SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તથાગતનું ભવિષ્યસૂચન કે તે એક વખત બૂદ થશે. ૩. હલાહલ – તેનો છેલ્લો ભવ થાય ત્યારે ભારે ગર્જનામય શબ્દોમાં હર્ષસત્કાર. કેટલાક ચાર અવસ્થા કહે છે. ૧. મનસ્ – ધારણા, ૨. પ્રણિધાન – દઢ નિશ્ચય, ૩. વાકુ પ્રણિધાન – તે દઢ નિશ્ચયનું જાહેર થવું, ૪. વિવરણ – પ્રકટીકરણ. બોધિસત્ત્વનાં કેટલાંક નામ છે તેમાંનું સામાન્ય નામ મહાસત્ત્વ છે. મહાયાનીઓ આવાં ઘણાં માને છે. તેમાં સૌથી પ્રસિદ્ધ મૈત્રેય, તેમજ અવલોકિતેશ્વર અથવા લોકેશ્વર અને મંજુશ્રી છે. બોધિસત્ત્વમાં નૈતિક અને બુદ્ધિના ઘણા ગુણો છે. અનુકંપા એ પ્રાધાન્ય છે. અહત્ પ્રવૃત્તિમાન નથી જ્યારે બોધિસત્ત્વો ઘણા પ્રવૃત્તિમાનું છે. અહમાં વૃત્તિઓનો. ક્ષય થયો હોય છે જ્યારે બોધિસત્ત્વમાં અનુકંપાવૃત્તિ અતિશય હોય છે. બોધિસત્ત્વમાં દશ પારમિતા (પૂર્ણતા) હોય છે. ૧. દાન, ૨. શીલ, ૩. નખમ્મ (સ. નિષ્કર્મે – સંસારત્યાગ), ૪. પત્રા (પ્રજ્ઞા), પ. વિરિય (વીર્ય – શક્તિ), ૬. ખાંતિ (ક્ષતિ), ૭. સવ્ય (સત્ય), ૮. અધિઠ્ઠીન (અધિષ્ઠાન – નિશ્ચય), ૯. મેત્તા – મેરી (મૈત્રી), ૧૦. ઉપેખા (ઉપેક્ષા - તટસ્થતા – માધ્યચ્ય). [દસ પારમિતાનાં નામો આ પ્રમાણે પણ મળે છે ઃ દાન, શીલ, નિવૃત્તિ, જ્ઞાન, વીર્ય, ક્ષાન્તિ, સત્ય, દઢતા, મિત્રતા, ઉદાસીનતા.] અહને જે બુદ્ધિના વિશિષ્ટ ગુણો – બોધિપાક્ષિક ધર્મો હોય છે તે બોધિસત્ત્વોમાં હોય છે ? તે ૭ છે. ૧. ચાર મૃત્યુપસ્થાન (જનું સ્વરૂપ કહેવાઈ ગયું છે), ૨. ચાર સમ્યક્ઝહાણ, ૩. ચાર જાતની ઋદ્ધિ – ઇદ્ધિ – ઇદ્ધિપાદ, ૪. પાંચ ઈદ્રિય, મન – શક્તિઓ – શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, અને પ્રજ્ઞા, પ. પાંચ બલ – પાંચ ઇંદ્રિય જેવાં, ૬. સાત બોäગો : સ્મૃતિ, ધર્મવિચય – નિરીક્ષણ, વીર્ય, પ્રીતિ, શાંતિ, એકાગ્રતા - સમાધિ, સમતા. ૭. આર્ય અષ્ટાંગિક માર્ગ. તત્ત્વજ્ઞાન વિશ્વવિચાર નં નોવૈવિચમ્ | એ પરથી લોકનું વૈચિત્ર્ય કર્મમાંથી ઉત્પન્ન થયેલ છે. દરેક વસ્તુ અખંડપણે પર્યાય પામતી – બદલાતી જાય છે. न च निरोधोस्ति न च भावोस्ति सर्वदा अजातमनिरुद्धं च तस्मात् सर्वमिदं जगत् ।। સર્વદા નાશ પણ નથી, જન્મ પણ નથી, તેથી આ સર્વ જગત્ જન્મ અને નિરોધ વગરનું છે. છતાં પણ વિવારે નાસ્તિ સિંવિહેતવ: | નિસ્તિ વિવિહેતુY] વિચારતાં કોઈપણ બાબત હેતુ વગરની બનતી નથી. તો દરેક ફેરફાર થાય છે તેમાં અનેક કારણો છે અને તેમાંનું પ્રધાન કારણ જે હોય છે તેને “પ્રત્યય” અથવા હેતુ' કહે છે. યથાર્થ રીતે કહેતાં દરેક ફેરફારનો પ્રત્યય તે બનવામાં જે જે સ્થિતિઓ જોઈએ તેનો સરવાળો છે. જે કારણથી કાર્ય થાય છે તેને તે ફેરફારનો હેતુ' કહે છે. અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy