SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો માત્રની ઉત્પત્તિ કરે છે. આને માટે જૈન એમ કહે છે કે ત્યારે ઈશ્વર પિતારૂપ અને સર્વ પદાર્થો પુત્રરૂપ માનવા જોઈએ. પુત્રની ઉપર પિતાનો પ્યાર હોય એ સ્વાભાવિક સિદ્ધ છે. તેમ ઈશ્વરનો પણ સર્વની ઉપર પ્યાર હોવો જોઈએ. જો એમ હોય તો સર્વ પ્રાણી માત્ર સુખી હોવા જોઈએ. તેમ તો દીઠામાં આવતું નથી. કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ પાપી, કોઈ પુણ્યવાનું, કોઈ નરકગામી તથા કોઈ સ્વર્ગગામી વગેરે સર્વ જીવોની જુદીજુદી વિપરીત અવસ્થા જોવામાં આવે છે. આ સાથે વળી કોઈ કહે છે કે બ્રહ્મને - ઈશ્વરને ઈચ્છા થઈ કે પોડહં વહુચમ્ (વેદવચન) હું એક છું તે બહુ થાઉં – અને તે પ્રમાણે ઈશ્વરે જગત્ રચ્યું. આના ઉત્તરમાં જૈન એમ કહે છે કે શું પૂર્વાવસ્થા સારી નહોતી કે બીજી અવસ્થામાં આવવાની ઈચ્છા થઈ ? જો તે સારી અને સુખરૂપ હતી તો શું કુતૂહલ ઊપજ્યુ ? તો પૂર્વની સુખરૂપ હોવા પછી બીજી તેના કરતાં વધારે સારી – સુખરૂપ અવસ્થા હોય તો કુતૂહલ કરવાનું મન થાય, પણ બ્રહ્મને તેમ હોવું અશક્ય છે. આ સંબંધે અતિથિવિશાલ વાદ – ચર્ચા છે.' અવતારવાદ - ઉક્ત પાંચ કારણોમાંનું પૂર્વકર્મ ઈશ્વરને રહ્યું જ નથી. તે સિદ્ધ અવસ્થા સર્વકર્મનો ક્ષય કરીને જ પામે છે, એટલે પછી તેને જેનાથી જન્મ, મરણ થાય છે, તે (કર્મ) ન હોવાથી પુનઃજન્મ – અવતારગ્રહણ કરવો પડતો નથી, સહેજે થઈ શકતો નથી. બીજા દગ્ધ થયા પછી તેમાંથી અંકુરનો પ્રાદુર્ભાવ થતો નથી, તે જ રીતે કર્મબીજ દગ્ધ થયે ભવરૂપી અંકુર ઉદય પામતો નથી. તેમ ઈશ્વરને કોઈ શત્રુભાવ હોતો જ નથી એટલે પછી દાનવીરૂપી શત્રુને મારવા ને દેવતા રૂપી મિત્રને બચાવવા જન્મ લેવાનો સંભવ હોતો જ નથી. આ જ પ્રમાણે ગીતાનું વચન યા યા દિ ધર્મસ્ય જ્ઞાનર્મવતિ ભારત | પુન: સંથાપનાથય સંમવાર યુગો યુકેમાં રહેલ મુક્ત જીવનો તે આશયપૂર્વક પુનરાવતાર તેમજ પરાર્થ માટે અવલોકિતેશ્વર અને મૈત્રેય આદિ બુદ્ધનો ફરી અવતાર (કેટલાક બૌદ્ધો માને છે તે) જૈનો સ્વીકારતા નથી, કારણ કે જે મુક્ત થઈ ભવમાં પડે, નિર્વાણને પણ અનિષ્ટ જાણી દૂર કરીને ફરીથી ભવમાં પડે એવો મોહ સિદ્ધમાં આરોપણ કરવા જેટલી કલ્પના પણ જૈનોને માન્ય નથી. તેવી જ રીતે વેદાંત, સાંખ્ય, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધોના અમુક અને મોટો ભાગ મુક્તનું પુનરાવર્તન સ્વીકારતા નથી. ૧. જેમને સૃષ્ટિ કર્તૃત્વમીમાંસા સંબંધે જેનદર્શનનું શું વક્તવ્ય છે તે વિસ્તારથી જાણવાની ઈચ્છા હોય તેને સંમતિતર્ક પડ્રદર્શન સમુચ્ચય ભાષાંતર પૃ. ૧૦૩-૧૨૧, સૃષ્ટિકતૃત્વમીમાંસા – પં. ગોપાલદાસજી બયા લિખિત, જગત્કતૃત્વમીમાંસા, વગેરે ગ્રંથો જોવા-વિચારવાની વિનતિ નૈયાયિક અને વૈશેષિક જગકર્તા તરીકે ઈશ્વરને માને છે. વેદાંતમાં તેના સિદ્ધાંતમાં નથી – વ્યવહારમાં છે, બાકી અન્ય – સાંખ્ય, અને બૌદ્ધ જગકર્તા તરીકે ઈશ્વરને માનતા નથી. [“વેદાંત' શબ્દ, અહીં ‘શાંકરવેદાંતના અર્થમાં પ્રયોજ્યો છે. બીજા વેદાંત-સંપ્રદાય ઈશ્વરનું કર્તૃત્વ સ્વીકારે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy