Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૧૮]
[પરિ.
મોર્યકાલથી ગુપ્તકાલ ગણાય. સિંહ નર અને માનવ માદાનો સહવાસ અને એમાંથી સિંહબાહુ સ્વરૂપના માનવ-પુત્રની ઉત્પત્તિને લગતી કથા એ ભારતની તથા અન્ય દેશની અનેક લેકકથાઓમાં આવતી દંતકથા જેવી દેખાય છે. પ્રજનનશાસ્ત્રની દૃષ્ટિએ એવી નરસિંહ સંતતિની ઉત્પત્તિ સંભવિત પણ ન લાગે, પરંતુ આ કથાના મૂળમાં સિંહ કે સિંહલ નામે કોઈ વ્યકિતવિશેષ કે જાતિવિશેપનું તથ્ય રહેલું હોય ને આગળ જતાં એને આવી દંતકથા તરીકે નિરૂપવામાં આવ્યું હોય એવું પણ સંભવે. આ અનુસાર વંગ દેશની રાજકન્યા લાટ દેશના સિંહ નામે કોઈ વીર પુરુષને પરણી હોય,૪૯ એ બેના સંગમાંથી સિંહલની ઉત્પત્તિ થઈ હોય ને એ સિંહલને વંશ “સિંહલ તિ” તરીકે ઓળખાયે હોય; અર્થાત સિંહલ નતિના મૂળ પુરુષ સિં હલમાં માતૃપક્ષે વંગકન્યાનું લેહી રહેલું હોય, પણ એનું પોતાનું કુળ તેમજ વતન લાટ દેશનું હોય ને એણે દેશવટો દીધેલા સિંહલો૫૦ લાટ દેશના સિંહપુરમાંથી નીકળી પૂરક થઈ લંકા ગયા હોય. સિંહલની સફરના નિઃપણમાં આવતો શરકને ઉલ્લેખ પછતઃ ઢાઢ દેશ પશ્ચિમ ભારતમાં હોવાનું સૂચવે છે.
સિહદેશની સુદર્શના નામે રાજકન્યાએ ભરુકચ્છમાં ‘શકુનિકા વિવાર’ બંધાવેલો ને એ વિવારનું નિર્માણ સંપ્રતિ છે. પૂ. ૨૨૯-૨૨૦)ના સમય પહેલાં થયેલું,પ૧ એ પરથી લાટ અને લંકા વચ્ચે મોર્યકાલમાં સાંસ્કૃતિક સબંધ પ્રવર્તતો હોવાની પ્રતીતિ થાય છે. ગુજરાતી લેકકથાઓમાં આવતા લંકાના ઉલ્લેખ તથા
કાની લાડી ને ઘાનો વર” એ ગુજરાતી કહેવત ગુજરાત અને સિલાન વખ્ય મઘકાલમાં ચાલુ રહેલા વાણક તથા સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિબિંબ પાડે છે.
સિદ્ધપુર ( તથા સીગપુર , સમુદ્રતટથી થોડા માઈલ અંદર આનંલું છે, પરંતુ ત્યાંથી દેખાવટી પામેલા સિડલે એની નજીકના બંદરથી દરિયાઈ સકરે રવાના થયા ગણાયપર “સિહલ” એવું નતિવિશેષનું સંભાત નામ સૈારાષ્ટ્રના સિલપુર (શિહેર સાથે સારી રીતે બંધ બેસે.૫૩ હાલ ગીરનું , ગલ જ સિંહોની વસ્તી ધરાવે છે ને ગઈ સદીના મધ્ય સુધી સિહોરના ૬ ગરોમાં પણ સિંહની વસ્તી હતી. ૫૪
આ બધા જુદા લક્ષમાં લેતાં સિલેની ઉત્પત્તિ લાટ ગુજરાત ના પુરુષ અને વંગ બંગાળાની ગ્રીના સંયોગથી લાટ દેશમાં થઈ હોય છે ત્યાંથી દેશવટો પામેલા 'ટલાક તોફાની સિંહલે સે પાર થઈ લકામાં જઈ રહ્યા હોય, એ તદ્દન સંભવિત લાગે છે.