________________
૨૮૫
શરીરથી . આત્મા ભિન્ન છે' એવા સદેહ હતા. ભ. મહાવીરના સમાગમમાં આવતાં ભગવાને તે સ ંદેહ દૂર કર્યાં, એટલે તેમણે પેાતાના ૫૦૦ શિષ્યા સહિત ૪૩ મા વર્ષે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા પછી ૫૩ મા વર્ષે કૈવલ્યનાન પામ્યા. ૧૮ વર્ષ કૈવલ્ય પ્રવર્જ્યમાં વિચરી, ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં તે નિર્વાણ પામ્યા. વાયુભૂતિપ્રભુ મહાવીરના ત્રીજા ગણધર હતા.
૨૦૧ વાસુપૂજ્ય.
ચંપાપુરીના વસુપૂજ્ય રાજાની જયાદેવી નામક રાણીની કુક્ષિમાં દશમા દેવલેાકમાંથી ચ્યવીને જે શુદિ ૯ ની રાત્રિએ તે ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વમ દીઠાં. સ્વ×પાઠકોએ મહાભાગ્યશાળી તીર્થંકરના જન્મ થવાનું કહ્યું. રાજારાણી આનંદ પામ્યા. અનુક્રમે ગર્ભકાળ પૂરા થયે, ક્ાગણ વદ ૧૪ ના રાજ પ્રભુના જન્મ થયા. ઈંદ્રોએ જન્માત્સવ ઉજવ્યા. પિતાએ તેમનું ‘ વાસુપૂજ્ય ' એવુ” નામ આપ્યું. યૌવનવય થતાં પિતાએ તેમને પરણવાના અને રાજ્યાસને બેસવાના આગ્રહ કર્યો; પરન્તુ તેમણે ના કહી. આ સમયે લેાકાંતિક દેવાએ આવી પ્રભુને ધર્માંમા પ્રવર્તાવવાની ઉદ્ઘાષણા કરી, એટલે તેમણે વરસીદાન આપી ૬૦૦ રાજા સાથે, છઠ્ઠતપ સહિત ફાગણ વદી અમાસે દીક્ષા અંગીકાર કરી. વાસુપૂજ્ય સ્વામીના વખતમાં બીજા વાસુદેવ પૃિષ્ટ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક એ ત્રણ શ્લાધ્વીય પુરુષા થયા.
એક માસ છદ્મસ્થપણે રહ્યા પછી, મહા શુદિ ૨ ને દિવસે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને સૂક્ષ્મ વગેરે ૬૬ ગધરા થયા. તેમના સંધ પરિવારમાં છર હજાર સાધુ, ૧ લાખ સાધ્વીઓ, ૨૧૫ હજાર શ્રાવકા અને ૪૩૬ હજાર શ્રાવિકા હતા. વાસુપૂજ્ય સ્વામી પાતાના મેાક્ષકાળ સમીપ જાણી ચંપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com