Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૩
ગુજરાતનું ઇતિહાસ-પ્રમાણિત પહેલુ` પાટનગર : ગિરિનગર
૧. યાદવકાલીન ગિરિપુર અને કુશસ્થલી-દ્વારવતી
કાઈ પણ પ્રદેશમાં વસેલી પ્રજાને આર્થિક, રાજકીય, સામાજિક અને ધાર્મિક વિકાસ થાય, તે તે વિષયના વિચારો વિદ્યાએમાં બહુરૂપ થાય અને શિલ્પ તથા કળાઓને અવકાશ મળે ત્યારે તેઓનુ કેન્દ્રિત રૂપ તે તે પ્રદેશનાં પ્રમુખ નગરશ અને રાજધાનીએમાં જોવા મળે છે, આથી પ્રતિહાસમાં એનાં પ્રમુખ નગરાનાં અને રાજધાનીનાં અલગ નિરૂપણુ તે તે યુગના સમગ્ર વિકાસનુ કેંદ્રિત ચિત્રણ
આપે છે.
પહેલાંની સદીઓમાં નગરે માટે અસલ સ્થાન પસંદ કરવામાં અને પછીથી તેઓને વિકસાવવામાં મુખ્ય વિચાર સ ંરક્ષણના રહેતા. એ પછી નગરેશના વિકાસ મોટે ભાગે રાજકીય કારણે થતા. નગરા વિકસે અને વિસ્તરે તે પહેલાં કૃષિ, ઉદ્યોગ અને વાણિજ્યની પ્રગતિ જરૂરની બને છે. ૧
ગુજરાતના પ્રતિહાસમાં પણ આ તથ્ય દેખાય છે. એને પુરાવા એનાં પ્રાચીન નગરાનાં—કુશસ્થલી-દ્વારવતી, ગિરિપુર-ગિરિનગર, વલભી, ભિન્નમાલ, અણહિલ્લપુર અને અમદાવાદનાં અન્વેષણેામાંથી પ્રાપ્ત થાય છે. પ્રતિહાસના આ ગ્રંથભાગમાં મુખ્યત્વે ગિરિનગરના વૃત્તાંત અભિપ્રેત છે, પરંતુ પૌરાણિક દ્બારવતી કે દ્વારકાનું મહત્ત્વ પણ આ પ્રતિહાસ-યુગમાં એછું નથી.
વર્તમાન ગુજરાત પ્રાચીન માનત સુરાષ્ટ્ર અને લાટના પ્રદેશાને સમાવે છે. ઉત્તરે ગુર્જર (રાજધાની તરીકે-રાજસ્થાનમાં આવેલા ભિન્નમાલ સુધીના પ્રદેશને અર્બુદગિરિપ્રદેશ સહિતને રાજકીય અને સામાજિક ઇતિહાસનાં કારણ
ર