પુરુષપ્રયત્નજન્ય ૨. વિશ્રસાગતિ – સ્વયં પરિપાકજન્ય ૩. મિશ્રિકા-મિશ્રકા – ઉભય (૧-૨)જન્ય. પરત્વ અને અપરત્વ – ત્રણ પ્રકારનાં છે. ૧. પ્રશંસાકૃત. જેવી રીતે ધર્મ પર છે, જ્ઞાન પર છે, તથા અધર્મ અપર છે, અજ્ઞાન અપર છે. ૨. ક્ષેત્ર (દેશ)કૃત - એક દેશકાલમાં પહેલા બે પદાર્થો જે દૂર રહેલ હોય તે પર છે, જે સમીપ હોય તે અપર છે. ૩. કાલકત. જેમકે સોળ વર્ષ કરતાં સો વર્ષવાળો પર છે, આ સો વર્ષવાળા કરતાં સોળ વર્ષવાળો અપર છે. આ સર્વમાં પ્રશંસાકૃત પરત્વાપરત્વ અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વ સિવાય બાકી બધું વર્તનાદિ સર્વ એટલે વર્તન, પરિણામ, ક્રિયા અને કાલિક પરત્વાપરત્વ કાલકૃત છે – કાલે ઉપજાવેલું છે, કાલની સાથે રહેલ છે. આત્માને કર્મનો સંયોગ સ્વભાવમાં આત્મા પરિણમે તો મોક્ષ છે, વિભાવ-પરભાવમાં પરિણમવું તે બંધ છે. જેટલા અંશે પરભાવથી છુટાય તેટલા અંશે કર્મથી મોક્ષ છે, અને સવશે પરભાવથી છુટાવું તે સંપૂર્ણ મોક્ષ છે. જે જે અંશે નિરપાલિકપણું, તે તે અંગે જાણો ધર્મ અહીં ધર્મ ‘આત્માનો સ્વભાવ એ અર્થમાં છે. બંધ અને મોક્ષ એ બંને આત્માના અવસ્થાવિશેષ છે. જેનાથી કર્મનો બંધ થાય છે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યોગ – એને આસ્રવ કહેવામાં આવે છે. કષાયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિ વડે આત્મા દ્રવ્યકમને આકર્ષી તે વડે બંધાય છે, અને તે કર્મના ઉદયકાળે વ્યાકુળતાને અનુભવે છે. સુખદુઃખાદિ વેદવાનું મૂળ કારણ કર્મબંધ છે, અને તેનો નિઃશેષ - બીજસહિત નાશ થયા પછી આત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં આવી શકે છે. આ સ્વભાવ-અવસ્થા એ જ પરમહિત – સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે, અને તે પ્રાપ્ત કરવાનો ઉપાય એ જ આ મનુષ્યત્વનો પ્રધાન ઉદ્દેશ હોવો જોઈએ. આ સિવાયની સર્વ પ્રવૃત્તિઓ આ પ્રધાન કર્તવ્યને જેટલે અંશે ઉપકારક થાય તેટલે જ અંશે સફળ છે. કેવા આચરણ વડે આત્મા પોતાના સ્વભાવમાં પ્રવર્તે ? જે નિમિત્તો વડે આત્માનું પરભાવમાં અનુરંજન થાય તે નિમિત્તોની સત્તાને કેવા ઉપાયોથી ક્ષીણ કરવી ? – આવી વિચારણા પ્રત્યેક મુમુક્ષુ આત્માને ઊપજે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૧ કર્મનો અનાદિ સંયોગ આત્મા અને કર્મનો સંયોગ કાળની “આદિમાં થયો હતો. કાળની આદિ કદી સંભવે ? સમય, આવલિ, ઘડી, દિવસ, માસ, વર્ષ, પલ્યોપમ, પરાવર્તન – એ સર્વ કાળની ઉપચારપૂર્વક કરેલી વ્યવહારઘટના છે, અને મનુષ્યોએ પોતાની સગવડ માટે જ કરેલી કલ્પનાઓ છે. કાળના તે સ્વાભાવિક - નિશ્ચયે ભેદ નથી, અને તેથી તે સર્વને શાસ્ત્રકારે વ્યવહાર-કાળ કહેલ છે. નિશ્ચયસ્વરૂપે કાળનું ઝરણ અનાદિ અનંત છે. તે ઝરણની ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. આથી આત્મા અને કર્મનો સંબંધ કાળની આદિમાં થયેલો – કાળના ઝરણની ઉત્પત્તિનો સદભાવીજ કહીએ તો તેનો અર્થ એ જ છે કે તે સંયોગ અનાદિ છે. કોઈપણ કાળે કર્મ અને આત્મા ન્યારાં હતાં જ નહીં. કાળની આદિથી – અનંતકાળ પહેલાંથી [અનાદિકાળથી] તે બંને એક બંધનરૂપ છે. સમયે સમયે તે કર્મવર્ગણાનું છૂટું થવું અને નવું મળવું થયા જ કરે છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિ છે. “સંયોગ' એ શબ્દ આ સ્થળે વ્યવહારના વ્યતિકરોની માફક આદિને સૂચવનાર નથી. વ્યવહારમાં સામાન્ય રીતે “સંયોગ' શબ્દ પૂર્વયોગને લક્ષીને વપરાય છે – એટલે જ્યારે પ્રથમ બે વસ્તુઓ જુદી હોય અને પાછળથી ભેગી થાય ત્યારે તે સંયોગ પામી એમ વ્યવહારમાં કહેવામાં આવતું જોવામાં આવે છે, પરંતુ કર્મ અને આત્માના સંયોગમાં તેમ નથી. અહીં “સંયોગ' શબ્દ વાપરવામાં આત્મા અને કર્મ એ બંને નિશ્ચયે ભિન્ન છે એ બતાવવાનો આશય છે. બંનેનું ભિન્ન સ્વરૂપ : આત્મા જ્ઞાતા – દ્રષ્ટા છે, ઇંદ્રિયાતીત, અમૂર્તિક, અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે, જયારે તેથી ઊલટું કદ્રવ્ય પૌગલિક, મૂર્ત-જડ પિંડ છે. તે બંને દ્રવ્યો અત્યંત ભિન્નભિન્ન સ્વભાવી છે - બંને એક પ્રદેશાવગાહી છતાં સ્વરૂપ-સ્વભાવે નિરાળા જ છે. આત્માનો એકપણ પ્રદેશ કર્મરૂપ, અને કર્મનું એક પણ પરમાણુ આત્મરૂપ થતું નથી. સોનું અને રૂપું એ બંને ધાતુઓ ભિન્ન છે. તે બંનેને એક પાત્રમાં ઓગાળી ઢાળ પાડ્યા છતાં સોનું એ પોતાના પીળાપણાના ગુણસહિત, રૂપું કે જેનો ગુણ શ્વેતત્વ છે તેથી ભિન્ન જ છે અને તેજાબના પ્રયોગથી બંનેને જુદા પાડી શકાય છે, તેવી જ રીતે આત્મા અને કર્મનો અત્યારે એક ઢાળ પડી રહ્યો છે. છતાં સ્વભાવે બંને દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ છે. સર્વશની દષ્ટિએ તે ભિન્ન પ્રત્યક્ષપણે દેખાયા હોવાથી જ તેમનો સંયોગ વર્ણવ્યો છે. – એટલેકે સંયોગ શબ્દ એ અપેક્ષાને જ અત્ર સૂચવે છે. જીવ અનાદિ છે તેમ કર્મ પણ પ્રવાહરૂપે અનાદિ છે. જીવ અને કર્મના સંબંધની યોગ્યતા તે સહજ પણ છે. જીવ અનાદિ છતાં પણ કર્મસંબંધયોગ્યતા વગર હોઈ શકતો જ નથી. જો જીવમાં કર્મસંબંધની યોગ્યતા ન હોય તો, તેને જ્ઞાનાચરણાદિ વ્યવહારનો જ અસંભવ થાય, બીજા અનેક દોષ નામે અતિપ્રસંગ, અતિવ્યાપ્તિ આવે, અને તેમ હોય તો અનાદિમાનું એવા મુક્ત તે યોગ્યતારહિત સતે પણ પુનઃ બંધમાં પડશે, કારણકે બંધ, યોગ્યતાની અપેક્ષા વિના સ્વતઃ જ પ્રવર્તશે. જ્યારે યોગ્યતા ન માનીએ તો જે કારણથી અમુક્તને બંધનો સદ્ભાવ યોગ્યતા વિના પણ માન્યો, તે Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કારણથી મુક્તને પણ તે અમુક્તજનોની પેઠે જ બંધ માનવામાં શો બાધ છે ? આથી જોકે આત્મા અનાદિ છે તોપણ તેનામાં કર્મસંબંધયોગ્યતા પણ અવશ્ય અનાદિથી સ્વભાવસિદ્ધ માનવી જોઈએ. એમ બંધ પણ પ્રવાહરૂપે અનાદિ થયો. આ પર વિશેષ સમર્થન કરતાં કહેવાનું કે અન્ય મુક્તિમાર્ગાવલંબી મતવાળા નામે સાંખ્યયોગાદિના પ્રણેતા પુરુષ અને પ્રકૃતિના યોગથી સંસારનો સંભવ માને છે. તેમના મતમાં પણ પુરુષને જે ‘દિદક્ષા’ નામ જોવાની ઇચ્છા અર્થાત્ પ્રકૃતિમાં વિલાસ અનુભવવાની ઇચ્છા તે જ ‘ભવબીજ’ – સંસારનું કારણ છે, અને તે જૈને કહેલી કર્મસંબંધયોગ્યતા જ છે. આમ અન્ય મતોમાં પણ તેનો સ્વીકાર છે - અર્થાત્ એને સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. ૧૧૨ નિમિત્તનૈમિત્તિક સંબંધ કર્મ અને આત્માનો સંબંધ નિમિત્તનૈમિત્તિક છે. જે કાળે કર્મરૂપી નિમિત્ત ઉદયમાન થાય તે કાળે આત્મા સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે એટલે વિભાવ પરિણામને ભજે છે. આમ થવામાં કર્મનો આત્મા ૫૨ બળાત્કાર થાય છે એમ સમજવાનું નથી. કર્મ તો માત્ર વિભાવનું નિમિત્ત પૂરું પાડે છે, અને આત્મા તે નિમિત્તની સત્તાથી પરાભવ પામી વિભાવમાં પરિણમે છે તે પોતાની નિર્બળતા છે. જેવી રીતે સૂર્યના ઉદયકાળે ચક્રવાક અને ચક્રવાકી પક્ષીઓ મૈથુનભાવમાં યોજાય છે, અને તેમ થવામાં સૂર્યનો ઉદય માત્ર નિમિત્તક છે, તેવી જ રીતે આત્માનું પરભાવમાં અનુરંજિત થવામાં ઉદયમાન કર્મે ફક્ત નિમિત્ત જ છે. મોહનીય કર્મના ઉદયકાળે તે મોહનીય કર્મ કષાયનું નિમિત્ત રજૂ કરે છે, પણ તેમાં બળાત્કારે કોઈપણ કષાયમાં આત્માને યોજવાની સત્તા નથી. જેવી રીતે નાટ્યગૃહો, હોટેલ, મીઠાઈની દુકાનો વગેરે રસ્તે ચાલ્યા જનારને નાટક જોવાનું, ચા-કૉફી પીવાનું, અને મિષ્ટ આહાર લેવાનું માત્ર નિમિત્ત જ પૂરું પાડે છે, પરંતુ બળાત્કારથી તે નિમિત્તો તત્પ્રાયોગ્ય કાર્યમાં તેને યોજતા નથી, તેવી જ રીતે ઉદયમાન કર્મ પણ તેવાં નિમિત્ત પૂરાં પાડે છે, પણ બળાત્કારે એક્કે કાર્ય કે ભાવમાં યોજતાં નથી. કર્મનો ભોગ અને બંધ જૂનાં કર્મ ભોગ દ્વારા નીરસ થઈ ખરી પડે છે અને નવાં કર્મ રાગાદિક ભાવ વડે કર્મરૂપે પરિણમે છે. જે રાગાદિક ભાવ વડે આત્મા નવીન કર્મવર્ગણાને આકર્ષે છે તે પરિણામવિશેષ એ ભાવકર્મ છે, અને તે વડે ખેંચાયેલ કાર્યણવર્ગણા એ દ્રવ્યકર્મ છે. કૃત્યકર્મ અને ભાવકર્મ એકબીજાનાં કારણભૂત છે, અર્થાત્ રાગાદિક કષાયની ઉત્પત્તિમાં (ભાવકર્મની ઉત્પત્તિમાં) પૂર્વે ઉપાર્જેલું દ્રવ્યકર્મ નિમિત્તભૂત છે. તે દ્રવ્યકર્મ જ્યારે ફલ આપવાને ઉદયમાન થાય છે ત્યારે આત્મા રાગાદિકમાં પ્રવર્તે છે. તે પ્રવર્તનમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે. વળી તે રાગાદિકમાં પરિણમનથી ફરી દ્રવ્યકર્મ બંધાય છે. રાગાદિકમાં પરિણમન એ પુનઃ ભાવકર્મ છે, અને તે વડે નવીન કર્મને આત્મા આકર્ષે છે. આ પ્રમાણે દ્રવ્યકર્મના ઉદયકાળે ભાવકર્મમાં પરિણમન અને તે પણિમનથી નવીન દ્રવ્યકર્મનું ઉપાર્જન, પુનઃ તે દ્રવ્યકર્મનું ઉદયપણું, અને તે નિમિત્તે વિભાવમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૩ પરિણમન એમ કારણ-કાર્યની સાંકળ લંબાયા જ કરે છે. રાગાદિકની ઉત્પત્તિ એ પૂર્વે ઉપાર્જેલાં દ્રવ્યકર્મનાં નિમિત્તથી જ થાય છે. જો નિમિત્ત વિના તે ઉત્પન્ન થાય તો તે રાગાદિકને આત્માનો સ્વભાવ માનવો પડે અને તેથી મુક્ત આત્માઓમાં પણ રાગાદિક સંભવે. જે કાંઈ નિમિત્ત વિના હોય તેનું નામ સ્વભાવ' છે. મુક્ત આત્માઓ છે તેણે નિમિત્તનો આત્યંતિક – તદ્દન નાશ કરેલ છે તેથી તેમને પરભાવમાં પરિણમવું પડતું નથી. આથી તેઓ કાળના અંત સુધી મુક્ત છે. જે વીર્યવાનું આત્માઓ નિમિત્તની સત્તાને વશ નથી તેઓ અલ્પકાળમાં પરમ પુરુષાર્થની સિદ્ધિ કરી શકે છે. જોકે ઉદયમાન કર્મ તો તેમને અને બાળજીવોને બંનેને એકસરખું ભોગવવું પડે છે તોપણ તે બંનેની ભોગવવાની ક્રિયામાં ફેર છે. બળવાનું આત્માઓ માત્ર થોડા કાળમાં ફલાભિમુખ થયેલ કર્મને નિઃસત્ત્વ કરી ફેંકી દે છે. આઠે કર્મમાં મોહનીય કર્મ એ અન્ય કર્મોનું જનક અને પોષણ છે – તેના વડે જ અન્ય સર્વ કર્મોને પોષણ મળે છે. આથી જ્ઞાની પુરુષો તે મોહનીય કર્મના ઉદયકાળે બહુ સાવધ રહી તેનાથી પ્રજ્ઞ થયેલા નિમિત્તમાં અલ્પ પણ રંજનપણું ન પામતાં થોડા કાળમાં તેને ભોગવી લે છે અને ભાવકર્મ ઘડતા નથી. આથી બીજાં ત્રણ ઘાતકર્મને નવું પોષણ મળતું નથી, અને તેથી તે ત્રણે કર્મ પોતાની સ્થિતિ પ્રમાણે ઉદયમાન રહી વિખરાઈ જાય છે. છેવટે તે જ્ઞાની પુરુષ પરમસિદ્ધિને વરે છે. મોહનીયના ઉદય કાળે આત્મા જો ત~ાયોગ્ય કષાયભાવમાં ન યોજાતાં, તેનાથી પ્રગટ થતાં નિમિત્તમાં આત્મબંધ પરિણામે ન પરિણમતાં, તટસ્થ રહી જ્ઞાતા-દ્રષ્ટાપણે સમભાવે તેને ભોગવી - વેદી લે તો તે આત્મભાવના તારતમ્ય (જૂનાધિકા) અનુસાર ઓછા વધુ કાળમાં તે કર્મનો નાશ કરે છે, અને ફરીથી કાર્યકારણની સાંકળ લંબાતી નથી. આ પ્રમાણે કમ અને આત્માનો સંબંધ માત્ર નિમિત્ત-નૈમિત્તિક છે. બળવાનું આત્માઓ આત્મવિજયથી (Self-mastery) ખેદ વગર કર્મને સ્વીકારી નવાં કર્મ ન બંધાય તે રીતે તે ઉદયમુખ થયેલ કર્મને અલ્પકાળમાં ભોગવી લે છે. કર્મસ્વરૂપ : આઠ કર્મો જીવના અનેક ગુણો છે તેમાંથી કેટલાક થોડા ગુણ એવા છે કે જેનો કર્મ સાથે સંબંધ છે; અને તેમાં પણ કેવલ પાંચ ગુણ પ્રધાન છે : (૧) ચેતના, (૨) વીર્ય, (૩) સુખ, (૪) સમ્યક્ત્વ અને (૫) ચારિત્ર. (૧) આત્માની જે શક્તિથી પદાર્થોનો પ્રતિભાસ થાય છે તેને “ચેતના” કહેવામાં આવે છે. તે ચેતનાના વિષયના ભેદથી બે પ્રકાર છે : ૧. જે સમયે ચેતનામાં પદાર્થસામાન્યનો પ્રતિભાસ થાય છે તે સમયે તે ચેતનાને ‘દર્શનકહેવામાં આવે છે, અને ૨. જે સમયે તે ચેતનામાં પદાર્થવિશેષનો પ્રતિભાસ થાય છે તે સમયે તે ચેતનાને “જ્ઞાન” કહેવામાં આવે છે. દર્શનચેતના અને જ્ઞાનચેતના એ બેને “દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ” પણ કહેવામાં આવે છે. દર્શન નિર્વિકલ્પક છે અને જ્ઞાન સવિકલ્પક છે (૨) બળને “વીર્ય ગુણ કહેવામાં આવે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (૩) આકુલતાની નિવૃત્તિપૂર્વક આહ્લાદાત્મક આત્માનો ગુણવિશેષ તે ‘સુખ’છે. (૪) સત્ય પદાર્થોમાં વિશ્વાસને - શ્રદ્ધાને સમ્યક્ત્વ’ ગુણ કહે છે. (૫) હિંસા, જૂઠું બોલવું, ચોરી, મૈથુન અને ધનકુટુંબાદિકમાં મમત્વરૂપ બાહ્યક્રિયા (પરિગ્રહ), તથા યોગ (પંચ સ્કંધોને ગ્રહણ કરવાની શક્તિ. જીવને પુદ્ગલ સાથે જોડનારી શક્તિ-યુજ્=જોડવું એ ધાતુ પરથી), અને કષાય (કપ્ સંસાર અને આય - લાભ, જેથી સંસારપ્રાપ્તિ થાય એવા ક્રોધ, માન, માયા, અને લોભ) રૂપ અત્યંતર ક્રિયાની નિવૃત્તિથી પ્રાદુર્ભૂત આત્માનો ગુણવિશેષ તે ‘ચારિત્ર’ છે. = : આ ગુણો સાથે કર્મનો સંબંધ જોઈએ ઃ ગુણને કેટલાંક કર્મો ઘાતક હોય છે અને કેટલાંક ઘાતક હોતાં નથી, અને તે પ્રમાણે ઘાતી અને અઘાતી એવા કર્મના બે ભેદ પાડવામાં આવ્યા છે. જે આત્માના ગુણના ઘાતક હોય તે ‘ઘાતી' કર્મ કહેવાય છે, અને જે કર્મ જીવના ગુણોનો ઘાત ન કરે, પણ શરીર આદિ તથા ઇષ્ટઅનિષ્ટ પદાર્થોનો સંયોગવિયોગ આદિ જીવને પ્રાપ્ત કરાવે છે તેને ‘અઘાતી’ કર્મ કહેવામાં આવે છે. ઘાતી કર્મ ચાર પ્રકારનાં છે ઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. - જ્ઞાનને (મતિ આદિ પાંચ જ્ઞાનને) આવરે, તેનું આચ્છાદન કરે, તેનો ઘાત કરે તે ‘જ્ઞાનાવરણ’, ચક્ષુ આદિ સામાન્ય બોધને – દર્શનને જે આવરે – તેનું આચ્છાદન કરે, તેનો ઘાત કરે તે ‘દર્શનાવરણ’. આમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી આત્માની જ્ઞાન-ચેતના અને દર્શનચેતના અપ્રગટ રહે છે, અને તે કર્મનો જે અંશમાં ક્ષયોપશમ હોય તે અનુસાર કિંચિત્ જ્ઞાન અને દર્શન શક્તિની વ્યક્તતા થાય છે. આત્માની હાલની શક્તિ એ કર્મના અભાવથી નહિ પણ ક્ષયોપશમથી જ પ્રગટ થયેલી છે. સાંસારિક વૈભવ-સુખ-દુઃખ આદિ કર્મના આગમજન્ય છે, પરંતુ જ્ઞાન-શક્તિ કર્મના ક્ષયોપશમજન્ય છે. એ વાત બુદ્ધિમાને ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. જે અંતર=વચમાં આવવું અર્થાત્ લાભાદિના વચમાં આવે – વિઘ્નભૂત થાય એટલે લાભાદિ જીવને પ્રાપ્ત થતાં અટકાવે, મતલબ કે જે આત્માના વીર્યગુણનો ઘાત કરે એટલે જેથી આત્માનું અનંત વીર્ય પ્રકટ થઈ શકતું નથી, અને સ્વભાવથી રમણરૂપ ચારિત્રનો લાભ બનતો નથી તેને ‘અંતરાય' કહે છે; મોહથી જે જીવને વિચિત્રતા પ્રાપ્ત કરાવે તે મોહનીય’. તેના બે ભેદ છે. ૧. દર્શનમોહનીય ૨. ચારિત્રમોહનીય. સમ્યક્ત્વ અર્થાત્ સમ્યગ્દર્શન ગુણનું જે કર્મ ઘાતક થાય તેને ‘દર્શનમોહનીય' = ‘મિથ્યાબોધ' કહેવામાં આવે છે, અને જે કર્મ ચારિત્રગુણનો ઘાત કરે તે ‘ચારિત્રમોહનીય’-(રાગાદિ પરિણામરૂપ) છે. મતલબ કે મોહનીય કર્મના નિમિત્ત વડે કામ-ક્રોધ-લોભ-મોહ આદિ વિભાવ પરિણામમાં આત્મા અનુરંજન પામી પોતાના સ્વભાવથી વ્યુત થાય છે. આ ચાર ઘાતી.કર્મની વિશેષ શક્તિ કહેવામાં આવી. સામાન્ય શક્તિ એ છે કે સમસ્ત ઘાતી કર્મ પોતાની સામાન્ય શક્તિથી જીવનો ‘સુખ’ ગુણ ઘાતે છે. હવે અઘાતીકર્મ પર આવીએ. તે ચાર છે ઃ વેદનીય, ગોત્ર, આયુ અને નામકર્મ. ઇષ્ટ તથા અનિષ્ટ ઈંદ્રિય વિષયોનું જે અનુભવ કરાવે તે ‘સાતા’ (સુખરૂપ) અને ‘અસાતા’ (દુઃખરૂપ) – એ બે ભેદરૂપ વેદનીય કર્મ' છે, તેથી જીવને આકુળતા થાય. (વેદનીયમાં વેદવું = અનુભવવું, ભોગવવું એ ધાતુ છે.), જેના ઉદયથી – જે કર્મના Page #136 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૫ ફલથી જીવ ઉચ્ચ તથા નીચ ગોત્રમાં – કુલમાં જન્મ લે છે તે ગોત્ર કર્મ છે. જીવોનું અવસ્થાન નરક, પશુ, મનુષ્ય કે દેવના શરીરમાં જે કર્મ કરાવે - જીવને રોકી રાખે - જેના ઉદયથી જીવ તે ગતિમાં જીવે છે તે “આયુ' કર્મ છે, અને શુભ અશુભ શરીરાદિક સામગ્રી જે કર્મના ફલથી પમાય તેને તથા જે કર્મ જીવને ગતિ વગેરે અનેક પ્રકારનાં રૂપ પરિણમાવે તે “નામ” કર્મ છે. જીવોનાં શરીર બે પ્રકારનાં છે : સ્કૂલ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ શરીર વળી બે પ્રકારનું છે : તેજસ અને કાર્મણ. સ્થૂલ શરીરને કાંતિ આપનાર શરીરને તૈજસ' શરીર કહે છે, અને આઠ કર્મોના સમૂહને “કામ” શરીર કહે છે. સ્કૂલ શરીર ત્રણ પ્રકારનાં છે ? ઔદારિક - મનુષ્ય તિર્યંચનાં સ્થૂલ શરીર તે, વૈક્રિયક (વિક્રિયાથી ઉત્પન્ન થયેલ) – જે નાના, મોટા, એક અનેકે વગેરે જુદાજુદા પ્રકારની ક્રિયાઓને કરે એવા દેવ અને નારક જીવનું શરીર તે, આહારક શરીર છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા ઉત્પન્ન થવાથી કેવલી અથવા શ્રુતકેવલીની સમીપ તેનો ખુલાસો લેવા જવા માટે મસ્તકમાંથી ને એક હાથના પૂતળા જેવું શરીર તે કરીને જાય છે તે. આમ કુલ પાંચ શરીર થયાં. તેમાંથી સામાન્યપણે મનુષ્ય અને તિર્યંચ (પશુ આદિ)ને ત્રણ શરીર હોય છે : ઔદારિક, તેજસ અને કાર્મણ. આ શરીરોમાં આહાર વર્ગણાથી સ્થૂલ શરીર, તેજસ વર્ગણાથી તૈજસ શરીર, અને કાર્મણ વર્ગણાથી કામણ શરીર થાય છે. અને મનોવર્ગણાથી મન, અને ભાષાવર્ગણાથી વચન બને છે. (વર્ગણા એટલે પ્રત્યેક કર્મપરમાણુને ‘વર્ગ' કહેવામાં આવે છે, તે વર્ગનો સમૂહ તે વર્ગણા.) આ પ્રમાણે મન, વચન, અને સમસ્ત શરીર નામકર્મના ફલથી પ્રાપ્ત થાય છે.' આ રીતે વેદનીય, ગોત્ર, આયુ અને નામ એ ચાર ભેદ અઘાતી કર્મના છે. વેદનીય તે આત્માના અવ્યાબાધ ગુણને અટકાવે, ગોત્ર જીવના અગુરુલઘુત્વ ગુણને ૧. વેદાંતમાં ત્રણ શરીર કહેલ છે. સ્કૂલ, સૂક્ષ્મ (અથવા લિંગ), અને કારણ. અને પાંચ પ્રકારના કોશ માનેલ છે : અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. અન્નમય કોશ (સરખાવો ઔદારિક શરીરને આહાર વર્ગણા) તે સ્કૂલ શરીર છે, સૂક્ષ્મ કે લિંગ શરીરમાં પ્રાણમય, મનોમય, અને વિજ્ઞાનમય કોશનો સમાવેશ થાય છે – આમાં પ્રાણમય કોશ તે રજોગુણથી ઉત્પન્ન થયેલ કર્મેન્દ્રિયો તથા પ્રાણો સહિત છે. આનંદમય કોશ તે કારણ શરીરમાં છે. સૂક્ષ્મ શરીર તે વેદાંત પ્રમાણે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ એ ૧૭ તત્ત્વ વડે બનેલું છે. આ પાંચે કોશનો દ્રષ્ટા તેમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય છે. આમાં પ્રાણમય કોશ ઉપર અન્નમય કોશની ઇમારત છે એટલે કે અન્નમય કોશને પ્રાણમય કોશનો આધાર છે. પ્રાણમય કોશના ભાસની અંદર જ મનોમય કોશનો ભાસ છે. સ્વપ્ન પણ પ્રાણમય કોશથી આવે છે. પ્રાણમય કોશરૂ૫ દર્પણમાં મનોમય કોશરૂપ પ્રતિબિંબ વડે હું નિરાકાર સ્થાનરૂપ છું એવો અનુભવ આવે છે. અનુભવ એ વૃત્તિ કે કલ્પના છે. તે વૃત્તિ કે કલ્પના એ જ વિજ્ઞાનમય કોશ છે. ચારે કોશથી હું જુદો છું એમ આનંદથી અનુભવી બોલવા લાગવાથી અતિ આનંદ થાય છે તે આનંદમય કોશ છે. આનંદમય કોશને માણવાવાળો તેથી જુદો શુદ્ધાત્મા છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બાધક છે, આયુકર્મ આત્માના અવગાહગુણને અટકાવે અને નામકર્મ આત્માના સૂક્ષ્મત્વ ગુણને અટકાવે છે : આ આઠે કર્મો જવાથી મુક્તજીવના – સિદ્ધના આઠ ગુણો પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણ કર્મનો નાશ થવાથી કેવલજ્ઞાન – અનંતજ્ઞાન (અવાંતર સત્તાવિશિષ્ટ વિવક્ષિત પદાર્થને વિષય કરવાવાળી ચેતના. લોક, અલોકના સ્વરૂપનું સમસ્ત પ્રકારે જ્ઞાન) થાય છે, દર્શનાવરણના જવાથી કેવલદર્શન-અનંતદર્શન (મહાસત્તા વિશિષ્ટ પ્રતિભાસ – લોક અલોકનું નિર્વિકલ્પકજ્ઞાન - સામાન્યાકારે જ્ઞાન એટલે દર્શન) થાય છે, અંતરાયના નાશથી અનંતવીર્ય-બલ આવે છે, અનંતવીર્યથી અનંતદાન-લાભભોગ-ઉપભોગ-વીર્યમય થવાય છે. મોહનીય જતાં અનંતચારિત્ર, ક્ષાયિક સમ્યત્વ – વીતરાગતા પ્રાપ્ત થાય છે. નામકર્મના નાશથી સૂક્ષ્મત્વ - અરૂપીપણું પ્રાપ્ત થાય છે. (નામકર્મ હોય ત્યાં શરીર હોય, શરીર હોય ત્યાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય – તેથી નામકર્મનો ક્ષય થવાથી અરૂપી ગુણ પ્રગટ થાય છે.) ગોત્ર કર્મનો ક્ષય થતાં અગુરુલઘુત્વ = ભારીપણું નહિ તેમ હલકાપણું નહિ. – ઊંચનીચપણું રહેતું નથી. વેદનીય જતાં અવ્યાબાધ સુખ – નિર્વેદનીય – નિરુપાધિક અનંત સુખ પ્રાપ્ત થાય છે – આ આનંદમાં સુખદુઃખરૂપ વિકલ્પ હોતો જ નથી, અને આયુષ્યકમેનો નાશ થતાં અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય છે. કર્મ એ પૌદ્ગલિક છે અને તે પુદ્ગલ જ્યારે જીવ સાથે બંધાય છે, ત્યારે પુદ્ગલનું નામ 'કર્મ પડે છે, તે સંયોગને બંધ કહે છે. બંધનું સ્વરૂપ બંધતત્ત્વ'માં જણાવેલ છે. આ કર્મથી આત્મા સુખદુઃખ અનુભવે છે. અને તેનાથી સંસાર થાય છે. ઘાતી ચાર કર્મના નિમિત્તની સત્તા ઉપર આત્મા વિજયી થાય તો અનંત જ્ઞાનાદિ પોતાની સ્વસત્તાનો તેને લાભ થાય. આ કાળે તે સત્તા માત્ર શક્તિપણે જ છે, તે અવ્યક્ત શક્તિ (latent powers)ને વ્યક્ત (patent) કરવાની ક્રિયા તે જ મોક્ષમાર્ગ છે અને તે માર્ગ જે આત્માઓને તેની પ્રાપ્તિ થયેલી છે તે જ બતાવી શકે છે. બાકીના માર્ગ એ તર્ક અને અટકળ માત્ર છે. જેમણે પ્રત્યક્ષ સ્વરૂપ વેડ્યું છે તે જ અન્ય ભવ્યાત્માઓને તે માર્ગમાં વાળી શકે છે. ૧. જૈનો તથા વેદાન્તીઓ બંને આત્માને પુરષ કહે છે, સાંખ્યો ક્ષેત્રવિ-ક્ષેત્રજ્ઞ કહે છે સિાંખ્યો પણ પુરુષ કહે છે. અને બૌદ્ધો જ્ઞાન - વિજ્ઞાન સ્કંધ કહે છે, તેમજ આત્માથી અન્ય એવું જે કાંઈ માનીને સંસારાદિ વ્યવહારનો નિર્વાહ થાય છે તેને બૌદ્ધ અને વેદાંતીઓ અવિદ્યા' કહે છે, સાંખ્યો પ્રકૃતિ કહે છે અને જૈનો કર્મ કહે છે. પરંતુ એ બધા નામમાત્રના ભેદ છે, એમાં તાત્ત્વિક ભેદ નથી. વળી આત્મા અને તદન્ય એવું જે કોઈ (કર્મ) તેના સંયોગથી વ્યવહાર (સંસાર) ઊપજે છે, તો તે સંયોગને પણ જુદાં જુદાં નામ આપવામાં આવે છે : બૌદ્ધ તથા વેદાંતીઓ તેને ભ્રાંતિ કહે છે, સાંખ્યો પ્રવૃત્તિ કહે છે અને જૈનો બંધ કહે છે. તેમજ જેના અનુગ્રહથી – પ્રસાદથી બંધમુક્તિ થાય છે તેને જૈનો શાસ્તા કહે છે, બૌદ્ધો વેદ્ય કહે છે અને શૈવ ભાગવત આદિ અવિકારી કહે છે. આ બધા નામભેદ છે અને તે નામભેદ બાધક નથી, કારણકે એકમાંથી અનેક ભેદનો સંભવ છે, પરંતુ પરિણામી એવો આત્મા સ્વયોગ્યતાથી કર્મનો સંયોગ કે તેનો વિયોગ અનુભવે છે એવું સર્વ દર્શને સ્વીકારેલું છે. - યોગબિંદુ, શ્લો.૧૭-૧૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૭ અઘાતી ચાર કર્મો આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ કરનાર નથી. તે ચાર કર્મના આગમ કે ક્ષયને આત્માના વાસ્તવસ્વરૂપના પ્રાકટ્ય સાથે કશો સંબંધ નથી. તે ચાર કર્મને તો માત્ર બાહ્ય સામગ્રીઓ સાથે જ સંબંધ છે – તેઓના ઉદયથી બાહ્ય સામગ્રીઓનું મળવું થાય છે અને અનુદયે તે સામગ્રી ઉદ્ભવતી નથી. ઘાતી કર્મ આત્માના સ્વભાવને પ્રકટ થવા દેતાં નથી અને આત્માના ઊર્ધ્વગામી પથમાં વિદન નાંખે છે, ત્યારે અઘાતી વર્ગણાની તેવી કશી સત્તા નથી. અઘાતી કર્મમાંનું વેદનીય ઉદય આવે છે ત્યારે આત્માને નાના પ્રકારનાં સુખ-દુ:ખાદિનું ભાન કરાવનાર સામગ્રીનો યોગ થાય છે. આ યોગ કરાવી તે વેદનીય કર્મની સત્તા ત્યાંથી જ અટકે છે. તે સામગ્રીમાં સુખ-દુઃખનું ભાન કરાવવું તે મોહનીય કર્મનું કર્તવ્ય છે. વેદનીય તો માત્ર સામગ્રી આપીને ખસી જાય છે. સુખદુઃખાદિ વડે અનુરજિતપણાનું તારતમ્ય તો મોહનીય કર્મને વશ છે. જો મોહનીય કર્મ સહકારી ન હોય તો વેદનીય કર્મ એકલું છેક સામર્થ્યહીન છે કેમકે તેનામાં સામગ્રી આપવા ઉપરાંત કશો અન્ય ગુણ નથી. નામકર્મથી ગતિ, જાતિ, શરીર આદિ બાહ્ય સામગ્રી નીપજે છે. ગોત્રકર્મ એ નીચ ઉચ્ચ કુળની પ્રાપ્તિમાં નિમિત્તભૂત છે, અને આયુકર્મથી પ્રાપ્ત દેહ સાથેનો સંબંધ અમુક કાળ સુધી ટકી રહે છે. આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ કર્મની મૂળ આઠ પ્રકૃતિ – ભેદ ઉપર જણાવ્યા છે. તેની ઉત્તર-પ્રકૃતિ અર્થાત્ તે આઠ કર્મના બીજા અનેક ભેદો છે તેનું સંક્ષિપ્તમાં કંઈક ખ્યાન કરશું. ૧. જ્ઞાનાવરણીય કર્મની ૫ પ્રકૃતિ (સ્વભાવ) : જ્ઞાનના પ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (આભિનિબોધિક) - બુદ્ધિ અને ઈદ્રિયોની અપેક્ષાથી મળતું જ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન – કહેલા કથનનું ગ્રહણરૂપ જ્ઞાન. (૩) અવધિજ્ઞાન – ઈદ્રિયોની અપેક્ષા વિના આત્માને રૂપી વિષયોનું સાક્ષાત્ અર્થગ્રહણ કરનારું જ્ઞાન. (૪) મન:પર્યવજ્ઞાન – મનમાં ચિંતિત અર્થને સાક્ષાતુ ગ્રહણ કરનારું જ્ઞાન. (૫) કેવલજ્ઞાન - સર્વજ્ઞતા એટલે લોકાલોકના સકલ પદાર્થ સ્વરૂપનું ભાન કરનારું જ્ઞાન. આ પાંચે જ્ઞાનનાં જે આવરણ તે જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ નામે (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય. ૨. દર્શનાવરણીય કર્મની ૯ પ્રકૃતિ : સામાન્ય બોધ એટલે દર્શન કે તેને આવરણ કરનાર તે દર્શનાવરણીય. તેના નવ ભેદ નામે (૧) ચક્ષુદર્શનાવરણીય ૨) અચક્ષુ દર્શનાવરણીય (૩) અવધિ દર્શનાવરણીય (૪) કેવલ દર્શનાવરણીય અને (પ-૮) પાંચ જાતની નિદ્રા નામે (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા () પ્રચલા (૮) પ્રચલાપ્રચલા (૯) ત્યાનદ્ધિ. તે દર્શનલબ્ધિનાં આવરક છે. ચક્ષુથી સામાન્યગ્રાહી બોધ તે ચક્ષુદર્શન ચક્ષુ વિનાની બીજી ચાર ઈદ્રિય તથા મનથી પોતપોતાના વિષયનું જે સામાન્યપણે ગ્રહણ થાય છે તે અચક્ષુદર્શન, સામાન્યપણે રૂપી દ્રવ્યનું મયદાપૂર્વક ગ્રહણ તે અવધિદર્શન, અને સમસ્ત વસ્તુનું સામાન્યપણે ઉત્તમ ક્ષાયિક ભાવે દેખવું થાય તે કેવલદર્શન. (૧-૪) આ ચારે દર્શન જેના ઉદયથી આવરિત – આચ્છાદિત થાય તે અનુક્રમે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવલ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દર્શનાવરણીય. નિદ્રા ચૈતન્યને સર્વપ્રકારે અતિકુત્સિત કરે, સામાન્ય ગ્રહણરૂપ દર્શન ઉપયોગમાં વિદન કરે તે. નિદ્રા પાંચ પ્રકારની છે. અને કર્મપ્રકૃતિનાં નામ પણ તે જ છે. (૧) નિદ્રા – જેમાં ચપટી બજાવતાં નિદ્રા લેનાર જાગી ઊઠે એવી સુખપ્રતિબોધ તે. (૨) નિદ્રાનિદ્રા – જેમાં બહુ જ હલાવવાથી, કપડાં ખેંચવાથી નિદ્રા લેનાર જાગે - જેથી અતિશય નિદ્રા આવે તે, (૩) પ્રચલા – બેઠાંબેઠાં તથા ઊભાં ઊભાં જીવને જે નિદ્રા આવે તે. (૪) પ્રચલા પ્રચલા – ચાલતાં ચાલતાં જીવને નિદ્રા આવે તે. (૫) ત્યાદ્ધિ – જેનાથી ઋદ્ધિ એટલે આત્મશક્તિ ત્યાના એટલે પિંડીભૂત થઈ છે તે. આ નિદ્રામાં જીવ કેટલાંક કાર્ય પણ કરે છે, પરંતુ કાર્યનું તેને ભાન રહેતું નથી. આ પાંચ નિદ્રા જે કર્મના ઉદયથી આવે તેને પણ તે જ નામ આપેલાં છે. ૩. મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ : તત્ત્વાર્થ શ્રદ્ધાનને જે વિપરીત કરે, આત્માને જે મોહમાં નાંખે – મૂંઝવે તે મોહનીય કર્મ છે. તેના મુખ્ય બે ભેદ છે. (૧) મિથ્યાત્વ મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. ૧-૩. (૧) મિથ્યાત્વ મોહનીયના ત્રણ પ્રકાર છે. સમ્યત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય. ૪-૨૮. (૨) ચારિત્ર મોહનીયના ૫ પ્રકાર છે. તેમાં ૧૬ કષાય મોહનીય પ્રકૃતિ છે અને ૯ નોકષાય છે. એ કષાયમોહનીય ૧૬ જાતના આ પ્રકારે છે : ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે, એટલે (કધુ સંસાર અને આય-લાભ) જેથી સંસારનો લાભ થાય છે તે. તે દરેક ચાર જાતનાં છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાતી, પ્રત્યાખ્યાતી અને સંજ્વલન એ રીતે ૧૬ ભેદ થયા. જે ક્રોધાદિ અનંત સંસારનાં મૂળ કારણ છે તથા જેનો અનંતભવાનુબંધી સ્વભાવ છે. જેનો સ્વભાવ પથ્થરની રેખા સમાન છે એટલે જેની સાથે ક્લેશ થાય તેની સાથે તે જ્યાં સુધી જીવે ત્યાં સુધી રોષ છોડે નહીં – તે અનંતાનુબંધી ક્રોધ. તેવી જ રીતે પથ્થરી થંભની પેઠે જે માન નમે નહિ, તથા જે માયા વાંસની જડ સમાન કદાપિ સરલ ન હોય, તથા જે લોભ કૃમિના રંગ સમાન કદાપિ દૂર ન થાય એવા જે ક્રોધ, માન, માયા અને લોભયુક્ત પરિણામ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ છે. જેના ઉદયથી થોડું પણ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) થતું નથી તે અપ્રત્યાખ્યાની; જેના ઉદયથી સર્વવિરતિપણું – સાધુવ્રતનું પ્રત્યાખ્યાન લેવાય નહીં તે પ્રત્યાખ્યાની, અને જેના ઉદયથી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય તે સંજવલન. ૯ નોકષાય – નો એટલે સહકારી. કષાયને જે સહકારી છે તે નોકષાય – ૧. સ્ત્રીવેદ – જેથી પુરષ ભોગવવાની પ્રબળ ઈચ્છા થાય ૨. પુરુષવેદ – જેથી સ્ત્રી ભોગવવાની ઈચ્છા થાય, ૩. નપુંસક વેદ – જેથી પુરુષ અને સ્ત્રી બંનેને ભોગવવાની ઈચ્છા થાય. ૪. હાસ્ય - જેથી હસવું આવે, ૫. રતિ – જેથી રમણીય વસ્તુઓમાં જીવ રમે – ખુશી થાય. ૬. અરતિ – જેનાથી રતિથી વિપરીતપણું થાય, ૭. શોક – જેથી પ્રિયવિયોગાદિથી વિકલ મન, ગ્લાનિ, કંદન, શોક થાય. ૮. જ્ય – જેથી બીક લાગે. ૯ જુગુપ્સા – દુર્ગછા – જેથી મલિનાદિ વસ્તુ દેખવાથી નાક ચઢે તે. ૪. અંતરાય કર્મની ૫ પ્રકૃતિ : (૧) જેના ઉદયથી આપવાની વસ્તુ પણ છે, ગુણવાન પાત્ર પણ છે, દાનનું ફલ પણ આપનાર જાણે છે, છતાં દાન કરી શકતો Page #140 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ ૧૧૯ નથી તે કર્મ – દાનમાં અંતરાય-વિદનરૂપ તે દાનાંતરાય (૨) જેના ઉદયથી દેવાયોગ્ય વસ્તુ પણ છે, દાતાર પણ બહુ જ પ્રસિદ્ધ છે, માગનાર પણ માગવામાં અત્યંત કુશલ છે છતાંયે માગનારને કાંઈપણ મળે નહિ તે લાભાંતરાય. (૩) જેના ઉદયથી એકવાર ભોગવવા યોગ્ય – ભોગ્ય વસ્તુ – આહારાદિ વિદ્યમાન છે પણ જીવથી ભોગવાય નહિ તે ભોગાંતરાય (૪) જેના ઉદયથી વારંવાર ભોગવવા યોગ્ય – ઉપભોગ્ય વસ્તુઓ જેવી કે શય્યા, વસ્ત્રાદિ વિદ્યમાન હોવા છતાં ભોગવાય નહીં તે ઉપભોગવંતરાય અને (૫) જેના ઉદયથી યુવાન રોગરહિત, પુષ્ટાંગ તથા બલવાન પોતે હોવા છતાં પણ પોતાની શક્તિનો ઉપયોગ ન થઈ શકે તે વીઆંતરાય. પ. નામકર્મની પ્રકૃતિઓ ઘણી છે. ઉત્કૃષ્ટ ૧૦૩ છે. તે સર્વ અહીં જણાવતાં વિશેષ વિસ્તાર થાય તેથી અત્ર ઉપયોગી જે છે તે જ જણાવીશું. જેના ઉદયથી નરકાદિ જાતિ, ઢીદ્રિયાદિ જાતિ, શરીર, અંગોપાંગ, સંહનન (શરીરનું બંધારણ), સંસ્થાન (શરીરના અંગોપાંગનું બંધારણ - આકૃતિવિશેષ), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ જે પ્રાપ્ત થાય એ નામથી જુદીજુદી પ્રકૃતિઓ છે. ૬. ગોત્રકર્મની ૨ પ્રકૃતિ : ૧. ઉચ્ચ ગોત્ર કે જેથી ઉચ્ચ ગોત્ર પમાય, અને ૨. નીચ ગોત્ર કે જેથી નીચ ગોત્ર પમાય છે. ૭. આયુષની ૪ પ્રકૃતિ : ૪ ગતિ પ્રમાણે : ૧. નરકાયુ, ૨. તિર્યંચાયુ, ૩. દેવાયુ અને ૪. મનુષ્ય આયુ. ૮. વેદનીયની ૨ પ્રકૃતિ ઃ ૧. સાતા વેદનીય સિાતવેદનીય અથવા સંઘ જેથી જીવ સુખ ભોગવે છે, ૨. અશાતા વેદનીય – અસાતવેદનીય અથવા અસહ્ય જેના ઉદયથી જીવ દુઃખ ભોગવે છે. આત્માને કર્મનું આવરણ જેમ સૂર્ય વાદળાંથી ઢંકાયેલો હોય છે તેમ આત્મા કર્મથી ઢંકાયેલો છે. આ દષ્ટાંત એકદેશીય છે, કારણકે સૂર્યનો માત્ર બાહ્ય પટ - સપાટી મેઘથી આચ્છાદિત હોય છે, પણ આત્માને તો પોતાના સર્વ પ્રદેશો કર્મવર્ગણાથી ગૂંથાયેલા છે. માત્ર નાભિ આગળના આઠ રૂચક પ્રદેશો જ નિલેપ છે. જો તેટલા પ્રદેશ નિરાવરણ ન હોત તો આત્માનું આત્મત્વ ટકી શકે નહીં. ગમે તેવી નિકૃષ્ટ દશા આત્માની હોય છતાં તેટલા પ્રદેશો ખુલ્લા રહે છે, અને તેટલા અનાવરિત પ્રદેશના બળથી પુનઃ ઊર્ધ્વ ગતિને તે પામે છે. સૂર્ય ઉપરથી જેટલે અંશે મેઘનું પટ ખસે છે, તેટલે અંશે તે વ્યક્ત થાય છે અને જેટલા અંશો આચ્છાદિત છે તેટલા અવ્યક્ત રહે છે. તેવી જ રીતે આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે તે કર્મપટના ખસી જવાથી પ્રકટ થયેલો સ્વાભાવિક અંશ છે, ઔપાધિક અંશ નહીં. નવાં કર્મને આકર્ષનાર અને તેને બંધરૂપે પરિણમાવનાર આ વ્યક્ત થયેલ આત્માનો સ્વાભાવિક અંશ નથી. જો એકાંતે – નિશ્ચયે તેમજ મનાય તો આત્મામાં કર્મને ખેંચવાના સ્વભાવનું આરોપણ થાય અને તેમ થાય તો અર્થાત્ કર્મને ગ્રહવાનો આત્માનો સ્વભાવ જ હોય તો આત્મા કર્મથી કદી મુક્ત થઈ શકવાનો નહીં. આથી (૧) આત્માનો જ્ઞાન-દર્શનનો વ્યક્ત થતો અને થયેલો એશ કર્મના બંધમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એકાંત હેતુરૂપ નથી, તેમજ (૨) આત્માનો અવ્યક્ત કર્માવિરત અંશ છે તે પણ કર્મને આકર્ષવા અશક્ત છે, કારણકે જેનું જ્ઞાન-દર્શન-વીર્ય કર્મના પ્રાબલ્યથી અભાવરૂપે છે તે અભાવસ્વરૂપ દ્રવ્ય અન્યના કારણભૂત કેમ સંભવી શકે ? (૩) વળી કર્મને ખેંચનાર કર્મ પણ નથી કારણકે કર્મ એ પૌદ્ગલિક દ્રવ્ય છે અને પુદ્ગલ વડે આકર્ષાયેલું કર્મ જો આત્માના સુખદુઃખાદિના હેતુરૂપ હોય એમ માનીએ તો અકૃતાગમનો દોષ આવે. ત્યારે હવે – કર્મને આકર્ષનાર કોણ ? ૧૨૦ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ જે ચાર ઘાતીકર્મ કહ્યાં તેના નિમિત્તથી ઉપસ્થિત થતા ભાવ વડે જીવ દ્રવ્યકર્મને આકર્ષે છે. મોહનીય કર્મના નિમિત્ત વડે થતાં મિથ્યાત્વ, કષાય ભાવ એ જીવના અસ્તિત્વથી ભિન્ન નથી પણ જીવના જ પરિણામવિશેષ છે એટલે જીવ પોતે જ તે પરિણામનો કર્તા છે. કર્તા (Efficient Cause) અને કર્મ (Effect) એ ઉભય જીવમાં જ સમાયેલાં છે, પરંતુ તે વિભાવપરિણમન જીવનો સ્વભાવ નથી. કર્મગ્રહણ તો ઔપાધિક ભાવે છે. જ્યારે જીવ પરભાવમાં વર્તે છે ત્યારે તે કર્મનો કર્તા છે. વેદાંતાદિ દર્શન આત્માને શુદ્ધ-બુદ્ધ-અકર્તા-અભોક્તા માને છે તેનું સર્વ અંશે ગ્રહણ જૈન સિદ્ધાંત કરતું નથી, કારણકે તેમ કરતાં વિરોધ આવે. સર્વ શાસ્ત્રોની પ્રવૃત્તિ દુઃખના આત્યંતિક ક્ષય અર્થે છે અને જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી તે દુઃખનો સર્વથા ક્ષય થાય નહીં એવો સર્વ દર્શનોનો એક મત છે. હવે જો દુઃખ જ ન હોય તો પછી તેની નિવૃત્તિના ઉપાયો કયા હેતુઓ અર્થે હોય ? આત્મા કર્મનો કર્તા છે અને દુઃખ એ કર્મનું ફળ છે એ માન્યા સિવાય ચાલે તેમ નથી, પરંતુ તેથી આત્માનો કર્મકર્તૃત્વ સ્વભાવ ઠરતો નથી. આત્માનું કર્મકર્તૃત્વ ઔપાધિક ભાવે છે – સ્વાભાવિક ભાવે નહિ. જ્વરપીડિત ઓસડ ગ્રહણ કરે તે માટે તેનો સ્વભાવ ઓસડ ગ્રહવાનો છે એમ ઠરતું નથી. તે તેનો ત્યાગ પણ ઇચ્છા થતાં કરી શકે છે. આત્માનું કર્મગ્રહણ મોહનીયાદિ કર્મના રાગદ્વેષરૂપ પરિણતિથી નિમિત્તથી છે, તે નિમિત્ત દૂર થતાં અથવા તો તે નિમિત્તની સત્તાનો પરાજય કરવાથી તે કર્મગ્રહણનો અભાવ થઈ જાય છે. સ્વભાવ અને વિભાવ જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્ય અને તેના ગુણોની જૈન શાસ્ત્રકારે બે પ્રકારે ઘટના કરી છે : ૧. સ્વભાવ પર્યાય ૨. વિભાવ પર્યાય. પર્યાયનો અર્થ આકાર અથવા એક સ્થિતિવિશેષ થાય છે. દ્રવ્ય જે રૂપે હોય છે તેમાં બીજું દ્રવ્ય નિમિત્તભૂત ન હોય તો તે દ્રવ્યનો ‘સ્વભાવપર્યાય' ગણાય છે; અન્ય દ્રવ્યની સહાય અથવા નિમિત્ત હોય તો તે ‘વિભાવપર્યાય’ લેખાય છે. કૈવલ્ય-જ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) એ આત્માનો સ્વભાવગુણ પર્યાય છે, અને તેથી ઊતરતાં મતિ-શ્રુત-અવધિ આદિ નૈમિત્તિક જ્ઞાન આત્માનો વિભાવગુણ-પર્યાય છે. તેવી જ રીતે જડ પદાર્થોમાં પુદ્ગલના અંતિમ - અવિભાજ્ય ૧. અકૃતાગમદોષ જેણે જે કર્યું નથી તેનું ફળ તેને આવે તે. કમનું ખેંચેલું કર્મ આત્માને ફળ આપી શકે તો તે દોષ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ પરમાણુઓના સ્પર્શ, વર્ણ, રસ, ગંધ પુદ્ગલનો સ્વભાવગુણ પર્યાય છે અને સમૂહાત્મક પરમાણુઓના સ્કંધમાં વર્તતા સ્પર્શ, વર્ણ, ગંધ, રસને વિભાવગુણપર્યાય કહેલ છે. આત્મા તેની વિભાવદશામાં કર્મનું ગ્રહણ કરે તો તેમ કરવામાં તેનો નિત્ય સ્વભાવ છે એમ ઠરતું નથી. કર્મ ગ્રહણીય દ્રવ્ય છે, આત્મા ગ્રહનાર છે. ઉભય ભિન્ન છે તેથી આત્માનું કર્યગ્રહણ તે તેનો સ્વભાવ થઈ શકે નહીં. આત્મા સાથે કર્મના બંધનું નિયામક ધનકુટુંબાદિક બાહ્ય સામગ્રી નથી, પરંતુ તે-તે સામગ્રીમાં રહેલી મમત્વ ભાવના જ છે આ રાગદ્વેષરૂપ પરિણતિથી આત્મા કર્મવર્ગણાને ખેંચે છે. ૧૨૧ સ્ત્રી આદિ સામગ્રીને તજવાનું જે કહેલ છે તેમાં તે સામગ્રી તજવાથી લાભ નથી, પણ તેથી એમ માનવાનું છે કે તેમાં મમત્વભાવના આસક્તિ તજવાની છે. કર્મના ત્રણ ભેદ ભાવક, દ્રવ્યકર્મ અને નોકર્મ. ભાવકર્મ એ આત્માના રાગદ્વેષરૂપ પરિણામ છે, દ્રવ્યકર્મ એ પુદ્ગલનો વિકાર છે અને તે રાગદ્વેષરૂપ ભાવ વડે આકર્ષાઈ આત્મા સાથે એક ક્ષેત્રાવગાહ બની જાય છે, અને નોકર્મ તે ઉક્ત બંને કર્મની આધારભૂમિ છે. જૈનકિવ બનારસીદાસજી કહે છે કે : જ્ઞાનરૂપ ભગવાન શિવ, ભાવકર્મ ચિત્તભર્મ દ્રવ્ય કર્મ તન કારમણ, યહ શરી૨ નોકર્મ. જ્ઞાનથી અભિન્નભાવે વર્તતું એવું શ્રી પ્રભુનું સ્વરૂપ છે. ચિત્તનો ભ્રમ વિભાવદા એ ભાવકર્મ છે. કાર્યણશરીર – કર્મના પરમાણુઓનો સમૂહ એ દ્રવ્ય કર્મ છે અને આ શરીર એ નોકર્મ છે. નોકર્મમાં નોનો અર્થ ઇષત્ – સહાયકારી અર્થ થાય છે. જે દ્રવ્ય ભાવકર્મના પરિણમનમાં ઉપકારક થાય છે તે નોકર્મ. જેમ ઈંદ્રિયોના પ્રવર્તનમાં મન ઉપકારક હોવાથી મનને નોઈદ્રિય - છઠી ઇંદ્રિય' તરીકે સ્વીકારાય છે તેમજ શરીરને કર્મપ્રવર્તનમાં ઉપકારક સમજી તેને નોકર્મ સ્વીકારેલું છે. શરીર અને મન એ, નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું છે અને તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશમાં ચાંચલ્ય ઉપસ્થિત થાય છે. યોગ શરીર અને મન એ એક ક્ષેત્રત્યાપી હોવાથી તે બેમાંથી એકમાં ચાંચલ્ય પ્રકટ થતાં આત્મામાં તે પ્રતિધ્વનિત થાય છે. અને તે પ્રકંપ અથવા આંદોલન વડે કર્મપુદ્ગલો (?) આત્મા પ્રતિ આકર્ષાય છે. આ વ્યતિકરને મનવચન કાયાના વ્યાપારને જૈન પરિભાષામાં ‘યોગપ્રવૃત્તિ’ કહેવામાં આવે છે. કોઈપણ કપાય રહિત મન અને શરીરના ચાંચલ્ય વડે આત્મામાં ઉપસ્થિત સ્ફુરણ એ સામાન્યતઃ યોગ છે. ૧. બૌદ્ધો પડાયતનમાં પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું મન માને છે. ૨. યોગનો અથ બીજાઓ આત્માને પરમાત્મા સાથે અનુસંધાન રૂપ સમાધિ કરે છે તે જૈનોની યોગપ્રવૃત્તિ’નો નથી; જૈનોએ તે સમાધિનો અથ પણ (પછીથી ?) સ્વીકારી તે પર ‘ધોગબિંદુ’ આદિ અનેક ગ્રંથો લખાયા છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧રર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ - આ યોગ પ્રવૃત્તિના નિમિત્તથી દરેક સમયે આત્મા અનંત કર્મપરમાણુઓ આકર્ષે છે. ત્યાં જો યોગનું અલ્પપણું હોય તો તેના પ્રમાણમાં ન્યૂન કર્મ પરમાણુઓનું આગમ હોય છે એટલે કર્મના ઓછા પ્રદેશ બંધાય છે અને અતિપ્રમાણમાં હોય તો કર્મ અધિક બંધાય છે. આમ કર્મનો પ્રદેશબંધ યોગ પર આધાર રાખે છે. એક સમયમાં આ રીતે બંધાયેલી કર્મવગંણા, આયુષ્યકર્મ સિવાયનાં બાકીનાં સાત કર્મ અને તેની ઉત્તરપ્રવૃતિઓમાં વહેંચાઈ જાય છે અર્થાત્ તે તે પ્રકૃતિમાં પરિણમી જાય છે. જેમ આહારરૂપે ગ્રહણ કરેલા પરમાણુઓ લોહી, માંસ, મજ્જા, હાડકાં, વીર્ય આદિ શરીરધાતુઓ રૂપે પરિણમી જાય છે, તેવી રીતે યોગ વડે આકર્ષાયેલી કર્મવર્ગણા મૂળ અને ઉત્તરપ્રકૃતિઓ રૂપે તે-તે વર્ગણાના સ્વભાવાનુસાર પરિણમી જાય છે. વળી જેમ કેટલાક પ્રકારના આહારમાં ખાસ કરી મોટે ભાગે લોહી, રૂપે પરિણમવાનો, કોઈનો વીર્યરૂપે પરિણમનનો ખાસ ગુણ હોય છે તેવી રીતે અહીં પણ ગ્રહેલી કર્મવર્ગણામાં કેટલીકનો સ્વભાવ કોઈ વિશિષ્ટ પ્રકૃતિરૂપે મોટા ભાગે પરિણમવાનો હોય છે, એટલે સમયમબદ્ધ વર્ગણાના સાત એક સરખા વિભાગ થઈ જાય છે એમ સમજવાનું નથી, પરંતુ તે વર્ગણામાં જે વિશિષ્ટ સ્વભાવ હોય તે રૂ૫ મોટા ભાગે પરિણમે છે, અને બાકીની પ્રવૃતિઓમાં ન્યૂન અંશ માત્ર ભળે છે. જેમ બદામના આહારમાં વૈદ્યક દષ્ટિએ મોટે ભાગે મગજને પોષણ આપવાનો ગુણ રહે છે જયારે માત્ર થોડો જ ભાગ રક્ત-માંસ આદિના પોષણમાં જાય છે, તેમ સમયપ્રબદ્ધ કર્મવર્ગણાનું સમજવું. એટલું વિશેષ જાણવાનું છે કે જે પ્રકૃતિઓનું એકબીજા સાથે વિરોધ હોવારૂપ ભૂગલપણું છે જેમકે હાસ્ય શોક, રતિ અતિ, તેમાં માત્ર તે બેમાંથી એકને જ હિસ્સો મળે છે. કોઈ કર્મ એકસાથે હાસ્ય અને શોક, રતિ અને અતિ એ બંનેમાં પરિણમતું નથી. તેમજ ત્રણ વેદ (જાતિ) અર્થાત્ સ્ત્રી, પુરપ અથવા નપુંસક એ ત્રણમાંથી માત્ર એક રૂપે જ પરિણમે છે. આયુષ્ય કર્મની જે પ્રકૃતિ છે તે આખા જીવનમાં એક જ વાર બંધાય છે; તેથી પ્રત્યેક સમયે ગ્રહતાં કર્મ પુદ્ગલમાંથી આયુષ્પ પ્રકૃતિને કશો ફાળો મળતો નથી. આ પ્રમાણે યોગ વડે ગૃહીત કર્મમાંથી બે ઘટના ફલિત થાય છે. (૧) કમની પ્રકૃતિ (Nature) અને (૨) તેનો પ્રદેશ (Extent). યોગ એક આઝવ એટલે કે રસ્તેથી કર્મ આવે છે તે છે. આ યોગાસ્ત્રવની જવાબદારી કર્મની પ્રકૃતિ અને તેના પ્રદેશના નિયામક બન્યા પછી અટકે છે. તેનું કર્તવ્ય માત્ર કર્મવર્ગણાને ખેંચવાનું - તેનો જથ્થો ભેગો કરવાનું અને પછી તેની મૂળ અને ઉત્તર પ્રકૃતિ રૂપે વહેંચણી કરવાનું છે. પછી તે કર્મ કેટલા કાળ સુધી ઉદયમાન રહેવાનું છે તથા તેની ફળદાયી શક્તિનું તારતમ્ય કેટલું છે, તે સાથે યોગાસ્ત્રવને કશો સંબંધ નથી. તેનો આધાર કષાય. ઉપર યોગના બે ભેદ પ્રકૃતિબંધ સંબંધે યોગનું દ્વિવિધપણું છે. (૧) ભોપયોગ (૨) અડભોપયોગ. મન, વચન અને કાયાના શુભ વ્યાપાર અથાત્ ધર્મચિંતન, પરહિતકાર્ય આદિ ઉત્તમ Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ પ્રવૃત્તિ એ શુભોપયોગ છે, અને તેથી વિરુદ્ધ ઉપયોગ તે અશુભોપયોગ છે. આત્મા-અનાત્માનો વિવેક થયા વિનાની ગમે તેવી શુભાશુભ યોગ પ્રવૃત્તિ એ ઘાતી કર્મના બંધરૂપ જ હોય છે, અને અઘાતી કર્મમાં શુભોપયોગ વડે શાતાવેદનીય આદિ પુણ્ય પ્રકૃતિ, અને અશુભોપયોગ વડે અશાતાવેદનીય આદિ પાપપ્રકૃતિનું ઉપાર્જન થાય છે. શુભ અને અશુભની જ્યાં મિશ્ર યોગપ્રવૃત્તિ હોય છે ત્યાં કેટલાક પુદ્ગલ અંશ પુણ્ય પ્રકૃતિરૂપ અને કેટલાક પાપપ્રકૃતિ રૂપ પરિણમે છે. જે મહાભાગ પુરુષોને આત્મા-અનાત્માની ખ્યાતિ અર્થાત્ વિવેક – ‘આત્મખ્યાતિ’ વર્તે છે તેમને ઘાતીકર્મનું ઉપાર્જન બહુ ન્યૂન હોવું સંભવે છે. કષાય : તેથી સ્થિતિબંધ અને અનુભાગબંધ હવે કર્મની ફળદાયી શક્તિના સંબંધે કયા હેતુ પ્રવર્તે છે તે જોઈએ. કર્મો કેટલા કાળ સુધી ટકશે એટલે સ્થિતિબંધ અને કેવું તીવ્ર અથવા મંદ ફળ આપશે એટલે અનુભાગબંધ – તેનો આધાર આત્માના કષાયભાવ ઉપર રહેલો છે. ૧૨૩ ‘કષાય’ એટલે મોહના ઉદયથી ક્રોધાદિક મિથ્યાત્વભાવ ઉપસ્થિત થવો તે; અથવા આત્માના સ્વરૂપજ્ઞાન રૂપ સમ્યક્ત્વનો અને સ્વરૂપાચરણરૂપ દેશચારિત્ર, સકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રનો રોધ કરે તે. ટૂંકામાં એવી વ્યાખ્યા તેની થઈ શકે કે ક્રોધ, માન, માયા અને લોભરૂપ આત્માના વિભાવ પરિણામો. હવે પ્રકૃતિબંધ અને અનુભાગબંધમાં સૂક્ષ્મ ફેર જોઈએ. પ્રકૃતિબંધનો કાર્યપ્રદેશ માત્ર કર્મવર્ગણાને આત્માની સાથે યોજવાનો છે, જ્યારે અનુભાગબંધનું કાર્ય એ કાર્યણ સ્કંધોમાં રહેલી ફળદાનશક્તિને વિસ્તારવાનું અને તે મુજબ આત્માને શુભાશુભ રસાસ્વાદ કરાવવાનું છે. જ્યારે આત્મા કષાયરહિતપણે માત્ર યોગથી જ કોઈ કાર્યનું સેવન કરે છે ત્યારે સ્થિતિ અને અનુભાગબંધને ત્યાં અવકાશ રહેતો નથી તેથી યોગમાત્રથી ઉપાર્જન કરેલી પ્રકૃતિ અને પ્રદેશબંધ માત્ર શાતાવેદનીય કર્મ ગ્રહણ કરે છે. પણ જ્યારે તે યોગ કષાય વડે અનુરંજિત થયેલા હોય ત્યારે અનેક પ્રકૃતિઓનો બંધ વિવિધ અનુભાગ રસ અને સ્થિતિ સહિત થયા વિના રહેતો નથી. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યાં સુધી ફળ આપવાને તત્પર થતી નથી ત્યાં સુધીના કાળને ‘આબાધા કાળ’ કહે છે; અને તે અનુદય કાળમાં તે કર્મપ્રકૃતિમાં આત્મા પોતાની સ્વસત્તા વડે ‘અપકર્ષણ’ (ન્યૂનતા), ‘ઉત્કર્ષણ’ (આધિક્ય), ‘સંક્રમણ’ (સજાતીય એક ભેદ મટી અન્ય ભેદરૂપ થવું) કે ‘ઉદયાભાવી ક્ષય' (ફળ આપ્યા વિના કર્મનું છૂટી જવું) કરી શકે છે; પણ એકવાર જ્યારે તે કર્મ ફળ આપવાને ઉદયમાન થાય છે ત્યારે તે પોતાનું સંપૂર્ણ ફળ તેની નિયત ‘સ્થિતિ’ અને ‘અનુભાગ સહિત આપ્યા વિના રહેતું નથી; અને તે સ્થિતિ પૂરી થતાં સુધી પ્રતિસમય તેને પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે. રસ’ આત્મા તેની સાંપ્રત સ્થિતિમાં કષાયભાવ વિના એક સમય પણ રહી શકતો નથી - તે ‘કષાયાત્મા' છે; જો એક સમય પણ તે જો તદ્દન અકષાયી થાય તો તે જ ક્ષણે, કૈવલ્ય' પ્રાપ્ત થાય. વ્યક્ત કે અવ્યક્ત કષાયભાવ દશમા ‘ઉપશાંત’ ગુણ Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સ્થાન સુધી છે અને ત્યાં સુધી અશુભ યોગ વડે પાપાસવ' હોવાનું જૈન શાસ્ત્રમાં કહ્યું છે. આ કષાય વડે આત્મા પ્રત્યેક સમયે આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોનું ગ્રહણ કરે છે. આયુષ્નો બંધ આખા ભવમાં એક જ વાર થાય છે, અને જ્યારે તે થાય છે ત્યારે તે આખી જિંદગીના સેવેલા શુભાશુભ ભાવોના તારતમ્ય અનુસાર બંધાય છે. કષાયના બહુત્વથી પાપપ્રકૃતિની સ્થિતિનો બંધ ઘણો થાય છે તેથી દેવ તથા મનુષ્ય સંબંધી આયુની સ્થિતિ અલ્પ બંધાય છે, જ્યારે તેના અલ્પત્વથી લાંબી બંધાય છે. ઘાતી કર્મની સર્વપ્રકૃતિમાં અને અઘાતી કર્મની પાપપ્રકૃતિમાં કષાયના અલ્પત્વથી અનુભાગબંધ અલ્પ અને બહુત્વથી ઘણો થાય છે; તે જ પ્રમાણે પુણ્ય પ્રકૃતિનો અનુભાગબંધ કષાયની મંદતાથી વધે અને બહુત્વથી ન્યૂન થાય છે. આ પ્રકારે કષાયથી સ્થિતિ અને અનુભાગબંધનું સ્વરૂપ નિયમાય છે. યોગ અને કષાય અને તે બંનેથી કર્મ પર નિયામકતા યોગનું અતિ ચાંચલ્ય અને કષાયનું અલ્પત્વ જ્યાં હોય ત્યાં સ્થિતિ અને અનુભાગબંધ ન્યૂન હોય છે, પણ યોગ વડે ઉપાર્જન થયેલી કર્મપ્રકૃતિનો પ્રદેશ ઘણો વિસ્તારવાળો હોય છે, કેમકે પ્રદેશનો નિયામક યોગ છે. જેવી રીતે ભયાનક રીતે તૂટી પડવાની અણી પર દેખાતાં જળભર વાદળાંઓ ઘણા પ્રસંગે થોડીવાર ઝરમર ઝરમર છાંટા નાંખી વીખરાઈ જાય છે; ત્યાં પ્રદેશ વિસ્તારવાળો છતાં ફળ અલ્પ જોવામાં આવે છે; શરીર સંબંધી વેદનીય પ્રસંગોમાં અનેક વખતે એવું બને છે કે શીળીનાં ચાઠાં આખા શરીરે ઊઠી નીકળે છે એટલે વેદનીય પ્રકૃતિનો પ્રદેશ-વિસ્તાર આખા શરીર ઉપર બહોળો જોવામાં આવે છે પણ તેની સ્થિતિ અલ્પ હોય છે અને વેદનીયની અતિ મંદતા અર્થાત્ અનુભાગબંધ અલ્પ હોય છે. આવા પ્રસંગે એમ સમજવાનું છે કે તે પ્રકારનું કર્મ ઉપાર્જતી વખતે માત્ર અશુભ યોગના ચાંચલ્યનું બહુત્વ અને કષાયનું અલ્પત્વ હોવું જોઈએ. ૧૨૪ અને જ્યાં કષાયનું બહુલપણું અને યોગનું અલ્પત્વ હોય છે ત્યાં ફળદાનશક્તિ અને સ્થિતિનું તારતમ્ય અધિક હોય છે. એક નાની સરખી ફોલ્લી ઘણીવાર આખા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે અને અનૈક ઉપચાર કરવા છતાં મટતી નથી. અહીં પ્રદેશબંધનું અલ્પત્વ છતાં કપાયની અધિકતાના બળે અનુભાગ અને સ્થિતિ વિશેષ હોય છે. આ વાત વિશેષ સ્પષ્ટ કરવા બીજાં દૃષ્ટાંત લઈએ. ઘણા મનુષ્યો રાતદિન મનમાં ને મનમાં તર્કવિતર્કના તાંતણા વણતા અને વિખેરતા હોય છે અને સહેજસાજ પ્રસંગમાં બહુ બોલી બાળવાની ટેવવાળા હોય છે, તેમજ બેચેનીને લીધે તથા ગમ્મત ખાતર ઘડીવાર જંપીને ન બેસતાં અહીંથી તહીં ભટક્યાં કરે છે. આવા મનુષ્યોમાં મન, વચન અને શરીરના યોગનું ચાંચલ્ય ઘણું જોવામાં આવે છે, પણ તે યોગમાં કપાયનું બહુત્વ હોતું નથી. તેઓ બિચારા ભોળાભાવે અહોનિશ યોગપ્રવૃત્તિ કર્યા કરતા હોય છે, છતાં ત્યાં તેમનો બહુ રાગભાવ હોતો નથી. માત્ર પ્રમાદ, અનુપયોગ અને અસંયમીપણાને લીધે તેમનું મન જૂના ચીલાઓમાં ચાલે છે. આવામાં કર્મપ્રકૃતિ ઉપાર્જવાની સાથે Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ કષાયના અલ્પત્વને લીધે પ્રદેશના પ્રમાણમાં સ્થિતિ અને રસબંધ હોતો નથી. કેટલાક ઊલટા એવા મનુષ્યો હોય છે કે યુક્તિથી આડંબર શમી આંતિરક લાલસાઓ ક્રોધ, માન, માયા અને લોભથી મિશ્રિત રાખી વ્યવહાર ચલાવે છે કે તેના અંતરની ખબર પડતી નથી અને તક આવ્યે ભયંકર નીવડે છે – શાણા બગલાની માફક ઉપરથી સંયમવાળા ભાવિક લાગે છે. આવામાં યોગવૃત્તિનું અલ્પત્વ હોય છે. ને તેથી બીજાનું – લોકનું માન મેળવે છે, પરંતુ કષાયનું બાહુલ્ય હોય છે. કર્મ જડ હોવાથી આત્માને કેમ ફળ આપી શકે ? કર્મને કેવું ફળ આપવું એનું જ્ઞાન તે જડ હોવાથી તેને હોતું નથી. તો તે તેની યથાયોગ્ય પ્રકૃતિ પ્રમાણે કેવી રીતે પરિણમી શકે ? આ શંકાનો ઉત્તર આ રીતે છે ઃ જડ કર્મને તેવા પ્રકારનું કશું જ જ્ઞાન હોતું નથી, પરંતુ કર્મની ફળગર્ભિતા આત્માની શક્તિ વડે જ બની આવે છે. આત્માના કષાયભાવ વડે જ તે શક્તિ જડ કર્મપરમાણુમાં ઊપજેલી હોય છે. વાસ્તવમાં કર્મોની ફળશક્તિ એ આત્માની પોતાની જ શક્તિ છે. સર્પનું વિષ જેને રોમેરોમ ચડેલું છે તે મનુષ્ય પર કોઈ મંત્રસિદ્ધ મંત્રેલી કાંકરીથી વિષને ઉતારી નાંખે ત્યાં જેમ કાંકરીમાં કશું જ બળ નથી, પણ તે કાંકરીમાં આરોપાયેલા મંત્રીના આત્માના સામર્થ્યનો જ પ્રભાવ છે, તેમ અહીં પણ કર્મમાં વસ્તુતઃ કશું બળ નથી, પણ તેમાં આરોપાયેલા આત્માના રાગદ્વેષનું જ બળ છે. રાગદ્વેષ એ આત્મામાંથી પ્રકટેલું એક સામર્થ્યવિશેષ છે અને તેથી ગર્ભિત થયેલ કર્મવર્ગણા ફળ આપવા સમર્થ થાય છે. જ્યારે કર્મપ્રકૃતિ તેનું વિશિષ્ટ ફળ આપી રહે છે ત્યારે તે જડપિંડ કાર્યણ શરીરની સાથે ઘણીવાર અગાઉના જેવું જ જોડાયેલું રહે છે, છતાં તે કશી હાનિ કે લાભ કરી શકતું નથી કારણકે ફળ આપ્યા પછી તેનું પાણી બળ ઊતરી ગયું હોય છે. ૧૨૫ કર્મને પરિણમાવનાર પણ કોઈ જરૂરી શક્તિ હોતી નથી, પણ જે વખતે તે કર્મ આત્મા સાથે બંધાય છે તે કાળે જ ક્યારે, કેવી રીતે, કેવું અને કેટલું ફળ આપવું તે બધા નિયમોનો નિશ્ચય થયેલો જ હોય છે. શરીરમાં અન્નનો જથ્થો મોકલ્યા પછી તેમાંથી પોષક દ્રવ્ય છૂટું પાડવા માટે બીજી શક્તિ મોકલવાની જરૂર રહેતી નથી, પણ બધું નિયમાનુસાર સ્વયં જ બની આવે છે. જેમ કેટલાંએક ઔષધોમાં પોતે જડ હોવા છતાં તેની અસર ઘણીવાર જિંદગી સુધી ચાલે છે; વળી જેમ કેટલાંકમાં લોહી સુધારવાનો, જ્ઞાનતંતુ બળવાન કરવાનો વગેરે વિવિધ પ્રકૃતિઓના ગુણો હોય છે, તેમ કેટલાંક કર્મોનો ઉદય આખી જિંદગી સુધી નભનાર હોય છે અને તેની વિવિધ પ્રકૃતિ અનુસાર ફળ આવ્યે જાય છે. કર્મની ફલોદય પહેલાંની સ્થિતિ આત્માના યોગ અને કષાયભાવથી આકર્ષાયેલો દ્રવ્યકર્મનો સમૂહ તેના ઉદયકાળપર્યંત – ફલાભિમુખ થયા પહેલાં એટલે અનુદયાવસ્થામાં આત્માની સાથે એક ક્ષેત્રાવગાહપણે રહે છે. તે અનુદયાવસ્થામાં કર્મ ‘સત્તામાં (in potential state) રહે છે – અર્થાત્ તેટલો કાળ તે ફળ આપવાને તત્પર થયાં હોતાં નથી – તેની ‘શક્તિ’ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (static energy) સ્થિરપણે માત્ર ફળના સમયની રાહ જોતી હોય છે. વેદાંતમાં કર્મ સંચિત, સંચીયમાન (કે ક્રિયમાણ) અને પ્રારબ્ધ માનેલાં છે. સંચિત કર્મ એટલે ગત જન્મોમાં ભેગાં કરેલાં કર્મ પણ જેમણે હજુ ફળ આપવાની શરૂઆત નથી કરી પણ એમ જ પડ્યાં રહ્યાં છે. પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મોએ ફળ આપવાની શરૂઆત કરી છે અને જેમને લીધે આ વર્તમાન જન્મ અને તેની પરિસ્થિતિ શક્ય બન્યાં છે તે. સંચીયમાન કે ક્રિયમાણ કર્મ એટલે આ જન્મમાં જે નવાં કર્મ એકઠાં કરવામાં આવી રહ્યાં છે તે. સમ્યજ્ઞાન થતાં સંચિત કર્મ બળી જાય છે અર્થાત્ તેમનામાં ફળ આપવાની શક્તિ રહેતી નથી. સમ્યજ્ઞાન પછી અહંતા-મમતા કે કર્તૃત્વનો ખ્યાલ રહેતો નથી તેથી જરૂરી ક્રિયાઓ કરવા છતાં કર્મબંધન થતું નથી અને ક્રિયમાણ કર્મ જેવું રહેતું નથી. પરંતુ પ્રારબ્ધકર્મોએ ફળ આપવાની શરૂઆત કરી જ દીધી છે તેથી તેમનો ક્ષય તો ભોગથી જ થાય અને માટે જ્ઞાન થયા પછી પણ ઐહિક જીવન કેટલોક વખત ચાલુ રહે છે. ] વેદાન્ત કર્મની આ અવસ્થાને ‘પ્રારબ્ધ’ કહે છે, જ્યારે જૈન તે જ અવસ્થાને ‘સત્તાપણે’ કહે છે. ધનુષ્ય પર ચઢાવેલું તીર છોડવામાં આવ્યું નથી ત્યાં સુધી તીરમાં જે સત્તા રહેલી છે તેને Static energy – સ્થિર વીર્યની સંજ્ઞા અપાય છે, અર્થાત્ ત્યાં શક્તિ તો છે પણ તે હજી ‘ઉદય’ રૂપ.– વેદાંત પરિભાષામાં ‘ક્રિયમાણ’ રૂપ થઈ નથી, અને જ્યાં સુધી તે શક્તિ ફલાભિમુખ થઈ નથી ત્યાં સુધી તે શક્તિ ‘સત્તાપણે’ રહેલી છે. તેથી તે શક્તિ ફેરફારને પાત્ર તે અવસ્થામાં હોય છે. કુંભારે ચાક પર ચડાવેલા માટીના પિંડને કેવો આકાર આપવો, તેનામાં કેવો ફેરફાર કરવો એ કુંભારના પોતાના હાથમાં છે તેમ કર્મની અનુદય સ્થિતિ – સત્તા અવસ્થામાં તેનું પરિવર્તન કે પ્રમાણમાં ન્યૂનાધિક કરવાનું સ્વાતંત્ર્ય આત્માએ ગુમાવેલું હોતું નથી. પરંતુ કુંભાર એક આકાર બનાવી તેને અગ્નિમાં પકાવ્યા પછી તેમાં ફેરફાર કરી શકતો નથી તેમ આત્મા પણ કર્મના ઉદયાવસ્થાના સમય પછી તેમાં કશો પણ ફેરફાર કરી શકતો નથી . કર્મની રેખ ૫૨ મેખ મારવાનું આત્માનું બળ માત્ર કર્મની ‘સત્તા’ અવસ્થામાં જ હોય છે. તે અવસ્થામાં શુભ અશુભ કર્મની સ્થિતિ કે અનુભાગ અલ્પ હોય તો તેનું ‘ઉત્કર્ષણ’ કરી તેમાં વૃદ્ધિ કરી શકે છે, તે જ પ્રકારે બહુત્વનું અલ્પત્વ કરી શકે છે. સબળ જાગ્રત આત્માઓ તેમ કરી શકે છે. કર્મનો ફલોદય કર્મ જ્યારે ઉદયમાન થાય છે ત્યારે તે સાક્ષાત્પણે સ્વયં કાંઈપણ નિપજાવી શકતું નથી, પણ પોતાની પ્રકૃતિ અનુસાર માત્ર કાર્ય થવાનું નિમિત્ત રચી આપે છે. તેનું કાર્ય જ નિમિત્તમાત્ર રચી આપવાનું છે, બાકીનું કર્તવ્ય આત્માને અધીન છે. જો કર્મમાં નિમિત્ત આપવા પૂરું પાડવા ઉપરાંત સત્તા હોત એટલે બળાત્કારથી આત્માને તત્પ્રાયોગ્ય કર્તવ્યમાં જોડવાનું સામર્થ્ય હોત, તો આત્માને ત્રણે કાલમાં મોક્ષનો અસંભવ જ રહેત અને પછી ઈશ્વર તીર્થંકર અને શાસ્ત્રનો આશય નિષ્ફળ જાત. કર્મ નિમિત્ત પૂરું પાડી સત્ત્વહીન થાય છે, પછી તે નિમિત્તનો લાભ લેવો કે નહિ, તે — Page #148 -------------------------------------------------------------------------- ________________ આત્માને કર્મનો સંયોગ નિમિત્ત આત્માને જે પ્રવૃત્તિવિશેષમાં જોડવા લલચાવે છે તેમાં યોજાવું કે નહિ તેનું સ્વાતંત્ર્ય આત્માને પોતાને હાથ છે. જો પોતાની સ્વાભાવિક સત્તા અધિકારનો ઉપયોગ આત્મા કરે અને તે નિમિત્તમાં ન જોડાય – તત્પ્રાયોગ્ય પ્રવૃત્તિમાં ન યોજાય તો કર્મની ઉદયમાન સત્તા તેને સ્પર્શી શકતી નથી. - જ્ઞાની અને અજ્ઞાની, સબળ અને નિર્બળમાં તફાવત એટલો જ છે કે જ્યારે જ્ઞાની જનો નિમિત્તથી રંગાવા કદી લલચાતા નથી, અને કદાચ પૂર્વે બાંધેલી કર્મપ્રકૃતિના અનુભાગના બાહુલ્યથી લલચાય તો પણ પોતાની ભૂલ તુરત જ સુધારી લે છે, ત્યારે અજ્ઞાની – નિર્બળ આત્માઓ પ્રત્યેક ક્ષુદ્ર નિમિત્તને વશ બની પોતાનું સ્વત્વ ગુમાવે છે, અને સંયોગોના બળમાં તૃણવત્ આમથી તેમ અથડાયાં કરે છે. પુરુષાર્થની સિદ્ધિ આ વખતે જ છે, આ વખતે ભાવકર્મ કે જેથી દ્રવ્યકર્મ થાય છે તે ન કરવાં નિમિત્તની આસક્તિમાં ન પડવું તે સંસારનું બંધન શિથિલ કરવા અને આખરે તોડી પાડવાનો એક જ અમોઘ ઉપાય છે. ૧૨૭ જુદાજુદા સમયે ઉપાર્જેલાં પરંતુ એક જ કાળે ઉદયમાં આવવા યોગ્ય કર્મો જ્યારે ઉદયમાન થાય છે ત્યારે એ સર્વકર્મના અનુભાગનું જે એકત્રિત પ્રમાણ થાય તેટલું સામટું ફળ તે આપે છે એટલે એ બધા અંશો એકસાથે નિષ્પન્ન થાય છે. ત્યારે તે અત્યંત તીવ્ર ફળ આપે છે. એક કાળે ઉપાર્જેલાં કર્મોનો અનેક સમયે, અને અનેક સમયે બાંધેલાં કર્મોનો એક સમયે પણ ઉદય આવે છે; આ કર્મો ૫૨ વિજય મેળવવો તે પર જ આત્મબળનો આધાર છે. - ઉપસંહાર : આત્મા ને કર્મનો સંબંધ ત્રણ પ્રકારે આત્મા ને કર્મનો સંબંધ ત્રણ જુદા પ્રકારનો છે ઃ (૧) આત્માના અશુદ્ધ ઉપયોગરૂપ પરિણમન થતો ‘ભાવબંધ’ આ બંધ અરૂપી સાથે અરૂપીનો છે અર્થાત્ પરિણામ અને પિરણામીનો છે; કે જેમાં કર્યાં પણ આત્મા, અને પરિણમન રૂપ કર્મ પણ આત્મા છે. (૨) પુદ્ગલની સાથે નૂતન કર્મપુદ્ગલ વર્ગણાનો સંબંધ. આ સંબંધ રૂપીની સાથે રૂપીનો છે. જીવના પ્રદેશમાં એક ક્ષેત્રાવગાહપણે જે પૂર્વબદ્ધ વર્ગણા છે તેમાં નવી વર્ગણાનું સ્નિગ્ધ રુક્ષભાવ વડે આકર્ષાવું તે ‘દ્રવ્યબંધ’ અને (૩) આત્માની સાથે કર્મવર્ગણાનો સંયોગસંબંધ – એ રૂપી અને અરૂપીનો સંબંધ છે. કારણકે આત્મા અરૂપી અને કર્મવર્ગણા રૂપી છે. વાસ્તવમાં ‘નિશ્ચય’ નય વડે પારમાર્થિક દૃષ્ટિએ જે બંધ છે તે પ્રથમ વર્ગનો અશુદ્ધ અથવા વિભાવ પરિણમનરૂપ બંધ છે. પરિણામીપણું એ આત્માનો સ્વભાવ છે; જ્યારે તે નિજદ્રવ્યમાં પ્રવર્તન છોડી પરદ્રવ્યમાં પરિણમે છે ત્યારે પોતાનો સ્વભાવસિદ્ધ પરિણામ ત્યજી વિશેષતાસહિત પ્રવર્તે છે અને તે વિશેષ પરિણામ એ જ ભાવકર્મ છે, એ જ બંધનો હેતુ છે, એ જ સંસારનું બીજ છે. તે તજી પોતાના સ્વભાવને આત્મા ભજે છે ત્યારે સંસારબીજ ભસ્મીભૂત થતાં કર્મમળથી મુક્ત થાય છે. વસ્તુતઃ આત્મા કોઈ કર્મનો કર્તા હોય તો તે માત્ર આ વિભાવ પરિણામ રૂપ કર્મનો જ કર્યાં છે. તે અશુદ્ધ પરિણામનું નિમિત્ત મેળવી દ્રવ્યકર્મ સ્વયં તેમાં પ્રવેશે છે, પરંતુ ત્યાં કાંઈ આત્મા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મને ગ્રહવાના હેતુ વડે ગ્રહતો નથી. જેમ વર્ષાઋતુમાં જળનો ભૂમિ સાથે સંયોગ થતાં તે નિમિત્ત મેળવી પુદ્ગલ દ્રવ્ય પોતાની શક્તિ વડે ખાસ અને અંકુર રૂપે પરિણમે છે, તેમ આત્માના વિભાવ પરિણામનું નિમિત્ત મળતાં તે પિરણામને અનુરૂપ કર્મ પ્રકૃતિરૂપે પુદ્ગલ દ્રવ્ય સ્વયં પરિણમે છે. પુદ્ગલસ્વભાવ જ કર્મની વિચિત્રતાનો હેતુ છે. આત્મા માત્ર પોતાના પરિણામનો જ કર્તા છે. નિશ્ચયથી આત્મા પુદ્ગલ કર્મનો કર્તા નથી. અલબત્ત તેના જ પરિણામવિશેષનું નિમિત્ત મેળવી એક ક્ષેત્રાવગાહ પ્રમાણે રહેલી જડ વર્ગણા તે આત્મપરિણામને અનુરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મ પ્રકૃતિ રૂપે રૂપાંતર પામે છે, પરંતુ તેમ થવામાં આત્મા તો માત્ર નિમિત્ત જ છે. જળવૃષ્ટિ એ ઘાસનો કર્તા નથી તે તો પોતાના પતનરૂપ કર્મને જ કરે છે, પણ ઘાસ વગેરે તે જળનું નિમિત્ત મેળવી પ્રકટી આવે છે. ત્યાં માત્ર ઉપચારથી અથવા ‘વ્યવહાર'થી તે વૃષ્ટિ ઘાસ આદિનો કર્યાં કહેવાય. વસ્તુતઃ દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ પોતે જ છે, કારણકે કોઈ દ્રવ્યના પરિણમનમાં કોઈ બીજું દ્રવ્ય હાથ નાંખતું નથી, માત્ર નિમિત્ત આપે છે. આ ‘નિશ્ચયદૃષ્ટિ’ અને ‘વ્યવહારદૃષ્ટિ’ પોતપોતાના પ્રદેશમાં અને પોતાના જુદા દૃષ્ટિબિંદુથી સાચી છે, પરંતુ પરમાર્થદૃષ્ટિ – દ્રવ્યાશ્રિત પરિણમન દૃષ્ટિ – કાર્યકર અને મોક્ષના હેતુની સાધક છે. આત્મા જ્યાં સુધી પોતાના બંધના નિયામક તરીકે અન્ય દ્રવ્યને સ્વીકારે છે. (મિથ્યાત્વ’માં છે) ત્યાં સુધી તેના સ્વયં પુરુષાર્થનો અવકાશ રહેતો નથી, પરંતુ જ્યારે તે પોતાના પિરણામ વડે જ પોતે બંધાયાનું સ્વીકારે છે – અને વાસ્તવમાં છે પણ તેમજ – ત્યારે તે ‘સમ્યક્ત્વ' પામે છે ત્યારે જે પરિણામોથી તે બંધાયો હોય છે તેના વિરોધી પરિણામનો આશ્રય લઈ બંધક પરિણામની સત્તાને વિખેરી નાંખે છે એમ કરતાં, સર્વ કર્મથી મુક્ત થતાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શન — જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જૈનશાસ્ત્રમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ હોય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જણાવેલું છે. આમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપતાં ઉમાસ્વાતિ પોતાના તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શનમ્’ તત્ત્વાર્થમાં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. આ સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખના બીજભૂત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અને મિથ્યાચારિત્ર છે, જ્યારે તે સર્વને બાળી સુખ આપનાર – સુખના ઉચ્ચતમ સ્થાને લઈ જના૨ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. મિથ્યાદર્શન ટળી જતાં જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું નાશ થઈ જવું જ જોઈએ એ નિયમ છે, તેથી સમ્યગ્દર્શનને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. સમ્યગ્દર્શન એ મોક્ષનું બીજ છે; તે વગર જ્ઞાન અને ચારિત્રરૂપી જળનું ગમે તેટલું સિંચન કરવામાં આવે તે નકામું છે. એક સમય માત્રનો સમ્યગ્દર્શનનો સ્પર્શ આપણી ઇચ્છા હોય કે અનિચ્છા હોય તોપણ વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષમાં લઈ જાય છે એવું જૈનશાસ્ત્રમાં જણાવેલું છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૧૨૯ વ્યાખ્યા સમ્યગ્દર્શનનો પ્રતિપક્ષી શબ્દ મિથ્યાદર્શન છે. આ જીવને અનાદિ કાળથી જે કર્મસંબંધ છે તે કર્મ પૈકીના દર્શનમોહ નામના કર્મના ઉદયથી જે અતત્ત્વશ્રદ્ધાન થાય છે તેને “મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. પદાર્થ જેવા રૂપે અવસ્થિત છે તેવા રૂપે તેનો નિશ્ચય થવો એ “સમ્યગ્દર્શન' છે. અને જેવા રૂપે પદાર્થ અવસ્થિત નથી તેવા રૂપે તેનું દર્શન થવું – શ્રદ્ધાન થવું - વિપરીત અભિનિવેશ થવો – તેને મિથ્યાદર્શન - અતત્ત્વશ્રદ્ધાન કહેવામાં આવે છે. દર્શન’ શબ્દનો અર્થ સામાન્ય રીતે અવલોકન થાય છે, પરંતુ આ સ્થળે તેનો અર્થ શ્રદ્ધાન એવો થઈ શકે, કારણકે સામાન્ય અવલોકનરૂપ ક્રિયા કાંઈ સંસારના મોક્ષ જેવા મહત્ત્વના વિષયમાં કારણરૂપ હોવી ઘટતી નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં ‘તત્ત્વનો અર્થ, જે અવસ્થામાં પદાર્થ અવસ્થિત છે તેવા પ્રકારે હોવાપણું છે અને તેનો જે નિશ્ચય કરવામાં આવે તે “અર્થ અને તે બંનેની સંજ્ઞા જણાવવા તત્ત્વાર્થ કહેવામાં આવે છે. [તત્ત્વાર્થ=Reality એવો અર્થ થાય.] શ્રદ્ધાન એ માનીનતા નહિ. તત્ત્વાર્થ શ્રદ્ધાન ઉપર જૈન દર્શને અત્યંત ભાર મૂક્યો છે. ખ્રિસ્તી ધર્મમાં તેને faith, બૌદ્ધમાં તેને “બોધિ' કહે છે. બિૌદ્ધમાં “સમ્મા દિઢિ છે. (બોધિ નહી)] તેમજ અન્ય સર્વ શાસ્ત્રોએ પ્રકારાંતરે તેનું મહત્ત્વ બતાવ્યું છે. તેના ઉપર જ મોક્ષમાર્ગનો આધાર છે એમ જૈન દર્શન કહે છે. આ કાળે શ્રદ્ધાનનો અર્થ માનીનતા (belief) એવો થતો જોવામાં આવે છે પરંતુ તેમ નથી. શ્રદ્ધા અને માનીનતા એ જોકે એક જ વસ્તુની કળાઓ છે, તથાપિ પ્રથમ ઉત્કૃષ્ટ અને બીજી નિકટ પંક્તિની છે. શ્રદ્ધાન એ માનીનતાનો પરિપાક છે, તે મનુષ્યમાંથી દેવત્વ અને દેવત્વમાંથી ઈશ્વરત્વ પ્રકટ કરી શકે છે, જ્યારે માનીનતા ફક્ત મનુષ્યના મનનો અમુક પ્રકારનો ભાવ જ (attitude of mind) સૂચવે છે, અને કોઈપણ પ્રકારના સ્પષ્ટ ફળને પ્રકટ કરી શકતી નથી. માનીનતા પ્રાયઃ સર્વકાળ એક સરખી જ રહે છે જ્યારે શ્રદ્ધાનું રૂપાંતર અને અનુરૂપ કાર્ય વહેલુંમોડું થાય જ છે. વસ્તુ સ્વરૂપ જે પ્રકારે શાસ્ત્રકારે કહ્યું છે તે પ્રમાણે શ્રદ્ધવામાં અને માનવામાં વિશાળ અંતર છે. શ્રદ્ધાન થતાંની સાથે જ પર્યાયજ્ઞપ્તિ નાશ પામી સ્વરૂપજ્ઞપ્તિમાં સ્થિતિ થાય છે, અર્થાત્ હું શરીર નહિ, પણ આત્મા છું' એવું અંતરના મર્મ ભાગમાં પ્રતીત થાય છે. મન, બુદ્ધિ, ઈદ્રિયો વગેરેમાંથી મમત્વબુદ્ધિનો વિલય, શ્રદ્ધાનના ઉદયની સાથે થવો જ જોઈએ. હું આત્મા છું, જડથી અસંગ છું, મારું અને પુગલનું સ્વરૂપ એકબીજાથી અત્યંત ભિન્ન છે' એમ આપણને શાસ્ત્રકાર શ્રદ્ધાન કરાવે છે અને એ વાતનું જો આપણને શ્રદ્ધાન થાય તો આપણા જીવનનો ક્રમ આ ક્ષણથી જ તદ્દન ફરી જઈ નવજીવનમાં પ્રવેશ થવો જોઈએ. જે મમત્વબુદ્ધિ શરીર, મન, બુદ્ધિ, ઈકિયાદિકમાં હોય તે ઊઠી જાય અને આત્માના સ્વરૂપમાં અવાય. પરંતુ જો ઉપર્યુક્ત વાતની માન્યતા જ બંધાય તો તેથી આપણા જીવનમાં કશો મહત્ત્વનો ફેરફાર થતો નથી. મનુષ્યોનો મોટો ભાગ વસ્તુસ્વરૂપને પોતાની બુદ્ધિના ધોરણ ઉપર કલ્પી તેનો તે પ્રકારે નિશ્ચય Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કરે છે, પરંતુ સંસારમોક્ષ જેવા અગત્યના વિષયમાં આવી ભ્રમણાથી જેમ બને તેમ તુરત મુક્ત થવું એ દરેક જૈનને આવશ્યક છે. જ્ઞાન-સમ્યકત્વ આ સ્થળે એવી શંકા સંભવિત છે કે વસ્તસ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય તો કેવળજ્ઞાન - સર્વજ્ઞતા વિના થઈ શકે તેમ તો નથી તો પછી મિથ્યા-દર્શનનો ત્યાગ અને વસ્તુસ્વરૂપનો સનિશ્ચય કેમ થઈ શકે ? આનું સમાધાન આ રીતે છે. જૈનશાસ્ત્ર કહે છે કે પદાર્થનું જ્ઞાન, અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ઉપર આધાર રાખે છે, પરંતુ સમ્યગ્દર્શનનો આધાર તો “દર્શનમોહનીય' નામના “મોહનીય કર્મના ક્ષયોપશમ અને ઉપશમ ઉપર જ રહેલો છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રકટ થયેલું જ્ઞાન – એનું નામ સમ્યગ્દષ્ટિ નથી, પરંતુ પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અલબત્ત સમ્યક્ત્વપ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની અપેક્ષા છે, પરંતુ તેટલો ક્ષયોપશમ તો સર્વ પંચેદ્રિય જીવોને હોય જ છે; તોપણ તે ક્ષયોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે સાક્ષાત્ હેતુભૂત થતો નથી. શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠ કરવાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન પ્રયોજનભૂત પદાર્થોના શ્રદ્ધાન રહિત હોય તો મિથ્યા જ છે, અને સંસી તિર્યંચાદિકના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ન્યૂન હોય તો પણ પ્રયોજનભૂત પદાર્થોના શ્રદ્ધાન સહિત હોવાના હેતુથી તે સમ્યગ્દર્શનના હેતુભૂત જ છે. આ ઉપરથી જૈનશાસ્ત્ર કહે છે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસરીને શ્રદ્ધાનની પ્રાપ્તિ નથી, પરંતુ દર્શનમોહ નામના મોહનીય કર્મના ઉદયથી જ મિથ્યાદર્શન અને તેના નાશથી પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન અથવા સમ્યકત્વ – સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પ્રયોજનભૂત પદાર્થ – સપ્ત યા નવ તત્ત્વ આ જગતમાં પ્રયોજનભૂત પદાર્થ માત્ર એક જ અને તે એ જ છે કે સુખનો યોગ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ. તે સિવાય અન્ય સર્વ કોઈ પદાર્થ અપ્રયોજનભૂત અને નિષ્ફળ છે. તે પ્રયોજનભૂત વસ્તુની સિદ્ધિ માટે જીવ-અજીવ આદિના સત્ય શ્રદ્ધાનની જરૂર છે; કારણકે જ્યાં સુધી પોતે કોણ છે અને પર કોણ છે એ જણાયું નથી ત્યાં સુધી સુખનો ઉપાય કોને વાસ્તુ શોધાય ? મિથ્યાત્વના યોગે આત્મા અને કર્મનો સંયોગ તે “બંધ', અને બંધનું કારણ “આસવ' અને આમ્રવનો અભાવ તે ‘સંવર' અને કથંચિત કર્મનો અભાવ તે નિર્જરા’ અને સર્વ કર્મની નિર્જરા તે “મોક્ષ' – એમ પરસ્પર અવલંબનભૂત ઉત્તરોત્તર સાત તત્ત્વોનું જ્ઞાન એ જ પ્રયોજનભૂત જ્ઞાન છે અને તેનું સત્ય શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સર્વ દુઃખની નિવૃત્તિનો એક જ ઉપાય છે અને તે ઉપર જણાવ્યાં તે પ્રયોજનભૂત તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન છે. તે વિનાનું જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાન અને જુદાજુદા દુષ્કર ચારિત્ર (તપાદિ) અંકરહિત શૂન્ય જેવાં નિષ્ફળ છે. 'પુણ્ય' અને “પાપ' નામના તત્ત્વવિશેષ બંધ તત્ત્વમાં સમાય છે, તે જીવ, અજીવ, બંધ, આસવ, સંવર, નિર્જશ અને મોક્ષ એ સાત તત્ત્વમાં ઉમેરતાં નવ તત્ત્વ થાય છે, અને તેથી તેનું પણ જ્ઞાન પરંપરાએ પ્રયોજનભૂત ગણી શકાય, કેમકે Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ૧૩૧ ' T 8 મા II 1 f walk MA સામાન્ય કરતાં વિશેષ અધિક બળવાન તેમજ સત્વર ફળને ઉત્પન્ન કરનાર એ પાપપુણ્યનો નિયમ છે. ભ્રાંતિનો નાશ એ સમ્યકત્વ ઉપરોક્ત પ્રયોજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સર્વ સંશી પંચેન્દ્રિય જીવો અને તિર્યંચોને જે જ્ઞાનાવરણીય કર્મનું ક્ષયોપશમ હોય છે તે કરતાં વિશેષની કશી અગત્ય નથી, અને તે જ્ઞાનની પ્રાપ્તિ માટે અમુક પ્રકારની ભ્રાંતિ નિવારવા સિવાય બીજું કશું જ કરવાનું નથી. હું કોણ છું? મારું સ્વરૂપ કેવું છે ? હું જેના વિષે મારાપણાનો દાવો રાખું છું તે ખરી રીતે મારું છે કે કેમ ? આ કર્મવર્ગણા કોના સંબંધે છે ? તે રાખવા યોગ્ય છે કે પરિહરવા યોગ્ય છે ? ઈત્યાદિ વસ્તુ શાસ્ત્રદૃષ્ટિએ વિચાર કરતાં પ્રયોજનભૂત જ્ઞાન ઉપરના આવરણરૂપ “ભ્રાંતિનો તુરત વિલય થાય છે, અને તે ભ્રાંતિ રહિત સ્વરૂપ દશા જ શાસ્ત્રદષ્ટિએ સમ્યકત્વ છે. હિં કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વર્ગણા છે ? રાખું કે એ પરિહરું ! - રાજચંદ્ર]. જે કાંઈ કર્તૃત્વ ભાસે છે તે આપણો દૃષ્ટિદોષ છે. અત્યંત શાંતિ, અકર્તૃત્વ, અચળતા અને તેવા જ નિષ્ક્રિય ભાવને સૂચવનાર વિધાનોનું મોક્ષક્રમમાં આદિસ્થાન છે. ટૂંકામાં પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન જ પરંપરાએ સર્વજ્ઞત્વને આપનારું અને સર્વ પ્રકારની ઉચ્ચતમ સિદ્ધિના પદમાં સ્થાપનારું થાય છે. શાસ્ત્રબોધ અને સર્વ શ્રુતનું સાફલ્ય તે સત (નવ) તત્ત્વના શ્રદ્ધાનમાં જ છે. વિવેકદષ્ટિનો ઉદય થતાં સર્વ પ્રકારની ભ્રાંતિ આપોઆપ સમાઈ જાય છે. ભ્રાંતિ આ જગતમાં ભ્રાંતિથી જ એક વસ્તુમાં અન્યત્વનો આરોપ થાય છે. આત્મામાં અનાત્માનો અને અનાત્મામાં આત્માનો આરોપ તેમજ તે આરોપનાં અનેક પ્રકારનાં સ્વરૂપો માત્ર ભ્રાંતિને લઈને જ પ્રકટે છે. આત્મા ઉપરથી ભ્રાંતિનું આવરણ ન્યૂન અંશમાં ખસી જવું તે જ સમ્યકત્વ છે. પછી આ ભ્રાંતિરહિત થયેલ જૂન અંશ આત્માના સર્વાશને ભ્રાંતિરહિત પદ – કૈવલ્યની કટિમાં લાવી મૂકે છે. જેમ બીજનો ચંદ્રમા ક્રમેક્રમે પૂર્ણિમાના ચંદ્રમાં રૂપાંતર પામે છે તેમ ભ્રાંતિના વિલયજન્ય બીજજ્ઞાન કમેક્રમે કૈવલ્યને – સર્વજ્ઞતાને પ્રાપ્ત થવા યોગ્ય છે, અને એટલા જ માટે “સમ્યકત્વ'ને શાસ્ત્રકારે “બીજજ્ઞાન” એ યોગ્ય રહસ્યમય નામ આપેલ છે. શ્રાંતિ શું અને કેવા પ્રકારની છે ? અનાદિકાળથી કર્માવૃત જીવ કર્મના નિમિત્તથી અનેક પર્યાય ધારણ કરે છે અને પ્રતિસમય પૂર્વપર્યાયને છોડી નવીન પર્યાયપરંપરાને ધારણ કરતો જાય છે અને તે ૧. બૌદ્ધોમાં આત્મા દરેક ક્ષણે બદલાય છે એવું માનવામાં આવે છે પરંતુ જે રીતે તેઓ એમ માની આત્માનો નિષેધ કરે છે તે રીત તેમજ આત્માનો નિષેધ જૈનો તેમજ અન્ય દર્શનો સ્વીકારતાં નથી. પારકા* = '18 4 4 A 'F' ' કપ કે ' ' * * * * * * * * Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આ રીતે કે : - અનેક પુદ્ગલ પરમાણુવાળા શરીરમાં આત્મા પોતાપણાનો આરોપ કરે છે, પુદ્ગલના સ્વાભાવિક ધર્મને – વર્ણગંધરસસ્પર્શાદિકને પોતાના ધર્મ માની લઈ હર્ષશોક અને રાગદ્વેષના ઢંઢમાં લપટાય છે, પુલના તે ધર્મ પલટે છે, હાનિવૃદ્ધિ પામે છે વગેરે જે ક્રિયા કરે છે તેને પોતાની સ્વરૂપ અવસ્થારૂપ માની લે છે. શરીર અને આત્માના નિમિત્ત-નૈમિત્તિક સંબંધને સ્વરૂપસંબંધ માની લઈ ઉભયની સંયોગરૂપ ક્રિયાને પોતાની માને છે. દરેક ઈદ્રિય જે કાર્ય કરે છે તે પોતે તે વડે કરે છે એમ માને છે, અર્થાત્ કર્મના નિમિત્તથી પ્રાપ્ત થયેલી ઈદ્રિયોના ધર્મોને પોતાના ધર્મો માને છે એમ અનેક જુદાજુદા પર્યાયમાં પોતાની સ્વબુદ્ધિનો આરોપ કરે છે. આથી આત્મા રાગદ્વેષથી રંગાઈ સંસારપ્રવૃત્તિથી છૂટી શકતો નથી. મિથ્યા શ્રદ્ધાનથી – મિથ્યાત્વથી નિત્ય વસ્તુને અનિત્ય અને અનિત્યને નિત્ય માને છે. પોતાથી ભિન્નને પોતાથી અભિન્ન માને છે, સુખના કારણને દુઃખનું કારણ અને દુઃખના હેતુને સુખનો હેતુ માને છે. આવા અયથાર્થ શ્રદ્ધાનથી ઊપજતા મોહના ઉદયથી ઉદ્ભવેલા કષાયભાવને આત્મા પોતાનો સ્વભાવ માને છે. કષાયભાવ પોતાના જ્ઞાન-દર્શનોપયોગથી ભિન્ન ભાસતો નથી તેનું કારણ એ જ છે કે મિથ્યાત્વનો આસ્રવ, જ્ઞાન અને દર્શન એ ત્રણેનો આધારભૂત આત્મા છે અને એ ત્રણેનું પરિણમન એક જ સમયે થતું હોવાથી તેનું ભિન્નપણું તેને જણાતું નથી. આ જ મિથ્યાદર્શન છે. આ મિથ્યાત્વજન્ય કષાયભાવની આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિત્તભૂત પદાર્થોમાં સુખદુઃખદાતૃત્વનું ભાન થયા કરે છે. પોતાના મિથ્યાત્વ કષાયભાવથી ઉત્પન્ન થયેલા દુઃખનો આરોપ, પોતાની ઈચ્છાનુસાર ન પ્રવર્તનાર પદાર્થમાં કરે છે. વસ્તુતઃ દુઃખ તો ક્રોધથી થાય છે, પરંતુ પોતાના ક્રોધ કષાયથી ઉત્પન્ન થયેલા દુઃખનો હેતુ – ક્રોધનો હેતુ ક્રોધના નિમિત્તને માની લે છે; દુઃખ તો લોભ કષાયથી થાય છે, પરંતુ તે કષાયજન્ય દુઃખનો આરોપ અપ્રાપ્ય વસ્તુમાં કરે છે. વસ્તુતઃ તે અપ્રાપ્ય વસ્તુ તેને દુઃખ આપવા આવતી નથી, છતાં ભ્રમિત મનુષ્ય તેને પોતાના દુઃખનો હેતુ માને છે. એવી જ રીતે અન્ય કષાયો માન, માયાથી ઉત્પન્ન થતાં દુઃખને નિમિત્તથી ઉત્પન્ન થયેલાં માની નિમિત્ત ઉપર ક્રોધ કરે છે. દુઃખનું સ્થાન તો કષાય છે. તેના ઉપર પ્રતિકષાય કરવાને બદલે અર્થાતુ ક્રોધ ઉપસ્થિત થતાં તે પ્રત્યે ક્રોધસ્વભાવતા દર્શાવવાને બદલે માનની સામે દીનપણાનું માન દર્શાવવાને બદલે, માયા વિરુદ્ધ માયા દર્શાવવાને અને તે સિવાયના કષાયો પ્રત્યે પ્રતિકષાય દર્શાવવાને બદલે મૂર્ખ મનુષ્ય પોતાના ઉપર લાકડીનો પ્રહાર કરનારને નહિ કરડતાં જેનાથી પ્રહાર થયો છે તેવી નિમિત્તભૂત લાકડીને કરડવા દોડનાર શ્વાનના જેવી ચેષ્ટા પ્રતિપળ દર્શાવે છે. સમ્યકત્વ આવી ભ્રમવાળી સ્થિતિ શાસ્ત્રજન્ય વિવેકથી નિવારવી તે જ મુમુક્ષુ જીવનું પ્રથમ કર્તવ્ય છે; અને તે ક્રમનો વિલય થતાં સમ્યકત્વનો લાભ અવશ્ય થવા યોગ્ય છે. આ કાળને વિષે દુર્લભ એવું સમ્યક્ત્વ વિવેકદષ્ટિએ વિચારતાં સાવ સુલભ છે અને ક્રમે તે પ્રાપ્ત થવા યોગ્ય છે. સંક્ષેપમાં ભ્રાંતિનો વિલય એ જ સમ્યક્ત્વ અને તેને જેન શાસ્ત્રકારે ચતુર્થગુણસ્થાને કહ્યું છે. તે હોય તો જ વ્રતાદિ ફલદાયક છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન સમ્યક્ત્વ સંબંધે ૬૭ બાબતો આને સમ્યક્ત્વના ૬૭ ‘બોલ’ કહે છે ઃ તે આ પ્રમાણે છે : ૪ સહણા (સશ્રદ્ધા) રાખવી ૧. પરમાર્થ સંસ્તવ પરમ રહસ્ય પરિચય. જીવાદિ તત્ત્વ-પરમાર્થનો વારંવાર વિચાર કરવો, ૨. પરમાર્થ જ્ઞાતૃસેવના તે પરમાર્થને જાણનારાની સેવા, ૩. વ્યાપન્ન દર્શન વર્જન – જેનું દર્શન મિલન થયું હોય યા હોય તેવા કુગુરુનો ત્યાગ, ૪. કુદર્શન વર્જન – અયથાર્થ દર્શન – ધર્મનો ત્યાગ. ૩ લિંગ જેનાથી સમ્યક્ત્વ અમુકમાં છે કે નહિ, તે વર્તી શકાય ચિહ્ન. ૧. શુશ્રુષા - ધર્મશાસ્ત્ર સાંભળવાની અત્યંત રુચિ, ૨. ધર્મરાગ – ધર્મ પ્રાપ્ત કરવાની અત્યંત અભિલાષા, ૩. વૈયાવૃત્ય શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુનું વૈયાવૃત્ય (સેવાભક્તિ) અત્યંત પ્રેમથી સર્વ પ્રમાદ તજીને કરવી તે. ૧૦ પ્રકારનો વિનય - ૧. રાગદ્વેષાદિ રહિત અરિહંતનો, ૨. સર્વકર્મમળ રહિત સિદ્ધનો, ૩. જિન ચૈત્ય-દેરાસરનો કે જ્યાં શાંતરસયુક્ત જિન મુદ્રા હોય તેનો, ૪. શ્રુત સિદ્ધાંતનો, ૫. યતિધર્મનો, ૬. સાધુ વર્ગનો, ૭. આચાર્ય મહારાજનો, ૮. ઉપાધ્યાયનો, ૯. પ્રવચન-સંઘનો, ૧૦. સમ્યક્ત્વીનો વિનય, ભક્તિ (બાહ્ય ઉપચાર - ઔષધાદિ વડે તથા વંદનનમસ્કાર વડે), હૃદયપ્રેમ (બહુમાન), ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા, આશાતનાત્યાગ (મલિનતાજનક - નહિ કરવા યોગ્ય કામ તજવાં) એ પાંચ પ્રકારે કરવો. ૩ શુદ્ધિ ૧. મનઃશુદ્ધિ (સર્વજ્ઞ અને સર્વજ્ઞની આજ્ઞા સત્ય માની મન શુદ્ધ રાખવું), ૨. વચનશુદ્ધિ – ઇષ્ટ સિદ્ધિ માટે સર્વજ્ઞ દેવની ભક્તિ છે એમ સ્પષ્ટ ઉચ્ચારવું, ૩. કાયાશુદ્ધિ – સર્વજ્ઞ દેવને જ નમવું. - ૫ દૂષણ ૧. શંકા - સર્વજ્ઞનાં પદાદિ સંબંધે વચનમાં સંદેહ, ૨. કાંક્ષા અસત્ દર્શનીના રાગી થવું. ૩. વિચિકિત્સા દાન શીલ તપ ભાવનારૂપ ધર્મકૃત્યના ફલનો જ સંદેહ (શંકા એ પદાર્થ સંબંધે છે અને વિચિકિત્સા ક્રિયાના સંદેહ સંબંધે છે). ૪. મિથ્યામતિ ગુણ વર્ણના - ઉન્માર્ગીનાં વખાણ કરવાં, ૫ મિથ્યામતિ પરિચય – ઉન્માર્ગીનો પરિચય. - ૮ પ્રકારે પ્રભાવના – વિશેષ પ્રકારે ધર્મને દીપાવવો તે પ્રભાવના. તે જુદીજુદી આઠ રીતે થાય છે અને તે કરનારને પ્રભાવક કહે છે. ૧. પ્રાવચનિક -- શાસ્ત્રપારગામી થવું, ૨. ધર્મકથી - ધર્મોપદેશક થવું. ૩. વાદી – તર્કશાસ્ત્રમાં નિપુણ થવું, ૪. નૈમિત્તિક - અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી, ૫. તપસ્વી થવું. ૬. વિદ્યાસાધક થવું - પવિત્ર આમ્નાય યુક્ત મંત્રવિદ્યાની સિદ્ધિ મેળવવી, ૭. સિદ્ધ અંજન આદિ યોગમાં નિપુણપણું પામવું, ૮. કવિ – ધર્મરહસ્યયુક્ત ચમત્કૃતિવાળાં કાવ્ય રચવામાં કુશલ થવું. ૧૩૩ ૫ ભૂષણ - જેથી સમ્યક્ત્વ શોભે તે. ૧. દેવગુરુવંદન, વ્રતપ્રત્યાખ્યાનમાં કુશળતા, ૨. તીર્થસેવા ૩. દેવગુરુભક્તિ ૪. ધર્મનિશ્ચળતા, પ. પ્રભાવના – શાસનની ઉન્નતિ કરવી. - Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૫ લક્ષણ – ૧. શમ (ઉપશમ) – અપરાધી જીવનું પણ અહિત નહિ કરતાં બની શકે તો તેનું હિત જ કરવાનો પરિણામ. ૨. સંવેગ – મોક્ષસુખની જ અભિલાષા, ૩. નિર્વેદ - ભવવૈરાગ્ય, ૪. અનુકંપા – દુઃખીજનોને સહાય આપવાની – ઉદ્ધરવાની બુદ્ધિ, ૫. આસ્તિકતા – સર્વજ્ઞ કથિત તત્ત્વો પર પ્રતીતિ. આ સમ્યક્ત્વનાં લક્ષણ છે. ૬ યત્ના. (સંભ: 1) – કુદેવ કુગુરુને ૧. વંદન (હાથ જોડીને નમસ્કાર), ર. નમન (મસ્તક નમાડીને નમવું), ૩. ગૌરવભક્તિ (ઈષ્ટ અન્નાદિક આપી ભક્તિ દેખાડવી.), ૪. અનુપ્રદાન (વારંવાર તેવું દાન આપવું), અને તેની સાથે ૫. આલાપ (અણબોલાવ્યા વાતચીત કરવી), ૬. સંલાપ (વારંવાર વાતચીત કરવી) કરાય નહિ તે માટે સંભાળ રાખવી. ૬ આગાર (છૂટ) – સમ્યક્ત્વમાં હૃદયથી રહ્યા છતાં બાહ્યથી તેની વિરુદ્ધ આચરણ છ જાતનાં કારણ થાય તો કરવાની છૂટ આપેલી છે. ૧. રાજાભિયોગ - રાજાના હુકમથી ૨. ગણાભિયોગ – ઘણા લોકોના કહેવાથી ૩. બલાભિયોગ – ચોર પ્રમુખના ભયથી. ૪. દેવાભિયોગ – ક્ષેત્રપાલાદિ દેવોના કારણથી. ૫. ગુરુનિગ્રહ - માતપિતાદિ વડીલોના અતિ આગ્રહથી ૬. ભીષણ કાંતારવૃત્તિ – આજીવિકાનો અન્ય રસ્તો ન હોવાથી અન્યથા આચરવું પડે તો મિથ્યાત્વ ન લાગે. ૬ ભાવના ૧. સમ્યકત્વમૂલ ભાવના – સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. સમ્યક્ત્વદ્વાર ભાવના – તે ધર્મનગરનું દ્વાર છે. ૩. સમ્યક્ત્વપીઠ ભાવના – તે ધર્મ મહેલનો પાયો છે. ૪. સમ્યક્ત્વ નિધાન ભાવના – તે સમસ્ત ગુણનું નિધાન છે. ૫. સમ્યત્વ આધાર ભાવના – તે સમસ્ત ગુણનો આધાર. ૬. સમ્યકત્વભાજન ભાવના - તે સમ્યકત્વ મૃત-શીલાદિક ધર્મનું ભાજન છે – આમ હૃદયમાં ભાવી સમ્યકત્વ ગુણનું માહામ્ય વિચારવું. ૬ સ્થાનક – ૧. આત્મા (ચેતના લક્ષણવંત) છે, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા (કર્મનો) કર્તા છે, ૪. આત્મા (કર્મનો) ભોક્તા છે, ૫. મોક્ષ છે અને ૬. મોક્ષનો ઉપાય છે. - આ છેલ્લાં છ સ્થાનકમાં આખો આત્મવાદ છે અને તે આ પછીના પ્રકરણમાં ઘણા વિસ્તારથી ચર્યો છે. આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) [આ વિષયનું લેખકે કરેલું વિવરણ શ્રીમદ્ રાજચંદ્રના “આત્મસિદ્ધિશાસ્ત્રને આધારે કરવામાં આવ્યું છે. આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” (કડી ૪૩) અને આગળ શ્રીમદ્ રાજચંદ્ર આ ક્રમે જ પદ્યબદ્ધ ચર્ચા કરી છે. શિષ્ય શંકા કરે છે અને ગુરુ એનું સમાધાન કરે છે.] આત્માના અર્થને – સ્વરૂપને – પરમાર્થને સમજાવવા માટે શ્રમણ ભગવાન શ્રી Page #156 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૩૫ મહાવીરે ‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે, ‘આત્મા કર્મનો કર્તા છે, ‘આત્મા કર્મનો ભોક્તા છે', “આત્માનો મોક્ષ છે', “મોક્ષનો ઉપાય પણ છે' – આ ષટ્રપદી યોજના મુમુક્ષના સિદ્ધાંતને – અનેકાંત અને સકલ દર્શનના મૂલતુલ્ય કરેલ છે. ૧. આત્મા છે. કોઈ એમ શંકા કરે છે કે “આત્મા દષ્ટિમાં આવતો નથી, કે તેનું બીજું કંઈ રૂપ જણાતું નથી, અથવા સ્પર્ધાદિ બીજા અનુભવથી પણ જણાતો નથી; માટે આત્મા અથવા જીવનું હોવાપણું સંભવતું નથી; અર્થાત્ જીવ નથી.” આના ઉત્તરમાં જણાવવાનું કે દરેક પ્રાણીને શરીર હોય છે અને તે શરીરને ઈદ્રિયો હોય છે. કેટલાક શરીરી જીવને એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઈદ્રિય (સ્પર્શ, ચક્ષુ, કર્ણ, રસના, નાસા) હોય છે. હવે આ પાંચ ઈદ્રિયના વ્યાપાર – અડવાના, ચાખવાના, ગંધ લેવાના, જોવાના અને સાંભળવાના વ્યાપાર તે પાંચ ઈદ્રિયથી પર – અતીન્દ્રિય વસ્તુ ન હોય તો થઈ શકતા નથી, તેમ થઈ શકતા હોત તો મરણ પામેલા શરીરમાં સર્વ ઈદ્રિય હોવા છતાં તેમાંથી સર્વ વ્યાપાર થઈ શકત; પણ તે થઈ શકતા નથી તેથી પ્રાણીમાત્ર પાસે એક એવી વસ્તુ છે કે તે વસ્તુની જ્યાં સુધી દેહમાં પ્રત્યક્ષ પ્રતીતિ જણાય છે ત્યાં સુધી મનુષ્યનું મન મનન કરી શકે છે, ચિત્ત ચિંતવન કરી શકે છે, બુદ્ધિ નિશ્ચય કરી શકે છે, અહંકાર હુંપણું કરે છે, ત્વચા સ્પર્શ કરી શકે છે, જીભ રસ ચાખી શકે છે, નાસિકા ગંધ લઈ શકે છે, ચક્ષુ જોઈ શકે છે, અને શ્રોત્ર સાંભળી શકે છે – ટૂંકામાં માનસિક અને શારીરિક સર્વ વ્યાપાર ત્યાં સુધી જ ચાલે છે કે જ્યાં સુધી શરીરમાં એક અલૌકિક પદાર્થ હોય કે જે પદાર્થ તિરોધાન થતાં, અંતર્ધાન થતાં કે અન્ય સ્થળે જતાં સર્વ પ્રકારના શારીરિક અને માનસિક વ્યાપારો બંધ પડે છે, અને જેના આવિર્ભાવથી સર્વ વ્યાપારો વ્યાપારરૂપે પ્રતીત થાય છે તે શરીરથી ભિન્ન પદાર્થને શ્રમણ ભગવાન્ મહાવીરે આત્મા એ નામથી કહ્યો છે. અન્ય સંપ્રદાય-પ્રવર્તકોને (ચાર્વાક સિવાય) એ જ માન્ય છે. આત્મા શું છે ? કોઈ એમ કહે છે કે દેહ જ આત્મા છે, અથવા ઈદ્રિયો, પ્રાણ કે શ્વાસોચ્છવાસ છે તે જ આત્મા છે. એ સિવાય અન્ય કોઈ આત્મા માનવાનું કારણ નથી, કેમકે કંઈ બીજું ચિહ્ન જણાતું નથી; વળે જો આત્મા હોય તો જેમ ઘટપટાદિ પદાર્થો જણાય છે તેમ તે આત્મા જણાવો જોઈએ; અને જ્યારે તેમ તે જણાતો નથી તો આત્માનું હોવાપણું નથી. આના ઉત્તરમાં જણાવવાનું કે અનાદિકાળથી અજ્ઞાનને લઈને આપણને દેહનો પરિચય છે – દેહાધ્યાસ છે તેથી આત્મા દેહ જેવો ભાસે છે, પરંતુ જેમ તરવાર અને માન બંને સાથે છતાં જુદાં છે તેમ આત્મા અને દેહ જુદા છે; કેમકે બંનેનાં જુદાં જુદાં લક્ષણો જણાય છે. આત્મા આંખથી જોઈ શકાવા યોગ્ય નથી કેમકે એ તો આંખનો પણ જોનાર છે. આત્મા ભૂલ-સૂક્ષ્માદિ રૂપને જાણનાર પદાર્થ છે. વળી સર્વેનો બાધ કરતાં કોઈપણ પ્રકારે જેનો બાધ થઈ શકતો નથી એવો જે બાકી અનુભવ રહે છે તે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬, જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જ આત્મા છે. તાત્પર્ય કે દેહ અથવા તેના પ્રત્યેક અવયવના દષ્ટાંત તરીકે જ્ઞાનગુણધારક કોઈ એક પદાર્થ અનુભવાય છે પરંતુ તે જ્ઞાનગુણધારક પદાર્થને જોનાર તરીકે કોઈપણ બીજો પદાર્થ અનુભવાતો નથી. ત્વચા આદિ પાંચે ઈદ્રિયો પોતપોતાના વિષય પ્રમાણે કોઈ એક અસાધારણ પદાર્થથી પ્રેરાય છે, પરંતુ તેમાંની એકે ઈદ્રિય, પોતાના વિષય સિવાય – જોકે પોતાનો વિષય પણ આત્મા વિના અનુભવતી નથી – બીજી ઈદ્રિયના વિષયને અનુભવતી નથી, જ્યારે એ આત્મા એ પાંચે ઈદ્રિયોના વિષયને જાણે છે. આ જે જાણનાર પદાર્થ તે જ આત્મા છે. આત્માને દેહ કે ઈદ્રિયો અથવા શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ જાણી શકતા નથી, પરંતુ તે સૌ આત્માની સત્તાપૂર્વક પ્રવર્તે છે; જો આત્માની સત્તાની પ્રેરણા ન હોય તો દેહાદિ સર્વ જડપણે પડ્યાં રહે છે. આવી જેની અસાધારણતા છે તે “આત્મા' છે. જાગતાં હોઈએ કે સ્વપ્નમાં હોઈએ કે નિદ્રાધીન હોઈએ પરંતુ ત્યારે પણ આત્મા તે-તે અવસ્થાઓથી જુદો જ જોવામાં આવે છે, કારણકે નિદ્રામાં સ્વપ્નમાં હોવા છતાં પણ તે નિદ્રાદિ અવસ્થાઓને જાણનાર કોઈક પદાર્થ છે એમ સર્વનો અનુભવ છે. આવો જાણનાર જે પદાર્થ તે ચૈતન્યમય છે અને જે ચૈતન્યમય સ્વભાવવાળો પદાર્થ છે તે જ આત્મા' છે. વળી જો જ્ઞાનગુણ એ દેહનો ધર્મ હોય તો દુર્બળ દેહમાં પરમ જ્ઞાનબુદ્ધિ જોવામાં આવે છે અને સ્કૂલદેહમાં અલ્પજ્ઞાન-બુદ્ધિ પણ જોવામાં આવે છે તેવું થવું ન જોઈએ. આ કારણે પણ દેહનો ગુણ જ્ઞાન નથી પરંતુ કોઈ એક અન્ય પદાર્થનો તે ગુણ-જ્ઞાન છે. અને તે અન્ય પદાર્થ તે જ “આત્મા' છે. કોઈપણ કાળે – કોઈપણ પ્રયોગે – જેમાં જાણવાનો સ્વભાવ ઉત્પન્ન થઈ શકતો નથી તે જડ; અને જે સર્વદા જાણવાના સ્વભાવસહિત છે તે ચેતન. આવા બંને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા જડ અને ચેતન બંને એકતા પામી ન શકે, માટે બંને ભિન્ન છે. વળી “આત્મા નથી” એની શંકા કરનાર “આત્મા’ પોતે જ છે કારણ કે શંકા એ મતિજ્ઞાનથી થાય છે. આત્માનું લક્ષણ ચેતના – જ્ઞાન છે. શ્રીમદ્ ભાગવતકાર પણ કહે છે કે જેને વેતયતે જે વડે વિશ્વ – દેહ ચેતીભૂત થાય છે તે આત્મા છે. યદિ શંકા થાય કે દેહ એ જડસંયોગથી બનેલ છે. તેમાંના કોઈ સંયોગથી દેહ ચેતીભૂત થાય છે અને તે સંયોગમાં ખામી આવવાથી જડ દેહ તે જડરૂપે – શબરૂપે જણાય છે, તેથી વાસ્તવમાં આત્મા એવી ચીજ સંભવી શકે નહીં. આવું કેટલાક મત માને છે. દાખલા તરીકે ચાર્વાક આદિ કેટલાક મતવાદી એમ માને છે કે પૃથ્વી, અપુ. તેજ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના સંયોગે ચેતના ઉત્પન્ન થઈ હોય એવો ભાસ થાય છે, જ્યારે વાસ્તવિક રીતે ચેતનની વ્યક્તિ જુદી છે જ નહીં. પંચમહાભૂતનો સંયોગ મટી જાય એટલે પાછું જેમ હતું તેમ થઈ જાય છે એમ ભૂતવાદી' કહે છે. આનો પ્રત્યુત્તર એ છે કે દશ્યનો દ્રષ્ટા દશ્યથી ભિન્ન જ હોય છે. ગૃહમાં રહેનાર દ્રષ્ટા કહે કે “આ દશ્ય તે ગૃહ મારું છે' તો તેમાં ગૃહથી (દશ્યથી) તેમાં રહેનાર દ્રષ્ટા) જુદો છે. તેવી જ રીતે દેહરૂપ દશ્યનો દ્રષ્ટા પણ દેહથી ભિન્ન છે. ન્યાયશાસ્ત્ર પ્રમાણે દ્રષ્ટા અને દેશ્ય એક જ હોઈ શકે નહીં, માટે જે દેહનો દ્રષ્ટા છે તે દેહથી ભિન્ન છે, અને તે દ્રષ્ટાને શાસ્ત્રકારે “આત્મા’ એ નામ આપેલ છે. વળી સજાતિ સજાતિના Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૩૭ સંયોગથી જે નૂતન પદાર્થ બને તે પણ સજાતિ જ થાય, પણ વિજાતિ કદીપણ બને જ નહીં, તેમ સજાતિ એટલે જડ જાતિ એવાં જે પંચભૂતો તેમના અસરપરસ સંમેલનથી નૂતન પદાર્થ બને તે જડ જ બને, પણ ચૈતન્ય તો ત્રિકાલમાં પણ બની શકે નહિ, બની શક્યું નથી અને બની શકશે નહીં : અર્થાત્ જડદેહથી તેનો દ્રા જે આત્મા તે કેવલ ભિન્ન છે. શારીરિક અને માનસિક પ્રવૃત્તિ થઈ શકે છે તે ચૈતન્ય છે – તે જ આત્મા છે. એ આત્મા સૌ સૌની પાસે એટલે સૌ સૌ રૂપ જ છે એ સમજાવવા માટે ભૂલ બુદ્ધિને ઉપદેશવા શ્રી નાનકે કહ્યું છે કે : કહત ગુરુ નાનક ગુરુ પ્રતાપસે, બોલી રહ્યો સો દુજો નહિ.” - એટલે જે શક્તિ વડે બોલી શકાય છે તે શક્તિ તે જ સ્વયં આત્મા છે. આત્માનું બીજું નામ “ચૈતન્ય – ચેતનવાળો – જાણનાર છે. દેહ શું છે ? – દેહ છે તે જીવને માત્ર સંયોગસંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી, અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે અચેતન છે – કોઈને જાણતો નથી, પોતાને જાણતો નથી તો પછી બીજાને શું જાણે ? વળી દેહ રૂપી છે, શૂલાદિ સ્વભાવવાળો છે, અને ચક્ષુનો વિષય છે, એ પ્રકારે દેહનું સ્વરૂપ છે. તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ તે પોતાને જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે' એમ શી રીતે જાણે ? અને “મારા છૂટી જવા પછી – નાશ થવા પછી આ ચેતન છૂટી જશે – નાશ પામશે’ એમ જડ એવો દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે, દેહ જાણનાર થઈ શકતો નથી, તો પણ ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ કેને વશ છે એમ કહેવું ? દેહને વશ છે એમ કહેવાય એવું છે જ નહિ, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ કે ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે તો તે વાત બોલતાં જ ચેતનનો સ્વીકાર થઈ ગયો. દેહ રૂપી છે, જ્યારે આત્મા તેથી ભિન્ન સ્વભાવવાળો અરૂપી છે. શ્રી મહાવીરે કવિ પત્તા – અરૂપી એટલે નિરાકાર કહે છે અને તેથી જ તેને અમુકના જેવો છે એમ ઉપમા આપી શકાય તેમ નથી અર્થાત્ તે અનુપમ છે. ઉપમા એ તર્ક તથા વાણીનો વિષય છે તેથી તર્કો જ્યાં જતા નથી અને મતિ તેને ગ્રહણ કરી શકતી નથી એમ મહાવીરે જણાવેલ છે. આત્મા તેના શુદ્ધ સ્વરૂપમાં પરમાત્મા છે. તે વિભુ એટલે પિંડરૂપ બ્રહ્માંડમાં વ્યાપક, સત્ ચિદાનંદ, અરૂપ અને અદ્ભુત છે. એ આત્મસ્વરૂપ અનાદિ અનંત હોઈ શ્રત કહે છે કે તે આદિ મધ્ય અને અંતરહિત એક જ છે. તે આત્મા સકલ સુખનિધાન છે. સંક્ષેપમાં તે આત્મા સકલસુખનિધાન છે. સકલ જ્ઞાન અને સકલક્રિયા એ જો આત્મા શું છે આ વિચાર માટે કરવામાં ૧. તદ નW T વિજ્ઞતિ મતિ તા હતા – આની સાથે સરખાવો ત્યમવ્યવતમનંતi - આત્મા અચિંત્ય, અવ્યક્ત અને અનંતરૂપ છે. - અથર્વવેદ કૈવલ્યોપનિષદ્રની યુતિ. વાવ્ય વિમુત્યમસંઘનાઘેં – ભક્તામર સ્તોત્ર. 5 . Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આવે તો તે સફળ છે એમ શ્રી જિનનો સિદ્ધાંત છે. એ દર્શાવવા માટે જ આચારાંગ સૂત્રમાં જણાવેલ છે કે, જે એક જાણે છે તે સર્વ જાણે છે : જે સર્વ જાણે છે તે એક જાણે છે' – અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાયથી જાણે છે તે નક્કી સર્વને જાણે છે, કારણકે સર્વજ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને સ્વપર પર્યાયભેદથી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપે સમજવી એ અશક્ય છે; જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે, તે એકને પણ સ્વપર પર્યાયભેદથી ભિન્ન રૂપે, યથાર્થ જાણે છે - તે પ્રમાણે એક આત્માને જે જાણે તે સર્વને જાણે. સકલ ક્રિયાઓ વગેરેની પ્રવૃત્તિ કેવલ એક આત્માને જાણવા માટે જ છે. જ્યારે એ પ્રકારથી આત્માને જાણવામાં આવે છે ત્યારે જણાય છે કે આત્મા એ ઈશ્વર છે અને તે સૌ સૌની પાસે છે. ૧૩૮ આ રીતે પંચભૂતવાદી ચાર્વાક અને નૈરાત્મ્યવાદી બૌદ્ધથી જૈન જુદા પડે છે. બૌદ્ધનો નૈરાત્મ્યવાદ (સર્વનનાભમ્) બૌદ્ધ દર્શન સંબંધે આ જ ગ્રંથમાં લખેલું છે તે પરથી સમજાશે. ૨. આત્મા નિત્ય છે. આત્માનું નિશ્ચય સ્વરૂપ અવિનાશી છે એટલે નિત્ય – ત્રણે કાળ રહેવાવાળું છે, સત્ છે. પર્યાયદૃષ્ટિએ જોતાં જીવ મનુષ્ય, તિર્યંચ આદિ અનેક ગતિ લેતો વ્યવહારમાં જોવામાં આવે છે તેથી તેને અનિત્ય રૂપ માની શકાય તેમ છે. જૈનો સ્યાદ્વાદી જીવને નિત્યાનિત્યરૂપ – સદસદ્રૂપ માને છે, એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનતા નથી. દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ શંકાનું સમાધાન ઉપર આપણે કરી ગયા છીએ એટલે તે પરથી દેહથી ભિન્ન એવો આત્મા સિદ્ધ કર્યો છે. આત્મા દેહ તથા દેહના સંયોગીને જુએ છે અને જાણે છે; તેથી તે સંયોગોથી ભિન્ન છે, દ્રષ્ટા છે જ્ઞાતા છે, અને દેહ અને સંયોગો દૃશ્ય છે. આથી કોઈપણ સંયોગથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી એમ જણાશે. જીવને કોઈપણ સંયોગ જાણતા નથી, જ્યારે જીવ તે સર્વ સંયોગોને જાણે છે; એ જ જીવનું જુદાપણું અને સંયોગોથી ઉત્પન્ન નહિ થવાપણું સહસિદ્ધ કરે છે. કોઈપણ સંયોગથી જે ઉત્પન્ન થયું ન હોય અર્થાત્ જે પદાર્થ પોતાના સ્વભાવથી જ સિદ્ધ હોય તેનો લય બીજા કોઈપણ પદાર્થમાં થાય નહિ અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહિ તો તેમાં તેની લયરૂપ એકતા થાય નહિ, માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશીં – નિત્ય છે એ પ્રતીતિમાં આવે તેમ છે. સર્વમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિશે જન્મથી જ નિહિઁસકપણું હોય છે. માંકડ આદિ જંતુઓને પકડતાં તેને ભવ્ય સંજ્ઞા થાય છે તેથી તે નાસી જવાનો પ્રયત્ન કરે છે; કોઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કોઈકમાં સમતાનું, કોઈકમાં નિર્ભયતાનું, કોઈમાં ભય સંજ્ઞાનું એમ વિશેષપણું જોવામાં આવે છે. આ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી, તેમજ તે-તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહેલી જોવામાં આવે છે તેથી, તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૩૯ કદાપિ કોઈ એમ કહે કે ગર્ભમાં વીર્ય અને રેતના ગુણના યોગથી તે-તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી. આ કથન યથાર્થ નથી, કારણ કે જે માબાપો કામને વિશે વિશેષ પ્રીતિવાળાં હોય છે તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણથી જ જોવામાં આવે છે, અને વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષણપણું જોવામાં આવે છે તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દષ્ટિગોચર થાય છે તે શી રીતે થાય ? વળી તે વીર્યરતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્યરત પોતે ચેતન નથી, પણ તેમાં સંચરે છે એટલે દેહ ધારણ કરે છે, એથી કરીને વીર્યરતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહિ. ચેતન વિના કોઈપણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી, માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે તે વીર્યરતના ગુણો નથી. આમ હોવાથી તેના જૂનાધિક્યથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ચૂનાધિકપણું થાય છે. તેથી ક્રોધાદિક ગર્ભના વિયરતનો ગુણ નહિ પણ ચેતનનો તે ગુણને આશ્રય છે, અને તેનું જૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય, ચેતનનો પૂર્વપ્રયોગ તથા પ્રકારે હોય તો તે સંસ્કાર વર્તે. આથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. જો આત્મા નિત્ય ન હોય તો બાલ, યુવાન અને વૃદ્ધ એવી શરીરની ત્રણ અવસ્થા બદલાય છે, પરંતુ આત્મા તો તેનો તે જ રહે છે તેમ ન બને. આત્મા એનો એ જ રહે છે તેનું એ પ્રમાણ છે કે બાળવયમાં થયેલો અનુભવ, યુવાવયમાં સ્મૃતિમાં રહેલો જોવામાં આવે છે, અને યુવાવસ્થામાં થયેલો અનુભવ વૃદ્ધાવસ્થામાં સ્મૃતિમાં રહેલો અનુભવાય છે. જો આત્મા એક નિત્ય વસ્તુ ન હોય તો તેમ ન બને. એટલે જેમ બૌદ્ધો માને છે તેમ આત્મા ક્ષણેક્ષણે બદલાતો હોય તો એક અવસ્થામાં થયેલો અનુભવ બીજી અવસ્થામાં સ્મરણમાં ન રહેવો જોઈએ. આ કારણથી આત્મા “ક્ષણિક નહિ, પણ ‘નિત્ય' છે એમ સ્પષ્ટ જણાય છે. એક વચન બોલવા પહેલાં તેનો વિચાર કરવો પડે છે. જે ક્ષણે વિચાર કરવો પડે છે તે જ ક્ષણે તે વિચાર બોલાતો નથી; અર્થાતુ પહેલું વિચારવું અને પછી બોલવું થાય છે. જો બોલનાર, વિચાર કરતી વેળા એનો એ જ ન હોય, તો તેણે જે વિચાર કર્યો હોય છે તે રૂપ અનુભવ બોલતી વખતે તે વિચાર દર્શાવી કેમ શકે ? આ ઉપરાંત એક એવો સિદ્ધાંત છે કે કોઈપણ વસ્તુનો કોઈપણ કાલે (નિશ્ચયથી) સર્વથા નાશ થાય નહિ, કે કોઈપણ વસ્તુની કોઈપણ કાલે ઉત્પત્તિ થાય નહિ, માત્ર અવસ્થાંતર થાય. જેમકે માટીનો ઘડો ફૂટતાં તેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ કટકા કરી રજ કરવામાં આવે તો પણ માટીના પરમાણુ જે મૂલ સમૂહમાં હતા તે છૂટા છૂટા થયા ૧. અહીં Law of Heredity (વંશપરંપરા ગુણદોષ ઉત્તરોત્તર ઊતરે છે) એવો પાશ્ચાત્ય ફિલસૂફીનો એક સિદ્ધાંત સૂચવવામાં આવેલ છે. ૨. પાશ્ચાત્ય વિજ્ઞાનવિદ્યાનો એવો જ એક સિદ્ધાંત છે કે "Nothing is produced and nothing is destroyed” – કોઈપણ ઉત્પન્ન થતું નથી. અને કાંઈપણ નાશ પામતું નથી.” Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો પછી પણ તેના તે જ રહે છે. પૂર્વજન્મ – ઉપર કહ્યું તેમ પૂર્વજન્મ આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. નિત્ય એટલે પૂર્વકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં હોવાપણું. તો હવે પૂર્વજન્મ સંબંધે જૈન દર્શન શું કહે છે તે કહીએ : પૂર્વજન્મના સ્મરણને “જાતિસ્મરણ (જાતિ-જન્મ. તેની સ્મૃતિ) એ નામ આપેલ છે અને જેન દર્શનમાં કહ્યું કે જાતિસ્મરણ બ્રહ્મચર્ય, તપ, સશાસ્ત્રાધ્યયન, વિદ્યામંત્રાદિ, સત્તીર્થસેવન, માતાપિતાની સમ્યક્ સેવા, આતુરને ઔષધદાન, દેવપ્રાસાદાદિનો ઉદ્ધાર – એટલાંથી થાય છે. જેમ એક સ્થાનથી બીજે સ્થાન જવાય છે તેમ પરલોકથી આ લોકમાં આવવું થાય છે. અહીં એમ શંકા કરવામાં આવે કે એક સ્થાનથી અન્ય સ્થાને જતાં સ્મૃતિ રહે છે તેમ પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી, તો કહેવાનું કે ઉન્માદ એટલે મોહ તથા ગ્રહ એને ભૂતાદિ સંનિવેશને લીધે જેમ સમગ્ર અનુભવની સ્મૃતિ વિશેષરૂપે રહેતી નથી, તેમજ સર્વને એક સ્થાનથી અન્ય સ્થાને જતાં રહેતી નથી. તે જ રીતે પુનર્જન્મ સંબંધે થાય છે. બાકી સામાન્ય રૂપે પૂર્વજન્મની સ્મૃતિ રહે છે. વારંવાર એટલે જન્મોજન્મ તેનો તે અભ્યાસ થવાથી પ્રાણીમાત્ર જન્મતાં વાર જ સ્તનપાનાદિ પ્રતિ આકાંક્ષા રાખે છે ને તેમાં આપોઆપ પ્રવૃત્ત જ થઈ જાય છે – એ પૂર્વજન્મના અનુભવની સ્મૃતિનું પ્રત્યક્ષ પ્રમાણ છે. આ હેતુ અસિદ્ધ પણ નથી, કારણકે દૂધ પાવાથી બાળક રોતું બંધ થાય છે. આકાંક્ષા જે પદાર્થનો પહેલો અનુભવ કર્યો હોય તેની જ થાય છે. વળી કોઈ કહે કે સ્વપ્ન થયા પછી જાગ્રત અવસ્થામાં એમ સ્મરણ રહે છે કે અમુક સ્વપ્ન થયું હતું તેમ આ જન્મના અનુભવનું કારણ પૂર્વજન્મના અનુભવ છે એવું અનુસંધાન થતું નથી. તો તેનું સમાધાન એ છે કે જાગ્રતના અભ્યાસને લીધે સ્વપ્નમાં જે વૃત્તિ – જ્ઞાન થાય છે તે અમુક અનુભવની આ સ્મૃતિ છે એવી વિશિષ્ટ સ્મૃતિરૂપે સર્વદા જ્ઞાન રહેતું નથી. તેમ જાગ્રતમાં પણ સ્વપ્નાનુભવનું વિશિષ્ટ સ્મૃતિરૂપે સર્વદા જ્ઞાન થતું નથી, તો પુનર્જન્મના સંબંધમાં તેવું ક્યાંથી થાય ? વળી અનેક મહાત્માઓને જાતિસ્મરણ જ્ઞાન થયેલ છે અને અદ્યાપિ પણ ક્વચિતુ. ક્વચિત્ થાય છે એવું સમાચારપત્રોથી આપણે જાણીએ છીએ. અથવા અનેક મનુષ્ય મરણ પામી ભૂતાદિક દેવયોનિમાં ઉત્પન્ન થાય છે અને તે પોતાને પૂર્વમનુષ્યભવમાંથી તે યોનિમાં ઉત્પન્ન થયેલ બતાવે છે. આ સંબંધે પણ અનેક લેખ સમાચારપત્રોમાં આવ્યા છે. આ સર્વનું સમાધાન એ રીતે છે કે જીવ તેમજ અન્ય સર્વ દ્રવ્યોમાં અસ્તિત્વ નામનો એક સામાન્ય ગુણ છે. તે ગુણનું એ કાર્ય છે કે જે દ્રવ્ય છે તે હમેશાં છે છે ને છે અને હંમેશ રહેશે; અર્થાત્ સત્ (Existence)નો કદીપણ વિનાશ (nonexistence) થતો નથી. અને અસત્ (nonexistence) નો કદીપણ ઉત્પાદ (Existence) થતો નથી. સંસારમાં જે પદાર્થોના ઉત્પાદ અને વિનાશ થતા જોવામાં આવે છે તે માત્ર અવસ્થાંતર છે અને તે જ દષ્ટિએ આત્મા પણ જુદાજુદા દેહધારી જુદાજુદા જીવ કરે Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક) ૧૪૧ છે તેથી તેને “અનિત્ય” પણ તે દષ્ટિએ કહેવામાં વિરોધ નથી. ઘટનો વિનાશ અને ઘટની ઉત્પત્તિનો અર્થ એ છે કે માટી દ્રવ્ય એક આકારથી બીજા આકારમાં ગયું. પહેલાં માટી દ્રવ્ય પિંડાકારમાં હતું તે ઘટાકાર થયું ત્યારે ઘટોત્પત્તિ કહેવામાં આવે છે, અને ઘટાકારને છોડી કપાલાકાર (ઠીંકરા આકાર)માં આવ્યું તેને ઘટનો વિનાશ કહેવામાં આવે છે. વાસ્તવમાં કોઈ પદાર્થ નષ્ટ થતો નથી તેમ કોઈ પદાર્થ ઉત્પન્ન થતો નથી. ૩. આત્મા કર્મનો કર્તા છે વ્યવહારનયથી આત્મા પુદ્ગલકર્મ આદિનો – જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મોનો તથા આદિ એટલે ઔદારિક, વૈક્રિયક, આહારકરૂપ ત્રણ શરીર અને આહાર આદિ છ પર્યાપ્તિને યોગ્ય જે પુગલ પિંડરૂપ છે તેનો કર્યા છે અને તે જ રીતે બાહ્ય વિષય ઘટ પટ આદિનો કર્તા જીવ છે. નિશ્ચયનયથી આ આત્મા ચેતન-કર્મનો કર્તા છે એટલેકે રાગદ્વેષરૂપ ભાવકર્મનો કર્તા છે. અને શુદ્ધ નથી અનંતજ્ઞાન, સુખ આદિ શુદ્ધભાવોનો છઘસ્થ અવસ્થામાં એકદેશ કત્તા આત્મા છે જ્યારે મુક્તદશામાં અનંતજ્ઞાનાદિ શુદ્ધભાવોનો કર્તા છે. જીવ કર્મનો કર્તા નથી, પણ કર્મ પોતે જ કર્મનો કર્તા છે, અથવા તે કર્મ અનાયાસે થયા કરે છે, કારણકે જો એમ ન સ્વીકારીએ તો જીવનો કર્મ એ ધર્મ – સ્વભાવ જ થઈ જાય અને તેમ થયે જીવ કદીપણ કર્મથી નિવૃત્ત ન જ થાય કારણ કે ધર્મીમાં હમેશાં ધર્મ નિત્યપણે હોય છે. આ શંકાનું નિવારણ એ છે કે ચેતનની પ્રેરણાથી જ કર્મનું ગ્રહણ થાય છે. જો તેવી પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવા રૂપ સ્વભાવ જડનો છે જ નહિ. અને જો એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કહે છે એમ સિદ્ધ થાય છે. પ્રેરણારૂપ પ્રવૃત્તિ ચેતનમાં છે, પણ કાંઈ જડ પદાર્થમાં – કર્મમાં તે સ્વભાવ નથી. અને જો સ્વભાવ ન હોય તો તેનું પરિણામ પણ થાય નહિ. તેથી જડકર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહિ હોવાથી તે-તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણા શક્તિ છે તેથી કર્મનો કર્તા કર્મ કહેવાય નહિ. વળી કમ અનાયાસથી થાય છે કે નહિ તે વિચારીએ. અનાયાસ એટલે શું ? (૧) આત્માએ નહિ ચિંતવેલું અથવા (૨) આત્માનું કંઈપણ કર્તુત્વ હોવા છતાં પ્રવર્તેલું નહિ ? આત્માનું કંઈપણ કર્તુત્વ ન હોવા છતાં પ્રવર્તતું ? (૩) અથવા ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું ? અથવા (૪) પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું ? (૧) પ્રથમ વિકલ્પ આત્માએ નહિ ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી અને જ્યાં ગ્રહવાપણું રહે નહિ ત્યાં કમનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે અને ગ્રહણગ્રહણ કરે છે–એમ અનુભવ થાય છે. (૨) જેમાં તે કોઈપણ રીતે પ્રવર્તતો જ નથી તેવા ક્રોધાદિભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી, તેથી એમ જણાય છે કે નહિ ચિંતવેલાં અથવા આત્માથી નહિ પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (૩) ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એ પણ ઘટતો નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે. ઈશ્વર જગનો કર્તા નથી તેમ કર્મનો પ્રેરક નથી તેમજ કર્મફલદાતા નથી. જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પદાર્થ રહ્યો નહિ, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઈશ્વરકૃત ઠર્યા અથવા ઈશ્વરના ગુણ ઠર્યા. તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ. માટે કર્મ ઈશ્વરપ્રેરિત નહિ, પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે. ઈશ્વરે પોતાના અંશ રૂપ જીવને ઉત્પન્ન કર્યા છે તેથી જીવ ઈશ્વરનો અંશ છે અને જીવ તથા ઈશ્વરનો અંશાંશીભાવ રૂપે સંબંધ છે એ માનવું યોગ્ય નથી. જો જીવ ઈશ્વરનો અંશ માનીએ તો ઈશ્વરના જેવો જીવ હોવો જોઈએ કારણકે અંશાંશીમાં ભેદ હોતો નથી, તેથી ઈશ્વરની પેઠે જીવ પણ નિર્મલ છે એમ માનવું જોઈએ. ત્યારે આવા નિયતિસ્વરૂપી જીવને કર્મ લગાડીને મલસહિત કરવાનું કારણ શું હતું ? ઈશ્વર પોતાના અંશને તેવો બનાવે તે માનવું ઈશ્વરને દૂષણરૂપ છે. તેમ ઈશ્વરને કર્મકલંક સહિત માનવો યોગ્ય નથી. માટે ઈશ્વરની ઇચ્છાથી આત્મા કર્મ બાંધે છે અને પૂર્વે બાંધ્યા છે એ માનવું અયોગ્ય છે. જે થાય છે તે કર્મથી થાય છે, અને આજ્ઞા તે કર્મને બાંધે છે. આત્માના શુભાશુભ પરિણામથી જીવને કર્મ લાગે છે. શુભથી શુભ કર્મ ને અશુભથી અશુભ કર્મ લાગે છે. બાકી કર્મને કોઈ જ્ઞાન નથી જે આ જીવે પાપ કર્યું માટે હું એને પાપરૂપી કર્મ થઈ લાગું. (૪) ચોથો વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થાય છે તે પણ યથાર્થ નથી; કારણકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્માં ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય ? અથવા દ્રવ્ય કર્મનું બીજું નામ પ્રકૃતિ છે, એટલે કર્મનું કર્તાપણું કમને જ કહેવા બરાબર થયું. અને તેનો નિષેધ ઉપર કરી બતાવેલ છે. પ્રકૃતિ નહિ તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું મનન કરવા રૂપે અવલંબન લે છે તે અંતઃકરણ છે. જો ચેતન મનન કરે નહિ તો કંઈ તે કર્મવળગણામાં મનન કરવાનો ધર્મ નથી, તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે અને તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, બાકી મુખ્યપણે ચેતન તે કર્મનો કર્તા છે. જો કોઈપણ પ્રકારે આત્માને કર્મનું કત્વ ન હોય તો કોઈપણ પ્રકારે તેને ભોસ્તૃત્વ પણ ન કરે અને જ્યારે એમ જ હોય, તો પછી તેનાં કોઈપણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન થાય. જ્યારે કોઈપણ પ્રકારનાં દુઃખોનો સંભવ આત્માને ન જ થતો હોય, તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુ:ખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે ? “જ્યાં સુધી આત્મજ્ઞાન નહિ ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થતી નહિ' – એમ વેદાંતાદિ કહે છે તે જો દુ:ખે ન જ હોય, તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ ? અને કર્તૃત્વ ન હોય તો દુઃખનું ભોક્તાપણું ક્યાંથી Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક) ૧૪૩ હોય ? એમ વિચાર કરવાથી આત્માને જ કર્મનું કર્તાપણું ઠરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે. ‘જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ધર્મીથી વિચ્છેદ પામવા યોગ્ય નથી અર્થાતુ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી; જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.' આના જવાબમાં કર્મનું કર્તૃત્વ હોય તો તે કર્મ ટળે જ નહિ એથી કોઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી પણ શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવલ એકત્વ કેમ થાય ? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ, તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી, અને તે કર્મ તે અનાદિ ભ્રમ છે અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રાપ્ત કર્યું છે તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે. અજ્ઞાન કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય તો તો ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ કશું પણ સમજવાનું પ્રયોજન રહેતું નથી. પરમાર્થથી આત્મા અસંગ છે, પણ તે જ્યારે આત્મસ્વરૂપનું ભાન થાય ત્યારે. તે સિવાય આત્મા કેવલ – એકાંતે અસંગ નથી; અસંગ હોત તો ક્યારે પણ કર્મનું કરવા પણું ન હોત અને તેમ થયે આત્માનું સ્વરૂપ મૂળથી જ પ્રાપ્ત થયું હોત. પણ તે તો થયું નથી અને તે સ્વરૂપની પ્રાપ્તિ એ હજુ લક્ષ્ય છે. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. - પરમાર્થે તો જીવ અક્રિય છે એમ વેદાંતાદિનું નિરૂપણ છે અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે એમ નિરૂપણ કર્યું છે, છતાં આત્માને શુદ્ધાવસ્થામાં ઉપર પ્રમાણે કર્તા કહેવાથી સક્રિય થયો તેનું કેમ ? આના ઉત્તરમાં એ કે શુદ્ધાત્મા પરયોગનો – પરભાવનો – વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે, પણ ચેતન્યાદિ સ્વભાવનો કર્તા છે – જો એમ કર્તા ન માનીએ તો પછી તેનું કંઈપણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને મન, વચન, કાયાના વ્યાપારરૂપ યોગક્રિયા નહિ હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચેતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે. અને તેથી પરમાર્થનયથી સ્વભાવે તો કર્તા કહેવાય. નિજ સ્વભાવમાં પરિણમવા રૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, કેવળ શુદ્ધ સ્વધર્મી હોવાથી એકાત્મપણે પરિણમે છે, તેથી સક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા અક્રિયતા નિરૂપણ કરી છે તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અકિયતા. કહેતાં કશો દોષ નથી. આ રીતે સાંખ્ય કે જે આત્માનું અકર્તાપણું અને ઉપચારમાત્રથી – લક્ષણાવૃત્તિથી ભોક્તાપણું માને છે તેનો નિરાસ થયો. સાંખ્ય એવું માને છે કે કોઈ આત્મા બંધાતો નથી, તેમ મૂકાતો પણ નથી અને સંસારમાં ભ્રમણ પણ કરતો નથી. જે વિવિધ પ્રકારના આશ્રયવાળી પ્રકૃતિ છે તે જ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સંસારમાં ભ્રમણ કરે છે, બંધાય છે ને મુકાય છે. જૈનમાં એ મંતવ્ય છે કે આત્મા બંધાય છે, મુકાય છે. જો પ્રકૃતિને બંધમોક્ષ સાંખ્ય પ્રમાણે માનીએ તો તેથી સંસારાવસ્થા તથા મોક્ષાવસ્થામાં આત્માના અભિન્ન - એક સ્વભાવને લીધે યોગી પુરુષો માટે જે યોગશાસ્ત્રમાં યમનિયમાદિ અનુષ્ઠાન સાંખ્યના જ શાસ્ત્રમાં મુક્તિ ફલ આપનારું કહ્યું છે તે વ્યર્થ જવાનું. હિમચંદ્ર આ જ વસ્તુ તેમના યોગશાસ્ત્રમાં કહી છે. સરખાવો – अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ।। ] બૌદ્ધમાં એમ કહેલ છે કે : चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् तदेव तैर्विनिर्मक्तं भवांत इति कथ्यते । - રાગાદિ ક્લેશોથી સંસ્કાર પામેલું ‘ચિત્ત જ સંસાર છે. જ્યારે ચિત્ત તે રાગાદિ ક્લેશોથી મુક્ત થયું ત્યારે ભવ – સંસારનો અંત – મોક્ષ થયો એમ જાણવું. જ્યારે જૈનો એમ સ્વીકારે છે કે આત્મા બંધન પામનાર છે અને તે બંધન વસ્તુ એટલે પરમાર્થથી વિદ્યમાન એવું કર્મ' છે. બૌદ્ધ પ્રમાણે ચિત્તથી કર્મ જુદું નથી એમ માનીએ તો કર્મનું વસ્તુપણું રહેતું નથી – તે અવસ્તુ ગણાય. કારણકે જે વસ્તુ જેનાથી જુદી નથી તે વસ્તુ તે રૂપ જ કહેવાય છે અને તેથી લોકમાં જે નથી તે વસ્તુ જરૂરી નથી એટલે આત્મા, તેનાથી – તે પોતે અવસ્તુ – કર્મથી બંધાય છે એવી પ્રતીતિ થતી નથી. જેમ પુરુષ અને બેડી તે જુદાજુદા સ્વભાવનાં છે તેમાં પુરુષ બધ્યમાન અને બેડી બંધન છે તે છતાં લોકમાં પુરુષ બેડીમાં પડ્યો' એવા વ્યવહારથી બોલાય છે – તેમ અહીં આત્માએ કર્મ બાંધ્યાં એમ કહેવાય – કર્મરૂપ આત્માએ કરી આત્મા બંધાયો એમ કહેવાતું નથી, તો બૌદ્ધમત પ્રમાણે કર્મ અને ચિત્ત એ બે જુદાં નથી એમ માનીએ તો સંસાર અને મોક્ષનો ભેદ પણ નહિ થાય, કારણકે માત્ર ચિત્તનું બંને ઠેકાણે વિશેષપણું નથી અર્થાત્ સરખાપણું છે, તેથી ચિત્ત ને કર્મ બે જુદી જ વસ્તુ છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. કોઈ એમ કહે કે જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહિ ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ?–ફળદાતા થાય ? - જો ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય. પણ પરને ફળ દેવા રૂપ ઈશ્વર માનીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી અને આવો ઈશ્વર જ્યારે સિદ્ધ ઠરતો નથી ત્યારે જગનો નિયમ પણ કોઈ સંભવે નહિ; અને જો તેવો નિયમ ન હોય તો પછી શુભ અથવા અશુભ કર્મનાં ભોગવવાનાં સ્થાનક પણ રહેતાં નથી. આ કારણે આત્માને કમેનું ભોસ્તૃત્વ રહેતું નથી. આના ઉત્તરમાં જણાવવાનું કે જણાવી ગયા પ્રમાણે કર્મ બે પ્રકારનાં છે (૧) ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ. આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ તે ભાવકર્મ છે અને તેથી આ ભાવકર્મ ચેતનરૂપ છે. આ ચેતના ભાવકર્મને અનુસરી જીવનું વીર્ય મ્હાયમાન Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક) થાય છે અને સ્ફુરાયમાન થતાં દ્રવ્યકર્મ કે જે જડ છે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો અને તેની પ્રકૃતિઓ તેની વર્ગણા ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત પોતાના સ્વભાવને જાણતાં નથી; પરંતુ જે તેનો ઉપયોગ કરે છે તેને તથાપ્રકારે ફલ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શુભ અને અશુભ કર્મ પોતાના ફલને જાણતાં નથી છતાં તે કરનારને તે-તે પ્રકારનું ફલ આપનાર થાય છે. રાજા અને રંક એવા ઉચ્ચનીચના જે ભેદ જોવામાં આવે છે તેનું કોઈપણ કારણ હોવું જોઈએ અને વિચારતાં શુભ અને અશુભ કર્મ સિવાય એવું બીજું કોઈ કારણ જોવામાં આવતું નથી કે જે આવા ભેદ નિપજાવના૨ હોય. ઈશ્વર ફલ આપનાર હોવો જોઈએ એવી પણ કશી જરૂર નથી, જો કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ, તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્ત્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમજ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વ૨૫ણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બંને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગાદિ રચે, અથવા કર્મનું ફળ આપવા રૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એક માત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમજ બંધમાં ગણાય, એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય ? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ ન પડવો જોઈએ અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય ન થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને ‘દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તો પણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ ‘વિશેષ સ્વભાવ’ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય ? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ આરોપતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. ઝેર અને અમૃતની પેઠે શુભ અને અશુભ કર્મ પોતપોતાના ધર્મો પ્રમાણે ફળ આપે છે ત્યાં ઈશ્વરની જરૂ૨ ક્યાં રહી ? શુભ અને અશુભ કર્મો પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામી રહી નિઃસત્ત્વ થઈ નિવૃત્ત થાય છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયથી ઉત્કૃષ્ટ શુભ ગતિ, અત્યંત અશુભ અધ્યવસાય તે અત્યંત અશુભ ગતિ અને શુભાશુભ અધ્યવસાય તે મિશ્ર ગતિ છે; કારણકે રામેન ર્મવંધઃ જેવા મનના પરિણામ તેવા કર્મનો બંધ; અને વસ્તુતઃ જીવના જે જે પ્રકારના પરિણામવિશેષ તે તે પ્રકારની ગતિ છે; અને આ જે ગતિઓ આત્મવાદ - ૧૪૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો - નરકાદિ તે કર્મ ભોગવવાનાં સ્થાનકો છે. હવે કોઈ એમ શંકા કરે કે ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગકર્તા ન ગણીએ, તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કારણકે તેમાં તો ઈશ્વરના કર્તૃત્વની જરૂર છે.' તો આ શંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે અને સ્થાનવિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ એ આદિ ભેદ છે. જીવસમૂહનાં – કર્મદ્રવ્યનાં પણ – તે પરિણામવિશેષ છે, એટલે તે તે ગતિઓ જીવના કર્મવિશેષ પરિણામોદિ સંભવે છે. અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પગલસામર્થ્ય – કર્મસામર્થ્ય – એના સંયોગવિશેષથી લોક પરિણમે છે. ૫. આત્માનો મોક્ષ છે. ઉપર કહી ગયા કે આત્મા કર્તાભોક્તા છે. હવે તેમ છતાં કોઈ કહે કે તેનો મોક્ષ થવા યોગ્ય નથી કેમકે અનંતકાળ થયો તો પણ કર્મ કરવા રૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. શુભ કર્મ કરે તો દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે, પણ કમરહિત કોઈ સ્થળે આત્મા હોય નહિ. આ શંકાના ઉત્તરમાં જણાવવાનું કે જેમ શુભાશુભ કર્મ કરવાથી તેનાં ફળ ભોગવાય છે તેમ નહિ કરવાથી અથવા તો તે કર્મની નિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે એટલે શુભાશુભ કર્મ જેમ અફળ જતાં નથી તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી. તે નિવૃત્તિ એ જ મોક્ષ. કર્મસંયોગથી અનંતકાળ વીત્યો તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લઈને, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય અને તેથી જીવનું શુદ્ધ સ્વરૂપ – મોક્ષસ્વભાવ પ્રગટ થાય. જીવને દેહાદિસંયોગનો અનુક્રમે વિયોગ તો થયાં કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે તેનો વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. ૬. મોક્ષનો ઉપાય છે. મોક્ષપદ સ્વીકારવા છતાં કોઈ એમ કહે કે “તે પ્રાપ્ત કરવાના સંપૂર્ણ ઉપાય. લાગતા નથી, કારણ કે અનંત કાળનાં કર્મો તે મનુષ્યના અલ્પાયુષી દેહમાં કેમ છેદી શકાય ? વળી તેના ઉપાયો જુદાંજુદાં દર્શનો અને મતો અનેક અનેક પ્રકારે કહે છે તો તેના સત્યાસત્યનો નિર્ણય થઈ શકવો સંભવિત નથી. આ કારણથી ઉપર્યુક્ત પાંચ પદોની સિદ્ધિ કરવામાં આવી તે પણ જ્યારે મોક્ષનો ઉપાય ન હોય તો નિરર્થક છે.” આનું સમાધાન આ પ્રમાણે જૈન તત્ત્વજ્ઞાન આપે છે. કર્મભાવ તે અજ્ઞાન છે. મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાન અંધકારના ૧. સરખાવો ગીતાનું વાક્ય “નોવોડાં કર્મવંધનઃ” તેમજ બૌદ્ધ પણ જણાવે છે કે “મૈને लोकवैचित्र्यं' Page #168 -------------------------------------------------------------------------- ________________ આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક) આ જેવું છે. જેમ પ્રકાશ થતાં અંધકાર નાશ પામી જાય છે, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ થતાં અર્થાત્ આત્મા અને કર્મનું સમ્યક્ જ્ઞાન થતાં અજ્ઞાન નાશ પામે છે. જે જે કારણોથી કર્મ બંધાય છે, તે તે કારણોનો સર્વથા છેદ કરવામાં આવે તો કર્મ સર્વથા છેદાઈ મોક્ષ પ્રકટે છે. કર્મ બાંધવા રૂપી માર્ગ તે કર્મબંધનો માર્ગ છે, અને કર્મ છેદવારૂપી માર્ગ તે મોક્ષનો માર્ગ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન (મોહ) એ મુખ્ય કર્મની ગ્રંથીઓ છે, અર્થાત્ એનાથી કર્મ બંધાય છે; એની સર્વથા નિવૃત્તિ તે મોક્ષમાર્ગ છે. આત્મા અવિનાશી અને સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય હોઈ સર્વ વિભાવ (૫૨ભાવ –– આત્માના સ્વભાવથી અન્ય ભાવ) અને દેહાદિ સંયોગના આભાસથી રહિત છે જે કેવળ શુદ્ધાત્મનું પદ તે પામવું એ મોક્ષમાર્ગ છે. કર્મ અનંત પ્રકારનાં છે અને તેનો મુખ્ય આઠ પ્રકા૨ નામે જ્ઞાનાવરણીયાદિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઠ કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ કહ્યું છે. મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે ઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. ‘દર્શન મોહનીય’એટલે પરમાર્થને વિશે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થબુદ્ધિ; અને ચારિત્રમોહનીય એટલે તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને સ્વભાવમાં સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ કષાય અને નોકષાય તે. દર્શનમોહનીય આત્માનું ખરું ભાન થવા દેતું નથી, અને ચારિત્રમોહનીય વીતરાગપણું પામવા દેતું નથી. જો દર્શનમોહનીય જાય તો સમ્યગ્દર્શન થતાં આત્મસ્વરૂપ સમજાય; અને ચારિત્રમોહનીય જાય તો – (દર્શનમોહનીય જતાં ચારિત્રમોહનીય અવશ્યમેવ થાય છે) - વીતરાગતા આવે છે. દર્શનમોહનીય એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વનો પ્રતિપક્ષ તે આત્માનો સત્યબોધ. ચારિત્રમોહનીય એટલે રાગાદિ પરિણામ. આ રાગાદિક પરિણામનો પ્રતિપક્ષ તે વીતરાગભાવ. જેમ અંધકારનો પ્રતિપક્ષ જે પ્રકાશ તે ઉત્પન્ન થતાં અંધકાર નાશ પામે છે, તેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના પ્રતિપક્ષો સમ્યગ્દર્શન અને વીતરાગતા ઉત્પન્ન થયે એટલે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય જતાં મોક્ષસ્વભાવ પ્રકટે છે. ક્રોધ ક્ષમાથી હણાય છે, સરલતાથી માયા રોકાય છે; એમ રાગદ્વેષના જે જે ઉત્તમ પ્રતિપક્ષીઓ તે તે ઉત્પન્ન કરતાં રાગદ્વેષ જઈ વીતરાગતા ઉત્પન્ન થાય છે અને સંપૂર્ણ વીતરાગતા તે સંપૂર્ણ મોક્ષ છે. ક્રોધાદિનો વિરોધ કરનાર ક્ષમાદિ છે એવો આપણને સર્વને પ્રત્યક્ષ અનુભવ અત્ર જ છે એટલે મોક્ષના ઉપાયનો સંદેહ કરવાનો અવકાશ રહેતો નથી. આત્મવાદ – આ મારો મત છે માટે મારે તેને વળગી જ રહેવું – મતાગ્રહ રાખવો, આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ કે એવા વિકલ્પને છોડીને આ મોક્ષમાર્ગ કહ્યો છે. તે સાધનાર અલ્પજન્મ પામે છે. સમ્યગ્દર્શન થાય પછી તે જો ચાલ્યું ન જાય વમાય નહિ તો તેને ઘણામાં ઘણો પંદર ભવ થાય એમ જિને કહ્યું છે અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય. → ૧૪૭ ઉપર્યુક્ત છયે પદની સર્વાંગતામાં જિનકથિત મોક્ષમાર્ગ છે. એમાંનું કોઈપણ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. તે માર્ગ ગમે તે જાતિ કે વેશથી પમાય છે. એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે. તેમાં બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પદ્રવ્ય દ્રવ્ય એટલે પદાર્થ. જે પોતાના સદ્ભાવ પર્યાયને–ગુણને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે દ્રવ્ય. જુદાંજુદાં દર્શનોએ દ્રવ્યના ભાગ જુદી જુદી રીતે પાડેલ છે, જ્યારે જૈનદર્શને તેના ૬ વિભાગ પાડેલ છે. તે કહીએ તે પહેલાં જૈન દર્શનમાં દ્રવ્યનાં લક્ષણ શું છે તે જોઈએ : તેનાં લક્ષણો ત્રણ રીતે કથનમાત્ર ભેદે કહ્યાં છે : (૧) સત્ પદાર્થ (૨) ગુણ અને પર્યાય જેને છે તે પદાર્થ (૩) ગુણ સમૂહાત્મક – તે દ્રવ્ય. વસ્તુતઃ આ ત્રણે લક્ષણો એક જ અર્થને સૂચવે છે તે આ રીતે ? સની વ્યાખ્યા એ છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ જેને છે તે સતુ. પદાર્થની ઉત્પત્તિ, નાશ અને નિયત્વ હોવાના કારણે તે કથંચિત્ નિત્ય અનિત્ય છે. જેવી રીતે એક માટીનો ઘડો તૂટી જતાં જે ઠીકરાં રહે છે તેની ઉત્પત્તિ તે વખતે છે, અને તેની સાથે જ તે ઘડાનો નાશ છે, આ ઉત્પત્તિ અને નાશની બંને અવસ્થામાં તેનું ઉપાદાન કારણ જે માટી તે ધ્રૌવ્ય – નિત્યરૂપે રહે છે, તેવી જ રીતે સરૂપ વસ્તુ એટલે દ્રવ્યની ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ તથા પૂર્વાવસ્થાનો નાશ થાય છે, તેની જ સાથે તે વસ્તુ સતુરૂપ હોવાથી સદૈવ નિત્ય રહ્યા કરે છે. આમ એક અવસ્થાને છોડી બીજી અવસ્થાને પ્રાપ્ત થાય છે, પરંતુ અમુક મૂલ - વસ્તુગત અવસ્થા સદાકાલ નિત્ય રહે છે. હવે આ દ્રવ્યની બે અવસ્થા કરીએ : ૧. સહભાવી અને ૨. ક્રમભાવી. સહભાવી અવસ્થાને “ગુણ' કહેવામાં આવે છે, ક્રમભાવીને પર્યાય' (= ફેરફાર) કહેવામાં આવે છે. આથી ગુણપર્યાયવાપણું એ પણ દ્રવ્યનું લક્ષણ છે. જેવી રીતે ઘડો અને ઠીંકરાં એ બંને માટીના પર્યાય છે અને વસ્તુતઃ માટી જ છે – માટી સિવાયના જુદા પદાર્થ નથી, તેવી રીતે દ્રવ્યના પર્યાયો પણ તે દ્રવ્યના ગુણોના વિકાર જ છે – દ્રવ્યથી ભિન્ન પદાર્થ નથી, આ જ કારણને લઈને દ્રવ્યને ગુણોના સમુદાયવાળું પણ કહેલ છે. સત્ પદાર્થને જ દ્રવ્ય કહેવામાં આવે છે, અને પદાર્થ સર્વથા નિત્ય નથી તેમજ સર્વથા અનિત્ય પણ નથી, કારણકે જો પદાર્થને સર્વથા નિત્ય માનીએ તો વસ્તુનો વિકાર થાય છે – એટલે તેની બીજી અવસ્થા થાય છે એ કારણથી તેમાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. એટલે ‘પદાર્થને નિત્ય રૂપ જ માનીએ તો વિકાર – બીજી અવસ્થા ઉત્પન્ન ન થવી જોઈએ અને તેની ક્રિયા અવસ્થાના અભાવથી પ્રમાણ રહેશે નહીં તેમજ તેનું ફલ પણ નથી." તેમજ વસ્તુને સર્વથા અનિત્ય માનવાથી શશશૃંગવત્ તે વસ્તુના અભાવનો પ્રસંગ આવશે – “નિશ્ચયે પદાર્થને ક્ષણિક-અનિત્ય જ માનવાથી પ્રત્યભાવક્રમ આદિનો અસંભવ છે અને ક્રમાદિ રહેશે નહિ, અને તે દ્રવ્યનું પ્રત્યભિજ્ઞાન (આ પદાર્થ કે જે પહેલો હતો તે એવું જ્ઞાન)નો અભાવ આવશે તેમ થયે કોઈ પણ કાર્યનો આરંભ ને તેનું ફલ થશે નહિ.” १. नित्यत्वैकांतपक्षेऽपि विक्रियानोपपद्यते । प्रागेव कारकाभावा : [कारकाभावात् (?)] क्व प्रमाणं વર તનમ્ | [અહીં પ્રમાણ અને ફળની વાત છે.] ૨. ક્ષણિકાંતપક્ષેડપિ પ્રેત્યમવી સંમવ: પ્રત્યfમજ્ઞાનીમાવીત્ર કાર્યારંભ: ભૂત: બ્રમ્ || 242242 al 241 2412 asults Plaid het Indestructibility of matter - (ડ) વસ્તુનું અવિનાશિત્વ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ષદ્રવ્ય અતઃ દ્રવ્યનું પ્રત્યભિજ્ઞાન કરાવવા માટે કોઈ સ્વરૂપે તેની નિત્યતા, કોઈ સ્વરૂપે તેની ઉત્પત્તિ અને કોઈ સ્વરૂપે તેનો નાશ એક જ કાલમાં ત્રણ અવસ્થાઓ દ્રવ્ય ધારણ કર્યા કરે છે એ સ્વીકારવું જોઈશે : જેમકે સામાન્ય સોનું, તૂટેલું ફૂટેલું સોનું અને સોનાનું પાત્ર એ ત્રણ અવસ્થાઓમાં તેના ઘરાકને સામાન્ય, વિષાદ કે હર્ષરૂપ પરિણામો યથાક્રમે સાથે સાથે એક સોનાનું પાત્ર ફૂટી જવાની સાથે થાય છે તેવી જ રીતે. પરંતુ વસ્તુ જે સ્વરૂપે ઉત્પન્ન થાય છે તે સ્વરૂપે તેનો નાશ થતો નથી, તેમ નિત્ય રહેતું નથી, અને જે સ્વરૂપે તેનો વ્યય થાય છે તે સ્વરૂપે તેનાં ઉત્પાદ કે ધ્રૌવ્ય નથી. આ કારણે કોઈ વસ્તુનું ધ્રૌવ્ય - નિત્યત્વ સદૈવ રહે છે. તે નિત્ય હોવાનું કારણ ગુણ છે અને તે અનિત્ય છે તેનું કારણ તેની અવસ્થાઓમાં ઉત્પાદ અને વ્યય ક્ષણ પ્રતિક્ષણ થયાં કરે છે તે છે અને તેનું નામ ‘પર્યાય’ છે. આ રીતે વસ્તુમાં ગુણ અને - પર્યાય બંને હોય છે. ૧૪૯ જેવી રીતે સમુદ્રની લહેર સમુદ્રના પાણીથી જુદો પદાર્થ નથી, બલ્કે તે જ જળની એક જુદી વ્યવસ્થારૂપ પરિણમન છે અને તે લહેરને તે સમુદ્રરૂપ યા તે સમુદ્રના જલરૂપ જ ગણવામાં આવે છે, તેવી રીતે પર્યાય ગુણથી ભિન્ન કોઈ જુદો પદાર્થ નથી. પણ ગુણની જ જુદી અવસ્થારૂપ પરિણમન છે તેથી પર્યાય પણ ગુણોમાં ગર્ભિત છે. આમ ઉપરનાં ત્રણે લક્ષણ અર્થથી એક જ ઘટી ગયાં. દ્રવ્યમાં અનેક ગુણો છે. જેટલા શબ્દ છે તે ધાતુઓથી બન્યા છે અને ક્રિયાવશ્યક શબ્દને ધાતુ કહે છે; ક્રિયા ગુણની હોય છે તેથી પ્રત્યેક શબ્દ ગુણવાચક છે. ગુણોથી ભિન્ન દ્રવ્ય નથી. એક દ્રવ્યના અનેક ગુણોમાંથી કેટલાક ગુણો એવા હોય છે કે જે સમસ્ત દ્રવ્યોમાં હોય છે. આને ‘સામાન્ય ગુણ’ કહેવામાં આવે છે; અને કેટલાક ગુણ એવા હોય છે કે જે સમસ્ત દ્રવ્યોમાં નથી હોતા. તેને ‘વિશેષ ગુણ’ કહેવામાં આવે છે. સામાન્ય ગુણ જોકે અનેક છે તથાપિ તેમાં પાંચ ગુણ પ્રધાન છે ઃ નામે (૧) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યનો સદાકાલ સદ્ભાવ રહે તેને ‘અસ્તિત્વ’ ગુણ કહે છે. (૨) જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય અર્થાત્ તેના સમસ્ત ગુણ પ્રતિક્ષણે એક અવસ્થાને છોડી બીજી અવસ્થા પામે છે તેને ‘દ્રવ્યત્વ’ ગુણ કહે છે. (૩) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ હોય તે ‘વસ્તુત્વ’. (૪) જે શક્તિનાં નિમિત્તથી દ્રવ્ય ગમે તેના જ્ઞાનનો વિષય થાય છે તે ‘પ્રમેયત્વ’. (૫) જે શક્તિના નિમિત્તથી વસ્તુનું વસ્તુત્વ અવસ્થિત રહે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તરરૂપ આદિ પરિણમન થાય નહિ અને જલના મોજા રૂપ પોતપોતામાં પરિણમે તેને ‘અગુરુલઘુત્વ' ગુણ કહે છે. જે સમય દ્રવ્યનું નિરૂપણ અસ્તિત્વ ગુણની મુખ્યતાથી કરાય છે ત્યારે તેને ‘સત્' કહેવામાં આવે છે, વસ્તુત્વ ગુણની મુખ્યતાથી તેને ‘વસ્તુ’, દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી ‘દ્રવ્ય’, પ્રમેયત્વ ગુણની પ્રમેયતાથી ‘પ્રમેય’ કહેવામાં આવે છે. એ પ્રમાણે અગુરુલઘુત્વ ગુણનું સમજી લેવું. વિશેષ ગુણથી એક દ્રવ્યનું બીજા દ્રવ્યથી ભિન્નત્વ વિશિષ્ટત્વ સમજાય છે. તેથી દ્રવ્યોની પિછાન થાય છે. તે લક્ષણ દ્રવ્યના ભેદ કરતાં કહેવામાં આવશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દ્રવ્યના ૬ ભેદ મુખ્ય રીતે સમસ્ત વિશ્વમાં બે જ દ્રવ્ય છે : ૧. જીવ અને ૨. અજીવ. ચેતના લક્ષણવંત તે જીવ છે અને તેથી વિપરીત લક્ષણવાળો તે અજીવ છે. અજીવ પાંચ પ્રકારના છે. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. આ પાંચમાં ઉક્ત જીવદ્રવ્યને ભેળવતાં છ દ્રવ્ય થાય છે. આ છ દ્રવ્યનાં વિશિષ્ટ ગુણલક્ષણ આ પ્રમાણે છે : (૧) જીવનું લક્ષણ ચેતના છે. (૨) પુદ્ગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. (૩) ધર્મનું લક્ષણ ગતિસહાયતા - ગતિસહકારિત્વ છે. (૪) અધર્મનું લક્ષણ સ્થિતિ સહકારિત્વ છે. (૫) આકાશનું લક્ષણ અવગાહનસહકારિત્વ છે – અવકાશ આપવાનું અને (૬) કાલનું લક્ષણ પરિણમન સહકારિત્વવર્તન (રૂપાંતર થવું, પરિણમવું) તે છે. આમાંના પ્રથમનાં પાંચ અસ્તિકાય એટલે અસ્તિરપ્રદેશ, પ્રકૃષ્ટદેશ, નિર્વિભાગ ખંડ તેનો કાય એટલે સમુદાય છે. કાલમાં પ્રદેશ ન હોવાથી તે અસ્તિકાય નથી તેમજ તેને લઈને દ્રવ્ય વસ્તુતઃ ન કહેવાય, પણ તેને ઉપચારથી દ્રવ્ય તરીકે ગણવામાં આવેલ છે. આ છયે દ્રવ્ય જ્યાં જ્યાં અને એટલે જેટલું છે તે સર્વને ‘લોક' કહેવામાં આવે છે, અને લોકથી અન્ય “અલોક'માં માત્ર આકાશદ્રવ્ય જ છે. ૧. જીવ – તે (૧) જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખદુઃખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, પ્રાણધારિત, ક્રોધાદિ પરિણતત્વ, સંસારિત્વ, સિદ્ધત્વ આદિ સ્વ અને પર પર્યાય તે જ્ઞાનાદિ ધર્મ છે. તેના થકી જીવ ભિન્ન પણ નથી તેમજ અભિન્ન નથી, પણ ભિન્નભિન્ન છે. જો જ્ઞાનાદિ ધર્મથી જીવ ભિન્ન હોય તો હું જાણું છું, જોઉં છું, હું સુખી છું કે દુઃખી છું આદિ જ્ઞાન થવું ન જોઈએ અને જો જ્ઞાનાદિ ધર્મથી જીવ અભિન્ન હોય તો મારું જ્ઞાન, મારું જોવું ઇત્યાદિ પરસ્પર જ્ઞાનભેદની પ્રતીતિ ન થાય. જ્ઞાન થાય છે અને જ્ઞાનભેદ પણ થાય છે તેથી જીવ જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન છે એમ જેનો કહે છે. (૨) વિકૃતિમાન એટલે મનુષ્ય, દેવતા આદિ ગતિમાં (પર્યાયમાં) ભમવાવાળો છે. (૩,૪) શુભાશુભ ૧. વિશિષ્ઠદ્વૈતમત પ્રમાણે દ્રવ્ય બે પ્રકારનું છે ૧. જડ ૨. અજડ. અજડ એટલે ચેતનનો જીવ અને ઈશ્વર એવા બે વિભાગ છે : દ્રવ્યે હૈધા વિમi ગમનતિ x ૪ તત્ર નીવેનોતું ! અદ્વૈતવાદી કહે છે કે પરમાર્થે બ્રહ્મ એ એક જ પદાર્થ છે, અને જીવ તેમજ જગતું એ તો દોરડીમાં સાપની પેઠે માત્ર અવિધાની કલ્પના છે, વિશિષ્ટાદ્વૈતમતવાળા આ વાત કબૂલ રાખતા નથી. અહીં અદ્વૈતવાદી ન કહેતાં કેવલાદ્વૈતવાદી એમ કહેવું જોઈએ, જે આવું માને છે. બીજા અતવાદી મત છે જે આ સ્વીકારતા નથી.] ૨. જ્યારે વૈશેષિકોએ ધર્મ અને ધર્માનું – જ્ઞાનાદિ ધર્મનું અને આત્માનું અત્યંત ભિન્નપણું માન્યું છે. અને બૌદ્ધ, એકબાજુ અત્યંત અભિપણું માન્યું છે કારણકે બૌદ્ધ પણ બુદ્ધિક્ષણની પરંપરારૂપ આત્માનો સ્વીકાર ધમરૂપે કરેલો છે. ૩. જ્યારે ચાવક આત્માને ભવાંતરગામિત્વ – પુનર્જન્મ હોવાનું સ્વીકારતા નથી, વળી તૈયાયિકો આત્માને કૂટસ્થ નિત્ય આત્મા માને છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય ૧૫૧ કર્મનો કત્તા તેમજ તેના ફલ, તરીકે સુખદુઃખનો ભોક્તા છે. (૫) ચૈતન્ય (સાકાર અને નિરાકાર ઉપયોગાત્મક) છે. () નિશ્ચયથી અમૂર્ત, ઈદ્રિયોથી અગોચર, શુદ્ધ અને બુદ્ધ સ્વરૂપ ધારક હોવાથી અમૂર્ત છે. (૭) સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે.* (૮) દેહમાત્ર વ્યાપી (૯) કથંચિત્ નિત્યનિત્ય છે. અજીવ – ઉપર જે જીવનાં લક્ષણ કહ્યાં તેથી વિપરીત લક્ષણવાળો છે. (૧) અજ્ઞાનાદિ ધર્મોવાળો રૂપરસગંધ સ્પર્ધાદિથી ભિન્નભિન્ન અર્થાત જ્ઞાન-સુખાદિ તેના ધર્મ હોઈ શકે નહીં, (૨) ભવાંતરમાં ન જનાર. (૩) જ્ઞાનાવરણીયાદિ કર્મનો અકર્તા. (૪) તેમનાં ફલનો અભોક્તા. (૫) અને જડસ્વરૂપ છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, કાલ એ પ્રકારે પાંચ પ્રકારનો છે. ૨. ધર્મ – લોકવ્યાપ્ત, નિત્ય, અવસ્થિત, અરૂપી (અમૂત), દ્રવ્ય, અસ્તિકાય, અસંખ્ય પ્રદેશ છે અને ગમ્યુપકારી છે એટલે ગતિ પરિણામ પામેલ જીવ અને પુદ્ગલનો ઉપકાર કરનાર અપેક્ષાકારણ છે. ૩. અધર્મ પણ લોકવ્યાપ્ત, નિત્ય (સ્વભાવથી અપ્રચ્યત), અવસ્થિત (અન્યૂનાધિક – અનાદિનિધન), અરૂપી (અમૂત), દ્રવ્ય, અસ્તિકાય અને અસંખ્ય પ્રદેશી -- “ધર્મ'ની પેઠે છે, પરંતુ તે સ્થિતિને ઉપકારક છે એટલે જીવ પુદ્ગલની સ્થિતિ થવામાં અપેક્ષાકારણ છે. નોંધ : કારણ ત્રણ પ્રકારનાં છે (૧) પરિણામી (ઉપાદાન) (૨) નિમિત્ત અને (૩) નિર્વર્તક. માટીમાંથી દંડાદિ વતી કુંભાર ઘડો કરે છે તેમાં ઘડો થવામાં માટી એ પરિણામી કારણ છે, દંડાદિ નિમિત્તકારણ છે અને કુંભાર એ નિર્વર્તકકારણ છે. નિમિત્તકાણ પણ બે છે : ૧. નિમિત્તકારણ ૨. અપેક્ષાકારણ. દંડાદિ નિમિત્તકારણ છે પણ તે દંડાદિને પ્રયોગાર્થક (પ્રયોગ અર્થે થયેલ) અને વૈશ્રમિકી (સ્વભાવથી ઉત્પન્ન) માત્ર ક્રિયા હોય ત્યાં તે નિમિત્તકાર છતાં વિશષે અપેક્ષાકારણ કહેવાય. આવી રીતે જીવપુગલને ગતિ અને સ્થિતિ કરવામાં ધર્મ અને અધર્મ અનુક્રમે અપેક્ષાકરણ છે. જેમ માછલાંને ગતિમાં અપેક્ષાકરણ પાણી છે તેમ જીવ અને પુદ્ગલને ગતિપણે પરિણમતાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે. જ્યાં સુધી આ ધર્મ દ્રવ્ય ૧. સાંખ્યો તો જીવને અકર્તા અને માત્ર લક્ષણાવૃત્તિથી જ ભોક્તા માને છે. ૨. નૈયાયિકો આત્માને જ સ્વરૂપ માને છે. ચાર્વાક પણ પંચમહાભૂતથી બનેલો માને છે. | નિયાયિકો આત્માને જડ માને છે એમ નહીં કહેવાય, પણ ધર્મ-ધર્મીનો ભેદ માનતા હોઈ તેના જ્ઞાનાદિ ગુણોને તેનાથી જુદા માને છે અને મુક્તિની અવસ્થામાં તે આત્મામાં હોતા નથી, છતાં આત્મા જડ નથી કારણકે તે જ્ઞાનયોગ્ય છે, જ્ઞાન તેમાં થઈ શકે તેમ છે (જયારે જડમાં તે સંભવે નહી) એમ તેઓ માને છે.] ૩. ભટ્ટ (નૈયાયિક) તથા ચાર્વાક અમૂર્ત આત્મા સ્વીકારતા નથી. ૪. અન્ય સર્વ દર્શનો આ સ્વીકારતા નથી. ૫. વેદાંતમાં એક આત્મા (બ્રહ્મ) માનેલ છે અને તેને સર્વવ્યાપી માનેલ છે. નિયાયિક, મીમાંસક અને સાંખ્ય વગેરે દેહમાત્રવ્યાપી આત્માને માનતા નથી. ૬. સાંખ્ય એકાંતે ફૂટસ્થ નિત્ય આત્મા માને છે, અને બૌદ્ધ એકાંતે ક્ષણિક માને છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે ત્યાં સુધી લોકની મર્યાદા છે. ત્યાં સુધી જ જીવપુદ્ગલ ગતિ કરે છે. આ રીતે જેમ પંથીજન રસ્તે થાકતાં વૃક્ષાદિની છાયા જોતાં ત્યાં બેસી જાય છે એટલે છાયા જે સ્થિતિનું કારણ છે તે જ રીતે અધર્મ જીવ અને પુદ્ગલની સ્થિતિ કરવામાં અપેક્ષાકારણ ૪. આકાશ – તે લોકાલોક વ્યાપક, અનંતપ્રદેશી, નિત્ય, અવસ્થિત, અરૂપી, દ્રવ્ય, અસ્તિકાય છે અને તે અવગાહોપકારક છે. ધર્મ અને અધર્મ લોકવ્યાપક અને અસંખ્યપ્રદેશી છે ત્યારે આ દ્રવ્ય લોક તથા અલોક બંનેમાં વ્યાપક અને અનંત પ્રદેશી છે; વળી આ જીવ અને પુદ્ગલને રહેવામાં અવકાશ આપે છે. આ ત્રણે દ્રવ્ય એક બીજામાં મળી ગયેલ છે અને જેમાં તે ત્રણે દ્રવ્ય છે ત્યાં સુધી લોક છે, જ્યાં કેવલ આકાશ છે ત્યાં અલોક છે. ૫. પુદ્ગલ – (જેનો પૂરણ અને ગલન સ્વભાવ છે તે પગલ.) સ્પર્શ, રસ, ગંધ વર્ણ જેને છે તે મુદ્દગલ. સ્પર્શ આઠ છે : મૃદુ (સુંવાળો), કઠિન, ગુરુ (ભારે), લઘુ (હલકો), શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો), અને રુક્ષ (લૂખો). રસ પાંચ છે : તિક્ત (તીખો), કટુ (કડવો), કષાય (કષાયેલો), અમ્લ (ખાટો), અને મધુર (મીઠો). (લવણનો મધુરમાં અંતર્ભાવ છે એમ કેટલાક માને છે, ને કેટલાક કહે છે કે તે સંસર્ગજન્ય છે). ગંધ બે છે ઃ સુરભિ (સુગંધ), અસુરભિ (દુર્ગધ). વર્ણ પાંચ છે : કૃષ્ણ (કાળો), લીલો, રાતો, પીળો અને ધોળો. આ પ્રમાણે સ્પર્ધાદિ ધર્મવાળું પુદ્ગલ છે. તે ઉપરાંત અનેક સ્વભાવ છે. શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન (આકૃતિ), ભેદ (કટકા થવાપણું), તમન્, છાયા, આતપ, ઉદ્યોત એ સર્વે પુદ્ગલના પર્યાય વિકાર) છે. ૧. (૧) ગતિનિયમ - Law of motion માં આ ધર્મદ્રવ્યની અગત્ય સૂક્ષ્મ વિચારકને કદાચ સમજાશે. (૨) આ ગતિ અને સ્થિતિમાં સહાયક એવાં ધર્મ, અને અધર્મ એ બે દ્રવ્યો જૈનદર્શન સિવાય કોઈપણ દર્શને દર્શાવેલાં નથી અને તેથી જૈનદર્શનની તેમાં પ્રતિભા (originality) સમજી શકાય છે. (૩) ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ એ અર્થમાં અત્ર દ્રવ્યવિચારમાં ધર્મ અને અધર્મ શબ્દનો પ્રયોગ થયો નથી પણ ઉપરોક્ત પારિભાષિક અર્થમાં જ તેનો પ્રયોગ થયેલ છે. છતાં પ્રોફે. મણિલાલ નભુભાઈ તથા ડૉક્ટર હમન જેકૉબી [2] જેવા ધુરંધર વિદ્વાનોથી તેનું અંગ્રેજી ભાષાંતર તેના સામાન્ય પુણ્યપાપના અર્થમાં કરવામાં ભૂલ થઈ ગઈ છે : ઉદાહરણ તરીકે પ્રોફે. મણિલાલે આઠમી લંડન ઓરિએંટલ કોંગ્રેસ (૧૮૯૧ માં ભરાયેલ)માં Jain philosophy in its relation to Brahmanism એ નામના પોતે લખી મોકલાવેલ નિબંધમાં જણાવે છે કે : That which is not Jiva is of five Kinds : Dharmastikaya, Adharmāstikāya, Akash, Pudgalāstikaya and kāla. The word Astikaya means Substance - Thing. The first is that, which leads fo Moksha, The second that which binds the Jiva to the world.... આમાં “ધમસ્તિકાય એ છે કે જે મોક્ષે લઈ જાય છે. અને અધમસ્તિકાય જીવને જગતુ સાથે બાંધી રાખે છે – સંસારપરિભ્રમણ કરાવે છે એવું જણાવેલ છે તે ધર્મ, અધર્મનો અપ્રસ્તુત અર્થ કરવાથી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય જે શરીરની કર્મેન્દ્રિયના આધારથી ધ્વનિ સાંભળવામાં આવે તેને શબ્દ કહેવામાં આવે છે. આ શબ્દ અનંત પરમાણુના પિંડ અર્થાત્ સ્કંધોથી ઉત્પન્ન થાય છે, કારણ કે જ્યારે પરસ્પર સ્કંધોનું સંઘટ્ટન થાય છે ત્યારે શબ્દની ઉત્પત્તિ થાય છે. અને સ્વભાવથી ઉત્પન્ન અને અનંત પરમાણુના પિંડભૂત શબ્દયોગ્ય વર્ગણાઓ પરસ્પર મળીને આ લોકમાં સર્વત્ર વ્યાપી રહે છે. જ્યાં જ્યાં શબ્દને ઉત્પન્ન કરવાને બાહ્ય સામગ્રીનો સંયોગ મળે છે ત્યાં ત્યાં તે શબ્દયોગ્ય વર્ગણાઓ છે. તે સ્વયમેવ શબ્દરૂપ હોઈ પરિણમે છે. આ કારણથી શબ્દ નિશ્ચયથી પુદ્ગલસ્કંધોથી ઉત્પન્ન થાય છે.` આ જ રીતે દૃષ્ટિને રોકનાર અંધકાર, વૃક્ષઆદિની આશ્રયવાળી અને મનુષ્ય આદિના પ્રતિબિંબરૂપ છાયા, પ્રકાશ, તથા સૂર્યઆદિની આતપ તે સર્વ પુદ્ગલ જાણવાં. [શવન્ધસૌમ્યસ્થૌલ્યસંસ્થાનમેવતમાયાતપોઘોતવન્તથ । (તત્ત્વાર્થસૂત્ર પૂ.૨૪) તમસ્ પુદ્ગલનો વિકાર (પર્યાય) છે. શબ્દ પણ પુદ્ગલનો વિકાર (પર્યાય) છે. ....ન નૈયાયિકો તમને અલગ દ્રવ્ય નથી માનતા. નનુ દશમં દ્રવ્યું તમ: વ્હેતો નોતમ્ ? तद्धि प्रत्यक्षेण गृह्यते तस्य च रूपवत्त्वात् कर्मवत्त्वाच्च द्रव्यत्वम् आवश्यकतेजोऽभावेनैवोपपत्तौ द्रव्यान्तरकल्पनाया अन्याय्यत्वात् । रूपवत्ताप्रतीतिस्तु भ्रमरूपा कर्मवत्ताप्रतीतिरप्यालोकापसरणौपाधिकी भ्रान्तिरेव । तमसोऽतिरिक्तद्रव्यत्वेऽनन्तावयवादिकल्पनागौरवं च स्यात् । ૧૫૩ (ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી. કા.૩)] પુદ્ગલ બે પ્રકારના છે ઃ ૧. પરમાણુ. તે નિર્વિભાજ્ય પુદ્ગલનો સૂક્ષ્મ ભાગ છે. અને ૨. સ્કંધ – પરમાણુ. એ ત્રણ કે તેથી વધુ મળવાથી થાય તે. પરમાણુ સૂક્ષ્મ અને નિત્ય, એક રસ, એક વર્ણ, એક ગંધવાળું અને બે સ્પર્શવાળું છે અને કાર્યલિંગ ચણુકાદિથી તે મહાકંધરૂપી કાર્યના લિંગરૂપ છે અને તે જ અંત્યકારણ છે. કોઈપણ પદાર્થના જેટલા બની શકે તેટલા કટકા કરતાં પરમાણુથી ઓછો વિભાગ થઈ શકતો નથી એટલે તેનો કોઈપણ વિભાગ પરમાણુથી પાર ન જઈ શકતો હોવાથી પરમાણુ એ જ સર્વનું અંત્ય – છેલ્લામાં છેલ્લું કારણ છે. (ચણુકાદિ અંત્યકારણ નથી) તે સૂક્ષ્મ છે કારણ કે આપણને અતીંદ્રિય છે તેથી તે આગમગમ્ય છે. દ્રવ્યથી નિત્ય છે અને ૧. કેટલાક મતાવલંબી (વૈશેષિક) શબ્દને આકાશનો ગુણ માને છે (જુઓ તર્કસંગ્રહ : સૂત્રઃ૧૪ શબ્દમુળમાાશક્ તત્રેવ્ઝ વિમુ નિયંત્ત અને તેથી તેને નિત્ય અને સર્વવ્યાપી વિભુ માને છે. વૈિશેષિકો શબ્દને નિત્ય નથી માનતા. દ્રવ્ય નિત્ય હોય તેથી ગુણ નિત્ય હોવો જોઈએ એ જરૂરી નથી, જેમકે આત્મા નિત્ય છે પણ તેના વિશેષ ગુણો – સુખ, દુઃખ, ઇચ્છા વગેરે નિત્ય નથી. શબ્દ આકાશનું લિંગ છે. શબ્દ તો ઉત્પાદ્ય છે તેથી નિત્ય હોઈ શકે જ નહીં.] જ્યારે જૈનદર્શનમાં એમ કહે છે કે જો તેને આકાશનો ગુણ માનવામાં આવે તો કદ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય નહિ, કારણકે આકાશ અમૂર્ત છે અને ગુણીનો ગુણ પણ સમાનજાતીય જ હોય તે રીતે આકાશનો ગુણ શબ્દ પણ અમૂર્ત હોય; અને ઇંદ્રિયો મૂર્ત્તિક છે તેથી મૂર્તિક પદાર્થને જ જાણે છે. આ કારણે જો શબ્દ આકાશનો ગુણ હોય તો કર્ણેન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે. જૈનદર્શન તેને પુદ્ગલનો એક પર્યાય – પરમાણુનો સમૂહ અને તેથી મૂર્ત અને પર્યાય દૃષ્ટિએ અનિત્ય ગણે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પર્યાયાર્થિક નયથી નીલાદિ આકાર વડે અનિત્ય જ છે. ૬. કાલ – કાલ પરમસૂક્ષ્મ નિર્વિભાગ એવો ‘સમય’ છે. તેનો પ્રદેશસમૂહ થઈ શકતો નથી તેથી તે અસ્તિકાય કહેવાતો નથી. સૂર્યાદિ ગ્રહનક્ષત્રની ઉદયાત ક્રિયાથી તે કાલ ગણાય છે, તેથી કેટલાક તેને દ્રવ્ય તરીકે ગણતા નથી. પરંતુ સમસ્ત પદાર્થોના પરાવર્તનમાં – ફેરફારમાં જે દ્રવ્ય સહાય કરે છે તે કાળ છે. કોઈમાં નવીનતા, જીર્ણતા થવી એ પુદ્ગલનો સ્વભાવ છે તે ખરું, પણ ત્યાં અપેક્ષાકારણ તો કાલ છે. મેઘવૃષ્ટિ અમુક સમયે થાય છે, બાલ્ય, યૌવન અને જરા એ પણ કાળપરિપાકને લઈને થાય છે. મનુષ્યગર્ભમાં નવ માસ રહ્યા પછી બાળક આવે છે વગેરે વ્યવસ્થામાં કાળદ્રવ્ય સહાયકારી છે. આ સર્વને તે-તે દ્રવ્યના વનાદિ પર્યાયરૂપે ગણી શકાય છતાં તે વર્તના સ્વભાવવાળાને ઉપચારથી અથવા તેના નિયામક કારણ તરીકે એ નામ આપી તેને દ્રવ્ય માનવામાં કોઈ બાધ આવતો નથી. કાલ પરિણામી કારણ નથી તેમ નિર્વતૈક કારણ નથી. પણ અમુક કાલે જ થવું – અન્ય કાલે નહિ એમ હોવાથી તે અપેક્ષા કારણ ગણાય. જ્યાં મનુષ્યક્ષેત્ર છે (જેન પ્રમાણે તેનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે.) ત્યાં જ સમય લક્ષણ કાલની ગણના છે કારણકે ત્યાં સૂર્ય ચંદ્રની ગતિ છે અને તેના પર જ કાળનો વ્યવહાર છે. મનુષ્યક્ષેત્રની બહાર કાલદ્રવ્ય છે જ નહિ.' ઉક્ત પડુદ્રવ્યની અરસપરસ તુલના – જીવ અને પુદ્ગલ એ બે અનેક છે અને બાકીનાં દ્રવ્ય એક છે પુદ્ગલ મૂર્ત છે અને બાકીનાં પાંચ અમૂર્ત છે. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે. ધર્મ અધર્મ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવાં અનંત પરમાણુઓ છે, બે પરમાણુઓ એકત્ર મળેલાં એવા યણુક અંધ અનંતા છે, એમ ત્રણુક સ્કંધ અનંત છે. એમ ઉત્તરોત્તર અનંત પરમાણું મળેલા એવા અનંતા સ્કંધ છે. પરમાણુ સર્વે એકરૂપ છે. વૈશેષિકો કહે છે તે પ્રમાણે ચાર, ત્રણ, બે કે એક એવા સ્પર્ધાદિગુણવાળા પાર્થિવ, આપ્ય, તૈજસ, અને વાયવીય પરમાણુની જાતિના ભેદ થકી પરમાણુ પણ ચાર રૂપનાં છે એ જૈનો સ્વીકારતા નથી. લવણ એ સ્પર્શ, ચક્ષુ, રસના, અને ઘાણ એ ચાર ઈદ્રિયથી ગમ્ય હોવા છતાં જળમાં ગળી જાય છે ત્યારે પરિણામવિશેષતાને લીધે એ ચાર ઈદ્રિયથી ગમ્ય રહેતું નથી. તેવી જ રીતે પાર્થિવાદિ પરમાણુ પણ પરિણામ વિશેષતાને લીધે એક જાતિનાં જ જાણવાં – એ સર્વેદ્રિયગ્રાહ્ય રહે નહિ. વૈશેષિકો પૃથિવી, અપૂ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક, આત્મા અને મન એ પ્રમાણે નવ દ્રવ્યો માને છે. પ્રથમનાં ચારેને ભિન્ન ભિન્ન દ્રવ્ય માન્યાં છે તે વાસ્તવિક નથી એમ જેન કહે છે, કારણકે તે તેમણે પરમાણુના પ્રકાર માન્યા છે અને પરમાણુ તે પ્રયોગ કે વિશ્રસાથી (સ્વભાવથી) પૃથિવી આદિના રૂપપણે પરિણમે પણ છે તો ૧. આ ઉપરાંત દિગંબરાચાર્યો વિશેષ એમ માને છે કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળા રહેલો છે (બૃહ દ્રવ્યસંગ્રહ, શ્લોક ૨૨ અધ્યાય ૧). બૌદ્ધમાં મનુષ્ય જીવનની બાલ્ય, યૌવન, જરા, મરણ આદિ બદલાતી અવસ્થાઓ સમય પરત્વે હોઈ કાલની ક્ષણપરંપરા બદલાતી માની છે. ઉત્તર ક્ષણ પૂર્વ ક્ષણે જેવી નથી. આમ બંનેની અનિત્યતા માની ‘સર્વ અનિત્ય છે' એ સિદ્ધાંત મનાયેલ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પદ્રવ્ય ૧પપ પણ પોતાના દ્રવ્યપણાને તજતા નથી અને અતિપ્રસંગ દોષ આવે છે તેથી અવસ્થાભેદે દ્રવ્યના ભેદ માનવા યોગ્ય નથી એમ જૈન કહે છે. તે ચારેનો સમાવેશ જૈને જીવદ્રવ્યમાં કરેલ છે. (આ રીતે તેમાં જીવ છે એવું જૈનદર્શન સિવાય કોઈપણ દર્શનમાં તેને જીવ તરીકે સ્વીકારેલ નથી) આકાશ અને કાલ, અને આત્માને (જીવન) જૈનોએ દ્રવ્ય તરીકે સ્વીકારેલાં છે. દિશાને આકાશનું અવયવભૂત છે તેથી પૃથક દ્રવ્ય ગણેલ નથી. મન તેમાં પુદ્ગલ દ્રવ્યમાં અંતર્ભાવ પામે છે કારણ કે તે સ્પર્ધાદિમાનું છે. છેલ્લે ઉપસંહાર તરીકે દ્રવ્યના ભેદનો એક કોઠો નીચે મૂકવામાં આવ્યો છે. જીવ દ્રવ્ય અજીવ દ્રવ્ય અરૂપી રૂપી (પુદ્ગલ) ધર્માસ્તિકાય અધર્મા- આકાશા- કાળ સ્તિકાય સ્તિકાયા પરમાણુ સ્કંધ જીવસહિત (વર્ગણા) જીવ રહિત (જીવ સાથે નહિ) : સૂક્ષ્મસ્કંધ વર્ગણા આદર (ચૂલોસ્કંધ વર્ગણા. ભાષા શ્વાસોચ્છવાસ મન કામણવર્ગણા ઔદારિક વૈક્રિય આહારક તેજસ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ નામ ગોત્ર અંતરાય ૫ ભેદ ૯ ભેદ ૨ ભેદ ૨૮ ભેદ ૪ ભેદ ૧૦૩ ભેદ રે ભેદ પ ભેદ આ સર્વ ભેદ વગેરે કર્મસ્વરૂપમાં આવશે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નવ તત્ત્વ જીવ અને અજીવ એ બે મુખ્ય દ્રવ્ય છે તેથી તે જ મુખ્ય બે તત્ત્વ છે એ આપણે કહી ગયા. હવે તે જીવ અને અજીવ (પુદ્ગલવિશેષ) બંનેના સંબંધથી તથા વિયોગથી જે આત્માનું સ્વરૂપ છે તે ૭ તત્ત્વમાં જૈન દર્શને વહેંચ્યું છે. તેનાં નામ જીવ, અજીવ, આવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ છે અને તેમાં પુણ્ય અને પાપ કે જે પ્રકારમંતરે અજીવના ભાગ છે તે ઉમેરવાથી નવ તત્ત્વ થાય છે. ૧. જીવતત્ત્વ જીવનું સ્વરૂપ આપણે આગળ કહી ગયા છીએ, પણ અહીંયાં તેથી કંઈક વિશેષ થોડું કહીશું. જે ત્રણે કાલમાં જીવે છે – પ્રાણને ધારે છે તે જીવ છે. વ્યવહારનયથી તે દશ પ્રાણોનો (પાંચ ઈદ્રિય, ત્રણ બલ નામે મનોબલ, વચનબલ અને કાયબલ, અને આયુ તથા શ્વાસોચ્છવાસ) ધારક છે. અને નિશ્ચય નયથી ભાવપ્રાણ (શુદ્ધ ચૈતન્ય – શુદ્ધજ્ઞાન, દર્શન, અને ચારિત્ર)નો ધારક છે. જીવ સર્વ કર્મથી મુક્ત થઈ મોશે પહોંચે છે ત્યારે તેને ભાવપ્રાણ જ હોય છે, પણ જ્યાં સુધી તે કર્મથી લેપાયેલ છે – સંસારી જીવ છે ત્યાં સુધી તેને દ્રવ્યપ્રાણ હોય છે. જેના સંયોગથી આ જીવ જીવનઅવસ્થાને પ્રાપ્ત થાય અને વિયોગથી મરણઅવસ્થાને પ્રાપ્ત થાય તેને પ્રાણ કહે છે. પ્રાણ એ. આત્મિક સત્તા છે. આ દશ પ્રાણમાંથી એક પણ પ્રાણની વિરાધના – તેનું હરણ – કે તેને દુઃખ થાય તે હિંસા છે. હિંસાનું સ્વરૂપ જ પ્રમાદથી પ્રાણવ્યપરોપણ છે. નિશ્ચયથી જીવ સિદ્ધસ્વરૂપ અને તેની ઇન્દ્રિયોથી અગોચર શુદ્ધ ચેતન્યપ્રાણ (ભાવપ્રાણી છે તેના પ્રતિપક્ષીભૂત ક્ષાયોપશામિક (યોપશમથી ઉત્પન્ન) પંચ ઈદ્રિયરૂપ પ્રાણ છે. અનંતવીર્યરૂપ જે બલપ્રાણ છે તેના અનંત ભાગોમાંના એક ભાગ જેટલા મનોબલ, ૧. જૈન દશ પ્રાણ કહે છે અને વેદાંત મુખ્યત્વે એકાદશ પ્રાણ કહીને તેથી જુદો એક મહાપ્રાણ ગણે છે. જેનના પ્રાણ સાથે વેદાંતમાંના પ્રાણ સરખાવતાં આ પ્રમાણે છે : જૈન વેદાંત પાંચ જ્ઞાનેન્દ્રિયો (ચક્ષુ આદિ) તે જ પાંચ જ્ઞાનેંદ્રિય મનોબલપ્રાણ મન – એકાદશમું વચનબલપ્રાણ - પાંચ કર્મેકિય [વાકુ, પાણિ, પાદ, વાયુ, ઉપસ્થ] કાયબલપ્રાણ આયુષ પ્રાણ - મુખ્ય-મહાપ્રાણ શ્વાસોચ્છુવાસ પ્રાણ ! વેદાંતમાં કોઈ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રકારે પ્રાણ માને છે, કોઈ પાંચ જ્ઞાનેંદ્રિય, વાક અને મન એમ સાત, તો કોઈ બે શ્રોત્ર, બે ચક્ષુ, બે ધ્રાણ તથા એક વાકુ મળી સાત પ્રાણ માને છે. કોઈ હસ્ત ઉમેરી આઠ, તો કોઈ વાયુ ને ઉપસ્થ એમ બે ઉમેરી નવ માને છે. કોઈ સ્થળે પાંચ જ્ઞાનેન્દ્રિય ને પાંચ કર્મેન્દ્રિય મળી દશ પ્રાણ, કોઈ સ્થળે મન સહિત એકાદશ પ્રાણ, કોઈ સ્થળે બુદ્ધિ સહિત દ્વાદશ પ્રાણ, કોઈ સ્થળે અહંકાર સહિત ત્રયોદશ પ્રાણ કહેલ છે. પરંતુ મુખ્યત્વે ઉપર પ્રમાણે એકાદશ પ્રાણ – પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન માનવા યોગ્ય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ નવ તત્ત્વ ૧પ૭ વચનબલ અને કાયબલરૂપ પ્રાણ છે. અનાદિ, અનંત તથા શુદ્ધ જે ચૈતન્ય (જ્ઞાન) પ્રાણ છે તેનાથી વિપરીત – વિલક્ષણ સાદિ (આદિસહિત) અને સાંત (અંતસહિત) એવું આયુપ્રાણ છે. શ્વાસોચ્છવાસના આવાગમનથી ઉત્પન્ન થતા ખેદથી રહિત એવું શુદ્ધ ચિત્ પ્રાણ છે તેનાથી વિપરીત આનપ્રાણ – શ્વાસોચ્છુવાસ પ્રાણ છે. આ દ્રવ્યપ્રાણ સંસારી જીવને છે. વ્યવહારનયથી તે સંસારી છે. સંસારી અને સિદ્ધ એમ બે ભેદ પાડી સંસારી જીવના તેમની ઈદ્રિય આદિના વિકાસ પ્રમાણે બે ભાગ પાડી શકાય છે : ૧. સ્થાવર કે જે સ્થિત હોય છે અને ૨. ત્રસ કે જે હાલચાલે છે (ત્રસુeભયપામવો તે ધાતુ પરથી). સ્થાવરના પાંચ ભેદ છે : પૃથિવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ પાંચને એક જ ઈદ્રિય નામે સ્પર્શેન્દ્રિય હોવાથી એકેદ્રિય જીવ કહેવામાં આવે છે. ત્રસના ચાર ભેદ છે. દ્વિદ્રિય (સ્પર્શ અને રસન ઈદ્રિયવાળા), ત્રીદ્રિય, (સ્પર્શ, રસન, નાસિકા, એ ત્રણ ઈદ્રિયવાળા), ચતુરિંદ્રિય (પૂર્વોક્ત ત્રણ અને એક ચક્ષુ મળી ૪ ઇંદ્રિયવાળા), અને પંચેંદ્રિય પૂર્વોક્ત ચાર અને કાન એ પાંચ ઈદ્રિયવાળા). આમાં એકેદ્રિયથી તે ચતુરિંદ્રિય સુધી સર્વ જીવો અસંજ્ઞી એટલે મન વગરના છે. પંચેન્દ્રિય એ ચાર જાતના છે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. સ્થાવર જીવ બે પ્રકારના છે (૧) સૂક્ષ્મ – આંખેથી જોઈ ન શકાય તેવા (૨) બાદર – તે સ્થૂલ. પર્યાપ્તિ વળી સ્થાવર અને ત્રસમાં જેજે આહાર વગેરેનાં પુદ્ગલગ્રહણનું પરિણમન કરનાર શક્તિવિશેષ – નામે પર્યાતિ છે તે બધી મળી છે છે. (૧) આહારપર્યાપ્તિ – આહાર ગ્રહણ કરવાની શક્તિ, (૨) શરીરપર્યાપ્તિ – શરીર રચવાની શક્તિ (૩) ઇંદ્રિયપર્યાતિ – ઈદ્રિય કરવાની શક્તિ. તેવી જ રીતે (૪) શ્વાસોચ્છવાસપર્યામિ, (૫) ભાષાપતિ, (૬) મન:પર્યાપ્તિ. જીવ જ્યારે ગર્ભ લે છે ત્યારે તે જેટલી પર્યાપ્તિવાળો જીવ હોય તેટલી પર્યાપ્તિ અનુક્રમે ઉપરના ક્રમમાં પ્રાપ્ત કરે છે. આ છ પર્યાતિમાંથી એકેદ્રિયને – સ્થાવરને પ્રથમની ૪ પર્યાપ્તિ છે અને બે, ત્રણ અને ચાર ઈદ્રિયવાળા જીવને મનપર્યામિ સિવાયની પાંચ પર્યાદ્ધિ છે. પંચેઢિયમાં છએ પતિ છે. આ છએ પર્યાપ્તિમાંથી જે જે જીવને જેટલી જેટલી પર્યામિ હોવી જોઈએ તે કરતાં ઓછી હોય તો તે જીવ અપર્યાપ્તા કહેવાય છે. સ્થાવર એકેંદ્રિય જીવ પૃથ્વીકાય, જલકાય, તેજસ્કાય અને વાયુકાય એ ચારેમાં અસંખ્ય જીવ છે. અને વનસ્પતિકાયના બે પ્રકાર છે. (૧) પ્રત્યેક – આમાં એક શરીરમાં એક જીવ હોય છે. આંબો, લીમડો વગેરે (૨) સાધારણ વનસ્પતિકાય – તેમાં એક શરીર અનંત જીવો વચ્ચે હોય છે. સુરણ બટાટાદિ સર્વ કંદ, સર્વજાતના કૂળા અંકુરા, થેક વગેરે. જેની ગૂઢ શિરા હોય, જે છેલ્લા છતાં વાવવાથી ફરી ઊગે તે સર્વ સાધારણ વનસ્પતિ અથવા અનંતકાય કહેવાય છે. આથી કરી આવી વનસ્પતિનું ભક્ષણ કરવાનો જેન ગૃહસ્થને કે સાધુને નિષેધ કરેલ છે. ત્રસમાં બે ઈદ્રિય જીવ જેવા કે અળસિયાં, કીડા, પુરા વગેરે, ત્રીદ્રિય. જીવ જેવા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કે કાનખજૂરા, માંકણ, જૂ. કીડી, ઊધઈ, મંકોડા, વગેરે, ચતુરિંદ્રિય જીવ જેવા કે વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાંસ, મચ્છર, કંસારી, પતંગિયાં વગેરે, અને પંચેદ્રિયમાં જે ચાર ભેદ છે નામે દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી, તે દરેકના પ્રકાર કહીએ. (૧) દેવતા – ચાર પ્રકારે ૧. વૈમાનિક ૨. ભુવનપતિ, ૩. વ્યંતર ૪. જ્યોતિષી. ૧. વૈમાનિકના બે પ્રકાર છે : કલ્પોપપત્ર એટલે જેમાં કલા એટલે આચાર છે એટલે ઈદ્ર અને તેનું સેવકપણું આદિ આચાર જ્યાં વર્તે છે તે, અને કલ્પાતીત – કે જેમાં તેવો કલ્પ વર્તતો નથી. સૌ અહમેવઈદ્ર – પોતે જ ઈદ્ર છે એમ માની વર્તે છે - કોઈ કોઈનું આધિપત્ય નથી. કલ્પપપન્ન એવા ૧૨ દેવલોક છે નામે ૧. સૌધર્મ ૨. ઈશાન, ૩. સનકુમાર ૪. મહેન્દ્ર ૫. બ્રહ્મ, ૬. લાંતક, ૭. શુક, ૮. સહસ્ત્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ્ય અને ૧૨. અમ્યુ. કલ્પાતીતમાં નવગ્રેવેયિક દેવો, અને પાંચ અનુત્તર વિમાનના દેવો સમાય છે. આ સિવાય નીચ જાતિના એટલે હલકાં કામ દાસપણું આદિ કરનારા ત્રણ પ્રકારના કિલ્બિષીઆ દેવો તથા દેવલોકોની એકબીજાને આંતરે રહેનારા નવ પ્રકારના લોકાંતિક દેવ છે. ૨. ભુવનપતિ – ભુવનાધિપતિ દેવતા દશ છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્ધતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, તથા સ્વનિતકુમાર ૩. વ્યંતર દેવતા – આઠ છે. પિશાચ, ભૂત, યજ્ઞ, રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, મહોરગ, અને ગંધર્વ. તથા બીજા બાણથંતર આઠ છે : અણપત્રી, પણપત્રી, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ, પતંગ. ૪. જ્યોતિષી દેવતા – પાંચ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તથા તારા. તે ફરી બે પ્રકારના છે. ચર અને અચર. ચર એટલે અસ્થિર, સદાકાલ ફરતા રહે તે મનુષ્યક્ષેત્રને વિષે છે, જ્યારે મનુષ્યક્ષેત્રથી બાહેર છે તે સ્થિર છે, તેમનાં વિમાન ફરતાં નથી. (૨) મનુષ્ય – તે જે ભૂમિમાં રહે છે તે પરથી તેના ભેદ પાડવામાં આવ્યા છે. ૧. જ્યાં કૃષિ વાણિજ્ય આદિ કર્મ પ્રધાન છે તે કર્મભૂમિ કહેવાય છે અને ત્યાં રહેનારા મનુષ્ય કર્મભૂમિ જ કહેવાય છે, ૨. જ્યાં તેવાં કર્મ નથી તે અકર્મભૂમિમાં રહેનાર અકર્મભૂમિ કહેવાય છે, ૩. અંતરદ્વીપજ છપન અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા. (૩) તિર્યંચ – એના પાંચ પ્રકાર છે. ૧. જળચર - માછલાં, મગર, કાચબા વગેરે, ૨. સ્થળચર – ગાય, ભેંસ, બળદ, ઊંટ, શ્વાન, બિલાડી વગેરે, ૩. ખેચર – આકાશમાં ફરનારા કાગડા, ચકલી, ગીધ, પોપટ, પારેવાં વગેરે. ૪. ઉપરિસર્પ – છાતીએ ચાલનારા સર્પ વગેરે. પ. ભુજપરિસર્પ - ભુજાથી ચાલનારા, નોળિયાં ખીસખોલી વગેરે. આ બધા બે પ્રકારના છે. જે માતપિતાની અપેક્ષા વિના ઉત્પન્ન થાય છે તે ‘સમૃદ્ઘિમ' કહેવાય છે, અને જે ગર્ભમાં ઉત્પન્ન થાય તે “ગર્ભજ છે. | (૪) નારકી – નારકી જીવો સાત પ્રકારની નરકભૂમિમાં રહે છે. તેનાં નામ – ઘમાં, વંશા, સેલા, અંજણા, રિઠા, મઘા તથા માઘવતી. Page #180 -------------------------------------------------------------------------- ________________ નવ તત્ત્વ ૧૫૯ દેવતા ૮૪ લક્ષ જીવયોનિ જેમ જૈનેતર મતોમાં ૮૪ લાખ યોનિ મનાય છે તેમ જૈનમાં પણ માનેલી છે, અને ૮૪ લાખ યોનિમાં સંસારી જીવો સ્વકર્મવશવર્તી પરિભ્રમણ કર્યા કરે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેના એકસરખા જ હોય તે એક ‘જીવયોનિ' ગણાય છે. આવી જીવયોનિઓ ૮૪ લાખ છે તે આ પ્રમાણે : પૃથ્વીકાય ૭ લક્ષ બેઇદ્રિય ૨ લક્ષ. અપૂકાય ૭ લક્ષ ત્રીદ્રિય ૨ લક્ષ. તેજસ્કાય ૭ લક્ષ ચતુરિંદ્રિય ૨ લક્ષ વાયુકાય ૭ લક્ષ ૪ લક્ષ, પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લક્ષ નારેક ૪ લક્ષા સાધારણ વનસ્પતિકાય ૧૪ લક્ષ તિર્યંચ પંચેન્દ્રિય ૪ લક્ષ મનુષ્ય ૧૪ લક્ષ ૮૪ લાખ લોકસ્વરૂપ જૈનમતમાં છ દ્રવ્યથી પરિપૂર્ણ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ત્રણે સ્વરૂપ સંયુક્ત એવો લોક કહ્યો છે. તે અનાદિ અનંત છે, કોઈનો રચેલ નથી. તેનો આકાર મનુષ્પાકારે છે. જેમ કોઈ પુરુષ જામો પહેરીને પોતાની કમરમાં બંને હાથ લગાડી પગ પહોળા કરી ઊભો હોય તેમ તેનો આકાર છે. તેના શિરના અગ્રસ્થળે સિદ્ધસ્થાન (સિદ્ધર લા) છે. અને તે ઊર્ધ્વલોક, અધોડોક અને મધ્યલોક – તિર્યક્લોક એમ ત્રણ વિભાગમાં સર્વ જીવપુદ્ગલ તેની અંદર પ્રવર્તે છે તેની બહાર જીવ કે પુદ્ગલ કાંઈપણ નથી; માત્ર આકાશ તત્ત્વ છે અને તેને “અલોકાકાશ' કહે છે. જે સિદ્ધગતિ પામે છે તે ઊર્ધ્વગમન કરી લોકના અગ્રે સ્થિત થાય છે પરંતુ તે ઉપર અલોકાકાશમાં જઈ શકતો નથી કારણ કે અલોકાકાશમાં ધર્માસ્તિકાય કે જેનો ગુણ ગતિ આપવાનો છે – ગતિસહાય ગુણ છે તે દ્રવ્ય નથી તેથી સિદ્ધ જીવને ગતિ મળી શકતી નથી. અલોકનું આકાશ અનંત છે. લોકનો નીચેનો ભાગ – અધોલોક છે તેમાં જુદીજુદી નીચે ઉપર સાત પૃથ્વી છે અને તેમાં નરકવાસી જીવ રહે છે તેથી તેને સાત નરકભૂમિ કહેવામાં આવે છે અને ત્યાં કોઈ જગાએ ભુવનપતિ દેવતા તેમજ વ્યંતર દેવતા રહે છે. તિર્થો (તિર્યક) લોકમાં (મધ્યલોકમાં) મનુષ્ય, તિર્યંચ તેમજ વ્યંતર રહે છે. તેમજ જ્યોતિષી દેવતા રહે છે, તેથી ઉપર બીજા દેવતાઓ વસે છે. એટલે ત્યાં બાર દેવલોક, નવ ગ્રેવેયિક, અને પાંચ અનુત્તર વિમાન એક પછી એક આવેલા છે. અને તેની ઉપર સિદ્ધશિલા છે. આમાં ગ્રેવેયિક એ નામ પણ લોકને પરષ રૂપ હોવાથી તે પુરુષની ગ્રીવા એટલે ડોકનું જ્યાં સ્થાન આવે ત્યાં તે રહેલા હોવાથી પડેલ છે. (ગ્રીવા – ડોકના સ્થાને રહેનાર તે ગ્રેવેયિક.) લોકની આસપાસ વાયુનાં વલય એટલે પડ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬O જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો લોકસ્વરૂપ સિદ્ધશિલા ARપાં અનુત્તર ૦૦૦/> > ૦૦૦ 4 4000 રા છે નવ ગૌવેયિક ઊર્ધ્વલોક - બાર દેવલોક -1 | અલોકાકાશ અલોકાકાશ જોતિષી દેવતા મધ્યલોક તિર્ધક લોક ૧ નરક ૨ નરેક ૩ નરક ૪ નક ૫ નરક ૬ નરક ૭ નરક નિગોદ વનોદધિ વાત વલય ધન વાત વલય તનુ વાત વલથ ૨. અજીવતત્ત્વ આમાં પાંચ દ્રવ્ય નામે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલનો સમાવેશ થાય છે અને તેનું સ્વરૂપ “પદ્રવ્ય પ્રકરણમાં જોઈ ગયા છીએ. ૩. પુણ્યતત્ત્વ પુણ્ય એટલે સત્કર્મ પુદ્ગલ. જે કર્મના ફલ તરીકે સ્વર્ગ, તીર્થકરત્નાદિ છે એવું શુભ કર્મ, જે શુભ પ્રકૃતિથી પોતે કરેલાં કર્મ જીવોને સુખ આપે છે તે પુણ્ય. Page #182 -------------------------------------------------------------------------- ________________ નવ તત્ત્વ પુણ્ય ઉપાર્જન કરવાનાં ૯ કારણ છે : (૧) સુપાત્રે અન્નદાન, (૨) જલ પાવું, (૩) વસ્ત્ર આપવાં, (૪) રહેવાને સ્થાનક આપવું, (પ) સૂવા બેસવાને આસન આપવાં, (૬) ગુણીજનને દેખી મનમાં સંતોષ માનવો, (9) ગુણીજનની વચનથી પ્રશંસા કરવી, (૮) અને કાયાથી સેવા કરવી, (૯) અને ગુણીજનને નમસ્કાર કરવો. ૧૬૧ પુણ્યથી ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ કુળ, ઉચ્ચ ગતિ, શરીરને સુખ, સાંગોપાંગ શરીર, ઉત્તમ શરીરનો બાંધો, યશ, પૂજ્યતા, લોકપ્રિયતા આદિ અનેક સુખકારક સંયોગો પ્રાપ્ત થાય છે. ૪. પાપતત્ત્વ પુણ્યથી વિપરીત તે પાપ, એટલે અશુભ કર્મ – કે જેનાથી જીવોને દુઃખ થાય અને જેનાથી નરકાદિ ફલ પ્રાપ્ત થાય છે તે. પાપ અઢાર પાપસ્થાનકોથી બંધાય છે અને ૮૪ અશુભ કર્મની પ્રકૃતિઓથી પાપ ભોગવાય છે – જે કર્મના ભેદોમાં જણાવવામાં આવેલ છે. ૧૮ પાપસ્થાનકો તે નીચે પ્રમાણે છે ઃ ૧. પ્રાણાતિપાત (જીવહિંસા) ૨. મૃષાવાદ (જૂઠું બોલવું) ૩. અદત્તાદાન (ચોરી કરવી), ૪. મૈથુન (અબ્રહ્મચર્ય) ૫. પરિગ્રહ (વસ્તુ વિષે મારાપણું રાખવું), ૬. ક્રોધ ૭. માન, ૮. માયા (કપટ), ૯. લોભ એમ ૬-૯ એ ચાર કષાય, ૧૦. રાગ (આસક્તિ), ૧૧. દ્વેષ (ઈર્ષ્યા-અદેખાઈ વગેરે) ૧૨. ક્લેશ ૧૩. અભ્યાખ્યાન ૧૪. પૈશુન્ય (ચાડી ખાવી તે), ૧૫. પરપ્રવાદ (નિંદા), ૧૬. ચિંતઅરિત, ૧૭. માયામૃષા, ૧૮. મિથ્યાદર્શન શલ્ય. ઉપર્યુક્ત પાપ-પુણ્યનો બંધતત્ત્વમાં અંતર્ભાવ થાય છે, છતાં તેને જુદાં ગણાવવામાં પરમતવાળાના આ સંબંધે વિવિધ વિચારોનો નિષેધ કરવાનો હેતુ છે. કેટલાક એમ કહે છે કે પુણ્ય જ છે, પાપ નથી; બીજા કહે છે કે પાપ છે પણ પુણ્ય નથી; ત્રીજા કહે પાપ અને પુણ્ય બંને એક જ વસ્તુ છે; કેટલાક કહે છે કે મૂલથી કર્મ જ નથી અને આ આખું જગત્ પ્રપંચ સ્વભાવસિદ્ધ છે. આ બધા મત યોગ્ય નથી, કારણકે સુખ અને દુઃખ એવાં બે સ્પષ્ટ જુદાંજુદાં સર્વે અનુભવે છે, અને તેથી તે સુખદુઃખના કારણરૂપ પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર રીતે સ્વીકારવાં ઘટે છે. કર્મનો અભાવ માનનારા અને વેદાંતીઓ કહે છે કે પુણ્યપાપ આકાશપુષ્પ જેવાં છે, સરૂપ નથી તો પછી તેમના લના ભોગનાં સ્થાન સ્વર્ગ નરકાદિ ક્યાંથી હોય ? આ વાત યોગ્ય નથી, કારણકે પુણ્યપાપ ન હોય તો સુખદુઃખનું કારણ કાંઈ રહ્યું નહિ એટલે તે પેદા જ ન થવાં જોઈએ. અને તે વાત તો પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ છે. જેમકે મનુષ્યત્વ સર્વત્ર સમાન છે છતાં કેટલાક સ્વામીપણું તો બીજા તેનું સેવકપણું ભોગવે છે, કોઈ શ્રીમંત, તો કોઈ કંગાલ છે ઇત્યાદિ બધી દુઃખસુખની વિચિત્રતા દેખાય છે. તો તેના કારણરૂપે પાપપુણ્ય માનવાં જોઈએ અને તે માન્યાં એટલે તેમનાં ફલનો ઉપભોગ કરવા યોગ્ય સ્વર્ગ-નરકનાં વિશિષ્ટ ભોગસ્થાન પણ માનવાં જોઈએ. - વિદાંતીઓ પુણ્ય-પાપ માને છે. શાંકર વેદાંતીઓ તેમને વ્યાવહારિક સત્ય તરીકે સ્વીકારે છે, પણ વ્યવહાર-દશામાં તેમના નિયમોના પાલનનો આગ્રહ છે. પારમાર્થિક Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દષ્ટિએ આત્માને તેમનો સ્પર્શ ન હોવાથી તે મિથ્યા છે અને તેમના પ્રત્યે કર્તુત્વભાવના ન રાખવાથી તે બંધનકારક રહેતાં નથી. પાપના જેટલું જ પુણ્ય પણ બંધનકારક છે એમ જેનોમાં પણ મનાય છે. કુંદકુંદાચાર્યે પોતાના સમયસાર આદિ ગ્રંથોમાં આ વાત ભારપૂર્વક કહી છે.] ૫. આસ્રવ તત્ત્વ જેનાથી કર્મ આસ્રવ – આવે એટલે જેના વડે જીવોને કર્મોની પ્રાપ્તિ થાય એવા કર્મના દ્વાર રૂપ તે આસ્રવ છે. આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધહેતુ એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધના હેતુ છે. મિથ્યાત્વ – અસત્ દેવ, અસત્ ગુરુ અને અસદ્ ધર્મમાં સત્ દેવ, સત્ ગુરુ અને સત્ ધર્મરૂપ માનવાની જે બુદ્ધિ તે. અવિરતિ – હિંસા, ચોરી આદિથી ન વિરમવું તે. પ્રમાદ – મઘ વિષયાદિ. કષાય – ક્રોધ, માન, માયા અને લોભ. યોગ – મન-વચન-કાયાનો વ્યાપાર. બંધ અને આસવને સંબંધ એ છે કે પૂર્વબંધને લઈને (કારણ) આસ્રવ (કાય) થાય છે. અને આસ્રવથી (કારણ) ઉત્તર બંધ (કાય) થાય છે. એ જ પ્રમાણે પૂર્વ આસ્રવથી (કારણ) બંધ (કાર્ય થાય છે અને બંધથી (કારણ) ઉત્તર આસ્રવ (કાર્ય) થાય છે. આ પ્રમાણે બંધ અને આસ્રવ વચ્ચે બીજાંકુર જેવો પરસ્પર કાર્યકારણનો સંબંધ છે. આમાં અન્યોન્યાશ્રય દોષ થતો નથી, કારણ કે પ્રવાહની અપેક્ષાથી બંને અનાદિ છે. આ આસ્રવ પુણ્ય અને પાપનો હેતુ છે, તેમજ મિથ્યાત્વાદિની ન્યૂનતાથી ન્યૂન અને અધિકતાથી અધિક થાય છે. બીજી રીતે આમ્રવના ૪૨ ભેદ કહ્યા છે. ૫ ઇંદ્રિય – સ્પર્શ ઈદ્રિય, રસ ઈદ્રિય, ઘાણ ઈદ્રિય, નેત્રંદ્રિય, શ્રોત્રેઢિય. ચાર કષાય – ૧. ક્રોધ – સચેતન અચેતન વસ્તુઓ ઉપર જેથી પ્રાણી સનિમિત્ત કે નિનિમિત્ત કોપ કરે છે. આ મોહનીય કર્મને લઈને છે. ૨. મા તે મૃદુતાનો અભાવ. આના બે પ્રકાર છે – અપ્રાપ્ત વસ્તુ છતા અહંકારવૃત્તિ તે માન, અને પ્રાપ્ત થયેલી વસ્તુઓ વડે જે અહંકાર થાય તે મદ. તે મદ આઠ રીતે છે જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ, જ્ઞાનમદ, લાભમદ, તપમદ અને ઐશ્વર્યમ. - પાંચ અવ્રત – પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન (અબ્રહ્મસેવન), પરિગ્રહ. ત્રણ યોગ – મનનો વ્યાપાર તે મનોયોગ, વચનનો વ્યાપાર તે વચનયોગ અને શરીરનો વ્યાપાર તે કાયયોગ. પચીસ ક્રિયા – ૧. કાયિકી ક્રિયા – શરીરથી ક્રિયા થયાં કરે છે. ૨. અધિકરણ ક્રિયા - કસાઈ પ્રમુખશસ્ત્રથી પરજીવોને ઉપઘાત કરે છે તે, ૩. પ્રદ્ધષિની ક્રિયા – જીવ તથા અજીવ પર દ્વેષની ચિંતવના કરવી તે, ૪. પારિતાપનિકી ક્રિયા – પોતાને Page #184 -------------------------------------------------------------------------- ________________ નવ તત્ત્વ ૧૬૩ તથા પરને પરિતાપ ઉપજાવવો, ૫. પ્રાણાતિપાતિકી ક્રિયા - એકેંદ્રિય આદિ જીવોને હણવા હણાવવાની ક્રિયા, ૬. આરંભિકી ક્રિયા – પૃથ્વીકાયાદિ જીવના ઉપઘાત કરવા કરાવવા સારુ કર્ષણ પ્રમુખ કરવું કરાવવું. ૭. પારિગ્રહિક ક્રિયા – ધનધાન્યાદિ પરિગ્રહ મેળવતાં અને તેના રક્ષણ સારુ તે પરની મૂચ્છના પરિણામે જે ક્રિયા કરવી પડે તે. ૮. માયા પ્રત્યયિકી ક્રિયા – બીજાને ઠગવા સારુ કપટયુક્ત ક્રિયા, ૯. મિથ્યાદર્શન પ્રત્યયિકી – અસપ્રરૂપણા કરવા રૂપ ક્રિયા, ૧૦. અપ્રત્યાખ્યાતિકી – સંયમને વિઘાતકારક કષાયોના ઉદયથી પચ્ચખાણ લીધા વિના જે સર્વ વસ્તુની ક્રિયા લાગે છે, ૧૧. દષ્ટિકી – કૌતુકથી અશ્વાદિ જોવા તેમ જ રાગાદિથી કલુષિત ચિત્તથી જીવ અજીવ જોવા તે, ૧૨. સ્મૃષ્ટિકી – રાગદ્વેષમોહથી સંયુક્ત ચિત્રથી સ્ત્રી આદિના શરીરને સ્પર્શ કરવો તે, ૧૩. પ્રાતિત્યકી – બીજાઓના જીવ અજીવાદિ જોઈ દ્વેષ થાય અને તેઓ પાસે તે ક્યાંથી એવી અસતુ ચિંતવના કરવી તે, ૧૪. સામંતોપનિપાતિકી – પોતાની સંપદાની પ્રશંસામાં હર્ષ લેવા રૂપ અને ઉઘાડાં વીતેલ આદિનાં પાત્ર રાખવાથી ત્રસ જીવ તેમાં આવે તે રૂપ ક્રિયા, ૧૫. નૈસૃષ્ટિકી – પરોપદેશિત પાપમાં લાંબા વખત સુધી પ્રવર્તવું અને પાપભાવની અનુમોદના કરવી. ૧૬. સ્વસ્તિકી – બીજા પાસે જે કાર્ય કરાવવાનું હોય તે આરંભાદિ વગેરે પોતે કાર્ય કરવું તે, ૧૭. આજ્ઞાપનિકી – જીવાજીવાદિ સૂક્ષ્મ પદાર્થોની જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા કરવા રૂપ, ૧૮. વૈદારણિકી – બીજાનાં અછતાં ખોટાં આચરણો પ્રગટ કરવાં, તેમની પૂજાનો નાશ કરવો તે. ૧૯. અનાભોગ – જે ઉપયોગથી વિપરીત તે અનાભોગ – તેથી અસાવધાનીથી ઉપલક્ષિત ક્રિયા, ૨૦. અનવકાંક્ષા પ્રત્યયિકી – પોતાની તેમ જ પરની અપેક્ષાથી વિપરીત તે અનવકાંક્ષા, અને તેને લીધે થયેલ ક્રિયા, ૨૧. પ્રયોગ – ચાલવું દોડવું વગેરે કાયાના વ્યાપાર, હિંસામય જૂઠ વગેરે બોલવાના વચનના વ્યાપાર, અને પરદ્રોહ ઈર્ષા અભિમાનાદિ મનોવ્યાપાર – એ ત્રણેનું કરવું તે. ૨૨. સમુદાન – જેનાથી વિષય ગ્રહણ થાય તે સમુદાન ઈદ્રિય – તેની ઉપઘાતરૂપ કિયા તે, કે જેથી આઠે કર્મનું સમુદાયપણે ગ્રહણ થાય છે. ૨૩. પ્રેમપ્રત્યયિકી – માયા તેમજ લોભથી થતી ક્રિયા. ૨૪. દ્વેષ પ્રત્યવિકી – ક્રોધ અને માનથી થતી ક્રિયા, ૨૫. ઈપથિકી – ચાલવાથી જે ક્રિયા લાગે છે. ત્રણ યોગ - મન વચન કાયાના વ્યાપાર. (કષાય અને યોગથી કેવા પ્રકારે કર્મ બંધાય છે તેનું સ્વરૂપ “આત્માને કર્મનો સંયોગ’ એ મથાળા નીચે આપેલું છે) આમ સર્વ મળી ૪ર ભેદ આસ્રવના આ પ્રકારે થયા. ૬. સંવર તત્ત્વ - મિથ્યાત્વાદિ બંધનો હેતુ તે આસ્રવ. પણ તે આસવનો નિરોધ તે સંવર એટલે કે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગરૂપ આમ્રવનો (૧) સમ્યગ્દર્શન, (૨) વિરતિ વ્રત, (૩) પ્રમાદપરિહાર (૪) ક્ષમાદિ, (૫) ગુણિત્રય એ વગેરે ધર્મના આચરણથી નિરોધ એટલે નિવારણ, ઢાંકવાપણું, રૂંધન તે સંવર છે (સંવૃ=ઢાંકવું તે પરથી ). બીજી રીતે સંવર પ૭ પ્રકારે છે. પ સમિતિ, ૩ ગુમિ, ૧૦ યતિધર્મ, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૧૨ ભાવના, ૨૨ પરિષહ, અને ૫ ચારિત્ર, આમાંના ૨૨ પરિષહ અને પ ચારિત્ર સિવાયના બધાનું વર્ણન ગુરુતત્ત્વમાં આવેલું છે. તેથી અહીં પરિષહ, ચારિત્ર સંબંધી જણાવીશું. ૨૨ પરિષહ – પરિષહ એટલે વેઠવું, સહન કરવું. એવા ૨૨ પ્રકાર કહ્યા છે કે જે સહન કરવાથી કર્મ આવતાં અટકે છે અને તે આ છે : ૧. સુધા પરિષહ – ક્ષુધા વેઠવી તે અને તે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યા વગર (એટલે નિરવદ્ય – નિર્દોષ આહાર ન મળે તો સાવદ્ય ન લાવવો), આર્ત ધ્યાન કર્યા વગર અને સમ્યફ પરિણામે વેઠવી. તેવી જ રીતે ૨. પિપાસા પરિષહ, ૩. શીતપરિષહ. આ વેઠતાં અકથ્ય વસ્ત્રોની વાંછા ન કરની જોઈએ, તાપની વાંછા પણ નહીં, ૪. ઉષ્ણપરિસહ – તડકામાં ચાલતાં જોડા વગેરેની, તેમજ પંખા વગેરેની વાંછા ન રાખે. પ. દેશમશક પરિષહ – ડાંસ, મચ્છર માંકડ વગેરેને વેદના થતી હોય તો ઈજા વગર તેનું નિવારણ કરવું યા સમ્યક પરિણામે વેદના સહન કરવી, ૬. અચેલ પરિષહ – વસ્ત્રાદિ પર મૂચ્છ ન રાખતાં તે વિશષ મળે યા ન મળે તેની દરકાર ન કરતાં જે કલ્ય વસ્ત્ર મળે તે જ રાખવાં, બીજાં નહિ, ૭. અરતિ પરિષહ – સંયમ પાળતા અરતિ ઉત્પન્ન થાય તો સહન કરવી, ૮. સ્ત્રી પરિષહ - સ્ત્રીઓનાં અંગોપાંગહાસ્યાદિ મનમાં ન ચિંતવવાં તેમ તે પ્રત્યે વિકારબુદ્ધિથી ન જોવું, ૯. ચર્યાપરિષહ – ચર્યા એટલે ચાલવું તેમાં ઘરરહિત - અનગારપણે ગ્રામ નગરાદિમાં અનિયત વાસ મમત્વરહિત કરવા તે. ૧૦. નિષદ્યા પરિષહ – નિષદ્યા એટલે રહેવાના સ્થાનમાં રહેતાં ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગ થાય તે સહન કરવા, ૧૧. શય્યા પરિષહ – શયા, આસન વગેરે ગમે તેવી મળે તેથી ચલાવી લેવું, ૧૨. આક્રોશ પરિષહ – કોઈ અનિષ્ટ વચન કહે ત્યારે ક્રોધ ન કરતાં સહી લેવું, ૧૩. વધ પરિષહ – હસ્તાદિથી કોઈ મારે તો શરીર પર મમત્વ ન રાખતાં સહવું, ૧૪. યાચના પરિષહ – માગવાથી સર્વ વસ્તુ મળે છે તો તેથી તેવી બુદ્ધિ રાખી સમ્યફ પરિણામથી સહન કરવું, ૧૫. અલાભ પરિષહ – ગૃહસ્થ પાસેથી ઇશ્કેલી વસ્તુ ન મળે તો ખેદ ન ધરવો, ૧૬. રોગ પરિષહ – સ્વરાદિ રોગ પર શાસ્ત્રોક્ત રીતે ઉપચાર કરવા ને સહવા, ૧૭. તૃણસ્પર્શ પરિષહ – દર્દાદિ કઠણ ઘાસનો સ્પર્શ સહવો, ૧૮. મલપરિષહ – શરીરે મેલ ચડે છે અને ઉનાળામાં ધૂળ પરસેવા સાથે મળતાં શરીર મલિન થાય છે તો શરીરની વિભૂષા ન કરતાં સહવું, ૧૯. સત્કાર પરિષહ – સત્કાર કોઈ કરે તો મનમાં અભિમાન ન કરતાં સહવો, ૨૦. પ્રજ્ઞાપરિષહ – અત્યંત બુદ્ધિ હોવા છતાં અભિમાન ન કરવું, ૨૧. અજ્ઞાન પરિષહ – પોતે મૂર્ખ, જડ હોય તે છતાં શોક ન લાવવો, ૨૨. દર્શન પરિગ્રહ - સમ્યગ્દર્શન થતાં ગયેલી ભ્રાંતિ પર વિચાર કરી તે ભ્રાંતિના વિષયોમાં ન જવું પણ સ્થિર રહેવું. વિકલતા કે તત્ત્વોમાં સંદેહ ન લાવવા. ૫ પ્રકારનાં ચારિત્ર – ૧ સામાયિક ચારિત્ર – સર્વ સાવદ્ય (પાપવાળા) કામનો ત્યાગ અને નિર્દોષ કાર્યનું સેવન કરવું તે કે જેથી શમતાનો લાભ થાય. ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર – પંચ મહાવ્રત બરાબર પાળવા તે, ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર - [શુદ્ધ ચારિત્રના નિયમોનું જ્ઞાન અને તેમના પાલન માટેનું વીર્ય હોવું તેવું તપ.] ૪. સૂક્ષ્મ સંપરા ચારિત્ર – સૂક્ષ્મ સંપરાય નામના ગુણસ્થાને પહોંચતા સાધુનું ચારિત્ર, Page #186 -------------------------------------------------------------------------- ________________ નવ તત્વ ૧૬૫ ૫. યથાખ્યાત ચારિત્ર – સર્વ કષાયનો સર્વથા નાશ થતાં સાધુઓનું જે ચારિત્ર થાય તે. તે કેવલી (સર્વજ્ઞ)ને હોય છે. આમાંનાં છેલ્લાં ત્રણ ચારિત્ર વિચ્છિન્ન થયેલ છે એટલે આ કાળમાં ભાગ્યે જ જોવામાં આવી શકે. ૭. બંધતત્ત્વ સંસારમાં છ દ્રવ્ય છે, તેમાંના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોનું શુદ્ધ અને અશુદ્ધ એમ બે પરિણમન થાય છે; અન્ય ચાર દ્રવ્યોનું તો શુદ્ધ પરિણમન થાય છે. અન્ય દ્રવ્યથી લિપ્ત થયા વગર કોઈ દ્રવ્યનું પોતામાં અને પોતામાં જ જે પિરણમન થાય તેને ‘શુદ્ધ પરિણમન’ કહેવામાં આવે છે, જ્યારે એક દ્રવ્ય બીજા કોઈ દ્રવ્ય સાથે મળી એકીભાવ પ્રાપ્ત કરી બંધ પર્યાયરૂપ પરિણમે તેના તે પરિણમનને ‘અશુદ્ધ પરિણમન – વિભાવ' કહેવામાં આવે છે. જેમ હળદર અને ચૂનાનો પરસ્પર સંગમ થવાથી પીતભાવ અને શ્વેતભાવનો ત્યાગ થઈ રક્તભાવરૂપ એકત્વ પ્રાપ્ત કરી ‘અશુદ્ધ પરિણમન’ બંને કરે છે. જીવ અને પુદ્ગલમાં એક ગુણ એવો છે કે જેને વૈભાવિકી શક્તિ' કહેવામાં આવે છે, તેનાથી બંનેનું અશુદ્ધ પરિણમન થાય છે, પરંતુ બાકીનાં ચાર દ્રવ્યોમાં આ ગુણ ન હોવાથી તે ચા૨ દ્રવ્યોનું અશુદ્ધ પરિણમન થતું નથી. આ અશુદ્ધ પરિણમનને ‘બંધ' કહેવામાં આવે છે. ‘બંધ' એટલે બંધન, પરસ્પર મળવું. : બંધ બે પ્રકારનો છે ઃ એક સજાતીય બંધ, અને બીજો વિજાતીય બંધ. પુદ્ગલની સાથે પુદ્ગલનો બંધ તે સજાતીય બંધ છે અને જીવની સાથે પુદ્ગલનો બંધ તે વિજાતીય બંધ છે. એક જીવનો બીજા જીવ સાથે બંધ થતો નથી, તેથી જીવમાં કેવલ વિજાતીય બંધ હોય છે, જ્યારે પુદ્ગલમાં સજાતીય અને વિજાતીય એમ બંને પ્રકારના બંધ થાય છે. કાર્યની સિદ્ધિ અનેક કારણો મળવાથી થાય છે. આથી જીવ અને પુદ્ગલમાં કેવલ વૈભાવિક શક્તિ હોવાથી જ બંધ થઈ જતો નથી, પરંતુ બંધ થવામાં બીજાં સહકારી કારણોની પણ જરૂ૨ રહે છે. પુદ્દગલ દ્રવ્યમાં એક સ્પર્શ ગુણ છે. એ સ્પર્શ ગુણના સ્નિગ્ધ અને રૂક્ષ એવા બે પર્યાય પણ છે. આ સ્નિગ્ધ અને રૂક્ષનું પરિણમન અરસપરસ મળતાં થાય છે. આ બે પર્યાય પુદ્ગલનો પુદ્ગલ સાથે બંધ થવામાં સહકારી કારણ છે. આ સજાતીય બંધ સંબંધે સમજવું. એક દ્રવ્ય જ્યારે બીજા દ્રવ્યની સાથે બંધ પામે છે ત્યારે તેનું અશુદ્ધ પરિણમન થાય છે. આ અશુદ્ધ પરિણમનમાં બે દ્રવ્યોના ગુણ પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ વિકૃત ભાવને ભજે છે. જીવ દ્રવ્યનો ગુણ પણ અશુદ્ધ અવસ્થામાં તે જ રીતે વિકાર પામતો રહે છે. તેનું મુખ્ય કારણ વૈભાવિકી શક્તિ છે અને સહાયકારી નિમિત્ત જીવના ગુણોનું વિકૃત પરિણમન છે. આથી જીવનો પુદ્ગલ સાથેનો બંધ અશુદ્ધ અવસ્થામાં થાય છે, શુદ્ધ અવસ્થા થયે વિકૃત પરિણમન થતું નથી. વિકૃત પરિણમન જ બંધનું નિમિત્ત છે અને શુદ્ધ અવસ્થામાં તેનો અભાવ છે તેથી એક વાર શુદ્ધ થયા પછી કારણના અભાવથી પુનઃ કદાપિ બંધ થતો નથી. સંસારમાં જે અનેક જીવ જોવામાં આવે છે તે સર્વ અશુદ્ધ છે. જો તેને શુદ્ધ માનવામાં આવે તો ક્રોધાદિ પરિણામ જીવના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સ્વાભાવિક ગુણો ઠરશે. સ્વાભાવિક ગુણ નિત્ય હોય છે. પરંતુ ક્રોધાદિ અનિત્ય છે, તેથી ક્રોધાદિ ગુણોના અભાવથી ગુણી જે જીવ - તેના અભાવનો પ્રસંગ આવશે. આથી જીવ બંધસહિત છે. અથવા અનુમાન પ્રમાણથી જીવ બંધસહિત અશુદ્ધ જ સિદ્ધ થશે. તે આ રીતે ? સંસારી જીવ બંધવાનું છે, કારણકે પરતંત્ર છે. જે જે પરતંત્ર છે તે તે બંધવાનું છે, જેમકે બેડીએ બાંધેલ હાથી. - આમાં હેતુ અસિદ્ધ નથી કારણકે તેની સત્તાનું સાધક આ અનુમાન છે. આ સંસારી પરતંત્ર છે, કારણકે તેણે હીન સ્થાનનું ગ્રહણ કર્યું છે. જે જે હીનસ્થાનનું ગ્રહણ કરે છે, તે તે પરતંત્ર છે, જેમકે કેદી. - આમાં પણ હેતુ અસિદ્ધ નથી, કારણ કે તેણે શરીરને ગ્રહણ કરી રાખ્યું છે. અને તે શરીરાદિનું ગ્રહણ પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ છે, અને શરીરનું હીનસ્થાનપણું આ અનુમાન પ્રમાણથી સિદ્ધ છે : શરીર હીનસ્થાન છે, કારણકે તે દુઃખનું કારણ છે. જે જે દુઃખનું કારણ છે તેને હીનસ્થાન છે જેમકે કેદખાનું. આ હેતુ દેવશરીરમાં પણ અવ્યભિચારી છે, કારણકે મરણનું દુઃખ ત્યાં પણ વિદ્યમાન છે. આ રીતે અનુમાન પ્રમાણથી આ સંસારી જીવ બંધ સહિત અશુદ્ધ સિદ્ધ થાય છે. અહીં શંકા ઊઠે છે કે સંસારી જીવ અનાદિકાલથી અશુદ્ધ છે કે પૂર્વે શુદ્ધ હતો અને પછીથી અશુદ્ધ થયો ? - ઉત્તરમાં નિવેદન કરવાનું કે આ જીવ સંતાનક્રમથી બીજવૃક્ષવતુ અનાદિકાલથી અશુદ્ધ છે. જો પહેલાં શુદ્ધ હતો તો વિના કારણ પછીથી કેમ અશુદ્ધ થઈ શકે ? જો વિના કારણ અશુદ્ધ થઈ ગયો, તો પછી તે અશુદ્ધ થયા પહેલાં અશુદ્ધ કેમ ન થઈ ગયો ? – અને એમ માનીશું તો મુક્ત જીવને પણ પુનઃબંધનો પ્રસંગ આવશે. વિના કારણ કાર્ય થવાથી કાર્યકારણ ભાવના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થશે. જો એમ કોઈ કહે કે અનાદિકાલની અશુદ્ધતા અનંતકાલ સુધી રહેવી જોઈએ તો તે પણ ઠીક નથી, કારણ કે ડાંગરનો બીજવૃક્ષ સંબંધ અનાદિકાલથી ચાલ્યો આવ્યો છે, પરંતુ જ્યારે ડાંગર પરથી ફોતરાં ઉખેડી નાંખવામાં આવે તો તે ભાત અનેક પ્રયત્ન કર્યા છતાં પણ ઊગતા નથી. તે જ રીતે જીવને પણ અનાદિ સંતાનક્રમથી વિકૃત ભાવો વડે કર્મબંધ અગર કર્મના ઉદયથી વિકૃતભાવ થતો ચાલ્યો છે, પરંતુ જ્યારે ફોતરાં રૂપી વિકૃતભાવ જુદો થઈ જાય છે તો પછી ચોખારૂપી શુદ્ધ જીવને અંકુરોત્પત્તિરૂપી કર્મબંધ થતો નથી. જે રીતે લોહચુંબકમાં લોઢાને આકર્ષણ કરવાની શક્તિ છે, અને લોઢામાં આકર્ષિત થવાની શક્તિ છે, અને બીજા પદાર્થોમાં તેવી શક્તિના અભાવથી તે બીજા પદાર્થ લોઢાને ખેંચતા નથી, તેમ તે લોહચુંબક તે લોઢા સિવાય બીજા પદાર્થને ખેંચતું નથી, તે જ રીત પુદ્ગલના ૨૨ પ્રકારના સ્કંધોમાંથી કેવલ પાંચ નામે આહારવર્ગણા તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને કાશ્મણ વર્ગણા જીવની આકર્ષણશક્તિથી ખેંચાય છે અને જીવ તેને પોતાની આકર્ષણ શક્તિથી ખેંચે છે. જીવ અને આ પાંચ Page #188 -------------------------------------------------------------------------- ________________ નવ તત્ત્વ ૧૬૭ સ્કંધો સિવાયનાં બીજાં દ્રવ્ય તથા સ્કંધોમાં આકર્ષક-આકર્ષ શક્તિનો અભાવ હોવાથી આકર્મ-આકર્ષક ભાવ હોતો નથી. જીવની આ આકર્ષક શક્તિ અર્થાત્ એક ગુણના વિકૃત પરિણામને “યોગ” કહેવામાં આવે છે. “યોગ” એટલે મનોવાક્કાય વ્યાપાર. આ યોગશક્તિના નિમિત્તથી અનુકૂલ ક્ષેત્રમાં અવસ્થિત પંચ સ્કંધ ખેંચાઈ આકર્ષણ કરનાર જીવની સાથે બંધ પર્યાય પ્રાપ્ત કરી એક ક્ષેત્રાવગાહરૂપ અવસ્થિત રહે છે. જીવ અને પુદ્ગલના આ રીતના એક ક્ષેત્રાવગાહરૂપ અવસ્થાનને બંનેનો બંધ કહેવામાં આવે છે; અને આ એક ક્ષેત્રાવસ્થાનને લીધે પંચ કંધોના આગમનને દ્રવ્યાઅવ' કહેવામાં આવે છે. ઉભય બંધના કારણભૂત જીવની યોગશક્તિને ‘ભાવબંધ' કહે છે; તથા દ્રવ્યાસ્ત્રવના કારણભૂત જીવની યોગશક્તિને ભાવાત્રંવ' કહે છે, અને પંચસ્કંધોની આકષ્યશક્તિને ‘દ્રવ્યબંધ” કહે છે. આ પાંચ કંધો અને જીવનો સંબંધ કેવો છે કે જેવો ક્ષીર અને નીરનો સંબંધ છે તેમ. અગ્નિ અને લોહનો સંબંધ છે તેમ પરસ્પર અનુપ્રવેશાત્મક સંબંધ છે, પણ કંચુકિક કંચુક સંબંધ જેવો નહિ.) આ અનુપ્રવેશાત્મક સંબંધને બંધ' કહેવામાં આવે છે. અહીં કોઈ શંકા કરે કે અમૂર્ત એવો જીવ તેને હસ્તાદિ તો છે નહિ એટલે લેવા મૂકવાની શક્તિ પણ નથી, તો તેને “કર્યગ્રહણ” કેમ સંભવે ? આનો ઉત્તર એ કે જીવને એકાંતે અમૂર્ત તરીકે જૈનદર્શનમાં માન્યો નથી. જીવ ને કર્મનો સંબંધ અનાદિ છે એટલે ઉભય ક્ષીરનીરની પેઠે એક હોય તેમ પરિણામ પામે છે અને એ જ રીતે મૂર્ત હોય તે પેઠે કર્યગ્રહણ કરે છે. કર્મને કાંઈ હાથે કરીને પકડવું કે લેવું પડે તેવું નથી, તે પૌગલિક છે. છતાં રાગદ્વેષમોહરૂપી પરિણામ – સદ્ અસદ્ અધ્યવસાયવિશેષથી જીવા તેલમાં પડેલ શરીર જેવો થાય છે, તેલવાળા શરીર પર જેમ રજ ચોટે છે તે પ્રમાણે જીવનું કર્મયોગ્ય પુદ્ગલ સાથે સંમિશ્રણ છે. જીવના પ્રતિ પ્રદેશ અનંત પરમાણુનો સંશ્લેષ થવાથી જીવને કર્મ સાથે જે માર્ગે જવાપણું થાય છે તેથી જીવનું સંસારાવસ્થામાં મનુષ્ય, તિર્યંચ આદિ રૂપ મૂર્તિત્વ પણ સ્થાવાદીઓ (જેનો) સ્વીકારે છે. ઉક્ત પંચ સ્કંધોમાંની પહેલી કામણ વર્ગણાના સ્કંધના બંધનું સ્વરૂપ જણાવીએ. કામણ સ્કંધનો બંધ ચાર પ્રકારે છે : (૧) પ્રકૃતિબંધ (૨) પ્રદેશબંધ (૩) સ્થિતિબંધ (૪) અનુભાગબંધ. (૧) પ્રકૃતિબંધ – કાશ્મણસ્કંધ અનેક ભેદ સ્વરૂપ છે અને તે સ્કંધોમાં જીવના ગુણોને હણવાનો તેમજ દાબી દેવાનો સ્વભાવ અર્થાત્ પ્રકૃતિ (nature) છે. પ્રકૃતિ અને પ્રકૃતિવાનમાં કથંચિત્ અભેદ છે, તે માટે પ્રકૃતિ શબ્દથી જીવના ગુણોને હણવાના કે દાબી દેવાના સ્વભાવવાળા કામણ કંધોનું ગ્રહણ છે. ભાવાર્થમાં જીવના અનેક શુભાશુભ પરિણામવાળા યોગથી જીવના ગુણોના ઘાતક સ્વભાવવાળા કામણ સ્કંધોનો જીવ સાથે સંબંધ – બંધ તેને પ્રકૃતિબંધ' કહે છે. મૂલ પ્રકૃતિ જ્ઞાનાવરણ આદિ આઠ છે. ૨) પ્રદેશબંધ – બધ્યમાન – બંધ થવાવાળા કામણ સ્કંધોમાં પરમાણુઓની સંખ્યા (extent)ને – કર્મની સંખ્યાને પ્રદેશબંધ' કહે છે. પરમાણુનો સમૂહ પ્રદેશ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આ કાર્પણ સ્કંધ જ જ્યારે જીવની સાથે બંધ પામે છે ત્યારે તે કર્મ કહેવાય છે. (૩) સ્થિતિબંધ – આ કર્મનો બંધ થવાના સમયથી જેટલો કાલ પછી ફલ આપે તે કાલસ્થિતિ -- મર્યાદા. એટલે ઉદાહરણ તરીકે આ પ્રકૃતિ આટલા વખત સુધી જીવની સાથે રહેશે, પછી નહિ રહે, એવી જેનાથી સ્થિતિ થાય તેને ‘સ્થિતિબંધ' કહેવામાં આવે છે. સ્થિતિ=રહેવું તે.' (૪) અનુભાગબંધ-અનુભાગ=રસ. ઉક્ત પ્રકૃતિઓમાં તીવ્ર, મંદ રસ જે હોય અને તેથી કર્મની ફલદેવાની શક્તિની ન્યૂનાધિક્તા થાય તે “અનુભાગબંધ'કહેવામાં આવે છે. ઉક્ત ચાર બંધનો બોધ થવા લાડવાનું દષ્ટાંત લઈએ. ૧. જેમ કોઈ લાડુ ત્રિકટુ (સૂંઠ, પીપર અને મરી)નો બનાવેલ હોય તો તેનો સ્વભાવ વાયુનું હરણ કરવાનો છે, શીત દ્રવ્યોનો બનાવેલ હોય તો તેનો સ્વભાવ પિત્તહરણ કરવાનો છે, તથા અરડૂસો અને ક્ષારાદિ વસ્તુનો કરેલો હોય તો તેનો સ્વભાવ કફહરણ કરવાનો છે. તે જ રીતે કર્મનો જુદો જુદો સ્વભાવ છે. કોઈ કર્મનો જ્ઞાનને આવરિત કરવાનો, કોઈનો દર્શનાવરણ વગેરે તે પ્રકૃતિ (સ્વભાવ) બંધ છે, ૨. કોઈ લાડુ વજનમાં પાશેર, કોઈ શેર એમ હોય છે તેમ કોઈ કર્મના પ્રદેશ સંખ્યામાં થોડા, કોઈ ઘણા એમ હોય છે તે પ્રદેશબંધ. ૩. કોઈ લાડુ એક દિવસ પછી બગડી જાય છે, કોઈ બે, ત્રણ દિવસ પછી, કોઈ માસ પછી બગડે છે, તેવી જ રીતે કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત, તો કોઈની પ્રહર, દિવસ, પક્ષ, માસ, યાવતું ૭૦ કોટાકોટી સાગરોપમ સુધીની છે. આ સ્થિતિબંધ. ૪. કોઈ લાડુનો રસ કડવો, કોઈનો મીઠો, એમ કોઈ કર્મનો રસ સુખરૂપ, તો કોઈનો દુઃખરૂપ છે. સંસારમાં જે અવસ્થા જીવોની થયાં કરે છે તે તે સર્વે કર્મના અનુભાગથી (રસથી) જ થાય છે. આ રસબંધ – અનુભાગબંધ. ઘણા નિબિડ અને સંક્ષિપ્ત ભાવથી કરેલ કર્મના બંધને ‘નિકાચિત બંધ કહેવામાં આવે છે. તેવો બંધ કષાયની મંદતા કે તીવ્રતા ઉપર આધાર રાખે છે, અર્થાતુ કષાયની મંદતાથી શક્ય કર્મનું ઉપાર્જન થાય છે અને કષાયની તીવ્રતાથી અશુભ કર્મ બંધાય છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે, તથા સ્થિતિબંધ અને અનુભાગબંધનું કારણ કષાય છે. આ ચારે પ્રકારના બંધના કારણભૂત એવા જીવના યોગ અને કષાયરૂપ પરિણામોને ‘ભાવબંધ” કહેવામાં આવે છે. જૈનમાં પરિણામ – મનના અધ્યવસાયથી બંધ – કર્મનો બંધ થાય છે. ગીતા કહે છે કે સાધારણ રીતે કર્મ એ બંધનનું કારણ છે. પણ એવી રીતે કર્મનું અનુષ્ઠાન કરી શકાય કે કર્મ પણ કરાય અને કર્મથી બંધન પણ ન થાય. કમની આવી કુશળતાને ૧. સ્થિતિ ઓછામાં ઓછી અને વધુમાં વધુ આઠે કર્મની જૈન શાસ્ત્રકારે જણાવેલી છે. જ્ઞાનાવરણીય કર્મની તથા દર્શનાવરણીય કર્મની તથા અંતરાયકર્મની – દરેકની જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ સાગરોપમ કોટાકોટી છે. વેદનીયની જઘન્ય ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમ કોટાકોટી છે, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનુક્રમે ૭૦ અને ૪૦ સાગરોપમ કોટાકોટી સ્થિતિ છે. નામ અને ગોત્ર કમની જઘન્ય ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમ કોટાકોટી સ્થિતિ છે અને આયુકર્મની જઘન્ય અંતર્મત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ નવ તત્ત્વ ૧૬૯ ગીતામાં કર્મયોગ' કહેવામાં આવે છે, અને આવો કર્મયોગ સિદ્ધ કરવા માટે ત્રણ પગથિયાં અનુક્રમે દર્શાવે છે. (૧) ફલની ઇચ્છા છોડી દેવી. ઋષ્યવાધિક્કારસ્તે || હજુ જીવન | (૨) કર્તાપણાનું અભિમાન છોડી દેવું. (૩) ઈશ્વરાર્પણ – બધાં કર્મ ઈશ્વરને અર્પણ કરવાં. કર્મ જાળરૂપ થઈને જીવને બંધન કરે છે તેનું મુખ્ય કારણ જીવની અહંકારબુદ્ધિ છે. આપણે જે કર્મ કરીએ છીએ તેની સાથે આત્માનો યોગ કરી દઈએ છીએ તેથી કર્મ આત્માને બંધરૂપ થાય છે અને તેનું ફળ જીવને ભોગવવું પડે છે. તેથી ગીતામાં કહ્યું છે કે : ना मुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।। - ભોગવ્યા સિવાય તો કોટિકલ્પ પણ કર્મનો નાશ થતો નથી. કરેલાં કર્મનાં શુભાશુભ ફળ અવશ્ય ભોગવવાં પડે છે. આ ભોગનું કારણ કર્તુત્વાભિમાન, હું કરું છું એવું અભિમાન – માન્યતા છે. પણ ગીતા કહે છે કે જીવ વાસ્તવિક રીતે અકર્તા છે. તો કસ્તૃત્વ અભિમાન કાઢી નાંખી ફલની નિરપેક્ષાએ સર્વ કર્મનું ફળ ઈશ્વરમાં સમર્પણ કરવું કે જેથી અભિમાન ચાલ્યું જાય – આ ત્રણ પગથિયાંમાંના ઉપદેશને જૈનના સાદૂવાદમય અનેક દૃષ્ટિવાળા સિદ્ધાંતોને સરખાવવા ઘટે છે. જેને પણ નિશ્ચય આત્માને કર્મનો કર્તા માનતું નથી – જ્યાં સુધી સંસારી છે – કર્મયુક્ત છે ત્યાં સુધી માને છે અને તે વ્યવહારથી. ૮. નિર્જરા તત્ત્વ જીવ સાથે બંધાયેલા જ્ઞાનાવરણીયાદિ કર્મનું દેશથી નિર્જરવું – છૂટા પડી જવું તે નિર્જરા તત્ત્વ. સંપૂર્ણ નિર્જરા થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. નિર્જરા જે સાધનથી થાય છે તે તપ છે. તે તપના ૧૨ પ્રકાર છે કે જેનું સ્વરૂપ ગુરુતત્ત્વમાં આપેલ છે. આ ૧૨ પ્રકારના તપથી નિર્જરાના બાર ભેદ ગણાય છે. નિર્જરા બે પ્રકારે છે. ૧. સકામાં નિર્જરા અને ૨. અકામાં નિર્જરા. સકામા એટલે કામ - ઈચ્છા સહિત - ઇચ્છાના આત્યંતિક નાશ વગર. તે અતિ દુષ્કર તપશ્ચર્યા, કાયોત્સર્ગ, ૨૨ પરીષહ આદિ આચરનારા, મસ્તકનો કેશલોચ આદિ કાયક્લેશ કરનારા, અઢાર હજાર સીલાંગ ધારનારા, બાહ્ય-આંતર સર્વ પરિગ્રહ પરિહરનારા એવા ચારિત્રીઓને હોય છે, અને જ્યારે તે અંત્ય શરીરી – ચરમશરીરી (બૌદ્ધ પરિભાષામાં “અનાગામી') થાય છે ત્યારે તેને અકામાં નિર્જરા પ્રાપ્ત થાય છે – ત્યાં જે ક્રિયા થાય છે તે કોઈપણ જાતના કામ – ઇચ્છા વગર થાય છે. ૯. મોક્ષતત્ત્વ આ સંબંધમાં – મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ વિષયોમાં આત્મવાદના પ્રકરણમાં કહેવાઈ ગયું છે, તોપણ ટૂંકમાં એક તત્ત્વ તરીકે થોડુંક જણાવીએ : જીવનો બંધાયેલાં કર્મોથી આત્યંતિક વિયોગ તે દેહાદિનો મોક્ષ કહેવાય છે. સંદેહ – દેહી જીવને દેહ સાથે ઈદ્રિય, આયુષુ, ત્રણ વેદ (સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ-જાતિ), કષાયાદિ સંગ, અજ્ઞાન, પુણ્ય-અપુણ્ય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, પુનર્જન્મગ્રહણ આદિ છે તો તે સમેત દેહાદિનો આત્યંતિક એટલે સર્વ પ્રકારે સ્થાયી વિયોગ તે જ મોક્ષ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અહીં કોઈ શંકા કરે કે દેહનો આત્યંતિક વિયોગ દેહ આદિ સહિત હોવાથી સંભવે, પરંતુ રાગાદિ અનાદિથી છે તેનો આત્યંતિક વિયોગ કેમ સંભવે ? કારણકે જે અનાદિ છે તે વિનાશ પામતું નથી. આનું સમાધાન એ છે કે જોકે રાગાદિ દોષ જીવનમાં અનાદિ છે તોપણ જેમાં [કે જેને વિશે કે જેને લીધે તે રાગાદિ દોષ ઉત્પન્ન થાય છે એટલે કે સ્ત્રી શરીરાદિમાં, તેનું મૂલતત્ત્વ – વસ્તુતત્ત્વ સમજાય છે ત્યારે તે રાગાદિની પ્રતિપક્ષ ભાવના પેદા થાય છે અને તેથી રાગાદિ પ્રતિક્ષણ ઓછા થતા જ જાય છે. આ પરથી જણાય છે કે કાલ આદિ ખાસ સામગ્રી હોય, ભાવનાનો પ્રકર્ષ હોય તો રાગાદિનો ક્ષય તે નિમૂલ થાય તેટલા પ્રમાણમાં પણ થઈ શકે. જો એમ ન થાય તો રાગાદિ ઓછા થાય છે તે પણ ન સંભવે. વળી જે સહભૂ સ્વભાવ છે તે નિત્ય છે તેનો નાશ ન થઈ શકે, પણ જે સહકારીસંપાદ્ય સ્વભાવવાળા એટલે માત્ર સાથે સંયોગાનુવશ કે બીજી રીતે સહાય આપવા ખાતર રહેનારા એવા જે કંઈ હોય - જેમકે અહીં રાગાદિ તે નિત્ય ન હોવાથી તે જે નિમિત્તથી ઉદ્ભવે છે તેનો નાશ થતાં તેનો પણ સમૂળગો નાશ થઈ શકે. ઊર્ધ્વગમન – સર્વ કર્મનો ક્ષય થતાં આત્મા તેથી તદ્દન હલકો – કર્મભાર રહિત થાય છે તેથી તે ઊર્ધ્વગમન કરી સિદ્ધિને પામે છે. ઊર્ધ્વગમન કેમ થાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે તેમ થવામાં ચાર હેતું છે ? (૧) પૂર્વપ્રયોગથી તેમ થાય છે અર્થાત્ અચિંત્ય આત્મવીર્યથી સિદ્ધ થવા પહેલાં ઉપાંત્ય બે સમયમાં કર્મનો ક્ષય કરવા વાસ્તે જે વ્યાપાર પ્રારંભ કર્યો હતો તેનાથી જેમકે કુંભારનું ચાક પૂર્વપ્રયોગ ફર્યા કરે છે તેમ. હીંચકો કે બાણ પૂર્વપ્રયોગ કરતાં પોતાની ક્રિયા કરે છે તેમ. (૨) અસંગત્વ – કર્મસંગતિરહિત થવાથી ઊર્ધ્વગતિ થાય છે. જેવી રીતે માટીના લેપથી રહિત થતાં તુંબડાની જલમાં ઊર્ધ્વગતિ થાય છે તેમ. (૩) બંધચ્છદ – ગાઢ બંધનથી રહિત થતાં. જેમ એરંડફલ બીજાદિ બંધનોથી છૂટું થતાં ઊર્ધ્વ ઊઠે તેમ કર્મબીજથી બંધનો વિચ્છેદ થતાં સિદ્ધ પણ ઊર્ધ્વગમન કરે. (૪) ઊર્ધ્વગૌરવ – ઊર્ધ્વસ્વભાવ. આત્માનો ઊર્ધ્વ જવાનો મૂલ નિજ સ્વભાવ છે. જેમકે અગ્નિનો ઊર્ધ્વજ્વલન સ્વભાવ છે તેમ આત્માનો પણ ઊર્ધ્વગમન સ્વભાવ છે. છ વેશ્યા નિશ્યન્ત તિ ને | મનોયો વર્નાનિતરામ: તત્ત્વાર્થ સૂત્ર ભાષ્યટીકા ૨,૭. મનના વ્યાપાર પર આધારિત આત્માનો પરિણામ તે વેશ્યા. જે કારણથી પાપકર્મ બંધાય છે તે અશુભ કર્મ અને પુણ્યકર્મ બંધાય છે તે શુભ કર્મ કહેવાય છે. તેવી જ રીતે વેશ્યા પણ શુભ અને અશુભ એમ બે પ્રકારની હોય છે. શુભ લેગ્યાથી પુણ્ય અને અશુભ લેશ્યાથી પાપ બંધ થાય છે, અર્થાત્ તીવ્ર કષાયથી અશુભ, અને મંદ કષાયથી શુભ લેશ્યા થાય છે. સંસારમાં દરેક વસ્તુનાં ત્રણ પદ : ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. આ રીતે શુભ અને અશુભ લેશ્યાઓના ત્રણ ત્રણ ભેદ છે. દુનિયાની ખરાબ વસ્તુને કાળા રંગની અને સારી વસ્તુને શ્વેત રંગની ઉપમા દેવામાં આવે છે. આ કારણથી બૂરા મનુષ્યોનાં Page #192 -------------------------------------------------------------------------- ________________ છ લેશ્યા મન કાળાં કહેવામાં આવે છે; આ જ પ્રમાણે લેશ્યાઓનાં નામ રંગો ઉપરથી રાખવામાં આવ્યાં છે. જે સર્વથી અશુભ લેશ્યા છે તે શ્યામ છે, મધ્યમ અશુભનો રંગ નીલ છે, કારણકે કાળા રંગથી નીલો રંગ કંઈ વધારે સારો છે, અને જે જઘન્ય અશુભ લેશ્યા છે તે કાપોત (કબૂતરના જેવા) રંગની છે કારણ કે તે રંગ વધારે ખુલ્લો હોય છે. અને શુભલેશ્યા ઉત્તમ શુક્લ (સફેદ) રંગની, મધ્યમ લાલ રંગની અને જઘન્ય પીત (પીલા) રંગની હોય છે. આ છ લેશ્યાઓનું એક સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોઈ જંગલમાં છ મનુષ્ય જતા હતા. માર્ગમાં એક આમ્રવૃક્ષ આવ્યું કે જેમાં કેરીઓ મજાની પાકી ગઈ હતી. કાળી લેશ્યા વાળાને તે ફળ ખાવાની એટલી બધી ઇચ્છા થઈ કે તેણે વૃક્ષને જડ મૂળથી ઉખાડી લેવાનો વિચાર કર્યો. નીલ લેશ્યાવાળો મોટી ડાળી કાપવા તૈયાર થયો, કપોત લેશ્યાવાળો નાની ડાંખળીને કાપવા લાગ્યો, અને પીળી લેશ્યાવાળાએ કાચાંપાકાં સર્વ પ્રકારનાં ફળ તોડવાનું શરૂ કર્યું, લાલ લેશ્યાવાળાએ પાકાં ફળ તોડ્યાં પરંતુ શુક્લ લેશ્યાવાળાએ વૃક્ષ સામે કાંઈપણ નજર નાખતાં જે ફળ નીચે પડ્યાં હતાં તે ૫૨ સંતોષ રાખ્યો. આ પરથી મનના પરિણામની ધારા એક લેશ્યામાં અને બીજી લેશ્યામાં કેટલે દરજ્જે જુદી રહે છે તે સ્પષ્ટ સમજી શકાય તેમ છે. છ લેશ્યાનું સ્વરૂપ જુદું જુદું છે તે જણાવીએ : ૧૭૧ ૧. કૃષ્ણ – એક પુરુષ લૂંટ ખૂન આદિ દુષ્ટ કર્મોથી ધનને પેદા કરે છે, તથા બહેન-સ્ત્રીની દરકાર કરતો નથી તથા પોતાની પુત્રીને રૂપિયા લઈ કોઈ બૂઢા સાથે પરણાવે છે અને ઇચ્છા કરે છે કે બૂઢો જમાઈ મરી જાય તો તેનો બધો માલ પોતાના કબજામાં આવે. અથવા એમ ઇચ્છે છે કે મારો દુશ્મન મરી જાય અથવા તેનો માનીતો દીકરો મરી જાય. ૨. નીલ – એક પુરુષ ચોરી કરે છે પણ જબરદસ્તી કરતો નથી તથા દહાડે વેશ્યાસેવન કરે છે પરંતુ બહેન, ભાણેજ, સ્ત્રીની દરકાર રાખે છે, તથા પોતાની પુત્રીને બૂઢા શ્રીમંત સાથે રૂપિયાની લાલચથી પરણાવે છે, પરંતુ તે વિધવા થાય એવું ઇચ્છતો નથી, તથા પોતાના શત્રુની હાનિ ઇચ્છે છે, પરંતુ તેનો નાશ થાય અગર તેનો પુત્ર મરી જાય એવું ચાહતો નથી. ૩. કપોત એક પુરુષ ચોરની પેઠે રાતે ચોરી કરવા જતો નથી, પરંતુ જૂઠું બોલી દગાકપટ કરી કોઈને નુકસાન કરી પોતે ધન કમાય છે તથા વેશ્યાસેવન કરે છે, પરંતુ બહુ છાની રીતે, તથા કોઈ વખત રૂપિયા લઈ પુત્રીને પરણાવે છે પણ માનબડાઈને ખાતર જુવાન શ્રીમંતની સાથે – પછી ભલે તે યોગ્ય ન હોય; પોતાના શત્રુની હાનિ તે ઇચ્છતો નથી પરંતુ ઝઘડા કરી લડી તેને જીતવાની ઇચ્છા રાખે છે. ૪. પીત – એક પુરુષ દગા, છળકપટ ઇત્યાદિથી દ્રવ્ય કમાતો નથી પરંતુ રૂપિયા પેદા કરવા માટે એટલો બધો શ્રમ વેઠે છે કે તે સિવાય તેને બીજું કંઈ સૂઝતું નથી; અગર દ્રવ્યની હાનિ થઈ જાય તો પણ શ્રમ ખેડે છે; તથા વેશ્યાસેવન તો કરતો નથી, પરંતુ સ્ત્રીમાં પ્રેમથી એટલો બધો ફસેલો છે કે બીજાં કામોમાં તેને લઈને ખરાબી થાય છે, પરંતુ તે સંબંધે કંઈ વિચાર કરતો નથી. તથા પોતાની પુત્રીનો વિવાહ એક યોગ્ય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વરની સાથે કરે છે પરંતુ નામનાની ઈચ્છાથી પોતે અધિક ખર્ચ કરે છે કે જેથી પોતે જ નિર્ધન સ્વયમેવ બને છે, અને પછી શ્રમ કરે છે. તથા શત્રુની હાનિ તો ઇચ્છતો નથી પરંતુ શત્રુથી પોતાને દૂર રાખવા અને તેથી પોતાને કષ્ટ ન થાય તેમ કરવા ઇચ્છા રાખે છે. ૫. રક્ત – લાલ – એક પુરુષ ન્યાયથી દ્રવ્ય કમાય છે. પરંતુ મતલબથી અધિક કમાતો નથી અને જો કમાય છે તો ઉદારતાથી તેનો ખર્ચ કરી નાંખે છે અને દ્રવ્યહાનિ થાય તો બિલકુલ શોક કરતો નથી તેમ દ્રવ્ય કમાવા માટે તલ્લીન રહેતો નથી. પરંતુ પોતાનો સમય ધર્મધ્યાન અને લોકનું ભલું કરવામાં વ્યતીત કરે છે, અને ધર્મધ્યાનને પોતાનો ધર્મ સમજે છે તથા દ્રવ્યને ધર્મધ્યાનમાં ખર્ચે હર્ષ માને છે, વેશ્યાસેવન તો શું પણ પોતાની સ્ત્રીના મોહમાં પણ તલ્લીન રહેતો નથી. ઈદ્રિયના વિષયભોગનો સર્વથા ત્યાગી નથી, પરંતુ તેની આસક્તિ પણ નથી. તથા પોતાની પુત્રીને યોગ્ય વરની સાથે પરણાવે છે અને એવું કોઈ પણ કાર્ય કરતો નથી કે જેથી પોતાની પુત્રી અને જમાઈને કષ્ટ થાય. તથા શત્રુની શત્રુતા દૂર કરવા ચાહે છે અને તેને માટે તેની ખુશામત કરવાનું અગર માફી ચાહે છે; અને વિચારે છે કે શત્રુની સાથે શત્રુતા કરવાથી શત્રુતા મટતી નથી પરંતુ મિત્રતા કરવાથી મટે છે. ૬. શુક્લ - એક પુરુષ દ્રવ્યની ઈચ્છા રાખતો નથી અને દ્રવ્યને માટે કોઈ તજવીજ પણ કરતો નથી. કોઈ ગોઠવણ કંઈક મળી જાય તો તેમાં જ સંતોષ માની તેનાથી જ પોતાનો નિર્વાહ કરે છે, અને વિષયભોગથી તદ્દન દૂર રહે છે તથા સંતાનથી રાગ કરતો નથી તેમ કોઈને શત્રુ સમજતો નથી અને આ બાબતને હમેશાં લક્ષ્યમાં રાખે છે કે હું સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખું, ગુણીજનોને દેખી હું તેના ગુણથી મુગ્ધ બની પ્રસન્ન થાઉં. હું તેની યથાશક્તિ સેવા કરી યોગ્ય ભક્તિ કરું. દીનદુઃખી અજ્ઞાનીજનોની હું તનમનધનથી સેવા કરે, તેનું દુઃખ દૂર કરે. અને જે મનુષ્યો સાથે મારે સારું છે તેની સાથે મારો શત્રુભાવ નથી તેમ જ મિત્રતા નથી, પણ માધ્યસ્થ ભાવ છે.' આ પ્રકારે વેશ્યાઓનું સ્વરૂપ સમજી બૂરી લેશ્યાનો ત્યાગ કરવો જોઈએ અને ઉત્તમ ગ્રહણ કરવા યોગ્ય છે. આ વાતોને ધારણ કરવાથી જ વાસ્તવિક કલ્યાણ થઈ શકે છે તથા રત્નત્રય ધર્મ (સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર) ગ્રહણ થઈ શકે છે.' જૈન દષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ | વેદાન્તીઓ જેને અવિદ્યા કહે છે, સાંખ્યો જેને ક્લેશ કહે છે, જેનો જેને કમ કહે છે, બૌદ્ધો જેને વાસના – તૃષ્ણા કહે છે, શૈવો (પાશુપતો) જેને પાશ કહે છે તે ભવનું કારણ છે એટલે તેથી સંસારબંધ થાય છે. આ કર્મથી જીવ અનંતભવોમાં ભ્રમણ કર્યા કરે છે. જીવને કર્મનો સંબંધ જૈનદર્શન અનુસાર અનાદિ છે. અનાદિ કાળથી ખાણમાં રહેલા સુવર્ણ સાથે જેમ માટી આદિનો મળ લાગેલ છે તેમ આત્મા સાથે કર્મ લાગેલાં છે, તે કર્મનો ક્ષય કરવા અર્થે અને તેથી આત્માના સહજ ગુણ – અનંત ૧. ગૃહસ્થવિચાર', પૃ. ૧૧-૧૩. Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર પ્રગટાવવા પરમ પુરુષાર્થ કરવાની જરૂર છે. સુવર્ણ જેમ ખાણમાં માટીથી આવૃત હોય ત્યારે પણ તેનામાં સુવર્ણત્વ તો રહેલું છે જ, તેવી રીતે ચેતન જીવ કર્માવૃત હોય ત્યારે પણ તેનામાં શુદ્ધ ચેતનત્વ તો હોય છે જ એટલે ચેતનમાં જે મહાન્ ગુણો છે તે બહારથી લેવા જવાના નથી, પરંતુ તેની સાથે પ્રચ્છન્ન - આવૃતરૂપે રહેલાં છે તે ક્રિયા, યોગ, તપ, સંયમ વગેરે દ્વારા કર્મમળ દૂર ક૨વા અર્થે લીધેલા પરમ પુરુષાર્થથી વ્યક્ત કરવાના છે. ઉક્ત કર્મ આઠ પ્રકારનાં છે અને તેના ઉત્તર ભેદો તથા તે પ્રત્યેકનું તારતમ્ય બહુ ભેદિવભેદમાં વહેંચાઈ ગયેલ છે. ૧. આત્માના જ્ઞાનગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય કર્મ, ૨. દર્શનગુણનું આવરણ કરે તે દર્શનાવરણીય, ૩. વસ્તુપ્રાપ્તિમાં, તેના દાનમાં, ભોગોપભોગાદિમાં પ્રત્યવાય કરે – વિઘ્નભૂત થાય તે અંતરાય કર્મ, ૪. સંસારમાં અને તત્ત્વજ્ઞાનમાં સત્ય માર્ગ સૂઝવા ન દેતાં મૂંઝવી નાંખે તે મોહનીય કર્મ, ૫. ચેતનને અનેક જાતિમાં જન્મ આપી તેને અવનવા અનુભવ કરાવે તે નામકર્મ, ૬. ઉચ્ચનીચ જાતિમાં અવતરણ કરાવે તે ગોત્ર કર્મ, ૭. પ્રત્યેક ભવમાં અમુક કાળ સુધી સ્થિતિ કરાવે તે આયુષુ કર્મ, ૮. શારીરિક સુખદુઃખનો અનુભવ કરાવે તે વેદનીય કર્મ. આ આઠ કર્મોના અનેક ભેદો થાય છે અને તે ચેતન ઉપર લાગ્યા કરે છે અને તેનો ભોગકાળ – ઉદયકાળ થયે ફળ આપી ખરી પડે છે, (એ સંબંધી વિશેષ વિવેચન આગળ પર જોવામાં આવશે.) ચેતન જ્યાં સુધી મિથ્યાત્વ દશામાં – અજ્ઞાનમાં વર્તતો હોય છે ત્યાં સુધી આ સર્વ કર્મો તેની પ્રચુરતા સાથે હોય છે. સર્વ કર્મમળ દૂર કર્યા પછી જીવ મોક્ષે જાય છે. મોક્ષે ગયા પછી એટલે એક વખત સર્વ કર્મમળનો સર્વથા નાશ કર્યા પછી ફરીવાર તેને કર્મમળ લાગતો નથી. એટલે કર્મનું કાર્ય જે સંસાર તે થતો નથી એટલે મોક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. આ મુક્ત જીવોને ‘સિદ્ધ’ – ‘મુક્ત’ કહેવામાં આવે છે. ૧ સિદ્ધ સિવાયના જીવો બાહ્ય દૃષ્ટિએ બે પ્રકારે કલ્પાયેલા પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે – તેમાં એક અવ્યવહારરાશિ અને બીજો વ્યવહા૨ાશિ: સૂક્ષ્મ નિગોદના જીવો અવ્યવહારરાશિ છે અને તે સિવાયના બધા જીવો કે જેમાં સ્કૂલ (બાદર) નિગોદના જીવોનો સમાવેશ થાય છે તે વ્યવહારરાશિ છે. એટલે જેને વ્યવહારમાં લઈ શકાય – – જેની ગણતરી કરી જેના ભેદાદિ પડી શકે તે. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ – બંને જાતના નિગોદ જીવોથી અખિલ વિશ્વ વ્યાપ્ત છે. જેમ કાજલ મેશને - 1 ૧. અવ્યવહારરાશિમાં અનંત જીવો એકેંદ્રિય અવસ્થામાં આખા વિશ્વમાં ભરેલા છે તે સૂક્ષ્મ છે – આંખે જોઈ શકાય તેવા નથી, એક શ્વાસોચ્છ્વાસમાં એક નિગોદજીવના સાડાસોળ ભવ થાય છે અને તેવી સ્થિતિમાં તે અનંત કાળ ભવ કર્યા કરે છે. એક સ્થિતિમાં એક સોયના અગ્રભાગ જેટલામાં તે જીવના અસંખ્ય ગોળક હોય છે અને એક ગોળકમાં અનંત જીવો હોય છે. એ જીવોને નિગોદના (infinitesimally small souls) કહેવામાં આવે છે. વિચાર કર્યાં વગર (અકામ નિર્જરાથી) ઘર્ષણ પૂર્ણન ન્યાયથી કર્મનો અંશમાં ક્ષય થતાં એમાંથી જીવ ઉન્નત સ્થિતિમાં આવે છે. આ નિગોદનું સ્વરૂપ જૈનગ્રંથોમાં વિસ્તારથી છે. આવા જીવો કોઈપણ દર્શનમાં ગણેલા કે ગણાવેલા નથી. ૧૭૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો -- ડાબલીમાં ભરવામાં આવે છે તેવી જ રીતે સમગ્રલોક નિગોદના જીવોથી ઠાંસીઠાંસીને અંત૨રહિત ભરેલો છે. (આથી જ્યાં જુઓ ત્યાં જીવ આત્મા છે અને એ દૃષ્ટિએ અખિલ વિશ્વમાં જીવ વ્યાપક છે એમ જૈનો માને છે.) જેવી રીતે સમુદ્ર જલભર્યો હોય છે અને તેમાંથી અમુક તરંગો વમળ વ્યવહારમાં પ્રત્યક્ષ જણાય છે. તેવી જ રીતે સમગ્રલોક જીવથી ભરેલો છે. તે જીવોમાંથી કેટલાક જીવો જલતરંગવત્ વ્યવહારમાં પ્રત્યક્ષ પરિભ્રમણ કરતા જણાય છે. તે વ્યવહારરૂપ જ જણાતા વ્યવહા૨રાશિના જીવોને મુખ્ય ચાર પ્રકારે – ચતુર્ગતિમાં વહેંચવામાં આવેલ છે નાક, તિર્યંચ, દેવ અને મનુષ્ય. આ ચાર ગતિમાં જીવ પરિભ્રમણ કર્યા કરે છે. આ વ્યવહા૨રાશિ જીવોમાંથી જેટલા મનુષ્યભવે કર્મનો ક્ષય સર્વથા કરી સિદ્ધ થાય તેટલા જ જીવો અવ્યવહા૨ાશિમાંથી વ્યવહારરાશિમાં આવે એ અટલ સિદ્ધાંત સ્વીકૃત તરીકે જૈનો માને છે; તેથી આ વ્યવહારરાશિ જીવોની સંખ્યા વધે નહિ તેમ ઘટે પણ નહિ. જેમ માટીનું બીજું પગથિયું ઘટ વગેરે છે તેવી જ રીતે અવ્યવહા૨ાશિનું બીજું પગથિયું વ્યવહા૨ાશિ ઉપ૨ પ્રમાણે ચતુર્ધા છે અને તે ચાર ગતિ લોકમાં વ્યવહરાતી જોવામાં આવે છે. ૧ ૧૭૪ આવી રીતે અવ્યવહારરાશિના નિગોદમાંથી અકામ નિર્જરા થતાં ઘુણાક્ષરન્યાયે નિયત કારણનો પરિપાક થવાથી જીવ વ્યવહાર નિગોદમાં આવે છે; ત્યાર પછી બાદર (સ્કૂલ) વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી કે જે સર્વ એકેંદ્રિય નામે સ્પર્શેદ્રિયયુક્ત છે તેમાં આવે છે, તેમાંથી વળી કાંઈક નિર્જરા (કર્મનો ક્ષય) થતાં તે દ્વીદ્રિયમાં આવે ત્યાં જિહ્વા ઇંદ્રિય, ભાષા અને શરીરાદિક અધિકરણની વૃદ્ધિ થાય છે અને તેથી શુભાશુભ અધ્યવસાયની ન્યૂનાધિકતા (તારતમ્ય) થતાં અકામ નિર્જરાની બહુલતા થાય ૧. જૈનો જિનમંદિરમાં જાય છે ત્યારે નીચેના આકારમાં અક્ષત વગેરેથી સ્વસ્તિક (સાથિયો) કરી તે પર અક્ષતાદિની ત્રણ ઢગલી કરી તે ઉપર અર્ધચંદ્રાકાર – અર્ધમાત્રાનુસ્વર કરવામાં આવે ૪૦ છે. આમાં સ્વસ્તિકનાં ચાર પાંખડાં તે ઉપર જણાવેલ નરકાદિ ચાર વ્યવહારદા - ગતિ સૂચવે છે (અવ્યવહા૨૨ાશિ માટે તો કાંઈ કહેવાનું જ નથી. વ્યવહારમાં જેજે આવેલા છે તેમને માટે જ એ સૂચન છે. સ્વસ્તિક ઉપરની ત્રણ ઢગલી તે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ રત્નત્રય સૂચવે છે અને તેની ઉપર અર્ધ માત્રાનુસ્વર તે ‘સિદ્ધશિલા’ મોક્ષસ્થાન-અજરામરચક્ર (શિરાત્રે કે લોકાગે) -- તુર્ય અને તુર્યાતીત દર્શનચિહ્ન છે. આનો ભાવાર્થ એ છે કે ચાર ગતિ વ્યવહારમાં પરિભ્રમણ કરનારા જીવો જ્યારે ચાર ગતિથી ભિન્ન થઈ, મધ્યસ્થ થઈ પોતાનો પ્રચ્છન્ન અનાદિનિધાનરૂપ ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપાસના કરી આત્મસાક્ષાત્કાર કરીને પૂર્ણ થશે ત્યારે જ તે સિદ્ધિ પામશે. (જૈનોએ ઉપચારથી માટેલી ‘સિદ્ધશિલા’એ જશે – નિશ્ચયે મુક્તિ પામશે) - નિજરૂપે સ્થિત થશે અર્થાત્ તેનું ચતુર્ગતિરૂપ વ્યવહારનું પરિભ્રમણ મટશે. આ પરથી સ્વસ્તિક કરનારા જૈને એ હેતુ લક્ષમાં રાખવો જોઈએ કે શ્રી જિનદેવ આ પ્રમાણે આરાધન કરીને તરી ગયાના દૃષ્ટાંત રૂપ છે માટે તેણે પણ શ્રી જિનદેવ પેઠે પ્રબલ પુરુષાર્થ દ્વારા નિજસ્વરૂપે સ્થિત થવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રમાણે સ્વસ્તિક રચવામાં વાસ્તવ અને વિચારપૂર્વક પ્રયોજન રાખેલું છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ ૧૭૫ તો ઊંચે ચડી ત્રીદ્રિયમાં આવે, નહિ તો એટલે હિંસાદિક દોષની બહુલતા થાય તો ફરી એકેદ્રિયમાં જાય, ને ત્યાં ઉત્કૃષ્ટ અનંતકાલ રહી પુનઃ કોઈ અકામનિર્જરાના યોગથી દ્વીદ્ધિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય એ ત્રણ વિકસેંદ્રિય જીવ (બે, ત્રણ, ચાર ઈદ્રિયવાળા જીવ)ની ગણનામાં આવે છે. અહીં ઇંદ્રિય, પ્રાણ, પર્યામિ વધતાં અધિકરણ પણ વધે અને તેથી હિંસાદિ કારણની વૃદ્ધિ થાય તો પાછો પતન પામી એકૅક્રિયાદિમાં આવી જાય, અને જો સામાન્ય રહે તો પોતાની દ્વાઢિયાદિ જાતિમાં રહે અને છેદનભેદન રૂપ અકામનિર્જરા થાય તો તેને યોગે ઊંચો પણ ચડે. આમ વિકસેંદ્રિયમાંથી એકેંદ્રિય ને એકેંદ્રિયમાંથી વિકસેંદ્રિય એમ અનંત ફેરા ખાધાં કરે. એમ કરતાં આગળ વધી પંચેંદ્રિય તિર્યંચમાં આવે છે. પંચેદ્રિય તિર્યંચના બે ભેદ છે. ૧. ગર્ભજ ૨.મૂર્છાિમ. સંમૂર્છાિમને મન નથી - તે મૂચ્છમાં જ પડ્યા રહે છે છતાં તેમાં શરીર, પ્રાણ, પતિ, આયુ પ્રમુખ અધિકરણની વૃદ્ધિ થાય તેથી હિંસાદિકની બહુલતા થતાં પહેલી નરકે જવું પડે, અને કદાચ જો અકામ નિર્જરા છેદનભેદન શીતતાપાદિકરૂપે કરવામાં આવે તો તેથી ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્ય થાય. ત્યાં પ્રાણ તથા પર્યાપ્તિ પૂર્ણ હોય તેથી પાંચ આમ્રવ-કર્મઢાર-બંધહેતુ સેવે, આર્નરોદ્ધ ધ્યાન ધરે તો કર્મસ્થિતિ દીર્ઘ કરે અને તેમ થતાં કોઈ જીવો પ્રબલ હિંસાદિકથી પાછો એકેંદ્રિયમાં જાય, અથવા છેદનભેદન તાપશીતાદિ સહન કરતો જાતિ સરલ પરિણામી થઈ તીવ્ર સંક્લેશ ન કરે તો તેવી અકામનિર્જરાથી કોઈ જીવ દેવગતિમાં જાય, અથવા મનુષ્ય થાય. હવે જો દેવગતિમાં તેમ કરતાં જાય તો ત્યાં અતિશય વિષયાસક્ત બની તીવ્ર સંક્લેશે મરીને તિર્યંચ પંચેદ્રિય ગર્ભજ થાય, ત્યાં બહુલ હિંસાદિક કરી નરકે જાય અથવા પાછો પડી ચતુરિંદ્રિયથી એકેંદ્રિય એમ ચક્રમાં જાય. વળી ત્યાંથી નીકળી પંચેદ્રિયપણું પાલતાં અનંતકાળ વીતી જાય, અને જો દેવગતિમાંથી મનુષ્ય થાય તો અપરિપાકપણાથી બહુલતાએ અનાર્ય ક્ષેત્ર અને અનાર્યકુલમાં જન્મ પામી અનાર્ય સંસ્કારોથી પ્રબલ કષાયવિષયાદિક અઢાર પાપસ્થાનક સેવી તે કર્માનુસાર તે યોગ્ય નરકમાં ઉત્પન્ન થાય. આમ કર્મપ્રચુરતા થતાં તે આગળ વધતો અટકીને પાછો નીચે પણ ઊતરી જાય છે (ઉત્કાંતિ – Evolutionમાંથી અપક્રાંતિ – inevolution પણ થાય છે), અને કર્મ ઘટતાં કંઈ વખત ગર્ભજ પંચેદ્રિય તિર્યંચમાંથી જીવ મનુષ્ય થાય છે. અને તેવો મનુષ્યભવ પામી ઘરકુટુંબની તીવ્ર મૂચ્છ (મોહ)માં અજ્ઞાનથી ફરી તિર્યંચથી એકેદ્રિયના ચક્રમાં પડે છે, અથવા કોઈ મનુષ્ય વિશિષ્ટ જ્ઞાન વગર પણ સરળ પ્રકૃતિએ સહેજ કષાયમંદતાથી મરીને મનુષ્ય પણ થાય. વળી ત્યાં કાલપરિપાક વિના અશુદ્ધ કારણથી હિંસાદિની બહુલતાના પરિણામે મિથ્યાત્વાદિ અશુદ્ધ હેતુની પુષ્ટતાએ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) કરે. (આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે જણાવેલ છે.) આ કર્મોમાં મોહનીય કર્મ તે સર્વકર્મનું ઉત્પાદક અને પોષક છે. જેમ બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ થાય છે, તેવી રીતે મોહનીયથી આઠે કર્મ અને આઠે કર્મથી મોહનીયની પુષ્ટિ થાય છે. આ મોહનીયની ૨૮ પ્રકૃતિ છે તેમાં મિથ્યાત્વ” મુખ્ય પ્રકૃતિ છે. મનુષ્યગતિમાં જીવને શુદ્ધ દેવ, શુદ્ધ ગુનો યોગ થઈ જાય તો તે શુદ્ધ ધર્મનું - માર્ગનું આરાધન કરી પોતાની પ્રગતિમાં વધારો કરે છે. એવી રીતે ઉત્ક્રાંતિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અપક્રાંતિમાં નરક અને દેવલોકમાં દુઃખસુખ પણ અનેક પ્રકારનાં અનુભવે છે. શુદ્ધ માર્ગનો આશ્રય લેતાં કોઈવાર તેની નિબિડ કર્મગ્રંથિનો ભેદ થાય છે અને આવો ભેદ થયા પછી તેને “સમ્યગ્દર્શન' પ્રાપ્ત થાય છે. તે થયે ભવમર્યાદા અર્ધપુલાવર્તન કાલ જેટલી બંધાય છે. ત્રણ કરણ : ૧, યથાપ્નાતકરણ - હવે સમ્યગ્દર્શન થયા પહેલાં કર્મગ્રંથિનો ભેદ કેમ થાય છે તે સમજીએ : સમ્યગ્દર્શન બે પ્રકારે થાય છે – ૧. સ્વાભાવિક રીતે (એટલે ગુર આદિના ઉપદેશ વગર) – નિસર્ગજ, ૨. ગુરઆદિના બોધથી – અધિગમજ. સ્વાભાવિક સમ્યક દર્શન - શ્રદ્ધા જે રીતે ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે : સંજ્ઞી પંચેદ્રિય જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા પહેલાં ત્રણ ‘કરણ કરે છે. તેનાં નામ યથાખ્યાત, અપૂર્વ, અને અનિવૃત્તિ – કરણ. કરણ એટલે કર્તાને જે ફલ લાવી આપવામાં ઉત્તમોત્તમ સાધન – જેનાથી ક્રિયા થાય છે તે, અને તે મનનો પરિણામ – અધ્યવસાયવિશેષ છે. આ ક્યારે થાય છે તે જોઈએ. ઉપરોક્ત ૮ કર્મો પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાય એ દરેક કર્મની વધારેમાં વધારે – ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે; તથા નામ અને ગોત્ર એ દરેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમની છે, અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટી સાગરોપમની જૈન શાસ્ત્રકારે કહેલી છે. અનાદિ અનંત સંસારમાં ભ્રમણ કરતાં કરતાં પ્રાણીઓ ગોલપાષાણ જાયે – પર્વત પરથી પડતી નદીમાં રહેલો પથર ઘંચના ઘોલના રૂપ ચાલવે કરી રહ્ય સુંવાળો પ્રાયઃ થાય અને કંઈક આકાર મેળવે તે ન્યાયે ઉક્ત સાત કર્મની સ્થિતિમાંથી પોતાની મેળે - અકામનિર્જરાથી – અનાભોગથી (અસાવધાનતાથી) સંસારની અસારતા જાણે, સંસારદુઃખરૂપ કરી જાણે એટલે અનાભોગ નવવૈરાગ્યથી દરેક કર્મની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એવા એક કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ રાખે છે અને બાકીની સ્થિતિનો નાશ કરે છે ત્યારે જે ઉદાસીન પરિણામ થાય છે તે યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. આ જીવ પરિણામથી અનાદિ સંસિદ્ધ થતા કર્મનો અમુક અંશે નાશ થાય છે. અહીં જીવના કર્મપરિણામજનિત ધનરાગદ્વેષ પરિણામ કર્કશ નિબિડ ચિરપ્રરૂઢ કર્મગ્રંથિ દુર્ભેદ રહે છે એટલે જીવ “અભિન્નગ્રંથિ હોય છે. યથાપ્રવૃત્તિકરણનો વ્યુત્પત્તિ અર્થ કરીએ તો (નતિક્રખ્ય વકરોતિ તિ) એટલે જેમ અનાદિની ચાલ છે તેમની તેમ પ્રવૃત્તિ અને તેનું કરણ એટલે જીવના પરિણામનું પ્રવર્તન – એટલે અનાદિનું જે ચાલુ પ્રવર્તન છે તે ફર્યું નથી પણ જેમાં કારણ પરિપાકથી મિથ્યાત્વની મંદતા થાય તેમાં આયુકર્મ સિવાયનાં ઉપર્યુક્ત સાતે કર્મની ઉપર પ્રમાણે સ્થિતિ થાય છે. આ કરણ આત્મા અનંતીવાર કરે છે. હવે જીવો બે પ્રકારના છે : ભવ્ય અને અભિવ્ય. ભવ્ય અને અભિવ્ય જીવ અનાદિ સહજ પરિણામથી જીવ બે પ્રકારના સ્વભાવવાળા હોવાથી બે જાતિના છે. એક ભવ્ય ને બીજા અભવ્ય. ભવ્ય (ભ=થવું પરથી યોગ્યતાવાળા)માં મોક્ષે જવાની યોગ્યતારૂપ સ્વભાવની સત્તા અનાદિથી રહેલી છે, તેથી તેમની ભવપરિણતિ Page #198 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ ૧૭૭ પલટાય છે, અને અભવ્યમાં મોક્ષે જવાની યોગ્યતા ન હોવાથી તેમની ભવપરિણતિ બદલાતી નથી – અનાદિથી જેવી છે તેવી ને તેવી જ રહે છે. ભવ્ય જીવોની ભવપરિણતિ બદલાય છે તેથી તેમના ભવના અનાગત પુદ્ગલ પરાવર્તન ઓછા ઓછા થતા જાય છે, તેમાં ભવ્યોની પણ અનાદિથી થયેલી કર્મબંધની યોગ્યતા, અતિશય સંક્લિષ્ટ પરિણામવાળી ઘોર ‘ મિથ્યાત્વ', “અવિરતિ', રાગદ્વેષાદિથી પરિણમેલી હોય અને તેથી તે ભવ્ય અતિ સંક્લેશકારી કર્મબંધ કરે તો તે અનંત સંસાર પામે. આમ થતાંથતાં અનંત કાળચક્રોપર્યત દુઃખ ભોગવતાંભોગવતાં જ્યારે અકસ્માતુ ઘુણાક્ષરન્યાયે અકામ નિર્જરા કાંઈક સારી રીતે થાય ત્યારે અનાદિ સહજ કર્મબંધ યોગ્યતા અતિ તીવ્ર પરિણામવાળી પૂર્વે હતી તે કાંઈક અંશે મંદ પરિણામવાળી થાય અને તેથી કર્મબંધ પણ ઓછો થાય. આમ થતાં થતાં અનાગત પુગલ પરાવર્તનમાં એક એક પુદ્ગલ પરાવર્તન ઓછું થતું જાય – કર્મબંધની યોગ્યતા પણ પ્રત્યેક પગલપરાવર્તને મંદમંદ થતી જાય. એવા એવા ક્રમથી અકામનિર્જરા વડે જીવ ઘણું કરીને ત્રણ કરણ કરી ચરમપુલ પરાવર્તનમાં આવે એટલે મોક્ષપ્રાપ્તિ કે જે પૂર્વે અનેક પુદ્ગલપરાવર્તન જેટલા કાલના અંતરાલે - અતિ દૂર હતી તે એક (છેલ્લા) પુદ્ગલપરાવર્તનના અંતરાલમાં – સમીપે આવે, તથાભવ્યતા પાકે, અને યથાર્થ ધર્મતત્ત્વાદિકને જાણવાની ઇચ્છા થાય – માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય. (આ માર્ગાનુસારીપણું યથાપ્રવૃત્તિકરણ થયા પછી અને અપૂર્વકરણ થયા પહેલાં થાય છે અને ત્યારે જ ચરમ (છેલ્લા) પુદ્ગલાવર્તમાં જવાય છે. એ નીચે જોઈશું.) જ્યારે અભવ્યને જો કરણ થાય તો માત્ર એક જ અને તે પહેલું યથાપ્રવૃત્તિકરણ થાય છે, બીજા કદી થતાં નથી. સર્વકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને બાંધનાર જીવને સંક્લેશ ઘણો થાય, તેથી તેવા જીવ ફક્ત પહેલું યથાપ્રવૃત્તિકરણ પણ ન કરે. આ જીવોમાં અભવ્ય મિથ્યાદષ્ટિ છે – નિર્વાણ પામવાની અયોગ્યતાવાળા છે, કદીપણ કર્મગ્રંથિ પ્રદેશ પાસે જઈ શકે નહિ અને તે “ગ્રંથિ' – દુર્ભેદ એવો રાગદ્વેષનો પરિણામ – ભેદાયા વગર સમ્યક્ત પમાય નહિ તેથી યથાપ્રવૃત્તિકરણ અભવ્યને જ માટે છે, જ્યારે ભવ્યને ત્રણે કરણ થાય છે. યથાપ્રવૃત્તિકરણ થયા પછી ગ્રંથિદેશની સમીપે ભવ્ય પ્રાણી આવે છે. ગ્રંથિદેશ સુધી આવેલા પ્રાણી પણ રાગદ્વેષથી પ્રેરાતાં કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતાં ચારે ગતિમાં ભ્રમણ કરનારા થાય છે. આમાંથી કેટલાક જીવો ચરમ પુદ્ગલપરાવર્તમાં આવ્યા પહેલાં મનુષ્યભવ પામીને તપ, જપ, પૂજા, સંયમ પ્રમુખ ક્રિયા કરે છે અને તેના ફલ તરીકે રાજ્યભોગ સ્વર્ગાદિક પામે છે પરંતુ તત્ત્વભૂત ધર્મમાર્ગ જાણવાની ઈચ્છા – રચિને તેઓ પામેલા ન હોવાથી તેમને ધર્મસંબંધી સદનુષ્ઠાનની પ્રાપ્તિનો તેમજ સજ્ઞાન ક્રિયાના ફળભૂત મોક્ષની પ્રાપ્તિમાં હેતુભૂત જે ધર્મ તે પ્રાપ્ત થતી નથી, કારણ તેમને ‘તથાભવ્યતા' પાકેલ ન હોવાથી યથાર્થ તત્ત્વજિજ્ઞાસાનો અભાવ હોય છે, પરંતુ જ્યારે તથાભવ્યતાનો પરિપાક થાય છે ત્યારે તત્ત્વજિજ્ઞાસા થાય છે અને તેથી ચરમ પુદ્ગલપરાવર્તનમાં અવાય છે. આપણે ચરમ પુદ્ગલપરાવર્તનમાં આવ્યા છીએ કે નહિ તે સમજવા માટે જ્ઞાનદષ્ટિએ પોતાનું અંતઃકરણ તપાસવાની જરૂર છે કે આપણને મોક્ષ પામવાનો અભિલાષા (સંવેગધર્મ કરવાનો અભિલાષ અને તત્ત્વ જાણવાનો અભિલાષ) ‘તત્ત્વજિજ્ઞાસા' Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નિર્ચાજપણે પારમાર્થિક ભાવથી ઉત્પન્ન થયો છે કે ઉપરચોટિયો છળ પરિણામવાળો અભિલાષ છે ? – આમ સત્યપણે આત્મસાક્ષીએ પોતાના હૃદયને વારંવાર તપાસતાં એ ત્રણે અભિલાષ પરમાર્થરૂપે છે એમ ભાસે તો જાણવું કે આપણે પરમપુદ્ગલ પરાવર્તનમાં વર્તીએ છીએ. તથાભવ્યતા એટલે શું ? જીવ જ્યારે પોતાના ચરમ પુદ્ગલપરાવર્તન કાળમાં આવે ત્યારે કોઈ જીવની તથાભવ્યતા સ્વભાવે -- સ્વતઃ પાકે છે અને ઘણા જીવોની ઉપાયના સેવનથી પાકે છે. આ ઉપાયો પર આવીએ તે પહેલાં તથાભવ્યતા એટલે શું તે સમજીએ. ‘તથાભવ્યતા' એ અનાદિનો જીવોને મોક્ષગમનની યોગ્યતારૂપ પારિણામિક ભાવ છે. તે મોક્ષની યોગ્યતા સર્વ ભવ્યોને સ્વરૂપમાત્રે તો સરખી છે, પણ તે સર્વ જીવની સમકાળે પરિપક્વ થતી નથી કારણકે તેમ થતી હોય તો મોક્ષપ્રાપ્તિ પણ સર્વ ભવ્ય જીવોને સમકાળે થાય; પણ તેમ ન થતાં તે જુદે જુદે કાળે પરિપાક પામે છે તેથી તે ‘તથાભવ્યતા' એ નામ આપેલ છે (તથા = તે તે પોતપોતાના પાકવા યોગ્ય ક્રમાગત કાળને પામીને પાકવાના સ્વભાવવાળી + ભવ્યતા = મોક્ષગમનયોગ્યતા). આ તથાભવ્યતા જ્યારે પાકે ત્યારે તેના જોરથી મિથ્યાત્વાદિ પાપકર્મનું તથા અનાદિ કર્મબંધની યોગ્યતાનું બળ ઘટી જવાથી જીવ શુદ્ધ ધર્મ પામી શકે છે. તથાભવ્યતા પાકવાને માટે ઉપાયો હવે તે કોઈકને સ્વભાવે પાકે અને ઘણાને ઉપાયના સેવનથી પાકે છે તો તે ઉપાય જોઈએ : (૧) ચતુઃશરણ ભાવના – પ્રથમ તો પોતાના હૃદયમાં એવો નિર્ધાર કરવો કે “મારો આત્મા નિરાધાર છે, અશરણ છે, અનાથ છે, કેમકે આ જન્મમાં પણ રોગાદિક કે રાજદિકની આપદામાંથી ધન, સ્ત્રી, પુત્ર વગેરે કોઈ મારું રક્ષણ કરી શકે તેમ નથી તો પછી પરભવમાં તે કેમ શરણભૂત થઈ શકે ? માટે જેના રાગદ્વેષનો નિતાંત નાશ થયો છે એવા વીતરાગ પ્રભુનું (અરિહંતનું), નિરંજન સિદ્ધનું, શુદ્ધ નિરારંભી તત્ત્વજ્ઞાની મુનિઓનું અને સર્વજ્ઞભાષિત યથાસ્થિત વસ્તુસ્વરૂપને દર્શાવનાર આગમ ધર્મનું – ધ્યાન સ્મરણરૂપે મારું શરણ હો.” આ ચાર શરણની અહોનિશ રટણા કરવાથી તથા ભવ્યતા પાકે. (૨) આ ભવમાં કરેલા અને પૂર્વજન્મમાં અજ્ઞાનપણે કરેલાં પોતાનાં દુષ્કૃત – પાપોને સત્યભાવે સદા નિંદવાથી ભવ્યતા પાકે. અને (૩) યથાશક્તિ વૈરાગ્ય ભાવથી મોક્ષની અભિલાષા સહિત તપ, સંયમ, દાનાદિ સુકૃત કરવાથી, દેવગુરુની પૂજાભક્તિ કરવાથી, સદ્ધર્મનું શ્રવણ કરવાથી અને ન્યાયમાર્ગના સેવનથી તેમજ સ્વપરની કરેલી સુકૃતકરણીના અનુમોદનથી ભવ્યતા પાકે. તથાભવ્યતા પાકવાથી થતા લાભો - માર્ગાનુસારિતા આ ઉપાયોના સેવનથી તથાભવ્યતા પાકતાં મિથ્યાત્મપરિણામ દુર્બળ થાય, ભવ્યતાશક્તિ પ્રબલ થાય, મિથ્યાત્વાદિકનો પરાભવ આત્માને ઓછો થાય, તત્ત્વજિજ્ઞાસા પુષ્ટ થાય એટલે જીવ “માર્ગાનુસારી’ થાય. આનો અનુક્રમ હરિભદ્રસૂરિ આ પ્રમાણે જણાવે છે ? જે ભવ્ય જીવ છે તેને ભવ્યતાના ઉદયથી અકામ નિર્જરાએ કર્મનો ક્ષય થતાં Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ કાદિ પાંચ કારણની અનુકૂલતાએ કરી બે પુદ્ગલાવર્ત શેષ સંસાર રહે ત્યારે ધર્મ” શબ્દમાં સામાન્ય સહણા શ્રદ્ધા થાય. જેને આ ધર્મને નિર્વિવેકપણે પણ સાંભળવા તરફ અભિમુખતા હોય તે ‘શ્રવણસન્મુખી’ કહેવાય છે એટલે તેનામાં તથાવિધ આદરપિપાસા હોય નહિ પરંતુ સ્વાભાવિક રીતે ધર્મશ્રવણ થાય તો તેમાં વિમુખતા ન હોય. અહીંથી સંસારપરિભ્રમણ કરતો જીવ ઉચ્ચ ભાવમાં આવે ત્યારે દોઢ પુદ્ગલાવર્તન રહે. ત્યાર પછીથી માર્ગસંમુખતા, માર્ગશ્રવણ, માર્ગગવેષણા અને માર્ગાનુસારતા થાય. કોઈને ધર્મ ભણી સંમુખતા હોય, શ્રવણ થાય, કોઈ રીતે ધર્મરુચિ થાય, પણ તીવ્રભાવે ગવેષણા ન હોય તો તેને ‘માર્ગપતિત’ કહેવામાં આવે છે. આમ સંસારપરિભ્રમણ કરતાં એક (છેલ્લો) પુદ્ગલપરાવર્ત રહે ત્યારે માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય. અહીં શુદ્ધ અને અશુદ્ઘની ગવેષણા થાય. આ કાલને ધર્મયૌવનકાલ' કહેવામાં આવે છે. અહીં માર્ગાનુસારીના ન્યાયસંપન્ન વિભવ આદિ ૩૫ ગુણો પ્રાપ્ત થાય, મિત્રાદિક દૃષ્ટિ (જેને જૈનયોગમાં મૂકવામાં આવી છે) પામવાનો અવસર મળે, ષટ્ટર્શનની ભિન્નતા જાણે, અહીં મિથ્યાત્વ મંદ થયું તેથી વ્યવહારે દ્રવ્યધર્મ' પામે, ઉચિત યથાર્થ વ્યવહારે પ્રવર્તે, પહેલા ત્રણ અનુષ્ઠાન (આના સંબંધમાં જૈનયોગના વિષયમાં જુઓ)ની પ્રબલતા હોય અને સર્વ ક્રિયા એવી કરે કે તેને બીજા અનેક જીવ જોઈ ધર્મ પામે; પણ પોતાને ધર્મપ્રાપ્તિ ન હોય તો તે ક્રિયાનું ફુલ સ્વર્ગાદિક થાય પણ કર્મની નિર્જરા અર્થે ન થાય. બીજું કરણ : અપૂર્વકરણ - આવી રીતે માર્ગાનુસારીનાં કરેલાં સુકૃત, સદનુષ્ઠાનની પ્રાપ્તિના હેતુ થાય, તેની કરેલી દેવગુરુની પૂજાભક્તિ પારમાર્થિક સેવારૂપે પરિણમે, તે વીતરાગ નિરંજનનો ભક્ત થાય. તેને સંસાર ચરમ પુદ્ગલાવર્ત જેટલો બાકી રહે અને અનાદિ મિથ્યાત્વનો ઉદય પ્રાયઃ ચરમ પુદ્ગલપરાવર્તના ‘સાર્દિક’ – પ્રથમના અર્ધા ભાગ સુધી જ રહે. આવા માર્ગાનુસારીને – તત્ત્વ સમજવાની ઇચ્છાવાળાંને મિથ્યાત્વાદિનો ઘણે ભાગે પ્રલય થાય. પછી તત્ત્વવાર્તા સાંભળતાં અથવા ચિંતવતાં તેને ‘અપૂર્વકરણ’ એટલે પૂર્વે અનાદિકાળમાં કોઈકાળે ન પ્રાપ્ત થયેલા એવા તત્ત્વજિજ્ઞાસાજન્ય પરમાનંદમય શુભ પરિણામ – ની પ્રાપ્તિ થાય. આ કરણથી માર્ગાનુસારી જીવ ‘ગ્રંથિ’નો ભેદ કરે. તે ગ્રંથિ એટલે અતિ નિબિડ, ઘન, કઠિન, દુર્ભેદ્ય, મોક્ષથી વિમુખ રાખનાર મિથ્યાત્વના અને મિથ્યાત્વના સહાયક અનંત જન્મની રચનાને રચનાર એવા ‘અનંતાનુબંધ' ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ‘કષાય’ના ઉદયથી ઊપજતા અતિ સંક્લિષ્ટ મહારાગદ્વેષ અને અજ્ઞાનરૂપ પરિણામ. તે ગ્રંથિનો ભેદ પ્રથમ કોઈ કાળે કર્યો નહોતો, તે હવે માર્ગાનુસારી જીવ અપૂર્વકરણરૂપ તીવ્ર પરિણામની ધારા વડે ભેદે છે – વીંધે છે ભેદ પાડે છે. ૧૭૯ - ગ્રંથિભેદ : ભેદ એટલે અપૂર્વકરણરૂપ વજની સોય વડે પ્રાપ્ત થયેલા શુદ્ધ તત્ત્વની શ્રદ્ધાના સામર્થ્યથી તે ગ્રંથિનું વિદારણ કરવું. ટૂંકમાં ગ્રંથિભેદ એટલે અહિંદ મિથ્યાત્વની ગાંઠનું છેદન. તે કરવાથી અત્યંત એટલે પૂર્વની જેમ અતિ નિબિડ – ઘાડો સંક્લેશ – રાગદ્વેષનો પરિણામ પ્રવર્તાતો નથી. જેને વેધરૂપ પરિણામ પ્રાપ્ત થયો હોય તેવો મણિ કદી તેના છિદ્રમાં મળ ભરાય તોપણ પૂર્વની અવસ્થાને પામતો નથી એટલે Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પ્રથમના જેવો છિદ્ર રહિત થતો નથી તે રીતે ગ્રંથિભેદ થવાથી તેને અગાઉનો જે રાગદ્વેષ પરિણામ અત્યંત સંક્લેશરૂપે હોય છે તે તેટલા પ્રમાણમાં થતો નથી, કારણ કે ફરીથી તે ગ્રંથિનું બંધન થતું નથી. આને સ્પષ્ટપણે સમજાવીએ તો ગ્રંથિભેદ વખતે આયુઃકર્મ સિવાયનાં બાકીનાં સાત કર્મની દેશે ઓછા એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિ રહે છે, અને તેટલી જ સ્થિતિ ગ્રંથિભેદ પછી કદાચ સમ્યક્ત્વ જાય એટલે મિથ્યાત્વ ભાવ પમાય ત્યારે બંધાય છે – એટલે પૂર્વે સમ્યક્ત્વ પામવાને અવસરે જેટલી કર્મની સ્થિતિ રાખી હોય છે તેટલો જ નવીન કર્મબંધ થાય છે. વળી ગ્રંથિભેદ થતાં સમ્યક્ત્વનો નાશ ન થતાં દુર્ગંત એટલે કુદેવ, કુમાનુષ, તિર્યંચ, નરકગતિ, ગ્રંથિભેદ કર્યા પહેલાં તે ગતિનું આયુષ્ય બાંધ્યું ન હોય તો થતી નથી. ૧૮૦ ત્રીજું કરણ અનિવૃત્તિકરણ આમ ગ્રંથિભેદ થતાં અનંતાનુબંધી ક્રોધ આદિ ચાર કષાયના ઉદય અને બંધરૂપ પાપકર્મનો વિનાશ થતાં મિથ્યાત્વનો ઉદય મંદરસવાળો થઈ જાય છે અને તેથી તે ભવ્ય, માર્ગાનુસારી, સમ્યક્ત્વયોગ્ય જીવને ગ્રંથિભેદ થયા પછી એક અંતર્મુહૂર્તમાં ‘અનિવૃત્તિકરણ' નામનો પરિણામવિશેષ પ્રાપ્ત થાય છે. જે અધ્યવસાય ફળપ્રાપ્તિ વગર નિવર્ષે નહિ પાછો જાય નહિ એટલે પૂર્વે થયેલ અપૂર્વકરણરૂપ પરિણામ પાછો જાય નહિ તે અનિવૃત્તિકરણ. આ કરણથી આત્મા મિથ્યાત્વ મોહનીયનામનું કર્મ કે જેની મોટી સ્થિતિ હોય છે તેનાં જે દળ પ્રદેશ હોય છે તેમાંથી અંતર્મુહૂર્તવેઘ એટલે એક અંતર્મુહૂર્તમાં ખપી જાય એટલી સ્થિતિનાં મિથ્યાત્વ મોહનીય કર્મનાં દલ નજીક ખેંચી લે – એટલે મિથ્યાત્વ મોહનીય કર્મના પુંજની સ્થિતિ બે કરે – એક મોટી સ્થિતિ અને બીજી નાની સ્થિતિ. આ બે સ્થિતિમાં જે અંતર રહે તેને ‘અંતરકરણ’ કહેવામાં આવે છે. હવે તે નાની સ્થિતિનો = અંતર્મુહૂર્તવેદ્ય દલ છે. તેનો એક અંતર્મુહૂર્તમાં ક્ષય કરી નાંખે અને જીવ મોટી સ્થિતિમાંથી ઉદય પામતાં દલને ઉપશમાવે એટલે એક અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં લાવવા ન આવે (નિષ્કંભિત ઉદય કરે). આમ દીર્ઘકાળ સુધી ઉદયપણે વર્તવા યોગ્ય મિથ્યાત્વ મોહનીય કર્મની મોટી સ્થિતિ – ‘સત્તા’ જે જીવને છે તેનો ઉદય, આ પરિણામવિશેષથી – અનિવૃત્તિકરણના સામર્થ્યથી સર્વથા રૂંધાઈ જવાથી એક અંતમૂહુર્ત સુધી મિથ્યાત્વનો સર્વથા અનુદય થાય, તે અવસરે અંતઃકરણના પ્રથમ સમયે જીવને શુદ્ધ ધર્મમૂળ ‘ઔપમિક’ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. આનું નામ પ્રથમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ. - ઔપશમિક સમ્યક્ત્વ આ ‘ઔપમિક’ એટલે જ્યાં મિથ્યાત્વનો ઉપશમ છે તે – ઉપશમજન્ય. ઉપશમ એટલે મિથ્યાત્વના ઉદયનો નાશ અને અનુદયનો રોધ. આથી ઉત્પન્ન થયેલી સર્વ તત્ત્વોની યથાર્થપણે સ્યાદ્વાદ મર્યાદાએ પ્રતીતિ – સ્વરૂપ શ્રદ્ધારુચિનો જનક આત્મભાવ પ્રગટે છે, તેથી જીવને જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું શ્રવણ કરવાથી આત્માદિ પદાર્થના સ્વરૂપની ઝલક ભાસમાન થાય છે; માર્ગાનુસારીપણામાં જે દેવગુરુ પૂજાદિ ‘તદ્વેતુ અનુષ્ઠાન’ હતા તે ‘અમૃતાનુષ્ઠાન' થઈ જાય છે. (જૈન યોગના વિષયમાં આ અનુષ્ઠાન પાંચ અનુષ્ઠાન પૈકીના એક તરીકે આપેલ છે તે જુઓ.) અને લોકદૃષ્ટિએ કરાતા — Page #202 -------------------------------------------------------------------------- ________________ જૈન દેષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ ૧૮૧ ‘યમનિયમ' વગેરે સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન તે, પરમાર્થવૃત્તિએ કરાતા અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન થાય છે. ત્રણ પુંજ પછી ઉપશમસમ્યક્તરૂપ ગુણથી મોટી સ્થિતિવાળી મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિ કે જે સત્તામાં (in potentiality) રહેલી છે, જે ઉદય કે ઉદીરણામાં આવી નથી, જેનાં સર્વ દળ-પ્રદેશ દુષ્ટ રસથી ભરેલાં છે તેને ઉદયમાં આવ્યા અગાઉ જ પરિણામવિશેષના પ્રભાવથી શોધી કાઢી તેના ત્રણ પ્રકારનાં પંજ કરે છે. તે આ રીતે ? (૧) જે દળમાંથી ક્લિષ્ટ રસનો ઉત્પાદક દુષ્ટ રસ સર્વથા નષ્ટ થઈ જાય તેવા દળનો રાશિ તે “સમ્યક્ત પુંજ' – શુદ્ધ પુંજ છે. તે શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો તે જીવના સમ્યત્ત્વગુણનો ઘાત કરતો નથી, શુદ્ધ શ્રદ્ધા બની રહે છે. આનું બીજું નામ “સમ્યક્ત મોહનીય છે. આ પુંજનો ઉદય થતાં ‘ક્ષયોપથમિક સમ્યક્ત થાય છે. (૨) જે દળનો દુષ્ટરસ અર્ધ નષ્ટ થયો હોય ને અર્ધ રહ્યો હોય તેનો રાશિ તે મિશ્ર જ - અર્ધશુદ્ધ પુંજ અથવા મિશ્ર મોહનીય છે. તે પુંજ ઉદયમાં આવે તો અંતર્મુહૂર્ત સુધી જીવ મિશ્ર દષ્ટિવાળો રહે. આવા મિશ્ર દષ્ટિવાળા જીવને શુદ્ધ ધર્મ પર પ્રેમ પણ ન હોય ને દ્વેષ પણ ન હોય, એટલે તે સમ્યકત્વી પણ નહિ, અને મિથ્યાત્વી પણ નહિ. (૩) અને જે દળમાંથી દુષ્ટ રસ નષ્ટ જ થયો ન હોય, જેવો ને તેવો કાયમ રહ્યો હોય તેનો રાશિ તે ‘મિથ્યાત્વપુંજ' – અશુદ્ધ પુંજ અથવા મિથ્યાત્વ મોહનીય છે. તેના ઉદયથી જીવ સાદિસાત મિથ્યાષ્ટિ થાય, કારણકે તે સમ્યક્ત્વથી પતન પામી મિથ્યાત્વી થાય ત્યારે તેની આદિ – શરૂઆત થઈ તે ‘સાદિ, અને ફરીને તેનો અંત કરી અવશ્ય સમ્યકત્વ પામવાનું છે તેથી તેનો અંત આવ્યો તે “સાંત' (અંતસહિત). આ મિથ્યાષ્ટિ અનાદિ મિથ્યાદષ્ટિથી ૧. પૂર્વે ગ્રહણ કરેલાં કર્મ અમુક કાળ (જેને “અબાધાકાળ' કહે છે) વ્યતીત થયે તેના રસ (ફળ) રૂપે વેદવામાં – ભોગવવામાં આવે તે ‘ઉદય' કહેવાય છે. જેમ બીજ વાવ્યા પછી અમુક વખત વીત્યા બાદ ફળનો ઉદય – ફળની પ્રાપ્તિ થાય તેમ કર્મના ઉદય સંબંધે સમજવું. ૨. સ્વાભાવિક રીતે ઉદય નહિ આવેલાં એટલે સત્તામાં રહેલાં કર્મને ખેંચીને પ્રયત્નવિશેષથી ઉદયમાં લાવી વેદી લેવાં – ભોગવવાં તેને ‘ઉદીરણા' કહે છે. ૩. મિથ્યાત્વના કાલ આશ્રયી ગુણદોષપ્રાપ્તિ આશ્રયે ચાર ભંગ કહ્યા છે : (૧) અનાદિ અનંત - અનાદિનું મિથ્યાત્વ છે તે કદી પણ મટે નહિ, જેમકે અભવ્યને બને છે. (૨) અનાદિસાંત – ભવ્યને પ્રથમ સમ્યક્તની પ્રાપ્તિ થાય ત્યારે અનાદિ મિથ્યાત્વનો અંત આવ્યો હોય છે તે. (૩) સાદિ સાંત – જે જીવ સમ્યક્ત પામી વળી તેને વમી નાંખે છે અને મિથ્યાત્વ ગ્રહે છે ત્યારે મિથ્યાત્વની આદિ થઈ, વળી પુનઃ શુભ સામગ્રીના યોગથી સમ્યક્ત પામે ત્યારે મિથ્યાત્વનો અંત થયો (જેમ અહીં થયું તેમ). (૪) સાદિ અનંત – આ ભંગ મિથ્યાત્વ સંબંધમાં મિથ્યાત્વીને હોય નહિ. તે ભંગ ક્ષાયિક સમ્યક્તાદિ ક્ષાયક ભાવે જેને જે ગુણ પ્રગટ થયા તે ગુણ તેને સાદિ અનંત અંગે હોય, એટલે તે ગુણ પ્રગટે ત્યાં આદિ શરૂ થઈ તેથી સાદિ, અને તે ગુણ આવ્યા પછી જાય નહિ તેથી તે અનંત – એટલે ભવ્ય મિથ્યાત્વીને પ્રથમના ત્રણ ભાંગા (ભંગ) લાગુ પડે – હોય, અને અભવ્ય મિથ્યાત્વીને એક જ ભંગ નામે અનાદિ અનંત હોય. