________________
૨૯૧
હું માલીક વગરના કેમ બનું ? એમ વિચાર કરતાં તેઓ વૈરાગ્ય વાન બન્યા. થાડીવારે તે રાજા પાસે આવી પ્રણામ કરી ચેાગ્ય આસને બેઠા. રાજા શ્રેણિક શાળીભદ્રનુ મુખ, તેમની રિદ્ધિ સિદ્ધિ, વગેરે જોઈ આનંદ પામ્યા અને રજા લઈ સ્વસ્થાનકે ગયા.
કેટલાક સમય પછી ત્યાં ધર્મધાષ નામના સ્થવીર મહાત્મા પધાર્યાં. તેમનું વ્યાખ્યાન સાંભળી શાળીભદ્રે દીક્ષા લેવાના વિચાર કર્યાં, અને માતા પાસે રજા માગી. માતાએ તેમને ધીમે ધીમે ત્યાગવૃત્તિ કેળવવાનું કહ્યું, એટલે માતાના સ્નેહને વશ થઈ શાળીભદ્ર દરરાજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યાઃ તેવામાં તેમના અનેવી ધન્નાએ આવી તેમને ચેતવ્યા અને કહ્યું કે ઉડા, સાવધાન થાવ. રેજ એક એક સ્ત્રીને ત્યાગવાની કાયરતા વીર પુરુષને સંભવે નહિ, હું આઠેય સ્ત્રીઓને ત્યાગીને ચારિત્રલેવા માટે વ્રુત થયા છું. આ સાંભળી શાળીભદ્રના જ્ઞાનચક્ષુએ સતેજ થયાં, તે ધન્ના સાથે ત્યાં બિરાજમાન પ્રભુ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. સખ્ત તપ જપ ક્રિયાઓ કરી, અંતિમ સમયે વૈભારગીરી પર અનશન કરી શાળીભદ્ર સર્વાંસિદ્ધ વિમાનમાં દેવ થયા.
૨૦૭ શિવરાજ ઋષિ.
હસ્તિનાપુરના શિવ નામના રાજાએ, પેાતાના પુત્ર શિવભદ્રને રાજ્ય સાંપી, તામલીની માફક તાપસ દીક્ષા અંગીકાર કરી, અને યાવજ્જીવ છ છઠ્ઠની તપસ્યા કરતા વિચરવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યાને લીધે તેમને વિભગનાન ઉત્પન્ન થયું, જે વડે તેમણે સાત સમુદ્રો અને સાત દ્વીપના જોયાં. આથી તેમણે પોતે જોયેલી વસ્તુથી જગત પર કાંઈ વધારે નથી એવી પ્રરૂપણા કરવા માંડી. એવામાં ભ૦ મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યાં. ગૌતમ સ્વામી ગામમાં ગેાચરી કરવા નીકળ્યા; ત્યાં લોકોના મુખે તેમણે શિવરાજની પ્રરૂપણા સાંભળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com