________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૮૧ તે પછી દેવતાએ જીત આચાર તરીદે કરેલી મૂર્તિ પૂજા પણ ધર્મ પક્ષમાં તથા પુણ્યબંધનું કારણ જ ગણાશે. ભગવાને પણ તેમ જ ફરમાવ્યું છે.
છતાં જે જીત આચારથી પડ્યું કે પાપ કાંઈ ન થવાનું કહેશો તો શાસ્ત્રમાં “ જીવ સમય સમયમાં સાત કે આઠ કર્મ બાંધે ” એમ કહ્યું છે તે કેમ મળતું આવશે ?
કદાચ કહેશો કે–પાપ બંધ થાય. તો તે કહેવું તદ્દન જુદું છે. કારણ કે ભગવાને તે એ કરણીનું મોક્ષ ફળ બતાવ્યું છે. વળી પૂજ વખતે દેવો ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે છે તેવા શુભ ભાવનું ફળ ઊલટું અશુભ મળે એ શું ઘટિત છે? કદી નહિ. ભક્તિ કરતાં મનુષ્યને તો પુણ્ય થાય અને દેવતાઓને કર્મબંધન થાય એ કેવળ મનના યથેચ્છ પ્રતાપ સિવાય બીજું કઈ નથી.
પ્રશ્ન ૨૨–દે તે આખી જિંદગીમાં એક જ વાર મૂર્તિપૂજા કરે છે પછી નહિ. તથા સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ બને વર્ગના દેવો તેમ કરતા હોવાથી તે જીત આચાર જ કહેવાય. તેને શુભ કરણ કેમ કહેવાય?
ઉત્તર–શ્રી રાજપક્ષીય સૂત્રમાં સૂર્યાભદેવે જ્યારે પૂછયું કે“મારે પહેલાં તથા પછી હિતકારી અને કરવા યોગ્ય શું છે?” ત્યારે તેને સામાનિક દેએ નહ્યું કે –
તમારે પહેલાં અને પછી શ્રી જિનેશ્વર ભગવાનની અર્ચા, વંદના, પર્યું પાસના હિતકારી અને કરવા યોગ્ય છે.
આ ઉપરથી સમ્યગૃષ્ટિ સૂર્યાલ આદિ દેવોએ શ્રી જિનપ્રતિમાની અર્ચાવંદના નિત્યકરણ તથા હિતકારી સમજી નિરંતર કરી છે એમ સમજવું જોઈએ.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org