SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેઓની ભ્રમણસંચરણ વિશેષગતિ એ કાલના વિભાગમાં હેતુ છે. આથી મુહૂર્ત, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વર્ષ આદિ પડે છે, તેમાં જૈનશાસ્ત્રમાં આથી ઘણા સૂક્ષ્મ ભાગો પણ પાડેલા છે, અને તે નીચે પ્રમાણે : પરમસૂક્ષ્મ ક્રિયાવાનું, સર્વ કરતાં ઓછામાં ઓછી ગતિ પરિણત કરનાર એક પરમાણુ પોતાના અવગાહન ક્ષેત્રને જેટલા કાળમાં બદલે તેટલા – અતિ સૂક્ષ્મકાલને સમય કહે છે. આ સમયરૂપ કાલ ઘણો સૂક્ષ્મ હોવાથી પરમ પુરુષોને – સાધારણ પુરુષોની અપેક્ષાએ અતિશય સહિત જનોને – પણ દુર્ણોય છે. આ કાલ ભગવાન્ પરમાર્થ કેવલી (સર્વજ્ઞ) જ જાણી શકે છે. ભાષા કે શબ્દથી ગ્રહણ કે ઈદ્રિયના પ્રયોગનો અહીં અસંભવ છે. સંખેય સમય=૧ આવલિકા ૩૦ મુહૂર્ત ૧ રાત્રિદિન સંખેય આવલિકા=૧ ઉચ્છવાસ અને [ ૧૫ રાત્રિદિન=પક્ષ નિઃશ્વાસ=૧ પ્રાણ (બલવાનું, સમર્થ, ૨ પક્ષ (શુકલ અને કૃષ્ણ)=૧ માસ ઈદ્રિયસહિત, નીરોગ, યુવાનું અને ! ૨ માસઃ૧ ઋતુ સ્વસ્થ મનવાળા પુરુષનો) ૩ ઋતુ-૧ અયન ૧ પ્રાણ આને સમુચ્ચયે ઉચ્છવાસ ૨ અયન=૧ વર્ષ અગર શ્વાસ કહેવામાં આવે છે. પ વર્ષ=૧ યુગ ૭ પ્રાણ=૧ સ્ટોક ૮૪ લાખ વર્ષ=૧ પૂર્વાગ ૭ સ્તોક=૧ લવ ૮૪ લાખ પૂવગ=૧ પૂર્વ ૩૮. લવ=૧ નાલિકા ૮૪ લાખ પૂર્વ=સંખેય કાલ ૭૭ લવ=ર નાલિકા=૧ મુહૂર્ત આ પછી નિર્ણત કરેલા કાલવિભાગને ઉપમાથી કહે છે : ૧ પલ્યોપમકાલ – એક યોજન (ચાર ગાઉ) લાંબી તથા એક યોજન ઊંચી એક વૃત્તાકાર પલ્ય (રોમગર્ત-ખાઈ)ને એક રાતથી તે વધારેમાં વધારે સાત રાત સુધીમાં જન્મેલાં ઘેટાં આદિ પશુઓના વાળથી ગાઢ રૂપે ઠાંસીઠાંસીને પૂર્ણ ભરી હોય, ત્યાર પછી સો-સો વર્ષ પછી એક-એક વાળ તે ખાઈમાંથી કાઢવામાં આવે અને તેમ કરતાં જેટલા કાલમાં તે ખાઈ સાવ ખાલી થઈ જાય તેને એકપલ્યોપમ કાલ કહેવામાં આવે છે. ૧૦કોટાકોટીપલ્યોપમ=૧ સાગરોપમકાલ ! દરેકની અંદર છ આરા હોય છે તે ઉપર ૧૦ કોટાકોટી સાગરોપમ =૧ અર્ધકાલચક્ર | સમજાવેલ છે. (કે જેને તેમાં પર્યાયોની હાનિ થવાને લીધે | ૧ ઉત્સર્પિણી ને ૧ અવસર્પિણી કાલચક્ર અવસર્પિણી અને વૃદ્ધિ થવાને લીધે - શ્રી તત્ત્વાર્થ સૂત્ર ઉત્સર્પિણી કહેવામાં આવે છે) - આ | ૪. આની સાથે હિંદુશાસ્ત્રની કાલગણના સરખાવીએ. ' કમળની ૧૦૦ પાંખડીઓ એક ઉપર એક ગોઠવી, તેમાં સોય ઉપરથી નીચે સુધી એવી રીતે ભોંકવી કે, બધી પાંખડીઓ ભોંકાઈ જાય. એમ કરવાથી દરેક Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy