SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૩ ૧૭૩. મિથ્યાત્વની વ્યાખ્યા - હું તે ફક્ત મારામાં મિથ્યાત્વ હેય તેનો નાશ કરવા માગું છું તે હવે મિથ્યાત્વની વ્યાખ્યા શું છે તે જોઈએ. જનધર્મમાં માત્વની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે–વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ પ્રણીત ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વ. વીતરાગદેવ ઉપર શ્રદ્ધા રાખવી એટલે વીતરાગ ભગવાન ખરેખર થઈ ગયા હતા એટલું જ માનવાનું નહિ પણ વીતરાગ સર્વજ્ઞ દેવે કહેલું છે તે જ સત્ય છે એમ દઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. એટલે કે સર્વ દેવે પ્રણત કરેલો ધર્મ જ સત્ય છે એમ દૃઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. અને તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. . તે જ પ્રમાણે નિગ્રંથ મુનિ ઉપર શ્રદ્ધા રાખવી એટલે કે સર્વજ્ઞ વીતરાગ ભગવાને કહેલ છે તે પ્રમાણે જ બરાબર જે નિર્ગથી મુનિ ધર્મ સમજાવે તે મુનિને જ સાચા ગુરુ તરીકે માનવા. અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી. પરંતુ ભગવાને કહેલા વચનને ઊલટા રૂપમાં સમજાવે, સત્ય વાતને ગોપવીને કે છુપાવીને તેને જુદા જ રૂપમાં ખોટી રીતે સમજાવે તેને સાચા ગુરુ તરીકે મનાય નહિ, એટલે ભગવાનના વચનેને ઊલટા સ્વરુપમાં સમજાવનાર મુનિ ઉપર શ્રદ્ધા રાખવી અને તે ગુરુ સાચું જ કહે છે એમ માનવું તે પણ મિથ્યાત્વ કહેવાય. ભગવાનના વિરહમાં ભગવાનના વચનને બરાબર સમજાવનાર ગુરુ જ છે. અને તેથી જ મુરની ખાસ મહત્તા છે. પરંતુ તે જ કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy