SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ ૪૩ તે પરે તેની ઘણી મમતા હતી, પણ માતા ચિલણાએ જણાવ્યું કે “તારા પિતાની જે મમતા તારા પર હતી તે પ્રમાણમાં તારા પુત્ર પ્રત્યેની મમતા કશા લેખામાં નથી, કારણકે કૂકડીના કરડવાથી અથવા કૂકડીનાં પીંછાં વડે વીંધાવાથી જ્યારે તારી આંગળી પાકી હતી અને અંદર જીવ પડ્યા હતા ત્યારે તારા પિતાએ તારી એવી આંગળીને પણ મુખમાં રાખી તને સુખ આપ્યું હતું. અને અત્યારે કારાગૃહમાં નાંખી ઉપકારી પિતા પર શું એવું આચરણ કરે છે ? આથી કુણિકને પશ્ચાત્તાપ થયો અને પિતાની બેડી સ્વહસ્તે જ તોડી નાંખવા માટે લોહદંડ લઈ કેદખાનામાં દોડ્યો. શ્રેણિક કે જે હમેશાં ચાબુક ખાતો હતો તેણે લોહદંડ કુણિકના હાથમાં જોઈ પોતાનો વધ કરવા જ આવે છે એમ વિચારી તાલુપુટ વિષ ખાધું અને તત્કાળ પ્રાણ છોડ્યો. કુણિક – આનો જન્મ થયો કે અશોક વનમાં લઈ જવામાં આવ્યો હતો તેથી તેનું નામ “અશોકચંદ્ર' પાડવામાં આવ્યું હતું. પણ ગર્ભમાં હતો ત્યારે ખરાબ દોહદ માતાને થયા હતા તેથી તેને વનમાં છોડવામાં આવ્યો ત્યાં કૂકડીએ તેની ટચલી આંગળી કરડી ખાધી, પછી તે પાકીને પરુથી વ્યાપી ગઈ. શ્રેણિક રાજાએ તેને વનમાંથી મંગાવી તેની આંગળી મુખમાં રાખી હતી. આંગળી પછી રુઝાઈ, પણ બૂઠી રહી તેથી તેને બાળકો ‘કુણક' (બૂઠી આંગળીવાળો) નાનપણમાં કહેવા લાગ્યા. ઉપર કહ્યા પ્રમાણે તેણે રાજ્ય મેળવ્યું. પિતાના આત્મઘાતથી તેને ઘણું દુઃખ થયું, તેથી રાજગૃહ નગર અકારું લાગ્યું અને ખેદથી મુક્ત થઈ ન શક્યો. આથી બીજું શહેર વસાવવા ઇચ્છયું અને તે પ્રમાણે ફરતાં ફરતાં ચંપક નામનું મોટું વૃક્ષ દેખાયું ત્યાં ચંપા નામે નગરી વસાવી; અને ત્યાં સૈન્ય વગેરે લઈ જઈ કુણિક રાજ્ય કરવા લાગ્યો. તેની સાથે વૈશાલીના ચેટક સાથેનું યુદ્ધ અને વૈશાલીનો નાશ એ બીના આગળ કહેવાઈ ગઈ છે. મહાવીરના સમયમાં જ વૈતાદ્યગિરિની તમિસ્રા ગુહા પાસે દેવથી બળી ભસ્મ થયો. આ લગભગ વીરના નિર્વાણ પહેલાં ત્રણચાર વર્ષે બન્યું જણાય છે. ઉદાયી - આ પછી પ્રધાનોએ તેના પુત્ર ઉદાયનને ગાદીએ બેસાર્યો. તે શ્રાવકવ્રતમાં ચુસ્ત હતો અને વીર પ્રત્યે અડગ શ્રદ્ધા રાખતો હતો. આને પણ જેમ પોતાના પિતાએ રાજગૃહમાં તેના પિતાનું મરણ થયું હતું તેથી બહુ ખેદ થતાં અને ત્યાં ચેન નહિ પડવાથી ચંપા નગરી વસાવી હતી, તેમ ચંપામાં પોતાના પૂર્વજોનું મરણ થતાં ચેન ન પડવાથી ગંગા નદી પર પાટલવૃક્ષ હતું ત્યાં નગર વસાવ્યું અને પાટલિપુત્ર ૧. જુઓ ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦મું – મહાવીર ચરિત્ર (હેમચંદ્રકૃત) ભાષાંતર પૃ. ૨૭૦. ૧૯૭૧ના વૈશાખના જૈન ધર્મપ્રકાશ'ના તંત્રી રાકુંવરજીભાઈ જણાવે છે કે “કુણિકની આંગળીમાં જીવ પડ્યાનું લખ્યું છે, પણ જીવ પડ્યા નહોતા, રસી થયેલું હતું, તેથી જ તેની શાંતિ માટે શ્રેણિક રાજા તે આંગળી મોઢામાં રાખતા હતા. જીવ પડ્યા હોય તો મોઢામાં રાખે નહિ” – રા. કુંવરજીભાઈ મૃ. ૧૩૩ પરની હકીકત પરથી તેમ લખવા દોરાયા લાગે છે. તેમાં એમ લખ્યું છે કે : “તે કૂકડીએ કરડી ખાધી હતી. તેની પીડાથી રુદન કરતા તે બાળકની આંગળી કે જે રુધિરપથી વ્યાપ્ત હતી, તેને રાજાએ સ્નેહ વડે મુખમાં નાખી એટલે એ બાળક રોતો બંધ રહ્યો.” – પણ તેમને પૃ. ૨૭૦ જોવા વિનંતી કરીશ. તેમાં જે જણાવ્યું છે તે મેં બતાવ્યું છે. - લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy