________________
૧૦૧
કર્યું. તેણે શ્રીકૃષ્ણના ઉપકાર માન્યા. ત્યાંથી શ્રીકૃષ્ણ પ્રભુ પાસે પહોંચ્યા અને વંદન કર્યું. ત્યાં પેાતાના ભાઈ ગજસુકુમારને શ્રીકૃષ્ણે જોયા નહિ, તેથી કયાં છે તે જાણવા પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું: હે કૃષ્ણ, ગજસુકુમારે પોતાનું કામ સિદ્ધ કર્યું. શ્રી કૃષ્ણે પૂછ્યુંઃ— કેવી રીતે ભગવાન ? પ્રભુએ કહ્યું:—ગજસુકુમારને જલ્દી મેક્ષ મેળવવાની ઈચ્છા હતી, તેથી તે બારમી સાધુ પ્રતિમા ગ્રહણ કરી, મ્હારી રજા લઈ સ્મશાનમાં ગયા. ત્યાં એક પુરૂષે તેમને સહાય કરી. પરિણામે તેમનું કાર્ય સિદ્ધ થયું. જેવી રીતે પેલા વૃદ્ધની ઈંટા ઉપાડી તમે તેનું કામ પૂરૂં કર્યું તેવી રીતે.
શ્રીકૃષ્ણનાં નેત્રા લાલ થયાં, હેમને ક્રોધ ચડયો. ભગવાને ક્રોધ ન કરવા સમજાવ્યું. શ્રીકૃષ્ણે કહ્યું, ભગવાન. ત્યારે હું તે પુરૂષને કેમ એળખી શકું ? પ્રભુએ કહ્યું. હમને તે પુરૂષ રસ્તામાં મળશે, અને તમને દેખીને તે ભય પામી મૂર્છાગત બની ત્યાં જ મરણુ પામશે. શ્રીકૃષ્ણે પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ઉઠી સ્વસ્થાનકે જવા ચાલ્યા. સામિલને પણ વિચાર થયા કે શ્રીકૃષ્ણુ, ભગવાનને વાત પૂછશે અને ભગવાન સઘળી હકીકત તેમને કહેશે. તેથી તે ભયભીત બની ઘેરથી નીકળી ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીકૃષ્ણના ભેટા થયા. સામિલ ગભરાયા અને ત્રાસ પામી એકદમ ત્યાં મૂતિ થઈ જમીન પર પડયો અને મરણને શરણ થયા. શ્રી કૃષ્ણે તેને એળખ્યા. ગુસ્સાના આવેશમાં તેમણે તેના મૃત શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા અને ચંડાળા પાસે તે ફૂંકાવી દીધા,તથા તે જગ્યાએ પાણીનું સિ ંચન કરાવી શ્રીકૃષ્ણ સ્વસ્થાનકે ગયા.
શ્રી ગજસુકુમારને દેહ વિલય પામ્યા પણ તેમના અમર આત્મા અમરધામ (મેાક્ષ)માં પહોંચી ગયા. ધન્ય છે ગજસુકુમાર સમા મહા ક્ષમાસાગર સાધુને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com