________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૫૩
સમજણુ આ પ્રમાણે આપવામાં આવે છે–રાત્રે આવેલા કુસ્વપ્ન આદિના નિવારણ અર્થે તેમ જ શુભ શુકનને અર્થે કરાતી તિલકધારણની ક્રિયા તથા સરસવ, દહીં વગેરે માંગલિક વસ્તુનું દર્શન વગેરે. સ્થાનકવાસી શ, પં. મુનિશ્રી રત્નચંદ્રજીએ તેમના “અર્ધ ભાગધી કોષમાં એ પ્રમાણે જ સમજુતી આપી છે.
કપાળે કેસરનું તિલક કરવું એ અત્યારે પણ માંગલિક ગણાય છે તે પ્રમાણે પ્રાચીનકાળમાં પણ માંગલિક ગણતું હોય તે સંભવિત ગણાય. આ તિલક ભગવાનની ભક્તિરૂપ છે. અથવા ભક્તિના પ્રતીકરૂપ છે. એટલે તિલકથી અથવા ખરી રીતે પ્રભુભક્તિથી કુસ્વપ્નની અસર એટલે મનમાંના કુવિચાર ઉડી જાય અને ભકતને મંગળરૂપ થાય એવા ભાવવાળો અર્થ હેય એમ સમજાય છે.
સમકિતી શ્રાવકના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ તે જિનદેવ હોય એમ વધારે બેસતું આવે છે. કારણ કે તિલક જિનદેવની ભક્તિનું ચિન્હ છે ત્યારે કુળદેવની ભક્તિ માટે કોઈ ખાસ તિલકનું ચિહ હેતું નથી.
અજૈન અથવા મિથ્યાત્વીના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ, કુળદેવ તે ગમે તે કોઈ પણ અન્ય દેવ હોય. મિથ્યાવીના દેને પણ જુદા જુદા તિલક હોય છે.
ત્યારે હવે શ્રાવકો કેવું બલક કરતા તે વિચારવાનું રહે છે. ઉપર કહ્યું તેમ બલિને અર્થે ભોગ આપવાને છે. તે શ્રી જિનેશ્વર ભગવાન કેવા ભોગથી પ્રસન્ન થાય? ભગવાન તો પરિપૂર્ણ છે. તેમને તે કંઈ જોઈતું નથી. પણ આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું સ્વીકારીને આપણું સ્વછંદ વિચાર વર્તનનો ત્યાગ કરવો, અસદુ વિચાર વર્તનને ત્યાગ કરવો એ જ સાચે ભેગ છે. એવા ભેગથી જ વીતરાગ ભગવાન પ્રસન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org