________________
એ રીતે સાધુવેષ સજી ભાઈસાહેબ ભિક્ષા અર્થે ફરતા પ્રથમ પેલી વેશ્યાની દૃષ્ટિએ પડ્યા. વેશ્યાના અત્યાગ્રહથી ભિક્ષા લેવા ત્વરિત થઈ અત્યાનંદ પૂર્વક તેના મકાનમાં દાખલ થયા. સાધુને જોઈ પ્રસન્ન થયેલી વેશ્યા તેને વંદન અને પ્રદક્ષિણા કરી ઘરમાંથી સુગંધી અને સ્વાદિષ્ટ લાડુ લાવી. મનમેહક મોદકને જેઈ પિલા વેપધારી સાધુ તે રાજી રાજી થઈ ગયા. દાઢમાં પાણી છુટયું અને લાડુ ખાવા માટે તેનું મન તલપાપડ થઈ રહ્યું.
ધરા જાણે ખાઈશ નહિ, અને ભૂખે જાણે ધરાઇશ નહિ” એ કહેવત પ્રમાણે પિતાની ઝોળીમાંથી એક મોટું રામપાત્ર કહાડી લાડુ લેવા નીચે ધયું. પણ “વૈદ્ય વસ્યા વકીલને યતિ, જેનો સંગ ન કીજે રતિ” એ રીતે પેલી વેશ્યા પણ પહેચેલ બુટ્ટી હતી. “એકદમ લાડવો નાખતાં સુવર્ણ-વૃષ્ટિ ન થાય, તો મફતને લાડ ગુમાવી બેસવાનું થાય.” એમ જાણુ સાધુના પાત્રા ઉપર એક બે હાથ છે. લાડવે પિતાના હાથમાં ધરી રાખીને આકાશ તરફ જેવા લાગી કે–“જે કોઈ દેવતા સેના હારની વૃષ્ટિ કરવા આવતા દેખાય, તે લાડ પાત્રમાં તરત નાખી દઉં, નહિ તે મફતનો માદક કાં ગુમાવું ?” દશ પંદર મિનીટ થવા આવી પણ ઘરમાં સુવર્ણની વૃષ્ટિ ન પડે અને પાત્રમાં લાડુની વૃષ્ટિ ન પડે. છેવટે ભિખારી ઉભો ઉભો થાકી જવાથી વિચાર કરવા લાગે કે–આ વેશ્યાએ સાધુની ભક્તિ માટે ભિક્ષા તૈયાર કરી નથી, પણ ચળકાટથી ઝગમગતી સુવર્ણ વૃષ્ટિને જોઈ “દેખ્યું પીળું અને મન થયું છે શીળું તેથી આને સુવર્ણ વૃષ્ટિનો મેહ છે, તેમ મેં પણ આત્મશ્રેય કરવા સાધુવેષ લીધેલ નથી, પરંતુ પેટ ભરવા લે છે, તેથી બંનેનો સ્વાર્થ છે. કયાં મહાસતીની નિષ્કામ ઉત્કૃષ્ટ ભક્તિ ? અને ક્યાં આ કુલટાની સ્વાર્થિક વૃત્તિ ? તેમજ ક્યાં એ મહાત્માનું નિર્મળ ચરિત્ર? અને ક્યાં આ પેટ ભરવાના પ્રપંચ? “જસલે જેગી અને માલી મકવાણી” એ કહેવતની માફક મારું અને આ દુષ્ટાનું જેવું તે સરખું બન્યું છે, આમાં કોઈનું કાર્ય થાય તેમ લાગતું નથી. નસીબ જ્યાં જાય, ત્યાં બે ડગલા આગળને આગળજ છે. આખા શહેરમાં રખડી રખડીને ભુખે મરી જતા, તથાપિ પેટપુરતુ મળતું ન હતું, ત્યારે મસ્તક મુંડાવી મહારાજ બન્યો, તે પણ દુઃખની દશા તો તેવી ને તેવી જ . રહી. ઉભા ઉભા પગ દુખવા આવ્યા, લાડવાને જેઈ ઉલટા ગલગલીયાં થાય છે, અને દાઢમાં પાણી છુટે છે, છતાં લાડ મળે મુશ્કેલ છે. વેશ્યાને દેખવું ને દાઝવું થયું છે. છેવટે તેણે કંટાળીને વેશ્યાને કહ્યું કે