Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 324
________________ ૩૦૩ ગ. દેવ આશ્ચર્ય પામ્યો અને સનંતકુમારને વંદન કરીને સ્વસ્થાનકે ગ. સનતકુમાર મુનિ મહાન તપશ્ચર્યા કરીને નિર્વાણ પદને પામ્યા. ર૧૭. સગર (ચક્રવર્તી) અયોધ્યા નગરીમાં વિજય નામે રાજા હતા. તેમના ભાઈ સુમિત્રની યશોમતી રાણુની કુક્ષિએ સગર ચક્રવર્તીને જન્મ થશે. વિજય રાજાને “અજિતનાથ (બીજા તીર્થંકર) નામે પુત્ર હતા. સગર અને અજિતનાથ એક જ દિવસે જમ્યા. રાજ્યમાં આનંદ ફેલાઈ રહ્યો. વિજય રાજાએ પોતાનું રાજ્ય અજિતનાથને મેંપી દીક્ષા લીધી; તેમજ સુમિત્ર રાજાએ પણ દીક્ષા લીધી; શ્રી અજિતનાથ રાજગાદી પર આવ્યા. કેટલાક વખત પછી તેઓ પણ પિતાનું રાજ્ય સગરને સોંપી ધર્મતીર્થ પ્રવર્તાવવા દીક્ષા લઈ ચાલી નીકળ્યા. ત્યારપછી સગરે પોતાના રાજ્યને વિસ્તાર વધારવા છખંડ સાધ્યા અને ચક્રવર્તી થયા. સગરને સાઠ હજાર પુત્રો હતા. એકવાર સગર ચક્રવર્તી દેશાટન નીકળ્યા, તે વખતે અષ્ટાપદ પર્વત પાસે તેમણે એક ખાઈ બનાવરાવીને તેમાં ગંગાને પ્રવાહ વાળે, આથી નાગકુમાર દેવતાઓ, પિતાને અડચણ પડતી હેઈ, સગર પર ક્રોધાયમાન થયા, અને તેના સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કર્યા. આ વખતે તેઓ સઘળા અયોધ્યામાં હતા. સગર જ્યારે દેશાટનથી પાછા ફરતા હતા, ત્યારે એક ઈંદ્ર બ્રાહ્મણનું રૂપ ધરી સગર પાસે આવ્યા, અને રડતાં રડતાં બોલ્યો, કે અરેરે, મહારો પુત્ર મરી ગયો, હું શું કરીશ? આ સાંભળી સગરે કહ્યુંઃ મહારાજ, આ જગત વિનાશી છે, મૃત્યુ કોઈને છેડતું નથી, તે પછી આટલે વિલાપ શાને કરે છે? મહારે ૬૦૦૦૦ પુત્રો છે, જે તેઓ સઘળાય મૃત્યુ પામે, તે પણ મને શોક થાય નહિ. આ સાંભળી તે બ્રાહ્મણે કહ્યું –રાજનું, મેં સાંભળ્યું છે કે આપના સાઠહજાર પુત્રો દેવના કેપથી બળીને ભસ્મ થયા છે. એમ કહી દેવ અદશ્ય થયો. સગર રાજાને આથી ઘણે શોક થયો. રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374