Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 489
________________ મૂળ જૈન ધર્મ અને દુષ્ટ પરિણામવાળા પુરુષને મૂર્તિના દર્શન આદિથી કાંઈ ફાયદા થતો નથી. ઊલટો અશુભ પરિણામથી કર્મને બંધ થાય એ અપેક્ષાએ મૂર્તિ વીતરાગ સદશ નથી એમ કહેવું હોય તો કહી શકાય. પણ તેથી તેનામાં તારવાની શક્તિ છે તે ચાલી જતી નથી. સાકર મીઠી છતાં ગર્દભને ભાવતી નથી, ઊલટું નુક્સાન કરે છે. તેથી કાંઈ સાકરનો સ્વાદ નષ્ટ થઈ જતો નથી. તેમ મૂર્તિ પણ મિથ્યાષ્ટિ જીવોને ન રુચે તો તેની મેક્ષદાયકતા ચાલી જતી નથી. પ્રશ્ન ૮–પત્થરની મૂર્તિમાં પ્રભુના ગુણનું આજે પણ શી રીતે થાય? ઉત્તર–શણુ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી તેના સફેદ કાગળ બને છે. તે કાગળ ઉપર પ્રભુની વાણીનાં શાસ્ત્રો લખાય છે, ત્યારે તે શાસ્ત્રોને તમામ જાતના લોકો પ્રભુ તુલ્ય પૂજનીય ગણે છે. તેમ, ખાણના પત્થરોમાંથી મૂર્તિ બને છે અને તે મૂર્તિમાં ગુરુઓ સૂરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે, તે વખતે એ મૂર્તિ પણ પ્રભુતુલ્ય પૂજનીય બને છે. કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરુ તેને દીક્ષા મંત્ર (કરેમી ભતે સૂત્ર) સંભળાવે છે કે તુરત લોકો તેને સાધુ માની વંદના કરે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણો પ્રગટી નીકળેલા જ હેય તે નિયમ નથી. છતાં તે ગુણનું તેનામાં આરોપણ કરીને તેને વંદના થાય છે. ' તેમ મૂર્તિ પણ ગુણરોપણુ બાદ પ્રભુ તુલ્ય વંદનીય બને છે. તેથી લોકો તેને વાંદે પૂજે અને નમસ્કાર આદિ કરે તે તદ્દન વ્યાજબી છે. પ્રશ્ન ૯–નિરાકાર ભગવાનની ઉપાસના ધ્યાનદ્વારા થઈ શકે છે. તો પછી મૂર્તિ પૂજા માનવાનું શું કારણ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534