________________
૨૧૫
પૂર્વના જાણનાર શ્રી કેશીસ્વામી શ્રાવસ્તિ નગરીનાં કેક ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળાં શ્રી કેશી સ્વામીને વંદન કરવા જવા લાગ્યા. આ દ્રશ્ય ચિત્ત સારથીના જોવામાં આવ્યું. માણસોને પૂછતાં જણાયું કે શ્રી કેશી સ્વામી નામના વિદ્વાન મહાત્મા પધાર્યા છે. ચિત્ત સારથી સ્નાન કરી, વસ્ત્રાલંકારે પહેરી કોષ્ટક ઉદ્યાનમાં ગયા. શ્રી કેશી સ્વામીને વંદન કર્યું. કેશી સ્વામીએ દેશના આપી, ચિત્ત સારથી પ્રતિબોધ પામે, અને કેશી સ્વામીને વંદન કરી તેણે કહ્યું –પ્રભુ, તમારો ઉપદેશ ખરેખર બુડતા છાને આધારભૂત છે, મહને તમારા ધર્મ પ્રત્યે માન અને રૂચિ ઉત્પન્ન થયાં છે. માટે હું સાધુ થઈ શકતો નથી, પરંતુ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરાવો, કેશી સ્વામીએ તેને બાર વ્રત ધરાવ્યા. ચિત્ત સારથી તેમને ઉપાસક થયો અને પછી તે સ્વસ્થાનકે ગયે.
કેટલોક વખત વીત્યા બાદ ચિત્ત સારથી તાંબિકા નગરીમાં જવા તૈયાર થયે. અશ્વ રથ પર બેસીને માણસો સાથે તેણે પ્રયાણ કરવા માંડયું, પ્રથમ તે કેશી સ્વામીને વંદન કરવા આવ્યો, તેમને વંદન કરીને કહ્યું-પ્રભુ, હું તાંબિકા નગરીમાં જાઉં છું, આપ ત્યાં કૃપા કરી પધારશે. કેશી સ્વામી આ સાંભળી મૌન રહ્યા. ચિત્તે ફરીથી આમંત્રણ કર્યું. છતાં તેઓ મૌન રહ્યા. જ્યારે ત્રીજી વખત કહ્યું, ત્યારે કેશી સ્વામી બેલ્યા –ચિત્ત સારથી, ભયંકર વન હોય, જેમાં વાઘ, વરૂ, સિંહ રહેતા હોય અને જેનો સંહાર કરતા હોય, ત્યાં પશુ પક્ષીઓ આવે ખરાં? ચિત્તે કહ્યું –ન આવે, પ્રભુ કેશી–તો પછી તમારી નગરીને રાજા અધમી છે, તે હું ત્યાં
કેવી રીતે આવું? ચિત્ત-પ્રભુ, આપને પ્રદેશી રાજા સાથે શું નિસ્બત છે? ત્યાં ઘણું
સાર્થવાહ, શેઠ, શાહુકારો રહે છે તે બધા આપને વંદન કરવા
આવશે અને આહાર પણ વહેરાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com