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કંઈક ઉજ્જવળ પરિણામી હોય છે, અને અનાદિની નિજસ્વભાવભૂત કર્મબંધની યોગ્યતા બંધશક્તિમાં અનંતગણી ઓછી હોય છે, તેથી ગ્રંથિભેદની વખતે જેટલી સ્થિતિવાળાં કર્મ જીવ બાંધતો હતો તે કરતાં અધિક સ્થિતિવાળાં કર્મ તે હવે મોક્ષ જવા પર્યત બાંધે નહિ અને અર્ધ પુદ્ગલ પરાવર્તકાલની અંદર અવશ્ય મોક્ષે જાય. ક્ષયોપથમિક સમ્યક્ત ઉપર કહ્યું તેમ ઔપશમિક સમ્યક્તની સ્થિતિ અંતર્મુહૂર્તની છે તે પૂર્ણ થતાં ઉપર્યુક્ત શુદ્ધ પુંજનો ઉદય થતાં “ક્ષયોપથમિક સમ્યગુદષ્ટિ થાય છે (ઉદય આવતા મિથ્યાત્વાદિનો ક્ષય કરે અને અનુદયનો રોધ કરે. ઔપથમિકમાં પણ તેમજ છે છતાં તેમાં અને આમાં એટલો જ ફેર છે કે આમાં શુદ્ધ દલનો ઉદય છે, જ્યારે ઔપશામિકમાં અશુદ્ધ દલનો ઉદય છે). આ સ્થિતિમાં જો ઉત્કૃષ્ટપણે રહે તો જીવ અસંખ્યાતા કાલ સુધી રહે. સાયિક સમ્યક્ત ક્ષયોપશમ સમ્યક્તમાં વર્તતા કોઈક જીવ દેશવિરતિને પામે – શ્રાવકનાં વ્રતગ્રહણ કરે, કોઈક “સર્વવિરતિને – સાધુવ્રત પ્રાપ્ત કરે, કોઈક જીવ ઉપરોક્ત ત્રણે પુંજોનો ક્ષય કરી શુદ્ધ અપીલિક – “ક્ષાયિક સમ્યક્ત્વ પામી ‘ક્ષપકશ્રેણીએ ચઢી સકલ મોહનીય, અંતરાય, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી વીતરાગ – સર્વજ્ઞ થાય (૧૩મા અયોગી કેવલી ગુણસ્થાન પ્રાપ્ત કરે, અને પછી મનવચન કાયાના વ્યાપારરૂપ યોગનો નિરોધ કરી સમગ્ર કર્મ રહિત થઈ તે જ ભવે મોક્ષે જાય). સમ્યત્ત્વ અને મિથ્યાત્વ જેને સમ્યક્ત્વ થયું તે “સમ્યગ્દષ્ટિ જીવ કહેવાય છે, અને ન થયું હોય તેને ‘મિથ્યાદષ્ટિ' કહેવામાં આવે છે. જીવના આ ભેદ તેના પરિણામભેદને લઈને છે અર્થાત્ અંતઃકરણના ભાવના ભેદરૂપ ભેદ છે. તેવો ભેદ થવાનું કારણ કર્મનો જેવો બંધ હોય છે તે પ્રમાણે છે. મિથ્યાદષ્ટિને મહાબંધ હોય છે, સમ્યગ્દષ્ટિને કિંચિત્ કોમલબંધ હોય છે. બંનેનો બાહ્ય ચાર સરખો હોય, તોપણ તેમના પરિણામમાં ફેર હોય, તેથી તેઓ મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ કહી શકાય. સમ્યગ્દષ્ટિને - ધર્મરાગવાળાને કર્મવશાતુ અન્યથી પ્રવૃત્તિ થાય તો તેમાં એ રાગનો અભાવ સૂચવાતો નથી. સમ્યગ્દષ્ટિ (જીવ)ને બૌદ્ધમાં બોધિસત્ત્વ અને સમ્યગ્દર્શનને ‘બોધિ' એ નામ આપેલ છે. ૧. સમ્યગ્દષ્ટિવાળો તે જ બોધિસત્વ કહેવાય. બૌદ્ધોએ બોધિસત્ત્વનું લક્ષણ કર્યું છે તે સમ્યગ્દષ્ટિવાળાને વિષે યથાર્થ ઘટે છે. તે બૌદ્ધો એમ કહે છે કે કાયપાતી એટલે શરીર થકી જ પતન પામનાર જ બોધિસત્ત્વ છે અને ચિત્તપાતી એટલે ચિત્તથી પતન પામનાર નહિ, એટલે ભાવથી કરીને દઢ સત્ત્વવાળો, પણ કર્મવશાત્ શરીરથી અલિત થનારો તે “બોધિસત્ત્વ.” આ જ લક્ષણ સમ્યગ્દષ્ટિનું પણ છે. સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ બંને પરાર્થરસિક, ધીમાનું, માર્ગગામી, મહાશય, ગુણરાગી વગેરે સમાન રીતે હોય છે. બંને મોક્ષ પામવા નિમાયેલા છે. જે સમ્યગ્દર્શન, તે જ બોદ્ધોએ કહેલ બોધિ' છે. તે બોધિ જેમાં પ્રધાન છે – એ જ જેનો સાર છે એવો મહોદય તે જ બોધિસત્વ. (યોગબિંદુ, શ્લો. ર૭-૨93). Page #204 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન) ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન) મોક્ષે જૈન દર્શનમાં જીવની સિદ્ધપદ સુધીની ઉત્ક્રાંતિનાં ૧૪ ‘ગુણસ્થાન’ જવાનાં પગથિયાં (મોક્ષપદસોપાન) કહેલ છે તેમાં સમ્યકત્વપ્રાપ્તિને ૪થું સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. તે પહેલાંનાં જે ત્રણ ગુણસ્થાન છે તેનાં નામ (૧) મિથ્યાત્વ ગુણસ્થાન (૨) સાસ્વાદન ગુણસ્થાન (૩) મિશ્ર ગુણસ્થાન. આ પછી (૪) સમ્યક્ત્વ. ત્યાર પછી વ્રત પચ્ચખાણ (પ્રત્યાખ્યાન), ત્યાગ, વૈરાગ્ય, યોગાદિ કાર્યથી વિરતિભાવને પમું અને છઠ્ઠું ગુણસ્થાન નામે દેશિવરતિ અને સર્વવરિત (બંને પ્રમત્તગુણસ્થાન) કહેવામાં આવે છે, તે વિશેષ રૂપમાં પામી જીવ ઉચ્ચ આચરણ કરી અપ્રમાદીપણે (૭મું અપ્રમત્ત ગુણસ્થાન) શુદ્ધ ચારિત્ર પાળતાં ૮-૯-૧૦-૧૧-૧૨મા ગુણસ્થાન નામે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સં૫રાય, ઉપશાંત-મોહ, ક્ષીણમોહમાં કર્મનો ભાર જીવને જેમ જેમ ઓછો થાય છે તેમ તેમ અનુક્રમ જઈને છેવટે શુદ્ધ કૈવલ્ય જ્ઞાન (૧૩મું સયોગી કેવલી ગુણસ્થાન પામતાં) પ્રાપ્ત થાય છે, ત્યારે તે સચરાચર જગત્ના ત્રિકાળભાવો પ્રત્યેક સમયે જાણે દેખે છે અને તેની અંતે શેષ અલ્પ કર્મમળ હોય છે તેનો પણ ક્ષય કરી અજરામરપદ (૧૪મું અયોગી કેવલી ગુણસ્થાન) પ્રાપ્ત કરે છે – સિદ્ધ - મુક્ત થાય છે. ૧૮૩ [૧૪ ગુણસ્થાન : (૧) મિથ્યાષ્ટિ (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ (૩) સમ્યગ્-મિથ્યાર્દષ્ટિ (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (પ) દેશવિરત સમ્યગ્દષ્ટિ (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્ત-સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ – બાદર સંપરાય (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાન્ત-કષાય-વીતરાગ-છદ્મસ્થ (૧૨) ક્ષીણ કષાય (૧૩) સયોગ-કેવલિ-ગુણસ્થાન (૧૪) અયોગ-કેવિલ ગુણસ્થાન. જુઓ ‘Studies in Jaina Philosophy', (P. 268-280), Nathmal Tatia] આ ૧૪ ગુણસ્થાન બરાબર સમજવા માટે તે દરેકમાં આવતા જીવનો કોઠો પાડીએ (જુઓ પૃષ્ઠ ૧૮૪ ૫૨) : ભવ્ય, અભવ્ય, ગ્રંથિભેદી એટલે ગ્રંથિભેદ કરનાર, વગેરે સંબંધી આપણે આગળ જોઈ આવ્યા છીએ. હવે ગુણસ્થાન અથવા ગુણસ્થાનક ચૌદ છે તેનું સ્વરૂપ ટૂંકમાં જોઈએ ઃ ૧. મિથ્યાત્વ ગુણસ્થાન – વસ્તુસ્થિતિના યથાર્થ જ્ઞાનના અભાવે જે અયથાર્થ શ્રદ્ધાન તેને ‘મિથ્યાત્વ' કહે છે, કેમકે યથાર્થપણાની શ્રદ્ધા તથા જ્ઞાન એ જ આત્માનો ગુણ છે, પણ તે ગુણ મિથ્યાત્વ મોહ ૫ નામે કર્મના આચ્છાદનથી વિભાવ દશાને પામી ગયેલો, જેથી અયથાર્થતાને ભજે છે, પણ તે વિભાવિક પણ આત્મિક ગુણ છે તેથી મિથ્યાત્વ એનું ગુણસ્થાનક કહેવામાં આવે છે. આત્મા સાથે વળગેલાં કર્મપરમાણુનો સમૂહ ઉદયમાં હોય છે તેને ‘ઉદિયક ભાવ’ કહેવામાં આવે છે, અને તે જ કર્મપુદ્ગલો ઉદયમાં હોય તેટલાં ક્ષય થઈ જાય, ખરી જાય અને સત્તામાં રહેલાં કર્મપુદ્ગલો ઉદયમાં ન આવે તેવી સ્થિતિને ઔપશિમક ભાવ' કહેવામાં આવે છે; અને ઉદયમાં આવેલાં કર્મપરમાણુઓના રસનો ક્ષય થઈ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જીવ સિદ્ધ સંસારી સયોગી અયોગી કેવલી (૧૪માં ગુણસ્થાન) સયોગી છબસ્થ સયોગી કેવલી – અરિહંત (૧૩ માં ગુણસ્થાનસ્થ) સમોહી અમોહી =ક્ષીણમોહી (૧૨માં ગુણસ્થાનસ્થ) ઉદિતમોહી =સકષાયી અનુદિતમોહી=ઉપશાંતમોહી (૧૧માં ગુણસ્થાનસ્થ) બાદર-સ્કૂલમોહી સૂક્ષ્મ મોહી (૧૦માં ગુણસ્થાન) સવેદી અવેદી (૯માં ગુણસ્થાનસ્થ) શ્રેણીવંત (૮માં ગુણસ્થાનસ્થ) શ્રેણીરહિત પ્રમત્ત અપ્રમત્ત (૭માં ગુણસ્થાની) અવિરતિ સંયમી વિરતિ અવિરતિ સમ્યક્તી અવિરતિ મિથ્યાત્વી સર્વવિરતિ દેશવિરતિ (૪થા ગુણસ્થાનસ્થ) || (૬ઠ્ઠા ગુણસ્થાનW) (પમાં ગુણસ્થાનસ્થ) ગ્રંથિભેદી (ભિન્નગ્રંથિ) ગ્રંથિ અભેદી (અભિન્નગ્રંથિ) ભવ્ય અભવ્ય ભવ્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન) ૧૮૫ જવાથી શુદ્ધ નિર્મળ કર્મપરમાણુઓ આત્માથી જુદાં પડેલાં ન હોય, એટલે આત્મા સાથે રહ્યાં હોય તે નિર્મળ કર્મપરમાણુ દ્વારા આત્મશક્તિનો આવિર્ભાવ થયેલો હોય તેવી સ્થિતિને ‘ક્ષાયોપથમિક ભાવ’ કહેવામાં આવે છે, અને ઉદયમાં આવેલાં અમુક જાતનાં કર્મો સદંતર નાશ પામી જાય અને ફરીથી તેવાં કર્મપરમાણુઓને આવવાપણું ન રહે તેવી દશાને ‘ક્ષાયક ભાવ' કહે છે. આ છેલ્લા ત્રણ પ્રકારના આત્મભાવ અમુક કર્મો અથવા અમુક કર્મોના ભેદોના સંબંધમાં હોઈ શકે છે. ૨. સાસ્વાદન ગુણસ્થાનક – ઉપર બતાવેલો “ઔપમિક ભાવ' બે સ્થિતિએ હોઈ શકે છે, એક તો અંતર્મુહૂર્ત સુધી સર્વથા મિથ્યાત્વના અવેદક જીવને ઔપથમિક સમ્યક્ત્વ થાય છે તે, અને બીજો ઉપશમશ્રેણી પ્રતિપન્ન જીવને મિથ્યાત્વનો ઉપશમ થતાં સ્વશ્રેણીગત ઔપમિક સમ્યકત્વ થાય છે. આ બંને પ્રકારનું ઉપશમ-ઔપશમિક સમ્યકત્વ (કે જેના વિષે અગાઉ કહેવાઈ ગયું છે) બીજા ગુણસ્થાનક સાસ્વાદનની ઉત્પત્તિમાં મૂળ કારણ છે. હવે જ્યારે શાંત થયેલાં મિથ્યાત્વ કર્મપુદ્ગલો ક્રોધ, માન, માયા, લોભ એ ચારમાંથી એક પણ જ્યારે ઉદયમાં આવી જાય છે ત્યારે જીવ ૧૧માં ઉપશાંત મોહ ગુણસ્થાન સુધી ગયેલો હોય છે. ત્યાં પથમિક રૂપ ગિરિશિખરથી પડતાં મિથ્યાત્વરૂ૫ ભૂતળને પ્રાપ્ત થતાં પહેલાં જીવ એક સમયથી લઈને છ આવલિકાના કાળ સુધી જે હદે અટકે છે તેને “સાસ્વાદન” ગુણસ્થાનક કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે કે જેમ એક માણસે દૂધપાક અગર બાસૂદીનું ભોજન કરેલું હોય અને તેને પાછી ઊલટી થઈ જાય તે વખતે મુખમાં ફરીથી ભોજનનો સ્વાદ આવે છે, તેની માફક પતિત જીવને પૂર્વકાળમાં અનુભવેલ ઔપશમિક શાન્તિનો આસ્વાદ માત્ર રહી જાય છે તે કારણથી તેને સાસ્વાદન (=આસ્વાદન સહિત) કહેવામાં આવે છે. ૩. મિશ્રગુણસ્થાનક – જે જીવ સમકાળે મિથ્યાત્વ, સમ્યક્ત બંનેના એકત્ર મળવાથી મિશ્રભાવમાં વર્તે છે, તે જીવ મિશ્રગુણસ્થાનકસ્થ કહેવાય છે. મિશ્રપણું જે છે તે બંનેના મેળાપનું એક જાત્યંતરરૂપ છે. જેમ ગર્દભ અને અશ્વ બંનેથી ઉત્પન્ન થયેલ ખચ્ચર ત્રીજી જાતિ કહેવાય છે, જેમ દહીં અને ખાંડ મળવાથી શીખંડનો એક વિલક્ષણ સ્વાદ થઈ જાય છે કે જેને દહીં જેવું ખાટું પણ ન કહેવાય, તેમ ખાંડ જેવું મીઠું પણ ન કહેવાય, તે રીતે મિશ્રગુણસ્થાનકવર્તી જીવની દશા છે. તે જીવ સત્ય-અસત્ય, યોગ્ય-અયોગ્યની તુલના કરતા નથી, કરવાની ઇચ્છા થતી નથી, સર્વેને માને સ્વીકારે એટલેકે દરેક ધર્મોનાં તત્ત્વો, દરેક ધર્મની ક્રિયાઓ, એકબીજાથી વિભિન્ન હોવા છતાં સર્વને માને. – વિવેક તેમાં નિ રહે. આથી કેટલુંક અસત્ય સત્યરૂપે પરિણમે છે. ૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ – આમાં રહેનારની ઉપર જણાવી ગયા છીએ તેવા ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ સમ્યકત્વ અને ક્ષાયક સમ્યત્વ એ ત્રણ પ્રકારનાં સમ્યકત્વવાળી સ્થિતિ હોય છે. અત્ર ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયક એ ત્રણે ભાવ મિથ્યાત્વમોહનીય કર્મ અને તેના ભેદો સંબંધી સમજવાનું છે. ઉપશમ ઇત્વરકાલિક અને ક્ષયોપશમ તથા ક્ષાયિક દીર્ઘકાલિક છે. આ ગુણસ્થાનકથી જૈનત્વ પ્રગટે છે. સાધક દશા આવે છે. સમ્યકત્વ – યથાર્થ શ્રદ્ધા થાય છે કારણકે મિથ્યાત્વમલના Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અસદ્ભાવે આત્મિક શક્તિ નિર્મળ હોઈ યથાર્થ જ્ઞાન વડે કરી વસ્તુસ્થિતિના સ્વરૂપને સમજી શકાય છે. સમ્યક્રષ્ટિ એ જ અર્થ સૂચવે છે કે યથાર્થદષ્ટિ. વસ્તુ, જીવનું સ્વરૂપ, જીવની ક્રિયા અથવા તો કર્મના ઉદયથી સુખ, લાભ, હાનિ વગેરે અમુક અમુક કર્મના સંભાવને લઈને છે એમ જ્યારે સમજાય છે ત્યારે તે જીવ નિમિત્તકારણ ઉપર રાગદ્વેષ કરતો નથી. કોઈએ ગાળ દીધી, બીજાએ સ્તુતિ કરી, એક હણવા તૈયાર થયો, બીજાએ રક્ષણ કર્યું, એકે ઘરમાંથી ચોરી કરી, બીજાએ તે ચોરીનું ધન મેળવી આપ્યું છતાં એક તરફ પ્રીતિ ને બીજા તરફ દ્વેષ નહિ – તેવી જ રીતે સંયોગ વિયોગ જે જે નિમિત્તોથી થતા હોય તે નિમિત્તો તેમાં કારણભૂત છે એમ મનમાં ન આવે – પણ એ બધો કર્મપ્રવાહ છે – જો મારાં તથા પ્રકારનાં કર્મો ન હોય તો આવા જીવોને જુદીજુદી રીતે જુદુંજુદું કરવાનું મારા માટે મન શાનું થાય ? એમને તેમ કરવાની પ્રેરણા થઈ, અથવા તેમનામાં જે ઇચ્છા થઈ તેમાં મારાં શુભ-અશુભ કર્મ કારણરૂપ કેમ ન હોય ? તો પછી આ નિમિત્ત કારણો ઉપર મારે રાગદ્વેષ કરવો યોગ્ય નથી અગર તેવા કર્મોથી દૂર થવા પ્રયત્ન કરું એવો ઉપયોગ સમ્યગ્દષ્ટિમાં રહેતો હોવાથી તે રાગદ્વેષને મંદ કરે છે. આથી ખરું “જૈનત્વ' આવે છે. આમાં અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય)નો તેમજ મોહનીયકર્મની ત્રણ મુખ્ય પ્રકૃતિઓ નામે સમ્યક્ત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય અથવા ઉપશમ થાય છે. શ્રદ્ધા યથાર્થ થાય છે. ૫. દેશવિરતિ ગુણસ્થાનક – આ શુદ્ધ શ્રાવકની ભૂમિકા છે. તેમાં અંશ ચારિત્ર - સદ્વર્તન છે. આમાં શ્રાવકનાં પાંચ અણુવ્રતનું પાલન, માર્ગાનુસારીના ગુણની પ્રાપ્તિ, ગૃહસ્થનાં છ કર્મ, સચિત્ત (સજીવ) આહારનો ત્યાગ, સદેવ એકાસણું કરવું, બ્રહ્મચર્યનું પાલન, મહાવ્રત સ્વીકારવાની ઈચ્છા, શ્રમણની ઉપાસકતા, ૧૧ પ્રતિમા – નિયમવિશેષ કમેક્રમે પ્રાપ્ત થાય છે. આર્ત અને રૌદ્ર ધ્યાન મંદતા પામે છે અને ધર્મધ્યાનનો અભ્યાસ - પ્રારંભ પડે છે. ૬. (સર્વવિરતિ) – પ્રમત્ત સંયત ગુણસ્થાનક – એ શુદ્ધ સાધુની ભૂમિકા છે. તેમાં સર્વાશે ચારિત્ર – સદ્વર્તન છે. પંચ મહાવ્રતનું પાલન આમાં હોય છે, પરંતુ સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય તથા પ્રમાદ (મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા) અત્ર રહે છે તેથી આ ગુણસ્થાનક સંયત એટલે યતિનું ખરું પણ પ્રમત્ત' કહેવાય છે. આ પ્રમાદનો કાલ અંતર્મુહૂર્ત છે. ત્યાં સુધી પ્રમાદ રહે તો આ ગુણસ્થાન છે, પરંતુ તેથી વધુ રહે તો નીચે પતન થાય છે અને પમા ગુણસ્થાન “દેશવિરતિમાં અવાય છે, અને અંતર્મુહૂર્ત ઉપરાંત પ્રમાદ રહિત થવાય તો સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં ચડાયા છે. આમાં આર્ત અને રૌદ્ર ધ્યાન મુખ્યપણે અને સાલંબન ધર્મધ્યાન (આજ્ઞા વિચયાદિ) ગૌણતાએ રહે છે. ૭. અપ્રમત્ત ગુણસ્થાનક -- આમાં પંચમહાવ્રતી – સાધુ ચતુર્થ કષાય એટલે સંજ્વલન ક્રોધાદિનો મંદ ઉદય થાય છે ત્યારે પ્રમાદ જતાં અપ્રમત્ત થાય છે અને મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી તેનો ક્ષય કરી, અનુદયમાં હોય તેને ઉપશમાવી નિરાલંબ ધ્યાનમાં પ્રવેશ કરવાનો પ્રારંભ કરે છે. પહેલાં આસન વગેરેમાં બેસી Page #208 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન) ૧૮૭ વિધિપૂર્વક નિષ્કપ સમાધિ લગાવે છે; પછી પવન, આસન, ઇંદ્રિય, મન, ક્ષુધા, નિદ્રાનો જય કરી અંતઃકરણમાં વારંવાર તત્ત્વાભ્યાસ કરે છે અને સર્વ જીવો પર મૈત્રી, પ્રમોદ, કરૂણા અધિક કરે છે. ત્યાર પછી મૌન બાહ્યાંતર રહી હૃદયસરોવરમાં સતત અમૃત પીધા કરે છે. એટલે ધર્મધ્યાન મુખ્યપણે રહે છે અને રૂપાતીતપણે શુક્લ ધ્યાન પણ અંશમાત્ર – ગૌણતાથી થાય છે. ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક – આમાં જે પૂર્વે સ્થિતિ ન હતી તે પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની સ્થિતિ પૂર્વે હતી તે અલ્પ કરવામાં આવે છે, તે કર્મોમાં જે રસ હતો તેને પણ મંદ કરવામાં આવે છે અને તે થોડા કાલમાં ખપાવી નાંખવા જેવી ગુણપ્રાપ્તિ થાય છે અને કર્મની સ્થિતિ પણ અહીં નાની બંધાય છે. આથી આ અપૂર્વ યોગની પ્રાપ્તિથી આ ગુણસ્થાનકને “અપૂર્વકરણ' કહે છે. આમાં ૧લું શુક્લ ધ્યાન થાય છે. આ ગુણસ્થાનકમાં બે પ્રકારના જીવ હોય છે – એક તો કર્મપ્રકૃતિઓનો ઉપશમ કરવાવાળા – ભારેલા દેવતાની માફક સત્તાપણે દાબી દેનારા ‘ઉપશમક, અને બીજા ક્ષય કરવાવાળા – “ખપાવનારા' - તે “ક્ષપક'; અને તેની આગળ જવાની પ્રગતિને તે જ નામથી “શ્રેણી' કહે છે એટલે એક “ઉપશમ શ્રેણી’ અને બીજી તે “ક્ષપક શ્રેણી.” ખરી રીતે આ બંનેનો બરાબર પ્રારંભ ૯મા ગુણસ્થાનમાં થાય છે, છતાં તેના અંશો અહીંથી ફરે છે તેથી અત્ર જણાવેલ છે. તેથી નીચેનાં ગુણસ્થાનમાં તે બંને સંબંધી કહેવું પડશે. ૯. અનિવૃત્તિ બાદર – અનિવૃત્તિકરણ ગુણસ્થાનક – દષ્ટ, શ્રત અને અનુભૂત એવા ભોગની આકાંક્ષાદિ સંકલ્પવિકલ્પ રહિત થઈને પરમાત્મ તત્ત્વ પર નિશ્ચલ રહી તેમાં એકાગ્ર ધ્યાનની પરિણતિરૂપ ભાવમાંથી ‘અનિવૃત્ત' એટલે પ્રવૃત્ત રહેવાથી આ અનિવૃત્તિ નામનું ગુણસ્થાનક કહેવામાં આવે છે. તેનું આખું નામ અનિવૃત્તિ બાદર છે; તેમાં બાદરનો અર્થ એ છે કે બાદર – સ્કૂલ કષાય એટલે અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય અને ૯ નોકષાયને ઉપશમાવવા માટે યા ખપાવવા માટે આ ગુણસ્થાન તેવા ગુણ – લક્ષણવાળું છે. ઉપશમશ્રેણીવાળો – ઉપશમક સંજવલન લોભ સિવાય મોહનીયની ૨૦ પ્રકૃતિને ૮મા તથા આ ગુણસ્થાનમાં ઉપશમાવે છે. ક્ષપકશ્રેણીવાળો – ક્ષપક પ્રવૃતિઓ ખપાવે – તેનો ક્ષય કરે. ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક – સૂક્ષ્મ પરમાત્મતત્ત્વની ભાવનાના બલથી ૨૦ પ્રકૃતિરૂ૫ મોહનીય કર્મ શાંત થયે યા ક્ષીણ થયે એક લોભ સૂક્ષ્મ ખંડીભૂત રહે છે તેથી જ્યાં તે લોભ નામનો કષાય સૂક્ષ્મ હોય છે તે સૂક્ષ્મ સંપરાય (સંપાય=લોભ) નામનું ગુણસ્થાનક. ઉપશમ શ્રેણીવાળો – શમક જીવ સંજ્વલન લોભને સૂક્ષ્મ કરે છે. ક્ષપક શ્રેણીવાળો – ક્ષપક જીવ ક્ષણમાત્રમાં સ્કૂલ સંજ્વલન લોભને સૂક્ષ્માણુરૂપે ૧૧. ઉપશાંતમો ગુણસ્થાનક – અહીં ઉપશમશ્રેણીવાળો – ઉપશમક જીવ પરમ ઉપશમની મૂર્તિરૂપ નિજ સહજ સ્વભાવના જ્ઞાનબલથી સકલ મોહનું શમન કરે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ઉપશમક જીવ સૂક્ષ્મલોભને સર્વથા ઉપશમાવે છે. ક્ષપક જીવ આ ગુણસ્થાન કરે જ નહિ; તે તો દશમા ગુણસ્થાનમાંથી લોભના ખંડ સૂક્ષ્મ કરીને ખપાવી – ક્ષય કરી ૧૨મા ક્ષીણમોહ ગુણસ્થાનમાં જાય છે. ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાનક – અહીં ક્ષપક જીવ ક્ષપક શ્રેણીના માર્ગથી દશમા ગુણસ્થાનથી. સંપૂર્ણ કષાયને નિઃશેષ કરી શુદ્ધ આત્મભાવનાના બલથી સકલ મોહનીય કર્મનો ક્ષય કરે છે તેથી આ ગુણસ્થાનકને ‘ક્ષીણમોહ' કહે છે. ક્ષપક જીવ અહીં મોહનો ક્ષય કરી વિશેષે કરીને જેમાંથી રાગ ગયો છૈ એવો વીતરાગ, યથાખ્યાત ચરિત્રવાળા – મહાયતિ, વિશુદ્ધ ભાવવાનું થઈ, બીજા શુક્લ ધ્યાનનો આશ્રય કરે છે, અને તે ધ્યાનથી આ ગુણસ્થાનકને અંતે કર્મરૂપી ઇંધન સળગાવી નિદ્રા ને પ્રચલા એ પ્રકૃતિનો નાશ કરે છે અને અંતે કેવલજ્ઞાની થાય છે. ૧૩. સયોગી કેવલી ગુણસ્થાન – અહીં કેવલજ્ઞાન છે પરંતુ હજુ મન, વચન, કાયાનો યોગ રહેલો હોય છે તેથી સયોગી કેવલી ગુણસ્થાન કહે છે. અહીં આત્માના ભાવ કેવલ શુદ્ધ-ક્ષાયિક ભાવ હોય છે, સમ્યક્ત્વ અને ચારિત્ર પણ ક્ષાયિક જ થાય છે, કારણકે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો ક્ષય થાય છે. અહીં સામાન્ય કેવલી ઉપરાંત ધર્મપ્રવર્તક અને ધર્મોપદેશક શ્રી તીર્થંકર, જો તે યોગ્ય કર્મ પ્રાપ્ત કર્યું હોય તો, થવાય છે. તે કર્મ ૨૦ સ્થાનકના સેવનથી પ્રાપ્ત થાય છે ઃ નામે ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. આચાર્ય, ૫. સ્થવિર, ૬. ઉપાધ્યાય, ૭. તપસ્વી, ૮. જ્ઞાન, ૯. દર્શન, ૧૦. વિનય, ૧૧. આવશ્યક, ૧૨. શીલવ્રત, ૧૩. તપ, ૧૪. ક્રિયા, ૧૫. દાન, ૧૬. વૈયાવૃત્ત્વ, ૧૭. સમાધિ, ૧૮. અપૂર્વજ્ઞાનગ્રહણ, ૧૯. શ્રુતભક્તિ, ૨૦. તીર્થપ્રભાવના. ૧૪. અયોગી કેવલી ગુણસ્થાનક – દેહોત્સર્ગ કરતાં પહેલાં છ માસ પહેલાં કેવલી ‘સમુદ્દાત’ કરી સર્વલોકમાં પોતાના આત્મપ્રદેશને વિસ્તારી સંકોચી નાંખે છે અને પછી ધ્યાનથી સર્વ યોગથી મુક્ત થાય છે તેથી ‘અયોગી કેવલી' એ નામ આ ગુણસ્થાનકનું છે. સંમુદ્દાત કરી એટલે તેનાથી નિવૃત્ત થઈ કેવલી પોતે હજુ મન, વચન અને કાયાના યોગવાળા હોવાથી તે યોગનો નિરોધ કરવા અર્થે ત્રીજું શુક્લ ધ્યાન કરે છે, ત્યાર પછી આયુષ્ય પૂર્ણ થવાને પાંચ હ્રસ્વાક્ષર (અ, ઇ, ઉ, ઋ, લુ)ના ઉચ્ચારણ જેટલો કાલ બાકી રહે છે ત્યારે તેને ચોથા શુક્લધ્યાનની પરિણતિરૂપ શૈલેશીકરણ – પર્વત સમાન સ્થિરતા થાય છે અને સૂક્ષ્મરૂપ કાયયોગમાં રહી ત્વરિત યોગાતીત – અયોગી ગુણસ્થાનમાં જાય છે. ત્યારપછી આયુષ્ય પૂર્ણ કરી દેહનો ઉત્સર્ગ કરી સિદ્ધ થાય છે. (આમાં ધ્યાન જે કહેલાં છે તેનું સ્વરૂપ જૈન યોગમાં કહેલ છે અને કર્મનું સ્વરૂપ ‘કર્મસ્વરૂપ’માં કથેલ છે તો ત્યાં જોઈ લેવું.) [સમુદ્દાત – મુક્તિ પામતા જીવના આયુઃ-કર્મમાં કોઈ ફેરફાર – વધઘટ થઈ શકતી નથી. હવે જો અઘાતી એવાં વેદનીય, નામ, ગોત્ર કર્મોની સ્થિતિ આયુઃકર્મ કરતાં વધારે હોય તો સર્વની સ્થિતિ સમાન કરવી જોઈએ, કારણકે સર્વજ્ઞને પણ આ ચારેય કર્મ ભોગવવાનાં તો છે જ અને સામાન્ય રીતે સર્વજ્ઞના વેદનીય કર્મની સ્થિતિ Page #210 -------------------------------------------------------------------------- ________________ કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય તેના આયુઃકર્મની સ્થિતિ કરતાં વધારે હોય છે તેથી બધાંને સમાન સ્થિતિવાળાં કરવાં આવશ્યક છે. આ સમુદ્દાતથી થઈ શકે. જે કર્મોનો અન્ય કાળમાં અનુભવ કરવાનો હોય તેને જલદી ખપાવવાનું કામ સમુાતમાં લાગેલો જીવ કરે છે. આ કામ આઠ ક્ષણમાં થાય છે. પહેલી ચાર ‘સમયમાં જીવ પોતાને લોકમાં સર્વત્ર વિસ્તારે છે અને છેલ્લી ચારમાં તેથી વિપરીત મૂળ દશામાં આવી જાય છે. તેથી ચારેય કર્મની સ્થિતિ સમાન થઈ જાય છે અને તે ૧૪મા અયોગ-કેલિ ગુણસ્થાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. શુક્લ ધ્યાનના અનુસંધાનમાં આનું નિરૂપણ કર્યું છે.] કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય કોઈપણ કાર્ય થવાને માટે પાંચ કારણો નામે‘૧. કાલ, ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. પૂર્વકૃત અને પ. પુરુષકાર - પુરુષાર્થની જરૂર જૈન દર્શને સ્વીકારેલી છે. આને ‘સમવાય’ એટલે યત્સમવાયે વાર્યમુત્વદ્યતે જેના મળવાથી કાર્યની સિદ્ધિ થાય તે કહેવામાં આવે છે. આ પાંચે મળે તો કાર્ય ઉત્પન્ન થાય, પણ તેમાંના કોઈ એકથી, બેથી ત્રણથી કે ચારથી કાર્ય થાય એમ માનવાનું નથી એમ અનેકાંતિક જૈનો કહે છે. એમ માનનાર તે એકાંતિક છે. - હવે આપણે દૃષ્ટાંત લઈએ. (૧) કોઈ કહેશે કે આંબા પર કેરી પાકવાનું કારણ ગ્રીષ્મકાળ છે, કારણકે તે શીતળ ઋતુમાં જોઈએ તેવા આંબા પાકતા નથી માટે ઉનાળો જ આંબાનું કારણ, વરસાદ વરસવાનું કારણ ચોમાસું જ, કારણકે વરસાદ ઉનાળે આવતો નથી. આ પ્રમાણે કોઈ કાળને જ કાર્યનું કારણ માને છે, કારણકે કાળે કર્ષણ, કાળે જન્મ, કાળે મરણ, કાળે ગર્ભ વગેરે થાય છે. (૨) વર્ષાઋતુ વખતે બધી વનસ્પતિ ફાલે ફળે, પણ ‘જવાસા'નું ઝાડ કરમાઈ જાય, તેનું કારણ તેનો સ્વભાવ જ એવો છે કે ચોમાસામાં તે ફૂલેફાલે નિહ. લીંબડો વાવતાં આંબો પાકતો નથી કારણકે લીંબડાનો સ્વભાવ જ એવો છે. મગ બાફતાં કેટલાક મગ ‘કોરડું’ હોવાને લીધે કોરા ને કોરા રહે છે તે તેના સ્વભાવને લઈને; સાકર પાણીમાં ઓગળી જાય છે, મીઠું પાણીમાં નાંખતાં ઓગળી જાય છે, પણ કાળમીંઢ પથ્થર ગળતો ઓગળતો નથી વગેરે જુદીજુદી વસ્તુઓના સ્વભાવે લઈને તે તે કાર્ય થાય છે, તેથી કેટલાક સ્વભાવને જ કાર્યનું કારણ માની સ્વભાવવાદી હોય છે. कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं ૧૮૯ - न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥ કંટકોની તીક્ષ્ણતા, મૃગ-પક્ષી આદિનો વિચિત્રભાવ એ બધું કોણ કરે છે ? કોઈ १. कालोसहाव नियई पुव्वकयं पुरिसकरिण पंच । समवाए सम्मत्ते एगंते होइ मिच्छ ते ॥ કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષકાર એ પાંચ સમવાયનો સ્વીકાર કરેલ છે, (તેમાંથી ફક્ત કોઈપણ એકનો જ એટલે) એકાંતનો – અમુક જ નિશ્ચયે છે એવો સ્વીકાર કરવો તે મિથ્યાત્વ છે. – સિદ્ધસેન દિવાકરકૃત ‘સમ્મતિતર્ક.’ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નહીં. માત્ર તે-તે વસ્તુના સ્વભાવથી જ તે બધું એમ થાય છે એટલે ઇચ્છાનુસાર કાંઈ થવાનું નથી, બધું સ્વભાવાધીન છે. તો પ્રયત્ન મિથ્યા છે. – આવું સ્વભાવવાદનું સ્વરૂપ છે. (૩) એક એવી વાત છે કે એક પક્ષીનું યુગલ ઝાડ પર બેઠું હતું તેને મારવા માટે શિકારી બાણ તાકી ઊભો હતો, તેવામાં બાજ પક્ષી પણ તે યુગલને પકડી મારી નાંખવા માટે તે ઝાડ પર ટાંપીને ઊડતો હતો – આમ કોઈ રીતે તે પક્ષીયુગલને બચવાના ઉપાય ન હતો, પણ યોગાનુયોગ, નિયત ભાવી, થવાકાળ કે એક ઝેરી સાપે તે શિકારીને ડંખ માર્યો. તે નીચે પડ્યો ને બાણ હાથમાંથી છટક્યું તે જઈને બાજ પક્ષીને લાગ્યું. બાજ પક્ષી મરણ પામી નીચે પડયો ને પક્ષી-યુગલ બચી ગયું ઃ આનું નામ નિયતિ, ભવિતવ્યતા, ભાવી; અને તેથી કેટલાક એકાંતે નિયતિવાદી હોય છે. (૪) અયોગ્ય વર્તનથી રોગનો ઉદ્ભવ થતાં તે દૂર કરવા માટે વૈદ્ય, દવા, સારવાર વગેરે બધી સામગ્રી છતાં રોગ ન જાય. તો તે પૂર્વકર્મનું, પ્રારબ્ધનું કાર્ય લાગે છે. આમ કેટલાક પૂર્વકર્મવાદી હોય છે. (૫) કોઈએ પોતે જે કંઈ ધન મેળવ્યું હોય, માન મેળવ્યું હોય તે પોતાના શ્રમથી – પુરુષાર્થથી મેળવ્યું છે એમ માને છે, કારણકે પુરુષાર્થ પરમ આવશ્યક કારણ છે. આમ પુરુષાર્થવાદી એકાંત હોય છે. આવી રીતે પાંચે જણ જુદાજુદા કારણ ઉપર અવલંબન રાખી કાર્યની સિદ્ધિ માટે તે તે પરમ આવશ્યક છે એમ જુદીજુદી રીતે માને છે, જ્યારે જૈન તત્ત્વજ્ઞાનીઓ કાર્યની ઉત્પત્તિમાં તે પાંચ કારણ સમુદાયે આવશ્યક છે અને તેમાં એકપણ જો ઓછું હોય તો કોઈ કાર્ય થઈ શકતું નથી એમ સ્વીકારે છે. ઉપરનાં દષ્ટાંતોનું જરા સમાધાન કરીએ. (૧) આંબો ગ્રીષ્મઋતુમાં પાકે છે એ ખરી વાત છે, પણ તેનું કારણ ગ્રીષ્મઋતુ જ છે એ બંધબેસતી વાત નથી. આંબામાં આંબાપણું (સ્વભાવ) ન હોત તો આંબો પાકત ? બીજ દગ્ધ થયું હોત એટલે બીજનું બીજાપણું ન હોત તો આંબો પાકત ? નહિ જ. તો કાળની સાથે સ્વભાવ મળ્યો. હવે આંબા પાકવામાં તથાવિધ સામગ્રી જોગવાઈ (નિયતિ) જેવી કે તથાવિધ જલસિંચન, ઋતુની અનુકૂળતા, ભૂમિની અનુકૂલતા આદિ હોવી જોઈએ. આંબો એકેંદ્રિય સ્થાવર વનસ્પતિકાય જીવ છે. પૂર્વે એવું કર્મ ઉપામ્યું છે કે આંબારૂપે એણે – એ જીવે ભૂલદેહ ધારણ કર્યો. એ (પૂર્વકમ) ન હોત તો આંબા રૂપે જન્મત જ નહિ. જીવે જે પૂર્વે પ્રારંભેલું હોય – પ્રારબ્ધ હોય – તે તેને ઉદય આવી જુદાજુદા વિપાકનું (ફલનું કારણ થાય છે. વળી આ ચારે હોવા છતાં તે આંબાએ – સ્થાવર એકેંદ્રિય સ્થૂલ જીવે પાણી વગેરેની જે જોગવાઈ હતી તે ગ્રહણ કરવામાં અવ્યક્ત (પુરુષાર્થ) ન કર્યો હોત તો તે કદી મિષ્ટ ફળ આપી ન શકત. આ પ્રમાણે પાંચે કારણ મળવાથી આંબા પાકવાનું કાર્ય સિદ્ધ થયું. (૨) ઉપર પ્રમાણે સમજી લેવું. (૩) પક્ષીનું યુગલ બચી ગયું તેમાં યથાયોગ્ય' – અવશ્યભાવ એ કારણ ખરું, પણ કાળના પરિપાક વગર, તેના પૂર્વકર્મ વગર, સ્વભાવ ને પુરુષાર્થ વગર તે બને નહિ. વગેરે વગેરે. જેમ સ્ત્રી બાળકને જન્મ આપે છે તેમાં પ્રથમ કાલની અપેક્ષા છે, કારણકે કાલ વિના ગર્ભધારણ થતું નથી. બીજું કારણ સ્વભાવ છે. જો તેમાં બાળક ઉત્પન્ન હોવાનો સ્વભાવ હોય તો બાળક ઉત્પન્ન થાય, નહિ તો નહિ. વંધ્યામાં એ સ્વભાવ નથી. ત્રીજું કારણ અવશ્યભાવ (નિયતિ) છે. જો પુત્ર ઉત્પન્ન હોવાવાળો હોય તો ઉત્પન્ન થશે. Page #212 -------------------------------------------------------------------------- ________________ કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય ૧૯૧ પુરુષાર્થની પણ જરૂર છે કારણકે કુમારી કન્યાને સંબંધ વગર પુત્ર થઈ શકતો નથી. આ બધું ખરું પણ તેની સાથે ભાગ્યમાં (કમ) હોય તો થાય, નહિ તો સર્વ કારણ નિષ્ફળ જાય. કેવલ ભાગ્ય પર જ આધાર રાખી બેસી રહેવાથી કાર્ય થઈ શકતું નથી. જેમ તલમાં તેલ છે તે ઉદ્યમ વગર કાઢી શકાતું નથી. જો ઉદ્યમને જ ફલદાયક માનવામાં આવે તો ઊંદર ઉદ્યમ કરતો સર્પના મુખમાં આવી પડે તો તે ઉદ્યમ નિષ્કલ. જાય છે. ભાગ્ય ને ઉધમ (પ્રારબ્ધ ને પુરુષાર્થ) બંનેથી જ કાર્ય થવાનું માનવામાં આવે તો તે પણ યોગ્ય નથી, કારણકે ખેડૂત સમયનગર સત્તાવાનું બીજને ઉદ્યોગપૂર્વક વાવે તો પણ કાલ વગર – તેની ઋતુ વગર તે ફલીભૂત થતું નથી. જો આ ત્રણેને જ કાર્યનાં કારણ માનવામાં આવે તો કોરડું મગ વાવવાથી કાલ, ભાગ્ય, પુરુષાર્થ હોવા છતાં ઊગવાનો સ્વભાવ ન હોવાથી ઊગતા નથી. જો પૂર્વોક્ત ત્રણમાં ચોથો સ્વભાવ પણ મળી જાય તો પણ જો બધી સામગ્રી અનુકૂળ ન હોય તો બીજ ઊગતું નથી. જેમકે ખેડૂતે યોગ્ય સમયમાં બીજને વાવ્યું, તે બીજમાં સત્તા પણ છે, અને અંકુર પણ તેના ફૂટ્યા, પણ જો અનુકૂલ પવન આદિ જોગવાઈ ન મળી અને તોફાન આદિ ઉપદ્રવ થયો તો તે પૂરો ઊગે તે પહેલાં નાશ પામશે. આમ પાંચ કારણો વગર કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. યદચ્છા એટલે અકસ્માતુ – અનિયમથી જે કાંઈ થવાપણું તે – તેવી યદચ્છાથી કોઈપણ કાર્ય કોઈ કાલે અને કોઈ સ્થલે થતું નથી. તે જ પ્રમાણે જીવ અને પુદ્ગલ (કમ)ના સંબંધ જીવનો તેવો સ્વભાવ છે તેથી થાય છે. આથી અનંત પુદ્ગલપરાવર્તમાં ભમવાનું થાય છે તે સ્વભાવ વગર થતું નથી. કોઈ એમ કહે કે સ્વભાવવાદ સ્વીકારવાથી કાલાદિ કારણોનો નિષેધ થશે તો તેને કહેવાનું કે કાલાદિ સર્વત્ર વ્યાપક હોવાથી તે ઈષ્ટ છે એટલું જ નહિ પણ યુક્તિપુર:સર છે, અને સ્વભાવને ઉપકારક છે. આત્મપરિણામથી કર્મનો બંધ થાય છે અને તેનાં દુઃખ સુખ કાલાનુસાર અનુભવાય છે, પરંતુ તે પણ તે તે વસ્તુના સ્વભાવ વિના બનતું નથી. માટે સ્વભાવ મુખ્ય છે અને કાલ ઉપકારક, ગૌણ છે, તેથી કાલાદિ કંઈ કરતા નથી તેથી તેને વૃથા કહેવા એ યોગ્ય નથી. પણ તે સ્વભાવને ઉપયોગી છે, તે નિરુપયોગી નથી. માટી જેમ ઘટનું પરિણામી – ઉપાદાન કારણ છે અને ચકદંડ કુબાલાદિ સહકારી (નિમિત્ત) કારણ છે તે પ્રમાણે કાલાદિ સહકારી કારણ છે અને સ્વભાવ પરિણામી કારણ છે. આ સામાન્ય દષ્ટાંતો લઈને જણાવ્યું કે પાંચ કારણોથી કાર્યસિદ્ધિ છે; તેમ મોક્ષરૂપી ફલની સિદ્ધિમાં (સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિમાં) વગેરે દરેક વ્યાવહારિક કે પારમાર્થિક કાર્યની સિદ્ધિમાં પણ ઉપરોક્ત પાંચ કારણો આવશ્યક છે. દાખલા તરીકે મોક્ષપ્રાપ્તિ કાર્ય લઈએ અને તેમાં તે પાંચ કારણો ઘટાવીએ. શ્રી મહાવીર પ્રભુ મોક્ષે ગયા. ક્યારે ? (૧) “કાળલબ્ધિ થઈ ત્યારે – કાળ પરિપાક થયો ત્યારે. કોઈ એમ પૂછે કે તથાવિધ કાળ અનંત ભૂતકાળમાં એમને નહિ મળ્યો હોય ? ઉત્તરમાં તેમને તો શું પણ આપણને પણ અનંતીવાર મળ્યો હશે પણ બીજાં કારણોની ઉત્પત્તિ નહિ થઈ હોય. હાલના અક્ષરવાળાં અંગ્રેજી ગોળ તાળાં આવે છે તેમાં એક સીલીંડર ઉપર ફરતાં ત્રણ, ચાર, કે પાંચ એમ એકબીજાને અડોઅડ ચક્કર ગોઠવેલ હોય છે અને તે પર જુદા જુદા અક્ષર પાડેલા હોય છે. આમાંના અમુક Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સાંકેતિક અક્ષરો જ્યારે બરાબર સીધી લીટીમાં આવે ત્યારે તે તાળું ખોલી શકાય છે કે બીડી શકાય છે. ધારો કે ‘શ્રીમહાવીર’ એ પાંચ અક્ષરો સીધી લીટીમાં મૂકતાં તાળું ખોલી શકાય છે કે બીડી શકાય છે એવી ગોઠવણ છે. તો જોકે પ્રથમનો ‘શ્રી’ આંકા પાડેલ સીધી લીટીમાં અનેક વખત આવે, પણ ‘મહાવીર’ એ ચારે અક્ષરો જો તે ‘શ્રી’ની સાથે એકી વખતે એક સમાન લીટીમાં ન આવે ત્યાં સુધી તે તાળું ઊઘડી ન શકે કે બિડાય નહિ. તેવી જ રીતે એક, બે, ત્રણ કે ચાર કારણો ભેગાં થયાં હોય પણ પાંચે જ્યાં સુધી ભેગાં ન થાય ત્યાં સુધી કાર્યસિદ્ધિ ન થાય. શ્રીમન્ મહાવી૨ને અનેક વખત નિર્વાણયોગ કાલ પ્રાપ્ત થયો હશે. (૨) તેઓ ભવ્ય હતા, અર્થાત્ તેઓનો સ્વભાવ ભવ્યત્વ (મોક્ષ પામવા યોગ્ય) હતો; ભવ્યને જ નિર્વાણ પ્રાપ્ત થાય એવું આપણે અગાઉ જોઈ ગયા છીએ (જુઓ ‘જીવની ઉત્ક્રાંતિ’માં ત્રણ કરણનું નિરૂપણ કરતી વખતે ‘તથાભવ્યતા’ સંબંધે વિવેચન). આમ ભવ્યત્વ અનાદિકાળનું હતું, પણ (૩) તથારૂપ જોગવાઈ (નિયતિ) એટલે સદ્ગુરુ, સદૈવ, સદ્ધર્મની પ્રાપ્તિ જ્યારે થઈ ત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તેઓએ મોક્ષનું નિયત કારણ ઉપાર્જ્યું. (૪) પૂર્વકર્મ પણ પ્રારબ્ધ પણ, મોક્ષપ્રાપ્તિ પ્રથમનું પૂર્વકૃત પણ ‘તીર્થંકર નામકર્મ'રૂપ હતું અર્થાત્ પૂર્વે અપૂર્વ ભાવધ્યાનાદિ પરિણામે મોક્ષ આપે એવું પ્રારબ્ધ સંચ્યું હતું – એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ્યું હતું. જ્યાં સુધી પૂર્વનું પ્રતિકૂળ પ્રારબ્ધ હતું ત્યાં સુધી તે મોક્ષ ન પામ્યા. અને પ્રતિકૂળ પ્રારબ્ધ સતે (૫) પ્રબળ પુરુષાર્થથી, ઉપશમબળથી, વૈરાગ્યથી, શાંતિથી, ઉપસર્ગ પરિષહ સમભાવે વેદ્યા ત્યારે જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મની નિર્જરા કરી પરમસિદ્ધિ મેળવી. ૧૯૨ - ૧. વેદાંતમાં એક દૃષ્ટાંત છે. વેદાંતમાં ચોરાશી લાખ ભવફેરા કલ્પ્યા છે, તેમાં એમ કહ્યું છે કે ચોરાશી લાખ ફેરા ફરતાં વચ્ચમાં ભીંતમાં એક સૂક્ષ્મ દ્વાર આવે છે ત્યાં જે સ્પર્શે તે તરી જાય છે, તેને મોક્ષ મળે છે. હવે જોવાનું છે કે એ સ્પર્શ થવો કેટલો બધો મુશ્કેલ છે ? પ્રબળ સાધ્ય દૃષ્ટિ હોય તો જ એ સ્પર્શ થાય. જીવ જાણે કે ઓચિંતો મળી જાય તો ઠીક છે. કોણ જાણે ક્યા ભવે ક્યારે એ દ્વારનો સ્પર્શ થાય ? માટે આંખો મીંચી ખાઓ, પીઓ, મજા કરો. આમ કર્યે કદીપણ એ દ્વારનો સ્પર્શ ન થાય. દ્વાર આવે ત્યાં તો મોહના પાટા આંખ પર આડા આવી ગયા હોય. આમ અનંતીવાર ચોરાશી લાખ યોનિ ભમવું પડે જ. માટે સર્વે મનુષ્યે જાગ્રત અવસ્થા રાખવી યોગ્ય છે. તેમ પુરુષાર્થપૂર્વક સાધ્ય દૃષ્ટિથી કાળપિરપાકની રાહ જોવી ઘટે છે. પુરુષાર્થ હશે, જાગ્રત દશા હશે તો કાળલબ્ધિ આદિ પાંચે કારણો સહજ ભેગાં થઈ જ જશે. જૈન અધ્યાત્મરસિક આનંદઘનજી નામના મહાત્મા કહે છે કે ઃ કાળલબ્ધિ લઈ પંથ નિહાળશે રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મતિ અંબ. 1 અહીં સાથે સાથે કહેવાનું કે જેમ વેદાંતમાં ૮૪ લાખ ભવફેરા માનેલ છે. તેમ જૈનમાં પણ ૮૪ લાખ જીવયોનિ માનેલી છે તે આ રીતે ઃ ૭ લાખ પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, નિત્ય નિગોદ, સાધારણ નિગોદ દરેકની તથા ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિની મળી એકેન્દ્રિય જીવની ૫૨ લાખ, તેમાં બે લાખ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ દરેકની થઈ વિક્સેદ્રિયની ૬ લાખ, ૧૪ લાખ મનુષ્ય, ૪ લાખ નરક, ૪ લાખ દેવ, અને ૪ લાખ પંચેદ્રિય તિર્યંચની એમ પંચેંદ્રિયની ૨૬ લાખ આ રીતે ૫૨+૬+૨૬=૮૪ લાખ જીવયોનિ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય ૧૯૩ આ પ્રમાણે જૈનદર્શન પાંચ કારણ સિવાય અન્ય કોઈપણ કારણ અમુક કાર્યની નિષ્પત્તિ માટે સ્વીકાર કરતું નથી. ઈશ્વર કોઈનો જગતુ આદિનો કર્તા નથી, કર્મોની ઉત્પત્તિ તથા તેના નાશમાં ઈશ્વરનું કાંઈપણ કારણપણું નથી. ઈશ્વર તો અકર્તા છે. ઉક્ત પાંચ કારણોને લઈને જ પુણ્યપાપજન્ય સ્વર્ગનરકને વિશે જીવ ગમનાગમન કરે છે, ચતુર્ગતિરૂપ ભવપરંપરા પામે છે અને પોતાનાં ઉપાર્જેલાં શુભાશુભ કર્મ ભોગવે છે. સ્વભાવ એ પરિણામી – ઉપાદાન કારણ છે, અને કાલાદિ સર્વકારણ સહકારી કારણ છે – અપેક્ષા કારણ છે. દ્રવ્યમાં જે અનાદિ દ્રવ્યત્વશક્તિ છે, તે જ સર્વ પદાર્થોને ઉત્પન્ન કરે છે, તેમજ લય કરે છે. તે શક્તિ ચૈતન્ય અચૈતન્યાદિ અનંત સ્વભાવવાળી છે. તેને ઈશ્વર, જગત્કર્તા માનવાથી જૈન દર્શનને કાંઈ હાનિ થતી નથી. ઈશ્વરનું કર્તાપણું – સૃષ્ટિકર્તુત્વવાદ જગદાદિરૂપ કાર્યની ઉત્પત્તિમાં અવાંતર પ્રલય માનનારા નૈયાયિકો ત્રણ કારણ માને છે : (૧) સમવાયી કારણ જેવાં કે પરમાણુ, (૨) અસમવાયી જેવાં કે કવણુકાદિ સંયોગ (૩) નિમિત્તકારણ ઈશ્વર, અદષ્ટ અને કાલાદિ. આમાં પર્યાયાર્થિક નયની અપેક્ષાથી પૂર્વોક્ત પરમાણુ, હયણુકાદિ સંયોગ, કાલ, અદષ્ટ એ કારણો માનવામાં જૈન દર્શનને વિવાદ નથી, પરંતુ ઈશ્વરને નિમિત્તકારણ માનતું નથી કારણકે કૃતકૃત્ય એવા ઈશ્વરને દુનિયા બનાવવાના ફંદમાં નાંખવા ઉચિત નથી. | વેદાંત જેને “બ્રહ્માંડ કહે છે, અન્ય જેને “સૃષ્ટિ' કહે છે, તેને જૈન ‘લોક' કહે છે. લોકનું લક્ષણ એ છે કે, નોવીને નીવાદો સ્મિન સ નો:' - જેમાં (જેટલા આકાશમાં) જીવાદિક છે દ્રવ્ય જોવામાં આવે છે તેને “લોક કહેવામાં આવે છે. છયે દ્રવ્યનું નિવાસક્ષેત્ર લોક છે. જ્યાં સુધી જીવ કર્મના સંબંધથી બદ્ધ છે ત્યાં સુધી તે સંસારી છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, અને તે કર્મનો નાશ કરી સંસારથી છૂટી લોકાગ્રે વિરાજમાન થઈ સમસ્ત દુઃખવર્જિત અનંત અને અવિનાશી સુખનો ભોક્તા બને છે તેને “મુક્ત' જીવ કહેવામાં આવે છે. આ મુક્ત જીવને જૈન ઈશ્વર કહે છે. મુક્ત જીવથી ભિત્ર કોઈ ઈશ્વર નથી અને લોક અનાદિનિધન છે. છ દ્રવ્યના સમૂહને લોક એવી સંજ્ઞા આપેલ છે. તે દ્રવ્યને બનાવવાની અથવા દ્રવ્યોના સમૂહરૂપ કરનારની શું જરૂર છે ? કોઈ કહે કે છે તો પહેલાં હતી કે નહિ ? પહેલાં હતી તો પછી તેના બનાવવાની શું જરૂર હતી ? જો નહિ હતી તો તે દ્રવ્ય ઈશ્વરે ઉપાદાન કારણ વગર કેવી રીતે બનાવી ? કોઈ કહે કે ઈશ્વર પોતે જ ઉપાદાન કારણ છે તો ઉપાદાન કારણના ગુણ કાર્યમાં આવવા જ જોઈએ, તો તે પ્રમાણે ઈશ્વરનાં સર્વજ્ઞત્વ, સર્વશક્તિત્વ આદિ ગુણ આ દ્રવ્યોમાં આવવાં જોઈતાં હતાં, પરંતુ તે તો જણાતાં નથી. આથી ઈશ્વર દ્રવ્યોનું ઉપાદાન કારણ કદાપિ નથી. કોઈ કહે કે ઈશ્વર નિમિત્તકારણ છે, અને જગતુ એટલે સર્વ પ્રાણીમાત્ર, જડ વગેરે ઈશ્વરનાં કાર્ય છે – પિતા જેમ પુત્રની ઉત્પત્તિ કરે છે તેમ ઈશ્વર સર્વ પ્રાણી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો માત્રની ઉત્પત્તિ કરે છે. આને માટે જૈન એમ કહે છે કે ત્યારે ઈશ્વર પિતારૂપ અને સર્વ પદાર્થો પુત્રરૂપ માનવા જોઈએ. પુત્રની ઉપર પિતાનો પ્યાર હોય એ સ્વાભાવિક સિદ્ધ છે. તેમ ઈશ્વરનો પણ સર્વની ઉપર પ્યાર હોવો જોઈએ. જો એમ હોય તો સર્વ પ્રાણી માત્ર સુખી હોવા જોઈએ. તેમ તો દીઠામાં આવતું નથી. કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ પાપી, કોઈ પુણ્યવાનું, કોઈ નરકગામી તથા કોઈ સ્વર્ગગામી વગેરે સર્વ જીવોની જુદીજુદી વિપરીત અવસ્થા જોવામાં આવે છે. આ સાથે વળી કોઈ કહે છે કે બ્રહ્મને - ઈશ્વરને ઈચ્છા થઈ કે પોડહં વહુચમ્ (વેદવચન) હું એક છું તે બહુ થાઉં – અને તે પ્રમાણે ઈશ્વરે જગત્ રચ્યું. આના ઉત્તરમાં જૈન એમ કહે છે કે શું પૂર્વાવસ્થા સારી નહોતી કે બીજી અવસ્થામાં આવવાની ઈચ્છા થઈ ? જો તે સારી અને સુખરૂપ હતી તો શું કુતૂહલ ઊપજ્યુ ? તો પૂર્વની સુખરૂપ હોવા પછી બીજી તેના કરતાં વધારે સારી – સુખરૂપ અવસ્થા હોય તો કુતૂહલ કરવાનું મન થાય, પણ બ્રહ્મને તેમ હોવું અશક્ય છે. આ સંબંધે અતિથિવિશાલ વાદ – ચર્ચા છે.' અવતારવાદ - ઉક્ત પાંચ કારણોમાંનું પૂર્વકર્મ ઈશ્વરને રહ્યું જ નથી. તે સિદ્ધ અવસ્થા સર્વકર્મનો ક્ષય કરીને જ પામે છે, એટલે પછી તેને જેનાથી જન્મ, મરણ થાય છે, તે (કર્મ) ન હોવાથી પુનઃજન્મ – અવતારગ્રહણ કરવો પડતો નથી, સહેજે થઈ શકતો નથી. બીજા દગ્ધ થયા પછી તેમાંથી અંકુરનો પ્રાદુર્ભાવ થતો નથી, તે જ રીતે કર્મબીજ દગ્ધ થયે ભવરૂપી અંકુર ઉદય પામતો નથી. તેમ ઈશ્વરને કોઈ શત્રુભાવ હોતો જ નથી એટલે પછી દાનવીરૂપી શત્રુને મારવા ને દેવતા રૂપી મિત્રને બચાવવા જન્મ લેવાનો સંભવ હોતો જ નથી. આ જ પ્રમાણે ગીતાનું વચન યા યા દિ ધર્મસ્ય જ્ઞાનર્મવતિ ભારત | પુન: સંથાપનાથય સંમવાર યુગો યુકેમાં રહેલ મુક્ત જીવનો તે આશયપૂર્વક પુનરાવતાર તેમજ પરાર્થ માટે અવલોકિતેશ્વર અને મૈત્રેય આદિ બુદ્ધનો ફરી અવતાર (કેટલાક બૌદ્ધો માને છે તે) જૈનો સ્વીકારતા નથી, કારણ કે જે મુક્ત થઈ ભવમાં પડે, નિર્વાણને પણ અનિષ્ટ જાણી દૂર કરીને ફરીથી ભવમાં પડે એવો મોહ સિદ્ધમાં આરોપણ કરવા જેટલી કલ્પના પણ જૈનોને માન્ય નથી. તેવી જ રીતે વેદાંત, સાંખ્ય, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધોના અમુક અને મોટો ભાગ મુક્તનું પુનરાવર્તન સ્વીકારતા નથી. ૧. જેમને સૃષ્ટિ કર્તૃત્વમીમાંસા સંબંધે જેનદર્શનનું શું વક્તવ્ય છે તે વિસ્તારથી જાણવાની ઈચ્છા હોય તેને સંમતિતર્ક પડ્રદર્શન સમુચ્ચય ભાષાંતર પૃ. ૧૦૩-૧૨૧, સૃષ્ટિકતૃત્વમીમાંસા – પં. ગોપાલદાસજી બયા લિખિત, જગત્કતૃત્વમીમાંસા, વગેરે ગ્રંથો જોવા-વિચારવાની વિનતિ નૈયાયિક અને વૈશેષિક જગકર્તા તરીકે ઈશ્વરને માને છે. વેદાંતમાં તેના સિદ્ધાંતમાં નથી – વ્યવહારમાં છે, બાકી અન્ય – સાંખ્ય, અને બૌદ્ધ જગકર્તા તરીકે ઈશ્વરને માનતા નથી. [“વેદાંત' શબ્દ, અહીં ‘શાંકરવેદાંતના અર્થમાં પ્રયોજ્યો છે. બીજા વેદાંત-સંપ્રદાય ઈશ્વરનું કર્તૃત્વ સ્વીકારે છે.] Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૧૯૫ જૈન યોગમાર્ગ આત્માના ત્રણ પ્રકાર સર્વ જીવને વ્યક્ત કે અવ્યક્ત રીતે સુખ મેળવવાની ઈચ્છા રહે છે. આ સુખની કલ્પના જેવા પ્રકારનો જીવ પોતે હોય છે તે પ્રકારે કરે છે. પશુ આદિ તિર્યંચોની સુખ સંબંધે કલ્પના પૂલ હોય છે. મનુષ્યજીવમાં પણ સુખનો ખ્યાલ વિવિધ પ્રકારનો હોય છે. કેટલાક ઈદ્રિયના ભોગોમાં, કોઈ ધન, ઐશ્વર્ય, કીર્તિ આદિની પ્રાપ્તિમાં સુખ માને છે. કેટલાક તેથી આગળ વધીને માત્ર બાહ્ય વસ્તુના ત્યાગમાં આનંદ માને છે અને ધન યૌવન આદિને સ્થિર માને છે. આ સર્વ બાહ્ય આત્માઓ – બહિરાત્માઓ છે. આથી આગળ વધેલા પૌગલિક (જડ) અને આત્મીય વસ્તુનો તફાવત સમજી પૌગલિકનો ત્યાગ કરનાર અને આત્મીય વસ્તુનો આદર કરનાર પ્રાણીઓ ઘણા અલ્પ હોય છે તેને અંતરાત્મા કહેવામાં આવે છે, અને તે આત્માઓ અંતરાત્મદશામાં વર્તતા - અંતરાત્મા પાસેથી વિશુદ્ધ જ્ઞાન મેળવી તદનુસાર વર્તન કરતા – આત્માને આત્મા સ્વરૂપે ઓળખી તેનો નિશ્ચય કરી આત્મપ્રગતિ વધારી પરમાત્મા બને છે. જે આત્મા તદ્દન નિર્લેપ, નિષ્કલ (શરીર રહિત), શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત (કર્મથી), નિર્વિકલ્પ હોય તેને પરમાત્મા કહેવામાં આવે છે. અંતરાત્મા અને બહિરાત્મામાં એટલો જ ભેદ છે કે બહિરાત્મા જ્યારે ચૈતન્ય સ્વરૂપ આત્માને દેહાદિ પદાર્થ – પર વસ્તુઓ સાથે જોડે છે ત્યારે અંતરાત્મા તેને સર્વ બાહ્ય પરવસ્તુઓથી જુદો – છૂટો કરે છે. અર્થાત્ ઈદ્રિય દ્વારા આત્માને જે માની લીધેલું સુખ મળે છે તે રૂપ વ્યાપાર કરનાર શરીરને બહિરાત્મા આત્મભાવે જુએ છે, અજ્ઞાનજ્વરથી પીડિત થઈ બહિરાત્મભાવમાં વર્તી પોતાથી અત્યંત ભિન્ન પુત્ર, સ્ત્રી, પશુ અને ધન આદિમાં પણ હું “મારું' એમ આત્મત્વ જુએ છે, અને ઇંદ્રિય દ્વારા આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થઈ પરભાવમાં રમણ કરી રહ્યો છે, તેથી આવા ભ્રમમાં પડી જઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે, હાલની દશાનું કારણ શું છે તે સમજતો નથી અને આત્મસંપત્તિનો નાશ કરતો અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. આ બહિરાત્મભાવ છોડી દઈને અંતરાત્મભાવમાં આવવા જીવ પ્રયાસ કરે છે ત્યારે ઈદ્રિયનો નિરોધ થતાં અંતરાત્મા બરાબર પ્રસન્ન થાય છે અને થોડો વખત જે તત્ત્વફુરણા થાય છે તે પરમાત્મભાવનું રૂપ છે. આત્મતત્ત્વનું યથાસ્થિત જ્ઞાન કરવું, મનમાંથી વિકલ્પોને તજી દવા, અને મનને આત્મતત્ત્વમાં યોજી દઈ સત્તાગત અનંત સુખસ્વરૂપ ચિદાનંદમય સાક્ષાત્ પ્રભુત્વનું સ્વમાં દર્શન કરવું એ અંતરાત્મભાવ છે અને તે સ્વરૂપે પ્રગટ કરવું એ પરમાત્મભાવ છે. જ્યાં સુધી આત્મામાં અચળ અવસ્થિતિ થતી નથી ત્યાં સુધી સંસારબંધનથી મુક્તિ મળતી નથી અને તેથી ત્યાંસુધી પરમાત્મભાવ પ્રગટ થતો નથી. આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉપાય એ છે કે આત્મતત્ત્વનું અંતરંગમાં દર્શન કરવું, બાહ્ય-પરવસ્તુ દેહગેહ વગેરેનું દર્શન કરવું અને તે બંનેના સંદેહ વગરના જ્ઞાતા થઈ આત્મનિશ્ચયથી જરા પણ ડગવું નહિ. આ સાધ્યબિંદુ – પરમાત્મભાવ કે જ્યાં સ્થાયી ખરું સુખ સંપૂર્ણપણે છે તે મેળવવા માટે અનેક માર્ગોમાં વ્યાપકપણે રહેલું અતિ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અગત્યનું સાધન યોગ છે. યોગનો અર્થ તેમાં રહેલ યુજુ=જોડવું એ ધાતુ પરથી જે સાધ્યની સાથે ચેતનને જોડે એ થાય છે. અન્ય તે જ પારિભાષિક શબ્દ નામે “યોગ' કે જેનો અર્થ (શુભ, અશુભ) કાયિક, વાચિક તથા માનસકર્મ એ થાય છે તે અર્થ અહીં લેવાનો નથી. આ યોગની અનેક ક્રિયાપ્રક્રિયા – સાધન આદિ છે તે માટે ગુરૂગમની ખાસ જરૂર છે, નહિ તો યોગમાંથી યોગાભાસમાં પતન થાય છે. યોગની વ્યાખ્યા વિચારીએ. પાતંજલ યોગદર્શનકાર ચિત્તવૃત્તિના નિરોધને અથવા ચિત્તવૃત્તિની સંસ્કારશેષ અવસ્થાને યોગ કહે છે. આની સાથે જેનની યોગ શબ્દની વ્યાખ્યા મળતી થતી નથી. સાધ્ય સાથે ચેતનનો યોગ તે જૈન અર્થ છે. જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ ‘યોગદષ્ટિસમુચ્ચય' નામના ગ્રંથમાં કહે છે કે “અયોગ એટલે શુભઅશુભ મન-વચન-કાયાના યોગનો અભાવ – તેને યોગોમાં ઉત્કૃષ્ટ યોગ કહેવામાં આવે છે અને તેનો મોક્ષની સાથે જોડવાનો ભાવ છે અને તેનું સ્વરૂપ – લક્ષણ સર્વસંન્યાસ એટલે સર્વત્યાગ છે. ચિત્તની તદ્દન નિરોધાવસ્થા અથવા શૂન્યસમાધિસ્વરૂપ જૈન દષ્ટિએ કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. આપણે “જીવની ઉત્ક્રાંતિ’ આગળ જોઈ ગયા છીએ, અને તેમાં જણાવેલ છે કે મનુષ્ય સમ્યગ્દર્શન અમુક પ્રગતિ કરી પ્રાપ્ત કરે છે. હવે તેને જરા વિસ્તારથી કહી તેથી આગળ વધનાર – વધવા ઈચ્છા રાખનાર સાધક જીવની ઉત્ક્રાંતિ જોઈએ : ઉન્નતિક્રમ બતાવવા માટે ચૌદ ગુણસ્થાનક' એ નામના વિભાગ કરવામાં આવ્યા છે. જેમ જેમ આત્મા – ચેતન ગુણસ્થાનકમાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના આત્મીય ગુણો સવિશેષપણે પ્રકટ થતા જાય છે અને છેવટે ચૌદમાં ગુણસ્થાનકના છેડે તે પહોંચે છે ત્યારે તેને તદનંતર ક્ષણે જ સાધ્ય – મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ સંબંધી વિચારણા થઈ ગઈ છે. અત્યારે તો એટલું જણાવીશું કે મિથ્યાત્વગુણસ્થાનકથી (પહેલાથી) આગળ ચાલતાં ચતુર્થ ‘અવિરતિ સમ્યગ્દષ્ટિ' નામના ગુણસ્થાનકની દશા પ્રાપ્ત થાય છે તે વખતે હવે પછી કહેવામાં આવતી ચતુર્થદષ્ટિથી આગળ વધવામાં આવે છે. પાંચમા ગુણસ્થાનકે દેશવિરતિ પ્રાપ્ત થાય છે. અને છટ્ટે સર્વવિરતિવાળી પ્રમત્ત દશા થાય છે. સાતમા ગુણસ્થાનકે અપ્રમત્તદશા થાય છે. ત્યાંથી અષ્ટમ પ્રગતિમાનું (Progressive) ગુણસ્થાનકમાં અવાય છે. એમ આગળ ચડતાં અનેક આત્મીય ગુણો પ્રગટતાં કર્મનો નાશ થતો જાય છે અને છેવટે કર્મરહિત સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમાંના પાંચમાં ગુણસ્થાનકથી આગળ પ્રગતિ કરતી વખતે બહુ સ્પષ્ટતાથી અને સપાટાબંધ ઉન્નતિ થાય છે. આ ગુણસ્થાનકનો – ઉન્નતિક્રમનો અગત્યનો વિષય યોગની આઠ દષ્ટિ સાથે થોડોથોડો વિચારીશું. યોગની આઠ દૃષ્ટિ દષ્ટિની વ્યાખ્યા શ્રદ્ધાસંગી બોધ છે. વિચારપૂર્વક શ્રદ્ધા રાખી નિર્ણય કરવો અને સત્યસ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ દષ્ટિ છે. આત્માના ઉન્નતિક્રમમાં જેટલા ભેદો ઉન્નતિસ્થાનના થઈ શકે તેટલા દૃષ્ટિના ભેદ થાય છે, પરંતુ તેના મુખ્ય આઠ વિભાગ Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૧૯૭ આઠ દૃષ્ટિ દ્વારા પાડયા છે. તે આઠ દૃષ્ટિનાં નામ ૧. મિત્રા, ૨. તારા, 3. બલા, ૪. દીપ્રા, ૫. સ્થિરા, ૬. કાંતા, ૭. પ્રભા અને ૮. પરા એ છે. આમાંની પ્રથમ દૃષ્ટિ અને તે પછીની ત્રણ દષ્ટિ મિથ્યાદષ્ટિ જીવને પણ સંભવે છે. મિથ્યાષ્ટિ જીવને એ ચાર દષ્ટિ કે જેનું સ્વરૂપ ઉન્નતિક્રમ વિશેષ સૂચવે છે તે કેમ થતી હશે એમ સહેજે શંકા થશે તો તે સ્વરૂપ દર્શાવવા માટે પ્રથમ “ઓઘદૃષ્ટિ' શું છે તે જોવું જોઈશે. ઓઘદષ્ટિ' એટલે જનસમૂહની સામાન્ય દૃષ્ટિ. વિચાર કર્યા વગર ગતાનગતિક લોકન્યાયે વડીલના ધર્મને અનુસરવું, બહુજનસંમત કે પૂજ્ય ધર્મના અનુયાયી થવું, પોતાની અક્કલનો ઉપયોગ ન કરવો એ આ દૃષ્ટિ છે. મેઘવાળી રાત્રિમાં જેમ ચંદ્રનું સ્પષ્ટ દર્શન ન થાય, પણ અલ્પ દર્શન થાય, તેમ આવરણસહિત બુદ્ધિવાળા – અવિવેકી બાળજીવોને જે સૌંદર્યનું દર્શન થાય છે તે ઓઘદષ્ટિએ સમજવું. એકાંત દષ્ટિએ અમુક વસ્તુ તરફ જોવામાં આવે ત્યાં મનમાં પ્રથમથી ધારી રાખેલું પરિણામ આવે. આ દષ્ટિથી જુદી પાડવા માટે ઉક્ત આઠ દષ્ટિને ‘યોગદષ્ટિ' એ નામ આપવામાં આવ્યું છે. અનાદિકાળથી મિથ્યાત્વભાવમાં હણાતો આ ચેતન જ્યારે ઓઘદષ્ટિ તજી દે છે ત્યારે તે ઉન્નતિક્રમમાં આગળ વધે છે. અનંત સંસારચક્રમાં ભ્રમણ કરતાં જ્યારે જીવને તેની સાધ્યસામીપ્યદશા થાય છે અને તેની ભવસ્થિતિ પરિપક્વ થાય છે ત્યારે તે ઉક્ત દષ્ટિમાંની પહેલી મિત્રાદષ્ટિ પ્રાપ્ત કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો અનંત વર્ષોનું એક પુદ્ગલાવ, એવા અનંત પુદ્ગલાવ કરી આ ચેતન ચોરાશી લક્ષ જીવયોનિમાં જીવ રખડ્યા કરે છે – એમ કરતાં કરતાં ચરમ (છેલું) પુલાવર્ત પ્રાપ્ત થાય છે એટલે તેટલી સંસારની મર્યાદા બંધાય છે ત્યારે આ પ્રથમની ચાર યોગદષ્ટિની પ્રાપ્તિ તે કરે છે. દષ્ટિની કરેલી શ્રદ્ધા સંગી બોધ' એ વ્યાખ્યામાંના સત્સંગનો યોગ અહીં પ્રથમની ચારે દૃષ્ટિમાં સારી રીતે થઈ શકે છે તેથી મિથ્યાભાવમાં વર્તતા જીવોને પણ યોગદષ્ટિવાળા જીવ કહેવામાં આવે છે. અને તેથી તે ચાર દષ્ટિનો સમાવેશ યોગદષ્ટિમાં કરવામાં આવ્યો છે. અહીં ધ્યાનમાં લેવાનું છે કે પ્રથમની આ ચાર દૃષ્ટિમાં ઉન્નતિક્રમમાં પ્રગતિ કરતાં કરતાં પતન પણ થઈ જાય છે, જ્યારે તે પછીની પાંચમી સ્થિરા દષ્ટિથી આઠમી સુધીમાં મોક્ષ તરફ કરેલ પ્રયાણ અટકતું નથી ને પ્રગતિ જ થયા કરે છે. પ્રથમ ચાર દષ્ટિ સુધી મિથ્યાત્વ ગુણસ્થાનક છે. ૧. મિત્રાદેષ્ટિ – આમાં યોગનું પ્રથમ અંગ “યમ' - નામે અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવિરમણ અને અપિરગ્રહ એ સુપ્રસિદ્ધ પાંચ યમ – પ્રાપ્ત થાય છે. આમાં બોધ તૃણના અગ્નિ જેવો – વીજળીના ચમકારા જેવો અલ્પબોધ થાય છે. આ દષ્ટિનું લક્ષણ ‘અખેદ – શુભકાર્ય કરતાં જરા પણ કંટાળો ન આવવો તે છે. તે અન્ય અશુભ કાર્યો કરનાર પ્રત્યે “અદ્વેષની હદ સુધી જાય છે. તે પ્રત્યે તેની કરુણા આવે છે – પરમસહિષ્ણુતા (Tolerance) આવે છે એટલે બીજાને ખોટે રસ્તે દોરતો કે દોરવતો જોઈને તે બંનેના પર દયા આવે છે અને તેઓના ઉદ્ધારના બોધ દ્વારા એ રસ્તો લે છે; છતાં જો તે બોધ દેતાં પણ શુભ માર્ગ તે અંગીકાર ન કરે અને ૧. પાતંજલયોગસૂત્ર દ્વિતીય પાદ, સૂત્ર ૩૦. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કુતર્કજાલમાં ફસાઈ રહે તો તેઓની ઉપર દ્વેષ ન કરતો કર્મપરિણતિ વિચારી મધ્યસ્થતા ધારણ કરે છે. આ દષ્ટિમાં યોગબીજની વાવણી થાય છે, સંસાર તરફ સ્વાભાવિક રીતે જ ઉદ્વેગ આવે છે, સિદ્ધાંત – ધર્મનીતિમય પુસ્તકો વગેરે લખાવવાં, વાંચવાં, મનન કરવાં વગેરે જ્ઞાનપ્રાપ્તિ તરફ આકર્ષણ થાય છે અને તે પ્રત્યે પ્રયત્ન કરે છે. ત્રણ પ્રકારના અવંચક ભાવ આ દષ્ટિમાં થાય છે. આ દષ્ટિમાં આવી સ્થિતિ થાય છે કારણ કે આ દશાએ પ્રાણીના કર્મમલ – ભાવમલ અલ્પ થયાં હોય છે. અહીં કોઈ શંકા કરશે કે આ મિથ્યાત્વગુણસ્થાનકમાં – હજી પહેલી દષ્ટિમાં આવી ઉચ્ચ સ્થિતિ થાય છે તો પછી મિથ્યાત્વ ગયા પછીની ચતુર્થ પંચમ આદિ ગુણસ્થાનકની શી વાત કરવી ? કારણકે ત્યાં ચડવા માટે તો અતુલ વીર્ય વાપરવાની જરૂર રહે. જવાબ એ જ કે આ વસ્તુસ્થિતિ છે. સાધારણ બાહ્ય ક્રિયામાત્ર કરવાથી પોતાની જાતને ઉન્નત થયેલી માનનાર ઘણુંખરું આત્મવંચના કરે છે - આત્માને ઠગે છે. માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ જેવી ઊંચ સ્થિતિ માની લેવી એ મોટી ભૂલ છે. જે પછીની દષ્ટિનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ જણાય તેમ છે કે સમ્યકત્વ જેવી મહાવિમળા દશાએ પહોંચવા માટે ઘણાંઘણાં સાધનો એકઠાં કરવાની જરૂર છે. વળી મિત્રાદષ્ટિમાં વર્તતા જીવોને બીજકથા સાંભળીને ઉપરમ – મનમાં બહુ આનંદ આવી જાય છે, અને અહીં શ્રદ્ધાનો સંગમ થાય છે. ૨. તારાદેષ્ટિ – આમાં યોગનું દ્વિતીય અંગ નામે નિયમ” પ્રાપ્ત થાય છે કે જે પાંચ છે : શૌચ (શરીર ને મનની શુદ્ધિ), સંતોષ (પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો સિવાય અન્યની અસ્પૃહા), તપ (ક્ષધાપિપાસાદિ પરીષહ સાથે દેહદમન), સ્વાધ્યાય (સૂત્રગ્રંથ વગેરેનું અધ્યયન) અને ઈશ્વરપ્રણિધાન (આત્મતત્ત્વનું ચિંતવન કરવું). અહીં બોધ છાણાંના અગ્નિ જેવો છે. આ દષ્ટિનું લક્ષણ ‘તત્ત્વજિજ્ઞાસા (તત્ત્વજ્ઞાન કરવાને માટે લાલસા) છે. આ દૃષ્ટિમાં વર્તતા જીવને યોગકથા પર બહુ પ્રેમ આવે છે. તે યોગીઓ પ્રત્યે યથાશક્તિ અન્નદાનાદિ વડે ઉપચાર કરે છે, ઉચિત ક્રિયા કરવામાં કદી પાછું જોતા નથી. જયારે અનુચિત ક્રિયા કરતા નથી, પોતાના આચારની હીનતા પ્રત્યે મહાત્રાસ છૂટે છે, પોતાની પ્રજ્ઞાની કલ્પનામાં અવિસંવાદ (અવિપરીતભાવ) જોવાને લીધે તેમાં વિવિધ પ્રકારની મુમુક્ષુની પ્રવૃત્તિઓ થાય છે, પોતે જાણવાને અશક્ત હોવા લીધે જે શિષ્ટ પુરુષો છે તેના આચાર પ્રમાણે પોતે વર્તે છે. કારણ કે તેઓ એમ માને છે કે અમારી બુદ્ધિ મોટી નથી તેમ શાસ્ત્ર અનેક છે ને તેનો સંગ્રહ કર્યો નથી તેથી શિષ્ટ પુરુષો જ પ્રમાણરૂપ છે. આમાં સમ્યગ્દર્શનનો મનાકુ – જરા સ્પર્શ થાય છે. ૩. બલાદેષ્ટિ – આમાં દઢ દર્શન રહેલું છે. જીવને રહેલી અનેક પ્રકારની તૃષ્ણાથી તે અનેક દુ:ખ પામે છે. આમાં તેવી તૃષ્ણા નિવૃત્ત થઈ જવાથી પ્રકૃતિસૌમ્યતા એવી આવે છે કે યોગનું ત્રીજું અંગ “આસન' પ્રાપ્ત થાય છે. અહીં શુશ્રુષા’ (શ્રવણની ઈચ્છા) એવી પ્રબળ થાય છે કે જેવી બહુ સુંદર યુવા" ની સાથે પરિપૂર્ણ ૧. (૧) યોગાવંચકભાવ -- સત્પરષોનો યોગ – અંક તે (૨) કિયા ચકભાવ – સત્પરષોનો નમસ્કાર, તેમની પૂજાવિધિ વગેરે (૩) ફલવં કમાવ – સાપોથી ધર્મસિદ્ધિ. ૨. પાતંજલદ્યોગ સૂત્ર ૨, ૩ર Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૧૯૯ સામગ્રીવાળો સુખી પ્રાણી દિવ્યગાન સાંભળવાની ઈચ્છા રાખે અને તેના શ્રવણથી તેને જેમ જેમ મજા પડે તેમ આ દષ્ટિમાંના જીવને તત્ત્વશ્રવણેચ્છાથી તેમ કરતાં આનંદ આવે છે. આમાં બોધ કાષ્ઠના અગ્નિના કણ જેવો છે. #પદોષ (અન્યના ચમત્કાર દેખી લલચાઈ જવારૂપ) તે નાશ પામે છે, અને તેથી યોગમાં રહેલ અક્ષેપ - અપ્રતિબંધથી ચિત્તની સ્થિરતા થાય છે અને યોગસાધનના ઉપાય મેળવવાની કુશળતા થાય છે. અહીં પ્રથમની બે દષ્ટિ કરતાં વધુ પ્રગતિ થાય છે. અહીં વિન આવવાથી પડી જવાનો સંભવ રહે છે તે ખાસ ધ્યાનમાં રાખી તે વિદનને દૂર કરી આગળ વધવાનું ૪. દીપ્રાદેષ્ટિ – આમાં યોગનું ચતુર્થ અંગ નામે પ્રાણાયામનો લાભ થાય છે - એથી એ સમજવાનું છે કે બાહ્ય ભાવનો રેચ થાય છે, અંતર ભાવનો પૂર થાય છે અને સ્થિરતાભાવનો કુંભક થાય છે – એટલેકે રેચક, પૂરક અને કુંભક નામના પ્રાણનો આયામ થાય છે. આવા પ્રકારના પ્રાણાયામથી (બાહ્ય - સ્થૂળ અર્થમાં પ્રાણાયામ શબ્દ વપરાય છે તેથી આત્મોન્નતિમાં બહુ લાભ થતો નથી) ગ્રંથિભેદ તુરત થાય છે, તેથી પ્રશાંતવાહિતાનો લાભ થાય છે. અહીં બોધ દીપપ્રભા જેવો – પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં વધુ થાય છે. અત્યાર સુધી શ્રવણેચ્છા હતી તે વધીને ‘બોધ” પામે છે અને તે એટલે સુધી કે પ્રાણનો અંત થાય તોપણ ધર્મને ન છોડે એવી ધર્મ પર પ્રીતિ થાય છે. જોકે આમાં વર્તતા જીવને સમ્યજ્ઞાન ગ્રંથિભેદપૂર્વક થયું નથી તેથી તેને સૂક્ષ્મ બોધ હોતો નથી, તોપણ ગુરુભક્તિ વિશેષ હોવાને લીધે તેને તીર્થંકરદર્શન ઉત્કૃષ્ટ લાગે છે. અને તેની તેને સમાપત્તિ થતાં – ધ્યાનથી સ્પર્શના થતાં તે સાધ્યપ્રાપ્તિનું – મોક્ષપદનું કારણ થાય છે. સૂક્ષ્મબોધ તો “વેધસંવેદ્ય પદની પ્રાપ્તિથી થાય છે. અહીં અવેદ્ય સંવેદ્ય પદ હોવાથી સૂક્ષ્મ બોધ થતો નથી. છતાં શ્રવણેચ્છાનું ફળ – ‘શ્રવણ' સ્પષ્ટ રીતે થાય છે. અહીં ‘વેદ્યસંવેદ્ય પદ પર વિચાર કરવા યોગ્ય છે. પ્રથમની ચાર દષ્ટિમાં ‘અવેધ સંવેદ્ય પદ અને છેલ્લી ચારમાં ‘વેદ્યસંવેદ્ય પદ છે. અવેધ સંવેદ્ય પદમાં મિથ્યાત્વ છે, બોધ ઉપરઉપરનો છે. સંસાર પર રુચિ છે, પાપમાં આસક્તિ છે, ભવાભિનંદીપણું છે, અને સમારોપ સમાકુલતા એટલે મિથ્યાત્વદોષથી થતાં દુઃખને પામવા પ્રત્યે જવાથી ગલિતપણું છે. અવેદ્ય એટલે અ= વિપરીત + વેધ=જાણવા યોગ્ય વસ્તુ. સંવેદ્ય એટલે જે ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી જણાય છે તે. પદ એટલે આશયસ્થાન. જાણવા યોગ્ય એવી વસ્તુને જે આશયસ્થાનમાં ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી જણાય છે તે વેધસંવેદ્ય પદ. એથી વિપરીત એટલે જે પદમાં વસ્તુ અજ્ઞાનથી આવરણ પા - 1 ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિના નાશથી મૃગતૃષ્ણાના જળ માફક જણાય છે તે. ભવાભિનંદીનાં લક્ષણ શુદ્ર (કૃપણ), લાભરતિ (યાંચાશીલ), દીન (ભવિષ્યમાં અકલ્યાણ થશે એવું જોનાર), મત્સરી (બીજાનાં કલ્યાણથી દુઃખી થનાર), ભવાન્ (હંમેશાં બીકણ), શઠ (માયાવી, કપટી), અજ્ઞ (મૂખ), અને ભવમાં આનંદ માનનાર – સંસારમાં આસક્ત એ ભવાભિનંદી છે અને તેનાં ઘણાં કાર્યો એવાં હોય છે કે જેનું ફલ કંઈ મળે નહિ. આ ભવાભિનંદીપણાના પરિણામે આ પદમાં સ્થિત થયેલ એટલે પ્રથમની ચાર દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને કદાચ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બોધ થાય છે તો તે અસત્ પરિણામવાળો હોય છે, સુંદર થતો નથી. જેવી રીતે વિષને સ્પર્શ કરેલ અન્ન નકામું થાય છે તેમ નિયમથી આ પુદ્ગલમાં આસક્ત પ્રાણીને સુંદર બોધ થતો નથી. તે પ્રાણી વિપર્યાસ કર્યા કરે છે, હિત-અહિતનો વિવેક તેને હોતો નથી અને વર્તમાનદર્શી હોઈ ખેદ પામે છે. આથી જન્મ-મૃત્યુ-જરા- વ્યાધિ આદિથી પૂર્ણ સંસારને જોઈને ઉદ્વેગ થતો નથી. કુકૃત્ય કૃત્ય ભાસે છે, કૃત્ય કુકૃત્ય સમાન લાગે છે. દુઃખને સુખ માની વહોરી લે છે. ખરજ થઈ હોય તો તેને ખણવાથી શાંતિ ન થાય, પણ તે ખરજના નાશથી શાંતિ થાય, છતાં આ વાત પ્રથમની ચાર દષ્ટિવાળા – અવેધસંવેદ્યપદમાં રહેલા જીવોથી બરાબર સમજાતી નથી, તેથી ખરજને તોડવા માટે ખણવાનો ઉપાય શોધે છે. આવા અવેદ્યસંવેદ્યપદને સત્સંગ અને આગમના યોગથી જીતી લેવો ઘટે છે, નહિ તો વળી અધઃપાત થાય છે. યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને ઘણા જીવો પાછા સંસારમાં પડી જાય છે ને રખડ્યા કરે છે. આ અવેદ્યસંવેદ્યપદ જીતવાથી નિયમાતુ જીવને તત્ત્વથી કુતર્ક રૂપી વિષમ ગ્રહ દૂર થાય છે. જ્યાં સુધી કુતર્ક ત્યાં સુધી તેની સાથે જ બોધરોગ, શમમાં વિદન, શ્રદ્ધાભંગ, મિથ્યાભિમાન છે વગેરે અનેક ભાવશત્રુઓ રહેલા છે. તો કુતર્કમાં મહાત્માઓએ અભિનિવેશ ન રાખતાં શ્રત, શીલ અને સમાધિમાં રહેવું યુક્ત છે. ઉપર કહેવાયું છે કે સંસાર ચરમપુલાવર્તકાલ રહે છે ત્યારે પ્રથમની ચાર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. અને ગ્રંથિભેદ કર્યા પછી અર્ધપગલપરાવર્ત કાળમાં તો જરૂર મુક્તિ થાય છે. કેટલાક ઉન્નત આત્માઓની ગ્રંથિભેદ કર્યા પછી ઉન્નતિ એટલી શીઘ થાય છે કે અંતર્મુહૂર્ત જેટલા બહુ અલ્પકાળમાં તેઓ સાધ્ય પ્રાપ્ત કરે છે, જ્યારે કેટલાકની મંદ પ્રગતિ થાય છે. તોપણ એટલું તો ચોક્કસ કે ગ્રંથિભેદ થયો કે વહેલામોડું સાધ્યસ્થાન પ્રાપ્ત થવાનું જ. કેટલાક જીવો ગ્રંથિભેદ પછી સમ્યકત્વ વમી નાંખે છે, ને અપક્રાંતિમાં પડે છે, વળી તે પાછા ઉન્નત થઈ પૂર્વસ્થિતિ પર આવી પ્રગતિ કરે છે. એટલે જૈનમાં Theory of evolution and involution of Soul – ઉત્ક્રાંતિવાદ અને અપક્રાંતિવાદ બને છે. ૫. સ્થિરાદેષ્ટિ – આ દષ્ટિ પ્રાપ્ત કરનાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તેના આચાર અને વિચારમાં અને પ્રાકૃત પ્રાણીઓના આચાર-વિચારમાં મોટો તફાવત પડી જાય છે. એ વર્તનના ઊંચામાં ઊંચા ગુણો – “માર્ગાનુસારીના ગુણો જેવા કે ન્યાયસંપન્ન વૈભવ, દાક્ષિણ્ય, દયા વગેરે પ્રથમની ચાર દૃષ્ટિમાં આવી જાય છે. (આ ગુણો હોય તો. સમ્યક્ત્વ હોય જ એમ નથી, પણ સમ્યક્ત્વ હોય તો આ ગુણો હોવા જ જોઈએ.) અહીં તત્ત્વબોધ રત્નપ્રભા તુલ્ય હોય છે. અત્યાર પહેલાં તત્ત્વજ્ઞાનમાં અને સર્વગ્નની શિષ્ટતામાં રહેતી શંકા અહીં વિરામ પામે છે. બોધ સમ્યફ અને સૂક્ષ્મ થાય છે. વિષયની આસક્તિ અહીં ઘટે છે અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ઇંદ્રિયોને જોડતાં તેને સ્વચિત્તસ્વરૂપાનુસારી બનાવે તે યોગનું પાંચમું અંગ “પ્રત્યાહાર' અહીં પ્રાપ્ત થાય છે. પ્રથમ ચાર દષ્ટિમાં અનુક્રમે પ્રાપ્ત થયેલ અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા અને શ્રવણને અંગે આ દર્ટમાં ‘સૂક્ષ્મબોધ' પ્રાપ્ત થાય છે કારણ કે ગ્રંથિભેદથી વેદ્યસંવેદ્યપદની અહીં ઉપપત્તિ છે. અહીં જીવે તમોગ્રંથિના વિભેદથી અખિલ ભવચેષ્ટા બાલકોની ધૂળમાં ઘર Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૨૦૧ બાંધવા જેવી કીડા સમાન લેખે છે અને બાહ્ય પદાર્થોને કૃતવિવેકથી પરમાર્થે મૃગતૃષ્ણા - સ્વપ્ન સમાન જાણે છે. બાધારહિત અને પીડા વગરની આંતરજ્યોતિ લોકમાં પરમ તત્ત્વ છે અને તેથી અન્ય સર્વ દુઃખમય છે એમ તે સમજે છે. આમ વિવેકજ્ઞાન થવાથી સુજ્ઞ ચેતન પ્રત્યાહારમાં ચિત્ત પરોવી ધર્મમાં બાધા કરનાર બાબતોનો પરિત્યાગ કરવા પ્રયત્ન કરે છે. તે સમજે છે કે ધનના અભાવમાં કે ધનમાં દુઃખસુખ ન માનતાં ભોગમાં પાપભાવના રાખે છે. ધર્મજનિત ભોગ પણ અનર્થાવહ છે એટલે ધર્મ કેવલ ફલની અપેક્ષા રાખ્યા વગર કરે છે. નહિ તો જેમ ચંદનથી. થયેલ અગ્નિ આખા વનને બાળી નાખે છે તેમ ધર્મથી થયેલ સુખ પણ સાધ્યનો ક્ષય કરે છે અને સંસાર વધારે છે. આવી રીતે નિરાશીભાવથી કાર્ય કરી કર્મની મહાનિર્જરા કરે છે. આથી અલૌલ્ય, આરોગ્ય, અનિષ્ફરત્વ, શરીરની શુભ ગંધ, અલ્પ મૂત્રપુરીષ, સુંદર કાંતિ, સ્વરસૌમ્યતા - એ ચિહ્નો પહેલાં દેખાય છે, પછી મૈત્રાદિયુક્ત ચિત્ત, વિષયોમાં અનાસક્તિ, વૈર્યવાળો પ્રભાવ, અભીષ્ટ લાભ અને જનપ્રિયત્વ એ ગુણો પ્રાપ્ત થાય છે અને પછી તે નિષ્પન્ન યોગીને દોષનો નાશ, પરમ વૃત્તિ (તૃપ્તિ), ઔચિત્યયોગ, મહાનું સમતા, વૈરાદિનો નાશ અને ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. આ સર્વ સહજે મળે છે. ૬. કાન્તાદૃષ્ટિ – આ દૃષ્ટિમાં યોગનું ૬ઠું અંગ ધારણા - ચિત્તની (ધ્યેય) દેશમાં સ્થિતિ સ્થિરતા પ્રાપ્ત થાય છે. આથી મન વિક્ષેપમાં ન પડતાં ધર્મમાં એકાગ્ર થાય છે. તેમ થવાથી ધર્મના માહાભ્યને લઈને તથા સમાચાર વિશુદ્ધિથી સર્વ પ્રાણીઓને પ્રિય બને છે. તેનું એકાગ્રમન એવું હોય છે કે શ્રુત-સિદ્ધાંતમાં નિત્ય ભાવનામય મન રાખે છે, અને તેથી તેની શરીરક્રિયા અન્ય ચેષ્ટામાં હોય છે તો પણ તેનામાં સમ્યમ્ આક્ષેપક જ્ઞાન હોવાથી તે ચેષ્ટા-ભોગ-ઈઢિયાર્થ સંબંધો સંસારના હેતુ થતા નથી. એટલે તત્ત્વથી તે સર્વ પૌગલિક વસ્તુને માયાજલ માની તેનાથી અળગો રહે છે, અને સ્વરૂપથી ભોગને માયાજલ માને છે તેથી તેને ભોગવતો છતાં અસંગ રહી પરવશતાના અભાવથી પરમપદ પામે છે. આનામાં “મીમાંસા' ગુણ રહેલો હોય છે એટલે સદ્વિચારયતાગુણ પ્રાપ્ત થાય છે. આથી તે ગુણથી સમ્યજ્ઞાન થાય છે. આ દષ્ટિમાં બોધ ‘તારાની પ્રભા જેવો હોય છે એટલે જોકે ઘણો નહિ પણ એકસરખો – અખંડિત પ્રકાશ આપે છે. તે પ્રકાશ એવો હોય છે કે આ દષ્ટિમાં વર્તતા પ્રાણીનું ચરિત્ર સહજ નિરતિચાર થાય છે, અનુષ્ઠાન શુદ્ધ હોય છે, પ્રમાદરહિત વર્તન હોય છે, શુભ વસ્તુમાં આત્માનો વિનિયોગ થાય છે અને આશય ઉદાર અને ગંભીર થાય છે. આ પરથી ભાસે છે કે પ્રમાદરહિત વર્તન હોવાને લીધે અહીં સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આપણે જોયું છે કે પાંચમી દષ્ટિથી સમ્યક્ત્વ થાય છે – ત્યાંથી વેદ્ય સંવેદ્યપદની પ્રાપ્તિ થવા માંડે છે. બોધ સમ્યગુ હોવાને લીધે તે થયા પછી યમનિયમ પ્રથમ દેશથી અને પછી સર્વથા આદરે છે. યમને દેશથી (અમુક અંશે) આદરવાથી દિશવિરતિ ગુણ પ્રાપ્ત થતાં પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, અને યમને સર્વથા આદરવાથી સર્વવિરતિગુણ પ્રાપ્ત થતાં છઠું સર્વવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે અને જ્યારે સર્વવિરતિભાવમાં વર્તતા અપ્રમાદ ગુણ આવે છે ત્યારે સપ્તમ ૧. કેશવંઘચિત્તી ઘાર – પાતંજલ યોગસૂ. ૩-૧. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અપ્રમત્તગુણસ્થાન વર્તે છે. આ દષ્ટિમાં મીમાંસાભાવથી – સદ્વિચારભાવથી નિત્ય - સર્વકાલ મોહ થતો નથી અને તત્ત્વમાં જ દષ્ટિનો સમાવેશ કરી આત્માની પ્રખર ઉન્નતિ. કરે છે. ૭. પ્રભાદેષ્ટિ – આમાં બોધ સૂર્યની પ્રભા જેવો છે કે જે લાંબા વખત સુધી સ્થિરપણે વિશેષતાથી એકસરખો પ્રકાશ આપે છે. આ બોધથી ધ્યાન થાય છે. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા નામનું યોગનું સાતમું અંગ અહીં પ્રાપ્ત થાય છે. આ ધ્યાનથી તત્ત્વ પર જ પ્રતિપત્તિ અને વિશેષ સમભાવ આવે છે તેથી કોઈ પણ અન્ય શાસ્ત્રના વાચનથી વિપરીત મતિ થતી નથી. આ ધ્યાનથી સુખ એવા પ્રકારનું થાય છે કે જેથી મન્મથનાં બધાં સાધનો જીતી લેવાય છે અને વિવેકબલ ઉત્પન્ન થતાં તેથી સમભાવ - સમતા જ પ્રગટે છે. જેટલું પરવશ છે તે સર્વ દુઃખ છે, જેટલું આત્મવશ છે તેટલું સર્વ સુખ છે. પુણ્ય એ પણ કર્મ છે અને તેથી પુણ્યથી થતું સુખ પણ દુઃખરૂપ છે. અહીં સ્પષ્ટ કર્મનો ક્ષયોપશમ થવાથી ઉદ્ભવતો એવો નિર્મલ બોધ થવાથી મહાત્મા પુરુષો સદૈવ ધ્યાનમસ્ત હોય છે, અને કર્મમલ ક્ષણપ્રાય થઈ જાય છે. આ ધ્યાન વધતાં વધતાં શુક્લધ્યાનની હદ સુધી આવી શકે છે. અહીં અનુષ્ઠાન અસંગ – કોઈપણ જાતના ફલની અપેક્ષા વગરનું વિધિયુક્ત – સ્વાભાવિક રીતે હોય છે. તેથી તેની સમ્પ્રવૃત્તિ જ વર્તે છે. મહાપથ (મોક્ષ) તરફ પ્રયાણ ઘણું આગળ વધે છે, અને તે નિત્યપદનું પ્રાપક થઈ પડે છે કે જે પદથી સંસારમાં આવવાપણું રહેતું જ નથી. આ અસંગાનુષ્ઠાન સાધતો પ્રાણી આ દૃષ્ટિમાં રહી ઉક્ત નિત્યપદ ઘણી શીઘ્રતાથી પ્રાપ્ત કરી શકે એવી મહાન સ્થિતિમાં આવે છે. ૧. આ જૈનોના અસંગાનુષ્ઠાનને અન્ય દર્શનોમાં જુદાં નામ આપેલ છે : प्रशांतवाहितासंज्ञे विसभागपरिक्षयः । શિવવ ધ્રુવાàતિ નિમિતે ચંદ્ર (યોગદષ્ટિસમુચ્ચય શ્લો. ૧૭૪) સાંખ્ય ને પાતંજલ યોગદર્શનમાં પ્રશાંતવાહિતા, બૌદ્ધમાં વિભાગ પરિક્ષય, શિવોમાં શિવવર્મા, અને મહાવ્રતિકો – જૈમિનીય ધ્રુવાધ્વા (ધ્રુવમાર્ગ) એમ આ (અસંગાનુષ્ઠાન)ના યોગીઓ જુદાંજુદાં નામ આપે છે. પ્રશાંતવાહિતાનું લક્ષણ પાતંજલ યોગસૂત્ર વિભૂતિપાદ સૂત્ર ૧૦માં એમ આપે છે કે : તસ્ય પ્રશાંતવાદિતા સારતું એટલે (નિરોધ)ના સંસ્કારથી તેની (ચિત્તની) પ્રશાંતવાહિતા (થાય છે) – અર્થાત્ નિરોધનો પુનઃપુનઃ અભ્યાસ કરવાથી - તે નિરોધના સંસ્કારની દઢતાથી જેમાંથી વ્યુત્થાનના સંસ્કારરૂપ મલની નિવૃત્તિ થઈ છે એવા ચિત્તની પ્રશાંતવાહિતા એટલે નિરોધ સંસ્કારની પરંપરાને વહન કરનારી સ્થિતિ થાય છે. આનાથી સમાધિ થઈ એકાગ્રતા થાય છે અને છેવટે તેઓને સંસ્કારશેષદશા પ્રાપ્ત થાય છે જે લગભગ આત્માના નાશ જેવી હોવાથી જેનની ભેદભેદ દષ્ટિએ ઉપકારી નથી. અહીં વક્તવ્ય માત્ર એટલું જ છે કે આ યોગદર્શનકારોએ પ્રશાંતવાહિતામાં જે સ્થિતિ વર્ણવી છે. તેવી સ્થિતિ અસંગઅનુષ્ઠાનથી થાય છે. વિષભાગક્ષય એટલે રાગદ્વેષ, અહંકૃતિ, કામેચ્છાદિના નાશથી મોક્ષ એમ બૌદ્ધનો મત છે. જ્યાં ઉત્પાદ કે વિનાશ નહિ અને જે ધ્રુવ હોય તે મોક્ષ એમ જૈમિનીયનો મત છે. અને આ સાતમી દૃષ્ટિનો પ્રાણી એ સર્વ પદાર્થ અસંગભાવથી અલિપ્ત ક્રિયાયુક્ત ઉત્તમ આત્મગુણના પરિણામ સહિત, કપાધિ રહિતપણે શુદ્ધ એવા મોક્ષ પરિણામવાળો હોય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૮. પરાષ્ટિ - આમાં ‘સમાધિ’ નામનું યોગનું આઠમું અને છેલ્લું અંગ પ્રાપ્ત થાય છે. અહીં સમાધિ સંબંધે અન્ય દર્શન સાથે જૈનદર્શન શું કહે છે તે જોઈશું. પાતંજલ દર્શન ‘વૈશવં ચિત્તસ્ય ધારા' (૩-૧), એટલે ચિત્તની (ધ્યેય) દેશમાં સ્થિતિ - સ્થિરતા એમ ધારણાની વ્યાખ્યા કરી ધ્યાનની એ વ્યાખ્યા કરે છે કે “તંત્ર – પ્રત્યયે તાનતા ધ્યાનં’’(૩-૨) એટલે તેમાં (ધારણાના પ્રદેશમાં) વૃત્તિઓની એકાગ્રતા (તે) ધ્યાન કહેવાય છે; અને ત્યાર પછી ‘સમાધિ’ની વ્યાખ્યા આ સૂત્રમાં મૂકે છે ઃ “તહેવાર્થ માત્ર નિર્માનું સ્વરૂપશૂમિવ સમાધિ: (૩-૩) એટલે તે (ધ્યાન) જ (જ્યારે) ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનારું (અને પોતાના) સ્વરૂપથી રહિત જેવું – શૂન્ય (થાય છે ત્યારે) સમાધિ કહેવાય છે. આમ આત્મલય કરનાર – આત્મસ્વરૂપની જ્યાં શૂન્યતા હોય એવું પતંજલની સમાધિનું સ્વરૂપ હોવાથી તે જૈનષ્ટિએ ઉપયોગી નથી. જૈનદૃષ્ટિએ એક દ્રવ્યમાં એકાગ્રતા કરવી તે સમાધિ છે. ધ્યાનમાં વિક્ષેપ કરનાર કારણોનો અભિભવ થાય છે, ત્યારે સમાધિમાં તેનો સર્વથા અભિભવ થાય છે. અને તે એટલે દરજ્જે કે પછી પૂર્વમાર્ગમાં પાછી ગતિ થતી નથી – તાત્પર્ય કે પૂર્વ અવસ્થામાં જે વિક્ષેપનો ક્ષયોપશમ થયો હોય છે એટલે જે વિક્ષેપ કંઈ શાંત થયા હોય છે અને કંઈક અંદર ગુપ્ત રહ્યા હોય છે તેનો અહીં સર્વથા અભિભવ થાય છે જેમ માટી પિંડરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્મનો સ્વીકાર કરે છે તેવી રીતે અહીં સમજવું. આ સૃષ્ટિ સમાધિનિષ્ઠ છે – સમાધિના સંગ સિવાય આ દૃષ્ટિમાં બીજું કંઈ નથી. તેની પ્રવૃત્તિ એટલે આ દૃષ્ટિવાળા મહાત્મની પ્રવૃત્તિ આત્મીકૃત છે આત્મિક ગુણમાં પ્રવૃત્ત થયેલી છે – બીજા કશામાં (બાહ્ય ક્રિયા આદિમાં) નથી. આથી અતિચાર · દૂષણ કોઈપણ લાગતું નથી. અને તેથી પોતે નિરાચાર પદ પામે છે – પ્રતિક્રમણ, આલોચના, આદિ આચાર સેવવાની જરૂર તેને હોતી જ નથી કારણકે જે કર્મો આચારથી જિતાય છે તે ન હોવાથી તે આચારની જરૂર ન જ રહે. આ દૃષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવો સૂક્ષ્મ બોધ થાય છે કે જે સ્થાયી રહેવા ઉપરાંત સૂર્યપ્રભા જેવો આંખને આંજી નાંખનાર નથી, પરંતુ શાંતિ આપનાર અને અંતરંગ પર અસર કરનાર હોય છે. આવા સૂક્ષ્મ બોધને અંગે ઉપર જણાવેલી એવી ‘પ્રવૃત્તિ’ – આત્મગુણપ્રવર્તન થાય છે. સાતમી દૃષ્ટિમાં જે તત્ત્વપ્રતિપત્તિ કહી તે અહીં પ્રવૃત્તિમાં પરિપૂર્ણતા પામે છે. અહીં ગુણશ્રેણી પર આરોહણ કરે છે. તેનાં શરીરપુદ્ગલો ચંદનગંધ જેવાં થઈ જાય છે. પહેલાં કષાય ઉત્પન્ન કરનાર સાંપરાયિક કર્મનો ક્ષય થતો હતો, અને હવે ભવાંતની આડે આવનાર ભવોપગ્રાહી કર્મનો ક્ષય થાય છે એટલેકે અહીં કર્મક્ષય એવો થાય છે કે ફરી વાર સંસારમાં આવવાપણું રહેતું જ નથી. જે ધર્મસંન્યાસ ઉપવારથી છઠ્ઠા ગુણસ્થાનમાં (પ્રમત્ત સંયતગુણસ્થાનકમાં) શરૂ થાય છે અને પારમાર્થિક દૃષ્ટિએ ૮મા અપૂર્વકરણમાં પ્રાપ્ત થાય છે તે અહીં પરાકાષ્ઠા પામે છે, અને છેવટે કેવલશ્રી – મુક્તિરૂપી લક્ષ્મી સદોદયા – સર્વકાલાબાધિત પ્રાપ્ત થાય છે. તેરમા સયોગી કેવલી ગુણસ્થાન પ્રાપ્ત કરતાં પહેલાં તેના ઘનઘાતી – આત્મગુણના ઘાતક એવાં ચાર કર્મો નામે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયનો સર્વથા ક્ષય થાય છે. અનાદિથી કર્મસંબંધને લઈને જીવ જોકે પોતાની પ્રકૃતિથી એટલે આત્મીય તત્ત્વની - - ૨૦૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો શુદ્ધિથી ચંદ્રવત્ વિજ્ઞાન છે, પરંતુ તે ઉક્ત જ્ઞાનાવરણીયાદિ વાદળોથી ઘેરાયેલા ચંદ્રવતું સ્થિત છે. તે વાદળાં દૂર થયાં કે મૂળ સ્વરૂપવાળો ચંદ્રવત્ થયો એટલે જ્ઞાનકેવલી થયો. (આત્માનું સ્વરૂપ જૈનદષ્ટિએ જ્ઞાન છે, અને તેને આવરણ લાગેલાં હતાં તે દૂર થયા એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા થાય છે). હવે યોગી કેવલી થયા પછી મનોયોગાદિ રહે છે, બીજાં “અઘાતી કર્મો નામે ‘વેદનીય, નામ, ગોત્ર અને આયુ” એ ચાર કર્મો રહ્યાં હોય છે, તો ત્યાર પછી સર્વજ્ઞતાથી અનેક પ્રાણીઓના અંધકાર ભેદી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા અનુભવતો છેવટે મનોયોગાદિના પર જય કરી મેરુ પર્વત જેવી સ્થિર – શૈલેશી અવસ્થા – “શૈલેશીકરણ” પ્રાપ્ત કરી અવશેષ ઉપર્યુક્ત ચારે કર્મનો નાશ કરી અંતે અયોગી કેવલી ગુણસ્થાનક મેળવે છે – સિદ્ધ થાય છે – મુક્તિ પામે છે. ત્યાંથી કદીપણ – કોઈપણ કાલે જન્મ-મરણરૂપ સંસારમાં તેને આવવાનું થતું નથી. આ સ્થિતિ એ સૌનું સાધ્ય છે. ત્યાંની સચ્ચિદાનંદમય સ્થિતિ અવર્ણનીય છે. યોગનું લક્ષણ જે મોક્ષ સાથે જોડનાર તેને યોગ કહેવામાં આવે છે. જ્યારે પાતંજલ યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનો નિરોધ એમ આપે છે. યોગાભાસ લોકના આરાધનની ઈચ્છા રાખી મલિન અંતરાત્માથી જે સન્ક્રિયા કરવામાં આવે તે લોકપંક્તિ અથવા મિથ્યા યોગ છે. તેથી અશુભ-પાપકર્મ બંધાય છે. યોગપ્રાપ્તિનો સમય ઓઘદષ્ટિ તજી યોગદષ્ટિમાં પ્રાણી આવે છે, તે પહેલાં અનંત પુદ્ગલપરાવર્તન કર્યા કરતો હોય છે, અને જ્યારે ચરમ પુલાવર્સમાં આવે છે ત્યારે તેને યોગદષ્ટિ પ્રાપ્ત થાય છે. તે વખતે જ ભવાભિનંદીપણાનો ત્યાગ અને માર્ગાનુસારીપણું આવે છે. યોગના ભેદ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એ પાંચ પ્રકારથી મોક્ષનો યોગ થાય છે તેથી તે પાંચ યોગ છે અને તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે. (યોગબિંદુ) ૧. અધ્યાત્મ – ઉચિત પ્રવૃત્તિથી વ્રત (અણુવ્રત, મહાવ્રતોથી યુક્ત થનારનું જિનવચનાનુસાર તત્ત્વચિંતન (જીવાદિ પદાર્થની અર્થસહિત પર્યાલોચના) કરવું, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય એ ચાર ભાવના સત્ત્વાદિ વિષયોમાં અત્યંત કરવી તેને ૧. આ વાત જોકે એકાંતે પણ બીજી રીતે અન્ય દર્શનમાં કહી છે તે આ પ્રમાણે છે : (૧) વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ – બ્રહ્મ જ્ઞાનરૂપ તથા આનંદરૂપ છે. - શ્રુતિવાક્ય. (२) ज्ञानं नैवात्मनो धर्मो न गुणो वा कथंचन ज्ञानस्वरूप एवात्मा नित्यः सर्वगतः शिवः ।। - જ્ઞાન એ કોઈપણ આત્માનો ધર્મ કિંવા ગુણ નથી, પણ નિત્ય, સર્વગત અને કલ્યાણરૂપ આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે. – સ્મૃતિવાક્ય. Page #226 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ અધ્યાત્મને જાણનારા અધ્યાત્મ કહે છે. (યોગબિંદુ ગ્લો. ૩૫૭). આનું ફલ એ થાય છે કે પાપનો ક્ષય (જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ કર્મનો લય) થાય છે, સત્ત્વ એટલે વીર્યનો ઉત્કર્ષ થાય છે, શીલ એટલે ચિત્તની સમાધિ થાય છે, વસ્તુના અવબોધરૂપ જ્ઞાન થાય છે, એથી અતિદારુણ મોહરૂપી વિષવિકાર જતાં અનુભવસિદ્ધ – સ્વસંવેદન પ્રત્યક્ષ એવું અમૃત અનુભવાય છે. ૨. ભાવના આ અધ્યાત્મની પુનઃ પુનઃ ભાવનારૂપ, (અભ્યાસ) હમેશાં મનની સમાધિથી યુક્ત - ચિત્તનિરોધપૂર્વક કરવા યોગ્ય છે. આથી કામક્રોધાદિરૂપ અશુભ અભ્યાસથી નિવૃત્તિ, જ્ઞાનાદિ વિષયરૂપ શુભ અભ્યાસમાં અનુકૂલતા, અને સત્પ્રકારે શુદ્ધ ચિત્તનો ઉત્કર્ષ થાય છે. ૩. ધ્યાન શુભ એવું એક જ આલંબન છે જેનું એવું જે ચિત્ત એટલે એક જ શુભ વસ્તુ આદિ ૫૨ ચિત્તવૃત્તિની સ્થિરતા તેને બુદ્ધિમાનો ધ્યાન કહે છે. આમાં ઉત્પાદ આદિ વિષય પર સૂક્ષ્મ ઉપયોગ હોય છે, અને તે સ્થિર દીપ જેવું હોવું જોઈએ. આનું ફલ એ થાય છે કે સર્વ કાર્યમાં આત્માની સ્વતંત્રતા સત્તા રહે છે; વૃત્તિની સ્થિરતા, અને અન્ય ભવો કરાવનાર કર્માદિનો નાશ થાય છે. ૪. સમતા અનાદિ અવિદ્યા ખોટી વાસનાથી ઉત્પન્ન થયેલ વિકલ્પથી કલ્પિત એવી ઇષ્ટાનિષ્ટ (ઇંદ્રિય-મનને પ્રમોદ આપનાર) વસ્તુના વિવેકથી ત્યાગમાં મનની તુલ્યરૂપતા સમતા રાખવી તેનું નામ સમતા છે. આનું ફલ ઋદ્ધિ પ્રત્યે અપ્રવૃત્તિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત ચારિત્ર આદિ અટકાવનાર એવાં સૂક્ષ્મ કર્મોનો નાશ અને અપેક્ષા કે જે બંધનો હેતુ છે તે રૂપી તંતુનો વિચ્છેદ થાય છે. ૫. વૃત્તિક્ષય – આત્માથી અન્ય એવા મનોદ્રવ્યના તેની સાથેના સંયોગથી જે સ્વભાવથી તરંગ વગરના સમુદ્ર સમાન છે એવા આત્માને વિકલરૂપી વૃત્તિ થાય છે તેનો કેવલજ્ઞાનના લાભ વખતે અને અયોગિકેવલિકાલે જે પુનર્ભવ ન પામવા રૂપ સ્થિતિ થાય છે તે વૃત્તિક્ષય છે. તેનું ફૂલ કેવલજ્ઞાન (સકલદ્રવ્યપર્યાય પરિપૂર્ણ જાણવારૂપ), શૈલેશીકરણ (સર્વ સંવરરૂપ પર્વત અને તેના ઈશ મોટા પર્વત જેવી અવસ્થાનો લાભ), અને ત્યાર પછી અનાબાધ (સર્વ શારીરિક માનસિક વ્યથાથી રહિત) અને સર્વકાલ આનંદ આપનારી મોક્ષપ્રાપ્તિ થાય છે. ૨૦૫ - શ્રીમદ્ હરિભદ્રસૂરિએ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં ત્રણ પ્રકારના યોગ કહ્યા છે તેનું સ્વરૂપ ટૂંકમાં જણાવીએ : તેનાં નામ ૧. ઇચ્છાયોગ, ૨. શાસ્રયોગ અને ૩. સામર્થ્યયોગ છે. આ ત્રણે યોગ કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગીના ઉપકાર અર્થે છે, નિષ્પન્નયોગીના ઉપકાર અર્થે નથી. ૧. ઇચ્છાયોગ – જે પ્રાણીઓથી જ્ઞાની હોવા છતાં શ્રુત અને આગમ પ્રમાણે વર્તવાની ઇચ્છા હોવા છતાં ધર્મયોગ-ધર્મવ્યાપાર થઈ શકતો નથી તેને ઇચ્છાયોગ કહેવામાં આવે છે. ૧. કણાદ મુક્તિનું સ્વરૂપ ‘સુખદુઃખવ્યવચ્છેદરૂપ' – જ્યાં સુખ અને દુઃખનો નાશ છે – એવું આપે છે, તે જૈન મત પ્રમાણે ઇષ્ટ નથી, માટે જ મુક્તિને દુઃખરહિત કહેવા સાથે સુખવાળી - આનંમદય કહી છે. તત્ત્વાર્થ જાણ્યા છતાં પ્રમાદને લઈને સંપૂર્ણ Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૨. શાસ્રયોગ – શાસ્ત્રપ્રધાન યોગ તે શાસ્ત્રયોગ. એમાં પરાક્રમથી ધર્મવ્યાપાર હોય છે. એટલે યથાશક્તિ અપ્રમાદી થઈને આત્મામાં શ્રદ્ધાવાળા શ્રાદ્ધને આગમના તીવ્રબોધથી અખંડ ધર્મવ્યાપાર હોય છે તેને શાસ્ત્રયોગ કહેવામાં આવે છે. ૨૦૬ ૩. સામર્થ્યયોગ – શાસ્ત્રમાં યોગસિદ્ધિના ઉપાયો દર્શાવેલા હોય છે આમાં તે શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યાં વગર પોતાની આત્મશક્તિના ઉદ્રેક-પ્રાબલ્ય-વૃદ્ધિથી વિશેષ ઉપાયો જે શોધે છે તે ઉત્તમ સામર્થ્યયોગ છે. શાસ્ત્રમાં સિદ્ધિ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનાદિને ઉપાયો બતાવેલા છે તે ૫રમાર્થથી તદ્દન સંપૂર્ણ ન હોય અને પરમાર્થથી તેનો તદ્દન સાક્ષાત્કાર ન થઈ શકે એમ હોય તો યોગીઓ શાસ્ત્રના જ્ઞાનથી જ સર્વજ્ઞ થઈ શકે. માટે શાસ્ત્રમાંથી જ સિદ્ધિના ઉપાયો સર્વથા મળે છે તે ન સ્વીકારતાં પોતાની આત્મશક્તિ સ્ફુરાવી સિદ્ધિના ઉપાયોનો સાક્ષાત્કાર જે યોગથી પ્રાણી કરે છે તેને સામર્થ્યયોગ કહેવામાં આવે છે. આની ઉત્કૃષ્ટ જ્ઞાનદશા અને ચારિત્રમાર્ગ તે પ્રાતિભજ્ઞાનનો વિષય છે. પ્રાતિભજ્ઞાન તે કેવલજ્ઞાન પૂર્વેનું છે. જેમ સૂર્યોદય પહેલાં અરુણોદય થાય છે તેમ કેવલજ્ઞાન પૂર્વે પ્રાતિભજ્ઞાન થાય છે. તેથી સાધ્યનો પ્રકાશ તદ્દન સ્પષ્ટાકારે નજીક હોય છે. આ સામર્થ્યયોગના બે ભાગ છે. (૧) ધર્મસંન્યાસ, (૨) યોગસંન્યાસ. ક્ષમાદિ દશ ધર્મો વગેરે ક્ષયોપશમભાવ તજીને અવિચ્યુતપણે (ક્ષાયિકભાવે) પ્રાપ્ત થાય તેને ધર્મસંન્યાસ કહેવામાં આવે છે અને શરીરાદિ યોગ – વ્યાપાર ઉપર અંકુશ આવી જાય છે અને યથાસ્વરૂપે યોગપ્રાપ્તિ થાય છે તેને યોગસંન્યાસ કહેવામાં આવે છે. ધર્મસંન્યાસ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં પ્રાણી બીજી વખત અપૂર્વકરણ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે. ત્યારે અપ્રમત્ત યતિ શ્રપકશ્રેણી આદરે છે તેને તાત્ત્વિક રીતે ધર્મસંન્યાસ કહેવામાં આવે છે. આની પહેલાં જે ધર્મસંન્યાસ થાય છે તે અતાત્ત્વિક હોય છે, કારણકે સામાન્ય દીક્ષાગ્રહણ વખતે ધર્મપ્રાપ્તિ થાય છે, પરંતુ તે અતાત્ત્વિક - સાધારણ હોય છે. દીક્ષાને યોગ્યના ગુણ શાસ્ત્રકાર એવા કહે છે કે “તે આર્યદેશમાં ઉત્પન્ન થયેલ, વિશિષ્ટ કુળવાળો, કર્મમલબુદ્ધિ જેની ક્ષીણપ્રાય થઈ હોય તે. જેને એમ લાગતું હોય કે મનુષ્યજન્મ દુર્લભ છે, જન્મમરણ નિમિત્તરૂપ છે, લક્ષ્મી ચપલ છે, વિષયો દુઃખના હેતુ છે, સંયોગવિયોગ થયા કરે છે, પ્રતિક્ષણે મરણ થાય છે, અને કર્મનાં ફલ દારુણ છે આવા આવા વિચારો ભાવતો હોય, સંસારથી વિરક્ત હોય, જેના કષાય ઓછા હોય, હાસ્યાદિ અલ્પ હોય, જે કૃતજ્ઞ, વિનીત, હોય, જે પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પહેલાં પણ રાજ્ય, પ્રધાન, નગરવાસી વગેરેમાં બહુમાન પામેલ હોય, અદ્રોહ કરનાર, કલ્યાણ કરનાર, શ્રાદ્વગુણસંપન્ન હોય.” આવી સ્થિતિનો જે પ્રાણી ઉન્નતિક્રમમાં વધેલો હોય છે તે પ્રવ્રજ્યાને યોગ્ય ગણાય છે. અને તે ધર્મસંન્યાસને આરાધી શકે છે. આટલા પરથી સમજાશે કે ઉપરઉપરનો અતાત્ત્વિક ધર્મસંન્યાસ છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકે (સર્વવિરતિ ગુણસ્થાનકે) થાય છે, પરંતુ તાત્ત્વિક ધર્મસંન્યાસની પ્રાપ્તિ આઠમા ગુણસ્થાનકે (અપૂર્વકરણ ગુણસ્થાનકે) થાય છે, ત્યારે ક્ષાયોપમિક ભાવો નાશ પામે છે, અને મોહ વગેરે ઘનઘાતી કર્મોનો નાશ થતો જાય છે. (આ બીજા અપૂર્વકરણ વખતે પ્રાણી ક્ષપક શ્રેણી માંડે છે, અને પ્રથમ અપૂર્વકરણ વખતે ગ્રંથિભેદ કરે છે તે - Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૨૦૭ આપણે ઉપર જોઈ ગયા છીએ.) અને યોગસંન્યાસ કેવલજ્ઞાનનો યોગ થવા પછી શૈલેશી અવસ્થાના ફલરૂપે ભવોપગ્રાહી કર્મના નાશ થવા રૂપેની સ્થિતિએ પહોંચ્યા પછી અયોગગુણસ્થાનની અવસ્થામાં પ્રાપ્ત થાય છે. (અહીં યોગનો અર્થ મનાદિયોગનો અયોગ એ સંપૂર્ણપણે થાય છે.) હવે યોગીઓના ભેદ પર ગયા પહેલાં ૫ પ્રકારના યમ અને ત્રણ પ્રકારના અવંચકભાવ વિચારી જઈએ : પાંચ પ્રકારના યમ નામે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – અકિંચનત્વ (મહાવ્રત) આપણે જાણીએ છીએ, તે ૫ યમનું હવે પછી વિવેચન થશે. કારણ કે યોગનાં ૮ અંગમાંનું પ્રથમ અંગ છે. બીજી રીતે યમના ૪ ભેદ પાડવામાં આવ્યા છે. યમના ચાર ભેદ યમના ૪ ભેદ આ પ્રમાણે ઃ ૧. ઇચ્છાયમ, ૨. પ્રવૃત્તિયમ, ૩. સ્થિરયમ, અને ૪. સિદ્ધિયમ. હવે તે દરેક લઈએ. ૧. ઈચ્છાયમ – જે યમી – યમમાં પ્રવૃત્ત હોય તેની કથા શ્રવણ કરવામાં આનંદ આવે અને તેવા યમ કરવાની ઇચ્છા થાય તે ઇચ્છાયમ. ૨. પ્રવૃત્તિયમ - ઈચ્છાથી આગળ વધી જેમાં પ્રવૃત્તિ થાય એટલે ઉપશમભાવપૂર્વક યમનું પાલન કરવું તે પ્રવૃત્તિમ. ૩. સ્થિરયમ - ક્ષયોપશમભાવથી સ્વભાવતયા અતિચાર(દોષ)ની ચિંતારહિતપણે જે યમનું પાલન કરવું તે સ્થિરયમ. ૪. સિદ્ધિયમ - શુદ્ધ અંતરાત્મામાં ઉત્કૃષ્ટ સિદ્ધિસાધક યોગની અચિંત્ય વર્ષોલ્લાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે. આમાં ઉત્કૃષ્ટ યમપ્રાપ્તિ થાય છે. અને તેથી આસપાસ વૈરત્યાગ થઈ જાય છે. (યોગદષ્ટિસમુચ્ચય. ૨૧૨-૨૧૬) અવંચકના ત્રણ ભેદ અવંચક એ અવ્યક્ત સમાધિ છે અથવા ક્ષયોપશમને લઈને તેના જેવો આશયવિશેષ છે. તે ત્રણ જાતનાં છે. તેનું ટૂંક લક્ષણ મિત્રાદષ્ટિમાં આગળ પાદટીપમાં કહ્યું છે. તે ત્રણનાં નામ ૧. યોગાવંચક, ૨. ક્રિયાવંચક અને ૩. ફલાવંચક છે. ૧. યોગાવંચક – વિશિષ્ટ પુણ્યવાનું સપુરુષો અને જેનાં દર્શનથી પવિત્ર થવાય એવાનાં દર્શનનો યોગ – લાભ તે યોગાવંચક. ૨. ક્રિયાવંચક – તેવા સપુરુષોને પ્રણામ કરવા તેમજ બીજી તેવી ક્રિયા કરવી છે. આથી મહાપાપ -- નીચગોત્રકર્મનો ક્ષય થાય છે. ૩. ફલાવંચક – આ છેલ્લો ફલાવંચકયોગ તે ઉપરના બેથી – સત્પરષોના નિયોગથી શુભ અનુબંધરૂપ ધર્મસિદ્ધિમાં ફળની પ્રાપ્તિ થવી તે છે. (યો.દ.સ. ૩૪-૨૧૭-૨૧૯) ૧. જૈનો જેને ‘વત’ કહે છે તેને સાંખ્ય – યોગદર્શન ‘યમ' કહે છે. હિંસીસિત્યાસ્ત બ્રહ્મ રિગ્રહ યમ: – પાતંજલ યોગસૂત્ર ૨-૩. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યોગીના ભેદો ૧. ગોયોગી – કુલયોગી – જે યોગીના ગોત્ર કે કુલમાં ઉત્પન્ન થયેલા હોય તે ગોત્ર-કુલયોગી છે. તેઓ પોતાના ચિત્તમાં એમ માને છે કે અમો પણ યોગી છીએ. જેના ધર્માચાર રૂઢિમાર્ગને અનુસરતા હોય એવા સામાન્ય બુદ્ધિએ વર્તતા સર્વ તાપસાદિ કુલયોગી છે. તેના વિશેષ ગુણ એ છે કે તે સર્વત્ર અષી છે, ગુરુ-દેવ-દ્વિજ વગરે તેને પ્રિય છે, દયાલ, વિનીત બોધવાન અને યતેંદ્રિય છે. ૨. પ્રવૃત્તચક્રયોગી – જેનામાં ઉપર કહેલ ચારમાંના પ્રથમના બે યમ હોય, શુશ્રુષા આદિ આઠ ગુણ હોય અને ઉપર કહેલ ત્રણ અવંચક યોગમાંથી પહેલો યોગાવંચક પ્રાપ્ત થયો હોય અને બીજા બે ક્રિયા ને ફ્લાવંચક ભાવની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તે પ્રવૃત્તચકયોગી કહેવાય છે. તેને જૈનમાં “સંવિજ્ઞપક્ષી” પણ કહેલ છે. વળી યોગની અંતરંગ સ્થિતિ પ્રમાણે જેવા જેવા યોગ વર્તે તે પ્રમાણે અનેક ભેદો યોગીના પાડી શકાય તેમ છે. ગ્રંથિભેદ થયા પછી અવિરતિ દશામાં રહેનાર જીવોને અદ્રતીયોગી, દેશથી – અમુક અંશે લીધેલ યમી શ્રાદ્ધને દેશવિરતિયોગી, સર્વથા પંચ યમ કરનાર મહાત્માને સર્વવિરતિયોગી કહેવાય છે. વળી એ સર્વવિરતિ યોગીઓમાં પણ જેઓ અપ્રમત્ત દશામાં હોય છે તેમાંના કેટલાક શ્રેણીઆરૂઢ અને શ્રેણીઅનારૂઢ અવસ્થામાં હોય છે. વળી શ્રેણીગત યોગીઓમાં કેટલાક ઉપશમ શ્રેણીગત અને કેટલાક ક્ષાયિકશ્રેણીગત હોય છે. ક્ષાયિકશ્રેણીગતમાં કેટલાક સયોગી અને કેટલાક અયોગી, પરમયોગી હોય છે. (યો.દ.સ. ૨૦૬-૨૧૦) યોગપ્રાપ્તિના ઉપાય યોગની પ્રાપ્તિ માટે પૂર્વસેવા” – પૂર્વસાધન કરવાની જરૂર છે. જીવ ગમે તે યોનિમાં હોય તથાપિ તે ભવ્ય હોવા છતાં પણ જો ચારિત્રવાનું (દેશથી કે સર્વથા) ન હોય ત્યાં સુધી તેને યોગ પ્રાપ્ત થવાનો સંભવ નથી. આ પર દષ્ટાંત એ કે તૃણ છે તે ગાય ખાય છે અને તેનું ઘી થાય છે એટલે તૃણ ધૃતયોગ્ય છે, પરંતુ તે તૃણ ધૃતયોગ્ય છતાં પણ તૃણ તૃણાવસ્થામાં જ રહે તો વૃત થતું નથી, તેમ જીવ જે સ્થિતિમાં હોય તેમાં જ રહે ને ચારિત્રવાન્ ન થાય તો તે ભવ્ય – યોગ્યતાવાળો હોવા છતાં પણ યોગરૂપી પરિણામને પામતો નથી. આ પરથી જાણવાનું કે પૂર્વે કહેલ અધ્યાત્મ આદિ યોગ પ્રાપ્ત કરવાને ચારિત્રાદિ પૂર્વાગની જરૂર છે. પહેલા ચિત્તની નિર્મલતા જોઈએ. તેમ થતાં પૂર્વે કહેલ અધ્યાત્મયોગ પ્રાપ્ત થાય છે. હવે તે નિર્મલ કરવામાં પૂર્વસેવા ઉપયુક્ત છે અને તે “પૂર્વસેવા' શું છે તે કહે છે. પૂર્વસેવા ૪ પ્રકારની છે ? – ૧. ગુરુદેવાદિપૂજન, ૨. સદાચાર, ૩. તપ અને ૪. મુક્તદ્વેષ. ૧. ગુરુદેવાદિપૂજન – (અ) ગુરુમાં માતા, પિતા, કલાચાર્ય, તેમના સંબંધી, વૃદ્ધો, ધર્મોપદેશકો એ સમાઈ જાય છે. તેમનું ત્રણે સંધ્યા સમયે પૂજન કરવું એટલે નમન ૧. શુષ થવાં જૈવ પ્રહ થાર તથા, હાંડવોદોડWવિજ્ઞાને તત્ત્વજ્ઞાન ૨ થીગુT: આ આઠ બુદ્ધિના ગુણ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૨૦૯ કરવું અને તેઓનો અવસર – સંજોગ પ્રાપ્ત ન થાય તો ચિત્તમાં તેમને આરોપી નમન કરવું. તેમનો ઊભા થઈ સત્કાર કરવો, વિનયથી ભાષણ કરવું, આસન-ભોજનાદિ આપવાં વગેરે. (બ) દેવપૂજન દ્રવ્યથી અને ભાવથી થાય છે. દ્રવ્યથી વિશિષ્ટ વસ્તુ ઉપચારથી - ઉત્તમ પુષ્પ, બલિ, વગેરેથી પૂજા કરવી તે. અને ભાવપૂર્વક મનમાં તેઓને સ્થાન આપવું તે. જેવા કે સ્તોત્રાદિ સ્તુતિ અને ધ્યાનથી ભાવવું તેને ભાવપૂજન કહે છે. જો અમુક દેવમાં સવના ગુણો હોવાનો નિર્ણય ન થઈ શક્યો હોય તો પ્રશસ્ત આશયવાળા ગૃહસ્થે સર્વ દેવની પૂજા કરવી. અમુક એક જ દેવને નમસ્કાર કરવાની આગ્રહબુદ્ધિ કરતાં આવી ઓઘદષ્ટિથી સર્વદેવોને નમસ્કાર કરવા તે અપેક્ષાએ સારું છે. શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે : “જે એક જ દેવને ન વળગી રહેતાં સર્વ દેવને નમસ્કાર કરે તે જિતેન્દ્રિય અને જિતક્રોધ જનો ઉત્તમ ગતિ પામે છે. આને માટે શાસ્ત્રકાર ચારિસંજીવની ચાર ન્યાય બતાવે છે. આ રીતે કરવાથી માર્ગદર્શીપણું આવે છે. અને વિશેષ બોધ થતાં સર્વ કરતાં અમુક દેવ ગુણથી અધિક છે એમ નિશ્ચય થાય છે – સદેવતત્ત્વનું જ્ઞાન થાય છે ત્યારે અન્યનો દેષ કર્યા વિના જ તે દેવ ઉપર પૂર્ણ શ્રદ્ધારૂપ ઇષ્ટ સિદ્ધિ થાય છે. (ક) અન્યપૂજન – એટલે પાત્ર એના વ્રતસ્થ પુરુષો કે જે વિશેષે ભિક્ષામાત્રથી નિર્વાહ કરે છે તે તથા પોતાના સિદ્ધાંતાનુસાર અવિરુદ્ધ આચરણ આચરે છે તે પ્રત્યે, તેમજ દીન એવા અંધ, વ્યાધિગ્રસ્ત, ગરીબ, નિર્વાહ કરવામાં અશક્ત એવા પ્રત્યે, પોતાના કુટુંબ આદિ પોષ્ય વર્ગનું પોષણ કરવામાં બાધ ન આવે એવી રીતે ધર્મથી અવિરુદ્ધપણે એટલે દેનાર અને લેનારને દોષ ન આવે એવી રીતે દાન કરવું એ પણ પૂજનપ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવના એ ચાર અંગવાળા ધર્મનું પ્રથમ અંગ १. सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः । જિતેન્દ્રિય નિતwોધા દુષ્પતિતત્તિ તે . યોગબિંદુ. ૧૧૮ ૨. આ ન્યાય આ પ્રમાણે છે : એક ગામમાં એક બ્રાહ્મણની પુત્રીને એક બહેનપણી હતી તે પરણી એટલે જુદી પડી, ને બ્રાહ્મણીનો પતિ તેને તેની સખી પાસે જવા ન દે તેથી તે ઘણી ક્લેશ પામવા લાગી. એવામાં બ્રાહ્મણને ઘેર પરોણા આવ્યા. તેમણે તેને ઉદાસ દેખી કારણ પૂછતાં એક ઔષધિ આપીને કહ્યું કે આનાથી તારો પતિ બળદ થઈ જશે. પરોણા ગયા પછી બ્રાહ્મણીએ ઔષધિ અજમાવી તો બ્રાહ્મણ બળદ થઈ ગયો. પછી ઘણો પશ્ચાત્તાપ કરતી તેને જંગલમાં ઘાસ ચરાવતી ફરે પણ કાંઈ વળે નહિ. એવામાં એક વડની હેઠે બેઠી હતી ત્યાં આકાશગામી જોડલું તેની શાખામાં આવી બેઠું. તેમણે પરસ્પર વાત કરી કે આ બળદ ખરો બળદ નથી, પણ પુરુષ છે અને જો આ વડ નીચે સંજીવની ઔષધિ છે તે સુંઘે તો પુરુષ થાય. આ પ્રમાણે બ્રાહ્મણીએ સાંભળતાં તે કઈ ઔષધિ છે તે ખબર ન હોવા છતાં બધી વનસ્પતિ તે ઝાડ નીચે હતી તે ખવરાવી અને એને ચરાવતાં ચરાવતાં – ચારો આવતાં તે બળદ પુરુષ થઈ ગયો. જેમ આ પુરુષને પેલી સખી પાસે લઈ જવા બળદ કર્યો અને ચરાવ્યો (ચારિ) અને સંજીવની ઔષધનો ચારો (ચાર) કરાવ્યો ને તે પુરુષ થયો. (તે ચારિસંજીવની ચાર ન્યાય કહેવાય છે.) તે પ્રમાણે ગુરુ બળદ જેવા શિષ્યને વિવિધ દેવના પૂજનાદિમાં ચારતે ચારતે છેવટ સમ્યગ્દવતારૂપી સંજીવની બતાવે છે. અને યોગ્ય જ્ઞાન ઉપર લઈ જાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો - પદ દાન છે. અને તે દારિદ્રયનો, દુર્ગતિનો નાશ કરે છે અને કીર્તિમાં વધારો કરે છે. ૨. સદાચાર – નીતિના ઉત્તમ નિયમોનું અનુસરણ તે સદાચાર છે. તેમાં અનેક ગુણો આવે છે. બહુ અગત્યના ગુણો લઈએ તો લોકમાં પોતાની અપકીર્તિ થાય તો તે માટે મરણથી પણ વિશેષ ભય લાગે તે લોકાપવાદભીરુત્વ, દુઃખી પ્રાણી ઉપર દયા લાવી તેના ઉદ્ધાર અર્થે પ્રયત્ન તે દીનોદ્ધારનો આદર, પારકાના ઉપકારની કદર કરવી તે કૃતજ્ઞતા, ગંભીરધીર પ્રાણી મત્સર રહિત થઈ પ્રકૃતિથી જ બીજાનાં કાર્યો કરવાની તત્પરતા તે દાક્ષિણ્ય, બીજાની નિંદાનો ત્યાગ, સાધુપુરુષોની પ્રશંસા, દુઃખ પ્રસંગે અદીનભાવ, સંપત્તિ સમયે નમ્રતા, પ્રસંગે મિત અને હિત ભાષણ, પ્રતિજ્ઞાપાલન, વ્રતનિયમાદિ ક્રિયા, અને અવિરુદ્ધ સ્વકુલના આચારનું અનુસરણ, અસત્ અથવા અનુપયોગીમાં ધનના વ્યયનો ત્યાગ, દેવપૂજનાદિમાં વ્યય, વિશિષ્ટ ફલ આપનાર પ્રયોજનમાં આગ્રહ, મદ્યપાનાદિ પ્રમાદનો ત્યાગ, લોકાચારનું અનુસરણ, ઔચિત્યનું સ્વ અને પરપક્ષે પાલન, પ્રાણ જાય તો પણ નિંદિત કાર્યમાં અપ્રવૃત્તિ વગેરે સદાચાર છે. યોગાધિકારી ઉત્કૃષ્ટ નૈતિક ધર્મ પાળનાર હોવો જોઈએ. નીતિ ઉત્તમ ન હોય તો યોગની પ્રાપ્તિ અલબ્ધ છે. નૈતિક થયા વગર ગ્રંથિભેદ થાય નહિ. ૩. તપ – ચાંદ્રાયણ, કછુ આદિ અનેક પ્રકારના તપ છે. તપ જે બાહ્ય અને આંતર કહેલ છે તેમાં અહીં બાહ્ય તપ યોગ પ્રાપ્તિની પૂર્વાવસ્થામાં ઉપયોગી ગણેલ ભાસે છે. આમ ગણવાનું કારણ એ છે કે દેહની ચૂળ શક્તિઓ ઉપર અંકુશ આવવા ઉપરાંત તે દ્વારા માનસિક વૃત્તિઓ પર પણ એક જાતનો સંયમ પ્રાપ્ત થાય છે. ૪. મુત્યદ્વેષ – આ મહત્ત્વનો અંતરંગ ઉપાય છે. સર્વ કર્મની આત્યંતિક મુક્તિ તે મોક્ષ છે અને ત્યાં ભોગ કે ક્લેશ હોતો જ નથી. આવી મુક્તિ પ્રત્યે ભવાભિનંદીનો આદર હોતો નથી. તેઓ એમ કહે છે કે “મોક્ષ જેવી વસ્તુ જ ક્યાં છે ? હોય તો ત્યાં જઈને શું કરવાનું છે ?” -- “મોક્ષ એ અનિશ્ચિત છે. માટે એ નિશ્ચિત વિષય વિનાની વાતની ઇચ્છા કરવા કરતાં રમ્ય વૃંદાવનમાં શિયાળ થઈને ભટકવામાં વધારે સુખ છે.” આવા મુક્તિદ્વેષી પ્રલાપ મોહમાં ડૂબતા થઈ સંસારને વધારે છે. જેઓ આવા નથી, મોક્ષ પ્રત્યે દ્વેષ રાખતા નથી તે પુરુષો ભવબીજનો ત્યાગ કરી, ચરમપુદ્ગલાવર્ત કરી કલ્યાણભાગી થાય છે. આથી જડવાદ (materialism), સમાજને સુખ થાય તેટલું કરવું, તેથી વિશેષ નહિ એવો જનસુખવાદ (utilitarianism), ખાઓપીઓ ને મજા કરો એવો ચાર્વાક આદિનો નાસ્તિકવાદ વગેરેનો પરિહાર કરી મુક્તિના ખરા સ્વરૂપ પ્રત્યે આધાર રાખવાથી મોક્ષમાર્ગોપયોગી અધ્યાત્મયોગ પમાય છે. પૂર્વે કથેલ ગુરુદેવાદિ પૂજન વગેરે કરતાં આ વિશેષ ઉપયોગી અને મહત્ત્વનો છે. (યોગબિંદુ. શ્લોક ૯૪-૯૭, ૧૦૯) પાંચ પ્રકારનાં અનુષ્ઠાન કેટલાંક અનુષ્ઠાન એવાં હોય છે કે જેથી યોગની પ્રાપ્તિ થતી નથી. તે દ્રવ્યાનુષ્ઠાન હોય છે. તેમાં આશય મૂલ હોતો નથી યા હોય છે તો અશુભ આશય હોય છે. તે માટે તે આશય પરથી અનુષ્ઠાનના બે પ્રકાર પાડયા છે. ૧. ભવાભિવંગથી Page #232 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૨૧૧ અને ૨. અનાભોગથી. ભવાભિમ્બંગ એટલે આ લોક અને પરલોકમાં (જેવી કે કીર્તિ, સ્વર્ગસુખ વગેરે) ફલની અપેક્ષા, કારણકે તેથી જ સંસારનો સંબંધ રહ્યા જ કરે છે. અનાભોગ એટલે કરાતાં કર્મમાં અનધ્યવસાય – અનવધાનતા - અસાવધાનતા (અનુ=નહિ + આભોગ=અધ્યવસાય). આ બંનેથી થતાં અનુષ્ઠાનો યોગપ્રાપ્તિ થયાં પહેલાં એટલે ચરમાવર્તથી અન્ય આવર્તામાં હોય છે, કારણકે ચરમાવર્તમાં સહજ અલ્પ કર્મમલ હોય છે એટલે તેમાં જ યોગપ્રાપ્તિ થાય છે. ઉપર ગુરુદેવાદિપૂજન જે બતાવ્યાં તેમાં જેવો આશય રાખીએ તેવું ફળ મળે છે, અને તે હલકો આશય બે પ્રકારનો છે તે ઉપલા ફકરામાં કહ્યું. તે પરથી અને ઉચ્ચ આશય પરથી અનુષ્ઠાનના પાંચ ભાગ કર્યા છે. ૧. વિષ ૨. ગરલ ૩. અનનુષ્ઠાન ૪. તહેતુ અનુષ્ઠાન પ. અમૃત અનુષ્ઠાન. આમાં પહેલાં ત્રણ ચરમાવર્તથી પૂર્વના આવર્તામાં હોય છે અને છેલ્લાં બે ચરમાવર્તમાં હોય છે. ઉપર્યુક્ત પૂર્વસેવા એકની એક જ છતાં કર્તાના આશયભેદે ચરમાવર્તમાં – યોગની પ્રાપ્તિના સમયમાં ગુરુદેવાદિ પૂજન અન્ય પ્રકારનું થાય. તે પાંચ અનુષ્ઠાનનાં લક્ષણ જોઈએ. ૧. વિષાનુષ્ઠાન – કીર્તિ આદિની સ્પૃહાથી પરિશુદ્ધ એવા અંતઃકરણના પરિણામનો વિનાશ કરવો તે વિષાનુષ્ઠાન છે. આમાં લઘુ - તુચ્છ ભાવનો આશય હોવાથી તેમજ આત્માને વિષ જેમ તુરત ફલ આપે તેમ તુરત ફલ આપતું હોવાથી વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. ૨. ગરલાનુષ્ઠાન – સ્વર્ગભોગાદિ ઈચ્છાથી જે અનુષ્ઠાન તે “ગર' કહેવાય. કારણ કે આમાં પણ શુદ્ધચિત્તનો નાશ થવાથી અનેક જન્મમરણના ચક્રમાં પડાય છે. બહુ સમયે તેનું ફળ થાય છે તેથી ગર નામ આપ્યું છે, જ્યારે ઉપર્યુક્તનું ફલ તુરત થાય છે તેથી ‘વિષ' નામ તેને અપાયેલું છે. બાકી બંનેનો અર્થ એક જ એટલે ઝેર થાય છે. ઉપલાં બંને ભવાભિમ્બંગથી થાય છે. ૩. અનનુષ્ઠાન – અનાભોગથી થતું અનુષ્ઠાન તે અનનુષ્ઠાન કહેવાય છે. અનાભોગથી એટલે મૂચ્છમાં રહેલ મનથી અથવા સંપ્રમુગ્ધ મનથી પૂર્વસેવાનું અનુષ્ઠાન તે અનનુષ્ઠાન જ કહેવાય, કારણકે ચિત્તના અપ્રણિધાનથી કરેલી સેવા તે ન કર્યા જેવી જ છે – અનુષ્ઠાન છતાં પણ અનનુષ્ઠાન જ છે. આ અનુષ્ઠાન ઉપર કહેલ અનાભોગથી થાય છે. ૪. તદુહેતુ અનુષ્ઠાન - ઉપર્યુક્ત પૂર્વસેવાદિ પરમરાગપૂર્વક કરવી તે સદનુષ્ઠાનનો ઉત્તમ હેતુ હોવાથી તેને તદુહેતું અનુષ્ઠાન કહેવામાં આવે છે. આમાં મુજ્યદ્વેષરૂપ સદ્ભાવનો અંશ રહે છે તેથી તે સદ્દભાવનો હેતુ છે. આ પ્રાયઃ ચરમાવર્તમાં થાય છે. પ. અમૃત અનુષ્ઠાન – ભાવ - શુદ્ધ શ્રદ્ધા જેમાં પ્રધાન છે અને જે સંવેગ એટલે નિર્વાણાભિલાષાથી અત્યંત ગર્ભિત છે એવું જે સેવાદિનું અનુષ્ઠાન તેને અમૃતા અનુષ્ઠાન કહેવામાં આવે છે, કારણકે તે આત્માને અમૃત સમાન છે. આ છેલ્લા બે ચરમાવર્તમાં – યોગની પ્રાપ્તિના સમયમાં થાય છે. પૂર્વાવર્ગોમાં દેવાદિપૂજન હતું તે નિશ્ચયે યોગની અયોગ્યતાપૂર્વક હોય છે, જ્યારે શરમાવર્તમાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દેવાદિપૂજન સમુલ્લસિત યોગના યોગ્ય ભાવમાં હોય છે. આ બંનેમાં ફેર છે. આ પરથી સમજાશે કે અમુક ફલની અપેક્ષાથી અનુષ્ઠાન કરવાં તે વિષ અને ગરલ છે. માત્ર અનુષ્ઠાન ખાતર જ અનુષ્ઠાન કરવાં. ફલની ઈચ્છા ન રાખવી.' (યોગબિંદુ, ૧૫૦-૧૬૧) અષ્ટાંગ યોગ – યોગનાં આઠ અંગ ૧. યમ, ૨. નિયમ, ૩. આસન, ૪. પ્રાણાયામ, ૫. પ્રત્યાહાર, ૬. ધારણા, ૭. ધ્યાન અને ૮. સમાધિ એ યોગનાં આઠ અંગ છે. ૧. યમ – સંસારસમુદ્રને ઓળંગવામાં આત્મીયગુણો – જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટાવવાની જરૂર છે. તેમ થવા માટે ત્રણ તત્ત્વ નામે દેવ, ગુરુ અને સધર્મ પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. આ શ્રદ્ધા બરાબર ટકી શકે તે માટે રાગદ્વેષરહિત વીતરાગ એવા સદૈવ તત્ત્વને શોધવા જોઈએ. તે તત્ત્વ બતાવનાર તરીકે નિઃસ્પૃહ, સમતાવાન અને શુદ્ધ તત્ત્વનો યથાર્થ બોધ કરનાર, ક્ષમા આદિ દશ ધર્મ અને પંચમહાવ્રતધારક સદ્ગરનું સ્વરૂપ જાણવું જોઈએ અને તેવા સદ્ગુરુ મળે તે પાસેથી અગર શાસ્ત્રથી સધર્મનું સ્વરૂપ સમજવું જોઈએ. આમ સુદેવ, સુગર, સુધર્મની બરાબર શોધ કરી તેમને આદરવા તેને “સમ્યક્ત' કહેવામાં આવે છે; તેમજ જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજી તેમાં શ્રદ્ધા રાખી જડ અને જીવનો ભેદ વહેંચવા રૂપે આત્મજ્ઞાનને “સમ્યકત્વ' કહેવામાં આવે છે. આ સમ્યક્ત્વ થયું કે નહિ તેની નિશાની તરીકે તેનાં પાંચ ‘લિંગ' કહ્યાં છે. (૧) તીવ્ર કષાયના ઉદયના ત્યાગરૂપ શમ, (૨) મોક્ષની અભિલાષા રૂપ સંવેગ (૩) સંસાર પર ખેદ – અનાદરવૃત્તિ તે નિર્વેદ (૪) કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર દુઃખી પ્રાણીને દુઃખમાંથી છોડાવવાની ઇચ્છા તે અનુકંપા, (૫) શુદ્ધતત્ત્વ પર શંકારહિતપણું તે આસ્તિક્ય. આ પાંચ લિંગ પરથી સમ્યકત્વના અસ્તિત્વની ખબર પડે છે. ગ્રંથિભેદ થઈ સમ્યક્ત્વ પામ્યા પછી પ્રાણી દેશવિરતિપણું પ્રાપ્ત કરે છે. એટલે પાંચ યમોને અમુક અંશે પ્રાપ્ત કરે છે. અહીં હિંસાદિનો ત્યાગ શૂલપણે થાય છે, અને પછી સર્વથા ત્યાગ કરી સર્વવિરતિપણું પ્રાપ્ત કરે છે. આ પાંચ યમો (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ છે. જેનો તેને “વ્રત' કહે (૧) અહિંસા – પ્રમાદના યોગથી ત્રસ કે સ્થાવર જીવોનો નાશ ન કરવો તે. (૨) સત્ય – પ્રિય, પથ્ય (હિતકારી), અને સત્યવચન બોલવું તે. (૩) અસ્તેય – અદત્ત વસ્તુનું નહિ લેવું તે. ૧. આ સાથે વૈષ્ણવો જેને “સમર્પણ' કહે છે તે સરખાવો. તેઓ સર્વ કિયા તેમના પ્રભુને અર્પણ કરે છે. આમાં પ્રભુને આપવાથી પ્રભુ કંઈ લેતો નથી, લેવાની તેને ઇચ્છા નથી – તેની પાસે અખૂટ નિધિ છે, પરંતુ આમાં રહસ્ય એ છે કે મમકાર છોડી, હું કરું છું એ ભાવ તજી પ્રભુ અર્થે સર્વ છે એમ ભાવના ભાવવામાં ફલની અપેક્ષા રહેતી નથી. વળી શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે : ____ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । Page #234 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૨૧૩ (૪) બ્રહ્મચર્ય - સ્થૂલથી સ્વદારાસંતોષ, પરસ્ત્રીમૈથુનથી વિરમણ અને સૂક્ષ્મથી મૈથુનનો સર્વથા ત્યાગ. (૫) અપરિગ્રહ -- સર્વભાવમાં મૂચ્છ – મોહનો ત્યાગ તે. આ બધાં વ્રત સ્થૂલથી હોય છે – અમુક અંશે હોય છે ત્યારે દેશવિતિ – દેશત્યાગ કહેવામાં આવે છે (શ્રાવકનાં અણુવ્રત). સૂક્ષ્મથી - સર્વથા હોય છે ત્યારે સર્વવિરતિ – સર્વત્યાગ – સર્વથાત્યાગ કહેવામાં આવે છે. (સાધુનાં પ મહાવ્રત.) ૨. નિયમ – પાતંજલ યોગશાસ્ત્ર પ્રમાણે શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમો છે તેનું ટૂંકું લક્ષણ બીજી તારાદષ્ટિમાં આપેલ છે. આના સંબંધમાં વિવેચન કરતાં શ્રીમદ્ યશોવિજયજી પોતાની બાવીશમી બત્રીશીમાં કહે છે કે શૌચથી છઠ્ઠી અશુચિભાવના ભાવી શરીર પર જુગુપ્સા થાય છે. આથી આત્મગુણની વૃદ્ધિ થતાં રજસ્ અને તમોભાવ અભિહત થાય છે, ઈદ્રિય ઉપર જય સધાય છે અને આત્મદર્શન કરવાને યોગ્યતા પ્રાપ્ત થાય છે; સંતોષથી ઉત્તમ પ્રકારનું આત્મિક સુખ થાય છે, સ્વાધ્યાયથી ઇષ્ટ દર્શન થાય છે, તપથી શરીર અને ઈદ્રિય પર બહુ ઉત્તમ પ્રકારનો અંકુશ આવે છે, અને ઈશ્વરપ્રણિધાનથી આત્મસમાધિ પ્રાપ્ત થાય છે. જૈનમાં શ્રાવકના ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ નિયમો છે. આમાં ૫ અણુવ્રત કે જેનું યમમાં નિરૂપણ થયું તે ઉમેરતાં શ્રાવકનાં બાર વત થાય છે. આ ગુણવ્રત અને શિક્ષાવ્રતનો સાધુનાં પાંચ મહાવ્રતમાં સહજ સમાવેશ થાય છે. પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) એ પણ નિયમ છે. ૩. આસન -- આની અનેક પ્રક્રિયાઓ યોગશાસ્ત્રકારોએ બતાવી છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં પર્યકાસન, વીરાસન, વજાસન, અબ્બાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાન, ગોદોહિકાનન, તથા કાયોત્સર્ગનું લક્ષણ બતાવેલ છે. આ વિષય તેના અભ્યાસી પાસેથી જાણવા જેવો છે. જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનાનું જાણવું. આસન ધ્યાનની પ્રાથમિક અવસ્થામાં આવશ્યક છે, પરંતુ એ માટે એક નિયમ નથી. ઈદ્રિયોની ચપળતા ન થતાં મન વિકલ્પ પર ન ચડે તે માટે આસન ઉપયોગી ગણેલ છે. ૪. પ્રાણાયામ – પ્રાણ પાંચ પ્રકારના છે : પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. પ્રાણવાયુ નાસિકાના અગ્રભાગ, હૃદય, નાભિ અને પગના અંગૂઠામાં રહે છે ને લીલા વનો હોય છે. અપાનવાયુ કાળા રંગની અને ગળાની પાછળની નાડીઓમાં, ગુદામાં અને પગના પછવાડેના ભાગમાં રહે છે. સમાનવાયુ શ્વેત છે ને સંધિસ્થાનોમાં રહે છે. રક્ત વનો ઉદાન વાયુ હૃદય, કંદતાળુ અને કપાળના મધ્યભાગમાં રહે છે અને વ્યાનવાયું ઇદ્રધનુષ્યના વર્ણવાળો ચામડીમાં સર્વત્ર રહે છે. આ વાયુનાં લક્ષણ જાણી તેના પર વિજય મેળવવો. તેને પ્રાણાયામ કહે છે. શ્વાસોચ્છુવાસની ગતિનો છેદ કરવો તેને પ્રાણાયામ કહે છે, અને તે રેચક, પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારનો છે. નાભિમાંથી બહુ યત્નપૂર્વક ધીમેથી વાયુને બહાર કાઢવો તે રેચક', બહારથી ખેંચી લીધેલા વાયુને નાભિમાં સારી રીતે ભરીને ત્યાં સ્થાપવો તે “કુંભક, અને ખેંચી લેવાના કાર્યને પૂરક' કહેવાય છે. આ પ્રાણાયામથી શારીરિક અને માનસિક અનેક વ્યાધિઓનો, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નાશ થાય છે. નાડીજ્ઞાન પણ આમાં સમાય છે. ડાબી નાસિકામાં શ્વાસોચ્છવાસ ચાલે તેને ઇડાના ડી (ચંદ્રનાડી) કહે છે, જમણી નાસિકામાંથી પવન ચાલે તેને પિંગલાના ડી (સૂર્યનાડી) કહે છે અને બંને બાજુની નાસિકામાંથી પવન ચાલે તેને સુપુષ્માનાડી કહેવામાં આવે છે. આ નાડી દર વખતે એક જ રહેતી નથી – ફરે છે, અને તે પરથી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે જેને સ્વરોદય જ્ઞાન કહેવામાં આવે છે. આ બધું બીજા પૌગલિક લાભ માટે ન કરતાં આત્મધ્યાનની સિદ્ધિ અર્થે કરવું યોગ્ય છે અને તે અર્થે પ્રાણાયામ ઉચિત છે. પવનનો જય કરવાથી મનનો જય થાય છે, ઈદ્રિયવૃત્તિનો નિરોધ થાય છે. કદર્થના થાય તો તે ઉપયોગી નથી. યોગપ્રાપ્તિમાં બાહ્ય ભાવનું રેચન કરી અંતર્ભાવનું પૂરણ કરવું અને નિશ્ચિત અર્થમાં કુંભન કરવું એ ભાવ પ્રાણાયામ છે. પ. પ્રત્યાહાર – ઈદ્રિયોમાંથી મનને ખેંચી લઈ તથા વિષયોથી વિરક્ત થઈ ધર્મધ્યાનમાં મનને નિશ્ચલ કરવું એ ધ્યાનના પ્રથમ પગલા તરીકે પ્રત્યાહારનું સ્વરૂપદર્શક લક્ષણ છે (યોગશાસ્ત્ર ૬.૬); પ્રશાંતબુદ્ધિ આત્મા પોતાની ઈદ્રિયો અને મનને વિષયમાંથી ખેંચી પોતાની ઈચ્છા હોય ત્યાં ધારણ કરે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે (જ્ઞાનાર્ણવ ૩૦.૧). ભગવાન્ પતંજલિની વ્યાખ્યા લગભગ આવા પ્રકારની છે. જે ઈદ્રિયવૃત્તિ પોતાના વિષયના વિયોગકાળે પોતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે (યોગસૂત્ર ૨.૫૪). આ પ્રત્યાહારથી ઈદ્રિયો સારી રીતે વશ થઈ જાય છે, તેનો જય થાય છે. વિષયાનંદ દૂર થાય છે, અને મન ધ્યેય પર સ્થિર થાય છે. જ્ઞાનાર્ણવકાર કહે છે કે “ઈદ્રિયવિષયોથી નિવૃત્ત થયેલું મને સમભાવ પામે છે, ધ્યાનતંત્રમાં જોડાય છે અને પ્રાણાયામમાં જે સ્વાથ્ય પ્રાપ્ત થતું નથી તે અત્રે થાય છે અને તેથી છેવટે તેનો આત્મામાં લય થાય છે.' વળી તેઓ કહે છે કે “જે મુનિ સંસારદેહભોગથી વિરક્ત હોય, કષાય જેના મંદ થયા હોય, જે વિશુદ્ધભાવયુક્ત હોય, વીતરાગ હોય અને જિકિય હોય તેવાઓએ પ્રાણાયામ કરવો પ્રશંસાયુક્ત નથી.” મતલબ તે અમુક અંશે પગલિક હોવાને લીધે, શરીરને કષ્ટ આપનાર હોવાને લીધે ઉપયોગી નથી – કદાચિત દુધ્યાન એવું અન્નધ્યન કરાવનાર થાય છે. ૬. ધારણા – ધ્યેય દેશ પર ચિત્તને સ્થાપન કરી ત્યાં એકાગ્ર કરવું તેનું નામ ધારણા છે. એ ભગવાન્ પતંજલિની વ્યાખ્યા છે (યોગસૂત્ર ૩.૧). ધારણાના દેશના બે વિભાગ છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય પદાર્થોમાં સગુણ ઈશ્વરનું ધ્યાન કહે છે અને અધ્યેતરમાં નાસિકા, જિલ્લા તથા સપ્તચક્રોની વ્યવસ્થા બતાવે છે. આધારક, સ્વાધિષ્ઠાનચક, કર્મણપૂર, અનાહત ચક્ર, વિશુદ્ધિચક, આજ્ઞાચક અને અજરામરચક્રનું સ્વરૂપ તેઓ બતાવી તેનો પ્રયોગ સગર પાસેથી શીખી લેવાની ભલામણ કરે છે. પતંજલિ જેને અજરામરચક્ર કહે છે તેને જેનો “સિદ્ધશિલા' – ‘લોકાગ્રથિતિ' કહે છે. હેમચંદ્રાચાર્ય નાભિ, હૃદય, નાસિકાના અગ્રભાગો, કપાળ, ભૃકુટિ, તાલુ, આંખ, મુખ, કાન અને મસ્તક એ ધ્યાનની ધારણાનાં સ્થાનકો ગણાવે છે. (યોગશાસ્ત્ર ૬. ). અહીં નિયમ એવો છે કે જેમ ધનુષ્ય પ્રયોગ શીખનાર માણસ પ્રથમ સ્થૂલ વિનો લક્ષ્ય. કરે છે અને ઉત્તરોત્તર સૂક્ષ્મ તરફ વધતો જાય છે તે પ્રમાણે અહીં પ્રથમ બાહ્ય વિષયમાં મૂતે પદાર્થને ધ્યેય કરી ધારણા કરવી અને તેમાં જયારે સિદ્ધિ થાય ત્યારે Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ ૨૧૫. આગળ પ્રગતિ કરી અંતરમાં આત્મસાક્ષાત્કાર થાય તેમ જુદાજુદા સ્થાનકેથી તેને ધ્યેય કરવો. સાલંબન દયાનની પ્રથમ જરૂર છે. એ સિદ્ધ થાય છે. ઉપર ગણાવેલ આઠ અંગોમાંનાં પ્રથમનાં પાંચ અંગ મંદાધિકારી માટે છે અને છેલ્લાં ત્રણ મધ્યમ તથા વિશિષ્ટ અધિકારી માટે છે. ૭. ધ્યાન – આ યોગનું કેંદ્રસ્થાન છે. આ માટે જૈન શાસ્ત્રકારોએ અતિશય અને ખાસ કરી લખેલ છે. ધ્યાન બે પ્રકારનાં છે ૧. કુધ્યાન ર. સુધ્યાન. કુધ્યાનમાં આર્ત અને રૌદ્ર એ ધ્યાનનો સમાવેશ થાય છે અને તેનું ધ્યાન ધરવાથી જીવ સંસારચક્રમાં ભટક્યા કરે છે તેથી તેને મોક્ષપદ મેળવવામાં બિલકુલ સ્થાન નથી છતાં અત્ર ધ્યાનનો વિષય છે. તેથી તેનું ટૂંકું સ્વરૂપ જોઈ જઈએ. આર્તધ્યાન – આર્તિ એટલે પીડા. મનની પીડા – અવ્યવસ્થિત સ્થિતિ થઈ જાય છે તેથી આ ધ્યાન થાય છે. તેના ૪ ભેદ છે (૧) ઈષ્ટ વિયોગજ – જે પ્રિય પદાર્થ નામે માતપિતા, સ્ત્રી-પુત્ર-ધનાદિનો નાશ થતાં – વિયોગ થતાં જે મનમાં દુઃખ ઉત્પન્ન થાય અને તેથી વિલાપ થાય તે. (૨) અનિષ્ટ સંયોગજ – અપ્રિય પદાર્થના સંયોગથી ઉત્પન્ન થયેલું. જેમકે દરિદ્રતા, વૈરીપણું, કુભાર્યા કુપુત્રનો યોગ થતાં જે દુઃખ થાય અને અશુભ ચિંતવન થાય તે. (૩) રોગચિંતાજન્ય – શરીરમાં રોગ થવાથી મનની વ્યથા થાય છે. રોગ વેદનીય કર્મના ઉદયથી થાય છે, છતાં તેની ચિંતા કરવી તે. (૪) અગ્ર શોચજ (ભોગાજ) – કોઈપણ વસ્તુની પ્રાપ્તિ પહેલાં શોચ કર્યા કરવો - પુત્ર ન હોય તેથી ચિંતા કરવી, વ્યાપારધંધો નવા વરસનો કેવો થશે તેની ચિંતા કર્યા કરવી વગેરે. આ સર્વ આર્તધ્યાનમાં શંકા, શોક, ભય, પ્રમાદ, કલહ, ચિત્તભ્રમ, બ્રાંતિ, ઉન્માદ, વિયોત્કંઠા, નિદ્રા, જડતા, મૂચ્છ વગેરે મોહનાં ચિહ્નો સ્પષ્ટ રીતે થાય છે અને તેથી પ્રાણી તિર્ય યોનિ – તિર્યંચગતિનો બંધ કરે છે. આ ધ્યાનના પરિણામ પાંચમા અથવા છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય. રૌદ્રધ્યાન – રૌદ્ર એટલે ભયંકર - શૂર — જેથી ક્રૂર અને કઠોર પરિણામ ઉદ્ભવે તે ધ્યાન. ક્રોધી જીવને રૌદ્રધ્યાન થયાં કરે છે તેથી કઠણ, કમનો બંધ થાય છે. તે ચાર પ્રકારનાં છે (૧) હિંસાનુબંધી (હિંસાનંદી) – જીવની હિંસા કરી હર્ષ પામવો, બીજા હિંસા કરે તેની અનુમોદના કરવી, તેમજ યુદ્ધ વગેરેમાં હજારો માણસોનો નાશ થતો જોઈ હર્ષ પામવો તે હિંસાના પરિણામવાળું ધ્યાન. (૨) મૃષાનુબંધી (મૃપાનંદી) - જૂઠું બોલી હર્ષે પામવો, તે જૂઠું છૂપાવવામાં કપટથી ફત્તેહ મળે તેથી ખુશી થવું ને જૂઠાને ઉત્તેજન આપવું એમ અસર . પરિણામવાળું ધ્યાન. (૩) તેયાનુબંધી (ચીયનંદી) – ચોરી અને ઠગાઈથી હપત થવું, ચોરી કરવાના પરિણામ રાખવા ને ચોરી કરનાર-કરાવનારને ઉત્તેજન આપવું તે. (૪) પરિગ્રહ સંરક્ષણાનુબંધી – સંરક્ષણાનંદી – ધનધાન્યક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, બીજી ધાતુ, દાસદાસી અને ગાયઘોડા એ નવ પ્રકારના પરિગ્રહ વધારવા માટે અનેક જાતના પાપારંભ કરવાનું ચિંતવન કર્યા કરવું, તે માટે કર પરિણામથી ગમે તેવાં પાપનાં કામ કરવાં, ઘણો પરિગ્રહ થવાથી અહંકાર કરવો તે. ચંદ્ર ધ્યાનથી જીવને ઘણા જ કર્મના વિપાક ભોગવવા પડે છે અને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નરક ગતિમાં જવાય છે. આ ધ્યાનના પરિણામ પાંચમાં ગુણસ્થાન સુધી રહે છે અને કોઈકને હિંસાનુબંધી રોદ્રધ્યાનના પરિણામ છેઠા. ગુણસ્થાનકે પણ હોય છે. હવે સધ્યાન લઈશું. તેના મુખ્ય બે પ્રકાર છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન. ધર્મધ્યાનમાં ધર્મ એટલે શુભપરિણામથી વ્યવહારરૂપ ક્રિયા, તેના ઉપાદાનપણે સાધનરૂપ શ્રુતજ્ઞાન અને ચારિત્ર છે. નિશ્ચયથી અભેદ રત્નત્રયી સાધન – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્માનું ધ્યાન કારણકે વઘુસદાવો ઘમ્પો – વસ્તુસ્વભાવ એ જ ધર્મ છે. આત્માનું નિજ સ્વરૂપ – ધર્મ પામવા જે ધ્યાન - તન્મયતાનો ઉપયોગ તે ધર્મધ્યાન છે. તેમાં સર્વાની આજ્ઞા આદિ ચાર ભાગ છે તે ક્રમ સાલંબન યાનનો છે. તે થયા પછી ચિત્તસ્થિરતા થયે નિરાલંબન ધ્યાન થાય છે, કારણકે મૂઢાવસ્થામાં જયાં સુધી યૂલ વસ્તુનો ત્યાગ થયો નથી ત્યાં સુધી આત્મચિંતન થતું નથી. લક્ષ્યમાંથી અલક્ષ્ય, સાલંબનમાંથી નિરાલંબમાં પ્રવેશ કરવા માટે ધર્મધ્યાન છે. ધર્મધ્યાન ચાર પ્રકારનાં છે. (૧) આજ્ઞાવિચય – સર્વાની આજ્ઞા સદ્વહવી, તે પ્રમાણે વર્તન કરવું, એટલે તે આજ્ઞાનો ઉપયોગ હમેશાં કાર્ય કરતાં રાખવો તે. (૨) અપાયવિચય – આત્માના નિજ સ્વરૂપને પ્રકટ કરવામાં અપાય – વિદનરૂપ થતાં રાગદ્વેષ, કષાય, અજ્ઞાન આઝવ વગેરે દોષને દૂર રાખવાનો ઉપયોગ રાખી પોતાના નિજસ્વરૂપનો વિચાર કરવો તે. (૩) વિપાકવિચય – કર્મનાં વિપાક એટલે ફલ અવશ્ય થાય છે તો તે કેવી રીતે અને શું થાય છે તેનો ઉપયોગ રાખી શોક કે હર્ષ ન કરતાં તે કર્મનો બંધ, ઉદય, ઉદીરણા સત્તા આદિનો વિચાર કરવો – તેનું ચિંતન કરવું તે. (૪) સંસ્થાન વિચય – ચૌદ રજું પ્રમાણ લોકના આકારનો વિચાર કરવો તે અને તેની સાથે વિચારવાનું કે પોતે કઈ ગતિમાં ઉત્પન્ન થયેલ છે, અને પોતાનો સમગ્ર લોક સાથે શું સંબંધ છે તે. આ ચારે ધ્યાન ચોથા ગુણસ્થાનથી તે સાતમાં ગુણસ્થાન સુધી શુક્લધ્યાન - નિરાલંબન ધ્યાન છે. કોઈપણ આલંબન વગર કેવળ. આત્મસ્વરૂપથી ત પણે જે ધ્યાન કરવું તે શુભ દયાન. તેના ચાર ભેદ છે. (૧) પૃથર્વ સવિતર્ક સવિચાર - જીવથી અજીવ, સ્વભાવથી વિભાવ, દ્રવ્યથી તેના ગુણપયોય, સ્વધર્મથી પરધમે – એ વગેરેનું પ્રથમણું કરી તેનો વિતર્ક એટલે શ્રુતજ્ઞાન વડે ઉપયોગપૂર્વક વિચાર કરવો તે. આ ૮માથી ૧૧માં ગુણસ્થાનક સુધી રહી શકે છે. (૨) એકત્વ અવિતર્ક અવિચાર એકત્વ વિતકોવિચાર કોઈપણ વિકલ્પ અને વિચાર વગર આત્માના ગુણ ની એકતાનું ધ્યાન કરવું તે – આ બંને પ્રકારમાં ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન હોય છે, અને તે છબસ્થ યોગીને થાય છે. પહેલું ત્રણે યોગવાળાને થાય છે, બીજામાં મનોયોગ રહેલો છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી - મનવચનકાયાના સૂક્ષ્મયોગનું રૂંધન કરવું તથા શૈલેશીકરણ એટલે પર્વતમાન સ્થિરતા કરીને અયોગી. થવામાં નિર્મળ અચલતારૂપ. પરિણામ છે. બીજું શુધ્યાન ઉપર કહ્યું તેની છેવટની. સ્થિતિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીયા ને અંતરાય એ ચારે ઘાતી કમનો સર્વથા ઉદય અને સત્તામાંથી નાશ થાય છે અને પછી, કૈવલ્ય જ્ઞાન - દશેન ઉત્પન્ન થાય છે – નિરાલંબનપણું પ્રાપ્ત થાય છે. યોગ નામમાત્ર રહે છે – કેવલી થાય છે. તીર્થકર નામકર્મ ઉદય આવ્યું હોય તે તીર્થંકર પોતાના અતિયાદિ સહિત થાય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ જૈન યોગમાર્ગ તે આયુષ્ય બાકી રહે તે વખતે ‘કેવલીસમુદ્દાત કરે છે ને તે દ્વારા બાકીનાં કર્મોને આયુષ્કર્મ સમાન સ્થિતિમાં લાવી મૂકે છે એટલેકે એ કૈવલીસમુદ્દાત દ્વારા વધારાનાં કર્મો ભોગવીને ફેંકી દે છે. સમુદ્દાત સાત સમયમાં થાય છે. પ્રથમ સમયે દંડ કરે છે, એટલે ઊર્ધ્વ શ્રેણીએ અને અધોશ્રેણીએ લોકાન્તપર્યંત આત્મપ્રદેશને સીધા ગોઠવે છે, બીજા સમયે કપાટ કરે છે એટલે દંડની બંને બાજુએ આત્મપ્રદેશને ગોઠવીને ઊર્ધ્વ અધો અને તિર્યક્ દિશાએ એક પ્રદેશે પૂર્ણ ચૌદ રજ્જૂપ્રમાણ લોક કરે છે, ત્રીજે સમયે પ્રતર કરે છે એટલે વચ્ચે રહેલા આંતરાઓ આત્મપ્રદેશથી પૂરે છે અને આવી રીતે ચોથા પ્રદેશમાં દરેક આકાશપ્રદેશ પર આત્મપ્રદેશ ચૌદે રાજલોકમાં પૂરી તેના પર કર્મવર્ગણાને ગોઠવી તેને ઝટકો મારી ખંખેરી નાખે છે. પમા, ૬ઠ્ઠા, અને ૭મા સમયમાં તેથી ઊલટી ક્રિયા કરી એટલે પ્રતર, કપાટ અને દંડને સંકેલી નાખે છે. આ રીતે ૭ સમયમાં સમુદ્દાત કરી આત્મપ્રદેશથી સર્વ વિશેષ કર્મોને દૂર કરે છે. આ ‘કેવલીસમુદ્ધાત’ અતિ ‘આશ્ચર્ય’ ઉપજાવે તેવી હકીકત છે. તે સયોગી કૈવલ્યજ્ઞાની સર્વજ્ઞને જ થાય છે. અહીં કાયયોગની ઘણી સૂક્ષ્મ સ્થિતિ હોય છે તેથી તેને સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી ધ્યાન કહેવામાં આવે છે. (૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી મનવચનકાયાના ત્રણે યોગનું રૂંધન કરી સર્વ કર્મક્રિયાથી રહિત જીવ થાય તે સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી શુક્લધ્યાન કહેવાય છે. બધી ક્રિયાનો ઉચ્છેદ થાય છે. સયોગી ગુણસ્થાનક થયા પછી છેલ્લો પંચÇસ્વાક્ષર અ ઇ ઉ ઋ ? – બોલાય તેટલો કાળ બાકી રહે ત્યારે અયોગી નામનું ૧૪મું ગુણસ્થાન પ્રાપ્ત થાય. જીવ સર્વ કર્મનો ક્ષય થતાં વિશુદ્ધ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતાં ઊર્ધ્વગમન કરે છે. (આ કેમ થાય તે ‘મોક્ષતત્ત્વ’માં જણાવેલ છે.) ૨૧૭ સધ્યાનના બીજી રીતે ચાર ભાગ પાડ્યા છે – ધ્યેયના ભેદથી. (૧) પદસ્થ તેમાં પંચપરમેષ્ઠી – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના ગુણનું સ્તવન ધ્યાન કરવું. (૨) પિંડસ્થ શરીરમાં રહેલા ઉક્ત પંચ પરમેષ્ઠી રૂપ આત્મા છે અને તેમાં તેના ગુણ રહેલા છે એમ ધ્યાન કરવું તે. (૩) રૂપસ્થ દેહરૂપ ‘રૂપ’ ધારણ કરેલું હોય છતાં આત્મા અરૂપી અને અનંતગુણી છે એ રીતે ધ્યાન ધરવું તે. આ ત્રણ ધ્યાનનો ધર્મધ્યાનમાં સમાવેશ થાય છે. (૪) રૂપાતીત – આત્મા રૂપથી રહિત નિરંજન નિરાકાર સચિદાનંદ છે એ રૂપ એકતાથી ધ્યાન ધરવું તે. આમાં કર્મનો ક્ષયોપશમ ભાવ ટળે છે. તેથી આ શુક્લધ્યાન છે. ૮. સમાધિ – સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયાં પહેલાં ચૌદમા અયોગીકેવલી ગુણસ્થાને અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે અને એ શુક્લધ્યાનની અતિ ઉત્કૃષ્ટ દશા છે તેથી અહીં સમાધિની જરૂર રહેતી નથી. સમાધિની જે વ્યાખ્યા પતંજલિએ આપી છે, તેવી સમાધિ તો શુક્લધ્યાનની શરૂઆતથી જ થાય છે. પાતંજલ યોગના ધ્યાન અને સમાધિમાં ફેર બતાવતાં કહે છે કે ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે અથવા ધ્યાનમાં ધ્યેયાકાર વૃત્તિનો પ્રવાહ વિચ્છિન્ન હોય છે, જ્યારે સમાધિમાં તે અવિચ્છિન્ન હોય છે. આ સ્થિતિ તો ‘એકત્વાવિચાર શુક્લધ્યાન'માં પણ પ્રાપ્ત થાય છે. આથી જૈન યોગકારોએ શુક્લધ્યાનના ચતુર્થવિભાગમાં ધ્યાનની –યોગની ઉત્કૃષ્ટ અવસ્થા સ્વીકારી છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ પ્રત્યેક આત્મવાદ અને પૃથફ આત્મવાદ પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર સ્વાધીન છે, કોઈ કોઈનો અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. દરેક શરીરે આત્મા પ્રથપૃથક (જુદો જુદો) છે, કોઈ સર્વવ્યાપી આત્માનો તે અંશ નથી, પણ પ્રત્યેક વ્યક્તિ છે, સિદ્ધ – મુક્તદશામાં પણ પ્રત્યેક આત્માનું ભિન્નત્વ પૃથક્યૂથ અવગાહનારૂપે – સ્થિતિરૂપે સ્પષ્ટ વ્યક્તિ અને ભિન્ન રહે છે એ પૃથક આત્મવાદ છે. એ પ્રત્યેક આત્મવાદ અથવા પૃથક્ આત્મવાદ જૈન દર્શનને માન્ય છે. ભિન્નભિન્ન દર્શનકારો આત્માના અનેક પ્રકાર કહ્યું છે, તેની ઉત્ક્રાંતિ અને છેવટની સ્થિતિને અંગે જુદાજુદા વિચાર બતાવે છે : કોઈ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની માયાથી તેના પૃથભેદો થયેલા સમજે છે અને અંત્ય અવસ્થામાં જ્યોતિનો વિસ્ફલિંગ – તણખો જુદો જણાયેલો તે પાછો જ્યોતિમાં મળી જાય છે, પરંતુ પ્રત્યેક આત્મા જુદા નથી, જુદા દેખાતા હતા તે માયાથી લાગતા હતા. (વેદાંત); વળી કોઈ સર્વકાર્યના કર્તાહર્તા ઈશ્વરને માને છે (નૈયાયિક) અને કહે છે કે પ્રત્યેક જીવનું કાંઈ કર્યું કે ધાર્યું થતું નથી; આ પ્રમાણે સુખદુઃખ દેનાર ઈશ્વરને કલ્પી આત્માની શક્તિ દબાવી દે છે અથવા તેની શક્તિને નકામી બતાવી ઈશ્વરેચ્છાને બળવાનું બનાવે છે – વગેરે આત્મા સંબંધી અનેક પ્રકારની માન્યતા છે. તે સંબંધમાં પ્રત્યેક દર્શનકારો શું કહે છે તે સંક્ષેપમાં વિચારીએ. જૈન દર્શનમાં જિનંદ્ર દેવતા છે કે જે રાગદ્વેષથી રહિત છે, મોહ મહામલ્લને હણનાર, કેવલજ્ઞાન અને કેવલદર્શનયુક્ત છે, તેઓ સુરાસુરથી પૂજય, સભૂત અર્થના પ્રકાશક અને સર્વકર્મનો ક્ષય કરીને પરમપદ પામેલા છે. અનાદિકાળથી જીવને કર્મમળનો સંબંધ છે અને તે સંબંધ આત્માના સહગુણ – સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્મચારિત્ર પરમપુરષાર્થથી પ્રગટાવતાં આત્યંતિક તૂટે છે અને આત્મા મુક્તિમાં જાય છે. આત્મા પ્રત્યેક શરીરે દેહપ્રમાણ ભિન્ન છે, અને સર્વે કર્મમળ દૂર કરી મોક્ષમાં જાય ત્યારે પણ તેનું વ્યક્તિત્વ (individuality) સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મમળ આત્યંતિક દૂર થયા પછી ફરીવાર તેને કર્મમળ લાગતો નથી – એટલે મોક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. આવી રીતે મુક્ત જીવોની સ્થિતિ સાદિ અનંતકાળ સુધી થાય છે અને મોલમાં તે સચ્ચિદાનંદ સ્વરૂપે અનંત આત્માનંદ પ્રાપ્ત કરે છે અને તેમાં રમણ કરે છે. આવી રીતે આત્માનો ભેદભેદ સ્વીકારનાર યાદ્વાદ શૈલી જે ચેતનજીવની ઉત્ક્રાંતિ બતાવે છે તે સમજીને વિચારવા યોગ્ય છે કે જે આગળ બતાવેલી છે). આમાં મૂળ જીવ અને અજીવ (જડ) એમ બે તત્ત્વ છે અને તેથી સાત અથવા નવ તત્ત્વ થયેલ છે. ચેતન્યસ્વરૂપ તે જીવ, અને જ! તે અજીવ. કમંપ્રકૃતિને ચેતન સાથે મળવાનો માર્ગ - પ્રણાલિકા તે આઝવ, તેનો અવરોધ કરવાનાં કારણો તે સંવર, આત્મા સાથે લાગેલ કર્મમળને ખંખેરી નાંખવો તે નિજા, તેનો સંયોગ થવો તે બંધ, અને તેનો સર્વથા ક્ષય થવો તે મોક્ષ. આ સાત તત્ત્વો સાથે સુખનો અનુભવ કરાવનાર તે પુણ્યતત્ત્વ અને તેથી વિપરીત દુઃખનો. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ ૨૧૯ અનુભવ કરાવનાર તે પાપતત્ત્વ એ બેને ઉમેરતાં નવ તત્ત્વ થાય છે. ઈશ્વર જગત્યતા નથી. સપ્તભંગી અને સાત ... અને તેના ઉપભેદો તે આ મતની કુંચી છે, ઉપય્ક્ત જીવતત્ત્વમાં પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચે એકેંદ્રિય, દ્વદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંદ્રિય જીવોનો સમાવેશ થાય છે. જીવ અને પુદ્ગલ (matter)ને ગતિસહાય આપવાના સ્વભાવવાળા દ્રવ્ય નામે “ધર્માસ્તિકાય અને સ્થિતિ સહાય આપવાના સ્વભાવવાળા દ્રવ્ય નામે અધર્માસ્તિકાય', અવકાશ આપનાર દ્રવ્ય ‘આકાશાસ્તિકાય', શબ્દ અંધકારાદિ દ્રવ્ય પુદ્ગલ અને ‘કાળ' એ પાંચનો અજીવતત્વમાં સમાવેશ થાય છે. વિષયકપાયાદિમાં મનવચનકાયાનો વ્યાપાર તે આસવ, અને દેશવિરતિ, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, યતિધર્મો વગેરે સંવરમાં આવે છે. બાર પ્રકારનાં તપથી કર્મની નિર્જરા થાય છે, કર્મના બંધ વખતે તેનાં “પ્રકૃતિ’ ‘સ્થિતિ', રસ’ અને ‘અનુભાગ” [‘પ્રકૃતિ, સ્થિતિ, ‘રસ (અનુભાગ), પ્રદેશ'] નિષ્ણત થાય છે અને સર્વ કર્મથી રહિતપણાને મોક્ષતત્ત્વ કહેવામાં આવે છે. આત્મા (જીવ), ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે, તેમાં કાળને ઔપચારિક દ્રવ્ય કહેલ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એક દ્રવ્ય છે, અને પુદ્ગલ તથા જીવ અનેક છે. પુદ્ગલ મૂર્ત છે, જ્યારે બાકીના પાંચ અમૂર્ત છે. કર્મ પણ પૌલિક છે. એનો સંબંધ તૂટતાં ચેતન ઊર્ધ્વગતિ કરે છે. તે સિદ્ધદશામાં ઈકિય, શ્વાસોચ્છુવાસ, મન આદિ દ્રવ્યપ્રાણ” હોતા નથી, પણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અને અનંતસુખરૂપ – અનંત ચતુષ્ટયરૂપ ‘ભાવપ્રાણ' હોય છે. સિદ્ધદશાનું સુખ સાંસારિક સુખ કરતાં તદ્દન જુદા પ્રકારનું છે, અને તે પરમાનંદરૂપ છે. તેની સ્થિતિ અનંતકાળ સુધી છે. આ દર્શનમાં (૧) ઉત્પાદ (ઉત્પત્તિ), (૨) વ્યય, અને (૩) ધ્રુવયુક્ત હોય તેને “તું” કહેવામાં આવે છે. એ ત્રિપદીમાં બહુ સૂક્ષ્મ રહસ્ય સમાયેલું છે અને જૈન તત્ત્વજ્ઞાનનો એમાં સમાવેશ થઈ શકે છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ઝારિત્રને મોક્ષમાર્ગ માનવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મનવચનકાયાને વ્યાપાર યોગથી કર્મબંધ થાય છે અને તેનો જેમ જેમ પ્રતિબંધ કરવામાં આવે અને મનના સંકલ્પવિકલ્પ - અધ્યવસાયને દૂર કરવામાં આવે તેમ તેમ નવીન કમંપત્તિ ઓછી થતી જાય છે. આત્મા પ્રગતિ કરતાં નવીન કર્મ ઓછાં ગ્રહણ કરે, અને પૂર્વબદ્ધ કર્મોનો કાંઈક પ્રદા અથવા વિપાકઉદયથી ભોગ કરી લે, તથા કાંઈક નિર્જરાથી ક્ષય કરી નાખે ત્યારે છેવટે સર્વથા કર્મનો ક્ષય કરતાં તે મોક્ષ – અજરામર પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરી ત્યાં અનંતકાલ સુસ્થિતપણે રહે છે. ચેતનનું ત્યાં પણ વ્યક્તિત્વ સ્પષ્ટ રહે છે. જોકે ગુણસાદય છે પણ પરમ તત્ત્વમાં મળી જઈ તેની વ્યક્તિ નાશ પામી જતી નથી એ જૈન મતના મોક્ષમાર્ગનું રહસ્ય છે. (આ દર્શનના સિદ્ધાંતો એ આ નિબંધનો વિષય હોવાથી તેને સ્પષ્ટ અને વિશેષ આકારમાં મૂકવામાં આવ્યા છે.) બૌદ્ધ ક્ષણિકવાદી છે. તેઓ દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્યસત્ય માને છે. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ દુઃખના પ્રકાર છે. આ સંસારી સ્કંધ રૂપ જ જીવ છે, તેથી અન્ય જીવ જેવો કોઈ પદાર્થ નથી. રૂપ, રસ વગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન, એટલે નિર્વિકલ્પક જ્ઞાન, આલોચના માત્ર સામાન્ય જ્ઞાન Perception થાય. Page #241 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૧ તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. સુખ, દુઃખ અને અદુઃખ રૂપી વેદના એ પૂર્વકૃત કર્મના ઉદયથી થાય છે. નિમિત્તનું ગ્રહણ કરવાપણું તે પ્રત્યય અને તેનાથી જાતિવ્યક્તિનો યોગ કરી સવિકલ્પ જ્ઞાન થાય તે સંજ્ઞા પુણ્ય-પુણ્યાદિ ધર્મસમુદય તે સંસ્કાર, એના પ્રબોધથી પૂર્વે અનુભવેલા વિષયનું સ્મરણ વગેરે થાય છે. અને પૃથ્વી ધાતુ વગેરે રૂપસ્કંધ, આ પાંચ સ્કંધ સિવાય ‘જીવ’ અથવા ‘આત્મા’ એવો પદાર્થ કોઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી. આ પાંચે કંધને ક્ષણસ્થાયી સમજવા તે નિત્ય અથવા કાલાંતરાસ્થાયી નથી. આવી રીતે બૌદ્ધો દુઃખતત્ત્વની વ્યાખ્યા કરે છે. લોકમાં ‘હું’ અને ‘મારું’ વગેરે જે અખિલ ગણ ઉદય પામે છે તેને દુઃખનું કારણ - સમુદયતત્ત્વ કહેવામાં આવે છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી વાસના જેમાં બંધાઈ છે તેને દૂર કરવા રૂપે - દુઃખના દૂર કરવાના સાધનને માર્ગ કહેવામાં આવે છે અને દુઃખનો અટકાવ તેને નિરોધ કહેવામાં આવે છે. આ રીતે ચાર આર્યસત્ય માનવામાં આવે છે. સર્વ સંસ્કારનું ક્ષણિકત્વ બૌદ્ધો બહુ યુક્તિસર સિદ્ધ કરવા મથન કરે છે. તેઓ સંસ્કારને નિત્ય માનવામાં કેવાકેવા હેત્વાભાસો થાય છે તે સંબંધી અનેક રીતે ચર્ચા કરે છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એમ કરીને તેઓ એમ બતાવવા માગે છે કે કોઈપણ પ્રકારે આત્મા કે જીવ એવો પદાર્થ માનવો નહિ પણ જ્ઞાનક્ષણનો સંતાન જ વ્યવહાર માટે બસ છે. ક્ષણિક સંસ્કાર અન્ય ક્ષણે બીજા તદ્રુપ સંસ્કારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરંપરાથી જ એક વિષયનું દીર્ઘકાળ સુધી જ્ઞાન થાય છે. આ પ્રમાણે (૧) સૌત્રાંતિક નામના બૌદ્ધ સંપ્રદાયનો મત છે. (૨) વૈભાષિક સંપ્રદાયવાળા બાર પદાર્થને માને છે. તેઓ પણ સંસ્કારને તો ક્ષણિક જ માને છે. બૌદ્ધો પરમ પુરુષાર્થની પ્રાપ્તિ ચાર ભાવનાથી માને છે ૧. સર્વ ક્ષણિક છે, ૨. સર્વ દુઃખ છે, ૩. સર્વ સ્વલક્ષણ છે (એકના જેવું અન્ય નથી, પોતે પોતાના જેવું જ છે), અને ૪. સર્વ શૂન્ય છે. આ ચાર ભાવનાથી સકલ વાસનાઓની નિવૃત્તિ થતાં શૂન્ય રૂપ પરિનિર્વાણનો આવિભૉવ નિર્વાણ – મુક્તિ થાય છે. બૌદ્ધની જુદીજુદી શાખાઓમાં મતભેદ હોવા છતાં આત્માનું ક્ષણિકત્વ તો સર્વમાં સામાન્ય છે અને સર્વ એમ માને છે કે રાગાદિના, જ્ઞાનસંતાનના, અને વાસનાના ઉચ્છેદથી મુક્તિ મળે છે. (આ દર્શનનું વિસ્તીર્ણ વર્ણન આ નિબંધમાં અન્ય સ્થલે આપવામાં આવ્યું છે.) નૈયાયિક (અન્નપાદ) દર્શનવાળા ગૌતમના અનુયાયી કહેવાય છે. અહીં પોતાની અચિંત્ય શક્તિના માહાત્મ્યથી મહેશ્વર સૃષ્ટિ કરનાર અને તેનો સંહાર કરનાર ગણાય છે. અને દુઃખના અત્યંત ઉચ્છેદરૂપ નિઃશ્રેયસ તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે એવી તેની માન્યતા છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે તત્ત્વજ્ઞાન થતાં જ નિઃશ્રેયપ્રાપ્તિ થાય છે પણ વાત એમ છે કે તત્ત્વજ્ઞાનથી દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોપ અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે એમાં પ્રથમ છેલ્લાનો અને ત્યારપછી ઉત્તરોત્તર તેની આગળનાનો નાશ થાય છે. મિથ્યાજ્ઞાન એટલે દેાિહિદ અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિ. આ દેહિંદમાં રહેલી આત્મબુદ્ઘિના પોતાના અનુકૂળ પદાર્થો ઉપર રાગ અને પ્રતિકૂળ પદાર્થ ઉપર દ્વેષ તથા ૧. જુઓ પદર્શન સમુચ્ચય' શ્લોક ૬ પરની ટીકા, અને સર્વદર્શનસંગ્રહ'નો બૌપ્રકરણ વિભાગ. ૨૨૦ Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ ૨૨૧ મોહ એ દોષો છે. રાગાદિ દોષ પરસ્પર અનુબંધી હોવાથી મોહને પામેલો પ્રાણી, રાયુક્ત થાય છે. અને રાગી મોહ પામે છે; વસ્તુતઃ આત્માને અનુકૂળ-પ્રતિકૂળ કંઈ નથી. આ દોષોથી પ્રેરિત પ્રાણી પ્રતિષિદ્ધ આચરણો કરી પાપપ્રવૃત્તિ કરે છે અને અધર્મને લાવે છે અથવા દાન, રક્ષણ, સત્યાદિ આચરણ કરી પુણ્યપ્રવૃત્તિ દ્વારા ધર્મને લાવે છે. આ ઉભયરૂપ પ્રવૃત્તિ પ્રશસ્ત-અપ્રશસ્ત જન્મ ઉત્પન્ન કરે છે અને ત્યાં શરીરાદિ દ્વારા પ્રતિકૂળ વેદનીયતાવાળું વાસનાત્મક દુઃખ ઉત્પન્ન થાય છે. મિથ્યાજ્ઞાનથી દુઃખ સુધીના દોષો અવિચ્છિન્ન પ્રવૃત્તિવાળા છે અને તે જ સંસાર છે, અને તે ઘટીચક્રની પેઠે નિરવધિ અનુવર્તન કરે છે. કોઈ સદુપદેશ દ્વારા જ્યારે પ્રાણીને જણાય છે કે આ સર્વ હેય છે ત્યારે તેને નિર્વહન કરનાર અવિદ્યાદિ નિવૃત્તિ કરવા તે ઇચ્છે છે. તેની નિવૃત્તિનો ઉપાય તત્ત્વજ્ઞાન છે. ચાર વિદ્યામાં વિભક્ત પ્રમેયની ભાવના કરનાર તે તત્ત્વજ્ઞાન જેને સમ્યગ્દર્શન કહે છે, પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણો દ્વારા પ્રમેયોનું જ્ઞાન તે તત્ત્વજ્ઞાન જેને સમ્યજ્ઞાન કહે છે] તેનાથી મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે, એનો નાશ થતાં દોષોનો નાશ થાય છે, તેથી પ્રવૃત્તિનો નાશ, તેથી જન્મનો નાશ, તેથી આત્યંતિકી. દુઃખનિવૃત્તિ થાય છે. આ આત્યંતિકી દુઃખનિવૃત્તિ તે અપવર્ગ. આ દર્શન સોળ તત્ત્વ માને છે. વૈશેષિક (કણાદ) અને નૈયાયિક વચ્ચે તત્ત્વસંબંધી મતભેદ છે, તથાપિ અન્યોન્ય તત્ત્વાધંતર્ભાવ થઈ શકવાને લીધે બહુ થોડો જ અંતર રહે છે. તેથી ઉભયના મત તુલ્ય છે. આ દર્શનમાં દુ:ખની નિવૃત્તિને જ મોક્ષ માનવામાં આવે છે. અખંડજ્ઞાન અને સુખની પ્રાપ્તિનો સ્વીકાર કરવામાં આવતો નથી. જગતુ દ્વારા અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને મોક્ષપ્રાપ્તિ માટે ઈશ્વરપ્રસાદને આવશ્યક માનવામાં આવે છે. આમાં પરમાણુને કારણ માનવામાં આવે છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છે અને કેટલાક અભાવ મેળવી સાત પદાર્થ માને છે. પૃથ્વી, અપુ, તેજ, વાયુ, અંતરિક્ષ, કાલ, દિગૂ, આત્મા અને મન એમ નવ પ્રકારનાં દ્રવ્ય માને છે. ગુણ ૨૪ પ્રકારના છે. સામાન્ય, વિશેષ અને સમવાયનું લંબાણથી વિવેચન આના ગ્રંથોમાં દેખાય છે. સામાન્ય એટલે જાતિ. વિશેષ એટલે એકસરખા દ્રવ્યને અન્ય દ્રવ્યમાંથી જુદું સ્પષ્ટપણે પાડી આપે છે તે. કર્મ ક્રિયારૂપ છે, અને દ્રવ્યમાં અંત્યવિશેષ સંબંધ બતાવનાર આધાર આધેયભૂત સંબંધના પ્રત્યયના હેતુને સમવાય કહેવામાં આવે છે. પટના તંતુમાં પટ છે એવા પ્રત્યાયના હેતુરૂપ અસાધારણ કારણને સમવાય કહેવામાં આવે છે. અભાવ ૪ પ્રકારના ગણેલ છે – ૧. પ્રભાવ એટલે પ્રથમનો અભાવ ૨. પ્રધ્વસાભાવ એટલે નાશ, ૩. અત્યંતભાવ એટલે સર્વથા વિનાશ અને ૪. અન્યોન્યાભાવ અરસપરસને અપેક્ષિત છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિને મોક્ષ માનવામાં આવે છે. વિશેષિક દર્શનમાં સંયોગ ગુણ છે અને સમવાયને અલગ પદાર્થ માન્યો છે. જે બે પદાર્થો એવા હોય કે છૂટા પડતાં એકનો નાશ થાય તેવા પદાર્થો વચ્ચે સમવાય સંબંધ હોય છે. જેમકે દ્રવ્ય અને ગુણ વચ્ચે સમવાય સંબંધ છે. ગુણ સમવાય સંબંધથી ૧. જૈનોનું સમ્યગ્દર્શન આનાથી તદ્દન પૃથક છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દ્રવ્યમાં રહે છે, ક્રિયા સમવાય સંબંધથી દ્રવ્યમાં રહે છે, જાતિ સમવાય સંબંધથી દ્રવ્યાદિમાં રહે છે; જ્યારે હાથમાં લાકડી પકડી હોય તો તેમનો સંયોગ સંબંધ છે. બન્ને જુદા હતા અને જુદા રહી શકે. પ્રાગભાવ – ઘટાદિ ઉત્પન્ન થયા તે પહેલાં તેનો અભાવ જે અનાદિ અને સાંત છે. પ્રધ્વંસાભાવ-ઘટાદિ નાશ થયા પછી તેમનો અભાવ જે સાદિ અને અનંત છે. અત્યંતાભાવ - જલમાં ગંધ નથી અથવા શશિવપાણ જેવો પદાર્થ નથી તે પ્રકારનો અભાવ. અન્યોન્યાભાવ ૨૨૨ ઘટ પટથી ભિન્ન છે. એકમાં બીજાનો અભાવ છે. સાંખ્ય (કપિલ) મતાવલંબીઓ કેટલાક નિરીશ્વરવાદને માને છે અને કેટલાક ઈશ્વરને માને છે. તત્ત્વવ્યવસ્થા બંનેની સમાન છે. દુઃખ ત્રણ પ્રકારનાં છે ઃ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક, આધ્યાત્મિક દુઃખ બે પ્રકારનું છે ઃ શારીર અને માનસ. વાત-પિત્ત-કફના વૈષમ્યને લીધે આત્મા એટલે દેહમાં જ્વર અતિસારાદિ થાય તે શારીરિક દુઃખ, અને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા એ આદિથી થાય તે માનસિક દુઃખ, આ બધું આંત૨ ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારનાં છે ઃ યક્ષ, રાક્ષસ, ગ્રહાદિના આવેશથી થયેલું દુઃખ તે આધિદૈવિક, અને મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પ વગેરેથી થયેલું તે આધિભૌતિક આ ત્રિવિધ દુઃખને ટાળવા તત્ત્વજિજ્ઞાસા ઉદ્ભવે છે. આ દર્શન પચીશ તત્ત્વને માને છે તેમાં બે મુખ્ય તત્ત્વ નામે પ્રકૃતિ (અથવા પ્રધાન) અને પુરુષ છે. પ્રધાન ૨૪ તત્ત્વરૂપ છે. (૧) પ્રકૃતિ, તેમાંથી ઉત્પન્ન થતી (૨) બુદ્ધિ (કે જેને મહાન્ કહે છે), (૩) તેમાંથી અહંકાર, અને તેમાંથી ઉત્પન્ન થતો સોળનો સમૂહ નામે ((૪-૮) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ શ્રોત્ર એ પાંચ બુદ્ધીન્દ્રિય, (૯-૧૩) વાયુ, ઉપસ્થ, વાકૂ, પાણિ, અને પાદ એ પાંચ કર્મેત્રિય, (૧૪) મન, અને (૧૫-૧૯) સ્પર્શ, ગંધ, રસ, રૂપ અને શબ્દ એ પાંચ તન્માત્ર) અને તે પાંચ તન્માત્રથી ઉદ્ભવતાં (૨૦-૨૪) વાયુ, પૃથ્વી, જલ, તેજ, અને આકાશ આ ૨૪ તત્ત્વ છે. આમાં પુરુષતત્ત્વ ઉમેરતાં ૨૫ તત્ત્વ થાય છે. આ રીતે એકબીજામાંથી ઉત્પન્ન થતું બતાવી સાંખ્ય પોતાનો સૃષ્ટિક્રમ બતાવે છે. સત્ત્વ, રજસ્ અને તમની સમાવસ્થાને પ્રકૃતિ અથવા પ્રધાન કહેવામાં આવે છે. પુરુષ અવ્યક્ત, નિત્ય, કૂટસ્થ (જે કદાપિ વિકાર ન પામે તેવો), અવિકૃત અનવયવ છે. અને તે ૨૪ તત્ત્વથી અન્ય, અકત્તાં, વિગુણ (સત્ત્વ રજસ્ તમમ્ એ ગુણથી રહિત), અને ભોક્તા (લક્ષણાથી) છે. આમાં પ્રકૃતિ કોઈનો વિકાર નથી; બુદ્ધિ, અહંકાર અને પાંચ જ્ઞાનેન્દ્રિય એ પ્રકૃતિવિકૃતિ છે એટલે તે પરનાં કારણ હોવાથી પ્રકૃતિ છે અને જાતે કાર્યરૂપ હોવાથી વિકૃતિ પણ છે; બાકીનાં સોળનો સમૂહ વિકૃતિ છે; જ્યારે પુરુષ પ્રકૃતિ નથી કે વિકૃતિ નથી. તન્માત્રામાં પંચભૂત લય પામે છે, તન્માત્રા મહત્માં અને મહત્ પ્રકૃતિમાં તન્માત્ર અહંકારમાં અને અહંકાર મહત્માં લય પામે છે, જ્યારે પ્રકૃતિ કશામાં લય પામી શકતી નથી. આત્મા પુરુષ તો અકતાં જ છે કારણકે વિષય સુખાદિક અર્થાત્ તેનાં કારણ પુણ્યપાપદિ કરતો નથી. એક તૃણ પણ વાળી શકવાને આત્મામાં શક્તિ નથી, પણ કર્તાપણાનો ધર્મ પ્રકૃતિમાં છે. તે પુરુષ લક્ષણાથી ભોક્તા ન Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ કહી શકાય કારણકે પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ ઉભયમુખ દર્પણ જેવી છે. તેમાં સુખદુઃખાદિનું જે પ્રતિબિંબ પડે તે સ્વચ્છ આત્મામાં સ્ફુરે અને તેથી તેને ભોક્તા લક્ષણોથી કહી શકાય. તે તો માત્ર પ્રકૃતિનો સાક્ષી છે તથાપિ જેમ સ્ફટિકની પાછળ ગમે તે રંગની વસ્તુ મૂકી હોય તો તેનો વર્ણ તદ્રુપ દેખાય છે તે પ્રકારે પુરુષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું હોય અને તત્પ્રમાણમાં તેનાં સુખદુઃખનું ભોક્તાપણું પુરુષને આરોપાય એ પણ ઠીક છે. એટલે પુરુષનું લક્ષણ ચૈતન્ય એટલું જ છે, જ્ઞાન નહિ. કેમકે તેઓ જ્ઞાનને બુદ્ધિનો ધર્મ ગણે છે. આત્મા જે કેવળ છે તે બુદ્ધિથી વ્યતિરિક્ત છે પણ સુખદુઃખહિંદ ભાવ ઇંદ્રિય દ્વારા બુદ્ધિમાં સંક્રાંત થાય છે અને ઉપર જણાવ્યું તેમ બુદ્ધિને ઉભયમુખ દર્પણ જેવી માનેલી એટલે તેનામાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબ પામે છે અને તેથી ‘હું સુખી’ ‘હું દુઃખી’ એમ પુરુષમાં સુખદુઃખની લક્ષણા આરોપાય છે. જન્મ-મરણાદિનો સંભવ આત્માને ઘટી શકે માટે તેને અનેક માને છે. પુરુષ અને પ્રકૃતિ ઉભય સર્વગત છે – નિત્ય છે, અરસપરસ સંયુક્ત છે. તેમના સંબંધ જગત્માં પાંગળા અને આંધળાના સંબંધ જેવો છે. પુરુષ પ્રકૃતિનો આશ્રય કરી બુદ્ધિમાં પ્રતિબિંબિત શબ્દાદિનું પોતાનામાં પ્રતિબિંબ પડતાં તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની સંસારમાં પડ્યો રહે છે. આ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે ભેદ શું છે તે સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરુષનો પ્રકૃતિથી વિયોગ થાય છે એ મોક્ષ સમજવો. પ્રકૃતિનો વિવેક સમજાતાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરુષ સ્વરૂપે રહે છે. બંધના છેદથી મોક્ષ થાય છે – એ બંધ ત્રણ પ્રકારના છે ઃ ૧. પ્રકૃતિને આત્મા જાણી તેની ઉપાસના કરવી તે જ પ્રાકૃતિક બંધ, ૨. ભૂત, ઇંદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને આત્મા જાણી ઉપાસના કરવી તે વૈકારિક બંધ, અને ૩. યાગાદિ કર્મને પુરુષબુદ્ધિથી સેવવાં તે દાક્ષિણ બંધ. આ બંધને લીધે મરેલાંને પણ પાછી સંસાપ્રાપ્તિ થાય છે. સાંખ્યમતમાં પુરુષને સંસાર નથી, મોક્ષ નથી અને બંધ પણ નથી, – તે સર્વ પ્રકૃતિને જ છે અને પ્રકૃતિનો પુરુષ સાથે સંબંધ ગણવામાં આવે તે અવિવેકને લીધે જ છે. પુરુષ તો કૂટસ્થ (અવિકૃત), નિત્ય અને અપરિણામી છે. સાંખ્યમત પ્રાયઃ નિરીશ્વરવાદને સ્વીકારે છે. જગના કારણમાં ત્રિગુણાત્મક પ્રધાન (પ્રકૃતિ)ને માને છે અને સૃષ્ટિની વ્યવસ્થા તેનાથી માને છે; તેમ જ અચેતન પ્રકૃતિ પુરુષના (આત્માના) મોક્ષને અર્થે પ્રવર્તે છે, તેના દૃષ્ટાંતમાં એમ બતાવે છે કે જેમ અચેતન દૂધ વત્સની વૃદ્ધિ માટે થઈ શકે છે તે પ્રમાણે અચેતન પ્રકૃતિ (પ્રધાન) પુરુષના મોક્ષ માટે થઈ શકે છે. પરમેશ્વર કર્ણાએ કરીને પ્રવર્તક છે' એ વાદને સાંખ્યો અનેક હેતુઓ આપી ૨૬ કરે છે. યોગદર્શન - સાંખ્ય મતના એક ભેદ અથવા વિભાગ જેવો પતંજલિનો મત છે. તે પાતંજલ દર્શનને સેશ્વર સાંખ્યદર્શન પણ કહી શકાય. આ મતમાં ઉપર જણાવેલ સાંખ્યનાં પચીશ તત્ત્વ ઉપરાંત ઈશ્વરને છવીસમું તત્ત્વ માનવામાં આવે છે. પરમેશ્વરનો અનુગ્રહ સંસારાંગારથી તપ્ત થયેલા પ્રાણી પર થાય છે. પુરુષને તદ્દન શુદ્ધ માનવામાં આવે છે, પણ બુદ્ધિકૃત પ્રતીતિને અનુસરે છે અને આવી રીતે જોનાર આત્મા તદાત્મક જણાય છે. સંસારથી આમ તમ પુરુષ લાંબા વખત સુધી અષ્ટાંગયોગ સાધે છે અને પરમેશ્વરનું પ્રણિધાન કરે છે ત્યારે તેને સત્ત્વ અને પુરુષની અન્યતા શુદ્ધરૂપે જણાય ૨૨૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે. તે વખતે અવિધાદિ પાંચ ક્લેશ, તથા સારાનઠારા કમોશય સમૂળ નષ્ટ પામે છે. આ પછી નિલેપ પુરુષનું પૂર્ણ મુક્ત રૂપે કરીને અવસ્થાને તે તેનું કૈવલ્ય છે. આ દર્શન સેશ્વર સાંખ્યમત ગણાય છે, છતાં તેમાં પણ ઈશ્વરનું કાર્ય લગભગ નહિવત્ છે. આમાં યોગનાં ૮ અંગ બતાવ્યાં છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ. પુરુષને નિઃસંગ માનવામાં આવે છે. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, અને સ્મૃતિરૂપ વૃત્તિઓ કે જેનું બીજું નામ અંતઃકરણ આપવામાં આવ્યું છે તેને ચિત્તના ધર્મ તરીકે સ્વીકારે છે. તેનો (ચિત્તવૃત્તિનો) નિરોધ કરવો તે યોગ છે. પુરુષનું નિર્મળ સત્ત્વ સદા સ્થિત રહે છે. જે-જે પદાર્થો ઉપર તે અનુરક્ત થાય છે તે તે દશ્ય પદાર્થની તેના ઉપર છાયા પડે છે, છતાં સ્વતઃ તે નિઃસંગ રહે છે – મતલબ કે તે અપરિણામી છે જ્યારે ચિતુશક્તિ અચિત્ કે ચિત્તશક્તિ) પરિણામી છે. ચિત્તની અસ્થિરતા સ્વાભાવિક હોય છે અથવા વ્યાધિ આદિ જન્ય હોય છે, તે ક્ષિપ્તાવસ્થા ત્યાજ્ય ગણેલ છે; એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થા ઉપાદેય ગણેલી છે. એકાગ્ર અવસ્થામાં એક વસ્તુમાં એકતાન થાય છે અને જે અવસ્થામાં સર્વવૃત્તિઓનો નિરોધ થઈ સંસ્કારશેષ રહે છે તેને નિરુદ્ધાવસ્થા કહેવામાં આવે છે. સમાધિના બે પ્રકાર છે : સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. એકાગ્ર ચિત્તમાં બાહ્ય વિષયવાળી પ્રમાણાદિ વૃત્તિઓના નિરોધને પ્રથમ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. એ સંપ્રજ્ઞાત સમાધિના વળી સવિચાર, અવિચાર, સાનંદ અને સાસ્મિત એવા ૪ પ્રકાર છે. ભાવ્ય પદાર્થમાં ચિત્તનું ફરીફરીને નિવેશન કરવું અને અન્ય સર્વનો પરિહાર કરવો એનું નામ ભાવના અથવા સમાધિ છે. સર્વ વૃત્તિઓના નિરોધને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. ક્લેશ, કર્મવિપાક, અને આશયનો જેમાં અટકાવ થાય એવા ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહેવામાં આવે છે. ક્લેશ પાંચ પ્રકારના છે : ૧. અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મમાં અનુક્રમે નિયત્વ, શુચિત્વ, સુખ અને આત્મત્વની પ્રતીતિ કરવી એ પ્રથમ અવિદ્યા ક્લેશ છે, ૨. દકુ અને દર્શનશક્તિના એકાત્મત્વનું અભિમાન તે અસ્મિતા, ૩. સુખને જાણનારની સુખના સ્મરણપૂર્વક સુખનાં સાધનોમાં તૃષ્ણાપૂર્વક ઇચ્છા તે રાગક્લેશ, ૪. દુઃખને જાણનારની દુઃખના સ્મરણપૂર્વક દુઃખનાં સાધનોમાં નિંદાબુદ્ધિ તે દ્વેષક્લેશ, અને ૫. શરીર અને વિષયોનો મને વિયોગ ન થાય તો સારું એ પ્રકારનો નિમિત્તવગર પ્રવર્તનારો ભાયકલેશ. આ પ પ્રકારના ક્લેશ સંસારમાં પ્રવૃત્તિ કરાવે છે. અને સાંસારિક દુઃખના હેતુ થઈને પુરુષને પીડે છે. વૃત્તિનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. એનાં સાધનોમાં પ્રથમ ક્રિયાયોગની જરૂર યોગદર્શન બતાવે છે. તપ, સ્વાધ્યાય, અને ઈશ્વરપ્રણિધાનને ક્રિયાયોગ કહેવામાં આવે છે. ફળની ઇચ્છા રાખ્યા વગર આ ક્રિયાયોગ કરવાની આજ્ઞા છે. પછી યોગનાં ઉપર્યુક્ત ૮ અંગ વર્ણવે છે. તેમાંનાં યમનિયમાદિ પ્રથમ પાંચ અંગ મધ્યમ અધિકારી માટે છે. એ આઠે અંગના યોગનું આદરથી નિરંતર અને દીર્ઘકાળ સુધી અનુષ્ઠાન કરવાથી સમાધિ વિરોધી ક્લેશનો ક્ષય થતાં અભ્યાસ અને વૈરાગ્યે કરી મધુમતી આદિ સમાધિની પ્રાપ્તિ થાય છે. – એ મધુમતી સમાધિ એ ઋતંભરા પ્રજ્ઞાની સિદ્ધિ છે. આવી સિદ્ધિઓથી અમુક સત્ય જ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. એના પ્રત્યેક બિંદુમાં રસ હોય છે તેથી તેને મધુપ્રતીક Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ ૨૨૫ કહેવામાં આવે છે. પછી વિવેકજ્ઞાન થાય છે તેમાં સર્વભાવને શાંત, ઉદિત કે અપદિય ગણવામાં આવે છે. સર્વવૃત્તિનો અસ્ત થતાં પરમ વૈરાગ્યનો આશ્રય કરનાર ક્લેશનો નિરોધ કરવાને સમર્થ એવી નિર્બીજ સંસ્કારશેષતાને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. મનના લક્ષ્ય સાથે ક્લેશના બીજનો પણ લય થઈ જાય છે, વિવેકજ્ઞાનના પરિપાકને લીધે કાર્યકારણાત્મક સર્વ વસ્તુનો પ્રધાનમાં લય થાય છે અને બુદ્ધિ અને સત્તાના સંબંધથી રહિત થઈ કેવલ્યને પામે છે. આ પાતંજલ યોગદર્શનનો મોક્ષ છે. મીમાંસક - આ દર્શનમાં બે મોટા વિભાગ છે : યજ્ઞ વગેરે કરનારને પૂર્વમીમાંસાવાદી કહેવામાં આવે છે. તેઓ કુકર્મ વર્જે છે, યજનાદિ ષટ્કર્મ કરે છે, બ્રહ્મસૂત્ર ધારણ કરે છે, ગૃહસ્થાવાસમાં વસે છે, અને શૂદ્ર અન્નાદિ વર્જે છે. બીજો ઉત્તરમીમાંસાવાદી છે તેને વેદાંતી પણ કહેવામાં આવે છે. ['વેદાંતી” શબ્દથી શાંકરવેદાંતી સમજવા. બીજા પણ વેદાંતસંપ્રદાય છે જેમાં મુક્તિ અવસ્થામાં પણ જીવ બ્રહ્મથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે. તે દ્વૈત બ્રહ્મને માને છે, સર્વ શરીરમાં આત્મા એક છે, બ્રહ્મ સર્વત્ર છે અને ભેદ દેખાય છે તે માયાથી થાય છે, પણ વસ્તુતઃ ભેદ નથી એમ તેઓનો મત છે. બ્રહ્મમાં લય થઈ જવો એને તેઓ મુક્તિ માને છે, અને એ સિવાય અન્ય મુક્તિ – મોક્ષ કંઈ નથી એમ તેમનો મત છે. પ્રથમ, પૂર્વમીમાંસાવાદી (જેમિનીય) લઈએ. તેઓ વેદવાક્યને પ્રમાણ ગણે છે, ગુર પણ તેને જ ગણે છે અને સ્વયં સંન્યસ્ત ગ્રહણ કરે છે. મનુષ્ય સર્વજ્ઞ થઈ શકે એ વાતનો તેઓ સ્વીકાર કરતા નથી. સૃષ્ટિકર્તા અથવા સર્વદર્શી કે વીતરાગ એવા સર્વજ્ઞ કોઈ મનુષ્યથી હોવાનું બનવું તદ્દન અસંભવિત છે એમ તેમનું માનવું છે. આવા પપના અભાવે તેનું પ્રમાણ થઈ શકે એવું તો બને જ શી રીતે ? ઇદ્રજાળથી પણ દુનિયામાં અનેક પ્રકારના આડંબર થઈ શકે છે, પરંતુ આડંબરના કારણથી અમુક પ્રાણીને ઈશ્વર માનવો એ આ મત પ્રમાણે એક ધરતા છે. અભ્યાસથી શુદ્ધિનું તારતમ્ય થાય પણ બુદ્ધિનો પરમ પ્રકર્ષ થાય એ તદ્દન અસંભવિત હકીકત છે. વેદવાક્ય નિત્ય અને અપરપેય છે એમ તેઓની માન્યતા હોવાથી તેમાં તેઓ યથાર્થત્વની સંભાવના કરે છે. વેદવાક્યનો પાઠ કરવાથી ધર્મજિજ્ઞાસા થાય છે. ધર્મસાધન શોધતાં તેનાં નિમિત્તો કયાં કયાં છે તેનો વિચાર થાય છે. અહીં ક્રિયા પ્રત્યે પ્રવર્તક વચનને નોદના કહેવામાં આવે છે અને તે રૂપ ધર્મ માનવામાં આવે છે. મતલબ કે વેદવચનકૃત નોદનાથી ધર્મ જણાય છે જે અતીન્દ્રિય હોવાથી તેને જાણવાનું સાધન જ નોદના છે. આ મતનાં સૂત્રો જૈમિનીએ રચ્યાં છે. વેદને તેઓ સ્વતઃપ્રમાણ કહે છે. વેદનું અપૌયિત્વ અને શબ્દના નિત્યત્વને આધારે સિદ્ધ કરવામાં આવે છે. વેદની અંદર આવેલાં કમૅકાંડનાં જુદાં જુદાં વાક્યોની પૂવોપર સંગતિ જણાવવી એ આ દર્શનનું મુખ્ય પ્રયોજન છે. ઉત્તરમીમાંસા – આમાં શાંકરવેદાંતદર્શનનો સમાવેશ થાય છે. એ પૂર્વમીમાંસાની અપેક્ષાએ નૂતન દર્શન છે. નેતિ નેતિ એ સૂત્ર પર, તેમજ “અહં બ્રહ્માસ્મિ', ‘એકડાં બહુસ્યામ્' એ સૂત્રો પર આ દર્શનનો મુખ્ય આધાર છે. સર્વ જગને બ્રહ્મમય માને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે, પદાર્થનું અન્ય રૂપ માયાકૃત છે એમ કહે છે, માયાથી બ્રહ્મસ્વરૂપ સ્પષ્ટ જણાતું નથી એમ ગણે છે, આત્માનું પૂર્ણ બ્રહ્મત્વ પ્રગટ કરી પરબ્રહ્મમાં તેનો લય કરી દેવો એ તેની મુક્તિ સમજવામાં આવે છે. આત્માની મુક્તિ થયા પછી આગનો તણખો આગમાં સમાઈ જાય તેમ તેનું વ્યક્તિત્વ (individuality) રહેતું નથી એ આ દર્શનનો સિદ્ધાંત છે. એ અદ્વૈતવાદ એ નામથી પ્રસિદ્ધ છે. [ઉત્તરમીમાંસા કે વેદાંતદર્શનનો મૂળ ગ્રંથ તે બાદરાયણાચાર્યકત બ્રહ્મસૂત્ર; જેમાં જૈમિનિના વેદાંતવિષયક મતનો ઉલ્લેખ છે. જૈમિનિના પૂર્વમીમાંસાસૂત્ર પર પૂર્વમીમાંસાદર્શનની ઇમારત ચણાઈ છે, અને બાદરાયણના ઉત્તરમીમાંસા સૂત્ર કે બ્રહ્મસૂત્ર પર ઉત્તરમીમાંસા કે વેદાંતની એમ સામાન્યતઃ સ્વીકાર્ય બન્યું છે. આ અદ્વૈતવાદ તે શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ. આ ઉપરાંત, ભાસ્કરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય જેવા આચાર્યોના અદ્વૈતવાદ છે જે આનાથી જુદો મત ધરાવે છે.] ચાર્વાક અથવા લોકાયતમતવાળાને બાર્હસ્પત્ય એવું નામ પણ આપવામાં આવે છે. આ મતવાળા નાસ્તિક છે. પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગતું. માને છે. આ ચાર અથવા કોઈના મત પ્રમાણે આકાશ ઉમેરી પંચભૂતના સંયોગથી સ્વાભાવિક રીતે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. શરીરથી ચૈતન્યશક્તિને ભિન્ન માનતા નથી. તેઓ કહે છે કે જીવ નથી, નિવૃત્તિ-મોક્ષ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્યપાપનું ફળ નથી, માતા વગેરે અગમ્ય પ્રતિ પણ ગમન કરે છે, વરસમાં એક દિવસ સર્વ ચાવકો એકઠા થઈ ગમે તે સ્ત્રી સાથે વ્યવહાર કરે છે. પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને આ શરીરે ભોગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે. ઈદ્રિયગોચર જગને જ માને છે, પરલોક કે મોક્ષ પ્રત્યક્ષ ન હોવાથી તેની, હયાતી જ સ્વીકારતા નથી. તેઓ માને છે કે અસ્કૃષ્ટ અનાસ્વાદિત અનાઘાત અદષ્ટ અને અમૃત એવા જીવાદિકનો આદર કરી જે લોકો સ્વર્ગ અપવગદિ સુખની લિપ્સાથી છેતરાઈ શિરોવેદના, મુંડન તપશ્ચરણ વગેરે કરી જન્મ વ્યર્થ કરે છે તે મહામોહમાં ભમે છે, અગ્નિહોત્રાદિ કર્મ તો માત્ર બાલક્રીડા છે, એ બુદ્ધિ અને પુરુષત્વ વગરના લોકોની આજીવિકા છે. તેઓ કહે છે કે સ્વર્ગ પણ નથી, મોક્ષ પણ નથી, પરલોકગામી આત્મા પણ નથી. જિવાય ત્યાં સુધી જીવવું, વિષયસુખ ભોગવવું, દેહ ભસ્મ થઈ જશે તે પાછો આવનાર નથી. અનુમાનાદિ પ્રમાણથી જેઓ સ્વર્ગ – મોક્ષ માને છે. તેની આ મતવાળા મકરી કરે છે. ક્યાભફ્ટ, પેથાપેયનો વિચાર કર્યા વગર જે મળે તે ખાવું-પીવું અને આનંદ કરવો એ આ મતનો સિદ્ધાંત છે. જુદા જુદા દર્શન કારોએ બતાવેલા વિધિનિષેધ માત્ર આજિવિકા નિમિત્તે જ છે એમ કહી યૌવન-ધન-સંપત્તિ અને મુવમાં મળ્યાં હોય, તેનો યથેચ્છ સ્વચ્છંદપણે ભોગવિલાસ કરવાનું આ મતવાળા કહે છે. ધર્મને અને કામને તેઓ એક જ ગણે છે. વળી તેઓ દલીલ કરે છે કે જ્યોતિહોમમાં મારેલ પશુ જો સ્વર્ગમાં જતું હોય તો યજમાન પોતાના પિતાને શા માટે મારતો નથી ? આ લોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેલાઓ જો તૃપ્ત થતા હોય તો મહેલની અગાશી ઉપર રહેલાને Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક આમવાદ અને મોક્ષસ્વરૂપ ૨૨૭ નીચે જમીન ઉપરથી કેમ આપી શકાતું નથી ? આ દેહમાંથી નીકળેલો કોઈપણ જીવ જો સ્વર્ગમાં જતો હોય તો રાગાંવહાલાંના સ્નેહથી પીડાઈ એકપણ જીવ પાછો કેમ આવતો, નથી ? માટે મરેલાની પ્રક્રિયા વગેરે કાર્યો બ્રાહ્મણોએ પેટ ભરવા માટે કર્યો છે. દેહ યતિરિક્ત આત્મા ન હોવાથી આ મતવાળા દેહસુખને જ પુરુષાર્થ માને છે. આ મતને કોઈ દર્શનમાં ગણવો કે નહિ તે વિચારવા યોગ્ય પ્રશ્ન છે. |ચાર્વાક કે લોકાયત દર્શનના મૂળ ગ્રંથ પણ પ્રાપ્ત થતા નથી. આ દર્શનનું જે કંઈક જ્ઞાન મળે છે તે અન્ય દર્શનના ગ્રંથોમાં પૂર્વપક્ષી તરીકે ચાર્વાકનો ઉલ્લેખ છે તેમાંથી છે. બાકી અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં રાજકુમારના અભ્યાસક્રમમાં લોકાયતનો સમાવેશ આદરપૂર્વક કર્યો છે, જેથી એ સ્પષ્ટ છે કે લોકયતિકો રાજ્યમાં અને સમાજમાં Law and order, સુરક્ષિત વ્યવસ્થાના આગ્રહી હતા જ. વળી ‘પદ્દનસમુચ્ચય', ‘સર્વદર્શનસંગ્રહ’ જેવા ગ્રંથોમાં લોકાયત દર્શનને દર્શનનું ગૌરવપૂર્ણ ધ્યાન આપ્યું જ છે, જે ભારતીય દાર્શનિકોની ઉદાત્તતા અને તટસ્થતા બતાવે છે. લોકાયતિકોમાં એક તત્ત્વોપશ્તવવાદી સંપ્રદાય પણ હતો જે કોઈ પ્રમાણને સ્વીકારવા તૈયાર ન હતો, કે scepticism પ્રકારનો વિચાર ધરાવતો હતો. વળી તેઓમાં તાંત્રિકો પણ હશે જે એક દિવસે મળીને તાંત્રિક ક્રિયાઓ કરતા હશે જે પાશુપતો આદિ પણ કરતા. આ પ્રમાણે આત્મા સંબંધના તથા મુક્તિસંબંધીનાં જુદાં જુદાં આર્યદર્શનોના મત - અભિપ્રાય આપણે જોઈ ગયા. આર્યાવર્તન ધર્મોના મુખ્ય બે ભેદ પાડી શકાય : ૧. વૈદિક અને ૨. અવૈદિક, વૈદિક એટલે વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર અને અવૈદિક એટલે વેદનું પ્રામાણ્ય નહિ સ્વીકારનાર. આ બીજા મુખ્ય ભાગમાં જૈન, બૌદ્ધ અને ચાવોનો સમાવેશ થાય છે. જ્યારે પ્રથમ મુખ્ય ભાગના બે મુખ્ય વિભાગ પડે છે : (૧) દાનધર્મો અને (૨) પુરાણધર્મો. દર્શનધમોના છ ભાગ છે : નૈયાયિક, વૈશેષિક, નાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પ્રોફેસર મેક્સમૂલરે ‘પદર્શન' (Six Schools of Indian Philosophy) એ નામના પુસ્તકમાં આ છ દર્શનનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કર્યો છે. આપણે ઉપર જોયું તેમાં પણ ટૂંકમાં સર્વનું સ્વરૂપ અપાયું છે. જયારે પુરાધમોમાં મુખ્ય શૈવ, વૈષ્ણવ, શાક્ત અને પ્રચૂર્ણ એ ચાર છે. શૈવ સંપ્રદાયમાં પાશુપત, શૈવ, પ્રભિારણા અને રસેશ્વર એ ચાર શાખાસંપ્રદાય છે; વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી સંપ્રદાય અને માધ્વી સંપ્રદાય એવા બે વિભાગ છે. એ ઉપરાંત સનકાદિ સંપ્રદાય પણ વૈષ્ણવ મતમાં ચાલે છે. શાક્ત સંપ્રદાયમાં શક્તિની ઉપાસના થાય છે. - એના દક્ષિણ અને વામમાર્ગ એમ બે સંપ્રદાય છે કે જેમાં ધર્મ અને ૧. હરિભદ્રસૂરિ પોતાના પડદશેનસમુચ્ચય' નામના ગ્રંથમાં પ દશેનનાં નામોમાં બૌદ્ધ, નિયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય ગણાવે છે. જૈમિનીયે દર્શનમાં પૂર્વમીમાંસાનું સ્વરૂપ જ તેઓ બતાવે છે. વેદાંત અથવા ઉત્તરમીમાંસાના સંબંધમાં તે પરની ગુણરત્નસૂરિકૃત ટીકામાં સહજ સૂચના માત્ર જ છે. આથી શાંકર મતનો પ્રચાર હરિભદ્રસૂરિના વખતમાં બહુ સંભવતો નથી. તો પણ તે સાધારણ રીતે પ્રવતતો હોવાથી તેના સંબંધે તેના ‘શાસ્ત્રવાતો સમુચ્ચય' નામના મહાનું દાર્શનિક ગ્રંથમાં વિસ્તારથી કહ્યાં છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ઉપાસનાને નામે અનેક દુરાચાર પણ ચાલે છે. પ્રચૂર્ણસંપ્રદાયમાં ગાણપત્ય, સૌરપત્ય વગેરે આવે છે. એ સર્વ વિભાગ ‘સર્વદર્શન સંગ્રહ' ગ્રંથમાં માધવાચાર્યે પાડેલા છે; તો જિજ્ઞાસુ અભ્યાસીએ તે જોવું. (અહીં જૈન અને બૌદ્ધ એ બે દર્શનના સિદ્ધાંતો સાથે વૈદિક ધર્મના સિદ્ધાંતોની તુલના હોવાથી તે બે દર્શન અને વૈદિક ધર્મની ટૂંક રૂપરેખા અહીં આવશ્યક ગણેલ છે.) [વૈષ્ણવ - ભાગવતો-પાંચરાત્ર, રામાનુજ, મધ્ય, નિમ્બાર્ક, વલ્લભ, ચૈતન્ય. શૈવ પાશુપત, શૈવસિદ્ધાન્ત, વીરશૈવ, પ્રત્યભિજ્ઞા, શાક્તતન્ત્ર (કૌલદર્શન), કાલામુખ, કાપાલિક, રસેશ્વર. ૨૨૮ આવી રીતે દર્શનકારો આત્માની ઉત્ક્રાંતિ જુદીજુદી રીતે બતાવે છે તે અત્ર શ્રી હિરભદ્રસૂરિકૃત ‘ષગ્દર્શન સમુચ્ચય' ગ્રંથ કે જેના પર ગુણરત્નસૂરિકૃત સુંદર ટીકા છે તે અને માધવાચાર્યકૃત ‘સર્વદર્શનસંગ્રહ’ નામના ગ્રંથના ગુજરાતી ભાષાંતર અનુસાર સંક્ષેપમાં લખેલ છે. (આ અતિવિસ્તીર્ણ વિષય ટૂંકમાં સમજાવવો એ અતિ કઠિન કાર્ય છે. તેથી તેના ખાસ અભ્યાસીને બહુ સૂક્ષ્મ દૃષ્ટિ રાખી સમજી શકાય તેમ છે, અને અહીં ટૂંકમાં આપતાં ઘણી મુશ્કેલી નડી છે.) આ પરથી સમજાશે કે આત્માને અંગે આવા આવા મતભેદ છે. બૌદ્ધો ક્ષણિકવાદી છે. [ઉત્તર] મીમાંસકો તેનો ઈશ્વર સાથે અભેદ માને છે, સાંખ્યો તેનું વર્તમાનરૂપ પ્રાકૃતિક છે એમ કહે છે, ચાર્વાકો તેનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, તેમજ નૈયાયિક, વૈશેષિક, સૃષ્ટિકર્તા અને સંહારકર્તા શિવને માને છે તેમજ પુરાણ ધર્મો આત્માને અંગે જુદીજુદી વાત કરે છે. એ સર્વમાં આત્માનું વ્યક્તિત્વ છેવટે રહેતું નથી. કરેલ શુભ કર્મોનું ફળ અથવા કર્મનો નાશ થવા પછીનું ફળ અજરામર સ્થિતિની પ્રાપ્તિ ન હોય તે જૈનદર્શનને સંમત નથી.` તેને પ્રત્યેક આત્મવાદ, કે જેમાં આત્માનું નિત્યાનિત્ય સ્વરૂપ બતાવી આત્માને જ વ્યવહારથી કર્મનો કાં, હાઁ માન્યો છે અને કર્મનો નાશ થવાથી આત્માની મુક્તિ માની છે તથા જેમાં મુક્ત આત્માની આત્મા તરીકેની વ્યક્તતા નાશ પામતી નથી એ જૈનને સંમત છે, અને તે નય, નિક્ષેપ, સપ્તભંગી આદિથી જૈનદર્શને યુક્તિપુરઃસર પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે. તે એમ કહે છે કે જો આત્માનું વ્યક્તિત્વ રહેતું જ ન હોય તો પછી સર્વ ક્રિયાઓ કરી તેને પ્રકૃતિ - કર્મ આદિથી મુકાવવાની જરૂર શું છે ? શા માટે કરવું ? કોને માટે કરવું ? જે કરણીનું ફળ આત્માના અન્યમાં લય થવામાં આવે તે કરણી નકામી છે, ઉપયોગ વગરની છે, શક્તિનો નકામો વ્યય બતાવનાર છે. ન મોક્ષસ્વરૂપ આના સંબંધે દરેક મતનું માનવું શું છે તે આપણે જોઈ ગયા, છતાં સ્પષ્ટતાથી ઉપસંહારરૂપે જોઈએ તો જૈન દર્શનમાં શરીર, ઇંદ્રિય, આયુષ્ય, શ્વાસોચ્છ્વાસ, મનોયોગ, વચનયોગ આદિબાહ્યપ્રાણ, પુણ્ય, અપુણ્ય, વર્ણ, ગંધ, રસ, ૧. આત્માનું સ્વતંત્ર વ્યક્તિત્વ રહેતું નથી એમ કેવળ શાંકરવેદાંતી માને છે. બીજા વેદાંતીઓમાં ભાસ્કરાચાર્ય મુક્તિ અવસ્થામાં જીવાત્માનો બ્રહ્મથી અભેદ માને છે, જ્યારે બીજા વેદાંત સંપ્રદાયો મુક્તિમાં પણ જીવાત્મા બ્રહ્મથી અલગ તેના જેવા ગુણો ધરાવતો, તેનો દાસ કે સખા બનીને રહે છે એમ માને છે. ન્યાય – વૈશેષિક મુક્તિ અવસ્થામાં જીવાત્મામાં જ્ઞાનાદિ ગુણ નથી હોતા એમ માને છે. સાંખ્યયોગ મુક્તિ અવસ્થામાં પુરુષ પોતાના સ્વરૂપભૂત વિત્ તરીકે રહે છે એમ માને છે. — Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, પુરુષ-સ્ત્રી-નપુંસક એ ત્રણ વેદ, અજ્ઞાન, કષાયાદિ સંગ, આદિ સહિત – દેહાદિના આત્યંતિક વિયોગને મોક્ષ કહેવામાં આવે છે. એ સિદ્ધનું – મુક્તનું જીવન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અને અનંતસુખ રૂપ હોય છે. સિદ્ધદશા સુખમય છે એ અભિપ્રાયથી વિરુદ્ધ મત આપનાર ત્રણ દર્શનો છે ઃ ૧. વૈશેષિકો એમ કહે છે કે આત્માને મુક્તિ મળે ત્યારે બુઠ્યાદિ ગુણ માત્રનો ઉચ્છેદ થાય છે એટલે આત્માને સુખમય મનાય નહિ, ૨. બૌદ્ધો એમ જણાવે છે કે ચિત્તસંતાનનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનો અસંભવ છે અને તેથી એ દશામાં સુખ માનવાની તે ના પાડે છે. બુદ્ધે શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ બંને અંતોનો નિષેધ કર્યો છે અને પ્રતીત્યસમુત્પાદની સ્થાપના કરી છે. અને ૩. સાંખ્યો આત્મા અભોક્તા છે તેથી મોક્ષમાં તેની સુખમયતા માની શકાય નહિ એમ સમજાવે છે. ૨૨૯ વૈશેષિકો કે જે મોક્ષમાં બુદ્ધિનો ઉચ્છેદ કહે છે તેમાં તેઓ સ્ખલના કરે છે. મોક્ષમાં ઇંદ્રિયજન્ય બુદ્ધિનો ઉચ્છેદ હોઈ શકે, પરંતુ આત્મસ્વભાવભૂત અતીંદ્રિય જ્ઞાનનો ઉચ્છેદ અસંભવિત છે. અહીંદ્રિય જ્ઞાનનો પણ નાશ થઈ જતો હોય તો તેવી સિદ્ધિ તો કોઈ ઇચ્છશે નહિ. એક સ્થલે કહ્યું પણ છે કે ‘વૃંદાવનમાં વાસ કરી શિયાળપણે અથવા તેની સાથે રહેવું તેને ગૌતમ સારું ગણે છે, પણ વૈશેષિકી મુક્તિને ઇચ્છતો નથી. [ वरं वृन्दावने रम्ये क्रोष्टृटत्वमभिवांछितम् । न तु वैशेषिकीं मुक्ति गौतमो गन्तुमिच्छति ।। ‘સ્યાદ્વાદમંજરી’ શ્લો. ૮ ટીકા વૈશેષિકોની પેઠે મીમાંસકોનું પણ સમજી લેવું. તેઓ પણ કોઈપણ પ્રકારનું સુખદુઃખ ન રહે તે સ્થિતિને મોક્ષ કહે છે. વાસનાદિક સર્વે આત્મગુણ ઉચ્છિન્ન થયા નથી ત્યાં સુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ થતી નથી. સુખદુઃખનો સંભવ ધર્મ અને અધર્મના નિમિત્તથી થાય છે, તેનો ઉચ્છેદ થતાં કાર્યરૂપ શરીરનો ઉપપ્લવ થાય અને આત્માને સુખદુઃખ રહે નહિ માટે તે મુક્ત કહેવાય એમ મીમાંસકો કહે છે. આત્મા પોતે જ સુખસ્વરૂપ હોવાથી સ્વરૂપનો ઉચ્છેદ મુક્તિમાં પણ સંભવતો નથી એમ કહેવામાં ન આવે તો સર્વથા અવ્યવસ્થા થઈ જાય. જો સર્વથા સુખાભાવ મોક્ષમાં હોય તો તે પ્રાપ્ત કરવા માટે કરેલ પ્રયત્ન પણ અર્થ વગરના થઈ જાય. ન સાંખ્ય મતાનુસાર ચૈતન્યસ્વરૂપ પુરુષ એક તૃણને પણ નમાવવાને અસમર્થ છે, જડ પ્રકૃતિને આ ત્રી તે અજ્ઞાન તમચ્છન્ન થાય છે અને ત્યારે પ્રકૃતિગત સુખાદિ ફળને પોતાનામાં પ્રતિબિંબે છે. જ્ઞાન પેદા થવાથી એને દુઃખરૂપ સમજે છે અને જ્યારે તેને વિવેકખ્યાતિ થાય છે ત્યારે તે કર્મથી વેગળો ખસતો જાય છે. પ્રકૃતિ દૂર થતાં પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન તે સાંખ્યમતનો મોક્ષ સમજવો. આનંદ વગેરે પ્રકૃતિનાં કાર્ય હોવાથી પુરુષને તેની સાથે લાગતુંવળગતું નથી. જ્ઞાનને આ દર્શનવાળા પ્રકૃતિનો ધર્મબુદ્ધિનો વિષય |ધર્મ માને છે તે અસંભવિત છે, કારણકે તેઓના માનવા મુજબ મુક્તાત્મા પણ જ્ઞાનના અભાવે અજ્ઞાનતમ જ રહે છે. સંસારી આત્માને અકતાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છતાં ભોક્તા માનવાથી કૃતના અભ્યાગમરૂપ કૂંપણો આવે છે. પ્રકૃતિ પુપનો સંયોગ કોણે કર્યો એ વિવાદાસ્પદ રહે છે અને તેમાં આત્મકૃત કે પ્રકૃતિ કૃત સંયોગ માનવાથી અવસ્થાદિ અનેક દોષો આવે છે. હવે જો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ જ ઘટી શકે નહિ તો પછી વિયોગનો સંભવ ક્યાંથી રહે ? વિવેકાખ્યાતિ કહી તે પ્રકૃતિને થવી ઘટતી નથી, કારણકે તે પોતે તો અસંવેદ્ય છે. તેમજ આત્માને પણ ઘટે નહિ. જ્યારે આત્માને આ મતમાં જૈિન મતમાં પરિણામ અને નિત્ય સ્વીકાર્યો છે ત્યારે તેની સાથે સુખદુઃખાદિનું પરિણામિત્વ સ્વીકારવું જ બંધબેસતું આવે છે. બૌદ્ધ પક્ષમાં જ્ઞાનક્ષણ પ્રવાહ વગર બીજો આત્મા નથી એમ માનવામાં આવ્યું છે. આત્માના અસ્તિત્વથી તેમાં સ્નેહ બંધાવાથી. તો સુખદુઃખની તૃણા થાય અને તે તો વિપરીત વાત છે; કારણ કે તુગા હોય ત્યાં સુધી તો સંસાર બન્યો રહે છે. આવો આત્માભિનિવેશ તો રાગદ્વેષનું કારણ છે. માટે ભાવનાથી પત્રકલત્રાદિનું દુઃખરૂપત વિચારવું – એમ વિચારતાં અભિવૃંગ તૂટી જાય અને અધિક અભ્યાસથી વૈરાગ્ય પેદા થાય અને ચિત્તસંતાનની નિવૃત્તિ થાય એ આ મત પ્રમાણે મોક્ષ નિવણ). એવી ભાવના વગર કાયક્લેશરૂપ તેપ કરવાથી મોક્ષ મળી શકે એ વાતની તેઓ ના પાડે છે. નિરાત્મ ભાવનાના પ્રકર્ષવિશેષથી ચિત્તની નિઃફ્લેશાવસ્થા તે આ મતની માન્યતા પ્રમાણે મોક્ષ છે. જ્ઞાનક્ષણ પ્રવાહ આત્માને માનવાથી કૃતનાશાહિદોષ આવે છે. અનાત્માની ભાવના આત્માએ કરવી એ પરસ્પર વિરુદ્ધ વાત છે. વળી અહીં ગાગાદિના ઉપશમને જ મોક્ષ માનવામાં આવે છે પણ તે નિહેતુક હોવાથી અયત્નસિદ્ધ છે. આ રીતે મોક્ષમાં સુખ નથી એ પ્રમાણે કહેનાર વૈશેષિક – મીમાંસક સાથે, સાંખ્ય અને બૌદ્ધ સંબંધી વાત સંક્ષેપમાં કહી; જ્યારે જૈન જે રીતે મોકા માને છે તે પણ ટૂંકમાં જણાવ્યું. नात्यन्ताभावरूपा न च जडिममयी व्योमवद व्यापिनी नो न व्यावृत्तिं दधाना विषयसुखघना नेक्ष्यते सर्वविद्भिः ।। सद्रपाऽत्मप्रसादा दृगवगमगुणौघा न संसारसारा निःसीमाऽत्यक्षसौख्योदय वतिनिष्पातिनी मुक्तिरुक्ता ।। ભાવાર્થ : મુક્તિ બૌદ્ધોએ માનેલી અત્યતાભાવ સ્વરૂપવાળી નથી, નિયાયિક અને વૈશેષિકોએ માનેલી જ સ્વરૂપવાળી પણ નથી, આજીવિક અને આર્યસમાજીઓએ માનેલી આકાશની માફક વ્યાપક અને અન્યથી વ્યાવર્તન સ્વભાવ ધારણ કરનારી નથી, યવનોએ માનેલી વિષયસુખથી વ્યાપ્ત નથી, પરંતુ એ એ એવી રીતે જોયેલ છે કે મુતિ સંત-ભાવસ્વરૂપવાળી, આત્માની પ્રસન્નતાવાળી, જ્ઞાનદશનાદિ અનેક ગુણના. સમૂહવાળી, સાંસારિક સુખોથી રહિત, નિઃસીમ, અતીન્દ્રિય સુવાળી, ઉદયનું જે સ્થાન છે તેવી, જેનું પતન નથી. એટલે જે નિત્ય છે એવી મુક્તિ છે અને તે યથાસ્વરૂપે કહેલી | આજીવિક આવી મુક્તિ માનતા હોય એવો ઉલ્લેખ નથી. આર્યસમા ઇન નિદેશ અસ્થાને છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ - સ્યાદ્વાદ ૨૩૧ અનેકાન્તવાદ – સ્યાદ્વાદ (Many-sided or Relative Philosophy) દરેક વસ્તુ અનંતધર્મવાળી છે એટલે દરેક વસ્તુમાં અનંતધર્મ છે. અનંત એટલે અપરિમિત અને ધર્મ એટલે સ્વભાવ – સહભાવી અને કમભાવી એવા સ્વપર્યાય. આ જેને વિશે છે તે અનંતધર્માત્મક – અને કાંતાત્મક કહેવાય. અનેકાન્તાત્મક વસ્તુ = અનંતધમાંત્મક વસ્તુ. અનેકાંતાત્મકનો અર્થ અનેક એટલે અનંત અને અંત એટલે ધર્મ અથવા નિશ્ચય, અને આત્મક એટલે સ્વભાવવાળું – અનંતધર્મના સ્વભાવવાળું. ૩િમયોગપિ : ૩પધ્ધ: ઉન્તો નિય: | (શાંકરભાષ્ય. ગીતા ર.૧૬) વસ્તુતઃ દ્રવ્ય ચેતનાચેતન છે – જીવ અને અજીવ છે. આનું દૃષ્ટાંત સુવર્ણઘટ લઈએ. તે ધટ સ્વદ્રવ્યક્ષેત્ર કાલભાવ થકી વિદ્યમાન છે અને પરદ્રવ્યક્ષેત્ર કાલભાવ થકી અવિદ્યમાન છે. ઘટનાં સત્ત્વાદિ તે સ્વપર્યાય જ છે, કોઈપણ પરપર્યાય નથી, કેમકે વસ્તુમાત્ર સત્ત્વાદિ ધર્મને લઈને સજાતીય છે, અને અભાવ તો વિજાતીયનો જ કહી શકાશે. દ્રવ્યથી ઘટ પૌલિક – પુદ્ગલનું બનેલું છે, તેમાં જે પૌલિકત્વ તે દ્રવ્યત્વરૂપે વિદ્યમાન છે, પણ ધર્મ, અધર્મ, આકાશ એ આદિ દ્રવ્યત્વરૂપે નથી. અહીં પૌગલિકત્વ તે સ્વપયાંય છે અને ધર્મ, અધમદિ અનેક થકી વ્યાવૃત્ત હોવાથી પર્યાય નથી અને તે પર્યાય અનંત છે કારણકે તે દ્રવ્ય અનંત છે. ઘટ પૌલિક હોવા છતાં પાર્થિવત્વરૂપે વિદ્યમાન છે, આપ્ય, તેજસ, આદિ રૂપે અવિદ્યમાન છે. – અહીં પણ પાર્થિવત્વ એ ઘટનો સ્વોય છે અને તેની આયાદિ બહુ દ્રવ્ય થકી વ્યાવૃત્તિ છે – એ પર પર્યાય અનંત છે. એ જ પ્રમાણે આગળ પણ સ્વપર્યાય વ્યક્તિ વિચારી લેવી. સુવાસંઘટ પાર્થિવ છતાં ધાતુત્વરૂપે છે, મૃત્વરૂપે નથી, ધાતુત્વરૂપ છતાં સુવાસંત્વરૂપે છે, યાદિ રૂપ થકી નથી. સૌવ પણ ઘટિત – બનાવેલ વસ્તુ રૂપે છે, અઘટિત વરૂપે નથી; સુવર્ણ નો બનાવેલો ઘટ તે અમુક સોનીનો બનાવેલો છે. અમુક સોનીનો બનાવેલો ઉપરાંત તે જા ડો. પહોળો એવા આકાર થકી છે, મુકુટાદિ આકારે નથી; વળી ગોળ છે, ગોળ નહિ એવે રૂપે નથી, ગોળ પણ સ્વીકાર થકી છે, અન્ય ઇટાદિના આકારરૂપે નથી. આ રીતે જે જે પયય થકી એની વિવક્ષા થાય છે તે પયોય તે તેના સ્વાધ્યાય, અને તેથી અન્ય તે બધા પરપર્યાય. આ રીતે દ્રવ્યતઃ વપર્યાય થોડા થાય, અને વ્યાવૃત્તિ રૂપ પરપયાંય અનંત થાય, કેમકે અનંત થકી તે વ્યાવૃત્ત છે. હવે ક્ષેત્રથી સુવર્ણઘટ જોઈએ – તે ઘટ ત્રિલોકમાં છે, કહીંથી પણ વ્યાવૃત્ત નથી માટે સ્વાયાંય જ છે, પરણ્યાય નથી. ત્રિલોકમાં પણ તેના તિર્યલોકમાં છે, ઊર્વી અધોલોકમાં નથી, તિગ્લોવત હોવા છતાં પણ જંબુદ્વીપવતિત્વ રૂપે છે એટલે તેના એક ભાગ નામે જંબુદ્વીપમાં છે. અન્ય દ્વીપમાં હોવા રૂપે નથી; જંબુદ્વીપમાં પણ ભરતલોકમાં છે, બીજા દેવામાં નથી, ભારતમાં પણ અમુકના અમુક ઘરમાં છે, બીજાના બીજા ઘરમાં નથી; ઘરમાં પણ અમુક પ્રદેશવતિત્વ રૂપે છે, અપર પ્રદેશવતિત્વરૂપે નથી. એ જ પ્રકારે યથાસંભવ અન્ય રીતિએ જાણવું. એમ ક્ષેત્રથી સ્વાધ્યાય થોડા છે, પાયાંય અસંખ્ય છે, કારણ કે જગતુ અસંખ્ય પ્રદેશવાળું છે, અથવા મનુષ્યલોકમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો રહેલો ઘટ બીજા સ્થાનને વિષે રહેલાં એવાં અનંત દ્રવ્યથી વ્યાવૃત્ત હોવાને લીધે તેના પરપર્યાય અનંત છે. કાલથી તે સુવર્ણઘટ નિત્યરૂપે તે સ્વદ્રવ્યથી હતો, છે, અને રહેશે (કારણ કે પુદ્ગલના પરમાણુ નિત્ય છે અને કદીપણ નાશ પામતા નથી) એટલે આ ઘટ કહીંથી પણ વ્યાવૃત્ત નથી, પણ તે જ પાછો આ યુગમાં રહેલા રૂપે વિવક્ષિત થાય છે તેથી તે રૂપે છે, તે ભૂત અને ભવિષ્યના યુગમાં રહેલા રૂપ નથી. આ યુગમાં પણ આ વર્ષ સંબંધે તે છે, ભૂત અને ભવિષ્યાદિ સંબંધે નથી. આ વર્ષમાં પણ વસંતઋતુ સંબંધે છે, અન્ય ઋતુ સંબંધ નથી, તેમાં પણ નૂતનત્વ રૂપે છે, પુરાણત્વરૂપે નથી, તેમાં પણ વર્તમાન ક્ષણ રૂપે છે, અન્ય ક્ષણ રૂપે નથી. એમ કાલથી સ્વપર્યાય અસંખ્ય છે કારણકે એક જ દ્રવ્ય અસંખ્ય કાલમાં સ્થિતિ રહે છે. અનંતકાલમાં રહેવાપણાથી તે અનંત પણ કહેવાય. પરપર્યાય પણ અનંત છે કારણકે વિવક્ષિત કાલ કરતાં બીજા કાલમાં રહેલા અનંત દ્રવ્યથી વ્યાવૃત્તિ છે. હવે ભાવથી જોઈએ. સુવર્ણઘટ પીતવર્ણથી છે, નીલાદિ વર્ણરૂપે નથી. પીળો છતાં અમુક પીળા દ્રવ્ય કરતાં એક ગણો પીળો, બીજા કરતાં બમણો, કેટલાક કરતાં ત્રણ ગણો પીળો છે ઇત્યાદિ – આ પ્રમાણે પીળાપણાથી અનંત સ્વર્યાય થયા: અપીતવર્ણવાળા એવા દ્રવ્યના જૂનાધિકત્વને લઈ અનંતભેદવાળાં એવા નીલાદિ વર્ણ થકી વ્યાવૃત્તિરૂપ પરપર્યાય પણ અનંત છે. એ પ્રમાણે રસ, ગંધ, સ્પર્શની અપેક્ષાએ સ્વપર્યાય અને પર્યાય અનંત છે. વળી શબ્દથી, સંખ્યાથી, સર્વ સાથે સંયોગ – વિયોગથી, પરિમાણથી (નાનું મોટું), પરત્વ-અપરત્વ (પર્સર) થકી, દિશાવિદિશા થકી, જ્ઞાન થકી, કર્મ (જલાપહરણ, અન્ય સ્થાન પ્રાપણ ઇત્યાદિ)થી, સામાન્યથી, વિલેપથી, સંબંધથી (આધારાધેયભાવ ઇત્યાદિ) ઘટના સ્વધર્મ અને પરધર્મ – સ્વપર્યાય અને પર્યાય અનંત અનંત થાય. તેમાં પણ ઉત્પત્તિ, વિનાશ, સ્થિતિ પુન:પુનઃ અનંતકાલમાં અનંત વાર થઈ, થાય છે અને થશે તેથી તેની અપેક્ષાએ પણ વસ્તુના ધર્મ અનંત આમ સ્વપર્યાયથી વિદ્યમાન (સ્તિ) અને પરણ્યાંયથી અવિદ્યમાન (નાસ્તિ) દરેક વસ્તુ છે. હવે આ બંને પર્યાય યુગપતું (સમાન કાલે) કહેવાઈ ન શકાય, કારણ કે જે જે કહેવું થાય છે તે શબ્દથી થાય છે અને શબ્દથી જે કહેવાય તે ક્રમથી જ કહી શકાય. છે. આથી વસ્તુના ધર્મ વિવાળે છે એટલે પ્રત્યક્ષેત્ર કાળભાવાદિ પ્રત્યેક પ્રકાર અવક્તવ્ય ધર્મ અને અન્ય દ્રવ્ય થકી વ્યાવૃત્ત હોવાથી અવક્તવ્ય પરધર્મ પણ અનંત આ જ રીતે – જેમ એક ઘટનું અનંતધર્મત્વ બતાવ્યું. તેમ આત્માદિ સર્વે વસ્તુમાં પણ ઘટાવવું. હવે અહીં કોઈ એમ કહેશે કે જે સ્વયોય છે તે તો અમુક વસ્તુના સંબંધી હોય તો તે દીક છે, પંરતુ પરણ્યાંય તો તેથી ભિન્ન વસ્તુને આશ્રિત છે એટલે તે પ્રકૃત વસ્તુના જ યોય તરીકે કેમ કહેવાય ? Page #254 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ સ્યાદ્વાદ : આ શંકાનો પરિહાર આ રીતે છે કે સંબંધ બે પ્રકારે છે ઃ ૧. અસ્તિત્વ થકી, ૨. નાસ્તિત્વ થકી. સ્વપર્યાય તે અસ્તિત્વ થકી સંબંધ જેમકે ઘટનો સંબંધ રૂપાદિ સાથે; પરપર્યાય તે નાસ્તિત્વ થકી સંબંધ કેમકે તે પપર્યાય પ્રકૃત વસ્તુમાં હોઈ શકતા નથી, જેમકે સુવર્ણઘટમાં માટીના પર્યાય નથી, તેથી તેની સાથે તે ઘટનો સંબંધ નાસ્તિત્વ સંબંધ રૂપે છે, માટે જ પ૨૫ર્યાય કહેવાય છે. તથિપે આ સમાધાનથી મૂળ શંકા જતી નથી, કારણકે જે જ્યાં હોય નહિ તે તેનું છે એમ કહેવાય ? દિદ્રીને ધન નથી તો પછી તે તેનું છે એમ કેમ કહી શકાય ? એથી તો લોકવ્યવહારની વ્યવસ્થા જ ઊંધી થઈ જાય. આનું સમાધાન આ પ્રમાણે છે કે તેવા પર્યાય નાસ્તિત્વ સંબંધે પણ પ્રકૃત વસ્તુના જ છે એમ વ્યપદેશ બનતો ન હોય તો સામાન્ય રીતે તે પર્યાય પર વસ્તુને વિષે પણ સંબદ્ધ હોઈ ન શકે. અને એમ જો થાય તો પછી તે પર્યાય પોતાના સ્વરૂપ થકી હોઈ જ ન શકે કે જે ઇષ્ટ નથી તેમ અનુભવમાં પણ આવતી નથી; માટે અવશ્ય નાસ્તિત્વ સંબંધથી તે પરપર્યાય તેના છે એમ વ્યપદેશ કરી શકાવો જોઈએ. ધન પણ નાસ્તિત્વ સંબંધથી દરિદ્રીનું છે એમ કહી શકાય છે, અને લોકમાં જે એમ બોલાય છે કે ‘આ દિદ્રીને ધન નથી' – તેમાં ‘તે તેનું કહી શકાય નહિ' એમ જે કહ્યું તેમાં એમ જાણવાનું છે કે અસ્તિત્વ સંબંધ થકી તે ધન દિદ્રીનું છે એમ ન કહી શકાય, પણ નાસ્તિત્વ સંબંધે ન કહી શકાય એમ નહિ, એટલે તેમાં લોકવ્યવહારનો કશો અતિક્રમ નથી. ૨૩૩ હવે ઘટના સ્વય અને પરપર્યાય જણાવ્યા, તેમાં ઘટ અમુક વિશિષ્ટ હોવાથી તેના કરતાં અન્ય દ્રષ્પ અનંત હોવાથી ઘટના જે પોતાના પર્યાય થાય તેના કરતાં તેનાથી ભિન્ન જે અનંત દ્રવ્ય અને અનંત વસ્તુઓના પર્યાય વધુ - વધુ અનંત થાય એ સ્પષ્ટ જ છે. તેથી પપર્યાય તે સ્વપર્યાય કરતાં અનંત ગણાય છે અને બંને સ્વપરપર્યાય, સર્વદ્રવ્યપર્યાય પરિમાણ છે કારણકે સર્વદ્રવ્યમાં બધી વસ્તુનો સમાવેશ થાય છે તેથી સર્વદ્રવ્યના પર્યાયોમાં સર્વ સ્વ અને પરપર્યાયનો સમાવેશ થાય એ સ્પષ્ટ છે. આ પરથી આચારાંગ સૂત્રમાં જે જણાવ્યું છે કે : જે એક જાણે છે તે સર્વ જાણે છે, જે સર્વ જાણે છે તે એક જાણે છે તે સત્ય છે એમ તુરત પ્રતીત થાય છે કારણકે તેનો ભાવાર્થ આ છે ઃ જે એક વસ્તુને સર્વપર્યાય થકી જાણે છે તે નક્કી સર્વને જાણે છે; કેમકે સર્વ જ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને, સ્વપ૨પર્યાયભેદ થકી ભિન્ન કરીને તેનાં સર્વરૂપે સમજવી એ અશક્ય છે; જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે તે એકને પણ સ્વપરપર્યાય ભેદ થકી ભિન્નરૂપે યથાર્થ જાણે છે. આ જ વાત બીજે પ્રકારે પણ કહેલી છે ઃ - एको भावस्तत्त्वतो येन बुद्धः सर्वे भावाक्तत्त्वतस्तेन बुद्धाः || જેણે એક ભાવ સર્વથા - તત્ત્વથી જોયો, તેણે સર્વભાવ સર્વથા જોયા; જેણે સર્વભાવ સર્વથા જોયો, તેણે એકભાવ સર્વથા જોયો. માટે આ પ્રકારે સકલ વસ્તુનું Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અને ક-અનંત ધમાંત્મકત્વ સિદ્ધ થયું. ભિાવ એટલે વસ્તુ. દરેક વસ્તુનો બીજી બધી વન સાથે સંબંધ હોય છે (સ્વપ યાંયથી કે પરપર્યાયથી.) તેથી એક વસ્તુનું જ્ઞાન જેને હોય તેને બધી વસ્તુનું જ્ઞાન થઇ જાય છે. આ સર્વ વસ્તુના સર્વધર્મને જોવાથી – વિચારવાથી એટલે તેની દરેક અપેક્ષાએ તે વસ્તુ સ્વરૂપ નિર્મીત કરે છે એવા જૈન દર્શનને “અનેકાંતવાદ' કહેવામાં આવેલ ઉપરના , નાતિ અને વક્તવ્ય એ ધર્મ જુદીજુદી રીતે કરવાથી સપ્તભંગ થાય છે : આ સાતમાંના દરેકને ચાતું એટલે કથંચિત્ - અપેક્ષાએ એ શબ્દ, લગાડવામાં આવે છે. તે આ પ્રમાણે : યાત્ વસ્તિ, ચાતુ નાસ્તિ, ચાતુ વસ્તિ નાતિ, તું વક્તવ્ય, ચાતુ તિ વક્તવ્ય, ચાતુ નીતિ વક્તવ્યું, અને ચતું તિ नास्ति युगपत् अवक्तव्य. ઉક્ત સપ્તભંગીથી જીવઅજીવાદિક વસ્તુમાત્રનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે. ૧. યાતુ અતિ – સ્વદ્રત્યક્ષેત્ર કાલભાવથી વસ્તુમાત્રમાં (સ્વપર્યાય રૂપે) અસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે. “ચાતું' પદ અનેકાંત વાચક છે તેથી અસ્તિ ધર્મની અત્રે જોકે મુખ્યપણે પ્રતીતિ થાય છે તોપણ (પરપર્યાયયરૂપે) તે વસ્તુના નાસ્તિ ધર્મનો નિષેધ થતો નથી – પરંતુ નાસ્તિધર્મની પણ ગૌણરૂપે પ્રતીતિ થાય જ છે. ૨. સ્યાત્ નાસ્તિ – પદ્રવ્યક્ષેત્ર કાલભાવથી વસ્તુમાત્રમાં (પરપર્યાય રૂ૫) નાસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે, અર્થાત્ વસ્તુ માત્રમાં તેના સ્વપર્યાય રૂપે જેમ અતિ (અન્વ) ધર્મ રહે છે તેમજ તેના પરપર્યાયરૂપે નાતિધર્મ પણ રહે છે. તાત્પર્ય કે વસ્તુમાત્રમાં પરપર્યાયરૂપે નાસ્તિ ધર્મનું પણ અસ્તિત્વ રહેલું છે. જો વસ્તુમાં નાસ્તિધમે અસ્તિરૂપે રહેતો ન હોય તો ઘટપટાદિક વ્યવહારનો લોપ થઈ જાય કારણકે ઘટ અને પટમાં કોઈ તફાવત રહેવા પામે નહિ. ઘટ અને પટ એ ભિન્ન છે તે તેના અસ્તિનાસ્તિ ધર્મથી ઓળખાય છે. ઘરમાં જેમ ઘટ૫ - ઘટના સ્વપયોયરૂપ દ્રવ્યક્ષેત્ર કાળભાવથી અસ્તિત્વ છે, તેવી જ રીતે તેમાં પટરૂપ – ઘટના પર્યાયરૂપ દ્રવ્યત્ર કાળભાવનું નાસ્તિત્વ પણ છે. આ ભંગમાં નાસ્તિ (અસત્ત્વ) ધર્મની મુખ્યપણે પ્રતીતિ છે તોપણ અસ્તિધમની. ગૌણપણે પ્રતીતિ થઈ શકે છે. ૩. ચાતુ અતિ ચાતુ નાસ્તિ – વસ્તુમાત્રમાં જેમ અતિધર્મ રહેલો છે તેવો જ નાસ્તિધર્મ પણ રહેલો છે. એક જ ક્ષણમાં ઉભય ધર્મનું અસ્તિત્વ હોવાથી ઉભયધર્મની અત્ર એકી સાથે પ્રતીતિ થઈ શકે છે તેથી આનો વિકલ્પ-ભંગ સંભવે છે. ૪. સાત અવક્તવ્ય – અસ્તિધર્મ અને નાસ્તિધર્મ વસ્તુમાત્રમાં સાથે સાથે વિદ્યમાન હોવા છતાં તે બંને એક જ સમયમાં હોય અને પ્રતીત થાય છતાં પણ કથી શકાતા નથી. વળી અસ્તિધર્મ અનંત છે અને તેથી પણ વધુ અનંત નાાિધમે છે તો. તે એક જ સમયમાં એકી સાથે શી રીતે કથી શકાય ? માટે તે અવક્તવ્ય છે એ.વો. વિકલ્પ પણ સંભવે છે. પ. ચાતુ અસ્તિ અવક્તવ્ય - ઉપર ચોથી વિકલ્પમાં જણાવ્યું કે અસ્તિમાં અને નાસ્તિધર્મ અનંત છે. તેમાં દરેકને છૂટા પ . તો (અસ્તિધર્મ લેતાં પાંચમો અને Page #256 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ સ્યાદ્વાદ નાસ્તિધર્મ લેતાં છઠો ભંગ થાય છે અને બંનેને ભેગાં લેતાં સાતમો ભંગ થાય છે) એટલે અસ્તિધર્મ અનંત છે તેથી સર્વ અસ્તિધર્મ પણ એક જ સમયમાં અવક્તવ્ય છે એ ભંગ થાય છે. આ ભંગમાં મુખ્યપણે અસ્તિધર્મસમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે. ૬. સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય નાસ્તિધર્મ પણ અનંત છે તેથી સર્વ નાસ્તિ ધર્મ પણ એક જ સમયમાં કથવા અશક્ય હોઈ અવક્તવ્ય છે. આ ભંગમાં મુખ્યપણે નાસ્તિધર્મ સમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે. ૨૩૫ ૭. સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય અસ્તિધર્મ અને નાસ્તિધર્મ બંને અનંત છે અને તે ઉભયને એક સમયે એકી સાથે બોલવા અશક્ય હોઈ અવક્તવ્ય છે. આ ભંગમાં અસ્તિ અને નાસ્તિધર્મ – એમ બંને સુહિત તે બંનેનું અવક્તવ્યત્વ પ્રતીત થાય છે. આમાં જેમ અસ્તિ નાસ્તિ ધર્મનું પ્રતિપાદન થયું તેવી જ રીતે નિત્ય અનિત્ય આદિ ધર્મનું પણ પ્રતિપાદન થાય છે. - આ ‘સ્યાદ્’ શબ્દથી પ્રારંભાતા સપ્તભંગનો વિસ્તાર જૈન ધર્મમાં છે તેથી તે જૈન દર્શનને ‘સ્યાદ્વાદ’ એ અભિધાન આપવામાં આવે છે. હવે અનેકાંતવાદ પર કોઈ શંકા કરે કે અનેકાંત વિરોધાત્મક છે. કારણકે તે વસ્તુમાં એકબીજાથી વિરોધી ગુણો નામે સત્ત્વ અસત્ત્વ, નિત્યત્વ અનિત્યત્વ આદિ માને છે. જુઓ (૧) જે સત્ હોય તે જ અસત્ શી રીતે હોય ? કારણકે જે શીત હોય તે ઉષ્ણ ન હોય આથી વ્યવહારનો ઉચ્છેદ થશે. (૨) નિશ્ચય રૂપે સત્ આદિ ગુણ ન હોવાથી ‘સંશય’ ઉત્પન્ન થશે. (૩) જે અંશે સત્ત્વ વસ્તુમાં છે તે અંગે તો સત્ત્વ તેમાં ખરું કે તે અંગે પણ સત્ત્વાસત્ત્વ બંને ? પહેલો પક્ષ લ્યો તો સ્યાદ્વાદની હિને થાય અને બીજો પક્ષ લ્યો તો ફરી એ જ પ્રશ્ન પૂછવો પડે કે વિરોધી ગુણ એકમાં કેમ હોય ? (૪) સર્વનું અનેકાત્મકત્વ સ્વીકારો છો તો જલાદિની પણ અગ્નિરૂપતા સંભવે, અને અગ્નિ આદિની જલરૂપતા સંભવે અને તેથી વ્યવહારનો લોપ થાય. આ શંકાનું સમાધાન આમ છે. (૧) વિરોધ નથી. સ્વરૂપાદિથી વસ્તુ સત્ હોય તે જ સમયે પરરૂપાદિથી તેના અસત્ત્વનો કોઈ અનુપલંભ નથી એટલે એક એકની સાથે રહેવા ૩પ શીતોષ્ણ સ્પર્શ જેવો વિરોધ થવાનો સંભવ નથી, કારણકે વિરોધ તો સાથે સાથે થનાર હોય ત્યાં સંભવે, પણ જ્યાં સત્ અસત્ સાથે પેદા થતાં નથી ત્યાં એટલે જ્યાં એક થાય છે ને બીજું નથી થતું ત્યાં વિરોધ સંભવે નહિ. (નૈસ્મિન્ન સંમવાત્) |આ સૂત્ર અહીં ઠીક નથી લાગતું. આ સૂત્ર બ્રહ્મસૂત્રમાં જૈનોના ખંડન માટે છે.| એક જ પુરુષ એકનો પુત્ર, બીજાનો પિતા, ત્રીજાનો પતિ, ચોથાનો શિષ્ય એમ થઈ શકે છે પણ તેમાં વિરોધ નથી. તેમાં તે પુરુષ એકનો પુત્ર હોય તો તેનો પિતા ન થઈ શકે; એટલે પોતાના પુત્રની અપેક્ષાએ પોતે પિતા છે, અને પોતાના પિતાની અપેક્ષાએ તે પુત્ર છે. (૨) આમાં સંશય પણ ઉદ્ભવે નહિ, કારણકે સત્ત્વ અને અસત્ત્વની સ્ફુટ રીતે પ્રતીતિ થાય છે. સંશય તો જ્યાં અદૃઢ પ્રતીતિ હોય ત્યાં જ સંભવે, જેમકે દોડી કે સ, સ્થાણુ કે પુરુષ એ વિષે. (૩) સત્ત્વ અસત્ત્વ આદિ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વસ્તુધર્મ છે, ધર્મના ધર્મ નથી. ધર્મને ધર્મ ન હોય. એકાંત નિશ્ચય સ્વીકારવાથી અનેકાંતવાદની હાનિ થાય છે એમ નથી કારણકે અનેકાંત મત પણ સમ્યગૂ એકાંત નિશ્ચય વિના બને નહિ. નય એકાંત સ્વીકારે છે, છતાં પ્રમાણ થકી તો અનેકાંતનો જ નિશ્ચય છે. (૪) જલાદિને સ્વરૂપની અપેક્ષાથી જલરૂપતા છે, પરરૂપની અપેક્ષાથી નથી એટલે જલના અર્થીને અગ્નિ પ્રત્યે પ્રવૃત્તિ થવાનો સંભવ નથી; કેમકે વપર પર્યાયાત્મકત્વથી સર્વ વસ્તુ સર્વરૂપે માનેલી છે. નહિ તો વસ્તુસ્વરૂપ જ બને નહિ. વળી ભૂત ભવિષ્ય ગતિને લઈને જલપરમાણુને પણ ભૂત ભવિષ્યની અગ્નિપરિણામની અપેક્ષાથી અગ્નિરૂપતા પણ છે જ; અને ઊના પાણીમાં તો પાણીની કોઈ પ્રકારે અગ્નિરૂપતા મનાય પણ છે જ. આ રીતે ઘણી સૂક્ષ્મતાથી ન્યાયથી ભરપૂર અનેકાંત દર્શન છે, તેમાં નય, નિક્ષેપ, પ્રમાણ આદિ અનેક વિષયોનો સમાવેશ થાય છે. 44 - (Aspect - standpoint) વસ્તુના અનંત સ્વભાવમાંથી કોઈ સત્ અંશનો સ્વીકાર કરી ઇતર અંગો પ્રત્યે ઉદાસીન રહેનાર “નય' કહેવાય છે. (ની = લઈ જવું. તે પરથી લઈ જનાર – પ્રાપક તે નય) એટલે જેનાથી વસ્તુનો બોધમાર્ગ – જીવાદિ પદાર્થનો બોધ સદંશ – સત્ય અંશ સ્વીકારવાથી અને બીજા અંશ તરફ ઉદાસીનતા રાખીને પ્રાપ્ત થાય છે તે નય - અને એક અંશનો સ્વીકાર કરી બીજા સર્વનો નિષેધ કરે તે નયાભાસ છે. તે સાત છે. ૧. નૈગમ, ૨. સંગ્રહ, 3. વ્યવહાર, ૪. ઋજુસૂઝ, ૫. શબ્દ, ૬. સમભિરૂઢ, અને ૭. એવંભૂત. ૧. નૈગમનય – વસ્તુમાત્રને સામાન્યરૂપે (જાતિ) અને વિશેષ (ભિન્નભિન્ન વ્યક્તિ) રૂપે એમ ઉયરૂપે પ્રહણ કરે છે. સામાન્યધર્મથી સેંકડો વ્યક્તિઓમાં એકતાબુદ્ધિ થાય છે, જેમકે અને ક ઘટોમાં ઘટત્વ એક પ્રકારનું છે, પણ વિશેષ ધર્મથી તેના વિશિષ્ટ ધર્મને લઈ વ્યકિત મન્નભિન્ન ઓળખી શકાય છે. રાતા ઘડાથી પીળો ઘડો જુદો ઓળખી શકાય છે, એ તેનાં રહેલ પીતત્વ વિશિષ્ટ ગુણને લઈને છે. નિગમ નય કહે છે કે સામાન્ય વગર વિરોધ નથી, અને વિશેષ વગર સામાન્ય નથી. આ નયનું જ ગ્રહણ ન્યાય અને વૈશેષિક દળોન કરે છે. ૨. સંગ્રહ નય – આ નય મુખ્યપણે રામાન્ય ધર્મને - સત્તાને સ્વીકારે છે. તે એમ જણાવે છે કે વનસ્પતિમાં નિંબ, આમ્ર આદિનો સમાવેશ થાય છે; આગળના નખ આદિ હાથથી ન્યારા ન હોવાથી તેનો હાથમાં સમાવેશ થાય છે. અરે વેદાંત અને સાંખ્ય દર્શનો આ નયને જ સ્વીકારે છે. ૩. વ્યવહાર – તે વ્યવહારમાં થાય છે તેમ વિશેષ ધર્મને સ્વીકારે છે. વનસ્પતિ લેવાનું કોઈને કહેવામાં આવે, પરંતુ તેને અમુક કેળાં, કેરી આદિ લેવાનું ખાસ કરીને કહેવામાં ન આવે તો સામાન્યતઃ વનસ્પતિ કહેવાથી તે શું ગ્રહણ કરી શકશે ? માટે સામાન્યનો કાંઈ તેવો ખપ પડતો નથી. વિશેષ ધર્મ ઓળખાણ ખરી પડે છે. ચાવક દર્શન આ નયને જ માન્ય કરે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ અનેકાનાવાદ – સાવાદ ૨૩૭ ૪. ઋજુસૂત્ર નય – (ઋજુ = સરલ + સૂત્ર = બોધ) તે સરલ એવા વર્તમાન સત્વગ્રાહી હોવાથી અતીત અનાગત ભાવને તજી કેવળ વર્તમાન પર્યાયવાળા પોતાના ભાવને જ વસ્તુપણે માન્ય રાખે છે, કારણકે એથી જ વર્તમાન ભાવથી કાર્યસિદ્ધિ થાય છે, પણ અતીત અને અનાગત તેમજ પરભાવથી કંઈ કાર્યનિષ્પત્તિ નથી. આથી તે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપને ન સ્વીકારતાં ભાવનિક્ષેપને જ સ્વીકારે છે. (આ ચાર નિક્ષેપનું ટૂંક સ્વરૂપ નયે આપેલ છે.) હાલ વસ્ત્ર પીળું હોય તો તે પીળું છે એમ કહેશે પરંતુ તે પૂર્વે ધોળું હોય અથવા હવે પછી કાળું થવાનું હોય તો તેની અપેક્ષા નહિ રાખે. રાજપુત્ર જ્યાં સુધી રાજા નથી થયો ત્યાં સુધી તે રાજપુત્ર છે પણ તે ભાવી રાજા કે અપેક્ષાએ રાજા છે એવું આ નય સ્વીકારતો નથી. બૌદ્ધ દર્શન આ નયને જ ગ્રહ છે (બૌદ્ધ આત્મા મરીને ક્યાં જાય છે, તે રહે છે કે નહિ તે વિશે બિલકુલ વિચાર કરવાની ના કહે છે. પણ વર્તમાનમાં જ જે દુઃખ છે – જે ભવપીડા છે તેને દૂર કરવાને મથવા જ કહે છે.) ૫. શબ્દ નય –- આ વસ્તુનાં જે જે બીજાં નામો – શબ્દપર્યાયો હોય તેને એક જ અર્થના તરીકે સ્વીકારે છે. જેમકે કુંભ, કલશ, ઘટ ઇત્યાદિ અનેક શબ્દો એક વાચ્યાર્થ (ઘટ)ને એક જ પદાર્થ એટલે ઘડો સમજે છે. આ નયમાં કાલ, લિંગ, વચન આદિ ભેદે પણ એક જ પદાર્થ – વાચ્યાર્થ સૂચવાય છે. જેમકે સ્ત્રી, કલત્ર, દારાઃ એ એક જ વસ્તુ સૂચવે છે ઈત્યાદિ. ૬. સમભિરૂઢ નય – ભિન્ન ભિન્ન પર્યાયશબ્દોથી તેના વ્યુત્પત્તિ આદિના કારણે ભિન્ન ભિન્ન વાચ્ય પદાર્થ બને છે એમ આ નય સ્વીકારે છે. દાખલા તરીકે ઈદ્ર, પુરંદર, શક્ર એ શબ્દનયથી એકાર્યવાચ્ય છે એટલે તે સર્વનો અર્થ એક જ થાય છે, પણ આ નયથી ઈદનથી – ઐશ્વર્યથી સંપન્ન હોય તે ઈદ્ર, મુદ્રરિણથી – દૈત્યોનાં) નગર નાશ કરવાથી પુરંદર, અને શકનથી – શક્તિથી સંયુક્ત હોય તે શક્ર. ૭. એવંભૂત નય – પોતાનું કાર્યકરનાર વસ્તુને જ વસ્તુગતે વસ્તુ માને છે અને તે પ્રમાણે તે વખતે કહે છે. દાખલા તરીકે ઇંદ્ર, શક, પુરંદર. ઈદ્ર ત્યારે જ કહેવાય કે જયારે તે ઇન્દનક્રિયા – ઐશ્વર્ય અનુભવતો હોય, શક્તક્રિયા એટલે શક્તિનો ઉપયોગ જ્યારે તે કરતો હોય ત્યારે તે શક્ર કહેવાય. અને જ્યારે દૈત્યોનાં પુરનો નાશ કરતો હોય ત્યારે જ તે પુરંદર કહેવાય. આ છેલ્લા ત્રણ નો વૈયાકરણીઓ – શબ્દશાસ્ત્રીઓ સ્વીકારે છે. આ સાતે નવી વસ્તુઓમાં ઘટાવી શકાય છે. (આનું જરાક વિસ્તારથી વર્ણન જોવું હોય તો જુઓ ‘નયકર્ણિકા' કે જે પ્રસિદ્ધ થયેલી છે.) | નિક્ષેપ – એટલે આરોપણ. વસ્તુમાં ચાર રીતે આરોપણ થાય છે તેથી તે ચાર નિક્ષેપ કહેવાય છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ૧. નામનિક્ષેપ – વસ્તુ માત્રને તેના આકાર કે ગુણ આદિની કાંઈપણ અપેક્ષા ' વગર નામ થકી બોલાવવી તે. જેમ કે મહાવીર. (આ પરથી મહાન્વીર હોય તેને જ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો મહાવીર કહેવામાં આવ્યું છે. એ તે અપેક્ષા વગર નામ આપવામાં આવેલ છે.) દ્રરિદ્રી હોય છતાં ધનપતિ' નામ હોય છે. - ૨. સ્થાપના નિક્ષેપ – પદાર્થનો આકાર જોઈ તેમાં તે જ પદાર્થનું આરોપણ કરવું તે. દેવળમાં મૂર્તિ જોઈ તેમાં અમુક પ્રભુનું આરોપણ કરવું કે આ “મહાવીર સ્વામી છે. તે જ રીતે ચિત્ર, ફોટો જોઈને કહેવાય છે કે આ કૃષ્ણલાલ છે, આ મોહનલાલ છે. ૩. દ્રવ્યનિક્ષેપ – દ્રવ્ય એ ભાવનું ઉપાદાન કારણ છે. જેમ માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે તેમ. અને જ્યાં સુધી ભાવ કાર્યરૂપે પરિણમે નહિ ત્યાં સુધી તે. દ્રવ્યની અવસ્થામાં છે. આથી ભાવહેતુક યાને વસ્તુ સ્વરૂપ નિમિત્તભૂત તે દ્રવ્યનિક્ષેપ. જેમકે જ્યાં સુધી જીવ પોતાનું સ્વરૂપ નથી જાણતો – પામતો ત્યાં સુધી તે દ્રવ્ય જીવ છે, જ્યાં સુધી સાધુ પોતાના જાગ્રત સ્વરૂપમાં ઉપયોગપૂર્વક રહેતો નથી ત્યાં સુધી તે ‘દ્રવ્યસાધુ છે. જ્યાં સુધી તીર્થકરને કેવલજ્ઞાન થયું નથી ત્યાં સુધી તે દ્રવ્ય તીર્થંકર ૪. ભાવનિક્ષેપ – ભાવનું ઉપાદાનકારણ દ્રવ્ય છે. ભાવમાં વસ્તુના ગુણો સમાવેશ પામે છે. તે-તે ગુણો પ્રકટે છે ત્યારે ભાવનિક્ષેપ થાય છે – અમુક વસ્તુના સદૂભૂત ગુણયુક્ત ભાવને ભાવનિક્ષેપ કહે છે. જેમકે આત્માનું જ્યારે શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે ત્યારે તે શુદ્ધ આત્મા કહેવાય છે, તીર્થકરને જ્યારે કેવલજ્ઞાન થાય છે અને ધર્મદેશના આપે છે ત્યારે તે ભાવતીર્થકર કહેવાય છે અને સાધુ બરાબર ઉપયોગપૂર્વક પોતાના આચારમાં વર્તે છે ત્યારે તે ભાવસાધુ છે. વગેરે. આ નિક્ષેપમાં વસ્તુનો નિશ્ચયગુણ હોય છે. હવે પ્રમાણ જોઈએ. આનું સ્વરૂપ વિશાલ છે, પણ અત્ર મયૉદિતપણે માત્ર રેખાદર્શન રૂપે નામ ગણાવીએ. પ્રમાણ એટલે સ્વપરનો સ્પષ્ટ નિશ્ચય કરાવે તે. મુખ્ય રીતે બે પ્રમાણે છે : ૧. પ્રત્યક્ષ ર. પરોક્ષ. અપરોક્ષપણે પદાર્થને ગ્રહણ કરનાર જ્ઞાન તે પ્રત્યક્ષના બે ભેદ છે. (૧) સર્વપ્રત્યક્ષ અને (ર) દેશપ્રત્યક્ષ. સવપ્રત્યક્ષ તે સર્વજ્ઞ સર્વદર્શીને હોય છે અને દેશપ્રત્યક્ષ તે અવધિજ્ઞાની અને મનપયૅવજ્ઞાનીને હોઈ શકે છે. રૂપી-અરૂપી સર્વ વસ્તુનું – આત્માનું પ્રત્યક્ષપણું થવું તે સર્વથા સર્વ રીતે સંભવે છે, અને અવધિજ્ઞાની અને મન:પર્યવસાનીને દેશથી – અમુક અંશે સંભવે છે. બીજાઓ તૈયાયિકાદિ ચક્ષુ આદિ ઇદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માને છે તેમ અત્ર નથી: આ પ્રમાણ અતીન્દ્રિય જ્ઞાન જ છે, ચક્ષુ ઈદ્રિયથી અરૂપી દ્રવ્યો દેખી કે જાણી શકાતા નથી તેથી તે અત્ર અપ્રમાણ છે. ફક્ત જ્ઞાન જ સ્વપરનો નિશ્ચય કરી શકે છે તેથી તે જ પ્રમાણભૂત છે. જડ એવી ઈદ્રિયથી અતીન્દ્રિય આત્માનો નિશ્ચય શી રીતે થઈ શકે ? પરોક્ષપ્રમાણ – જેથી વસ્તુધર્મનો અસ્પષ્ટ બોધ થાય તે પરોક્ષ પ્રમા; તે પાંચ પ્રકારનાં છે. ૧. સ્મરણ – સંકારજન્ય બોધથી અનુભવેલી બાબતનું જ્ઞાન થવું તે. ૨. પ્રત્યભિજ્ઞાન – અનુભવ તથા સ્મૃતિના યોગથી જે વસ્તુવિષયનું નિશ્ચિત સાન થાય Page #260 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ - સ્યાદ્વાદ ૨૩૯ તે. આ ગ છે. ગૌદશ ગવય છે. ૩. તર્ક - આ હોય તો અમુક જ હોય એ અન્વય વ્યક્તિ અને અન્યથા એ તે ન જ હોય એ વ્યતિરેક વ્યાપ્તિ સંબંધી જ્ઞાન તેને ઊહ અથવા તકે કહે છે. જેમકે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. વહ્નિના અભાવે ધુમાડાનો અભાવ હોય છે. ૪. અનુમાન – સાધ્યની સાથે વ્યાપ્તિએ રહેલું લિંગમાંથી સાધ્યનું નિશ્ચય કરનાર જ્ઞાન. આના બે પ્રકાર છે. (૧) સ્વાર્થીનુમાન એટલે પોતાના અનુભવથી – પોતાને માટે બાંધેલું અનુમાન અને (૨) પરાર્થાનુમાન – બીજાના અનુભવથી – બીજાને માટે બાંધેલું અનુમાન. આમાં (૧) પહેલા પ્રકારનું અનુમાન વારંવાર દૃષ્ટિથી અવલોકન કર્યા પછી પોતાના મનમાંથી જ કાઢેલું હોય છે. ધારો કે રસોડું અને બીજાં સ્થાનોમાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે એમ વારંવાર જોયા પછી અને જ્યાં ધૂમ હોય ત્યાં અવશ્યમેવ – વ્યાપ્તિથી અગ્નિ હોય એવું મનમાં પ્રતીત કર્યા પછી કોઈ મનુષ્ય પર્વત પર જાય છે અને તે પર્વત પર અગ્નિ છે કે નહિ એવી શંકા થાય છે તેટલામાં તે ઉપર ધુમાડો જુએ છે કે તરત જ ધૂમ અને અગ્નિ વચ્ચેની વ્યાપ્તિ તેના સ્મરણમાં આવે છે અને તેથી મનમાં નિર્ણય પર આવે છે કે પર્વત વતિમાનું છે કારણકે તે ઉપર ધૂમ છે. આ સ્વાર્થીનુમાન છે. (૨) પ્રત્યક્ષ અને અનુમાન પ્રસિદ્ધ અર્થનો પ્રકાશ કરવાથી અને તે બંને બીજાને જાણવાનાં સાધન હોવાથી પરાર્થોનુમાન છે, કારણકે તે બંનેને પરાથનુમાન કહેવાનું કારણ એ છે કે પ્રત્યક્ષ અને અનુમાનથી જે જ્ઞાન પોતાને અર્થે પ્રાપ્ત કરેલું હોય છે તે વાક્ય દ્વારા બીજાને આપી શકાય છે. પણું પરોક્ષપ્રમાણ શબ્દ છે – દષ્ટ એટલે પ્રમાણથી ઈષ્ટ અને નિશ્ચિત અર્થવાળું જે વાક્ય અબાધિતપણે પરમાર્થને કહે છે તે વાક્યમાંથી તત્ત્વતઃ ઉત્પન્ન થતું જ્ઞાન તે. તેના બે પ્રકાર છે. (૧) લૌકિક એટલે કોઈ વિશ્વસનીય પુરુષ પાસેથી મેળવેલું જ્ઞાન. (૨) શાસ્ત્રજ – એટલે શાસ્ત્રમાંથી ઉત્પન્ન થયેલું. ચાવોક માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, અને તે ઇદ્રિયજન્ય જ્ઞાને. પરોક્ષ પ્રમાણ : સ્થાનાંગસૂત્ર જેવા આગમગ્રંથો પ્રમાણે પરોક્ષ પ્રમાણના બે પ્રકાર છે – ૧. અભિનિબોધ કે મતિ અને ૨. શ્રત. (કારણકે આ બેમાં ઇન્દ્રિયોની મદદ લેવી પડે છે. જ્યારે અવધિ, મન:પર્યાય અને કેવલમાં જીવ ઇન્દ્રિયની મદદ વિના જ્ઞાન કરે છે જે પ્રત્યક્ષ છે. (જીવ અક્ષ છે.) બીજા દાર્શનિક વિચારકો ઇન્દ્રિયથી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રમાણ કહે છે તેથી તેમની સાથે ચર્ચાની સરળતા ખાતર પછીના જૈન દાર્શનિકો (જેમ કે જિનભદ્રાચાર્ય) ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતા જ્ઞાનને વ્યવહાર પ્રત્યક્ષ કહે છે અને આ વ્યાવહારિક દૃષ્ટિએ પરોક્ષ પ્રમાણમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન અને આગમ કે શબ્દનો સમાવેશ કરે છે. | Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન તત્ત્વ આત્મા ચૈતન્ય સર્વ દર્શનોની સરખામણીનો કોઠો વેદાંત સાંખ્ય ન્યાય-વૈશેષિક બૌદ્ધ બ્રહ્મરૂપ સરોવરનો પુરુષ બુદ્ધિ,સુખ-દુઃખ ક્ષણિક વિજ્ઞાનએક પરપોટો ચૈતન્યસ્વરૂપ આદિ આઠ ગુણવાળો સ્વરૂપ નિત્ય નિત્ય ક્ષણિક અનિત્ય, પ્રવાહે નિત્ય અંતઃકરણ મનદ્વારા આત્મા નિત્ય નિત્ય કે અનિત્ય ? કર્તા-ભોક્તા કોણ ? આત્મપ્રમાણ નિત્યાનિત્ય દ્રવ્યપર્યાય આશ્રી વ્યવહારનયે - જીવ, નિશ્ચયનયે – કર્મ શરીર પ્રમાણે નાલય વ્યાપક. વ્યાપક શરીર પ્રમાણે વિલાદ્વૈતમાં આત્મા ચિત્ત શરીરપ્રમાણ, સર્વવ્યાપી જ્યારે અન્ય આત્મા વ્યાપક વેદાંત સંપ્રદાયોમાં આત્મા અણુ-પરિમાણ. વેદાંતની ચર્ચા શાંકર વેદાંતને ધ્યાનમાં રાખી કરી છે.)]. બધા શરીર વચ્ચે પ્રતિશરીર ભિન્ન એકજ બ્રહ્મરૂપ આત્મા અંતઃકરણને બંધ, જીવ ફૂટસ્થ સાક્ષી તેનો અભિમાની આત્મ. જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પ્રતિશરીર ભિન્ન એક કે અનેક પ્રતિ શરીર, એકેક આત્મા કર્મનો બંધ જીવને બંધ. કોને ? નિશ્ચય નયે તો- કામણને બંધ અભિમાની આત્મા. પ્રતિશરીર ભિન્ન આત્માને Page #262 -------------------------------------------------------------------------- ________________ મોહ મૂલ-બીજ જગત ઈશ્વર કર્તા કર્મનો ક્ષય રાગ-દ્વેષ અનાદિથી છે. ઈશ્વર કાં નથી પુનર્જન્મ, પુણ્ય છે. પાપ, સ્વર્ગ, નર્ક. જગત્નો નાશ મુક્તનું પુનરાવર્તન નથી. શરીર કેટલાં ? જગત્નો નાશ નથી; હાનિવૃદ્ધિ છે. નથી. ઉ.વૈ.તે.આ કાર્યણ. મનુષ્યને ઘણે ભાગે ત્રણ શરીરપ્રમાણે મન શાથી મુક્તિ ? જ્ઞાન-દર્શન-ચારિત્ર્યથી અંતઃકરણ યા વાસનાનો ક્ષય સંસ્કાર-વાસના કલ્પના માત્ર સિદ્ધાંતમાં નથી; વ્યવહારમાં છે. છે. વાસ્તવિક નથી; કલ્પનામાં પ્રલય છે. નથી. સ્કૂલ-સૂક્ષ્મ-કારણ. કોશ પાંચ અન્નમય આદિ. અંતઃકરણરૂપ કર્મ-ભક્તિથી અંતઃકરણની શદ્ધિ થતાં તત્ત્વજ્ઞાનથી મુક્તિ. પ્રકૃતિ પુરુષન વિયોગ ત્રિગુણની વિષમતા અનાદિ કર્તા નથી છે. નાશ નથી નથી. સ્થૂલ સૂક્ષ્મ લિંગ પ્રકૃતિ – પુરુષનો ભેદ જાણવાથી દુઃખનો નાશ તત્ત્વનું અજ્ઞાન ઉત્પત્તિ-પ્રલય ઈશ્વર કાં છે. પ્રલય છે. નથી. એકશરીર અણુ પ્રમાણે તત્ત્વજ્ઞાન. હુંપણું ભુલાય દીવો બુઝાય યાં શૂન્ય. અહંભાવ; ‘હું છું’ એવી કલ્પના. અનાદિ કર્તા નથી. છે. નથી. નથી. નૈરાત્મ્ય ભાવથી [૧. સાંખ્યમાં ચિત્ત શરીરપરિમાણ છે. મન વિશે ક્યાંય પરિમાણની ચર્ચા ધ્યાનમાં નથી. પરંતુ પાંચ ઇન્દ્રિયોના પાંચ વિકલ્પો યુગપદ્ માન્યા નથી એટલે મન શરીરરિમાણ નિહ હોય એમ લાગે છે. પણ ચોક્કસ કહી શકાય નહીં. જૈનની જેમ સાંખ્ય પણ શરીરપરિમાણ માની શકે. સર્વ દર્શનોની સરખામણીનો કોઠો ૨૪૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ગૃહસ્થધર્મ અને યતિધર્મ ધર્મ ધર્મમાં ધુ ધાતુનો અર્થ ધારણ કરવું એ થાય છે. તો વ્યાવહારિક અર્થમાં દુર્ગતિમાં પડતાં જે જીવને ધારણ કરી રાખે તે ધર્મ અને તે પરસ્પર વિરોધ ન આવે તેવા શાસ્ત્રોક્ત પ્રમાણવાળા યથાર્થ વચનથી જણાવેલું અને મૈત્રી વગેરે ભાવનાથી યુક્ત એવું જે અનુષ્ઠાન તે છે. ધર્મ પરંપરાથી મોક્ષને સાધનારો છે. પરંપરાથી એટલે અવિરતિ સમ્યગ્દષ્ટિના (શ્રાવકના) ચતુર્થ ગુણસ્થાન વગેરેમાં આરોહણ કરવાથી અથવા સુદેવત્વ અને મનુષ્યત્વાદિ પ્રાપ્ત કરીને એમ જાણવું. ધર્મના ભેદ અનુષ્ઠાન કરનાર પુરુષના ભેદથી ધર્મ બે પ્રકારનો છે : ૧. ગૃહસ્થ ધર્મ અને ૨. યતિ ધર્મ' ઉપાયના ભેદથી ધર્મ ત્રણ પ્રકારનો છે : ૧. સમ્યગૃજ્ઞાન ૨. સમ્યગ્દર્શન ૩. સમ્યક્ઝારિત્ર (કે જેનું વર્ણન હવે પછી કરીશું.) ગૃહસ્થ ધર્મ બે પ્રકારનો છે. (૧) સામાન્ય એટલે સર્વ શિષ્ટ સાધારણ અનુષ્ઠાનરૂ૫ અર્થાત્ સામાન્ય માર્ગાનુસારી શિષ્ટ પુરુષોની અપેક્ષાએ આચરવારૂપ ધર્મ. (૨) વિશેષવિશેષથી “સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તથા શ્રાવકનાં ‘અણુવ્રત' (બાર વ્રત) પ્રમુખ અંગીકાર કરવારૂપ ધર્મ. કુલપરંપરાથી આવેલું, નિંદા રહિત, વૈભવાદિની અપેક્ષાએ જે ન્યાયપૂર્વક આચરણ તે ગૃહસ્થોનો સામાન્ય ધર્મ છે. આમાં માર્ગાનુસારીના ૩૫ ગુણો સમાય છે. તે ગુણો પ્રાપ્ત કરવાથી “ધર્મપ્રાપ્તિની યોગ્યતા' આવે છે માર્ગાનુસારી'ના ૩૫ ગુણ (માર્ગ એટલે સમ્યગ્દર્શનાદિક મુક્તિનો માર્ગ તેને અનુસરનાર તે માર્ગોનુસારી) : ૧. વૈશેષિક દર્શનમાં યોગગુનિ શ્રેયસિદ્ધિઃ સ ઘર્મ | – જેનાથી ઐહિક અને પારલૌકિક ઉદય થાય તે ધર્મ, શ્રીમદ્ ભાગવતમાં પ્રટિતો થર્મો ત્યધર્મસ્ત૬ વિપર્યયઃ – વેદવિહિત કર્મ તે ધર્મ અને વેદવિરુદ્ધ તે અધર્મ. આમ ધર્મની વ્યાખ્યાઓ જુદા જુદા બુદ્ધિમાનો જુદી જુદી રીતે આપે છે. જેનો વેદને અપૌરુષેય માનવાનો નિષેધ કરવા ઉપરાંત વેદને સ્વીકારતા નથી તેથી જૈન ધર્મ અવૈદિક ધર્મ ગણાય છે. ૨. વૈદિક ધર્મમાં ચાર આશ્રમ સ્થાપેલ છે : ૧. બ્રહ્મચર્યાશ્રમ ૨. ગૃહસ્થાશ્રમ ૩. વાનપ્રસ્થાશ્રમ ૪. સંન્યસ્તાશ્રમ – આમાંનો છેલ્લો આશ્રમ પાળનાર સંન્યાસીને જૈનમાં યતિ, મુનિ, સાધુ, અણગાર, શ્રમણ આદિ નામ આપેલ છે અને પહેલા ત્રણ આશ્રમને ગૃહસ્થ ધર્મમાં સમાવ્યા છે. ગૃહસ્થનું બીજું નામ “શ્રાવક' જેને પરિભાષામાં છે. ૩. આની સાથે સરખાવો. વેદમાં ધર્મને ત્રણ ભાગમાં વહેંચેલો છે : ૧. જ્ઞાનકાંડ ૨. ઉપાસનાકાંડ ૩. કર્મકાંડ. Page #264 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ ૨૪૩ ૧. ન્યાયસંપન્ન વૈભવ – આ ગુણ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. ન્યાયથી (પ્રમાણિકપણે) મેળવેલ ધન ધર્મકાર્યમાં વાપરવાથી આ લોક અને પરલોકના હિત અર્થે થાય છે. તે ધનના ભોગવતા પુરુષ પર કોઈ જાતની શંકા આવતી નથી તેથી તેનું ચિત્ત અવ્યાકુલ અને તેના પરિણામ સુંદર રહે છે. દ્રવ્યપ્રાપ્તિનો ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે એમ શાસ્ત્રકાર કહે છે. ન્યાયથી દ્રવ્યપ્રાપ્તિમાં “લાભાંતરાય” કર્મ દૂર થાય છે તેથી વિશેષ સંપત્તિ મળે. ૨. સમાનકુલ શીલવાળા સાથે તેમજ અગોત્રજ સાથે વિવાહ – પોતાના કુલ એટલે વંશ અને શીલ એટલે મધમાંસાદિ ત્યાગ કરવારૂપ વ્યવહાર જેવા બીજાના હોય તેની સાથે વિવાહ કરવાથી પરસ્પર અસંતોષ રહેતો નથી અને અહંકાર અને અવજ્ઞા દૂર થાય છે. એક ગોત્રમાં વિવાહ કરવાથી નાનામોટાનો વ્યવહાર લોપ થાય છે અને વિનયનો ભંગ થાય છે. ૩. દષ્ટ અને અદૃષ્ટ ઉપદ્રવથી બીતાં રહેવું – અન્યાયથી વ્યવહાર, જુગાર, પરસ્ત્રીગમન આદિ દુષ્ટ ઉપદ્રવનાં કારણો છે, અને મદ્યમાંસનું સેવન કે જેનાં ફલ શાસ્ત્રમાં નરકયાતના આદિ છે તે અદષ્ટ ઉપદ્રવનાં કારણો છે. આ કારણોથી બીતાં રહી દૂર રહેવું ઘટે છે કે જેથી ભય ચિત્તમાં થતો નથી, અને અન્ય લોકની વિડંબના નડતી નથી. ૪. શિષ્ટચરિતની પ્રશંસા કરવી – સદાચારમાં રહેલા જ્ઞાનવૃદ્ધ પુરુષો એ શિષ્ટ છે. તેમનું આચરણ તે શિષ્ટાચાર છે : જેવા કે લોકાપવાદથી ભય, દીનજનનો ઉદ્ધાર કરવાનો આદર, કૃતજ્ઞતા, સુદાક્ષિણ્ય (સારું ડહાપણ), સર્વની નિંદાનો ત્યાગ, સાધુપ્રશંસા, આપત્તિમાં અદૈન્ય, સંપત્તિમાં નમ્રતા, પ્રસ્તાવે મિતભાષણ, વૃથા વિવાદનો ત્યાગ, પ્રતિપત્રક્રિયા, કુલધર્મપાલન, અસદ્વ્યયત્યાગ, યોગ્ય સ્થાને ક્રિયા, મુખ્ય કાર્ય કરવામાં આગ્રહ, પ્રમાદનો ત્યાગ, લોકાચારનું અનુસરણ, સર્વત્ર યોગ્યતાનું પાલન, પ્રાણ જાય તોપણ નિંદિત કામમાં અપ્રવૃત્તિ. આ શિષ્ટાચારની પ્રશંસા કરી ગુણ ગ્રહણ કરવું. ૫. છ અંતરંગ શત્રુનો ત્યાગ – કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છે અંતરંગ શત્રુનો ત્યાગ કરી અવિરુદ્ધ અર્થનો અંગીકાર કરી – ગૃહસ્થધર્મને યોગ્ય રીતે ચાલી ઈદ્રિયનો જય કરવો. ૬. ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો – પોતાના અને પરના રાજ્યના સૈન્યના વિક્ષોભથી, દુકાળ, મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ વગેરેથી અસ્વસ્થ થયેલ નિવાસ – ગામ નગર પ્રમુખનો ત્યાગ કરવો. એમ ન થાય તો ધર્મ, અર્થ અને કામનો વિનાશ થવાનો સંભવ, તેથી ઉભયલોકમાં અનર્થ જ ઉત્પન્ન થાય. ૭. પોતાને યોગ્ય એવા પુરુષનો આશ્રય કરવો – સ્વામી એવો શોધવો કે જે ધાર્મિક, કુલાચારથી શુદ્ધ, પ્રતાપી અને ન્યાયી હોય. ૮. ઉત્તમ અને સદાચારી પુરુષોનો સંગ કરવો. ૯. સારે સ્થલે ગૃહ રાખવું. – જે સ્થાન અતિ ખુલ્લું અથવા અતિ ગુપ્ત હોય અને જ્યાં પડોશ ખરાબ હોય તે રહેવાને અનુચિત સ્થાન છે. વળી તે ઘર વાસ્તુનાં સર્વ લક્ષણોથી યુક્ત હોવું જોઈએ. અને તેમાં જવા-આવવાના ઘણા રસ્તા ન હોવા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જોઈએ કારણકે તેથી ચોરી થતી, તેમજ સ્ત્રીની લજ્જા વગેરે જતી અટકે છે. ૧૦. પોતાના વૈભવાદિને યોગ્ય એવો વેશ રાખવો. – વિરુદ્ધ વેશનો ત્યાગ કરવો. ૧૧. આવકપ્રમાણે ખર્ચ રાખવો. ૧૨. પ્રસિદ્ધ દેશાચાર પાળવા. ૧૩. નિંદિત કાર્યમાં બિલકુલ પ્રવૃત્તિ કરવી નહિ – મઘમાંસસેવન, પરસ્ત્રીગમન આદિ નિંદ્ય છે. ૧૪. સર્વપ્રાણીઓનો અવર્ણવાદ (નિદા) કરવો છોડી દેવો, તેમાં રાજા, મંત્રી, પુરોહિત (રાજ્યગુર) વગેરેનો વિશેષપણે છોડી દેવો. ૧૫. સદાચાર વગરના પુરુષો સાથે સંસર્ગ રાખવો નહિ. ૧૬. માતાપિતાની પૂજા કરવી. (ગુરુજનનો વિનય સાચવવો.) માતાપિતાને પરલોકના ધર્મવ્યાપારમાં પ્રેરણા કરવી, તેમની આજ્ઞાથી આ લોક અને પરલોકના કાર્યમાં પ્રવૃત્તિ કરવી. ૧૭. કોઈને ઉદ્વેગ ન થાય તેમ પ્રવૃત્તિ કરવી. ૧૮. જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેમનું ભરણપોષણ કરવું. તેમને યોગ્ય કાર્યમાં જોડવા, તેમના ધર્મ, અર્થ, અને કામના પ્રયોજનમાં હમેશાં લક્ષ રાખવું અને અનર્થમાંથી તેમની રક્ષા કરવાનો ઉદ્યોગ કરવો. ૧૯. જ્ઞાન-ગૌરવની રક્ષા – જો તે પોષ્ય વર્ગ નિંદા કરવા યોગ્ય થાય તો પછી ગૃહસ્થે પોતાના જ્ઞાન અને ગૌરવપણાની રક્ષા કરવી. ૨૦. દેવ, અતિથિ અને દીનજનની સેવા કરવી અને તેમાં ઉત્તમ પુરુષનું ઉદાહરણ લઈને દેવાદિકની યોગ્યતાનું ઉલ્લંઘન ન કરવું. ૨૧. પોતાની પ્રકૃતિની અનુકૂળતાએ વખતસર ભોજન કરવું અને રુચિ ઉપરાંત જમવાની લોલુપતા રાખવી નહિ અને જો અજીર્ણ થયું હોય તો ભોજન કરવું નહિ. ૨૨. શરીરમાં નબળાઈ લાગે તો તેનો ઉપાય કરવો. ૨૩. અઘટિત દેશ તથા અઘટિત કાલ પ્રમાણે ચાલવું નહિ. ૨૪. યોગ્યતા પ્રમાણે લોકવ્યવહાર કરવો – લોકવિરુદ્ધ આચરવું નહિ, હલકા લોકોની સાથે હીનાક્રમથી – લોકવ્યવહારના તુચ્છપણાથી વર્તવું. ૨૫. અતિ પરિચયનો ત્યાગ કરવો. ૨૬, સદાચારી અને જ્ઞાનવૃદ્ધની સેવા કરવી. ૨૭. પરસ્પર ગૂંથાયેલ ધર્મ, અર્થ અને કામને એકબીજાને ઉપઘાત ન થાય તેવી રીતે સેવવા. ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે, તેમાં જેનાથી સતિ અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ, જેનાથી સર્વપ્રયોજનની સિદ્ધિ થાય તે અર્થ, અને જેનાથી અહંકારના રસથી વ્યાપ્ત એવી સર્વઈદ્રિયોની પ્રીતિ થાય તે કામ છે. બુદ્ધિમાનું પુરુષે ધર્મને બાધા ન આવે તેવી રીતે કામ અને અર્થને વિષે યત્ન કરવો. જે અર્થ તથા કામનો ઉપઘાત કરી કેવલ ધર્મનું સેવન કરે તેને તો યતિપણું લેવું સારું છે – ગૃહસ્થને તો અર્થ તથા કામનું આરાધન કરવું શ્રેય છે. અતિ કામાસક્તનું દ્રવ્ય તથા Page #266 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થધર્મ અને યતિધર્મ ૨૪૫ ધર્મ નાશ પામે છે અને લાંબે કાળે તે સુખી થતો નથી. અતિ દ્રવ્યાસક્ત પુરુષ દ્રવ્યનો સંચય કરે પણ ક્યારે પણ ખર્ચે નહિ તેથી ધર્મનું પાલન ન થાય, તેમજ ગૃહસ્થધર્મ એવી શકે નહિ. ૨૮. ધર્મ, અર્થ, કામ – એ ત્રણમાંથી હરકોઈને બાધ થવા સંભવ લાગે તો મૂલ પુરુષાર્થને બાધ થવા દેવો નહિ. મૂલ પુરુષાર્થ તે ધર્મ છે. ૨૯. પોતાની શક્તિ અને અશક્તિ વિચારી કામ કરવું. ૩૦. ધર્મ અર્થ અને કામની ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ અનુબંધ (આગ્રહ) રાખવામાં પ્રયત્ન કરવો. ૩૧. જે કાલે જે વસ્તુ યોગ્ય હોય તેનો વિચાર કરી તેને અંગીકાર કરવી. ૩૨. હમેશાં ધર્મનું શ્રવણ કરવું. ૩૩. સર્વકાર્યમાં કદાગ્રહ ન રાખવો. ૩૪. ગુણોમાં પક્ષપાત રાખવો. ૩૫. ઊઠ, અપોહ આદિ બુદ્ધિના આઠ ગુણનો યોગ સાધવો – ગ્રહણ કરવો. બુદ્ધિના આઠ ગુણ આ છે - (૧) સાંભળવાની ઈચ્છા તે “શુષા” (૨) પછી સાંભળવું તે “શ્રવણ' (૩) શાસ્ત્રના અર્થનું ગ્રહણ કરવું તે “ગ્રહણ.” (૪) જે ધાર્યું હોય તે ભૂલવું નહિ તે “ધારણા. (૫) મોહ, સંદેહ અને વિપર્યાસ રહિત જ્ઞાન થવું - જાણવું તે “વિજ્ઞાન.” (૬) જે અર્થ જાણ્યો હોય તેને અવલંબીને તેવી જાતના અન્ય અર્થમાં વ્યક્તિ થવાથી જે વિતર્ક કરવો તે ઊહ.' (૭) ઉક્તિ (વચન) અને યુક્તિથી વિરુદ્ધ એવા અર્થથી પ્રત્યવાની સંભાવના લાવી નિવૃત્ત થવું તે “અપોહ' (સામાન્યજ્ઞાન તે ઉહ અને વિશેષજ્ઞાન તે અપોહ છે). (૮) વિજ્ઞાન, ઊહ અને અપોહથી શુદ્ધ થયેલ “આ આમ જ છે' એવો નિશ્ચય તે ‘તત્ત્વાભિનિવેશ'. આ આઠ ગુણથી જેણે બુદ્ધિનો ઉત્કર્ષ પ્રાપ્ત કર્યો હોય તે કદી પણ અકલ્યાણ પામતો નથી. આ ગુણોથી સમ્યગ્દર્શનાદિ નિજસ્વભાવનો ઉત્કર્ષ થાય છે અને તેથી ચારિત્રવંત અતત્વને વિષે આગ્રહવાળો હોતો નથી. માટે આ ગુણોવાળો સદ્ધર્મને ગ્રહણ કરવામાં યોગ્યાધિકારી થાય છે. ગૃહસ્થધર્મ (શ્રાવકનાં બાર વ્રત) પ્રાપ્ત કરવા પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલું હોવું જોઈએ અને તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી અણુવ્રત વગેરેનું ગ્રહણ કરવું ઘટિત છે, અન્યથા નથી. શ્રાવકના ૨૧ ગુણ – ૧. અક્ષુદ્ર – ઉદારદિલ – પરાયાં છિદ્ર જોવામાં સહજ ઉપેક્ષાવાળો. ૨. રૂપવાન્ – સારા બાંધાનો. ૩. પ્રકૃતિસૌમ્ય – શીતળ સ્વભાવનો. ૪. લોકપ્રિય (દાનશીલવિયાદિ ગુણથી જનપ્રિય). ૫. અકૂર – કોમળ હૃદયનો, ૬. ભીરુ - પાપ ને પરભવનો ડર રાખનારો, ૭. અશઠ - છળકપટ રહિત, ૮. સદાક્ષિણ્ય – મોટાનું માન રાખવાને તેમના કહેવા મુજબ કરનારો, ૯. લજ્જાળુ – લાજમર્યાદા રાખનાર. ૧૦. દયાળુ, ૧૧. મધ્યસ્થ સૌમ્યદષ્ટિ – નિષ્પક્ષપાતી, ૧૨. ગુણરાગી, ૧૩. સત્યથ - ધર્મકથા જેને પ્રિય છે. ૧૪. સુપયુક્ત શીલવંત કુટુંબસગાંવાળો. ૧૫. સુદીર્ઘદર્શી – લાંબી નજરવાળો, ૧૬. વિશેષજ્ઞ – વસ્તુના ગુણદોષ વિશેષ રીતે સમજનાર, ૧૭. વૃદ્ધાનુગ – જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધને અનુસરનાર, ૧૮. વિનીત – ગુણી પ્રત્યે નમ્ર, ૧૯. કૃતજ્ઞ – ઉપકાર ન ભૂલતાં પ્રત્યુપકાર કરવાની ઈચ્છાવાળો, ૨૦. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પરહિતાર્થકારી – સ્વાર્થ વગર અન્યનું હિત કરનારો, અને ૨૧. લબ્ધલક્ષ – ચંચળ અને કાર્યદક્ષ. શ્રાવકનાં ૧૨ વ્રત ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ ૪. સ્થૂલ અબ્રહ્મચર્ય વિરમણ ૫. સ્થૂલ પરિગહ વિરમણ. આ પાંચ અણુવ્રત છે. આ ઉપરાંત ત્રણ ગુણવ્રત નામે ૬. દિશા પરિમાણ વ્રત ૭. ભોગોપભોગ પ્રમાણ, ૮. અનર્થ દંડ વિરતિ છે, અને ૪ શિક્ષાવ્રત નામે ૯. સામાયિક, ૧૦. દેશાવકાશિક, ૧૧. પૌષધોપવાસ અને ૧૨. અતિથિ સંવિભાગ છે. પાંચ અણુવ્રત – શ્રાવકનાં ઉપરોક્ત પાંચ વ્રત અણુ એટલે લઘુ - સાધુના પંચ મહાવ્રતની અપેક્ષાએ – ગણાય છે. ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ - સ્થૂલ અહિંસા. પ્રમત્તપણાના યોગથી પ્રાણીનો નાશ કરવો તે પ્રાણાતિપાત છે. તે સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે પ્રકારે છે. પૃથ્વી વગેરે સ્થાવર (એકેંદ્રિય) જીવોની હિંસા તે સૂક્ષ્મ પ્રાણાતિપાત છે. હદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય (એ ત્રસ) જીવોની હિંસા તે સ્થૂલ પ્રાણાતિપાત છે, અને તેનાથી દૂર રહેવું તે આ પ્રથમ અણુવ્રત છે. સાધુઓ સૂક્ષ્મપ્રાણાતિપાતથી દૂર રહી શકે છે એટલે એકેંદ્રિય (સ્થાવર)ની દયા પણ પાળી શકે છે તેથી તેના આ વ્રતને મહાવ્રત કહેવામાં આવે છે. આ અણુવ્રતના પાંચ અતિચાર (વિરાધના, દેશભંગ) છે કે જે કરવાથી વ્રતનો અમુક અંશે પણ ભંગ થાય છેઃ (૧) બંધ – દોરી, રસ્સીથી બાંધવું, (૨) વધ – તાડન કરવું, ચાબુક વગેરેથી મારવું (૩) છવિચ્છેદ – કવિ એટલે ચામડી તેનો છેદ એટલે છરી વગેરેથી કાપવું, (૪) અતિભારારોપણ – ઘણો બોજો પ્રાણી ઉપર નાંખવો, (૫) અત્રપાનનિરોધ - અન્ન અને પાણીનો અભાવ કરવો – ન આપવો. આ અતિચાર જેનું અંતઃકરણ કોધ તથા લોભાદિ કષાયમલથી કલંકિત થયેલું હોય છે અને પ્રાણીઓના પ્રાણને નાશ કરવામાં જે અપેક્ષા રહિત છે તેને લાગે છે, પણ જે બંધ વગેરે કરવામાં અપેક્ષાસહિત એટલે ઢોર વગેરેને બાંધી ઘેર રાખવા માટે બંધ વગેરે કરે છે તેને અતિચાર લાગતી નથી. ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ – સ્કૂલ સત્ય. સ્થૂલ એટલે મોટા અસત્યનો ત્યાગ કરવો તે. ઉત્તમ પુરુષ તો સર્વદા મૃષાવાદનો ત્યાગ કરે, પણ તેમ જો ન બની શકે તો પાંચ મોટાં અસત્ય તો ન જ બોલે – તેનો ત્યાગ કરે. તે પાંચ ચૂલમૃષાવાદ આ છે : (૧) કન્યાલીક – કન્યાસંબંધે જૂઠું. તેના સંબંધે ઊલટસૂલટું બોલી તેનો બીજા સાથે લગ્નસંબંધ કરી આપે કે જેથી જન્મભર દુઃખ સહન કરવું પડે. માટે તેવું જૂઠું ન કરવું. (૨) ગવાલીક – ગાય આદિના સંબંધે જૂઠું. ગાય સારી છે, દૂધાળી છે, ૧. સરખાવો. શ્રીમદ્ ભાગવત. अहिंसा लक्षणो धर्मो ह्यधर्मः प्राणिनां वधः । तस्माद्धर्माभिलाषिभिः क्रियते प्राणिनां दया ।। Page #268 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થધર્મ અને યતિધર્મ બળદ બહુ સારો ચાલે છે વગેરે જૂઠું બોલી સારો ભાવ લઈ સ્વાર્થ સાધવો – વગેરેનો ત્યાગ કરવો ઘટે છે. (૩) ભૂખ્યલીક - ભૂમિ સંબંધી જૂઠું. બીજાની જમીન પોતાની કહેવી એ તેમજ ઘર, ગાડી, ઝાડ વગેરે સર્વ પરિગ્રહ સંબંધી જૂઠું બોલવું ન જોઈએ. (૪) ન્યાસમૃષા – (થાપણ મોસા) કોઈ પોતાને ત્યાં થાપણ મૂકી ગયો હોય અને એનો ઇનકાર કરવો એ આ વ્રતસ્થને યોગ્ય નથી. (૫) અસત્ય સાક્ષી પૂરવી, આનો પણ ત્યાગ કરવો જોઈએ. રહસ્યામ્યાખ્યાન ન્યાસ આ વ્રતના પાંચ અતિચાર છે તે વર્જવા ઃ (૧) મિથ્યાઉપદેશ – મૃષા ઉપદેશ અસત્યનો ઉપદેશ કરવો, વિષય સેવવા સંબંધે શીખવવું વગેરે. (૨) બે અથવા વધુ એકાંતમાં મસલત કરતા હોય તેને રાજ્ય વિરુદ્ધ પ્રપંચ કહેવો. (૩) કૂટલેખકરણ – ખોટા લેખ બનાવવા. (૪) ન્યાસાપહાર એટલે પારકે ઘેર મૂકેલી થાપણ તેનો અપહાર એટલે તેને ઓળવવા માટે ઇનકાર કરવો. (આ ઉપરોક્ત પાંચ સ્થૂલ મૃષાવાદમાં આવી જવાથી અહીં સહસાભ્યાખ્યાન નામનો અતિચાર મૂકવામાં આવે છે – તેનો અર્થ એ થાય છે કે વિચાર કર્યા વગર કોઈના ૫૨ જૂઠાં કલંક – વ્યભિચારી વગેરેનાં – દેવાં). ૫. સ્વદારમંત્રભેદ એટલે પોતાની સ્ત્રી, તેમજ ઉપલક્ષણથી મિત્રો, ભાઈ વગેરેએ કહેલ ગુપ્ત વાતનો ભેદ બહાર પાડવો પ્રકટ કરવી. - સ્વદાર - what ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ – સ્કૂલ અસ્તેય સ્થૂલ એટલે મોટી ચોરીનો ત્યાગ કરવો – તેનાથી અટકવું તે. જેવી કે ધાડ પાડવી, લૂંટ કરવી, ઘર ફાડી ચોરી કરવી, છલકપટથી કે વિશ્વાસઘાતથી બીજાની વસ્તુ ખાઈ જવી, મિલકતનો અપરાધ સહિત ખોટો ઉપયોગ કરવો કે મિલકતની અદલાબદલી કરવી વગેરે. - – આના પાંચ અતિચાર આ છે : (૧) સ્તન પ્રયોગ – સ્પેન એટલે ચોર અને તેનો પ્રયોગ એટલે વ્યાપાર એટલે ચોરી કરનારને મદદ કરવી. (૨) તેનાહતાદાન ચોરે લઈ આવેલી વસ્તુને જાણીને લેવી. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ પોતાના રાજાથી વિરુદ્ધ રાજ્યમાં જવું. (૪) હીનાધિક માનોન્માન – ન્યૂનાધિક કાટલાં, માપાં રાખવાં. (૫) પ્રતિરૂપક વ્યવહાર – સારીમાં ખરાબ વસ્તુ ભેળવી (દૂધમાં પાણી, ઘીમાં છાશાદિ એમ ભેળવી) વ્યવહાર કરવો – વેચવી. चौरचौरापको मंत्री मेदतः काणकः क्रयी । ૨૪૭ — ૪. સ્થૂલ અબ્રહ્મચર્ય વિરમણ – સ્વદારસંતોષ – પરદારપરિહાર વ્રત – (સ્થૂલ મૈથુનત્યાગવ્રત) – તે પરસ્ત્રીનો ત્યાગ કરવો, પરપુરુષની વિવાહિતા સ્ત્રી તથા પરની રાખેલી સ્ત્રી તેની સાથે અનાચાર ન સેવવો એવું જે વ્રત તે આ છે. સ્વપત્નીમાં સંતોષ રાખવાનું વ્રત છે. ૧. ચોર સાત પ્રકારના કહ્યા છે. अन्नदः स्थानदश्चैव चौरः सप्तविधः स्मृतः || - ચોર, ચોરી કરાવનાર, ચોરીનો વિચાર કરી ગોઠવણ કરનાર, ચોરીના ભેદને જાણી તેને મદદ આપનાર, ચોરેલી વસ્તુને વેચનાર તથા લેનાર, ચોરને અન્ન આપનાર અને ચોરને એ 9 પ્રકારના ચોર કહેલ છે. સ્થાન આપનાર Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આ વ્રતના પાંચ અતિચાર આ છે: (૧) પરવિવાહકરણ – પારકાં છોકરાંનો વિવાહ કરી આપવો. (૨) ઈત્વર અપરિગ્રહીતાગમન- ઈતર એટલે અલ્પકાલ કોઈ પુરુષે પરિગ્રહેલી – રાખેલી વેશ્યા સાથે વિષયસેવન. (૩) પરિગ્રહીતાગમન – પરણ્યા વગરની કુમારી અથવા વિધવા સ્ત્રી અપરિગૃહીતા કહેવાય છે તેની સાથે વિષયસેવન. (૪) અનંગક્રીડા – અહીં અનંગના બે અર્થ થાય છે - અંગ એટલે દેહનો અવયવ, પણ મૈથુનની અપેક્ષાએ તેનો અર્થ યોનિ અને લિંગ એ બે છે તે સિવાયનાં અંગ તે અનંગ કહેવાય છે તેની સાથે ક્રીડા કરવી તે, અથવા અનંગ એટલે કામ. તેની અથવા તે વડે ક્રીડા એટલે પોતાના લિંગ કરી જેનું પ્રયોજન સિદ્ધ થતું નથી તેવા પુરુષે કૃત્રિમ લિંગ ઉત્પન્ન કરી યોનિસેવન કરવું તે. (૫) તીવ્રકામાભિલાષ – કામ – મૈથુનમાં અથવા કામભોગમાં (શબ્દ અને રૂપ એ બે કામ, તથા ગંધ, રસ અને સ્પર્શ એ ભોગ) તીવ્ર અભિલાષ એટલે અત્યંત અધ્યવસાય રાખવાપણું અર્થાત્ નિરંતર વિષયસુખને ભોગવવાને વાજીકરણ વગેરે ઉપચાર કરી કામોદ્દીપન કરવું તે. ૫. સ્થૂલ પરિગ્રહપ્રમાણ – (સ્થૂલ અપરિગ્રહ) જે જે વસ્તુ ગૃહસ્થને ઉપયોગી છે અને પોતાની પાસે રાખવામાં આવે છે તેનું પરિમાણ કરી અમુક મર્યાદા સુધીની રાખવી તે આ વ્રત છે. આનો હેતુ સાંસારિક વસ્તુઓ પરની મૂચ્છ ઉતારવાનો છે. તે વસ્તુઓને પાંચ રીતે વહેંચી શકાય : (૧) ક્ષેત્રવાસ્તુ – ક્ષેત્ર એટલે ધાન્યની ઉત્પત્તિની ભૂમિ અને વાસ્તુ – ઘર, ગામ, તથા નગર વગેરે રહેવાનાં સ્થલ, (૨) હિરણ્યસુવર્ણ – સોનુંરૂપે (૩) ધનધાન્ય – ધનમાં ગણાય તેવું – ગણિમ (સોપારી વગેરે), જોખાય તેવું – ધરિમ (ગોળ વગેરે), મપાય તેવું – મેય (ઘી વગેરે), અને પરિચ્છેદ્ય (માણેક વગેરે)નો સમાવેશ થાય છે, ધાન્યમાં સર્વજાતનાં ધાન્યનો સમાવેશ થાય છે. (૪) દાસીદાસ – આમાં ઉપલક્ષણથી બપગાં – ચારપગાં પ્રાણીનો પણ સમાવેશ થાય છે. (૫) કુષ્ય – આસન, શયન વગેરે ઘરનાં ઉપકરણ, તેમજ ત્રાંબાપિત્તળ આદિ ધાતુઓનો સમાવેશ થાય છે. આના પાંચ અતિચાર ઉપરોક્ત વસ્તુપ્રકારના પરિગ્રહણપ્રમાણનો અતિક્રમ થતાં થાય છે. જેમકે (૧) ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ, (૨) હિરણ્યસુવર્ણ પ્રમાણાતિક્રમ (૩) ધનધાન્યપ્રાણાતિક્રમ (૪) દાસદાસી પ્રમાણીતિક્રમ અને (૫) કુપ્રપ્રમાણતિક્રમ છે. ત્રણ ગુણવ્રત – ઉપરોક્ત પાંચ અણુવ્રતને જે ગુણકારી – ઉપકારક છે તેનું નામ ગુણવ્રત આપવામાં આવેલ છે. તે ત્રણ છે ઃ ૧. દિક્યુરિમાણવ્રત ૨. ભોગોપભોગ પ્રમાણ ૩. અનર્થદંડવિરતિ. ને તે શ્રાવકનાં બારે વ્રતમાં ૬-૭ ને ૮ સંખ્યાવાળાં છે. ૬. દિશાપરિમાણ – ચારે દિશામાં તથા ઊર્ધ્વ, અધઃ – નીચે, જવામાં મર્યાદા કરી લેવી કે અહીં સુધી જવું. આથી અતિશય ધન મેળવવાની વગેરે તૃષ્ણા ઓછી થાય છે. અને મર્યાદિત ક્ષેત્રની બહાર વ્યભિચારાદિ થતાં નથી. આના પાંચ અતિચાર : (૧) ઊર્ધ્વવ્યતિક્રમ (૨) અધોવ્યતિક્રમ અને (૩) તિર્યગુવ્યતિક્રમ એટલે ઊંચું,નીચું અને તીરછું ક્ષેત્ર પરિમાણ કરી રાખેલ હોય તેનું ઉલ્લંઘન કરવું, (૪) ક્ષેત્રવૃદ્ધિ – એક ક્ષેત્રની મર્યાદા બીજા ક્ષેત્રમાં ભેળવી તે ક્ષેત્રનું ઉલ્લંઘન કરવું. (૫) સ્મૃતિભ્રંશ – સ્મૃતિ WWW.jainelibrary.org Page #270 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ ૨૪૯ ન રહેવાથી એક ક્ષેત્રની મર્યાદા જે હોય તેથી આગળ જવું અને જવાયું હોય તો પછી સ્મૃતિ થતાં પાછું ન વળવું તે. ૭. ભોગોપભોગ પરિમાણ – ખાનપાનની ચીજ કે જે એક વખત ભોગવવામાં આવે છે તેને ભોગ કહેવામાં આવે છે, અને જે વારંવાર ભોગવવામાં આવે તે (દાગીના, વસ્ત્ર વગેરે) ઉપભોગ કહેવાય છે. આ બંનેનું પરિમાણ બાંધવું – જેટલું જરૂરનું હોય તેટલા માટે છૂટ રાખી બીજા માટે પ્રત્યાખ્યાન લેવું તે – તેનો ત્યાગ કરવો તે. આને માટે ૧૪ નિયમ કરવામાં આવ્યા છે. વળી પાપમય – સાવદ્ય ૧૫ જાતના વેપાર છે તેનો ત્યાગ કરવો કારણ કે તેથી કર્મનું આદાન-આગમન થાય છે. આને ૧૫ કર્માદાન કહેવામાં આવે છે : (૧) અંગારકર્મ. લાકડાના અંગારા – કોયલા કરી વેચવા. (૨) વનકર્મ – વન વેચાતું રાખી તેને કાપી કાપી વેચવું. (૩) શકટીકર્મ – ગાડાં પ્રમુખ વાહન રાખી ધંધો કરવો, (૪) ભારી કર્મ – ગાડાં ભાડે રાખવાં, રખાવવાં. (૫) સ્કોટી કર્મ – ટાંકવું, ફોડવું કે હલથી જમીન ઉખેડવી. (૬) દંતવાણિજ્ય – હાથીદાંતનો વેપાર કરવો, (૭) લાક્ષાવાણિજ્ય – લાખનો વેપાર (૮) રસવાણિજ્ય – મદિરાદિ રસનો વેપાર (૯) કેશવાણિજ્ય – ચમરના વાળ વગેરેનો વેપાર (૧૦) વિષવાણિજ્ય – ઝેરનો વેપાર, (૧૧) યંત્રપાલન કર્મ – ઘાણી પ્રમુખ પીલવાનાં યંત્રો કરવાં (૧૨) નિલંછન કર્મ - પશુઓને ડામ દઈ આંકવાં – અંડછેદન વગેરે, (૧૩) દવદાન કર્મ – વનમાં દવ સળગાવવો, (૧૪) સરતડાગશોષ કર્મ – સરોવર કૂવા વગેરે સૂકવવાં, અને (૧૫) અસતીપોષણ કર્મ – વળી આ વ્રતસ્થ ૨૨ અભક્ષ્ય ત્યાગવાં જોઈએ અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. ૮. અનર્થદંડ વિરમણ – વિરતિ – પોતાને કે પોતાના સ્વજનકુટુંબ વાસ્તે જે પાપકારણ કરવું તે અર્થદંડ છે અને તે સિવાયનું અનર્થદંડ છે અને તેનાથી વિરક્ત રહેવું તે આ વ્રત છે. - તેના ૪ ભેદ છે : (૧) અપધ્યાન અનર્થદંડ (૨) પાપોપદેશ અનર્થદંડ (૩) હિંસપ્રદાન અનર્થદંડ (૪) પ્રમાદાચરિત અનર્થદંડ. (૧) અપધ્યાન અનર્થદંડના બે ભેદ છે. (અ) આર્તધ્યાન (બ) રૌદ્ર ધ્યાન. આ બે ધ્યાન અપધ્યાન – કુધ્યાન – અસદૂધ્યાન – અપ્રશસ્ત ધ્યાન છે. તે દરેક લઈએ. ૧. ૨૨ અભક્ષ્ય = વડ, પીપર, પિલખણ, ઉદુંબર, ગુલર એ પાંચનાં ફળ, મદિરા, માંસ, મધ, માખણ, બરફ, અફીણ પ્રમુખ વિષવસ્તુ, કરા, સર્વ જાતની કાચી માટી, રાત્રિભોજન, બહુ બીજવાળાં ફળ, સંધાન અથાણાં (૩ દિવસ ઉપરાંતનાં), દ્વિદલ ધાન્ય, રીંગણાં, તુચ્છ ફલ (જાંબુ પીલુ વગેરે), અજાયું ફલ, ચલિતરસ (જે વસ્તુનો કાલ પૂરો થયો હોય ને સ્વાદ બદલાઈ ગયો હોય તેવાં સડેલાં ફલ વગેરે) અને ૩૨ જાતની અનંતકાય (કંદ વગેરે). સરખાવો શ્રીમદ્ ભાગવત __ मद्यमांस मधुत्यागी त्यक्तोदुंबरपंचकः । निशाहार परित्यक्त एतद् ब्राह्मणलक्षणं ।। વળી મહાભારતમાં કહ્યું છે કે : મઘમસાશનં રાત્રી મોનને પક્ષi | ये कुर्वन्ति वृथा तेषां तीर्थयात्रा जपस्तपः ।। Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આર્તધ્યાન-તે ચાર પ્રકારનાં છે : (8ત એટલે પીડા, તેમાંથી ઉત્પન્ન થયેલ તે આર્ત) (ક) અનિષ્ટ સંયોગ – પોતાનાં સ્વજન, ધન, શરીર તેનો નાશ કરનાર અગ્નિ, જલ, વિષ, શસ્ત્ર, સર્પ, સિંહ, દુષ્ટજન વૈરી આદિ અનિષ્ટ પદાર્થોના સંયોગથી જે ખરાબ ચિંતવના થાય તે. (ખ) ઈષ્ટ વિયોગજ – રાજ્ય, ઐશ્વર્ય, સ્ત્રી, કુટુંબ, મિત્ર, ભોગ, આદિના નાશ કે વિયોગ વખતે તથા ચિત્તને પ્રીતિ ઉપજાવનાર સુંદર ઈદ્રિયવિષયોના અભાવ કે વિયોગ વખતે જે ત્રાસ, પીડા, ભ્રમ, શોક, મોહના કારણે નિરંતર ખેદરૂપ થાય છે એ આ પ્રકારનું આર્તધ્યાન છે અને તે ધ્યાન પાપસ્થાન છે. (ગ) રોગપીડા ચિંતવન – (રોગનિદાન) વાતપિત્તકફના પ્રકોપથી ઉત્પન્ન થયેલ શરીરના રોગોથી જે વ્યાકુલતા થાય છે તે. (ઘ) અગ્ર શૌચ - આગળ જતાં અમુક ભાવ આવે તો લાભ થાય, હું છોકરાઓના વિવાહ કરીશ અને મને લોકમાં માન-મોટાઈ મળશે એમ ભવિષ્યના અગાઉથી વિચાર કરવા તે. અથવા ભોગા – આ નામ પણ આપેલ છે. તેનો અર્થ એ થાય છે કે અમુક ભોગ, સુંદર સ્ત્રી, ઐશ્વર્ય, વગેરે આનંદરૂપ વસ્તુઓ મને કેમ મળે એ પ્રકારનું ચિંતવન. આ ધ્યાન સંસારની પરિપાટીથી થતું આવ્યું છે અને સંસારનું કારણ છે. આશામાં જ ખૂતેલા પ્રાણીઓ ડૂખ્યા છે. આ આર્તધ્યાન પાંચમા ગુણસ્થાન (શ્રાવક) સુધી ચારે પ્રકારે રહે છે, અને છઠ્ઠા ગુણસ્થાન (સર્વવિરતિ – પ્રમત્ત ગુણસ્થાન) સુધી પહેલા ત્રણ થાય છે. રૌદ્ર ધ્યાન પણ ૪ પ્રકારનું છે : રુદ્ર એટલે કૂર આશયવાળો ભાવ. તે રીદ્ર. | (ક) હિંસાનંદ – જેમાં જીવને પોતાનાથી અગર અન્ય દ્વારા મારવામાં, પીડવામાં તથા તેનો નાશ કરવામાં અગર ઘાતનો સંબંધ મેળવવામાં હર્ષ માનવામાં આવે છે. (ખ) મૃષાનંદ – જે મનુષ્ય અસત્ય જૂઠી કલ્પનાના સમૂહથી પાપરૂપી મેલ વડે મલિનચિત્ત થઈ જે કંઈ ચેષ્ટા કરે તેને આ રૌદ્રધ્યાન થાય છે. જૂઠું બોલી છલકપટ કરી ખુશી થવું તે. (ગ) ચૌર્યાનન્દ – ચોરીનાં કાર્યોમાં ઉપદેશ આપવો, તેમાં ચતુરતા વાપરવી, અને તત્પરચિત્ત થવું તે, તેમાં આનંદ માનવો અને બીજા ચોરી કરે તેમાં હર્ષ માનવો તે. (ઘ) વિષયસંરક્ષણ (સંરક્ષણાનંદ) – આરંભ પરિગ્રહોની રક્ષા અર્થે ઉદ્યમ કરવો. અને તેમાં સંકલ્પની પરંપરા વિસ્તારવી, કૃપણ બની વાવરવું નહિ ને સાચવી રાખવું, એ આ ધ્યાનમાં સમાઈ જાય છે. આ રૌદ્રધ્યાન પ્રધાનતાથી મિથ્યાત્વથી થાય છે, પરંતુ ગૃહસ્થને સખ્યત્વ હોવાથી તેના પાંચમા ગુણસ્થાનમાં આવું રૌદ્ર પરિણામ ન થાય, પણ કોઈ ગૃહકાર્યના સંસ્કારથી કિંચિત્ લેશમાત્ર થઈ જાય છે તેથી અહીં તેનું વર્ણન કરેલ છે. આ ધ્યાન કૃષ્ણલેશ્યાથી યુક્ત છે. અને પંચમ ગુણસ્થાનપર્યત છે. ઉક્ત આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ક્ષાયોપથમિક ભાવ છે. તેનો કાલ અંતર્મુહૂર્ત છે. અને કોઈ વખત પૂર્વકર્મથી મુનિને પણ થાય છે. બન્ને સંસારનાં કારણ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ ૨૫૧ (૨) પાપીપદેશ અનર્થદંડ – બીજાને નિપ્રયોજન પાપ બંધાય તેવાં કામ કરવા ઉપદેશ આપવો. (૩) હિંઅપ્રદાન – હિંસા જેથી થાય એવાં શસ્ત્રઅસ્ત્ર માગ્યા વગર આપવાં તે. (૪) પ્રમાદાચરિત – પ્રમાદથી કૂથલી કરે. જેવી રીતે રાજ્યકથા, દેશકથા, સ્ત્રીકથા, ભક્ત (ભોજન) કથા કે જેથી કાંઈપણ ધર્મપ્રયોજન સરે નહિ. આ ચારે કથાને અયોગ્ય કથા એટલે “વિકથા' કહેલ છે. દિવસે સૂઈ જાય, ગમે તેમ હાસ્ય-મશ્કરીમાં વખત ગાળવો વગેરે પ્રમાદાચરણ છે. આ વ્રતમાં પાંચ અતિચાર : (૧) કંદર્પચેષ્ટા - કામ, અગર તેના હેતુરૂપ વાણીનો પ્રયોગ અથવા મોહ જગાવે એવું વચન, કર્મ (૨) કૌટુચ્ય – મુખવિકાર, ભૂવિકાર, નેત્રવિકાર વગેરે હાસ્યને ઉત્પન્ન કરનાર વિડંબનાદિ ક્રિયા (૩) મુખરિ વચન - ભાંડ, કુતૂહલી લોકની પેઠે મુખરીપણું – લવારી કરવી, નિર્લજ્જ – અસંબદ્ધ વચન બોલવાં, મર્મ ખોલવાં વગેરે. (૪) અસમીક્ષ્યાધિકરણ – વિચાર કર્યા વગર – નિમ્પ્રયોજન ઉખલની સાથે મુશલ, હલની સાથે ફાલા, ગાડી સાથે ધોંસર, ધનુષની સાથે તીર એવાં પાપનાં અધિકરણ રાખવાં તે. કારણકે તે બીજા માગીને લઈ જાય તેથી તે હિંન્નપ્રદાન અનર્થદંડ થાય છે. (૫) ભોગોપભોગાધિકત્વ – ભોગ અને ઉપભોગ (જુઓ તેનો અર્થ 9મા અણુવ્રતમાં) – સ્નાન, પાન, ભોજન, તાંબૂલ વગેરે વધુ રાખવાં તે – જોઈએ તે કરતાં વધુ રાખવાં તે. ચાર શિક્ષાવ્રત (૧) સામાયિક વ્રત (સમ = સમતા + આય = લાભ) જેમાં સમતાનો લાભ થાય છે. (૨) દેશાવકાશિક (દશ = વિભાગમાં + અવકાશ = અંતર) (૩) પોષધોપવાસ (૪) અતિથિ સંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે એટલે શિક્ષા અર્થાત્ સાધુધર્માભ્યાસ તેને આપનાર છે. – તેનાં સ્થાન છે. બાર વ્રતમાં આને ૯-૧૦-૧૧ અને ૧૨માં ગણવામાં આવેલ છે. ૯. સામાયિક વ્રત – સાવદ્યયોગનો ત્યાગ અને નિરવદ્યયોગનું આચરણ કરવારૂપ આ વ્રત છે. સામાન્ય રીતે આ બે ઘડીનું છેતેમાં સમતાયુક્ત રહે, શાસ્ત્રાભ્યાસ કરે, અથવા બે વખત પ્રતિક્રમણ' (એક આવશ્યક ક્રિયાવિશેષ) કરે અને તેમાં જે જે પાપ લાગ્યો હોય તેને આલોચે – પશ્ચાત્તાપ કરી ન કરવાનો નિશ્ચય કરે. પાંચ અતિચાર (૧-૩) મન, વચન, અને કાયાના યોગનું દુ:પ્રણિધાન એટલે પાપમાર્ગે પ્રવર્તવું એટલે મનોદુપ્રણિધાન, વચન દુપ્રણિધાન અને કાયદુપ્રણિધાન, (૪) અનાદર – પ્રબળ પ્રમાદથી જેમ તેમ આ વ્રત કરવું. (૫) સ્મૃતિનાશ એટલે સામાયિક કરવાના અવસરની સ્મૃતિનો નાશ થાય વગેરે. ૧૦. દેશાવકાશિક વ્રત – ચારે દિશાની મર્યાદા કરવી તે છઠ્ઠી દિશાપરિમાણ વ્રતમાં કહેલ છે અને તેમાં પણ સંકોચ કરવો એ આ વ્રતનો હેતુ છે. બાર વ્રતમાં પણ, ચૌદ નિયમમાં પણ સંકોચ કરવો તે. આથી બાહ્ય આરંભાદિકનો ત્યાગ થાય છે. આ વ્રતમાં પ્રતિદિન પચ્ચખાણ (પ્રત્યાખાન) કરવાના છે કે “આજે મારે આટલા યોજન સુધી જવાય, બાકીનું પચ્ચખાણ' વગેરે. ૧૧. પોષધોપવાસ - (પોષ = ગુણની પુષ્ટિ તેને ધ = ધારણ કરે તે પોષધ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨પર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એટલે આઠમ, ચૌદશ વગેરે પર્વ દિવસો, તેને વિષે ઉપ = સાથે નિવૃત્તિ પામ્યા છે દોષ જેના એવા પુરુષને આહારનો ત્યાગ કરવો વગેરે ગુણોની સાથે નિવાસ કરવો તે ઉપવાસ કહેવાય છે.) દોષથી નિવૃત્ત થઈ ગુણોની સાથે સારી રીતે રહેવું તે ઉપવાસ કહેવાય છે, ગુણ વિના માત્ર શરીરનું શોષણ કરવું તે ઉપવાસ કહેવાતો નથી. પોષધમાં ઉપવાસ તે પોષધોપવાસ કહેવાય છે. આને પ્રાકૃત ભાષામાં પોહ' કહે છે. ૧૨. અતિથિસંવિભાગ – અતિથિ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જે ઘેર આવે ત્યારે ભક્તિથી તેમની સામે ઊભા થવું, આસન આપવું, પગ ધોવા અને નમસ્કાર કરવો વગેરેથી તેમની પૂજા કરી પોતાની સમૃદ્ધિની શક્તિ પ્રમાણે અત્ર, પાન, વસ્ત્ર, ઔષધ અને સ્થાન વગેરે આપવાં તે અતિથિસંવિભાગ. આ પ્રમાણે નિરતિચારપણે સમ્યકત્વ અને ઉક્ત બારે વ્રત પાળવા તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. અતિચાર ક્લિષ્ટ એવા મિથ્યાત્વાદિ કર્મના ઉદયથી થાય છે. માટે સમ્યક્ત્વ તેમજ ઉક્ત બાર વ્રત શાસ્ત્રવિહિત અનુષ્ઠાન વડે કરવાથી અતિચારનો જય થાય છે, માટે એ વિહિતાનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો અને સપ્ત વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. તે સમ વ્યસન – ધુત, માંસભક્ષણ, મદ્યપાન, વેશ્યારમણ, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન. ગૃહસ્થધર્મમાં ઉચિત ષટ્કર્મ, એકાદશ પ્રતિમા પણ કહેલ છે. ષકર્મ તે દેવપૂજા, ગુરુસેવા, સ્વાધ્યાય (વાચન, મનન, નિદિધ્યાસ), સંયમ (ઈદ્રિયદમન), તપ, અને દાન છે.' ૧૧ પ્રતિમા – પ્રતિમાનો અર્થ અહીં અભિગ્રહ એટલે નિયમવિશેષ છે. (૧) દર્શનપ્રતિમા – સમ્યકત્વને તેના આગાર (છૂટ) સહિત ભય, લોભ આદિ દોષ વગર પાળવું ને ત્રિકાળ દેવપૂજા કરવી. (૨) વ્રતપ્રતિમા – પાંચ અણુવ્રત વિધિના વગર - અખંડિત પાળવાં. (૩) સામાયિકપ્રતિમા – સવાર ને સાંજ બે ઘડી એક આસનસ્થ રહી સામાયિક ક્રિયા કરવી. (૪) પૌષધપ્રતિમા – ચાર પર્વ તિથિએ (૨ આઠમ, ૨ પૂર્ણિમા,) અખંડિત ને પરિપૂર્ણ પૌષધ કરવો, (૫) કાયોત્સર્ગ (કાઉસગ્ગ) પ્રતિમા – રાત્રીએ ચાર જાતનાં આહાર તજી, દિવસે બ્રહ્મચર્ય પાળી ચારે પર્વતિથિએ રાત્રે કાઉસગ્ન કરી ધ્યાનમાં રહેવું. (૬) બ્રહ્મચર્યપ્રતિમા – નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું. (૭) સચિત્ત પરિહાર પ્રતિમા – સચિત્ત (સજીવ) વસ્તુઓ વર્જવી. (૮) આરંભપરિહાર પ્રતિમા – કાંઈપણ આરંભ ન કરવો, હિંસા થાય તેવી ક્રિયા ન કરવી. (૯) પ્રેષણ પરિહાર પ્રતિમા – અન્ય પાસે – નોકરાદિ પાસે આરંભ રૂપ ક્રિયા ન કરાવવી. (૧૦) ઉદિષ્ટ પરિહાર પ્રતિમા – મુંડન કરાવવું – યા શિખા જ રાખવી, સર્વ ગૃહકૃત્ય તજવું, કોઈ પૂછે તો કહેવું, અને પોતાના અર્થે કરેલ આહાર પણ તજવો. (૧૧) શ્રમણભૂત પ્રતિમા – ગૃહ તજી મુનિવેશ રાખી ભિક્ષા પર રહેવું અને ધર્મરત થવું તે. આ દરેક १. देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने બ્રાહ્મણોમાં વિદપરંપરા અનુસરનારા માટે પણ ષટ્કર્મ કહેલ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થધર્મ અને યતિધર્મ ૨૫૩ પ્રતિમામાં ચડતી પ્રતિમામાં તેથી ઊતરતી બધી પ્રતિમા સાચવવાની છે. તે દરેકની મુદત અનુક્રમે પહેલી ૧ માસ, બીજી ૨ માસ, એમ છેલ્લી ૧૧ માસ સુધી છે. આમ કરનાર પ્રતિમધારી શ્રાવક કહેવાય છે. છેલ્લી પ્રતિમા કર્યા પછી પૂર્ણભાવ થાય તો દીક્ષા લેવી, મુનિવ્રત સ્વીકારવું ઘટે છે. યતિધર્મ ઉપર પ્રમાણે દેશવિરતિ - શ્રાવક ગૃહસ્થાશ્રમને વિધિપૂર્વક સેવતો ચારિત્રમોહનીય રૂપ પાપકર્મથી મુકાય છે – મુક્ત થાય છે, અને ત્યાર પછી યતિધર્મ સ્વીકારવાની યોગ્યતા પામી પ્રવ્રજ્યા (પ્ર = પ્રકૃષ્ટપણે શુદ્ધ એવા ચારિત્રયોગને વજન એટલે ગમન કરવું એટલે “દક્ષા) ગ્રહણ કરે છે. વ્રજ્યાને યોગ્ય થવા માટેનાં લક્ષણો (૧) આર્યદેશોત્પન્ન (૨) વિશિષ્ટ જાતિકુલવાળો (૩) કર્મમલ પ્રાયઃ ક્ષીણ થયેલા છે એવો, (૪) વિમલબુદ્ધિ (પ) આ મનુષ્યજન્મ દુર્લભ છે, જન્મ કે મરણનું નિમિત્ત છે, લક્ષ્મી ચપલ છે, વિષયો દુઃખના હેતુ છે, સંયોગમાં વિયોગ રહેલ છે, પ્રતિક્ષણ મરણ થયા કરે છે, કર્મનાં ફલ દારુણ છે એ પ્રમાણે સંસારનું નિર્ગુણપણું જેણે જાણેલું છે તે. (૬) તેથી સંસારથી વિરક્ત (૭) ઓછા કષાયવાળો (૮) અલ્પ હાસ્યાદિ કરનાર (૯) કૃતજ્ઞ (૧૦) વિનીત (૧૧) દીક્ષા લીધા પહેલાં પણ રાજા, મંત્રી કે પૌરજનોએ માન્ય કરેલ (૧૨) કોઈમાં દ્રોહ નહિ કરનાર, (૧૩) કલ્યાણાંગ (૧૪) શ્રદ્ધાળુ (૧૫) સ્થિર (૧૬) આત્મસમર્પણ કરવા ગુરુ શરણે આવેલ – દીક્ષાને યોગ્ય છે. કેવા ગુરુ પાસે દીક્ષા લેવી ? (૧) વિધિપૂર્વક દીક્ષા જેણે લીધેલી છે તે, (૨) ગુરુકુલ જેણે સારી રીતે સેવ્યું છે તે, (૩) અખ્ખલિત શીલ પાળનાર, (૪) સારી રીતે આગમનું અધ્યયન જેણે કર્યું છે તે (૫) તેથી અતિ શુદ્ધ બોધથી તત્ત્વને જાણનાર, (૬) ઉપશાંત (૭) પ્રવચનવત્સલ (૮) સત્ત્વ માત્રના હિતમાં રત, (૯) જેનું વચન સ્વીકાર્ય છે તે (૧૦) ગુણીને અનુસરનાર (૧૧) ગંભીર (૧૨) અવિષાદી, (૧૩) ઉપશમ, લબ્ધિ આદિ ગુણોએ સહિત (૧૪) પ્રવચન (આગમ)ના અર્થનો વક્તા (૧૫) સ્વગુરુએ જેને ગુરુપદ આપેલ છે તે. આ ઉપરાંત દીક્ષાનો ઈચ્છક શિષ્ય નીચેના ગુણવાળો ન હોવો જોઈએ : (૧) બાલક (૮ વર્ષનો) (૨) વૃદ્ધ (૩) નપુંસક (૪) ક્લીબ (૫) જડ (૬) રોગી (૭) ચોર, (૮) રાજાનો અપકાર કરનાર (૯) ઉન્મત્ત (૧૦) અંધ (૧૧) દાસ (૧૨) કુષ્ઠી (૧૩) મૂઢ (૧૪) કરજદાર (૧૫) જાતિકર્મ અને શરીરથી દૂષિત (૧૬) કાંઈપણ સ્વાર્થથી બંધાયેલો (૧૭) અમુક દ્રવ્યના ઠરાવથી રાખેલો ચાકર અને (૧૮) માતપિતાદિકની રજા વગર આવનાર. આ પ્રમાણે શિષ્ય પોતે દીક્ષા લેવાને યોગ્ય હોય અને યોગ્ય ગુરુ પાસે વિધિથી દિક્ષા લઈ યતિધર્મ સ્વીકારે તે યતિ કહેવાય છે. એમનાં ૫ મહાવ્રત, 60 યતિધર્મ વગેરે સદ્ગુરુતત્વમાં સમજાવેલો છે, ainelibrary.org For Private & Personale Only Page #275 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૪ : પ્રકીર્ણ જૈનોમાં ભેદો (Ecclesiastical History) જૈનોમાં બે ભેદ છે : શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સાધુનાં રજોહરણ, મુખવસ્ત્રિકા, આદિ લિંગ છે, અને તેમનો વેષ ચોલપટ્ટાદિ છે. પંચમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેમનો આચાર છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અકિંચનત્વ, ક્રોધાદિ જય આદિથી યુક્ત અને દાંતેંદ્રિય એવો જે નિગ્રંથ તે ગુરુ મનાય છે, માધુકરી વૃત્તિથી (જેમ મધુકર – ભ્રમર જુદાજુદા ફૂલમાંથી થોડુંથોડું લે છે તેમ), નવકોટિ વિશુદ્ધ (મન, વચન અને કાયાથી કરવું નહિ (૩), કરાવવું નહિ એ (૩), અને અનુમોદવું નહિ એ (૩) કુલ ૯ રીતે) એવો તેમનો નિત્ય આહાર છે. સંયમના નિર્વાહને અર્થે જ વસ્ત્રપાત્રાદિ ધારણ કરે છે. (તેમનાં વસ્ત્ર મુખ્યત્વે શ્વેત હોવાથી શ્વેતાંબર કહેવાય છે. શ્વેત સફેદ + અંબર લૂગડાં – વસ્ત્ર જેને છે તે). કોઈ વંદના કરે ત્યારે ધર્મલાભ’ એમ કહે છે. આમાં દેવની પ્રતિમાને વસ્ત્ર આદિ ચડાવવામાં આવે છે અને ચક્ષુઓ મૂકવામાં આવે છે. = = = દિગંબર (દિક્ = દિશા + અંબ૨ એટલે વસ્ત્ર એટલે જેનાં વસ્ત્ર દિશારૂપ છે – નગ્ન છે તે) – દિગંબર સાધુનું નગ્નતા એ જ લિંગ છે, હાથ એ જ પાત્ર છે. તેમના ચાર ભેદ છે ઃ કાષ્ઠાસંઘ, મૂલસંઘ, માથુરસંઘ અને ગોપ્યસંઘ. કાષ્ઠાસંઘમાં ચમરીના વાળની પીંછી, મૂલસંઘમાં અને ગોપ્યસંઘમાં મોરનાં પીછાંની પીંછી રાખે છે જ્યારે માથુરસંઘમાં મૂળથી જ પીછીનો રિવાજ નથી. ઉક્ત ચારમાંના પ્રથમના ત્રણ સંઘ વંદના સ્વીકારતાં ‘ધર્મવૃદ્ધિ’ કહે છે, અને ગોપ્યસંઘ શ્વેતાંબર સાધુની પેઠે “ધર્મલાભ' કહે છે; વળી પ્રથમના ત્રણ સંઘ સ્ત્રીઓની મુક્તિ, કેવલી (કેવલજ્ઞાની સદેહીસર્વજ્ઞ)નું આહારગ્રહણ - ભુક્તિ, સચીવર – વસ્ત્રવાળો સાધુ વ્રતી હોવા છતાં પણ તેની મુક્તિ સ્વીકારતા નથી, જ્યારે ગોપ્ય સ્ત્રીઓની મુક્તિ અને કેવલીની ભુક્તિ માને છે (શ્વેતાંબરો પણ સ્ત્રીઓની મુક્તિ છે અને કૈવલી કવલાહાર (એક કોળિયો આહાર) કરે છે એમ માને છે, અને વસ્ત્ર છે તે સંયમના ઉપકરણ અર્થે જ તેના જેટલાં જ સ્વીકારે છે). એ સર્વ – ચારે સંઘને ભિક્ષાટનમાં ને ભોજનમાં બત્રીસ અંતરાય અને ચૌદ મત વર્જ્ય છે. આમાં દેવની પ્રતિમા નગ્ન હોય છે અને વસ્ત્રાદિ ચડતાં નથી. બાકી બીજા બધા આચાર ગુરુ, અને દેવ એ સર્વ શ્વેતાંબરોના જેવું જ છે. તેમના શાસ્ત્રમાં તર્કમાં કોઈ ફેર નથી. શ્વેતાંબર અને દિગંબરો બંને ચોવીસ તીર્થંકરોને માને છે, અને પદ્રવ્ય, બે પ્રમાણ, સપ્તભંગી, નય, નવતત્ત્વ, સ્યાદ્વાદ, ગૃહસ્થધર્મ અને સાધુધર્મ, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રથી મોક્ષ, મૂર્તિપૂજા આદિ બંને સરખી રીતે સ્વીકારે છે. શ્વેતાંબરમાં દેવની મૂર્તિમાં કચ્છ (લંગોટ)નું ચિહ્ન રહે છે, જ્યારે દિગંબરોમાં મૂર્ત્તિ વસ્રરહિત નગ્ન રહે છે. પરંતુ બંનેની પદ્માસનસ્થ હોય છે. ધાર્મિક સાહિત્યના સંબંધમાં અંગ, ઉપાંગનાં નામ બંને પક્ષ સરખાં માને છે, પરંતુ દિગંબર તે મૂલ આગમો વિચ્છિન્ન થયાં છે એમ માની આદિપુરાણ આદિ જુદા ગ્રંથોનો સ્વીકાર કરે છે, જ્યારે Page #276 -------------------------------------------------------------------------- ________________ જૈનોમાં ભેદો (Ecclesiastical History) શ્વેતાંબર બારે અંગોમાંથી પ્રથમનાં અગિયાર અંગ વિદ્યમાન માને છે અને તે બધાં હાલ મોજૂદ છે, અને બારમા દૃષ્ટિવાદ અંગને વિચ્છિન્ન - લુપ્ત માને છે. આમ કેટલીક ક્રિયા વિભાગમાં અને માન્યતામાં નામનો ભેદ છે, બાકી બંને તાત્ત્વિક વાતોમાં એકતા ધરાવે છે. બંનેનો કાલનિર્ણય કરવો એ વિવાદમાં પડવા જેવું છે, તેમજ હજી બહુ ચોક્કસ નિર્ણય પર આવી શકાય તેવાં સાધનો ઉપલબ્ધ થયાં નથી. શ્વેતાંબરોમાં જુદાજુદા ભેદ પડ્યા તેને ‘ગચ્છ’ નામ આપવામાં આવેલ છે. આવા ગચ્છોની સંખ્યા (૮૪) ચોરાશીની કહેવામાં આવે છે, પણ તેમાં મુખ્ય આપણે જોઈશું. અને તેની ઉત્પત્તિ જોતાં જણાશે કે તાત્ત્વિક બાબત તેમજ મૂળથી પરંપરાએ ચાલ્યા આવેલા મંતવ્યમાં કંઈપણ ફેરફાર થયા વગર માત્ર અમુક કારણ (તપોવિશેષ આદિ)થી ગચ્છ નામ પડેલ છે; છતાં કાળપરત્વે ગચ્છભેદના ઝઘડા નાનીનાની સમાચારી – ક્રિયામાં નાનાનાના ફેરફારને અંગે થયેલા છે એમ સમજાય છે. ૨૫૫ મૂળનામ નિગ્રંથ હતું ત્યારપછી કોટિક ગચ્છ એ બીજું નામ. શ્રીમન્ મહાવી૨ (૨૪મા તીર્થંકર)ની ૯મી (૧૧મી ?) પાટે થયેલ સુસ્થિત આચાર્યનું બીજું નામ કોટિક હતું તે પરથી પડ્યું. વીરાત્ ૩૧૩ વર્ષની પૂર્વે. ત્યારપછી ચંદ્રગચ્છ એ ત્રીજું નામ ૧૫મી (૧૮મી ?) પાટે થયેલ ચંદ્રસૂરિના નામ પરથી પડ્યું (વીરાત્ ૫૮૪ વર્ષે લગભગ એટલે ઈ.સ.૫૭માં) અને વનવાસી નામનું ચોથું નામ, તે જ ચંદ્રસૂરિ પછી તેની જ પાટે આવેલ સમંતભદ્ર આચાર્ય પોતે વનવાસી હોવાથી પડ્યું. પાંચમું બૃહદ્ (અથવા વડ ગચ્છ) એ નામ વીરાત્ ૧૪૬૪ એટલે સંવત્ ૯૯૪માં (ઈ.સ. ૯૩૮માં) સર્વદેવસૂરિને અથવા તે સહિત આઠ સૂરને ઉદ્યોતનસૂરિએ અર્બુદાચલ (આબુ પર્વત) પર આવેલ ટેલી ગ્રામમાં મોટા વડ નીચે દીક્ષા આપી તે પરથી પડ્યું. આમ પાંચ નામ એકનાં પડ્યાં ત્યાં સુધી ક્રિયા આદિ કોઈપણ વાતમાં એકબીજાને તફાવત કે ભેદ હતો નહિ. ઉક્ત ઉદ્યોતનસૂરિના શિષ્યોથી ૮૪ ગચ્છની ઉત્પત્તિ થઈ. આ ૮૪ ગચ્છમાં તાત્ત્વિક ભેદ નથી, તેમાં હાલ બધા વિદ્યમાન પણ નથી. મોટે ભાગે તપા, ત્યારપછી ખરતર, અંચલ, પુનમીઆ એ જોવામાં આવે છે. ગુજરાત કાઠિયાવાડમાં મુખ્ય ભાગ તપા છે, કચ્છમાં મોટા ભાગે અંચલગચ્છ છે. વિક્રમ ૧૧મા શતકમાં કેટલાક જૈન સાધુઓ ચૈત્ય એટલે જિનમંદિરમાં રહી શિથિલાચારી થયા હતા; તે ચૈત્યવાસી સાધુઓનો પરાભવ ગુર્જર દેશમાં અણહિલપુરના રાજા દુર્લભની રાજસભામાં સરસ્વતી ભાંડાગારમાંથી દશવૈકાલિકસૂત્ર નામનું પ્રસિદ્ધ જૈન પ્રાચીન સૂત્ર લાવી તેમાંના સાધુના આચાર વિષય પરની ગાથાઓ વાંચી સમજાવી જિનેશ્વર નામના સૂરિએ કર્યો તેથી તે સૂરિએ ઉક્ત રાજા પાસેથી ખરતર’ (જે ક્રિયામાં વિશેષ પ્રખર છે તે) એ નામનું બિરુદ મેળવ્યું, અને ત્યાર પછી જિનદત્તસૂરિના વખતમાં ખરતર ગચ્છની વધુ પ્રસિદ્ધિ થઈ (સં. ૧૨૦૦-૧૨૦૯). તે જિનદત્તસૂરિએ ‘સંઘપટ્ટક’ Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત્ત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નામે પ્રસિદ્ધ ગ્રંથ બનાવીને શુદ્ધાચારની પ્રરૂપણા કરી ચૈત્યવાસીઓની તેમાં બરાબર ખબર લીધી છે. ૨૫૬ સં.૧૨૧૩માં અંચલગચ્છની સ્થાપના થઈ. તેમાં અંચલ એટલે લૂગડું મુખવસ્ત્રિકા માટે વાપરી શકાય એવું મંતવ્ય છે. આને ‘વિધિપક્ષ' પણ કહે છે. સં. ૧૨૩૬માં પૌર્ણમીય (પુનમીઆ) ગચ્છની ઉત્પત્તિ નરસિંહસૂરિથી થઈ. સંવત્ ૧૨૮૫માં યાવજ્જીવ આચામ્લ (આંબેલવ્રત)નું તપ કરી ૧૨ (બાર) વર્ષ પછી જગચંદ્રસૂરિએ ‘તપા’ એ બિરુદ પ્રાપ્ત કર્યું. ત્યારથી તપાગચ્છ એ (ઉપરોક્ત પાંચ નામ પછી છઠ્ઠું નામ) પડ્યું. સં. ૧૫૦૮ લોંકા નામના ગૃહસ્થ લહિયાએ મૂર્તિપૂજાનો નિષેધ કર્યો અને ત્યારપછી ઢૂંઢક – ‘સ્થાનકવાસી'નો સંપ્રદાય થયો કે જે મૂર્તિપૂજાનો નિષેધ કરે છે, ૩૨ સૂત્ર માત્ર માને છે, મુખવસ્ત્રિકા (મુહપત્તિ) તેના સાધુઓ હમેશાં મોઢે બાંધી રાખે છે. તેરાપંથી મતની ઉત્પત્તિ : ભીખુજી / ભીખણજી જોધપુર મંડલમાં કંટાલિયા ગામના ઓસવાલવંશી સકલેચા પરિવારમાં થયા. બહુજી પિતા, દીપાંબાઈ માતા, જન્મ સં.૧૭૮૩ અસાડ સુદ ૩. દીક્ષા સં.૧૮૦૮ માગશર વદ ૧૨ રઘુનાથજી પાસે. સં.૧૮૧૭ ચૈત્ર સુદ ૯ના રોજ વિચારભેદને કારણે ચા૨ સાથીઓને સાથે લઈ એમનાથી છૂટા થયા. સં.૧૮૧૭ અસાડ સુદ ૧૫ના રોજ ૧૨ સાથીઓ સાથે કેલવામાં નવીન દીક્ષા લીધી અને એ સંપ્રદાયને તેરાપંથી નામ મળ્યું. એમણે એક આચાર્ય, એક સમાચારી અને એક વિચારવાળું સુદૃઢ અનુશાસન ઊભું કર્યું. અહિંસા, દાન, દયા વગેરેની એમણે કરેલી નવીન વ્યાખ્યાને કારણે એમને ઘણો વિરોધ સહન કરવો પડેલો. સ્વર્ગવાસ સં. ૧૮૬૦ ભાદરવા સુદ ૧૩ સિરિયાીમાં થયો. તીર્થ જેનાથી તરી શકાય તે તીર્થ. તે બે જાતનાં છે. સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે એક સ્થળે સ્થાયી હોય તે – તીર્થભૂમિઓ છે. તેમાં મુખ્ય શેત્રુંજય (પાલીતાણા – કાઠિયાવાડ) પર્વત છે. આનું માહાત્મ્ય ઘણું છે. તેનાં સિદ્ધાચલ, પુંડરીક વગેરે ઘણાં નામો છે અને ત્યાં અસંખ્ય નિર્વાણ પામ્યાનું કહેવાય છે. તે સિવાય સમેતશિખર (કલકત્તા – બઈવાન પાસે) નામની ટેકરી છે કે જ્યાં જૈનના વર્તમાન ૨૪ તીર્થંકરો પૈકી ૨૦ તીર્થંકરો મોક્ષ પામ્યા છે. આને પારસનાથ હિલ' અંગ્રેજો વગેરે કહે છે. પાવાપુરી (રાજગૃહી પાસે) છે કે જ્યાં છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી મોક્ષ પામ્યા છે. ગિરનાર (જૂનાગઢ – કાઠિયાવાડ) પર્વત કે જ્યાં ૨૨મા નેમિનાથ તીર્થંકરે નિર્વાણપદ મેળવેલ છે. તેનાં બીજાં નામ રેવતાચલ, ઉજ્જયંત છે. બીજાં પણ ઘણાં તીર્થો છે જેવાં કે આબુ પર્વત કે જ્યાં વિમળ મંત્રીએ સં.૧૦૮૮માં ભવ્ય અને અપૂર્વ → કામના નમૂનારૂપ આરસનાં દેરાસરો (દેવાશ્રયો) બંધાવ્યાં છે, અને તેને દેલવાડાનાં દેરાં - ‘દિલવારા ટેમ્પલ' કહે છે. તથા તારંગાજી (ખેરાલુ અને વરેઠાની પાસે) પહાડ. જંગમ તીર્થમાં ગ્રામાનુગ્રામ વિચરતા સાધુઓ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈન વસ્તી / બુદ્ધ અને મહાવીર ૨૫૭ જૈન વસ્તી સને ૧૯૧૧ના વસ્તીપત્રમાં કુલ સમગ્ર જૈનોની વસ્તી હિંદુસ્તાનમાં ૧૨, ૪૮, ૧૮૨ ગણાયેલી છે. તે મુખ્ય ભાગે ગુજરાત, કાઠિયાવાડ, મારવાડમાં વહેંચાયેલી છે. આમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી (ટૂંઢીઆ)નો સમાવેશ થાય છે. સાધુઓ - સંસારત્યાગી દિગંબરમાં જૂજ છે કારણકે તેઓમાં નગ્નાવસ્થામાં જ સાધુઓને રહેવું પડે છે. પરંતુ તે આ કાલે દુ:શક્ય જ છે. શ્વેતાંબરોમાં સાધુસાધ્વીઓની કુલ સંખ્યા ૫૦૦ પાંચસો ઉપર હશે અને સ્થાનકવાસીમાં લગભગ ૩૦૦ હશે. વિક્રમ સંવતું ૧૭મા સૈકામાં ટૂંઢક સાધુઓ કે જે શ્વેતવસ્ત્ર રાખે છે તેનાથી અલગ ઓળખાવા માટે પીતવસ્ત્રનો અંગીકાર સત્યવિજયજી આદિએ કર્યો હતો અને “સંવેગી’ એ પદ સાધુઓને આપવામાં આવ્યું હતું, અને તેથી કેટલાક પીતવસ્ત્રનો ઉપયોગ શ્વેતાંબર સાધુમાં કરે છે. આ સિવાય શિથિલાચારી થઈ ગયેલા અને તેથી વૈદક, જયોતિષ, આદિ કરતા ધતિઓ પણ ઘણા છે – આને “જતિ કહેવામાં આવે છે. (ઈ.સ. ૧૯૯૧ની વસ્તીગણતરી અનુસાર ભારતમાં જૈન ધર્મ પાળનારાઓની વસ્તી ૩૩૫૨૭૦૬ છે જે ભારતની કુલ વસ્તીના ૪૦ ટકા છે. ગુજરાતમાં જેનોની વસતી ૪૯૧૩૩૧ છે જે ગુજરાતની કુલ વસ્તીના ૧.૧૯ ટકા છે. (સંદર્ભ : ૧. “Census of India 1991, series I INDIA, Paper I of 1995 – Religion” ૨. “Census of India 1991, Series-7 Gujarat, Part IV B (11) Religion (Table c-9)) શ્રી સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી ૧૯૯૩માં દર્શાવેલા આંકડા પ્રમાણે ભારતના સમગ્ર જૈન સંપ્રદાયોનાં સાધુ-સાધ્વીઓની સંખ્યા આ પ્રમાણે છે : સંપ્રદાય , સાધુ સાધ્વી ટકા ૧. શ્વેતાંબર મૂર્તિપૂજક ૧૩૫૧ ૫૧૮૪ ૬પ૩૫ ૨. શ્વેતાંબર સ્થાનકવાસી પ૧) ૨૩૮૭ ૨૮૯૭ ૩. શ્વેતાંબર તેરાપંથી ૧૪૦ ૫૪૮ ૬૮૫ ૪. દિગંબર સમુદાય ૨૬૫ ૨૧૦ ૪૭૫ ૨૨૭૩ ૩૨૯ ૧૦૬૦૨ ૧૦૦ એ રીતે અત્યારે ભારતના સમગ્ર જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા આશરે ૧૧૦OOની કહી શકાય.] બુદ્ધ અને મહાવીર આ બંનેના ચરિત્રમાં કેટલીક સમાનતાઓ મળી આવે છે. (૧) બંનેએ સંસારત્યાગ કરી વૈરાગ્યમય જીવન ગાળ્યું. (૨) બંનેનાં કેટલાંક સગાંનાં નામ લગભગ સરખાં હતાં. મહાવીરની સ્ત્રીનું યશોદા અને બુદ્ધની સ્ત્રીનું નામ યશોધરા હતું. મહાવીરના મોટા ભાઈનું નામ નંદિવર્બન હતું. બુદ્ધના સાવકા ભાઈનું નામ નંદ હતું. મઘવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું જ્યારે બુદ્ધનું પોતાનું અપરનામ સિદ્ધાર્થ હતું. ૬,૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આ ઉપરથી અનુમાન જે નીકળી શકે તે એ જ કે તેવાં નામો બહુ જ પ્રચલિત હતાં. મહાવીરના મુખ્ય શિષ્ય ગણધરનું નામ ગૌતમ ઇદ્રભૂતિ હતું જ્યારે બુદ્ધનું નામ ગૌતમ બુદ્ધ હતું તે પણ એ જ વાત બતાવી આપે છે. (૩) બંને ક્ષત્રી હતા, છતાં પ્રતિસ્પર્ધી હતા, અને બ્રાહ્મણોના પણ પ્રતિસ્પર્ધી બંને હતા. કારણકે બ્રાહ્મણોનું એ મંતવ્ય હતું – બલ્લે તેઓ સગર્વ જણાવતા કે ક્ષત્રિયો બ્રહ્મર્ષિ થઈ ન શકે અને તેઓ સંન્યાસ લે તો તેને “મિથ્થા સંન્યાસીઓ' કહેતા. આવી સમાનતાથી એમ નથી ધારવાનું કે બંને એક જ વ્યક્તિ હતા, તે બંનેનાં જીવન તપાસતાં ઘણી રીતે ભિન્નતાઓ પણ જોવામાં આવે છે. જેમકે (૧) બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ, ત્યારે મહાવીરની વૈશાલી પાસેના કુંડગ્રામમાં હતી. (૨) બુદ્ધના જન્મ પછી તેમની માતાનું મૃત્યુ થયું હતું. મહાવીરનાં માબાપ તેમને ૨૮ વર્ષ સુધી જોવા ભાગ્યશાળી નીવડ્યાં હતાં. (૩) બુદ્ધે પોતાના પિતાની જિંદગી દરમ્યાન અને તેમની ઇચ્છા વિરુદ્ધ દીક્ષા લીધી, જ્યારે મહાવીરે માતપિતાના મૃત્યુ પછી ૩૧ વર્ષની વયે પોતાના વડીલ ભાઈની સંમતિ લઈને સંસારત્યાગ કર્યો. (૪) બુદ્ધ ૬ વર્ષ તપશ્ચર્યા કરી પછી તેને નિષ્ફળ માની છોડી દીધી, જ્યારે મહાવીરે ૧૨ વર્ષ તપશ્ચર્યા આદરી તેને સફલ માની અને તીર્થંકર થયા પછી પણ કેટલીક કરી. (૫) બુદ્ધના પ્રતિસ્પર્ધીઓમાંથી કોઈપણ, જેવી રીતે મહાવીરની સામે ગોશાલ મખ્ખલિપુત્ર થયો હતો તેમ, તેમની સામે થયો નહોતો. (૬) બુદ્ધના બધા શિષ્યો મહાવીરના શિષ્યો કરતાં જુદા જ હતા અને નામ પણ જુદાં જ ધરાવતા હતા. (૭) બુદ્ધ કુશિનગરમાં નિર્વાણ પામ્યા જ્યારે મહાવીર પાવાપુરીમાં મોક્ષ પામ્યા. બૌદ્ધની જૈન એક શાખા છે ? નહિ. કેટલાક (લેસન આદિ) બંને ધર્મ વચ્ચે જ સમાનતાઓ રજૂ કરી એવા અનુમાન પર આવે છે તેનો રદિયો ડૉક્ટર યાકૉબી યોગ્ય રીતે નીચે પ્રમાણે આપે છે : (૧) બૌદ્ધના બુદ્ધના અને જૈનના તીર્થંકરનાં સરખાં નામ છે : જિન, અહ, મહાવીર, સર્વજ્ઞ, સુગત, તથાગત, સિદ્ધ, બુદ્ધ, સંબુદ્ધ, પરિનિવૃત્ત, મુક્ત વગેરે. આના સંબંધમાં ડૉ. યાકોબી કહે છે કે જિન એ શબ્દ સિવાય આ નામોમાંથી એક ભાગ બૌદ્ધો અને બીજો ભાગ જેનો પસંદ કરે છે. ઉદાહરણ તરીકે બુદ્ધ, તથાગત, સુગત અને સંબુદ્ધ એ શાક્યમુનિ (ગૌતમ બુદ્ધ)નાં સામાન્ય નામ છે, જ્યારે મહાવીરના સંબંધે વિરલ જ ક્વચિત જ વપરાય છે, અને સામાન્ય રીતે વીર, મહાવીર ને વર્ધમાનનાં હંમેશ સામાન્ય રીતે વપરાતાં નામો તેમને માટે જોવામાં આવે છે. વળી તીર્થકર એ નામ મહાવીરના સંબંધે તથા બીજા સંબંધે જેનમાં ખાસ પારિભાષિક વપરાય છે તે બૌદ્ધમાં છે જ નહિ. આ પરથી એકે બીજામાંથી ગ્રહણ કર્યું એવું બિલકુલ પ્રતિપાદિત થતું નથી. જે જે માનસૂચક નામો છે તેને તેની યોગ્યતા પ્રમાણે – અમુક તેની ધાર્મિક ઘટનાના અન્વયે વપરાય છે. તીર્થંકર એ જેનમાં તીર્થપ્રવર્તક – ધર્મપ્રવર્તક તરીકે તેના મૂલ – વ્યુત્પત્યર્થમાં છે, જ્યારે બૌદ્ધ જેની સામે વિરુદ્ધતા બતાવવી તેનો અને તીર્થિક' એ શબ્દનો અર્થ નાસ્તિક માના ગુરુ તરીકે કરે છે. જ્યારે જૈનમાં બુદ્ધ એ મુક્ત Page #280 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધની જૈન એક શાખા છે? નહિ. ૨૫૯ જીવના અર્થમાં વપરાતો હતો. અને હજુ પણ વપરાય છે, ત્યારે બૌદ્ધમાં તે તેના સ્થાપકનું વિશેષ નામ છે. આ પરથી એટલું જ જણાય છે કે બૌદ્ધોએ પોતાની આવી પરિભાષા યોજી, ત્યારે તેઓ જૈનોના પ્રતિસ્પર્ધીઓ હતા. (૨) બંને પોતાના સ્થાપકને જે નાશવંત મનુષ્ય છે તેને દેવ તરીકે મૂર્તિ કરી પૂજે છે. આ દલીલમાં કંઈ વજૂદ નથી. આ ધર્મોની માફક બધા ધર્મો પોતપોતાના સંતો - મહાત્માઓની મૂર્તિપૂજા કરે છે તે પરથી એક બીજાનું ગ્રહણ કર્યું છે - એક બીજાની શાખા છે એમ ન કહી શકાય. ઊલટું બુદ્ધના વિચારમાં મૂર્તિપૂજા કરવી એવું કંઈપણ ફરમાન કે ઉપદેશ નથી છતાં મૂર્તિપૂજા થાય છે, જ્યારે મહાવીરના વચનથી તેની તેમ પૂજા કરવામાં વિરુદ્ધતા નથી. (૩) અહિંસા પર બંને બહુ જ ભાર મૂકે છે. મહાવીર અને બુદ્ધ બંને થયા પહેલાં બ્રાહ્મણ સંન્યાસીઓ વિદ્યમાન હતા; તેઓના આચારમાં પણ અહિંસાને સ્થાન હતું જ. તો તે પરથી એક બીજા પાસેથી અહિંસાનો સિદ્ધાંત ગ્રહણ કર્યો હોય તેવું નથી. (૪) બંને ધર્મો કાલનાં પરિમાણો અતિશયોક્તિવાળાં બાંધે છે. આ જવાબમાં ડૉક્ટર યાકૉબી કહે છે કે જૈનો બૌદ્ધ કરતાં કાલનું સ્વરૂપ વિશાલ જણાવવામાં ચડી જાય છે તે વાત ખરી છે, પરંતુ બૌદ્ધના સંબંધે નહિ, પણ બ્રાહ્મણોના સંબંધે પણ તેવું જ માલૂમ પડે છે. જૈન અવસર્પિણી, ઉત્સર્પિણી અને તે દરેકના છ આરા (આરક) માને છે, બૌદ્ધ ૪ મહાકલ્પ અને ૮૦ અલ્પકલ્પ માને છે, જ્યારે બ્રાહ્મણો યુગો અને બ્રહ્માના કલ્પો સ્વીકારે છે. અહીં યાકૉબી મહાશયનો એવો અભિપ્રાય છે કે બૌદ્ધ બ્રાહ્મણોના યુગ પરથી પોતાના કલ્પો ગણ્યા છે અને જૈનોએ બ્રાહ્મણોએ માનેલ બ્રહ્માના દિવસ અને રાત પરથી ઉત્સર્પિણી અને અવસર્પિણી કચ્યા છે. આ ઉપરાંત ચાર વર્ણાશ્રમ બ્રાહ્મણધર્મ જેટલા જૂના નહિ હોય તો પણ જૈન અને બૌદ્ધના કરતાં જૂના છે. તે આશ્રમ પૈકીના સંન્યસ્ત આશ્રમ પરથી જૈન શ્રમણ - સાધુ અને બૌદ્ધના ભિક્ષુનો વર્ગ થયો હોય તે વિશેષ સંભવિત છે, નહિ કે જેને બૌદ્ધનું અનુકરણ તે સંબંધે કર્યું હોય આમ ડૉ. યાકૉબી કહે છે. વળી વિશેષ તે કહે છે કે જેન અને બૌદ્ધદર્શનના સિદ્ધાંતોમાં એકબીજાથી ઘણી વિરુદ્ધતાઓ માલૂમ પડે છે, અને તે પરથી તે બંનેએ કોઈ બ્રાહ્મણ ધર્મ જેવા સામાન્ય મૂળમાંથી ગ્રહણ કર્યું હોય તેમ પણ કહી શકાતું નથી. તે વિરુદ્ધતાઓ આ છે : ૧. બૌદ્ધમાં નિર્વાણનો અર્થ શૂન્યતા છે અગર તે એવું અસ્તિત્વ છે કે જેનું સ્વરૂપ ખ્યાલમાં પણ આવે તેમ નથી અને તે એટલે દરજ્જુ સુધી કે બ્રાહ્મણોના આત્મવાદ – નામે આત્મા અખંડ અને શાશ્વત છે તેની વિરુદ્ધ બુદ્ધનો આ સિદ્ધાંત થયો. જ્યારે જૈન તેમાં સંમત થાય છે, ફેર એટલો જ છે કે તેઓ આત્માને મર્યાદિત રીતે વ્યાપક – શરીરવ્યાપી કહે છે, ને બ્રાહ્મણો (સાંખ્ય, ન્યાય અને વૈશેષિક) કહે છે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કે આત્મા વિશ્વ સાથે વ્યાપક છે. ૨. બૌદ્ધના જે પાંચ સ્કંધો છે અને તેના અસંખ્ય ભાગો છે તેના જેવું જૈનોના માનસશાસ્ત્રમાં નથી ૩. જેનોનો લાક્ષણિક સિદ્ધાંત કે જે તેના સર્વ તત્ત્વજ્ઞાન અને નીતિમાં પ્રસરેલ છે તે એ છે કે પ્રાણી અને વનસ્પતિમાં જીવ છે એટલું જ નહિ પણ જેને મહાભૂત – (જડ) કહેવામાં આવે છે તે પૃથ્વી, અપૂ, વાયુ અને તેજના નાનામાં નાના ભાગમાં પણ જીવ છે એવું સ્વીકારે છે અને તેથી તેને પૃથ્વીકાય, અકાય એમ ‘કાય' – શરીર લગાડી ગણવામાં આવે છે. આવું બૌદ્ધમાં બિલકુલ નથી, અને બ્રાહ્મણ ધર્મ પણ મહાભૂતમાં જીવ સ્વીકારવાની ના પાડે છે. વળી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ એવા નિગોદ' જીવનું સ્થાન પણ બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મમાં નથી. તે ઉપરાંત ગતિ અને સ્થિતિ સહાયક દ્રવ્ય નામે ધર્માસ્તિકાય' અને અધર્માસ્તિકાય' અનુક્રમે – એ બે દ્રવ્યોનો સ્વીકાર પણ કોઈપણ દર્શન – બૌદ્ધ કે બ્રાહ્મણધર્મ – માં નથી. ૪. સર્વજ્ઞ સુધી જ્ઞાનની દશા કમેક્રમે લઈ જવી એ ભારતના તત્ત્વજ્ઞાનીઓ માટે . મહા અગત્યનો વિષય છે, આ સંબંધે જેનોનો પોતાનો સિદ્ધાંત પંચજ્ઞાન' સંબંધે જે છે અને તેની જે પરિભાષા છે તે બ્રાહ્મણ અને બૌદ્ધ દર્શનથી તદ્દન ભિન્ન છે : – સમ્યજ્ઞાન ૫ પ્રકારનું છે. (૧) મતિ (૨) શ્રત (મતિ ઉપર આધાર રાખતું) (૩) અવધિ (અપ્રકૃત જ્ઞાન) (૪) મન:પર્યવ – બીજાના વિચારનું સ્પષ્ટ જ્ઞાન (૫) કેવલ - સર્વજ્ઞત્વ. આ માનસશાસ્ત્રીય સિદ્ધાંત જૈનોમાં પ્રાધાન્ય પામેલો છે, અને તે દરેક મહાત્મા કે તીર્થંકરના ધાર્મિક જીવનનું વર્ણન આપતાં તેના શાસ્ત્રકારોએ દષ્ટિ સમક્ષ રાખેલો છે. આવું – કે આના જેવું બૌદ્ધમાં બિલકુલ નથી. આવી રીતે ઘણી વિરુદ્ધતાનાં ઉદાહરણો છે. જૈન અને બૌદ્ધ ધર્મની બ્રાહ્મણ તત્ત્વ સાથે સમાનતા ચાર છે ? (૧) પુનર્જન્મ (૨) કર્મનો સિદ્ધાંત – પૂર્વકમથી પુણ્યપાપ થાય છે અને તેનાં ફલ આ ભવે કે આવતા ભવમાં ભોગવવામાં આવે છે. (૩) પૂર્ણજ્ઞાન અને સમ્યક્યારિત્રથી મનુષ્યજન્મનું પુનરાગમન અટકાવી શકાય છે. (૪) અનાદિકાલથી બુદ્ધો અથવા તીર્થકરો તે જ સિદ્ધાંતો જણાવે છે અને હાનિ પામતા ધર્મનો ઉદ્ધાર કરે છે. આ સિદ્ધાંત બ્રાહ્મણના વિષ્ણુ આદિ અવતારને કંઈક મળતો આવે છે. બૌદ્ધને પૂછવામાં આવ્યું કે શું સત્ય કદી ગુપ્ત રહ્યું છે ? છેલ્લા બુદ્ધ થયા પહેલાં કદી હસ્તગત નહોતું થયું ? – આનો જવાબ એમ આવે છે કે પૂર્વના બુદ્ધોએ ઉપદેર્યું હતું. “વળી બુદ્ધ ધર્મમાં જૈન ધર્મ નવીન ઉભવ પામ્યો હતો, તેમ “નાતપુત્ત’ – જ્ઞાતપુત્ર એટલે મહાવીર જૈન ધર્મના સ્થાપક હતા એમ કદી પણ જણાવવામાં આવ્યું નથી, તેથી જૈનધર્મ (નિગ્રંથોનો ધર્મ) પ્રાચીન ધર્મ હતો અને ‘નાતપુત્ત’ ફક્ત તે ધર્મના સુધારક હતા કે જે પાર્શ્વનાથે સ્થાપ્યો હોય. પરંતુ બંનેએ ૨૪ની સંખ્યા માની છે એ નવાઈ જેવું છે. કોણે પહેલાં શોધી તે કહેવાતું નથી. જેનોમાં તે સંખ્યા સામાન્ય છે અને પ્રાચીન હોવી જોઈએ, કારણકે શ્વેતાંબર અને દિગંબર બંને ૨૪ તીર્થકરો માને Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈન એ વેદિક ધર્મની શાખા છે? (જૈનની પ્રાચીનતા) ૨૬૧ છે. (શ્વેતાંબર અને દિગંબર વીરાતું રજા સૈકામાં સંભવિત રીતે જુદા પડ્યા હોવા જોઈએ)' – ડૉ. યાકૉબી. આ પરથી જેને બૌદ્ધથી સ્વતંત્ર છે. આના સંબંધમાં બૌદ્ધ ધર્મગ્રંથો જૈન ધર્મ સંબંધે જે ઉલ્લેખ કરે છે તે પણ અહીં જણાવવું યોગ્ય થઈ પડશે. (૧) બુદ્ધ ધર્મના અડગુત્તર નિકાય' નામના ગ્રંથમાં વૈશાલી નગરના એક વિદ્વાન્ રાજકુમાર અભય જૈનદર્શનમાં કર્મનું સ્વરૂપ કેવા પ્રકારે છે તેનું વર્ણન આપે છે. (૨) “મહાવગ' ગ્રંથમાં શ્રી મહાવીરના સિંહ નામના શિષ્ય બુદ્ધદેવનાં દર્શન કરવા ગયા હતા તેનું વર્ણન છે. (૩) “ક્ઝિમા નિકાય' ગ્રંથમાં મહાવીરની ઉપાલી નામક શિષ્યાએ બુદ્ધદેવની સાથે શાસ્ત્રવાદ કર્યો હતો તેનું વર્ણન છે. (૪) “અગુત્તર નિકાયમાં વીરના શ્રાવકો કેવા પ્રકારનો ધર્મ પાળે છે તેનું તથા તેમના ચારિત્ર વિષયનું બહુ વિસ્તારથી વર્ણન આપ્યું છે. (૫) બુદ્ધ ધર્મના “સામગ્નફલસુત્ત' નામના ગ્રંથમાં જૈન ધર્મનું સ્વરૂપ આલેખતાં જણાવ્યું છે કે જૈન દર્શનમાં ચાર મહાવ્રત છે. આથી એક અગત્યના વિષય પર પ્રકાશ પડે છે. બૌદ્ધ ધર્મની શરૂઆતથી જ જૈન ધર્મ – નિગ્રંથધર્મ અસ્તિત્વમાં છે એ સિદ્ધ થવા ઉપરાંત શ્રી મહાવીરના સમયમાં પાર્શ્વનાથ તીર્થંકરનાં શ્રાવક-શ્રાવિકાઓ વગેરે પણ હતાં એ પણ સિદ્ધ થાય છે, કેમ કે શ્રી પાર્શ્વનાથના શાસનમાં આપણા સાંપ્રત કાળનાં પાંચ મહાવ્રતોના બદલે બ્રહ્મચર્ય સિવાયનાં બાકીના ચાર વ્રત હતાં. પાર્શ્વનાથ અને મહાવીરના કાળ વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર છે, એટલે પાર્શ્વનાથનું શાસન મહાવીરના કાળ સુધી મંદ પ્રવાહે પણ અખંડ ચાલતું હતું એટલેકે મહાવીરના દર્શનની સમીક્ષા કરવામાં બુદ્ધદેવના શિષ્યોએ સરતચૂકથી પાર્શ્વનાથનાં દર્શનની હકીકત જણાવી હોય તેમ જણાય છે. બંનેના દર્શનમાં મહત્ત્વનો ફેરફાર કશો પણ નથી. પાર્શ્વનાથે ચોથા બ્રહ્મચર્યનો અપરિગ્રહમાં સમાવેશ કર્યો હતો, તે મહાવીરે જુદો કરી બ્રહ્મચર્યનું ચોથું વ્રત કરી, અપરિગ્રહને પાંચમું વ્રત ગણાવ્યું છે. (૬) બૌદ્ધ ગ્રંથોમાં જૈનો તેમના વિરોધી હોવાનું સ્થળે સ્થળે લખાયેલું છે, પરંતુ એક પણ સ્થળે જૈન તેમની શાખા હોવાનું અથવા જૈનોએ બુદ્ધના ધર્મમાંથી કોઈ હિસ્સો લઈ લીધો હોય એમ જણાવ્યું નથી. જેનને બૌદ્ધ પોતાની શાખા તરીકે માનતા હોત તો તેમના વિરુદ્ધ લખત જ નહિ (૭) મખલિપુત્ત -- ગોસાલ પ્રથમ મહાવીરનો શિષ્ય હતો, પણ પાછળથી તેમનો વિરોધી થઈ ગયો હતો – આ સંબંધી હકીકત પણ બુદ્ધના પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. આ પરથી પણ સ્પષ્ટ છે કે જેનએ બુદ્ધનો સમકાલીન ધર્મ તો હતો જ. (૮) મહાવીરના નિર્વાણ સંબંધી તથા તેમના ગણધર સુધમાં સ્વામીની હકીકત પણ બુદ્ધના ગ્રંથોમાંથી મળી આવે છે. જૈન એ બૌદ્ધની શાખા નથી એમ સિદ્ધ કરવાને ડૉ. યાકૉબીના આધારો તેમજ બૌદ્ધ ગ્રંથના ઉલ્લેખો કે જે મુખ્ય હતા તે અત્ર મૂક્યા છે, વળી વેદિક સંપ્રદાયના Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૬ર જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ગ્રંથોમાં જૈન એ બુદ્ધ ધર્મની શાખા છે એવા ભાવનું ક્યાંય પણ કથન જણાતું નથી. ઊલટું બંને એકબીજાથી તદ્દન ભિન્ન જ છે એમ સ્થળે સ્થળે કહ્યું છે, અને ઉભયનું ખંડન કરવાની કોશિશ પણ નિરાળી જ કરી છે. જૈન બૌદ્ધની શાખા હોત તો તેમ માની લઈ એકલા જૈનનું અથવા એકલા બૌદ્ધનું ખંડન કરવાના પ્રયત્નથી જ વેદાંત સંપ્રદાયવાળાઓ અટક્યા હોત. જે કાળ જૈન અને વૈદિક સંપ્રદાય વચ્ચે અત્યંત કસાકસી ચાલતી હતી તે કાળે પણ જૈનનું ખંડન કરવાના વેદાંતીઓએ કરેલા અનેક પ્રયત્ન અને વાદવિવાદમાં તે બુદ્ધની શાખા છે એવું જણાવવામાં આવ્યું નથી. જો જેનને તેમ માનતા હોત તો તે વાદના પુરાવા તરીકે રજૂ થયું હોત. આ પરથી સ્પષ્ટ છે કે જૈન એ બૌદ્ધ ધર્મની શાખા હોવાનું ધતિંગ તો પશ્ચિમ તરફના વિદ્વાનોએ જ ઉઠાવ્યું છે, અને તે વિદ્વાનોએ પોતાના બનાવેલા હિંદના ઇતિહાસમાં તે મૂકી દઈ હિંદવાસીઓમાં અપૂર્વ – કદી પણ ઉત્પન્ન ન થયેલો એવો ભ્રમ બેસાડ્યો હતો. (જુઓ – મૂળ હંટરકૃત હિંદનો ઇતિહાસ - કે જે પહેલાં ગુજરાતી નિશાળોમાં ચાલતો હતો.) - જૈન એ વેદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા). આ પ્રશ્રની મીમાંસા કરીએ. પ્રોફેસર વેબર, બાર્થ, લેસન વગેરે પશ્ચિમના વિદ્વાનો જૈનને બૌદ્ધ ધર્મની શાખા માનવામાં ઠગાયા હતા તેમ બુલ્ડર પણ જૈન ધર્મને વેદિક ધર્મની શાખા અગર તે ધર્મમાંથી અમુક ગ્રહણ કરી રચાયેલ છે એમ માને છે, અને તેમ માનવામાં આધાર તરીકે ઉભય ધર્મોની પ્રક્રિયાના સમાનપણાને લે છે, પરંતુ બંનેમાં કેટલાક અંશો સમાન હોય તેટલા જ ઉપરથી જેન વેદધર્મની શાખા છે એમ માની લેવું એ યોગ્ય નથી. જૈનનું અસ્તિત્વ ઘણું પ્રાચીન છે, તેના કેટલાએક આધારો પણ આપી શકાય છે. (૧) રામાયણ, મહાભારત અને પુરાણાદિકમાં જૈન દર્શન સંબંધી અનેક સ્થળે નિર્દેશ થયો જણાય છે. મહાભારતના આદિ પર્વના ત્રીજા અધ્યાયના ર૬-૨૭ શ્લોકમાં જૈન સાધુ સંબંધી વર્ણન આવે છે; વળી શાંતિપર્વમાં મોક્ષધર્મ અધ્યાય ૨૩૯ના છઠા શ્લોકમાં જૈનોના પ્રખ્યાત સપ્તભંગી ન્યાય સંબંધી નિર્દેશ છે. (૨) પાણિનિ નામના પ્રખ્યાત વૈયાકરણી કે જે ઈ.સ.પૂર્વે લગભગ બે હજાર વર્ષે થયાનું બહુધા સ્વીકારાય છે તેમણે પોતાની અષ્ટાધ્યાયીમાં જૈન વૈયાકરણી શાકટાયનને આધારરૂપે સ્વીકારેલ છે. તે જ શાકટાયનનું નામ ઋગ્વદની પ્રાતિશાખ્યોમાં, શુક્લ યજુર્વેદમાં અને વાસ્કના નિરુક્તમાં (કે જે પ્રો. મેકડોનલના કહેવા પ્રમાણે પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યના કાલનું છે) જોવામાં આવે છે. પાણિનિનો સમય ઈ.સ.પૂર્વે છઠી કે સાતમી સદી (કે તેની પહેલાં પણ હોઈ શકે) માનવામાં આવે છે. તેમણે તેમની પહેલાંના વ્યાકરણ અને પ્રાતિશાખ્યોના નિષ્ણાત વિદ્વાનોનાં નામોનો ઉલ્લેખ કર્યો છે – આપિશવિ, શાકટાયન, ગાર્ગ્યુ, શાકલ્ય, કાશ્યપ, ભારદ્વાજ, ગાલવ, ચાક્રવર્મણ, સેનક અને ફોટાયન. Page #284 -------------------------------------------------------------------------- ________________ જૈન એ વેદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા) ૨૬૩ આ શાકટાયનના મતે નામનિ સાધ્યાતનાન – બધાં નામોનું નિર્વચન આખ્યાત કે ક્રિયાપદના આધારે કરી શકાય. કારણકે નામ ક્રિયાપદમાંથી વ્યુત્પન્ન થયાં છે. નૈક્તોનો પણ આ જ મત હતો. શાકટાયનને ઊણાદિ સૂત્રપાઠ અને ઋતંત્ર પ્રાતિશાખ્યના કર્તા માનવામાં આવે છે. જૈન વૈયાકરણ શાકટાયન કે પાલ્યકીર્તિ શાકટાયન એમનાથી જુદા જણાય છે. તેઓ ૯મી સદીમાં રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષના સમયમાં થઈ ગયા અને શબ્દાનુશાસન અને તેના પરની સ્વીપજ્ઞ અમોઘવૃત્તિના કર્યા હતા. આ વ્યાકરણગ્રંથમાં તેમણે પાણિનિ, કાતંત્ર, જૈનેન્દ્ર અને ચંદ્ર (બૌદ્ધ વૈયાકરણ)નો આધાર લીધો છે.) (૩) “ઐતરીય બ્રાહ્મણમાં જૈનોના યતિ સંબંધી વિવેચન છે. (૪) સામવેદમાં યતિઓને ક્રિયાના વિરોધી તરીકે ગણવામાં આવ્યા છે એમ ડાકટર રાજેન્દ્રલાલ મિત્ર યોગસૂત્રની પ્રસ્તાવનામાં કહે છે. (૫) યજુર્વેદમાં જૈનના દેવ (28ષભાદિ) સંબંધી અનેક સ્થળે ઉલ્લેખ છે. અને વળી ઋષભ અને અરિષ્ટનેમિની સ્તુતિ પણ તે જ ગ્રંથમાં જોવામાં આવે છે. આ ઈશ્વરતત્ત્વમાં જણાવવામાં આવેલ છે. (૬) સ્વેદ કે જે ભારતનો સર્વથી પ્રાચીન ગ્રંથ મનાય છે અને ચારે વેદમાં પણ જે સર્વથી પ્રથમ ઉત્પન્ન થયો એમ સ્વીકારાય છે તેના વર્ગ ૧૬ અધ્યાય ૬ના પ્રથમ અષ્ટકમાં જેનોના ૨૨મા તીર્થંકર અરિષ્ટનેમિનું નામ દષ્ટિગોચર થાય છે (જુઓ ઈશ્વરતત્ત્વ). (૭) વ્યાસમુનિના પ્રસિદ્ધ ગ્રંથ બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયના બીજા પાદનો ૩૨થી ૩૬ સુધીનાં સૂત્રોમાં વ્યાસજીએ જૈનોના સ્યાદ્વાદ ન્યાયનું ખંડન કરવા નૈસ્મિન્નસંમવાતું આદિ સૂત્રથી અને “નૈના Uમિશ્નવ વસ્તુનિ મ પ્રસૂપર્યાન્તિ’ એમ જણાવી પ્રયત્ન કર્યો છે. વ્યાસમુનિ આ રીતે ખંડન કરવામાં કેટલા દરજે વિજયી નીવડ્યા છે એ જૈન સ્યાદ્વાદનું રહસ્ય યથાર્થ જાણનારે વિચારવાનું છે. અત્ર અપ્રાસંગિક હોઈ જણાવવું યોગ્ય નથી. () યોગવાશિષ્ઠના પ્રથમ વૈરાગ્ય પ્રકરણમાં અહંકાર નિષેધાધ્યાયમાં વશિષ્ઠ અને રામનો સંવાદ કહ્યો છે તેમાં રામ કહે છે : नाहं रामो न मे वाञ्छा भावेषु च न मे मनः । __ शांतिमास्थातुमिच्छामि स्वात्मन्येव जिनो यथा । – હું રામ નથી, મારી કંઈ ઇચ્છા નથી, અને ભાવ-પદાર્થોમાં મારું મન નથી. હું તો પોતાની જિનદેવની સમાન આ પામાં જ શાંતિ સ્થાપન કરવા ઈચ્છું. આમાં રામે જિન સમાન હોવાની ઇચ્છા કરી છે, તે તેનું ઉત્તમપણું સૂચવે છે. [“જિન” શબ્દ બુદ્ધ માટે પણ પ્રયોજાય છે. જેણે ઇન્દ્રિયાદિ પર જય મેળવ્યો છે તે ‘જિન.” | (૯) ‘દક્ષિણામૂર્તિ – સહસ્ત્રનામ'માં શિવ કહેતા જણાવેલ છે કે जैनमार्गरतो जैनो जितक्रोधो जितामयः । આમાં જૈન પ્રભુ સંબંધે કહ્યું છે. (૧૦) વૈશંપાયનસહસ્ત્રનામમાં કહ્યું છે કે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો कालनेमि निहा वीरः शूरः शौरि जिनेश्वरः । આમાં ભગવાનનું નામ જિનેશ્વર કહ્યું છે. (૧૧) દુર્વાસા ઋષિકૃત “મહિમ્નસ્તોત્રમાં એવું કથેલ છે કે तत्तदर्शन मुख्य शक्तिरिति त्वं ब्रह्मकर्मेश्वरी । कहिन् पुरुषो हरिश्च सविता वुद्धः शिवस्त्वं गुरुः ।। અહીં ‘અરહંત તમે છો' એવી ભગવાનની સ્તુતિ કરી છે. (૧૨) પ્રભાસ પુરાણમાં ઋષભનાથનું વિમલાચલ (શત્રુજય) અને નેમિનાથનું રૈવત (ગિરનાર) પર સ્થાન – આશ્રમ છે તે જણાવ્યું છે. रैवताद्रौ जिनो नेमियुगादिर्विमलाचले । ऋषीणामाश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ।। (૧૩) “ગણેશ પુરાણ'માં નૈનં પશુપતિ સાથું – એમ એક દર્શન તરીકે, જૈન જણાવ્યું છે. (૧૪) “મનુસ્મૃતિ’ કે જે પ્રાચીન હિંદુ ધર્મનો પ્રામાણિક ગ્રંથ લખાય છે તેમાં નાભિનો મરુ દેવીથી થયેલ પુત્ર નામે ઋષભદેવ (પ્રથમ તીર્થકર)નું વર્ણન છે. कुलादिबीजं सर्वेषां प्रथमो विमलवाहनः । चक्षुष्मान् यशस्वी वाभिचंद्रोऽथ प्रसेनजित् ।। मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः । अष्टमो मरुदेव्यां तु नाभेर्जातः उरुक्रमः ।। दर्शयन् वर्त्म वीराणां सुरासुर नमस्कृतः । नीति त्रितय कर्ता यो युगादौ प्रथमो जिनः ।। અહીં વિમલવાહનાદિક ‘મનુ' કહ્યા છે તેને જૈનમાં ‘કુલકર' કહે છે અને અહીં પ્રથમ જિન યુગની આદિ વિષે માર્ગના દર્શક અને સુરાસુરપૂજિત કહેલ છે તે ઋષભદેવ છે. (૧૫) રાજર્ષિ ભતૃહરિના શૃંગારશતકના ૮૭માં શ્લોકમાં “જિન” એ નામ આપેલ છે. एको रागिषु राजते प्रियतमादेहार्द्धधारी हरो नीरागेषु जिनो विमुक्तललनासंगो न यस्मात्परः । दुरिस्मरवाणपन्नग विषव्यासक्त मुग्धो जनः । शेषः कामविडंबितो हि विषयान् भोक्तुं न मोक्तुं क्षमः ।. – રાગી પુરુષોમાં તો એક મહાદેવ શોભિત છે કે, જેણે પોતાની પ્રિયતમા પાર્વતીને અર્ધ શરીરમાં ધારણ કરી રાખી છે, અને વિરાગીઓમાં જિનદેવ શોભિત છે કે જેના સમાન સ્ત્રીના સંગ છોડનારા બીજા કોઈ નથી. બાકી બધા દુર્નિવાર કામદેવના બાણરૂપ સર્પોના વિષથી મૂચ્છિત થયા છે, કે જે કામની વિડંબનાથી વિષયોને સારી રીતે ભોગવી શકતા નથી, તેમ તેને છોડી શકતા નથી. (૧૬) હનુમન્નાટકના મંગલાચરણ શ્લોકમાં બધા દેવોની સાથે અહમ્ - જિનદેવની પણ સ્તુતિ કરી છે : यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः । Page #286 -------------------------------------------------------------------------- ________________ જૈન એ વેદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા) ૨૬૫ अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसका: सोऽयं को विदधातु वांछितफलं त्रैलोक्यनाथः प्रभुः ।. આ રીતે જૈન અને જિનદેવ આદિ સંબંધે ઘણાઘણા ઉલ્લેખ છે કે જેમાંના મુખ્ય અત્ર આપ્યા છે. જેનદર્શન વેદના કાળની પૂર્વે કે તે કાલમાં ન હોત તો તે સંબંધીનો આટલા મોટા પ્રમાણમાં નિર્દેશ જેનેતર ગ્રંથમાં હોવો અસંભવિત છે. તેથી ઊલટું વેદવ્યાસના કાળ પૂર્વે જેનોની સ્યાદ્વાદ નયની ફિલસૂફી સંભવિત છે અને તેથી જ વ્યાસજી જેવા સમર્થ પુરુષને તેના ખંડન માટે પોતાના ગ્રંથમાં એક કરતાં વધારે સૂત્રો રોકવાં પડ્યાં હશે. જ્યારે આપણે જેનોના પ્રાચીન ઇતિહાસ ભણી નજર કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે લગભગ દરેક કાળમાં જૈનોને તેનાં વિરોધી દર્શનો સાથે ટંટામાં ઊતરી મુશ્કેલીઓ ભોગવવી પડી છે. વિષકાલમાં પણ તેને ઘણું સહન કરવું પડ્યું છે. આનું મુખ્ય કારણ એ જ હોવું પ્રતીત થાય છે કે યજ્ઞયાગાદિકમાં પશુહોમ થવાની સખ્ત વિરુદ્ધ જેનો હતા. તે કાળે વેદાનુયાયી બ્રાહ્મણોનો નિર્વાહ મોટે ભાગે તેથી થતો હતો એમ ઇતિહાસ પરથી માલૂમ પડે છે. આની સામે જૈનોએ ‘અમારિ ઘોષણા' જૈન રાજાઓના સમયમાં ઘણીઘણી વખત વગડાવેલ છે. હાલના મહાનું સમર્થ તત્ત્વજ્ઞ લોકમાન્ય બાલ ગંગાધર તિલકે જૈન શ્વેતાંબર કોન્ફરન્સના વડોદરામાંના અધિવેશનમાં નીચે પ્રમાણે જણાવ્યું હતું : જેન અને વેદિક એ બંને ધર્મ જોકે પ્રાચીન છે, પરંતુ અહિંસા ધર્મનો મુખ્ય પ્રણેતા જૈન ધર્મ છે. જૈન ધર્મે પોતાની પ્રબળતાથી વેદિક ધર્મ ઉપર અહિંસા ધર્મની નહિ ભૂંસાય તેવી ઉત્તમ છાપ મારી છે. વેદિક ધર્મમાં અહિંસાને સ્થાન મળ્યું છે તે જેનીઓના સંસર્ગને લીધે જ છે. અહિંસા ધર્મના સંપૂર્ણ શ્રેયના હકદાર જૈનીઓ જ છે. અઢી હજાર વર્ષ પહેલાં વેદવિધાયક યજ્ઞોમાં હજારો પશુઓનો વધ થતો હતો, પરંતુ ૨૪૦૦ વર્ષ પહેલાં જૈનોના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ જ્યારે જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો ત્યારે તેના ઉપદેશથી લોકોનાં ચિત્ત આ ઘોર નિર્દય કર્મથી વિરક્ત થવા માંડ્યાં અને ધીમેધીમે લોકોના ચિત્તમાં અહિંસાએ પોતાનો અધિકાર સ્થાપન કર્યો. આ સમયના વિચારશીલ વેદિક વિદ્વાનોએ ધર્મની રક્ષાને લીધે પશુહિંસા સર્વથા બંધ કરી અને પોતાના ધર્મમાં અહિંસાને આદરપૂર્વક સ્થાન આપ્યું.” સંસ્કૃત ભાષાના પ્રોફેસર (શિક્ષાગુરુ) (વિલ્સન કૉલેજ) વિદ્વાન્ હરિમહાદેવ ભડકર નીચે પ્રમાણે જણાવે છે : “Jainism teaches that the highest moral life is the only sure means of elevation of soul and its eventual emancipation and with it the central truth of morality lies in complete abstinence from injury to any one else. It is a painful confession that the sacred animal sacrifice though it has to be allowed and being enjoined by the shruti Page #287 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો the basis of all the superstructure of the vedic faith, does in fact startle the heart of even the most faithful follower of the Vedas. This effect, I believe, could not have been brought about by the purely militant materialistic doctrine, but must have been the slow and silent effect of the steady self-relying teachers who brought the wealth of their metaphysical thought to bear on all questions of humane life and constructed a doctrine which would satisfy all the yearning of the humane soul.' જૈન ધર્મ એ શીખવે છે કે ઉત્તમમાં ઉત્તમ નીતિમય જીવન એ જ આત્માની ઉતિ કરવામાં અને તેને કર્મથી મુક્ત કરવાનો સાચો ઉપાય છે. અને જૈન ધર્મમાં નીતિનું કેંદ્રભૂત સત્ય કોઈની હિંસા કરવાથી તદ્દન મુક્ત રહેવું એ છે. આ તો દુઃખદાયક કબૂલિયાત છે કે પશુયજ્ઞ જો કે શ્રુતિએ અનુમોદિત અને આજ્ઞાથી ફરમાવેલ છે તેમજ તે વેદિક ધર્મની સર્વ ઇમારતનો પાયો છે છતાં વેદના ચુતમાં ચુસ્ત અનુયાયીના હૃદયને પણ વસ્તુતઃ ચમકાવે છે. મારા ધારવા પ્રમાણે આ અસર જે સિદ્ધાંત માત્ર વિરોધી અને જડ ભાવનામય હોય તેથી પરિણમી શકે જ નહિ, પણ તે દૃઢ આત્મસંયમી ધર્મોપદેશકોની ધીમી અને શાંત અસર હોવી જ જોઈએ કે જે ઉપદેશકોએ મનુષ્યજીવનના સર્વ પ્રશ્નો સાથે સંબંધ ધરાવતા એવા પોતાના આધ્યાત્મિક વિચારોની સંપત્તિ રજૂ કરી એક એવો સિદ્ધાંત રચ્યો હોય કે જે મનુષ્યાત્માની સર્વ તીવ્ર ઇચ્છાને તૃપ્ત કરી શકે. આવી રીતે જૈનોની વૈદિક યજ્ઞ ઉપર પ્રબલ અસર હતી, અને તેથી તે કારણે નીપજેલા દ્વેષને લઈને કદાચ બીજાઓએ ‘હસ્તિના તાડ્યમાનોપિનાòઝિન મંવિરમ્ ।’ હાથી તમારા ઉપર હુમલો કરવાને આવે અને બચવાનો કોઈપણ ઉપાય ન મળે તો પણ જૈનના મંદિરમાં પ્રવેશવું નહિ આવા ભાવનાં વાક્યો ઉચ્ચાર્યાં હોય એમ લાગે છે. ૨૬૬ કેટલાંક સંસ્કૃત નાટકોમાં જૈનોના સાધુ અને યતિનાં પાત્રોને દાખલ કરી તેમની પાસે અનેક નિંઘ ભાવ ભજવ્યા છે (આમ બૌદ્ધ ભિક્ષુઓના સંબંધે પણ બન્યું છે.) કેટલેક સ્થળે તેમણે ચોરી કરી, દલાલી કરી, જૂઠું બોલ્યા એવા રૂપમાં તેમને ખોટા આકારમાં દર્શાવ્યા છે અને અજાણ્યા માણસોમાં જૈન ધૂર્તતાની મૂર્તિ છે એવો ભાવ ઠસાવવા પ્રયત્ન કર્યો છે. આની સામે જૈનોએ પણ બ્રાહ્મણોને ક્વચિત્ અયોગ્ય રીતે ચીતર્યા હશે. આ પ્રમાણે પ્રાચીન જૈન દર્શન અનેક દર્શનો તરફથી ધક્કાધુંબા ખાતું આજ સુધી ભારતમાં અખંડ ધારાએ ચાલ્યું આવ્યું છે, જ્યારે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અહીં ભાગ્યે જ રહ્યા છે કે ખૂબ ઓછા છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ખંડ-૨ બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો Page #289 -------------------------------------------------------------------------- ________________ Page #290 -------------------------------------------------------------------------- ________________ ધ્યાની. બુદ્ધ Page #291 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધની વિવિધ પ્રતિમાઓ : બ્રાહ્મદેશમાં, ભારતમાં, શ્રીલંકામાં Page #292 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યકથક ભિખ્ખ Page #293 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધના જન્મસ્થાન લુમ્બિની ખાતેનો અશોકસ્તંભ Page #294 -------------------------------------------------------------------------- ________________ - સારનાથ ખાતે મળી આવેલો સિંહસ્થંભ. Page #295 -------------------------------------------------------------------------- ________________ Buddh-Gaya. બુદ્ધગયા 64 SEASE Page #296 -------------------------------------------------------------------------- ________________ બોધિવૃક્ષ તળે, બુદ્ધગયા Page #297 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધગયા ખાતે તા.શી. લામા. Page #298 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ : બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલિ ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ (ઈ.સ.પૂ.૫૪૩ – ઈ.સ. પૂ.૭૬) ગૌતમ બુદ્ધ માગધી અથવા પાલિ ભાષામાં પોતાનો ઉપદેશ આપ્યો હતો એવું કહેવાય છે. તેમના નિર્વાણ પછી આ ઉપદેશોનું પુનરાવર્તન બૌદ્ધ સાધુઓએ જુદીજુદી ત્રણ પરિષ (સમિતિ – મહાસંગીતિ) ભરી કરવામાં આવ્યું હતું. તે અનુક્રમે રાજગૃહ, વૈશાલી, અને પાટલિપુત્રમાં રાજા અજાતશત્ર, કાલાશોક અને અશોકના આશ્રય નીચે ઈ.સ.પૂ. ૫૪૩, ઈ.સ.પૂ. ૪૪૩ અને ઈ.સ.પૂ. ૨૫૫માં ભરવામાં આવી હતી. ચોથી સંગીતિ કનિષ્કના સમયમાં થઈ (પ્રથમ શતાબ્દી) કાશ્મીરની રાજધાનીની પાસે કુંડલવન વિહારમાં. આ ઉપદેશોના મૂળ પાઠ આ પરિષદોમાં ચર્ચાઈ નિશ્ચિત કરવામાં આવ્યા હતા. અને તેને બૌદ્ધોનું ધાર્મિક સાહિત્ય કહેવામાં આવે છે. તેને ત્રણ સૂત્રમાં (પાલિમાં તેપિટક - પિટકgય, સંસ્કૃતમાં ત્રિપિટક – પિટકત્રય કે જેનો અર્થ ‘ત્રણ ટોપલીઓ' થાય છે તેમાં) વહેંચવામાં આવ્યું છે : નામે સુત્તપિટકમાં બુદ્ધ અને તેના પ્રમુખ શિષ્યોનો ઉપદેશ છે, વિનય પિટકમાં ધર્માચાર – વિનય એટલે ભિક્ષુઓને પાળવાના નિયમનો સંગ્રહ છે અને અભિધમપિટકમાં બૌદ્ધ તત્ત્વજ્ઞાનનો વિસ્તારથી વિચાર છે. ઈ.સ.પૂ. ૫૪૩માં ભરાયેલી પ્રથમ સમિતિ (કાશ્યપની સમિતિ)માં જે ભિક્ષુઓ એકત્રિત થયા હતા તેને (૧) “થેર' (સં. સ્થવિર), અને તેમના ધર્મગ્રંથને “થેરવાદ' (સં. સ્થવિરવાદ) કહેવામાં આવ્યા. ત્યારપછી થેરવાદના કેટલાક નિયમોનો ભંગ કરવા માટે વૈશાલીના દશ હજાર ભિક્ષુઓને ઈ.સ.પૂ.૪૪૩માં મળેલી દ્વિતીય સમિતિએ થેરોના સંઘમાંથી બહિષ્કૃત કર્યા. આ રીતે મૂળ બૌદ્ધ ધર્મમાંથી પ્રથમ શાખા થઈ અને તે બહિષ્કૃત ભિક્ષુઓ (૨) મહાસંધિક કહેવાયા. તેમણે થેરવાદમાં કેટલોક સુધારાવધારો કર્યો. ત્યારપછી બુદ્ધના નિર્વાણથી બે હજાર વર્ષના આંતરામાં વધુ ૧૪ શાખાઓ ઉભવી; નામે : (૩) ગોકુલિક, (૪) એકમ્બોહારિક, (૫) પત્તિ, (૬) બાહુલિક, (૭) ચેતિય, (૮) સમ્બત્યિ, (૯) ધમ્મગુત્તિક, (૧૦) કસ્સપીય, (૧૧) સંકાન્તિક, (૧૨) ૧. પાલિ મહાવંશ પ્રમાણે આ ત્રણ પરિષદમાંની પહેલી બે તો આપેલ છે, અને ત્રીજી પરિપત્રો સમય હાલની શોધ અનુસાર જણાવ્યો છે. અશોકે ઈ.પૂ. ર૭૨માં રાજ્યારોહણ કર્યું અને તેના રાજ્યના ૧૭મા વર્ષે ત્રીજી પરિષદ્ ભેગી થઈ. (જુઓ વિજેસિંહનો મહાવંશ, પૃ.૨૯) ૨. આ ત્રિપિટકની ગ્રંથસંખ્યા ત્રણ લક્ષ જણાવવામાં આવે છે ? તેમાં સુત્તપિટકમાં પાંચ પેટાભેદ છે, નામે દીઘનિકાય, મઝિમનિકાય, સંયુત્તનિકાય, અંગુત્તરનિકાય અને ખુદ્દકનિકાય. આમાંના છેલ્લા ખુદ્દનિકાયના પાછા પંદર પેટા વિભાગ છે ઃ ખુદ્દકપાઠ, ધમ્મપદ, ઉદાન, ઈતિવત્થક, સુત્તનિપાત્ત, વિમાનવત્યુ, પેતવત્યુ, થેરગાથા, થેરીગાથા, જાતક, નિદ્સ, પરિસંભિદામગ્ગ, અપદાન, બુદ્ધવંસ, અને ચરિયાપિટક. હવે વિનયપિટકમાં પાંચ ભાગ છે તે પારાજિકા, પાચિતિયાદિ, મહાવચ્ચ, ચુલ્લવગ્ય અને પરિવારપાઠ : જ્યારે અભિધમ્મપિટકમાં સાત પ્રકરણ છે તેનાં નામ ધમ્મસગણિ, વિભડગ, ધાતુકથા, પુગ્ગલપચ્ચતિ, કથાવત્, યમક અને પટ્ટાન છે. WWW.jainelibrary.org Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સુત્ત, (૧૩) હિમવત, (૧૪) રાજગિરીય, (૧૫) સિદ્ધિત્યિક, (૧૬) પુષ્પસેલીય, (૧૭) અપરસેલીય અને (૧૮) વજિરીય. તૃતીય સમિતિના અંત સમયે જ આશરે ઈ.સ.પૂ. ૨૫૫માં થેરોએ તેપિટકના રૂપમાં સંગ્રહેલા બુદ્ધના ઉપદેશોને મહારાજા અશોકનો પુત્ર મહિન્દ સિંહલદ્વીપમાં લઈ ગયો કે જ્યાં તે સર્વને બૌદ્ધ ભિક્ષુઓએ પરંપરાગત મુખપાઠે રાખ્યા અને ત્યાં તેને પહેલી વખત પુસ્તકારૂઢ વટ્ટગામણિના રાજ્યમાં (૧૦૪થી ૭૪ ઈ.સ.પૂ. દરમ્યાનમાં) કિરવામાં આવ્યા એમ કહેવાય છે. આ ત્રણ પિટક સિવાય પાલિ ભાષામાં લખાયેલ બીજાં અસંખ્ય પુસ્તકો છે અને તેથી પાલિ સાહિત્યની સમૃદ્ધિ થઈ છે.* ત્રિપિટકના જુદાજુદા ભાગો જુદાજુદા રચનારાએ રચ્યા છે અને તેમાંના ઘણાખરા ગૌતમ બુદ્ધના હસ્તદીક્ષિત શિષ્યો હતા. આ ત્રણ પિટક પ્રાચીન બૌદ્ધો કે જેને સ્થવિરો કહેવામાં આવે છે તેને લગતા છે તેથી તેને થેરવાદ (સ્થવિરવાદ) કહેવામાં આવે છે. ચીનનું વિનયપિટક અને તિબેટનું વિનયપિટક નાનીનાની બાબતો સિવાય એક જ મૂળમાંથી ઊપજેલ છે, અને તેને માનનાર મહીશાસકો અને મહાસર્વાસ્તિવાદીઓ કહેવાય છે. તે બંને સ્થિતિચુસ્ત સ્થવિરવાદની શાખાઓ છે. - ઈ.સ.૭૮ની આસપાસ ત્રિપિટકમાંથી વૈપુલ્ય સૂત્રો ઘડાયાં છે અને તેના રચનાર મહાયાનીઓ છે. તે ગદ્યાત્મક અને પદ્યાત્મક બને છે. પદ્ય અર્ધસંસ્કૃત પ્રાકૃત ગાથાઓમાં છે અને ગદ્ય ત્રિપિટકમાંથી કરેલું સંસ્કૃત ભાષાંતર છે. આમ ભાષામાં ફેરવવાની જરૂર તે સમયને અનુકૂળ હશે. ૧. સિંહલદ્વીપમાં બૌદ્ધધર્મને દાખલ કરનાર આ મહિન્દ (મહામહિન્દી અને તેની બહેન સંઘમિત્તા હતાં. અશોકનું જીવનચરિત્ર ગુજરાતીમાં રા. જીવણલાલ અમરશીએ પ્રસિદ્ધ કર્યું છે તે જોવું. ૨. સિંહલદ્વીપમાં સિંહલ ભાષામાં ઉક્ત ત્રિપિટક ગ્રંથો પર ટીકા લખાયેલી હતી તેને અકથા (અર્થકથા) કહેવામાં આવતી. ઈ.સ. પાંચમા શતકના આરંભે બુદ્ધઘોષ નામના આચાર્યે આ અઢકથાનું પાલિ ભાષામાં રૂપાંતર કર્યું. તે અઢ઼કથાનાં નામ આ પ્રમાણે છે : ૧. દીઘનિકાય અટ્ટકથા – સુમંગલ વિલાસિની, ૨. મજિઝમનિકાય – પપંચશ્રદની ૩. સંયુત્તનિકાય – સારWપકાસિની, ૪. અંગુત્તરનિકાય – મનોરથપૂરણી, પ. વિનય – સમંત પાસાદિકા, ૬. ધમ્માસંગણિ – અદ્ભસાલિની, ૭, વિલંગ – સંમોહવિનોદની, ૮. ધાતુકથા, પુગ્ગલપંચત્તિ, કથાવત્યુ, યમક અને પટ્ટાન એ પાંચ પ્રકરણની અટ્ટકથા – પંચમ્પકરણ અટ્ટકથા. ખુદ્દક નિકાયમાંનાં પ્રકરણો પર જુદાજુદા આચાર્યોએ અઢકથા લખેલી છે. 3. તેનાં નામ અને તેના જે કત માનવામાં આવ્યા છે તેનાં નામ આ પ્રમાણે છે : ૧. જ્ઞાનપ્રસ્થાન – કાત્યાયન (કાત્યાયની પુત્ર) કૃત, ૨, ધર્મસ્કંધ – સારિ૫ત્રકૃત, ૩. ધાતુકાય – પૂર્ણ (અપનામ વસુમિત્ર), ૪. પ્રજ્ઞપ્તિ શાસ્ત્ર – મૌદ્ગલ્યાયન, ૫. વિજ્ઞાનકાય -દેવક્ષેમ (અપનામ દેવશર્મા), ૬. સંગીતિપર્યાય – સારિપુત્ર (અમરનામ કૌષ્ઠિલ્ય), ૭. પ્રકરણપાદ – વસુમિત્ર. ૪. કર્ન કહે છે કે, “સર્વ પ્રાકૃત ભાષાઓ સામાન્ય રીતે અપ્રચલિત થઈ ગઈ છે. અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ અને પ્રચલિતતા આખા ભારતમાં વિદ્યા, સાહિત્ય અને સંસ્કૃતિની સામાન્ય ભાષા તરીકે અને આર્યો અને દ્રાવિડોને સાંધનાર તરીકે ચાલુ થયેલ છે. કયે સમયે સંસ્કૃત ભાષાએ આધિપત્ય મેળવ્યું એ ચોક્કસ કહી શકાતું નથી, પરંતુ તેમ બહુ ક્રમશઃ Page #300 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ ૨૭૧ પાલિ ભાષા આ બૌદ્ધનાં ધર્મપુસ્તકોની મૂળ પ્રાચીન ભાષા છે, અને તે પાલિમાં રચાયેલાં પુસ્તકો પણ પ્રાચીન છે. તેના રૂઢશબ્દો મગધમાં સારી રીતે પ્રચલિત તે વખતે થયા હતા. પાલિ કયા દેશમાં ઉભવી તે સંબંધી અનેક તર્કવિતર્ક ઊઠે છે. સંભવિત એ લાગે છે કે કલિંગ – અંપ્રદેશમાં તેનો જન્મ થયો હતો. કલ્લવગ નામના બૌદ્ધગ્રંથમાં એવો એક ઉલ્લેખ છે કે બુદ્ધ એવી આજ્ઞા કરે છે કે દરેકે બુદ્ધના ઉપદેશનો અભ્યાસ તેની પોતાની ભાષામાં કરવો. આ પરથી એ અનુમાન પર આવી શકાય કે ધર્મપુસ્તકો જ્યારે ભારતમાં પ્રચલિત થયાં ત્યારે ભારતના દરેક ભાગમાં માગધી ભાષામાં તેઓ આવ્યા નહીં હતાં, પરંતુ તે તે ભાગોમાં ત્યાંની પ્રચલિત ભાષામાં આવ્યાં હતાં. આ પરથી જણાય છે કે ઉત્તરના બૌદ્ધો – મહાયાનીઓનાં શાસ્ત્રો સંસ્કૃતમાં છે તે મૂળ માગધીમાંથી અવતરણ થયેલાં છે. મહાયાનની ઉત્પત્તિ (આશરે ઈ.સ.૭૮) ખ્રિસ્તી સન શરૂ થતાં હિંદના વાયવ્ય (NSW) કોણના ભાગ પર તુરૂષ્કો યાને સીથીઅન લોકોએ ચડાઈ કરી. તેઓનો એક સરદાર નામે કનિષ્ઠ કાશમીર પલ્લવ અને દિલ્હી જીતી લીધા અને એવું કહેવામાં આવે છે કે તેણે કાબ્દ ઈ.સ.૭૮માં સ્થાપ્યો. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ને મહાયાન (મોટું ચક્ર) યિાન = વાહન અથવા માગ નામની બૌદ્ધ ધર્મની નવી શાખા સ્થાપિત કરી. પાલી તે પિટકમાં જે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તે જૂનો બૌદ્ધ ધર્મ ત્યાર પછીથી હીનયાન (નાનું ચક્ર) એ નામથી મહાયાનના અનુયાયીઓ પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવા ઓળખવા લાગ્યા. મહાયાન ધીમેધીમે નેપાલ, તિબેટ, મોંગોલિયા, ચીન, જાપાન, કોરિયા આદિ દેશમાં પ્રસર્યો જ્યારે હીનયાન લંકામાં ચાલુ રહ્યો અને ત્યાંથી બ્રહ્મદેશ, સિયામ આદિ દેશમાં ફેલાયો. ભારતખંડમાં બંને રહ્યા. સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ (આશરે ઈ.સ.૭૮) કનિષ્ક રાજાના આશ્રય તળે જાલંધરમાં એક સંગીતિ (પરિષદુ) પાર્થ (અથવા પૂર્ણક) અને વસુમિત્રના વડપણ હેઠળ ભરવામાં આવી હતી. તે વખતે પ00 ભિક્ષુઓ, અને ધીમેધીમે થયેલ છે એ ચોક્કસ છે. છતાં આટલું તો કહી શકાય કે કનિષ્કના રાજ્યમાં ભરાયેલ બૌદ્ધ સંગીતિની તુરત જ પહેલાં કે પછી શાસ્ત્રોનું બીજી ભાષામાં સંસ્કરણ કરવાની આવશ્યકતા પડી હોય. ૧. કનિક બુદ્ધના નિવણ (કે જે ઈ.સ. પૂ. ૪૩૩માં થયું એમ કેટલાક કહે છે)થી ૪૦૦ વર્ષે થયો એમ તિબેટના ગ્રંથો પરથી માલૂમ પડે છે. ડાક્ટર ફૂલીટ તેને વિક્રમ સંવત્ ઈ.સ.પૂ.૫૮માં સ્થાપનાર ગણે છે. ડૉ. ભંડારકર તેને ઈ.સ.ના ત્રીજા સૈકાના છેલ્લાં ૨૫ વર્ષમાં મૂકે છે. વિન્સેટ સ્મિથ તેને ઈ.સ. ૧૨૫માં મૂકે છે ને સીલ્વન લેવી ઈ.સ.પ૦માં મૂકે છે. પરંતુ બીલ, લૅસન, પ્રો. કર્ન અને બીજા એમજ સ્વીકારે છે કે શાબ્દનો સ્થાપક તે હતો (ઈ.સ.૧૮). Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એકત્રિત થયા હતા. તેમણે પાલિ તેપિટકને વિશેષ અર્થપૂર્વક સમજાવવા અર્થે ત્રણ ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા : નામે સુત્તપિટક પરથી સૂત્ર ઉપદેશ, વિનય પિટક પરથી વિનય વિભાષા અને અભિધમ્મ પિટક પરથી અભિધર્મ વિભાષા. આ ત્રણ મહાયાન છે મન પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃત ભાષાનાં પુસ્તકો છે. તેમ છતાં એવું ધારી ન રાકાય કે કનિષ્ઠ સમયની સંગીતિ (પરિષદુ) પહેલાં એક પણ બૌદ્ધ ધર્મનો સંસ્કૃતમાં ગ્રંથ નહિ હતો. વસ્તુતઃ કનિષ્ક તે સમયમાં સંસ્કૃત ભાષામાં ઘણા વખત પહેલાં રચાયેલા અનેક બૌદ્ધ ગ્રંથો જોઈને બૌદ્ધ ધર્મનો પ્રચાર સંસ્કૃત ભાષામાં વિશેષ વ્યવહાર થઈ શકશે એમ ધારીને સંસ્કૃત ભાષાનો પ્રસાર કર્યો. ઉદાહરણ તરીકે કનિષ્કની પરિષદમાં રચાયેલ અભિધર્મવિભાષા બલ્ક અભિધર્મ – મહાવિભાષા – શાસ્ત્ર એ માત્ર કાત્યાયનીપુત્રકૃત અભિધર્મ – જ્ઞાન – પ્રસ્થાન – શાસ્ત્ર (કે જે બુદ્ધના નિર્વાણ પછી ૩OO વર્ષે અને કનિષ્કના સમય પહેલાં 100 વર્ષે રચાયેલ હતું) તે પર ટીકા માત્ર છે. જોકે સંસ્કૃત ભાષાના બૌદ્ધ સાહિત્યના પ્રથમ સ્થાપક તરીકે કનિષ્કને ન ગણી શકાય, છતાં એ તો સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી કે તેના જ સમયમાં સંસ્કૃત ભાષા બૌદ્ધ ગ્રંથો લખવા માટેની યોગ્ય ભાષા તરીકે પ્રથમ સર્વત્ર સ્વીકારવામાં આવી. તે સમયથી સંસ્કૃત ભાષામાં અસંખ્ય બૌદ્ધ ગ્રંથો રચાયા છે જે પૈકીના નવ ધર્મો નામના નવ ગ્રંથો પ્રત્યે મહાયાન બૌદ્ધો ખાસ આદર ધરાવે છે. બૌદ્ધોમાં ૧૮ ભેદ ઉપર કહી ગયા કે બુદ્ધના નિર્વાણ પછી ૨૦૦ વર્ષના અંતરામાં મૂળ બૌદ્ધો નામે વેર (વિર) ઉપરાંત તેમાંથી જુદાજુદા વાદ કાઢી ૧૭ ભેદ થયા. કાલાનુક્રમે આમાંના કેટલાક નાશ પામ્યા જ્યારે નવીન જાગ્યા. પરિણામ એ આવ્યું કે કનિકના સમયમાં – ઈ.સ.૭૮ના આશરે બૌદ્ધ ધર્મના ૧૮ ભેદ પડ્યા હતા કે જેને ચાર વર્ગમાં મૂકી શકાય. ૧. આર્ય સર્વાસ્તિવાદ ' (૧) મૂલ સર્વાસ્તિવાદ (૨) કાશ્યપીય (૩) મહીશાસક (૪) ધર્મગુપ્તીય (૫) બહુકૃતીય (૬) તામ્રશતીય (૭) વિભજ્યવાદિનું. ૨. આર્યસમિતીય (૮) કુરૂકુલ્લક (૯) આવન્તિક (૧૦) વાસ્તીપુત્રીય. આ ભેદો (૧થી ૧૦) વૈભાષિક બૌદ્ધ દર્શનને લગતા છે. ૩. આર્યમહાસંધિક (૧૧) પૂર્વ–શૈલ (૧૨) અપર–શૈલ (૧૩) હૈમવત (૧૪) લોકોત્તરવાદિનું (૧૫) પ્રજ્ઞતિવાદિનું ૧. આ નવ ધર્મ એટલે મહાયાનનાં નવ પવિત્ર પુસ્તકોનાં નામ આ પ્રમાણે છે : (૧) અષ્ટસાહસિક પ્રજ્ઞા પારમિતા (૨) ગંડલૂહ (૩) દશ-ભૂમિ વિસ્તાર (૪) સમાધિ-રાજ (૫) લંકાવતાર (૬) સદ્ધર્મ – પુંડરીક (૭) તથાગત ગુહ્યક (૮) લલિતવિસ્તર અને (૯) સુવર્ણ - પ્રભાસ. Page #302 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન ૨૭૩ ૪. આર્યસ્થવિર (૧૬) મહાવિહાર (૧૭) જેતવનીય (૧૮) અભયગિરિવાસિન્. આ ભેદો, (૧૧થી ૧.૮) મૌત્રાન્તિકે બૌદ્ધ દર્શનને લગતા છે. ઉપરોક્ત સર્વભેદો હીનયાનના છે પરંતુ તેઓ આગળ જતાં મહાયાનમાં જોડાયા. બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન ઉપરોક્ત હીનયાનના ભેદોના તત્ત્વજ્ઞાન સંબંધે સિદ્ધાંતો ધીમેધીમે બે દર્શનમાં નામે (૧) વૈભાષિક અને (ર) સૌત્રાન્તિકમાં પરિણમ્યા. કનિષ્ક સ્થાપેલ મહાયાનનાં પણ બે દર્શન થયાં, નામે (૩) માધ્યમિક અને (૪) યોગાચાર. આમ બંનેની મળી ચાર શ્રેણીઓ થઈ. બૌદ્ધ ધર્મના સ્થાપક શાક્યમુનિએ કપિલનો સાંખ્યમત ગ્રહણ કરીને પોતાના મતનો પ્રચાર કર્યો છે એમ ઘણા વિદ્વાનોનું મંતવ્ય છે. હવે તેની વૈભાષિક નામની શાખા લઈએ. વૈભાષિક એ નામ સર્વાસ્તિવાદનું પછીથી પડેલ નામ છે, કારણકે તેનું નામ જણાવે છે તે પ્રમાણે તે બાહ્ય અને અંતરંગ – જગતનું અસ્તિત્વ સ્વીકારે છે એટલે બાધાર્થ અને જ્ઞાન બંનેનો સ્વીકાર કરે છે. આનો પ્રધાન ગ્રંથ કાત્યાયનીપુત્ર કૃત અભિધમેજ્ઞાનપ્રસ્થાનશાસ્ત્ર અથવા સાદી, રીતે જ્ઞાનપ્રસ્થાન-શાસ્ત્ર છે કે જે બુદ્ધના નિવાણથી 300 વર્ષે રચાયો છે. આ પછીનો ગ્રંથ અભિધર્મ-મહાવિભાષાશાસ્ત્ર અથવા સાદી રીતે વિભાષા છે કે જે કનિષ્કની પરિષદુમાં ઈ.સ. ૭૦ની આસપાસ રચાયો છે. આ વિભાપા નામના ગ્રંથ પરથી વૈભાષિક નામ પડયું છે. વિભાષા એટલે ટીકા, અને તે પરથી વૈપિક નામ એ રીતે પડ્યું કે તેઓ બુદ્ધના ઉપદેશનાં મૂળ સૂત્રો કરતાં તે પરની ટીકાઓ પર વધુ આધાર રાખતા હતા. સૌથી ઉચ્ચ વિદ્વત્તાવાળું તેઓનું પુસ્તક ઈ.સ.૪૮૯ આસપાસ સંઘ ભદ્ર રચેલ ન્યાયાનુસાર-શાસ્ત્ર યાને કોશકારકશાસ્ત્ર છે. સિંઘભદ્રના ગ્રંથો : (૧) “અભિધર્મ-ન્યાયાનુસાર.” બીજું નામ ‘કોશકારક' કારણ કે વસુબંધુના અભિધર્મકોશ માટે હિમવૃષ્ટિ છે. (૨) “અભિધર્મ સદીપિકા.' વૈભાષિક મતમાં વસુબંધુનો અભિધર્મકોશ ખૂબ મહત્ત્વનો છે. સંઘ મદ્ર વસુ બંધુના પ્રતિદ્વી હતા. કારણ કે તેમને લાગતું કે વસુબંધુએ ઘણા એવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું જે વિભાપાને તદ્દન પ્રતિકૂળ છે. સૌત્રાન્તિક એ નામ સૂત્રાન્ત (પાલિ. સુત્તન્ત) એટલે મૂળ સૂત્રાર્થ પરથી પડવું છે, કારણ કે તેઓ ટીકા કરતાં મૂળ સૂત્રાર્થ પર વધુ આધાર રાખતા હતા. આ મૂળ મૂત્રો તે પ્રાચીન આર્યસ્થવિરો (પાલી. થેરા)નાં કે જેમણે ઈ.સ.પૂ. ૫૪૩માં પ્રથમ પરિપ૬ નરી હતી, અને ઘણું કરી છે. સૂત્રો મહાસંધિકોનાં પણ ખરાં, કે જેઓ વિરોમાંથી પહેલા જુદા થયા (ઈ.સ.પૂ.૪૪૩). એવું કહેવાય છે કે આ શ્રેણીના સિદ્ધાંત કનિકના સમયમાં (ઈ.સ.૭૮) ધોત્તર યાને ઉત્તર-ધર્મ નામના સાધુએ કાશમીરમાં બદ્ધ કયો. પણ પ્રસિદ્ધ ચીન યાત્રાળુ હુએન-ત્સાંગ કે જે હિંદમાં ઈ. સ. ઉમા સૈકામાં આવ્યો હતો તે એમ જણાવે છે કે સૌત્રાન્તિકનો સ્થાપક તક્ષશિલા (પંજાબમાં Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આવેલ હાલનું તશિલા)નો પ્રસિદ્ધ અધ્યાપક નામે કુમારલબ્ધ છે અને તેણે અમૂલ્ય ગ્રંથો તે સંબંધે લખ્યા છે. તે નાગાર્જુન, આર્યદેવ ને અઘોપનો સમકાલીન હતો તેથી ઈ.સ.૩૦૦ની આસપાસ વિદ્યમાન હોવો જોઈએ. બીજો ઘણો પ્રતિષ્ઠિત અધ્યાપક નામે શ્રીલબ્ધ હતો કે જેણે સૌત્રાન્તિક દર્શન સંબંધે વિભાષા-શાસ્ત્ર રચેલ છે. માધ્યમિક એ નામ મધ્યમ પરથી પડેલ છે કારણ કે તેમાં બે અંતિમ માર્ગો દૂર કરી મધ્યમમાર્ગનું પ્રતિપાદન કરેલું છે. એ અંતિમ માર્ગો નામે જગતની પૂર્ણ સત્તા, કે પૂર્ણ અસત્તાનો વાદ છોડી મધ્યમમાર્ગ નામે જગત્ની કેવલ પ્રતીયમાન સત્તા તેઓ માને છે. આનો સ્થાપક નાગાર્જુન – આર્ય નાગાર્જુન છે. તેણે મહાકોશલના વિદર્ભ દેશમાં (હાલનું વરાડ) કોઈ બ્રાહ્મણકુલમાં સર્વાહ કે શતવાહ નામના પ્રવંશીય રાજાના સમયમાં જન્મ લીધો હતો; અને કૃષ્ણા નદી પર શ્રી પાર્વત નામના ગિરિની ગુફામાં ધ્યાનાવસ્થામાં ઘણો કાલ ગાળ્યો હતો. તે સરહનો શિષ્ય હતો અને એમ કહેવાય છે કે તેણે ભોજદેવ નામના સમર્થ રાજાને બૌદ્ધ બનાવ્યો હતો. તેનો પ્રધાન ગ્રંથ માધ્યમિક-કારિકા છે. તે સિવાય તેના ગ્રંથો યુક્તિપખિકા કારિકા, વિગ્રહ ૧. એમ કહેવાય છે કે નાગાર્જુન બુદ્ધના નિર્વાણ પછી 100 વર્ષે એટલે ઈ.સ.પૂ.૩૩માં હતો. પણ તે એટલા પ્રાચીન સમયમાં હોય તે વાસ્તવિક નથી લાગતું, કારણ કે તે નાલંદના વિશ્વવિદ્યાલયનો એક પ્રાચીન આશ્રયદાતા હતો, કે જે વિદ્યાલય ઈ.સ. પૂર્વે પ્રથમ શતાબ્દીમાં - કદાચિત્ વિદ્યમાન નહિ હતું, અને જે ઈ.સ. ૩૯૯માં ફાહિયાન નામનો ચીની જાત્રાળુ હિંદમાં આવ્યો ત્યારે માત્ર નામનું હતું. લામા તારાનાથ કહે છે કે નાગાર્જુન નેમિચંદ્ર રાજા કે જે ઈ. સ.૩00માં રાજ્ય કરતો ધારવામાં આવે છે તેનો સમકાલીન હતો. છેલ્લામાં છેલ્લો સમય ઈ.સ. ૪૦૧નો તેનો કહી શકાય કે જે વખતે તેનું ચરિત્ર કુમારજીવે ચીનની ભાષામાં અવતાર્યું. (ડૉ. સતીષચંદ્ર વિદ્યાભૂષણકૃત હિંદના ન્યાયનો મધ્યકાલીન ઇતિહાસ, પૃ. ૬ :) વળી તે જ વિદ્વાનું પોતાના બંગાલી લેખમાં એક સ્થળે જણાવે છે કે “માધ્યમિક દર્શન ચારમાં સૌથી અધિક પુરાણું છે. ઈ.સ. પૂર્વે ચોથી કે પાંચમી શતાબ્દીમાં લખવામાં આવેલા પ્રજ્ઞા પારમિતા નામના ગ્રંથમાં માધ્યમિક દર્શનનો મત ઘણી જ સારી રીતે લખવામાં આવ્યો છે. એ ઉપરથી જણાય છે કે માધ્યમિક દર્શનનો મત એ સમય પહેલાં ખૂબ પ્રચલિત હતો. ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીમાં નાગાર્જુન નામના બૌદ્ધ દાર્શનિક માધ્યમિક દર્શનની રચના કરી. ચંદ્રકૌતિએ તેના પર સાતમી કે આઠમી ઈ.સ. શતાબ્દીમાં વૃત્તિ લખી છે. તિબેટના ગ્રંથો પરથી રાય શરચંદ્ર જણાવે છે કે તે ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીમાં (કોઈ કોઈના મતમાં ઈ.સ. પૂર્વે પહેલી શતાબ્દીમાં અને કોઈ કોઈના મતમાં ઈ.સ. ની પહેલી શતાબ્દીમાં વિદર્ભમાં બ્રાહ્મણ કુલમાં) જન્મ્યો હતો. બાદ બૌદ્ધ ધર્મમાં દીક્ષા લઈ પ્રજ્ઞા પારમિતાની ટીકા આદિ હુસંખ્યક ગ્રંથ તેમણે બનાવ્યા. બોધિયાવતાર ગ્રંથના કત શાન્તિપ્રભ (શાંતિદેવ ?) લખે છે કે “દર્શનશાસ્ત્રનાં સૂત્રો સર્વે શીખવાં જોઈએ. આર્ય નાગાર્જુનનો બનાવેલો સુસમૂહ તો જરૂર મન લગાડીને શીખવો જોઈએ.” પ્રસિદ્ધ ચીની પરિવ્રાજક વેન સાંગે ભારતવર્ષના ભ્રમણ–વૃત્તાંતમાં લખ્યું છે કે “જે ચાર સૂર્યોના પ્રકાશથી જગતુ પ્રકાશિત થયું છે. તેમાં આવે - નાગાર્જુન પણ એક છે.” કાશમીરના ઇતિહાસ રાજતરંગિણી માં નાગાર્જુન નામના એક બદ્ધ નરેશનો ઉલ્લેખ છે. આ રાજાએ ઘાણા બાગ અને વિહારે બનાવ્યા હતા. આજે નાગાર્જુન અને આ રાજા એક જ વ્યક્તિ હતા કે કેમ તેનો નિર્ણય કરવો તે ઘણુંખ અસંભવ જેવું છે.” Page #304 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ દર્શન અને ઉક્ત ચાર સંપ્રદાયોના મતો ર૭પ વ્યાવર્તની કારિકા અને વિગ્રહવ્યાવર્તની વૃત્તિ છે. નાગાર્જુનના ગ્રંથ : માધ્યમિક કારિકા, યુક્તિષષ્ટિકા, પ્રમાણવિધ્વંસન, ઉપાય કૌશલ્ય, વિગ્રહવ્યાવર્તની, સુહૃલ્લેખ, અમુસ્તવ.] તેના શિષ્ય આર્યદેવ (ઈ.સ.૩૨૦ની આસપાસ ચંદ્રગુપ્તના વખતમાં) વિદ્વાન્ થયા. તેમણે પણ અસંખ્ય ગ્રંથો માધ્યમિક દર્શન પર લખ્યા છે : જેવા કે શતક-શાસ્ત્ર, બ્રહ્મ-મમથન- યુક્તિ-હેતુ-સિદ્ધિ વગેરે. [આર્યદેવના મુખ્ય ગ્રંથ : ચતુ શતક, ચિત્તવિશુદ્ધિપ્રકરણ, હસ્તબાલ પ્રકરણ.] યોગાચાર -- આ નામ યોગ એટલે ધ્યાનના આચાર પરથી પડ્યું છે, કારણકે બુદ્ધત્વની પૂર્ણતા મેળવવા સત્તર અવસ્થા – ભૂમિઓ પ્રાપ્ત કરવા માટે ધ્યાન પર ખાસ ભાર આમાં મુકાયેલ છે. તેનો મુખ્ય નવીન સિદ્ધાંત આલય-વિજ્ઞાન છે કે જે જ્ઞાનનું આલંબન છે - જેને આપણે અહંપ્રતીતિ કહીએ છીએ. તેનો સ્થાપક કોણ હતો તે હજુ જણાયું નથી, પણ તેનાં પુસ્તકો લંકાવતાર સૂત્ર, મહાસમયસૂત્ર, બોધિસત્વ-ચર્ચા-નિર્દેશ અને સપ્તદશભૂમિ–શાસ્ત્રયોગાચાર્ય પ્રાચીન તરીકે પ્રધાન જણાવેલ છે. બૌદ્ધ દર્શન અને ઉક્ત ચાર સંપ્રદાયોના મતો બૌદ્ધ દર્શન કપિલના સાંખ્યમત પરથી ચણાયો છે. બૌદ્ધ લોકો રૂ૫. વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર - આ પાંચ સ્કંધો સિવાય બીજા કોઈ પદાર્થને માનતા નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ વિષય અને આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને મન – એ છ ઇંદ્રિયો રૂપસ્કંધના અંતર્ગત છે. વિષયોની સાથે ઈદ્રિયોનો યથાસંભવ મેળ થવાથી વેદના-સ્કંધ (બુદ્ધિ)ની ઉત્પત્તિ થાય છે. તેનાથી અહં-જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તેનું નામ વિજ્ઞાન-સ્કંધ છે. અહ-જ્ઞાનની સાથે નામ, રૂપ આદિના જ્ઞાનસમૂહની જે ઉત્પત્તિ થાય છે તેને સંજ્ઞા-સ્કંધ કહે છે. અહંજ્ઞાન અને નામ, રૂપ આદિના જ્ઞાન-સમૂહથી સંસ્કાર-સ્કંધની ઉત્પત્તિ થાય છે. આ પાંચ પ્રકારના જ્ઞાનસમૂહનું નામ આત્મા છે. બૌદ્ધ કાર્ય-કારણનો ધિર્મ-ધર્મીનો] ભેદ માનતા નથી. માધ્યમિક સંપ્રદાયના બૌદ્ધો કોઈ પદાર્થનો સ્વભાવ માનતા નથી. પદાર્થસમૂહની કેવલ પ્રતીયમાન સત્તા (એકની સત્તાથી બીજાની સત્તા તેમજ એકના અભાવમાં બીજાનો અભાવ, જેમકે આંખ હોવાથી રૂપની સત્તા અને આંખના અભાવમાં રૂપનો અભાવ અથવા રૂ૫ના અભાવમાં આંખનો અભાવ) માને છે. પરમાર્થ દષ્ટિથી જડ કે ચૈતન્ય કંઈપણ માનતા નથી. તેમના મનમાં વિશ્વ શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં લય પામે છે. દશ્યમાન જગત્ માત્ર માયા છે. અવિદ્યાનો નાશ થવાથી જગતુ પાછું શૂન્યતામાં પરિણત થાય છે. યોગાવલમ્બનપૂર્વક આવા અસીમ, અનાદિ, અતિગંભીર, શાન્ત, મહા સામ્યના આશ્રયથી તથા વાણી અને મનથી અગોચર શૂન્યતાની ભાવના કરવી જોઈએ. એ પ્રમાણે ભાવના કરતાં કરતાં યોગી શૂન્યતામાં લીન થઈ જાય છે અને તેને નિર્વાણ પ્રાપ્ત થાય છે. પછી તેને સંસાર-તાપથી તપ્ત થવું પડતું નથી. યોગાચાર-સંપ્રદાયના બૌદ્ધ જ્ઞાન સિવાય બીજા કોઈ વિષયના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતમાં જ્ઞાન-સમૂહ ક્ષણિક છે; પૂર્વ-પૂર્વ મુહૂર્તનો જ્ઞાન-સમૂહ Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૫૨-૫૨ના મુહૂર્તમાં સંક્રાંત થઈને જે અવિચ્છિન્ન પ્રવાહ ઉત્પન્ન કરે છે તે ‘અહં’ અથવા આત્મા છે. સૌત્રાન્તિક જ્ઞાનનો સ્વીકાર કરે છે અને કહે છે કે જોકે આપણે બાહ્યાર્થ પ્રત્યક્ષ નથી કરતા, તો પણ જ્ઞાન દ્વારા તેના અસ્તિત્વનું અનુમાન કરી શકીએ છીએ. વૈભાષિક બાહ્યાર્થ અને જ્ઞાન એ બંનેનો સ્વીકાર કરે છે. સાંખ્ય-દર્શનની છાપ ઉપર જ બૌદ્ધદર્શનની રચના થઈ છે એ વાતનું પ્રમાણ ડગલેડગલે મળે છે. ૧ ૨૭૬ ષદર્શનમાં બૌદ્ધ દર્શનનું કાલદૃષ્ટિએ સ્થાન (યુરોપીય પંડિતોમાં) સામાન્ય રીતે એવું મનાય છે કે, વેદોનો ઉપનિષત્કાલ દર્શનોની ઉત્પત્તિનો આદિમ કાલ છે. પછી ૬ દર્શનો નામે સાંખ્ય, ન્યાય, વૈશેષિક, મીમાંસા, પાતંજલ, અને વેદાંત થયાં. આ છનો કાનિર્ણય કરવો દુર્ઘટ છે. કોઈ સાંખ્યના સ્થાપક મહર્ષિ કપિલને તો કોઈ વૈશેષિકને સૌથી પ્રાચીન મૂકે છે. પણ વિચાર કરવાથી માલૂમ પડે કે વૈશેષિક અને બૌદ્ધ દર્શન ન્યાયદર્શનની પછી બન્યાં છે. પરમાણુવાદના સ્રષ્ટા મહર્ષિ ગૌતમ (ન્યાયદર્શનના પ્રણેતા)ને ગણી શકાય. જડ પદાર્થો પણ પરમાણુથી બનેલા છે એ વાત સૌથી પહેલાં ગૌતમે જ જાણી હતી. મહર્ષિ કણાદે પરમાણુવાદને સંપૂર્ણ રૂપમાં ગ્રહણ કર્યો. પણ તેમના મતનું વિશેષત્વ એ છે કે પરમાણુઓમાં પરસ્પર ભેદ દેખાડવા માટે પરમાણુનિષ્ઠ એક એક પદાર્થનો તેઓ અલગ અલગ સ્વીકાર કરે છે. આ વિશેષતાને લીધે તેમના દર્શનનું નામ વૈશેષિક પડ્યું. તે સિવાય કણાદે ગૌતમના બતાવેલા પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ એ ચાર પ્રમાણોને અનાવશ્યક માન્યાં છે. ઉપમાન અને શાબ્દ એ પ્રમાણોને તો વ્યર્થ સમજી તેમણે છોડી દીધાં છે. એમ જણાય છે કે બૌદ્ધોનો ક્ષણ-વિજ્ઞાનવાદ ગૌતમના ક્ષણ-વિજ્ઞાનવાદનું માત્ર અનુકરણ છે. આ વિધાન બરાબર નથી લાગતું. જ્ઞાનની ક્ષણિકતાનો સ્વીકાર સૌ દાનિકો કરે છે. તેમાં અનુકરણનો પ્રશ્ન નથી.] મહર્ષિ ગૌતમનું કથન છે કે જડ પદાર્થ-સમૂહ અતિ-અલ્પ-સ્થાનવ્યાપી છે. યોગાચાર સમ્પ્રદાયના બૌદ્ધોનું કથન છે કે જ્ઞાન-સમૂહ અતિ-અલ્પ-ક્ષણ-સ્થાયી છે. ઘણાનો એવો ખ્યાલ છે કે જૈમિનિ (મીમાંસાદર્શનના સ્થાપક) શાક્યમુનિ પછી ઉત્પન્ન થયા છે. તેઓ કહે છે કે તેઓ પોતાને બૌદ્ધ જણાવી બૌદ્ધ ગુરુ પાસે ભણતા હતા અને એક વાર તેમની પાસેથી નિરીશ્વરવાદ સાંભળ્યો. જૈમિનિ રડી પડ્યા એટલે તે બૌદ્ધ નથી એમ કળાઈ ગયું, એથી તેમને કાઢી મૂક્યા. ત્યારે તેમણે મીમાંસાદર્શનની રચના કરી, પણ બૌદ્ધનું નિરીશ્વરવાદ સંબંધી મળેલ શિક્ષણ મનમાંથી ન ખસ્યું તેથી ઈશ્વરના અસ્તિત્વનો તેમણે સ્વીકાર ન કર્યો. તેમણે પોતાના દર્શનમાં યજ્ઞસંબંધીના પરસ્પર વિરોધવાળી શ્રુતિઓની મીમાંસા કરી છે. મહાભાષ્યકાર પતંજલિ ઈ.સ.પૂર્વે બીજી શતાબ્દીમાં વિદ્યમાન હતા એમ યુરોપના પંડિતોનો મત છે. તેમણે સાંખ્યદર્શનનું જ અનુસરણ કર્યું છે. વિશેષતા એટલી જ છે કે કપિલ ઈશ્વરને માનતા નથી, કિંતુ પતંજલિ ઈશ્વરને માને છે અને જીવાત્મા કેવે પ્રકારે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે તે પોતાના ૧. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણનો ‘આર્યદર્શનોનો સંક્ષિપ્ત ઇતિાસ' નામક લેખ. (વસન્ત ૧૩-૧૦ પૃ. ૬૨૩) d Page #306 -------------------------------------------------------------------------- ________________ જુદાજુદા ગ્રંથકારો ૨૭૭ દર્શનમાં દર્શાવે છે. આમ વિચારણા ચાલી, પરંતુ આટલું તો ચોક્કસ રીતે જોઈ શકાય તેમ છે કે બ્રહ્મસૂત્ર અથવા વેદાન્ત દર્શનનાં મૂળ સૂત્રોમાં યોગદર્શન, ક્ષણિકવાદ, શૂન્યવાદ આદિ મતોનો ઉલ્લેખ છે એટલે વેદાંત પહેલાંનું બૌદ્ધ દર્શન છે. તે વેદાંતદર્શનમાંથી પછી શંકરાચાર્ય, રામાનુજ, વલ્લભાચાર્ય અને મધ્વાચાર્ય એ દાર્શનિકોએ પોતપોતાના અભિપ્રાય અનુસાર અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈતવાદ અને વૈતવાદ મત અનુક્રમે રચ્યા છે. આ પૈકી ફક્ત શંકરના અદ્વૈતવાદ સાથે બૌદ્ધના માધ્યમિક દર્શનનું પરસ્પર ઘણું સાદડ્યું છે. માધ્યમિકો જેવી રીતે પારમાર્થિક અને સાંકૃતિક એમ બે અવસ્થાઓ માને છે તેવી જ રીતે શંકરાચાર્ય પણ પારમાર્થિક અને વ્યાવહારિક એમ બે અવસ્થાઓ સ્વકારે છે. માધ્યમિકોના મતમાં મુક્તાવસ્થામાં જીવાત્મા અને જગત્ શૂન્યતામાં પરિણત થઈ જાય છે, જ્યારે શંકરના મતમાં જીવાત્મા અને જગતુ બ્રહ્મમાં લીન થઈ જાય છે. શંકરાચાર્ય જેને નિર્ગુણ અને નિષ્ક્રિય બ્રહ્મ કહે છે તેને બૌદ્ધ શૂન્ય કહે છે. બંને અનુસાર મુક્તાવસ્થામાં અવિદ્યાનો ધ્વંસ થઈ જાય છે. વેદાંતમાં હું બ્રહ્મ છું' એમ જ્ઞાન થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, જ્યારે માધ્યમિક કહે છે કે હું શૂન્યતા માત્ર છું” – એ જ્ઞાન દ્વારા નિર્વાણ પ્રાપ્ત થાય છે. સર્વદર્શનસંગ્રહના પ્રણેતા માધવાચાર્યે પ્રસંગાનુસાર પદ્મપુરાણનો શ્લોક ઉદ્ધત કરેલ છે તેમાં લખ્યું છે કે માયાવાદ (શંકરનો) તે પ્રચ્છન્નબૌદ્ધ મત છે. કોઈ કહે છે કે આ વેદાંત પર કટાક્ષવચન છે, જ્યારે વિજ્ઞાનભિક્ષુના મતમાં – પ્રાચીનવેદાંતમાં માયાની બિલકુલ ગન્ધ પણ નથી. તેથી તે પ્રવચનભાધ્યમાં ત્યાં સુધી લખે છે કે અત્યારે જેઓ પોતાને વેદાન્તી હોવાનું અભિમાન કરે છે તેમનો મત ઉલ્લેખયોગ્ય પણ નથી જુદાજુદા ગ્રંથકારો મૈત્રેય (ઈ.સ. ૪૦૦ની આસપાસ) – તેણે મહાસમય-સૂત્ર, બોધિસત્ત્વચયનિર્દેશ અને મતદશભૂમિશાસ્ત્ર યોગાચાર એ ત્રણ ગ્રંથો રચ્યા છે. આર્યઅસંગ (ઈ.સ. ૪પ૦ આસપાસ) – તેણે ગંધાર (હાલનું પેશાવર)માં જન્મ લીધો હતો. પ્રથમ મહાશાસક શાખાનો અનુયાયી હતો અને હીનયાનના વૈભાષિક દર્શનને માનતો. પછી મહાયાનનું યોગાચાર દર્શન સ્વીકાર્યું. તેણે બાર ગ્રંથો રચ્યા છે. નાલંદના વિશ્વવિદ્યાલયમાં ઘણાં વર્ષ તેણે ગાળ્યાનું કહેવાય છે. વસુબંધુ (ઈ.સ.૪૮૦ આસપાસ) – તેનો પણ જન્મ ગંધારમાં થયો હતો કે જ્યાં તેનું સ્મરણચિહ્ન હતું એવો ઉલ્લેખ હેન-સાંગે કરેલ છે. તેના પિતાનું નામ કૌશિક હતું. પહેલાં સર્વાસ્તિવાદનું વૈભાષિક દર્શન અવલંખ્યા પછી તેના જ્યેષ્ઠ બંધુ અસંગે મહાયાનના યોગાચાર દર્શનમાં દીક્ષા આપી. તેણે શકલ, કૌશામ્બી, અને અયોધ્યામાં ઘણાં વર્ષ વિહાર કરી અયોધ્યામાં સ્વર્ગવાસ કર્યો. તેનું ચરિત્ર સંસ્કૃતમાંથી ચીની ૧. માયાવાદમીસ્ત્ર પ્રચ્છન્ન વીવિતતું ! मयैव कथितं देवि कलौ ब्राह्मणरूपिणा ।। ૨. ડૉ. ન તીરચંદ્ર વિદ્યાભૂષણનો ‘આર્યદર્શનોનો સંક્ષિપ્ત ઇતિહાસ’ નામક લેખ. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ભાષામાં ઈ.સ. પ૫૭-૫૬૯માં અવતરિત થયું છે. તેણે બહુસંખ્યક કિંમતી ગ્રંથો રચ્યા અને તેનો તર્કશાસ્ત્ર નામનો ગ્રંથ બૌદ્ધ સાહિત્યમાં ન્યાય પરનો શ્રેણીબદ્ધ ગ્રંથ કહેવાય આચાર્ય દિગ્ગાગ – (ઈ.સ.૫૦૦ની આસપાસ) આંધ્ર (હાલનું મદ્રાસ ઇલાકાનું તેલિંગન) દેશમાં કાંચી નગર પાસે સિંહવત્રમાં જન્મ્યા હતા. તે વસુબંધુના શિષ્ય થયા અને પછી નાલંદના વિદ્યાલયમાં બ્રાહ્મણ સુદર્જયને અને બીજા વાદીને વાદમાં હરાવી બૌદ્ધ કર્યા. આથી ‘તર્કડુંગવ'નું બિરુદ મેળવ્યું. ઓરિસામાં રાજાના કોશાધ્યક્ષ ભદ્રપાલિતને બૌદ્ધ ધર્મમાં લાવ્યા. વિશાલ વિદ્વાનું અને પ્રજ્ઞાવાનું તે હતા. પલ્લવ વંશના બૌદ્ધ રાજા (કે જે આંધ્રના નાશ પછી – ૪૩૬ સન પછી સત્તાધીશ થયા અને પછી જેને તેના વેગીના રાજ્યમાંથી પૂર્વના ચાલુક્યવંશીય કુન્જ વિષ્ણુવર્ધને હાંકી કાઢયા. ઈ.સ. ૫૫૨-૫૮૦માં પલ્લવરાજાની રાજધાની કાંચી પશ્ચિમના ચાલુક્યવંશીય રાજા વિક્રમાદિત્ય પહેલાએ લઈ લીધું)ના વખતમાં દિગ્ગાગ થયા. તે પરથી જણાય છે કે તે પ૦૦ સનની આસપાસ હતા. કવિ કાલિદાસ પોતાના કાવ્યને દિગ્ગાગના સ્થૂલહસ્તથી દૂર રાખવાનું કહે છે (મેઘદૂત ગ્લો. ૧૪) તેમજ બીજા ગ્રંથકારો – વેદાંતી અને જેનો તેની સામે થયા છે. તેમના ગ્રંથો પ્રતિભાથી પૂર્ણ છે. નામે પ્રમાણસમય, ન્યાયપ્રવેશ, હેતુચક્ર હર્મરૂ; તે સિવાય તેમણે પ્રમાણસમુચ્ચય વૃત્તિ, પ્રમાણશાસ્ત્રપ્રવેશ, આલંબનપરીક્ષા અને તેની વૃત્તિ, ત્રિકાલ-પરીક્ષા વગેરે ગ્રંથો રચ્યા છે. ધર્મપાલ (ઈ.સ. ૬૦૦–૬૩૫ આસપાસ) – તે નૈયાયિક દ્રાવિડ દેશના કાંચીપુર (મદ્રાસમાં હાલનું કાંજીવરમ)નો રહેવાશી અને મંત્રીપુત્ર હતો. તેની યુવાનવયે રાજા અને રાણીએ પોતાને ત્યાં નોતર્યો હતો. ત્યાં દુઃખ અને શોકથી પીડાતાં એકદમ ભિક્ષુનાં વસ્ત્ર પહેરી ચાલી નીકળ્યો. જન્મથી જ તેનામાં બુદ્ધિચાપલ્ય હતું. નાલંદાના વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ પામી મહાનું પદ મેળવ્યું. તેણે ભતૃહરિ સાથે પાણિનિના વ્યાકરણ પર ભેદાવૃત્તિ લખી છે. તે યોગાચાર દર્શનને માનતો. તેના ગ્રંથો આલંબન-પ્રત્યય-ધ્યાનશાસ્ત્ર વ્યાખ્યા, વિજ્ઞપ્તિમાત્રતા સિદ્ધિશાસ્ત્ર વ્યાખ્યા ને શતશાસ્ત્ર વૈપુલ્ય વ્યાખ્યા છે. આચાર્ય શીલભદ્ર (સન ૬૩૫ આસપાસ) - તે સમતટ (બંગાલ)ના રાજાના વંશનો અને બ્રાહ્મણકુલનો હતો. ધર્મપાલનો શિષ્ય અને નાલંદાના વિશ્વવિદ્યાલયમાં પછી મુખી થયો હતો. તે ન્યાય અને શાસ્ત્રમાં નિપુણ હતો. આચાર્ય ધર્મકીતિ (સન ૬૩૫ – ૬૫૦ આસપાસ) – ચુડામણિ દેશમાં (ઘણું કરી ચોડ કે ચોલ દેશ કે જે પૂર્વ દક્ષિણ પ્રાંતમાં આવેલ છે), બીજાના કહેવા પ્રમાણે ત્રિમય દેશમાં (બંને એક જ દેશ લાગે છે) બ્રાહ્મણકુળમાં જન્મ પામી ૧૬ વર્ષની ઉંમરે તો સર્વ દર્શનોના તત્ત્વજ્ઞાનમાં નિષ્ણાત થયો હતો, પરંતુ બૌદ્ધોના સહવાસથી તેના ધર્મ પર વળતાં બૌદ્ધ ઉપાસકનો વેશ લીધો અને બ્રાહ્મણોએ જાતિ બહાર કર્યો. ત્યાંથી મધ્યદેશ (મગધ)માં આવતાં આચાર્ય ધર્મપાલે સંઘમાં લીધો અને અને તિપિટકનો અભ્યાસ પૂર્ણ રીતે કર્યો. પ00 સૂત્રો અને ધારણીઓ મુખપાઠ કર્યો. અન્ય દર્શનોનો અભ્યાસ કરવા ગુલામનો વેશ લઈ કુમારિલ નામના તીર્થિકને ત્યાં જઈ તેના Page #308 -------------------------------------------------------------------------- ________________ જુદાજુદા ગ્રંથકારો ૨૭૯ રાજ્યપ્રાપ્ત ખેતરમાં ગુલામ તરીકે કાર્ય કરી સંતોષ આપી તેની પાસેથી તેના દર્શનનું પૂર્ણ જ્ઞાન મેળવી કણાદના દર્શનના અનુયાયી નામે કણાદગુપ્ત ને બીજાની સાથે વાદમાં ઊતર્યો. ત્રણ માસ વાદ ચાલતાં ઘણાને બૌદ્ધ કર્યા. કુમારિલ તેથી ૫૦૦ બ્રાહ્મણને લઈ વાદ કરવા આવ્યો. તેણે શરત કરી કે જે હાર પામે તેને મારી નાંખવો. ધર્મકીર્તિ કુમારિકનું મરણ ઇચ્છતો ન હોવાથી એવી શરત કરી કે જે હારે તે પોતાનો ધર્મ મૂકી બીજાનો સ્વીકારે. આખરે તેમ થયા પછી કુમારિલ ને ૫૦૦ બ્રાહ્મણો શરત પ્રમાણે હારતાં બૌદ્ધ થયા. ત્યારપછી નિગ્રંથો (જૈન) રાહુવર્તી અને બીજા કે જે વિંધ્યપર્વત પાસેના દેશમાં વસતા હતા (દિગંબરીય) તેની સાથે વાદ કર્યો, પછી કવલિ (દ્રાવિડ ?)માં આવી ઘણા તીર્થિકો સાથે વાદ કરી જુદાંજુદાં પોતાના ધર્મનાં દર્શનોને પૂનઃસ્થાપિત કરી ઉદ્ધાર કર્યો. આ બ્રાહ્મણ તૈયાયિક ઉદ્યોતકર પર આક્ષેપ કરેલ છે. જ્યારે ધર્મકીર્તિની પ્રત્યક્ષ પ્રમાણ વ્યાખ્યા પર બૃહદારણ્ય-વાર્તિકના કર્તા મીમાંસક સુરેશ્વરાચાર્ય તથા અષ્ટ-સહસ્ત્રિકાના કર્તા દિગંબર જૈનાચાર્ય વિદ્યાનંદે ટીકા કરી છે. વાચસ્પતિ-મિશ્ર પણ તેનો આધાર ટાંકે છે. તેણે દિગ્ગાગે રચેલા બૌદ્ધ ન્યાય પર ઘણો સુધારોવધારો કર્યો છે. તેના ગ્રંથોમાં પ્રમાણ વાર્તિકકારિકા, પ્રમાણવાર્તિકવૃત્તિ, પ્રમાણવિનિશ્ચય, હેતુબિંદુ, હેતુબિંદુવિવરણ, તર્કન્યાય અથવા વાદન્યાય, સંતાનાંતર-સિદ્ધિ, સંબંધ-પરીક્ષા, અને તે પર વૃત્તિ છે. | વિનીતદેવ (સન ૭૦૦ આસપાસ) – ગોવિચંદ્રના પુત્ર લલિતચંદ્ર રાજાના સમયમાં તે નાલંદામાં રહેતા હતા અને ધર્મકીતિ ગોવિચંદ્રના સમયમાં મરણ પામ્યા. ગોવિચંદ્રના પિતા વિમલચંદ્ર માલવનરેશ ભર્તૃહરિની બહેન સાથે પરણ્યા હતા. આ ભર્તૃહરિ ને તે જ નામના વૈયાકરણી કે જે સન ૬૫૧ – ૬૫રમાં મરણ પામ્યા તે એક જ છે એમ ધારીએ તો પછી તેના સમકાલીન ગોવિચંદ્રને ઈ.સ. ૭માં શતકમાં મૂકી શકીએ, અને તેથી એવા નિર્ણય પર આવી શકીએ કે ગોવિચદ્રના પુત્ર લલિતચંદ્ર પણ આ વખતે વિદ્યમાન હતા કે જે સમ્ય ધર્મકીર્તિના સમય સાથે સંગત થાય છે. તે ધર્મકીર્તિના ગ્રંથો પર વિનીતદેવે ટીકા રચી છે. વળી મહાનું ચંદ્રગોમિનું (સને ૭૦૦ આસપાસ) – પૂર્વમાં ક્ષત્રિયકુલે વારેન્દ્ર (બંગાલમાં હાલનું રાજશાહી)માં તેનો જન્મ થયેલ છે. તે સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, સંગીત, લલિત કલા અને વૈધકમાં અતિ નિપૂણ હતો. આચાર્ય સ્થિરમતિ પાસે સૂત્ર અને અભિધર્મ પિટકો શીખી વિદ્યાધર આચાર્ય અશોકથી બૌદ્ધ ધર્મમાં આવ્યો. તેને બુદ્ધદેવતા અવલોકિતેશ્વર અને તારા નામની દેવી પર અચલ શ્રદ્ધા હતી. વાલેંદ્રના રાજાએ તેને પોતાની દીકરી પરણાવ નું માગું કર્યું, પરંતુ તેનું નામ તારા હોવાથી પોતાની દેવી તારાનું અપમાન થાય એમ ધારી પરણવાની ના પાડી. આથી રાજા કુદ્ધ થયો અને તેને એક પેટીમાં પૂરી ગંગા નદીમાં નાંખી દીધો. પેટી તરતીતરતી સમુદ્રમાં ગંગા મળે છે ત્યાં એક બેટ પાસે અટકી ગઈ, ત્યાં ચંદ્રગોમિને તારા દેવીને પ્રાર્થના કરવાથી તે પેટીમાંથી બહાર નીકળી શક્યો. તે ભેટમાં પછી તે રહ્યો અને તે પરથી તે બેટનું નામ ચંદ્રદ્વીપ પડ્યું. ત્યાં બૌદ્ધ ઉપાસક તરીકે અવલોકિતેશ્વર અને તારા દેવીની મૂર્તિઓ સ્થાપના કરી. ધીમેધીમે તે બેટ એક શહેર જેવો થયો. ત્યાંથી લંકા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જઈ દક્ષિણ હિંદમાં આવતાં વરરચિના ઘરમાં નાગસેન (પતંજલિ)કત પાણિનિ વ્યાકરણ પર ભાષ્ય જોયું. તે બરાબર ન લાગતાં પોતે ચંદ્ર વ્યાકરણ નામની ટીકા પાણિનિ પર કરી. ચાન્દ્ર વ્યાકરણ સ્વતંત્ર છે. જેન હેમચંદ્રાચાર્ય (સ.૧૦૮૮-૧૧૭૨) આનું નામ પોતાના ગ્રંથમાં ટાંકે છે જ્યારે કાશિકા–વૃત્તિનો કર્તા જયાદિત્ય (૬૬૧-૬૬૨ ઈ.સ.) તેનું નામ જણાવતો નથી, તેથી જયાદિત્ય પછી ને હેમચંદ્ર પહેલા આ વિદ્યમાન હતા. આ વખતે શ્રી હર્ષનો પુત્ર શીલ રાજા રાજ્ય કરતો હતો અને વરેંદ્રમાં લિચ્છવી જાતિનો સિંહ રાજા રાજ્ય કરતો હતો. શ્રી હર્ષને નામે પ્રસિદ્ધ શ્રી હર્ષવર્ધન હોવો જોઈએ (૬૪૭ ઈ.સ). આથી આનો સમય ઈ.સ. ૭00 લગભગ ગણી શકાય. તેણે ચંદ્ર વ્યાકરણ સિવાય ન્યાયાલોક સિદ્ધિ નામનો ન્યાય પર ગ્રંથ રચેલ છે. રવિગુપ્ત (૭૨૫ સન આસપાસ) – કાશ્મીરમાં તેનો જન્મ થયો હતો. તે મહાનું કવિ, દાર્શનિક અને તાંત્રિક હતો અને કાશ્મીર તેમજ મગધમાં ૧૨ મહાનું ધાર્મિક વિદ્યાલયો સ્થાપ્યાં હતાં. વારેંદ્રના ભર્ષ રાજાનો સમકાલીન હતો. તેનો પ્રસિદ્ધ તાંત્રિક ભિક્ષુ સર્વજ્ઞમિત્ર શિષ્ય હતો. તેણે ન્યાયનો ગ્રંથ નામે પ્રમાણવાર્તિક વૃત્તિ રચેલ છે. શાન્તરક્ષિત (ઇ.સ.૭૪૯) – તે સ્વતંત્ર માધ્યમિક દર્શનનો અનુયાયી અને નાલંદના વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક હતો. તેની સહાયથી તિબેટમાં રાજાએ સન ૭૪૯માં મગધના દેતપુર વિહાર જેવો સંયેનો વિહાર બંધાવ્યો હતો. ૧૩ વર્ષ તિબેટમાં ગાળ્યાં, અને ત્યાં આચાર્ય બોધિસત્ત્વ એ નામથી વધુ પરિચિત થયો. તેણે ન્યાયના વાદન્યાયવૃત્તિ વિરચિતાર્થ અને તત્ત્વસંગ્રહકારિકા ગ્રંથ લખેલ છે. કમલશીલ (ઈ.સ.૭૫૦ આસપાસ) – શાન્તરક્ષિતનો અનુયાયી હતો અને નાલંદામાં તંત્રોનો અભ્યાસ કરાવતો. તિબેટમાં મહાયાન હોસિંગ નામના ચિનાઈ સાધુને વાદમાં હરાવ્યો હતો. તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. ન્યાયબિંદુ પૂર્વ પક્ષે સંક્ષિપ્ત અને તત્ત્વસંગ્રહપંજિકા એ ગ્રંથ રચ્યા હતા. કલ્યાણરક્ષિત (૮૨૯ સન આસપાસ) – એ મહાનું વાદી અને ધર્મોત્તરાચાર્યના ગુરુ હતા. તેણે ઘણા ગ્રંથો રચ્યા છે. - ધર્મોત્તરાચાર્ય (ઈ.સ.૮૪૭ આસપાસ) – કલ્યાણરક્ષિત અને કાશ્મીરના ધમકર દત્તના શિષ્ય હતા. ૮૪૭ સનમાં રાજ્ય કરતા વનપાલ રાજાના સમયમાં તે કાશમીરમાં થયા. તેમને ધર્મોત્તર -- ટિપ્પનકના કર્તા મલ્લિણ (૯૬૨ ઈ.સ.), અને સ્વાદુવાદ રત્નાવતારિકાના કર્તા રત્નપ્રભસૂરિ નામના પ્રસિદ્ધ જૈન તૈયાયિકે પોતાના ગ્રંથમાં ટાંકેલ છે. તેમણે અનેક ગ્રંથ રચેલ છે. મુક્તકુંભ (૮૪૭ સન પછી), અર્ચત (૮૪૭ સન પછી), દાનશીલ (૮૯૯ સન આસપાસ), જિનમિત્ર (૮૯૯ આસપાસ), પ્રજ્ઞાકરગુપ્ત (૯૪૦ આસપાસ), આચાર્ય જેતારિ (૯૪૦-૯૮૦ સન), જિન (૯૮૩ ઈ.સ. આસપાસ), જ્ઞાનશ્રી (૯૮૩ ઈ.સ. આસપાસ), રત્નવજ (૯૮૩ ઈ.સ. આસપાસ), રત્નાકર શાંતિ (૯૮૩ આસપાસ), વાક્યજ (૯૮૩ આસપાસ), મારિ ( ૧૫) ઈ.સ. આસપાસ), અને શંકરાનંદ (૧૦૫૦ ઈ.સ. આસપાસ) – એમ ઉત્તરોત્તર ઘણા બૌદ્ધ નૈયાયિકો અને વિદ્વાનો થયા ૧. જુઓ 1. રાતીશચંદ્ર વિદ્યાભૂષણકૃત History of the Medieval school of Indian logic. Page #310 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ : ગૌતમ બુદ્ધ જન્મ : બાલ્યકાળ : યુવાવસ્થા (ગૃહસ્થાશ્રમ) કોઈપણ પુરુષે દાખલ કરેલી રીતિનીતિ જે પ્રમાણમાં ચિરસ્થાયી વા વ્યાપક રહે તે પ્રમાણમાં તે પુરુષના મહત્ત્વનું તારતમ્ય ઠરતું હોય તો ગૌતમ બુદ્ધ જેવો મહાનું પુરુષ આ દેશના ઐતિહાસિક કાલમાં થયો જ નથી એમ કહીએ તો ચાલે. જેણે પોતાના શત્રુપક્ષ – બ્રાહ્મણો તરફથી પણ ઈશ્વરાવતાર તરીકે માન મેળવ્યું, જેણે પ્રારંભેલો ધર્મ એક કાળે આખા જગતમાં ફેલાશે કે શું એવી શંકા ઉત્પન્ન થવા લાગી, અને જે ધર્મ સાંપ્રતકાળે પણ આ દુનિયાની માનવજાતિના મોટામાં મોટા ભાગને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વંદ્ય થઈ રહેલો છે, તે પુરુષની સાથે સમાનતા ધરાવનાર એક પણ નામ આ દેશના ઇતિહાસમાં જોવામાં આવતું નથી એમાં કાંઈ નવાઈ નથી. આવા આ અલૌકિક પુરુષના ચરિત્ર કે શિક્ષણનો જેટલો ભાગ ઐતિહાસિક દષ્ટિથી નિર્વિવાદ મનાય છે તેટલો જ અહીં આપીશું. બુદ્ધ એટલે જેણે બોધિ – ઉચ્ચતમ અધિકાર – શિક્ષા અને પ્રજ્ઞાની પૂર્ણતા સુધી ગયેલ પાયરી મેળવેલ છે તે. પરંતુ બૌદ્ધધર્મી લોક જેને માટે આ સન્માનબોધક શબ્દ વાપરે છે તે પુરુષનો જન્મ શક્ય નામના એક ઉચ્ચ ક્ષત્રિય કુલમાં ઈ.સ.પૂર્વે છઠ્ઠા શતકના મધ્યમાં કપિલવસ્તુ (હાલમાં તેનું નામ પદીરા છે કે જે ગોરખપુર જિલ્લાની ઉત્તરે છે)માં લંબિની નામના વનમાં થયો હતો. આ જન્મસ્થાનના સ્મરણાર્થે મહારાજ અશોકે ઈ.સ. પૂર્વે ૩૨૯માં ‘હિ માવં નાતેતિ” અહીં ભગવાનનો જન્મ થયો હતો એવા લેખયુક્ત સ્તંભ ઊભો કર્યો. શાક્ય કુળમાં જન્મવાથી તેમને શાક્યમુનિ પણ કહેવામાં આવે છે, અને ગૌતમ એ ગોત્રનામ છે કે જેનાથી તે બૌદ્ધ ધર્મગ્રંથોમાં પ્રસિદ્ધ છે. ઈ.સ.પૂ. ૬૦૦ના સુમારે તે શાક્ય નામના ક્ષત્રીઓનું કપિલવસ્તુમાં એક ૧. શૉપનહૉર નામનો પાશ્ચાત્ય ફિલસૂફ પણ પોતાના મુખ્ય ગ્રંથ નામે The world as will and idea”માં જણાવે છે કે “If I were to take the result of my philosophy as the standard of truth, I would be obliged to concede to Buddhism the pre-eminence over the East. In any case it must be a satisfaction to me to see my teaching in such close agreement with a religion which the majority of mankind upon the earth hold as their own." ૨. ઐતિહાસિક દષ્ટિથી એટલા માટે કે હિંદમાં ઇતિહાસ કથારૂપે રહેલ છે તેમાં કલ્પનાનું અને તેને લીધે ચમત્કારિક અને અલૌકિક વાતોનું મિશ્રણ ચરિત્રનાયક પ્રત્યેના અતિભક્તિભાવને લઈને તેમ જ ચરિત્ર આલેખનારમાં રહેલ કવિત્વથી લગભગ પચાસ ટકા જેટલું હોય છે. તેથી પ્રથમ દર્શને તેના સત્યાસત્ય માટે સહજ શંકા ઊઠે છે. આથી પ્રબલ ઐતિહાસિક પુરાવા વગર અમુક પૂર્વકાલીન મહાવ્યક્તિ જણાવ્યા પ્રમાણે વસ્તુતઃ વિદ્યમાન ન હતી, પણ માત્ર મનોહર કાલ્પનિક ચિત્ર છે એમ કોઈ કહે તો તેને ખોટો ઠરાવી શકાય નહિ ! બુદ્ધના સંબંધમાં અબાધિત પ્રમાણ છે કે તે ઐતિહાસિક પુરુષ છે, તેથી તેના ચમત્કાર વગેરે બાદ કરી સંશય ટાળવાનો અહીં પ્રયત્ન છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નાનું મહાજનસત્તાક રાજ્ય હતું. ગૌતમના પિતા શુદ્ધોદન અને તેની માતા માયાદેવી કે જેના પિતાનું નામ સપ્રબુદ્ધ હતું તે પણ શાક્યકુલનાં હતાં. માયાદેવીની બહેન નામે મહાપ્રજાપતિ (ગૌતમી) પણ શુદ્ધોદનની બીજી સ્ત્રી હતી. માયાદેવી પ્રસૂતિ માટે પિયર જતાં રસ્તામાં જ લંબિનિ વનમાં પ્રસ્ત થઈ પુત્રનો જન્મ આપ્યો. તે જ બુદ્ધ. તેનું મૂળ નામ સિદ્ધાર્થ પાડ્યું હતું એમ કહેવામાં આવે છે. પરંતુ તિપિટકમાં તે નામ ક્યાંય પણ જણાતું નથી.) આ બોધિસત્વ –- ભાવી બુદ્ધ હતા. તેના જન્મસમયે થયેલા કહેવાતા ચમત્કારોને તિપિટકમાંથી આધાર મળતો નથી. બોધિસત્વ જમ્યા પછી તેની માતાની સાથે તેને શુદ્ધોદન રાજા પોતાના મહેલમાં લઈ ગયો. અસિત નામના ઋષિએ આવી એવું ભવિષ્યકથન કહ્યું કે “આ કુમાર જંગનો ઉદ્ધારક થશે.” (જુઓ સુત્તનિપાત્ત ગ્રંથ). માયાદેવી પ્રસૂતિ થયા પછી સાતમે દિવસે સ્વર્ગસ્થ થઈ (જુઓ વિનયપિટકનો ચુલ્લવગ્ન નામનો ગ્રંથ). આ પરથી આધ્યાત્મિક દષ્ટિએ એમ કહેવામાં આવે છે કે જ્યાં બોધિ – જ્ઞાન – પ્રકાશનો આવિષ્કાર થાય ત્યાં માયા – અંધકાર રહે જ નહિ. આથી આ કુમારના પાલનપોષણનું કામ તેની બહેન નામે ‘મહાપ્રજાપતિ’ કે જે તેની શોક થતી હતી તેના પર પડ્યું અને તેણીએ આ કામ ભારે ઉલ્લાસ અને પ્રેમથી સ્વીકાર્યું. બોધિસત્વે ગૃહત્યાગ કર્યો તે પહેલાંની વાત બુદ્ધચરિત આદિ ગ્રંથમાં ચમત્કારિક રીતે વર્ણવી છે. શુદ્ધોદન રાજા પોતાના પુત્ર સંબંધે જોષીએ કથેલા ભવિષ્યથી તેમજ તેના પર પોતાનો વાત્સલ્યભાવ અપૂર્વ હોવાથી તેના પર પુષ્કળ કાળજી અને દેખરેખ રાખવા લાગ્યા. દરેક જાતનાં ભોગ અને ઉપભોગનાં સાધનો તેના માટે ખાસ ત્રણ મહેલ બંધાવી રાખ્યાં, તે ઉપરાંત દાસ-દાસીઓ અનેક રાખી તેને કોઈપણ જાતનાં શોક, ગ્લાનિ કે દુઃખ પેદા ન થાય એવી સમગ્ર સામગ્રી પૂરી પાડી અને ચીવટાઈથી કામ લેવામાં આવ્યું. ગાયનાદિ લલિત કલા, ધનુર્વેદ વગેરે તેના પદને યોગ્ય એવું ઉચ્ચ પ્રકારનું યુદ્ધશિક્ષણ, મૃગયાદિ વિનોદ વગેરે વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી કે જેથી તેનો સર્વકાલ તેની ઇચ્છા પ્રમાણે સુખમાં જાય. આમ રાજમહેલોમાં રહી મોજમજા તે ભોગવતો. આવી સ્થિતિમાં કોઈ પણ કુમાર યથેચ્છ વર્તન રાખનાર મોજશોખી અને ઘણે ભાગે નક્કી થઈ જાય, પરંતુ આ કુમાર પોતાના અલૌકિક અંકુરોને લીધે ઊલટો દઢનિશ્ચયી અને સ્વાશ્રયી બન્યો. પિતાને મને એમ કે એકાદ દુઃખદ પ્રસંગ કુમારને પ્રાપ્ત થતાં તે માત્ર શમશાનવૈરાગ્યનો વિષય ન બનવા ઉપરાંત દઢ વૈરાગ્યનું રૂપ ધારણ કરશે, પરંતુ દુનિયાની વિષમ બાજુનું જ્ઞાન સંતતિને ધીરેધીરે આપવું એ ઔષધ ગણાય છતાં અમર્યાદ પિતૃપ્રેમને લઈ શુદ્ધોદને દુઃખ એ શું છે એનો ખ્યાલ જ ન આવે તે રીતે વિશેષ કાળજી રાખવા લાગ્યા. ૧૬મા વર્ષની વયે કોલીવંશના રાજાની પુત્રી નામે *યશોધરા સાથે તેને પરણાવ્યો અને તે સંયોગે રાહુલ નામનો પુત્ર થયો. વખત જતાં એક વખત અકસ્માત્ તેને બહાર ફરવા જવાની ઈચ્છા થઈ, અને ચા નામના પોતાના ૧. આ નામ ગ્રંથો પરથી જણાય છે, પરંતુ આ જ તેનું ખરું નામ કે નહિ તે ખાતરીથી કહી શકાય નહિ, કારણકે તેમાં ‘ભદુકા’ – ભદ્રકૃત્યા વા ગોપા એવાં નામ પણ જોવામાં આવે છે. વળી બિંબો અને ક્યાંક યશોવતી એ નામ પણ આપેલાં છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ જન્મ : બાલ્યકાળ : યુવાવસ્થા (ગૃહસ્થાશ્રમ) ૨૮૩ સારથિ સાથે રથમાં બેસી તે ફરતો હતો એટલામાં એક વ્યાધિગ્રસ્ત, વૃદ્ધ, અને મૃત એવા ત્રણ પુરુષોનાં અનુક્રમે દર્શન થયાં. સારથિએ વ્યાધિ, જરા અને મરણનાં ઉગ્ર સ્વરૂપો બોધિસત્ત્વને સમજાવ્યાં, તે ઉપરથી સંસારના વિષયો પર તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને ગૃહત્યાગનો નિશ્ચય દઢ થયો. (બુદ્ધચરિત) આ સંબંધમાં બુદ્ધ પોતાની પૂર્વસ્થિતિનો વૃત્તાંત તિપિટકના સુત્તપિટકમાંના અંગુત્તર નિકાયમાં નીચે પ્રમાણે જણાવે છે : ભિક્ષુઓ ! હું બહુ સુકુમાર હતો. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી, તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢતાપની મારા પર અસર ન થાય, માટે મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શિયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદાજુદા ત્રણ રાજમહેલ હતા. જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો, ત્યારે ચાર મહિના બહાર ન નીકળતાં સ્ત્રીઓનાં ગીત અને વાઘ સાંભળી કાલક્રમણ કરતો. બીજાઓને ત્યાં, સેવકો અને નોકરોને હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ મારે ત્યાં મારાં દાસ-દાસીઓને માંસમિશ્રિત ઉત્તમ ભાત અપાતો હતો. આવી સંપત્તિનો ઉપભોગ લેતાં લેતાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે અવિદ્વાનું સામાન્ય મનુષ્ય પોતે વૃદ્ધપણાના સપાટામાં આવવાનો છે, તોપણ ઘરડા માણસ તરફ જોઈ કંટાળે છે ને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ ઘડપણના ફાંસામાં ફસાવાનો છું. માટે જો સામાન્ય મનુષ્ય પેઠે જાગ્રસ્ત માણસથી કંટાળું કે તેનો તિરસ્કાર કરું તો તે મને શોભે નહિ – આ વિચારને લીધે મારો જુવાનીનો મદ સમૂળગો જતો રહ્યો. અવિદ્વાન્ સામાન્ય પોતે વ્યાધિના સપાટામાં સપડાવાનો છે, છતાં વ્યાધિગ્રસ્ત મનુષ્ય તરફ જોઈને કંટાળે છે, અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું જાતે વ્યાધિના સપાટામાંથી છૂટ્યો નથી, ને વ્યાધિગ્રસ્તથી કંટાળું કે તિરસ્કાર કરે તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો આરોગ્યમદ સમૂળગો જતો રહ્યો. અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે મરણધર્મી હોવા છતાં મૃત શરીર તરફ જોઈ કંટાળે છે ને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ મૃતધર્મી છું, છતાં સામાન્ય મનુષ્યની માફક મૃત શરીર તરફ જોઈને કંટાળું કે તેનો તિરસ્કાર કરે, તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો જીવિત મદ તદ્દન ગળી ગયો.” આમ પિતદ્વારા એક રાજપુત્ર પ્રમાણે સર્વ પ્રકારના મોજશોખનાં સાધનો પોતાને પૂરાં પાડવામાં આવ્યાં હતાં તોપણ તેથી તેનું સમાધાન થયું નહિ. જરા, વ્યાધિ અને મરણનાં ઉગ્ર સ્વરૂપોની કલ્પના ઉત્તરોત્તર તેના મનમાં દઢ થતી ગઈ, અને તેનો તારુણ્ય, આરોગ્ય તથા જીવિતનો મદ છેક ગળી ગયો. ૧. બુદ્ધચરિતમાં જણાવ્યું છે કે એક દેવતા વ્યાધિગ્રસ્ત વગેરેનાં ત્રણ રૂપ અનુક્રમે લઈ આવ્યો હતો. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો ગૃહત્યાગ - મહાભિનિષ્ક્રમણ ગૌતમ પોતાના શયનગૃહમાં ગયો અને વિચારમાં પડ્યો. સર્વ સ્વજન ગાઢ નિદ્રામાં જતા હતા, રાત્રિ વ્યતીત થતી હતી. પરંતુ પોતાને ઊંઘ આવી નહિ, આખર ત્યાગનો પૂર્ણ નિશ્ચય થયો. સારથિ ચત્રને કંથક નામનો અશ્વ સજજ કરવાનું કહ્યું અને તે દરમ્યાન પોતાની પ્રિય પત્નીનું અંતિમ દર્શન કરવાનું અને તેને પોતાનો નિશ્ચય જણાવવાનું મન થયું એટલે જ્યાં પુત્ર રાહુલ સહિત યશોધરા સૂતી હતી ત્યાં ગયો, અને તેમને ગાઢ નિદ્રામાં સૂતેલાં જોયાં એટલે વિચાર થયો કે જો હું તેમને જાગ્રત કરી મારો નિશ્ચય જણાવીશ તો વધુ મોહજાળમાં લપટાવાનો ભય રહે છે, આથી તેને ન જગાડતાં તુરત જ મધ્યરાત્રીએ આષાઢશુદિ પૂર્ણિમાને દિને ચિત્ર સારથિ અને કંથક અશ્વને લઈ ગૃહ-શહેર-સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યો, અને 30 યોજન વટાવી અનોમા નામની નદી ઊતરી ત્યાં અટક્યો. આભૂષણો ચત્રને આપી દીધાં, મસ્તકના વાળ કાપી નાખ્યા અને રાજ્ય-વસ્ત્રો પણ તજી દીધાં. શ્રમણનાં ૩ વસ્ત્રો પહેર્યા અને ચત્રને ‘માતાપિતાને પ્રણામ કહેજે” એમ કહી વિદાય કર્યો. આ ગૃહત્યાગને અભિનિષ્ક્રમણ અથવા મહાભિનિષ્ક્રિમણ કહેવામાં આવે છે. આ વાતનું વર્ણન બુદ્ધના શબ્દોમાં નીચે પ્રમાણે છે. (મજિઝમનિકોયમાંથી અરિયપરિયેસન સુત્ત જુઓ.) હે ભિક્ષઓ ! હું પણ સંબોધિજ્ઞાન થવાની પૂર્વે બોધિસત્તાવસ્થામાં, સ્વતઃ જન્મધર્મી હતો તે કારણે જન્મના ફેરામાં સપડાયેલી વસ્તુઓ (પુત્ર, દારા, દાસી, દાસ વગેરે)ની પાછળ લાગ્યો હતો, તેમાં વાસના રહી હતી (એટલે મારા સુખનું અવલંબન તેના પર છે એવું મને લાગતું હતું.) સ્વતઃ જરાધમ હોવાથી, વ્યાધિધર્મી હોવાથી, મરણધર્મી હોવાથી, શોકધર્મી હોવાથી જરા, વ્યાધિ, મરણ, અને શોકના ફેરામાં પડેલી વસ્તુઓ પાછળ લાગ્યો હતો. તેવામાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે હું સ્વતઃ જન્મ, જરા, મરણ, વ્યાધિ, અને શોક સાથે સંબદ્ધ હોવાથી તેની સાથે સંબંધ ધરાવનાર પુત્ર-દારા આદિની પાછળ લાગ્યો છું એ ઠીક નથી, તો પછી આ જન્મજરાદિથી થનારી હાનિ જોઈને અજાત, અજર, અવ્યાધિ, અમર અને અશોક એવા પરમ શ્રેષ્ઠ નિર્વાણપદનો શોધ કરવો એ જ મારે યોગ્ય છે. હે ભિક્ષુઓ ! આવો વિચાર કરતાં કરતાં કેટલોક કાલ ગયો, તે વખતે હું તરણ હતો, અને મારો એક પણ વાળ સફેદ થયો ન હતો અને ભરજુવાનીમાં મારાં માબાપ મને રજા આપતાં નહિ હતાં, આંખમાંથી નીકળતા અશ્રુપ્રવાહથી તેમનાં વદન ભીંજાયેલાં હતાં, તે રોતાં હતાં, તોપણ (તે સર્વની પરવા કર્યા વગર) શિરોમંડન કરી કાષાય વસ્ત્રથ દેહ ઢાંકી ઘરમાંથી બહાર નીકળ્યો. (સંન્યાસી. થયો.)” ભ્રમણજીવન : શોધ : તત્ત્વપ્રાપ્તિ : દીક્ષા હાથમાં ભિક્ષાપાત્ર લઈ અનુપિયના આમ્રવનમાં એક અઠવાડિયું ગાળી ત્યાંથી મગધના પાટનગર રાજગૃહમાં એક દિનની મુસાફરી કરી આવ્યા. ત્યાંના રાજા સેનિય Page #314 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણજીવન : શોધ : તત્ત્વપ્રાપ્તિ : દીક્ષા ૨૮૫ (શ્રેષ્ય, શ્રેણિક) બિમ્બિયારે આ મહાપુરુષને પોતાના રાજમહેલ પરથી માર્ગે જતાં જોતાં પોતાના માણસ પાસે બોલાવી મંગાવ્યા. તે ભિક્ષા લઈ શહેર બહાર નીકળી ગયેલા હોવાથી રાજા પોતે પાંડવ નામના પર્વતમાં તેમની પાસે ગયો. બંને વચ્ચે સંવાદ થતાં રાજાએ પોતાનું સર્વ રાજ્ય આપવા તૈયાર છે માટે ક્ષત્રિયધર્મ સ્વીકારવા આગ્રહ કર્યો, પરંતુ તેમણે નિર્વાણ પ્રાપ્ત કરવાના માર્ગ વચ્ચે ન આવવા જણાવ્યું. દઢતા પાસે મહાલાલચ નિફળ નીવડી. (જુઓ સુત્તનિપાતમાંનું પમ્બક્કા સુત્ત) અહીંથી આગળ જતાં જ્યાં આળાર (કોઈ આરાડ કહે છે) કાલામ અને રામપુત્ર ઉદ્રક કે જે વિદ્વાન બ્રાહ્મણો હતા અને તત્ત્વજ્ઞાનીઓ કહેવાતા હતા ત્યાં બુદ્ધ આવી તેમની પાસેથી તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેવા માંડ્યું. તેમની પાસેથી સમાપત્તિ (સમાધિ)ની જુદીજુદી અવસ્થાઓ જાણી. તેઓના વિચારો જાણ્યા. આ સંબંધે બુ સચ્ચક નામના એક નિગ્રન્થ (જૈન) પંડિત કે જે વૈશાલી નગરીમાં રહેતો હતો અને જેને અગ્નિવેસ્સન પણ કહેતા હતા તેને ઉદ્દેશીને જે કહ્યું તે અહીં જણાવવું યોગ્ય થશે : (જુઓ મઝિમનિકાયમનું મહાસચ્ચક સુત્ત). (૧) “હે અગ્નિવેસ્સન ! આ પ્રમાણે પ્રવજ્યા ધારણ કરી હું ઘરમાંથી બહાર પડ્યો. પરમ સુખાવહ કઈ વસ્તુ છે તેની શોધ હું કરતો હતો, – અનુત્તર શ્રેષ્ઠ શાન્તિસ્થાનનો પત્તો મેળવવા હું ફરતો હતો એવા સમયમાં આળાર કાલામ પાસે આવી મેં કહ્યું હે કાલામ ! આપના આ ધર્મપંથમાં પ્રવેશ કરવાની મારી ઇચ્છા છે.” ત્યારે કાલાએ કહ્યું, “આયુષ્યનું ! તું આ મત પ્રમાણે અનુસર. વિદ્વાન્ મનુષ્ય આ મત પ્રમાણે ચાલે છે તો તે અમારું તત્ત્વ શું છે તે જાણી શકે છે.” તુરત જ આધાર કાલામનું તત્ત્વજ્ઞાન હું શીખ્યો. વાદવિવાદ કરવામાં ચાલાક થયો, પણ તે બધું “પોપટ પંખી જેવું હતું. કાલામના બીજા શિષ્યો પણ મારા જેવા જ પોપટિયા જ્ઞાનમાં પ્રવીણ હતા. આ પોપટિયા જ્ઞાનથી મારું સમાધાન થયું નહિ. મેં મારા મનમાં એવો વિચાર કર્યો કે કાલામને અનુભવજ્ઞાન થયું નથી; તેને આ તત્ત્વજ્ઞાનનો પૂર્ણ અનુભવ મળવો જોઈએ; એટલે મેં કાલામ પાસે જઈ એવો પ્રશ્નો કર્યો કે “અરે કાલામ ! આ તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્કાર તમને કેવી રીતે થયો ?” ત્યારે કાલામે મને આકિંચન્યાયતન નામની સમાધિ શીખવી. આથી મેં વિચાર્યું કે કાલામને જેવી શ્રદ્ધા છે તેવી જ મને છે, જેવો તેનો ઉત્સાહ છે તેવો જ મારે છે, જેવો તેનો વિવેક (સ્મૃતિ) છે તેવી જ રીતે મને છે અને જેવી તેની એકાગ્રતાશક્તિ (સમાધિ) છે તેવી જ મારે છે. જેથી તેને પ્રજ્ઞાન છે. તેવી મારામાં છે તો પછી તેની પેઠે હું પણ કેમ સાક્ષાત્કાર કરી ન શકું ? આવો વિચાર કરી છે અગિકેસન, થોડા જ વખતમાં આકિંચન્ય સમાધિ સાધ્ય કરી. (આથી વૃત્તિશૂન્ય મન થાય છે), અને કાલામને તેની ખબર આપી, કે તરત જ તેણે કહ્યું કે “જે સમાધિનો મને સાક્ષાત્કાર થયો છે તે સમાધિનો તને થયો છે, જે હું જાણું છું તે તું જાણે છે, મારી અને તારી યોગ્યતા હવે સરખી છે તો આજથી તું અને હું આ પંથના મુખી થઈએ અને આ શિષ્યોને શીખવીએ.” આ પ્રમાણે કાલામે મારું બહુમાન કર્યું. (૨) આ પછી ઉદ્દક (ઉદ્રક) રામપુત્ર પાસે ગયો; તેણે મને નૈવસંજ્ઞાનાસંજ્ઞાયતન નામની સમાધિ (કે જે સમાધિની છેવટની હદ છે) શીખવી અને થોડા સમયમાં મને સાધ્ય Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો થઈ. તે તેને જણાવતાં મારો તેણે પણ સત્કાર કર્યો અને તે આચાર્ય અને શિષ્યનો ભેદ ગયો. આથી પણ મારી તૃપ્ત થઈ નહિ અને નિર્વાણપ્રાપ્તિ હજી ઘણી દૂર છે એમ જાણી તેને પણ મેં છોડી દીધો. અને મહાવધાન -- મહાન પરિશ્રમ કરવા આગળ ચાલ્યો. ૨૮૬ – “આ પ્રમાણે હું પરમ સુખ - પરમશાંતિના નિર્વાણની શોધ અર્થે મગધ દેશમાં ફરતાં ઉરૂવેલા (ઉવિલ્વા ગયા પાસે) આવ્યો. આ પ્રદેશ અત્યંત રમણીય હતો. અહીં શ્વાસોચ્છ્વાસને અંકુશમાં રાખવાની પ્રક્રિયા શરૂ કરી. આથી મસ્તકમાં ભયંકર વેદના ઊઠી અને પેટમાં દાહ થયો. સર્વ અંગમાં પણ દાહ થતો હતો, પરંતુ મારો ઉત્સાહ દૃઢ હતો, જાગૃતિ કાયમ હતી, દેહ માત્ર દુર્બલ થયો હતો. આટલી દુઃખકારક વેદના થયા છતાં મારા ચિત્તનું પરિણામ એ જ રહ્યું ત્યારપછી આહાર ઓછો કરવાનો નિશ્ચય કર્યો. મગ કે કળથીના પાણીથી ચલાવ્યું. આથી અત્યંત કૃશ દેહ થયો. હાથ-પગ પાતળા થયા, બરડાનાં હાડકાં બહાર દેખાવા લાગ્યાં. પાંસળીઓ ખળભળી ગઈ, આંખ ઊંડી ઊતરી ગઈ. અંગની કાન્તિ કરમાઈ ગઈ, પેટ અને પીઠ એક થયાં. આ વેળાએ મારા મનમાં એ વિચાર આવ્યો કે ‘જે અત્યંત દુઃખકારક વેદના મેં અનુભવી છે તે કરતાં વધુ દુઃખકારક વેદના કોઈ બીજા શ્રમણ કે બ્રાહ્મણે અનુભવી નહિ હોય. પરંતુ આ દુષ્કર કર્મથી લોકોત્તર ધર્મજ્ઞાન પ્રાપ્ત થશે એમ મને લાગતું નથી. આ કરતાં બીજો નિર્વાણપ્રાપ્તિનો માર્ગ હશે કે નહિ ?’ (ઘર છોડ્યા પહેલાં હું) મારા પિતા સાથે ખેતરમાં ગયો હતો ત્યાં જંબુવૃક્ષની છાયાએ બેસી પ્રથમ ધ્યાનની સમાધિ સાધી હતી તેની મને સ્મૃતિ છે તો તે નિર્વાણનો માર્ગ નહિ હોય ? આથી એ માર્ગ ખો હશે એમ મને લાગ્યું. મેં મારા મનમાં કહ્યું કે હું શા માટે સમાધિસુખથી બીઉં છું ? તે મોજમજાથી મળતું સુખ નથી, તેમજ પાપકારક નથી તો આવા સુખથી બીવાથી કંઈ સરવાનું નથી; પરંતુ આ દુર્બલ દેહને સુખ સાધ્ય થનાર નથી તો દેહનું સંરક્ષણ કરવા અન્ન પણ ખાવું જોઈએ. “ત્યાર પછી અન્નસેવન કરવા લાગ્યો. મારી સેવા અર્થે પાંચ ભિક્ષુ (પંચવગ્ગિય – કૌડિન્ય અને બીજા) રહેતા હતા. મને જે ધર્મજ્ઞાન થશે તે પોતાને કહેવામાં આવશે એવું તેમને લાગ્યું હતું, પરંતુ મેં અન્નસેવન કરવા માંડ્યું કે તેમને નિરાશા થઈ અને આ તો ઢોંગી છે એમ સમજી મને છોડી ચાલતા થયા. આ અન્નગ્રહણથી ધીમે ધીમે મારા દેહમાં શક્તિ આવી અને સમાધિસુખનો અનુભવ કરવા લાગ્યો.” આ પ્રમાણે૧ ૧. આ બંને યોગમાર્ગના પ્રવર્તક હતા. બુદ્ઘચરિતમાં સાંખ્યમત પ્રવર્તક તરીકે જણાવેલ છે. અને તે પરથી બૌદ્ધ ધર્મ સાંખ્યમાંથી નીકળ્યો છે એવું કેટલાક પાશ્ચાત્ય પંડિત કહે છે, પરંતુ આ સંબંધીનો આધાર તિપિટકમાંથી મળતો નથી. કાલામ વૈશાલીમાં ઘણા શિષ્યો સહિત રહેતો હતો. તે આત્મા શાશ્વત છે અને ઉપાધિથી મુક્ત થતાં પૂર્ણ મુક્તિ પામે છે એવું માનતો હતો. ઉદ્રક આત્મભાવ પર વિશેષ ભાર આપી કર્મનાં પરિણામે આત્મા સુખદુઃખ પામે છે અને જન્માંતર લે છે એ જણાવતો હતો. બુદ્ધે આત્માનો અને આત્માનો એક જન્મથી બીજો જન્મ થાય છે તે વાતનો નિષેધ કરી તેનો કર્મવાદ કાયમ રાખ્યો. બુદ્ધે જણાવ્યું કે કર્મ છે પણ આત્મા કર્મનો કર્તા નથી. પુનર્જન્મ છે પણ એક જન્મનો આત્મા પોતે બીજો જન્મ લેતો નથી, કારણકે ‘હું કહું છું, હું કરું છું,’ એમાં જે ‘હું’નો ભાવ છે તે મિથ્યા છે. એ ખરો હોય તો હુંભાવથી મુક્તિ ન થાય. આમ અન્ય બૌદ્ધ ગ્રંથમાંથી હકીકત મળે છે. - Page #316 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણજીવન : શોધ : તત્ત્વપ્રાપ્તિ : દીક્ષા ૨૮૭ આળાર કાલામ અને ઉદ્રક રામપુત્ર સાથેનો પરિચય થયો. (૩) કાલામ અને ઉદ્રકને છોડી બોધિસત્ત્વ મંદિરવાસી સાધુઓને મળ્યા. ત્યાં તેઓ યજ્ઞથી હિંસા કરતા હતા તેથી તેમને ઉપદેશ આપ્યો કે “આ ધર્મ નથી. મૈત્રીભાવ સર્વ પ્રત્યે રાખવો એ જ ખરો ધર્મ છે. પ્રાણહાનિ કરી પાપનો નાશ કદી થતો નથી તો નૈતિક પવિત્ર જીવન ગાળવું એ જ ઉત્તમ છે.' (૪) ત્યાર પછી ઉપરોક્ત પાંચ ભિક્ષુઓ પાસે આવ્યા. ત્યાં તેમને તપ કરતા અને ઈદ્રિયનું દમન કરતા જોયા; તેથી પોતાના મનમાં તેમ કરવાનો ઉત્સાહ આવ્યો. છ વર્ષ સુધી ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા કરી ધ્યાનરત થયા. પણ તે તપ નિર્વાણપદને માટે આવશ્યક નથી એમ ઉપર જણાવ્યા પ્રમાણે તેનો નિર્ણય થયો. નિરંજના (હાલની ફલ્યુ) નદીમાં સ્નાન કરી પાછા ફરવાનું કર્યું પરંતુ દેહ દુર્બળ થવાથી ચાલી શકાયું નહિ એટલે મૂર્છા આવી. પાસે જતી સુજાતા નામની ગોવાળની કન્યાએ વૈશાખ શુદિ પૂર્ણિમાને દિને ખીર આપતાં તેમને ભાન આવ્યું. આથી તપશ્ચર્યા એ શરીર તેમજ મનના બળને હાનિ પહોંચાડનાર છે એમ સમજી તપનો ત્યાગ કર્યો અને ધ્યાન અને આત્મનિરીક્ષણની ક્રિયા આરંભી. ઉક્ત ભિક્ષુઓ તેમને તજી ગયા. હવે માર (સેતાન)ની સાથે થયેલ યુદ્ધનો પ્રસંગ આવે છે કે જેમાં તેણે આપેલ પ્રલોભનોને -- તૃષ્ણા, અરતિ, અને રાગને જીતી તેનો પરાભવ કરે છે; અને એક અશ્વત્થ (બોધિ)વૃક્ષ નીચે બેસી ધ્યાનવિચારમાં પડતાં પૂર્વજન્મોનું જ્ઞાન થયું અને સંસારના દુઃખનો ઉદ્ધાર થવાનો માર્ગ તેમને પ્રગટ થયો. બોધિસત્ત્વ બોધિ-સંબોધિ (સ્વબોધન) પ્રાપ્ત થતાં બુદ્ધ થયા. સત્ કે જેની શોધ પાછળ ભગીરથ પ્રયત્ન સેવ્યો હતો તે પ્રાપ્ત થયો. (આ વૃક્ષને તેથી ‘બોધિવૃક્ષ' કહેવામાં આવે છે.) બુદ્ધ થયા પછી તેને સંબુદ્ધ, તથાગત, સુગત, ધર્મરાજ, મારજિત્ જિન આદિ સંજ્ઞા આપવામાં આવેલ છે. પૃથકજન (સામાન્ય બુદ્ધિના મનુષ્ય) આ સત્ય કદી પણ પ્રાપ્ત ન કરી શકે. તે પ્રાપ્ત થતાં પોતે તેનો ઉપદેશ સર્વજગતને કરવો આવશ્યક છે એમ સમજી તેમ કરવાનો નિશ્ચય કર્યો. આ ધર્મમાર્ગ તે ચાર આર્યસત્ય છે, કે જેની અંદર આર્ય અષ્ટાંગિક માર્ગ, અને પ્રતીય સમૂત્પાદનો સમાવેશ થાય છે.? - સાત દિવસ સુધી ત્યાં જ તે પ્રકાશનો અનુભવ કર્યો. તેટલામાં ઉત્કલ (ઓરિસ્સા)થી નીકળી મધ્યદેશ તરફ તપુસ્મ અને ભક્લિક નામના બે વેપારીઓ રસ્તે જતાં મળ્યા. તેમણે બુદ્ધનો ઉપદેશ સાંભળ્યો એટલે તેઓએ તેમનું શરણ ગ્રહ્યું અને બુદ્ધ અને ધર્મમાં શ્રદ્ધા રાખી તેના અનુયાયી થયા, ઉપાસક થયા. કારણકે આ વખતે સંઘ'ની ઉત્પત્તિ થઈ ન હતી. પહેલાં કોને ઉપદેશ આપવો એ વિચાર કરતાં આધાર કાલમ અને ઉદ્રક રામપુત્ર ૧. આધ્યાત્મિક દૃષ્ટિએ આને માનસિક વિકૃતિ કહી શકાય. ૨. આ તેમજ આની પછીનું વિસ્તૃત વર્ણન જોવું હોય તો જુઓ મહાવચ્ચ કે જેનું અંગ્રેજીમાં ભાષાંતર “રોકેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ’ એ ગ્રંથમાલાના ૧૩ અને ૧૭મા વૉલ્યુમમાં થયેલ છે. 3. આ સંબંધે સિદ્ધાંતો તરીકે આગળ કહેવામાં આવશે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યાદ આવ્યા, કારણકે તે બંને તેનો ધર્મ સમજવા સમર્થ હતા. પરંતુ તરત જ તે મરણ પામ્યાના ખબર મળતાં ઉપર જણાવેલ દેહકષ્ટને પ્રસંગે સહાય આપનાર પાંચ ભિક્ષુઓને ધર્મનો ઉપદેશ કરવાનું લક્ષ ગયું. આષાઢ સુદિ પૂર્ણિમાને દિને તેઓના નિવાસસ્થાન (કાશીના મૃગવન)માં જવા નીકળ્યા. માર્ગમાં આજીવિકપંથનો સાધુ ઉપક મળતાં તેણે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પોતાનો મનોરથ કહ્યો. તે સાંજે મૃગવનમાં પહોંચતાં પાંચ ભિક્ષુઓએ દૂરથી બુદ્ધને જોઈ અરસપરસ સંકલ્પ કર્યો કે શ્રમણ ગૌતમ આવે છે તો તેને માન ન આપવું. પરંતુ તે નજીક આવ્યા ત્યાં તેમની અનિચ્છા છતાં ઊભા થઈ માન આપ્યા વગર રહેવાયું નહિ. શ્રમણ ગૌતમ એ નામથી સંબોધ્યા ત્યારે બુદ્ધ જણાવ્યું કે એમ સંબોધન ન કરે. હું તથાગત છું. હું એ ધર્મનો ઉપદેશ કરીશ કે જે ઉત્તમ પવિત્રતાથી આ જ જિંદગીમાં તમે પ્રાપ્ત કરી શકશો. પછી મધ્યમ પ્રતિપતું – માર્ગનો ઉપદેશ કરી ચાર આર્યસત્ય સમજાવ્યાં. આથી કૌડિન્યને સત્યદર્શન થયું અને જેનો જન્મ છે તેનું મરણ પણ છે એવું જ્ઞાન પ્રાપ્ત થયું. અજ્ઞાત હતો તે જ્ઞાત થયો તેથી તેનું નામ અજ્ઞાત (અઅન – અજ્ઞાત) કૌડિન્ય પડ્યું. તેને નિર્વાણનું પ્રથમ પગથિયું - સ્ત્રોતોપત્તિ ફલ થયું અને તેણે દીક્ષા લીધી. બીજે દિવસે વાષ્પ (વાપ) અને ત્રીજે, ચોથે અને પાંચમે દિવસે એમ અનુક્રમે ભદ્રિક (ભદ્રિય), મહાનામ અને અશ્વજિતે (અસ્સજિ) દીક્ષા લીધી. પાંચમે દિવસે તેઓને ભૌતિક અને માનસિક પ્રપંચનું અનાત્માપણું (નરાભ્ય) સમજાવ્યું કે જે અનન્નાલખણ સુત્તત્રમાં જણાવેલ છે. આથી તેઓ તે જ વખતે અહંતુ થયા. આમ કુલ છ અર્પત થયા. કાશીમાં યશસ્ કરીને એક શ્રીમંત શ્રેષ્ઠીનો પુત્ર હતો તેણે બુદ્ધ પાસે આવતાં ઉપદેશ સાંભળી સ્ત્રોતોપત્તિ પ્રાપ્ત કરી બીજે દિવસે અહપદ પ્રાપ્ત કર્યું. તરત જ યશસૂનો પિતા ત્રિવાચિક (ત્રણમાં શ્રદ્ધા રાખનાર) ઉપાસક થયો કે જે સર્વથી પ્રથમ હતો. પછી યશની માતા અને પત્ની ઉપાસિકા થઈ, અને ત્યાર પછી યશસૂના પ૪ મિત્રોએ દીક્ષા લઈ અર્ધપદ પ્રાપ્ત કર્યું. આમ કુલ બુદ્ધ ઉમેરતાં ૬૧ અહંતુ થયા. ચોમાસું જતાં – “પ્રવરણ પૂરું થતાં બુદ્ધે ઉક્ત ૬૦ શિષ્યોને જુદી જુદી દિશાઓમાં ધર્મનો ઉપદેશ કરવા મોકલ્યા. અહીંથી “મિશનરી'નો ભારતમાં પ્રારંભ થયો. પોતે ઉરૂલ (હાલના બુદ્ધગયામાં જે મહાબોધિ મંદિર છે તેની પાસે) ગયા. અહીં ત્રણ જટાધારી અગ્નિપૂજક તાપસો – જટિલો નામે ઉરૂવિલ્વા–કાશ્યપ, નાદી–કાશ્યપ અને ગયા–કાશ્યપ એ ત્રણ ભાઈઓ રહેતા હતા. તેને ઉપદેશ આપી બૌદ્ધ ભિક્ષુ બનાવ્યા; અને ત્યારપછી ઘણા શિષ્યો – ઉપાસકો થયા. પછી રાજા બિમ્બિસારને આપેલ વચન પ્રમાણે રાજગૃહમાં આવી યષ્ટિવને ઊતર્યા. રાજા ત્યાં આવ્યો અને પછી સંઘને વેણુવન ભેટ કર્યું. આ વખતે એક સ્થળેથી બીજે સ્થળે ભટકતો સાધુ – પરિવ્રાજક નામે સંજય પોતાના સારિપુત્ર અને મોગલ્યાયન આદિ ઘણા શિષ્યો સાથે રાજગૃહમાં રહેતો હતો. સારિપુત્ર અને મૌદ્ગલ્યાયને આર્યસત્યને જાણતાં સંજયનો ત્યાગ કર્યો અને બુદ્ધના શિષ્ય થયા. બંનેએ અહપદ મેળવ્યું અને બંનેને મુખ્ય – પટ્ટશિષ્યો તરીકે સ્થાપિત કરવામાં આવ્યા. Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર જીવન ૨૮૯ ઉત્તર જીવન અનાથપિંડિક - વિશાખા રાજા શુદ્ધોદનને પુત્રના બુદ્ધત્વની ખબર પડતાં તેણે તેમને કપિલવસ્તુ આવવા ખાસ નિમંત્રણ મોકલ્યું અને છેવટે તેના બાલમિત્ર સમવયસ્ક કાલોદાયીને નિમંત્રણ કરવા રાજગૃહ મોકલ્યો કે જે બુદ્ધને મળતાં ભિક્ષુ થયો. કાશીથી આવ્યા પછી પાંચ માસ થયા હતા. અને પછી શાક્યોની ભૂમિ – કપિલવસ્તુ આવ્યા. સર્વ શાક્યો તેમને પગે પડ્યા. રાજાએ ભિક્ષા ત્યાગી રાજ્યપદ ફરી લેવા વિનંતી કરી ત્યારે બુદ્ધે કહ્યું ‘તમારો વંશ રાજાનો છે, પણ મારો બુદ્ધનો વંશ છે. સર્વ બુદ્ધોએ ભિક્ષાનો માર્ગ ગ્રહણ કર્યો છે.” પછી રાજા પણ ઉપદેશ સાંભળી શ્રોતાપન્ન થયો અને છેવટે મૃત્યુ થતી વખતે અહંદુ પણ થયો. બુદ્ધને સર્વ સ્ત્રીઓ વંદના કરવા આવી હતી. પરંતુ યશોધરા શરમને લઈ આવી ન હતી. તેથી પોતે તેણીની પાસે ગયા. પછી પોતાનો ભાઈ નંદ કે જે તે વખતે પરણવાની તૈયારીમાં હતો તે ન પરણતાં બુદ્ધનો શિષ્ય – ભિક્ષુ થયો. પછી રાહુલને શ્રમણેર પ્રવજ્યા સારિપુત્રે આપી. પછી બુદ્ધ રાજગૃહ જવાનો માર્ગ લીધો. તે રાજગૃહ પહોંચે તે દરમ્યાન મહાનાનો ભાઈ અનુરદ્ધ, ભદ્રિય, આનંદ, ભગુ, કિંબિલ અને દેવદત્ત તેમજ ઘણાઓએ બૌદ્ધ પ્રવજ્યા ગ્રહણ કરી. આ વખતે પ્રખ્યાત થયેલ ઉપાલિ નામનો હજામ પણ ભિક્ષુ થયો. પછી તે બધા બુદ્ધ પાસે આવ્યા, બુદ્ધ રાજગૃહ આવ્યા પછી શ્રાવસ્તીથી સુદત્ત અનાથપિંડિક નામનો શ્રીમંત વેપારી રાજગૃહ આવ્યો હતો. તેણે બુદ્ધનો ઉપદેશ સાંભળી તેમને અને સંઘને શ્રાવસ્તી આવવા આમંત્રણ કહ્યું. ત્યાં બુદ્ધ આવ્યા, તે પહેલાં જેત નામના રાજકુમાર પાસેથી જેતવન અઢળક દ્રવ્ય આપી ખરીદી સંઘને અર્પણ કર્યું. આ વખતે કોશલાધિપતિ પ્રસેનજિત્ રાજ્યધાની શ્રાવસ્તીમાં રાજ્ય કરતો હતો. અહીં મિગાર નામનો શ્રીમંત જૈન શ્રેષ્ઠી વસતો હતો તેની પુત્રવધૂ વિશાખાએ પોતાના સસરાને બૌદ્ધ ધર્માનુયાયી કર્યો કે જેથી વિશાખા “મિગાસ્માતા’ કહેવાય છે. વિશાખાએ બીજો વિહાર પૂર્વારામ' નામે શ્રાવસ્તીમાં બંધાવી બૌદ્ધ સંઘને અર્પણ કર્યો. આ વિહાર અનાથપિંડિકના વિહારથી માત્ર ઊતરતો હતો. વૈશાલીમાં આમ્રપાલી (આમ્રપાલિકા) નામની એક પ્રસિદ્ધ વેશ્યા રહેતી હતી એ પર મગધાજ બિમ્બિસારનું લક્ષ ગયું અને તેવી વેશ્યા પોતાના રાજ્યમાં પણ હોય તો એક શોભા છે એમ જાણી સાલવતી નામની વેશ્યા રાજ્યમાં રાખી. તેણીને રાજાના કુમાર નામે અભયથી એક પુત્ર થયો અને તેનું નામ જીવક પાડ્યું. આ તક્ષશિલા જઈ વૈદક શાસ્ત્રમાં પારંગત થઈ આવ્યો અને રાજાએ રાજવૈદ્ય તરીકે તેને રાખ્યો. જીવકે ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતના અને બિમ્બિસારના રોગને નિવાર્યા હતા. બુદ્ધને અપચો થતાં જીવકે ઔષધ આપી તે રોગને દૂર કર્યો હતો. પછી જીવકે પ્રદ્યોત રાજા પાસેથી બે અમૂલ્ય વસ્ત્રો રોગનિવારણની ભેટ તરીકે મળ્યાં હતાં તે બુદ્ધને અર્પણ કર્યા. એ તેમણે સ્વીકાર્યા અને ભિક્ષુઓને પણ ઉપાસકો જે વસ્ત્રો અર્પે – ચીંથરાં જેવું વસ્ત્ર પણ અર્પે તો તે સ્વીકારવાની આજ્ઞા આપી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વૈશાલીમાં આ વખતે મહામારી પ્રવર્તતો હતો તેથી તેનું નિવારણ કરવા માટે બુદ્ધ પાસે વૈશાલીથી કેટલાક મહાજન વીનવવા આવ્યા. બુદ્ધ ત્યાં જઈ તેનું નિવારણ કર્યું અને અનેકને દીક્ષા આપી સંઘની વૃદ્ધિ કરી. પછી રાજગૃહ આવ્યા. ત્યાંથી વૈશાલી પાસે આવ્યા. આ વખતે શાક્ય જાતિ અને કોલિય જાતિ વચ્ચે રોહિણી નદીનું પાણી કોણ વાપરે તે સંબંધે કલહ થયો હતો, કારણ કે બંનેના રાજ્ય વચ્ચે તે નદી આવેલી હતી અને તેનું પાણી બંનેને પૂરતું થતું નહોતું. કલહ વધતાં યુદ્ધ થવાની તૈયારી હતી. ત્યાં બુદ્ધ જઈ બંને પક્ષને શાંત કર્યા અને ઉપદેશથી ઘણાને દીક્ષિત કર્યા. આ પછી થોડા વખતમાં બુદ્ધને ખબર પડી કે તેમના પિતા ભયંકર માંદા છે એટલે તુરત આકાશમાર્ગે જઈ શુદ્ધોદનને વસ્તુઓની અસ્થિરતા – અનિત્યતા સંબંધી ઉપદેશ કર્યો કે જેથી તેમણે અહતુપદ મેળવ્યું, અને મૃત્યુ પામી નિર્વાણ પામ્યા. શુદ્ધોદનનું મરણ થતાં માતા ગૌતમીને સંસાર ત્યાગી સાધ્વીજીવન અંગીકાર કરવાની ઇચ્છા થઈ, અને બુદ્ધને સંઘમાં લેવા કહ્યું, પણ તેમણે ના પાડી, એવું કહીને કે સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ કરવા માગતા નથી. પછી બુદ્ધ વૈશાલી આવ્યા. આથી ગૌતમી અને બીજી અનેક સ્ત્રીઓ મસ્તકના કેશ કાપી નાંખી પીત વસ્ત્ર પહેરી પગે ચાલીને વૈશાલી આવી. આનંદે આ જોયું એટલે તેના મનમાં ઘણી અસર થઈ. તે સર્વના પગ સૂજી ગયા હતા, શરીર ધૂળવાળું હતું અને આંખમાં આંસુ હતાં. આનંદ તુરત જ જઈ બુદ્ધને તેમને સંઘમાં લેવા પક્ષ લઈ વિનતિ કરી. પ્રથમ તે વિરુદ્ધ હતા, પરંતુ આનંદના કહેવાથી સર્વને સંઘમાં દાખલ કરી ભિક્ષણીઓ બનાવી. આનંદની વિનતિ સ્વીકાર્યા છતાં બુદ્ધ સ્ત્રીઓને દાખલ કરવાથી શું શું ભયંકર પરિણામો આવે છે તેનાથી જ્ઞાત હતા. તેમણે આનંદને કહ્યું, “જો સંઘમાં સ્ત્રીઓને દાખલ ન કરવામાં આવે, તો ધર્મ 1000 વર્ષ રહેત, પરંતુ હવે બ્રહ્મચર્ય અને પવિત્રતા વધુ વખત નહિ રહે અને ધર્મ ફક્ત ૫૦૦ વર્ષ સુધી રહેશે.” આ વાત પછીના બનાવથી ખરી પડી છે. સ્ત્રીઓ, ગૌતમી પણ વારંવાર કુદ્ધ રહેતી અને પછી કેટલીક ભિક્ષણીએ કુવર્તનથી લોકનો ક્રોધ શિરે વહોર્યો હતો. - વૈશાલીથી શ્રાવસ્તીમાં એક ચાતુર્માસ ગાળી રાજગૃહ આવતાં રાજા બિખ્રિસારની અભિમાની રાણી ખેમા રાજાની યુક્તિથી બુદ્ધ પાસે લાવવામાં આવી અને તેના ઉપદેશથી તે બૌદ્ધ ધર્મમાં આવી. બુદ્ધના પ્રતિપક્ષી તરીકે છે તીર્થિકો હતા. ૧. પૂરણકસ્સ" (પુરાણ-કાશ્ય૫), ૨. મખ્ખલિ ગોસાલ (મુખલિ ગોશાલ), ૩. અજિત કેસકંબલી, ૪. પકુદ્ધ કાયન (પ્રભુદ્ધ કાત્યાયન), ૫. નિગૂંઠ નાતપુત્ત (નિર્ગસ્થ જ્ઞાતપુત્ર – એટલે જેનના મહાવીર.) અને ૬. સંજય બેલડ્રિપુત્ત (સંજય બલિષ્ઠપુત્ર). આ દરેકના અનુયાયી અસંખ્ય હતા, અને ઘણા બુદ્ધની ઈર્ષ્યા કરતા. આમાંનો સંજય તે બુદ્ધના શિષ્ય સારિપુત્ર અને મૌદૂગલ્યાયનનો પૂર્વગુર હતો. બધા વૈશાલીમાં આવેલ મહામારી નિવારી નહિ શક્યા. જ્યારે બુદ્ધ નિવાર્યો એમ બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે. વળી બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે કે બુદ્ધ રાજગૃહ પાસે રહ્યા હતા તે દરમ્યાન Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર જીવન ૨૯૧ એક શ્રેષ્ઠીએ ઊંચા વાંસના પર એક ચંદનનો કકડો એક પાત્રમાં રાખી ઉક્ત તીર્થિકમાંના દરેકને કહ્યું કે તે ઉપરથી લઈને આવે એવી ચમત્કારિક શક્તિવાળો શ્રમણ કે બ્રાહ્મણ છે કે ?' છએ તે પ્રયોગ કરી જોયો પણ કોઈપણ તેમ કરી શક્યું નહિ. પછી મોગલ્યાયન અને પિંડોલ – ભારદ્વાજ (બુદ્ધના શિષ્યો) એ બંનેએ તે પાત્ર જોયું અને પિંડોલ – ભારદ્વાજે પોતાની સિદ્ધિથી ઊંચે ઊડી તે પાત્ર નીચે લાવી આપ્યું. આ વાતની બુદ્ધને ખબર પડતાં ઠપકો આપી જણાવ્યું કે “આવી શક્તિનો કદી પણ ઉપયોગ કરવો નહિ, કારણકે તેથી ધર્મમાં મનુષ્યો વધુ લાવી શકાય છે એમ બનતું નથી, તેમ બીજો કંઈ લાભ નથી.' (આથી બુદ્ધ તેવી શક્તિનો ઉપયોગ ન કરે તેમ સિદ્ધ થતું નથી.) તે તીર્થિકો નિરાશા પામી બિમ્બિસાર રાજા પાસેથી ઉત્તેજન ન મળતાં શ્રાવસ્તીમાં પ્રસેનજિતુ રાજા પાસે ગયા. બુદ્ધે પોતાની શક્તિથી ત્યાં આકાશમાર્ગે જઈ અનેક ચમત્કાર રાજા અને તીર્થિકો તેમજ લોક સમક્ષ બતાવ્યા. આથી છએ તીર્થિકો મુગ્ધ થયા. તેથી બુદ્દે જણાવ્યું કે જ્યાં સુધી સૂર્ય પ્રકાશતો નથી ત્યાં સુધી આગિયો ચળકાટ મારે છે પણ જ્યારે સૂર્ય ઊગે છે, કે તે આગિયો કિરણોથી અંજાઈ જઈ ચળકાટ બિલકુલ મારી શકતો નથી. આથી પૂરણ કાશ્યપે કૂવામાં ડૂબી આત્મઘાત કર્યો. ૧ પછી બુદ્ધ સ્વર્ગમાં જઈ પોતાની માતા માયાને અભિધર્મ સમજાવ્યો. ત્યાં ત્રણ માસ રહી વિશ્વકર્મા દ્વારા બનાવેલી નિસરણીથી સંકાશ્ય નામના સ્થળે ઊતર્યા. અને ત્યાંથી શ્રાવસ્તી આવ્યા. તીર્થિકોએ તેની કીર્તિથી અસહશીલ થઈ તેની વિરુદ્ધ આક્ષેપ – માનહાનિ થાય તેમ કરવાની યુક્તિ રચી. ચિંચા નામની એક તરુણી જે પોતાની ધમનુયાયી હતી તેને ઊભી કરી. તેણીએ બુદ્ધ પર પોતાની સાથે આડો વ્યવહાર રાખવાનું આળ નાખ્યું પણ તેમાં તે ફાવી શકી નહિ. તેમણે આઠમું ચાતુર્માસ ભગંદેશમાં ગાળ્યું. નવમું કૌશામ્બીમાં ગાળ્યું. આ વખતે સંઘમાં કલહ થયો. એકે અમુક નિયમનો ભંગ કરતાં બીજાએ તેને ઉઘાડો કર્યો. આ કલહ વધી પડતાં બુદ્ધ વચમાં પડ્યા પણ શમ્યો નહિ. પછી બુદ્ધ ચાલી ગયા. કેટલોક વખત વીત્યા બાદ ફરી વાર તે બાબત પર નિર્ણય આપવાનું કહેવામાં આવતાં તેમણે તે કલહ પતાવ્યો. અગિયારમું ચાતુર્માસ રાજગૃહ પાસે થયું. એકદા એક ખેતર પાસેથી બુદ્ધ જતા હતા. ત્યાં એક બ્રાહ્મણ ખેતીનું કામ મજૂર પાસે કરાવતો હતો તે બોલ્યો “અરે ! શ્રમણ ! હું ખેડીને વાવું છું અને તેમ કરી આજીવિકા ચલાવું છું. તું પણ ખેડી-વાવી તે પર નિર્વાહ ચલાવ.” બુદ્ધે કહ્યું “અરે ! બ્રાહ્મણ ! હું પણ ખેડીને વાવું છું અને તેમ કરી મારો ખોરાક કમાઉં છું.” બ્રાહ્મણે આશ્ચર્યચકિત થઈ કહ્યું, હું તો તેમ જોતો નથી, કારણકે તમારી પાસે નથી હળ કે બળદ, તો પછી કેમ કરો છો ?' બુદ્ધે કહ્યું, “શ્રદ્ધા એ બીજ છે કે જે હું વાવું છું, ભક્તિ તે વરસાદ છે, વિનય તે હળનો સળિયો છે, મન તે ધૂંસરીનું બંધન છે, સાવધાનતા તે મારું હળ છે. સત્ય તે બાંધવાનું હથિયાર ૧-૨. આ વાત સત્યથી વેગળી લાગે છે. છએ તીર્થિકો ભેગા થાય છે અને છેવટે બુદ્ધ અભિમાનયુક્ત કથનો કહે વગેરે માની શકાય તેમ નથી. આ ઉપરાંત ત્યાર પછીનાં કથન પણ કલ્પનામાં આવી શકે તેમ નથી. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો છે, અને કોમલતા તે છોડવાનું હથિયાર છે. શક્તિ તે મારા બળદ છે. આથી હું એવા માર્ગ પર જાઉં છું કે જ્યાં બિલકુલ દુઃખ નથી.' આથી આ બ્રાહ્મણ – બૌદ્ધ ધર્માનુયાયી થયો. બારમું ચાતુર્માસ વેજા વરંતિ – વૈરંત્ય) ગામમાં અને તેરમું શ્રાવસ્તી અને ચાલિકામાં ગાળ્યું. ૧૪મું જેતવનમાં ગાળ્યું કે જ્યાં રાહુલે ઉપસંપદા દીક્ષા લીધી. તે જ વર્ષમાં કપિલવસ્તુ ગયા. ત્યાં તેમના સસરા સુપ્રતિબદ્ધ દારૂથી મત્ત બની બુદ્ધના માર્ગમાં આડા ઊભી ગાળો આપી. બુદ્ધ આનંદને આગાહી સંભળાવી કે આજથી બારમે દિવસે પૃથ્વીમાં તે ગળી જશે. ને બરાબર તે જ દિવસે પૃથ્વી ફાટી ને તે અંદર જઈ મરણ પામ્યો. કપિલવસ્તુથી જેતવન અને ત્યાંથી આલાવી તરફ આવતાં બાલકભક્ષક યક્ષને ધર્મ પમાડ્યો. યક્ષે કહ્યું, હું કેટલાક પ્રશ્નો પૂછીશ અને તેનો ઉત્તર નહિ આપવામાં આવે તો હૃદય ચીરી ગંગાનદીમાં તને ફેંદી દઈશ.” યક્ષ પ્રશ્ન પૂછતો ગયો અને બુદ્ધ યથાર્થ ઉત્તર આપ્યા. તેથી યક્ષ તેનો શિષ્ય થયો અને ત્યાં એક વિહાર બાંધી આપ્યો. સત્તરમું ચાતુર્માસ રાજગૃહ, ૧૮મું ચાલિકા, ૧૯મું વેણુવનમાં, ૨૦મું જેતવનમાં ગાળ્યું. આનંદ બુદ્ધનો ઉપસ્થાપક (હમેશાં સાથે રહેનાર તરીકે) નિમાયો. અંગુલિમાલ નામનો જબરો લૂંટારો બુદ્ધના ઉપદેશથી ધર્મમાં આવ્યો અને અર્વત્ થયો. આ વખતે કેટલાક વિરોધક તીર્થિકોએ પ્રપંચ કરી કેટલાક પાસે સુંદરી નામની ભિક્ષુણીનું ખૂન કરાવી તેનું મૃત શરીર જેતવનની ઝાડીમાં રખાવ્યું. અને લોકમાં તે મડદું માલુમ પડતાં બૂમ ઉડાવી કે ગૌતમે તેણીનું ખૂન કર્યું છે. પણ ખરી વાત પ્રગટ થઈ ગઈ અને તીર્થિકો તરફ તિરસ્કાર છૂટ્યો. આ વખતે અનાથપિંડિકે પોતાની પુત્રીને અંગદેશમાંના પોતાના એક મિત્રના પુત્ર સાથે પરણાવી હતી. તે મિત્ર નગ્ન સંન્યાસીના મતવાળો હતો, તેથી તેણે પુત્રવધૂ ઘેર આવતાં નગ્ન સાધુને નમન કરવા કહ્યું, પણ તેણીએ તેમ કરવા ના પાડી. આમ કરીને તેણીએ સાસુ અને બીજી સ્ત્રીઓમાં બુદ્ધનાં દર્શન કરવા ઇચ્છા જગાવી. બુદ્ધ દિવ્યચક્ષુથી અંગદેશમાંનું આ દશ્ય જોયું કે તરત જ ત્યાં જઈ સર્વને પ્રસન્ન કરી પોતાના ધર્મમાં લીધા. અંગમાં અનુરુદ્ધ નામના શિષ્યને ધર્મપ્રચારાર્થે મૂકી બુદ્ધ શ્રાવસ્તીમાં આવ્યા. આ પછીનાં ૨૩ વર્ષનો બુદ્ધ સંબંધે ઇતિહાસ પૂરો મળતો નથી. છૂટાછવાયા પ્રસંગો મળી આવે છે. એક અદ્ભુત બનાવોનું પ્રકરણ અહીં આવે છે. બુદ્ધની ઉંમર ૩૨ વર્ષની થઈ ત્યારે બિમ્બિસાર રાજાનું મૃત્યુ થયું હતું અને પિતાવધ કરનાર તેનો પુત્ર અજાતશત્રુ ગાદી પર આવ્યો હતો. બુદ્ધની કીર્તિ સહન ન કરવાથી તેના શિષ્ય દેવદત્તમાં ઈષ્યની અગ્નિ જ્વલિત થઈ હતી. પોતાની સિદ્ધિથી દેવદત્તે રાજપુત્ર અજાતશત્રુની કૃપા મેળવી હતી. અને તેથી સંઘનો નાયક થવાની તેણે મહત્ત્વાકાંક્ષા રાખી હતી. એકદા બુદ્ધ રાજગૃહમાં વેણુવન વિહારમાં રહેતા હતા ત્યારે દેવદત્તે જણાવ્યું કે બુદ્ધ વૃદ્ધ થયેલ છે તેથી સંઘનું Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર જીવન ૨૯૩ નાયકપદ છોડી પોતાને આપવું. બુદ્ધને ત્રણ વખત પૂછતાં ત્રણ વખત ના પાડવાથી દેવદત્ત તે ક્ષણથી તેની વિરુદ્ધ પ્રપંચ કરવા લાગ્યો. બુદ્ધ સંઘને દેવદત્તનું બિલકુલ નહિ માનવાનું કહેતાં દેવદત્ત ક્રોધિત થઈ અજાતશત્રુ વૈદેહી પુત્ર પાસે જઈ તેને કહ્યું, ‘તું તારા પિતાને મારી નાંખી રાજા થા અને હું બુદ્ધને મારી બુદ્ધ થઈશ.” અજાતશત્રુએ પિતાને મારવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તે પકડાઈ ગયા. એટલે પિતાએ રાજીખુશીથી ઉદારભાવે ગાદી છોડી અજાતશત્રુને આપી. (બીજા ગ્રંથોમાંથી એમ મળી આવે છે કે અજાતશત્રુએ બિમ્બિસારનું ખૂન કર્યું હતું.) અજાતશત્રની મદદથી દેવદત્તે ૧૬ મારા મોકલી બુદ્ધને ઠાર મારવાનો પ્રયત્ન કર્યો અને પછી પણ ઘણા પ્રયત્નો કર્યા, પણ પાર ન પડયા. ઊલટા તે મારા બુદ્ધના ઉપાસક થયા; ત્યારે બુદ્ધ ગૃધ્રકૂટ પર્વત ઉપર ચાલતા હતા ત્યારે મોટો પથ્થર ફેંક્યો પણ તે પણ ન લાગ્યો કારણકે બુદ્ધના ચમત્કારથી પાસપાસેના બે પર્વત ભેગા થઈ ગયા ને પથ્થર અટકી ગયો. છેવટે બુદ્ધ રાજગૃહમાં ભિક્ષા અર્થે વિચરતા હતા ત્યારે તેના પર નાલાગિરિ નામનો મસ્ત હાથી છોડ્યો. બુદ્ધે પ્રેમાળ દષ્ટિથી તેના તરફ જોતાં તે નરમ થઈ ઊભો રહ્યો, અને તેમની ચરણરજ હાથીએ પોતાના માથા પર નાખી. ત્યાંથી તે સીધો હસ્તિશાળામાં જઈ ઊભો. લોકો આથી ચકિત થયા અને કહેવા લાગ્યા दण्डेनेके दमयन्ति अंकसेहि कसाहि च । अदण्डेन असस्थेन नागो दन्तो महेसिना ।. – કોઈ લાકડીથી, કોઈ અંકુશથી, કોઈ ચાબુકથી દમન કરે છે, પણ મહર્ષિ બુદ્ધ લાકડી કે કોઈપણ શસ્ત્ર વગર જ હાથીનું દમન કર્યું. આ રીતે બુદ્ધના વધના બધા પ્રયત્નો વ્યર્થ જવાથી દેવદત્ત સંઘમાં ભેદભાવ ઉત્પન્ન કરવાની નવીન યુક્તિ કરી. દેહદંડને મદદ થાય એવી રીતના નવીન નિયમ ભિક્ષુસંઘ માટે બુદ્ધ કરવાના નથી એ તેની પૂરી ખાતરી હતી. તેથી તેને કેટલાક નવા નિયમ યોજવાનું કહેવું અને તે માન્ય નહિ કરશે એટલે તેઓ લોકોને પૂર્ણ વૈરાગ્ય શીખવતા નથી એવો પોકાર કરી સંઘના ભિક્ષુઓને પોતાના પક્ષમાં લેવાનો વિચાર રાખ્યો. આથી તે કોકલિક કટમોરક – તિસ્મક, ખંડદેવીપુત્ત અને સમુદ્રદત્તને સમજાવી બુદ્ધ પાસે લઈ ગયો અને સાથે પોતાના મતના લોકોને એકઠા પણ કર્યા. બુદ્ધને નમસ્કાર કરીને એક બાજુએ બેઠા પછી તે બોલ્યો “ભગવદ્, આપ અલ્પ ઇચ્છાવાળા અને સંતુષ્ટ મનુષ્યના ગુણનું વર્ણન કરો છો, તો આ નવીન પાંચ નિયમ ભિક્ષુસંઘને પાળવા માટે આપ ઠરાવી આપો કારણકે તે અલ્પચ્છતા અને સંતોષ વધારશે. (૧) ભિક્ષુએ માવજીવ અરણ્યમાં રહેવું. ગામમાં રહે તે ભિક્ષુને દોષિત ઠરાવવો. (૨) ભિક્ષુએ માવજીવ ભિક્ષાત્ર પર જ નિર્વાહ કરવો. જે આમંત્રણ સ્વીકારી જમવા જાય તેને દૂષિત ઠરાવવો. (૩) ભિક્ષુએ માવજીવ રસ્તામાં પડેલાં ચીંથરાંઓમાંથી બનાવેલા ચીવર ઉપર નિર્વાહ કરવો. જે ભિક્ષુ ગૃહસ્થ આપેલ વસ્ત્ર લઈને તેનાં ચીવર બનાવે તેને દોષિત ઠરાવવો. (૪) ભિક્ષુએ માવજીવ વૃક્ષ નીચે વાસ કરવો. જે ભિક્ષુ આચ્છાદિત (ઝૂંપડી વગેરે) સ્થળે વાસ કરે તેને દોષિત ઠરાવવો. (૫) ભિક્ષુએ. માવજીવ માંસ-માછલી ખાવાં નહિ. જે ભિક્ષુ તે ખાય તેને દોષિત ઠરાવવો. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બુદ્ધ બોલ્યા : “દેવદત્ત ! આ નવીન પાંચ નિયમની કાંઈ જરૂર નથી. જેની ઈચ્છા હોય, તેણે અરણ્યમાં જ રહેવું અને ન હોય તેણે ગામની નજીક રહેવું. જેની ઈચ્છા હોય તેણે ભિક્ષા ઉપર જ નિર્વાહ કરવો, અને ન હોય તેણે આમંત્રણ સ્વીકારીને જમવા જવું. જેની ઈચ્છા હોય તેણે ચીંથરાના ચીવર ઉપર નિર્વાહ કરવો. અને ઇચ્છા ન હોય તેણે ગૃહસ્થ આપેલા વસ્ત્રનું ચીવર સીવવાની હરકત નથી. (વરસાદના ચાર માસ બાદ કરીને) આઠ મહિના વૃક્ષ નીચે રહેવાની મેં પરવાનગી આપી છે જ. ભિક્ષાત્ર તૈયાર કરવા માટે જ માછલીઓ મારી છે, એવું જો ભિક્ષુએ જોયું, સાંભળ્યું હોય અથવા તેવી શંકા પડી હોય તો તે માછલીઓનું ગ્રહણ કરવું નહિ, નહિતર ગ્રહણ કરવામાં હરકત નથી.” આ સાંભળી દેવદત્તને મનગમતું થયું. તેણે રાજગૃહમાં આ વાત જ્યાં ત્યાં પ્રસિદ્ધ કરીને કેટલાએક ભિક્ષુઓને અને ઉપાસકોને પોતા તરફ વાળ્યા. આ વાત જાણીને બુદ્ધના મુખ્ય શિષ્યો સારિપુત્ત અને મોગ્યલાન દેવદત્ત પાસે ગયા. દેવદત્તે પોતાનામાં તેઓ આવ્યા છે એવું માની તેમને ઉપદેશ આપવા કહ્યું અને પોતે નિદ્રા લીધી. આ બંનેએ ઉપદેશથી સંઘ છોડી ગયેલા ૫૦૦ ભિક્ષુઓને ફરીથી સંઘમાં આણ્યા. દેવદત્તને નિદ્રામાંથી કોકલિકે જગાડ્યો ત્યારે તેણે આ સાંભળ્યું. તરત એના મુખમાંથી રક્તસ્ત્રાવા થયો અને પછી મરણ પામ્યો. અજાતશત્રને પોતાના પિતાનો વધ કરવાથી ઘણો પશ્ચાત્તાપ થયો. તેનું નિવારણ છએ તીર્થિક ન કરી શક્યા એટલે બુદ્ધ પાસે આવ્યો અને તેનો ઉપદેશ સાંભળી બૌદ્ધ થયો. અજાતશત્રુના રાજ્યારોહણથી 9માં વર્ષે શાક્ય જાતિ દુર્ભાગ્યવશ થઈ. કોશલના રાજા પ્રસેનજિતને કપિલવસ્તુના શુદ્ધોદન રાજા (બુદ્ધના બાપ)ના પછી રાજ પર આવેલ મહાનામા ને ગુલામજાતિની કન્યાથી થયેલ પુત્રી નામે વાસભખ્ખત્તિયાથી વિદુદાભ (સં. વિદુદાભ) નામનો પુત્ર થયો હતો. પ્રસેનજિતુ આ લગ્ન છળકપટથી કરવામાં આવ્યાં હતાં તે જાણવાથી અને તેથી શાક્ય તેને તેમ જણાવી ખીજવવાથી વિદૂદાભે વૈર લેવાનો નિશ્ચય કર્યો. સેનાધિપતિ દીઘ-કારાયનની સહાયથી પોતાના પિતા પ્રસેનજિતને રાજ્ય પરથી ઉઠાડી મૂક્યો આથી પ્રસેનજિતુ શ્રાવસ્તીમાંથી નાસી ગયો ને પછી મરણ પામ્યો. વિદુદાભે કપિલવસ્તુ પર આક્રમણ કરી શાક્ય જાતિનો નાશ કર્યો અને પછી પોતે પણ એકાએક જલનું પૂર આવવાથી પોતાની કોશલ જાતિ સાથે દુ:ખદાયક રીતે મરણ પામ્યો. (એક બીજા બૌદ્ધ ગ્રંથમાં વિદુદાભને બદલે વિરુદ્ધક, તેની માનું નામ માલિકા અને સેનાપતિનું નામ દીર્ઘ-ચારાયણ જણાવેલ છે.) અંતિમ વર્ષ : પરિનિર્વાણ ૭૯માં વર્ષની વયે બુદ્ધ રાજગૃહ પાસે રહ્યા હતા ત્યારે વૈશાલીના વ્રજી જાતિ સાથે યુદ્ધ કરવાની અજાતશત્રુએ તૈયારી કરી. આ સંબંધે પોતાના બ્રાહ્મણ મંત્રી વર્ષકારની સાથે બુદ્ધને કહેવરાવ્યું, ત્યારે બુદ્ધે કહ્યું કે જ્યાં સુધી વ્રજી સંપથી રહે છે અને ચારિત્રમાં સદ્ગુણી અને ધાર્મિક છે ત્યાં સુધી તેઓની સંપત્તિ વૃદ્ધિગત થશે Page #324 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વર્ષ : પરિનિર્વાણ ૨૯૫ અને કફીણ થશે નહિ.” વર્પકારે રાજા જીતી શકશે નહિ એમ બુદ્ધનો સંદેશ અજાતશત્રુને કહ્યો. એક દિવસે બુદ્ધ શિષ્યોને શીલ, સમાધિ અને પ્રજ્ઞાના લાભ સમજાવ્યા અને પછી અંબાલત્યિકા (રાજગૃહ અને નાલંદાની વચમાં) સર્વ શિષ્યો સાથે જઈ ત્યાંથી નાલંદા, જઈને ત્યાંથી પાટલિપુત્ર તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ ઉપાસકોને પંચશીલનો ઉપદેશ કર્યો. તે છોડતાં પહેલાં તેમણે અગમચેતી કહી કે એક દિવસે પાટલિપુત્ર મહાનું શહેર થશે, પણ તે સાથે તેને ત્રણ મહાનું જોખમ નામે અગ્નિ અગ્નિ, પાણી, કંપ ? આવશે. (આ વખતે સુનીથ અને વર્ષકાર રાજાની આજ્ઞાથી તેને ફરતો કોટ વ્રજીને અટકાવવા માટે બાંધતા હતા.) ત્યાંથી નીકળતાં જે દરવાજામાંથી પસાર થયા તેને “ગૌતમ દ્વાર’ એ નામ આપવામાં આવ્યું. પછી ગંગા નદી આવી. પાણી છલોછલ હતું અને હડી કે તરવાનું સાધન હતું નહિ એટલે બુદ્ધ સર્વને સાથે લઈ અદશ્ય થઈ સામે તીરે પહોંચ્યા. ત્યાંથી કોટિગ્રામ, નાડિકા, થઈને વૈશાલી આવ્યા અને આમ્રપાલીના આમ્રવનમાં ઊતર્યા. આમ્રપાલી વેશ્યા બુદ્ધનું આગમન સાંભળી પોતાના પરિવાર સહિત રથમાં બેસી તેમની પાસે આવી અને બુદ્ધને સર્વ સંઘ સાથે બીજે દિવસે પોતાને ત્યાં જમવા આવવાનું આમંત્રણ આપ્યું, જે સ્વીકારવામાં આવ્યું. તે જ દિવસે લિચ્છવી જાતિના રાજકુમારો તેવું જ આમંત્રણ આપવા આવ્યા પણ તેમણે તે વેશ્યાનું આમંત્રણ સ્વીકાર્યું છે એમ કહી જણાવ્યું કે હવે તે સ્વીકારી શકાશે નહિ.' આમ્રપાલીએ બીજે દિવસે ભોજનાતિથ્ય કરી સંઘને પોતાનું વન અર્પણ કર્યું. વૈશાલીમાંથી નીકળી પાસેના બેલુર નામના ગામમાં છેલ્લું ચોમાસું ગાળ્યું. ત્યાં ભારે માંદગી આવી પણ દેઢ ઇચ્છ,બળથી તેનું નિવારણ, તુરત કર્યું. આ વખતે ૮૦ વપનું વય હતું અને મરણ તેમને નજીક જણાયું. આનંદને પોતે જણાવ્યું કે “જો. પોતે છે તો એક કલ્પ સુધી એક જ ભવમાં પોતાની ચમત્કારિક શક્તિથી રહી શકે.” પણ આનંદ મારથી અભિભૂત હતોતેથી આ સૂચના સમજી શક્યો નહિ અને કલ્પપત. રહેવા ગુરુને વિનતિ નહિ કરી. આ વખતે મારે પણ બુદ્ધને આ જન્મમાં વધુ વખત નહિ રહેવાને લલચાવ્યા, પણ બધે જણાવ્યું, ‘જ્યાં સુધી પોતાનો ધર્મ દેઢ નહિ થશે ત્યાં સુધી પોતે મરણ નહિ પામે.” ત્યારે મારે કહ્યું, ધર્મ ક્યારનો સ્થાપિત થઈ ગયો છે.' ભગવાને ઉત્તર આપ્યો, ‘સેતાન, સંતુષ્ટ થા. પરિનિર્વાણ સુરતમાં -- આજથી ત્રણ મહિને થશે.” ત્યાં થી ડો વખત ધર્મ સંબંધે સ ચ કરી મહાવનમાં આવેલા કુટાગારમાં સ્થિત થયા. એ વખતે સારિપુત્ર અને પછી તરત જ મૌદૂગલ્યાયન મરણ પામ્યા. - બુદ્ધ પાવી જઈ ચુંડા નામના લુહારના આમ્રવનમાં રહ્યા. ત્યાં તે લુહારે પોતાને ઘેર આવી બીજે દિવસે ભોજન લેવા આમંત્રણ કર્યું એટલે તે સ્વીકારી બુદ્ધ ત્યાંથી બીજે દિવસે તુક્કરનું માંસ લઈ આવ્યા. આ પોતે ખાધું અને શિષ્યોએ. બીજો ખોરાક ખાધો. ભોજન કરી બુદ્ધે ચુંડાને કહ્યું કે જે બાકી રહ્યું છે તે તું દાટી, આવ. કારણ કે આવો. ખોરાક તથાગત, સિવાય કોઈપણ પચાવી ન શકે.' આમ છતાં પણ. તરત જ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બુદ્ધને ઝાડો – મરડો થયો. કુરિના. જતાં જતાં બહુ નિર્બળતા આવી ગઈ અને નીચે. બેસી ગયા ને આનંદ પાસેથી પાણી મંગાવી પીધું. આ વખતે આધાર કાલામનો શિષ્ય મુલ્લ જતિનો એક તરણ નામે પૂક્કસ બૌદ્ધ થયો અને તેણે બુદ્ધને સોનેરી કપડાંની જોડ આપી જેમાંનું એક પોતે રાખી બીજું આનંદને આપ્યું. પછી બુદ્ધ કકુત્થા નદીમાં જઈ સ્નાન કર્યું. પછી તે ઊતરીને કુરિનારા (કુશિનગર)ના ઉપવર્તનમાં એક વનમાં આવી છે શાલવૃક્ષ નીચે પથારી કરવી તે પર મસ્તક ઉત્તર તરફ રાખી જમણે પાસે સિંહની માફક એક પગ બીજા પર ટકાવી સૂતા. આ વખતે થોડા કલાકો પરિનિર્વાણને રહ્યા હતા, તે દરમ્યાને ઉપદેશ કરવો ચાલુ રાખ્યો. તેમાં એ પણ જણાવ્યું કે દરેક ચુસ્ત બૌદ્ધે ચાર સ્થળ નામે તથાગતની જન્મભૂમિ, બોધિ જ્યાં પામ્યા તે સ્થળ, જયાં ધર્મચક્રપ્રવર્તન પ્રથમ કર્યું તે સ્થળ અને પરિનિવાણભૂમિની ઘણા માનપૂર્વક મુલાકાત લેવી – યાત્રા કરવી. જે આવી યાત્રા કરશે તે મરણ પછી સુખવાળાં વર્ગો પ્રાપ્ત કરશે.' પછી પોતાના શિષ્યોને પોતાના શબના સંસ્કાર માટે શ્રમ ન લેવા કહ્યું કારણકે એવા બીજા ઘણા છે કે જે પોતાને ચક્રવર્તી ગણી તે માટે સર્વ કરશે. સૂપને લાયક ચાર પ્રકારના મહાપુરુષો છે. નામે તથાગત, પ્રત્યેકબુદ્ધ, તથાગતનો શિષ્ય અને ચકવર્તી. આ વખતે આનંદ રડી પડ્યો. પણ બુદ્ધ દિલાસો આપી શાંત કર્યો. પરિનિર્વાણની રાત્રે સુભદ્ર નામનો અન્યતીર્થિક સાધુ બુદ્ધને મળવા આવ્યો. બુદ્ધ આર્ય અષ્ટાંગિક માર્ગ અને આર્યસત્યનો ઉપદેશ આપ્યો તેથી તે બૌદ્ધ થયો. પછી, છેલ્લે તેણે સર્વ ભિલું સંઘને જણાવ્યું “ભિક્ષુઓ ! હવે મારે એટલું જ કહેવાનું છે કે દરેક વસ્તુ છે તે નાશવંત છે. ઉત્સાહપૂર્વક નિર્વાણ માટે પ્રયત્ન કરજો.” આ અંતિમ વચનો કહ્યા પછી પ્રથમ ધ્યાનાવસ્થામાં પ્રવેશ કરી, બીજી ત્રીજી અને ચોથી ધ્યાનદશા અનુક્રમે પસાર કરી. ચોથી ધ્યાનાવસ્થામાં અનંત આકાશમાં, ત્યાંથી અનંત સંજ્ઞામાં, ત્યાંથી અનંત શુન્યતામાં, ત્યાંથી અનંત ન વિજ્ઞાન ન અવિજ્ઞાનમાં અને પછી એવી અવસ્થામાં આવ્યા કે જયાં તદ્દન વિજ્ઞાનનો નાશ છે. પુનઃ ત્યાંથી પુનરાવર્તન કરી એક – પછી એક અવસ્થા છેલ્લેથી પહેલે સુધી પસાર કરી. પાછી પ્રથમ ધ્યાનાવરથામાંથી બીજી, ત્રીજી અને ચતુર્થ ધ્યાનાવસ્થામાં આવ્યા ને ત્યારપછી નિવાણ પામ્યા. પછી આ રાત્રીને અંતે અનુદ્ધ નામના શિષ્ય આનંદને મલ્લજાતિના કુમારોને બુદ્ધનિર્વાણ સંબંધી ખબર આપવા મોકલ્યો. તેઓએ આવી અતિ ઉત્તમપણે મહોત્સવ કર્યો. શબને અગ્નિસંસ્કાર મહાકાયપ આવ્યા પછી થયો. અસ્થિ રહ્યાં. તેમાંથી એક ભાગ પોતાને આપવા માટે અજાતશત્રુ રાજાએ કરાવી મોકલ્યું. વૈશાલીના લિચ્છવીઓએ, કપિલવસ્તુના શાક્યોએ, અલ્લક પૂના બલિઓ એ, ગમગ્રામના કોલીઓએ, પાવાના. મલ્લો એ અને વેથદીપના એક બ્રાહ્મણે પણ તેવો હક્ક - ભાગ માગ્યો. અને તે સર્વેએ તે પર સ્તૂપ કરવાનું વચન આપ્યું. પહેલાં સિનારાના મલ્લો તે અવશેષનો કોઈ પણ ભાગ આપવા માંગતા નહિ, પરંતુ દ્રોણે બ્રાહ્મણે અસરકારક ઉપદેશ કરી જણાવ્યું કે બુદ્ધના અવશેષો પર સ્તૂપ થવી જોઈએ અને આ ભાગમાં તેને વહેંચવાથી આઠ સ્તૂપ થશે અને તેથી બુદ્ધ પરની શ્રદ્ધા વૃદ્ધિ પામો: Page #326 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વર્ષ : પરિનિર્વાણ આથી તેઓ સંમત થયા. દ્રોણે આઠ સરખા ભાગ સર્વના કહેવાથી કરી આપ્યા. પોતે એક તેમનું પાત્ર રાખી તે પર સ્તૂપ કરાવ્યો. આ પછી પિપ્પલિવનના મૌર્યોએ એક ભાગ માગ્યો, પણ કંઈ બાકી ન હતું તેથી તે નિર્વાણભૂમિના કોલસાથી સંતોષ માની તે પર એક સ્તૂપ તેમણે બંધાવ્યો. આ રીતે આઠ સ્તૂપ થયા હતા. ૧. રાજગ્રહમાં, ૨. વૈશાલીમાં, ૩. કપિલવસ્તુમાં, ૪. અલ્લકપ્પમાં, ૫. રામગ્રામમાં, ૬. વેથદીપમાં ૭. પાવામાં અને ૮. કુસિનારામાં. આ ઉપરાંત દ્રોણે અને મૌર્યોએ સ્તૂપ કર્યાં તે જુદા. આ રીતે દંતકથા અને ચમત્કારમિશ્રિત બુદ્ધની ચિરત્રકથા પૂરી થાય છે. આમાં અલંકાર અને કલ્પનાથી મિશ્રિત ઐતિહાસિક તત્ત્વો ' અવશ્ય છે અને સૂક્ષ્મતાથી _વિચારતાં તે પ્રતીત થાય તેમ છે, છતાં તે વીણીને બરાબર યથાર્થરૂપે એકપણ પુસ્તકમાં એકત્રિત કરવામાં આવ્યાં નથી તેથી પ્રથમ તે ૫૨ મદાર બાંધી તે લખવા વિચાર હતો તોપણ આવી કથાથી સંતોષ માનવો પડ્યો છે. આશા છે કે ઇતિહાસપ્રિય સજ્જનો આમાંથી અનેક ઐતિહાસિક બાબતો પ્રાપ્ત કરી શકશે.[૧] ૨૯૭ [૧. ‘Gotama Buddha.'-Hajimo Nokamuta (1977, 1987) (Buddhist Books International, Los Angeles - Tokyo) ઉપયોગી થાય તેમ છે.] Page #327 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ : બૌદ્ધ મતના સિદ્ધાંતો બૌદ્ધ ધર્મનો ઉદયકાલ – તે સમયના ભારતના ધાર્મિક વિચાર અને આદર્શ ભારતના પ્રાચીન ઇતિહાસનાં સાધનોને અભાવે બુદ્ધના નિર્વાણના કાલનો નિર્ણય ચોક્કસ રીતે થઈ શકતો નથી. છતાં વિશ્વાસપૂર્વક કહી શકીએ કે બૌદ્ધ ધર્મનો ઉદય ઉપનિષત્કાલના પૂર્ણ થવા સાથે જ લગભગ થાય છે. બુદ્ધના સિદ્ધાંતો પરથી જ સ્પષ્ટ જણાય છે કે વેદાંતના સિદ્ધાંતો આગળ વધ્યા હતા કે જે ચર્ચાત્મક રીતિએ પાછળથી બ્રહ્મસૂત્રોમાં પરિણમ્યા. યોગપ્રક્રિયાઓ બુદ્ધના વખતમાં સારી રીતે જાણીતી હતી અને તે પાછળથી પતંજલિએ યોગસૂત્રમાં સ્પષ્ટ કારે મૂકી. વેદાંતીઓએ આનો નિષેધ કે વિધિ પ્રતિપાદિત કરેલ નથી. કર્મનો સિદ્ધાંત લોકોમાં એટલો બધો પ્રચલિત અને અંતસ્પર્શી થયો હતો કે તે બૌદ્ધ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા ન હોવા છતાં પણ – તે બૌદ્ધ નાતિવાદને અનાત્મવાદને કર્મસિદ્ધાંત તદન પ્રતિકૂળ હોવા છતાં બુદ્ધે ગમે તેમ - બલાત્કારે પણ પોતાના ઉપદેશમાં ઠેસવી દીધો લાગે છે. બૌદ્ધ ધર્મના ઉદયકાલે ભારતવર્ષમાં જે જે દર્શનો હતાં તે સર્વેએ સંસારને દુઃખરૂપે માની તેમાંથી મુક્તિ મેળવવાને – પરભવનો અંત આણવાને પોતાના વિચાર અને તત્ત્વજ્ઞાનના આદર્શને લંબાવ્યા છે. સર્વ કહે છે કે સંસાર દુઃખમય છે, તે સંસારમાંથી મુક્તિ મેળવવી એ જ પરમ અને અંતિમ સાધ્ય છે અને તે મોક્ષ મેળવવાનો માર્ગ છે અને તે માર્ગ અંતરંગ અજ્ઞાનને દૂર કરી પરમ સત્યની પ્રાપ્તિ કરવી તે છે. હવે તે પરમ સત્ય – ઉમાં ઉચ્ચ સત્ વસ્તુ શું છે તે સંબંધી જુદાંજુદાં દર્શનોએ શબ્દભેદે જુદીજુદી પ્રરૂપણા કરી છે. વેદાંતીઓ એમ કહે છે કે પરમાત્માની પ્રત્યગાત્મા - જીવાત્મા સાથે એકરૂપતા એ જ પરમપદપ્રાપ્તિ છે. સાંખ્ય એમ કહે છે કે આત્મા જડ (પ્રકૃતિ)થી પોતે વીંટાયો છે તેથી જુદો છે, જ્યારે તે પ્રકૃતિ નિત્ય, અનાદિ છે. બૌદ્ધ એમ સ્વીકારે છે કે આત્મા જેવા પદાર્થનું અસ્તિત્વ નથી અને તેથી પરમાત્મા જેવું તો હોય જ નહિ. પરમ સત્યે તે તેમાં કથેલાં ચાર આર્ય સત્ય છે. “બ્રાહ્મણોનાં જે છ દર્શન છે તેમના કાલનો સ્પષ્ટ નિર્ણય જાણવામાં આવ્યો નથી, પરંતુ તેમના સિદ્ધાંતોની પરસ્પર સંબંધપૂર્વક પર્યાલોચના કરી જોતાં કંઈક એવો ક્રમ સમજાય છે કે ન્યાય, વૈશેષિકસાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એમ પ્રવૃત્તિ થઈ હોય, પરંતુ તે છએ દર્શન સમકાલીન ન હોય એમ કહી શકતું નથી. આ છ દર્શન વેદિક – વેદાનુયાયી છે.” ચાર્વાક, જૈન અને બૌદ્ધ એ દર્શનો વેદને અપૌરુષેય, અનાદિ, અને પરમસત્ય – પરમતત્ત્વના અવિરોધી પ્રતિપાદક તરીકે માનતા નથી, તેથી બ્રાહ્મણો તેને વેદબાહ્ય લેખી માન્ય રાખતા નથી. બ્રાહ્મણો વેદને મૂલ જ્ઞાનરાશિ માને છે અને તેમાં લખેલી આજ્ઞાઓ પર વેદાંગભૂત બ્રાહ્મણગ્રંથો રચાયેલા છે. બ્રિાહ્મણગ્રંથોમાં વેદના મંત્રોનો વિનિયોગ બતાવ્યો છે. “વેદાંગ' શબ્દ એમને માટે ઉચિત નથી, કારણકે વેદસંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ એ સર્વને માટે “વેદ” કે “શ્રુતિ' શબ્દ પ્રયોજાય છે. વેદાંગ તો કલ્પ, શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એ છે.] Page #328 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ – તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા ૨૯૯ તે વેદના અંતરૂપ એટલે વેદાંત. એ વેદમાં પ્રતિપાદિત કર્મ અને ઉપાસનાનું પર્યવસાન છે અને તે ઉપનિષદો છે. તે વેદપ્રતિપાદ્ય, કર્મ તથા ઉપાસનાને અનુસરીને શ્રૌતસૂત્રો, સ્માર્તસૂત્રો અને ધર્મસૂત્રો ઉપજાવેલાં છે અને સ્મૃતિઓની વ્યવસ્થા થઈ છે. ઉપનિષદોમાં બતાવેલા જ્ઞાનમાર્ગને અનુસરીને વેદાન્તસૂત્રોની વ્યવસ્થા થઈ છે. ચાર્વાક, જૈન અને બૌદ્ધ વેદધર્મથી વિસ્તરતી કર્મજાથી નિર્વેદ પામ્યા અને તેઓ વેદને અનાદિ અપૌરુષેય ગણતા નથી. નાસ્તિક ચાર્વાકે તદ્દન જડવાદી બની વેદની કર્મજાલને તોડી પાડી સ્વર્ગ અને મોક્ષની કેવલ ઉપેક્ષા કરી અને પૃથ્વી, અપૂ. તેજ, વાયુ – એ ચાર જ તત્ત્વથી વિશ્વની વ્યવસ્થા સાધી; જીવ – આત્મા એવું ભવાંતરગામી મનાય છે તે તેણે માન્યું નહિ અને જેમ કાથો, ચૂનો ને પાન મળતાં લાલ રંગ થાય છે અથવા મદિરાની સામગ્રીમાં સંઘાતબલથી માદક સામર્થ્ય ઊપજે છે તેમ ચાર તત્ત્વના મળવાથી ચેતના થાય છે એમ પોતાની વ્યવસ્થા કરી લીધી. ખાઈપીને આનંદ કરવામાં જ તેમણે પુરુષાર્થ માન્યો. ને પ્રત્યક્ષ વિના અન્ય પ્રમાણનો અનાદર કર્યો એટલે પરભવ, સ્વર્ગ અને મોક્ષ કોણે જોયાં છે ? એવો તર્ક ઉઠાવી તે પ્રત્યક્ષ પ્રમાણમાં આવતાં નથી માટે તેનો અસ્વીકાર કર્યો. આ વાદ આત્મવાદથી કેવલ વિરુદ્ધ અને જડવાદનો અત્યંત પ્રતિપાદક ઊઠ્યો. જૈન આત્મા, પુનર્જન્મ, કર્મસિદ્ધાંત વગેરે આસ્તિકદર્શનરૂપે સર્વ માને છે અને તેનું વિસ્તારથી વર્ણન આ સાથે જ આપ્યું છે. - બુદ્ધદેવે પ્રબોધેલ ધર્મ વેદ વિસ્તારેલી કર્મજાલમાં લોકો જે મોહ પામી ગયા હતા અને કર્મકાંડ તથા વર્ણાશ્રમથી વિસ્તારેલા ભેદને વળગી રહેવામાં ધર્મ અને સ્વર્ગમોક્ષાદિ માનતા હતા તે બધું મિથ્યા છે એમ બતાવી સર્વત્ર એકાકાર પ્રેમભાવ, મૈત્રીભાવ વિસ્તારવા માટે થયેલો મનાય છે. ધર્મધર્મના વિરોધમાં ન ઊતરતાં સર્વત્ર પ્રતિભાવ રાખવામાં – કરી બતાવવામાં મોક્ષ છે એ તેમનો ઉદ્ઘોષ હતો. સંસાર દુઃખમય છે માટે તેમાંથી છૂટવા માટે પ્રેમ – એકભાવ રાખજો એ તેમના ઉપદેશનું તત્વ હતું. આત્મા કે ઈશ્વર, જીવ ને શરીરનો સંબંધ વગેરે જે વિષયોને ઉકેલવામાં તત્ત્વજ્ઞાનની પ્રતિષ્ઠા છે તેમાં ન ઊતરતાં – તે સંબંધે વિવાદ કર્યો નથી, છતાં ચાર્વાકની પેઠે તે તદ્દન નાસ્તિક ભૂિતવાદી (જડ ચાર ભૂતોને માનનાર) ન હતા એમ સ્પષ્ટ જણાય છે, કેમકે તેમના ઉપદેશનું તત્ત્વ ત્યાગ, પ્રેમ, નીતિ એ ઉપર રહેલું છે અને કર્મનો સિદ્ધાંત જોકે જુદી રીતે પણ તે ઉપદેશે છે. બુદ્ધ કે જે જૈનના છેલ્લા તીર્થંકર મહાવીરના સમકાલીન હતા તેથી તે વખતમાં પણ મહાવીરસમયે ભારતની સામાજિક સ્થિતિ અને ધર્મભાવના કે જે આ સાથે ખિંડ ૧માં જૈનદર્શન સંબંધે લખતાં આપવામાં આવેલ છે તે જ હતી તેથી તેનું પુનરાવર્તન કરવું ઈષ્ટ નથી. બૌદ્ધ ધર્મ - તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા વસ્તુતઃ દરેક દર્શનની – ધર્મની પ્રવૃત્તિ એક જ ઉદ્દેશની સિદ્ધિ અર્થે બહુધા [૧. વેદમાં નહીં માનનાર તે નાસ્તિક – એ અર્થ દાર્શનિક સાહિત્યમાં વિશેષ પ્રચલિત છે.] Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો હોય છે, માત્ર ક્રમોની વિવિધતા હોય છે, એમ અનેકોને કહેતાં આપણે સાંભળીએ છીએ. તેની સાથે એટલું પણ આપણે સ્વીકારવું જોઈએ કે દરેક દર્શન અથવા ધર્મની વિશેષતા પણ અવશ્ય હોવી જોઈએ. જો એમ ન હોય તો તે તે દર્શનનું મૂળ ચિરસ્થાયી કિંવા દઢ હોઈ શકે નહિ. અહીં તત્ત્વજ્ઞાનના સારભૂત પ્રશ્નોનો ઉકેલ અન્ય દર્શનોએ પૃથકુપૃથક રીતિએ કરેલ છે, પરંતુ બોદ્ધ ધર્મ તેનો ઉકેલ કર્યો નથી છતાં તે અન્ય દર્શનોથી કયા વિશેષત્વને લઈને જુદું પડે છે તે વિષે વિચાર કરવાનો અવકાશ લઈશું. જેન તથા બ્રાહ્મણ ધર્મોમાં આત્મા – જીવ તથા લોક – સંસાર વગેરે વિશે અનેક વાતો કહેવામાં આવી છે. (૧) આત્મા એટલે શું ? (૨) તે નિત્ય હશે કે અનિત્ય ? (૩) તેનો ઉચ્છેદ કોઈ કાળે હોવા યોગ્ય છે કે નહિ ? (૪) જીવની સાથે શરીરનો સંબંધ કેવા પ્રકારે હોવો જોઈએ ? (૫) જીવ અને શરીરમાં યથાર્થતઃ કાંઈ ભેદ હશે કે નહિ ? (૬) આ શરીર એને જ જીવ કેમ ન કહેવાય ? (૭) મરણ પછી જીવનું અસ્તિત્વ હશે કે નહિ ? (૮) આ લોક અથવા સંસાર નિત્ય હશે કે અનિત્ય ? ઈત્યાદિ પ્રશ્નો-ઉપપ્રશ્રો દર્શનના – તત્ત્વજ્ઞાનના મૂળભૂત ગણાય છે. આ સર્વ જાતીય પ્રશ્નોના અનુકૂળ નિર્ણય ઉપર જ આપણા દર્શનની આત્મપ્રતિષ્ઠા નિર્ભર છે, એટલું જ નહિ પણ દર્શનનાં મૂળભૂત તે જ સત્ત્વો છે એમ કહેવાની જરૂર નથી. આત્મા નામનો જો કોઈ એક નિત્ય પદાર્થ ન હોય, શરીરથી જીવનું ભિન્નત્વ ન હોય અને મરણ પછી તેનું અસ્તિત્વ ન હોય, તો પછી આપણાં આર્યદર્શનોને ઊભા રહેવાની જગ્યા પણ ન મળે. બુદ્ધદેવે જન્મ લીધો તે પહેલાં આર્યધર્મવિચારકોએ ઉપર કથેલા સઘળા પ્રશ્નોનો નિર્ણય સ્થૂલ-સૂક્ષ્મ રીતે કરી રાખ્યો હતો. જોકે ત્યાર પછી અનેક વિચારકોએ વિવિધ પ્રકારની વિચારશ્રેણીઓ બાંધી છે, છતાં તે બધાની દષ્ટિ મૂળ વિષય ઉપરથી જરા પણ ખસવા પામી નથી, કોઈએ પણ એ પ્રશ્નોની ઉપેક્ષા કરવાનું સાહસ કર્યું નથી. પરંતુ બુદ્ધદેવે એ સકળ મતવાદોને “દિફ્રિજાલ' – દષ્ટિજાળ કિવા મતરૂપ જાળ કહી વખોડી કાઢ્યા હતા. અને લોકોએ પણ તેનો યથાયોગ્ય સ્વીકાર કર્યો હતો. બ્રહ્મજાળસુત્ત અથવા પોઠપાદસુત્તના અવલોકનથી ઉપરની વાત બહુ સારી રીતે સિદ્ધ થઈ શકે છે. ઉપર કહ્યા તે વિષયો એટલા બધા જટિલ, તેમજ સાધારણ જનસમાજને માટે એટલા બધા દુર્ગમ છે કે કોઈને નિઃસંશયપણે તે સમજાવી શકાય નહિ. આટલા જ માટે બુદ્ધદેવે વિચાર્યું કે એ બધી આંટીઘૂંટીનો થોડીવાર માટે ત્યાગ કરી દેવાથી કોઈ પણ જાતની ક્ષતિ નથી. તેઓએ વિચાર્યું કે નિર્વાણપ્રાપ્તિને માટે જે માર્ગનું અવલંબન અવશ્ય છે તેને માટે આ સઘળા પ્રશ્રો ઉપર માથાકૂટ કરવાની જરૂર નથી. તેમણે ધાર્યું કે ઉપરના પ્રશ્નોને લઈને નકામા પોતાની શક્તિનો વ્યય કરી, યથાર્થ કલ્યાણના માર્ગથી દૂર ને દૂર જ રહી જાય છે. આત્મા નિત્ય હો અથવા અનિત્ય હો, Page #330 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા ૩૦૧ શરીર એ જ જીવ હોય અથવા તો શરીરથી જીવ ભિન્ન હોય તેને નિર્વાણપ્રાપ્તિ સાથે કંઈ સંબંધ નથી. આટલા માટે તેઓએ એક નવા જ પ્રકારનો માર્ગ દર્શાવ્યો છે. ‘બુદ્ધદેવનો અવતાર વેદે વિસ્તારેલી કર્મજાલમાં લોકો જે મોહ પામી ગયા હતા, અને કર્મકાંડ તથા વર્ણાશ્રમથી વિસ્તરેલા ભેદને વળગી રહેવામાં ધર્મ અને સ્વર્ગમોક્ષાદિ માનતા હતા, તે બધું મિથ્યા છે એમ બતાવી, સર્વત્ર એકાકાર આત્મભાવ, અભેદપ્રેમ વિસ્તારવા માટે થયેલો મનાય છે. વેદનાં વચનોની ને અર્થોની તકરારો, ધર્મધર્મના વિરોધ, તે બધું તજી સર્વત્ર પ્રેમભાવ રાખવામાં, કરી બતાવવામાં મોક્ષ છે એ એમનો ઉદ્ઘોષ હતો. સંસાર દુઃખમય છે માટે તેમાંથી છૂટવા માટે પ્રેમ – એકભાવ રાખજો એ તેમના ઉપદેશનું તત્ત્વ હતું. આત્મા કે ઈશ્વર વિષે તેમણે વિવાદ કર્યો નથી, અભિપ્રાય દર્શાવ્યો નથી, છતાં ચાર્વાકની પેઠે તે નાસ્તિક [ભૂતવાદી] ન હતા એમ સ્પષ્ટ જણાય છે, કેમકે તેમના ઉપદેશનું તત્ત્વ ત્યાગ, પ્રેમ નીતિ એ ઉપર રહેલું છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાંથી ઉલ્લેખ કરીએ. પોટ્નપાદસુત્તમાં પોટ્યપાદ સાધુએ બુદ્ધદેવને પ્રશ્ન કર્યો કે “સંજ્ઞા એ જ શું પુરુષનો આત્મા હશે, અથવા સંજ્ઞા અને આત્મા એ બંને નિરાળાં જ હશે ?” બુદ્ધદેવ મૌન રહ્યા એટલે ફરી વાર તેણે પૂછ્યું કે “હું એ સર્વ સમજી શકીશ ? સમજવાની મારી શક્તિ છે ? સંજ્ઞા એક પુરુષનો આત્મા હશે કે તેથી ભિન્ન કોઈ પદાર્થ છે ?” બુદ્ધદેવ–પોટ્યપાદ ! જ્યાં સુધી તારી દૃષ્ટિ અન્યત્ર છે, રુચિ અન્યત્ર છે, અભિનિવેશ અન્યત્ર છે, તેમજ તારા આચાર્ય પણ અન્યત્ર (અભિનિવિષ્ટ) છે ત્યાં સુધી તારે માટે એ સઘળા વિષયો દુર્રેય છે. પોટ્નપાદ – અગર મારે માટે તે દુર્રેય હોય તો (મારા એક જ પ્રશ્નનો ઉત્તર આપો) આ સંસાર લોક શાશ્વત છે એમ કહેવાય છે તે વાત સત્ય હશે કે લોક નિરર્થક – નિઃસાર છે તે વાત સત્ય હશે ? બુ. – હું કાંઈ કહેતો નથી. (પ્રકાશ કરતો નથી.) - ઠીક, જગત્ અશાશ્વત તે વાત સત્ય, કે ઇતર વાત સત્ય ? બુ. તે પણ હું કહેતો નથી. પો. - વારુ, ત્યારે આ લોકની છેવટે, કાંઈ સીમા હશે કે નહિ ? બુ. – પોટ્યપાદ ! તે પણ હું કાંઈ કહેતો નથી. પો. ત્યારે શું લોક અનંત એ જ વાત સત્ય અને બાકી અસત્ય ? બુ. – તે પણ હું કહેતો નથી. પો. જે જીવ તે જ શરીર, તે વાત સત્ય કે અપર વાત સત્ય ? - - બુ. – તે પણ હું કહેતો નથી. પો. ત્યારે શું જીવ અને શરીર વગેરે ભિન્ન છે એ વાત સત્ય ? બુ. – તે પણ હું કહેતો નથી. ૧. આ વાત જૈન ધુરંધર વિદ્વાન્ શ્રીમદ્ હરિભદ્રસૂરિવિરચિત ‘ષગ્દર્શન સમુચ્ચય’ નામના અપૂર્વ ગ્રંથના તેનીગુણરત્નસૂરિકૃત ટીકા સાથે કરેલા ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં સ્વ. સાક્ષર શ્રી પ્રોફે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી જણાવે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પો. – સારું, ત્યારે મૃત્યુ પછી પણ જીવ રહે છે તે વાત ખરી અને હું કહું છું તે વાત ખોટી ? બુ. – તે પણ હું કહેતો નથી. આવી રીતે પોઠપાદે બીજા પણ પ્રશ્નો પૂછડ્યા. પરંતુ તે સર્વનો ઉપર પ્રમાણે એક જ ઉત્તર મળ્યો. વિસ્તારભયથી બધા અમે આપતા નથી. ઉપલા એક નમૂના પરથી સ્પષ્ટ થઈ શકે છે કે બ્રાહ્મણ જેનાદિ દર્શનકારી જે સકલ પ્રશ્નોને લઈને વ્યાકુલ બન્યા છે અને એક એક પ્રશ્ન ઉપર સૂક્ષ્મમાં સૂક્ષ્મ સેંકડો પ્રકારની વિચારશ્રેણીઓ બાંધી છે, પણ બુદ્ધદેવનું દર્શન તે સંબંધમાં છેક નિર્ભયપણે ઉપેક્ષા કરે છે અને તેના ઉત્તરોની નિરર્થકતા બતાવે છે. આવો પ્રસંગ માત્ર ઉક્ત એક જ સ્થળે નથી, પરંતુ ત્રિપિટકનાં કેટલાંક સ્થાનોમાં પણ એવા જ પ્રસંગો મળી આવે છે. કોઈ કોઈ વખત એવો પ્રશ્ન આવતાં બુદ્ધ મૌનનું જ અવલંબન લીધું છે. જે પ્રશ્નોના અનુકૂળ સિદ્ધાંતો ઉપર અન્ય દર્શનોની પ્રતિષ્ઠાનો મૂળ આધાર છે, તે જ સિદ્ધાંતોનો બુદ્ધદેવે એકીસાથે પરિહાર કર્યો છે. આ પ્રમાણે અન્ય દાર્શનિકોના મૂળભૂત સિદ્ધાંતોની નિર્ભયપણે ઉપેક્ષા કર્યા છતાં બુદ્ધદર્શન ભરતક્ષેત્રમાં પોતાની પ્રતિષ્ઠા સ્થાપી શકે એ તે દર્શનનો સાધારણ પ્રભાવ તો ન જ ગણાય. એવો પ્રશ્ન આવવા યોગ્ય છે કે બુદ્ધે એ સઘળા પ્રશ્નના ઉત્તર યથાર્થ નહિ જાણવાને લીધે ઉડાવી દીધા હશે, કે કોઈ બીજું કારણ હશે ? – આના સંબંધમાં કહેવાનું કે જો તે પોતે જ ન જાણતા હોત તો તમારા માટે તે દુય છે' એમ પોઠપાદને કહેવાને બદલે ‘તમારા માટે એ શબ્દો ન વાપરત અને અન્નેય એ જ શબ્દ વાપરત. તે સિવાય તે પ્રશ્નો શા સારુ દુય છે એ માટે આપણે ઉપર કંઈક કહી ગયા છીએ, છતાં બુદ્ધના શબ્દોમાં જોઈએ. પોઠમાટે જ્યારે જોયું કે આ તત્ત્વો તેને પોતાને માટે દુર્ણોય છે ત્યારે તે વાત પડતી મૂકી પૂછ્યું કે “ત્યારે ઉપર કહ્યા તે મતોમાં કયો મત ખરો હશે ?' – આ પ્રશ્નનો ઉત્તર પણ સંતોષકારક જ્યારે ન મળ્યો ત્યારે સહેજે એવો પ્રશ્ન કર્યો કે “આપ શા માટે મારા પ્રશ્નોનો ઉત્તર આપતા નથી ?” બુદ્ધદેવે કહ્યું કે – “કારણ કે તેથી કોઈ પ્રયોજનસિદ્ધિ નથી, ધર્મસિદ્ધિ નથી અને મૂળ બ્રહ્મચર્યસિદ્ધિ પણ નથી, તેમજ ઉપશમ, અભિજ્ઞા, પ્રજ્ઞા (સંબોધ) અને નિર્વાણને માટે પણ ઉપયોગી થાય તેમ નથી. એટલા જ માટે હું કોઈ એવા પ્રશ્નનો ઉત્તર આપતો નથી.” આ ઉપરથી જણાય છે કે માત્ર બે કારણોથી બુદ્ધદેવે ઉત્તર નથી આપ્યા. (૧) પ્રશ્નો દુલ્શય – સામાન્ય મનુષ્યોનો તેમાં પ્રવેશ જ થવો મુશ્કેલ છે. (૨) તેની આલોચના કરવાથી કંઈ પ્રયોજન સરતું નથી – લાભ નથી. આ સર્વ પ્રશ્નો કે જે અતિ ગંભીર - અતિ દુર્બોધ જણાવ્યા છે તે વિશે બ્રહ્મજાલસુત્તમાં કેટલોક ઉલ્લેખ કર્યો છે. એક દિવસે કૌશાંબીના ઘોષિતારામમાં જાતીય આદિ બે શિષ્યોએ જીવ તથા દેહની ભિન્નતા કે અભિન્નતા એ પ્રશ્ન કર્યો ત્યારે બુદ્ધદેવે શીલ, પ્રજ્ઞા અને સમાધિ. વિશે સમજણ આપી જણાવ્યું કે, જ્યારે એક મનુષ્ય શીલ, સમાધિ દ્વારા અનુક્રમે ચતુર્થ ધ્યાનાવસ્થાએ પહોંચે, દુઃખ, દુઃખનું કારણ – સમુદય, દુઃખનો નિરોધ અને દુઃખના Page #332 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય ૩૦૩ નિરોધનો માર્ગ વગેરે વિષયોનું યથાયોગ્ય તત્ત્વજ્ઞાન થાય, કામતૃષ્ણા, ભવતૃષ્ણા, અને અવિદ્યારૂપ આસવોથી ચિત્ત નિવૃત્ત થાય ત્યારે જ તે જાણી શકે કે જન્મનો ક્ષય થયો છે, બ્રહ્મચર્યાવાસની પ્રાપ્તિ થઈ છે અને કર્તવ્ય સંપૂર્ણ થયું છે. ત્યાર પછી તેને કરવા જેવું કંઈ રહેતું નથી. આગળ ચાલતાં બુદ્ધદેવે જણાવ્યું કે જે ભિક્ષુઓ (બૌદ્ધ સાધુઓ એ નામે ઓળખાય છે) આ તત્ત્વજ્ઞાન મેળવે છે, અને તેનો અનુભવ કરે છે તેઓને એવો પ્રશ્ન કરવાનો અવકાશ જ નથી રહેતો કે “જીવ એ જ શરીર હશે કે જીવ અને દેહ જુદાજુદા હશે ?” આવી જ રીતે પૂર્વે કહ્યો તે શિષ્ય નામે પોઠપાદને પોતાના કોઈ પ્રશ્નનો ઉત્તર જ્યારે બુદ્ધદેવે ન આપ્યો ત્યારે છેવટે તેણે એક પ્રશ્ન કર્યો કે “હે ભગવનું ! જ્યારે આપ કાંઈ ઉત્તર મારા પ્રશ્નના સમાધાન અર્થે આપતા નથી ત્યારે આપ બીજું કાંઈ કહેવા માંગો છો ?' તેના ઉત્તરમાં એ જ જણાવ્યું કે – “આ દુઃખ છે એમ હું કહું છું. આ દુઃખનાં કારણો છે એમ હું કહું છું, દુઃખનો નિરોધ છે એ પણ હું કહું છું અને દુઃખના નિરોધનો માર્ગ એ પણ હું કહું છું.” (ચાર આર્યસત્ય). શા માટે આપ તે કહો છો ?” કારણકે એથી પ્રયોજનસિદ્ધિ થાય છે. ધર્મસિદ્ધિ થાય છે; બ્રહ્મચર્યસિદ્ધિ થાય છે. તેમજ તે દ્વારા નિર્વેદ - વિરાગ – નિરોધ – ઉપશમ, સંબોધ તેમજ નિર્વાણ પણ થવા યોગ્ય છે; એટલા જ માટે હું તે વિશે બોલું છું.” આ સંબંધે એક બૌદ્ધકથામાં જણાવવામાં આવ્યું છે કે એક માણસને તીર લાગ્યું હોય, વ્યથિતના દેહમાંથી લોહી વહેતું હોય તેવે વખતે તીર કોણે માર્યું, તીર કેવું છે એ વગેરે પ્રશ્રો ઉપર ચર્ચા ચલાવવા કરતાં દુઃખી મનુષ્યના શરીરમાંથી તીર ખેંચી કાઢવું એ જ વધારે ઉત્તમ છે. તેવી જ રીતે દુઃખનાં કારણો દૂર કર્યા વિના જીવ તથા દેહ વિશેના વિકટ - ગૂઢ – જટિલ પ્રશ્નોની મીમાંસામાં – માથાકૂટમાં ઊતરી માનવજીવનનો મુખ્ય લક્ષ્ય સિદ્ધ કરવાથી વંચિત રહેવા કરતાં પ્રથમ દુઃખથી નિર્મુક્ત થઈ ઉક્ત પ્રશ્નોનો સ્વયં નિર્ણય લાવવો ઉત્તમ છે. આ પ્રકારે દુઃખના નિરોધના ઉપાયો દર્શાવી અને આત્મા – જીવ તથા લોક – સંસાર આદિ પ્રથો તે એક બાજુએ મૂકી બુદ્ધદેવનું દર્શન પ્રવર્તિત થયું છે, તેમાં જ અન્ય દર્શનોની અપેક્ષાએ તેનું એક ખાસ વિશેષત્વ છે એમ કહેવું જોઈએ. જ્યારે જૈન ધર્મે એ પ્રશ્નોને બૌદ્ધ ધર્મ પેઠે એકબાજુએ ન રાખતાં અન્ય દર્શનો પેઠે ઉકેલ્યા છે તે ઉપરાંત તેણે પણ અહિંસામય પ્રેમધર્મનો જ ઉપદેશ કર્યો છે. આટલું કહી તેના મુખ્ય સિદ્ધાંતો પર આવીશું. ચાર આર્યસત્ય બુદ્ધને કાશીમાં મૃગવનમાં આવેલ ઇસિપતન (ઋષિપત્તન)માં સંપૂર્ણ બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે તેમણે ચાર આર્યસત્ય શોધી કાઢયાં : ૧. દુઃખ છે, ૨. દુઃખનું કારણ છે, ૩. દુઃખનો નાશ પણ છે, અને ૪. તે . Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩/૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દુઃખનું નિવારણ કરવાનો ઉપાય પણ છે. આ ચાર સત્યને દુઃખ, દુઃખસમુદય, દુ:ખનિરોધ અને દુ:ખનિરોધમાર્ગ અથવા દુ:ખનિરોધગામિની પ્રતિપદા કહેવામાં આવે છે. આર્ય એટલે પવિત્ર, મહાનું, ઉદાત્ત. આ તો નિર્વિવાદ છે કે દુઃખ છે, તે દુઃખનું કારણ કંઈપણ હોવું જ જોઈએ તો તે દુઃખને દૂર કરવા માટે સત્ય માર્ગ જાણવાની જરૂર છે. પ્રથમ સત્ય (દુ:ખ સત્ય) : જન્મ દુ:ખ છે; જરા દુઃખ છે; વ્યાધિ દુ:ખ છે; મરણ દુઃખ છે, શોક, પરિવેદના, દુઃખ, દૌર્મનસ્ય અને અપાયાસ (નિરાશા) એ દુઃખ છે.* જન્મ એટલે કોઈપણ પ્રાણીવર્ગની જાતિમાં જન્મ લેવો તે. જરા એટલે પાકા વાળ થઈ જવા, શરીરે નબળાઈ આવવી, ચામડી જર્જરિત થવી, ઈદ્રિયનો વ્યાપાર મંદ પડવો વગેરે જેમાં રહેલ છે એવું ઘડપણ. વ્યાધિ એટલે રોગ થવો તે. મરણ એટલે એક જાતિમાં જન્મ લીધા પછી તે જન્મી તરીકે નાશ થવો તે. શોક એટલે કોઈપણ જાતના નુકસાનથી થતું દુઃખ. પરિવેદના એટલે તે શોકથી જે રડવું, કૂટવું વગેરે દુઃખ એટલે શરીરને – શરીરસ્પર્શથી જે દુઃખ થાય છે તે. દૌર્મનસ્ય એટલે મનને જે દુઃખ થાય છે તે. અપાયાસ એટલે. કોઈપણ જાતના નુકસાનથી અને તેને લીધે થતા શોકથી જે ખિન્નતા – નિરાશા થાય છે તે. જે જે જન્મ પામેલ છે તેને પોતે જે ઇચ્છે છે તે ન મળવાથી દુઃખ થાય છે. ૧. આયુર્વેદમાં શારીરિક સ્વસ્થતા માટે જે ચાર મુખ્ય તત્ત્વ ગણાવ્યાં છે તે જ ચાર સત્ય અહીં આધ્યાત્મિક કે માનસિક સ્વસ્થતા માટે મૂકવામાં આવ્યાં છે. તે જ પ્રમાણે બરાબર યોગસૂત્રમાં જણાવેલ છે ? (જુઓ યોગસૂત્ર, ૨ (૧૫) ટીકા.) यथा चिकित्साशास्त्रं चतुर्वृहम्, रोगो, रोगहेतुः, आरोग्य, भैषज्यं इति, एवं इदमपि शास्त्रं चतुर्दूहमेव, तद्यथा संसारः, संसारहेतुः, मोक्षो, मोक्षोपायः इति. तत्रः दुःखबहुलः संसारो हेयः, प्रधान पुरुषयोः संयोगो हेयहेतुः, संयोगरयात्यंतिकी निवृत्तिनि, हानोपायः सम्यग्दर्शनम् -- = જેમ ચિકિત્સાશાસ્ત્ર રોગ, રોગનો હેતુ, આરોગ્ય અને ઔષધાદિ ઉપાયો એમ ચાર વિભાગ (સંક્ષિપ્ત અવયવરચનાવાળું) છે, તેમ સર્વના અનુગ્રહ માટે પ્રવૃત્ત થયેલું આ યોગશાસ્ત્ર પણ સંસાર, સંસારનો હેતુ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એમ ચાર યૂહ (સંક્ષિપ્ત અવયવરચના)વાળું છે. તે ચાર ભૂહમાં દુઃખબહુલ સંસાર તે હેય છે, પ્રધાન અને પુરુપનો સંયોગ એ હેયનું કારણ છે, તે સંયોગની આત્યંતિકી નિવૃત્તિ તે હાન કિંવા મોક્ષ છે, અને તે હાનનો ઉપાય સમ્યગ્દર્શન છે. ૨. આ સત્ય નવીન નથી, બુદ્ધ પહેલાંના બ્રાહ્મણ ગ્રંથોમાં જણાવેલ છે કે : ન નર ન મૃત્યુને શો: – છાંદોગ્ય ૪૮-૮-૧, ન પડ્યો મૃત્યું પતિ ન રોનું – છાંદોગ્ય ૭-૨૬-૨, નર મૃત્યુમતિ – બૃહદારણ્ય ૩-૫-૧; ન ત૨ રોજ ન નર ન મૃત્યુ – શ્વેતાશ્વતર ૨-૧૨; નન્મ મૃત્યુ નરા વ્યાધિ દોષાનુદર્શનમ્ – ગીતા ૧૩-૬; નન્મમૃત્યુ ગર,ઃ ર્વિમુવતો Sમૃતગ્મતે – ગીતા ૧૪-૨૦, આ છેલ્લી બે ગીતાની કડીઓથી બુદ્ધની ઉક્તિ ભિન્ન નથી. Page #334 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય જન્મને લીધે જરા, વ્યાધિ આદિ સૌ પ્રાપ્ત થાય છે અને તે દુઃખો માત્ર ઇચ્છા કરવાથી દૂર થાય તેમ નથી. ઇચ્છિત ન મળે તે જ દુઃખ છે. પ્રિય વસ્તુનો વિયોગ એ દુઃખકારક છે. મતલબમાં પાંચે ઉપાદાનસ્કંધ દુઃખકારક છે. આ જીવન દુઃખમય છે અને તેથી તે જીવન શું છે તે જાણ્યા પછી તે કેવી રીતે દુઃખમય છે એ જાણવાની જરૂર છે તેથી જીવનનું સ્વરૂપ જોઈએ. જીવન-સ્વરૂપ દરેક જીવ નામ અને રૂપનો બનેલ છે. નામથી સર્વ માસિક આંતરિક દાખવાય છે અને તેમાં પાંચસ્કંધમાંથી રૂપસ્કંધ સિવાયના ચાર સ્કંધનો સમાવેશ થાય છે નામે વેદના, સગ્ગા (સંજ્ઞા), સંખાર (સંસ્કાર) અને વિજ્ઞાણ (વિજ્ઞાન). આ સાથે રૂપસ્કંધ કે જે દૈહિક વ્યાપાર સૂચવે છે તેને ભેળવતાં સર્વ મળી પંચ સ્કંધ થાય છે, એટલે નામરૂપમાં પાંચે કંધોનો સમાવેશ થાય છે. - રૂપસ્કંધમાં 'ચાર મહાભૂત – ધાતુ નામે પથવી-ધાતુ (પૃથ્વી), અપો-ધાતુ, તેજોધાતુ, અને વાયો-ધાતુ (વાયુ), અને તેમાંથી નીપજતાં દરેક રૂપનો સમાવેશ થાય છે. પૃથ્વી-ધાતુમાં શરીરનો નક્કર ને સખત ભાગ જેવો કે વાળ, નખ, દાંત, ચામડી, માંસ, હાડકાં, મેદ, આંતરડાં, હોજરી, ફેફસાં, વગેરે સમાવેશ પામે છે. અપો-ધાતુમાં જે શરીરનો પ્રવાહી ભાગ છે જેમકે લોહી, પરુ, પ્રસ્વેદ, આંસુ, રસી, થૂંક, લીંટ, મૂત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેજો-ધાતુમાં શરીરનો જે અગ્નિમય – પ્રકાશમય ભાગ છે જેમકે શરીરની ગરમી, ખાધું જે અગ્નિથી પચે છે તે આદિનો અને વાયુધાતુમાં જે શરીરનો વાયુ પદાર્થ છે તે એટલે કે શ્વાસોચ્છ્વાસ, શરીરની અંદર રહેલ હવા, વગેરેનો સમાવેશ થાય છે. આ સર્વ – હાડકાં, લોહી, ગરમી, શ્વાસ વગેરે ચારે ધાતુઓ માાં નથી; તે હું નથી. હું (અત્તા આત્મા) તે નથી. આને વિશેષ સમજવા માટે વિસુદ્ધિમગ્ગ (વિશુદ્ધિમાર્ગ) નામના બૌદ્ધ ગ્રંથમાં કહેલ છે કે જેવી રીતે રથ એ માત્ર પૈડાં, ધરી, તે પર લાકડાં વગેરે સામગ્રી માત્ર છે કે જે અમુક રીતે ગોઠવવાથી થાય છે, પરંતુ તે છૂટાં પાડીએ તો તે થ નથી એટલે પારમાર્થિક દૃષ્ટિએ જોઈએ તો રથ તે રથ નથી, – જેમ ઘર તે લાકડાં માટી, પાણા વગેરેનો સમૂહ અમુક રીતે ગોઠવાઈ થયેલ છે. પણ પારમાર્થિક દૃષ્ટિએ તે ઘર નથી, તેવી જ રીતે જેને આપણે જીવ કહીએ છીએ તે પાંચ સ્કંધનો સમૂહ છે – તે દરેક સ્કંધ છૂટું પડતાં અમુક ‘હું’ તે ‘હું' તેમાં નથી એટલે પારમાર્થિક દૃષ્ટિએ ‘આત્મા’ નથી, અને શરીર તે હાડકાં અને સ્નાયુથી બનેલ એક મર્યાદિત જગ્યા છે. - ૩૦૫ - ૧. આ ચારેનો અર્થ અનુક્રમે વિજ્ઞાન દૃષ્ટિએ Inertia, Cohesion (બંધનલક્ષણ), Radiation and Vibration (ચલન-લક્ષણ) થઈ શકે. આ ચાર પરસ્પર-મિશ્રિત બલોથી સર્વ વસ્તુઓ પોતાની હયાતી ધરાવે છે એમ બૌદ્ધ ધર્મ જણાવે છે. શરીરનાં ૨૪ ગુણ-લક્ષણો આના પર આધાર રાખે છે ઃ નામે ચક્ષુ, કર્ણ, નાસા, જિલ્લા, શરીર, રૂપ, શબ્દ, ગંધ, સ્વાદ, પુરુષત્વ, સ્ત્રીત્વ, બલ, હૃદય, શરીરનાં ઇંગિત, વાણી, પોલા ભાગ (જેવા કે કાન, નાકના), ચંચલતા, સ્થિતિસ્થાપકતા, અનુરૂપ થવાની શક્તિ, વૃદ્ધિ, અંતર, જરા, ભિન્નતા, મૂલમાં ફેરફાર. (આની ટીપ અને પિરભાષા જોઈએ તો જુઓ વિમિગ્ગ.) Page #335 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વિજ્ઞાનસ્કંધ – જો ચક્ષુ સાજી હોય અને તેની દૃષ્ટિમર્યાદામાં બાહ્ય વસ્તુઓ રૂપ આવે તો તેનો સંયોગ થાય છે અને પછી સમજ જ્ઞાન વિજ્ઞાન થાય છે, તેથી વિજ્ઞાનની ઉત્પત્તિ કેટલાંક કારણો પર આધાર રાખે છે અને તે વિજ્ઞાન જે કારણ પર આધાર રાખે છે તે કારણના નામથી તે વિજ્ઞાન ઓળખાય છે. ચક્ષુ અને રૂપ પર આધાર રાખનાર વિજ્ઞાન તે ચક્ષુર્વિજ્ઞાન, શ્રોત્ર અને શબ્દ પર આધાર રાખનાર વિજ્ઞાન તે શ્રોત્રવિજ્ઞાન, ઘ્રાણ (નાક) અને ગંધ પર આધાર રાખનાર વિજ્ઞાન ઘ્રાણવિજ્ઞાન, જીભ અને સ્વાદ (રસ) પર આધાર રાખનાર વિજ્ઞાન જિાવિજ્ઞાન, શરીર અને શરીરસ્પર્શ પર અવલંબનાર વિજ્ઞાન કાયવિજ્ઞાન અને મન અને વિચારો પર આધાર રાખનાર વિજ્ઞાન મનોવિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન તે સ્પષ્ટ જ્ઞાન પ્રતીતિ છે અને તેમાં આપણે જેને સત્-અસત્ પારખવાની શક્તિ – વિવેક કહીએ છીએ તેનો પણ સમાવેશ થાય છે. બોદ્ધગ્રંથ નામે ધમ્મ-સુત્તમાં વિજ્ઞાનાદિ ચાર આંતરિક સ્કંધોની વ્યાખ્યા લગભગ નીચે પ્રમાણે આવે છે : વિજ્ઞાન એટલે અંતરમાં જે સ્પષ્ટ જ્ઞાન થાય તે. વેદનાસ્કંધ વિજ્ઞાન અને રૂપસ્કંધના સંબંધથી ઉત્પન્ન થતો સુખદુઃખાદિ પ્રત્યયનો પ્રવાહ. સંજ્ઞાસ્કંધ ગૌ ઇત્યાદિ શબ્દને સૂચવનાર વિજ્ઞાનપ્રવાહ એટલે આથી કોઈ પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કે જેથી તે પદાર્થને ઓળખી શકીએ. સંજ્ઞા - સવિકલ્પક અવધારણાત્મક નિશ્ચયાત્મક જ્ઞાન, વિજ્ઞાન - નિર્વિકલ્પક નિર્વિચાર વિષયાકાર જ્ઞાન ઉપરાંત, સામાન્યતઃ ચૈતન્યવાચી. સંસ્કારસ્કંધ – વેદના સ્કંધ ઉપર આધાર રાખનાર રાગદ્વેષાદિ ક્લેશ, મદમાનાદિ ઉપક્લેશ, ધર્મ અને અધર્મ તે. [સંસ્કારસ્કંધ – એ વાસના છે; તેમાં ઇચ્છા વગેરેનો પણ સમાવેશ થાય છે. પ્રાણી આ પાંચે સ્કંધના સમૂહથી પુદ્ગલ – પુગ્ગલ કે જેને આપણે જીવ (individual) કહીએ તે થાય છે. જીવનનો ખુલાસો આ પાંચ સ્કંધ છે એમ બૌદ્ધો કહે છે અને જણાવે છે કે આ સિવાય અન્ય કોઈ પણ આ ભવમાંથી જવા અને અન્ય ભવમાં પ્રવેશવાનો ખુલાસો નથી. ૩૦૬ ૧. આ પ્રમાણે બૌદ્વેતર ગ્રંથ નામે સર્વદર્શન સંગ્રહમાં વેદના આદિ સ્કંધની વ્યાખ્યા આપવામાં આવી છે પરંતુ તે શબ્દોમાં રહેલી અસ્પષ્ટતાને લઈને ખરી વ્યાખ્યા કરવી દુર્ઘટ છે. પાલિસૂત્રોમાં સંજ્ઞા, વેદના એ બંનેને જુદા સ્કંધ તરીકે ગણવા ઉપરાંત બંનેને સંસ્કારસ્કંધના પેટાભાગ ગણેલા છે. આ ન્યાયપુરઃસર તથા સમજી શકાય તેમ નથી. સંસ્કારને વિવેક તરીકે ઓળખીએ તો એમ થાય. - ૨. પુદ્ગલ એ મૂળ જૈન શબ્દ છે. તેનો વ્યુત્પત્તિ અર્થ પુરન ગલન એટલે ખરવાનો ગળવાનો જેનો સ્વભાવ છે તે. આ વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે જ જૈનો તેને જડ પદાર્થને (કર્મ આદિને) લગાડે છે. આ પરથી તેમજ ડૉક્ટર હર્મન યાકોબીએ જણાવેલા આસ્રવ શબ્દથી પુરવાર થાય છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે અને જૈન ધર્મમાંથી પુદ્ગલ અને આસવ શબ્દપરિભાષા બૌદ્ધે લઈ પોતાને યોગ્ય લાગતા અર્થમાં વાપરેલ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય ૩૦૭ આ સર્વ સ્કંધો ક્ષણિક છે, અને તેથી તે દુઃખમય છે, અને પરિવર્તનશીલ છે. તેથી તે સંબંધે કોઈ પણ ખરી રીતે કહી ન શકે કે “આ મારું છે, આ હું છું અને આ મારો હું છે. ખરી રીતે એ જ કહી શકાય કે આ મારું નથી, હું આ નથી; આ હું (અત્તા) નથી.” આથી જે શરીરમાં, વેદનામાં, સંજ્ઞામાં, સંસ્કારમાં અને વિજ્ઞાનમાં આનંદ લે છે, તે દુઃખમાં મજા માને છે અને જે એવા દુઃખમાં આનંદ માને છે તે દુઃખમાંથી કદીપણ મુક્ત થતા નથી. તેથી બુદ્ધ ત્રણ બાબતમાં ચેતવણી કહે છે કે : “તું અંધકારમાં ભમે છે. (૧) કદી તે વૃદ્ધ – જરાપીડિત મનુષ્ય જોયલ નથી ? અને તે જોયા પછી કદી પણ તને વિચાર આવ્યો છે કે હું પણ જરાને અધીન છું, અને શું કોઈપણ ઉપાયથી હું તેમાંથી છૂટી શકું તેમ નથી ?' (૨-૩) તે જ પ્રમાણે કદી તે વ્યાધિગ્રસ્ત મનુષ્યને અને મૃત મનુષ્યને જોયલ નથી ? ને જોયેલ છે તો પછી તને કદી પણ એવો વિચાર ક્ર્યો છે કે હું પણ વ્યાધિને અને મરણને વશ છું અને શું કોઈ પણ ઉપાય નથી કે જેથી તે વ્યાધિ કે મરણમાંથી (સદાને માટે) છૂટી શકું ?” આમ ને આમ સંસાર' અનાદિ અને અંતરહિત છે. કોઈપણ તેની આદિ જોઈ કે વિચારમાં લાવી શક્યું નથી. દરેક તૃષ્ણાને લઈ નવો જન્મ લે છે અને એમ એક પછી એક જન્મ લઈ સંસારમાં પરિભ્રમણ કરે છે. સગાં-સ્વજન-મિત્ર-દારાદિક મરણ પામે છે, નવાં પુત્ર-પુત્રી આદિક જન્મે છે. મરણ પર રૂદન-શોક થાય છે અને જન્મ પર હર્ષ થાય છે અને તે શોક ને હર્ષ કરનાર પોતે પણ મરણ પામે છે. આમ સંસાર વધતો જાય છે. સંસાર એ પાંચ સ્કંધોના સમૂહની અખંડ સાંકળ છે કે જે સ્કંધો ક્ષણે ક્ષણે નિરંતર ફરતા જાય છે અને એકબીજા પછી ચાલુ પ્રવાહમાં અનાદિ કાલથી ચાલ્યા જાય છે. આ સંસારમાં એક જીવનનો કાલ તે નાનામાં નાનો અપૂર્ણાંક છે તેથી આ પ્રથમ સત્ય સમજવા માટે સંસાર પર, તેના અનેક જન્મો કે જે એક પછી એક અનંત થાય છે તેના પર ખાસ નિરીક્ષણ રાખવું જોઈએ, અને તેનાં કારણ તપાસી તેને દૂર કરવું જોઈએ. બીજું સત્ય – દુઃખસમુદય : દુઃખનું કારણ – સમુદય શું છે ? ઉત્તરમાં તૃષ્ણા કે જેથી જન્માંતર થાય છે અને આસક્તિ ઉત્પન્ન કરે છે. તે તૃષ્ણા (તહા) ત્રણ પ્રકારની છે : કામતૃષ્ણા એટલે વિષયસુખની તૃષ્ણા, ભવતૃષ્ણા એટલે સ્વર્ગાદિ ભવ લેવાની તૃષ્ણા અને વિભવતૃષ્ણા એટલે હતો-નહોતો થવાની તૃષ્ણા. ભવતણા નિત્ય આત્મવાદ (શાશ્વત દૃષ્ટિ – સાસ્મત દિકી) અને આ શરીરથી વિવિક્ત આત્મા છે કે જે એક શરીર છોડી બીજા શરીરમાં બીજો જન્મ લેવા પ્રવેશ કરે છે એ વાદ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. વિભવતૃષ્ણા અહંભાવથી ઉત્પન્ન થાય છે. આ અલ્પ જીવનમાં એવી રીતે વ્યવસ્થા કરવી કે જેથી જેટલી બને તેટલી મજા મળે એવી તૃષ્ણા તે વિભવતૃષ્ણા છે. ૧. સંસાર એ સુ – એટલે સરવું એ ધાતુ પરથી થયેલ છે. તેનો વ્યુત્પત્યર્થ ભ્રમણશીલ એ થાય છે. બૌદ્ધ ધર્મમાં તેનો અર્થ એ પરથી એવો થાય છે કે કંધો જે નિરંતર ક્ષણેક્ષણે – એક પછી એક ક્ષણે નિરવધિકાલ સુધી ફેરફાર પામતા જાય છે એની અખંડ સાંકળ. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩/૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ષડાયતન – આ તૃષ્ણા કેવી રીતે જન્મ પામી પોતાનાં મૂળ નાખે છે એના ઉત્તરમાં નીચે પ્રમાણે બૌદ્ધ ધર્મ ખુલાસો આપે છે : ચક્ષુ આનંદપૂર્ણ છે. મનુષ્યને આનંદ આપે છે. તેથી ત્યાં તૃષ્ણા જન્મ પામી વૃદ્ધિગત થાય છે. તેવી જ રીતે કર્ણ, નાક, જીભ, કાય, અને મને આનંદ આપે છે. તેથી ત્યાં તૃષ્ણા જન્મ પામી વધે છે. તે છતાં પડાયતનના વિષયો રૂપ, શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને વિચારો તે છથી થતું વિજ્ઞાન, તે છથી થતો સ્પર્શ, તે છથી થતી વેદના, તે છથી થતી સંજ્ઞા, તે છના ઉક્ત વિષયો માટે આસક્તિ અને તે વિષયો પર વારંવાર ચિંતનથી મનુષ્યને આનંદ થતાં તેમાંથી તૃષ્ણા જન્મે છે, અને પુષ્ટ બની પોતાના મૂળ ઘાલે છે. મનુષ્યને ગમે તે પ્રકારની લાગણી એટલે વેદના થાય, પછી તે સુખકારક, દુઃખકારક કે સુખકારક ને દુઃખકારક ન હોય તેવી એટલે ઉપેક્ષાવેદના હોય, પણ તે વેદના વિશેષ અનુભવી તેમાં તે મજા લે છે તેથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે. વેદના પછી તૃષ્ણાથી ઉપાદાન (ભવબંધન) થાય છે, અને તે ભવ ઉત્પન્ન કરે છે. ભવથી – કર્મથી ભવિષ્યનો જન્મ (જાતિ) ઉત્પન્ન થાય છે. જાતિથી જરા અને મરણ, શોક, પરિવેદના, દુઃખ, દૌર્મનસ્ય, અપાયાસ ઉત્પન્ન થાય છે. આમ કારણપરંપરા ચાલે છે કે જેને પ્રતીત્ય સમુત્પાદ કહે છે. આનું વર્ણન હવે પછી કરીશું. ત્રીજું આર્યસત્ય – દુઃખનિરોધ : આનો અર્થ ઉપરોક્ત તૃષ્ણાનો અશેષ વૈરાગ્યથી નિરોધ કરવો, તેનો ત્યાગ કરવો, તેને ફેંકી દેવી, તેનાથી મુક્ત થવું અને તે થકી પરાવૃત્ત થવું. નિરોધ - કામતૃષ્ણા, ભવતૃષ્ણાથી મુક્ત થતાં ભવમાં અવાતું નથી કારણકે આ તૃષ્ણાનો નિતાંત નાશ થયે જ ઉપાદાન (ભવબંધન) અટકે છે, ઉપાદાનના દૂર થવાથી ભવ અટકે છે, ભવથી કર્મ (એટલે હું કરું છું એ ભાવથી કરેલું કાર્ય) અટકે છે, કર્મના નાશથી પુનર્જન્મ – ભાવી જન્મ અટકે છે. અને તે અટકવાથી જરા, મરણ, શોક, પરિવેદના, દુઃખ, દિૌર્મનસ્ય અને અપાય નિરાશા) બંધ થાય છે. આનું નામ દુઃખનિરોધ. 'નિર્વાણ – આ જ શાંતિ. ભવમાંથી અટકવું, તૃષ્ણાનો નાશ કરવો તે જ ઉત્તમમાં ઉત્તમ અટકાવ – નિવાણ ( નિબ્બાન) છે, કારણકે લોભ, દ્વેષ, (પાલિમાં દોસ'), અને મોહથી અંધ બનવાથી મનુષ્ય માનસિક દુ:ખ અનુભવે છે, તેમજ સંસ્કારથી મનુષ્યને દુઃખ થાય છે તો તે દુઃખથી મુક્ત થવું કે જેથી અન્ય જન્મ થાય નહિ અને જન્મથી પરંપરાએ આવતાં જરા-મરણ આદિથી મુક્ત થવાય તેનું નામ ૧. નિર્વાણ સંબંધે પાશ્ચાત્ય પંડિતોના અનેક તર્ક છે. કોઈ તેને અભાવમાત્ર (Annihilation) જણાવે છે, તો બીજો એમ જણાવે છે કે એ યોગ્ય નથી, બોદ્ધોની આટલી મોટી સંખ્યા છે તે ફક્ત અભાવને માને તે સંભવનીય નથી, બુદ્ધ ભગવાન અક્રિયાવાદી (Annihilationist) છે એવો આરોપ તેમના પર તેમની હયાતીમાં જ તેમના વિરોધી મૂકતા હતા. આ સંબંધમાં બુદ્ધને એકદા વજી જાતના સેનાપતિ સિંહે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આ રીતે તેણે આપ્યો હતો, “સિંહ ! આ આરોપ એક અર્થ પ્રમાણે ખરો છે. સર્વ પાપવિચારની (અકુશલ સંસ્કારની) અક્રિયા હું પસંદ કરું છું. તેવી અક્રિયાનો ઉપદેશ હું કરું છું. અને તેથી મને અક્રિયાવાદી કહેવામાં આવે તો તે ચાલશે. આથી ઊલટું હું કિયાવાદી (Realist) છું Page #338 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય ૩૦૯ નિવણ છે. જમ્બુખાદક નામના પરિવ્રાજકે સારિપુત્રને નિર્વાણ એ શું છે એવો પ્રશ્ન પૂછતાં તેણે જવાબ આપ્યો હતો કે “થો વો સવસો રવિયો તોસવરવયો મોરવરવયો રૂઢ વૃતિ નિબ્બા !' લોભ, દ્વેષ અને મોહનો ક્ષય તે નિર્વાણ. (જુઓ જમ્બુખાદક સંયુત્ત – સંયુત્તનિકાય.) એટલે વાસનાનો જેને ક્ષય થાય તે મહર્ષિને નિર્વાણનો સાક્ષાત્કાર થાય છે. અભિધમ્મઠ સંગ્રહમાં લખેલ છે કે पदमच्च्युतमञ्जन्तं असंघातमनुत्तरं ।। ___ निव्वाणमिति भासन्ति वानमुत्ता महेसयो । – જેની વાસનાનો ક્ષય થયો છે તે મહર્ષિ નિર્વાણ છે, અય્યપદ છે, અનંત છે, અત્યંત પરિશુદ્ધ (અસંસ્કૃત) છે અને તે લોકોત્તર છે એમ કહે છે. આ જ જન્મમાં તેમજ અન્ય જન્મમાં નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે છે. અહેતુ – (અરહમુ) જેની શાંતિ જગની કોઈ પણ વસ્તુથી પરાભૂત થઈ શકતી નથી, જે પવિત્ર અને દુઃખરહિત છે, અને જેણે તૃષ્ણાથી મુક્તિ મેળવી છે તે અહંતુ જન્મ અને જરાનો સમુદ્ર તરી ગયો છે. જેવી રીતે પર્વત વાયુથી અચલ રહે છે તેવી રીતે રૂપ, શબ્દ, ગંધ, રસ, ને સ્પર્શ, તેમજ ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુ તેને ચલાયમાન કરી પાકતાં નથી. તેનું મન દઢ – નિશ્ચલ છે અને તેણે આ જન્મમાં મુક્તિ મેળવી છે. આ રીતે આ જન્મમાં જ તૃષ્ણાનું નિર્વાણ એટલે નાશ થાય છે તેને “ક્લેશપરિનિર્વાણ” કહે છે કે જે અહંતુપદની જે ક્ષણે તે જ જન્મમાં પ્રાપ્તિ થાય છે તે જ ક્ષણે થાય છે એટલે નિવણનો સાક્ષાત્કાર થાય છે, તથાપિ સર્વ દુઃખનો નિઃશેષતઃ નાશ નથી થતો. લોભ, , મોહજન્ય માનસિક પીડા તે જ વખતે નષ્ટ થાય છે, પરંતુ શારીરિક દુ:ખ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી રહે છે. બુદ્ધને ૩૯મા વર્ષે નિર્વાણપદનો સાક્ષાત્કાર થયો હતો તે વખતે તેનું લોભપાદિજન્ય માનસિક દુઃખ નષ્ટ થયું, પરંતુ શીતોષ્ણ રોગાદિજન્ય શારીરિક દુઃખ પૂર્ણ રીતે નષ્ટ ન થયું. દેહાવસાને તે દુઃખ નષ્ટ થયું. તે અહંતુ તે જન્મ પસાર કરી મૃત્યુ પામે છે - તે શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેનાં કર્મ અને સ્કંધનું નિવાણ એટલે નાશ થાય છે અને તેને કંધપરિનિર્વાણ” કહે છે. અહીંના મરણને ‘પરિનિર્વાણ” કહે છે. તેનું કારણ એ કે તેના મરણથી શારીરિક દુઃખનો અંત આવે છે. પરિનિર્વાણ પછી અહતુ કઈ સ્થિતિમાં હોય છે તેનું વર્ણન ક્યાંય જોવામાં આવતું નથી. તે સ્થિતિ અનિવર્શનીય છે. બુદ્ધ ભગવાનના પરિનિર્વાણને મહાપરિનિર્વાણ' કહે છે. ચોથું આર્યસત્ય – દુઃખનિરોધગામિની પ્રતિપત્ (માર્ગ) : મધ્યમ પ્રતિપતું – મધ્યમ માર્ગ – ગૌતમ બુદ્ધ આષાઢી પૂર્ણિમાને દિને પેલા એમ પણ કોઈ કહી શકશે, કારણકે પુણ્યવિચારની (કુશલ સંસ્કારની) ક્રિયા મને પસંદ છે, તેથી તેવી ક્રિયા કરવી, તેને પૂર્ણતા પર લઈ જવી એવો હું ઉપદેશ કરું છું તેથી મને કિયાવાદી કહેવામાં આવે તો ખોટું નથી. (મહાવગગ્રંથ). આ સંવાદ પરથી બુદ્ધ અભાવ માત્રનો ઉપદેશ કર્યો છે તે સ્પષ્ટ નથી. કિયાદીનો અર્થ Realist કરતાં નૈતિક અને આધ્યાત્મિક ક્રિયામાં માનનાર એવો વધારે યોગ્ય લાગે છે. એ જ રીતે અકિયાવાદી એટલે નૈતિક અને આધ્યાત્મિક ક્રિયામાં નહિ માનનાર.] Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પંચ ભિક્ષુઓ પાસે આવી પોતાને ધર્મજ્ઞાનનો સાક્ષાત્કાર થયાની હકીકત કહી અને તેમને ઉપદેશ કર્યો કે, “હે ભિક્ષુઓ ! પ્રવ્રજિતોએ (દીક્ષિત ત્યાગીઓએ) બે અંતિમ માર્ગનું સેવન કરવું નહીં. તે બે અંતિમ માર્ગમાંનો એક માર્ગ કામે કામસુરબ્રિજાનુયો: એટલે વિષયભોગ – મોજશોખના ઉપભોગમાં લીન રહેવું તે છે. આ માર્ગ ગ્રામ્ય, અનાર્ય અને અનર્થાવહ છે. અજ્ઞાન મનુષ્યો જ એને સેવે છે. બીજો અંતિમ માર્ગ મશિનમથીયT: - કઠિન સાધનાઓ દ્વારા આત્માને કલાન્ત કરી નિયુક્ત રહેવું એટલેકે દેહદમન છે. તે પણ દુઃખકારક, અનાર્ય અને અનર્થાવહ છે. આ બંને અંતિમ માર્ગ ન ગ્રહણ કરતાં તે બેની વચ્ચેનો મધ્યમ માર્ગ તથાગતે શોધી કાયો છે. કારણકે તે જ્ઞાનચક્ષુ ઉત્પન્ન કરનાર છે – જ્ઞાનોદય કરનાર છે, તેનાથી ૧. આ માર્ગ બુદ્ધદેવે નવીન કાઢ્યો છે એવું સૂક્ષ્મતાથી જોઈએ તો માલુમ પડતું નથી. તેમણે કેવળ યુક્તિયુક્ત બોધથી તેની વ્યાખ્યા માત્ર શિષ્યોને સમજાવી છે એમ જણાય છે. જુઓ બૌદ્ધાયનસૂત્ર (૭-૨૩-૨૪)ની નીચેની લખેલી પંક્તિઓ : आहिताग्निरनत्वां च ब्रह्मचारी च ते त्रयः । अनंत एव सिध्यन्ति नैषां सिद्धिरनश्नतः । गृहस्थो ब्रह्मचारी वा योऽनश्नस्तु तपश्चरेत् । प्राणाग्निहोत्र लोपेन अवकीर्णीभवेत्तु सः । આ બંને શ્લોક અનશન તપશ્ચર્યાના વિરોધી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૭-૫,૬)માં કહેલું છે કે : अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः । दंभाहंकारसंयुक्ताः कामरागवलान्विताः । कर्शयन्तः शरीरस्थं भूतग्राममचेतसः । मां चैवान्तः शरीरस्थं तान् विद्ध्यासुरनिश्चयान् । તેમજ આગળ કહેલ છે કે - मूढ ग्राहेणात्मनो यत्पीड्या क्रियते तपः । રહ્યોતના વા તત્તામસમુદ્રાતિમ્ II (૧૭-૧૯) ઉપાસનાદિ દ્વારા આત્માને પીડિત કરનારી તપસ્યા નિદિત છે, આ વાત આ શ્લોકથી સ્પષ્ટ જ છે. તો કેવા પ્રકારે સાધના કરવી જોઈએ ? ગીતા આ સંબંધે ચૂપ રહેતાં કહે છે કે : (૬-૧૬,૧૭) नान्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः । न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ।। युक्ताहारविहारस्य युक्तचष्टस्य कर्मसु । युक्त स्वप्नाववोध योगो भवति दुःखहा ।। આ પણ મધ્યમ માર્ગ છે. આહારાદિ અધિક કરવા કે ન કરવા, એ બેની મધ્યમાં ચાલવું તે યોગ છે. બુદ્ધદેવની ઉક્તિઓની સાથે આ ઉક્તિઓનું કંઈ જુદાપણું નથી. ગીતાનો આવિર્ભાવ બુદ્ધદેવથી ઘણો પહેલાં થયો છે એમાં કંઈ સંદેહ નથી. આથી કહેવું યોગ્ય છે કે બુદ્ધદેવના આ મધ્યમ માર્ગની વાત નવી નથી. [મહાભારતમાં જુદા જુદા સમયના સ્તર છે, ભગવદગીતા બદ્ધના સમય પછીની હોય અને આ માધ્યમ માર્ગ બ્રાહ્મણધર્મમાં પણ અપનાવી બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ આવવામાંથી. લોકોને દૂર રાખવાનો આશય હોય, કે દરેક જગ્યાએથી ગ્રાહ્ય બાબત અપનાવી લેવાનો. આશય હોય એ શક્ય છે. વાસ્તવમાં આવાં વલણ સર્વત્ર જોવા મળે છે. } Page #340 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય ઉપશમ અભિજ્ઞા (દિવ્યશક્તિ), સંબોધ (પ્રજ્ઞા) અને નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ માર્ગને આર્યઅષ્ટાંગિક (જેને આઠ અંગ છે એવો) માર્ગ કહે છે. તૃષ્ણાનો નાશ કે જેથી દુઃખનો નાશ થાય છે તે કઈ રીતે થઈ શકે તેનો ઉપાય આ માર્ગ બતાવે છે. આર્ય અષ્ટાંગિક માર્ગ આ માર્ગ કે જેનાથી દુઃખનો નાશ નિરોધ થાય છે તેનાં આઠ અંગો નીચે પ્રમાણે છે. (૧) સમ્યગ્દષ્ટિ (૨) સમ્યક્ સંકલ્પ (૩) સમ્યક્ વાચા (૪) સમ્યક્ કર્માન્ત (કર્મ) (૫) સમ્યક્ આજીવ (૬) સમ્યક્ વ્યાયામ (૭) સમ્યક્ સ્મૃતિ (૮) સમ્યક્ સમાધિ ૧. પ્રસા - ૨. શીલ ૩. સમાધિ ૩૧૧ ૧. પહેલું અંગ સમ્યગ્દષ્ટિ ઉક્ત આઠ અંગમાંનું પ્રથમ અંગ સમ્યગ્દષ્ટિ લઈએ. તે ઉપર સર્વ દર્શનોમાં જણાવવા પ્રમાણે શુદ્ધ માર્ગ પામવાનો આધાર છે. તેથી ખરો બોધ – સંબોધ – પ્રજ્ઞા (બોધિજ્ઞાન) થાય છે. દરેક શુભ વિચારમાં એટલે કુશલ ચિત્તમાં તે આઠ અંગો પૈકી સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યક્ સમાધિ અવશ્ય હોય છે. તેવી જ રીતે દરેક અશુભ વિચારમાં અકુશલ ચિત્તમાં અસમ્યક્ સંકલ્પ, અસમ્યક્ વ્યાયામ, અસમ્યક્ સ્મૃતિ અને અસમ્યક્ સમાધિ હોય છે. હવે સમ્યક્ દૃષ્ટિ શું તે જોઈએ ? ૧. દુઃખનું જ્ઞાન, દુઃખસમુદયનું જ્ઞાન, દુઃખનિરોધનું જ્ઞાન અને દુઃખ નિરોધગામી માર્ગનું જ્ઞાન. એને સમ્યગ્દષ્ટિ કહે છે. જગત્ અનિત્ય એટલે બદલનારું છે, પ્રપંચ દુઃખમય છે, અને આત્મા અવિનાશી અને અવિકારી પદાર્થ નથી પણ કર્માનુસાર બદલનાર છે એવા યથાર્થ જ્ઞાનને સમ્યક્દષ્ટિ કહીશું તો ચાલશે કારણકે આવા જ્ઞાનથી જ ચાર આર્યસત્યોનું જ્ઞાન થવું શક્ય છે. બીજી રીતે જોઈએ તો ૨. અકુશલ શું છે, અકુશલનું મૂળ શું છે, કુશલ શું છે અને કુશલનું મૂળ શું છે તેનું જ્ઞાન તે સમ્યક્ દૃષ્ટિ. ૧. જૈનમાં મોક્ષનાં ત્રણ અંગ નામે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ એક સાથે હોય ત્યારે મોક્ષ થાય એમ કહેલું છે, તો તે ત્રણેનો વિચાર કરતાં તેમાં આ આઠે સમાવેશ પામે છે; તે પૈકીના સમ્યગ્દર્શન સાથે આ (બૌદ્ધ સમ્યગ્દષ્ટિ) સરખાવી જોવા જેવું છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો “અકુશલ એટલે પાપ – દશ છે : (૧) પ્રાણાતિપાત = હિંસા (૨) અદત્તાદાન = ચોરી (૩) કામ મિથ્યાચાર = કામસેવન – વ્યભિચાર ૧. કાયકર્મ (કયિક પાપ) | ૨. વાચાકર્મ (વાચિક પા૫) (૪) મૃષાવાદ = જૂઠું બોલવું (૫) પશુન્ય = ચાડી ખાવી (૬) પારુષ્ય = કર્કશ ભાષા બોલવી (૭) સંભિન્ન પ્રલાપ = નકામાં મિથ્યાવચન વદવાં (૮) અભિધ્યા = લોભ – પરદ્રવ્યની આસક્તિ (૯) વ્યાપાદ = ક્રોધ પ્રિતિહિંસા. (૧૦) મિથ્યાષ્ટિ = નાસ્તિકતા | ૩, મનકર્મ (માનસિક પાપ) [મિથ્યાદષ્ટિ = ખોટી ધારણા. “નાસ્તિકતા” શબ્દના અનેક અર્થ થઈ શકે તેથી વિવાદાસ્પદ બને.] અકુરાલનાં મૂળ ત્રણ છે : (૧) લોભ (૨) દ્વેષ (૩) મોહ. લોભષના ઉદ્ભવ સાથે મોહ રહેલો જ હોય છે. કુશલ દેશ છે : ઉક્ત દશ અકુશલથી વિરમવું તે દશ કુશલ છે. કુશલનાં મૂળ પણ ત્રણ છે : ઉપરનાં અકુશલનાં ત્રણ મૂળથી મુક્તિ એટલે અલોભ, અષ, અમોહ. ૧. મનુસ્મૃતિ કે જે ઈ.સ. ચોથા શતકમાં લખાયેલી તરીકે આ તરફના પંડિતે સ્વીકારેલી છે. (જુઓ ડૉ. ભાંડારકરની A Peep into the Early History of India, P. 46) તેમાં (૧૨મા અધ્યાયમાં) આ દશ પાપનો ઉલ્લેખ છે. परद्रव्येष्वभिध्यानं मनसानिष्ट चिंतनम् । वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ।। पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः । असंबद्धप्रलापश्च वाङ्मयं स्याच्चतुर्विधम् ।। अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः ।। परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ।। - પરદ્રવ્ય પર મન કરવું, બીજાનું મનથી અનિટ ચિંતવવું, ગમે તે માર્ગે અયોગ્ય રીતે ભળવું (નાસ્તિકતા એ ત્રણ માનસિક કર્મ (પાપ) છે; કઠોર ભાષણ, અસત્ય ભાષણ, સર્વ પ્રકારનાં ચાડી અને વૃથા બડબડ – અસંબદ્ધ પ્રલાપ એ ચાર વાચિક કમેં (પાપ) છે. અદત્તાદાન (ચોરી), વેદવિહિત ન હોય તેવી હિંસા, અને પદારાગમન એ ત્રણ કાયિક પાપ કર્મ છે. (બૌદ્ધમાં વેદવિહિત હોય યા ન હોય પણ તે હિંસા નિષિદ્ધ છે.) Page #342 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય ૩૧૩ કેટલાક એવા પ્રશ્નો છે કે જેનો ઉત્તર શોધવા જેવો નથી. ઉત્તર શોધતાં દષ્ટિ સમ્યક્ રહે નહિ. જેવા કે જગતુ નિત્ય કે અનિત્ય છે, સાન્ત કે અનંત છે ? આત્મા દેહથી ભિન્ન છે કે અભિન્ન છે, બુદ્ધ મરણ પછી વિદ્યમાન રહે છે કે અવિદ્યમાન ? વગેરે. આનું કારણ બૌદ્ધ શાસ્ત્ર એવું આપે છે કે જેમ એક માણસ શલ્યથી વીંધાયો હોય તે વખતે તે શલ્ય કોણે માર્યું, તેનું નામ અને કુલ શું, તે ઊંચો છે કે ઠીંગણો છે એ પ્રશ્નોના ઉત્તર મેળવવામાં વખત કાઢવા કરતાં તેણે તે શલ્ય દૂર કરવાના પ્રયત્ન કરવાની જરૂર છે. પણ જ્યાં સુધી તે પ્રશ્નોના ઉત્તર ન મળે ત્યાં સુધી તે મનુષ્ય પોતાનું શલ્ય કાઢવા પ્રયત્ન ન કરે તો તે મરણ પામે, તેવી રીતે જગતું નિત્યાનિત્ય છે વગેરે પ્રશ્નોમાં ઊતરવાની જરૂર નથી, પરંતુ જેનાથી દુઃખ થાય છે તેનાથી વિરમવાની, તેને દૂર કરવાની જ જરૂર છે. સમ્યગ્દષ્ટિના બે પ્રકાર છે : ૧ લોક્ય સમ્યગ્દષ્ટિ ૨. લોકોત્તર સમ્યગ્દષ્ટિ. લોકોત્તર સમ્યગ્દષ્ટિ નિવણમાર્ગમાં સમાવિષ્ટ થયેલા વ્યક્તિના ચાર ભેદ નામે સ્રોતાપત્ર (સીતાપન્ન), સકૃદાગામી (સક્કાગામી), અનાગામી અને અહં (અરહા)માં હોય છે. આ ચારેમાં તફાવત જોવા આપણે દશ સંયોજન એટલે બંધનનો વિચાર કરીએ. દશ સંયોજન સંયોજન એટલે જેનાથી જન્મ સાથે જોડાવું રહે છે તે. તે દશ છે : ૧. સત્કાયદષ્ટિ (સક્કાયદિઠિ) એટલે આત્મા એ ભિન્ન પદાર્થ હોવાથી તે નિત્ય છે એવી દૃષ્ટિ. આમાં ઉચ્છેદ અથવા વિભવદષ્ટિ એટલે આ દરય જીવન છે તે આત્મા છે કે જે દેહનો નાશ થાય કે તરત જ નાશ પામે છે એવી માન્યતા, અને શાશ્વત અથવા ભવદષ્ટિ એટલે આત્મા દેહથી સ્વતંત્ર છે અને તે દેહનો નાશ થતાં નિત્ય રહે છે એવી માન્યતા – એમ બંને માન્યતાનો સમાવેશ થાય છે. ૨. વિચિકિત્સા (વિચિકિચ્છા) એટલે બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રણ રત્ન વિષયે શંકા કિંવા અવિશ્વાસ, ૩. શીલવ્રત પરામર્શ (સીલબ્ધત પરામાસ) - સ્નાનાદિ વ્રત અને ક્રિયાઓથી મુક્તિ મળે એવો વિશ્વાસ, ૪. કામરાગ એટલે કામવાસના, ૫. પટિઘ એટલે ક્રોધ, ૬. રૂપરાગ એટલે બ્રહ્મલોકાદિની પ્રાપ્તિની ઈચ્છા, ૭. અરૂપરાગ એટલે અરૂ૫ દેવલોકની પ્રાપ્તિની ઇચ્છા, ૮. માન એટલે અહંકાર, ૯. ઔદ્ધત્ય (ઉદ્ધચ) એટલે બ્રાંતચિત્તતા અને ૧૦. અવિદ્યા (અવિજ્જા). આમાંના પહેલા ત્રણમાંથી મુક્ત રહેનારને શ્રોતાપત્ર (એટલે અહપદના સ્ત્રોત - પ્રવાહની પ્રાપ્તિ કરનાર) કહે છે. તે થયા પછી જ્યારે તેનું મૃત્યુ થાય ત્યારે તે દેવલોક અને મનુષ્યલોકમાં વધુમાં વધુ સાત વખત જન્મ લે છે અને એ છેલ્લા – સાતમા ભવમાં તેને મોક્ષ અવશ્ય મળવો જ જોઈએ. પહેલાં ત્રણ સંયોજનનો નાશ કરી ચોથું અને પાંચમું સંયોજન સ્થૂલ રૂપે દૂર થયાં અર્થાત્ કામરાગ, દ્વેષ અને મોહ - Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો દુર્બળ થયાં એટલે મનુષ્ય સમુદાગામી (એટલે સકતું = એક વખત આગામી એટલે પાછો ફરનાર) થાય છે. આ સ્થિતિમાં જ્યારે તેનું મરણ થાય છે ત્યારે એક વખત જ આ લોકમાં તે જન્મ લે છે અને મોક્ષ મેળવે છે. પ્રથમનાં પાંચ સંયોજનનો પૂર્ણ રીતે નાશ થયો હોય ત્યારે મનુષ્ય અનાગામી (પાછો નહિ ફરનાર) થાય છે. અનાગામીનું મરણ આવ્યા પછી તે આ લોકમાં જન્મ લેતો નથી, પણ તેનો જન્મ બ્રહ્મલોકાદિ દેવલોકમાં થાય છે અને તે ત્યાંથી જ મોક્ષ મેળવે છે. સર્વ સંયોજનનો નાશ થતાં મનુષ્ય અહંતુ (અરહા) થાય છે. અહંને પુનર્જન્મ નથી. તેને “જીવન્મુક્ત' કહેવામાં આવે છે. બુદ્ધ અને અઈમાં થોડોક જ ફરક છે. બુદ્ધને નિર્વાણનો સાક્ષાત્કાર સ્વપ્રયત્નથી થાય છે, પરંતુ અહંને તો બીજાનો ઉપદેશ શ્રવણ કરતાં થાય છે. આટલો જ ફરક, બાકી બંનેને નિર્વાણનો સાક્ષાત્કાર આ જ ભવમાં થાય છે. આ ચાર પ્રકાર અહસ્પદના છે. તેનો પહેલો પ્રકાર સ્રોતાપન્ન થયા પહેલાં શ્રાવક, પ્રત્યેક બુદ્ધ, અને બોધિસત્ત્વ એ શ્રેણીઓ છે. આ ત્રણ વાત ધ્યાનમાં રાખવાની છે. ૧. અનિત્યતા – સર્વ વસ્તુઓ ક્ષણિક - અનિત્ય છે, કારણકે દેહ અનિત્ય છે, સંસ્કારવિજ્ઞાન આદિ અનિત્ય છે. ૨. સર્વ પદાર્થો દુ:ખાધીન છે, કારણકે શરીરવેદના, સંસ્કાર-વિજ્ઞાનાદિ સર્વ દુ:ખાધીન છે. ૩. કોઈ પણ વસ્તુ આત્મા (અત્તા) નથી, કારણકે દેહવેદના, સંસ્કારવિજ્ઞાનાદિ આત્મા નથી. શાશ્વત કે નિત્ય વસ્તુ જગતમાં છે જ નહીં. આ જે ત્રણ વાત, તેનો સ્વીકાર જે કરે છે તેને બૌદ્ધ માન્યતા પ્રમાણે સમ્યગ્દષ્ટિ હોય છે. આ ત્રણથી વિપરીતનો સ્વીકાર એ અવિદ્યા – અયથાર્થજ્ઞાન છે. અને તે પ્રમાણે અવિદ્યાના ત્રણ પ્રકાર છે. (૧) જગતને અનિત્ય હોવા છતાં નિત્ય માનવું. (૨) આત્મા અવિનાશી કે અધિકારી પદાર્થ નથી છતાં તેને એવો માનવો. (3) સંસાર દુઃખમય છે, છતાં તેમાં જ સર્વસુખ. * છે એમ માનવું. આ પરથી જણાય છે કે બુદ્ધદેવનું પ્રસિદ્ધ તત્ત્વ એ પણ છે કે સર્વ દશ્યમાન વસ્તુઓ અનિત્ય, દુઃખ અને અનાત્મા છે. તે સંબંધે તેમનો ઉપદેશ આ પ્રમાણે છે : ભિક્ષુજનોને સંબોધન કરી તે કહે છે (મહાવચ્ચ ૧-૬-૪૨) ભિક્ષુગણ ! તમે શું સમજો છો ? રૂપ નિત્ય છે કે અનિત્ય ?” “ભગવદ્ ! તે અનિત્ય છે.” સારું, જે અનિત્ય છે તે દુઃખ છે કે સુખ – અર્થાત્ દુઃખકર છે કે સુખકર ?" દુઃખ અર્થાત્ દુઃખકર.” “ઠીક, જે અનિત્ય છે અને દુઃખ છે તે સ્વભાવથી જ જો વિવિધ પ્રકારે પરિણામશીલ અથવા પરિવર્તનશીલ છે. તો તેના સંબંધમાં શું એવું વિચારવું યુક્તિસંગત છે કે “આ મારું છે' “આ હું છું અને “આ મારી આત્મા છે ?” “નહિ ભગવન્એવું વિચારવું યુક્તિસંગત નથી.” બુદ્ધદેવે વળી એ પણ કહ્યું છે કે : (મહાવગ ૧-૬-૩૮) “ભિક્ષુગણ ! રૂપ અનાત્મા છે – અર્થાતુ રૂપ આત્મા નથી: રૂપ જો આત્મા Page #344 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય હોત તો આ પીડાને લીધે ન હોત; કિંતુ હે ભિક્ષુગણ ! જે કારણથી રૂપ આત્મા નથી તે કારણથી તે પીડાને લીધે છે.” તે માન્યતા પ્રમાણે શરીર (રૂપ) ચાર ધાતુમાંથી બનેલ છે પણ તે નામ નથી. તે વર્ષ, બે વર્ષ કે સાત વર્ષ પણ રહી શકે છે જ્યારે જેને આપણે મન, વિચાર કહીએ છીએ તે તો દિનરાત ફેરફાર પામ્યા જ કરે છે. એટલે એક રીતે શરીર તે મન કરતાં વધારે સ્થાયી છે; પણ નિશ્ચયથી તો બૌદ્ધો એમ જણાવે છે કે કોઈપણ વ્યક્તિનું જીવન અત્યંત અલ્પ હોય છે અને તે એક વિચારના આંતરા સુધી જ ફક્ત રહે છે. વિચારનો અંત આવ્યો કે તે જીવનનો અંત સમજવો, કારણકે ભવિષ્યની ક્ષણનું જીવન ભવિષ્યમાં રહેશે પણ તેને ભૂતકાલના જીવન સાથે સંબંધ નથી તેમ હમણાં તે છે નહિ; તેવી જ રીતે હાલની – વર્તમાન ક્ષણનું જીવન હમણાં જ રહે છે પણ તે ભૂતકાલનું જીવન નહોતું તેમજ ભવિષ્યમાં પણ તે રહેશે નહિ. આ રીતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય સંબંધી બૌદ્ધોનું મંતવ્ય છે, અને તે પ્રમાણે માનવાથી સમ્યક્દષ્ટિ રહે છે. એમ ન માનવું તે અવિદ્યા છે, અને તે જ સંસારનાં સર્વ દુઃખોનું મૂળ છે. ચાર આર્યસત્યના જ્ઞાનથી અવિદ્યાનો નાશ થાય છે અને તેમ થયે સંસ્કારાદિ કે જે તેના પર અવલંબેલા હોય છે તેનો સ્વતઃ નાશ થાય છે. અવિદ્યા ઉત્પન્ન થયા પહેલાં પ્રાણીની શી સ્થિતિ હોય છે એ કોઈથી સમજાતું નથી.આ સઘળો સંસાર અનાદિ છે. ૩૧૫ પ્રતીત્ય સમુત્પાદ – બે અંતિમ માર્ગ અને તે બે વચ્ચેનો (મધ્યમ) માર્ગ જો આપણે એમ માનીએ કે આપણે આપણા હાલના દૈહિક જીવન સાથે એક છીએ એટલે આત્મા એવી કાંઈ વસ્તુ નથી (નાસ્તિવાદ) તો પવિત્ર જીવન સંભવિત નથી, અને જો આપણે એમ માનીએ કે આ દેહથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર આત્મા છે (અસ્તિવાદ) તો પણ પવિત્ર જીવન અસંભાવ્ય છે. આથી આ બંને વાદ બુદ્ધે તજી દઈને મધ્યમ માર્ગ ઉપદેશ્યો છે. તેને પ્રતીત્ય સમુત્પાદ કહે છે કે જે તત્ત્વજ્ઞાનમાં મધ્યમવર્તી છે. તે અનુસાર આત્મા શાશ્વત કિંવા અશાશ્વત પદાર્થ નથી પણ કાર્યકારણ નિયમને લઈ બદલનારો છે. સ્મિન્ તિ તું મતિ.... કારણ હોય તો કાર્ય નીપજે, નહિ તો કાર્ય ન ઉદ્ભવે. ૧. આ અનિત્ય, દુઃખ અને અનાત્માની વાત બુદ્ધદેવની પોતાની નવી નથી. ભારતીય દર્શનશાસ્ત્રોની એ એક સાધારણ ઉક્તિ છે. પ્રાયઃ સર્વે દર્શનોમાં આ જગત્પ્રપંચ અનિત્ય, દુઃખ અને અનાત્મા કહેલો છે. જે અવિદ્યાથી ગ્રસ્ત છે તે તેને નિત્ય, સુખ અને આત્મા સમજે છે; તેથી જ તેને કષ્ટ થાય છે. આ વિષયમાં પાતંજલદર્શન (૨-૫) કહે છે તે સરખાવો. "अनित्याशुचिदुःखानात्मसु नित्याशुचिसुखात्मख्यातिरविद्या" અનિત્યને નિત્ય, અશુચિને શુચિ, દુઃખને સુખ, અને અનાત્માને આત્મા સમજનારી બુદ્ધિ જ અવિદ્યા છે. આમાં અશુચિની બાબત અધિક છે પરંતુ બૌદ્ધ ધર્મે તેને પણ ગ્રહણ કરેલ છે. બૌદ્ધોની ‘અચિ ભાવના’ અને ‘કાયગતા સ્મૃતિ’ પ્રસિદ્ધ છે કે જે આગળ કહેવામાં આવેલ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અવિદ્યાથી સંસ્કારોની ઉત્પત્તિ છે, અવિધાનો નાશ થયો એટલે સંસ્કારોનો નાશ થાય છે ઇત્યાદિ નિયમ બદલતા નથી; આથી આ માર્ગને ધર્મ નિયમતા' ‘ધર્મસ્થિતિ’ ઇત્યાદિ શબ્દો આપેલા છે. આ કાર્યકારણપરંપરા ઉપર સર્વ વસ્તુઓનો આધાર છે. આર્ય અષ્ટાંગિક માર્ગ જેમ સાધનમાર્ગમાં બંને અંત ટાળી મધ્યમવર્તી છે તેમ આ પ્રતીત્ય સમુત્પાદ તત્ત્વજ્ઞાનમાં મધ્યમવર્તી છે. ૩૧૬ આ જગ શાશ્વત છે કે અશાશ્વત, આ જગનો અંત થનાર છે કે નહિ, શરીર અને જીવ એક છે કે ભિન્ન, પ્રાણી મરણ પછી ઉત્પન્ન થાય છે કે નહિ ઇત્યાદિ પ્રશ્ન ઉકેલવામાં પરિશ્રમ સેવવાથી બૌદ્ધ મત પ્રમાણે પ્રજ્ઞાપ્રાપ્તિને મોટો બાધ આવે છે, કારણ કે તે પ્રશ્નો યોગ્ય રીતિએ કરેલા નથી, તેથી તે પ્રશ્નોને એક બાજુ મૂકીને પ્રતીત્ય સમુત્પાદનું યથાર્થજ્ઞાન મેળવી પ્રજ્ઞાને પૂર્ણતાએ લઈ જવી આવશ્યક છે. કારણકે પ્રજ્ઞાથી જ નિર્વાણપ્રાપ્તિ થનારી છે. પ્રતીત્ય સમુત્પાદનું બીજું નામ ૧૨ નિદાન છે, કે જે દુઃખનાં મૂળ છે. નિદાનશાસ્ત્ર જેવી રીતે આખા વૈદ્યકશાસ્ત્ર સાથે સંબંધ રાખે છે તેવી રીતે નિદાન ચાર આર્યસત્ય સાથે સંબંધ રાખે છે; અને તે આ પ્રમાણે : ૧. અવિદ્યા ૨. સંસ્કારો ૩. વિજ્ઞાન ૪. નામરૂપ ૫. પડાયતન (છ ઇંદ્રિય) ૬. સ્પર્શ ૭. વેદના ૮. તૃષ્ણા ૯. ઉપાદાન ૧૦. ભવ ૧૧. જાતિ ૧૨. જરામરણશોકરવેદનાદુઃખદૌર્મનસ્યાપાયાસા. આ બારેમાં પ્રથમ જે અવિદ્યા છે તે સર્વનું મૂળ છે, કારણકે તેનાથી બધી પરંપરા ઉદ્ભવે છે; એટલે અવિદ્યાર્થી સંસ્કાર, સંસ્કારથી વિજ્ઞાન, વિજ્ઞાનથી નામરૂપ, તેથી ષડાયતન, તેથી સ્પર્શ, તેથી વેદના, તેથી તૃષ્ણા, તેથી ઉપાદાન, તેથી ભવ, તેથી જાતિ (જન્મ), અને તે જાતિથી જરામરણશોકપરિવેદનાદુઃખદીર્મનસ્ય અપાયાસ વગેરે ઉત્પન્ન થાય છે. ઊલટી રીતે જોઈએ તો જરામરણનું કારણ જન્મ, જન્મનું કારણ ભવ એટલે કર્મ, કર્મનું કારણ ઉપાદાન [આસક્તિ] એટલે લોભ, લોભનું કારણ તૃષ્ણા, તૃષ્ણાનું કારણ વેદના એટલે સુખવેદના, દુઃખવેદના અને ઉપેક્ષાવેદના એમ ત્રણ પ્રકારની વેદના, વેદનાનું કારણ સ્પર્શ એટલે ઇંદ્રિયવિષયસંયોગ, સ્પર્શનું કારણ ષડાયતન એટલે મન અને પાંચ ઇંદ્રિય, ષડાયતનનું કારણ સંસ્કાર એટલે પ્રવૃત્તિ, અને સંસ્કારનું કારણ અવિદ્યા એટલે અયથાર્થજ્ઞાન (જેને જૈનો ‘મિથ્યાત્વ’ કહે છે). આમ અવિઘા છેલ્લામાં છેલ્લું (આદિ) કારણ આવે છે. ૧. આ જ વાત યોગશાસ્ત્રના એક સૂત્રમાં કહી છે. યોગસૂત્ર ૨.૧૫ દુ:શ્વમેવ સર્વ વિવેનિ આના પર ટીકા એ છે કે, તવસ્ય મહતો દુઃવસમુવાવસ્ય પ્રમવવીનું વિદ્યા એટલે અવિઘા એ બીજ છે અને તેમાંથી સર્વ દુઃખ ઉદ્ભવે છે. વળી તે જ યોગસૂત્ર ૨.૪ જણાવે છે કે વિધા ક્ષેત્ર ઉત્તરેષામ્ ઉત્તર – બીજાનું ક્ષેત્ર અવિદ્યા છે. પરંતુ આ સૂત્રમાં રહેલ અંતર્ગત આશય જુદો જ છે. કારણકે યોગદર્શન શાશ્વતવાદી છે અને તેથી જે અશાશ્વત અને ક્ષણપર્યાયી છે તે તેને દુઃખરૂપ છે, માટે તે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન - પુરુષને પ્રકૃતિ સાથે સંગમમાં આવવાથી વાસ્તવિક રીતે કંઈપણ અસર થતી નથી અને તે સંગમ વિશેનો મિથ્યાભ્રમ અવિદ્યા એ જ સર્વદુઃખનું કારણ છે એવી પ્રતીતિ પ્રાપ્ત કરવા મથે છે. (૩૧૭મા પાને ચાલુ) Page #346 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય ૩૧૭ સંસ્કાર સાંખ્યદર્શનના જગસૃષ્ટિના સિદ્ધાંતમાં પ્રત્યયસર્ગ નામનો શબ્દ છે તે આ પ્રતીય સમુત્પાદ સાથે કંઈ સંબંધ ધરાવતો હોય તેમ લાગે છે, છતાં પણ બૌદ્ધ અને સાંખ્ય બંનેની કારણપરંપરામાં એકબીજા સાથે ગાઢ સંબંધ હોય તેમ નથી. કદાચ આ પરથી એમ માનવાનો સંભવ છે કે સાંખ્ય અને બૌદ્ધ બંનેએ કોઈ પૂર્વના દર્શનમાંથી એક જ જાતનું કંઈ લીધું હોય. આ સિવાય બૌદ્ધ અને સાંખ્ય દર્શનમાં કેટલાક શબ્દો અરસપરસ સજાતીયત્વ ધરાવે છે. તે આ પ્રમાણે : બૌદ્ધ સાંખ્ય અવિદ્યા. પ્રધાન બુદ્ધિ વિજ્ઞાન અહંકાર નામરૂપ તન્માત્રાણિ ષડાયતન ઈદ્રિયો સમાનતા નથી. કેવળ પડાયતન અને છ ઇંદ્રિયો પૂરતી સમાનતા છે.] આમ બૌદ્ધના ૧૨ નિદાન છે અને તેનો વિશ્વવ્યવસ્થાવિચાર સાથે સંબંધ દર્શાવવા પ્રયત્ન કરીએ તો નીચેના નિર્ણય પર અવાય છે. અવિદ્યા એ અજ્ઞાનદશા છે. નિદ્રામાં હોઈએ તેમ છે. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે કે चिरप्रसुप्त इमं लोकं तमस्कंधावगुंठितम् । भावान् प्रज्ञाप्रदीपेन समर्थः प्रतिबोधितम् ।। જ્યારે મનુષ્ય નિદ્રામાંથી ઊઠે છે ત્યારે પહેલાં અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. પછી તેના મનમાં અસ્પષ્ટ લાગણીઓ – સંસ્કારોની અસર થાય છે, અને પછી સ્પષ્ટ જાગૃતિમાં આવે છે – વિજ્ઞાનપ્રાપ્ત થાય છે. જ્યારે દશ્ય જગત્ નામરૂપ તેને દેખાય છે, ત્યારે તેની ઈદ્રિયોનો વ્યાપાર ચાલુ થાય છે. ઈદ્રિય અને તેની સાથે બીજા બાહ્ય પદાર્થ (દશ્ય કે કલ્પનામય)ના સ્પર્શથી અમુક જાતની લાગણી – વેદના ઉત્પન્ન થાય છે. વેદનાથી જે ઇચ્છિત વસ્તુ લાગે તે મેળવવાની ઇચ્છા – તૃષ્ણા જાગે છે અને તે તૃષ્ણા ધીમેધીમે પગભર થતી – વૃદ્ધિ પામતી દઢ વળગી રહેવાપણું અને હાલની સ્થિતિ કરતાં જુદી સ્થિતિ લાવવા માટેના પ્રયત્ન રૂપે એટલે ઉપાદાનરૂપે પરિણમે છે. તેથી નવીન સ્થિતિનો આરંભ થાય છે અને તે આરંભનું સંક્રમણ થતાં – ભવમાં કેટલાક ઉચ્છેદવાદી છે કે જેઓ એમ માને છે કે આત્મા વસ્તુતઃ આ જ ભવમાં છે. જ્યારે બૌદ્ધ આ બંનેથી જુદા પડી એમ માને છે કે આત્મા વસ્તુતઃ આ ભવમાં કે આવતા ભવમાં છે જ નહિ – આત્માની સત્તાને તદ્દન નિષેધે છે આથી પુનર્જન્મને બમણો ફટકો પડે છે. [બૌદ્ધો પ્રમાણે આત્મા નામનો નિત્ય પદાર્થ ભલે ન હોય પણ નામરૂપની સંતતિ છે જે દરેક ક્ષણે નવી જન્મે છે. વિજ્ઞાનસંતતિ માની છે તેથી પુનર્જન્મ નથી માનતા એમ તો ન જ કહેવાય. બલ્ક બૌદ્ધો પુનર્જન્મને માને છે. कम्मा पुनब्भवो होति । विभंग (विसुद्धिमग्ग, कंखावितरण विसुद्धिनिद्देस) બુદ્ધને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થયું હતું. આ જ્ઞાનને પૂર્વનિવાસાનુસ્મૃતિ કહે છે, જેનો જાતિસ્મરણ કહે છે. મને પણ જાતિસ્મરણ કહે છે.] Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આવતાં તે નવીન સ્થિતિ પ્રકટાકારે જન્મે છે (જાતિ). તે જન્મની શરૂઆત થઈ તો તેનો અંત પણ હોવો જોઈએ તેથી તે અંત (મૃત્યુ) બધી જાતનાં દુઃખોથી આવે છે. આ કાર્યકારણપરંપરા બીજી ઘણી રીતે કેટલાક બૌદ્ધ સમજાવે છે. આ કાર્મિક વિદ્યા છે. કેટલાક એમ સમજાવે છે કે અસતા જ્ઞાનથી – અવિઘાથી માયિક સંસ્કારો, તેમાંથી સામાન્ય વિચારો, તેમાંથી વિશેષ વિચારો, તેમાંથી છ ઈદ્રિયસ્થાનો – ષડાયતન, તેમાંથી સ્પર્શ, તેમાંથી નિશ્ચિત વેદના, તેમાંથી તૃષ્ણા, તેમાંથી આરંભિક જન્મ, તેમાંથી શરીર સત્તા, તેમાંથી સજીવ વસ્તુમાં સામાન્ય જાતિ અને વિશેષ જાતિના સર્વ ભેદો, તેમાંથી જરા – સડવું અને મરણ પામવું ઉત્પન્ન થાય છે. બીજી રીતે આ પરંપરા મનુષ્યજીવનનો ઇતિહાસ રજૂ કરે છે અને તેનાં ૧૨ પ્રકરણો છે. ગર્ભથી અગર ગર્ભ પહેલાંથી શરૂ થઈને ઠેઠ ક્ષીણતા ને નાશ સુધી તે જાય છે. આ સર્વનું મૂળ અવિદ્યા એટલે ક્ષણિક – અનિત્ય વસ્તુને સ્થાયિ – નિત્ય વસ્તુ માનવાની ભ્રાંતિ છે. તે ભ્રાંતિમાંથી સંસ્કારો સ્નેહ, ક્ષણિક સ્વભાવ જેવા કે લોભ, દ્વેષ અને મોહ જન્મે છે; તેમાંથી વિજ્ઞાનગર્ભની અંતર્ગત જાગૃતિ આવે છે, તેમાંથી નામરૂપ એટલે નામ – પૃથ્વી અને બીજાં ત્રણ મૂળતત્ત્વો – ધાતુથી અને રૂપથી બનેલું પ્રાથમિક શરીર બને છે, તેમાંથી પડાયતન – છ ઇંદ્રિયો થાય છે, જ્યારે નામરૂપની સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે ત્યારે તે સ્પર્શ કહેવાય છે, ત્યારપછી વેદના – લાગણી થતાં તૃષ્ણા (સુખકર વેદનાને લંબાવવા ને દુઃખમય વેદનાને દૂર કરવાની ઇચ્છા) ઉત્પન્ન થાય છે. ત્યારપછી ઉપાદાન - પ્રયત્ન, ક્રિયાની શરૂઆત થાય છે; ત્યારપછી ભવ (પાપ-પુણ્યની સ્થિતિ) થાય છે. તેથી જાતિ – જન્મ એટલે પાંચ સ્કંધનો સમૂહ થાય છે. જન્મ થયા પછી જરા મરણ વગેરે થાય છે. આમ અવિદ્યામાંથી સર્વ પાપ, જન્મમરણ કેવી રીતે એટલે દુ:કેમ ઉત્પન્ન થાય છે એ જણાવવાનો (બીજું આર્યસત્ય જણાવવાનો) આ પ્રતીત્ય સમુત્પાદના આખા કમનો હેતુ છે. અને તે અવિદ્યા દૂર કરવાથી તેમાંથી ઉદ્ભવતી બધી પરંપરા નાશ પામે છે એટલે દુઃખનો નાશ પામે છે એ આ કાર્યકારણપરંપરાથી પ્રતીત થાય છે. તેથી ત્રીજા આર્યસત્ય (દુઃખનિરોધ)નું પ્રતિપાદન થાય છે. [આ પ્રતીત્ય સમુત્પાદ કે દ્વાદશ નિદાનોની સાંકળના ૧૨ મણકા, પરંપરાગત સમજૂતી પ્રમાણે, ત્રણ જન્મ સાથે સંબંધ ધરાવે છે. અવિદ્યા અને સંસ્કાર એ બે ગત જન્મના છે, અને ત્રીજા વિજ્ઞાન સાથે નવો જન્મ થાય છે. (નવા જન્મની શરૂઆત ગર્ભાધાનથી જ કહેવાય); વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન અને ભવનો સંબંધ વર્તમાન જીવન સાથે છે, જ્યારે જાતિ અને જરા -મરણનો સંબંધ ભાવી જન્મ સાથે છે. આ હીનયાન મત પ્રમાણે છે. જ્યારે મહાયાન મત પ્રમાણે માત્ર બે જન્મ સાથે જ આ મણકા કે નિદાનોની સંબંધ છે. ૧–૧૦નો સંબંધ એક જન્મ સાથે અને ૧૧-૧૨નો બીજા જન્મ સાથે. જો ૧-૧૦નો સંબંધ અતીત જન્મ સાથે હોય તો ૧૧-૧૨નો આ જન્મ સાથે, અને ૧–૧૦નો સંબંધ આ જન્મ સાથે હોય તો ૧૧-૧૨નો ભવિષ્ય જીવન સાથે. | Page #348 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય આ ઉ૫૨થી પ્રાણીઓ અવિદ્યાથી તૃષ્ણાબદ્ધ થતાં અહીંતહીં સુખ માટે ભટકે છે અને તેથી ફરી નવો જન્મ લે છે; અને લોભ, દ્વેષ અથવા મોહથી કરવામાં આવેલાં કર્મો પક્વ થતાં તેનું ફળ તે આ ભવમાં કે આવતા ભવમાં ભોગવે છે. અવિદ્યા દૂર થતાં કર્મ નિર્મૂળ થાય છે અને તેથી નવીન ભવ લેવો પડતો નથી. આ પ્રમાણે બૌદ્ધો કર્મવાદ સ્વીકારે છે, પરંતુ અન્ય દર્શનોથી લઈ તેને પોતાના સિદ્ધાંતાનુસાર મરડીને રચેલો તેમનો કર્મવાદ છે કે જે આપણે હવે પછી જોઈશું. આ પ્રમાણે બુદ્ધ નિષેધનો, નાશનો ઉપદેશ કરે છે. તે નાશ શેનો ? તો લોભ, દ્વેષ અને મોહનો નાશ તેમજ જુદી જાતનાં દુઃખનો, અકુશલ ચિત્તનો નાશ એટલે તૃષ્ણાનો નાશ. તૃષ્ણાના સર્વતોભાવથી પરિત્યાગ કરવાથી જ દુઃખનો નિરોધ થાય છે અને આ તૃષ્ણાના નાશનું નામ જ ‘નિર્વાણ’ છે. આથી નિર્વાણનું એક નામ ‘તૃષ્ણાક્ષય’ છે અને બીજું ‘અનાલય’ છે. ૨. બીજું અંગ સમ્યક્ સંકલ્પ આ ત્રણ પ્રકારનાં છે : (૧) નૈષ્કર્માં સંકલ્પ જગત્ની રીતોના ત્યાગનો વિચાર એટલે એકાંતવાસ સુખનો સંકલ્પ (સાધુજીવનનો વિચાર) (૨) અવ્યાપાદ સંકલ્પ = કોઈ પ્રત્યેના અનિષ્ટ વિચાર ન કરવા શુભ વિચાર દરેક પ્રત્યે રાખવા એટલે પ્રાણીમાત્ર પર શુદ્ધ પ્રેમની ભાવના રાખવી. (૩) અવિહિંસા સંકલ્પ બીજાને તેમજ પોતાને ત્રાસ ઉત્પન્ન ન થાય એવી ઇચ્છા (ક્રૂરતાથી દૂર રહેવાનો વિચાર). આ ત્રણ સંકલ્પને સમ્યક્ સંકલ્પ કહેવામાં આવે છે. આ સંકલ્પ બરાબર પરિણમવાથી બૌદ્ધ દીક્ષા ગૃહસ્થ અંગીકાર કરે છે એટલે ગૃહનો ત્યાગ કરી સગાંસહોદરને તજી, કેશને કાપી, પીત અંગવસ્ત્ર ધારણ કરી, અનાગાર જીવન ગાળવા પ્રયાણ કરે છે. - = ૩. ત્રીજું અંગ સમ્યક્ વાચા (૧) અસત્ય ન બોલવું. જાણ્યું કે પોતાના કે બીજાના લાભ અર્થે કે કોઈપણ લાભ અર્થે જૂઠું બોલવાથી - મૃષાવાદથી દૂર રહેવું. (૨) ચાડી ન ખાવી – પૈશુન્યનો ત્યાગ કરવો એટલે જે પોતે સાંભળેલું હોય તે ક્લેશ ઉત્પન્ન થાય તે માટે ફરી વાર ૧. બુદ્ધદેવનો આ વિચાર નવો નથી. તેની અતિ પૂર્વે ભારતમાં આ તત્ત્વ પ્રકાશિત થઈ ચૂક્યું હતું. આના પ્રમાણમાં બે ઉદાહરણ આ છે : यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि स्थिताः । अथ मर्त्यो मृतो भवत्यत्र ब्रह्म समश्नुते || ૩૧૯ विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥ (બૃહદારણ્યક ૪-૪૭; કઠ. ૬-૧૪) (ગીતા, ૨-૭૧) Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ન કહેવું. આથી શત્રુભાવથી વર્તનાર વચ્ચે સંપ કરાવાય છે. (૩) કઠોર શબ્દ ન ઉચ્ચારવા – પારુષ્યથી દૂર રહેવું એટલે એવા શબ્દો બોલવા કે જેથી અવિનય ન થાય, જે કર્ણપ્રિય અને ચિત્તની પ્રસન્નતા કરનારા હોય, કારણકે તિરસ્કાર તિરસ્કારથી દૂર થતો નથી પરંતુ પ્રીતિથી જ દૂર થાય છે એ અચલ સિદ્ધાંત છે. (૪) વૃથાભાષણ ન કરવું – સંભિન્ન પ્રલાપ ન કરવો. એટલે ખરે સમયે, વાસ્તવિક બીના સહિત, મુદ્દાસર બોલવું. ધર્મ, અને વિનય પરત્વે વદવું. આ ચાર પ્રકારે સમ્યકુ વાચા સચવાય છે. ૪. ચોથું અંગ સમ્યક્ કર્માન્ત (કર્મ) (૧) પ્રાણાતિપાતથી દૂર રહેવું – પ્રાણઘાત ન કરવો. લાકડી કે તરવાર જેવાં સાધન વગર દયામય ચિત્તથી સહાનુભૂતિ રાખી સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ને દયા દર્શાવવાં. (૨) અદત્તાદાનનો ત્યાગ કરવો – ચોરી નહિ કરવી. જે વસ્તુ બીજા આપે તે જ લેવી. અને જ્યાં સુધી બીજા વસ્તુ આપે ત્યાં સુધી રાહ જોવી, પરંતુ તે ચોરી લઈ જવાના વિચારોથી દૂર રહેવું અને ચિત્ત પવિત્ર રાખવું. (૩) કામમિથ્યાચારથી વિરમવું – પરદારાગમન ન કરવું. પિતામાતાદિના રક્ષણ નીચેની કુમારિકાઓ, વિવાહિત સ્ત્રીઓ, ગુલામડીઓ – ચાકરીએ રાખેલી સ્ત્રીઓ કે વેશ્યાઓ સાથે વ્યભિચાર નહિ કરવો. આ ચાર પ્રકારે જીવન ગાળવાથી સમ્યક્ કર્મ – ચારિત્ર સચવાય છે. ૫. પાંચમું અંગ સમ્યફ આજીવ આનો અર્થ એ છે કે શુભ રીતિએ – પ્રમાણિકપણે પોતાની આજીવિકા કરવી પરંતુ અશુભ રીતિએ – અપ્રમાણિકપણે – અનીતિથી આજીવિકા પ્રાપ્ત ન કરવી. ધંધામાં એવા પાંચ ધંધા છે કે જે જગતનાં દુઃખનું કારણ છે તેથી તેને અસમ્યક આજીવ તરીકે ગણેલા છે. (૧) ખાટકીનો ધંધો તેમજ વધ કરેલા પ્રાણીઓનો ધંધો (આમાં શિકારી, માછી, સૈનિક વગેરેના ધંધાનો સમાવેશ થાય છે), (૨) સુરા – દારૂ વગેરે માદક પદાર્થોનો ધંધો, (૩) વિષમય પદાર્થોનો, (૪) હથિયાર અને ઘાતક શસ્ત્રોનો ધંધો, (૫) મનુષ્યક્રયનો જેવા કે ગુલામ, વેશ્યાઓ વગેરે વેચવાનો ધંધો. અસમ્યફ આજીવિકામાં લુચ્ચાઈ, છેતરપિંડી કરવી, ખોટી રીતે લાલચ આપવી, અત્યંત વ્યાજ લેવું વગેરે આવી જાય છે. ૬. છઠું અંગ સમ્યફ વ્યાયામ ચાર જાતના શુભ પ્રયત્નો (સમ્યક્ પ્રધાન) છે. (૧) સંવરપ્પધાન - અટકાવવાનો પ્રયત્ન (૨) પહનપ્રધાન – સંયમ કરવાનો – દાબવાનો પ્રયત્ન, (૩) ભાવનાપ્પધાન – ઉત્પન્ન કરવાનો પ્રયત્ન (૪) નિભાવવાનો પ્રયત્ન. (૧) સંવરપ્પધાન એટલે જે અશુભ વિચારો છે તે ઉત્પન્ન થયા પહેલાં તેનો સંવર કરવો એટલે તે ઉત્પન્ન થાય તેવી સગવડ ન આપવાનો પ્રયત્ન. જયારે કોઈ એક વસ્તુ આંખથી જોવામાં આવે છે, શબ્દ કાનથી સાંભળવામાં આવે છે, નાકથી ગંધ સુંઘાય છે, જીભથી સ્વાદ લેવાય છે, અને મનથી ચિંતન કરાય છે, ત્યારે તેણે તેમાં તેના સમગ્ર અંગમાં કોઈકોઈ અંશે તેના ઉપાંગમાં આસક્તિ નહિ રાખવી જોઈએ, પરંતુ તે ન થાય તે માટે તેનાથી દૂર રહેવાની ઈચ્છા ઉત્પન્ન કરવી Page #350 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય જોઈએ અને આમ કરતાં ઇંદ્રિય ઉપર સામ્રાજ્ય મેળવવું જોઈએ. આથી આંતિરક આનંદ સ્ફુરે છે. (૨) પહનપ્પધાન વહન પ્રહાળ] -- જે કુવિચારો લોભ, દ્વેષ કે મોહથી ઉત્પન્ન થયા હોય તેનો નાશ કરવાનો પ્રયત્ન. આ કરવાની પાંચ રીત છે. (અ) તે કુવિચારનો પ્રતિપક્ષી સુવિચાર તે વખતે કરવો. (બ) તે કુવિચારોની અધમતા પર વિચાર કરવો કે તે અશુભ‚ અકલ્યાણકર છે અને દુઃખ આપનાર છે. (ક) તે પ્રત્યે લક્ષ નહિ આપવું. (૩) તે વિચારનું તેનાં સર્વ અંગોમાં પૃથક્કરણ કરવું, (ઇ) દાંત પીસીને ને જીભને બરાબર તાળવા સાથે દાબીને આ કુવિચારોને મનથી દબાવી દેવા. અને આમ કરવાથી કુવિચારો છૂટા પડી અદૃશ્ય થશે અને મન શાંત, દૃઢ અને સમાધિમય બનશે. (૩) ભાવનાષ્પધાન જે સુવિચારો મનમાં ઉત્પન્ન ન થયા હોય તે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન. આમ કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરી મનમાં સુવિચાર ઉઠાવવા ઘટે છે. આથી બોધાંગો નામે સ્મૃતિ, ધર્મવિચય, સમાધિ આદિ ઉદ્ભવે છે. (૪) જે સુવિચારો મનમાં ઉત્પન્ન થયા હોય તેને વૃદ્ધિંગત કરી પૂર્ણતાએ લઈ જવાનો પ્રયત્ન. આમાં એવો વિચાર રાખવાનો છે કે મારાં હાડકાં, માંસ, મજ્જા, લોહી વગેરે સુકાઈ ક્ષીણ થઈ જાય તો ભલે પરંતુ જે ધીરજ, શક્તિ અને પ્રયત્નથી ઇષ્ટ વસ્તુ મળી શકે છે તે જ્યાં સુધી મને મળે નહિ ત્યાં સુધી હું મારા પ્રયત્નો તજીશ નહિ. આ રીતે સમ્યક્ વ્યાયામ છે. = ૩૨૧ ૭. સાતમું અંગ સભ્યસ્મૃતિ તેનાં ચાર સ્થાન છે કે જેને સ્મૃતિપ્રસ્થાન (સતિપટ્ઠાન) કહે છે ઃ (૧) કાયસ્મૃતિ (૨) વેદનાસ્મૃતિ (૩) ચિત્તસ્મૃતિ અને (૪) ધર્મસ્મૃતિ. આ ચારથી મનુષ્ય પિવત્ર બની શોકપરવેદના પરાભૂત કરી દુઃખથી મુક્ત થાય છે અને માર્ગ મેળવી નિર્વાણ પામે છે. (૧) કાયસ્મૃતિ – ભિક્ષુ વનમાં જઈ વૃક્ષ નીચે કે કોઈ એકાંત સ્થલે પદ્માસને શરીર ટટાર રાખી અને મન સ્વસ્થ અને એકાગ્ર રાખી શરીર સંબંધેની ભાવના કાયસ્મૃતિ કરે છે. અનાપાનસ્મૃતિ પ્રથમ થાય છે એટલે કે એકાગ્ર વૃત્તિથી શ્વાસ લે છે અને બહાર કાઢે છે. આવી રીતે દીર્ઘ અને અલ્પ, ધીમે અને ઉતાવળે શ્વાસોચ્છ્વાસ લઈ શ્વસનિક્રયા કેળવે છે, અને તેથી ધ્યાનનો પ્રારંભ થાય છે. પછી પોતાના શરીર સંબંધે ચિંતના કરે છે. સ્વ અને પર શરીર કેમ જન્મે છે, કેમ અંત પામે છે એ વિચાર ભાવે છે. શરીર એ ચાર મૂળ ધાતુનું અને તે સિવાય બીજાં તત્ત્વોનું (આંખ વગેરેનું) બનેલું છે. આના સ્પર્શથી વિજ્ઞાન ઉદ્ભવે છે. અને વિજ્ઞાનાદિ પાંચ સ્કંધ નામરૂપ ઉત્પન્ન થાય છે – નામે નામ (માનસિક અવસ્થા) એટલે વેદનાસ્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ, વિજ્ઞાનસંધ અને રૂપસ્કંધ. આ બધાં ભેગાં મળીને નામરૂપ તરીકે શરીર થાય છે. વળી પોતાના શરીરના આસન તથા શરીરની સર્વક્રિયા કરવામાં જાગ્રત અને અપ્રમત્ત હોય છે. ઉપરાંત શરીરની અશુચિતા ૫૨ ભાવના ભાવે છે કે જેને ‘અશુભભાવના' કહે છે Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (આને માટે અનિત્ય, દુઃખ અને અનાત્મા પરની આગળ મૂકેલી પાદટીપ જુઓ) અને શરીરનું પૃથક્કરણ – પૃથ્વી, અપો, તેજ, વાયુ ધાતુમાં કરે છે – આ કહેલા જે વિચારો તે સર્વ પ્રજ્ઞા સૂચવે છે.. તે ઉપરાંત મરણસ્મૃતિ – મશાનભાવના કરે છે. શબ જોઈને તે ચિંતવે છે કે (૧) મારું શરીર પણ તે માફક મૃત થશે. મરણથી તે કદી છૂટવાનું નથી. (૨) મારું શરીર પણ તે શબની માફક કાગડા-વરુથી ખવાશે. (૩) મારું શરીર હાડકાંનું માળખું છે, લોહીથી ભરેલું અને મજ્જાથી જોડાયેલું છે વગેરે વગેરે. આવી કાયસ્મૃતિથી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે. અસંતોષ, ભયચિંતા, શીતઉષ્ણતા, તૃપાક્ષધા, પવન, માંસચાંચડની વેદના, કડવાં વેણ, શારીરિક દુઃખ અને વેદના વગેરે પર જય મેળવી શકાય છે. ચાર ધ્યાન અને છ અભિજ્ઞા નામે (૧) ૪ ઇદ્ધિપાદ – સિદ્ધિઓ, (૨) દિવ્યાકર્ણ કે જેનાથી દિવ્ય અને ભૌતિક શબ્દ સાંભળી શકાય, દિવ્યશ્રોત્રધાતુ – એનાથી સાધક દિવ્ય અને માનુષી, દૂરનો અને નજીકનો શબ્દ સાંભળે છે. (જુઓ જેનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા. પૃ.૧૭૨) (૩) બીજાના મનની વાતનું જ્ઞાન, (૪) પૂર્વભવની સ્મૃતિ (૫) દિવ્યચક્ષુ (૬) અવિદ્યાનો અંત પ્રાપ્ત કરી શકાય છે. (૨) વેદનાસ્મૃતિ – સુખવેદના, દુઃખવેદના, અને તે બેમાંની એકે નહિ એવી ઉપેક્ષાવેદના જાણવી – અનુભવવી. વળી તે ત્રણ પ્રકારની વેદનામાંની દરેક લૌકિક છે કે લોકોત્તર છે તે સમજવાની છે. આમાં આ ઉપરાંત વેદના શું છે, પોતાની અને પારકાની વેદના કેવી છે, તે કઈ રીતે ઉદ્ભવે છે, કઈ રીતે ચાલી જાય છે, એ વગેરેની ભાવના કરવાની છે કારણકે આવી ભાવના કરનારમાં પ્રા, સમ્યગ્દષ્ટિ હોય છે. (૩) ચિત્તસ્મૃતિ – આમાં વિચારો એટલે લોભવાળા અને લોભરહિત, દ્વેષમય અને દ્વેષરહિત અને મોહમય અને મોહરહિત વિચારો તેમજ એકાગ્ર અને ભિન્નભિન્ન અધમ અને ઉત્તમ, નીચ અને ઉદાત્ત, સ્વતંત્ર અને બંધનવાળા વિચારોની સ્મૃતિ – ભાવના થાય છે અને તેનું જ્ઞાન થાય છે. પોતાના અને પારકા વિચારો શું છે, તે કેવી રીતે ઉદ્ભવે છે અને નાશ પામે છે એ સંબંધનું સ્પષ્ટ જ્ઞાન આથી થાય છે. (૪) ધર્મસ્મૃતિ – આમાં ધ્યાનને પ્રતિબંધક એવાં પાંચ નિવારણો” નીવરણો નામે કામચ્છેદ, દ્વેષ – ક્રોધ, શિથિલતા, ઉદ્ધચ્ચ – કુમુચ્ચ એટલે અસ્થિર બુદ્ધિવાળા વિચાર, અને સંશયવૃત્તિ પોતાનામાં જ્યારે હોય છે, જ્યારે નથી હોતાં, કેમ ઉદ્ભવે છે, કેમ તેને જીતી શકાય છે, જિતાયેલાં છે કે નહિ અને કેવી રીતે સદા માટે નાશ ૧. જેનાથી ચમત્કાર થાય છે. તે ચાર આ છે : ઈચ્છા, પ્રયત્ન, મન અને શોધની એકાગ્રતા. ચાર ઋદ્ધિપાદ આ પ્રમાણે : (૧) છંદસમાધિપ્રધાન સંસ્કારયુક્ત દ્ધિપાદ (૨) વીર્યસમાધિપ્રધાન સંસ્કારયુક્ત ઋદ્ધિપાદ (૩) ચિત્તસમાધિપ્રધાન સંસ્કારયુક્ત ઋદ્ધિપાદ (૪) મીમાંસામાધિપ્રધાન સંસ્કારયુક્ત ઋદ્ધિપાદ) ૨. આમાંની પ્રથમ પાંચ લૌકિક છે અને છેલ્લી - છઠ્ઠી અભિજ્ઞા લોકોત્તર છે કે જે ક્લેશપરિનિર્વાણ – અહંત્પદની સમાન છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ચાર આર્યસત્ય ૩૨૩ પામે છે એનું જ્ઞાન થાય છે. વળી પાંચ સ્કન્ધો કેમ ઉદ્ભવે છે, નાશ પામે છે તેનું, તથા ષડાયતન અને તે છ ઇંદ્રિયથી થતું જ્ઞાન એનાં રૂપ, તેનાં બંધન વગેરે જાણે છે. ઉપરાંત સાત બોધાંગ (બોધિનાં અંગ) નામે સમ્યસ્મૃતિ, ધર્મવિચય, વગેરે કેમ ઉદ્ભવે છે અને પૂર્ણતાએ લઈ જઈ શકાય છે તેનું જ્ઞાન પણ આમાં થાય છે. છેલ્લે ચાર આર્યસત્યો નામે આ પાંચસ્કંધ દુઃખ છે, તૃષ્ણા દુઃખનું કારણ છે, નિર્વાણ દુઃખનો નિરોધ છે અને આર્યઅષ્ટાંગિક માર્ગ તે દુઃખનિરોધ – નિર્વાણ પ્રત્યે લઈ જાય છે એ તે સારી રીતે જાણી તેની ભાવના કરવામાં આવે છે. આ રીતે ચાર જાતનાં સ્મૃતિનાં પ્રસ્થાન કહ્યાં કે જે નિર્વાણ પ્રત્યે લઈ જાય છે. જેવી રીતે જંગલી હાથીની હઠ, જંગલીપણું, વગેરે કાઢી નાખવા માટે મહાવત કે શિકારી તેને ખીલે બાંધી રાખે છે તેવી રીતે જગતુની દુઃખમય સ્થિતિ – વિચિત્રતા દૂર કરવા માટે આ ચાર પ્રસ્થાન પર મનને દઢતાથી બાંધી રાખવું ઘટે છે. ટૂંકમાં શરીર અપવિત્ર પદાર્થોનું બનેલું છે એ વિવેક જાગ્રત રાખવો, શરીરમાંથી ઊપજતી સુખદુઃખાદિ વેદનાનું વારંવાર અવલોકન કરવું, સ્વચિત્તનું અવલોકન કરવું અને આર્યસત્ય તથા કાર્યકારણપરંપરા ઈત્યાદિ તાત્ત્વિક ગોષ્ઠીનું ચિંતવન કરવું એ સમ્યક્ સ્મૃતિ છે. ૮ આઠમું અંગ સમ્યક સમાધિ સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. આને અકુશલ સમાધિથી ભેદ પાડવા કુશલ સમાધિ કહે છે. આના બે ભેદ છે ૧. ઉપચાર સમાધિ કે જે થોડો વખત ટકે છે. નાનું બાળક ઘણો વખત ઊભું રહી શકતું નથી. તે પ્રમાણે યોગીને આરંભમાં સાધ્ય થનારી આ સમાધિ બહુ વખત વધુ નભતી નથી. ૨. અર્પણ સમાધિ – ઉપચાર સમાધિ સાધ્યા પછી પ્રાપ્ત થાય છે અને અભ્યાસથી વધુ વખત નભે છે. તેના સંબંધમાં કહેતાં ઉપરોક્ત ચાર સ્મૃતિપ્રસ્થાન તે સમાધિના વિષયો છે, સમ્યક વ્યાયામ નામના છઠ્ઠા અંગમાં કહેલા ચાર પ્રકારના વ્યાયામ – પ્રધાન તે સમાધિ માટે આવશ્યક ઉપાય છે. આ સર્વને કેળવવાં, કૃતિમાં લાવવાં અને વિકસાવવાં તે સમાધિની ભાવના છે. સમાધિ કરવા માટે ભિક્ષુએ પવિત્ર જિંદગી ગાળવી જોઈએ તેમજ ઈદ્રિયો પર સંયમ રાખી જાગ્રત દશામાં એકાંતસ્થાને વનમાં વૃક્ષ નીચે કે પર્વત તળે કુંજમાં કે ગુફામાં, મિશન કે ઝાડીમાં, કે મેદાનમાં તૃણ-શય્યા પર સમાધિ સાધવી જોઈએ. તેમાં પદ્માસને શરીરને ટટ્ટાર અને મનને સ્વસ્થ તથા એકાગ્ર રાખવું ઘટે છે. ઉપર જણાવેલ પાંચ નિવારણો' નીવરણોથી સ્વચિત્ત મુક્ત હોવું જોઈએ. આથી ચાર જાતનાં ધ્યાન – સમાધિ પ્રાપ્ત થાય છે. (૧) પહેલાં સઘળી કામવાસનાનો વિરોધ કરી અને બીજી દુષ્ટ મનોવૃત્તિનો નિરોધ કરી યોગી પ્રારંભિક – ‘વિતર્ક અને સ્થાયી -- “વિચાર” એ બંનેથી યુક્ત અને વિવેકથી ઉત્પન્ન થયેલી “પ્રીતિ” તથા “સુખથી યુક્ત “એકાગ્રતા'રૂપ એવું પ્રથમ ધ્યાન સંપાદન કરે છે. આમાં વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા એ પાંચ અંગ છે. (૨) પછી વિતર્ક અને વિચાર એ શાંત થયા પછી જે ચિત્તની પ્રસન્નતા, જે ૧. નાટકમાં શૃંગારથી પૂર્ણ ભાગ જોતાં તલ્લીન થવું તે અકુશલસમાધિનું દષ્ટાંત છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ચિત્તની એકાગ્રતા થાય છે તેથી યુક્ત વિતર્ક વિચાર રહિત અને સમાધિથી ઉત્પન્ન થયેલી પ્રીતિ અને સુખથી યુક્ત એવું બીજું ધ્યાન સંપાદન કરે છે. આમાં વિતર્ક અને વિચાર ન રહેતાં ઉક્ત પાંચ અંગમાંનાં બાકીનાં ત્રણ અંગ રહે છે. (૩) પ્રીતિના ત્યાગથી તે ઉપેક્ષાયુક્ત થાય છે અને જાગ્રત (મૃતિમાનુ) થવાની સાથે જ સમાધિસુખનો અનુભવ કરે છે તેને આર્યજન ઉપેક્ષાયુક્ત સ્મૃતિમાનું અને સુખી કહે છે. આ પ્રકારની સ્થિતિવાળું તૃતીય ધ્યાન પ્રાપ્ત કરે છે. આમાં પ્રીતિ ન રહેતાં સુખ અને એકાગ્રતા રહે છે. (૪) સૌમનસ્ય અને દૌર્મનસ્યનો પહેલાંથી જ નાશ કર્યા પછી સુખ અને દુઃખનો નિરોધ કરી તે સુખદુઃખવિરહિત અને ઉપેક્ષા અને જાગૃતિ (સ્મૃતિ)થી પરિશુદ્ધ એવું ચતુર્થ ધ્યાન પ્રાપ્ત કરે છે. આમાં સુખ ન રહેતાં એકાગ્રતા રહે છે અને તેની સાથે સ્મૃતિ રહે છે. આ પ્રમાણે ચાર ધ્યાન સંપાદન કર્યો કે સમ્યક સમાધિ – કુશલ સમાધિ થઈ એવું કહે છે. અને તે ૪૦ પદાર્થનું ચિંતન કર્યાથી સાધી શકાય છે. અને તેને કર્મસ્થાન કહે છે. - નિર્વાણપ્રાપ્તિ માટે નિરંતર ધાર્મિક ક્રિયાઓ અને ધ્યાનસમાધિની પૂરી જરૂર છે. ઉચ્ચ વિચારના ઉચ્ચ પ્રદેશમાં વિહરવા માટે પ્રથમ તો ભાવના ભાવવાની જરૂર છે. તે ૪ પ્રકારે છે. ૧) મૈત્રીભાવના – આપણી પેઠે સર્વ પ્રાણીમાત્ર સુખની ઇચ્છા કરે છે એવું જાણી ક્રમે ક્રમે તે સર્વ પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન કરવો. જેમ સદા સર્વદા હું સુખી હોઉં, દુઃખરહિત હોઉં તેમ મારા પ્રમાણે મારા મિત્રો પણ, મધ્યસ્થો પણ અને વૈરીઓ સુધ્ધાં સુખી થાઓ. આસપાસનાં ખેતરોમાંનાં અને ગામોમાં સર્વ પ્રાણી, રાજ્યનાં પ્રાણી અને આ વિશ્વનાં પ્રાણી સુખી થાઓ; તે જ પ્રમાણે સ્ત્રીઓ, પુરષો, આર્ય-અનાર્ય, દેવ, મનુષ્ય, સર્વે સુખી થાઓ, દુર્ગતિ તરફ ગયેલાં પ્રાણી પણ સુખી થાઓ અને દશે દિશામાં વસનારાં સર્વ પ્રાણી સુખી થાઓ. આમ પોતાની જાત પરથી કમેકમે સમસ્ત વિશ્વનાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ કેમ વધારવો તે આમાં જણાવેલ છે. સઘળો પ્રાણીસમુદાય આંખ આગળ છે એવું કલ્પી તેના પર હું મનોભાવથી પ્રેમ કરું છું, મારું અંતઃકરણ પ્રેમમય થયું છે, મારો કોઈ શત્રુ રહ્યો નથી, વાઘ-સિંહ વગેરે હિંસક પ્રાણી પણ મારા મિત્ર થયાં છે, સર્પો મારા શરીર પર લોટે છે, વાઘ મારી પલાંઠી પર માથું મૂકીને સૂઈ ગયો છે અને કોઈ તરફનો મને ભય રહ્યો નથી” એવી નિર્ભય ભાવના કરવી જોઈએ. (૨) કરુણા ભાવના – એ જ રીતે સર્વ પ્રત્યે કરુણા લાવવી. (૩) મુદિતા ભાવના – એ જ રીતે સર્વ પ્રત્યે હર્ષની લાગણીથી જોવું. (૪) ઉપેક્ષા ભાવને – એ જ રીતે સર્વ પ્રત્યે ઉપેક્ષાથી જોવું. આ ચારે ભાવના નવીન નથી. જુઓ પાતંજલ દર્શનનું સૂત્ર : मैत्री करुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्य विषयाणां भावनातश्चित्तप्रसादनम्. Page #354 -------------------------------------------------------------------------- ________________ ધમી ૩૨૫ આમાંની મૈત્રીભાવના બૌદ્ધધર્મમાં સુપ્રસિદ્ધ અને અતિ રમણીય છે, પરંતુ તે બુદ્ધદેવની ઉદ્ભાવિત નથી. વેદની સંહિતાઓના સમયથી આ ભાવ ચાલ્યો આવે છે : - મિત્રચાહું સર્વાગ મૂતાનિ સનીલે ! (વાજસનેયિ સંહિતા) [‘મિત્રનો અર્થ અહીં સૂર્ય જણાય છે. (?)] ચાર અરૂધ્યાયતન ઉપરોક્ત ચાર ધ્યાનમાંનાં કેટલાંક ધ્યાનમાં જે સ્થિતિ ક્રમે ક્રમે થાય છે તે બતાવે છે : અનેકતાનો વિચાર કરતાં રૂપસ્કંધનો, સંજ્ઞાસ્કંધનો તદ્દન નાશ કર્યા પછી અનંત આકાશનો વિચાર કરતાં (૧) અનંત આકાશના આયતન – સ્થાનમાં જવાય છે, અને તે વિચારને દૂર કરી અનંત વિજ્ઞાનનો વિચાર કરતાં (૨) અનંત વિજ્ઞાનના આયતનમાં જવાય છે અને તે વિચારને દૂર કરતાં શૂન્યતાનો વિચાર કરવામાં આવતાં (૩) શૂન્યતાના આયતનમાં જવાય છે. તે છતાં પણ જે કંઈ વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન રહે તે એટલે તે સર્વ દૃશ્યને ધ્યાન ધરનાર ક્ષણિક (અનિત્ય), દુઃખમય (દુઃખ), આત્મારહિત મિથ્યા (અનાત્મા) ગણે છે અને તેમાંથી પછી પોતાનું મન સદા સ્થાયી એવી વસ્તુ નિર્વાણ) પ્રત્યે આ રીતે વાળે છે. આ શાંતિ છે, આ ઉચ્ચ આદર્શ છે, સર્વ ભવનો નાશ, દરેક જાતના જન્મથી મુક્તિ, તૃષ્ણાનો નાશ, લોભથી વિમુક્તિ – નિર્વાણ' છે અને આ દિશામાં તે નિર્વાણનો સાક્ષાત્કાર કરે છે. આ ત્રણ પસાર કર્યા પછી નિર્વાણ પ્રાપ્ત થાય તો ચિંતા નહિ, કારણ કે ત્યારપછી તે એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે અને એવા સ્થળે પહોંચે છે કે જ્યાંથી તેને નિર્વાણ જ મળે – બીજી વાર જન્મ લેવો જ ન પડે. નિરોધ – સમપત્તિ અથવા શૂન્યતાનું આયતન તદ્દન દૂર કર્યા પછી (૪) અર્ધ – સંજ્ઞાનું આયતન પ્રાપ્ત થાય છે (આ ચાર અરૂપી આયતન ચતુર્થ ધ્યાનની અવસ્થાઓ છે અને લોકોત્તર સ્થિતિઓ છે. એવું અભિધર્મમાં કહેલું છે.) છેવટે આ અર્ધ-સંજ્ઞાને – આયતનને તદ્દન દૂર કર્યા પછી એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે જ્યાં વેદના ને સંજ્ઞાનો આત્યંતિક નિરોધ – નાશ હોય છે. સરખાવો જૈન ધર્મમાં અયોગી ગુણસ્થાન. આ ઉચ્ચ આદર્શ છે – નિર્વાણ છે. ધર્મ પૌરાણિક પંથમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણને મુખ્ય દેવતા ગણેલ છે, જૈન ધર્મમાં સદ્દદેવ, સદ્ગુરુ અને સધર્મ એ ત્રણને સત્તત્ત્વ ગણે છે અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર એ ત્રણને ત્રણ રત્ન (રત્નત્રય) ગણેલ છે, તેમ બૌદ્ધ ધર્મમાં બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રણને શ્રેષ્ઠત્વ આપ્યું છે. આમાંના ધર્મનું સ્વરૂપ તે અગાઉ વર્ણવી ગયા તે આર્યઅષ્ટાંગિક માર્ગ છે. અને તેને બીજી રીતે વહેંચીએ. सब्ब पापस्स अकरणं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धानसासनम् ।। - ધમ્મપદ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો – સર્વ પાપોથી વિરત -- દૂર રહેવું (શીલ), કુશલ (પુણ્ય)નો સંચય કરવો (સમાધિ) અને સ્વચિત્તનું દમન કરવું (પ્રજ્ઞા) એ બુદ્ધનું અનુશાસન છે, અર્થાત્ શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ધર્મમાર્ગનાં મુખ્ય પગથિયાં છે અને તેને અધિશીલ શિક્ષા, અધિચિત્ત શિક્ષા અને અધિપ્રજ્ઞા શિક્ષા કહે છે. આમાં આર્યઅષ્ટાંગિક માર્ગનાં આઠ અંગ અંતર્ગત થાય છે. અધિશીલ શિક્ષા અધિચિત્ત શિક્ષા અધિપ્રજ્ઞા શિક્ષા સમ્યક્વાચા, સમ્યક્ કમત, સમ્યફ આજીવન સમ્યક્ટષ્ટિ સમ્યક્સકલ્પ સમ્યધ્યાયામ સમ્યસ્મૃતિ સમ્યક્સમાધિ આ બધાનો ઉપસંહાર કરી જઈએ : અધિશીલ શિક્ષા બૌદ્ધ સમાજમાં પુરુષોના ચાર ભેદ છે નામે ગૃહસ્થ, ઉપાસક, શ્રામણેર અને ભિક્ષુ, તેવા જ સ્ત્રીના ગૃહિણી, ઉપાસિકા, બ્રામણેરી, અને ભિક્ષુણી એ ચાર ભેદ છે. તે પૈકી ભિક્ષુણી અને શ્રામણેરીનો વર્ગ હાલમાં વિદ્યમાન નથી, બાકીના છ બ્રહ્મદેશ, સિલોન વગેરેમાં છે. આમાંના ભિક્ષુ અને શ્રામણેરને અધિશીલ શિક્ષાનો જે ભાગ લાગુ પડે છે તે સમ્યક્વાચાદિ આગળ કહેવાઈ ગયેલ છે અને ગૃહસ્થ અને ગૃહિણીને જે ભાગ લાગુ પડે છે તેના બે ભેદ છે : વિહિતશીલ એટલે બુદ્ધે આપેલી છૂટ પ્રમાણે અનુસરવું, અને નિષિદ્ધશીલ એટલે તેણે જેનો ત્યાગ કરવાનું કહેલ હોય તેનો ત્યાગ કરવો. વિહિતશીલ માટે મંગલસુત્ત અને સિગાલસુત્તમાં જણાવેલ છે તે પરથી ખ્યાલ આવે તેમ છે. મંગલસુત્તમાં અનેક જુદીજુદી રીતે મંગલ કહે છે તો તેમાં એક દેવતા બુદ્ધ પાસે આવી ઉત્તમ મંગલ કયું એવો પ્રશ્ન પૂછતાં બુદ્ધ જવાબ આપે છે કે : મૂખની સંગતિથી દૂર રહેવું, પંડિતની સંગતિ કરવી અને પૂજ્યની પૂજા કરવી. યોગ્ય દેશમાં વસવું, પુણ્યસંચયરૂપ મિલકત ભેગી કરવી અને મનને સન્માર્ગમાં દૃઢ રાખવું, પુષ્કળ વિદ્યા ભણવી, કલા શીખવી, સદ્વર્તનની ટેવ પાડવી અને સમયોચિત બોલવું, માબાપની સેવા કરવી, સંતતિનું યોગ્ય પાલન કરવું, અને અનાકુલ થઈ કાર્ય કરવું. દાનધર્મ કરવાં, ધાર્મિક આચરણ હોવાં, સ્વજન પર ઉપકાર કરવાને પ્રશસ્ત કાર્ય કરવાં, પાપધર્મથી કંટાળી તેથી દૂર રહેવું, મદ્યપાનનો ત્યાગ, અને ધર્મકાર્યોમાં અપ્રમાદ સેવવો. પુરુષોનું ગૌરવ વધારવું, નમ્રભાવથી વર્તવું, સંતુષ્ટ અને કૃતજ્ઞ થવું, અને વખતોવખત ધર્મશ્રવણ કરવું. ક્ષતિ (સહન કરવું), સત્ય બોલવું, શ્રમણોનાં દર્શન અને ધાર્મિક વિષય પર વારંવાર સંભાષણ કરવાં. તપ, બ્રહ્મચર્ય, ચાર આર્યસત્યનું જ્ઞાન અને નિર્વાણનો સાક્ષાત્કાર કરવો. (લાભ, હાનિ, યશ, અપયશ, નિંદા, સ્તુતિ, સુખ અને દુઃખ એ આઠ) લોકના સ્વભાવ સાથે સંબંધ થતાં ચિત્ત કંપવું નહિ, શોકરહિત, નિર્મલ અને સુખરૂપ રહેવું. આ સર્વ ઉત્તમ મંગળ છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ સિગાલસુત્તમાં ગૃહસ્થધર્મ જે જે આપેલ છે તે લક્ષમાં લેવા યોગ્ય છે તો તે અહીં જણાવવો યોગ્ય થશે : સંતતિ પ્રત્યે માબાપના ધર્મ ૧. પાપમાંથી તેમને નિવારવાં, ૨. કલ્યાણકારક માર્ગમાં તેમને લાવવાં, ૩. કલાકૌશલ્ય શીખવવાં, ૪. યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કરાવવાં, પ. યોગ્ય સમયે તેમને મિલકત સ્વાધીન કરવી. માબાપ પ્રત્યે સંતતિના ધર્મ ૧. તેમનું કાર્ય કરવું, ૨. તેમનું પોષણ કરવું, ૩. કુલપરંપરાગત સત્કાર્ય ચાલુ રાખવાં, ૪. તેમના કહેવા અનુસાર સંપત્તિ વહેંચી લેવી, પ. તેમાંના કોઈ મરણ પામે તો તેના નામે દાનધર્મ કરવું. ગુરુ પ્રત્યે શિષ્યના ધર્મ ૧. ગુરુ પાસે આવે ત્યારે ઊભા થવું, ૨. તે આજારી હોય ત્યારે તેમની સેવા કરવી, ૩. શ્રદ્ધાપૂર્વક તે શીખવે તે સમજી લેવું. ૪. તેમને જેનું કામ પડે તે લાવી આપવું – તેમનું કામ કરવું, પ. તે શખવે તે ઉત્તમ રીતિથી શીખવું. શિષ્ય પ્રત્યે ગુરુના ધર્મ ૧. ઉત્તમ આચાર શીખવવો, ૨. ઉત્તમ રીતિથી કલાકૌશલ્ય શીખવવાં, ૩. જેટલું પોતાને જ્ઞાન હોય તેટલું બધું શિષ્યને શીખવવું, ૪. તેમના સગુણોની પોતાના આપ્તમિત્રમાં સ્તુતિ કરવી, ૫. તે ક્યાંય જાય તો ઉદરનિર્વાહની ચિંતા ન થાય એવી વિદ્યા શીખવવી. આપ્ત મિત્રાદિક પ્રત્યે સ્ત્રીપુરુષના ધર્મ ૧. તેમને યોગ્ય વસ્તુઓ આપવી, ૨. તે ઘેર આવે ત્યારે તેમની સાથે પ્રિય ભાષણ કરવું, ૩. તેનું કામ હોય તે કરવું, ૪. આપણા જેવા જ તેમને ગણવા, ૫. તેમની સાથે નિષ્કપટ વર્તન રાખવું. સામા સાથે આખમિત્રાદિકના ધર્મ ૧. તેમના પર સંકટ આવતાં તેમાંથી તેમનું રક્ષણ કરવું, ૨. તેવા પ્રસંગે તેમની સંપત્તિનું રક્ષણ કરવું, ૩. સંકટ સમયે તે ગભરુ બને ત્યારે ધીરજ આપવી, ૪. વિપત્તિ આવી હોય ત્યારે તેને તજવા નહિ, ૫. તેમની સંતતિ ઉપર પણ ઉપકાર કરવો. બૌદ્ધ ભિક્ષુ પ્રત્યે શ્રાવકના ધર્મ ૧. દેહથી તેમનો આદર કરવો, ૨. યોગ્ય વચનથી આદર કરવો, ૩. મનથી તેમનો આદર કરવો – પ્રેમપૂર્વક તેમનું ભલું વાંછવું, ૪. તેમને જોઈતાં સાધન પૂરાં પાડવાં, ૫. ભિક્ષા લેવા આવે ત્યારે કોઈ અડચણ ન કરવી. શ્રાવક પ્રત્યે ભિક્ષુના ધર્મ ૧. પાપમાંથી તેમને નિવારવા, ૨. કલ્યાણકારક માર્ગે ચડાવવા, ૩. પ્રેમપુર:સર Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અનુગ્રહ કરવો, ૪. ઉત્તમ ધર્મ શીખવવો અને પ. શંકાનું નિવારણ કરી મનનું સમાધાન કરવું. પત્ની પ્રત્યે પતિના ધર્મ ૧. તેને માન આપવું, ૨. કોઈ રીતે તેનું અપમાન ન કરવું, ૩. અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવો (એક પત્નીવ્રત આદરવું), ૪. ઘરનો કારભાર તેણીને સોંપવો, અને ૫. તેને વસ્ત્ર વગેરેની ઊણપ પડવા ન દેવી. પતિ પ્રત્યે પત્નીના ધર્મ ૧. ઘરમાં સારી વ્યવસ્થા રાખવી, ૨. નોકરચાકરને પ્રેમથી સંભાળવાં, ૩. પતિવ્રતા થવું, ૪. પતિએ મેળવેલી સંપત્તિનું રક્ષણ કરવું (ઉડાઉ ન થવું), ૫. સર્વ ગૃહકાર્યમાં ઉદ્યોગી અને દક્ષ થવું. ચાકર પ્રત્યે શેઠના ધર્મ ૧. તેનું સામર્થ્ય જોઈ તેને કામ સોંપવું, ૨. તેને યોગ્ય પગાર આપવો, ૩. તે માંદો પડે તો તેની ચાકરી કરવી, ૪. વારંવાર તેને ઉત્તમ ભોજન આપવાં, ૫. ઉત્તમ કામ કરે તો તેને બક્ષિસ આપવી. શેઠ પ્રત્યે ચાકરના ધર્મ ૧. શેઠ ઊઠ્યા પહેલાં ઊઠવું, ૨. ધણી સૂઈ જાય પછી સૂવું, ૩. શેઠના માલની ચોરી કરવી નહિ, ૪. ઉત્તમ રીતે કામ કરવું અને ૫. સર્વત્ર શેઠની કીર્તિ ગાવી – પ્રસારવી. આ વિહિતશીલ છે. નિષિદ્ધશીલમાં પ્રથમારંભે ગૃહસ્થ અને ગૃહિણીએ નિત્ય પાળવાના ૫ નિયમ છે. (૧) પ્રાણઘાત ન કરવો (૨) અદત્તાદાન ન કરવું (૩) વ્યભિચાર ન કરવો (૪) ખોટું ન બોલવું (૫) દારૂ વગેરે માદક પદાર્થ સેવન ન કરવાં. આ સંબંધમાં બૌદ્ધ હમેશાં મંત્ર બોલે છે કે જેથી નિરંતર તેને યાદ રહે કે તેને અમુક નિયમો પાળવાના બંને આઠમ, પૂર્ણિમા અને વદ ચૌદશ એ ચાર દિવસોને ‘ઉપોસથ” દિવસ કહે છે, અને તે દિવસે ગૃહસ્થ અને ગૃહિણી ધર્મચિંતનમાં જ ગાળે છે ત્યારે તે “ઉપાસક' અને “ઉપાસિકા' કહેવાય છે. અને ત્યારે તેઓને આઠ નિયમ જાળવવાના હોય છે કે જેનો નિષિદ્ધશીલમાં સમાવેશ થાય છે. (૧) પ્રાણઘાત (૨) સ્તય (૩) અબ્રહ્મચર્ય (૪) મૃષાવાદ (૫) સુરાદિ સેવનથી નિવૃત્તિ (૬) મધ્યાહ્ન પછી ન જમવું (૭) નૃત્ય, ગીતા વગેરે કામવિકારનું ઉદ્દીપન કરનારી બાબત જોવી નહિ અને માળાગંધાદિ (મોજશોખના) પદાર્થ વાપરવા નહિ. (૮) ઊંચી અને મોટી પથારી પર ન સૂવું. આ આઠમાં ઉપરોક્ત પાંચ નિયમમાંના ૧,૨,૪ અને પમો એ ચાર નિયમ બરાબર આવે છે. પણ તે પાંચ નિયમમાં ત્રીજો નિયમ વ્યભિચાર ન કરવો એમ છે જ્યારે આમાં ત્રીજા નિયમ પ્રમાણે ઉપોથને દિવસે બ્રહ્મચારી રહેવું જ જોઈએ એવી આજ્ઞા છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ૩૨૯ ઉક્ત ચાર દિવસે ઉપોસથ પાળવાની સગવડ ગૃહસ્થ કે ગૃહિણીને ન હોય તો ગમે તે દિવસે પાળવામાં હરકત નથી. બ્રહ્મદેશમાં ઑફિસ વગેરેના કામને લીધે સવડ ન હોવાથી શનિવારે ઉપોસથ પાળે છે. કાય, વાચા અને મનનાં મળી જે દશ પાપ – અકુશલ છે તે અગાઉ કહેવાઈ ગયાં છે, તેનો ત્યાગ કરવો તે નિષિદ્ધશીલમાં અંતર્ભાવ પામે છે. વળી અધિશીલના હાનિભાગી, સ્થિતિભાગી, વિશેષભાગી, અને નિર્વેદભાગી એ ચાર ભેદ કર્યા છે. હાનિભાગી શીલ – જે અવિદ્વાન મનુષ્ય પાપીઓનો – દુરશીલનો સહવાસ રાખે છે અને શીલવંતનો સમાગમ રાખતા નથી, જે નિયમભંગ કરવામાં દોષ જોતા નથી, મિથ્યાસંકલ્પ વિશેષતઃ કર્યા કરે છે અને ઈદ્રિયોને દાબમાં રાખતા નથી તેઓનું શીલ હાનિભાગી છે. સ્થિતિભાગી શીલ – જે શીલસંપત્તિથી પ્રસન્ન થાય છે, કર્મસ્થાનનો અનુયોગ એટલે ધ્યાનસમાધિ સાધ્ય કરવાનો વિચાર કર્યા કરે છે, જે શીલથી સંતુષ્ટ થઈ આગળ પ્રયત્ન કરવો છોડી દેતો નથી તે ભિક્ષનું શીલ સ્થિતિભાગી છે. વિશેષભાગી શીલ – જે શીલસંપન્ન ભિક્ષ સમાધિ સાધવા અર્થે પ્રયત્ન કરે છે તેનું શીલ વિશેષભાગી છે. નિર્વેદભાગી શીલ – જે ભિક્ષને કેવલ શીલથી તૃપ્તિ થતી નથી અને જે સતત વૈરાગ્યપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તેનું શીલ નિર્વેદભાગી છે. જોકે આ ચાર ભેદ ભિક્ષુને ઉદ્દેશી છે તથાપિ તે ગૃહસ્થ અને ગૃહિણીને પણ લાગુ પડે છે. આ અને અગાઉ બતાવેલ ત્રણ ભેદ અહીં જણાવ્યા છે તેનું કારણ એ કે આપણું શીલ હીન કે હાનિભાગી ન થવા દેતાં ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ પદ પર ચડાયા તે માટે પ્રયત્ન કરવો. અધિચિત્ત શિક્ષા અથવા સમાધિ અધિશીલ શિક્ષા સંપાદન કર્યા પછી આ અધિચિત્ત શિક્ષા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો ઘટે છે. શીલ – સંપત્તિ મેળવ્યા વગર સમાધિલાભ થવાનો નથી. આ સંબંધે આર્ય અષ્ટાંગિક માર્ગમાં કહેવાઈ ગયું છે. અધિપ્રજ્ઞા શિક્ષા કિંવા પ્રજ્ઞા પ્રજ્ઞા બે પ્રકારની છે ? લૌકિક પ્રજ્ઞા અને લોકોત્તર પ્રજ્ઞા. જેથી મનુષ્ય પ્રપંચ મધ્ય અલ્પપ્રયાસથી પરોપકાર કરવા સમર્થ થાય છે કિંવા ખલમનુષ્યના કાવાદાવા ચાલવા દેતો નથી તે લૌકિક પ્રજ્ઞા. જાતકગ્રંથમાં વાર્તારૂપે તેનાં અનેક ઉદાહરણો મળી આવે છે. લોકોત્તર પ્રજ્ઞા એટલે આર્યસત્યો, પ્રતીય સમુત્પાદ ઈત્યાદિનું યથાર્થ જ્ઞાન. આને જ અત્ર અધિપ્રજ્ઞા શિક્ષા અથવા પ્રજ્ઞા કહેલ છે. તે સમાધિ થયા પછી થાય છે. કારણકે કહ્યું છે કે “સમાહિતો થાકૂતિં પતિ, પૂનાનાતિ’ - જેને સમાધિલાભ થયો તે યથાર્થતાથી જોઈ જાણી શકે છે. તે જ રીતે મારા માનવા પ્રમાણે પ્રજ્ઞા હોય તો સમાધિ સુખેથી કરી શકાય છે. આમ અરસપરસ સંબંધ છે. સમાધિથી સંપૂર્ણ Page #359 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞામાં જેનું જ્ઞાન કરવાનું છે તે આર્યસત્ય ને પ્રતીત્ય સમુત્પાદ સંબંધે અગાઉ કહેવાઈ ગયું છે. ૩૩૦ બૌદ્ધ ત્રણ શરણ સંબંધી તથા પંચશીલના મંત્ર બોલે છે તે પહેલાં એવું બોલે છે કે નમો તસ્ય ભાવતો ગરહતો સમ્ભાસંબુદ્ધમ્સ આનો અર્થ એ થાય છે કે તે ભગવાન્ અર્હત્ (પવિત્ર)ને મારો નમસ્કાર છે કે જેણે સંબોધિ – સંપૂર્ણ બોધ – જ્ઞાન – પ્રજ્ઞા મેળવેલ છે. ત્રિશરણ આ પછી બૌદ્ધ ભિક્ષુ ત્રિશરણનો મંત્ર ત્રણ વખત બોલે છે અને ત્યાર પછી બૌદ્ધ ઉપાસક (શ્રાવક) તેને ત્રણ વખત વંદે છે ઃ बुद्धं सरणं गच्छामि, धम्मं सरणं गच्छामि, संघं सरणं गच्छामि. - બુદ્ધને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું. દુતિયંત્તિ એટલે બીજી વખત અને તતિયંત્તિ ત્રીજી વખત તે સર્વને શરણે જાઉં છું. પંચશીલ = ૧ આવી રીતે ત્રણ વખત ત્રિશરણ (બુદ્ધ, ધર્મ અને સંઘ કે જેને ત્રણરત્ન કહેવામાં આવે છે) ગ્રહ્યા પછી પંચશીલનું વ્રત લેવામાં આવે છે અને તે એવી રીતે કે ઃ १. पाणातिपाता वेरमणि सिक्खापदं समादियामि २. अदिन्नादाना वेरमणि सिक्खापदं समादियामि 3. कामेसु मिच्छाचार वेरमणि सिक्खापदं समादियामि ४. मुसावादा वेरमणि सिक्खापदं समादियामि ૫. સુરા – મેચ – મન્નુ ૧. કોઈપણ પ્રાણીના પ્રાણનો અતિપાત - - पमादत्थाना वेरमणि सिक्खापदं समादियामि પ્રાણ લેવાથી વિરમવા રૂપ એટલે પ્રાણાતિપાતથી વિરમવા રૂપ શિક્ષાપદ. ૨. કોઈએ ન આપેલ ચીજ લેવાથી વિરમવારૂપ – કોઈની ચીજ ચોરવા રૂપ - અદત્તાદાનથી વિરમવારૂપ શિક્ષાપદ. 3. કામવિષયમાં મિથ્યાચારથી વિરમવારૂપ શિક્ષાપદ. ૪. મૃષાવાદ – જૂઠું બોલવાથી વિરમવારૂપ શિક્ષાપદ. ૫. સુરા (દારૂ) વગેરે પ્રમાદસ્થાનોથી વિગ્મવારૂપ શિક્ષાપદ. ૧. બુદ્ધ તે ગૌતમ શાક્યમુનિ સૂચવે છે કે જેનું ચરિત્ર પૂર્વે આપવામાં આવ્યું છે; ધર્મ એટલે તે બુદ્ધનો ઉપદેશ કે જે તિપિટકમાં સંગ્રહવામાં આવેલ છે. તેનો અર્થ શાસન, સત્ય થાય છે. સંઘ (અક્ષરાર્થ સમૂહ લોકસમૂહ) તે બુદ્ધે સ્થાપેલ ભિક્ષુવર્ગ, તે વર્ગમાંના સૌથી પ્રસિદ્ધ ભિક્ષુઓ બુદ્ધના સમયમાં આ હતા ઃ નામે સારપુત્ત કે જેણે બુદ્ધના પછી ધર્મનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું, મોગ્ગલાન કે જેણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, આનંદ કે જે બુદ્ધનો પ્રિય શિષ્ય હતો અને તેની સાથે જ નિરંતર રહેતો હતો, કસ્સપ કે જે બુદ્ધનિર્વાણ પછી તુરત જ રાજગૃહમાં ભરાયેલી સંગિતિનો પ્રમુખ હતો, અનુરુદ્ધ કે જે તર્કવિદ્યામાં ઘણો કુશળ હતો અને રાહુલ કે જે બુદ્ધનો સંસારાવસ્થામાં પુત્ર હતો. બુદ્ધથી વિરુદ્ધ વર્તનાર દેવદત્ત હતો. Page #360 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવ્યવસ્થા ૩૩૧ વિશ્વવ્યવસ્થા વિશ્વ અસંખ્ય ગોળાઓનું બનેલું છે. તે દરેક ગોળાનું નામ ‘ચક્રવાલ' આપવામાં આવ્યું છે. તે દરેક ચક્રવાલને પોતાની પૃથ્વી, સૂર્યચંદ્ર, સ્વર્ગ અને નરક હોય છે. આ ગોળા વચ્ચે કેટલાંક નરકો રહેલ છે તેને “લોકાંતરિક' કહેવામાં આવે છે. આપણી પૃથ્વીના મધ્યબિંદુમાં મેરુપર્વત – સુમેર આવેલો છે કે જેની આસપાસ મુખ્ય પર્વતો ‘કુલાચલ' રહેલા છે. અને તેઓની પેલી મેર ચાર ‘મહાદ્વીપો આવેલા છે. તેમાં ઉત્તરકુરુ અને જંબુદ્વીપ મેરુની દક્ષિણ અને અપરગોદાન (અથવા અપરગોદનીય) મેરુની પશ્ચિમે અને પૂર્વવિદેહ મેરુની પૂર્વે આવેલ છે. - ઉક્ત દરેક ચક્રવાલમાં ત્રણ અવચર (પ્રદેશ) છે કે જેને લોક (પૃથ્વીઓ) અથવા ધાતુઓ (= થર, અસ્તર) પણ કહેવામાં આવે છે. તેમાંથી સૌથી નીચેનો કામલોક છે, તેથી ઊંચો એટલે વચલો રૂપલોક છે કે જે રૂપનો પ્રદેશ હોઈ ધ્યાનની ચાર અવસ્થાઓમાં વહેંચાયેલો છે, અને સૌથી ઊંચો અરૂપ (રૂપ વગરનો) લોક છે. કામલોકમાં છે જાતના દેવ વસે છે. ૧. ચાર દિપાલ, ૨, ૩૨ દેવતા, ૩. યમો, ૪. તુષિતો, ૫. નિર્માણરતિઓ, ૬. પરિનિર્મિત – વશવર્તીઓ. આ છ દેવલોકની સાથે મનુષ્યલોક, અસુરલોક, ખેતલોક, જીવલોક અને નરકો એ પાંચ ઉમેરતાં ૧૧ કામલોક થાય છે. રૂપલોક (રૂપ બ્રહ્મલોકોમાં ૧૬ ભાગ છે. ત્યાં કામરહિત જુદીજુદી જાતના દેવતાઓ રહે છે. તેમનાં નામ નીચેથી લેતાં આ છે : ૧. બ્રહ્મ પારિજ્જ, ૨. બ્રહ્મ પુરોહિત, ૩. મહાબ્રહ્મ, ૪. પરિત્તાભ, ૫. અપ્પમાણાભ, ૬. આભસ્મર, ૭. પરિત્તસુભ, ૮. અપ્રમાણસુભ, ૯. સુભકિણ, ૧૦. વેહફલ, ૧૧. અસત્રસત્ત, ૧૨. અવિહ, ૧૩. અતષ્ણ, ૧૪. સુદલ્સ, ૧૫. સુદસ્મિનું, ૧૬. અકનિત્ય. આમાંના ૧-૩ પ્રથમ ધ્યાનની ત્રણે અવસ્થાઓ સાધવાથી અનુક્રમે પ્રાપ્ત થાય છે, ત્યારપછીના ત્રણ ૪-૬ બીજું ધ્યાન ધરવાથી, ત્યારપછીના ત્રણ 9-૯ ત્રીજું ધ્યાન સાધવાથી, ત્યારપછીના ૧૦-૧૧ ચોથા ધ્યાનથી અને છેલ્લા પાંચ ૧૨-૧૬ અનાગામીથી પ્રાપ્ત થાય છે. અરૂપલોકના ૪ પ્રકાર છે. તેનાં નામ બરાબર આરૂષ્પકર્મસ્થાન પ્રમાણે છે. નરક - સર્વલોક કરતાં નિકૃષ્ટમાં નિકૃષ્ટ નરક છે. મુખ્ય નરક આઠ છે નામ : સંજીવ, કાલસૂત્ર, સંઘાત, રૌરવ, મહારૌરવ, તપન, પ્રતાપન, અને અવીચી જે સૌ કરતાં ઊંડું નરક છે. આ સિવાય લોકાંતરિક (ઉપર કહેલ છે તે) નરકો છે અને બીજાં નાનાં નરકો છે. ઉત્તરબૌદ્ધો ઉપરોક્ત ૮ નરકને ઉષ્ણ નરક જણાવી બીજાં ૮ શીત નરક ઉમેરે છે, નામે અબ્દ, નિરન્દ, અતત, હહવ, હુહવ, ઉત્પલ, પા અને મહાપા. પાલિગ્રંથોમાં એ જ અને થોડાં વધારે નામો આવે છે ? અતત, અબ્દ, નિરન્દ, અહહ, અબલ, કુમુદ, ઉપ્પલક, સોગંધિક, પુરીક અને પદ્મ. જીવલોક – નરકની ઉપર પ્રાણીઓ વસે છે. આ મંતવ્ય પ્રાચીન દંતકથા લાગે છે કારણકે ખરાં પ્રાણીઓ આપણા મનુષ્યલોકમાં વસે છે. આની ઉપર ખેતલોક છે. જોકે પ્રેતોને લોકાંતરિક નરકમાં પણ મૂકવામાં આવ્યા છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આની ઉપર અસુરલોક છે કે જેમાં રાહુ મુખ્ય છે. આ ઉપરોક્ત નરક, જીવલોક, પ્રેતલોક અને અસુરલોક એ ચારને “અપાયલોક' કહેવામાં આવે છે કારણકે ત્યાં અપાય એટલે દુઃખ ભોગવવામાં આવે છે. આ ચારમાં પાંચમી મનુષ્યગતિ ઉમેરતાં પાંચ ગતિ થાય છે. આ વ્યવસ્થાઓ સંબંધી વાદોમાં ખાતરીપૂર્વક શ્રદ્ધા કેટલી રાખવી એ સમજવું મુશ્કેલ છે. આ તો ખરું છે કે પાલિ સૂત્રોમાં (ઉત્તર તેમજ દક્ષિણનાં), બુદ્ધ પોતે બ્રહ્મલોકમાં જઈ આવ્યા હતા તેમજ બીજા સ્વગમાં ગયા હતા તેના સંબંધમાં બુદ્ધ પોતે જ કહેલ વાક્યો છે. બ્રહ્મા અને ઈદ્ર તેમના દર્શનાર્થે આવેલ હતા એ પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. બુદ્ધ મનુષ્યોના આવતા ભવો જાણે છે અને આગળથી કહી આપે છે. આ પરથી આપણે શું અનુમાન બાંધવું ? જેમણે પાલિસૂત્રો રચ્યાં તેની આ સંબંધે શ્રદ્ધા. ગમે તે હો પરંતુ બૌદ્ધોનો મોટો ભાગ પછી સાધુ હો કે ગૃહસ્થ હો પણ અત્યાર સુધી તેમનાં સૂત્રોમાં જે લખ્યું છે તે અક્ષરશઃ માની તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે. આ ૩૧ પૃથ્વીમંડલની યોજના અને તેના વાસીઓ ઉપરાંત બીજી એક પૃથ્વી છે કે જેમાં જીવોના ભેદ તેમની ઉચ્ચ અને ઊતરતી પંક્તિની આધ્યાત્મિક ઉન્નતિના ક્રમ પ્રમાણે પાડ્યા છે. આ ભેદ સ્થાયી નથી કારણકે ઊતરતી પંક્તિમાંથી કર્મની સહાયથી ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને ઉચ્ચ પંક્તિએ ચડેલ બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, અને અહંતુ એ ત્રણના અપવાદ સિવાય (કારણકે તેઓ મોક્ષે જવા નિર્મિત છે) નીચલી પંક્તિમાં આવે છે. આ ભેદ આ પ્રમાણે છે : ઉચ્ચતમ જીવો ૧. બુદ્ધ, ત્યાર પછી ઊતરતા અનુક્રમે, ૨. પ્રત્યેકબુદ્ધ, ૩. અહંતો, ૪. દેવો, પ. બ્રહ્મ, ૬. ગાંધર્વો, ૭. ગરુડો (વીજળી પેઠે આકાશગામી પાંખવાળાં પ્રાણીઓ), ૮. નાગ (સર્પ જેવા જીવો – વાદળાંને મળતાં), ૯. યક્ષો, ૧૦. કુભાંડો, ૧૧. અસુરો, ૧૨. રાક્ષસો, ૧૩. પ્રેતો, ૧૪. નરકવાસી. આમાંથી પહેલા ત્રણનાં લક્ષણો તપાસવાની જરૂર છે. બાકીના ચર્ચવાની જરૂર નથી કારણકે તે હિંદુનાં પુરાણોમાં જણાવેલાં છે તેને મળતાં છે. અહંતો, પ્રત્યેકબુદ્ધો અને તેમનાં લક્ષણો બૌદ્ધ સિદ્ધાંત પ્રમાણે જે નિર્વાણના માર્ગમાં જતાં ચોથી અને છેલ્લી અવસ્થામાં ગમન કરતા હોય તે અહંતો છે. તે એક વખત કહેવાઈ ગયું છે. સામાન્ય વ્યક્તિ કરતાં તેમનામાં અતિશય ઉચ્ચ શક્તિઓ હોય છે. તેમાંની એક તો (૧) અર્થ (૨) ધર્મ (૩) નિરુક્તિ (૪) પ્રતિભાનને લગતી ચાર જાતની પ્રતિસંભિદા હોય છે. એટલે કે સર્વ વિષયના અર્થ જાણવા માટે, સર્વ વસ્તુના ધર્મ સમજવા માટે, તેનું સ્પષ્ટ વિવેચન કરવા – વિસ્તારવામાં તત્પરતા આવે એવી અદ્ભુત શક્તિ તેમનામાં આવે છે. વળી તેનામાં પાંચ જાતની અભિજ્ઞા (લોકોત્તર જ્ઞાન) હોય છે. (૧) ઇદ્ધિ' – ચમત્કાર કરવાની શક્તિ (૨) દિવ્યકર્ણશક્તિ કે જેથી વિશ્વના સર્વ સ્વરો સાંભળી ૧. ઇદ્ધિના પ્રાતિહાર્ય ત્રણ છે. ૧. ઋદ્ધિ પ્રાતિહાર્ય ૨. આદેશના પ્રાતિહાર્ય ૩. અનુશાસની પ્રાતિહાર્ય.. Page #362 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધો અને તેમનાં લક્ષણો ззз અને સમજી શકાય (૩) બીજાના વિચારો જાણવાની શક્તિ (૪) પૂર્વભવોની સ્મૃતિ (૫) ‘દિવ્યદષ્ટિ કે જેથી આ જગતમાં જે બને તે સર્વને જોઈ શકાય અને બીજા જગતુમાં કેમ જીવો જન્મે છે અને મરે છે તે જોઈ શકાય. આ સિવાય ૬ઠી, અભિજ્ઞા છે તે પતન કરાવનાર વિષયવૃત્તિઓનો નાશ કરે છે. (અહમાં ૮ વિદ્યા પણ હોય છે અને તેમાં ઉપરોક્ત ૬ અભિજ્ઞા તે ૬વિદ્યા, 9મી વિદ્યા વિપશ્યના (વિદર્શના) જ્ઞાન એટલે સત્યજ્ઞાન ને ધ્યાનદશા છે, અને ૮મી મનોમય ઇદ્ધિ છે કે જે ૧૦ ઇદ્ધિમાંની એક છે. આમાંની વિપશ્યના (વિદર્શના) તે સમતાની સાથે વપરાય છે અને તેથી અહંના બે ભાગ પડે છે. (૧) સુમ્બ વિસ્મિક એટલે જે માત્ર દર્શન કર્યા કરે – ધ્યાન ધર્યા કરે, (૨) જે સમતામાં – શાંતિમાં લીન હોય તે સમથયાનિક.) ઇદ્ધિ – ચમત્કાર કરી બતાવવાની શક્તિને ચાર જાતના પધાન – સમ્મપધાન (સં. સુફ પ્રદધાતિ) = સમ્યક્ પ્રયત્નોની સહાયતા લેવી પડે છે. (૧) ઈદ્રિયને દમવામાં પ્રયત્ન (સંવર – પ્રદજાતિ), (૨) પાપમય વિચારોને તજવામાં પ્રયત્ન (૩) ભાવના ભાવવામાં અને (૪) સ્થિરતાથી ચીવટપણે દઢતા રાખવામાં પ્રયત્ન. કેટલાક ગુણો કે જે અહંતોમાં હોય છે. તે બોધિસત્ત્વોમાં પણ હોય છે તેથી તેને હવે પછી લઈશું. અહનું પ્રધાન લક્ષણ પ્રજ્ઞા છે. આથી સંસારસમુદ્ર તે ઉલ્લંઘી જાય છે તેથી તે “પ્રજ્ઞાવિમુક્ત' કહેવાય છે. અહેતુથી ઊતરતી અવસ્થાના અનાગામી” અર્વત્ થયા વગર અંતિમ સાધ્ય મેળવી શકતા નથી, પણ સમાધિથી બ્રહ્મલોકમાં જાય છે, અને (જ્યારે) “સદાગામી’ અને ‘સ્રોતાપન્ન “શીલ'ના પ્રભાવથી બ્રહ્મલોક અને અપાય-લોકની વચમાંના લોકમાં જઈ શકે છે. | ઉત્તમમાં ઉત્તમ ‘આર્ય' તે અહંતુ, અને નિર્વાણગામી જ અહંતુ થઈ શકે. કેટલીક વખત આર્ય, અહિતુ અને શ્રાવક એ ત્રણે એકાર્યવાચક તરીકે વપરાયેલા છે. મૂળ શ્રાવક તે શ્રોતા – બુદ્ધનો શિષ્ય, પરંતુ ઘણી વખત અહેતુ અથવા આર્થના અર્થમાં તેને વાપરવામાં આવે છે અને “આર્યશ્રાવક' એ સામાસિક શબ્દનો અર્થ ભક્તિવા શ્રાવક થાય છે. પ્રત્યેકબુદ્ધ કરતાં અહત્ની પદવી ઊતરતી છે. બુદ્ધની પેઠે જેમણે સ્વશક્તિથી નિર્વાણયોગ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે, પણ જે તેના સંબંધી ઉપદેશ આપતા નથી તેમને પ્રત્યેકબુદ્ધ' કહેવામાં આવે છે. તે સર્વજ્ઞ નથી તેમજ બધી રીતે બુદ્ધથી ઊતરે છે. એ તો કુદરતનો નિયમ છે કે જે સમયે બુદ્ધ વર્તમાન હોય છે તે વખતે પ્રત્યેકબુદ્ધ વિદ્યમાન હોઈ શકતા નથી. બુદ્ધો અને તેમનાં લક્ષણો જે ધર્મની પરાકાષ્ઠાએ પહોંચે છે તે બુદ્ધ બને છે. તેમનાં બાહ્ય અને આંતરિક લક્ષણો પ્રથમ જોઈએ; પછી બુદ્ધ કેવા પ્રકારના છે તે તપાસીશું. ૧. યોગસૂત્ર ૩, ૪). WWW.jainelibrary.org Page #363 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બાહ્ય લક્ષણો – બધાં લક્ષણોમાં મુખ્ય એવાં ૩૨ લક્ષણ હોય છે કે જે ‘મહાપુરુષ લક્ષણ' કહેવાય છે. આ લક્ષણો ચક્રવર્તી, અહંતો અને બીજા પ્રતિષ્ઠિત મહાત્માઓમાં પણ હોય છે. ગૌણ લક્ષણો – અનુવ્યંજન ૮૦ છે. આ બધાંને વર્ણવતાં વિસ્તાર વધે તેમ છે તેથી જાણ માટે મુખ્યમુખ્ય લઈએ. સર્વ બુદ્ધો પોતાની દિવ્ય દૃષ્ટિથી સર્વ જગનું એક દિવસમાં ૬ વખત સમગ્ર રીતે નિરીક્ષણ કરી શકે છે. ૩૩૪ બુદ્ધનાં માનસિક લક્ષણો ત્રણ પ્રકારે છે. (૧) ૧૦ પ્રકારનાં બલ (શક્તિઓ), (૨) ૧૮ આવેણિક ધર્મ (વિશિષ્ટ ધર્મ) (૩) ૪ જાતનાં વૈશારઘ (કુશળતા). – દશબલ – (૧) યોગ્યાયોગ્યનું (૨) કર્મફુલનું (૩) સન્માર્ગનું (૪) ધાતુનું (મૂળ તત્ત્વોનું) (૫) જીવોની ભિન્નભિન્ન વૃત્તિઓનું (૬) ઇંદ્રિયની અરસ્પરસ સંબંધ રાખતી શક્તિઓનું (૭) સર્વ જાતનાં ધ્યાન અને સમાધિનું (૮) મનને પવિત્ર અને દૃઢ બનાવવાનું (૯) પૂર્વભવસ્મરણ (૧૦) નૈતિક અધમતા દૂર કરવાનું – જ્ઞાન બુદ્ધને હોય છે. આથી બુદ્ધને ‘દશબલ' કહેવામાં આવે છે. અઢાર આવેણિક ધર્મો – બુદ્ધ ધર્મો (૧--૬) ૧. ભૂતકાલની સર્વવસ્તુઓને, ૨. ભવિષ્યની વસ્તુઓને, ૩. વર્તમાનની સર્વ વસ્તુઓને, ૪. શરીરનાં કાર્યોની યોગ્યતા, ૫. વાણીનાં કાર્યની યોગ્યતા, ૬. વિચારનાં કાર્યોની યોગ્યતા જોઈ શકે છે. ૭. આશયની દૃઢતા, ૮. સ્મૃતિની દૃઢતા, ૯. સમાધિની દૃઢતા, ૧૦. વીર્યની દૃઢતા, ૧૧, મુક્તિ, ૧૨. પ્રજ્ઞાની દૃઢતા, ૧૩. મનસ્વિતાથી મુક્તિ, ૧૪. અતિ મોટી સ્વરિતતા – અવાજનો અભાવ, ૧૫. ગભરાટનો અભાવ, ૧૬. અધીરાઈનો - ઉતાવળિયાપણાનો અભાવ, ૧૭. દુર્લક્ષનો અભાવ, ૧૮. અસમજણનો અભાવ. ચાર વૈશારદ પોતે તથાગત હોઈને તેની પ્રતીતિ થઈ હોય છે કે તેને (૧) સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે. (૨) પોતે પાપથી મુક્ત થયેલ છે. (૩) નિર્વાણમાં જે અંતરાય ધર્મો છે તેને પોતે જાણે છે. (૩) પોતે નિર્વાણનો સત્ માર્ગ બતાવ્યો છે. તથાગતનાં સામાન્ય નામ બુદ્ધ, જિન, સુગત, તથાગત છે, નિશ્ચિત નામ અર્હત્, શાસ્તા, ભગવત્ છે અને વર્ણનાત્મક નામ દશબલ, લોકવિદ્, પુરુષદમ્ય સારથિ, સર્વજ્ઞ, ષડભિજ્ઞ, અનુત્તર, નરોત્તમ, દેવાતિદેવ, ત્રિકાલજ્ઞ, ત્રિપ્રાતિહાર્યસંપન્ન, નિર્ભય, નિરવઘ વગેરે છે. बुद्ध - — છેલ્લા બુદ્ધ ગૌતમબુદ્ધ થયા છે અને તેની પહેલાં ૨૪ બુદ્ધ થયેલા છે એમ બૌદ્ધો માને છે અને તેમનાં નામ પાલિ ભાષામાં આ પ્રમાણે છે ઃ દિવંકર, કૌડન્ન, મંગલ, સુમનસ્, રેવત, સોભિત, અનોમદસ્સિન્, પદુમ, નારદ, પદુમુત્તર, સુમેધ, સુજાત, પિયદક્સિન્ (પ્રિયદર્શી), અત્યદક્સિન (અર્થદર્શી), સિદ્ધસ્થ (સિદ્ધાર્થ), તિસ્સ (તિષ્ય), પુસ્ત (પુષ્ય), વિપસ્સિન્, સિખિ, વેસ્સભૂ, કકુસંધ, કોગ઼ાગમન, અને કસપ (કશ્યપ). આ દરેકનું બોધિવૃક્ષ જુદુંજુદું હોય છે. ૧ જેવી રીતે આ તથાગત ભૂતકાલમાં થયા, તેવી રીતે ભવિષ્યમાં ભિન્ન થવાના. હવે પછીના સમયના બુદ્ધ તે મૈત્રેય (અજિત) છે કે જે હાલ બોધિસત્ત્વ રૂપે તુષિત ૧. બધા યુરોપીય વિદ્વાનો ગૌતમ બુદ્ધ સિવાયના બધા બુદ્ધોને કલ્પિત (mythical) માને છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ બોધિસત્ત્વો અને તેમનાં લક્ષણો સ્વર્ગમાં છે, બધા તથાગત સરખા હોય છે. પણ કદમાં, આયુષ્યમાં, કુલમાં ભિન્ન હોય છે. કોઈ ક્ષત્રિય તો કોઈ બ્રાહ્મણ હોય છે. દરેકે પ્રરૂપેલો ધર્મ એક સરખો હોય છે અને જ્યારે એમ કહેવામાં આવે છે કે કોઈની સહાય વગર ગૌતમ બુદ્ધે પોતાના અંત૨બલથી ધર્મ પ્રવર્તાવ્યો, તો તેનો અર્થ એ છે કે તેમણે પોતાની પ્રેરણાથી જૂના સમયનાં ભુલાયેલાં સત્યો ફરીવાર શોધી કાઢ્યાં. આ પ્રકારના બુદ્ધોથી વિલક્ષણ એવા બુદ્ધો હોવાનું મહાયાન નામની બૌદ્ધ શાખાએ કલ્પેલું છે અને તેમને પાંચ ધ્યાની બુદ્ઘ કહેવામાં આવે છે. આ કદીપણ બોધિસત્વ થયા વગરના શાશ્વત બુઢ્ઢો છે અને તેમનાં નામ વૈરોચન, અક્ષોભ્ય, રત્નસંભવ, અમિતાભ અથવા અમિતાયુ, અને અમોસિદ્ધિ આપવામાં આવ્યાં છે. તેઓની અર્ધાંગના તરીકે તારાઓ શક્તિઓ કલ્પી છે અને તેમનાં નામ વજ્રધાત્વીશ્વરી, લોચના, મામકી, પાંદરા અને તારા એ આપવામાં આવ્યાં છે. બુદ્ધ કેવા પ્રકારના છે તે સંબંધી જણાવતાં ગૌતમ બુદ્ધને એક બ્રાહ્મણે આપ કોણ છો ? એ સવાલ પૂછતાં તેમણે જે ઉત્તર આપ્યો તે અહીં કહેવો બસ થશે. ‘હું દેવ નથી, હું ગંધર્વ નથી, હું યક્ષ નથી, હું મનુષ્ય નથી. અરે બ્રાહ્મણ ! સમજ કે હું બુદ્ધુ છું.' આ પરથી બુદ્ઘ મનુષ્ય કરતાં કંઈક વિલક્ષણ છે. ૧ ૩૩૫ બોધિસત્ત્વો અને તેમનાં લક્ષણો બુદ્ધનું સૌથી ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા પહેલાં અસંખ્ય ભવો ઊંચાનીચા લેવા પડે છે. જે બુદ્ધ થવા નિર્માયેલો છે તેને બોધિસત્ત્વ કહેવામાં આવે છે. તે આગામી ભાવી બુદ્ધ છે. બોધિસત્ત્વના ઉન્નતિક્રમમાં અભિનિહાર - બુદ્ધ થવાની મહત્ત્વેચ્છા ૨. વ્યાકરણ ૧. માધ્યમિક નામના બૌદ્ધ દર્શનભેદે સર્વ શૂન્ય એ સિદ્ધાંતને જઈ એવું પ્રસિદ્ધ કર્યું છે કે બુદ્ધ સર્વ પેઠે પોતે શૂન્ય છે છે એટલે નિર્વાણ જેવું કંઈ નથી માત્ર માયા છે અવિદ્યામાંથી ઉદ્ભવે છે. બરાબર ન્યાયપૂર્વક તર્કથી લઈ ઃ તેવી જ રીતે નિર્વાણ પણ શૂન્ય નિર્વાણનો વિચાર સરખો પણ [માધ્યમિક સંપ્રદાયમાં વ્યાવહારિક જ્ઞાનથી જે જ્ઞાત છે તે નિઃસ્વભાવ છે, કારણકે દરેક જ્ઞાન બીજા પર આધારિત છે, સાપેક્ષ છે તેથી તેનો વિષય શુદ્ધ સ્વરૂપમાં જાણી શકાય નહીં. આ ન્યાય તેમણે બુદ્ધ અને નિર્વાણના ખ્યાલને પણ લાગુ પાડ્યો છે. કારણકે અજ્ઞાન અને સંસારના ખ્યાલ સાથે એ સંકળાયેલા છે. જેમ શંકરાચાર્ય કહે છે કે આત્મા નિત્યશુદ્ધ – મુક્ત છે તેથી તેને વિશેનો બંધન તેમજ મોક્ષનો ખ્યાલ પણ અવિદ્યાને લીધે છે. છતાં ત્યાં સુધી પહોંચવા માટે બુદ્ધિ સિવાય કોઈ સાધન નથી જે લગભગ છેલ્લી અવસ્થા સુધી લઈ જાય છે અને પછી બધા પ્રકારની શુદ્ધિ તો પ્રાપ્ત થયેલી છે જ તેથી પરા પ્રજ્ઞા કે સાક્ષાત્કાર ઝળકી ઊઠે છે જે સ્વરૂપાવસ્થા છે અને કોઈ વ્યાવહારિક સાધનથી વર્ણવી શકાય નહીં; વર્ણવવાની જરૂર પણ નથી. - - ‘ચર્ચ્યા’માં ત્રણ અવસ્થા પ્રાપ્ત થાય છે. ૧. તેના સમયમાં વર્તતા બુદ્ધ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તથાગતનું ભવિષ્યસૂચન કે તે એક વખત બૂદ થશે. ૩. હલાહલ – તેનો છેલ્લો ભવ થાય ત્યારે ભારે ગર્જનામય શબ્દોમાં હર્ષસત્કાર. કેટલાક ચાર અવસ્થા કહે છે. ૧. મનસ્ – ધારણા, ૨. પ્રણિધાન – દઢ નિશ્ચય, ૩. વાકુ પ્રણિધાન – તે દઢ નિશ્ચયનું જાહેર થવું, ૪. વિવરણ – પ્રકટીકરણ. બોધિસત્ત્વનાં કેટલાંક નામ છે તેમાંનું સામાન્ય નામ મહાસત્ત્વ છે. મહાયાનીઓ આવાં ઘણાં માને છે. તેમાં સૌથી પ્રસિદ્ધ મૈત્રેય, તેમજ અવલોકિતેશ્વર અથવા લોકેશ્વર અને મંજુશ્રી છે. બોધિસત્ત્વમાં નૈતિક અને બુદ્ધિના ઘણા ગુણો છે. અનુકંપા એ પ્રાધાન્ય છે. અહત્ પ્રવૃત્તિમાન નથી જ્યારે બોધિસત્ત્વો ઘણા પ્રવૃત્તિમાનું છે. અહમાં વૃત્તિઓનો. ક્ષય થયો હોય છે જ્યારે બોધિસત્ત્વમાં અનુકંપાવૃત્તિ અતિશય હોય છે. બોધિસત્ત્વમાં દશ પારમિતા (પૂર્ણતા) હોય છે. ૧. દાન, ૨. શીલ, ૩. નખમ્મ (સ. નિષ્કર્મે – સંસારત્યાગ), ૪. પત્રા (પ્રજ્ઞા), પ. વિરિય (વીર્ય – શક્તિ), ૬. ખાંતિ (ક્ષતિ), ૭. સવ્ય (સત્ય), ૮. અધિઠ્ઠીન (અધિષ્ઠાન – નિશ્ચય), ૯. મેત્તા – મેરી (મૈત્રી), ૧૦. ઉપેખા (ઉપેક્ષા - તટસ્થતા – માધ્યચ્ય). [દસ પારમિતાનાં નામો આ પ્રમાણે પણ મળે છે ઃ દાન, શીલ, નિવૃત્તિ, જ્ઞાન, વીર્ય, ક્ષાન્તિ, સત્ય, દઢતા, મિત્રતા, ઉદાસીનતા.] અહને જે બુદ્ધિના વિશિષ્ટ ગુણો – બોધિપાક્ષિક ધર્મો હોય છે તે બોધિસત્ત્વોમાં હોય છે ? તે ૭ છે. ૧. ચાર મૃત્યુપસ્થાન (જનું સ્વરૂપ કહેવાઈ ગયું છે), ૨. ચાર સમ્યક્ઝહાણ, ૩. ચાર જાતની ઋદ્ધિ – ઇદ્ધિ – ઇદ્ધિપાદ, ૪. પાંચ ઈદ્રિય, મન – શક્તિઓ – શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, અને પ્રજ્ઞા, પ. પાંચ બલ – પાંચ ઇંદ્રિય જેવાં, ૬. સાત બોäગો : સ્મૃતિ, ધર્મવિચય – નિરીક્ષણ, વીર્ય, પ્રીતિ, શાંતિ, એકાગ્રતા - સમાધિ, સમતા. ૭. આર્ય અષ્ટાંગિક માર્ગ. તત્ત્વજ્ઞાન વિશ્વવિચાર નં નોવૈવિચમ્ | એ પરથી લોકનું વૈચિત્ર્ય કર્મમાંથી ઉત્પન્ન થયેલ છે. દરેક વસ્તુ અખંડપણે પર્યાય પામતી – બદલાતી જાય છે. न च निरोधोस्ति न च भावोस्ति सर्वदा अजातमनिरुद्धं च तस्मात् सर्वमिदं जगत् ।। સર્વદા નાશ પણ નથી, જન્મ પણ નથી, તેથી આ સર્વ જગત્ જન્મ અને નિરોધ વગરનું છે. છતાં પણ વિવારે નાસ્તિ સિંવિહેતવ: | નિસ્તિ વિવિહેતુY] વિચારતાં કોઈપણ બાબત હેતુ વગરની બનતી નથી. તો દરેક ફેરફાર થાય છે તેમાં અનેક કારણો છે અને તેમાંનું પ્રધાન કારણ જે હોય છે તેને “પ્રત્યય” અથવા હેતુ' કહે છે. યથાર્થ રીતે કહેતાં દરેક ફેરફારનો પ્રત્યય તે બનવામાં જે જે સ્થિતિઓ જોઈએ તેનો સરવાળો છે. જે કારણથી કાર્ય થાય છે તેને તે ફેરફારનો હેતુ' કહે છે. અમુક Page #366 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન 339 બીજમાંથી અમુક રીપો થાય છે તો તે બીજ તે રોપાનો હેતુ છે જ્યારે જમીન, પ્રકાશ, હવા, વગેરે કે જે તેના વિકાસ માટે આવશ્યક છે તેનો સરવાળો એ હેતુ છે. તે જ રીતે વિજ્ઞાનબીજ વ્યક્તિત્વ (નામરૂપ)ના વિકાસનો હેતુ છે, જ્યારે માતપિતાનો સંસર્ગ, માતાનો ગર્ભ વગેરે હેતુઓ એવા છે કે જે અમુક જાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ ઉત્પન્ન કરે છે. હિતુ એટલે મુખ્ય કારણ અને પ્રત્યય એટલે તદનુકૂલ કારણસામગ્રી. હેતુ મુખ્ય કારણ હોય છે અને પ્રત્યય ગૌણ કારણ. જેમકે પૃથ્વીમાં બીજ વાવતાં તે ઊગે છે. પૃથ્વી, સૂર્ય, વર્ષા આદિની સહાયતાથી તે વૃક્ષ બને છે. અહીં બીજ હેતુ છે અને પૃથ્વી, સૂર્ય વગેરે પ્રત્યય છે. વૃક્ષ ફળ કહેવાય છે. પ્રત્યય' શબ્દ કારણના સામાન્ય અર્થમાં પ્રયોજાય છે.] કોઈપણ ફેરફાર સ્વયમેવ થતો નથી. તેનાં કારણ તો અવશ્ય હોવાં જોઈએ. કારણોની પરંપરા સમજાવવા માટે પ્રતીત્ય સમુત્પાદનો બૌદ્ધ સિદ્ધાંત મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધાંતનું જ્ઞાન અને આદિ-અંત વગરના કંધનો બીજાં કારણો પર આધાર રાખવાનો સ્વભાવ એ બૌદ્ધ ધર્મમાં અતિ ઉપયોગી છે. प्रतीत्यसमुत्पादं पश्यंति ते धर्मं पश्यंतिः । यो धर्मं पश्यति स बुद्धं पश्यति । જે પ્રતીત્ય સમુFાદ જાણે છે તે ધર્મને જાણે છે, જે ધર્મને જાણે છે તે બુદ્ધને જાણે છે. દરેક ફેરફારનું કારણ હોય છે, તે કારણનું પણ કારણ હોય છે, અને તે કારણનું પણ કારણ હોય છે. એક અમુકનો પુત્ર છે, તે અમુક બીજાની સંતતિ છે, તે બીજા કોઈ અન્યની સંતતિ છે એમ આ સંસાર આદિ અને અંત રહિત છે. ઈશ્વર ત્યારે શું ઈશ્વર નથી ? અનાથપિંડિક સાથેના વાર્તાલાપમાં બુદ્ધે આ સંબંધે ચર્ચા કરી જણાવ્યું હતું કે “જો ઈશ્વરે આ જગતુને રચ્યું હોય તો કદીપણ ફેરફાર કે નાશ સંભવે નહિ, તેમજ શોક કે આપતુ જેવી વસ્તુ પણ ન હોય કારણકે સર્વ વસ્તુઓ પવિત્ર કે અપવિત્ર તે ઈશ્વરમાંથી ઉદ્ભવેલ છે. જો શોક કે આનંદ, પ્રેમ કે તિરસ્કાર કે જે જીવોમાં જોવામાં આવે છે તે જો ઈશ્વરે કરેલાં હોય તો તેનામાં પણ શોક અને હર્ષ, પ્રેમ અને તિરસ્કાર હોવાં જોઈએ, અને જો તે તેનામાં હોય તો તેને સંપૂર્ણ કેમ કહી શકાય ? જો ઈશ્વર જગકતાં હોય અને તેથી સર્વ જીવોએ પોતાના કર્તા તરીકે તેની શક્તિને વગર બોલે અધીન થવાનું હોય તો પછી સદ્ગણી જીવન ગાળવાનું પ્રયોજન શું છે ? સત્કાર્ય કરવું કે અસત્કાર્ય એ એક જ સરખું છે. કારણકે સર્વ કાર્યો તેણે બનાવ્યાં છે તેથી તેના જેવાં જ હોય. પરંતુ જો શોક અને દુઃખ કોઈ બીજા કારણથી ઉદ્ભવતાં ગણો તો પછી તે કારણ એવું હોવું જોઈએ કે જેના કરનાર તરીકે ઈશ્વર ન હોય. ત્યારે શા માટે હાલ જે વિદ્યમાન છે. તેને નિહેતુક ન બનાવી શકાય ? વળી જો ઈશ્વર કર્યા હોય તો તે કોઈ આશયથી કે આશય વગર સૃષ્ટિ બનાવતો Page #367 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો હોવો જોઈએ. જો કંઈ આશય રાખી સૃષ્ટિ રચે તો તે સર્વસંપૂર્ણ હોઈ ન શકે કારણકે આશયમાં અમુક જરૂરિયાત પૂરી પાડવાનું હોય છે. જો આશયરહિત સૃષ્ટિ રચતો હોય તો તે ગાંડો યા બાલક જેવો હોવો જોઈએ. આ ઉપરાંત જો ઈશ્વર જગત્કર્તા હોય તો લોકોએ તેને શા માટે માન ન આપવું જોઈએ, અને જ્યારે દુઃખમાં આવી પડે ત્યારે તેની સહાયની ભિક્ષા ન માંગવી જોઈએ ? અને શા માટે એક કરતાં વધારે દેવોનું પૂજન કરવું જોઈએ ? આ રીતે ઈશ્વરવાદ બુદ્ધિપૂર્વક જોતાં અસત્ય છે અને આ વિરોધી વાદ દૂર કરવો જોઈએ.’ (જુઓ અશ્વઘોષનું બુદ્ધચરિત્ર.) આત્મવાદ ઘણા મુખ્ય ધર્મો જેવા કે બ્રાહ્મણ, જૈન, ખ્રિસ્તી અને ઇસ્લામ આત્માના અસ્તિત્વમાં માન્યતા ધરાવે છે. જ્યારે બુદ્ધ એમ કહે છે કે આત્મા નિત્ય છે એ માન્યતા ભૂલભરેલી છે. તેવી માન્યતા ‘સત્કાયદૃષ્ટિ’ આર્યઅષ્ટાંગિક માર્ગમાં પ્રવેશ કરવા સાથે દૂર કરવાની છે; કારણકે સર્વ જાતના મિથ્યા સિદ્ધાંતો ‘અહંભાવમાંથી જ ઉદ્ભવે છે. બિમ્બિસાર રાજાને બુદ્ધે કહ્યું હતું કે “જે પોતાના આત્માનો સ્વભાવ જાણે છે અને પોતાની ઇંદ્રિયો શું કાર્ય કરે છે તે સમજે છે તે ‘હું’ની વિદ્યમાનતા સ્વીકારતો નથી. જગત્ ‘હું’નો ભાવ સ્વીકારે છે અને તેથી જ મિથ્યાજ્ઞાનમાં સપડાયેલું છે. કેટલાક કહે છે (શાશ્વતવાદી) કે આત્મા મરણ પછી પણ રહે છે એટલે નિત્ય છે, જ્યારે બીજા (ઉચ્છેદવાદી) કહે છે મરણ થયે નાશ પામે છે. આ બંને જબરા ભુલાવામાં પડેલા છે. કારણ કે જો ‘હું’ ઉચ્છેદશીલ હોય તો જે પરિણામ માટે લોકો પ્રયત્ન કરે છે તે પણ નાશ પામશે અને પછી નિર્વાણ કે મુક્તિનું મૂલ્ય નહિ રહે. જેમ બીજાઓ કહે છે તેમ જો ‘હું' નાશ ન પામતું હોય તો તે સર્વદા એક સરખું અને અપશ્ર્વિર્તનશીલ હોવું જોઈએ; અને તેમ હોય તો નૈતિક ઉદ્દેશો અને મોક્ષ અનાવશ્યક થશે કારણકે જે નિત્ય અને પરિવર્તનશીલ હોય તેને બદલવાથી કંઈ લાભ નથી. પરંતુ સર્વત્ર આનંદ અને શોકનાં ચિહ્નો અસ્તિત્વ ધરાવે છે તેથી અખંડ સ્થાયી એવો આત્મા છે એવું આપણે કેમ કહી શકીએ ?” ૩૩૮ - જેવી રીતે ઘર એ તેના જુદાજુદા ભાગોનો સમૂહ છે તેવી રીતે જે કાર્ય કરતો દેહ જોવામાં આવે છે તે પણ ઇંદ્રિયો, વિચારો અને ઇચ્છાનો સમૂહ છે. બુદ્ધઘોષે પોતાના ‘વિસુદ્ધિમગ્ગ’ નામના ગ્રંથમાં લખેલું છે કે જે રીતે રથ એ ધરી, ચક્ર, આરા અને તેના બીજા ભાગોને અમુક રીતે ગોઠવેલા સમૂહ રૂપે છે, પણ જ્યારે તેનાં તે સર્વ અંગને એક પછી એક આપણે તપાસીએ છીએ ત્યારે નિશ્ચયાર્થમાં તે રથ નથી એવું માલૂમ પડે છે...તેવી જ રીતે બરાબર જે ચેતન ‘હું' છે તે પાંચ સ્કંધોનો સમૂહ છે, પણ જ્યારે આપણે તે સ્કંધને એક પછી એક તપાસીએ છીએ ત્યારે ચેતન એવું કંઈ માલૂમ પડતું નથી અને ‘હું છું’ ‘હું કરું છું' એ વાક્યો કહી શકાતાં નથી; બીજા શબ્દોમાં પારમાર્થિક દૃષ્ટિએ માત્ર ‘નામ’ અને ‘રૂપ’ છે. ગાડી ચાલે છે કે ઊભી રહે છે એવું કંઈ પણ હોતું નથી છતાં લોકો બોલે છે કે ‘ગાડી ચાલે છે' કારણકે જ્યારે હાંકનાર બળદને જોડી ગાડીને હાંકે ત્યારે જ ગાડી ચાલે. તો ચાલનાર બળદ છે છતાં Page #368 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન ૩૩૯ ‘ગાડી ચાલે છે' એ આલંકારિક કથન છે, તેવી જ રીતે દેહ તે ગાડી છે, વિચારોની ભાવના બળદ છે અને મન પોતે હાંકનાર છે, જ્યારે ચાલવાનો વિચાર ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાનતંતુઓની લાગણી ઉત્પન્ન થાય છે અને પછી કાર્યમાં મુકાય છે. આ રીતે મનુષ્ય એ પંચસ્કંધોનું બનેલ યંત્ર છે. આ પાંચ સ્કંધમાં જેજે માનસિક ક્રિયાઓ છે તે નામસ્કંધ છે અને જે સ્થૂલ – શારીરિક ક્રિયા છે તે રૂપસ્કંધ છે. નામ સ્કંધમાં રૂપસ્કંધ સિવાયનાં ચારે સ્કંધોનો સમાવેશ થાય છે. હવે સચેતન જીવના જીવનનો સમય યથાર્થ રીતે અત્યંત ક્ષણિક છે, એક વિચાર જેટલો સમય રહે તેટલો સમય તે રહે છે. જેમ રથનું પૈડું ફરે છે ત્યારે તેનો અમુક નાનામાં નાનો ભાગ પ્રથમ જમીનને અડે છે, પછી બીજો તેવો ભાગ એમ થયા કરે છે, તેવી જ રીતે જીવનું જીવન એક વિચારના વખત સુધી સ્થાયી રહે છે. વિચારની ભૂત ક્ષણનું જીવન વિદ્યમાન હતું, પણ હવે અસ્તિત્વ ધરાવતું નથી, તેમજ ધરાવશે પણ નહિ. વિચારની ભવિષ્યની ક્ષણનું જીવન આવશે, પણ ભૂતકાળમાં તે વિદ્યમાન હતું નહિ, તેમજ વર્તમાનમાં પણ વિદ્યમાન નથી. મરણ અને તે પછીની સ્થિતિ સર્વાગ સ્વરૂપથી જોઈએ તો મનુષ્ય એ સ્કંધોનો સમૂહ છે. માત્ર વિચારમાં તેને રૂપ (શરીર) અને નામ (મન) એમ બે ભાગમાં વહેંચી શકીએ. મનુષ્ય એટલે રૂપ અને નામનો સરવાળો; એટલે રૂપ અને નામથી જુદી વસ્તુ મનુષ્ય નથી. આત્મા દેહથી ભિન્ન નથી અને અભિન્ન નથી. પણ તે બે સિદ્ધાંતની વચ્ચેનો સિદ્ધાંત આત્મા સંબંધે જાણવાનો છે. જન્મ ઉપર જરા અને મરણ આધાર રાખે છે અને એ જન્મ, જરા અને મરણ જેને છે એવો મનુષ્ય જ્યાં સુધી તેમાં સ્કંધોનું મિશ્રણ છે ત્યાં સુધી જીવતો છે. સ્કંધો ભિન્નભિન્ન એકબીજાથી થયા કે જીવન ગયું અને મરણ આવ્યું. જેમ અગ્નિ બે લાકડાં કે જેનાં મૂળ ગુપ્ત રીતે અગ્નિ નથી તે ઘસવાથી – ઘસાયાથી ઉત્પન્ન થાય છે તે જ રીતે બુદ્ધના કહેવા પ્રમાણે અમુક સંજોગોમાં “વિજ્ઞાન' ઉત્પન્ન થાય છે, અને જ્યારે તે સંજોગો દૂર થયો કે તે વિજ્ઞાન નાશ પામે છે. મનુષ્ય મૃત્યુ પામ્યો કે પછી તે સ્વરૂપે કદીપણ દેખાવ તે આપવાનો નથી. આ રીતે મૃત્યુ તે નામ અને રૂપનું ભિન્ન થવું છે છતાં મૃત્યુ થવાથી બધું નાશ પામતું નથી. બુદ્ધ શાશ્વતવાદી નથી એટલે તે આત્માને શાશ્વત માનતા નથી તેમજ ચાર્વાક અને લોકાયતના સિદ્ધાંત પ્રમાણે પોતે ઉચ્છેદવાદી પણ નથી. એક જન્મથી જઈ બીજા જન્મમાં તે જ આત્મા અવતરે છે એ પણ બુદ્ધ સ્વીકારતા નથી, છતાં કર્મ સ્થાયી રહે છે ‘િછતાં સંતતિરૂપે તે સ્થાયી રહે છે એ તો સ્વીકારે છે. સ્કંધોના એકીકરણનો પ્રારંભ તે જન્મ છે, તેઓનું છૂટું થવું તે મરણ છે; પરંતુ જ્યાં સુધી આ કંધોનો સંયોગ જારી રહે છે ત્યાં સુધી હુંપણું તો દરેક ક્ષણે કાર્ય કરતું, દુઃખથી દૂર નાસતું, આનંદને શોધતું અને બીજી વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતું પ્રકટપણે છે. આ દષ્ટિબિંદુથી દરેક વ્યક્તિનું જીવન તે કર્મોનો મિશ્રિત સમૂહ છે, અને તે કમો પોતાનામાં રહે છે એટલું જ નહિ, પરંતુ તે વ્યક્તિનું મરણ થયે તેમાંથી નીકળી બીજી વ્યક્તિઓમાં જાય છે એટલે ફરી જન્મ પામે છે. જેવી રીતે એક માણસે એક પત્ર લખ્યો એટલે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો લખવું બંધ થયું પણ તે પત્ર રહે છે તેવી જ રીતે સ્કંધો છૂટાં થયાં ત્યારે કાયો – કર્મો પોતાનું ફલ ભવિષ્યમાં આપવા રહે છે. આંબાના બીજને વાવતાં તે ભૂમિમાં સડે છે, પણ તેનો આંબો ઊગે છે અને તેમાં બીજી કેરીઓ થાય છે, તેમાં વાવેલા બીજનો આત્મા પુનર્જન્મ પામ્યો નથી, પરંતુ તે બીજના રૂપનું ફરી બંધારણ થયું છે અને તેનું લક્ષણ બીજી નવી કેરીઓમાં આવે છે, તેવી જ રીતે મનુષ્ય પુનરવતાર લે છે પણ તેના આત્માનો પુનર્જન્મ નથી. એક માણસ મરણ પામે છે, જયારે તેમાંથી જે પુનર્જન્મ પામે છે તે બીજો જ માણસ છે. આમાં જે પુનર્જન્મ પામે છે તે મિલિન્દ પહ' ગ્રંથ કહે છે કે “નામ અને રૂપ સ્કંધ છે, પણ તે નામ અને રૂપ સ્કંધ એક જ નહિ. એક નામ અને રૂપ કર્મો કરે છે અને આ કર્મોથી બીજાં જ નામ અને રૂપ પુનર્જન્મ પામે છે. એક નામ અને રૂપ મૃત્યુ થયા પછી નાશ પામે છે, જ્યારે જે નામરૂપ પુનર્જન્મ લે છે તે બીજાં જ નામ અને રૂપ છે, પરંતુ તે બીજાં નામ અને રૂપ તે પહેલાં નામ અને રૂપનાં પરિણામો – ફલ છે અને તેથી તે બીજ નામ અને રૂપ તેનાં અશુભ કર્મોથી મુક્ત થતાં નથી.” બુદ્ધઘોષ પણ ‘ વિસુદ્ધિમગ્ગ'માં તેવું જ જણાવે છે કે “જે સ્કંધો ગત ભવમાં કર્મો પર અવલંબીને અસિતત્વ ધરાવતા હતા, તે તો મૃત્યુ પામે છે – નાશ પામે છે; પરંતુ તે જ ભવનાં કર્મોને આધારે બીજા સ્કંધો અસ્તિત્વમાં આવે છે. પૂર્વભવનું એકપણ મૂળતત્ત્વ આ ભવમાં આવતું નથી. આ ભવમાં જે સ્કંધો કમના આધારે અસ્તિત્વમાં આવ્યા તે નાશ પામશે અને ત્યાર પછીના ભાવમાં જુદા નવા જ સ્કંધો ઉભવશે, પણ ગત ભવનું એક પણ તત્ત્વ બીજા ભવમાં પ્રાપ્ત થશે નહિ. જેવી રીતે ગુરુનાં વાક્યો શિષ્ય ઉચ્ચારે છે છતાં તે જ વાકયો શિષ્ય ઉચ્ચારતો નથી, જેવી રીતે એક માણસ પોતાનો ચહેરો અરીસામાં જુએ છે, છતાં તેનો પોતાનો ચહેરો તે અરીસામાંનો ચહેરો નથી, છતાં પણ તે ચહેરા અનુસાર જ – તેને અવલંબીને જ અરીસામાં ચહેરો દેખાય છે, જેવી રીતે એક દીવો બીજા સળગતા દીવાથી સળગાવ્યો હોય તો તે સળગતા દીવાનો પ્રકાશ તેનાથી – તેનો આધાર રાખીને સળગેલા દીવાનો પ્રકાશ નથી, તેમ એકની વાટ બીજાની વાટ થઈ જતી નથી, તેવી જ રીતે ગત ભવની એક પણ વસ્તુ હાલના ભાવમાં આવતી નથી તેમ હાલના ભવની ભવિષ્યના ભવમાં જશે નહિ અને તે છતાં પણ ગતભવના કંધો પર આધાર રાખીને આ ભવના કંધો જન્મેલા છે, અને આ ભવના સ્કંધો પર આધાર રાખીને ભવિષ્ય ભવના સ્કંધો જન્મશે.” કર્મસિદ્ધાંત બોધિચર્યાવતારમાં કહ્યું છે કે “3 રખેવ તરાપતિ જિગ્યા યા પરત્વના' એટલે હું તે જ અને એક જ આત્મા છું એ મિથ્યા કલ્પના છે – ભ્રમ છે. ખરી રીતે મનુષ્ય દરેક ક્ષણે મૃત્યુ પામે છે, પરંતુ જ્યાં સુધી સ્કંધો કે જે “આત્મા - વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે તેનો સંયોગ એક શૃંખલાબદ્ધ રહે છે ત્યાં સુધી આત્માને એક જ તરીકે જણાવીએ છીએ; બાકી વાસ્તવિક રીતે એક ક્ષણે એક જાતનો આત્મા છે, બીજી ક્ષણે Page #370 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન બીજી જાતનો આત્મા છે છતાં એ બંને આત્માઓ ચોક્કસ સાંકળથી સંકળાયેલા છે. આમ વિચારની અખંડતાથી આત્માની અખંડતા પ્રતિભાસે છે. આ વિચારની અખંડતાને ‘ચિત્તસંતાન' કહે છે. કર્મનો કર્તા એક છે અને તે કર્મનો ભોક્તા જુદો છે અને આ કર્મના કર્તા અને ભોક્તાનું જે ભિન્નત્વ તેને સાંકળી રાખનાર તે ‘ચિત્તસંતાન’ छे. अन्य एव मृतः अन्य एव प्रजायते મરનાર પણ જુદો, અને પછી જન્મનાર તે પણ જુદો; પણ તેની સાથે ન ચ સૌ, ન ચ બન્નો તે જ પણ નહિ, તેમ તદ્દન અન્ય પણ નહિ. આ બૌદ્ધ કર્મવાદ છે, અને આ કર્મવાદને અનુસારે જ સર્વ વિદ્યમાન વસ્તુઓ ક્ષણિક છે અને નિરાત્મન્ છે એમ બૌદ્ધના સિદ્ધાંતો સમજવાના છે. : કેટલાક બૌદ્ધો કર્મ માટે અવનવું સ્પષ્ટીકરણ કરે છે. તેઓ આત્મા પોતે જ બીજો જન્મ લે છે એવું માનતા નથી એ ખરું, પણ તેઓ એક જાતનું વિજ્ઞાન કલ્પે છે અને તેને ‘પ્રતિસંધિ વિજ્ઞાન' કહે છે, અને તેને મરણ પામતા મનુષ્ય અને તે મૃત્યુ પામે કે તરત જ – તે જ ક્ષણે ગર્ભ લેનાર બાળક એ બેની વચ્ચે સાંધનારી સાંકળ વિલક્ષણ રીતે ગણે છે. આવો સિદ્ધાંત સ્વીકારનાર એવું કલ્પે છે કે આકાશને જે મનુષ્ય મરણ પામતો હોય ત્યારે જેના મૃત્યુનું આંદોલન તેને થાય છે અને તે જ ક્ષણે લગભગ નવું જન્મેલું બાળક તેના મૃત્યુ સમક્ષ આવે છે, તેને મૃત્યુનું આંદોલન લાગે છે અને તે નવીન જીવન લે છે; તેનામાં હૃદય, શ્વસનક્રિયા કામ કરવા લાગે છે, અને બુઝાઈ જતો પ્રકાશ નવા દીવામાં ફેરવાઈ જાય તેમ તેઓ જણાવે છે. હવે જણાવવાનું કે આ સિદ્ધાંત બૌદ્ધ ગ્રંથોમાં રહેલ સિદ્ધાંતને અનુકૂળ લાગતો નથી અને તે આ રીતે કે ઃ જો તે પ્રતિસંધિ વિજ્ઞાન ખરેખનું વિજ્ઞાન હોય તો તે ધર્મ, સ્કંધ હોવો જોઈએ અને તે રીતે એક સ્થલથી બીજે સ્થલે જઈ શકે નહિ કારણકે ‘ન વિચિત્ પરોઠું ગતિ' એ પાલિ ગ્રંથમાં જણાવ્યું છે. ત્યારે એક જીવનમાંથી બીજા જીવનમાં શું જાય છે ? એમ જણાય છે કે પ્રતિસંધિ વિજ્ઞાનનો સિદ્ધાંત મનુષ્યને સ્મૃતિ કેમ થાય છે તે સમજાવવા મૂળ દાખલ કરેલો હશે, અને પછી કર્મનો પુનરવતાર સમજાવા માટે એક ભવને બીજા ભવની સાથે જોડનાર સાંકળ તરીકે તેને ઘોંચી દીધો હશે. દરેક વિજ્ઞાન પછીનાં વિજ્ઞાનો પર પોતાની છાપ વાસના મૂકે છે. જોકે વિજ્ઞાનો ક્ષણિક છે, છતાં અરસપરસ સંયોજિત પરંપરામાં એટલે પ્રતીત્ય સમુત્પાદમાં તેઓ ઉદ્ભવે છે. જીવનું હાલનું વિજ્ઞાન તેની તુરત જ પૂર્વના વિજ્ઞાન સાથે ગાઢ રીતે સંબંધ ધરાવે છે તેથી એમ ધારવામાં આવ્યું હોવું જોઈએ કે એક વ્યક્તિનું જન્મ વખતનું વિજ્ઞાન (ઔપપëશિક વિજ્ઞાન) તે જ રીતે બીજી વ્યક્તિના મરણ સમયના (મરણાન્તિક) વિજ્ઞાન કે જે મરણ થતાં નાશ પામે છે તેની સાથે સંબંધ ધરાવતું હતું; પરંતુ આવું ધારવું વાસ્તવિક નથી. બુદ્ધે કહેલ છે કે “ધર્મ એ જ શરણ છે અને પુદ્ગલ (આત્મા) નથી; તત્ત્વાર્થં શરણ છે, નહિ કે શબ્દાર્થ; સૂત્રનો સંપૂર્ણ અર્થ શણ ગ્રાહ્ય છે, નહિ કે તેની અમુક શરતવાળો અર્થ; જ્ઞાન એ ગ્રાહ્ય છે, નહિ કે વિજ્ઞાન.” ૩૪૧ - બુદ્ધકથિત કર્મનો સિદ્ધાંત વિશાલ છે; તે જીવોને લાગુ પડે છે, એટલું જ નહિ પણ સમસ્ત સંસારમાં (પ્રપંચમાં) પણ લાગુ પડે છે. જર્મન લોવૈચિત્ર્ય તિ સિદ્ધાત્ । મહાયાનના સિદ્ધાંતો સમજાવતાં મિ. કુરોદ કર્મસંબંધે જણાવે છે કે Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો “જગતુકર્તા નથી તેમ સજિત પદાર્થ નથી, તેમ મનુષ્ય વાસ્તવિક આત્માઓ નથી. તેઓ અમુક અનુકૂળ સંયોગોમાં કર્મો હોય છે તેથી જન્મ પામે છે, કારણકે મનુષ્યો પંચ સ્કંધોના ક્ષણિક સમૂહ સિવાય બીજું કંઈ નથી. તે સ્કંધોના સંયોગની શરૂઆત એ મનુષ્યનો જન્મ છે; તેઓનું વિખેરાઈ જવું – છૂટું થવું તે તેનું મરણ છે. જ્યાં સુધી સ્કંધોનો સંયોગ ચાલુ રહે છે ત્યાં સુધી સારાં અને નરસાં કાર્યો થાય છે, ભવિષ્યના સુખ અને દુઃખનાં બીજ વવાય છે અને આ રીતે જન્મમરણના હેરાફેરા અનંત ચાલ્યા જાય છે. બધા જીવોનાં કર્મોની એકત્રતાથી જુદીજુદી જાતનાં પર્વતો, નદીઓ, દેશો વગેરે ઉભવે છે, અને તેઓ બધાનાં કર્મોના સરવાળાથી થાય છે તેથી તેઓને ‘અધિપતિફલ’ – એકત્રિત ફલ તરીકે કહેવામાં આવે છે. કર્મનો આ બૌદ્ધ સિદ્ધાંત બ્રાહ્મણોના પુનર્જન્મથી તદ્દન ભિન્ન છે. બ્રાહ્મણધર્મમાં નિત્ય આત્મા માનેલ છે, જ્યારે બૌદ્ધો કર્મોની પરંપરા માત્ર માને છે. બ્રાહ્મણધર્મ પ્રમાણે મનુષ્યનો આત્મા છે ગતિ (ષડ્રગતિ)માં એક પછી એક જેવી રીતે એક ઘરથી બીજે ઘર જઈએ તે રીતે મનુષ્યમાંથી અન્ય પ્રાણીમાં, ત્યાંથી નરકમાં કે સ્વર્ગમાં એમ જાય છે. આવું એક અથવા બીજા એવા દશ લોક' નામે સ્વર્ગ, નરક, દેવ, રાક્ષસ, મનુષ્ય, પ્રાણી, શ્રાવક, પ્રત્યેકબુદ્ધ, બોધિસત્ત્વ, બુદ્ધ (બૌદ્ધ ધર્મમાં જણાવેલ)માં પરંપરાએ જવાય છે. બૌદ્ધ શાસ્ત્રમાં એવા ઉલ્લેખ છે, પરંતુ આ ઉપરથી એમ અર્થ નથી કે કંઈપણ આ લોકમાંથી બીજા લોકમાં જાય છે. કારણકે તે ઘડમનું તોળાતુ પરત્નો છત’ એવું એક બૌદ્ધ સૂત્ર કહે છે. બૌદ્ધની માન્યતા પ્રમાણે પુનર્જન્મ એ માત્ર કાર્યકારણનો આવિભૉવ છે. કાર્ય અને કારણથી માનસિક દશ્ય (નામ) શારીરિક રૂપો (રૂપ) સાથેનું ઉદ્ભવે છે અને તેથી એક પછી એક ભવ ઉત્તરોત્તર થયા કરે છે, અને ઉત્તરોત્તર ભવ કેવા થશે તે માનસિક દશ્યના સત્ અને અસત્-પણા પર આધાર રાખે છે. બુદ્ધે જે ‘ દલોક' એ શબ્દનો ઉપયોગ કર્યો છે તે માત્ર સામાન્ય મનુષ્યને (પૃથજનને) કર્મનો પુનર્જન્મનો સિદ્ધાંત દાંતથી સમજાવવા માટે છે જયારે ‘દશલોક વાસ્તવિક રીતે જીવની દશ માનસિક અવસ્થાઓ છે. ' બૌદ્ધધર્મ નિયતિવાદી છે ? બૌદ્ધધર્મ ભાગ્ય પર અવલંબન રાખવાનું કહેતો નથી. ભાગ્યવાદ દરેક વસ્તુ – મનુષ્યની ઇચ્છા પણ અગાઉથી નિર્મીત થઈ હોય છે એવું જણાવે છે. આથી એમ થાય છે કે એવી કોઈ બાહ્ય સત્તા છે કે જે મનુષ્યની ઇચ્છાની નિયામક છે અને તેથી મનુષ્યનું વર્તન જ્ઞાન આપવાથી સુધરી શકતું નથી. બીજી બાજુએ બૌદ્ધ ધર્મ એમ ઉપદેશે કે મનુષ્ય પોતે કારણોનું કાર્ય છે, તેથી તેની ઈચ્છાશક્તિ તે કારણો થયા પહેલાં અસ્તિત્વમાં રહી શકે નહિ. વળી કર્મને અધીન થવું તે અંધતાથી નહિ પરંતુ વિવેકપુર:સર થવાનું છે. કર્મ એ મનની રચના છે, અને મને કમને (મનોવાકય કર્મને) પોતાને મૃત્યુપસ્થાન – ભાવનાનું સ્થાન બનાવે છે. આ અનુસાર મનુષ્યની ઇચ્છાઓ કારણોથી નિયંત્રિત છે છતાં મનુષ્ય પોતાનાં કર્મો માટે પોતે જવાબદાર છે. સર્વ અશુભ કર્મોના ત્યાગથી અને ‘પારમિતા'ના આચરણથી મનુષ્ય નિર્વાણ મેળવી શકે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો सर्वमनित्यं सर्वमनात्मं निर्वाणं शान्तम् || બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંતો “સર્વ અનિત્ય છે, આત્મા નથી, અને નિર્વાણ જ શાંતિમય છે.” આ ત્રણ સિદ્ધાંત ઉપર આખા બૌદ્ધ ધર્મની ઇમારત ચણાયેલી છે. પછી તે તેની કોઈ પણ શાખા હોય તો પણ આ સિદ્ધાંતને એક યા બીજી રીતે સ્વીકારે છે. મહાયાન શાખા હીનયાન શાખાથી વિરુદ્ધ પડી એક વધુ સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે : સર્વમ્ તથાત્વ ‘જેમ છે તેમ સર્વ છે.’ પરંતુ આ સિદ્ધાંત નવો નથી કારણકે તે ઉપરનામાંના ત્રીજા સિદ્ધાંતમાંથી – નિર્વાણ શાંતિમય છે' એમાંથી ફલિત થતો સિદ્ધાંત છે. ૩૪૩ બૌદ્ધનાં પવિત્ર સૂત્રો ધર્મનો ચોથો સિદ્ધાંત ‘સર્વ દુઃખ છે’ એમ જણાવે છે. આ પણ નવો નથી કારણકે તે ઉપરના પહેલા નામે સર્વ અનિત્ય છે' એ સિદ્ધાંતમાંથી ફલિત થાય છે કારણકે બુદ્ધો કહે છે કે ‘સર્વ અનિત્ય છે, અને જે અનિત્ય છે તે સર્વ દુઃખમય છે એટલે જે સર્વ છે તે દુઃખથી પૂર્ણ છે.’ - આ રીતે આ ત્રણ સિદ્ધાંતથી બુદ્ધ ધર્મ બીજા ધર્મોમાંથી એક વિશિષ્ટ ધર્મ તરીકે ઓળખી શકાય છે. હવે તે ત્રણે સિદ્ધાંત એક પછી એક જોઈએ. ૧. ‘સર્વ અનિત્ય છે' सर्वमनित्यम्. આ સિદ્ધાંત હિરૅક્ટિટસના સિદ્ધાંત(નામે All is in a state of flux – સર્વ પ્રવાહની દશામાં ફેરફાર પામતી દશામાં છે)ને મળતો આવે છે. અને આને હાલનું વિજ્ઞાન (Science) પણ ટેકો આપે છે. આ સિદ્ધાંતને બૌદ્ધ શાસ્ત્રોનો મહાન્ અભ્યાસી નામે પ્રૉફેસર હાઇ ડેવિડ્સ આ પ્રમાણે સુંદર રીતે મૂકે છે : “બૌદ્ધ પ્રમાણે સત્તા જેવું કાંઈ નથી; દરેક વસ્તુ અસ્થાયી, ક્ષણિક, અવશ્ય નાશ પામવાની છે. વસ્તુઓમાં પણ રૂપ અને જડ ગુણો છે અને જીવતી વ્યક્તિઓમાં પણ માનસિક ગુણોની સદાકાળ ઊંચે ચડતી પરંપરા છે કે જે પરંપરાનો સમૂહ જ તે વ્યક્તિ છે. મનુષ્ય, જડ વસ્તુ કે દેવ એ દરેક તેના અંગભૂત મૂળતત્ત્વોનું મિશ્રણ છે. વળી દરેક વ્યક્તિમાં તેના અંગભૂત ભાગોનો સંબંધ નિરંતર નિત્ય બદલાતો જાય છે અને તે સંબંધ બે સાથેની ક્ષણોમાં એક હોતો નથી. મિશ્રણ થવું સમૂહ થવો એનો અર્થ એ છે કે થવું - પૃથક્ થવું અને તે પૃથક્ થવું એ નાશ વગર બની શકે નહિ કે જે નાશ કોઈ પણ કાલે અવશ્ય પૂર્ણ થવો જ જોઈએ.” સર્વ વસ્તુઓ અનિત્ય છે તેનું શુ કારણ ? તેના જવાબમાં ફેરફાર થવો એ અબાધિત નિયમને સર્વવસ્તુ અધીન છે તેનું કારણ તે નિયમને કાર્ય-કારણના નિયમ સાથે અવિનાભાવી સંબંધ છે, કારણકે આ દશ્ય-જગમાં કોઈપણ ચીજ એવી નથી કે જેનું અસ્તિત્વ કોઈપણ કારણથી ઉદ્ભવતું ન હોય. આ અનિત્યવાદને ત્રણ પ્રકારે વહેંચી શકાય છે ઃ (ક) જીવન-કાલ (આયુષ્ય)ની અનિત્યતા. Page #373 -------------------------------------------------------------------------- ________________ उ४४ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (ખ) ક્ષણિક અનિત્યતા. (ગ) ઔપાધિક (Conditional) વસ્તુઓના આત્મસ્વભાવની અનિત્યતા – શૂન્યતા. (ક) જીવન-કાલની અનિત્યતા - એટલે શું ? જડવસ્તુનો અવિનાશ (Indestructibility of matter and Conservation of energy) 241 Q વૈજ્ઞાનિક સિદ્ધાંતો નિર્વિવાદ રીતે સિદ્ધ થયેલ છે. આ બંને નિયમો આંતર જગતમાં કાર્ય કરે છે, અને ધર્મોની આંતર (Neumenal) અદશ્ય સ્થિતિની નિત્યતા વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણે કાલમાં રહે છે એમ સર્વાસ્તિત્વવાદી માને છે. પણ દશ્ય જગતમાં જે સર્વ દેખાય છે તે સર્વ અનિત્ય છે. ધમ્મપદમાં કહેલ છે કે : “જે નિત્ય દેખાય છે તે નાશ પામશે, જે ઉચ્ચ છે. તેનો અધ:પાત થશે, જ્યાં સમાગમ છે ત્યાં વિયોગ છે, જ્યાં જન્મ છે, ત્યાં મરણ આવવાનું છે” – મરણાંત હિ જીવિતમ્ – મરણ એ જીવનનો અંત છે. વિજ્ઞાનવાદ (Idealistic school)ના સ્થાપક અસંગનું તેના ‘મધ્યાન્તાગમ શાસ્ત્રમાં એ જ વક્તવ્ય છે. કે : “સર્વ વસ્તુઓ કારણો અને કાર્યોથી બનેલ છે અને તેઓને સ્વતંત્ર આંતરસ્થિતિ નથી. જ્યારે સમૂહ છૂટો થાય છે, ત્યારે નાશ થાય છે. જીવતા પ્રાણીનું શરીર પૃથ્વી, જલ, અગ્નિ ને વાયુ એ ચાર મહાભૂતોના સમૂહનું બનેલું છે. અને જ્યારે આ સમૂહ તેના તે ચાર ભૂતમાં વિભક્ત થાય છે, ત્યારે નાશ ઉદ્ભવે છે. આ સમૂહાત્મક વ્યક્તિની અનિત્યતા કહેવાય છે.” ઘણા લાંબા સમય સુધી એમ મનાતું કે આર્ય અસંગ જ વિજ્ઞાનવાદના સંસ્થાપક હતા. પણ વધુ સંશોધન થતાં એમ જણાવ્યું કે બૌદ્ધોની પરંપરા છે કે તુષિત સ્વર્ગમાં ભવિષ્ય બુદ્ધ મૈત્રેયની કૃપાથી અસંગને અનેક ગ્રંથો સૂઝી આવ્યા તેમાં ઐતિહાસિક તથ્યનાં બીજ છે. મૈત્રેય કે મૈત્રેયનાથ એ ઐતિહાસિક વ્યક્તિ હતા જેમણે યોગાચારની સ્થાપના કરી અને અસંગને આ મતની દીક્ષા આપી. મૈત્રેયે અનેક ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા પણ બે ગ્રંથો સિવાય બીજા ગ્રંથોનો પરિચય તિબ્બતી કે ચીની અનુવાદો દ્વારા જ મળે છે. તેમના ગ્રંથો આ છે : (૧) “મહાયાન સ્ત્રાલંકાર' (નામ. પરિચ્છેદ), (૨) “ધર્માધર્મતા ત્રિભંગ' અને (૩) “મહાયાન ઉત્તરતંત્ર' (જે બન્નેની તિબ્બતી અનુવાદ જ પ્રાપ્ત છે), (૪) મધ્યાન્તવિભંગ’ કે ‘મધ્યાન્ત વિભાગ' (કારિકાઓ જેની વિસ્તૃત વ્યાખ્યા આચાર્ય વસુબંધુએ કરી અને આ ભાષ્યની ટીકા વસુબંધુના શિષ્ય આચાર્ય સ્થિરમતિએ લખી), (૫) “અભિસાલંકાર' (જેમાં પ્રજ્ઞાપારમિતાનું પ્રતિપાદન આઠ પરિચ્છેદમાં છે અને તેના પર સંસ્કૃત તથા તિબ્બતી ૨૧ ટીકાઓ ઉપલબ્ધ છે.) અસંગના ગ્રંથો : (૧) “મહાયાન સંપરિગ્રહ' (માત્ર ત્રણ ચીની અનુવાદ ઉપલબ્ધ છે.) (૨) “પ્રકરણ આર્યવાચા', (૩) “યોગાચાર ભૂમિશાસ્ત્ર' (તેના પરિચ્છેદોનું નામ ‘ભૂમિ છે. આવી ૧૭ ભૂમિ છે, જેવી કે વિજ્ઞાનભૂમિ વગેરે), (૪) ‘મહાયાન સૂત્રાલંકાર' (આ ગ્રંથ વિદ્વાનોમાં વિશેષ પ્રસિદ્ધ છે. તેમાં ૨૧ અધિકાર – પરિચ્છેદ છે. કારિકા મૈત્રેયનાથની છે, પણ વ્યાખ્યા અસંગની છે.) અસંગનો ‘મધ્યાન્નાનું ગમશાસ્ત્ર' નામનો ગ્રંથ જાણ્યામાં નથી. | Page #374 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો ૩૪૫ શિરીરની ક્ષણિકતા ઘણા દાર્શનિકોને માન્ય છે. તેના સ્કંધરૂપ ઘટકોનું વિઘટન થાય ત્યારે નાશ એ બૌદ્ધો સવીકારે છે. જેઓ ભૂતોનું બનેલું શરીર માને છે તેઓ ભૂતોના વિઘટનથી શરીરનો નાશ માને છે.] (ખ) ક્ષણિક અનિત્યતા - જીવનની ક્ષણિકતાનું કાર્ય ક્ષણોની અનિયતા છે. એક નિશ્ચિત કરેલા કાલમાં જીવનમાં જે મહાન ફેરફાર થાય છે તે દરેક ક્ષણમાં નીપજતા સૂક્ષ્મ ફેરફારોના સમૂહ સિવાય બીજું કંઈ નથી. દરેક મનુષ્ય, દરેક ચીજ હમેશાં બદલાતી જાય છે અને તે એક ક્ષણથી બીજી ક્ષણમાં એટલે બે પાસપાસેની ક્ષણોમાં સમાન હોતી નથી. હીનયાનના “અભિધર્મ – મહાવિભાષા શાસ્ત્રમાં કહેલ છે કે ‘૨૪ કલાકના એક દહાડામાં ૬૪000 ૯૯૯૮૦ ક્ષણો થાય છે અને વ્યક્તિના સમૂહો એટલે ૫ સ્કંધો દરેક ક્ષણમાં વારંવાર ઉભવી નાશ પામતા જાય છે.' લંકાના બૌદ્ધ મત સ્થાપક બુદ્ધઘોષ (પમી સદીમાં થયેલ) પોતાના ‘વિશુદ્ધિમગ્નમાં લખે છે કે “જીવતા પ્રાણીનું જીવન અત્યંત ટૂંકું છે, જેવી રીતે રથનું પૈડું તેના એક બિંદુમાત્રમાં ગતિમાન થાય છે, અને તેના એક બિંદુમાત્રમાં જ ગતિ ન કરતાં સ્થિત રહે છે, તેવી રીતે જીવન એક વિચારના કાળ સુધી રહે છે અને જેવો તે વિચાર નાશ પામ્યો કે તે જીવન નાશ પામ્યું કહેવાય છે. આવી રીતે ભૂત ક્ષણનું જીવન જીવ્યું છે, જીવતું નથી, તેમજ જીવશે પણ નહિ. વર્તમાનક્ષણનું જીવન જીવે છે પણ જીવ્યું નથી અને જીવશે પણ નહિ.” વસ્તુઓ બદલાય છે તો તે બદલાવનારી શક્તિ કઈ ? – ચલાવ્યા વગર જેમ ગાડી ના ચાલે તેમ કોઈ બદલાવનારી શક્તિ ન હોય તો વસ્તુ બદલે નહિ. આના જવાબમાં બુદ્ધે કહ્યું હતું કે દરેક સમૂહાત્મક વસ્તુમાં ચાર લક્ષણ નામે – ઉત્પાદ, સ્થિતિ, જરા, અને નિરોધ (નાગ) છે. અને આ ચાર લક્ષણોને લઈને સર્વ વસ્તુઓ ફેરફાર પામે છે. આ ચાર લક્ષણો એકીસાથે વસ્તુમાં રહે છે કે અનુક્રમે તેના સંબંધમાં બુદ્ધના નિર્વાણ પછી થોડા સૈકાઓ ગયા પછી ચર્ચા ચાલી હતી. એક શાખા નામે સર્વાસ્તિવાદીઓ એમ કહે છે કે આ લક્ષણો એક જ ક્ષણમાં એકી સાથે હોય છે, જ્યારે સૌત્રાંતિકો જીવનકાલની મર્યાદામાં અનુક્રમે તે એક પછી એક પથરાઈ જાય છે એમ કહે છે. | સર્વાસ્તિવાદ – વર્તમાન ધર્મોની જેમ અતીત અને અનાગત ધર્મો પણ અસ્તિત્વ ધરાવે છે. સર્વાસ્તિવાદી માને છે કે ધર્મમાં ધર્મસ્વભાવ અને ધર્મલક્ષણ બે પાસાં છે. ધર્મસ્વભાવ સર્વદા ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે. ધર્મલક્ષણ જ ક્ષણ છે. તે ધર્મનો ક્રિયાકારી બાહ્ય દશ્યમાન રૂપમાં પ્રાદુર્ભાવ છે. ઉત્પાદસ્થિતિ-નાશ (પરિણામવાદ). સૌત્રાન્તિક – કોઈ સ્થાયી અંશ માનતા નથી. ધર્મ સર્વથા ક્ષણિક છે. ઉત્પાદનાશ (ક્ષણિકવાદ).] (ગ) શૂન્યતાવાદ – ઉપરના ક્ષણિક અનિત્યતાવાદ પરથી શૂન્યતાવાદ ફલિત થાય છે. દરેક પ્રાણી ગમે તે વખતે પણ મરણ પામવાનો છે એ સમજવું સહેલું છે, પરંતુ જેમજેમ અહોરાત્ર પસાર થાય છે તેમ તેમ તે મરણની સમીપ ને સમીપ આવતો જાય છે અર્થાત્ જેમ ક્ષણો પસાર થાય છે તેમ તે બદલાતો જ જાય છે એની પ્રતીતિ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો થવી તેટલી સહેલી નથી. દરેક મનુષ્ય કે ચીજ અનિત્ય છે. તેની સાથે તેનો સ્વભાવ - તેની સ્થિતિ પણ અનિત્ય છે. આને ‘શૂન્યતા' કહે છે. શૂન્યતાના ઘણા જુદાજુદા અર્થ થાય છે તેથી ઘણા યુરોપીય કે એશિયાના પંડિતો તેનો અર્થ કરતાં ભૂલ ખાઈ ગયા છે. કેટલાક એમ કલ્પના કરે છે કે શૂન્યતા એટલે કંઈ નહિ અથવા આત્યંતિક નાશ, અને તેથી શૂન્યતાવાદીને નાશ – સંહારવાદી (mihilisto) ખોટી રીતે કહેવામાં આવ્યા છે, પરંતુ બૌદ્ધનો શૂન્યતાવાદ જુદા પ્રકારનો છે. તેનો અર્થ એ છે કે આ દશ્યજગતમાં દરેક પગલે જે સ્થાયી ફેરફાર થયા કરે છે તે. નાગાર્જુન પોતાના માધ્યમિક શાસ્ત્રમાં કહે છે કે ઃ શૂન્યતાને લઈને દરેક ચીજ શક્ય છે, તેના વગર સર્વ કોઈની યોજના નથી. પ્રોફેસર ડી. સુઝુકી શૂન્યતા સંબંધે યથાર્થ અને સુંદર રીતે કહે છે કે : “શૂન્યતાનો અર્થ એ જ છે કે સર્વ દેખાતી વસ્તુઓનું ક્ષણિકપણું. તેના ‘અનિત્ય' અથવા ‘પ્રતીત્ય' એ શબ્દો સમાનાર્થક – પર્યાયો છે. તેથી બૌદ્ધના મત પ્રમાણે ‘શૂન્ય થવું' તેનો અર્થ નિષેધક શૈલીથી એ થાય છે કે વિશિષ્ટતાનો અભાવ, જે સ્થિતિમાં વસ્તુઓ છે તે સ્થિતિમાં તે વસ્તુઓ રહેવાનો અભાવ; અને પ્રતિપાદક શૈલીથી એ અર્થ થાય છે કે દેખાતા જગતની સદાકાળ બદલાતી સ્થિતિ, નિરંતર પ્રવાહ માફક બદલાવું, અને કાર્યકારણની નિત્ય પરંપરા. આનો અર્થ નાશ અથવા આત્યંતિકપણે કંઈ નહિ એવો કદી પણ કરવાનો નથી; કારણકે તેવા આત્યંતિક નાશને બૌદ્ધો બીજાની પેઠે માનતા નથી. આ બધું દશ્ય જગતને સંબંધ છે. વાસ્તવિક – અદશ્ય જગત માટે નિર્વાણ. માટે) નથી. ઉપર જણાવ્યું તેમ જે ખુલાસા આપ્યા છે તે પ્રધાનણે નિષેધક શૈલીએ આપ્યા છે, પ્રતિપાદક શૈલીએ નથી આપ્યા. તો શા માટે બુદ્ધે તેમ કર્યું હશે ? – તેના જવાબમાં એ છે કે બુદ્ધનો આશય જુદું તત્ત્વજ્ઞાન સ્થાપવાનો ન હતો, પરંતુ પોતાને જે પ્રકાશ થયો - બોધિજ્ઞાન થયું અને નિર્વાણમાર્ગ માલમ પડ્યો તે સર્વ પ્રાણીઓને દર્શાવવાનો હતો. તે સર્વ પર દશ્ય જગત એક ભયંકર સ્વપ્નજળ સમાન થયું હતું, તેથી દશ્ય જગતની નિષેધાત્મક સમજણ આપવામાં દશ્ય રૂપ સમુદ્રનાં તોફાન અને મોજાંઓથી વાસ્તવિક સ્થાન – નિર્વાણ ના કિનારા તરફ શાંતિ સ્થળે લઈ જવાનો બુદ્ધનો આશય હોવો સંભવે છે. નિષેધક શૈલીમાંથી પ્રતિપાદક વસ્તુ મળે છે. તે શું નથી ?' એ પરથી “તે શું છે ?” એ મળી આવે છે. આ રીતે અનિત્યતાના સિદ્ધાંત પરથી નિત્યતાનો નિર્વાણનો) સિદ્ધાંત કાઢી શકાય, કારણકે નિર્વાણનો પ્રતિપક્ષ કે જે દશ્ય જગત છે તેને અમાન્ય કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મના ત્રણ ઉપરોક્ત સિદ્ધાંતો દશ્ય – મિથ્યા અને અમિથ્યા એમ બંને જગને અનુક્રમે લાગુ પાડીએ તો આપણને જણાશે કે (૧) “સર્વ અનિત્ય છે' એ સિદ્ધાંત મિથ્યા જગને લાગુ પડે છે. (૨) “સર્વ અનાત્મ છે' એ સિદ્ધાંત બંને – મિથ્યા અને અમિથ્યા જગતુને લાગુ પડે છે અને (૩) ‘નિર્વાણ જ શાંતિમય’ છે એ સિદ્ધાંત ફક્ત અમિથ્યા – સત્ય જગને લાગુ પડે છે. १. सर्वं च युज्यते तस्य शून्यता यस्य युज्यते । सर्वं न युज्यते तस्य शून्यं यस्य न युज्यते ।। Page #376 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો उ४७ ૨. જે સર્વ છે તે આત્મારહિત છે – સર્વ ઉનાત્મન્. અનાત્મવાદ - આનો ખરો અર્થ કરવામાં ઘણા યુરોપીય વિદ્વાનો ભૂલ ખાઈ ગયા છે. આથી કોઈ બૌદ્ધ ધર્મને દુઃખવાદ - નિરાશાવાદના આત્મારહિત સ્વરૂપવાળો ધર્મ (soulless form of pessimism) કહે છે, જ્યારે કેટલાક જડવાદીઓ પોતાના વાદ જેવો બૌદ્ધ ધર્મને ગણાવે છે, કે જેમાં આત્મા અને પરમાત્માનો સ્વીકાર કરવામાં આવતો નથી. બૌદ્ધ ધર્મગ્રંથો તેના મૂળ સ્વરૂપમાં જોઈએ તેવા મળી શક્યા નથી. તેનું કારણ બૌદ્ધ ઉપર જુલમ ગુજારનારાએ તેઓના ગ્રંથોનો પણ નાશ કર્યો છે. આના ઉદાહરણ તરીકે કર્ણસુવર્ણના સસંક નામે રાજાએ એવી રાજ્યાજ્ઞા કરી હતી કે હિંદમાંથી બૌદ્ધોનો તદ્દન નાશ કરવો, નહિ તો તેમને મરણની સજા કરવામાં આવશે અને વધ કરવા રાખેલા માણસો પણ આ રાજ્યજ્ઞાનું ઉલ્લંઘન કરે તો તેમને પણ દેહાંતની સજા કરવામાં આવશે.' અનાત્મના બે પ્રકાર – આથી શંકરાચાર્ય જેવા સમર્થ વિદ્વાન્ને બૌદ્ધના નૈરાગ્યદ્વયં સંબંધે પૂરતું જ્ઞાન ન હોય તો તે સંતવ્ય છે. ખરી રીતે બૌદ્ધ અનાત્મન્ના બે પ્રકાર કહે છે. (૧) ચેતનમય આત્માનો નિષેધ અને (૨) વસ્તુના આત્માનો -- ધર્મોના આત્માનો અથવા તો મિથ્યા જગના આત્માનો નિષેધ. જ્યારે બૌદ્ધમાં આત્માનો નિષેધ કરવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે આત્માનો એ અર્થ કરવામાં આવે છે કે તે નિત્ય તત્ત્વ છે, તેને ફેરફારની પરંપરામાં આવવું પડતું નથી અને બીજાની સાથે મિશ્ર થતો નથી. આજ વાત ધર્મપાલાચાર્યે વિજ્ઞાનમાત્રાશાસ્ત્ર પરની પોતાની ટીકામાં કહી છે. ધિર્મપાલાચાર્યે વસુબંધુના ઉત્તમ ગ્રંથ “વિજ્ઞપ્તિ માત્રતાસિદ્ધિ” પર વ્યાખ્યા લખી હતી તેનો ઉલ્લેખ અહીં છે. અને આત્મા સંબંધે ત્રણ મત જણાવે છે. તે આ રીતે ? આત્મા સંબંધે ત્રણ વાદ – એવું કહેવામાં આવે છે કે આત્મા એટલે પરમ સત્તાવાળી વસ્તુ, તે સ્વતંત્ર છે, નિત્ય છે અને કેવલ અભિન્ન છે. જુદા જુદા તીર્થકરો (દર્શનકારો)ના આત્મા સંબંધેના વાદ પરત્વે ત્રણ વિભાગ પાડી શકાય. (૧) એક આત્માને પંચ સ્કંધનો બનેલ સમૂહાત્મક માને છે. (૨) બીજો આત્માને પંચ સ્કંધથી ભિન્ન કેવલ અસ્તિત્વમય માને છે, અને (૩) ત્રીજો આત્મા પંચ સ્કંધથી અભિન્ન નથી, તેમજ ભિન્ન નથી એમ માને છે. હાલની ભાષામાં આ ત્રણ વાદને મૂકીએ તો (૧) પ્રથમ Personal ego માને છે એટલે મન અને શરીરથી બનેલો આત્મા માને છે. (૨) બીજો નૈયાયિકો જેવો આત્માનો વાદ એ રીતે માને છે કે તે મન અને શરીરથી તત્ત્વતઃ સ્વતંત્ર ને મનુષ્યને પરમ અને સદાકાલ અંકુશમાં રાખનાર છે. १. आ सेतोः आ तुषाराद्रेः बौद्धानां वृद्धवालकान् । यो न हन्ति स हन्तव्यो भृत्यानित्य शिषन् नृपः ।। ૨. આ દક્ષિણ હિંદમાં આવેલ કાંચિપુરનો વતની હતો. શીલભદ્રનો ગુરુ અને નાલંદની વિદ્યાપીઠમાં શિક્ષાગુરુ હતો કે જે વખતે પ્રખ્યાત યુએન સ્વાંગ તેનો શિષ્ય થયો હતો. Page #377 -------------------------------------------------------------------------- ________________ 3४८ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (૩) ત્રીજો હીનયાન શાખા કે જેનું બીજું નામ વન્સિપુત્રી છે તેનો પ્રસિદ્ધ મત છે કે જે કથાવત્થમાં સારી રીતે પ્રથમ ચર્ચેલ છે. અમુક કારણે સ્થાપેલ કોઈ વિશિષ્ટ આત્મવાદ : હવે ખરી રીતે બૌદ્ધ ધર્મ આ ત્રણેમાંથી એકને પણ સ્વીકારતો નથી. આમ બુદ્ધ અનાત્મનું પ્રતિપાદન કર્યું હોવા છતાં તેમણે કે તેમના શિષ્યોએ આત્માનું કોઈપણ પ્રકારે વિશિષ્ટ એવું અસ્તિત્વ સ્વીકાર્યું છે. આના સંબંધમાં નાગાર્જુને પ્રજ્ઞાપારમિતા સૂત્રપરની પોતાની ટીકામાં સ્પષ્ટપણે કહેલ છે કે : “તથાગતે (બુદ્ધ) કેટલીક વખત એવું ઉપદેડ્યું છે કે આત્મા છે, અને કેટલીક વખત એવું ઉપદેશ્ય છે કે આત્મા નથી. જ્યારે “આત્મા છે અને તેના કર્મના બદલામાં જુદાજુદા એક પછી એક આવતા ભવોમાં દુઃખ કે સુખ મેળવે છે એવું તેમણે ઉપદેછ્યું, ત્યારે તેનો ઉદ્દેશ મનુષ્યોને ઉચ્છેદવાદ (Nihilism)ના નાસ્તિકવાદમાંથી બચાવવાનો હતો; જ્યારે તેમણે આત્માનો રૂઢિગત અર્થ (નામે તે પાંચ સ્કંધનો સમૂહ છે એ) બાજુ પર મૂકી એવો ઉપદેશ કર્યો કે આત્મા કર્તા કે દ્રષ્ટા કે કેવલ સ્વતંત્ર કર્તા તરીકે હોવાના અર્થમાં ‘આત્મા નથી ત્યારે તેનો આશય મનુષ્યોને શાશ્વતવાદ (eternalism)ના વિરુદ્ધ નાસ્તિકવાદમાંથી બચાવવાનો હતો. હવે આ બે માન્યતામાંથી કઈ ખરી છે ? નિર્વિવાદ રીતે આત્માનો નિષેધ બતાવનાર સિદ્ધાંત ખરો છે. આ સિદ્ધાંત (અનાત્મવાદ) સમજવામાં ઘણો દુર્ઘટ હોવાથી બુદ્ધે જેની મતિ મંદ છે અને જેનામાં સદાચારનું બીજ ઊગી નીકળ્યું નથી તેને સંભળાવવા ઈચ્છવું નથી. આનું કારણ એ કે આવાં મનુષ્યો અનાત્મવાદ સાંભળી ઉચ્છેદવાદમાં ચોક્કસ પડી જાય. આમ બે જુદાંજુદાં કારણને (આશયને) લઈને આ બે સિદ્ધાંતો બુદ્ધ ઉપદેશ્યા છે. તેમણે આત્માનું અસ્તિત્વ જ્યારે આત્માનો રૂઢિગત (લૌકિક) સિદ્ધાંત પોતાના શ્રોતાને સંભળાવવા ઇચ્છતા હતા ત્યારે ઉપદેશ્ય, અને જ્યારે તે આત્માનો લોકોત્તર સિદ્ધાંત લોકને સંભળાવવા ઇચ્છતા હતા ત્યારે તેમણે અનાત્મવાદ ઉપદેશ્યો છે. પ્રત્યેકવાદ અથવા પૃથક્વાદનો બૌદ્ધમાં નિષેધ હીનાત્મા’ – અથવા પૃથક્યક્તિગત આત્મા શરીરથી ભિન્ન હોઈ શરીરના વ્યાપારો ઉપર સત્તા મેળવે છે. કર્તા છે, ભોક્તા છે એ સિદ્ધાંત જૈન દર્શનમાં માન્ય છે, જ્યારે બૌદ્ધ ધર્મ અસંમત છે. તે સિદ્ધાંતને બૌદ્ધ મત માયાજલ સમાન માને છે; અને જગત્કર્તા તરીકે કોઈપણ આત્માને માનવાના મતને બૌદ્ધ લોકે પ્રગતિ અને પ્રજ્ઞા (પ્રકાશ) મેળવવાથી દૂર રાખનાર તરીકે એ ભૂતકાળના વહેમોમાંથી ઉત્પન્ન થયેલા સિદ્ધાંત તરીકે ગણ્યો છે. આ બંને માન્યતાવાળાને બૌદ્ધ મત મિથ્યાદષ્ટિ' કહે છે અને તે મિથ્યાદષ્ટિનો નાશ કરવા માટે બૌદ્ધ ધર્મ ‘સર્વ અનિત્ય' – સર્વ અનિત્ય છે એ સિદ્ધાંત રચ્યો છે. પિંચ સ્કંધથી પૃથક આત્માનો નિષેધ, ચિત-અચિત્ જગતથી પૃથક જગત્કર્તા ઈશ્વરનો નિષેધ.] કોઈ જગકર્તા છે એનો અસ્વીકાર વિશ્વથી ભિન્ન કોઈ વિશ્વના ઘડનાર તરીકે અસ્તિત્વ ધરાવે છે એ બૌદ્ધ દર્શન માનવાની ચોખ્ખી ના પાડે છે. તે કહે છે કે એક કારણમાંથી કંઈપણ ઉદ્ભવી શકે નહિ, પણ દરેક વસ્તુ પ્રત્યયસમવાય (કારણોની પરંપરા)માંથી ઉત્પન્ન થાય છે. ઈશ્વર Page #378 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો સંબંધીનો સીધો ઉલ્લેખ ફક્ત અંગુત્તર નિકાય નામના સૂત્રમાં મળે છે. તેમાં જણાવે છે કે આ ભવમાં મનુષ્યના સુખદુઃખનો આધાર ‘યદચ્છા’, કે ‘નિયતિ’, કે ‘ઈશ્વર’ પર આધાર રાખે છે એ સઘળી વાતોનો બુદ્ધ તિરસ્કાર કરે છે અને કહે છે કે તે સઘળા વાદો ‘અક્રિયાવાદ’ પ્રત્યે લઈ જાય છે. આ પ્રમાણે બુદ્ધ શાશ્વત વ્યક્તિગત આત્માનો નિષેધ કરે છે. બુદ્ધની માન્યતા પ્રમાણે નિર્વાણ અને સંસાર એક જ છે. ‘યઃ સંસારઃ ત્રિમ્ અને દેહ અને આત્મા એક છે એ સિદ્ધાંત સર્વ બૌદ્ધ ધર્મની શાખાઓને એક સરખો માન્ય છે. નાગાર્જુન પણ નિર્વાણ અને સંસારની એક સમાનતા માને છે. જુઓ માધ્યમિક કારિકામાં નીચેની પંક્તિઓ : न संसारस्य निर्वाणात् किंचिदस्ति विशेषणम् । न निर्वाणस्य संसारात् किंचिदस्ति विशेषणम् || निर्वाणस्य च या कोटि कोटिः संसरणस्य च । न तयोरन्तरं किंचित् सुसूक्ष्ममपि विद्यते || અર્થાત્ – સંસાર અને નિર્વાણ એકબીજાથી કોઈપણ રીતે અલગ પાડવાના નથી. તેઓની કોટી – ક્ષેત્ર એકસરખું છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદ બંને વચ્ચે વર્તતો નથી. [રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે; રાગાદિ ક્લેશરહિત ચિત્ત જ નિર્વાણ છે - આ અર્થમાં જ અભેદ. શૂન્યવાદીને મતે સંસાર અને નિર્વાણ બન્ને મિથ્યા છે એ અર્થમાં અભેદ. તે સમકક્ષ છે.] મહાત્મવાદ આ રીતે જગત્કતાં અને આત્માના અસ્તિત્વના વાદનો નિષેધ કરે છે ત્યારે બીજી બાજુ બૌદ્ધ મત અદૃશ્ય આત્માની નિત્યતા સ્વીકારે છે, એટલું જ નહિ પરંતુ પોતાના અનુયાયીને ખાસ કરી આજ્ઞા કરે છે કે તેઓએ એવી રીતે કેળવાવું જોઈએ કે જેથી વિશ્વનો મહાન્ આત્મા કે જેને ‘મહાત્મન્' કહેવામાં આવે છે તેની સાથે સંગમની પ્રાપ્તિ થાય. અસંગના મહાયાન – સૂત્રાલંકાર શાસ્ત્રમાં બુદ્ધત્વના ઇચ્છુકને વિશ્વને માત્ર સંસ્કારોના સમૂહ તરીકે, આત્માથી રહિત અને દુઃખમય ગણવાને તથા વ્યક્તિગત આત્મવાદને તજીને પરમ મહોદય મહાત્મના સિદ્ધાંતનું શરણ લેવાને ખાસ ભલામણ કરી છે. તેનો શ્લોક આ પ્રમાણે છે : संस्कारमात्रं जगदेत्य बुद्धया, निरात्मकं दुःखविरुढिमात्रम् । विहाय चानर्थमयात्मदृष्टि महात्मदृष्टिं श्रयते महार्थाम् || ૩૪૯ ૧. ‘અહંકાર’નું બીજું નામ ‘અભિમાન’ આપવામાં આવે છે. ‘અભિમાન'નો સામાન્ય અર્થ ગર્વ છે, અને તેનો પારિભાષિક અર્થ ‘હુંપણાનો – વ્યક્તિત્વનો ગર્વ – ‘અહંત્વ’ – ‘અહંકાર’ ‘હું કરું છું, ભોગવું છું, વિચારું છું, છું' વગેરેનો ભાગ એમ આપેલ છે. આ વાત વાચસ્પતિએ આ પ્રમાણે કહી છે : 'यत् खल्वालोचितं मतं च तत्राहमधिकृतः शक्तः खल्वहमत्र मदर्था एवामी विषयाः मत्रो नान्योत्राधिकृतः कश्चिदस्त्यहमस्मियोऽभिमानः सोऽसाधारण व्यवहारत्वादहंकारः' (પૃ. ૩૫૦ ઉપર ચાલુ) Page #379 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અહીં એન્થમય આત્મદૃષ્ટિને વ્યક્તિગત આત્માના (હીનાત્માના) વાદને ગણેલ છે. તે ‘હીનાત્મા’ ઘણા અંશે સાંખ્ય દર્શનના ‘અહંકાર ને મળતો આવે છે. આ મહાત્મનૂનું પદ ‘અનુત્તરાર્થથી - ઉચ્ચમાં ઉચ્ચ આશયથી મેળવાય છે. વળી આ મહાત્મપદ એટલે જ બુદ્ધત્વ; મહાત્મન્ એટલે પરમાત્મન્. જુઓ. शून्यतायां विशुद्धायां नैरात्म्यान्मार्गलाभतः । बुद्धा शुद्धात्मलाभित्वात् गता आत्ममहात्मताम् । મહાયાન સૂત્રાલંકાર શાસ્ત્ર ૩૫૦ મહાત્મા == પરમાત્મા અને તથાગતગર્ભ મહાપરિનિર્વાણ સૂત્રમાં કહેલ છે કે મહાત્મા એટલે ‘તથાગતગર્ભ ' તેનો અર્થ એવો થાય છે કે સર્વપ્રાણીઓ તથાગતના તાત્ત્વિક સ્વરૂપવાળાં છે, અને જ્યાં સુધી તેઓ ‘કલેશો’થી આરિત થયેલાં છે ત્યાં સુધી તેઓ પોતાના તે સ્વરૂપને જાણતાં નથી. આ અવિનાશી તથાગતગર્ભ અનુત્તરસમ્યસંબોધિથી પ્રાપ્ત થાય છે.' તથાગતગર્ભનો અક્ષરશઃ અર્થ કરીએ તો તથાગતનો બુદ્ધનો ગર્ભ તે તથાગતગર્ભ. જે સ્વરૂપ ગર્ભિત છે તે બુદ્ધનું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે; અને તે ‘અવિધા’'થી – ‘ક્લેશોથી ગર્ભિત પ્રચ્છન્ન રહેલ છે; જેવી રીતે સુવર્ણાદિ ધાતુઓ માટીથી ઢંકાયેલ હોઈ મૂળ સ્વરૂપે પ્રકાશી નથી શકતી તેવી રીતે આત્માનું સમજવું. તથાગતગર્ભ એ ‘વિશ્વગર્ભ'નું બીજું નામ છે એમ બીજી રીતે કહીએ તો ખોટું નથી, કે જે વિશ્વગર્ભમાંથી અસંખ્ય માનસિક અને જડ વસ્તુઓના સમૂહો નીકળે છે. [લંકાવતારનો હવાલો આપી વિદ્વાનો જણાવે છે કે અનાદિ પ્રપંચની વાસનાથી વાસિત ચિત્ત જ આલવિજ્ઞાન તેમજ તથાગતગર્ભ કહેવાય છે. એમાં સમસ્ત કુશલ અને અકુશલ હેતુ વિદ્યમાન રહે છે. તે જ નિત્ય અને નિરંતર વિદ્યમાન રહીને બધાં જન્મો અને ગતિઓનો કર્યાં છે. એને બરોબર ન સમજવાથી આત્મવાદની ભ્રાન્તિ થાય છે. આલવિજ્ઞાન અથવા તથાગતગર્ભની જ વિશુદ્ધિથી યા પરાવૃત્તિથી પરમાર્થની પ્રાપ્તિ થાય છે. આલવિજ્ઞાનને મહાત્મા ગણ્યો લાગે છે. કેટલાક વિદ્વાનોએ આલયવિજ્ઞાનને સમષ્ટિચૈતન્યનું પણ પ્રતીક ગણ્યું છે.] - હું જે જે જોવામાં આવે છે અને જાણવામાં આવે છે તે સર્વ પર અધિકાર કરું છું સત્તા ચલાવું છું અને ઇંદ્રિયના બધા વિષયો મારા અધિકારમાં છે. મારા સિવાય બીજા કોઈનો અધિકાર નથી. હું છું. આ અભિમાન તેના અસાધારણ અર્થમાં ‘અહંકાર’ એ તરીકે વ્યવહારવામાં આવે છે. ૧. આના જેવું સ્વરૂપ જૈનદર્શનમાં છે. તેમાં ‘જ્ઞાનાવરણીયાદ આઠ મુખ્ય કર્મરૂપી મલથી માટીથી જેમ સુવર્ણ તેમ આત્માનું પરમાત્મા જેવું સ્વરૂપ આવિરત – આવરાયેલું - ઢંકાયેલું છે, તે પ્રચ્છન્ન છે અને જ્યારે તે કર્મ દૂર થાય છે ત્યારે તે મૂલસ્વરૂપ વ્યક્ત થાય છે અને પરમાત્મા - સિદ્ધ થાય છે (મુક્તિ મેળવે છે.). २. मम योनिर्महद् ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम् । संभवः सर्वभूतानां ततो भवति भारत ! || सर्वयोनिषु कौन्तेय ! मूर्तयः संभवन्ति याः । तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ।। શ્રીમદ્ ભગવદ્ગીતા ૧૪. ૨૪ Page #380 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો ૩૫૧ || - ] ! એની કલ્પના બલ્કની નાની નથી કારણ કે તે ભગવદ્ગીતાનો 4 - અર્જુન ને ઉપદેશ કરે છે તેમાં પણ તે કલ્પના આવે છે . એક દષ્ટિએ તથાગતગર્ભ વેદાંતીઓના પરમ માની સાથે સમાનતા ધરાવે છે. વેદો પરનામામાંથી સર્વ જગત્ ઉત્પન્ન થયેલું માને છે. આ પરમાત્મા શબ્દ બૌદ્ધો જતા હતા. પરંતુ બૌદ્ધ અને વેદાંતીના પરમાત્મા સંબંધના વિચારો ભિન્ન છે. લંક દેવતાર સૂત્રમાં નીચેનો બુદ્ધ અને તેના એક બોધિસત્ત્વ નામે મહામતિ સાથેનો ર. વાદ છે તે પરથી જણાશે કે બુક તે વાત પર બહુ ભાર મૂકે છે. મહામતિ બોધિસત્વે પૂછવું હે ભગવન્ ! તથાગતગર્ભ એ કંધ, ધાતુ અને આરતનથી, ન જેમ મલથી ઢંકાયેલું હોય તેમ, ઢંકાયેલું દરેક પ્રાણીના શરીરમાં રહે છે એમ આપે જણાવ્યું. વળી તે સ્થાયી, નિત્ય, આનંદમય અને સનાતન છે એમ આપે વાવેલ છે. તો તથાગતગર્ભની આ સિદ્ધાંત અન્ય તીર્થકરી” – દર્શનો કે જે એમ માને છે કે આત્મા કર્યા છે, નિત્ય સ્થાયી છે, સર્વવ્યાપી, અવિનાશી અને નિર્ગુણ છે. તેના તે આત્મવાદ જેવો શું નથી ?' આના ઉત્તરમાં ભગવાને મહામતિને જણાવ્યું – “ઓ મહામતિ ! તથાગતગર્ભનો મારા સિદ્ધાંતમાં અને અન્ય તીર્થકરો – દર્શનના આત્મવાદમાં ઘણો તફાવત છે. પરંતુ તથાગતોએ શૂન્યતાભૂતની કોટીમાં આવતો સનિર્વાણ, નિર્જન્મ (અનુત્પાદ), અનિમિત્ત, અપ્રતિહિત (કલ્પના – વિચાર વગરનો) તથાગતગર્ભ ઉપદેશીને તથાગતો – અહંતો સમ્યક સંબુદ્ધ એવા બાલોને – મંદધીને નૈરાગ્યના ત્રાસમાંથી દૂર રાખવાને નિર્વિકલ્પ, નિરભાસગોચર (વિચાર અને વિકલ્પ રહિત) એવા પ્રકારનો તથાગત ગર્ભ ઉપદેશ છે. મહામતિ ! અત્ર અનાગત (ભવિષ્યના) અને પ્રત્યુત્પન્ન (હવેના) બોધિસત્ત્વોએ -- મહાસત્ત્વો એ આત્મામાં અભિનિવેશ કરવા યોગ્ય નથી. અને જેવી રીતે કુંભાર માટીના પરમાણુના એક ઢગલામાંથી વિવિધ વાસણ હસ્તશિલ્પ, દંડ, પાણી, દોરો અને પ્રયત્નના યોગ વડે બનાવે છે, તેવી રીતે તથાગતો સર્વવિકલ્પ લક્ષ્મણથી નિવૃત્ત – મુક્ત એવા ધર્મના દિગ્ય જગન્ના) નરામ્યનો પ્રજ્ઞા અને કૌશલ્યથી, કોઈ વખત તથાગતગર્ભના ઉપદેશથી અથવા કોઈ વખત નેરાના ઉપદેશથી કુંભકારની માફક ચિત્રવિચિત્ર પદવ્યંજનપર્યાયથી ઉપદેશ કરે છે. આ કારણથી મહામતિ ! તીર્થકરો (દર્શનો)નો આત્મવાદોપદેશ જેવો મારો તથાગતગર્ભોપદેશ નથી; વળી આવી રીતે તથાગતગર્ભોપદેશ આત્મવાદમાં. અભિનિવિષ્ટ એવા તીર્થકરોને આકર્ષવા માટે તથાગતો કરે છે, કારણ કે તેમ ન થાય તો તેઓ કે જે આત્મા નથી છતાં આત્મા છે એવા વિકલ્પમાં પડેલા છે અને ત્રણ જાતના વિમોક્ષમાં જેના આશયો પડી રહેલા છે તે અત્યંત અનુત્તર (લોકોત્તર) એવી મ્યુક્સબોધિ કેમ જાણી શકે ? એટલા માટે છે, મહામતિ ! તથાગતી – અહેન્તી સમ્યક્સબુદ્ધને તથાગતગર્ભનો ઉપદેશ કરે છે અને તે તીર્થકરના આત્મવાદ તુલ્ય નથી. તે માટે તે તીર્થકરની દષ્ટિને દૂર કરવા માટે તથાગત નૈરાત્મગર્ભને અનુસરવું તારે ઇટ છે.” ૩. નિર્વાણ શાંતિમય છે - નિર્વા શાસ્તમ્ નિર્વાણનો સિદ્ધાંત – અનિત્યવાદ અને વૈરાગ્યવાદ એ બંને વિશે આપણે કહી Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ગયા. અને તે બંનેમાંથી ફલિત થતો આ સિદ્ધાંત છે. નિર્વાણ વાસ્તવ અવર્ણનીય છે. બોદ્ધ મતના નિર્વાણ સંબંધે તેનો ખરો સિદ્ધાંત શું છે એ પ્રશ્ન બે હજાર વર્ષ પૂર્વે ગ્રીક રાજા મિલેંડર અથવા મિલિટે એક બૌદ્ધ આચાર્ય નામે નાગસેનને પૂછવો હતો, તેના જવાબમાં તે આચાર્યે કહ્યું હતું કે : “હું નિર્વાણને કોઈપણ ઉપમા કે દલીલથી સમજાવી શકું તેમ નથી, કારણકે નિવણ જેવું કંઈ પણ નથી.” ત્યારે મિલિન્દ પૂછયું, “નિર્વાણ જેવી દશા વિદ્યમાન છે, છતાં તેનું સ્વરૂપ, તેનો કાલ, તેની મર્યાદા સમજાવવાનું કાર્ય અશક્ય છે એ હું માની શકતો નથી. આનો ખુલાસો આપની પાસે શું છે ?” નાગસેને પ્રત્યુત્તર વાળ્યો “હે રાજા ! આ મહાન્ સમુદ્ર જેવી વસ્તુ છે એ ખરુંને ?” રાજા – હા. આચાર્ય – ધારો કે તમોને કોઈ એવો પ્રશ્ન કરે કે સમુદ્રમાં કેટલું પાણી છે ? અને તેની અંદર કેટલા જીવો વસે છે ? તો તેનો જવાબ શું આપશો ? રાજા – હું તેને એમ કહીશ કે આવો પ્રશ્ન પુછાવો ન જોઈએ અને તે પ્રશ્ન એમ ને એમ રહેવા દેવાનો છે, કારણકે કોઈપણ વિજ્ઞાનશાસ્ત્રીએ તે રીતે તે સમુદ્રની ગણના કરી નથી અને કોઈપણ પાણીનું માપ કાઢી શકે નહિ અને તેમાં રહેલાં જંતુઓની સંખ્યા ગણી શકે નહિ. આ મારો જવાબ ! આચાર્ય – પરંતુ આપ નામદારે આવો ઉત્તર શા માટે આપવો જોઈએ ? સમુદ્ર તો એવી વસ્તુ છે કે જે વાસ્તવપણે વિદ્યમાન છે. આપે તો તે પ્રશ્ન પૂછનારને એવું કહેવું જોઈએ કે આટલું તેનું પાણી છે અને આટલાં તેમાં વસતાં જલચર પ્રાણીઓ છે. રાજા – તે અશક્ય છે, કારણકે આવા પ્રશ્નનો આવો ઉત્તર આપવો મનુષ્યશક્તિની બહાર છે. નાગનેન – તેવી જ રીતે – તેટલા પ્રમાણમાં નિર્વાણદશા વિદ્યમાન છે છતાં તેનું પ્રમાણ, સ્વરૂપ, તેનો આકાર કે કાલ કહેવાં અશક્ય છે. અને કદી કોઈને જાદુઈ શક્તિઓ હોય અને તેથી તે સમુદ્રનું પાણી માપી શકે અને તેમાંનાં જલચર પ્રાણીઓની સંખ્યા બતાવી શકે, પરંતુ નિર્વાણનું સ્વરૂપ, આકાર, કાલ કે પ્રમાણ કદી કહી શકનાર નથી. નિર્વાણનો સાક્ષાત્કાર - તેની પ્રતીતિ આમ છે તેથી જ્યાં સુધી તે દશાનો અનુભવ થયો નથી ત્યાં સુધી તે નિર્વાણનો ખ્યાલ આવવો અશક્ય છે, માટે તે અનુભવ મેળવવા માટે બુદ્ધના સૂત્રમાં જે સાધનો કહ્યાં છે તે દ્વારા ઉત્સાહમય આગળ વધવાની જરૂર છે. તે માટે બુદ્ધત્વ પ્રાપ્ત કરવા અંત:પ્રેરણા – અંતઃપરીક્ષા પર બૌદ્ધ મત બહુ ભાર મૂકે છે. તેથી નાગાર્જુને નિર્વાણનું વર્ણન કરવા નકારવાચક શબ્દોનો આધાર લીધો છે. अप्रतीतमसंप्राप्त मनुच्छिन्नमशाश्वतम् । अनिरुद्धमनुत्पन्नमेव निर्वाणमुच्यते । Page #382 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો અર્થાત્ જેની પ્રતીતિ થઈ નથી, જે મળ્યું નથી, જેનો નાશ થયો નથી, જે શાશ્વત નથી, જે અનિરુદ્ધ – દબાયેલ નથી, જે ઉત્પન્ન થયેલ નથી તેને નિર્વાણ કહેવામાં આવે છે. નિર્વાણની વ્યુત્પત્તિ બૌદ્ધ ધર્મ પૂર્વે નિર્વાણનો અર્થ સંસ્કૃતમાં મનુષ્યનું અંતિમ સાધ્ય -- સર્વસ્વ એવો થતો હતો. આ અર્થમાં વપરાયેલ નિર્વાણ શબ્દ મહાભારતમાં વારંવાર મળી આવે છે. મૂળ તેનો અર્થ અમુકનો ‘નિરોધ’ – ‘અભાવ’ એમ થતો હતો. સંસ્કૃત વ્યાકરણકારો વા = ફૂંકવું એ ધાતુ અને નિર્ = નહિ એ ઉપસર્ગથી એ શબ્દ સિદ્ધ કરે છે. પાણિનિના પ્રસિદ્ધ નિયમથી નિર્વાળો વાતેઃ - વાયુનું બંધ થવું એ ધાત્વર્થ થાય છે, અને ત્યાર પછી જરાક ખેંચીને દીપકનું બંધ થવું એ અર્થમાં પણ લાગુ પાડવામાં આવ્યો. હીનયાનના મહાન્ પારિભાષિક શબ્દકોશ નામે ‘અભિધર્મ મહાવિભાષાશાસ્ત્ર'માં આ પ્રમાણે વ્યુત્પત્યર્થ કરેલા છે ઃ (ક) વાન સંસારનો માર્ગ + નિર્ = દૂર થવું = સર્વ સંસારમાર્ગોથી દૂર થવું તે. = (ખ) વાન કર્મોથી મુક્ત હોય. = ક્લેશમય કર્મો + નિર્ = નિહ = = (ગ) વાન + ગાઢું જંગલ + નિર્ = સ્થાયી તજવું = સ્કંધો, ત્રણ તૃષ્ણા અને ઉત્પાદ, સ્થિતિ, અને નાશ એ વસ્તુના ત્રણ ગુણરૂપી ગાઢ જંગલથી સ્થાયીપણે દૂર થયેલી સ્થિતિ. ૩૫૩ (ઘ) વાન = વણવું + નિર્ = નહિ જેની અંદર ક્લેશમય કર્મોના તાંતણાનો આત્યંતિક અભાવ છે અને જેની અંદર જન્મ અને મરણનું વણવાનું થતું નથી એવી સ્થિતિ. એવી સ્થિતિ કે જે ક્લેશમય [આર્ય કાત્યાયનીપુત્રરચિત ‘જ્ઞાનપ્રસ્થાન શાસ્ત્ર' ઉપરની મોટી ટીકા ‘મહાવિભાષા’ નામે જાણીતી છે. નિર્વાણની બે બાજુ — (ક) નિષેધાત્મક રીતિએ જોતાં નિર્વાણ એ રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ પ્રકારની અગ્નિનું ઓલવાયું છે; અર્થાત્ સ્વાર્થના સર્વ વિચારોનો તદ્દન નાશ, દુઃખનું પૂર્ણ નિવારણ અને જન્મમરણના ચક્રમાંથી તદ્દન મુક્તિ નિર્વાણ સૂચવે છે. (ખ) પ્રતિપાદક રીતિએ જોતાં – નિર્વાણ શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ગુણોના આચરણમાં રહેલ છે. આ રીતે નિર્વાણનું સ્વરૂપ મિલિંદના પ્રશ્નના ઉત્તરમાં નાગસેને બહુ સુંદર રીતે કહેલ છે. તેને ટૂંકમાં જોઈએ તો : “જોકે નિર્વાણને કોઈ ઉપમા આપી સમજાવી શકાય તેમ નથી, છતાં અમુક અમુક દૃષ્ટાંત આપી સ્થૂલ રીતે સમજાવતાં તેનામાં કમલનો એક ગુણ, જલના બે ગુણ, ઔષધના ત્રણ ગુણ, સમુદ્રના ચાર ગુણ, અન્નના પાંચ ગુણ, આકાશના દશ ગુણ, કલ્પરત્નના ત્રણ ગુણ, રક્તચંદનના ત્રણ ગુણ, ઘીના ત્રણ ગુણ અને ગિરિશિખરના Page #383 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પાંચ ગુણ રહેલ છે. જેમ કમલ પાણીથી નિર્લેપ રહે છે તેવી રીતે નિર્વાણ ક્લેરથ નિર્લેપ છે. એક તો જલ ઠંડું હોય છે અને તાપને નિવારે છે તેમ નિર્વાણ શાંત છે અને ક્લેશને નિવારે છે, વળી જલ તૃષા છિપાવે છે. તેમ નિવૉણ વિષયરક્તની અને પુનર્જન્મની તૃષા અને તદ્દન નાશની તૃષા છિપાવે છે. જેમ ઔષધ વિષે ચડેલા પુરુષનું શરણ છે, વ્યાધિને નિવારે છે અને અમૃત સમાન છે તેવી રીતે નિવાસ ક્લેશરૂપી વિષ જેને ચડેલ હોય છે તેનું શરણ છે, દુઃખને નિવારે છે અને અમૃત સમાન છે. જેમ સમુદ્ર મડદાંથી રહિત છે, વિશાલ અને અમર્યાદિત છે અને સ નદીઓનાં પાણીથી છલકાતો નથી, અને વિશાલ પ્રાણીઓનું સ્થાન છે તેવી રીતે નિવૉર ક્લેશરૂપી મડદાંથી રહિત છે, વિશાલ અમર્યાદિત છે અને તેમાં પ્રવેશ કરી પ્રાણીઓથી સંપૂર્ણ થઈ જતો નથી, અને મહાન્ આત્માઓનું - અહંતોનું સ્થાન છે. અન્ન જેમ દરેકનું જીવન ટકાવે છે, સર્વ પ્રાણીનું બલ વધારે છે, કાંતિ આપે છે, દુઃખને નિવારે છે, અને ભૂખથી થતી નિર્બળતાને વિદારે છે, તેવી રીતે નિર્વાણ જા અને મરણનો નાશ કરી જીવનને ટકાવે છે, સર્વ પ્રાણીની ઇદ્ધિની શક્તિ વધારે છે. પવિત્રતારૂપી કાંતિ આપે છે, દરેક ક્લેશથી ઉત્પન્ન થતું દુઃખ વિદારે છે અને ભૂખ તેમજ સર્વ પ્રકારના દુઃખથી નીપજતી નિર્બળતાને દૂર કરે છે. આકાશ જન્મતું નથી, વૃદ્ધ થતું નથી, મરતું નથી, પુનઃ જન્મતું નથી, દબાતું નથી, ચોથી લૂંટાતું નથી. આધારનો ખપ રાખતું નથી, પક્ષીઓને ઊડવાનું ક્ષેત્ર છે, અવ્યાબાધ છે અને અનંત છે તેવી રીતે નિર્વાણ જન્મતું નથી, વૃદ્ધ થતું નથી, મરતું નથી, તેને પુનર્જન્મ નોર અજેય છે, ચોર તેને લૂંટી શકતા નથી, કોઈ પણ આધાર નથી રાખતું અને તે અનં છે. કલ્પરત્ન જેમ દરેક ઇચ્છાને તૃપ્ત કરે છે, આનંદ આપે છે અને પ્રકાશથી સ હોય છે તે રીતે નિર્વાણ દરેક ઇચ્છાને તૃપ્ત કરે છે, આનંદ આપે છે અને પ્રકાર પૂર્ણ હોય છે. રક્તચંદન જેમ દુર્લભ છે, સુગંધમાં તેનાં જેવું કોઈ નથી, રાવે લોકોથી વખણાયેલું છે તે પ્રમાણે નિર્વાણ છે. ઘી રંગે સુંદર, વાસમાં સારું, અને મધુર રસવાળું છે તેમ નિર્વાણ સદાચારે સુંદર, સારું અને મધુર મીઠાશવાળું છે. શિખરની પર નિર્વાણ ઉત્ત, અચલ, અને દુઃપ્રાપ્ય છે, અને ગિરિશિખર પર જેમ રો ઊગતાં ન્ય તેમ નિર્વાણમાં ક્લેશ ઉદ્ભવતા નથી અને શિખર જેમ ખુશ કે નાખુશ કરવાનું ઇચ્છાથી મુક્ત છે તેમ નિર્વાણ છે.” ૩૫૪ નિર્વાણ સંબંધે કૃત્રિમ ભેદ મહાયાનમાં નિર્વાણના ચાર ગુણ માનવામાં આવ્યા છે નિત્યતા, આ સ્વતંત્રતા અને પવિત્રતા.’ જ્યારે હીનયાનમાં તેનાથી ઊલટા ગુણો છે એમ કેટલાક માનવું છે, પંરતુ ઉપર મિલિંદના પ્રશ્નો કે જે હીનયાનનો એક સંમત ગ્રંથ છે તેનાં ત જ ગુણો મળી આવ્યા છે. છતાં કહેવું જોઈએ કે જેમજેમ વખત વીતતો ગયો તેમ તેમ નિર્વાણ સંબંધેના વિચારમાં ફેર પડતો ગયો છે. હીનયાનવાળા એટલી હદે પર આવી ગયા છે કે નિષ્ફલ અપ્રવૃત્તિ એ નિર્વાણ છે અને તેથી માની વર્તમાન કાલમાં હીનયાનવાળા એવી કલ્પના કરે છે કે પ્રવૃત્તિની સાથે શાંતિ હોય નહિ કે જે લ Page #384 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો ૩૫૫ કલ્પના બુદ્ધના પોતાના ચરિત્ર પરથી નિર્મૂળ કરે છે, કારણ કે તેમણે અતિશય પ્રવૃત્તિમય જીવન ગાળવા સાથે શાંતિ રાખી છે. આમ થવાથી, લંકા, બ્રહ્મદેશ અને સિયામના બૌદ્ધ સાધુઓ પોતાના મહાનું બુદ્ધના ચરિત્ર પ્રમાણે પરમાર્થ જીવન રાખવા અને બીજાનું જીવન ઉન્નત કરવાને બદલે જાદુ આદિ મલિન વિદ્યા ચલાવે છે, ભવિષ્યવાદ કહે છે અને તે પર પૈસા મેળવી પોતાનું ગુજરાન કરે છે. લગ્નની કે જન્મની વખતે જુદીજુદી ક્રિયાઓ કરી અમુક શબ્દો બોલી દ્રવ્ય લે છે. સિંહાલીઝમાં સૂત્રના મંત્રો બોલી લોકોને મોક્ષ આપતા હોય નહિ તેમ કહે છે, જયારે પોતે તે સત્ર સમજતા નથી. આમ બોલવા કરતાં એક ગ્રામોફોનની ચૂડી પર તે સૂત્રવાક્યો ચડાવી તેમાંથી બોલાવતા હોય તો પછી આ બધું બોલવાની માથાકૂટ મટી જાય તેમ છે એમ એક વિદ્વાનું કહેવું છે. આવું લંકા, બ્રહ્મદેશ આદિમાં હીનયાનવાળા સાધુઓ નિવાંણનો જુદો – વિર ખ્યાલ કરી કહે છે તે છતાં તેને માટે હીનયાનને દોષ આવવાનો નથી. તેમાં નિવણ સ્વરૂપ આત્યંતિક નાશ છે એમ કદી નથી એવું સ્પષ્ટ જણાવેલ છે. આ નિર્વાણનો ખરો અર્થ – નિર્વાણ અને સંસાર એક જ છે એવો નાગાર્જુનનો મત આગળ કહેવામાં આવેલ છે. વસ્તુતઃ સંસાર નિર્વાણની સાથે જે સંબંધ રાખે છે તે મોજું પાણીની સાથે જે સંબંધ રાખે છે તેના જેવો છે. બૌદ્ધ તત્ત્વજ્ઞાનની પરિભાષામા નિવણનો ખરો અર્થ તેના લંકાવતાર સૂત્રમાં સારી રીતે દર્શાવેલો છે : ૧. પ્રાચીન પુસ્તક નામે લંકાવતાર સૂત્રમાં કહેલ છે કે तत्र केचित्तावन्महामते तीर्थकराः - स्कंधधात्वायतननिरोधाद्रियय वैराग्यन्त्रिलं वैधर्म्यदर्शनाच्चित्तचैत्तकलापो न प्रवर्तते. अतीतानागत प्रत्युत्पन्न विषयाननुस्मरणात दीपवीजानलवदपादानो परमादप्रवृत्तिर्विकल्पस्येति' वर्णयति । अतस्तेषां निर्वाणबुद्धिर्भवति, न च महामते विनाश दृष्ट्या निवार्यते ।।। કેટલાક તીર્થકર-મતવાળા કહે છે કે સ્કંધ, ધાતુ, અને વતનના નિરોદ - ધી વે પય પર વૈરાગ્ય આવવાથી, પદાર્થોમાં રહેતા વૈધમ્મ ઉપર ધ્યાન રાખવાથી વિચાર અને વિચારની અમૂલ દૂર થાય છે –- પ્રવતતો નથી; ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિષયોને આ એ ન થવાથી જેમ દીપ બુઝાઈ જાય છે, બીજ નાશ પામે છે અને અને લવાઈ જાય છે તેમ ઉપાદ , અટકતાં વિકલ્પ પ્રવૃત્તિ થતી નથી. આ નિવો સંબંધેનો ખ્યાલ તેમનો છે, પરંતુ છે. મહામતે ! વિનાશદષ્ટિથી એટલે સર્વનો વિનાશ થવા પછી ઉત્પન્ન થતું નિવારણ – એ ખ્યાલ સત્ય નથી ! ૨. આ જ વાત નાગાર્જુન બીજી રીતે કહે છે. य आजवंजवीभाव उपादाय प्रतीत्व वा सोऽप्रतीत्यानुपादाय निर्वाणमुपदिश्यते ।। - પાધ્યમિક શાસ્ત્ર [‘આ જ વાત માધ્યમિકકારિકામાં નાગાર્જુને અન્ય રીતે કરી છે. अग्रहीणसम्प्राप्तमनुच्छिन्नमशाश्वतम् । अनिरुद्धमनुत्पन्नमेतन्निर्वाणमुच्यते ।। - જે કારણ અને કાર્યની પરંપરાની અસર નીચે “સંસાર' છે તે કારણકાની સત્તાની મુક્ત થયે નિવાણ છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જ્યારે મન માયાસમાધિથી લઈને બધી સમાધિ કે જે તથાગતની દશાને ધીમે ધીમે પ્રાપ્ત કરાવે છે તેમાં નીચે જણાવેલ પૂર્વસ્થિતિ લાવ્યા પછી લીન થયેલ હોય છે ત્યારે વિજ્ઞાનની વ્યાવૃત્તિ થતાં નિર્વાણ પ્રાપ્ત થાય છે. તે પૂર્વસ્થિતિ આ પ્રમાણે છે : (૧) બાહ્ય ભાવોના અભાવને સ્વચિત્તની કૃતિમાત્ર છે એવી પ્રતીતિ. (૨) ચતુષ્કોટિક – એટલે (છે, નથી, છે ને નથી, અને છે પણ નહિ અને નથી પણ નહિ) એ ચાર કોટવાળું ‘તથાત્વ’ છે એવી પ્રતીતિ – યથાભૂતાવસ્થાનદર્શન. (૩) દૃશ્ય વસ્તુનો વિચાર અને ચિત્તનો વિકલ્પ ને ગ્રાહ્ય અને ગ્રાહકની ઉપલબ્ધિ જેનાથી થતી નથી એવા (‘છે’ અને ‘નથી’) એ બે કલ્પનાના છેડાનો ત્યાગ. (૪) સર્વ પ્રમાણનું ગ્રહણ અશક્ય છે – કોઈ પણ પ્રમાણ પ્રમાણરૂપે નથી એનું દર્શન – એવો સાક્ષાત્કાર. ૩૫૬ (૫) તત્ત્વને અતત્ત્વ સમાન વ્યામોહરૂપ ગણી તેનું અગ્રહણ. (૬) આર્ય ધર્મને સર્વ પ્રમાણના આત્મારૂપ ગણવાની પ્રતીતિ. (૭) બે પ્રકારના નૈરાત્મ્યનો અવબોધ. (૮) બે પ્રકારના ક્લેશ (ભાવનાહેય ક્લેશ અને દર્શનહેય ક્લેશ) અને બે પ્રકારનાં આવરણનો ત્યાગ. [બે આવરણ તે ક્લેશાવરણ અને જ્ઞેયાવરણ...] આ રીતે બૌદ્ધના નિર્વાણનું સ્વરૂપ છે. ૧. આનું મૂળ જે છે તે આ છે અને તેનો અર્થ કરવો બહુ મુશ્કેલ છે ઃ अन्ये पुनर्महामते वर्णयन्ति सर्वज्ञ सिंहनादनादिनो यथा स्वचित्त दृश्यमात्राववोधात् बाह्यभावाभावेनाभिनिवेशाच्चातुष्कोटिक-रहित यथाभूतावस्थानदर्शनात् स्वचित्त दृश्य विकल्पस्यान्तद्वय पतनतया, ग्राह्यग्राहकानुपलब्धैः सर्वप्रमाणाग्रहणा प्रवृत्ति दर्शनात्तत्त्वस्य व्यामोहत्त्वादग्रहणन्तत्त्वस्य तद्व्युदासात् सर्व प्रमाणस्व प्रत्यात्मार्यधर्माधिगमान्नैरास्य द्वयाववोधात् कलेश द्वयावरणद्वय विशुद्धत्वात् भूम्युत्तरोत्तर तथागतभूमिमायादि विश्वसमाधि चित्तमेनो विज्ञान व्यावृत्ते निर्वाणं कल्पयन्ति || Page #386 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૪ : પ્રકીર્ણ બૌદ્ધ ધર્મમાં સ્ત્રીની પદવી શ્રી, ગૌતમ બુદ્ધના સમયમાં ઉચ્ચ જ્ઞાતિની અનેક સ્ત્રીઓ ગૃહનો ત્યાગ પુરુષોની પેટે કરી સંઘમાં જોડાવા ઉત્સુક બની. પ્રથમ તે સિદ્ધાર્થની માશી અને પોષક માતા નામે પ્રજાપતિ ગૌતમીએ તે સર્વ સ્ત્રીઓની વતી બુદ્ધ પાસે જઈ સંઘમાં દાખલ કરવા વિનતિ કરી અને બુદ્ધિ સંમતિ આપી; અને બીજાઓ તેમ કરવા માટે પોતાના ધર્મને ન વગોવે તે માટે તેમને ગૃહસ્થ સ્ત્રીઓનો જે પહેરવેશ હતો તે એટલે શ્વેત અંગવસ્ત્ર વેશમાં રાખી પવિત્ર સણી બ્રહ્મચારિણી તરીકે જીવન ગાળવાને ગૌતમીને કહ્યું. આટલો નાનો હક્ક ગૌતમીને પસંદ ન પડ્યો. તેથી તેણે બધી સ્ત્રીઓની સલાહ લઈ સ્વયમેવ દીક્ષિત થઈ પછી બુદ્ધ પાસે શિષ્યાઓ તરીકે જવાનું ઠરાવ્યું. મસ્તકના કેશ કાપી નાખ્યા, યોગ્ય અંગવસ્ત્ર પહેર્યું અને ભિક્ષાપાત્ર લઈ બુદ્ધને ચરણે આવ્યાં. આનંદ (બુદ્ધનો સહચારી શિષ્ય) સહર્ષ તેમની વિનતિ ગુરુશ્રીને નિવેદિત કરી તેમનો પક્ષ લીધો. બુદ્ધે તેમને સંઘમાં લેતી વખતે એવા શબ્દો કાઢ્યા કે “શું બુદ્ધ પુરુષોના કલ્યાણ માટે જ જન્મે છે ? વિશાખા અને બીજી સ્ત્રીઓને સતુ માર્ગ પ્રાપ્ત નથી થયો ? દીક્ષા પુરષ તેમજ સ્ત્રી સર્વને માટે છે. આ રીતે બુદ્ધ સ્ત્રીઓને સ્વતંત્ર સ્થાન અને તે વળી પુરુષોની સમાનકક્ષાએ આપ્યું. ભારતની આ વખતની સામાજિક નૈતિક અવસ્થા ભ્રષ્ટ થઈ હતી. વિષયવાસનાનું પ્રાબલ્ય હતું. કામાચારને ઉત્તેજક હોમહવનાદિ કરવામાં આવતા હતા, એ વાત બૌદ્ધ ધર્મમાં દીક્ષિત થયેલી પ્રાચીન સ્ત્રીઓ (સ્થવિરા)એ રચેલ ‘થેરીગાથા' નામના પુસ્તકમાંથી મળી આવે છે. આથી ભિક્ષુઓએ સ્ત્રીઓ પ્રત્યે, અને ભિક્ષુણીઓએ પુરુષો પ્રત્યે કેવી રીતે વર્તન રાખવું જોઈએ તે માટે કઠિન નિયમો યોજવામાં આવ્યા હતા, પરંતુ બુદ્ધના ઉપદેશમાં સ્ત્રીપુરુષ વચ્ચે અંતર રાખવામાં આવેલ હતું એવું કશું પણ નથી. મૌલાયન અને સારિપુત્ર પ્રત્યે જેવું માન, તેવું જ ઉચ્ચ માન બિખ્રિસાર રાજાની પાણી ખેમાં અને ધમ્મદિન કે જે ભિક્ષુણીઓમાં અગ્રેસર હતી તેઓ પ્રત્યે બુદ્ધનું હતું. પુરુષમાં એટલો બધો વિશ્વાસ હોય કે સ્ત્રીમાં રહેલું કોઈપણ તત્ત્વ તેને લલચાવી શકે તેમ નથી કે તેની તૃષ્ણા ઉત્પન્ન કરી શકે તેમ નથી, તો પછી તે પોતે ઉપાસક હોય કે દીક્ષિત – ભિક્ષુ હોય તો પણ સ્ત્રીઓમાં સ્વતંત્રતાથી ભળવા માટે તેને વાંધો નથી. બોધિ પ્રાપ્ત કર્યા પછી બુદ્ધ જ્યારે પિતા શુદ્ધોદનના રાજ્યમહેલમાં ગયા ત્યારે તેની સ્ત્રી યશોધરાએ તેમને મળવા બહાર આવવી ના પાડી ત્યારે તે પોતે જ તેણીની પાસે ગયા હતા. તે વખતે તેમણે સારિપુત્ર અને મૌર્શલાયન કે જે શિષ્યો પોતાની સાથે હતા તેને કહ્યું હું મુક્ત છું, રાજકુલ પત્ની હજુ સુધી મુક્ત નથી. મારાં દર્શન તેણીએ લાંબા સમયથી કર્યા નથી તેથી તેણી અત્યંત શોકાપન્ન છે. તેણીના શોકને ગતિ નહિ મળે તો તેણીનું હૃદય ચિરાશે. જો તેણી તથાગતનો (પોતાનો) સ્પર્શ કરે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તો તમે તેને તેમ કરતાં અટકાવતા નહિ.” પુરૂષને ઘણી વખત સ્ત્રી અસત્કાર્યો કરવા. લલચાવે છે તે માટે બુદ્ધ સ્ત્રીને ધિક્કારી નથી, પરંતુ તેણીની અપ્રત્યક્ષ અસરથી કદાચ તેઓ ફસાઈ જાય તે માટે નિર્બળ બુદ્ધિના પુરુષોને ફક્ત તેમણે ચેતવણી આપી છે. વ્યવહારમાં સ્ત્રીઓને ઊતરતી ગણી છે કારણકે કુદરતથી ઘણી સ્ત્રીઓમાં ઓછું ડહાપણ, મિથ્યાભિમાન હોય છે અને નિવણની ઉત્તમ શ્રેણીએ ચડવા માટે જે ભગીરથ પ્રયત્ન, ત્યાગ અને વૈરાગ્ય આવશ્યક છે તે તેઓમાં પૂરતા નથી હોતા તેથી જ બૌદ્ધ કહે છે કે નિર્વાણને મા ચડાવનાર આર્યમાર્ગમાં પ્રવેશ પામવા માટે ઘણી સ્ત્રીઓને પરષભવમાં જન્મ લેવો જોઈએ, પરંતુ ધર્મ પોતે પુરુષ અને સ્ત્રીને સમાન રીતે તે કાર્ય માટે અધિકારી ગણે છે. બૌદ્ધ ધર્મ અને ઉગ્ર તપશ્ચર્યા પ્રાચીન ભારતમાં વૈદિક ધર્મમાં યજ્ઞવિધિને ઉચ્ચ સ્થાન હતું. પ્રારંભમાં મનુષ્યો જે દેવતાઓથી ભર્યો પામતા તેના કોપને શમાવવા માટે યજ્ઞો કરતા; પછીથી યજ્ઞથી મનુષ્ય દેવતા સાથે વ્યવહાર રાખી શકે છે એવું માનવામાં આવ્યું. આકાશમાં અને પૃથ્વી પર - બંને સ્થળે અગ્નિ છે તેથી અગ્નિદેવતા કે જે દરેક યજ્ઞમાં પ્રજવલિત કરવામાં આવે છે તેને માણસો અને દેવતાઓ વચ્ચે મધ્યમ દૂત તરીકે અને દેવતાઓ પાસે હવિષ્ય લઈ જનાર તરીકે ગણવામાં આવ્યો. દરેક વૈદિક મંત્રમાં ‘ તે” – હું આપું છું કારણ કે તું આપે. - એવો લગભગ ભાવાર્થ રહેલો છે. યજ્ઞક્રિયામાંથી આવી રીતે જુદી જુદી યજ્ઞવિધિઓ અને જુદાજુદા યજ્ઞ નીકળ્યા. તેને ગૂંથનાર ખાસ વર્ગ નામે બ્રાહ્મણો થયા. એક પ્રસિદ્ધ શ્લોક છે કે : देवाधीनं जगत्सर्वं मंत्राधीनं तदैवतम् । तन्मत्रा द्राह्मणाधीनां वाह्मणा मामदेवताः ।। સર્વ જગતુ દેવતને અધીન છે. તે દેવતા મંત્રોને અપાન છે, તે મનો બ્રાહ્મણોને અધીન છે અને તેથી બ્રાહ્મણો એ મારા દેવતા છે. આમ બ્રાહ્મણો યજ્ઞ કરનારા, યજ્ઞધિ કરાવનારા, મંત્રો બોલનારા, અતિ દેનાર વગેરે યજ્ઞશાસ્ત્રમાં પારંગત અને સત્તાધીશ થયા. ત્યારપછી તપનો પ્રભાવ વધ્યો. હિંદુ ધાસ્ત્રોમાં તપથી અનેક શક્તિઓ પ્રતિ થા. છે તે સંબંધી અનેક કથાઓ છે. તેથી રાવ. દેવ કે રાસથી પર ભૂત થાય છે. તેવો શક્તિમાન થયું. નહાપે તપથી ત્રણ -કનું રા "જય મેળવ્યું. વિશ્વામિત્ર તે પછી ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ, ફાતિમાં એવું શક્યા, અને માતંગ ચાંડાલનું પણ તેમ છે. આવી રીતે તપશ્ચર્યાનું ! પ્રાચીન ભારતમાં જબરું હતું. બ્રાહ્મણ ધર્મ સિવા. ર વખતે જે ધર્મ પણ વિદ્યમાન હતો, તેમાં પણ તપશ્ચય પર સારી રીતે ભાર મુકાયે : તપન વ્યાખ્યામાં દેહદમન ઉપરાંત ધ્યાન, દિયમ. વેનન્ય આદિ અનેક નું પ ર ા .થો હતો. આ સિવાય પંચાઈન ધોવું તાપ સહન કરનાર, વૃક્ષ સાથે. બધી લટકનાર વગેરે અનેક જાત ના તાપને Page #388 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાવાદ - પુરુષાર્થ – ઉદ્યમ / સ્વદેશપ્રેમ ૩૫૯ ધન હતા. વી જીતની, તપશ્ચર્યા કરવાથી સાધ્યમાર્ગ મળે છે તેવું બુદ્ધને પણ લા પ.વાથી ગૃહત્યાગ કરી વનમાં જઈ ઉગ્ર દેહદમન કરવા માંડ્યું. ભૂતૃપા સહન કરી નગ્નાવસ્થામાં તેમજ દેહદમનની અનેક ક્રિયા ઉરૂવિત્વના જંગલમાં કરી. આથી તેમનું શરીર ઘણું ક્ષીણ અને કુરા થયું. તેમની આ તપશ્ચર્યા જોઈ ટોળાબંધ લોકો તેમનાં દાન કરવા આવ્યા. પછી તેમણે ઉપવાસ કરતાં એક વખત મૂર્છા આવી ગઈ; તે ઊતર્યા પછી તેમને લાગ્યું કે માત્ર ભૂખ સહવાથી કે થાક વેઠવાથી કંઈપણ પ્રકાશ પમાય તેમ નથી. તેથી તેમને એમ થયું કે એનબાજીમાં રહી ખૂબ વિલાસ ઉડાવવામાં માર્ગ મળવાનો નથી, તેમ ખૂબ તપશ્ચર્યા કરવાથી તેની પ્રાપ્તિ થવાની નથી, માટે એ બે અંતિમ માર્ગથી વચલો રસ્તો ગ્રહણ કરવી એ જ ઇષ્ટ છે. આ જ માર્ગ પછી બુદ્ધ પોતાન.. જીવનપર્યત ઉપદેશ્યો. ધર્મ તપશ્ચર્યાને સ્વીકારતો નથી એટલું નહિ પરંતુ મોજશોખને પણ ધિક્કારે છે. ધર્મનો હેતુ પ્રરા અને શાંતિ છે, પરંતુ ભૌતિક આનંદ નથી. ક્રિયાવાદ – પુરુષાર્થ – ઉદ્યમ કેટલાક બૌદ્ધ ધર્મ ઉપર એવો આક્ષેપ કરે છે કે તે ધર્મ અક્રિયાવાદી છે એટલે ઉદામ શીખવતો નથી. અને માત્ર જડવતું રહેવું એ જ પસંદ કરે છે. આ આક્ષેપ યોગ્ય નથી. કોઈ બૌદ્ધ ભિાઓ ગુપ્તા અને પ્રમાદી જિંદગી ગાળે તેથી આખા ધર્મને તેવદગી ગાળવાનું શીખવનાર તરીકે વગોવવો એ યુતિરહિત છે. એવા તો દરેક એમાં મળે છે. આના ટાર્થ તરીકે બધે જે શબ્દો સિંહ નામના સેનાપતિને કહ્યા હતાં તે જાણવા જેવા છે. તે આ પ્રમાણે છે કે હું અક્રિયાનો ઉપ દેવા ફરું છું તે જે છે. અમય કયો છે તેની મન, વચન અને કાયાએ કરી અક્રિયાનો ઉપદેશ કરું છું, અને તે છે મન, વચન અને કાયથી પશ્ચિમ કાર્યો કરવાનો ઉપદેશ કરું છું.” - , ન્યૂ ? કે ના મેન: બૌદ્ધગ્રંથમાં બુકને એમ કહેતાં જણાવેલ છે કે “ઓ, ભિઓ ! - - કૃત્યોથી મધ ને પામો. સકાય કે સુખ, ઇસ્ટ અને પ્રિય વસ્તુઓ છે.” સ્વદેશપ્રેમ કેટલ! ટીકાકારી એમ જાવે છે કે વિદેશ માં જે સર આવશ્યક છે. તે - - ન. ધમાં પ્રસારવી બુદ્ધ કંઈ કર્યું નથી. આના ઉત્તરમાં જણાંવ નું કે તે બુદ્ધના ઉપર નું અજ્ઞાન સૂચવે છે. મગધ દેશની પડોશમાં રહેતી વજ નામ ની મહાનું જાતિ . મધ ના રાજા અજાતશત્ર ! કરવાની યોજના કરી અને તે બાબતની !! " - પવા બુધ પ્રતિ પોતાના મુખ્ય પ્રધાન મોકલ્યો હતો. આ સંદેશો મળતાં બુદ્ધ પહેલાં પોતાના શિષ્ય આનંદને પૂછી જોયું કે વછે સંપૂર્ણ રીતે થાય છે એકઠા મળી - જ - માટે વિચાર કરે છે ? આનંદે હા કહી એટલે બુદ્ધે 1 છે કે જ્યાં સુધી વ, પિતા ની આવી પૂણે અને વારંવાર મળતી સભાથી કામ .. મેં સુધી તેઓ ની 1 tી થવાની આશા નથી. ઊલટું તેની પ્રગતિ થશે. જયાં સુધી તેની સંપથી મળે છે, જય રાધી તેઓ માન્ય વૃદ્ધોને માન આપે છેસ્ત્રીઓનું યોગ્ય સ્થાને સ્વીકારે છે, Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નીતિમય રહી પોતપોતાના યોગ્ય ધમાં બજાવે છે, પવિત્ર સંતોને યોગ્ય રક્ષણ અને આશ્રય આપે છે, ત્યાં સુધી વજીનો પરાભવ થવાની આશા ન રાખી શકાય, પણ, તેઓની ચડતી જ સંભવે. પછી તેમણે સંદેશવાહક પ્રધાનને જણાવ્યું કે “જ્યારે હું વૈશાલી ( વજી જાતની રાજ્યધાની)માં હતો ત્યારે તેઓને તેમના કલ્યાણના ઉપરોક્ત માર્ગે મેં ઉપદેશ્યા હતા અને જ્યાં સુધી તેમને આ ઉપદેશ મળ્યો છે અને સન્માર્ગને તેઓ વળગી રહેશે અને નીતિમય જીવન ગાળશે ત્યાં સુધી તેમનો જય છે. તે પ્રધાન ચાલ્યો ગયો. ત્યાર પછી ભિક્ષુઓને પણ એકઠા કરી તેવા જ પ્રકારનો બોધ આપ્યો કે “ભિક્ષુઓ ! જ્યાં સુધી સંઘનાં માણસો હમેશ એકત્રિત થઈ સંપથી કામ લેશે અને સંપથી સંઘનાં કાર્યો કરશે, જ્યાં સુધી તેઓ સતું વસ્તુનો ત્યાગ નહિ કરે, અને દરેક બાબત તેની કસોટી લઈ સ્વીકારશે, જયાં સુધી તેમાં વૃદ્ધ છે તે ન્યાયથી વર્તશે, અને બીજા વૃદ્ધને માન આપી તેઓ પ્રત્યે પૂજ્યભાવ દાખવશે અને તેમનું કથન સાંભળશે, જ્યાં સુધી તૃણાને અધીન તેઓ નહિ થાય પરંતુ ધર્મભાવનામાં આનંદ પામશે કે જેથી સાધુ પુરુષો તેમને ત્યાં આવી શાંતિથી રહેશે, જ્યાં સુધી પ્રજ્ઞાવાનું રહી સત્યની શોધ કરશે ત્યાં સુધી સંઘની અવનતિ નહિ થશે, પરંતુ ઉન્નતિ જ થવાની. માટે ભિક્ષુઓ ! શ્રદ્ધાથી પૂર્ણ, હૃદયથી વિનયી, પાપથી ભીરુ, જિજ્ઞાસુ, શક્તિમાં બળવાનું, મનથી દઢ અને પ્રજ્ઞાવાન બનો.” ભિક્ષુઓનો સંયમ ઉપર કહ્યા પ્રમાણે બુદ્ધનો ઉપદેશ મોજમજાનો ત્યાગ, અને ઉગ્ર તપશ્ચર્યા પ્રત્યે અનાદર રાખવા પ્રત્યે છે અને મોજમજા અને તપશ્ચર્યા વચ્ચેનો માર્ગ ગ્રહવા કહે છે તેથી ભિક્ષુઓએ કેવું વર્તન રાખવું જોઈએ એ સમજી શકાય તેમ છે. તેમનો વૈરાગ્ય માત્ર જીવનના બંધનથી છૂટા થવામાં નથી પરંતુ અહંભાવ તદ્દન તજવામાં છે. મસ્તકના કેશ કાઢી નાંખવાથી, પત વસ્ત્ર પહેરવાથી ભિક્ષુતા પ્રાપ્ત થતી નથી પરંતુ ચિત્તને વિષયવાસના અને અહંકાર, હેપ ને લોભથી મુક્ત રાખવાથી પ્રાપ્ત થાય છે. ધમ્મપદ નામના એક બૌદ્ધ પવિત્ર ગ્રંથમાં કથેલ છે કે હસ્ત, પાદ, વાચાને જેણે સંયમમાં રાખ્યાં છે, સંયમીમાં સંયમી જે છે અને જે ભાવનાશીલ, શાંત, સંતોષી, એકાંતવાસી છે તે જ ખરો ભિક્ષુ છે.” છતાં ભિક્ષુ એ તાપસ નથી. તેનો ખોરાક અતિશય હોતો નથી, પણ પોતાને આરોગ્યમય અને બળવાનું રાખે તેટલો ખોરાક તે લે છે. તે પુષ્પમાળા, સુગંધી પદાર્થો, લેપ કે અલંકારનો ઉપયોગ ન કરે, પણ સ્વચ્છ અને સુંદર તો રહે. તેનાં પીતવસ્ત્રો સુંદર અને મનોહર ન હોય પણ સ્વસ્થતા આપે તેવાં હોવાં જોઈએ. તેને રહેવા માટે મહેલો નહિ પણ પવન ન લાગે તેવું છાપરું જોઈએ, તેને ઉચ્ચ યા વિશાલ અધ્યાપલંગ નહિ પણ સાદું બિછાનું તો જોઈએ. તે નૃત્ય, સંગીત કે નાટકમાંથી દૂર રહે, પણ તેથી સમાજના પરિચયથી મુક્ત ન થાય. એકાંતવાસ ગુજારે છતાં દરેક સ્ત્રીપુરુષ તેના સમાગમનો લાભ લઈ શકે કે જેઓ ધર્મચર્ચાથી તેમની પાસે શીખી શકે. તે ખોરાક માગીને ન લે, તેમજ પોતાને અમુક જોઈએ છે એમ બીજાને ન કહે, છતાં તે બીજો આપે ત્યારે જ લઈ શકે. આનું કારણ તેનો પ્રમાદ નથી, પરંતુ બૌદ્ધ Page #390 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ અને જ્ઞાતિ | હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ ૩૬૧ ધર્મનું એ જ શાસન છે – તેમાં એ નિયમ છે. તે સન્માર્ગ પ્રત્યે પ્રયાણ કરે છે તે સ્વર્ગસુખની ઇચ્છાથી નહિ પરંતુ દુઃખનો અંત લાવવાથી થતા આનંદને પ્રાપ્ત કરવા. તેનામાં જ્ઞાન કે પ્રજ્ઞા છે તેથી તે માનને લાયક છે એમ નહિ, પરંતુ તેનું જીવન સંતતુલ્ય અને પવિત્ર છે કે જે બીજાને દૃષ્ટાંતરૂપ થઈ પડે તેટલા માટે, તે પૂજ્ય છે. બૌદ્ધ ધર્મ અને જ્ઞાતિ એકદા આનંદ નામનો શિષ્ય એક કૂવા પાસે થઈને જતો હતો તે વખતે કૂવામાંથી એક ચંડાલની કન્યા પાણી ખેંચતી હતી. તેણી પાસેથી આનંદે પાણી પીવા માગ્યું ત્યારે તેણીએ કહ્યું કે “હું અસ્પૃશ્ય જ્ઞાતિની છું તો મારી પાસેથી પાણી લેશો તો તમે અભડાશો.” આના ઉત્તરમાં આનંદે કહ્યું “બહેન ! હું તારી જ્ઞાતિ પાસેથી નહિ પણ તારી પાસેથી પીવાનું પાણી માગું છું. આથી તે ચાંડાલ કન્યાએ હર્ષિત થઈ આનંદને જલ આપ્યું. આનંદ ઉપકાર માની ચાલતો થયો, પરંતુ તે કન્યાએ જાણ્યું કે તે ભગવાનનો શિષ્ય હતો તેથી જ્યાં બુદ્ધ હતા ત્યાં ગઈ અને તેણીના હૃદયની વાત જાણી બુદ્ધે તેણીને સંઘમાં – પોતાની શિષ્યા તરીકે સ્વીકારી. તેણીને ભિક્ષુણી તરીકે દાખલ કરવાથી શ્રાવસ્તી નગરીના રાજા પ્રસેનજિતુ અને બ્રાહ્મણો તથા ક્ષત્રિયો આને દૂષણ ગણી બુદ્ધને સમજાવવા આવ્યા, પરંતુ બુદ્ધ જ્ઞાતિભેદનો ભ્રમ એવું જણાવીને તોડી પાડ્યો કે રાખ અને સુવર્ણમાં ઘણો અંતર છે પરંતુ બ્રાહ્મણ અને ચંડાલમાં તેવો કંઈપણ ભેદ નથી. સૂકાં લાકડાંના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ કોઈ બ્રાહ્મણ ઉત્પન્ન થતો નથી, તેમ તે સ્વર્ગમાંથી ઊતરી કે પવનમાંથી આવીને અવતરતો નથી, તેમ પૃથ્વીને ફોડીને જન્મ પામતો નથી. જેવી રીતે એક ચાંડાલ પોતાની માતાના ઉદરમાંથી જન્મ પામે છે તેવી જ રીતે બ્રાહ્મણ સ્વમાતાના ઉદરમાંથી જન્મે છે. સર્વ મનુષ્યોને સરખાં અંગ અને ઉપાંગ છે. તેમાં કોઈપણ જાતની ભેદ નથી, તો પછી અમુક અમુક જાતનો અને બીજો બીજી જાતનો એવો ભેદ કેમ ગણી શકાય ? મનુષ્ય જાતની અસમાનતા હોવાની માન્યતા પ્રકૃતિથી – કુદરતથી વિરુદ્ધ છે. न जच्चा बसलो होति न जच्चा होति बाह्मणो । कम्मना वसलो होति कम्मना होति बाह्मणो ।। જાતિથી કોઈ વૃષલ – ચંડાલ હોતો નથી તેમ જાતિથી બ્રાહ્મણ થતો નથી. કર્મથી ચંડાલ થાય છે અને કર્મથી બ્રાહ્મણ થાય છે. હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ માનનારા જેટલા લોક છે તેટલા કોઈપણ ધર્મના માનનારા નથી. ચીન, જાપાન, કોરિયા, મંચૂરિયા, મોંગોલિયા, સૈબીરિયા, નેપાલ, સિંહલ (સીલોન) [શ્રીલંકા)ના અધિકાંશ લોક બૌદ્ધ છે. તિબેટ, ભૂતાન, સિકિમ, રામપુર, બુસાયરના સર્વલોક બૌદ્ધ છે. બ્રહ્મદેશ, સીઆમ, અને અનામમાં અર્ધા લોક બૌદ્ધ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધમત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એક સમયે તુર્કીસ્તાન, અફગાનિસ્તાન અને બલુચિસ્તાનમાં બૌદ્ધ ધર્મનો સાર રીતે પ્રસાર થયો હતો. ત્યાંથી બૌદ્ધ ધર્મ ઈરાન અને કાનના પશ્ચિમ ભાગમાં ફેલાયો હતો. રોમન કેથોલિક ખ્રિસ્તીઓના ઘણા આચાર વિચાર, પૂજાપદ્ધતિઓ બૌદ્ધોનાં જેવાં જ છે. તેના સેઇન્ટ બાર્લામ (Barlaam) અને જોસેફત્ (Josaplat એ બે મહાત્મા બૌદ્ધ અને બોધિસત્ત્વ શબ્દનાં કેવલ રૂપાન્તર છે. ૩૬૨ ભારતવર્ષીય હિન્દુઓના ધર્મ અને આચાર-વ્યવહારમાં બૌદ્ધ મત અને તેના ભાવ હજુપણ ગુપ્તપણે ચાલ્યા આવ્યા છે. બંગાલાના ધર્મઠાકુરને પૂજનાર બૌદ્ધ જ છે. વિઠોબા અને બિલ દેવતાઓના ભક્ત પોતાનો પરિચય બૌદ્ધ-વૈષ્ણવ કહીને આપે છે. બંગાળીઓના તંત્રશાસ્ત્રમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સિંહલદ્વીપમાં જે બૌદ્ધ ધર્મ પ્રચલિત છે તે કેટલીક ધર્મનીતિઓનો સમૂહમાત્ર છે. નેપાલના બૌદ્ધ ધર્મમાં દર્શનતત્ત્વોની અધિકતા છે, અને તે વિજ્ઞાનમૂલક છે. બ્રહ્મદેશમાં પૂજાપાઠોની અધિકતા છે. તિબેટના બૌદ્ધ કાલિપૂજા કરે છે, મંત્રતંત્ર બોલે છે, હોમ-જપ કરે છે અને મનુષ્યપૂજા કરે છે. ચીન દેશના બૌદ્ધ સર્વ જાતના જીવોની હિંસા કરે છે અને બધી જાતનાં માંસ ખાય છે. જાપાનના અને ચીનના બૌદ્ધ અનેક દેવ-દેવીઓની ઉપાસના કરે છે. બૌદ્ધ ધર્મ કોઈ સ્થલે પૂર્વપુરુષોની ઉપાસના સાથે, કોઈ સ્થલે ભૂતપ્રેતોની ઉપાસના સાથે, અને કોઈ જગાએ દેહતત્ત્વની ઉપાસના સાથે મિશ્રિત થઈ ગયો છે. કોઈ સ્થલે શુદ્ધ-બુદ્ધે ઉપદેશ્યા પ્રમાણે અને કોઈ સ્થલે નાગાર્જુનના ઉપદેશાનુસાર ચાલે છે. બુદ્ધદેવના ઉપદેશોનો પ્રચાર જ્યારે જે દેશમાં થયો, ત્યારે તે દેશની પ્રચલિત ભાષામાં તે લખાયેલો છે; અને તે એટલે સુધી કે ઇરાનની ભાષામાં અને રોમની ભાષામાં પણ લખાયેલા છે. ‘વિમલપ્રભા’ નામના એક પુસ્તકથી આ વાતની હમણાં પત્તો લાગ્યો છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં બૌદ્ધોનાં ઘણાં સંગીતો મળી આવ્યાં છે. બૌદ્ધ કેને કહેવો એ સંબંધે અનેક મુનિઓના અનેક મત છે. જો સંસારત્યાગ કરી મઠોમાં વાસ કરનારા સાધુને જ બૌદ્ધ કહેવામાં આવે તો પછી ગૃહસ્થ બૌદ્ધોને બૌદ્ધ કહી ન શકાય. જો પંચશીલ (હિંસા નિહ કરવી, જૂઠું નિહ બોલવું, ચોરી નિહ કરવી, દારૂ નહિ પીવો, વ્યભિચાર નહિ કરવો) ગ્રહણ કરનાર જ બૌદ્ધ કહેવાય તો પછી વ્યાધ, ધીવર (શિકારી, માછીમાર) આદિને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કરવાનો અધિકાર રહેતો નથી. નેપાલ અને તિબેટ આદિના બૌદ્ધોના મતથી આખી પૃથ્વીના લોક બૌદ્ધ છે. લંકાનિવાસી કેવલ પોતાનો જ ઉદ્ધાર છે એ પર નિશ્ચિત છે. નેપાલી અને તિબેટ કહે છે કે જે બોધિસત્ત્વ થશે તેને જગત્નો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લેવી જ પડશે. આ કારણથી નેપાલ અને તિબેટના બૌદ્ધ પોતાને મહાયાન' અને લંકાના બોદ્ધોને ‘હીનયાન’ સંપ્રદાયના કહેવડાવે છે. ‘યાન'નો અર્થ પંથ યા મત. યાન - માર્ગ અથવા વાહન બૌદ્ધોના પ્રધાન ગ્રંથનું નામ પ્રજ્ઞા પારમિતા છે અને તેનાં અનેક સંસ્કરણ થયાં છે. સેંકડો હજારો લોકો તેમાં છે. એનો પ્રધાન આદેશ એ છે કે ‘સર્વ જીવો પર કરુણા કરો.' બૌદ્ધોની કરુણા ઘણી ગંભીર છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ ૩૬૩ બૌદ્ધ લોક જાતિને માનતા નથી. આથી તેઓ એમ માને છે કે કોઈ જન્મથી દ્ધ હોતું નથી. શુભાકર ગુમના આદિકમંરચના' નામ ની બૌદ્ધ સ્મૃતિની પ્રમાણે જે બુધ, ધર્મ અને સંઘ એ ત્રણનું શરણ લે છે તે જ બૌદ્ધ છે. આદિમાં બૌદ્ધ ધર્મ સંન્યાસીઓનો ધર્મ હતો. જે સંન્યાસ લેવા ઇચ્છા ધરાવતો તેને એક સંન્યાસીને ગુરુ – મુરબ્બી તરીકે ગ્રહણ કરી સંન્યાસીઓના વિહારમાં જવું પડતું. બૌદ્ધ સંન્યાસીને ‘ભિ', સમૂહને સંઘ, ભિક્ષુઓના નિવાસસ્થાનને ‘સંઘારામ' અને અંધારામની મધ્યમાં આવેલા મંદિરને વિહાર” કહેવામાં આવતાં. શિષ્યને સ્થવિર (વૃદ્ધ ભિક્ષ) કંઈ : શ્ર કરે છે તે સમયે પાંચ ભિક્ષુ બીજા પણ પાસે ઊભા રહે છે. નામ, ઠામ શું છે, કોઈ કઠિન રોગ તો નથી થયો ? કોઈ વખતે જદંડ તો થયો નથી ? રાજકર્મચારી તો નથી ? ભિક્ષાપાત્ર છે કે નહિ ? ચીવર છે કે નહિ ? આવી જાતના તે પ્રશ્નો હોય છે. આ પૂછયા પછી સંઘને પૂછવામાં આવે છે કે “આપ કહો કે આ મનુષ્યને સંઘમાં દાખલ કરવો કે નહિ ?' આ ત્રણ વખત પૂછડ્યા પછી જો કોઈ વિરોધ લેતો નથી તો તેને ઉપાધ્યાયને સોંપવામાં આવતો અને તેની પાસે તે સંન્યાસી ધર્મનાં કર્તવ્ય શોખતો હતો. શીખી રહ્યા પછી તેમાં અને ઉપાધ્યાયમાં કોઈ જાતનો ભેદ રહેતો નહિ. બંનેના અધિકાર સંઘમાં સરખા થઈ જતા. મહાયાન સંપ્રદાયમાં બૌદ્ધ ઉપાધ્યાયને “કલ્યાણમિત્ર” કહે છે. આથી માલુમ પડે છે કે તેનો ગુરુશિષ્ય જેવો સંબંધ નથી; પરલોકની કલ્યાણ કામનામાં ગુરુ શિષ્યનો કેવલ મિત્ર છે. આ સંપ્રદાયના અનુયાયી દર્શનશાસ્ત્રની ઘણી ચર્ચા કરે છે. ધીમેધીમે જ્યારે એક મોટો સમૂહ ગૃહસ્થભિક્ષુ થઈ બેઠો ત્યારે દર્શનશાસ્ત્ર શીખવું અને યોગ ધ્યાન કરવું કઠિન પ વા લાગ્યું. તે સમયે “મંત્રયાન'ની ઉત્પત્તિ થઈ. એક મંત્રનો જાપ કરવાથી બધા ધર્મકર્મોનાં ફલ મળી શકે છે. આવો વિશ્વાસ વધતો ગયો અને તેની સાથે વારુશિષ્યનો સંબંધ બહુ દઢ થઈ ગયો, અને આગળ જતાં તેરો ગુરુભક્તિની – મૂરવાની મયાદા બાંધી. ભારતના એક સંપ્રદાયમાં હજુ પણ આ પ્રકારનો વિશ્વાસ પ્રચલિત છે કે શિષ્ય ગુરનો દાસ છે, તેની પાસે જે કંઈ છે તે સર્વ – પોતે તેમજ પોતાની સ્ત્રી કન્યા સુધ્ધાંત સર્વ ગુરુનું છે. આ મતનું મૂળ ‘મયાન છે. ‘વજયાન' સંપ્રદાયમાં ગુરની પ્રતિષ્ઠા તેથી પણ વિશેષ વધી ગઈ ને ગુરુ ઈશ્વર તુલ્ય બની ગયા. ‘સહજયાનમાં ગુના ઉપદેશ જ સર્વસ્વ છે. ગુરુના ઉપદેશથી જો મહાપાપ પણ કરવામાં આવે તો તેથી મહાપુણ્ય થાય છે. આ રીતે બૌદ્ધ ધર્મના પરિવર્તનની સાથેસાથે નું સંમાન પણ વધતું ચાલ્યું. ‘કાલચક્રયાનમાં ગુરુને અવલોકિતેશ્વરનો અવતાર માનવામાં આવે છે, ‘લામાયાન'માં તો સર્વ લામાઓ કોઈ ને કોઈ બોધિસત્વનો અવતાર હોય છે. ‘લામાયાન' આગળ જતાં દલાઈ લામાયાન'ના રૂપમાં પરિણમ્યો. તે અવલોકિતેશ્વરનો Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અવતાર છે; કદી પણ મરતો નથી; તેનું શરીર વચમાં વચમાં નવું નિર્મિત થાય છે. બૌદ્ધ ધર્મની આ વાતોએ હિંદુ ધર્મમાં પણ ન્યૂનાધિક્ય રૂપે સ્થાન લીધું છે.' ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણ (૧) જે મહાનુ રાજા અશોકનો બૌદ્ધ ધર્મને પ્રબલ આશ્રય હતો અને જેના આશ્રય વડે તેનો ઉદય પ્રકાશમાન થયો તેવા મૌર્યસામ્રાજ્યનો લોપ થવાનું કારણ ખાસ જાણવા યોગ્ય છે. (ક) અશોક જોકે સઇ ધમોને સમાન ગણતો હતો, અને તેના રાજત્વમાં સઘળા ધર્મ – મતો વાંધા વિનાના હતા; તથાપિ તેનાં કેટલાંક અનુશાસનો એથી વિરુદ્ધ ભાવના જણાય છે. “Early History of India’ નામના પુસ્તકના રચનાર પ્રસિદ્ધ વિદ્વાન્ વિન્સેટ સ્મિથ જણાવે છે કે અશોકે કેવળ પાટલિપુત્રમાં પશુવધ બંધ કર્યો હતો, પરંતુ તેના રાજ્યના બીજા અનેક પ્રદેશોમાં બલિદાનનો નિષેધ કરવામાં આવ્યો હતો, એમ તેનાં અનુશાસનો ઉપરથી સ્પષ્ટ જણાય છે. તે સમયના બ્રાહ્મણોમાં બલિદાનનો પ્રચાર ઘણો હતો અને તેથી જ અશોકે તેમના વિરુદ્ધ તેવી આજ્ઞા કરી હતી. બ્રાહ્મણોની પરાપૂર્વથી ચાલી આવેલી પ્રથાને એક શૂદ્રરાજા બંધ કરે, અને તે તેમને અસહનીય થઈ પડે એમાં આશ્ચર્ય નથી. (ખ) પ્રાચીનકાળથી ભારતવર્ષમાં ધર્મને લગતી સઘળી બાબતોમાં બ્રાહ્મણોનું એકાધિપત્ય હતું. જો કોઈ માણસ ધર્મ અથવા સમાજથી બહિર્મુખ થતો તો બ્રાહ્મણો તેને પ્રાયશ્ચિત્ત કરાવતા અને તેની પાસેથી બ્રાહ્મણ-ભોજન લીધા પછી જ તેના અપરાધીને ક્ષમા મળતી હતી, પરંતુ અશોકે ધર્મની વ્યવસ્થા કરનારી મંડળીઓ ઊભી કરી, બ્રાહ્મણોનો એ અધિકાર છીનવી લીધો. અને તે અપમાન બ્રાહ્મણો શાંત ભાવે સહન કરે તેવા ન હતા. (ગ) આ સિવાય બ્રાહ્મણોના ક્ષોભનું એક મોટું કારણ એ હતું કે અશોકે રાજત્વમાં, દંડસુમતામાં અને વ્યવહાસમતામાં પોતાની મરજી મુજબ ફેરફાર કર્યો હતો – એટલે તેણે દંડ અને ન્યાયના સંબંધમાં ઊંચ-નીચનો ભેદ તદ્દન કાઢી નાંખ્યો હતો. આ પહેલાં બ્રાહ્મણોનો અપરાધ ગમે તેવો મોટો હોય તે છતાં તેમને કોઈપણ પ્રકારનો શારીરિક દંડ અથવા ફાંસી દેવામાં આવતી ન હતી. તેમને માટે મોટામાં મોટો દંડ દેશનિકાલનો હતો અને સૌ કરતાં અપમાનકારક દંડ ‘શિખાછેદન'નો હતો. ન્યાયના દરેક કાર્યમાં તેમનું સંમાન જાળવવામાં આવતું હતું. તેમને સાક્ષી આપવી પડતી ન હતી, છતાં કોઈ બ્રાહ્મણ પોતાની ઇચ્છાથી સાક્ષી આપવા જતો, તો ન્યાયાધીશ કેવળ તેનું કહેલું લખી લેતો હતો અને ફરીથી તેને કંઈ પૂછી શકાતું ન હતું. આવી સ્થિતિમાં અનાર્યોની સાથે એકત્ર કારાવાસ ઈત્યાદિ દંડ ભોગવવાની કલ્પના જ બ્રાહ્મણોને અત્યંત દુઃસહ થાય એમાં આશ્ચર્ય જેવું નથી. ૧. મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી, એમ.એ.ના પ્રવાસીમાં આવેલા લેખ પરથી. [વિશેષ માટે જુઓ વૌદ્ધનીમાંસા (પૃ. ૩૧૧-૩૪૨), આચાર્ય બલદેવ ઉપાધ્યાય | (ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી), ૧૯૭૮.] Page #394 -------------------------------------------------------------------------- ________________ ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણ આ ત્રણ કારણોને લીધે બ્રાહ્મણો મનમાં ને મનમાં અસંતુષ્ટ રહેતા હતા અને મૂંગે મોઢે સહન કરતા હતા. અશોકના મૃત્યુ પછી બ્રાહ્મણોએ તેના વંશજો વિરુદ્ધ દલ બાંધ્યું. પોતે યુદ્ધ કરી શકે તેવા ન હતા તેથી કોઈ સહાયકની શોધમાં હતા. અને આખરે તેવો સહાયક મૌર્યસામ્રાજ્યનો સેનાપતિ પુષ્યમિત્ર મળ્યો. તે બ્રાહ્મણધર્મને માનતો હતો અને બૌદ્ધધર્મને ધિક્કારતો હતો. રાજ્ય પર આક્રમણ કરનાર ગ્રીકો પર ચડાઈ કરી તેમને યુદ્ધમાં હરાવી પુષ્યમિત્ર પાટલિપુત્રમાં પાછો ફર્યો ત્યારે મૌર્યવંશનો છેલ્લો રાજા અને અશોકનો વંશજ (બૃહદ્રથ - બૃહદશ્વ) તેને વિજયમાળ પહેરાવવા ખાસ મંડપમાં આવેલ હતો તેને કોઈએ મારેલ તીરથી મારી નાંખવામાં આવ્યો. આવી રીતે મૌર્યસામ્રાજ્યનો નાશ થયો અને તેની સાથે બૌદ્ધ ધર્મની પડતી થઈ. પુષ્યમિત્રે આધિપત્ય મેળવ્યું (ઈ.સ. પૂર્વે ૧૮૪) તેમની પાસે બ્રાહ્મણોએ પાટિલપુત્રમાં જ અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો. આ વિપ્લવમાં સ્પષ્ટ રીતે બ્રાહ્મણોનો હાથ જોવામાં આવે છે, અને આથી તે સમયે બ્રાહ્મણો કેટલી શક્તિ ધરાવતા હતા તેનો આપણને ભાસ થાય છે. કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં પુષ્યમિત્રને બૌદ્ધ નિપીડક' કહેવામાં આવ્યો છે, અને તેથી તે સંપૂર્ણ બ્રાહ્મણોના હાથમાં હતો એમ માનવાને આપણને કારણ મળે છે. આવી રીતે થોડા દિવસમાં બ્રાહ્મણો મૌર્યસામ્રાજ્યના કર્તાહર્તા બની ગયા, એટલું જ નહિ પણ એથી તેમનો પ્રભાવ અતિશય વિસ્તારને પામ્યો. તેઓ બૌદ્ધ અને જૈન ધર્મનો વેગ રોકી, દેશની સમસ્ત વિદ્યાને પોતાના ગ્રંથોમાં એકઠી કરવા લાગ્યા અને બ્રાહ્મણધર્મને તેઓએ જે પ્રબળ ગતિ આપી તે હજુ સુધી નષ્ટ થવા પામી નથી. આ પુષ્યમિત્રના અનુગ્રહથી તેમણે પ્રખ્યાત ‘મહાભાષ્ય’ રચ્યું અને કાન્નવંશી રાજાઓએ તેમની પાસે ‘મનુસંહિતા’નું સંકલન કરાવ્યું, એટલું જ નહિ પણ તેમણે આ જ સમયમાં રામાયણ અને પહાભારતને હાલનો આકાર આપ્યો. જોકે બ્રાહ્મણો ગાદી પર બેસતા ન હતા, તો પણ તેઓ રાજાનું ગુરુપદ ભોગવતા હતા અને તેથી રાજ્યનાં બધાં કાર્યોમાં તેમનો હાથ રહેતો હતો. આ પછી તેઓ જ્યારે રાજકીય અધિકાર ગુમાવી બેઠા, ત્યારે સમાજના પ્રધાન પદ પર આવ્યા અને વિધિવ્યવસ્થામાં પોતાનું કર્તૃત્વ પ્રકાશ કરવા લાગ્યા. અશોકે બ્રાહ્મણોને જે જે અધિકારોથી વિમુખ કર્યા હતા, તે તે સઘળા અધિકારો બ્રાહ્મણોએ આવી રીતે પાછા મેળવ્યા હતા. તેમણે સમાજ પર પોતાની શ્રેષ્ઠતા કેવી દૃઢ રીતે સ્થાપન કરી હતી, તે જોવા માટે કેવળ ‘મનુસંહિતા’નું જ અવલોકન પૂરતું છે. ૩૬૫ વળી અશોકે જાતિવિશેષતા અને વિચારસમતાનું પરિવર્તન કર્યું હતું, પરંતુ તેનું પરિણામ કેવું આવ્યું તે આપણે ‘મૃચ્છકટિક’ નાટકમાંથી જોઈ શકીએ તેમ છીએ. આ નાટકનો રાજા પાલક અશોકનો અનુગામી હોય એમ જ્માય છે. તેના રાજ્યમાં બ્રાહ્મણોની.બહુ દુર્દશા જોવામાં આવે છે. ચારુદત્ત નામનો બ્રાહ્મણ પોતાના અનુચરો સાથે અતિશય દરિદ્ર દશામાં દિવસો કાઢે છે. વળી શર્વિલક નામનો એક બીજો બ્રાહ્મણ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જીવિકાને માટે ચોરીનો ધંધો કરે છે. ન્યાયાધીશ જ્યારે ચારુદત્તને સ્ત્રી હત્યાના અપરાધ માટે અપરાધી ઠેરવે છે, ત્યારે તે બ્રાહ્મણને પ્રાણદંડ દેતાં સંકોચ અનુભવે છે. પરંતુ રાજા ન્યાયાધીશનું ન માનતાં તેને પ્રાણદંડની આજ્ઞા કરે છે. આ અવસરે ચારુદત્ત પ્રધાન – અમાત્યનું પદ મેળવે છે અને શર્વિલકને પણ પોતાની યોગ્યતા પ્રમાણે અધિકાર પ્રાપ્ત થાય છે. આ સાહિત્ય ઉપરથી તેમજ ઉપર જણાવેલી હકીકત પરથી એમ સિદ્ધ થાય છે કે અશોકે બ્રાહ્મણોનો અધિકાર છીનવી લઈને તેમને સર્વ સાધારણના જેવા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેથી જ તેનું સામ્રાજ્ય તેના મૃત્યુ પછી બ્રાહ્મણોએ વધારે વખત ટકવા દીધું ન હતું.' – આમ મૌર્યસામ્રાજ્યના અસ્તથી બૌદ્ધ ધર્મના અસ્તનો સમય આવી પહોંચ્યો. ૧. આ મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી, એમ.એ.ના લેખ પરથી લીધેલ છે. અને સાથે ક્યાંક "Early History of India by Vincent Smith'નો આધાર ટાંકેલ છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ આ ગ્રંથની વિષયસૂચિને ચાર ભાગમાં વહેંચી છે. ૧. વ્યક્તિનામો, ૨. સ્થળનામો, ૩. કૃતિનામો અને ૪. વિષયસૂચિ. વ્યક્તિનામોમાં ગ્રંથકર્તાઓ, સંદર્ભગ્રંથો-લેખોના કર્તાઓ, લેખક દ્વારા જેમનો આધાર લેવાયો હોય કે નિર્દેશ કરાયો હોય તે સૌ વિદ્વાનોનાં નામોને પણ સમાવી લેવામાં આવ્યાં છે. મહાવીરનો ઉલ્લેખ અનેક સ્થળે ‘વીર’ શબ્દથી અને ગૌતમ બુદ્ધનો ઉલ્લેખ અનેક સ્થળે માત્ર ‘બુદ્ધ’ કે ‘બુદ્ધદેવ'થી થયો છે તે શબ્દોને અનુક્રમે ‘મહાવીરસ્વામી’ અને ‘ગૌતમ બુદ્ધ'ની સૂચિમાં જ સમાવ્યા છે. વર્તમાન અને અતીત જિનચોવીશીનાં અને ગૌતમ બુદ્ધની અગાઉના ૨૪ બુદ્ધોનાં નામો સૂચિમાં લીધાં નથી. તે નામો આ ગ્રંથમાં અનુક્રમે પૃ. ૯૬ અને પૃ. ૩૩૪ પર એકસાથે જ નોંધાયેલાં છે. પણ નેમિનાથ, પાર્શ્વનાથ જેવા તીર્થંકરોના ઉલ્લેખો વિવિધ સંદર્ભે થયા હોઈ એ નામોને સૂચિમાં સમાવ્યાં છે. અટક સાથે આવતાં અર્વાચીન નામોને અટકના વર્ણાનુક્રમે ગોઠવ્યાં છે. સ્થળનામોમાં નગ૨, રાજ્ય, દેશ, પ્રદેશ, રાષ્ટ્ર, નદી, પર્વત, વન આદિનાં નામો સમાવ્યાં છે. કૃતિનામોમાં સંદર્ભગ્રંથો-સામયિકો-લેખોને પણ સમાવી લીધાં છે. વિષયસૂચિમાં અનેક સ્થાનોએ એવું બન્યું છે કે કોઈ વિષયના પેટા તરીકે સૂચવાયેલો વિષય એનું મહત્ત્વ ધ્યાનમાં રાખીને મુખ્ય વિષયસૂચિમાં પણ સામેલ કરાયો હોય. જેમકે ‘તત્ત્વ (નવ)’ના પેટામાં આવતો ‘જીવતત્ત્વ’ વિષય ‘જ’ના વર્ણાનુક્રમે પણ હોય. અંગ્રેજી લિપિવાળાં વ્યક્તિનામો અને કૃતિનામોને ગુજરાતી લિપિબદ્ધ કરી લીધાં છે. - સંપાદક] ૧. વ્યક્તિનામો અક્ષોભકુમા૨, ૭ અગ્નિવેસ્સન, ૨૮૫ જુઓ સચ્ચક અગ્નિદત્ત (રાજા), ૩૭ જુઓ પસેનદિ અગ્નિભૂતિ, ૭૬ અજાતશત્રુ, ૧૧, ૨૯, ૩૦, ૩૮-૪૦, ૫૪, ૨૬૯, ૨૯૨-૯, ૩૫૯ જુઓ અશોકચંદ્ર, જુઓ કોણિક/કુણિક (રાજા) અજિત કેસકંબલી, ૨૯૦ અદીનશત્રુ (રાજા), ૨૮ અનવયશકુમર, ૭ અનાથપંડિક, ૨૮૯, ૨૯૨, ૩૩૭ જુઓ સુદત્ત અનાથપિંડિક અનુ, ૨૮૯, ૨૯૨, ૨૯૬, ૩૩૦ અપ્રતિહત (રાજા), ૨૯ અભયદેવસૂરિ, ૨૪ અભીચી, ૪૦ અમોઘવર્ષ (રાજા), ૨૬૩ અરિષ્ટનેમિ, ૯૮, ૨૬૩ જુઓ નેમિનાથ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અર્ચત, ૨૮૦. ઉપક, ૨૫૫ અર્જુન (રાજા), ઉપાધ્યાય, બલદેવ (આ.), ૩૬૪ અવન્તીપુત્ર (રાજા), ૫૪ ઉપાલી, ૨૬૧, ૨૮૯ અશોક (રાજા), ૩૮, ૮૫, ૨૬૯, ૨૭૦, ( ઉમા સ્વાતિ / ઉમાસ્વામી, ૨૨, ૨૬, ૨૭, - ૨૮૧, ૩૬૪, ૩૬૫ ૧૨૮ અશોકચંદ્ર, ૨૮, ૨૯, ૩૯, ૪૩ જુઓ ! ઉરૂવિલ્હા-કાશ્યપ, ૨૮૮ અજાતશત્રુ, જુઓ કોણિક/કુણિક ઋષભદત્ત, પપ (રાજા) ઋષભનાથ, ૯૭, ૯૮, ર૬૩, ૨૬૪ અશ્વઘોષ, ર૭૪, ૩૩૮ ઋષિદાસ, ૭ અશ્વજિત (અસ્સજિ), ૨૮૮ એલેચ્યા, ૩૯ અસંગ (આર્ય), ૨૭૭, ૩૪૪, ૩૪૯ કચયન, ૬ અસિત (ઋષિ), ૨૮૨ કટમોરક ( તિસક), ૨૯૩ અંગારવતી (રાણી), ૩૨, ૩૬, ૪૧, ૫૬ કણાદ (મહર્ષિ), ૨૭૬, ૨૭૯ અંગુલિમાલ, ૨૯૨ કણાદગુપ્ત, ૨૭૯ અંબડ (પરિવ્રાજક), ૧૦ કનિષ્ક, ર૬૯-૭૩ આત્મારામજી, ૨૯, ૬૮ કનિંગહામ, પ૩ આનંદ (શિષ્ય), ૨૮૯, ૨૯૦, ૨૯૨, ૨૯૫, ! કપિલમુનિ, ૧૪, ૨૭૩, ૨૭૫, ૨૭૬ ૨૯૬, ૩૩૦, ૩પ૭, ૩પ૯, ૩૬૧ કમલશીલ, ૨૮. આનંદ (શ્રાવક), ૬, ૪પ, પ૬ કરકંડુ (પ્રત્યેકબુદ્ધ), ૧૪ આપિશવિ, ૨૬૨ ક, ર૭૦, ૨૭૧ આમ્રપાલી, ૨૮૯, ૨૯૫ કલ્યાણરક્ષિત, ૨૮૦ આરબી, ૬ કસ્સ૫, ૩૩૦. આર્કરાઈટ, ૫૭ કંસ (રાજા), ૫૧ જુઓ કાશીજિતુ આદ્રક (રાજા), ૪૪ કાતંત્ર, ૨૬૩ આદ્રકકુમાર, ૫, ૪૪ કાત્યાયન (કાત્યાયનીપુત્ર), ૨૭, ૨૭૨, આર્દ્રકા (રાણી), ૪૪ ૨૭૩, ૩પ૩ આર્યદેવ, ર૭૪, ૨૭૫ કામદેવ (શ્રાવક), ૬, ૪૧, ૪૫ આળાર (આલાર/આરાડ) કાલામ, ૨૮૫- } કાલ, ૪૨ ૮૭, ૨૯૬ કાલદેવ (શ્રાવક), પ૬ ઇંદ્રભૂતિ, ૫, ૮, ૨૦, ૭૬, ૨પ૮ જુઓ કાલાશોક, ૫૪, ર૬૯ ગૌતમ (સ્વામી) કાલિકુમાર, ૧૧ ઉત્તરધર્મ (સાધુ), ૨૭૩ જુઓ ધર્મોત્તર કાલિદાસ (કવિ), ૨૭૮ ઉદયન ઉદન, ૬, ૨૮, ૩૦-૩૫, ૩૯, ૪૦ કાલી (રાણી), ૭ જુઓ વત્સરાજ કાલીદાયી, ૨૮૯ ઉદાયન / ઉદાયી (રાજા), ૨૮, ૩૫, ૩૬, ૩૯, ૪૦, ૪૨-૪૪, પ૬ કાશીજિતું. પ૧ જુઓ કંસ (રાજા) ઉદ્દક / ઉદ્રક (રામપુત્ર), ૩૯, ૨૮૫-૮૭ કાશ્યપ, ૨૬૨ ઉદ્યોતકર, ૨૭૯ કિબિલ, ૨૮૯ ઉદ્યોતનસૂરિ, ૨પપ કુમારજીવ, ૨૭૪ Page #398 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૬૯ કુમારલબ્ધ, ૨૭૪ ૩૪૮, ૩૪૯, ૩૫૧, ૩૫૫, ૩૫૭, કુમારિલ (તીર્થિક), ૨૭૮, ૨૭૯ ૩પ૯, ૩૬૧, ૩૬૨ કુરુદત્તપુત્ત, ૬ -નાં અન્ય નામો : બુદ્ધ, તથાગત, કુરોદ, ૩૪૧ સુગત, જિન, ધર્મરાજ, મારજિતું, સંબુદ્ધ, કુંડકોલિક / કુંડગોળિક (શ્રાવક), ૬, પ૬ | શાક્યમુનિ, ૨૫૮, ૨૮૭ કુંવરજીભાઈ, ૪૩ જુઓ શાક્યમુનિ કૃષ્ણ, ૭૧ ગૌતમ (મહર્ષિ), ૨૭૬ કેશિકુમાર (મુનિ), ૪૫ ગૌતમ (સ્વામી), ૫, ૭, ૧૧, ૧૪, ૧૫, કેશી (ગણધર), ૧૦, ૧૫ ૨૦, ૪૪, ૯૩ જુઓ ઇંદ્રભૂતિ કોકાલિક, ૨૯૩, ૨૯૪ ગૌતમી, ૨૮૨, ૨૯૦, ૩૫૭ જુઓ કોટિક, ૨૫૫ જુઓ સુસ્થિત (આચાર્ય) મહાપ્રજાપતિ કોણિક / કુણિક (રાજા), ૬, ૧૦, ૧૧, ૨૮, ઘોટકમુખ, ૧૬ ૨૯, ૩૯-૪૪ જુઓ અજાતશત્રુ, જુઓ | ચટ્ટોપાધ્યાય, બંકિમચંદ્ર, પ૬, ૫૮ અશોકચંદ્ર ચત્ર, ૨૮૨, ૨૮૪ કોસલદેવી, ૩૦ ચંડપ્રદ્યોત (રાજા), ૨૮, ૩૨, ૩૩, ૩૫, કૌટિલ્ય, ૧૬ ૩૬, ૩૯-૪૧, ૪૪, પ૦, પ૩, પ૬, કૌશિક, ર૭૭ ૨૮૯ કૌષ્ઠિલ્ય, ૨૭૦ જુઓ સારિપુત્ર ચંદનબાળા / ચંદના, ૭, ૩૯, ૫૫, ૨૬, કૌડિન્ય, ૨૮૬, ૨૮૮ ૮) ખંડદેવીપુત્ત, ૨૯૩ ચંદ્ર, ૨૬૩ ખંદય, પ ચંદ્રકીર્તિ, ૨૭૪ ખેમા (રાણી), ર૦, ૩પ૭ ચંદ્રકુમાર, ૭ ગયા-કાશ્યપ, ૨૮૮ ચંદ્રગુપ્ત (રાજા), ર૧, ૨૭૫ ગાગલી, ૪૪, ૫૬ ચંદ્રગોમિન્, ૨૭૯ ગાર્ગ્યુ, ૨૬૨ ચંદ્રસૂરિ, ૨૫૫ ગાલવ, ૨૬૨ ચાકવર્મણ, ૨૬૨ ગુણરત્નસૂરિ, ૨૨૭, ૨૨૮, ૩૦૧ ચારુદત્ત, ૩૬૫, ૩૬૬ ગુપ્ત, શુભાકર, ૩૬૩ ચાર્વાક, ૧૩૫, ૧૩૮, ૧૫૦, ૧૫૧, ૨૯૯, ગોપા, ૨૮૨ ૩૦૧ ગોવિચંદ્ર, ૨૭૯ ચિત્રસારથિ (મંત્રી), ૪૫ ગોશાલ સંખલિપુત્ત, ૬, પ૬, ૮૪, ૮૫, ૯૩, || ચિંચા, ૨૯૧ ૨૫૮, ૨૬૧, ૨૯૦ ચલણીપિતા (શ્રાવક), ૬, ૪પ, પ૬ ગૌતમ બુદ્ધ, ૨૯, ૩૭-૩૯, ૪૫, ૫૦-૫૪, | ચુદ્ધશતક (શ્રાવક), પ૬ પ૬, ૫૯, ૬૧, ૬૫, ૬૭, ૬૯, ૩, ચુંડા, ૨૯૫ ૨૨૦, ૨૫૭-૫૯, ૨૬૧, ૨૬૯-૭૪, | ચેટક / ચેડા (રાજા), ૧૧, ૨૮, ૩૫, ૩૭, ૨૮૧, ૨૮૨, ૨૮૪-૩૦૪, ૩૦૭, . ૩૯-૪૫, ૫૦, ૫૧ ૩૦૯, ૩૧.૮, ૩૧૪, ૩૧૫, ૩૧૭, | ચલણા / ચેલ્લણા / ચિલ્લણા, ૩૭, ૩૯, ૩૧૯, ૩૨૫, ૩૩, ૩૩૨, ૩૩૪, ૪૨, ૪૩ ૩૩૫, ૩૩૭-૩૯, ૩૪૧, ૩૪૫, ૩૪૬, | જગચંદ્રસૂરિ, ૨પ૬, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જનક (રાજા), ૪૫, ૫૧, ૫૫ જમાલિ, ૬, ૫૬ જમ્મુખાદક, ૩૦૯ જમ્બુસ્વામી, ૫, ૨૦ જયંતી, ૬ જયાદિત્ય, ૨૮૦ જાલિકુમર, ૭ જાલીય, ૩૦૨ જિતશત્રુ / જીતશત્રુ, (રાજા), ૨૯, ૪૧, ૪૫, ૫૫ જિન, ૨૮૦ જિનદત્ત, ૨૬ જિનદત્તસૂરિ, ૨૫૫ જિનભટ (આચાર્ય), ૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ત્રિશલા, ૩૯, ૪૦ જુઓ વિદેહદિત્રા દત્ત (રાજા), ૨૯ દત્ત, રોમેશચંદ્ર, ૭૩ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, ૧૨, ૧૯, ૨૫ જિનભદ્રાચાર્ય, ૨૩૯ જિનમિત્ર, ૨૮૦ જિનવિજય (મુનિ), ૨૫, ૨૭, ૭૪, ૭૫ જિનેશ્વરસૂરિ, ૨૫૫ જીર્ણ (શ્રેષ્ઠિ), ૫૫ જીવક, ૨૮૯ જીવણલાલ અમરશી, ૨૭૦ જેકૉબી (યાકૉબી), હર્મન (પ્રો.), ૩૭, ૬૯, ૯૬, ૧૫૨, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૩૦૬ જેત, ૨૮૯ જેતારિ (આચાર્ય), ૨૮૦ જૈનેન્દ્ર, ૨૬૩ જૈમિનિ, ૨૨૬, ૨૭૬ જોસેફાત્, ૩૬૨ જ્ઞાનશ્રી, ૨૮૦ જ્યેષ્ઠા, ૩૯ ટાગોર, રવીન્દ્રનાથ, ૭૫ ડેવિડ્સ, હાઇસ, ૨૯, ૫૦, ૬૦, ૬૩, ૬૬, ૩૪૩ તપુસ્ત, ૨૮૭ તાતિયા, નથમલ, ૧૮૩ તારા, ૨૭૯ તિલક, બાલગંગાધર, ૨૬૪ તિસય, ૬ દધિવાહન, ૩૯-૪૧, ૪૪, ૫૦ દખ્ખસેન, ૫૧ દશાર્ણભદ્ર (રાજા), ૪૪, ૫૬ દાનશીલ, ૨૮૦ દિનાગ / દિગ્નાગ (બૌદ્ધાચાર્ય), ૨૬, ૨૭૮, ૨૭૯ દિન્નસૂરિ (આર્ય), ૨૨ દીઘ-કારાયન / દીર્ઘચારાયણ, ૨૯૪ દીપાંબાઈ, ૨૫૬ દીર્ઘસેનકુમાર, ૭ દુર્મુખ (સેનાની), ૪૧ દુર્લભ (રાજા), ૨૫૫ દુર્વાસા (ઋષિ), ૨૬૪ દેવ (વાચક), ૧૬, ૨૨ દેવક્ષેમ / દેવશર્મા, ૨૭૦ દેવચંદ્રસૂરિ, ૨૧ દેવદત્ત, ૩૮, ૨૮૯, ૨૯૨-૯૪, ૩૩૦ દેવદત્તા, ૩૫ દેવર્કિંગણિ, ૧૯, ૨૨ દેવાનંદા, ૫૫, ૬૦ દ્રોણ (બ્રાહ્મણ), ૨૯૬, ૨૯૭ દ્રૌપદી, ૬ દ્વિમુખ (પ્રત્યેકબુદ્ધ), ૧૪ દ્વિવેદી, મણિલાલ નભુભાઈ (પ્રો.) ૧૫૨, ૩૦૧ ધના (શ્રેષ્ઠિ), ૫૬ ધનાવહ (રાજા), ૨૮ ધન્ય, ૭ ધદિવા, ૩૫૭ ધર્મકીર્તિ (આચાર્ય), ૨૭૮, ૨૭૯ ધર્મઘોષ (મંત્રી), ૩૬, ૪૧ ધર્મઘોષસૂરિ, ૧૯ ધર્મપાલ, ૨૭૮, ૩૪૭ ધર્મકરદત્ત, ૨૮૦ ધર્મોત્તર, ૨૪, ૨૭૩ જુઓ ઉત્તરધમં (સાધુ) ધર્મોત્તરાચાર્ય, ૨૮૦ Page #400 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૭૧ ધારણી (રાણી), ૪૦, ૪૨, ૪૪, ૫૦ { પલ્હવિયા, ૬ : ધારિણી (રાણી), ૧૦, ૪૨ પસેનાદિ (રાજા), ૩૦, ૩, ૫૪ જુઓ ધુંધુમાર (રાજા), ૩૬ અગ્નિદત્ત (રાજા) નગ્નતિ (પ્રત્યેકબુદ્ધ), ૧૪ પાણિનિ, ૨૬૨, ૨૬૩, ૨૭૮, ૩પ૩ નમિ (પ્રત્યેકબુદ્ધ), ૧૪ પાદલિપ્તસૂરિ, ૨૩-૨૪ નરસિંહસૂરિ, રપ૬ પારસી, ૬ નવીન (શ્રેષ્ઠિ), ૫૫ પાર્શ્વ (પૂર્ણ), ૨૭૧ નહુષ, ૩પ૮ પાર્શ્વનાથ, ૫, ૧૦, ૧૫, ૪૫, ૮૫, ૯૬, નંદ, ૨૫૭, ૨૮૯ ૨૬૦, ૨૬૧ નંદ (રાજા), ૨૧ પાલક, ૩૬પ નિંદનીપિતા / નંદિની પિતા, ૬, ૫૬ પાલિત્ત કવિ, ૨૩ જુઓ પાદલિપ્તસૂરિ નંદિવર્ધન (રાજા), ૨૮, ૩૯, ૮૭, ૨૫૭ પાલ્યકીર્તિ શાકટાયન, ૨૬૩ નંદિષેણ, ૪૨, પપ પિઠર, ૪૪, પ૬ નાગસેન (આચાર્ય), ૩૫૨, ૩પ૩ પિંડોલ (ભારદ્વાજ), ૨૯૧ નાગસેન (પતંજલિ), ૨૮૦ પુષુસ, ૨૯૬ નાગાર્જુન, ૨૭૪, ૨૭૫, ૩૪૬, ૩૪૮,. પુક્રાતિ (રાજા), પ૩ ૩૪૯, ૩પ૨, ૩પપ, ૩૬૨ પુષ્યમિત્ર, ૩૬૫ નાદી-કાશ્યપ, ૨૮૮ પૂરણકસ્સપ (પુરાણકાશ્ય૫), ૨૯૦, ૨૯૧ નાનક, ૧૩૭ પૂર્ણ, ૨૭૦ જુઓ વસુમિત્ર નાભિ (રાજા), ૨૬૪ પેઢાલકુમાર, ૭ નારયપુત્ત, ૬ પલક, ૭ નિગૂંઠ નાતપુર (નિર્ગથ જ્ઞાતપુત્ર), ૨૯૦ પોટિલકુમાર, ૭ જુઓ મહાવીર પોટ્યપાદ (સાધુ), ૩૦૧-૩ નિમ્બાર્કાચાર્ય, ૨૨૬ પોષ્ઠીપુત્ર, ૭. નિષઢકુમાર, ૧૨ પ્રજ્ઞાકરગુપ્ત, ૨૮૦ નેમિચંદ્ર (રાજા), ૨૭૪ પ્રદેશી (રાજા), ૧૦, ૪૫ નેમિનાથ, ૧૨, ૧૫, ૯૮, ૨૫૬, ૨૬૪ | પ્રદ્યુમ્ન, ૭ જુઓ અરિષ્ટનેમિ પ્રદ્યોત / પ્રદ્યોતન (રાજા), ૩૦-૩૬, ૩૯ નોકામુતા, હાજીમો, ૨૯૭ જુઓ પજ્જોત . પકુદ્ધ કચ્ચાયન (પ્રક્રુદ્ધ કાત્યાયન), ૨૯૦ | પ્રભવ (ક્ષત્રિય), ૨૦ પજ્જોત (રાજા), ૩૦, ૩૧, ૩૮ જુઓ | પ્રભાચંદ્રસૂરિ, ૧૦ પ્રદ્યોત / પ્રદ્યોતન (રાજા) પ્રભાવતી, ૩૯ પતંજલિ, ૨૧૪, ૨૧૭, ૨૭૬, ૨૭૭, ૨૯૮ | પ્રસન્નચંદ્ર (રાજા), ૨૮, ૪૦, ૪૪, ૪૫, પ૩, પાકુમાર, ૧૧ ૫૬ પદ્માવતી (રાણી), ૩૯, ૪૦, ૪૨, ૫૦ જુઓ ! પ્રસેનજિત, ૪૨, ૨૮૯, ૨૯૧, ૨૯૪, ૩૬૧ ધારણી પ્રિયચંદ્ર (રાજા), ૨૯ પદ્માવતી (સાધ્વી), 9 પ્રિયદર્શના, પ૬ પરમાનન્દ કુંવરજી, 99. ફાહિયાન, ૨૭૪ પરંતપ (રાજા), ૩૦ જુઓ શતાનીક ફૂલીટ (ડૉ.), ૨૭૧ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ બરૈયા, ગોપાલદાસજી (પં.), ૧૯૪ બલ (રાજા), ૨૯ બલભદ્રજી, ૧૨ બલિષહ, ૨૩ બધુજી, ૨૫૬ બહાંલી, ૬ બહુલ, ૨૩ બંભસાર, ૨૮, ૨૯, ૩૯ જુઓ બિંબિસાર, જુઓ શ્રેણિક (રાજા) બાદરાયણાચાર્ય, ૨૨૬ બાર્થ, ૨૬૨ બાર્લામ (સેઇન્ટ), ૩૬૨ બિંબા, ૨૮૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બિંબિસાર (રાજા), ૧૧, ૨૯, ૩૦, ૩૭-૪૦, ૪૨, ૧૩, ૫૪, ૨૮૫, ૩૩૮, ૩૫૭, જુઓ શ્રેણિક (રાજા) ૨૮૮-૯૩, બીલ, ૨૭૧ બુદ્ધ જુઓ ગૌતમ બુદ્ધ બુદ્ધઘોષ, ૨૭૦, ૩૩૮, ૩૪૦, ૩૪૫ બુલ્ડર, ૨૬૨ બૃહદ્રથ / બૃહદશ્વ, ૩૬૫ બેકન, ૮૩, ૮૬ બેસન્ટ, એની, ૬૦, ૭૪, ૯૭ બોધિસત્ત્વ, ૨૮૨, ૨૮૩, ૨૮૭ જુઓ ગૌતમ બુદ્ધ બોધિસત્ત્વ (આચાર્ય), ૨૮૦ શાન્તરક્ષિત જુઓ ભગુ, ૨૮૯ ભડકર, હિરમહાદેવ (પ્રો.), ૨૬૫ ભદ્દકા (ભદ્રકૃત્યા), ૨૮૨ ભદ્રપાલિત, ૨૭૮ ભદ્રબાહુસ્વામી, ૧૧, ૧૩, ૧૫, ૧૯-૨૧ ભદ્રિક / દ્રિય, ૨૮૮, ૨૮૯ ભરત (રાજા), ૧૧ ભતૃહિર, ૨૬૪, ૨૭૮, ૨૭૯ ભર્ષ (રાજા), ૨૮૦ ભલ્લિક, ૨૮૭ ભારદ્વાજ, ૨૬૨ ૧૬. ભાસ, ૩૪ ભાસ્કરાચાર્ય, ૨૨૬, ૨૨૮ ભાંડારકર (ડૉ.) ૨૭૧, ૩૧૨ ભીખુજી / ભીખણજી, ૨૫૬ ભોજદેવ (રાજા), ૨૭૪ મધ્વાચાર્ય, ૨૭૭ મનક, ૧૩, ૨૦ મરુદેવી, ૨૬૪ મલયગિરિજી, ૩, ૧૧, ૨૪ મલવાદી, ૨૪-૨૫ મહિપેણ, ૨૮૦ મહાકાલ, ૪૨ મહાકાશ્યપ, ૨૯૬ મહાકોશલ, ૩૭ મહિગિર (આર્ય), ૨૩ મહાનામ′′, ૨૮૮, ૨૮૯, ૨૯૪ મહાપ્રજાપતિ, ૨૮૨, ૩૫૭ જુઓ ગૌતમી મહામતિ, ૩૫૧ મહાવીરસ્વામી / વી૨, ૪-૬, ૮, ૧૦, ૧૧, ૧૪, ૧૫, ૧૭, ૧૯, ૨૦, ૨૪, ૨૮-૩૦, ૩૨, ૩૫, ૩૬, ૩૯-૪૫, ૫૧-૫૭, ૫૯-૬૧, ૬૫-૯૩, ૯૬-૯૮, ૧૩૫, ૧૩૭, ૨૫૫૬૧, ૨૬૫, ૨૯૯ -નાં અન્ય નામો : નિયંથિપુત્ત, પોખલિ સમણોવાસગ, ધમ્મઘોસ, સંખમ્બખા, મોક્ખ સમણોવાસગ, સુમંગલ, ૫ જુઓ વર્ધમાન મહાશતક, ૬, ૫૬ * વેશાલીય, મહાશાલ / મહાસાલ (રાજા), ૨૮, ૪૪, ૫૬ મહામહિન્દ / મહિન્દ, ૨૭૦ મંખલપુત્ત જુઓ ગોશાલ મંખલપુત્ત મંગુ (આર્ય), ૨૩ માકાઈ ગાથાપિત, છ માગુંદિયપુત્ત, ૬ માતંગ (ચાંડાલ), ૩૫૮ માધવાચાર્ય, ૨૨૮, ૨૭૭ માયાદેવી, ૨૮૨, ૨૯૧ માલિકા, ૨૯૪ જુઓ વાસભ ખત્તિયા Page #402 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૭૩ મિગાર, ૨૮૯ રામચંદ્રજી, પ૩, ૭૧, ૨૬૩ મિત્રનંદી (રાજા), ૨૯ રામપુત્ર, ૭ મિત્રપ્રભ (ચંદ્રપ્રભ), ૩૬, ૪૧ રામાનુજાચાર્ય, ૨૨૬, ૨૭૭ મિલેંડર / મિલિન્દ (રાજા), ઉપર, ૩૫૩ રાય શરચંદ્ર, ૨૭૪ મિશ્ર, રાજેન્દ્રલાલ (ડૉ.) ૨૬૩ રાવણ, ૭૧, ૩પ૮ મુક્તકુંભ, ૨૮૦ રાહુલ, ૨૮૨, ૨૮૪, ૨૮૯, ૨૯૨, ૩૩૦ મુરંદી, ૬ રાહુવર્ણ, ૨૭૯ મૃગાવતી, ૩૨, ૩૫, ૩૬, ૩૯, ૪૦, પ૬ રોહ, ૫ મૅકડોનેલ (પ્રો.), ૨૬૨ રોહિણય (ચોર), પ૬, મેક્સમૂલર (પ્રો.), ૨૨૭ લલિતચંદ્ર (રાજા), ૨૭૯ મેગાસ્થનીસ, પ૩ લામાં, તારાનાથ, ૨૭૪ મેઘકુમાર, ૬, ૪૨, પપ લાંતકપિતા (શ્રાવક), પ૬ મૈત્રેય, ૨૭૭ લેવી, સીલ્વન, ૬૨, ૨૭૧ મૈત્રેય / મૈત્રેયનાથ, ૩૪૪ લૅસન, ૨પ૮, ૨૬૨, ૨૭૧ મોગ્દલાન / મૌદૂગલ્યાયન, ૨૭, ૨૮૮, | લોંકા, ૨પ૬ ૨૯૦, ૨૯૧, ૨૯૪, ૨૯૫, ૩૩૦, ! વજિરા, ૩૦ ૩પ૭ વજસ્વામી, ૨૧ યમારિ, ૨૮૦ વત્સરાજ, ૨૮, ૩૩, ૩૪ જુઓ ઉદયન યશસ્, ૨૮૮ વનપાલ (રાજા), ૨૮ યશોદા, ૨૫૭ વરદત્ત (મુનિ), ૩૬, ૩૭, ૪૧ યશોધરા, રપ૭, ૨૮૨, ૨૮૪, ૨૮૯, ૩પ૭ વરરુચિ, ૨૮૦ યશોભદ્ર, ૨૦ વર્ધમાન, ૧૯, ૯૩, ૯૭, ૨૫૮ જુઓ યશોમતી, ૪૪, ૫૬ મહાવીરસ્વામી યશોવતી, ૨૮૨ વર્ષકાર (મંત્રી), ર૯૪, ૨૯૫ યશોવિજયજી, ૨૧૩ વલ્કલચીરી, ૪૪, ૪૫ યાકિની મહત્તરા, ૨૬ વલ્લભાચાર્ય, ૨૨૬, ૨૭૭ યુએન સ્વાંગ, ૩૪૭ જુઓ હુએન-ચાંગ / વશિષ્ઠ, ૨૬૩ હૈન સાંગ વસુબંધુ, ૨૭૩, ૨૭૭, ૨૭૮, ૩૪૪ રક્ષિતસૂરિ (આય), ૧૬, ૨૨ વસુમતી, ૪). રઘુનાથજી, ૨૫૬ વસુમિત્ર, ૨૭૦, ૨૭૧ જુઓ પૂર્ણ રત્નપ્રભસૂરિ, ૨૮૦ વસ્યકાર, ૩૮ રત્નવજ, ૨૮૦ વહલકુમાર, ૭ રત્નાકરશાંતિ, ૨૮૦ વંક, પ૧ રથનેમિ, ૧૩, ૧૫ વાપ્રજ, ૨૮૦ રવિગુપ્ત, ૨૮૦ વાચસ્પતિ-મિશ્ર, ર૭૯, ૩૪૯ સલ, પછે. વાયુભૂતિ, ૭૬, રાજચંદ્ર, ૧૩૧, ૧૩૪ વાષ્પ (વાપ), ૨૮૮ રાજિમતી, ૧૩, ૧૫ વાભ ખરિયા, ૩૭, ૨૯૪ જુઓ માલિકા રામ (ઉદ્રપિતા), ૩૯ વાસવદત્ત (રાજા), ૨૯ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ વાસુલદત્તા, ૩૦, ૩૨ વિક્રમ (શકાર), ૨૩ વિક્રમાદિત્ય (પહેલો), ૨૭૮ વિજય (રાજા), ૨૮ વિજેસિંહ, ૨૬૯ વિદાભ, ૩૦, ૩૭, ૩૮, ૨૯૪ જુઓ વિરુદ્ધક વિદેહદિશા, ૪૦ જુઓ ત્રિશલા વિદેહપુત્ત, ૬ વિદ્યાનંદ, ૨૭૯ વિદ્યાભૂષણ, સતીશચંદ્ર (ડૉ.), ૨૪, ૨૭૪, ૨૭૬, ૨૭૭, ૨૮૦ વિનીતદેવ, ૨૭૯ વિન્ટરનિટ્ઝ, ૧૦-૧૨, ૧૮ વિમલચંદ્ર, ૨૭૯ વિમળ (મંત્રી), ૨૫૬ વિરુદ્ધક, ૨૯૪ જુઓ વિદુદાભ વિશાખા, ૨૮૯, ૩૫૭ વિશ્વામિત્ર, ૩૫૮ વિષ્ણુવર્ધન (કુબ્જ), ૨૭૮ વિહલ્લ, ૩૯, ૪૧, ૪૨ વી૨ જુઓ મહાવીરસ્વામી વીરકૃષ્ણમિત્ર (રાજા), ૨૮ વીરભદ્રગણિ, ૨૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વૃદ્ધવાદી, ૨૩, ૨૪ વેદવ્યાસ / વ્યાસમુનિ, ૨૬૩, ૨૬૫ વેબર, ૧૨, ૨૬૨ વોટ, ૫૭ શકપાલ, ૨૧ શકડાલપુત્ર, ૬ શતવાહ, ૨૭૪ જુઓ સાહ શાનિ(ની)ક, ૬, ૨૮, ૩૦, ૩૫, ૩૬, ૩૯, ૪૦, ૪૪, ૫૦ જુઓ પરંતપ શબ્દાલપુત્ર (શ્રાવક), ૫૬ શ(સ)થંભવસૂરિ, ૧૩, ૨૦ શર્વિલક, ૩૬૫, ૩૬૬ શંકરાચાર્ય, ૨૨૬, ૨૭૭, ૩૩૫, ૩૪૬ શંકરાનંદ, ૨૮૦ શાકટાયન, ૨૬૨, ૨૬૩ શાકલ્પ, ૨૬૨ શાકિય, ૩૦ શાક્યમુનિ, ૫૭, ૨૭૩, ૨૭૬, ૨૮૧, ૩૩૦ જુઓ ગૌતમ બુદ્ધ શાન્તરક્ષિત, (આચાર્ય) ૨૮૦ જુઓ બોધિસત્ત્વ શાન્તિપ્રભ (શાંતિદેવ ?), ૨૭૪ શાલ / સાલ (રાજા), ૨૮, ૪૪, ૫૬ શાલિનપિતા, ૬ શાલિભદ્ર, પ૬ શાસ્ત્રી, હરપ્રસાદ, ૩૬૪, ૩૬૬ શાસ્ત્રી, હીરાનંદ, ૯૮ શાંતિ શ્રેણિક, ૨૨ શિવા (રાણી), ૩૫, ૩૯ શિશુનાગ (રાજા), ૫૪ શીલ (રાજા), ૨૮૦ શીલભદ્ર (આચાર્ય), ૨૭૮, ૩૪૭ શુદ્ધોદન (રાજા), ૨૮૨, ૨૮૯, ૨૯૦, ૨૯૪, ૩૫૭ શેલી, ૭૦ શોપનહાર, ૨૮૧ શ્યામાચાર્ય (આર્ય), ૧૦ શ્રીલબ્ધ, ૨૭૪ શ્રેણિક (રાજા), ૬, ૭, ૧૧, ૨૮, ૨૯, ૩૪, ૩૫, ૩૯-૪૩, ૫૦, ૫૬, ૨૮૫ જુઓ બિંબિસાર, જુઓ બંભસાર શ્વપાક (ચંડાલ), ૭૮ શ્વેત (રાજા), ૨૮ સચ્ચક, ૩૮૫ જુઓ અગ્નિવેરસન સત્યવિજયજી, ૨૫૭ સાહ, ૨૭૪ જુઓ શતવાહ સપ્રબુદ્ધ, ૨૮૨ સમંતભદ્ર (આચાર્ય), ૨૫૫ સમુદ્રદત્ત, ૨૯૩ સરહ, ૨૭૪ સર્વજ્ઞમિત્ર, ૨૮૦ સર્વદેવસૂરિ, ૨૫૫ સસંક (રાજા), ૩૪૬ સહસ્સાણિય, ૬ Page #404 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ સંઘદાસણ, ૧૬ સંઘભદ્ર, ૨૭૩ સંઘમિત્તા, ૨૭૦ સંજય (પરિવ્રાજક), ૨૮૮ સંજય (બેલટ્ટિપુત્ત), ૬૭, ૨૯૦ સંપ્રતિ (રાજા), ૨૧ સંભૂતિવિજય, ૨૦ સાતવાહન, ૨૩ જુઓ હાલ સામહત્યિ આનંદ, ૬ સારિપુત્ર, ૨૭૦, ૨૮૮-૯૦, ૨૯૪, ૨૯૫, ૩૦૯, ૩૩૦, ૩૫૭ જુઓ કૌખિલ્ય સાલવતી, ૨૮૯ સિદ્ધસેન દિવાકર, ૨૩, ૨૪, ૧૮૯ સિદ્ધાર્થ, ૨૫૭, ૨૮૨, ૩૫૭ જુઓ ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ (મહાવીરપિતા), ૩૯, ૫૫, ૨૫૭ સિંહ (રાજા), ૨૮૦ સિંહ ક્ષમાશ્રમણ, ૨૪, ૨૬૧, ૩૫૯ સુગુપ્ત (મંત્રી), ૪૦ સુજાતા, ૨૮૭ સુજ્યેષ્ઠા, ૩૯ સુઝુકી, ડી. (પ્રો.), ૩૪૬ સુદત્ત અનાથપિંડિક, અનાથપિંડિક સુદય, ૨૭૮ સુધર્માસ્વામી (ગણધર), ૫, ૧૦, ૨૦, ૨૬૧ સુનક્બત્ત, ૬ સુનક્ષત્ર, ૭ સુનીથ, ૨૯૫ સુપ્રતિબુદ્ધ, ૨૯૨ ૩૮૯ જુઓ સુભદ્ર, ૨૯૬ સુમના, ૩૭ સુરાદેવ, ૬, ૫૬ સુરેશ્વરાચાર્ય, ૨૭૯ સુશીલ (રા.) ૩૦, ૩૧, ૭૩, ૭૬, ૮૧ સુસ્થિત (આચાર્ય), ૨૫૫ જુઓ કોટિક સુહસ્તિસૂરિ (આર્ય), ૨૧ સુંદરી, ૨૯૨ સૂર્યકાંતા (રાણી), ૪૫ સૂર્યાભદેવ, ૧૦ સેનક, ૨૬૨ સેનિય, ૨૮૪ સોમચંદ્ર (રાજા), ૪૪, ૪૫ સોમપ્રભસૂરિ, ૧૯ સ્કન્દિલાચાર્ય (આર્ય), ૨૧, ૨૨ સ્ટીવન્સન, ૫૭ સ્ટેનલી, ૫૭ સ્થિરમતિ (આચાર્ય), ૨૭૯, ૩૪૪ સ્થૂલભદ્ર, ૨૧ સ્પેન્સર, ૨૮, ૭૦ સ્કોટાયન, ૨૬૨ સ્મિથ, વિન્સેટ, ૨૭૧, ૩૬૪, ૩૬૬ હિરકેશબાલ (સાધુ), ૧૪, ૭૮ હિરભદ્રસૂરિ, ૧૮, ૨૫-૨૭, ૬૮, ૨૦૫, ૨૨૭, ૨૨૮, ૩૦૧ હર્ષ, ૨૮૦ હર્ષવર્ધન, ૨૮૦ હલ, ૩૯, ૪૧, ૪૨ હસ્તિપાળ (રાજા), ૪૫, ૫૬ ૩૭૫ હૅટ, ૨૬૨ હાલ, ૨૩ જુઓ સાતવાહન હિરેક્ટિટસ, ૩૪૩ હુએન-સ્યાંગ / સ્હેન સાંગ, ૨૭૩, ૨૭૪, ૨૭૭ જુઓ યુએન-સ્વાંગ હેમચંદ્રાચાર્ય / હેમાચાર્ય, ૨૧, ૨૯, ૩૨, ૪૩, ૪૭, ૪૮, ૫૧, ૬૩, ૯૭, ૧૪૪, ૧૮૦ હોસંગ (મહાયાન), ૨૮૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૨. સ્થળનામો અચિરાવતી નદી, ૫૪ ઉજજયન / ઉજ્જયણ / ઉજ્જન / અણહિલ્લપુર, રપપ ઉજ્જયિની / ઉજેણી, ૨૩, ૨૮, ૩૦, અનામ, ૩૬૨ ૩૨, ૩૫, ૩૬, ૩૮, ૩૯, ૪૪, ૫૪ અનાર્ય દેશ, ૪૮-૫૦, ૫૫, ૮૯ ઉજ્જયંત, ૨૫૬ જુઓ ગિરનાર, જુઓ અપાપાપુરી. તે પાપાપુરી, ૪૫, ૪૭, પપ, પ૬ રેવતાચલ જુઓ પાવાપુરી ઉડ્રદેશ, ૪૮ અફગાનિસ્તાન, પ૩, ૩૬૨ ઉત્કલ / ઓરીસા, ૨૭૮, ૨૮૭ અમલકલ્પા, ૨૮ ઉરૂલ (લા) / ઉરૂવિલ્વા, ૨૮૬, ૨૮૮, અયોધ્યા, પ૩, ૨૭૭, ૨૭૮ ૩પ૯ અરપાક દેશ, ૪૮ ઉલુંભા, ૩૦ અર્બુદાચલ (આબુ), ૨૫૫, ૨૫૬ ઉષ્માકગામ, પપ અલ્લકપ્પ, ૪૫, ૨૯૬, ૨૯૭ જુપાલિકા નદી, પપ અવંતી (રાજ્ય), ૩૦, ૩૩-૩૬, ૪૪, ૪૯, ઋષભપુર, ૨૮ પ0, પ૨-૫૪ ઓદંતપુર વિહાર, ૨૮૦ અસિનદી, પ૩ કકુત્થા નદી, ૨૯૬ અસ્થિકગામ, ૫૪ જુઓ વર્ધમાનનગર કચ્છ (નો અખાત), પ૩, ૨૪, ૨૫૫ અસ્મકદેશ, પ૦, પ૩ કદલીસમાગમ ગામ, પપ અહિચ્છત્રાનગરી, ૪૬, ૪૭ કનકપુર, ૨૯ અંગદેશ, ૪૪, ૪૬, ૭, ૪૯, પ૦, પ૩, | કનોજ, પર ૨૯૨ કપિલવસ્તુ, ૪૫, ૨૫૮, ૨૮૧, ૨૮૯, ૨૨, અંધ / આંધ્ર, ૪૮, ૪૯, ૨૭૧, ૨૭૮ ૨૯૪, ૨૯૬, ૨૯૭ જુઓ પદીરા અંબત્યિકા, ૨૯૫ કલકત્તા, ૨૫૬ આમ્રવન, ૨૯૫ કલિંગ, ૪૬, ૪૭, ૪૯, ૨૭૧ આરટ્ટદેશ, ૪૯ કસુંબક, પપ આદ્રક (દેશ), ૪૪ કંચણપુર, ૪૬ જુઓ કાંચનપુર આર્ટોિકનગર, ૪૪ કંટાલિયા ગામ, ર૫૬, આદેશ, ૪૬, ૪૭, પ૦, ૮૯ કંદહાર, પ૩ જુઓ ગંધાર આર્યાવર્ત, ૭૧ કંબોજ, પછે, પર આલબિકાનગરી, પપ, પ૬ કાઠિયાવાડ, પ૨, ૫૪, ૨પપ-૨પ૭ આલાવી, ૨૯૨ કામદેશ, ૪૮ આવર્તગામ, પપ કાવેરી, ૪૮, ૪૯ ઇજિપ્ત, પ૯ કાશી (દેશ), ૬, ૨૮, ૪પ-૪૭, ૫૦, ૫૧ ઇસિપતન (ઋષિપત્તન), ૩૦૩ કાશી (નગર), ૨૯, ૩૦, ૪પ-૪૧, પ૦, ઇંગ્લેંડ, પ૭ પ૬, ૨૮૮, ૨૮૯, ૩૦૩ જુ ઇન્દ્રપ્રસ્થ, પર જુઓ ગજપુર વાણારસી, જુઓ બનારસ ઈરાન, પ૯, ૩૬૨ કાશમીર, પ૩, ૨૬,૯, ૨૭૧, ૨૭૩, ૨૭૪ - ઉચ્છાપુરી, ૪૮ કાશ્યપ, ૪૮, ૪૯ Page #406 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ 3७७ કાંચનપુર, ૪૭ જુઓ કંચણપુર કૌશી નદી, ૪૯ કાંચી, ૪૮, ૪૯, ૨૭૮ કચક, ૪૮ કાંચીપુર / કાંજીવરમ્, ૨૭૮, ૩૪૭ ક્ષત્રિયકુંડ ગ્રામ, ૨૮, ૨૪, પપ કાંડિલ્યપુર (કપિલ), ૪૬, ૪૭, પર, પ૩, ખસ, ૪૮ પ૬ ખારાગોડા, ૫૪ કિરાત, ૪૮ ખાસિક, ૪૮ કુણાલ, ૪૬, ૪૦, ૪૯, પ૧ ખેરાલુ, ૨૫૬ કુરુદેશ, ૪૬, ૭, ૫૦, પર ગજકર્ણ, ૪૮ કુર્મારગામ (કુમાર), ૫૪, પપ ગજપુર, ૪૬, ૪૭, પર જુઓ દ્રપ્રસ્થ કુલક્ષ, ૪૮ ગજમુખ, ૪૮ કુશાગ્રપુર, ૪૨ ગયા, ૨૮૬, કુશાર્તક (કુશાવર્સ) દેશ, ૪૬, ૪૭ ગંગા નદી, ૪૩, પ૦, ૫૧, પ૩-૫૫, ૨૭૯, કુશિનગર / સિનારા, ૪૫, પર, ૨૫૮, ૨૯૨, ૨૯૫ ૨૯૬, ૨૯૭ ગંડક નદી, પ૧ કુસુમપુ૨, ૨૨ જુઓ પાટલિપુત્ર, જુઓ પટણા ગંધાર, ૫૦, પ૩, ૨૭૭ જુઓ કંદહાર, જુઓ કુંચ, ૪૮ - પેશાવર કુંડગ્રામ, ૩૯ ગિરનાર, ૨૫૬, ૨૬૪ જુઓ ઉજજયંત, કુંડક ગામ, પ૫, ૨૫૮ જુઓ રેવતાચલ કુંડલવનવિહાર, ર૬૯ ગુજરાત | ગુર્જરદેશ, ૪૫, ૫ર, ૨૫૫, ૨પ૭ પિકાગામ, પપ ગૃધ્રકૂટ પર્વત, ૨૯૩ કૂર્મગ્રામ, પપ ગોકુળગામ, પપ કૃતમંગળનગર, પપ ગોડ્રદેશ, ૪૮ કૃષ્ણાનદી, ર૭૪ ગોદાવરી નદી, પ૩ કેકય, ૪૮ ગોરખપુર, પ૧ કેતકાદ્ધક, ૪૬, ૪૭ ગોરખપુર (જિલ્લો), ૨૮૧ કેલવા, ૨૫૬ ગ્રામક ગામ, પપ કેસપુત્ત, ૪૫ ગ્રીસ, પલ કૈકયાદ્ધ દેશ, ૪૫ ચંદ્રદ્વીપ (બેટ), ૨૭૯ કોટિગ્રામ, ૨૯૫ ચંપાનગરી | ચંપાપુરી, ૧૦, ૨૮, ૨૯, ૩૬, કોટવર્ષનગર, ૪૬-૪૮ . ૪૦, ૪૧, ૪૩-૪૭, ૫૦, પ૩, ૫૫, ૨૬ કોરિયા, ર૭૧, ૩૬૧ ચંપાનદી, પ૦, પ૩ કોલાકગામ, પ૪-૫૬ ચાલિકા, ૨૯૨ કોશલ દેશ, ૬, ૨૮-૩૦, ૩૭, ૪૬, ૭, | ચાવાલ, પપ પ૦, ૫૧, પ૩, ૫૪, ૨૮૯, ૨૯૪ | ચીન, ૪૮, પર, ૫૯, ર૭૦, ૨૭૧, ૨૭૪, કોસાંબી / કૌશાંબી / કોસંબી, ૬, ૨૮, ૩૬૧, ૩૬૨ 30, ૩૧, ૩૩-૩૬, ૩૦, ૪૦, ૪૪, | ચુક, ૪૮ ૪૬, ૪૭, ૪૯, ૫૦, પર, પ૩, પ૫, | ચૂડામણિ દેશ, ર૭૮ પ૬, ૨૭૭, ૨૯૧, ૩૦૨ ચેટિ / ચેદી દેશ, ૪૬-૪૮, ૫૦, પર કોંકણ, ૪૮, ૪૯ | ચોડ / ચોલ દેશ, ૨૦૮ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ચોરાક ગામ, પય જનકપુર, ૫૧ જમના નદી, ૩૦, ૫૨, ૫૩ જંગલ, ૪૬, ૪૭ જંબુખંડ ગામ, ૫૫ જંબુદ્વીપ ક્ષેત્ર, ૧૦, ૧૧, ૪૫, ૪૬ જાપાન, ૨૭૧, ૩૬૧, ૩૬૨ જાલંધ૨, ૨૭૧ જાવા બેટ, ૬૧ જૂનાગઢ, ૨૫૬ જ઼ભકગામ, ૫૫ જેતવન, ૨૮૯, ૨૯૨ જોધપુર મંડલ, ૨૫૬ ટેલીગ્રામ, ૨૫૫ ડોમ્બિલિક, ૪૮ તક્કશિલા / તક્ષશિલા / તક્ષિલા, ૩૭, ૫૩, ૨૭૪, ૨૮૯ તમિસ્રા ગુહા, ૪૩ તામ્રલિપ્તિ નગર, ૪૬, ૪૭ તારંગાજી પહાડ, ૨૫૬ તિબેટ, ૨૭૧, ૨૭૪, ૨૮૦, ૩૬૧, ૩૬૨ તિહત દેશ, ૫૪ તુરંગાજમુખ, ૪૮ તુર્કિસ્તાન, ૩૬૨ તુંબાકગામ, ૫૫ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો નર્મદા નદી, ૪૯ નંદિપુર, ૪૬, ૪૭ નંદીગ્રામ, ૫૫ નાડિકા, ૨૯૫ નાલંદ / નાલંદા / નણંદ, ૨૭૪, ૨૭૭-૮૦, ૨૯૫, ૩૪૭ નિરંજના નદી, ૨૮૭ જુઓ ફલ્ગુ નદી નેપાલ, ૨૧, ૫૧, ૫૨, ૫૪, ૨૭૧, ૩૬૧, તેલિંગન, ૨૭૮ ત્રિમલય (દેશ), ૨૭૮ ધૂણા, ૪૯ દક્ષિણાપથ, ૪૯ દશાર્ણદેશ, ૪૪, ૪૬-૪૮ દશાર્ણનગ૨, ૪૪, ૫૬ દિલ્હી, ૫૨, ૨૭૧ દૃઢભૂમિ, ૫૫, ૮૯ દેલવાડા, ૨૫૬ દેવરાષ્ટ્ર, ૪૮, ૪૯ દ્રવલિ (દ્રાવિડ ?), ૨૭૯ દ્રવિડ, ૪૮ દ્વારાવતી / દ્રારામતી / દ્વારકા / કારવતી, ૪૬, ૪૭, ૫૨ ૩૬૨ ન્યગ્રોધિકા, ૨૨ પટણા, ૨૧, ૨૨, ૫૪ જુઓ પાટલિપુત્ર, જુઓ કુસુમપુર પત્નણદેશ, ૪૮ પદીરા, ૨૮૧ જુઓ કપિલવસ્તુ પર્લ્ડવ, ૨૦૧ પર્વકાળ, ૧૫ પંચાલ, ૪૬, ૪૭, ૫૦, ૫૩ જુઓ પાંચાલ પંજાબ, ૫૩, ૨૭૪ પાટલિપુત્ર, ૨૧, ૨૨, ૨૯, ૪૩, ૫૪, ૨૬૯, ૨૯૫, ૩૬૪ ૩૬૫ જુઓ પટણા, જુઓ કુસુમપુર પારસ, ૪૮ પારસનાથ હિલ, ૨૫૬ જુઓ સમેતશિખર પાર્વતગિરિ, ૨૭૪ પાલક ગ્રામ, ૫૫ પાલીતાણા, ૨૩, ૨૫૬ પાવા, ૨૯૫-૯૭ પાવાપુરી, ૪૫-૪૮, ૫૨, ૫૬, ૨૫૬, ૨૫૮ જુઓ અપાપાપુરી પાંચાલ, ૪૭, ૫૨ જુઓ પંચાલ પાંડવ પર્વત, ૨૮૫ પિફલીવન, ૪૫, ૨૯૭ પુરિમતાલ, પપ પુરિવટ્ટા / પુરીવર્તા, ૪૬-૪૮ પુલાસપુર, ૨૮ પુલિંદ, ૪૮ પુંડરીક, ૨૫૬ જુઓ શેત્રુંજય પૂર્ણકલશગામ, ૫૫ પૃષ્ઠચંપાનગરી, ૫૫, ૫૬ Page #408 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૭૯ ભોગપૂરી, પપ મગધ (રાજ્ય), ૧૧, ૨૧, ૨૯, ૩૦, ૩૪, ૩૫, ૩૭-૩૯, ૪૨, ૪૬, ૪૭, ૪૯-૫૧, પ૩-પપ, ૨૭૧, ૨૭૮, ૨૮૦, ૨૮૪, ૨૮૬, ૨૮૯, ૩પ૯ મત્સ્ય (મચ્છ) દેશ, ૪૬-૫૦, પર મથુરા | મધુરાનગરી, ૨૧, ૨૨, ૪૬-૪૮, પેઢાળા ગામ, પપ, ૮૯ પેશાવર, ૨૭૭ જુઓ ગંધાર પોતનપુર / પોટલિ, ૨૮, ૪૧, ૪૪, પ૩, પ૬, પોલાશપુર, પ૬ પૌ, ૪૯ ફલ્લુ નદી, ૨૮૭ જુઓ નિરંજના નદી બનારસ, પ૩ જુઓ કાશી (નગર), જુઓ વાણારસી બર્દવાન, ૨૫૬ બર્બરદેશ, ૪૮ બલિ ટાપુ, ૬૧ બલુચિસ્તાન, ૩૬૨ બહુશાળ ગામ, પપ બંગ (વંગ), ૪૬, ૪૭, ૪૯ બંગાલ, ૨૭૮, ૨૭૯, ૩૬૨ બિભેલગામ, પપ બિહાર, પ૦ બુક્કસ, ૪૮ બુદ્ધગયા, ૨૮૮ બુસાયર, ૩૬૧ બેઉવ, ૨૯૫ બોધિવૃક્ષ, ૨૮૭ બ્રહ્મદેશ, ૨૭૧, ૩૨૬, ૩૨૯, ૩૫૫, ૩૬૨ બ્રાહ્મણગ્રામ, પપ બ્રાહ્મણકુંડ ગામ, પપ ભગ, પર ભક્િલપુર / ભદ્રિલ, ૪૬, ૪૭, પપ ભદ્રિકાપુરી, પપ ભમરૂત, ૪૮ ભરતક્ષેત્ર, ૪૯ ભરૂચ્છ (ભરૂચ), ૫૪ ભગંદેશ, ૨૯૧ ભંગ, ૪૬, ૪૭ ભાગલપુર, પ૦, ૫૩ ભારતવર્ષ, ૧૧, ૨૯, ૪૫, ૪૬, ૫૬-૫૮, ૭૪, ૭૫, ૨૭૪, ૨૯૮ ભિલ્લ, ૪૮ ભૂતાન, ૩૬૧ મદ્દો, પ૪ મદ્રાસ ઇલાકો, ૨૭૮ મરૂમંડળ, પ૬ મલય, ૪૬, ૪૭ મલ્લા, પી મહાકોશલ, ૨૭૪ મહાપુર, ૨૯ મહાવન, ૨૯૫ મહાસેનવન, પપ મંચૂરિયા, ૩૬૧ મંડિકીકા નદી, પપ મારવાડ, ૨પ૭ માલવ / માલવિક, ૪૮-૫૦, ર૭૯ માસ દેશ, ૪૬, ૪૭ મિથિલાનગરી, ૩૦, ૪પ-૪૭, ૨૧, ૫૪-૫૬ મુjડ દેશ, ૪૮ મૃગવન, ૨૮૭, ૩૦૩ મૃત્તિકાવતી (મતિયાવઈ), ૪૪, ૪૬-૪૮ મેઢક ગામ, પપ, પ૬ મોરાક ગામ, ૫૪ મોંગોલિયા, ૨૭૧, ૩૬૧ યવન દશ, ૪૮ યષ્ટિવન, ૨૮૮ રાજગૃહ / રાજગિર, ૨૮-૩૦, ૩૫, ૩૮, ૩૯, ૪૧-૪૩, ૪૬, ૪૩, પ૦, ૫૧, પ૩-૫૬, ૨૫૬, ૨૬૯, ૨૮૪, ૨૮૮-૯૫, ૨૯૭, ૩૩૦ રામગા(ગ્રા)મ, ૪૫, ૨૯૬, ૨૯૭ રામપુર, ૩૬૧ રેવતાચલ, રપ૬, ૨૬૪ જુઓ ઉજ્જયંત, જુઓ ગિરનાર Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮) જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો રોમ, પ૯, ૩૬૨ વૈદ્ય, ૪૯ રોમક, ૪૮ વૈભારગિરિ, પ૬ રોરૂક (રોરૂવ), ૫૪ વિરાટ (વઈરાડ) નગરી, ૪૬, ૪૭, ૫૨ રોહિણી નદી, ૨૯૦ વૈશાલી (શાલિ), ૧૧, ૨૮, ૩૦, રૂપ, લકુસ, ૪૮ ૩૭-૪૬, પ૦, પ૧, ૫૪, ૫૫, ૨૫૮, લંકા, ૨૭૯, ૩૪૫, ૩૫૫, ૩૬૨ ૨૬૧, ૨૬, ૨૮૫, ૨૮૬, ૨૮૯, લાટ (લાઢ), ૪૬, ૪૭, ૪૯, પપ ૨૯૦, ૨૯૪-૯૭, ૩૬૦ જુઓ લાગલગામ, પપ. વિશાલાનગરી લંબિનીવન, ૨૮૧, ૨૮૨ વ્રજભૂમિ, પપ લોહાર્ગલગામ, પપ શકદેશ, ૪૮ વડોદરા, ૨૬૫ શકલ, ૨૭૭ વણિજક / વાણિજક (ગામ), ૪૫, ૫૫, પ૬ ! શબરદેશ, ૪૮ વત્સ / વસા | વંશદેશ, ૪૪, ૪૬, ૪૭, શાલિશીર્ષગામ, પપ ૫૦, પર, પ૩ શાંડિલ્ય (અંડિલ્લ), ૪૬, ૪૭ વરણ નદી, પ૩ શક્તિમતી / શુક્તિકાવતી (સોન્નિયમઇ), વરાડ, ૨૭૪ જુઓ વિદર્ભ ૪૬-૪૮, પ૨ વરુણ દેશ, ૪૦, ૪૮ શુદ્ધભૂમિ, પપ વરેઠા, ૨૫૬ શૂરસેનદેશ, ૨૨, ૪૬, ૪૭, ૫૦, પ૨, ૫૩ વદ્ધમાનનગર, ૫૪ જુઓ અસ્થિકગામ શેત્રુંજય, ૨૫૬, ૨૬૪ જુઓ પુંડરીક, જુઓ વલભીપુર, ૨૨ વિમલાચલ, જુઓ સિદ્ધાચલ વાણારસી, ૪પ-૪૭, પ૧, પ૩, ૫૫ જુઓ | શ્રાવસ્તીનગરી, ૧૦, ૩૦, ૪૫, ૪૭, ૧૪૮, - કાશી (નગર), જુઓ બનારસ ૫૪-૫૬, ૨૮૯-૯૨, ૨૯૪, ૩૬૧ જુઓ વારેન્દ્ર / વાલેન્દ્ર, ૨૭૯, ૨૮૦ સાવથી વાલુકગ્રામ, પપ શ્રીલંકા, ૩૬૧ જુઓ સિલોન, જુઓ વિજયપુર, ૨૯ સિંહલદ્વીપ, વિદર્ભ, ૨૭૪ જુઓ વરાડ શ્વેતાંબી (શ્વેતાંબિકા) નગરી, ૪૫-૪૮, પપ વિદેહ (દેશ), ૪૦, ૪૫-૪૭, ૨૧, ૫૪ પમાનિગામ, પપ વિમલાચલ, ૨૬૪ જુઓ શેત્રુંજય સલૅત્ર ગામ, પપ વિશાલા વિશાલી) નગરી, ૪૨, ૫૧, પર, સમતટ, ૨૭૮ પ૫, જુઓ વૈશાલી (વેશાલિ) સમેતશિખર, ૨પ૬ જુઓ પારસનાથ હિલ વિંધ્યાચલ પર્વત, ૫૦ સયૂનદી, પ૩ વીતભયનગર | વીતભયપટ્ટન, ૨૮, ૩૫, સંકલ્સ, પ૪ - ૩૬, ૩૯, ૪૦, ૪૪, ૪૬-૪૮ સંયેનો વિવાર, ૨૮૦ વીરપુરનગર, ૨૮ સાકેતપુર, ૨૯, ૪૬, ૪૭, પ૧, ૫૪ વેણાતટ પુર, ૪૨ સાગલ (નગર), ૫૪ વેણુવન, ૨૮૮, ૨૯૨ સાનુયષ્ટિક ગ્રામ, પપ વેથદીપ, ૨૯૬, ૨૯૭ સાવત્થી, ૩૦, ૩૦, ૪૬, ૪૮, ૪૯, ૫૧, વેજા (વૈરતિ-વૈરંત), ર૯૨ ૫૪ વૈતાઢ્યગિરિ, ૪૩ સિકિમ, ૩૬૧ Page #410 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ સિદ્ધાચલ, ૨૫૬ જુઓ શેત્રુંજય સિદ્ધાર્થપુર, ૫૫ સિયામ, ૨૭૧, ૩૫૫, ૩૬૨ સિરિયાટી, ૨૫૬ સિલોન, ૩૨૬, ૩૬૧ જુઓ શ્રીલંકા, જુઓ | સૌગંધિકનગરી, ૨૯ સિંહલદ્વીપ સૌરી(સૌર્ય)પુર, ૪૭ સૌવીર(સોવીર)દેશ, ૪૬, ૪૭, ૪૯, ૫૪ સિંધુ (દેશ), ૩૫, ૪૪, ૪૬, ૪૭, ૪૯ સિંધુ નદી, ૪૯, ૫૩ સિંહલદ્વીપ, ૨૭૦, ૩૬૧, ૩૬૨ જુઓ શ્રીલંકા, જુઓ સિલોન સિંહવકત્ર, ૨૭૮ સુઘોષનગર, ૨૯ સુપ્પારક, ૫૪ સુમંગળ ગામ, ૫૫ સુરત, ૫૪ સુરભિપુર, પપ અગ્રાયણીપૂર્વ, ૮ અઙગુત્તરનિકાય, ૨૬૧ અજીવકલ્પ, ૨૦ અદ્નકથા, ૨૭૦ અથર્વવેદ, ૬૦, ૬૪, ૧૩૭, ૧૩૮ અનુત્તરોપપાતિકદશાઃ સૂત્ર, ૭ અનુયોગદ્વાર, ૧૬, ૧૯, ૨૨ અનુયોગદ્દારસૂત્રવૃત્તિ, ૨૬ અનેકાન્તજયપતાકા (સ્વોપજ્ઞ સહિત), ૨૬ અનેકાન્તવાદ પ્રવેશ, ૨૬ અભિધમ્મટ્ઠસંગ્રહ, ૩૦૯ અભિધમ્મપિટક, ૨૬૯, ૨૭૨, ૨૭૯ અભિધર્મકોશ, ૨૭૩ અભિધર્મજ્ઞાનપ્રસ્થાનશાસ્ત્ર, જ્ઞાનપ્રસ્થાનશાસ્ત્ર અભિધર્મ(મહા)વિભાષા, ૩૪૫, ૩૫૩ અભિધર્મસમયર્દીપિકા, ૨૭૩ અભિસમયાલંકાર, ૩૪૪ અમઃસ્તવ, ૨૭૫ ૨૭૩ જુઓ ૨૭૨, ૨૭૩, સુરાષ્ટ્ર / સુરટ્ટ / સૌરાષ્ટ્ર, ૪૬-૪૯, ૫૨ સુસમારપુર, ૩૬, ૫૫ સુસુમાર પર્વત, ૪૫, ૫૨ સૈબીરિયા, ૩૬૧ સ્ફુણાક, ૫૫ સ્વર્ણખલ, ૫૫ હયકર્ણ, ૪૮ ૩. કૃતિનામો હવમુખ, ૪૮ હિરવુગામ, ૫૫ હસ્તિશીર્ષ (નગર), ૨૮ હિમાલય પર્વત, ૨૮, ૪૪ હિંદુસ્થાન, ૪૯, ૫૯, ૬૦, ૨૫૭ હૂણદેશ, ૪૮, ૪૯ અર્લી હિસ્ટ્રી ઑવ્ ઇન્ડિયા, ૩૬૪, ૩૬૬ અવન્ધ્ય-કલ્યાણપૂર્વ, ૯ અષ્ટપ્રકરણો, ૨૬ અષ્ટસહસિકા, ૨૭૯ અષ્ટસાહસિક પ્રજ્ઞાપારમિતા, ૨૭૨ અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ, ૮ અંગચૂલિયા, ૨૦ અંગવિદ્યા, ૨૦ અંતકૃતદશાઃસૂત્ર, ૭, ૧૨ આચારાંગ નિયુક્તિ, ૨૦ આચારાંગ સૂત્ર, ૩, ૪, ૧૨, ૨૦ આતુરપ્રત્યાખ્યાન, ૧૮, ૨૦ આત્મપ્રવાદ પૂર્વ, ૯, ૧૩ આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૩૪ આદિકમંરચના, ૩૬૩ આદિત્યપુરાણ, ૪૮ ૩૮૧ આરાધનાપતાકા, ૨૦ આર્ય દર્શનોનો સંક્ષિપ્ત ઇતિહાસ', ૨૭૬, ૨૭૭ આલંબનપરીક્ષા, ૨૭૮ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો આલંબનપરીક્ષાની વૃત્તિ, ૨૭૮ શાસ્ત્ર આલંબન-પ્રત્યય-ધ્યાનશાસ્ત્ર વ્યાખ્યા, ૨૭૮ ક્રિયાવિશાલ પૂર્વ, ૯ આવશ્યક નિર્યુક્તિ, ૨૦ ક્ષામણાસૂત્ર (પાક્ષિકક્ષામણાસૂત્ર), ૧૯ આવશ્યક સૂત્ર, ૧૨, ૧૯ ક્ષેત્રવિચાર, ૨૩ આવશ્યકસૂત્ર બૃહદ્રવૃત્તિ, ૨૬ ગચ્છાચાર, ૨૦ ઇતિવૃત્તક, ૩પ૯ ગણિવિદ્યા, ૧૯ ઉત્તરમીમાંસા પર ટીકા, ૨૭૭ ગણેશપુરાણ, ૨૬૪ ઉત્તરમીમાંસા સૂત્ર, ૨૨૬ જુઓ બ્રહ્મસૂત્ર ગંડભૃહ, ૨૭૨ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ, ૨૦ ગાથાસત્તસઈ, ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૨, ૧૩-૧૫, ૧૯, ૨૦ ગૃહસ્થવિચાર, ૧૭૨ ઉત્પાદપૂર્વ ૮ ગોતમ બુદ્ધ, ૨૯૭ ઉપદેશપદપ્રકરણ, ર૬ ચતુઃ શતક, ૨૭૫ ઉપાયકૌશલ્ય, ૨૭૫ ચતુઃ શરણ, ૧૮ ઉપાસકદશાઃ સૂત્ર, ૬, ૭, ૧૨ ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૧૧, ૧૨ ઉવવાઈસુત્ત જુઓ ઔપપાતિક (ઉવવાઈ) ચંદ્રવેધ્યક, ૧૮ સૂત્ર ચંદ્રવ્યાકરણ, ૨૮૦ ઉવસગ્ગહર, ૨૧ ચિત્તવિશુદ્ધિ પ્રકરણ, ૨૭પ ઋગ્વદ, ૬, પ૯, ૬૦, ૯૮, ૨૬૩ ચુધવચ્ચ, ૨૬૯, ૨૮૨ ઋષિભાષિત, ૨૦. ચૂલિકા, ૧૦ ઋષિભાષિત નિયુક્તિ, ૨૦ છાંદોગ્યોપનિષદ્, ૬૪, ૩૦૪ ઐતરેય ઉપનિષદ (આરણ્યક), ૬૩-૬૫ જગત્યતૃત્વમીમાંસા, ૧૯૪ ઐતરેય બ્રાહ્મણ, ૨૬૩ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ૧૧, ૧૨ ઓઘનિર્યુક્તિ, ૧૨, ૧૬, ૨૦ જુઓ જંબૂદ્વીપ સમાસ પ્રકરણ, ૨૩ પિંડનિર્યુક્તિ જંબૂત્રા, ૨૦ પપાતિક (વિવાઈ)સૂત્ર, ૧૦, ૧૨ જાતકગ્રંથ, પ૦, પર, ૨૬૯ કઠોપનિષદુ, ૬૪ જિનચરિત, ૧૯ કથાકોષ, ૨૬ જીતકલ્પસૂત્ર, ૧૯, ૨૫ કથાવત્થ, ૩૪૭ જીવવિભક્તિ, ૨૦ કમ્પવડંસિયા (કલ્પાવતંસિકા)સૂત્ર, ૧૧, ૧૨ જીવાજીવવિભક્તિ પરની નિયુક્તિ, ૧૫ કપ્રિયા (કલ્પિકા)સૂત્ર, ૧૧, ૧૨ જીવાભિગમ સૂત્ર, ૧૦, ૧૨ કલ્પસૂત્ર, ૧૭, ૧૯, ૬૦ જુઓ પર્યુષણાકલ્પ, જૈન તત્ત્વાદર્શ, ૬૮ જુઓ બારસાસૂત્ર જેન ધર્મપ્રકાશ', ૪૩ કલ્યાણમંદિર સ્તવન, ૨૪ જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર, ૨૯ કદ્ધવગ, ૨૭૧ ‘જેન ફિલૉસોફી ઇન ઇટ્સ રિલેશન ટુ કવચ પ્રકરણ, ૨૦ બ્રાહ્મનિમ', ૧૫ર કાદંબરી, ૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૨૨, ૨૭ કાશિકાવૃત્તિ, ૨૮૦ જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, ૬, ૧૨ કૈવલ્યોપનિષદ, ૧૩૭ જ્ઞાનપ્રવાદપૂર્વ, ૯ કોશકારકશાસ્ત્ર, ૨૭૩ જુઓ ન્યાયાનુસાર 1 જ્ઞાનપ્રસ્થાન (શાસ્ત્ર), ૨90, ૨૭૩, ૩૫૩ Page #412 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૮૩ જ્ઞાનપ્રસ્થાનશાસ્ત્ર પરની મોટી ટીકા, ૩પ૩ | દેવેન્દ્રસ્તવ, ૧૯ જુઓ મહાવિભાષા દ્વાત્રિશિકા (બત્રીશ), ૨૪ જ્ઞાનાર્ણવ, ૨૧૪ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, ૨૦ જ્યોતિષ પર સંહિતા, ૨૧ ધમ્મપદસુત્ર, ૧૩, ૩૦, ૨૬૯, ૩૦૬, ૩રપ, જ્યોતિકરંડ, ૨૦ ૩૪૪, ૩૬૦ જયોતિકરંડક પર ટીકા, ૨૪ ધર્મબિન્દુ પ્રકરણ, ૨૬ તત્ત્વસંગ્રહકારિકા, ૨૮૦ ધર્મસંગ્રહણી પ્રકરણ, ૨૬ તત્ત્વસંગ્રહપંજિકા, ૨૮૦ ધર્મસ્કંધ, ૨૭૦ તત્ત્વાર્થસૂત્રભાષ્યટીકા, ૧૭૦ ધર્માધર્મતા ત્રિભંગ, ૩૪૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર / તત્ત્વાર્થસૂત્ર, ૨૨, ૨૩, ધર્મોત્તર ટિપ્પનક, ૨૮૦ ૧૨૮, ૧૫૩ ધાતુકાય, ૨૭૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર પરનું ભાષ્ય, ૨૨ ધૂર્તાખ્યાન, ૨૬, ૨૭ તથાગત ગુહ્યક, ૨૭૨ ધ્યાનશતક, ૧૨, ૨૫ તરંગવતી, ૨૭૮ નયકર્ણિકા, ૨૩૭ તકેન્યાય, ૨૭૯ જુઓ વાદન્યાય ચક્ર, ૨૪ તર્કશાસ્ત્ર, ર૭૮ નયચક્ર પર ટીકા, ૨૪ તંદુ વૈચારિક, ૧૮ નંદીની વૃત્તિ, ૩ તિથિપ્રકીર્ણક, ૨૦ નંદીસૂત્ર, ૧૬, ૧૯, ૨૨ તીર્થોદ્ગાર, ર૦ નંદીસૂત્રની ચૂર્ણિ, ૨૨ તેપિટક, ૨૬૯, ૨૭૦, ૨૭૨ જુઓ ત્રિપિટક નંદીસૂત્ર લઘુવૃત્તિ, ર૬ તૈતરીય ઉપનિષદ, ૬૪, ૬૫ નિવણ કલિકા, ૨૩ ત્રિકાલપરીક્ષા, ર૭૮ નિશીથ (લઘુનિશીથ), ૧૬, ૧૯ ત્રિપિટક / તિપિટક, ૨૬૯, ૨૭૦, ૨૭૮, નિશીથ ચૂર્ણિ, ૪૯ ૨૮૨, ૨૮૩, ૨૮૬, ૩૦૨, ૩૩૦, ૨૮૬, ૩૦૨, ૩૩૦, | ન્યાયપ્રવેશ, ૨૭૮ જુઓ તેપિટક ન્યાયપ્રવેશ સૂત્ર પર વૃત્તિ, ૨૬ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૩૬, ૪૩, ૪૭, ન્યાયબિંદુ-ટીકા, ૨૪ ન્યાયબિંદુ પૂર્વપક્ષે સંક્ષિપ્ત, ૨૮૦ થેરવાદ, ૨૬૯, ૨૭, જુઓ સ્થવિરવાદ ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી, ૧પ૩ - થેરાવલિ, ૧૯ ન્યાયાનુસાર શાસ્ત્ર, ૨૭૩ જુઓ કોશકારક થેરીગાથા, ૨૬૯, ૩પ૭ શાસ્ત્ર દક્ષિણામૂર્તિ-સહસ્ત્રનામ, ૨૬૩ ન્યાયાલોકસિદ્ધિ, ૨૮૦ દશ-ભૂમિવિસ્તાર, ૨૭૨ ન્યાયાવતાર, ૨૪ દશવૈકાલિક પરની નિયુક્તિ, ૧૩, ૧૬, ૨૦ | પદ્મપુરાણ, ૨૭૭ દશવૈકાલિક સૂત્ર, ૧૨, ૧૩, ૧૬, ૧૯, ૨૦, ! પર્યતારાધના, ૨૦ ૨પપ પર્યુષણાકલ્પ, ૧૭, ૧૯ જુઓ કલ્પસૂત્ર, દશવૈકાલિક સૂત્ર પર વૃત્તિ, ર૬ જુઓ બારમાસૂત્ર દશાશ્રુતસ્કંધ, ૧૬, ૧૯, ૨૦ પંચકલ્પસૂત્ર, ૧૬, ૧૮ દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ, ૨૦૦ પંચકલ્પસૂત્ર પર ભાષ્ય, ૧૬ દષ્ટિવાદ, ૩, ૮, ૧૦, ૧૨, ૨૧ | પંચવસ્તુ પ્રકરણ-ટીકા, ર૬ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પંચસૂત્રપ્રકરણ-ટીકા, ૨૬ પંચાશક પ્રકરણો, ૨૬, પાક્ષિકસૂત્ર, ૧૯ પાણિનિ વ્યાકરણ પર ભાષ્ય, ૨૮૦ પાણિનિ વ્યાકરણ પર ભેદાવૃત્તિ, ૨૦૮ પાતંજલદર્શન, ૩૧૫, ૩ર૪ : પાતંજલ યોગસૂત્ર, ૧૯, ૧૯૮, ૨૦૧, ૨૦૨, ૨૦૭, ૨૧૩, ૨૯૮ પિંડનિર્યુક્તિ, ૧૨, ૧૬, ૨૦ જુઓ ઓઘનિર્યુક્તિ પિંડવિશુદ્ધિ, ૨૦ (એ) પીપ ઈન્દુ ધી અલ હિસ્ટ્રી ઑવું ઇન્ડિયા, ૩૧૨ પુફિયા (પુષ્પિકા) સૂત્ર, ૧૧, ૧૨ પુષ્ફચુલિયા (પુષ્પચૂલિકા), ૧૧-૧ર પૂજાપ્રકરણ, ૨૩ પૂર્વમીમાંસા સૂત્ર, ૨૨૬ પૂર્વો, ૩, ૮, ૧૦, ૨૦, ૨૧ પ્રકરણ આર્યવાચા, ૩૪૪ પ્રકરણપાદ, ૨૭૦ પ્રજ્ઞતિશાસ્ત્ર, ૨૭૦ પ્રજ્ઞાપનાસૂત્ર, ૧૦-૧૨ પ્રજ્ઞાપના (સૂત્ર)-ટીકા, ૨૩ પ્રજ્ઞાપનાસૂત્ર પ્રદેશ વ્યાખ્યા, ર૬ પ્રજ્ઞાપારમિતા, ૨૭૪, ૩૬૨ પ્રજ્ઞાપારમિતાની ટીકા, ૨૭૪, ૩૪૮ પ્રતિજ્ઞાયૌગંધરાયણ, ૩૪ પ્રત્યક્ષ પ્રમાણ વ્યાખ્યા, ૨૭૯ પ્રત્યાખ્યાનવાદ પૂર્વ, ૯, ૧૩ પ્રભાવક ચરિત્ર, ૧૦, ૨૪ પ્રભાસપુરાણ, ૨૬૪ પ્રમાણ વાર્તિકકારિકા, ૨૭૯ પ્રમાણ વાર્તિકવૃત્તિ (ધર્મકીર્તિકૃત), ૨૭૯ પ્રમાણ વાર્તિકવૃત્તિ (રવિગુપ્તકૃત), ૨૮૦ પ્રમાણ વિધ્વંસન, ૨૭૫ પ્રમાણ વિનિશ્ચય, ૨૭૯ પ્રમાણશાસ્ત્રપ્રવેશ, ૨૭૮ પ્રમાણસમુચ્ચય, ૨૭૮ પ્રમાણસમુચ્ચયવૃત્તિ, ૨૭૮ પ્રવચનુભાષ્ય, ૨૭૭ પ્રવાસી', ૩૬૪ પ્રશમરતિ, ૨૩ પ્રશ્રવ્યાકરણદશા, ૭-૮, ૧૨ પ્રાણાયુઃ (પ્રાણાવાય) પૂર્વ, ૯ બારસા સૂત્ર, ૧૯ જુઓ કલ્પસૂત્ર, જુઓ પર્યુષણાકલ્પ બિન્દુસાર પૂર્વ, ૯ બુદ્ધચરિત, ૨૮૨, ૨૮૩, ૨૮૬, ૩૩૮ બુદ્ધના સંવાદો, ૬૩ બુદ્ધિસ્ટ ઇન્ડિયા, ૨૯ બૃહત્કલા નિર્યુક્તિ, ૨૦ બૃહત્કલ્પસૂત્ર, ૧૬-૧૭, ૧૯, ૨૦ બૃહક્ષેત્રસમાસ, ૨૫ બૃહત્સંગ્રહિણી, ૨૫ બૃહદારણ્યક (ઉપનિષદુ), ૬૪, ૬૫, ૩૦૪, ૩૧૯ બૃહદારણ્ય વાર્તિક, ૨૭૯ બૃહદ્રવ્યસંગ્રહ, ૧૫૪ બોધિચર્યાવતાર, ૨૭૪, ૩૪૦ બોધિસત્ત્વચર્યાનિર્દેશ, ૨૭૫, ૨૭૭ બૌદ્ધદર્શનમીમાંસા, ૩૬૪ બૌદ્ધ ભારત, પી બૌદ્ધાયનસૂત્ર, ૩૧૦ બ્રહ્મ-મમથન-યુક્તિ-હેતુ-સિદ્ધિ, ૨૭૫ બ્રહ્મસૂત્ર, ૨૨૬, ૨૬૩જુઓ ઉત્તરમીમાંસાસૂત્ર ભક્તપરિજ્ઞા, ૧૮ ભક્તામરસ્તોત્ર, ૧૩૭ ભગવતીસૂત્ર, ૫-૬, ૧૨ જુઓ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિસૂત્ર ભગવદ્ગીતા, ૬૧, ર૧૨, ૨૩૧, ૩૦૪, - ૩૧૦, ૩૧૯, ૩પ૦ ભરતેશ્વર-બાહુબલિ વૃત્તિ, ૩૬ ભાગવત (શ્રીમ), ૨૪૬, ૨૪૯ ભારત, ૧૬ જુઓ મહાભારત ભારતવર્ષ મેં દેવતાઓં કી પ્રતિમાઓ કા પૂજન કબ સે ચલા ?', ૯૮ મજિઝમાનિકાય, ર૬૧, ૨૬૯, ૨૭) મધ્યાન્તવિભંગ (મધ્યાન્તવિભાગ), ૩૪૪ Page #414 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૮૫ મધ્યાન્તાનુગમ શાસ્ત્ર, ૩૪૪ મનુસંહિતા, ૩૬૫ મનુસ્મૃતિ, ૨૬૪, ૩૧૨ મરણસમાધિ, ૨૦ મહાનિશીથ, ૧૬, ૧.૮ મહાપરિનિવણસૂત્ર, ૩૫૦ મહાપ્રત્યાખ્યાન, ૧૯ મહાભારત, પ૩, ૫૮, ૬૦, ૬૧, ૨૪૯, ૨૬૨, ૩૧.૮, ૩પ૩, ૩૬૫ જુઓ ભારત મહાભાષ્ય, ૩૬૫ મહાયાન ઉત્તરતંત્ર, હ૪૪ મહાયાન સંપરિગ્રહ, ૩૪૪ મહાયાન સ્ત્રાલંકાર, ૩૪૪, ૩૪૯, ૩પ૦ મહાવચ્ચ (ગ્રંથ), ૨૬૧, ૨૬૯, ૨૮૭, ૩૦૯, ૩૧૪ મહાવિભાષા, ૩૫૩ જુઓ જ્ઞાનપ્રસ્થાન શાસ્ત્ર પરની મોટી ટીકા “મહાવીર', ૭૫ મહાવીરચરિત્ર, ૨૯, ૩૨, ૪૩, પ, ૬૩ (શ્રી) મહાવીર જીવનવિસ્તાર, 90 મહામાસૂત્ર, ૨૭૫, ૨૭૭ મહિમ્નસ્તોત્ર, ૨૬૪ માધ્યમિક કારિકા, ર૭૫, ૩૫૫ માધ્યમિક શાસ્ત્ર, ૩૪૬, ૩૫૫ મિલિન્દ પહ, ૩૪ મુનિમતિચરિત્ર, ૨૭ મૃચ્છકટિક, ૩૬૫ મેઘદૂત, ૨૭૮ ‘મોડર્ન રિવ્યુ', ૬૧. યજુર્વેદ, ૬, ૯૮, ૨૬૨, ૨૬૩ યતિજીતકલ્પ, ૧૯ યશોધચરિત્ર, ૨૭, ૯૩ યુક્તિષણિકા કારિકા, ર૭પ યોગદષ્ટિસમુચ્ચય, ૨૬, ૨૦૨, ૨૦૫, ર૦૭, ૨૦૮ યોગબિ૬, ૨૬, ૧૮૨, ૨૪, ૨૭૯, ૨૧0, ૨૧૨ યોગવાશિષ્ઠ, ર૬ ૩ યોગશાસ્ત્ર, ૧૪૮, ૨૧૪, ૧૧૬ યોગસૂત્ર, ૨૧૪, ૨૬૩, ૨૯૮, ૩૦૪, ૩૧૬, ૩૩૩ . યોગાચાર ભૂમિશાસ્ત્ર, ૩૪૪ યોનિપ્રાભૃત, ૨૦ રાજતરંગિણી, ર૭૪ રામાયણ, ૧૬, પ૩, ૨૮, ૨૬ ૨, ૩૬પ રાયપાસેણી (રાજપ્રશ્રીય સૂત્ર, ૧૦, ૧૨ લલિતવિસ્તર, ૨૭૨ લલિતવિસ્તરા, ૨૬ લંકાવતાર સૂત્ર, ર૭૨, ૨૭૫, ૩પ૧, ૩પપ લોકતત્ત્વનિર્ણય, ર૬ વગ્ગચૂલિયા, ૨૦. (ધ) વર્લ્ડ એસ વિલ એન્ડ આઈડિયા, ૨૮૧ ‘વસંત', ૪૯ વસુદેવચરિત, ૨૧ વંદિત્તસૂત્ર, ૧૯ વાજસનેય સંહિતા, ૩૨૫ વાદન્યાય, ૨૭૯ જુઓ તર્કન્યાય વાદન્યાયવૃત્તિ વિરચિતાર્થ, ૨૮૦ વિગ્રહ વ્યાવર્તની કારિકા, ૨૭૫ વિગ્રહ વ્યાવર્તની વૃત્તિ, ૨૭૫ વિજેસિંહનો મહાવંશ, ૨૬૯ વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ, ૩૪૭ વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિશાસ્ત્ર વ્યાખ્યા, ર૭૮ વિજ્ઞાનકાય, ૨૭) વિદ્યાનુવાદ પૂર્વ, ૯ વિનયપિટક, પ0, ૨૬૯, ૨૭૦, ૨૭૨, ૨૮૨ વિનયવિભાષા, ર૭ર વિપાકસૂત્ર, ૮, ૧૨ વિમલપ્રભા, ૩૬૨ વિશુદ્ધિમમ્મ, ૩૦૫, ૩૩૮, ૩૪૦, ૩૪૫ વિશેષણવતી, ૨૫ વિશેષાવશ્યક ભાષ્ય, ૨૦, ૨૫ ‘વિસિસિટ્યુસ ઑવ્ થિંગ્સ', ૮૩ વિશતિ વિંશતિકા પ્રકરણ, ૨૬ વીરસ્તવ, ૧૯ વીરાંગદકથા, ૨૭ વીર્યપ્રવાદ પૂર્વ, ૮ વૃદ્ધચતુઃશરણ, ૨૦ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વૃષ્ણિદશા (વલિંદસા), ૧૨ સંતાનાંતર સિદ્ધિ, ૨૭૯ વૈપુલ્યસૂત્રો, ૨૭૦ સંબંધ પરીક્ષા, ૨૭૯ વૈશંપાયનસહસ્ત્રનામ, ર૬૩ સંબંધ પરીક્ષા પર વૃત્તિ, ૨૭૯ વ્યવહાર નિર્યુક્તિ, ૨૦ સંયુત્ત (ત્રીજા), ૩૭ વ્યવહાર સૂત્ર, ૧૬, ૧૯, ૨૦ સંસક્ત નિર્યુક્તિ, ૨૦, ૨૧ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર, પ-૬ જુઓ ભગવતીસૂત્ર સંસ્તારક, ૧૮ શતકશાસ્ત્ર, ૨૭૫ સામવેદ, ૬૦, ૨૬૩ શતશાસ્ત્ર વૈપુલ્ય વ્યાખ્યા, ૨૭૮ સામાચારી, ૧૯ શબ્દાનુશાસન અને તે પરની સ્વોપજ્ઞ સામાન્ઝફલસુત્ત, ૬૭, ૨૬૧ અમોઘવૃત્તિ, ૨૬૩ સારાવલિ, ૨૦ શાસ્ત્રવાત સમુચ્ચય (સ્વકૃત વ્યાખ્યા સિક્સ સ્કૂલ્સ ઑવ્ ઇન્ડિયન ફિલોસોફી સહિત), ૨૬, ૨૨૭ (ષદર્શન), ૨૨૭ શાંકરભાષ્ય, ૨૩૧ સિદ્ધપ્રાભૃત, ૨૦ શૃંગારશતક, ૨૬૪ સુત્તનિપાત્ત, ૨૮૨, ૨૮૫ શ્રાદ્ધજીતકલ્પ, ૧૯ સુત્તપિટક, ૨૬૯, ૨૭૨, ૨૮૩ શ્રાવક પ્રજ્ઞપ્તિ (શ્રાવક ધર્મવિધિ), ૨૩, ૨૬ સુવર્ણપ્રભાસ, ૨૭૨ શ્વેતાશ્વતર, ૩૦૪ સુહૃલ્લેખ, ૨૭૫ પદર્શન સમુચ્ચય, ૨૬, ૬૮, ૧૯૪, ૨૨૭, સૂત્રઉપદેશ, ર૭૨ ૨૨૮, ૩૦૧ સૂત્રકૃતાંગ નિર્યુક્તિ, ૨૦ ષદર્શન સમુચ્ચય પર ટીકા, ૨૨૮, ૩૦૧ સૂત્રકૃતાંગ સૂત્ર, ૪, ૧૨, ૨૦ પદ્દર્શન સમુચ્ચય પરની મોટી વૃત્તિ, ૬૮ સૂર્યપ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ, ૨૦ સકલાહંતુ, ૯૨ સૂર્યપ્રજ્ઞતિ પર નિયુક્તિ, ૧૧ સત્યપ્રવાદ પૂર્વ, ૧૦, ૧૩ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, ૧૧, ૧૨ સદ્ધર્મ પુંડરીક, ર૭૨ સૃષ્ટિકર્તૃત્વમીમાંસા, ૧૯૪ સન્મતિતર્ક પ્રકરણ, ૨૪ સેકેડ બુક્સ ઑવ્ ધ ઈસ્ટ, ૯૬-૯૭, ૨૮૭ સન્મતિતર્ક પ્રકરણ પર ટીકા, ૨૪ સ્ટડીઝ ઇન જૈન ફિલોસૉફી, ૧૮૩ સન્મતિતર્ક વૃત્તિ, ૨૪ વિરવાદ, ર૭૦ જુઓ થેરવાદ, સપ્તદશભૂમિશાસ્ત્ર યોગાચાર્ય, ૨૭૫, ૨૭૭ સ્થાનાંગસૂત્ર, ૫, ૧૨, ૨.૩૯ સમયપ્રવાદ (કર્મપ્રવાદ) પૂર્વ, ૯, ૧૩ સ્યાદ્વાદમંજરી, ૨૨૯ સમયભેદોષરચનાક, ૨૭૯ સ્યાદ્વાદ રત્નાવતારિકા, ૨૮૦ સમરાઈચ કહા (સમરાદિત્ય કથા), ૨૬, ૨૭ હનુમાત્રાટક, ૨૬૪ સમવાયાંગસૂત્ર, ૫, ૧૨ હસ્તબાલ પ્રકરણ, ૨પ સમાધિરાજ, ૨૭ર હિસ્ટ્રી ઑવ્ ધી મિડીએનલ સ્કૂલ ઑવું સમ્બોધ પ્રકરણ, ર૬ ઇન્ડિયન લૉજિક, ૨૮૦ સમ્બોધ સપ્તતિકા પ્રકરણ, ૨૬ હિંદના ન્યાયનો મધ્યકાલીન ઇતિહાસ, ૨૭૪ સમ્મતિતર્ક, ૧૮૯, ૧૯૪ હિંદનો ઇતિહાસ, ૨૬૨ સરસ્વતી’ હિંદી માસિક), ૯૮ હેતુચક હર્મરૂ, ૨૦૮ સર્વદર્શનસંગ્રહ, રર૭, ૨૨૮, ૨૭૭, ૩૦૬ | હતુબિંદુ, ર૭૯ સંગીતિપર્યાય, ર૭૦ હેતુબિંદુ વિવરણ, ૨૭૯ Page #416 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ 3८७ ૪. વિષયસૂચિ અક્રકથા (અર્થકથા), ૨૭૦ અંગો (બાર), ૩-૧૦, ૧૯, ૨૧, ૪૬ અણુવ્રત (પાંચ), ૧૦૮, ૨૪૬-૪૮ - આચારાંગ, ૩-૪, ૧૨, ૨૦, ૨૧, - સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨૪૬ ૪૬, ૭, ૮, ૯૬ - સ્થૂલ મૃષાવાદવિરમણ, ૨૪૬-૪૭ - સૂત્રકૃતાંગ, ૪, ૧૨, ૨૦, ૪૬, ૬૬ - સ્થૂલ અદત્તાદાન વિરમણ, ૨૪૭ - સ્થાનાંગ, ૫, ૧૨ - સ્થૂલ અબ્રહ્મચર્યવિરમણ, ૨૪૭-૪૮ - સમવાયાંગ, ૫, ૧૨, ૨૨ - સ્થૂલ પરિગ્રહપ્રમાણ, ૨૪૮ - વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, પ-૬ જુઓ અનિત્યતા, ૩૪૩-૪૬ - ભગવતીસૂત્ર -ના સિદ્ધાંતનું વિવરણ, ૩૪૩ - જ્ઞાતાધર્મકથાંગ, ૬, ૧૨ -ના ત્રણ પ્રકાર : જીવન-કાલની - ઉપાસકદશા, ૬-૭, ૧૨ અનિત્યતા, ક્ષણિક અનિત્યતા, - અંતકતદશા, ૭, ૧૨ શૂન્યતાવાદ, ૩૪૪-૪૬ - અનુત્તરોપપાતિદશા, ૭, ૧૨ અનુયોગદ્વાર, ૧૬, ૧૯, ૨૨ - પ્રશ્રવ્યાકરણદશા, ૭-૮, ૧૨ અનુષ્ઠાન (પાંચ), ૨૧૦-૧૨ - વિપાકસૂત્ર, ૮, ૧૨ -ના પાંચ પ્રકાર : વિષાનુષ્ઠાન, | - દષ્ટિવાદ, ૩, ૮-૧૦, ૧૨, ૨૧ ગરલાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તહેતુ | આગમો (૪૫), ૩-૨૦ અનુષ્ઠાન, અમૃત અનુષ્ઠાન, - ૧૧ અંગ, ૩-૮, ૧૯ ૨૧૦-૧૨ – ૧૨ ઉપાંગ, ૧૦-૧૨, ૧૯ એકાન્તવાદ, ૬૫, ૨૩૧-૩૯ - ૬ છેદસૂત્ર, ૧૬-૧૮, ૧૯ - સ્વપર્યાય અને પરપર્યાય, ૨૩૧-૩૩ - ૪ મૂલસૂત્ર, ૧ર-૧૬, ૧૯ - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવાદિ પ્રકારે - ૨ સૂત્ર (નંદી, અનુયોગદ્વાર), ૧૬, સુવર્ણઘટનું દષ્ટાંત, ૨૩૧-૩૨ ૧૯ - એટલે ?, ૨૩૪ - ૧૦ પયા, ૧૮-૨૦ - સપ્તભંગી, ૨૩૪-૩૫ –ની ભાષા, ૨૦ - અનેકાંત વિરોધાત્મક હોવા અંગે | આત્મવાદ – બુદ્ધ મતે, ૩૩૮-૩૯ શંકા, ૨૩૫ આત્માના ત્રણ પ્રકાર, ૧૯૫ - શંકાનું સમાધાન, ૨૩૫-૩૬ - બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, -માં નય, નિક્ષેપ, પ્રમાણ આદિનો ૧૯૫ સમાવેશ, ર૩૬-૩૯ આત્માનું ઉપનિષદોમાં નિરૂપણ, ૬૩-૬૫ અરિહંત, ૯૪-૯૮ જુઓ તીર્થકર આત્માનું સ્વરૂ૫, ૧૩૪-૧૪૭ જુઓ અહંતો – બૌદ્ધમત પ્રમાણે, ૩૩૨-૩૩ સમ્યકત્વનાં ૬ સ્થાનક -ની ચાર પ્રતિસંભિદા, ૩૩ર આત્માને કર્મનો સંયોગ, ૧૧૦-૨૮ -ની પાંચ અભિજ્ઞા, ૩૩૨-૩૩ -- આત્માનો સ્વભાવ, ૧૧૦ -ની આઠ વિદ્યા, ૩૩૩ -- આત્મા અને કર્મનો સંયોગ, -ની ઇદ્ધિ, ૩૩૩ ૧૧૧-૧૨ -નું પ્રધાન લક્ષણ, ૩૩૩ – આત્મા અને કર્મનો સંબંધ, ૧૧૨, અવતારવાદ, ૧૯૪ ૧ ૨૭, ૧૨૮ Page #417 -------------------------------------------------------------------------- ________________ 3८८ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો - આઠ કની મૂળ પ્રકૃતિ અને ઉત્તર ! - જંબૂદીપ પ્રજ્ઞપ્તિ, ૧૧, ૧૨ પ્રકૃતિ, ૧૧૩-૧૯ - ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૧૧, ૧૨ - આત્માને કર્મનું આવરણ, ૧૧૯-૨૦ - કપ્પિયા (કલ્પિકા) / નિરયાવલિકા - કર્મના ત્રણ ભેદ, ૧૨૧ શ્રુતસ્કંધ, ૧૧, ૧૨ -- કર્મનો ફલોદય, ૧૨૬-૨૭ - કપૂવડંસિયા (કલ્પાવતસિકા), ૧૧, આર્ય અષ્ટાંગિક માર્ગ, ૩૧૧-૨૪ ૧૨ (સમ્યક) દૃષ્ટિ, સંકલ્પ, વાચા, કર્માન્ત, - પુફિયા (પુષ્પિકા), ૧૧, ૧૨ આજીવ, વ્યાયામ, સ્મૃતિ, સમાધિ, - પુફચુલિયા (પુષ્યચૂલિકા), ૧૧-૧૨ ૩૧૧-૨૪ - વલિંદસ વૃષિણદશા), ૧૨ આર્યસત્ય (ચાર), ૨૧૯-૨૦, ૩૦૩-૨૫ | ઉપોસથ દિન, ૨૩૨ ૧. દુઃખ દુઃખ છે.), ૩૦૩-૦૭ - કયા કયા ? ૩૨૮ ૨. દુઃખસમુદાય દુઃખનું કારણ છે.), - ત્યારે જાળવવાના ૮ નિયમો, ૩૨૮ ૩૦૭-૦૮ ઋદ્ધિપાદ, ૩૨૨ જુઓ ઇદ્ધિપાદ (ચાર) ૩. દુઃખનિરોધ (દુ:ખનો નાશ પણ છે.) કરણ (ત્રણ), ૧૬-૮૦ ૩૦૮-૦૯ -ના ત્રણ પ્રકાર : યથાખ્યાતકરણ, ૪. દુઃખનિરોધમાર્ગ (દુઃખનિવારણનો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ઉપાય પણ છે.), ૩૦૯-૨૫ ૧૭૬-૮૦ આર્યાવર્તના ધર્મો, ૨૨૭ કરણસિત્તરી, ૧૦૦, ૧૦૩ આશ્રમવ્યવસ્થા, ૬૩, ૨૪૨ કર્મસિદ્ધાંત – બુદ્ધમતે, ૩૪૦-૪૨ – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત, | - કર્મનો કર્તા અને ભોક્તા, ૩૪૧ - ૬૩, ૨૪૨ - પ્રતિસંધિ વિજ્ઞાન, ૩૪૧ આસ્રવતત્ત્વ, ૭, ૧૩૦, ૧૬૨-૬૪ - અધિપતિફલ – બધા જીવોનાં કર્મોનું - એટલે ?, ૧૬૨ એકત્રિત ફલ, ૩૪૨ - આસ્રવ અને બંધનો સંબંધ, ૧૬૨ - બ્રાહ્મણધર્મના પુનર્જન્મ-સિદ્ધાંતથી -ના ૪ર ભેદ, ૧૬૨-૬૩ ભિત્ર, ૩૪૨ ઇદ્ધિપાદ (ચાર), ૩૨૨ જુઓ ઋદ્ધિપાદ ! કમો (આઠ), ૨૩, ૧૧૩-૧૯, ૧૨ ૧, ઈશ્વર – બુદ્ધમતે, ૩૩૭-૩૮ ૧૨૬-૨૭, ૧૪૪-૪૫ ઈશ્વરતત્ત્વ, ૯૪-૧૦૦ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, -નું લક્ષણ, ૯૪ મોહનીય, અંતરાય (ચાર ઘાતી -ના ભેદ, ૯૪-૯૮ જુઓ સદૈવતત્ત્વ કમ) ઈશ્વરવાદ સંબંધે વૈદિક દર્શનો, ૯૮-૧૦૦ - નામ, ગોત્ર, આયુષ, વેદનીય (ચાર ઉપાંગો (બાર), ૧૦-૧૨, ૧૯, ૪૬ અઘાતી કમ), ૧૧-૩-૧૯ - ઓપપાતિક (ઉવવાઈ) સૂત્ર, ૧૦, -ની મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ, ૧૨, ૭૮ ૧૧૩-૧૯ - રાયપાસેણી (રાજશ્રીય), ૧૦, ૧૨, -ના ત્રણ ભેદ : ભાવકર્મ, દ્રવ્યકમ ૪૫ નોકમ, ૧૨૧, ૧૪૪-૪પ - જીવાભિગમ, ૧૦, ૧૨ --ની ફલોદય પહેલાંની સ્થિતિ, ૧રપ-૨૬ - પ્રજ્ઞાપના, ૧૦-૧૧, ૧૨, ૪૬ -નો ફલોદય, ૧૨૬-૨૭ – સૂર્યપ્રજ્ઞપ્તિ, ૧૧, ૧૨ 1 કપાય, ૧૨૩-૨૫ Page #418 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૮૯ -થી સ્થિતિબંધ અને અનુભાગબંધ, સ્થાનોમાં ભ્રમણ, ૨૮૯-૯૦ ૧૨૩-૨૪ -ના પ્રતિપક્ષીઓ, ૨૯૦-૯૧ -થી કર્મ પર નિયામકતા, ૧૨૪-૨૫ -નાં ચાતુર્માસ અને ધર્મોપદેશ, કાર્મણવર્ગણા, ૧૬૬-૬૯ - ૨૯૧-૯૨ - પંચ સ્કંધો પૈકીની એક, ૧૬૬-૬૭ -ના વધના દેવદત્તના નિષ્ફળ પ્રયાસો, -ના બંધના ચાર પ્રકારો : પ્રકૃતિબંધ, ર૯૨-૯૩ પ્રદેશબંધ, સ્થિતિબંધ, -નું અંતિમ વર્ષ, ૨૯૫-૯૬, અનુભાગબંધ, ૧૬૭-૬૯ -નું પરિનિર્વાણ, ૨૯૬-૯૭ કાલદ્રવ્ય, ૧૫૪ ચરણસિત્તરી, ૧૦૦, ૧૦૨ કાલસ્વરૂપ, ૧૦૪-૧) ચૂલિકા (ચાર), ૨૧ - કાલચક્રના બે ભાગ : ઉત્સર્પિણી કાલ - ભાવના, વિમુક્તિ, રતિકલ્પ, અને અવસર્પિણીકાલ, ૧૦૫-૦૭ વિવિક્તચર્યા. ૨૧ - કાલચક્રના બાર આરા, ૧૦૫-૦૬ ચૂલિકા (૩૪), ૧૦ - કાલસભ્ય, ૧૦૫-૦૬ - પ્રથમ પૂર્વમાં ૪, બીજા પૂર્વમાં ૧૨, - કાલપરિમાણનું કોષ્ઠક, ૧૦૭-૦૮ ત્રીજા પૂર્વમાં ૮, ચોથા પૂર્વમાં ૧૦, - કાલગણના હિંદુશાસ્ત્ર પ્રમાણે, ૧૦ ૧૦૮-૦૯ છેદસૂત્રો (છ), ૧૬-૧૮, ૧૯ - કાલનો ઉપકાર, ૧૭૯-૧) – નિશીથસૂત્ર, ૧૬, ૧૯ ગચ્છ, ૨૫૫-૫૬ - બૃહત્કલ્પસૂત્ર, ૧૬-૧૭, ૧૯ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન) (ચૌદ), -- વ્યવહારસૂત્ર, ૧૬, ૧૭, ૧૯ ૧૮૩-૧૮૯, ૧૯૬ – દશાશ્રુતસ્કંધ, ૧૬, ૧૭, ૧૯ -- મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, - પંચકલ્પ, ૧૬, ૧૮ દેશવિરતિ, સર્વવિરતિ/પ્રમત્તસંયત, - મહાનિશીથ, ૧૬, ૧૮ અપ્રમત્ત, અપૂર્વકરણ, જાતિઓ (૧૬), ૬ અનિવૃત્તિબાદર, સૂક્ષ્મ સંપરય, – અંગ, બંગ, મગહ, મય, માલવય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, યોગી, અચ્છ, વચ્છ, કોચ્છ, પઢ, લાઢ, કેવલી, અયોગી કેવલી, ૧૮૩-૮૯ વજિજ, માલિ, કોસી, કોસલ, ગુપ્તિ (ત્રણ), ૧૫, ૨૩ અવાહ, સુભત્તર, ૬ - મુનિગુમિ, વચનગુતિ, કાયમુતિ, ૨૩ | જાતિસ્મરણ, ૧૪૦ ગૃહસ્થધર્મ, ૨૪૨-૫૩ જિનચોવીશી, ૯૬ ગૌતમ બુદ્ધ, ૨૮૧-૯૭ - વર્તમાન અને અતીત, ૯૬ -નો જન્મ, ૨૮૧-૮૨ જીવતત્ત્વ, ૧૩૦, ૧૫૬-૬૦ -નો બાલ્યકાળ, ૨૮૨ – દશ પ્રાણોના ધારક તરીકે, ૧૫૬ -ની યુવાવસ્થા, ૨૮૨-૮૩ -ના બે ભાગ (સ્થાવર અને ત્રસ), ૧૫૭ -નો ગૃહત્યાગ, ૨૮૪ - સ્થાવરના પાંચ ભેદ : પૃથિવી, અપુ, -નાં ભ્રમણ અને શોધ, ૨૮૪-૮9 તેજસ્, વાયુ અને વનસ્પતિ, ૧૫૭ -ની તત્ત્વપ્રાપ્તિ, ૨૮૭ - ત્રસના ચાર ભેદ : દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, -નાં ઉપદેશ અને દીક્ષાઅર્પણ, ૨૮૭-૮૮ ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, ૧૫૭ -નું કપિલવસ્તુ, રાજગૃહ, વૈશાલી વગેરે | - પંચેન્દ્રિય જીવો ચાર જાતના : નારક, Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તિર્યંચ, મનુષ્ય, દેવતા, ૧૫૭-૫૮ -ની છ પતિ, ૧૫૭ તત્ત્વ (નવ), ૧૩-૩૧, ૧૫૬,-90, ૨૧૮ –ની ૮૪ લાખ જીવયોનિ, ૧૫૯ ૧. જીવતત્વ, ૧.૩૦, ૧૫૬-૬૦ જીવદ્રવ્ય, ૧૫૦-૫૧ ૨. અજીવતત્ત્વ, ૧૩૦, ૧૬૦ જીવની ઉત્ક્રાંતિ, ૧૭૨-૮૨ ૩. પુણ્યતત્ત્વ, ૧૩૦, ૧૬૦-૬૧ - જીવને કર્મનો સંબંધ, ૧૭૨-૭૩ ૪. પાપતત્ત્વ, ૧૩૦, ૧૬૧-૬૨ - ભવનું કારણ અને સંસારબંધ, ૫. આસ્રવતત્ત્વ, ૧૩૦, ૧૬૨-૬૩ ૧૭૨-૭૩ ૬. સંવરતત્ત્વ, ૧૩૦, ૧૬૩-૬પ - આઠ પ્રકારનાં કર્મો, ૧૭૩ ૭. બંધતત્ત્વ, ૧૩૦, ૧૬૫-૬૯ - જીવોના બે પ્રકાર : અવ્યવહારરાશિ, ૮. નિર્જરાતત્વ, ૧૩૦, ૧૬૯ વ્યવહારરાશિ, ૧૭૩-૭૪ ૯. મોક્ષતત્ત્વ, ૧૩૦, ૧૬૯-૭૦ - જીવની ઉત્કાંતિ-અપક્રાંતિ, ૧૭૫ | તત્ત્વો વિશે સર્વદર્શનોની સરખામણીનો કોઠો, - જીવો : ભવ્ય અને અભવ્ય, | ૨૪૦-૪૧ ૧૭૬-૭૮ છે તથાભવ્યતા, ૧૭૮-૭૯ પંચેન્દ્રિય જીવની સમ્યગ્દર્શનપ્રાપ્તિ - એટલે શું ?, ૧૭૮ અગાઉનાં ત્રણ કરણ : - પાકવાના ઉપાયો, ૧૭૮ યથાખ્યાતકરણ, અપૂર્વકરણ, - પાકવાથી થતા લાભો, ૧૭૮-૭૯ અનિવૃત્તિકરણ, ૧૭૬-૮૦ તેપ, ૨૩, ૬૬, ૮૮, ૧૦૨ જીવોનાં શરીર, ૧૧૫ - બાહ્ય અને અંતરંગ સં૫, ૬૬, ૮૮ - સ્થૂલ અને સૂક્ષ્મ (તેજસ્. કામણ), ના બાર પ્રકાર, ૧૦૨ ૧૧૫ તપશ્ચર્યા વિશે બૌદ્ધ મત, રૂ૫૮-૫૯ જૈન અને બૌદ્ધ ધર્મની બ્રાહ્મણ તત્ત્વ સાથે ! તીર્થ, ૨પ૬ સમાનતા, ૨૬૦-૬૧ તીર્થકર, ૯૪-૯૮ જૈન ધર્મ - અહિંસાધર્મનો મુખ્ય પ્રણેતા, –ના ૧૨ ગુણો (૮ પ્રાતિહાર્ય. ૪ ૨૬૫ અતિશય), ૯૪-૯૫ જૈન ધર્મ બૌદ્ધની શાખા નથી, ૨૫૮-૬૨ –ની ૧૮ દોષરહિતતા, ૯૫-૯૬ જૈન ધર્મ વૈદિક ધર્મની શાખા નથી | જૈન -નાં વિવિધ નામો, ૯૬ ધર્મની પ્રાચીનતા, ૨૬૨-૬૬ –ની અતીત ચોવીશી, ૯૬ જૈન ધર્મનો બૌદ્ધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ, –ની વર્તમાન ચોવીશી, ૯૬ ૨૬૧-૬૨ –માં છેલ્લા બે (પાર્શ્વનાથ અને જૈન વસ્તી, ૨૫૭ મહાવીર)નું માહાત્મ, ૯૬-૯૮ જૈનોમાં ભેદો, ૨૫૪-૫૬ -નાં લાંછન, ૯૮ - મુખ્ય બે : શ્વેતાંબર, દિગંબર. | ત્યાગધર્મ (દશ પ્રકારનો), ૨૩ શ્વેતાંબર જૈનોમાં સ્થાનકવાસી અને | ત્રિપિટક (તિપિટક | તેપિટક), ૨૬૯-૭) તેરાપંથ, ૨૫૪-૫૬ - સુત્તપિટક, વિનયપિટક અભિધમપિટક, જ્ઞાતિભેદ વિરુદ્ધ બુદ્ધ, ૩૬૧ ૨૬૯ - ચાંડાલ કન્યાનું દષ્ટાંત, ૩૬૧ ત્રિશરણ, ૩૩૦ જ્ઞાનના પાંચ પ્રકાર, ૮૬ - બુદ્ધ, ધર્મ, સંધ, 330 – મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ, | દર્શનધર્મો, ૨૨૭ Page #420 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૯૧ -ના છ ભાગ : નયાયિક, વૈશેષિક, નિર્જરાતત્ત્વ, ૧૬૯ સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા, | - એટલે શું ?, ૧૬૯ ઉત્તરમીમાંસા, ૨૨૭ -નું સાધન તે ૧૨ પ્રકારે તપ, ૧૬૯ દ્રવ્ય (છ), ૫, ૧૪૮-પપ -ના બે પ્રકાર : સકામાં અને અકામાં - એટલે શું ? ૧૪૮ નિર્જરા, ૧૬૯ -નાં લક્ષણો, ૧૪૮ નિર્વાણ, ૩૦૮-૦૯, ૩પ૧-૫૬ -ની અવસ્થા (ગુણ અને પર્યાય), ૧૪૮ -નું સ્વરૂપ અવર્ણનીય, ૩૫૨ -ના પ્રધાન પાંચ ગુણ, ૧૪૯ -ની વ્યુત્પત્તિ, ૩પ૩ -ના છે ભેદ : જીવ. પુદ્ગલ, ધર્મ, -ની બે બાજુઓ : નિષેધાત્મક, અધર્મ, આકાશ, કાલ, ૧૫૦-૫૫ પ્રતિપાદક, ૩પ૩-૫૪ -ના ભેદનો કોઠો, ૧૫૫ - આ સંબંધે વિચારભેદ, ૩૫૪-પપ દ્રવ્ય (નવ) – વૈશેષિકોને મતે, ૧૫૪-પપ -નો ખરો અર્થ, ૩૫૫ ધર્મ (નવ) - નવ ગ્રંથો, ૨૭ર -ની પૂર્વસ્થિતિઓ, ૩પ૬ ધર્મ - બૌદ્ધ મતે, ૩૨૫-૩૦ નિવારણ (નીવરણ) (પાંચ), ૩૨૨ -નાં ત્રણ સોપાન : શીલ, સમાધિ, પ્રજ્ઞા, નૈરાજ્યવાદ, ૩૪૭-૫૧ ૩૨પ-૨૬ - અનાત્મના બે પ્રકાર, ૩૪૭ - ગૃહસ્થધર્મ, ૩૨૭-૨૮ - આત્મા સંબંધે ત્રણ વાદ, ૩૪૭ - ત્રિશરણ, ૩૩૦ - પ્રત્યેકવાદ અથવા પૃથક્વાદનો નિષેધ, - પંચશીલ, ૩૩) ૩૪૮ ધ્યાન, ૨૧પ-૧૭ - જગકર્તાનો અસ્વીકાર, ૩૪૮-૪૯ -ના ચાર પ્રકારો : આત્ત અને રૌદ્ર (બંને ! - મહાત્મવાદનો સ્વીકાર, ૩૪૯-૫૧ કુધ્યાન), ધર્મ અને શુક્લ (બંને ! પન્ના, ૧૮-૨૦ જુઓ પ્રકીર્ણક (દશ) સધ્યિાન), ૨૧૫-૧૭ પરિષહ (બાવીસ), ૨૩, ૧૬૪ નય, ૨૩૬-૩૭. - એટલે શું ? ૧૬૪ -ની વ્યાખ્યા, ૨૩૬ -ના ૨૨ પ્રકારો, ૧૬૪ -ના સાત ભેદ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, | પંચશીલ, ૩૩૦ ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, - પ્રાણાતિપ્રાતવિરમણ, અદત્તાદાનએવંભૂત, ૨૩૬-૩૭ વિરમણ, મિથ્યાચારવિરમણ, ન્યવાદ, ૬૫-૬૬ મૃષાવાદવિરમણ, - નિશ્ચયનય, વ્યવહારનય, ૬૫-૬૬, પ્રમાદસ્થાનવિરમણ, ૩૩૦ ૧૪૧ પાટલિપુત્ર પરિષદ, ૨૧ - શુદ્ધ, ૧૪૧ પાપતત્ત્વ, ૧૩૦, ૧૬ ૧-૬ર નંદીસૂત્ર, ૧૬, ૧૯, ૨૨ - એટલે ?, ૧૬૧ નિક્ષેપ, ર૩૭-૩૮ -નાં ૧૮ પાપસ્થાનકો, ૧૬૧-૬૨ – એટલે શું ?, ૨૩૭ પાલિ ભાષા, ૨૭૧ -ના ચાર ભેદ : નામ, સ્થાપના, દ્રવ્ય, -નો ઉદ્ભવ ક્યાં ?, ૨૭૧ ભાવ, ૨૩9-૩૮ – અને બૌદ્ધ ગ્રંથો, ૨૭૧ નિગ્રહ (ચાર), ૧૦ર પુણ્યતત્ત્વ, ૧૩૦, ૧૬૦-૬૧ - કોધ, માન, માયા, લોભ, ૧૦૨ - એટલે શું ?, ૧૬૦ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો -નાં નવ કારણો, ૧૬૧ -ના બે મુખ્ય ભેદ : પ્રત્યક્ષ અને પરોક્ષ, -થી પ્રાપ્તિ, ૧૬૧ ૨૩૮ પુદ્ગલ, ૧૫૦, ૧૫૨-૫૪ - પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ : સર્વપ્રત્યક્ષ -નું લક્ષણ, ૧૫૦, ૧૫ર અને દેશપ્રત્યક્ષ, ૨૩૮ - આઠ સ્પર્શ, ઉપર – પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકાર : સ્મરણ, -ના પાંચ રસ, ૧૫૨ પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, શબ્દ, -ની બે ગંધ, ૧પર ૨૩૮-૩૯ -ના પાંચ વર્ણ, ૧૫ર બંધતત્ત્વ, ૧૩૦, ૧૬૫-૬૯ -ના પર્યાયો, ૧૫૨-૫૩ - એટલે શું ? ૧૬૫ -ના બે પ્રકાર (પરમાણુ, સ્કંધ), -ના બે પ્રકાર : સજાતીય, વિજાતીય, ૧૫૩-૫૪ ૧૬૫ પુંજ (ત્રણ), ૧૮૧-૮૨ - પુગલના સ્કંધોના ૨૨ પ્રકારો, ૧૬૬ -ના ત્રણ પ્રકાર : શુદ્ધ, મિશ્ર, મિથ્યાત્વ, | - તે પૈકી જીવની આકર્ષણશક્તિથી ૧૮૧-૮૨ ખેંચાનારા ૫ સ્કંધો : આહારવર્ગણા, પૂર્વજન્મ, ૧૪૦ તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, પૂર્વો (ચૌદ), ૩, ૮-૯, ૨૦, ૨૧ મનોવર્ગણા, કાશ્મણવર્ગણા, ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, ૧૬૬-૬૯ અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ બુદ્ધ, ૩૩૩-૩૫ સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, - કોણ બની શકે ?, ૩૩૩ સમયપ્રવાદ (કર્મપ્રવાદ), -નાં મુખ્યમુખ્ય લક્ષણો, ૩૩૪ પ્રત્યાખ્યાનવાદ, વિદ્યાનુવાદ, -નાં સામાન્ય, નિશ્ચિત અને વર્ણનાત્મક અવધ્યકલ્યાણ, પ્રાણાયુ, નામો, ૩૩૪ ક્રિયાવિશાલ, બિન્દુસાર, ૮-૯ -માં છેલ્લા ગૌતમબુદ્ધ, ૩૩૪ પ્રકીર્ણક (દશ), ૧૮-૨૦ - અગાઉના ૨૪ બુદ્ધોનાં નામ, ૩૩૪ ચતુ શરણે, આતુરપ્રત્યાખ્યાન, - હવે પછીના, ૩૩૪-૩૫ ભક્તપરિક્ષા, સંસ્કારક, – પાંચ ધ્યાની બુદ્ધ, ૩૩૫ તંદુલવૈચારિક, ચંદ્રવેધ્યક, | બુદ્ધ અને મહાવીર, રપ૭-૫૮ દેવેન્દ્રસ્તવ, ગણિવિદ્યા, | - વચ્ચેની સમાનતા અને ભિન્નતા, મહાપ્રત્યાખ્યાન, વીરસ્તવ, ૧૮-૨૦ ૨૫૭-૫૮ - આ ઉપરાંત અન્ય ૨૦ પ્રકીર્ણક | બોધિસત્ત્વ, ૩૩પ-૩૬ સૂત્રોની ગણના, ૨૦ – કોને કહે છે ?, ૩૩૫ પ્રતીત્ય સમુત્પાદ, ૩૧૫-૧૯ -ના ઉન્નતિક્રમની ત્રણ/ચાર અવસ્થા, - એટલે શું ? ૩૧૫ ૩૩૫-૩૬ -નું બીજું નામ ૧૨ નિદાન, ૩૧૬-૧૭ -નાં અન્ય નામો, ૩૩૬ પ્રત્યેક આત્મવાદ અને પૃથફ આત્મવાદ, -માં નૈતિક-બૌદ્ધિક ગુણો, ર૬ ૨ ૧૮:૨૮ -માં દશ પારમિતા, ૩૩૬ પ્રત્યેકબુદ્ધ, ૩૩૩ બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન, ૨૭-૦૫ પ્રમાણ, ૨૩૮-૩૯ - વેભાષિક, સૌત્રાન્તિક, માધ્યમિક, - એટલે શું ? ૨૩૮ યોગાચાર, ૨૭-૦પ Page #422 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૯૩ બૌદ્ધ દર્શનનું પદર્શનમાં કાલદષ્ટિએ સ્થાન, | ધર્મ, ૧૦૩-૦૪ ૨૭૬-૭૭ - સાતમી આસ્રવ ભાવના-અંતર્ગત ચાર બૌદ્ધ ધર્મ અક્રિયાવાદી નથી, ૩પ૯ ભાવના : મૈત્રી, પ્રમોદ, કરુણા, બૌદ્ધ ધર્મ અને બૌદ્ધોની વિવિધ દેશોમાં | માધ્યચ્ય, ૧૦૪ વર્તમાન સ્થિતિ, ૩૬૧-૬૪ ભાવનાના ચાર પ્રકાર - બૌદ્ધ મતે, બૌદ્ધ ધર્મ નિયતિવાદી નથી, ૩૪૨ ૩૨૪-૨૫ બૌદ્ધ ધર્મના તત્ત્વજ્ઞાનની વિશેષતા, - મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, ૨૯૯-૩૦૩ ૩૨૪-૨૫ - જૈન અને બ્રાહ્મણ ધર્મોની તુલનામાં, | ભિક્ષુઓનો સંયમ, ૩૬૦-૬૧ - ૩૮૦૦૦૧ મથુરા પરિષદ, ૨૧-૨૨ જુઓ માથુરી -ના દષ્ટાંત રૂપે બૌદ્ધ ધાર્મિક વાચના સાહિત્યમાંથી ઉલેખ, ૩૦૧-૦૨ મધ્યમમાર્ગ - મધ્યમ પ્રતિપત્, ૨૭૪, - ચાર આર્યસત્ય – બુદ્ધ પોઠપાદને ૩૦૯-૧૦ આપેલા ઉત્તરનો નિષ્કર્ષ, ૩૦૩ મરણ અને તે પછીની સ્થિતિ, ૩૩૯-૪૦ બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંતો, ૩૪૩-૫૬ | મહાભિનિષ્ક્રમણ, ૨૮૪ ૧. સર્વનિત્યમ્ - સર્વ અનિત્ય છે. મહાવીરસ્વામી, ૨૮-૯૩ ૩૪૩-૪૬ -ના સમયની ભારતની રાજકીય સ્થિતિ, ૨. સર્વ ગનીભમ્ - જે સર્વ છે ૨૮-૪૬ આત્મરહિત છે, ૩૪૭-૫૧ -ના સમયના ભારતના ભિન્નભિન્ન દેશો, ૩. નિર્વા શાન્તમ્ - નિર્વાણ શાંતિમય ૪૬-૫૬ છે, ઉપર-પ૬ -ના સમયમાં કેટલાંક મુખ્ય શહેરો, બૌદ્ધ ધર્મનો ઉદયકાલ, ૨૯૮-૯૯ પ૩-૫૪ - ક્યારે ?, ૨૯૮ -ના વિહારમાં આવેલાં સ્થળો, ૫૪-૫૬ - તે સમયનાં વિવિધ દર્શનોની -ના સમયના ભારતની સામાજિક ધર્મ-પ્રરૂપણા, ૨૯૮-૯૯ સ્થિતિ, પ૬-પ૯ - બુદ્ધ પ્રબોધેલ ધર્મ, ૨૯૯ -ના સમયના ભારતની ધર્મભાવના, બૌદ્ધ ધર્મમાં સ્ત્રીની પદવી, ૩પ૭-૫૮ પ૯-૭૦ બૌદ્ધ ધાર્મિક સાહિત્યના ગ્રંથકારો, ૨૭૭-૮૦. -નો પ્રાદુર્ભાવ, ૭૦-૭૫ બૌદ્ધ ભિક્ષુઓની ત્રણ સમિતિઓ (પરિષદ), -ના પ્રાદુર્ભાવ અને તત્કાલીન સ્થિતિવિશે ૨૬૯-૭) રા. સુશીલ, ૭૦-૭૩ બૌદ્ધોમાં ૧૮ ભેદ, ૨૭૨-૭૩ -ના આવિર્ભાવકાલે પ્રવર્તતી સ્થિતિ વિશે બ્રહ્મચર્યગુપ્તિ (નવ), ૧૦૧ રોમેશચંદ્ર દત્ત, ૭૩-૭૪ બ્રાહ્મણની યજ્ઞવિધિ, ૬૨-૬૩ - ધર્મપ્રવર્તક તરીકે, ૭૫-૮૬ ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણો, -નું જીવન, ૮૬-૯૩ ૩૬૪-૬૬ -નું તપોમય જીવન, ૮૮ ભાવના (બાર) – જૈન મતે, ૨૩, ૧૦૩-૦૪ -નું ભાવનામય જીવન, ૮૯-૯૦ - અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, મહાયાનની ઉત્પત્તિ, ૨૭૧ અન્યત્વ, અશુચિ, આસવ, સંવર, મહાવ્રત (પાંચ), ૧૦૦ નિર્જરા, લોકરવરૂપ, બોધિદુર્લભ, | - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પરિગ્રહત્યાગ, ૧૦૦ મહાસંઘિક, ૨૬૯ માથુરી વાચના, ૨૧-૨૨ જુઓ મથુરા પરિષદ માર્ગાનુસારીના ૩૫ ગુણ, ૨૪૨-૪૫ મૂલસૂત્ર (ચાર), ૧૨-૧૬, ૧૯, ૨૦, ૭૭, ૭૮, ૨૫૫ આવશ્યક સૂત્ર, ૧૨, ૧૯ - દશવૈકાલિકસૂત્ર, ૧૨, ૧૩, ૧૬, ૧૯, ૨૦, ૭૭, ૨૫૫ - ઉત્તરાધ્યયનસૂત્ર, ૧૨, ૧૩-૧૫, ૧૯, ૨૦, ૭૮ પિંડનિયુક્તિ કે ઓઘનિયુક્તિ, ૧૨, ૧૬ મોક્ષતત્ત્વ, ૧૪૬-૪૭, ૧૬૯-૭૦ મોક્ષ છે., ૧૪૬ મોક્ષનો ઉપાય છે., ૧૪૬-૪૭ - એટલે શું ?, ૧૬૯ આત્માના ઊર્ધ્વગમનના ચાર હેતુ, ૧૭૦ મોક્ષસ્વરૂપ, ૨૧૮-૨૩૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યોગમાર્ગ, ૧૯૫-૨૧૭ . બૌદ્ધ મતે, ૨૧૯-૨૦, ૨૩૦ – નૈયાયિકને મતે, ૨૨૦-૨૧ - વૈશેષિકને મતે, ૨૨૧-૨૨, ૨૨૯ સાંખ્યને મતે, ૨૨૨-૨૩, ૨૨૯-૩૦ અંગે પાતંજલ યોગદર્શન, ૨૨૩૨૫ અંગે પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા, ૨૨૫૨૭, ૨૨૯ જૈન મતે, ૨૨૮-૨૯ યતિધર્મ, ૨૫૩ સ્વીકારની યોગ્યતાનાં લક્ષણો, ૨૫૩ - અને દીક્ષાઇચ્છુકે કેવા ગુરુ પાસે દીક્ષા લેવી, ૨૫૩ અને દીક્ષાઇચ્છુકની અયોગ્યતા કઈ કઈ ?, ૨૫૩ યોગ, ૧૨૧-૨૫ -થી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ, ૧૨૨ -ના બે ભેદ, ૧૨૨-૨૩ -થી કર્મ ૫૨ નિયામકતા, ૧૨૪-૨૫ – યોગનો અર્થ, ૧૯૬ — યોગની વ્યાખ્યા, ૧૯૬ યોગની આઠ દૃષ્ટિ : મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા, ૧૯૬-૨૦૪ - યોગનું લક્ષણ, ૨૦૪ - યોગાભાસ, ૨૦૪ – યોગપ્રાપ્તિનો સમય, ૨૦૪ યોગના પાંચ ભેદ ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિક્ષય, અધ્યાત્મ, ૨૦૪-૦૫ યોગના ત્રણ પ્રકાર : ઈચ્છા, શાસ્ત્ર, સામર્થ્ય, ૨૦૫-૦૭ – યોગીના ભેદો, ૨૦૮ - યોગપ્રાપ્તિના ઉપાય, ૨૦૮-૧૦ યોગનાં આઠ અંગ (અષ્ટાંગયોગ) : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, ૨૧૨-૧૭ - લેશ્યા (છ), ૧૧, ૧૫, ૧૭૦-૭૨ એટલે શું ?, ૧૭૦ -ના બે પ્રકાર : શુભ, અશુભ, ૧૭૦ -ના છ ભેદનાં નામો રંગો પ્રમાણે : કૃષ્ણ, નીલ, કપોત (અશુભ લેશ્યા), પીત, રક્ત, શુક્લ (શુભ લેશ્યા), ૧૭૧-૭૨ લોકસ્વરૂપ, ૧૫૯-૬૦ -નો આકાર, ૧૫૯-૬૦ -ના ત્રણ વિભાગ : ઊર્ધ્વ, અધો, મધ્ય, ૧૫૯-૬૦ -ના ત્રણ વિભાગમાં જ સર્વ જીવપુદ્ગલનું પ્રવર્તન, ૧૫૯-૬૦ વલભીપુર પિરષદ / વલભી વાચના, ૨૨ વાદ (ચાર)નું સૂત્રકૃતાંગમાં વર્ણન, ૬૬-૭૬ ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ, વિનયવાદ, ૬૬-૭૦ વિશ્વવિચાર બુદ્ધ મતે, ૩૩૬-૩૭ વિશ્વવ્યવસ્થા, ૩૩૧-૩૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૩૯૫ વેદ (ચાર), ૬૦ – અવતારવાદ, ૧૯૪ - ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, | સમિતિ (પાંચ), ૧૫, ૨૩ - ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, વૈયાવૃન્ય (દશ), ૧૦૧ ઉત્સર્ગ, ર૩ શરણ (ચાર), ૧૮ સમ્યક્ત્વ, ૧૮૦-૮૨ - અહંતો, સિદ્ધો, સાધુઓ, ધર્મ, ૧૮ | -ની ત્રણ કક્ષા : ઔપશમિક, શ્રમણધર્મો (દશ), ૧૦૦ ક્ષયોપથમિક, ક્ષાયિક, ૧૮૦-૮૨ શ્રાવકના ર૧ ગુણ, ૨૪૫-૪૬ – અને મિથ્યાત્વ, ૧૮૨ શ્રાવકનાં ૧૨ વ્રત, ૨૪૬-પ૩ સમ્યકત્વના ૬૭ બોલ, ૧૩૩-૩૪ - પાંચ અણુવ્રત, ૨૪૬-૪૮ સમ્યકત્વનાં ૬ સ્થાનક, ૧૩૪-૩૭ - ત્રણ ગુણવ્રત, ૨૮૬-૫૧ ૧. આત્મા છે., ૧૩પ-૩૮ - ચાર શિક્ષાવ્રત : સામાયિક, ૨ આત્મા નિત્ય છે., ૧૩૮-૪૧ દશાવકાશિક, પોષધોપવાસ, ૩. આત્મા કર્મનો કર્તા છે., ૧૪૧-૪૪ અતિથિસંવિભાગ, ૨૫૧-૫૩ ૪. આત્મા કર્મનો ભોક્તા છે, શ્રુત-સાહિત્ય, ૩-૨૦ જુઓ આગમો (૪૫) ૧૪૪-૪૬ પડાયતન, ૩૦૮ ૫. આત્માનો મોક્ષ છે., ૧૪૬ -ના વિષયો રૂપ, શબ્દ, ગંધ, રસ, સ્પર્શ, ૬. મોક્ષના ઉપાય છે., ૧૪૬-૪૭ વિચારો, ૩૦૮ સમ્યસ્મૃતિ (૭મું અંગ)નાં ચાર સ્થાન, સદ્ગુરુતત્ત્વ, ૧૦૦-૦૪ ૩ર૧-૨૩ -નાં પાંચ મહાવ્રત, ૧૦૦ -- કાયસ્મૃતિ, વેદનાસ્મૃતિ, ચિત્તસ્મૃતિ, -ના દશ શ્રમણધર્મ, ૧૦૦ ધર્મસ્મૃતિ, ૩૨૧-૨૩ -ના સંયમના ૧૭ પ્રકાર, ૧૦૦-૦૧ સમ્યગ્દર્શન, ૧૨૮-૩૪ -ના દશ વૈયાવૃત્ય, ૧૦૧ - એટલે શું ?, ૧૨૮ -ની નવા બ્રહ્મચર્યગુપ્તિ, ૧૦૧-૦૨ -ની વ્યાખ્યા, ૧૨૯ -નાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, ૧૦૨ - સમ્યક્ત્વ એટલે, ૧૩૨ -નાં બાર તપ, ૧/૨ - સમ્યક્ત્વના ૬૭ બોલ, ૧૩૩-૩૪ -ના ચાર નિગ્રહ, ૧૦૨ | સંગીતિ (પરિષ), ર૭૧-૭૨ સદૈવતત્ત્વ, ૯૪-૧૦૦ જુઓ ઈશ્વરતત્ત્વ સંયમના ૧૭ પ્રકાર, ૧૦૦-૦૧ સદ્દધર્મતત્ત્વ, ૧૦૪ સંયોજન (દશ), ૩૧.૩-૧પ સપ્તભંગી, ૨૩૪-૩પ સંવરતત્ત્વ, ૧૩૦, ૧૬૩-૬૫ સમવાય (પાંચ), ૬૮, ૧૮૯-૯૪ – એટલે શું ?, ૧૬૩ - એટલે શું ?, ૧૮૯ -ના પ૭ પ્રકાર (૫ સમિતિ, ૩ ગુતિ, - કાર્ય થવા માટેનાં પાંચ કારણો ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૨૨ (સમવાય) : કાલ, સ્વભાવ, નિયતિ, પરિષહ, પ ચારિત્ર), ૧૬૩-૬૫ પૂર્વકૃત, પુરુષકાર (પુરુપાથ), ૧૮૯ : સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ, -નાં વિવિધ સામાન્ય દષ્ટાંતો, ૧૮૯-૯૧ ૨૭૧-૭૨ -ની મોક્ષરૂપી ફલસિદ્ધિમાં આવશ્યકતા, | સંસ્તારક (સંથારો), ૧૮ ૧૯૧-૯૩ નામુ ચારી, ૧૯ - સૃષ્ટિકતૃત્વવાદ, ૧૯૩-૯૪ * સૃટ કતૃત્વવાદ, ૧૯૩-૯૪ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો કંધો (પાંચ), ર૭૫, ૩૦૫-૦૭ સ્વદેશપ્રેમ વિશે બુદ્ધ, ૩૫૯-૬૦ - રૂપસ્કંધ, વિજ્ઞાનકંધ, વેદનાત્કંધ, સ્વપર્યાય અને પરપર્યાય, ૨.૩૧ જુઓ સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ, ૩૦૫-૦૭ | અનેકાન્તવાદ-અન્તર્ગત સ્યાદ્વાદ, ૬૫, ૨૩૪-૩૫ જુઓ | હીનયાન, ૨૭૧, ૨૭૩, ૨૭૭ અનેકાંતવાદ, જુઓ સપ્તભંગી Page #426 -------------------------------------------------------------------------- ________________ ૧. વાચક જોઈ શકશે કે તેમણે બન્ને ધર્મના ઇતિહાસ ને સિદ્ધાન્તોનો સંક્ષેપમાં પરિચય આપવા માટે તે તે વિષયનો દરિયો. ઉલેચ્યો છે. આ ગ્રંથનો વાચનથી. શ્રી મોહનભાઈની લેખનશૈલીનો પણ પરિચય મળે છે. એક વિષયના અનુસંધાનમાં શું શું લખાયું છે તેનો પરિચય મેળવીને વિષયની, સંકલના કરીને તેનું કડીબદ્ધ નિરૂપણ કેવી રીતે થઈ શકે તેનો પણ અંદાજ આપણને મળે છે.” આચાર્યશ્રી. વિજયપ્રદ્યુમ્નસૂરિજી 5 | શ્રી મોહનલાલ દ. દેશાઈએ અથાગ મહેનત કરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે, જેમાં તેમની, જૈન અને બૌદ્ધ ધર્મની ઊંડી સૂઝ સ્પષ્ટ દેખાય છે. વળી. જૈન ધર્મ-દર્શનને વરેલા. લેખક નવા વિચારો ઝીલવા. એટલા જ ઉત્સુક છે એ સરળતા. અને પ્રામાણિકતા પ્રશંસાને પાત્ર છે.... ૧૯૧૪માં જૈન અને બૌદ્ધ ધર્મો વિષે ખાસ વ્યવસ્થિત લખાયું નહોતું અને બૌદ્ધ ધર્મ-દર્શનની. તો ઘણા ગ્રંથો મળતા પણ નહોતા. એવે સમયે કેટલો પરિશ્રમ કરી શ્રી મોહનલાલ દેસાઈએ આ નિબંધ તૈયાર કર્યો હશે તેની તો કલ્પના જ કરવી રહી.” ડૉ. એસ્તેર સોલોમન