________________
૧૬૬ રાજા આનંદ પાસે અને તેણે તે પિતાને માથે મુ. મુગટ કેવો શોભે છે તે જાણવા સારું રાજાએ પોતાનું મોં આરીસામાં જોયું. એટલે તેમાં તેને પોતાના બે મોં દેખાયા. તે ઉપરથી તેનું નામ પ્રિમુખ તરીકે પ્રસિદ્ધ થયું.
- ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરોહણ ક્રિયા માટે તે મકાનની વચ્ચે તેમણે એક સુશોભિત સ્તંભ ઉભો કર્યો. સ્તંભને વસ્ત્રાલંકારેથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો. રાજા આ ચિત્રશાળાની આરહણ ક્રિયા કરવા માટે આવ્યો. ચિત્રશાળાની નમુનેદાર કારીગરી જોઈ તે ખૂબ સંતોષ પામ્યા. એટલું જ નહિ પણ સ્તંભની ચમત્કૃતિ અને મેહક દેખાવ જોઈ રાજાના આનંદનો પાર રહ્યો નહિ. તે હર્ષપૂર્વક બારેટ પ્રત્યે બોલ્યઃ કેમ બારોટજી. હવે આ ચિત્રશાળા બરાબર છે ને ? બારેટે જવાબ આપ્યો:
હા, મહારાજા. અત્યાર સુધી આવી ચિત્રશાળા મેં ક્યાંઈ જોઈ નથી. રાજા આનંદ પામી સ્વસ્થાનકે આવ્યું.
કેટલાક દિવસ બાદ પેલે ઉભો કરવામાં આવેલો સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના પરથી વસ્ત્રાલંકારે ઉતારી લઈને માણસોએ તે લાકડાનો સ્તંભ ચિત્રશાળાના એક ખુણામાં આડે ફેંકી દીધો. વખત જતાં આ લાકડા પર રજ ધૂળ વગેરે જમા થયું. પરિણામે સ્તંભ તદન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયે. એકદા પ્રસંગે રાજ ફરીથી આ ચિત્ર-સભામાં આવ્યો. ત્યાં તેણે એક ખૂણામાં લાકડાનું ઠુંઠું પડેલું જોયું. તે જોઈને તેણે પાસે ઉભેલા રક્ષકને પૂછ્યું. અલ્યા, આ લાકડું અહિ કેમ મૂકયું છે? રક્ષકે જવાબ આપે –મહારાજા, આપે સભામંડપ કરાવ્યું, તે વખતે જે સ્તંભ ખેડવામાં આવ્યો હતો, તે સ્તંભ ઉતારી લઈને અહિયાં મુકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com