Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪૪] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. આચાર્ય હેમચંદ્ર “સિદ્ધહેમ” ઉપરની બૃહદ્દીકામાં ર૫ મલવાદીને “તાર્કિકેમાં શ્રેષ્ઠ” (અનુમક્ટવર્જિન તા :) કહીને બિરદાવ્યા છે. જૈન ન્યાયના મહાગ્રંથ “સન્મતિતક' ઉપર મલ્લવાદીએ ટીકા રચી હતી એવી પણ અનુશ્રુતિ છે. બૌદ્ધ વિદ્વાન ધર્મકીર્તિકૃત “ન્યાયબિંદુ”ની ધર્મોત્તરસ્કૃત ટીકા ઉપર મલ્લવાદીએ ટિ પણ લખ્યું હતું એમ કહેવાય છે. ૨૬ વળી “પદ્મચરિત” નામનું રામકથાવિષયક (જૈન પરંપરામાં રામને ‘પદ્મ' કહે છે) ૨૪,૦૦૦ લેકપ્રમાણનું મહાકાવ્ય મહલવાદીએ રહ્યું હોવાનું “પ્રભાવકચરિત”—અંતર્ગત “મલવાદિચરિત’ નેધે છે:
श्रीपद्मचरितं नाम रामायणमुदाहरत् ।
चतुर्विशतिरेतस्य सहस्त्रा ग्रन्थमानतः ॥७०॥ આ ગ્રંથ પણ અનુપલબ્ધ છે.
પાદટીપે
૧. વલભીના રાજા ધરસેન બીજાના એક તામ્રપત્ર(ઈ. સ. ૪૭૮)માં એના પિતા ગુહસેનને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષાઓમાં પ્રબંધરચના કરવામાં નિપુણ (સંતરાતા ગ્રંરામાપાત્રચતિવધવપરનાનિપુણતાન્તર:) કહ્યો છે (ગુજરાતના ઐતિહાસિક લેખ, નં. ૫૦), પરંતુ એ તામ્રપત્ર બનાવટી જણાયુંહોવાને કારણે એ ઉલેખ આધારભૂત ન ગણાય.
2. M. B. Jhavery, faafurafeen, Introduction, folio 16 ૩. ભ. જ. સાંડેસરા, “જન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૮ ४. प्रभाचन्द्र, प्रभावकचरित, ५, २४७-३०६
૫. આ સંક્ષેપનો જર્મન અનુવાદ છે. ઘૂમેને કર્યો છે. જર્મન અનુવાદના ગુજરાતી ભાષાંતર માટે જુઓ “નૈન સાહિત્ય સંશોધવા”, ખંડ ૨, અંક ૨, પરિશિષ્ટ.
૬. ભો. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૯૮-૯૯
૭. કચેરમતી નદી વિશેના આ એકમાત્ર ઉપલબ્ધ ઉલેખ ઉપરથી અનુમાન થાય છે કે કાં તો એમાં પાછું રહેતું નહોતું અથવા એ પાણું બેસ્વાદ હતું. એ નદી પ્રસિદ્ધ હોઈ લોકોક્તિમાં આ રીતે સ્થાન પામી હતીઃ “વિ તિ રમતી, વીર્ય તે વાળિયુંવાં तुह नाम न दंसगयं'। अत्र कसेरु नाम नदी। तस्याः प्रसिद्धिरतीव। न वरं न ofસદ્ધાનુ તા: પનીયામતિ : (“વ્યવહારસૂત્ર', ભાષ્યગાથા ૫૮-૫૯ ઉપરની