SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૩૧ બૌદ્ધ પ્રમાણે – દંતકથા એવી છે કે પજ્જોત (જેનો ક્રૂર અને વિષયલોલુપી સ્વભાવ બરાબર ચીતરવામાં આવ્યો છે) – તેણે પોતાના એક રાજભૃત્યને પૂછયું કે મારા કરતાં કોઈ રાજા મોટો છે કે જેની કીર્તિ મારા કરતાં પણ વધી જાય ?' આના જવાબમાં જ્યારે બરાબર સરલતાથી એમ કહેવામાં આવ્યું કે “કોસાંબીનો ઉદેન રાજા આપથી ચડી જાય ત્યારે તેણે તરત જ તેના પર હલ્લો કરી તેને જીતી લેવાનો નિશ્ચય કર્યો. હલ્લો કરવા જતાં તેને એવી સલાહ મળી કે ઉઘાડી રીતે ઝપાઝપીથી યુદ્ધ કરવા કરતાં ઝાડીમાં રહીને કામ લેવું વધારે યોગ્ય છે. કારણકે ઉદેન સુંદર હાથીને પકડવાને ગમે ત્યાં જવા લલચાય તેવો છે તેથી તેને પકડવાનું કામ સરલ થશે. આથી તેણે કૃત્રિમ હાથી લાકડાનો બનાવરાવ્યો અને તેના પર સુંદર રંગ પૂરવામાં આવ્યા. તેની અંદર પોતાના ૬૦ યોદ્ધાઓને ગુપ્ત રાખવામાં આવ્યા અને કૌશાંબીની હદમાં એક ખીણમાં છૂટો મૂક્યો. આ વાત પોતાના દૂતોથી ઉદનને જણાવવામાં આવી કે પાસેના જ વનમાં એક એવો વિજયી હાથી આવ્યો છે કે જેની જોડી મળવી મુશ્કેલ છે. ઉદેન તેને જીતવા માટે લલચાઈ તેના શિકાર માટે ખીણમાં ગયો અને તેમ કરતાં પોતાના પરિવાર – સૈન્યથી છૂટો પડી ગયો, કે તરત જ કેદ પકડી લેવામાં આવ્યો. હવે ઉદેન પાસે હાથીના ઉપર અજબ જાતનો જાદુ કરી તેને વશ કરી લેવાની કળા હતી. તે જો કળા શીખવે તો પક્નોતે તેને જીવતો છોડી મૂકવાનું વચન આપ્યું. ઉદને ઉત્તરમાં કહ્યું “બહુ સારું, જો તમે મને શિક્ષક તરીકે પ્રણામ કરો તો હું તમને શીખવું.” ‘તને પ્રણામ કરું ? – કદી નહીં !' તો હું તમને મારી કળા નહીં શીખવું' તો તને મારી નાખવાનો હુકમ હું આપીશ.” જેમ ઠીક લાગે તેમ કરો ! મારા શરીરના તમે ધણી છો પણ મારા મનના તો નથી.' પછી પજ્જતે વિચાર્યું કે ગમે તેમ પણ તેના સિવાય કોઈપણ તે કળા જાણતું નથી, અને તેથી જે તેને પ્રણામ કરે તેને તું શીખવીશ કે નહિ એમ તેને પૂછ્યું. આનો જવાબ હા મળવાથી પક્ટોતે પોતાની કુંવરીને કહ્યું કે એક વામન આવ્યો છે તેની પાસે હાથીને વશ કરવાની કળા છે; તો તારે તે તેની પાસેથી શીખી લઈ મને કહેવી. તેણે ઉદેનને કહ્યું કે “એક ખૂંધી સ્ત્રી પાછળના પડદામાંથી તને પ્રણામ કરશે અને પછી તેણીને તારે તે કળા પડદાની બહાર ઊભા રહીને શીખવવી.” આનો હેતુ એ કે બંનેની મિત્રાચારી થવા ન દેવી. પરંતુ જ્યારે તે કેદી દિવસાનદિવસ તે કળાનો મંત્ર ઉચ્ચારતો હતો અને તેની અદષ્ટ શિષ્યા તેને ગ્રહણ કરી બોલવામાં ઘણી ધીમી હતી, ત્યારે છેવટે એક દિવસ એકાએક ઉદેનથી બોલી જવાયું “અરે ખૂંધી ! આમ બોલને ! તારા કેટલા બધા જાડા હોઠ અને ભારે જડબાં હોવાં જોઈએ કે બોલીયે શકતી નથી ?' ત્યારે તેણીને ક્રોધ ઊપજ્યો અને સામી બોલી ઊઠી “અરે ભૂંડા વામનજી ! મને ૧. પાલિ ભાષામાં ઉદન અને પજજોત નામ છે તેનું સંસ્કૃત ઉદયન અને પ્રદ્યોત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy