Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯]
ગુપ્તકાલ
[ ૧૯૭
બ્રાહ્મણને દાનમાં દીધું હતુ.૩૩ દહુસેન પરમ વૈષ્ણવÝ હતા. એણે અશ્વમેધ કર્યા હતા.૩૫ એના દાનશાસનના દૂતક બુદ્ધગુપ્ત નામે કોઈ અધિકારી હતા.
દાહસેન પછી એના પુત્ર વ્યાઘ્રસેન ગાદીએ આવ્યા. એનાય સિક્કા મળ્યા છે તેમજ એનુ એક દાનશાસન પણ મળ્યું છે.૩૬
ગુપ્તાના ચાંદીના સિક્કાઓની જેમ ત્રૈકૂટકાના સિક્કા પણ ક્ષત્રપાના સિક્કા જેવા છે. આ સિક્કા ચાંદીના અને ગેાળ છે. એના અગ્રભાગ પર વચ્ચે રાજાની મુખાકૃતિ અને એની આસપાસ અસ્પષ્ટ ગ્રીક-રામન અક્ષરા હાય છે, પરંતુ વની સંખ્યા હોતી નથી. પૃષ્ઠભાગ પર વચ્ચે ત્રિકૂટ પર્વત, એની ઉપર ચંદ્ર અને સૂર્યનાં પ્રતીક તથા નીચે સમુદ્ર કે નદી સુચવતી તરંગાકાર રેખા હોય છે. ને કિનારીને અડીને વર્તુલાકારે લેખ લખેલા હોય છે, જેમાં રાજાના નામ તથા ખિરુની સાથે એના પિતાનું નામ તથા બિરુદ તેમજ રાજાનેા ધર્મસ ંપ્રદાય જણાવેલ છે. દહુસૈનના સિક્કા પર મહારાનેવત્તપુત્ર-પરમવૈળવ-શ્રીમદ્દાર)ન દૂલેન એવુ લખાણ હાય છે.૩૭
પાદટીપા
૧. Fleet, Corp. Ins. Ind., Vol. III, pp. 6 ff.
૨. Chronology of Gujarat, Vol. I, pp. 86 ff. એ ઉપર પૃ. ૧૫૦.
૩. R. C. Raychaudhuri, Political History of Ancient India, p. 547; R. C. Majumdar, The Vakataka-Gupta Age, Ch. VIII, pp. 161 ff,
૪. R. C. Majumdar, Classical Age, Ch. III, pp. 17 f; R. D. Banarjee, Age of the Imperial Guptas, pp. 29 f.
બેસનગર (વિદિશા) પાસેથી ૧૯૬૯ માં મળેલા મહારાધિરાજ રામગુપ્તના ત્રણ પ્રતિમાલેખાના સમકાલીન પુરાવા પરથી હવે રામગુપ્તની ઐતિહાસિકતા પ્રતિપાદિત થઈ છે ( G. S. Gai, “ Three Inscriptions oy Ramagupta,” 7. O. I, Vol. XVIII, 247 ff. ).
Pp.
૫. ભા. જ. સાંડેસરા, “ શકાર', પુરવચન પૃ. ૯-૧૦
૬. જુઓ ઉપર પૃ. ૧૫૩-૫૬.
૭. એ કુમારગુપ્ત ૧ લાના સમકાલીન બધ્રુવમાંના પિતા હતા.