SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ : બાલ્યકાળ : યુવાવસ્થા (ગૃહસ્થાશ્રમ) ૨૮૩ સારથિ સાથે રથમાં બેસી તે ફરતો હતો એટલામાં એક વ્યાધિગ્રસ્ત, વૃદ્ધ, અને મૃત એવા ત્રણ પુરુષોનાં અનુક્રમે દર્શન થયાં. સારથિએ વ્યાધિ, જરા અને મરણનાં ઉગ્ર સ્વરૂપો બોધિસત્ત્વને સમજાવ્યાં, તે ઉપરથી સંસારના વિષયો પર તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને ગૃહત્યાગનો નિશ્ચય દઢ થયો. (બુદ્ધચરિત) આ સંબંધમાં બુદ્ધ પોતાની પૂર્વસ્થિતિનો વૃત્તાંત તિપિટકના સુત્તપિટકમાંના અંગુત્તર નિકાયમાં નીચે પ્રમાણે જણાવે છે : ભિક્ષુઓ ! હું બહુ સુકુમાર હતો. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી, તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢતાપની મારા પર અસર ન થાય, માટે મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શિયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદાજુદા ત્રણ રાજમહેલ હતા. જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો, ત્યારે ચાર મહિના બહાર ન નીકળતાં સ્ત્રીઓનાં ગીત અને વાઘ સાંભળી કાલક્રમણ કરતો. બીજાઓને ત્યાં, સેવકો અને નોકરોને હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ મારે ત્યાં મારાં દાસ-દાસીઓને માંસમિશ્રિત ઉત્તમ ભાત અપાતો હતો. આવી સંપત્તિનો ઉપભોગ લેતાં લેતાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે અવિદ્વાનું સામાન્ય મનુષ્ય પોતે વૃદ્ધપણાના સપાટામાં આવવાનો છે, તોપણ ઘરડા માણસ તરફ જોઈ કંટાળે છે ને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ ઘડપણના ફાંસામાં ફસાવાનો છું. માટે જો સામાન્ય મનુષ્ય પેઠે જાગ્રસ્ત માણસથી કંટાળું કે તેનો તિરસ્કાર કરું તો તે મને શોભે નહિ – આ વિચારને લીધે મારો જુવાનીનો મદ સમૂળગો જતો રહ્યો. અવિદ્વાન્ સામાન્ય પોતે વ્યાધિના સપાટામાં સપડાવાનો છે, છતાં વ્યાધિગ્રસ્ત મનુષ્ય તરફ જોઈને કંટાળે છે, અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું જાતે વ્યાધિના સપાટામાંથી છૂટ્યો નથી, ને વ્યાધિગ્રસ્તથી કંટાળું કે તિરસ્કાર કરે તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો આરોગ્યમદ સમૂળગો જતો રહ્યો. અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે મરણધર્મી હોવા છતાં મૃત શરીર તરફ જોઈ કંટાળે છે ને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ મૃતધર્મી છું, છતાં સામાન્ય મનુષ્યની માફક મૃત શરીર તરફ જોઈને કંટાળું કે તેનો તિરસ્કાર કરે, તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો જીવિત મદ તદ્દન ગળી ગયો.” આમ પિતદ્વારા એક રાજપુત્ર પ્રમાણે સર્વ પ્રકારના મોજશોખનાં સાધનો પોતાને પૂરાં પાડવામાં આવ્યાં હતાં તોપણ તેથી તેનું સમાધાન થયું નહિ. જરા, વ્યાધિ અને મરણનાં ઉગ્ર સ્વરૂપોની કલ્પના ઉત્તરોત્તર તેના મનમાં દઢ થતી ગઈ, અને તેનો તારુણ્ય, આરોગ્ય તથા જીવિતનો મદ છેક ગળી ગયો. ૧. બુદ્ધચરિતમાં જણાવ્યું છે કે એક દેવતા વ્યાધિગ્રસ્ત વગેરેનાં ત્રણ રૂપ અનુક્રમે લઈ આવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy