SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નવ તત્ત્વ પુણ્ય ઉપાર્જન કરવાનાં ૯ કારણ છે : (૧) સુપાત્રે અન્નદાન, (૨) જલ પાવું, (૩) વસ્ત્ર આપવાં, (૪) રહેવાને સ્થાનક આપવું, (પ) સૂવા બેસવાને આસન આપવાં, (૬) ગુણીજનને દેખી મનમાં સંતોષ માનવો, (9) ગુણીજનની વચનથી પ્રશંસા કરવી, (૮) અને કાયાથી સેવા કરવી, (૯) અને ગુણીજનને નમસ્કાર કરવો. ૧૬૧ પુણ્યથી ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ કુળ, ઉચ્ચ ગતિ, શરીરને સુખ, સાંગોપાંગ શરીર, ઉત્તમ શરીરનો બાંધો, યશ, પૂજ્યતા, લોકપ્રિયતા આદિ અનેક સુખકારક સંયોગો પ્રાપ્ત થાય છે. ૪. પાપતત્ત્વ પુણ્યથી વિપરીત તે પાપ, એટલે અશુભ કર્મ – કે જેનાથી જીવોને દુઃખ થાય અને જેનાથી નરકાદિ ફલ પ્રાપ્ત થાય છે તે. પાપ અઢાર પાપસ્થાનકોથી બંધાય છે અને ૮૪ અશુભ કર્મની પ્રકૃતિઓથી પાપ ભોગવાય છે – જે કર્મના ભેદોમાં જણાવવામાં આવેલ છે. ૧૮ પાપસ્થાનકો તે નીચે પ્રમાણે છે ઃ ૧. પ્રાણાતિપાત (જીવહિંસા) ૨. મૃષાવાદ (જૂઠું બોલવું) ૩. અદત્તાદાન (ચોરી કરવી), ૪. મૈથુન (અબ્રહ્મચર્ય) ૫. પરિગ્રહ (વસ્તુ વિષે મારાપણું રાખવું), ૬. ક્રોધ ૭. માન, ૮. માયા (કપટ), ૯. લોભ એમ ૬-૯ એ ચાર કષાય, ૧૦. રાગ (આસક્તિ), ૧૧. દ્વેષ (ઈર્ષ્યા-અદેખાઈ વગેરે) ૧૨. ક્લેશ ૧૩. અભ્યાખ્યાન ૧૪. પૈશુન્ય (ચાડી ખાવી તે), ૧૫. પરપ્રવાદ (નિંદા), ૧૬. ચિંતઅરિત, ૧૭. માયામૃષા, ૧૮. મિથ્યાદર્શન શલ્ય. ઉપર્યુક્ત પાપ-પુણ્યનો બંધતત્ત્વમાં અંતર્ભાવ થાય છે, છતાં તેને જુદાં ગણાવવામાં પરમતવાળાના આ સંબંધે વિવિધ વિચારોનો નિષેધ કરવાનો હેતુ છે. કેટલાક એમ કહે છે કે પુણ્ય જ છે, પાપ નથી; બીજા કહે છે કે પાપ છે પણ પુણ્ય નથી; ત્રીજા કહે પાપ અને પુણ્ય બંને એક જ વસ્તુ છે; કેટલાક કહે છે કે મૂલથી કર્મ જ નથી અને આ આખું જગત્ પ્રપંચ સ્વભાવસિદ્ધ છે. આ બધા મત યોગ્ય નથી, કારણકે સુખ અને દુઃખ એવાં બે સ્પષ્ટ જુદાંજુદાં સર્વે અનુભવે છે, અને તેથી તે સુખદુઃખના કારણરૂપ પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર રીતે સ્વીકારવાં ઘટે છે. કર્મનો અભાવ માનનારા અને વેદાંતીઓ કહે છે કે પુણ્યપાપ આકાશપુષ્પ જેવાં છે, સરૂપ નથી તો પછી તેમના લના ભોગનાં સ્થાન સ્વર્ગ નરકાદિ ક્યાંથી હોય ? આ વાત યોગ્ય નથી, કારણકે પુણ્યપાપ ન હોય તો સુખદુઃખનું કારણ કાંઈ રહ્યું નહિ એટલે તે પેદા જ ન થવાં જોઈએ. અને તે વાત તો પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ છે. જેમકે મનુષ્યત્વ સર્વત્ર સમાન છે છતાં કેટલાક સ્વામીપણું તો બીજા તેનું સેવકપણું ભોગવે છે, કોઈ શ્રીમંત, તો કોઈ કંગાલ છે ઇત્યાદિ બધી દુઃખસુખની વિચિત્રતા દેખાય છે. તો તેના કારણરૂપે પાપપુણ્ય માનવાં જોઈએ અને તે માન્યાં એટલે તેમનાં ફલનો ઉપભોગ કરવા યોગ્ય સ્વર્ગ-નરકનાં વિશિષ્ટ ભોગસ્થાન પણ માનવાં જોઈએ. - Jain Education International વિદાંતીઓ પુણ્ય-પાપ માને છે. શાંકર વેદાંતીઓ તેમને વ્યાવહારિક સત્ય તરીકે સ્વીકારે છે, પણ વ્યવહાર-દશામાં તેમના નિયમોના પાલનનો આગ્રહ છે. પારમાર્થિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy