________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
४०८
નિયમ તો એ છે કે – જે જીવ પ્રત્યક્ષ વિદ્યમાન ન હોય તેના ઉપર શુદ્ધ ભાવ પેદા કરવા માટે તેની સ્થાપનાના સેવન સિવાય તેના જે અન્ય કોઈ સરળ ઉપાય છે નહિ. વિના સ્થાપનાએ અવિધમાન વસ્તુ પ્રત્યે શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાતો નથી.
ચારે નિક્ષેપા આ રીતે પરસ્પર સંબંધ ધરાવનારા છે. એક વિના બીજા નિક્ષેપા ટકી શકતા જ નથી.
સ્થાપનાને નિરાદર કરનારને પૂછવાનું કે–વર્તમાન સમયમાં જે નેટોનું ચલણ છે તેવી એક હજાર રૂપીઆની નોટ તમારી પાસે હોય તેને તમે હજાર રૂપીઆ માને છે કે કાગળને કટકો માને છે ?
જે કહેશે કે–અમે તે તેને કાગળના કટકા તુલ્ય માનીએ છીએ તો તેને સાધારણ કાગળના કટકાની જેમ એકાદ પૈસામાં કે મફતમાં બીજાને આપી કેમ દેતા નથી?
તેના ઉત્તરમાં કહેશે કે–એવો મૂર્ખ કોણ હોય કે હજાર રુપીઓને એક પૈસામાં કે મફતમાં આપી દીએ?
તે પછી જરા હૃદયચક્ષુને ખોલી વિચારવું જોઈએ કે–જેમ એક હજાર રૂપીઆની ગેરહાજરીમાં તેટલી રકમનું કામ એક નેટથી કાઢી શકાય છે તેમ શ્રી જિનેશ્વરદેવની અનુપસ્થિતિમાં તેમની મૂર્તિ દ્વારાએ સાક્ષાત ભગવાનને પૂજવાનું ફળ અવશ્ય મેળવી શકાય.
દ્રવ્ય નિક્ષેપ જે વસ્તુ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમુક કાર્યના કારણરૂપે નક્કી થઈ ચૂકી છે તે કારણભૂત વસ્તુના કાર્યનું આરોપણ કરવું તેનું નામ દ્રવ્ય નિક્ષેપો છે.
જેમ મૃતક સાધુમાં તથા કોઈ સાધુ થનાર હોય તેમાં વર્તમાન સમયે સાધુપણું ન હોવા છતાં સાધુપણાને આરોપ કરી સાધુ કહેવામાં આવે છે તે દ્રવ્ય નિક્ષેપાને આશ્રયીને સાધુપણું સમજવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org