________________
હાલના સંપ્રદાય. પ્ર. ૧૦
૧૦૫
૩. પ્રભાસપાટણનું તામ્રપત્ર—ઇતિહાસ સંશોધક મંડળને પ્રભાસપાટણના એક સેામપુરા બ્રાહ્મણ પાસેથી એક તામ્રપત્ર મળી આવ્યું છે. તેની ભાષા ઘણી દુર્ગંમ્ય છે. સાધારણ પંડિતા તેને ઉકેલી શકતા નહોતા. પણ હિન્દુ વિશ્વ વિદ્યાલયના અધ્યાપક પ્રખર ભાષાશાસ્ત્રી શ્રીમાન પ્રાણનાથજીએ ઘણા પરિશ્રમે તે તામ્રપત્રનું લખાણ ઉકેલીને તેના ભાવાય આ પ્રમાણે પ્રગટ કર્યાં છે
“ રેવાનગર રાજ્યના સ્વામી સુ........... જાતિના દેવ મૈથ્યુસનેઝર થયા. તે યદુરાજ ( કૃષ્ણ )ના સ્થાન (દ્વારકા) આવ્યા ત્યારે તેમણે એક મદિર બનાવીને સૂર્યં...... દેવ ગેમ '' જે સ્વસમાન રૈવતપર્યંતના દેવ છે તેમને સદાને માટે અણુ કર્યું. 'જૈનપત્ર તા. ૩-૧-૧૯૩૭
tr
આ નૃપતિને સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ બતાવેલ છે એટલે કે મહાવીર સ્વામીના જન્મ પહેલાંના વખત ખતાવેલ છે. આ ઉપરથી અનુમાન થઈ શકે છે કે રાજા નેથ્યુસદનેઝર જૈનધર્મના ઉપાસક હતા અને તેણે રૈવતગિરિ (ગિરનાર) પર્વત ઉપર એક ભગ્ય મંદિર બનાવીને તેમાં ભગવાન નેમિનાથની પ્રતિમા સ્થાપન કરી હતી.
r
૪, માહન જો ડેરા— તક્ષશિલાની પાસે અંગ્રેજોએ ખેાદકામ કરાવેલું તેમાં એક નગર દટાયેલુ મળી આવ્યુ છે તેનું નામ “ મેાહન જોડેરા ’’ છે. તેમાંથી એક મૂર્તિ ધ્યાનમુદ્રાવાળી મળી આવી છે. તે ૫૦૦૦ પાંચ હજાર વર્ષ પહેલાંની છે એમ પુરાતત્ત્વવિદો કહે છે એટલે પાંચ હજાર વર્ષ પહેલાં મૂર્તિની વિદ્યમાનતા સિદ્ધ થાય છે.
૫. માસી તાકલી—આકાલા જીલ્લાના ખારસી તાકલી નામના એક નાના ગામમાં ખેાદકામ થતાં ત્યાંથી ૨૬ છવીશ જૈન મૂર્તિ મળી આવી છે. તેમાંની કેટલીક ઈ. સ. પૂર્વે ૬૦૦-૭૦૦ સેાથી સાતસે વર્ષ પહેલાંની છે એમ પુરાતત્ત્વ વિદેોએ નક્કી કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org