________________
૯૨
ભગવાનને પૂછતાં તેમણે કહ્યું કે દ્વીપ સમુદ્રો સાત નથી, પણ અસંખ્યાતા છે. આથી ગૌતમે લોકોને સત્ય સમજાવ્યું. એટલે શિવરાજ પ્રભુ મહાવીર પાસે આવ્યા. મેાટી ધસભા સમક્ષ ભગવાને દેશના આપી, તેમાં શિવરાજના સંશય ટળ્યા, તેથી તેમણે આરાધક બની ભગવાન પાસે દીક્ષા લીધી; અને તેજ ભવમાં તેઓ મેાસે ગયા.
૨૦૮ શ્રી દેવી
રાજગૃહ નગરમાં સુદન નામે મહાઋદ્ધિવત ગાથાપિત રહેતા હતા, તેને પ્રિયા નામે સ્ત્રી હતી. તેનાથી તેને એક પુત્રી થઈ હતી. તેનું નામ ભૂતા. ભૂતા જન્મથીજ વૃદ્ધ જેવી, કુમારપણામાં પણ વૃદ્ધ જેવી દેખાતી. શરીર પણ જણ જેવું, તેથી કોઈપણ પુરૂષ તેને પરણ્યા નહિ. તે સમયે પાર્શ્વનાથ પ્રભુ પધાર્યાં. ભૂતા વંદન કરવા ગઈ. પ્રભુના ઉપદેશથી વૈરાગ્યું પામીને ભૂતાએ દીક્ષા લીધી અને પુછ્યુલા નામે સાધ્વીની શિષ્યા થઈ. સમય જતાં ભૂતા શિથિલાચારી બનવા લાગી. હાથપગ મસ્તક માઢું વગેરે વારવાર ધાવા લાગી, અને એ રીતે શરીરની શુશ્રુષા કરવા લાગી. પુછ્યુલા સાધ્વીએ તેને સાધુને ધર્મ સમજાવીને તેમ ન કરવા સૂચવ્યું. અને પ્રાયશ્રિત લેવાનું કહ્યું છતાં ભૃતાએ તે ગણકાર્યું નહિ, અને તેમનાથી જુદી પડીને એક જુદા ઉપાશ્રયમાં સ્વચ્છ દપણે વિચરવા લાગી. ત્યાં છઠ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાં કરતાં કરતાં ઘણા વર્ષ સંયમ પાળી, કાળકરીને તે સૌધમ દેવલાકમાં દેવીપણે ઉપન્ન થઈ, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ. દીક્ષિત બનીને આખરે તે સિદ્ધગતિને પામશે,
૨૦૯ શિતળનાથ
ફ્લિપુર નગરના દઢરથ રાજાની નીંદાદેવી નામક રાણીની કુક્ષિમાં દશમા દેવલોકથી ચ્યવી, વૈશાક વિદ ૬ની રાત્રીએ પ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે મહાદિ ૧૨ ના રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com