________________
૩૦૭
૨૨૧ સ્થૂળભદ્ર વીર સંવત. ૨૧૫ ની આ વાત છે. મગધદેશના રાજ્યપાની પાટલીપુત્રમાં નંદરાજા રાજ્ય કરતા હતા. તેમને પકડીલ નામને બુદ્ધિશાળી મંત્રી હતા. તે મંત્રીને બે પુત્રો હતા. એકનું નામ સ્થૂળભદ્ર, અને બીજાનું નામ શ્રેયક,
રાજ્યને માનિતે મંત્રી અને રાજાને મુખ્ય સલાહકાર, એટલે તેને ત્યાં શી કમીના હોય ! ધન, લક્ષ્મી, બાગ, બગીચા, સુંદર આવાસ, નેકર ચાકર ઈત્યાદિથી આ કુટુંબ આનંદ ભોગવતું હતું.
તે નગરમાં કેશ્યા નામની એક સુવિખ્યાત વેશ્યા રહેતી હતી. તે સંદર્યને ભંડાર હતી,ગાનતાનમાં કુશળ હતી, કટાક્ષ કળામાં પ્રવિણ હતી. ભલભલા પુરૂષો તેને જોઈને બે ઘડી થંભી જતા. તેની
ખ્યાતિ દેશ પરદેશમાં પહોંચી ગઈ હતી. આ વાત સ્થૂળભદ્રના જાણવામાં આવી. સ્થૂળભદ્રને તે કોસ્યાને જોવાનો ભાવ થયો. વસ્ત્રાલંકારો પહેરી એકવાર તે કેસ્યાના આવાસમાં ગયા. કેસ્યાએ સ્થૂળીભદ્રનું
સ્વાગત કર્યું. કેશ્યાને જોઈને સ્થૂળીભદ્ર જગતનું ભાન ભૂલી ગયા. કેશ્યાના રૂપમાં તે મુગ્ધ બન્યા અને તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ઘેરથી પુષ્કળ ધન મંગાવ્યા કરે, કેસ્થાને આપે. કશ્યા પ્રેમથી તેને ચાહે. આ રીતે બંને જણા પ્રેમવિલાસમાં સમય પસાર કરે.
આમ કરતાં કરતાં બાર વર્ષના વહાણું વીતી ગયા. સ્થળભદ્રના પિતા મૃત્યુ પામ્યા. શ્રેયકે આવીને ખબર આપ્યા કે ભાઈ, “હવે તે સમજે, આપણ પૂજ્ય પિતા ત્યારે જાપ જપતાં મૃત્યુ પામ્યા છે !” આ સાંભળી શૂળીભદ્ર ચમક્યા. એક વેશ્યાના પ્રેમમાં પડી ઘરબાર, માતાપિતા, બધાને ભૂલી ગયા બદલ તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા, એટલું જ નહિ પરંતુ મૃત્યુ આગમચ પિતાને મેળાપ ન થયો, એ હેમને ભારે દુઃખ લાગ્યું. એકદમ જેમ સાપ કાંચળી છોડીને નાસે તેમ સ્થૂળીભદ્ર વસ્યાભૂવનમાંથી પલાયન કરી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com