Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 494
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ અહીં કોઈ પ્રશ્ન કરે કે–સંસાર પર રાગ ઘટાડ્યો અને પ્રભુ પર વધાર્યો તો પણ રાગ તે કાયમ રહ્યો ને ? જ્યાં સુધી રાગદ્વેષ રહિત ન બનાય ત્યાં સુધી મુક્તિ કેવી રીતે મળે ? આ પ્રશ્ન પણ સમજણ વિનાને છે. સર્વથા રાગરહિત થવાની શકિત ન આવે ત્યાં સુધી પ્રભુ પર રાગ કેળવવાથી સંસારના અશુભ રાગથી અને તેનાથી બંધાતા ખેટા કર્મથી બચી જવાય છે. ઘરમાં બેઠાં અનેક પ્રકારની વૈભાવિક વર્તુણુંક થાય છે, તેટલી જિનમંદિરમાં થઈ શકતી નથી. પ્રભુની શાંત મૂર્તિના દર્શનથી અને તેમના ગુણગ્રામમાં લીન થવાથી ચિત્તમાં દુષ્ટ ભાવ તથા દુવિચારે ટકી શકતા નથી. એટલું જ નહિ પણ તેને દૂર હઠાવવાનું એક પરમ સાધન મળી જાય છે. જ્યાં સુધી પૂર્ણ વિશુદ્ધિ થઈ નથી ત્યાં સુધી જીવને ઊંચે ચઢવાને આ એક ઉત્કૃષ્ટ માગે છે. જેઓ આ માર્ગને માનતા નથી પણ પિતાને પૂરા વિશુદ્ધ થએલા માની સમભાવને ધારણ કરનારા ગણે છે તેઓને પૂછવાનું કે– જે તમે ખરેખર જ રાગરહિત છો તો પછી તમે તમારા ગુરુ અગર અન્ય નેતાઓનું બહુમાન કરી તેમના ઉપર રાગ કેમ રાખે છે? તેમના આહાર, વસ્ત્ર અને પાત્ર આદિ વડે ભક્તિ સન્માન આદિ કેમ કરે છે? તે શું રામરહિતપણાનું ચિન્હ છે? સમભાવમાં લીન રહેનારને સદા સામાયિક છે (એમ કહે છે) તે પછી ગુરુ પાસે જઈ સામાયિક અને પ્રતિક્રમણ આદિ કરવાનું શું પ્રયોજન છે? પિતાના ધર્મનું મંડન અને અન્યના ધર્મનું ખંડન તથા એ માટે પુસ્તકો છપાવવા કે ભાષણ આપવા એ શું સમભાવનાં કાર્યો છે ? ૩૦ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534