________________
હાથી, ૫૭ હજાર ઘેડા, ૫૭ હજાર રથ અને ૫૭ કરેડ પાયદળનું લશ્કર થયું.
બંને વચ્ચે સામસામું દાણુ યુદ્ધ થયું. તેમાં ચેડારાજાના હાથથી કાલી-કુમાર મરણ પામે અને ચોથી નરકમાં ગયે. ત્યાં તે દશ સાગરેપમની સ્થિતિ ભોગવી, ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે ને મોક્ષ જશે.
૬૧ કાલીરાણું. તે રાજગૃહ નગરના શ્રેણિક રાજાની રાણી હતી. કેણિકે શ્રેણિકની ગાદી પર બેસતાં, તેના પુત્ર કાલીકુમારને રાજ્યમાં ભાગ આપેલ, તેથી તે પિતાના પુત્ર સાથે કેણિકની રાજ્યધાની ચંપા નગરીમાં રહેતી. કેણિકને હાર હાથી માટે ચેડા રાજા સાથે વિગ્રહ થયે તેમાં કાલીકુમાર કેણિકની મદદે ગયા, ત્યાં ચેડા રાજાના હાથે તેનું મૃત્યુ થયું. આ વખતે ભગવાન મહાવીર ચંપાનગરીના ઉદ્યાનમાં સમેસર્યા હતા. પ્રભુના દર્શને જતાં કાલીરાણુએ પિતાના પુત્રનું શું થશે એમ પૂછતાં પ્રભુએ તેના મૃત્યુ સમાચાર આપ્યા,
* બંને વચ્ચે ઘણું દિવસ સુધી યુદ્ધ ચાલ્યું તેમાં કાલી આદિક દશે કુમાર ચેટક રાજાના એક એક બાણથી મૃત્યુ પામ્યા. આથી કેણિક ભય પામ્યો. તેણે પિતાના મિત્ર દેવની આરાધના કરી. દેવ આવ્યો. તેને કેણિકે ચેટક રાજાને સંહાર કરવાનું કહ્યું, ત્યારે દેવે કહ્યું કે પ્રભુ મહાવીરના પરમ ભક્ત ચેટકરાજાને અમે કાંઈ પણ નુકશાન કરી શકીયે એમ નથી. પણ જો તું કહે, તે તારું રક્ષણ કરીએ. કેણિકે હા કહી, એટલે દેવે ચેડારાજાને ત્યાંથી ઉપાડીને બીજે મૂ, જેથી કણિકને વિજય થયો. શ્રેણિકે વિશાળ નગરીને ઉજજડ કરી મૂકી. આ યુદ્ધમાં ૧ કરોડ ૮૦ લાખ મનુષ્યોને
સંહાર થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com