________________
પ્રકરણ પચીસમું દેવ પૂજા
લેખક બ્રહ્મચારી શ્રી જિનેન્દ્રકુમાર
અહીં લેખક વૈજ્ઞાનિક રીતે મૂર્તિની જરૂરીઆત સિદ્ધ કરે છે
દેવપૂજાની વાત કરતી વખતે તેને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેમકે—
(૧) દેવ કેણ? (૨) પૂજા શું ? (૩) પૂજાની આવશ્યકતા શા માટે ? (૪) પ્રતિમાની આશ્યકતા શા માટે? (૫) જડ પ્રતિમા પાસેથી શું મળે? (૬) મંદિરની આવશ્યકતા શા માટે? વગેરે.
દેવ કેણુ? પહેલો પ્રશ્ન છે–દેવ કોણ? અમુક જ દેવ છે એવો નિશ્ચિત નિયમ દેવના સંબંધમાં બનાવી શકાતું નથી, કારણકે દેવ નામ આદર્શનું છે. અને આદર એ ઈચ્છાને પૂર્ણ લિફ્ટનું નામ છે. તેથી દેવની પરીક્ષા આપણું પોતાના અભિપ્રાયથી કરી શકાય છે.
આપણે જે અભિપ્રાય હેય અથવા જેવી આપણુ ઈચ્છા હોય તેવું જ એ વ્યક્તિ વિશેષનું લક્ષ્ય હશે. અને એવા જ કોઈ યથાર્થ અથવા કાલ્પનિક આદર્શને એ સ્વીકાર કરશે. પોતે જે બનવા ચાહે છે તેવાની ઉપર જ તેની દૃષ્ટિ કરશે. બસ, એ જ તેને માટે સાચા દેવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org