SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વિષયસેવન (૧૩) મિથ્યાત્વ – દર્શનમોહ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ - અપ્રત્યાખાન (તૃષ્ણા વગરનાને વ્રત-પ્રત્યાખ્યાન હોય જ નહિ) (૧૭) રાગ (૧૮) કેષ ૧ અહંતનાં જુદાં જુદાં નામ આ છે : અહંનું, જિન, પારગત, ત્રિકાલવિત, ક્ષીણાષ્ટકમ, પરમેષ્ઠી, અધીશ્વર, શંભુ, સ્વયંભૂ, ભગવાન, જગપ્રભુ, તીર્થકર, તીર્થકર, જિનેશ્વર વગેરે. આ ઉપરથી પ્રતીત થાય તેમ છે કે જે સ્ત્રીને પાસે રાખે, શસ્ત્ર રાખે, વિષય સેવે, ક્રોધાદિ સેવે તે દેવનાં ઉપરોક્ત લક્ષણથી, વિરુદ્ધ વર્તન રાખે છે તેથી તેને જૈનો કુદેવ’ કહે છે, આમ ઈશ્વરને માનનારા જૈન છે અને તેથી તેને તે દષ્ટિએ નાસ્તિક ગણી શકાય તેમ નથી. આત્માનો, પરમાત્માનો, પરલોકનો, પુનર્જન્મનો અને કર્મવાદનો સ્વીકાર કરનારા જૈન નાસ્તિક નથી કે તેમ કદીપણ ગણી શકાય તેમ નથી – ફક્ત એટલો જ ભેદ છે કે કેટલાક બીજા ઈશ્વરને જગત્કર્તા માને છે જ્યારે જૈન સાંખ્યઆદિની પેઠે ઈશ્વરને જગત્કર્તા સ્વીકારતા નથી. જૈનમાં એવો સિદ્ધાંત (dogma) છે કે કાલચક્રના બે ભાગ નામે ઉત્સર્પિણી અને અવસર્પિણી દરેક એવામાં આવા ઈશ્વર તીર્થંકર ૨૪ (૨૪થી ઓછા નહિ કે વધુ નહિ) થાય છે. હાલ અવસર્પિણી ચાલે છે. તેમાં થઈ ગયેલા ૨૪ તીર્થકરને વર્તમાન ચોવીસ જિન કહેવામાં આવે છે. તેની પહેલાંના ઉત્સર્પિણી કાલમાં થયેલા ૨૪ તીર્થકરને ભૂત ૨૪ જિન કહેવામાં આવે છે કે જેમનાં નામ આ પ્રમાણે છે : કેવલજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલનાથ, સર્વાનુભૂતિ, શ્રીધર, દત્ત, દામોદર, સુતેજ, સ્વામી, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્તાગ, નેમીશ્વર, અનિલ, યશોધર, કૃતાર્થ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવકર, અનંદન અને સંપ્રતિ. વર્તમાન જિન ચોવીશીનાં નામ, ૧. ઋષભનાથ ૨. અજિતનાથ ૩. સંભવનાથ ૪. અભિનંદન ૫. સુમતિનાથ ૬. પપ્રભુ ૭. સુપાર્શ્વનાથ ૮. ચંદ્રપ્રભુ ૯. સુવિધિનાથ અથવા પુષ્પદંત ૧૦. શીતલનાથ ૧૧. શ્રેયાંસનાથ ૧૨. વાસુપૂજ્ય ૧૩. વિમલનાથ ૧૪. અનંતનાથ ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ ૧૮. અરનાથ ૧૯. મલ્લિનાથ ૨૦. મુનિસુવ્રત ૨૧. નમિનાથ ૨૨. નેમનાથ ૨૩. પાર્શ્વનાથ અને ૨૪. મહાવીર. આમાંના છેલ્લા મહાવીર અને પાર્શ્વનાથ આસત્ર ઉપકારી તરીકે સ્વીકારી તેઓ પ્રત્યે જેનોમાં માહાસ્ય વધુ દેખાય છે. તે બંને ઐતિહાસિક વ્યક્તિઓ હતી એ પુષ્કલ પ્રમાણોથી ડોક્ટર હર્મન જેકોબી નામના જર્મન પ્રોફેસરે આચારાંગાદિ જૈન સૂત્રોનાં પોતે કરેલાં અંગ્રેજી ભાષાંતર કે જે વૉલ્યુમ ૨૪ અને ૪૫માં (સેક્રેડ બુક્સ ઑફ ધ ૧. પાતંજલમાં દર્શનમાં જણાવ્યું છે કે વશ વિપછાશવૈરપકૃ: પુરુષ વિશેષણવર – જે પુરુષવિશેષ ક્લેશ, કર્મ, વિપાક અને આશયના સંબંધ વિનાનો છે તે જ ઈશ્વર. ક્લેશ પાંચ જાતના છેઃ અવિદ્યા ( મિથ્યાજ્ઞાન), અસ્મિતા (જુદી વસ્તુમાં અભેદ પ્રતીતિ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (મરણભય). કર્મ બ=સુકૃત અને દુકૃત (પુણ્ય અને પાપ). વિપાકઃકર્મફળ કે જે ત્રણ પ્રકારનું છેઃ જન્મ, આયુષ્ય અને ભોગ. આશયનવિપાકને અનુરૂપ સંસ્કાર. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy