SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બુદ્ધને ઝાડો – મરડો થયો. કુરિના. જતાં જતાં બહુ નિર્બળતા આવી ગઈ અને નીચે. બેસી ગયા ને આનંદ પાસેથી પાણી મંગાવી પીધું. આ વખતે આધાર કાલામનો શિષ્ય મુલ્લ જતિનો એક તરણ નામે પૂક્કસ બૌદ્ધ થયો અને તેણે બુદ્ધને સોનેરી કપડાંની જોડ આપી જેમાંનું એક પોતે રાખી બીજું આનંદને આપ્યું. પછી બુદ્ધ કકુત્થા નદીમાં જઈ સ્નાન કર્યું. પછી તે ઊતરીને કુરિનારા (કુશિનગર)ના ઉપવર્તનમાં એક વનમાં આવી છે શાલવૃક્ષ નીચે પથારી કરવી તે પર મસ્તક ઉત્તર તરફ રાખી જમણે પાસે સિંહની માફક એક પગ બીજા પર ટકાવી સૂતા. આ વખતે થોડા કલાકો પરિનિર્વાણને રહ્યા હતા, તે દરમ્યાને ઉપદેશ કરવો ચાલુ રાખ્યો. તેમાં એ પણ જણાવ્યું કે દરેક ચુસ્ત બૌદ્ધે ચાર સ્થળ નામે તથાગતની જન્મભૂમિ, બોધિ જ્યાં પામ્યા તે સ્થળ, જયાં ધર્મચક્રપ્રવર્તન પ્રથમ કર્યું તે સ્થળ અને પરિનિવાણભૂમિની ઘણા માનપૂર્વક મુલાકાત લેવી – યાત્રા કરવી. જે આવી યાત્રા કરશે તે મરણ પછી સુખવાળાં વર્ગો પ્રાપ્ત કરશે.' પછી પોતાના શિષ્યોને પોતાના શબના સંસ્કાર માટે શ્રમ ન લેવા કહ્યું કારણકે એવા બીજા ઘણા છે કે જે પોતાને ચક્રવર્તી ગણી તે માટે સર્વ કરશે. સૂપને લાયક ચાર પ્રકારના મહાપુરુષો છે. નામે તથાગત, પ્રત્યેકબુદ્ધ, તથાગતનો શિષ્ય અને ચકવર્તી. આ વખતે આનંદ રડી પડ્યો. પણ બુદ્ધ દિલાસો આપી શાંત કર્યો. પરિનિર્વાણની રાત્રે સુભદ્ર નામનો અન્યતીર્થિક સાધુ બુદ્ધને મળવા આવ્યો. બુદ્ધ આર્ય અષ્ટાંગિક માર્ગ અને આર્યસત્યનો ઉપદેશ આપ્યો તેથી તે બૌદ્ધ થયો. પછી, છેલ્લે તેણે સર્વ ભિલું સંઘને જણાવ્યું “ભિક્ષુઓ ! હવે મારે એટલું જ કહેવાનું છે કે દરેક વસ્તુ છે તે નાશવંત છે. ઉત્સાહપૂર્વક નિર્વાણ માટે પ્રયત્ન કરજો.” આ અંતિમ વચનો કહ્યા પછી પ્રથમ ધ્યાનાવસ્થામાં પ્રવેશ કરી, બીજી ત્રીજી અને ચોથી ધ્યાનદશા અનુક્રમે પસાર કરી. ચોથી ધ્યાનાવસ્થામાં અનંત આકાશમાં, ત્યાંથી અનંત સંજ્ઞામાં, ત્યાંથી અનંત શુન્યતામાં, ત્યાંથી અનંત ન વિજ્ઞાન ન અવિજ્ઞાનમાં અને પછી એવી અવસ્થામાં આવ્યા કે જયાં તદ્દન વિજ્ઞાનનો નાશ છે. પુનઃ ત્યાંથી પુનરાવર્તન કરી એક – પછી એક અવસ્થા છેલ્લેથી પહેલે સુધી પસાર કરી. પાછી પ્રથમ ધ્યાનાવરથામાંથી બીજી, ત્રીજી અને ચતુર્થ ધ્યાનાવસ્થામાં આવ્યા ને ત્યારપછી નિવાણ પામ્યા. પછી આ રાત્રીને અંતે અનુદ્ધ નામના શિષ્ય આનંદને મલ્લજાતિના કુમારોને બુદ્ધનિર્વાણ સંબંધી ખબર આપવા મોકલ્યો. તેઓએ આવી અતિ ઉત્તમપણે મહોત્સવ કર્યો. શબને અગ્નિસંસ્કાર મહાકાયપ આવ્યા પછી થયો. અસ્થિ રહ્યાં. તેમાંથી એક ભાગ પોતાને આપવા માટે અજાતશત્રુ રાજાએ કરાવી મોકલ્યું. વૈશાલીના લિચ્છવીઓએ, કપિલવસ્તુના શાક્યોએ, અલ્લક પૂના બલિઓ એ, ગમગ્રામના કોલીઓએ, પાવાના. મલ્લો એ અને વેથદીપના એક બ્રાહ્મણે પણ તેવો હક્ક - ભાગ માગ્યો. અને તે સર્વેએ તે પર સ્તૂપ કરવાનું વચન આપ્યું. પહેલાં સિનારાના મલ્લો તે અવશેષનો કોઈ પણ ભાગ આપવા માંગતા નહિ, પરંતુ દ્રોણે બ્રાહ્મણે અસરકારક ઉપદેશ કરી જણાવ્યું કે બુદ્ધના અવશેષો પર સ્તૂપ થવી જોઈએ અને આ ભાગમાં તેને વહેંચવાથી આઠ સ્તૂપ થશે અને તેથી બુદ્ધ પરની શ્રદ્ધા વૃદ્ધિ પામો: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy