SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાન્તવાદ - સ્યાદ્વાદ ૨૩૧ અનેકાન્તવાદ – સ્યાદ્વાદ (Many-sided or Relative Philosophy) દરેક વસ્તુ અનંતધર્મવાળી છે એટલે દરેક વસ્તુમાં અનંતધર્મ છે. અનંત એટલે અપરિમિત અને ધર્મ એટલે સ્વભાવ – સહભાવી અને કમભાવી એવા સ્વપર્યાય. આ જેને વિશે છે તે અનંતધર્માત્મક – અને કાંતાત્મક કહેવાય. અનેકાન્તાત્મક વસ્તુ = અનંતધમાંત્મક વસ્તુ. અનેકાંતાત્મકનો અર્થ અનેક એટલે અનંત અને અંત એટલે ધર્મ અથવા નિશ્ચય, અને આત્મક એટલે સ્વભાવવાળું – અનંતધર્મના સ્વભાવવાળું. ૩િમયોગપિ : ૩પધ્ધ: ઉન્તો નિય: | (શાંકરભાષ્ય. ગીતા ર.૧૬) વસ્તુતઃ દ્રવ્ય ચેતનાચેતન છે – જીવ અને અજીવ છે. આનું દૃષ્ટાંત સુવર્ણઘટ લઈએ. તે ધટ સ્વદ્રવ્યક્ષેત્ર કાલભાવ થકી વિદ્યમાન છે અને પરદ્રવ્યક્ષેત્ર કાલભાવ થકી અવિદ્યમાન છે. ઘટનાં સત્ત્વાદિ તે સ્વપર્યાય જ છે, કોઈપણ પરપર્યાય નથી, કેમકે વસ્તુમાત્ર સત્ત્વાદિ ધર્મને લઈને સજાતીય છે, અને અભાવ તો વિજાતીયનો જ કહી શકાશે. દ્રવ્યથી ઘટ પૌલિક – પુદ્ગલનું બનેલું છે, તેમાં જે પૌલિકત્વ તે દ્રવ્યત્વરૂપે વિદ્યમાન છે, પણ ધર્મ, અધર્મ, આકાશ એ આદિ દ્રવ્યત્વરૂપે નથી. અહીં પૌગલિકત્વ તે સ્વપયાંય છે અને ધર્મ, અધમદિ અનેક થકી વ્યાવૃત્ત હોવાથી પર્યાય નથી અને તે પર્યાય અનંત છે કારણકે તે દ્રવ્ય અનંત છે. ઘટ પૌલિક હોવા છતાં પાર્થિવત્વરૂપે વિદ્યમાન છે, આપ્ય, તેજસ, આદિ રૂપે અવિદ્યમાન છે. – અહીં પણ પાર્થિવત્વ એ ઘટનો સ્વોય છે અને તેની આયાદિ બહુ દ્રવ્ય થકી વ્યાવૃત્તિ છે – એ પર પર્યાય અનંત છે. એ જ પ્રમાણે આગળ પણ સ્વપર્યાય વ્યક્તિ વિચારી લેવી. સુવાસંઘટ પાર્થિવ છતાં ધાતુત્વરૂપે છે, મૃત્વરૂપે નથી, ધાતુત્વરૂપ છતાં સુવાસંત્વરૂપે છે, યાદિ રૂપ થકી નથી. સૌવ પણ ઘટિત – બનાવેલ વસ્તુ રૂપે છે, અઘટિત વરૂપે નથી; સુવર્ણ નો બનાવેલો ઘટ તે અમુક સોનીનો બનાવેલો છે. અમુક સોનીનો બનાવેલો ઉપરાંત તે જા ડો. પહોળો એવા આકાર થકી છે, મુકુટાદિ આકારે નથી; વળી ગોળ છે, ગોળ નહિ એવે રૂપે નથી, ગોળ પણ સ્વીકાર થકી છે, અન્ય ઇટાદિના આકારરૂપે નથી. આ રીતે જે જે પયય થકી એની વિવક્ષા થાય છે તે પયોય તે તેના સ્વાધ્યાય, અને તેથી અન્ય તે બધા પરપર્યાય. આ રીતે દ્રવ્યતઃ વપર્યાય થોડા થાય, અને વ્યાવૃત્તિ રૂપ પરપયાંય અનંત થાય, કેમકે અનંત થકી તે વ્યાવૃત્ત છે. હવે ક્ષેત્રથી સુવર્ણઘટ જોઈએ – તે ઘટ ત્રિલોકમાં છે, કહીંથી પણ વ્યાવૃત્ત નથી માટે સ્વાયાંય જ છે, પરણ્યાય નથી. ત્રિલોકમાં પણ તેના તિર્યલોકમાં છે, ઊર્વી અધોલોકમાં નથી, તિગ્લોવત હોવા છતાં પણ જંબુદ્વીપવતિત્વ રૂપે છે એટલે તેના એક ભાગ નામે જંબુદ્વીપમાં છે. અન્ય દ્વીપમાં હોવા રૂપે નથી; જંબુદ્વીપમાં પણ ભરતલોકમાં છે, બીજા દેવામાં નથી, ભારતમાં પણ અમુકના અમુક ઘરમાં છે, બીજાના બીજા ઘરમાં નથી; ઘરમાં પણ અમુક પ્રદેશવતિત્વ રૂપે છે, અપર પ્રદેશવતિત્વરૂપે નથી. એ જ પ્રકારે યથાસંભવ અન્ય રીતિએ જાણવું. એમ ક્ષેત્રથી સ્વાધ્યાય થોડા છે, પાયાંય અસંખ્ય છે, કારણ કે જગતુ અસંખ્ય પ્રદેશવાળું છે, અથવા મનુષ્યલોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy