________________
છતાં રાજાએ કહેણ મોકલ્યું કે આજે તમારે શ્રેણિક સાથેના યુદ્ધમાં સેનાપતિ તરીકે જવાનું છે. આથી પિતાના દેશની રક્ષાને ખાતર તે સેનાપતિ બની યુદ્ધે ચડ્યો. પરંતુ પહેલા વ્રતની વિધિ અનુસાર પહેલો ઘા તેણે ન કર્યો પણ જ્યારે શ્રેણિકના સેનાપતિએ વરૂણ પર પહેલો ઘા કર્યો, અને વરૂણનાગનું મર્મસ્થાન ભેદાયું, ત્યારે જ તેણે એકજ ઘાથી તે સેનાપતિને સ્વધામ પહોંચાડી દીધો; આ વખતે તે મૃતવત સ્થિતિમાં હતો, તેથી તેણે રણક્ષેત્રની બહાર જઈને એક જગ્યા પ્રમાર્જન કરીને આલોચના લઈ સંથારે કર્યો અને પ્રભુનું સ્મરણ કરવા લાગે. શુદ્ધ પરિણામે તે કાળધર્મ પામીને પહેલા સૌધર્મ દેવલોકમાં ગયો; અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં તે મોક્ષમાં જશે.
૧૯ વ્યક્ત ગણધર. ભ. મહાવીરના ચોથા ગણધર વ્યક્ત મહારાજ, કલ્લાક ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર. માતાનું નામ વારૂણી, તેઓ ભારદ્વાજનેત્રના બ્રાહ્મણ હતા. તેમને “પૃથ્વી આદિ પાંચ ભૂત છે કે નહિ એ સંબંધી સંશય હતો. તે દૂર થતાં તેમણે પિતાના ૫૦૦ શિષ્યો સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, અને ગણધર પદ પર આવ્યા. તેમણે ઈદ્રભૂતિની માફક પ૧ મા વર્ષે દીક્ષા લીધી હતી. ૧૨ વર્ષ છલ્મસ્થપણે રહી ખૂબ અભ્યાસ કર્યો. ૬૩ મા વર્ષે કેવલ્યજ્ઞાન પામ્યા, ૧૮ વર્ષ કેવળીપણે વિચર્યા અને ૮૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મોક્ષમાં ગયા.
૨૦૦ વાયુભૂતિગણધર, તેઓ પહેલા અને બીજા ગણધર ઇદ્રભૂતિ તથા અગ્નિભૂતિના ભાઈ થાય. તેઓ ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર હતા. તેમને “આ શરીર છે તેજ આત્મા છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com