Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 514
________________ ક હાલના સંપ્રદાયે પ્ર. ૨૬ ૪૮૫ ધર્મમાં સ્થિર કરી. દુર્ગતિમાં પડતા કેવી રીતે અટકાવ્યા છે તે નીચેની સૂત્રમાંની વિગતે ઉપરથી સમજાશે. શ્રી નિરયાવલી સૂત્રોમાં કહ્યું છે કે–મહા મિથ્યાત્વી સોમીલ તાપસ રાત્રિએ ધ્યાન લગાવી, નેતર જેવા કમળ કાષ્ઠની મુખ મુદ્રા બનાવી, મુખમાં ઘાલી, બંને છેડા કાને ચડાવી, ઉત્તર દિશામાં મુખ રાખી બેઠે છે. ત્યાં એક દેવે આવી કહ્યું કે–હે સોમીલ ! આ તારી પ્રવ્રજ્યા (દીક્ષા) દુ:પ્રવજ્યા છે. માટે શ્રી જિનેશ્વર ભગવાને કહેલી સુપ્રત્રજ્યા અંગીકાર કર. પણ સેમીલે તે ઉપર કાંઈ લક્ષ ન આપ્યું. દેવ એમ પાંચ દિવસ સુધી કહેતો રહ્યો કે–સેમીલ ! આ તારી દીક્ષા જૂઠી છે. આ તારું કષ્ટ અજ્ઞાન કષ્ટ છે. માટે વારંવાર વિચાર કર. આવાં હિતનાં વચને વારંવાર સાંભળી સોમીલે શુદ્ધ જૈન ધર્મને માન્ય કરી, મિથ્યાત્વનું દુષ્કૃત્ય આલોવી, શુદ્ધ તપ જપ અને સંયમનું આરાધન કર્યું. અંતે તે મહાશુક્ર દેવ વિમાનમાં ઉત્પન્ન થયે. તથા આગામી ભવે મોક્ષે જશે. તે દેવે ભગવાન મહાવીર પરમાત્મા સન્મુખ નાટક પણ કર્યું હતું. શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં ગોશાલક મતનાં ઉપાશક સદ્દાલપુત્રને દેવતાએ શ્રી મહાવીર સ્વામી પાસે જવાનો ઉપદેશ કરી ધર્મમાં દઢ કર્યો. શ્રી જ્ઞાતા સૂત્રમાં ફરમાવ્યું છે કે –મહામે હાંધ તેટલીપુત્ર મંત્રીને પિટિલ નામના દેવે ઘણું ઉપાય કરી ધર્મ બંધ આપે. તેથી તેણે જૈન દીક્ષાનો સ્વીકાર કર્યો તથા તે જ વેળા તે કેવળ જ્ઞાનને પામ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534