________________
૧૭ર
પીરસીશ, તે મારી હાંસી થશે, નિંદા થશે. માટે તેની વ્યવસ્થા કરે. ત્યારબાદ તેણે બીજું શાક બનાવ્યું અને બધા આનંદ પૂર્વક જમ્યા. તે વખતે ધર્મધેષ નામના મુનિ તે ઉદ્યાનમાં બીરાજતા. તેમને ધર્મરૂચિ નામના મહાન તપસ્વી શિષ્ય હતા, જે ભાસખમણુની તપશ્ચર્યા કરતા. મા ખમણને પારણે તેઓ ગૌચરી અર્થે ફરતાં ફરતાં આ નાગશ્રી બ્રાહ્મણને ઘેર જઈ ચડ્યા. બ્રાહ્મણ હર્ષ પામી. અને આ કડવી તુંબડીનું શાક વહેરાવવાનું પાત્ર મહારાજને જાણીને તે શાક તેણે વહોરાવ્યું. ધર્મારૂચિ અણગાર ગૌચરી ફરીને ગુરૂ પાસે આવ્યા અને નિયમ મુજબ આહાર બતાવ્યું. કડવી તુંબડીની ગંધથી ધર્મ ઘોષ મુનિએ તે શાકમાંનું એક બિંદુ લઈને ચાખી જોયું તે તેમને તે કડવું વિષ સમાન લાગ્યું. તેથી તેમણે કહ્યું કે હે શિષ્ય, આ શાક ઝેર સમાન છે માટે તે તમે ખાશો નહિ અને ખાશો તે મરણ પામશો, માટે આ શાકને એકાંત નિર્દોષ જમીનમાં પરઠી આવો. ધર્મરૂચિ અણગાર તે શાક લઈને એકાંત સ્થળે ગયા. અને જ્યાં શાકનું એક બિંદુ નીચે નાખ્યું, ત્યાં તે શાકની ગંધથી હજારો કીડીઓ ભેગી થઈ ગઈ. અને તે ખાવાથી બધી મરણને શરણ થઈ આથી ધર્મચિએ વિચાર કર્યો કે કડવી તુંબીના એક બિંદુ માત્રથી હજારે કીડીઓને નાશ થયો. તે આ બધા શાકથી કેટલાયે જીવોના જાન જશે! તે મહારે પિતાને જ આ શાક ખાઈ જવું ઈષ્ટ છે. તેમ ધારી તેઓ ત્યાંને ત્યાં બધું શાક ખાઈ ગયા. શાક કેવળ ઝેર સમાન હતું તેથી તેની અસર પ્રણમી ગઈ. ધર્મચિને અતુલ વેદના ઉત્પન્ન થઈ. ધર્મરૂચિ અણગારે સંથારો કર્યો. પંચ પરમેષ્ટિનું સ્મરણ કરતાં ભાવ સમાધિમાં તેઓ મૃત્યુ પામ્યા, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
ધર્મષ સ્થીરે આ વાત જાણી, શાક ક્યાંથી આવ્યું તે વાત તેમણે પોતાના શિષ્યોને કરી. વાત ગામમાં પણ પ્રસરી અને બધા લેકે નાગશ્રીને ધિક્કારવા લાગ્યાં. ત્રણ બ્રાહ્મણોએ પણ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com