SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય ૧૯૩ આ પ્રમાણે જૈનદર્શન પાંચ કારણ સિવાય અન્ય કોઈપણ કારણ અમુક કાર્યની નિષ્પત્તિ માટે સ્વીકાર કરતું નથી. ઈશ્વર કોઈનો જગતુ આદિનો કર્તા નથી, કર્મોની ઉત્પત્તિ તથા તેના નાશમાં ઈશ્વરનું કાંઈપણ કારણપણું નથી. ઈશ્વર તો અકર્તા છે. ઉક્ત પાંચ કારણોને લઈને જ પુણ્યપાપજન્ય સ્વર્ગનરકને વિશે જીવ ગમનાગમન કરે છે, ચતુર્ગતિરૂપ ભવપરંપરા પામે છે અને પોતાનાં ઉપાર્જેલાં શુભાશુભ કર્મ ભોગવે છે. સ્વભાવ એ પરિણામી – ઉપાદાન કારણ છે, અને કાલાદિ સર્વકારણ સહકારી કારણ છે – અપેક્ષા કારણ છે. દ્રવ્યમાં જે અનાદિ દ્રવ્યત્વશક્તિ છે, તે જ સર્વ પદાર્થોને ઉત્પન્ન કરે છે, તેમજ લય કરે છે. તે શક્તિ ચૈતન્ય અચૈતન્યાદિ અનંત સ્વભાવવાળી છે. તેને ઈશ્વર, જગત્કર્તા માનવાથી જૈન દર્શનને કાંઈ હાનિ થતી નથી. ઈશ્વરનું કર્તાપણું – સૃષ્ટિકર્તુત્વવાદ જગદાદિરૂપ કાર્યની ઉત્પત્તિમાં અવાંતર પ્રલય માનનારા નૈયાયિકો ત્રણ કારણ માને છે : (૧) સમવાયી કારણ જેવાં કે પરમાણુ, (૨) અસમવાયી જેવાં કે કવણુકાદિ સંયોગ (૩) નિમિત્તકારણ ઈશ્વર, અદષ્ટ અને કાલાદિ. આમાં પર્યાયાર્થિક નયની અપેક્ષાથી પૂર્વોક્ત પરમાણુ, હયણુકાદિ સંયોગ, કાલ, અદષ્ટ એ કારણો માનવામાં જૈન દર્શનને વિવાદ નથી, પરંતુ ઈશ્વરને નિમિત્તકારણ માનતું નથી કારણકે કૃતકૃત્ય એવા ઈશ્વરને દુનિયા બનાવવાના ફંદમાં નાંખવા ઉચિત નથી. | વેદાંત જેને “બ્રહ્માંડ કહે છે, અન્ય જેને “સૃષ્ટિ' કહે છે, તેને જૈન ‘લોક' કહે છે. લોકનું લક્ષણ એ છે કે, નોવીને નીવાદો સ્મિન સ નો:' - જેમાં (જેટલા આકાશમાં) જીવાદિક છે દ્રવ્ય જોવામાં આવે છે તેને “લોક કહેવામાં આવે છે. છયે દ્રવ્યનું નિવાસક્ષેત્ર લોક છે. જ્યાં સુધી જીવ કર્મના સંબંધથી બદ્ધ છે ત્યાં સુધી તે સંસારી છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, અને તે કર્મનો નાશ કરી સંસારથી છૂટી લોકાગ્રે વિરાજમાન થઈ સમસ્ત દુઃખવર્જિત અનંત અને અવિનાશી સુખનો ભોક્તા બને છે તેને “મુક્ત' જીવ કહેવામાં આવે છે. આ મુક્ત જીવને જૈન ઈશ્વર કહે છે. મુક્ત જીવથી ભિત્ર કોઈ ઈશ્વર નથી અને લોક અનાદિનિધન છે. છ દ્રવ્યના સમૂહને લોક એવી સંજ્ઞા આપેલ છે. તે દ્રવ્યને બનાવવાની અથવા દ્રવ્યોના સમૂહરૂપ કરનારની શું જરૂર છે ? કોઈ કહે કે છે તો પહેલાં હતી કે નહિ ? પહેલાં હતી તો પછી તેના બનાવવાની શું જરૂર હતી ? જો નહિ હતી તો તે દ્રવ્ય ઈશ્વરે ઉપાદાન કારણ વગર કેવી રીતે બનાવી ? કોઈ કહે કે ઈશ્વર પોતે જ ઉપાદાન કારણ છે તો ઉપાદાન કારણના ગુણ કાર્યમાં આવવા જ જોઈએ, તો તે પ્રમાણે ઈશ્વરનાં સર્વજ્ઞત્વ, સર્વશક્તિત્વ આદિ ગુણ આ દ્રવ્યોમાં આવવાં જોઈતાં હતાં, પરંતુ તે તો જણાતાં નથી. આથી ઈશ્વર દ્રવ્યોનું ઉપાદાન કારણ કદાપિ નથી. કોઈ કહે કે ઈશ્વર નિમિત્તકારણ છે, અને જગતુ એટલે સર્વ પ્રાણીમાત્ર, જડ વગેરે ઈશ્વરનાં કાર્ય છે – પિતા જેમ પુત્રની ઉત્પત્તિ કરે છે તેમ ઈશ્વર સર્વ પ્રાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy