SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ૫૨-૫૨ના મુહૂર્તમાં સંક્રાંત થઈને જે અવિચ્છિન્ન પ્રવાહ ઉત્પન્ન કરે છે તે ‘અહં’ અથવા આત્મા છે. સૌત્રાન્તિક જ્ઞાનનો સ્વીકાર કરે છે અને કહે છે કે જોકે આપણે બાહ્યાર્થ પ્રત્યક્ષ નથી કરતા, તો પણ જ્ઞાન દ્વારા તેના અસ્તિત્વનું અનુમાન કરી શકીએ છીએ. વૈભાષિક બાહ્યાર્થ અને જ્ઞાન એ બંનેનો સ્વીકાર કરે છે. સાંખ્ય-દર્શનની છાપ ઉપર જ બૌદ્ધદર્શનની રચના થઈ છે એ વાતનું પ્રમાણ ડગલેડગલે મળે છે. ૧ ૨૭૬ ષદર્શનમાં બૌદ્ધ દર્શનનું કાલદૃષ્ટિએ સ્થાન (યુરોપીય પંડિતોમાં) સામાન્ય રીતે એવું મનાય છે કે, વેદોનો ઉપનિષત્કાલ દર્શનોની ઉત્પત્તિનો આદિમ કાલ છે. પછી ૬ દર્શનો નામે સાંખ્ય, ન્યાય, વૈશેષિક, મીમાંસા, પાતંજલ, અને વેદાંત થયાં. આ છનો કાનિર્ણય કરવો દુર્ઘટ છે. કોઈ સાંખ્યના સ્થાપક મહર્ષિ કપિલને તો કોઈ વૈશેષિકને સૌથી પ્રાચીન મૂકે છે. પણ વિચાર કરવાથી માલૂમ પડે કે વૈશેષિક અને બૌદ્ધ દર્શન ન્યાયદર્શનની પછી બન્યાં છે. પરમાણુવાદના સ્રષ્ટા મહર્ષિ ગૌતમ (ન્યાયદર્શનના પ્રણેતા)ને ગણી શકાય. જડ પદાર્થો પણ પરમાણુથી બનેલા છે એ વાત સૌથી પહેલાં ગૌતમે જ જાણી હતી. મહર્ષિ કણાદે પરમાણુવાદને સંપૂર્ણ રૂપમાં ગ્રહણ કર્યો. પણ તેમના મતનું વિશેષત્વ એ છે કે પરમાણુઓમાં પરસ્પર ભેદ દેખાડવા માટે પરમાણુનિષ્ઠ એક એક પદાર્થનો તેઓ અલગ અલગ સ્વીકાર કરે છે. આ વિશેષતાને લીધે તેમના દર્શનનું નામ વૈશેષિક પડ્યું. તે સિવાય કણાદે ગૌતમના બતાવેલા પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ એ ચાર પ્રમાણોને અનાવશ્યક માન્યાં છે. ઉપમાન અને શાબ્દ એ પ્રમાણોને તો વ્યર્થ સમજી તેમણે છોડી દીધાં છે. એમ જણાય છે કે બૌદ્ધોનો ક્ષણ-વિજ્ઞાનવાદ ગૌતમના ક્ષણ-વિજ્ઞાનવાદનું માત્ર અનુકરણ છે. આ વિધાન બરાબર નથી લાગતું. જ્ઞાનની ક્ષણિકતાનો સ્વીકાર સૌ દાનિકો કરે છે. તેમાં અનુકરણનો પ્રશ્ન નથી.] મહર્ષિ ગૌતમનું કથન છે કે જડ પદાર્થ-સમૂહ અતિ-અલ્પ-સ્થાનવ્યાપી છે. યોગાચાર સમ્પ્રદાયના બૌદ્ધોનું કથન છે કે જ્ઞાન-સમૂહ અતિ-અલ્પ-ક્ષણ-સ્થાયી છે. ઘણાનો એવો ખ્યાલ છે કે જૈમિનિ (મીમાંસાદર્શનના સ્થાપક) શાક્યમુનિ પછી ઉત્પન્ન થયા છે. તેઓ કહે છે કે તેઓ પોતાને બૌદ્ધ જણાવી બૌદ્ધ ગુરુ પાસે ભણતા હતા અને એક વાર તેમની પાસેથી નિરીશ્વરવાદ સાંભળ્યો. જૈમિનિ રડી પડ્યા એટલે તે બૌદ્ધ નથી એમ કળાઈ ગયું, એથી તેમને કાઢી મૂક્યા. ત્યારે તેમણે મીમાંસાદર્શનની રચના કરી, પણ બૌદ્ધનું નિરીશ્વરવાદ સંબંધી મળેલ શિક્ષણ મનમાંથી ન ખસ્યું તેથી ઈશ્વરના અસ્તિત્વનો તેમણે સ્વીકાર ન કર્યો. તેમણે પોતાના દર્શનમાં યજ્ઞસંબંધીના પરસ્પર વિરોધવાળી શ્રુતિઓની મીમાંસા કરી છે. મહાભાષ્યકાર પતંજલિ ઈ.સ.પૂર્વે બીજી શતાબ્દીમાં વિદ્યમાન હતા એમ યુરોપના પંડિતોનો મત છે. તેમણે સાંખ્યદર્શનનું જ અનુસરણ કર્યું છે. વિશેષતા એટલી જ છે કે કપિલ ઈશ્વરને માનતા નથી, કિંતુ પતંજલિ ઈશ્વરને માને છે અને જીવાત્મા કેવે પ્રકારે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે તે પોતાના ૧. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણનો ‘આર્યદર્શનોનો સંક્ષિપ્ત ઇતિાસ' નામક લેખ. (વસન્ત ૧૩-૧૦ પૃ. ૬૨૩) Jain Education International For Private & Personal Use Only d www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy