________________
શ્રાવક તે સર્વના ઉપભેગમાં આનંદથી દિવસો પસાર કરતા હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. કામદેવ, આણંદ શ્રાવકની જેમ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુના અપૂર્વ ઉપદેશથી પ્રતિબંધ પામ્યા, અને શ્રાવકના બાર વૃત અંગીકાર કર્યા. નિયમનું બરાબર પાલન કરતાં કેટલાક વર્ષો વિત્યા બાદ ઘરનો સઘળો કારભાર જ્યેષ્ઠ પુત્રને સપી કામદેવ ધર્મ કાર્યને માટે નિવૃત્ત થયા. એક વાર અર્ધ રાત્રીએ કામદેવ શ્રાવક પૌષધવૃત કરીને આત્મધ્યાન ધરતાં કાયોત્સર્ગમાં ઉભા હતા, તેવામાં તેમને ધ્યાનથી ચલાવવા માટે એક મિથ્યાત્વ દષ્ટિ દેવ ભયંકર પિશાચનું રૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યા અને બોલ્યા હે કામદેવ, હારા લીધેલાં વૃત તું છોડી દે, નહિતર આ તરવારથી તારાં શરીરનાં ટુકડે ટુકડા કરી નાખું છું. આ સાંભળી કામદેવ જરા પણ ક્ષોભ પામ્યા વિના ધ્યાનમાં સ્થિર જ રહ્યા. ફરીથી તે દેવે હાથીનું રૂપ કરીને કામદેવને ખૂબ કર્યા, છતાં કામદેવ નિશ્ચળ રહ્યા. પુનઃ દેવે સર્પનું રૂપ કરી કુંફાડા માર્યા અને તીણ ઝેરી દાંતથી ડંખ દીધો. કામદેવને અસહ્ય વેદના થઈ, પરંતુ તે પિતાના ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ. એમ સિંહ, વાઘ, હાથી વગેરે અનેક રૂપે વિકુર્તીને દેવે કામદેવ શ્રાવકને તેના વૃતથી ડગાવવા ઘણા પરિસહ આખ્યા; છેવટે તે દેવ થાક્યો અને અવધિ જ્ઞાન મૂકીને જોયું તો કામદેવને પોતાના કાર્યોત્સર્ગમાં મેરૂ પર્વતની જેમ અડોલ જોયાં. તેથી દેવે પિતાનું અસલ સ્વરૂપ ધારણ કરી કહ્યું:–“ધન્ય છે કામદેવ શ્રાવક હમારી ટેકને, શકેંદ્ર દેવતાની સભામાં તમારી દ્રઢતાની પ્રશંસા મેં જેવી સાંભળી તે બરાબર છે.
અવિનય માટે હું તમારી ક્ષમા માગું છું. મારે અપરાધ તમે ક્ષમા કજો.” એટલું કહી તે દેવ સ્વસ્થાનકે ચાલ્યા ગયા.
સવાર થયું, કામદેવે પૌષધશાળામાં સાંભળ્યું કે પ્રભુ મહાવિર પધાર્યા છે. તેથી તે પૌષધ પાર્યા પહેલાં જ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ પરિષદને ધર્મધ આપે, અને કામદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com