SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જોઈએ કારણકે તેથી ચોરી થતી, તેમજ સ્ત્રીની લજ્જા વગેરે જતી અટકે છે. ૧૦. પોતાના વૈભવાદિને યોગ્ય એવો વેશ રાખવો. – વિરુદ્ધ વેશનો ત્યાગ કરવો. ૧૧. આવકપ્રમાણે ખર્ચ રાખવો. ૧૨. પ્રસિદ્ધ દેશાચાર પાળવા. ૧૩. નિંદિત કાર્યમાં બિલકુલ પ્રવૃત્તિ કરવી નહિ – મઘમાંસસેવન, પરસ્ત્રીગમન આદિ નિંદ્ય છે. ૧૪. સર્વપ્રાણીઓનો અવર્ણવાદ (નિદા) કરવો છોડી દેવો, તેમાં રાજા, મંત્રી, પુરોહિત (રાજ્યગુર) વગેરેનો વિશેષપણે છોડી દેવો. ૧૫. સદાચાર વગરના પુરુષો સાથે સંસર્ગ રાખવો નહિ. ૧૬. માતાપિતાની પૂજા કરવી. (ગુરુજનનો વિનય સાચવવો.) માતાપિતાને પરલોકના ધર્મવ્યાપારમાં પ્રેરણા કરવી, તેમની આજ્ઞાથી આ લોક અને પરલોકના કાર્યમાં પ્રવૃત્તિ કરવી. ૧૭. કોઈને ઉદ્વેગ ન થાય તેમ પ્રવૃત્તિ કરવી. ૧૮. જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેમનું ભરણપોષણ કરવું. તેમને યોગ્ય કાર્યમાં જોડવા, તેમના ધર્મ, અર્થ, અને કામના પ્રયોજનમાં હમેશાં લક્ષ રાખવું અને અનર્થમાંથી તેમની રક્ષા કરવાનો ઉદ્યોગ કરવો. ૧૯. જ્ઞાન-ગૌરવની રક્ષા – જો તે પોષ્ય વર્ગ નિંદા કરવા યોગ્ય થાય તો પછી ગૃહસ્થે પોતાના જ્ઞાન અને ગૌરવપણાની રક્ષા કરવી. ૨૦. દેવ, અતિથિ અને દીનજનની સેવા કરવી અને તેમાં ઉત્તમ પુરુષનું ઉદાહરણ લઈને દેવાદિકની યોગ્યતાનું ઉલ્લંઘન ન કરવું. ૨૧. પોતાની પ્રકૃતિની અનુકૂળતાએ વખતસર ભોજન કરવું અને રુચિ ઉપરાંત જમવાની લોલુપતા રાખવી નહિ અને જો અજીર્ણ થયું હોય તો ભોજન કરવું નહિ. ૨૨. શરીરમાં નબળાઈ લાગે તો તેનો ઉપાય કરવો. ૨૩. અઘટિત દેશ તથા અઘટિત કાલ પ્રમાણે ચાલવું નહિ. ૨૪. યોગ્યતા પ્રમાણે લોકવ્યવહાર કરવો – લોકવિરુદ્ધ આચરવું નહિ, હલકા લોકોની સાથે હીનાક્રમથી – લોકવ્યવહારના તુચ્છપણાથી વર્તવું. ૨૫. અતિ પરિચયનો ત્યાગ કરવો. ૨૬, સદાચારી અને જ્ઞાનવૃદ્ધની સેવા કરવી. ૨૭. પરસ્પર ગૂંથાયેલ ધર્મ, અર્થ અને કામને એકબીજાને ઉપઘાત ન થાય તેવી રીતે સેવવા. ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે, તેમાં જેનાથી સતિ અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ, જેનાથી સર્વપ્રયોજનની સિદ્ધિ થાય તે અર્થ, અને જેનાથી અહંકારના રસથી વ્યાપ્ત એવી સર્વઈદ્રિયોની પ્રીતિ થાય તે કામ છે. બુદ્ધિમાનું પુરુષે ધર્મને બાધા ન આવે તેવી રીતે કામ અને અર્થને વિષે યત્ન કરવો. જે અર્થ તથા કામનો ઉપઘાત કરી કેવલ ધર્મનું સેવન કરે તેને તો યતિપણું લેવું સારું છે – ગૃહસ્થને તો અર્થ તથા કામનું આરાધન કરવું શ્રેય છે. અતિ કામાસક્તનું દ્રવ્ય તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy