________________
T
.
થએલા ઉપસંગેîતુ ખ્યાન કરી, કામદેવની માફક વૃત્ત નિયમમાં દૃઢ રહીને, દેવતા, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગીને સમભાવે સહન કરવાની પ્રભુએ પરિષદને દેશના દીધી. કામદેવ પ્રભુને વાંદી, પૌષધ પારીને ઘેર ગયા. ત્યારબાદ શ્રાવકની ૧૧ પ્રતિમા ગ્રહણ કરીને, અને અંતિમ અવસરે સારા કરીને કામદેવ શ્રાવક કાળધર્મ પામી પહેલા સુધ દેવલોકમાં ગયા, અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેાક્ષમાં જશે.
૫૯ કાતિઅેક શેઠ
મુનિસુવ્રત ભગવાનના વખતમાં મહા શ્રાવત એવા કાર્તિક નામના શેઠ હતા. તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રિરત્નને અનુસરનાર હતા. તેમને ત્યાં અથાગ સમૃદ્ધિ સાથે ૧૦૦૮ ગુમાસ્તા હતા. કાર્તિક શેઠે મુનિસુવ્રત ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા હતા. એક વખત અન્ય દર્શની એવા રાજાના ગુરૂ તે નગરમાં પધાર્યાં. સઘળા લોકો તેમના દર્શને ગયા. પરંતુ કાર્તિક શેઠ ગયા નહિ. એવામાં કાઈ તે શેના વૈરીએ ગુરુના કાન ભંભેર્યાં કે ભલે આખું નગર તમારાં દર્શને આવે, પરન્તુ કાર્તિક શેઠ તે આવે જ નહિ. આથી ગુરુ આવેશમાં આવી ગયા અને ખેાલ્યા, કે જ્યારે હું તે શેઠને નમાવું ત્યારે જ ખરા! આવા વિચાર કરી એક દિવસે તે રાજગુરુએ એવી શરતે રાજાને ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકાર્યું કે કાર્તિક શેઠના વાંસા પર થાળ મૂકીને જમાડવામાં આવે. રાજાએ આ શરત પણ સ્વીકારી. બીજે દિવસે કાર્તિક શેઠને રાજાએ પેાતાને ત્યાં ખેલાવ્યા અને વાત વિદિત કરી. કાર્તિક શેઠને રાજાના હુકઅને તાબે થવું પડયું. તે રાજગુરુના ખેાળામાં માથું મૂકીને નીચા નમ્યા, એટલે તેમના વાંસા પર તાપસે થાળ મૂકી ભાજન કર્યું. ગરમ ભેાજનના પ્રભાવે શેઠ કંઈક દાઝયા પણ ખરા. ત્યાર પછી પેાતાને વિચાર થયા, કે સંસારમાં રહેવાથી રાજાના આવા હુકમને તામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com