________________
૧૨
વિલાપ તથા કેશ આપવાની પ્રતિજ્ઞાની વાત કરી, આથી પ્રદ્યુમ્ન નારદ સાથે દ્વારિકામાં ગયા. માતાપિતાને ધણા આનંદ થયા. કૃષ્ણે તેને ધણી રાજ્ય કન્યાએ પરણાવી. પ્રદ્યુમ્નને અનિરુદ્ધ વગેરે પુત્રા થયા. છેવટે તેમણે તેમ પ્રભુ પાસે દીક્ષા લીધી અને મેાક્ષમાં ગયા.
૧૫૩ પ્રભવ સ્વામી.
ભરતક્ષેત્રમાં વિંધ્યાચળ પર્વત પાસે જયપુર નામનું નગર હતું. ત્યાંના વિંધ્ય રાજાને બે પુત્રા હતા. મ્હાટાનું નામ પ્રભવ, અને ન્હાનાનું નામ પ્રભુ. પ્રભવ મ્હોટા હોવા છતાં, કાંઈ કારણસર રાજાએ તેને રાજ્ય ન આપતાં પ્રભુને રાજ્ય સાંપ્યું, તેથી પ્રભવ અભિમાનપૂર્વક નગરની બહાર નીકળી ગયા અને વિંધ્યાચળ પર્વતની વિષમ ભૂમિમાં એક ગામ વસાવીને રહ્યો. તેણે પેાતાના જેવા પાંચસે। સાગ્રીતેા ઉભા કર્યાં, અને તે સત્ર લૂંટફાટ ચલાવવા લાગ્યા.
એવા સમયમાં જંબુકુમારનુ લગ્ન થયું, અને શ્વસુર પક્ષ તરફથી વિપુલ સંપત્તિ મળતાં આ વખતે જંબુકુમાર પાસે ૯૯ ક્રોડ સેાનામ્હારાની મિલ્કત થઈ હતી. આ વાતની પ્રભવને ખબર પડી એટલે તે પોતાના ૫૦૦ સાગ્રીત ચારા સાથે જંબુકુમારને ધેર આવ્યા. ત્યાં જંબુકુમારના પુણ્ય પ્રભાવે તે સ્થંભી ગયા; અને જંબુકુમારના ઉપદેશે વૈરાગ્ય પામી, તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે આકરી તપશ્ચર્યા કરવા માંડી અને તે સૂત્ર સિદ્દાન્તમાં પારંગત થયા. જંબુસ્વામીના નિર્વાણ પછી તેમની પાટ પર શ્રી પ્રભવ સ્વામી બિરાજ્યા. તેઓ ૧૦૫ વર્ષનું આયુષ્ય ભાગવી, મહાવીર પ્રભુ પછી ૭૫ વર્ષ એટલે વિક્રમ સંવત પૂર્વે ૩૯૫ માં કાળધમ પામી દેવલાકમાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com