________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૭૩.
મિથ્યાત્વની વ્યાખ્યા - હું તે ફક્ત મારામાં મિથ્યાત્વ હેય તેનો નાશ કરવા માગું છું તે હવે મિથ્યાત્વની વ્યાખ્યા શું છે તે જોઈએ.
જનધર્મમાં માત્વની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે–વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ પ્રણીત ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વ.
વીતરાગદેવ ઉપર શ્રદ્ધા રાખવી એટલે વીતરાગ ભગવાન ખરેખર થઈ ગયા હતા એટલું જ માનવાનું નહિ પણ વીતરાગ સર્વજ્ઞ દેવે કહેલું છે તે જ સત્ય છે એમ દઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. એટલે કે સર્વ દેવે પ્રણત કરેલો ધર્મ જ સત્ય છે
એમ દૃઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. અને તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. . તે જ પ્રમાણે નિગ્રંથ મુનિ ઉપર શ્રદ્ધા રાખવી એટલે કે સર્વજ્ઞ વીતરાગ ભગવાને કહેલ છે તે પ્રમાણે જ બરાબર જે નિર્ગથી મુનિ ધર્મ સમજાવે તે મુનિને જ સાચા ગુરુ તરીકે માનવા. અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી.
પરંતુ ભગવાને કહેલા વચનને ઊલટા રૂપમાં સમજાવે, સત્ય વાતને ગોપવીને કે છુપાવીને તેને જુદા જ રૂપમાં ખોટી રીતે સમજાવે તેને સાચા ગુરુ તરીકે મનાય નહિ, એટલે
ભગવાનના વચનેને ઊલટા સ્વરુપમાં સમજાવનાર મુનિ ઉપર શ્રદ્ધા રાખવી અને તે ગુરુ સાચું જ કહે છે એમ માનવું તે પણ મિથ્યાત્વ કહેવાય.
ભગવાનના વિરહમાં ભગવાનના વચનને બરાબર સમજાવનાર ગુરુ જ છે. અને તેથી જ મુરની ખાસ મહત્તા છે. પરંતુ તે જ કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org